title
stringlengths
1
78
url
stringlengths
31
108
text
stringlengths
0
119k
મુખપૃષ્ઠ
https://gu.wikipedia.org/wiki/મુખપૃષ્ઠ
{| style="border-spacing:3px;margin:0px -3px" |class="MainPageBG" style="width:55%;border:3px double #bc6eca;background-color:#f5fffa;vertical-align:top;color:#000" {{#timel: j F}} |} __NOTOC__ __NOEDITSECTION__
HomePage
https://gu.wikipedia.org/wiki/HomePage
REDIRECT મુખપૃષ્ઠ
કુદરત
https://gu.wikipedia.org/wiki/કુદરત
કુદરત બહોળા અર્થમાં વાસ્તવિક અથવા અવાસ્તવિક વિશ્વ અથવા બ્રહ્માંડ છે. "કુદરત" વિશ્વમાં બનતી ઘટના અથવા જીવન સાથે જોડાયેલ છે. કુદરતનો અભ્યાસ વિજ્ઞાનનો મુખ્ય હેતુ છે. મનુષ્ય કુદરતનો ભાગ હોવા થતાં મનુષ્ય દ્વારા થતી ક્રિયાઓ કુદરતી ક્રિયાઓ કે ઘટના કરતાં અલગ રીતે જોવામાં આવે છે.
નરસિંહ મહેતા
https://gu.wikipedia.org/wiki/નરસિંહ_મહેતા
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. જીવન નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો. તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી. સર્જન નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે. તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે. નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી. સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે: આત્મકથાત્મક સર્જનો: જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ 'ચમત્કારો' જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે.Dholakiya, Darshana (1994). Narsinh Mehta (in Gujarati). Vallabh Vidyanagar: Sardar Patel University. pp. 8–20. OCLC 32204298. અવર્ગીકૃત સર્જનો: સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો. શૃંગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છે. વારસો અને લોકસંસ્કૃતિ thumb|રાજકોટ ખાતે નરસિંહ મહેતાનું બાવલું તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા (૧૯૩૨) બન્યું હતું; ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું. વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં નરસી ભગત અને ગુજરાતીમાં નરસી ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું. નરસૈંયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા. સન્માન ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સંદર્ભ બાહ્ય કડીઓ Category:ધાર્મિક સાહિત્યકાર Category:વ્યક્તિત્વ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:કવિ શ્રેણી:જૂની ગુજરાતી
કનૈયાલાલ મુનશી
https://gu.wikipedia.org/wiki/કનૈયાલાલ_મુનશી
કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાવ્યા બાદ નહેરૂ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમણે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં અગ્રિમ ભૂમિકા ભજવી. પ્રારંભિક જીવન તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. લગ્ન ૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. કારકિર્દી રાજકારણ thumb|કનૈયાલાલ મુનશી અને રાજકુમારી અમૃતા કૌર સાથે ટ્રેકટર ચલાવતા જવાહરલાલ નેહરુ. મુનશીએ ગાંધી ટોપી અને ચશ્મા પહેરેલા છે. ૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કૃષિપ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. સાહિત્ય સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો. અવસાન ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. સર્જન કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે. તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે: નવલકથાઓ મારી કમલા (૧૯૧૨) વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ) પાટણની પ્રભુતા (૧૯૧૬) ગુજરાતનો નાથ (૧૯૧૭) રાજાધિરાજ (૧૯૧૮) પૃથિવીવલ્લભ (૧૯૨૧) સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪) લોપામુદ્રા (૧૯૩૦) જય સોમનાથ (૧૯૪૦) ભગવાન પરશુરામ (૧૯૪૬) તપસ્વિની (૧૯૫૭) કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ) કોનો વાંક લોમહર્ષિણી ભગવાન કૌટિલ્ય પ્રતિરોધ (૧૯૦૦) અવિભક્ત આત્મા નાટકો બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧) ડૉ. મધુરિકા (૧૯૩૬) પૌરાણિક નાટકો અન્ય કેટલાક લેખો (૧૯૨૬) અડધે રસ્તે (૧૯૪૩) સીધાં ચઢાણ સ્વપ્નસિદ્ધિની શોધમાં ભગ્ન પાદુકા પુરંદર પરાજય તર્પણ પુત્રસમોવડી વાવા શેઠનું સ્વાતંત્ર્ય બે ખરાબ જણ આજ્ઞાંકિત ધ્રુવસંવામિનીદેવી સ્નેહસંભ્રમ કાકાની શશી છીએ તે જ ઠીક મારી બિનજવાબદાર કહાણી ગુજરાતની કીર્તિગાથા અંગ્રેજી Gujarat & its Literature I Follow the Mahatma Early Aryans in Gujarat Akhand Hindustan The Aryans of the West Coast The Indian Deadlock The Imperial Gurjars Ruin that Britain Wrought Bhagavad Gita and Modern Life The Changing Shape of Indian Politics The Creative Art of LIfe Linguistic Provinces & Future of Bombay Gandhi : The Master Bhagavad Gita - An Approach The Gospel of the Dirty Hand Glory that was Gurjaradesh Our Greatest Need Saga of Indian Sculpture The End of an Era (Hyderabad Memories) Foundation of Indian Culture Reconstruction of Society through Trusteeship The World We Saw Warnings of History Gandhiji's Philosophy in Life and Action માધ્યમમાં શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી. સન્માન thumb|ભારતીય ટપાલ ટિકિટ પર કનૈયાલાલ મુનશી ૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી. સ્મૃતિચિહ્નો મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે. જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે. તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે. ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ શ્રેણી:રાજકારણી શ્રેણી:૧૯૭૧માં મૃત્યુ શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો
ગુજરાતનો નાથ
https://gu.wikipedia.org/wiki/ગુજરાતનો_નાથ
ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૧૮માં પ્રગટ થઇ હતી. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે. મુનશી કૃત ચાર નવલકથાઓની શ્રેણીમાંની આ ત્રીજી નવલકથા છે. પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાધિરાજ છે. કથા આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે. કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર 'કાક' નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને 'મંજરી', કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે. જેમાં કાક અનેક સાહસોમાંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઇતિહાસની સફર કરાવે છે. કાક એક બ્રાહ્મણ હોવા છતાં એક સારો લડવૈયો અને ચતુર માણસ હતો. પરંતુ તેને સંસ્કૃત આવડતું નહી. આ વાત મંજરીને ગમતી નહી. આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે. કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા, कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् | સંસ્કૃત વાક્ય વારંવાર વપરાયેલું છે. અનુવાદ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રીટા કોઠારી અને એમના પતિ અભિજિત કોઠારીએ 'ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત' (૨૦૧૮) નામે કર્યો છે. સંદર્ભ પૂરક વાચન બાહ્ય કડીઓ શ્રેણી:નવલકથા
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)
https://gu.wikipedia.org/wiki/રાષ્ટ્રીય_પ્રતિજ્ઞા_(ભારત)
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાએ બંધારણનો ભાગ નથી. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાની રચના મૂળ તેલુગુ ભાષામાં ઈ.સ. ૧૯૬૨માં પી.વી.સુબ્બારાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું સર્વપ્રથમ પઠન ૧૯૬૩માં વિશાખાપટનમની એક શાળામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રમશ: અન્ય રાજ્યોમાં પણ તેના પઠનની શરૂઆત થઈ હતી. ઉત્પત્તિ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્રની રચના તેલુગુ ભાષાના ઉલ્લેખનીય લેખક તેમજ બ્યુરોક્રેટ (નોકરશાહ) પૈદીમરી વેંકટા સુબ્બારાવ દ્વારા ૧૯૬૨માં વિશાખાપટનમ ખાતેના તેમના જીલ્લા કોષાલય અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે પોતાની રચના તત્કાલીન વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેનેટ્ટી વિશ્વનંદમ તથા શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને પ્રસ્તુત કરી હતી. ૧૯૬૩થી દરેક રાજ્યોની શાળાઓમાં પ્રતિજ્ઞા પત્રના પઠનની ક્રમશ: શરૂઆત થઈ હતી. જોકે પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવતા પ્રતિજ્ઞા પત્રમાં તેના રચયિતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી તેઓ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગાનના રચયિતા જેટલા જાણીતા નથી. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દસ્તાવેજોમાં પ્રતિજ્ઞા પત્રના રચયિતા તરીકે પી.વી.સુબ્બારાવનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રતિજ્ઞા પત્ર India is my country. All Indians are my Brothers and Sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well being and prosperity alone, lies my happiness. ગુજરાતી સંસ્કરણ ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. ઉપયોગ સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં તેમજ વિધાનસભાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે સંદર્ભ બાહ્ય કડીઓ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્ર: ભારત અંગ્રેજી ભાષામાં. શ્રેણી:કૃતિ શ્રેણી: ભારતીય સંસ્કૃતિ શ્રેણી:સમાજશાસ્ત્ર
ગુજરાતી સાહિત્યકારોની યાદી
https://gu.wikipedia.org/wiki/ગુજરાતી_સાહિત્યકારોની_યાદી
ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. જાણીતા ગુજરાતી સાહિત્યકારો કવિ લેખક લેખક અને ઉપનામ પ્રેમસખિપ્રેમાનંદ સ્વામીઅઝિઝધનશંકર ત્રિપાઠીઅદલઅરદેશર ખબરદારઅનામીરણજિતભાઈ પટેલઅજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયનઉપવાસીભોગીલાલ ગાંધીઉશનસ્નટવરલાલ પંડ્યાકલાપીસુરસિંહજી ગોહિલકાન્તમણિશંકર ભટ્ટકાકાસાહેબદત્તાત્રેય કાલેલકરઘનશ્યામકનૈયાલાલ મુનશીગાફિલમનુભાઈ ત્રિવેદીચકોરબંસીલાલ વર્માચંદામામાચંદ્રવદન મેહતાજયભિખ્ખુબાલાભાઈ દેસાઈજિપ્સી કિશનસિંહ ચાવડાઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠીદર્શકમનુભાઈ પંચોળીદ્વિરેફ, શેષ, સ્વૈરવિહારીરામનારાયણ પાઠકધૂમકેતુગૌરીશંકર જોષીનિરાલાસૂર્યકાન્ત ત્રિપાઠીપતીલમગનલાલ પટેલપારાશર્યમુકુન્દરાય પટણીપ્રાસન્નેયહર્ષદ ત્રિવેદીપ્રિયદર્શી મધુસૂદેન પારેખપુનર્વસુલાભશંકર ઠાકરપ્રેમભક્તિકવિ ન્હાનાલાલફિલસુફચીનુભઈ પટવાબાદરાયણભાનુશંકર વ્યાસબુલબુલડાહ્યાભાઈ દેરાસરીબેકારઈબ્રાહીમ પટેલબેફામબરકતઅલી વિરાણીમકરંદરમણભાઈ નીલકંઠમસ્ત, બાલ, કલાન્તબાલશંકર કંથારિયામસ્તકવિત્રિભુવન ભટ્ટમૂષિકારરસિકલાલ પરીખલલિતજમનાશંકર બૂચવનમાળી વાંકોદેવેન્દ્ર ઓઝાવાસુકિઉમાશંકર જોષીવૈશંપાયનકરસનદાસ માણેકશયદાહરજી દામાણીશિવમ સુંદરમ્હિંમતલાલ પટેલશૂન્યઅલીખાન બલોચશૌનિકઅનંતરાય રાવળસત્યમ્શાંતિલાલ શાહસરોદમનુભાઈ ત્રિવેદીસવ્યસાચીધીરુભાઈ ઠાકોરસાહિત્ય પ્રિયચુનીલાલ શાહસેહેનીબળવંતરાય ઠાકોરસુધાંશુદામોદર ભટ્ટસુન્દરમ્ત્રિભુવનદાસ લુહારસોપાનમોહનલાલ મેહતાસ્નેહરશ્મિઝીણાભાઈ દેસાઈસહજવિવેક કાણેવેશમપાયનકરશનદાસ માણેક ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ આત્મકથા: મારી હકીકત, નર્મદ ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ નાટક: લક્ષ્મી, દલપતરામ પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬) નવલકથા: કરણઘેલો, નંદશંકર તુલજાશંકર મહેતા મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી મનોવિજ્ઞાન: મનુભાઈ ધ્રિવેદી મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫) લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫) સાહિત્યકારો અને તેમની કૃતિઓ દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન નંદશંકર મેહતાઃ કરણ ઘેલો ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા મહીપતરામ રૂપરામ નીલકંઠ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી ગોવર્ધનરામ ત્રિપાઠી: સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા મણિલાલ દ્વિવેદી: કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨ નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩) નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર . ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી પ્રહલાદ પારેખઃ બારી બહાર રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫) નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨ બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલો વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલય જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી, નીરવ સંવાદ હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર. સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮ પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા હસિત બૂચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ નાથાલાલ દવેઃ રાત થઈ પુરી માવજી મહેશ્વરી: મેળો, મેઘાડંબર, અગનબાણ, કાંધનો હક, અજાણી દિશા (નવલકથાઓ) પવન, અદશ્ય દીવાલો, ખોવાઈ ગયેલું ગામ (વાર્તા સંગ્રહો) શ્રેણી:સાહિત્ય શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર
ગુજરાત
https://gu.wikipedia.org/wiki/ગુજરાત
ગુજરાત ( , ) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text) ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે. ઇતિહાસ પૌરાણિક ગુજરાત વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત સમયે શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા. ઐતિહાસિક ગુજરાત thumb|left|પ્રાચીન લોથલ બંદર (હાલમાં) thumb|200px|ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. પશ્ચિમી શાસન યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ સમયે મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને સ્વતન્ત્રતા પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું. ભારતની આઝાદી પછીનું ગુજરાત ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં. ભૂગોળ thumb|210px|ગીરનાર પર્વત thumb|300px|નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે. ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે. ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે. પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે. જિલ્લાઓ 300px|thumb|right|ગુજરાતના જિલ્લાઓ ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે. શહેરો 200px|left|thumb| અમદાવાદ 150px|thumb|વડોદરા 200px|left|thumb | સુરત 120px| thumb | રાજકોટ ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટીમાં થાય છે. કુદરતી વિસ્તારો ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો. એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે. નદીઓ 230px|thumb|right|સરદાર સરોવર યોજના 230px|thumb|left|સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે. વસતી સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે. રાજકારણ thumb|right|ગુજરાત હાઇકોર્ટ ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું. ૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી બન્યા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી નિયુક્ત કરાયા. અર્થતંત્ર thumb|300px|હઝીરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર thumb|right|200px|સરદાર સરોવર ડેમ thumb|200px|right|અમુલ ડેરી, આણંદ ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. ખંભાતના અખાત પાસે આવેલ સુરત નગર વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કી.મી.ના અંતરે અલંગમાં વિશ્વનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા નગરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે. ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે."Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008 કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.Economic Freedom of the States of India 2011 Cato Institute રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે. ઔદ્યોગિક કેન્દ્રો કચ્છ અમદાવાદ અંકલેશ્વર ભરુચ દહેજ સુરત રાજકોટ વડોદરા વાપી જામનગર હજીરા અલંગ શૈક્ષિણક સંસ્થાનો thumb|right|300px|ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ મિશ્ર પ્રવાહની યુનિવર્સિટીઓ, ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે. અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે સ્થાપવામાં આવી હતી. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી. સાબરમતી નદીના કાંઠે, પાલજ ખાતે તેનું આધુનિક બાંધકામ કરવામાં આવ્યું અને ૮ જુલાઈ, ૨૦૧૫થી કાયમી ધોરણે સંસ્થાનું સંપૂર્ણ કામકાજ ત્યાં ખસેડવામાં આવ્યું. thumb|300px|મુખ્ય પ્રવેશદ્વાર SVNIT, સુરત સેપ્ટ યુનિવર્સિટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી, લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને નિરમા યુનીવર્સીટી જેવાં પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો પણ આવેલાં છે. સંસ્કૃતિ ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે. ગુજરાતી ભોજન ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે. ગુજરાતી ભાષા ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે. આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું. કળા ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે. હસ્તકળા ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે. ભરતગુંથણ કામ માટીકામ બાંધણી કાષ્ટકામ પટોળા જરીકામ ઘરેણા બીડ વર્ક સાહિત્ય ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે. સંગીત અને નૃત્ય thumb|300px|ગુજરાતના પ્રખ્યાત ગરબા ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે. સિનેમા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે. તહેવારો ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે: નવરાત્રી દિવાળી ધુળેટી ઉત્તરાયણ જન્માષ્ટમી શિવરાત્રી પરિવહન હવાઈ પરિવહન thumb|right|200px|સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ thumb|ભાવનગર હવાઇમથક ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (અમદાવાદ) - અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે. પ્રાદેશિક હવાઈમથક સુરત હવાઈમથક - મગદલ્લા રોડ પર આવેલ છે. ભાવનગર હવાઈમથક - ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે. ડીસા હવાઇ મથક - ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે. કંડલા હવાઈમથક (ગાંધીગ્રામ) - કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે. કેશોદ હવાઈમથક (જુનાગઢ) - જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે. પોરબંદર હવાઈમથક - પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. રાજકોટ હવાઈમથક - રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે. વડોદરા હવાઈમથક - સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા). ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે. જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે. નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે. રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે. માંડવી હવાઈમથક અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી ભવિષ્યના હવાઈમથક ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક ફેદરા (અમદાવાદ) - ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક પાલીતાણા દ્વારકા રેલ્વે પરિવહન ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે. દરિયાઈ પરિવહન ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે. રોડ પરિવહન thumb|right|અમદાવાદની શહેરી બસ thumb|right|ઓટોરિક્ષા સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસ સેવાની વ્યવસ્થા પણ છે. ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. પ્રવાસન thumb|સ્ટેચ્યુ ઓફ યુનિટી ધાર્મિક સ્થળો/યાત્રાધામો નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી અહીં જોવા મળશે. સોમનાથ શામળાજી કનકાઈ-ગીર પાલીતાણા ડાકોર પાવાગઢ દ્વારકા અંબાજી બહુચરાજી સાળંગપુર ગઢડા વડતાલ નારેશ્વર ઉત્કંઠેશ્વર સતાધાર પરબધામ ચોટીલા વીરપુર તુલસીશ્યામ સપ્તેશ્વર અક્ષરધામ, ગાંધીનગર બગદાણા ગિરનાર તરણેતર સંતરામ મંદિર, નડીઆદ કબીરવડ, ભરુચ રુદ્રમહાલય (સિદ્ધપુર) માટેલ (ખોડિયાર મંદિર) પર્યટન સ્થળો દીવ તુલસીશ્યામ દમણ સાપુતારા અન્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી મેળાઓ thumb|350px|right|તરણેતરનો મેળો ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે. ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો મોઢેરા - નૃત્ય મહોત્સવ ડાંગ - દરબાર મેળો કચ્છ રણ ઉત્સવ ધ્રાંગ મેળો અંબાજી પૂનમનો મેળો તરણેતરનો મેળો (ત્રિનેતેશ્વર મહાદેવનો મેળો) શામળાજીનો મેળો રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો 300px|right|thumb|એશીયાઇ સિંહ ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. પુરાતત્વીક સ્થળો લોથલ હાથબ ધોળાવીરા ઘુમલી આ પણ જુઓ ગુજરાતી ભાષા સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસ વિશે વધુ માહિતી શ્રેણી:ગુજરાત શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મહાત્મા ગાંધી
https://gu.wikipedia.org/wiki/મહાત્મા_ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી. ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવાચક શબ્દ મહાત્મા (સંસ્કૃત 'મહાન-આત્માવાળા, આદરણીય' માંથી) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે. તટવર્તી ગુજરાતના એક હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા ગાંધીજીએ લંડનના ઇનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને જૂન ૧૮૯૧માં ૨૨ વર્ષની વયે તેઓ બારિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં કારકિર્દીની શરૂઆતના બે વર્ષો દરમિયાન તેઓ કાયદાની સફળ પ્રેક્ટિસ શરૂ કરી શક્યા ન હતા, તેઓ ૧૮૯૩માં એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ ૨૧ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. અહીં તેમણે પોતાના પરિવારનું પાલનપોષણ કર્યું હતું અને નાગરિક અધિકારો માટેની ઝુંબેશમાં સૌ પ્રથમ અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૧૫માં, ૪૫ વર્ષની વયે, તેઓ ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ ખેડૂતો, ખેતમજૂરો અને શહેરી મજૂરોને વધુ પડતા જમીન-વેરા અને ભેદભાવ સામે વિરોધ કરવા સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ સંભાળીને ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોનું વિસ્તરણ કરવા, ધાર્મિક અને વંશીય સૌહાર્દનું નિર્માણ કરવા, અસ્પૃશ્યતાનો અંત લાવવા અને સૌથી વધુ તો સ્વરાજ કે સ્વશાસન હાંસલ કરવા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીએ હાથેથી કાંતેલા સૂતરથી વણાયેલી ટૂંકી ધોતીને ભારતના ગ્રામીણ ગરીબો સાથેની ઓળખના પ્રતીક રૂપે અપનાવી હતી. તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું, સાદું ભોજન લેવાનું શરૂ કર્યું, અને આત્મનિરીક્ષણ અને રાજકીય વિરોધ બંનેના સાધન તરીકે લાંબા ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદને સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવામાં સફળ રહેલા ગાંધીજીએ ૧૯૩૦માં ૪૦૦ કિમી (૨૫૦ માઇલ)ની દાંડી કૂચના માધ્યમથી બ્રિટીશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ કરીને તેમની આગેવાની લીધી હતી. તેઓ ઘણી વાર દક્ષિણ આફ્રિકા તેમ જ હિંદમાં ઘણાં વરસો સુધી જેલમાં રહ્યા હતા. ધાર્મિક બહુલવાદ પર આધારિત સ્વતંત્ર ભારતની ગાંધીજીની કલ્પનાને ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં એક મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવી હતી, જેણે બ્રિટિશ ભારતની અંદર મુસ્લિમો માટે એક અલગ માતૃભૂમિની માગણી કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં હિંદુસ્તાનને બ્રિટન દ્વારા સ્વતંત્રતા મળી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્ય હિંદુ બહુમતી ધરાવતા ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં વહેંચાઈ ગયું હતું. ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખો તેમના નવા પ્રદેશો તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીથી દૂર રહીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછીના મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસાને રોકવા માટે અનેક ભૂખ હડતાલ કરી. આમાંની છેલ્લી શરૂઆત ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ દિલ્હીમાં થઈ હતી જ્યારે તેઓ ૭૮ વર્ષના હતા. ગાંધી પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમો બંનેના બચાવમાં ખૂબ જ મક્કમ હતા તેવી માન્યતા ભારતના કેટલાક હિન્દુઓમાં ફેલાઈ હતી. આમાં પશ્ચિમ ભારતના પૂણેના એક આતંકવાદી હિન્દુ રાષ્ટ્રવાદી નથુરામ ગોડસેનો પણ સમાવેશ થાય છે, જેમણે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં એક આંતરધર્મીય પ્રાર્થના સભામાં ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ચલાવીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીના જન્મદિવસ, ૨ ઓક્ટોબરને, ભારતમાં ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય રજા છે, અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને સંસ્થાનવાદ પછીના ભારતમાં રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. ભારતની રાષ્ટ્રવાદી ચળવળ દરમિયાન અને તે પછીના તરતના કેટલાક દાયકાઓમાં, તેમને સામાન્ય રીતે બાપુ ("પિતા" માટેનો ગુજરાતી પર્યાય) તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં એક ગુજરાતી હિન્દુ મોઢ વાણિયા પરિવારમાં થયો હતો. સુદામાપુરી તરીકે પણ ઓળખાતું પોરબંદર તે સમયે કાઠિયાવાડ દ્વીપકલ્પમાં આવેલું એક તટીય શહેર હતું અને બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સીમાં પોરબંદર રજવાડાનો એક ભાગ હતું. તેમના પિતા, કરમચંદ ઉત્તમચંદ ગાંધી (૧૮૨૨-૧૮૮૫) એ પોરબંદર રાજ્યના દીવાન (મુખ્યમંત્રી) તરીકે સેવા આપી હતી. તેમના કુટુંબનો ઉદભવ તે સમયના જૂનાગઢ રાજ્યના કુતિયાણા ગામમાંથી થયો હતો. જોકે કરમચંદ માત્ર રાજ્યના વહીવટમાં કારકુન જ રહ્યા હતા અને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તેમ છતાં તેઓ એક સક્ષમ દીવાન સાબિત થયા હતા.Guha 2015 pp. 19–21 તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચાર વખત લગ્ન કર્યા હતા. તેની પ્રથમ બે પત્નીઓ યુવાન વયે મૃત્યુ પામી, દરેકે એક પુત્રીને જન્મ આપ્યો હતો, અને ત્રીજું લગ્ન નિઃસંતાન હતું. ૧૮૫૭માં, તેમણે તેમની ત્રીજી પત્નીની પુનઃલગ્ન કરવાની પરવાનગી માંગી; તે વર્ષે, તેમણે પુતળીબાઈ (૧૮૪૪-૧૮૯૧) સાથે લગ્ન કર્યા, જેઓ પણ જૂનાગઢથી આવ્યા હતા, અને પ્રણામી વૈષ્ણવ પરિવારમાંથી આવતા હતા. કરમચંદ અને પુતળીબાઈને તે પછીના દાયકામાં ત્રણ સંતાનો થયા હતા: એક પુત્ર, લક્ષ્મીદાસ (લગભગ ૧૮૬૦-૧૯૧૪); એક પુત્રી, રળિયાતબહેન (૧૮૬૨-૧૯૬૦); અને બીજો પુત્ર કરસનદાસ (લગભગ ૧૮૬૬-૧૯૧૩).Guha 2015, p. 21Guha 2015, p. 512 ૨જી ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પુતળીબાઈએ પોરબંદર શહેરમાં ગાંધી પરિવારના નિવાસસ્થાનના એક અંધારા, બારી વગરના ભોંયતળિયે ઓરડામાં પોતાના છેલ્લા બાળક મોહનદાસને જન્મ આપ્યો. એક બાળક તરીકે, ગાંધીજીને તેમની બહેન રળિયાતે "પારાની જેમ બેચેન, કાં તો રમતા અથવા આમતેમ ભટકતા, તરીકે વર્ણવ્યા હતા. કૂતરાના કાન મરોળવા એ તેમના પ્રિય મનોરંજનમાંની એક પ્રવૃત્તિ રહી હતી."Guha 2015, p. 22 ભારતીય ક્લાસિક્સ, ખાસ કરીને શ્રવણ અને રાજા હરિશ્ચંદ્રની કથાઓએ ગાંધીજી પર બાળપણમાં ખૂબ જ પ્રભાવ પાડ્યો હતો. પોતાની આત્મકથામાં તેઓ જણાવે છે કે, તેમના મન પર આ લોકોએ અમિટ છાપ છોડી હતી. સર્વોચ્ચ મૂલ્યો તરીકે સત્ય અને પ્રેમ સાથેની ગાંધીજીની પ્રારંભિક સ્વ-ઓળખ આ મહાકાવ્ય પાત્રોમાં શોધી શકાય છે. પરિવારની ધાર્મિક પૃષ્ઠભૂમિ સારગ્રાહી હતી. ગાંધીજીના પિતા કરમચંદ હિન્દુ હતા અને તેમની માતા પુતલીબાઈ પ્રણામી વૈષ્ણવ હિન્દુ પરિવારમાંથી આવતા હતા.Gandhi, Rajmohan (2006) pp. 2, 8, 269 ગાંધીજીના પિતા વૈશ્યના વર્ણમાં મોઢ વાણિયા જ્ઞાતિના હતા. તેમની માતા મધ્યયુગીન કૃષ્ણ ભક્તિ આધારિત પ્રણામી પરંપરામાંથી આવ્યા હતા, જેના ધાર્મિક ગ્રંથોમાં ભગવદ્ ગીતા, ભાગવત પુરાણ, અને વેદો, કુરાન અને બાઇબલના સારનો સમાવેશ થતો હોવાનું માનતા ઉપદેશો સાથેના ૧૪ ગ્રંથોના સંગ્રહનો સમાવેશ થાય છે. ગાંધીજી પર તેમની માતાનો ખૂબ જ પ્રભાવ હતો, જે એક અત્યંત પવિત્ર મહિલા હતી, જે "પોતાની રોજિંદી પ્રાર્થના વિના પોતાનું ભોજન લેવાનું વિચારતી નહોતી... તેણી સખતમાં સખત પ્રતિજ્ઞાઓ લેતી અને તેને ખચકાયા વિના રાખતી. સતત બે-ત્રણ ઉપવાસ રાખવા એ એના માટે કશું જ મુશ્કેલ નહોતું."Guha 2015, p. 23 ૧૮૭૪માં, ગાંધીજીના પિતા કરમચંદ પોરબંદરથી નાના રાજ્ય રાજકોટ જવા રવાના થયા, જ્યાં તેઓ તેના શાસક ઠાકુર સાહેબના સલાહકાર બન્યા. જો કે રાજકોટ પોરબંદર કરતાં ઓછું પ્રતિષ્ઠિત રાજ્ય હતું, પણ ત્યાં બ્રિટિશ પ્રાદેશિક રાજકીય એજન્સી આવેલી હતી, જેણે રાજ્યના દિવાનને એકસરખી સલામતી બક્ષી હતી.Guha 2015, pp. 24–25 ૧૮૭૬માં કરમચંદ રાજકોટના દિવાન બન્યા અને તેમના પછી તેમના ભાઈ તુલસીદાસે પોરબંદરના દિવાન તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર ફરી તેમની સાથે રાજકોટમાં જોડાયો હતો. thumb|upright=0.85|૧૮૮૬માં તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે ગાંધીજી (જમણે) ૯ વર્ષની વયે, ગાંધીજીએ તેમના ઘરની નજીક, રાજકોટની સ્થાનિક શાળામાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે અંકગણિત, ઇતિહાસ, ગુજરાતી ભાષા અને ભૂગોળના મૂળનો અભ્યાસ કર્યો. ૧૧ વર્ષની ઉંમરે તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ માં જોડાયા હતા] તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા, ઇનામો જીતતા હતા, પરંતુ તે શરમાળ અને શાંત વિદ્યાર્થી હતા, તેમને રમતોમાં જરા પણ રસ ન હતો. પુસ્તકો અને શાળાના પાઠો એ જ તેમના સાથીઓ હતા. મે ૧૮૮૩માં, ૧૩ વર્ષીય મોહનદાસના લગ્ન ૧૪ વર્ષની કસ્તુરબાઈ માખનજી કાપડિયા (તેનું પ્રથમ નામ સામાન્ય રીતે ટૂંકાવીને "કસ્તુરબા" કરવામાં આવતું હતું, અને પ્રેમથી "બા" સાથે કરવામાં આવ્યું હતું) સાથે તે સમયના પ્રદેશના રિવાજ અનુસાર ગોઠવાયા. આ પ્રક્રિયામાં, તેમણે શાળામાં એક વર્ષ ગુમાવ્યું, પરંતુ પછીથી તેના અભ્યાસને વેગ આપીને તેને સરભર કરવાની મંજૂરી આપવામાં આવી. તેમના લગ્ન એક સંયુક્ત પ્રસંગ હતા, જ્યાં તેમના ભાઈ અને પિતરાઇ ભાઇના પણ લગ્ન થયા હતા. તેમના લગ્નના દિવસને યાદ કરતા, તેમણે એકવાર કહ્યું હતું, "અમને લગ્ન વિશે વધારે ખબર નહોતી, તેથી અમારા માટે તેનો અર્થ ફક્ત નવા કપડાં પહેરવા, મીઠાઈઓ ખાવાનું અને સંબંધીઓ સાથે રમવું" એવો થાય છે. પ્રચલિત પરંપરા મુજબ, કિશોરવયની કન્યાએ તેના માતાપિતાના ઘરે અને તેના પતિથી દૂર ઘણો સમય પસાર કરવાનો હતો. ઘણાં વર્ષો પછી લખતાં, મોહનદાસે પોતાની યુવાન કન્યા માટે જે વાસનાભરી લાગણીઓ અનુભવી હતી તેનું ખેદ સાથે વર્ણન કર્યું હતું: "શાળામાં પણ હું તેના વિશે વિચારતો હતો, અને રાત પડવાનો અને પછીની અમારી મુલાકાતનો વિચાર મને સતાવતો હતો." પાછળથી તેમણે યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓની તેમની પત્ની પ્રત્યેની લાગણીમાં ઈર્ષ્યા અને સ્વત્વબોધ અનુભવતા હતા, જેમ કે જ્યારે તે તેમની સહેલીઓ સાથે મંદિરમાં જાય છે, ત્યારે તેમના પ્રત્યેની પોતાની ભાવનાઓ યૌન વાસનાપૂર્ણ હતી. ૧૮૮૫ના ઉત્તરાર્ધમાં ગાંધીજીના પિતા કરમચંદનું અવસાન થયું.Guha 2015, p. 29 ગાંધીજી, જે તે સમયે ૧૬ વર્ષના હતા, અને તેમની ૧૭ વર્ષની પત્નીને તેમનું પ્રથમ બાળક અવતર્યું હતું, જે માત્ર થોડા દિવસો માટે જીવિત રહ્યું હતું. આ બંને મૃત્યુએ ગાંધીજીને વ્યથિત કર્યા હતા. ગાંધી દંપતીને વધુ ચાર સંતાનો હતા, જે તમામ પુત્રો હતા. હરિલાલ, જેમનો જન્મ ૧૮૮૮માં થયો હતો; મણિલાલનો જન્મ ૧૮૯૨માં થયો હતો; રામદાસનો જન્મ ૧૮૯૭માં થયો હતો; અને દેવદાસનો જન્મ ૧૯૦૦માં થયો હતો. નવેમ્બર ૧૮૮૭માં ૧૮ વર્ષના ગાંધી અમદાવાદની હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા.Guha 2015, p. 30 જાન્યુઆરી ૧૮૮૮માં, તેમણે ભાવનગર રાજ્યની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, જે તે સમયે આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની એકમાત્ર ડિગ્રી આપતી સંસ્થા હતી. જો કે, તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કોલેજ છોડી પોરબંદરમાં તેમના પરિવાર પાસે પાછા ફર્યા હતા.Guha 2015, p. 32 લંડનમાં ત્રણ વર્ષ કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી thumb|left|upright|૨૦ બેરોનના કોર્ટ રોડ, બેરોન્સ કોર્ટ, લંડન ખાતેની સ્મારક તકતી ગાંધીજી બોમ્બેમાં પરવડે તેવી સૌથી સસ્તી કૉલેજમાંથી બહાર નીકળી ગયા હતા. માવજી દવે જોશીજી, એક બ્રાહ્મણ પૂજારી અને પારિવારિક મિત્ર, ગાંધીજી અને તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમણે લંડનમાં કાયદાના અભ્યાસને ધ્યાનમાં લેવો જોઈએ. જુલાઇ ૧૮૮૮માં તેમની પત્ની કસ્તુરબાએ તેમના પ્રથમ હયાત પુત્ર હરિલાલને જન્મ આપ્યો હતો.Guha 2015, pp. 33–34 ગાંધીજી પોતાની પત્ની અને પરિવારને છોડીને ઘરથી આટલે દૂર જતા રહ્યા તે બાબતે તેમની માતા સહજ નહોતી. ગાંધીજીના કાકા તુલસીદાસે પણ તેમના ભત્રીજાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજી જવા માંગતા હતા. પોતાની પત્ની અને માતાને સમજાવવા માટે, ગાંધીએ તેમની માતાની સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેશે. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસ, જેઓ પહેલેથી જ વકીલ હતા, તેમણે ગાંધીજીની લંડન અભ્યાસની યોજનાને વધાવી લીધી અને તેમને ટેકો આપવાની ભલામણ કરી. પુતળીબાઈએ ગાંધીજીને તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા. thumb|upright=0.80|લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે ગાંધીજી ૧૦ ઓગસ્ટ, ૧૮૮૮ના રોજ ૧૮ વર્ષના ગાંધીજી પોરબંદરથી મુંબઈ જવા રવાના થયા, જે તે સમયે બોમ્બે તરીકે ઓળખાતું હતું. ત્યાં પહોંચ્યા પછી, તેઓ સ્થાનિક મોઢ વાણિયા સમુદાય સાથે રહ્યા, જેમના વડીલોએ તેમને ચેતવણી આપી હતી કે ઇંગ્લેન્ડ તેમને તેમના ધર્મ સાથે સમાધાન કરવા અને પશ્ચિમી રીતે ખાવા-પીવા માટે લલચાવશે. ગાંધીજીએ તેમને તેમની માતાને આપેલા વચન અને તેમના આશીર્વાદની જાણ કરી હોવા છતાં, તેમને તેમની નાતમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ તેની અવગણના કરી અને ૪ સપ્ટેમ્બરે તેઓ મુંબઈથી લંડન ગયા. ગાંધીજીએ લંડનની યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે ૧૮૮૮-૧૮૮૯માં હેનરી મોર્લે સાથે અંગ્રેજી સાહિત્યના વર્ગોમાં હાજરી આપી હતી. તેમણે બેરિસ્ટર બનવાના ઇરાદાથી ઇનર ટેમ્પલમાં ઇન્સ ઑફ કોર્ટ સ્કૂલ ઓફ લોમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. તેમની બાળપણની શરમ અને આત્મ-પીછેહઠ તેમની કિશોરાવસ્થા દરમિયાન પણ ચાલુ રહી હતી. જ્યારે તેઓ લંડન આવ્યા ત્યારે તેમણે આ લક્ષણો જાળવી રાખ્યા હતા, પરંતુ જાહેરમાં બોલતા પ્રેક્ટિસ જૂથમાં જોડાયા હતા અને કાયદાની પ્રેક્ટિસ કરવા માટે પૂરતા પ્રમાણમાં તેમની શરમ પરકાબૂ મેળવી લીધો હતો. તેમણે લંડનના ગરીબ ડોકલેન્ડ સમુદાયોના કલ્યાણમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ૧૮૮૯માં, લંડનમાં એક કડવો વેપારી વિવાદ ફાટી નીકળ્યો, જેમાં ડોકર્સ વધુ સારા પગાર અને પરિસ્થિતિ માટે હડતાલ પાડી રહ્યા હતા, અને નાવિકો, શિપબિલ્ડરો, ફેક્ટરીની છોકરીઓ અને અન્ય લોકો એકતા સાથે હડતાલમાં જોડાયા હતા. હડતાલ કરનારાઓ સફળ રહ્યા હતા, અંશતઃ કાર્ડિનલ મેનિંગની મધ્યસ્થીને કારણે, ગાંધી અને એક ભારતીય મિત્રએ કાર્ડિનલની મુલાકાત લીધી હતી અને તેમના કામ માટે તેમનો આભાર માન્યો હતો. શાકાહાર અને સમિતિનું કાર્ય લંડનમાં ગાંધીજીના સમય પર તેમણે પોતાની માતાને આપેલા વ્રતની અસર થઈ હતી. તેમણે નૃત્યના પાઠો લેવા સહિત "અંગ્રેજી" રિવાજો અપનાવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેમના મકાનમાલિક દ્વારા આપવામાં આવતા સૌમ્ય શાકાહારી ભોજનની તેઓ કદર કરતા ન હતા અને લંડનની કેટલીક શાકાહારી રેસ્ટોરાંમાંથી એક ન મળે ત્યાં સુધી તેઓ વારંવાર ભૂખ્યા રહેતા હતા. હેન્રી સોલ્ટના લખાણથી પ્રભાવિત થઈને તેઓ લંડન વેજિટેરિયન સોસાયટીમાં જોડાયા હતા અને તેના પ્રમુખ અને આશ્રયદાતા આર્નોલ્ડ હિલ્સના નેજા હેઠળ તેની એક્ઝિક્યુટિવ કમિટીBrown (1991).માં ચૂંટાયા હતા. સમિતિમાં એક સિદ્ધિ એ બેયસવોટર (પશ્ચિમ લંડનના સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર આવેલો એક વિસ્તાર) પ્રકરણની સ્થાપના હતી. તેમને મળેલા કેટલાક શાકાહારીઓ થિયોસોફિકલ સોસાયટીના સભ્યો હતા, જેની સ્થાપના ૧૮૭૫માં સાર્વત્રિક ભાઈચારા માટે કરવામાં આવી હતી, અને જે બૌદ્ધ અને હિન્દુ સાહિત્યના અભ્યાસને સમર્પિત હતી. તેઓએ ગાંધીને અનુવાદમાં તેમજ મૂળ બંનેમાં ભગવદ ગીતા વાંચવામાં તેમની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. ગાંધીજીનો હિલ્સ સાથે મૈત્રીપૂર્ણ અને ઉત્પાદક સંબંધ હતો, પરંતુ સમિતિના સાથી સભ્ય થોમસ એલિન્સનના એલ.વી.એસ.ના સતત સભ્યપદ અંગે બંને જણનો અભિપ્રાય જુદો હતો. તેમની શરમ અને સંઘર્ષ પ્રત્યેની સ્વભાવગત અનિચ્છા હોવા છતાં તેમની અસંમતિ એ ગાંધીજીની સત્તાને પડકારવાનું પ્રથમ જાણીતું ઉદાહરણ છે. એલિન્સન નવી ઉપલબ્ધ જન્મ નિયંત્રણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો, પરંતુ હિલ્સે તેનો અસ્વીકાર કર્યો હતો અને માન્યું હતું કે તેનાથી જાહેર નૈતિકતાને નુકસાન થાય છે. તેઓ માનતા હતા કે શાકાહાર એ એક નૈતિક ચળવળ છે અને તેથી એલિન્સન હવે એલવીએસનો સભ્ય ન રહેવો જોઈએ. ગાંધીજીએ જન્મ નિયંત્રણના જોખમો પર હિલ્સના મંતવ્યો પર ચર્ચા કરી, પરંતુ એલિસનના અલગ થવાના અધિકારનો બચાવ કર્યો. ગાંધીજી માટે હિલ્સને પડકારવો મુશ્કેલ બની ગયો હોત. હિલ્સ તેમનાથી ૧૨ વર્ષ મોટા હતા અને ગાંધીથી વિપરીત, ખૂબ જ છટાદાર હતા. તેમણે એલવીએસ (LVS) ને આર્થિક સમર્થન કર્યું હતું અને થેમ્સ આયર્નવર્ક્સ કંપની સાથે ઉદ્યોગના કપ્તાન હતા અને લંડનના ઇસ્ટ એન્ડમાં ૬,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા હતા. તે એક ખૂબ જ કુશળ રમતવીર પણ હતા જેણે પાછળથી ફૂટબોલ ક્લબ વેસ્ટ હેમ યુનાઇટેડની સ્થાપના કરી હતી. ૧૯૨૭માં તેમની આત્મકથા, ગાંધીજીએ લખ્યું હતું : એલિન્સનને દૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને સમિતિએ તેના પર ચર્ચા કરી હતી અને તેના પર મત આપ્યો હતો. સમિતિની બેઠકમાં એલિન્સનના બચાવમાં ગાંધીજીની શરમ અવરોધરૂપ હતી. તેમણે તેમના મંતવ્યો કાગળ પર લખ્યા હતા, પરંતુ શરમને કારણે તેઓ તેમની દલીલો વાંચી શકતા ન હતા, તેથી રાષ્ટ્રપતિ હિલ્સે સમિતિના અન્ય સભ્યને તેમના માટે તે વાંચવા કહ્યું. જોકે સમિતિના કેટલાક અન્ય સભ્યો ગાંધી સાથે સંમત થયા હતા, પરંતુ પ્રસ્તાવ મત મેળવી શક્યો ન હતો અને એલિન્સનને બાકાત રાખવામાં આવ્યા હતા. ગાંધીજીના ભારત પાછા ફરવાના માનમાં એલ.વી.એસ.ના વિદાય રાત્રિભોજમાં હિલ્સે ટોસ્ટનો પ્રસ્તાવ (પીણાનો ગ્લાસ ઊંચો કરવો અને સફળતા, ખુશી અથવા અન્ય સારા સમાચાર માટેની ઇચ્છા વ્યક્ત કરવી.) મૂક્યો હતો. બારિસ્ટર તરીકે ૨૨ વર્ષની વયે ગાંધીજી જૂન ૧૮૯૧માં બારિસ્ટર થયા અને પછી લંડન છોડીને ભારત આવવા માટે રવાના થયા, જ્યાં તેમને ખબર પડી કે તેઓ લંડનમાં હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું અને તેમના પરિવારે તેમનાથી આ સમાચાર છુપાવી રાખ્યા હતા. મુંબઈમાં કાયદાની પ્રેક્ટિસ સ્થાપિત કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા કારણ કે તેઓ માનસિક રીતે સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં અસમર્થ હતા. તેઓ અસીલો માટે યાચિકાઓના મુસદ્દા ઘડવા માટે રાજકોટ પાછા ફર્યા હતા, પરંતુ જ્યારે તેઓ એક બ્રિટિશ અધિકારી સેમ સન્નીની આલોચના કરી ત્યારે તેમને રોકવાની ફરજ પડી હતી. ૧૮૯૩માં કાઠિયાવાડમાં દાદા અબ્દુલ્લા નામના એક મુસ્લિમ વેપારીએ ગાંધીનો સંપર્ક સાધ્યો હતો. અબ્દુલ્લાહ દક્ષિણ આફ્રિકામાં મોટા સફળ શિપિંગ વ્યવસાયના માલિક હતા. જોહાનિસબર્ગના એમના દૂરના પિતરાઈ ભાઈને એક વકીલની જરૂર હતી અને તેઓ કાઠિયાવાડી વારસો ધરાવતા કોઈકને જ પસંદ કરતા હતા. ગાંધીએ આ કામ માટેના તેમના પગાર વિશે પૂછપરછ કરી. તેઓએ કુલ ૧૦૫ પાઉન્ડ (૨૦૧૯ ના પૈસામાં ~$ ૧૭,૨૦૦) નો પગાર ઉપરાંત મુસાફરી ખર્ચની ઓફર કરી હતી. એમણે એ સ્વીકારી લીધું. એમને ખબર હતી કે નાતાલની કૉલોની, દક્ષિણ આફ્રિકા, જે બ્રિટિશ સામ્રાજ્યનો પણ એક ભાગ છે, ત્યાં કમસે કમ એક વર્ષની કામગીરી તો રહશે જ.Herman (2008), pp. 82–83 દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ 200px|thumb|left|સત્યાગ્રહી ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા.(એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય ભારતીયની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે નાતાલની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયા અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું, જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઈને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hinduનો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર નિયમિત ચાલુ રહ્યો. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ભારત આવ્યા બાદ અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય તો રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ એક નાના લાકડા ના ચરખા થી ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા. કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો ૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોને તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. 200px|thumb|right|દાંડીમાં ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૩૦ તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું, કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદ થી જ સૌથી મહત્વની સફળ સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજિક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શુદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ ચુકવવાની તક દરેક ને મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું. thumb|ગાંધીજીનું લખાણ. બીજું વિશ્વ યુદ્ધ thumb|ભારત છોડો ચળવળનો એક વિડિયો ૧૯૩૯ માં જર્મન નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ફાસીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુદ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુદ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુદ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને તે સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુદ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯ ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા. ભારતના ભાગલા હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો. ગાંધીજીની હત્યા ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. == આ પણ જુઓ == ગાંધીવાદ ગાંધીવાદી અર્થશાસ્ત્ર ગાંધીવાદી સમાજવાદ સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય શ્રેણી:૧૮૬૯માં જન્મ શ્રેણી:૧૯૪૮માં મૃત્યુ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:સમાજ સેવક શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો શ્રેણી:મહાત્મા ગાંધી શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો
ગરબા
https://gu.wikipedia.org/wiki/ગરબા
ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે. અર્થ અને ઇતિહાસ thumb|નવરાત્રીમાં જ્યોત પ્રગટાવી દીવા તરીકે પૂજાતો ગરબો ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્‌ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે: અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે. તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે. મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો. નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે. ’ગરબો’ શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે. ગરબાને તાલરાસકનાં પ્રકાર તરીકે સ્વીકારતાં શ્રી ગોવર્ધન પંચાલ લખે છે કે, ’ઐતરૈય આરણ્યક પરંપરાના અનુસંધાનરૂપે તાલરાસક તાલ વગાડીને થતો કોઈ નર્તન પ્રકાર ઉષાના સમયમાં પ્રચલિત હોવાનું સમજાય છે. ઉષાનું લાસ્ય તાલરાસક કે ગરબા જેવો કોઈ પ્રકાર તો નહીં હોય ને ? ઈ.સ.ની ૧૩મી સદીના શારદાતનય રાસક ને લાસક પણ કહે છે ને એ રાસક કે લાસક લાસ્ય સાથે સામ્ય ધરાવે છે અથવા તો જો બન્ને સ્વીકારીએ તો ઉષાના લાસ્યને ગરબા જેવા નર્તન પ્રકાર સાથે જોડી શકાય, કારણ કે ઉપર કહેલી ઐતરૈય આરણ્યકની પ્રણાલિકા સ્ત્રીઓના તાલરાસક જેવા પ્રકારનો ઉલ્લેખ તો કરે છે. આમ જોતાં ગરબા જેવા કોઈ પ્રકારની નર્તન પ્રણાલિકા ગુજરાતમાં જ પ્રથમ ઉષા દ્વારા પ્રચારમાં આવી હોય એમ દેખાય છે.’ ’ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ના થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા. પ્રકાર ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં. ગરબાનાં બે પ્રકાર છે: ૧. પ્રાચીન ગરબો ૨. અર્વાચીન ગરબો પ્રાચીન ગરબો લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે. આ નર્તનમાં સહિયારા સમાનવેગ, સમાન અંગભંગ, સમાનગતી, સમાનસ્ફૂર્તિ, હાથની તાળી અને હાથના હિલ્લોળની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા હોવી જરૂરી છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, સૂર અને તાલની મિલાવટ હોય છે. માત્ર તાલીઓના તાલ આપી સંગીતપૂર્વક પગના ઠેકા સાથે સ્ત્રીઓ-સ્ત્રીઓ, પુરુષો-પુરુષો કે સ્ત્રીઓ-પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસક કે મંડલરાસક કહેવાય છે. જે હલ્લીસકનૃત્તનો એક પ્રકાર છે. ’અભિનય દર્પણ’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવ્યું અને દ્વારકાની ગોપીઓ એ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું. આ રીતે પરંપરાગત રીતે લાસ્યનૃત્ય લોકજીવનમાં પ્રતિષ્ઠિત બન્યું. એક અનુમાન પ્રમાણે શ્રી કૃષ્ણના હલ્લીસકનૃત્તના પદગતિ અને હલનચલનમાં ઉષાએ હાથતાળીનું નર્તન ઉમેર્યું તેમજ પુરુષોને તેમાંથી દૂર કર્યા કારણ એકલી સ્ત્રીઓ હશે તો લાસ્ય સવિશેષ લલિત, લાવણ્યમય અને સૌદર્યયુક્ત પ્રસ્તુત થશે. તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકાર તાલી રાસના મુખ્ય અંગો ગણી શકાય. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી (ન હોય તો પણ ચાલે). નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. બબ્બે, ચાર ચારની ગુંથણી કે અર્ધવર્તુળમાં રચાતાં રચાતાં ગોળાકાર થાય છે. આ લોકનર્તન ગોળાકારનું સ્વરૂપ જાળવી રાખતાં રાખતાં તેની પ્રવેશ અને પ્રસ્થાનની રચનાઓ અનેકવિધ તાલ, શબ્દો અને તેમાંથી ઊઠતા વિચારો દ્વારા સર્જતું રહે છે. આવું પ્રવેશ અને પ્રસ્થાનનું નાવિન્ય વિશ્વનાં લોકનર્તનમાં અનન્ય છે. પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે. તાલીરાસમાં ગવાતા વૃંદગીતોમાં, ગરબે ઘૂમતી વખતે, એકનું એક ગીત પ્રથમ વિલંબિત પછી મધ્ય અને ત્યાર પછી દ્રુતલયમાં સામાન્ય રીતે લેવાય છે. વિષય વસ્તુ પ્રાચીન લોકકૃતિ, લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં થાય છે. વિષયવસ્તુ વિશેષતઃ ભક્તિપ્રધાન હોય છે. શક્તિની આરાધના, શ્રી કૃષ્ણની લીલાઓ તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમુદાય સહજતાથી ગાઈ શકે તેવા ગેયતા પ્રધાન લોકઢાળના વૃંદગીતો જ હોય છે. મહાકાળી, અંબા, બહુચર, ચાચર, આશાપુરા વગેરે અસંખ્ય દેવીઓનું સ્મરણ કરીને ગરબો ગવાય છે. ઈ.સ. ૧૭૨૧માં ભાણદાસજીએ રચેલી ગરબી; "ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમિ ભવાની રાસ ગાઉં ગુણ ગરબી રે;" મળે છે. અને ઈ.સ. ૧૭૮૦માં વલ્લભ મેવાડાએ રચેલો ગરબો; "ગગનમંડળ કરી ગાગરીરે મા, સકલ શોભા ભરી રે મા." મળે છે. આ પહેલાંનું, આ વિશેનું, અન્ય સાહિત્ય હજુ મળેલું નથી. વલ્લભ મેવાડો પ્રાચીન ગરબાઓના પર્યાયરૂપ ગણાય છે. તેના ગરબા (ગરબારૂપે લખાણ)નું કેન્દ્ર માતાની પ્રગટ ભક્તિ છે. "મા તું પાવાની પટરાણી.." એ તેનો અતિપ્રસિદ્ધ પ્રાચીન ગરબો છે.આ ઉપરાંત કડીના સાંકળેશ્વર, જુનાગઢના દીવાન રણછોડજી, શામળ, પ્રેમાનંદ, દયારામ, પ્રીતમ વગેરે સર્જકોએ ગુજરાતીમાં ગરબા અને ગરબીઓ આપ્યા છે.ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં. ગીત-સંગીત મુખ્યત્વે લોકસંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંદી, કેરવા, ઘુમાળીને હીંચ વિશેષ લેવાય છે. ત્રણ-ચાર માત્રાના પણ લોકતાલો હોય છે. રાગોમાં સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંડ, કાફી, કાલીંગડા, દેશ, ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. રાગની સંપૂર્ણતા નહિવત્‌ હોય છે. આ પ્રકારના પ્રાચીન ગરબાને અનુરૂપ સાદા લોકતાલ, લોકરાગ, લોકઢાળ હોય છે. અને એવાં જ સાદા લોકવાદ્યો હોય છે. અર્વાચીન ગરબો thumb|800px|center|વડોદરામાં ગરબાનું એક દ્રશ્ય. સાહિત્ય અને સંગીત ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે. નોંધ અને સંદર્ભો બાહ્ય કડીઓ Category:કલા Category:ગુજરાતનાં લોકનૃત્યો
અમદાવાદ
https://gu.wikipedia.org/wiki/અમદાવાદ
અમદાવાદ () ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અંગ્રેજ શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું. ઇતિહાસ thumb|left|200px|એક કપડા પર અમદાવાદનો નકશો, ૧૯મી સદી પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકી વંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો (૧.૨૦ બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ ૮૧૩). તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી. દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા. ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.ધ મુઘલ થ્રોન by Abraham Eraly pg.47 ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું. અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. ૧૯૭૪માં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના છાત્રાલયના ભોજનાલયમાં દરમાં ૨૦%નો વધારો થતા તેનો વિરોધ શરૂ થયો, જે નવનિર્માણ આંદોલનમાં પરિણમ્યો અને ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ (અને માત્ર એકવાર) ચૂંટાયેલા મુખ્યમંત્રી - ચીમનભાઈ પટેલે આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું. ૧૯૮૦ના દાયકામાં ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનો થયા. આ આંદોલનને કારણ સમાજના વિવિધ વર્ગો વચ્ચે રમખાણો થયા. ૨૦૦૧ના ધરતીકંપમાં શહેરના ૫૦ જેટલી બહુમાળી ઈમારતો ધરાશયી થઇ અને ૭૫૨ લોકોના મૃત્યુ થયા. તેના પછીના વર્ષે ૩ દિવસ સુધી ૨૦૦૨ના ગોધરાકાંડની અસરરૂપે હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા. ૨૦૦૭-૧૦ દરમિયાન સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી. ૨૦૦૮માં અમદાવાદમાં શ્રેણી બંધ બોમ્બ વિસ્ફોટો થયા જેના પરિણામે સંખ્યાબંધ લોકોના મૃત્યુ અને ઈજા થઇ. આંતકવાદી સંગઠન હરકત-એ-જિહાદ આ કૃત્ય પાછળ જવાબદાર હતું. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ, જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે. અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. ભૂગોળ અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ વગેરે અન્ય મોટા તળાવો છે. વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી ૫૬,૩૩,૯૨૭ હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે. શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી ૬૩,૫૭,૬૯૩ની હતી, જે હવે ૭૬,૫૦,૦૦૦ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર (વ્યાપ સાથે) બનાવે છે. શહેરની સાક્ષરતા ૮૯.૬૨%; જેમાં પુરુષો ૯૩.૯૬% અને સ્ત્રીઓની સાક્ષરતા ૮૪.૮૧% છે. અમદાવાદનો જાતિ ગુણોત્તર ૨૦૧૧માં ૧૦૦૦ પુરુષોએ ૮૯૭ સ્ત્રીઓનો હતો. પરિવહન અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે. તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પહેલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે. મહત્વ સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી. ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા. કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ. ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે. અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે. અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે, જે બી.આર.ટી.એસ, મેટ્રો તથા ઍ.ઍમ.ટી.ઍસ.ની સુવિધા ધરાવે છે. ૨૦૩૬ ઓલિમ્પિક રમતો અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોના યજમાન બનવા માટે દાવેદારી કરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે તૈયારીનું ચોક્કસ આયોજન કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સની વિવિધ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં રાખવાની યોજના છે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને સમાપન સમારોહો યોજાશે. જોવાલાયક સ્થળો ગાંધી આશ્રમ સરદાર પટેલ સ્મારક ભવન કાંકરિયા તળાવ નગીના વાડી હઠીસિંહનાં દેરા સાયન્સ સીટી સીદીસૈયદની જાળી જુમ્મા મસ્જિદ ઝૂલતા મિનારા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન મંદિર સ્મૃતિ મંદિર, ઘોડાસર વૈષ્ણોદેવી મંદિર ભાગવત વિદ્યાપીઠ વસ્ત્રાપુર તળાવ કેમ્પ હનુમાન ભદ્રનો કિલ્લો ભદ્રકાળી મંદિર શાહીબાગ સ્વામિનારાયણ મંદિર આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ સરખેજનો રોઝો કેલિકો મ્યુઝિયમ લા.દ. સંગ્રહાલય માણેક ચોક રાણીનો હજીરો સાબરમતી રિવર ફ્રન્ટ ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ તિરૂપતિ બાલાજી મંદિર, એસ. જી. માર્ગ વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદર્શન, ઈસરો છબીઓ હવામાન ૧૯મી મે ૨૦૧૬ના દિવસે બપોરે ૪૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવાની સાથે અમદાવાદમાં તાપમાનનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો. છેલ્લે ૧૭મી મે ૧૯૧૬ના દિવસે ૪૭.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું. આ પણ જુઓ અમદાવાદના દરવાજા અમદાવાદની પોળો સંદર્ભ બાહ્ય કડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અધિકૃત વેબસાઇટ અમદાવાદ જિલ્લા પંચાયત, અધિકૃત વેબસાઇટ શ્રેણી:અમદાવાદ શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો
ગુજરાતી દૈનિકપત્રોની યાદી
https://gu.wikipedia.org/wiki/ગુજરાતી_દૈનિકપત્રોની_યાદી
આ લેખ ગુજરાતી દૈનિકપત્રોની યાદી ધરાવે છે. દૈનિકનું નામ પ્રકાશનનું સ્થળ સ્થાપના આર.એન.આઇ ક્રમાંક વેબસાઇટ નોંધ સંદેશ અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ભૂજ ૧૫૮૪૫૭ (અમદાવાદ)http://www.sandesh.com ગુજરાત સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ ૪૬૯૩૧/૮૫ http://www.gujaratsamachar.com દિવ્ય ભાસ્કર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ, જૂનાગઢ http://www.divyabhaskar.co.in સમભાવ મેટ્રો અમદાવાદ http://www.sambhaav.com/ મુંબઈ સમાચાર મુંબઈ ૧ જુલાઇ, ૧૮૨૨ ૧૫૬૩/૧૯૫૭ http://www.bombaysamachar.com/ સૌથી જૂનું સમાચારપત્ર સૌરાષ્ટ્ર સમાચાર ભાવનગર દિવ્ય ભાસ્કર જુથમાં ભળી ગયુ છે. વરાછા ટાઇમ્સ સુરત http://varachhatimes.weebly.com શરૂઆત જુનાગઢ ૧૯૭૮ ૬૭૪૩૮/૭૮ સયાજી સમાચાર વડોદરા વડોદરા સમાચાર વડોદરા http://www.vadodarasamachar.com/ અકિલા રાજકોટ http://www.akilaindia.com વેસ્ટર્ન ટાઇમ્સ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ પ્રભાત અમદાવાદ, મહેસાણા બિન્દુ અમદાવાદ ગુજરાતનીતિ અમદાવાદ સૂર્યકાલ અમદાવાદ ગુજરાત ટુડે અમદાવાદ https://www.gujarattoday.in/ ગુજરાત શતાબ્દી અમદાવાદ જય ગુજરાત અમદાવાદ માનવ મિત્ર અમદાવાદ ન્યુઝ લાઇન સીધા સમાચાર અમદાવાદ http://gujarati.webdunia.com/regional-gujarat-news/250 ગુજરાત પ્રણામ અમદાવાદ નિર્મળ ગુજરાત અમદાવાદ જનસતા અમદાવાદ જય હિન્દ અમદાવાદ લોક મિત્ર અમદાવાદ માધ્યમ અમદાવાદ પ્રચલિત અમદાવાદ આપણુ ગુજરાત અમદાવાદ પશ્ચિમ એક્સ્પ્રેસ અમદાવાદ કર્ણાવતી એક્સ્પ્રેસ અમદાવાદ ગુજરાત પોઇન્ટ અમદાવાદ ટાઇમ્સ ઓફ કર્ણાવતી અમદાવાદ સ્ટાન્ડર્ડ હેરાલ્ડ અમદાવાદ ઇકોનોમિક ટાઇમ્સ અમદાવાદ ગુજરાત પ્રવાહ અમદાવાદ સુકાન સમાચાર અમદાવાદ ૧૩ માર્ચ, ૧૯૯૭ ૬૫૩૯૦/૯૬ (અમદાવાદ) દિવ્ય ગુજરાત અમદાવાદ ગરવી ગુજરાત અમદાવાદ ક્રાઇમ સોલ્યુસન અમદાવાદ જીન્દગી સમાચાર અમદાવાદ ફૂલછાબ રાજકોટ http://www.phulchhab.com/ મધ્યાંતર સંચાર આણંદ, ખેડા નવગુજરાત સમયઅમદાવાદhttp://navgujaratsamay.indiatimes.com/સૌરાષ્ટ્ર સમય સમાચારગોંડલhttp://www.saurashtrasamay.com/ ગોંડલ સમાચારઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇhttp://newsgondal.com/?p=8661ઇકોનોમિક ટાઇમ્સઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇhttp://gujarati.economictimes.indiatimes.com/કચ્છમિત્ર સમાચારઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇhttp://kutchmitradaily.com/આજ કાલ સમાચારઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇhttp://www.aajkaaldaily.com/જન્મભૂમિ સમાચારઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇhttps://www.janmabhoominewspapers.com/નોબત સમાચારજામનગરhttp://www.nobat.com/ભારત ભોમકાગોંડલ શ્રેણી:દૈનિક
Main Page
https://gu.wikipedia.org/wiki/Main_Page
REDIRECT મુખપૃષ્ઠ
મીરાંબાઈ
https://gu.wikipedia.org/wiki/મીરાંબાઈ
thumb|230x230px|મીરાનું કૃષ્ણ મંદિર, ચિત્તોડ કિલ્લો. મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈ ના પદો વ્રજ નો ઉપરાંત હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષામાં મળે છે. જીવન મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.An Introduction to Hinduism, Cambridge 1996, Page 144, by Gavin Flood તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો. બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી. નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં. મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે. પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા. મીરાંબાઈના ગુરુ ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસ ઉલ્લેખ કરેલો છે. સર્જન મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી: નરસિંહ રા માહ્યરા ગીત ગોવિંદ ટીકા રાગ ગોવિંદ રાગ સોરઠ કે પદ આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સંદર્ભ બાહ્ય કડીઓ સ્વર્ગારોહણ : Largest collections of Meera Bai Bhajans in Gujarati Mirabai at Kavita Kosh (Hindi) Short biography Bridal Mysticism: Story of Meerabai By Dr. Jyotsna Kamat શ્રેણી:ભારતનાં સંતો Category:ધાર્મિક સાહિત્યકાર Category:ધાર્મિક વ્યક્તિત્વ શ્રેણી:ગુજરાતના સંતો
વિકિપીડિયા
https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા
REDIRECT વિકિપીડિયા:વિષે
મુંબઈ
https://gu.wikipedia.org/wiki/મુંબઈ
મુંબઈ (મરાઠી: मुंबई); પહેલા બોમ્બે, તરીકે જાણીતું શહેર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. મુખ્ય શહેરની વસ્તી અંદાજે ૧ કરોડ ૧૪ લાખ જેટલી છે., જ્યારે શહેરને અડીને આવેલા ઉપનગરો જેવા કે નવી મુંબઈ અને થાણેની કુલ મળીને મુંબઈની વસ્તી 19 મિલિયન (1 કરોડ 90 લાખ) થાય છે. જેને કારણે તે સયુંકત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ મુજબ વિશ્વનું ચોથા નંબરનું સૌથી સોથી મોટું અર્બન અગ્લૉમરેશન ધરાવતું શહેર છે. જીડીપીની દૃષ્ટિએ તે વિશ્વનું ૩૮મું સૌથી મોટું શહેર છે. મુંબઈ ભારતના કોંકણ(કે પશ્ચિમ) કિનારે આવેલું છે, જે કુદરતી બંદર ધરાવે છે. ભારતના દરિયાઈ કાર્ગોના અડધા ભાગની હેરફેર મુંબઈના બંદરેથી થાય છે. મુંબઈ, ભારતનું આર્થિક અને મનોરંજનનું કેન્દ્ર છે, તે ભારતના જીડીપીમાં ૫ ટકાનું યોગદાન આપે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક ઉત્પાદનના ૨૫%, દરિયાઈ વેપારના ૪૦% , અને ભારતીય અર્થતંત્રના નાણાકીય વહેવારોમાં ૭૦ ટકાનું યોગદાન મુંબઈ આપે છે. મુંબઈમાં મહત્વની નાણાકીય સંસ્થાઓના વડા મથક આવેલા છે જેમ કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ શેર બજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને ઘણી ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના મુખ્યમથક મુંબઈમાં આવેલા છે. તેમજ બોલીવુડ તરીકે જાણીતો હિન્દી ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગ પણ આ જ શહેરમાં સ્થાયી થયો છે. મુંબઈમાં જીવનધોરણનું પ્રમાણ ભારતના અન્ય રાજ્યો કરતાંં ઉંચું હોવાથી ભારતભરમાંથી લોકો પ્રગતિની તક શોધતા મુંબઈ આવે છે, જેને કારણે મુંબઈ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓનું કેન્દ્ર બન્યું છે. વ્યુત્પત્તિ મુંબઈ નામ ઈપોનીમ (સ્થાન કે સંસ્થાને પોતાનું નામ આપનાર) અને વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલજિ) મુજબ મુંબા અથવા મહા અંબા, હિંદુ ધર્મ ધર્મના દેવી મુંબાદેવી અને આઈ જેનો અર્થ મરાઠીમાં “માતા“ થાય છે તેના મિશ્રણ પરથી ઉદભવ્યું છે.મુંબઈનું પહેલા જાણીતું નામબોમ્બે હતું, જેનો ઉદભવ 16મી સદીમાં પોર્ટુગીઝો આ વિસ્તારમાં આવ્યા ત્યારે થયો હતો. તેઓ આ પ્રદેશને વિવિધ નામે બોલાવતા હતા, અંતે તેમણે બોમ્બેમ લખવાનું શરૂ કર્યું, જે હજૂ પણ પોર્ટુગીઝ ભાષામાં વપરાય છે. ૧૭મી સદીમાં આ પ્રદેશનો કબ્જો બ્રિટિશરોએ લઈ લેતા તેના નામનું અંગ્રેજીકરણ થયું અને તે બોમ્બે બન્યું. જો કે સ્થાનિક મરાઠી અને ગુજરાતી રહેવાસીઓ તેને મુંબઈ અથવા મંબાઈ, હિંદી , ઉર્દૂ અને પર્શિયન ભાષામાં તેને બાંમ્બાઈ કહેવાતું રહ્યું હતું. કેટલોક સમય મુંબઈ તેના જૂના નામે જેમ કે કાકામુચી અને ગાલાજુનકજા તરીકે પણ જાણીતું હતું. ૧૯૯૬માં તેના મરાઠી ઉચ્ચાર મુજબ શહેરનું નામ સત્તાવાર રીતે બદલીને મુંબઈ કરવામાં આવ્યું. thumb|left|તાજ મહેલ પેલેસ અને ટાવર પાસે મરાઠી ભાષામાં લખેલું મુંબઈ. અંગ્રેજી નામ બોમ્બેના ઉદભવ વિશે પ્રચલિત વાત એ છે કે તે પોર્ટુગીઝ ભાષાના એક શબ્દ જેનો અર્થ થાય છે કે “સારો કિનારો” તેમાથી આવ્યું છે. આ એ હકિકત પર આધારીત છે જેમાં પોર્ટુગીઝમાં બોમનો અર્થ “સારો” થાય છે જ્યારે અંગ્રેજી ભાષાનો “બે” શબ્દ પોર્ટુગીઝ ભાષાના baía (જુના સ્પેલિંગમાં bahia) સાથે સામ્ય ધરાવે છે. સામાન્ય રીતે પોર્ટુગીઝ ભાષામાં “સારો કિનારા“ માટે બોબોહિઅ હોવું જોઈએ નહીં કે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું બોંમબાહિઈ. જો કે ૧૬મી સદીની પોર્ટુગીઝ ભાષામાં બાઈમશબ્દનો અર્થ “નાનો કિનારો“ થાય છે. અન્ય સ્ત્રોત મુજબ આ શબ્દની ઉત્પતિ માટે અન્ય પોર્ટુગીઝ શબ્દ બોમ્બેઈમને જવાબદાર ગણાવે છે. જોસે પેટ્રો માચાડોસ Dicionário Onomástico Etimológico da Língua Portuguesa નામ અધ્યયન અને વ્યુત્પત્તિ શાસ્ત્ર અંગેના પોર્ટુગીઝ શબ્દકોશ”માં આ સ્થળનો ઉલ્લેખ મળે છે, જેને આ શહેરનો સૌપ્રથમ ઉલ્લેખ ગણી શકાય. 1516માં બેનામાજાંબુ અને ટેના-માઈમંબુ , હિન્દુ દેવી મુંબા દેવીના નામ પરથી મરાઠી ભાષામાં આ સ્થળનું નામ પડ્યુ હતું તેના તરફ નિર્દેશ કરે છે. તે જ સદીમાં તેની જોડણીબોંબેયન(૧૫૨૫)"Tombo do Estado da Índia"ના દસ્તાવેજ મુજબ (હાલમાં તે ગોવા હીસ્ટ્રોલિકલ આર્કાઇવ્ઝ અથવા ગોવા પુરાભીલેખા પાસે છે.) અને ત્યાર બાદ મોબાઈમ (૧૫૬૩) થઈ. જ્યારે શબ્દનું છેલ્લુ સ્વરૂપ બોમ્બેઈમ 16મી સદીમાં જાણવા મળે છે. આ ઉલ્લેખ ગાસ્પર કોરિયાએ લેન્ડાસ ડી ઇન્ડિયા( “લિજેન્ડ ઓફ ઇન્ડિયા“). જે.પી.માચાડો બોંબાહિઈ અંગેની પુર્વધારણાઓને ફગાવી દે છે અને કહે છે કે પોર્ટુગીઝ રેકોર્ડ મુજબ આ સ્થળે એક કિનારો હોવાનો ઉલ્લેખ કરે છે જેના કારણે એંગ્રેજીમાં એવું માની લેવામાં આવે છે કે આ નામ (બાહીયા“બે“) એ પોર્ટુગીઝ ટોપોનીઈમનો એક ભાગ છે જેના કારણે બોમ્બેનું અંગ્રેજી રૂપાંતર પોર્ટુગીઝ ભાષામાંથી અપનાવવામાં આવ્યું છે. ઇતિહાસ thumb|જ્યારે મુંબઈમાં ઈસ્લામી શાસન હતું ત્યારે 1431માં હાજી અલી મસ્જિદ (Haji Ali Mosque) બાંધવામાં આવી હતી. thumb|ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ (George V) અને રાણી મેરી (Mary)ની ભારત મુલાકાતને આવકારવા માટે 2 ડિસેમ્બર, 1911નો રોજ શરૂ કરવામાં આવ્યુ જે 2 ડિસેમ્બર, 1924ના રોજ પૂરૂ થયું. ઉત્તર મુંબઈમાં આવેલા કાંદિવલી પાસે મળેલા પ્રાચીન અવશેષો મુજબ આ ટાપુ પાષાણયુગ થી વસવાટ ધરાવતો હતો. અહીં માનવીય વસવાટના દસ્તાવેજી પુરાવાઓ ઈસવીસન પુર્વે ૨૫૦ની સાલમાં લઈ જાય છે. ત્યારે આ પ્રદેશને હેપ્ટાનેશિયા (પ્ટોલેમી - પ્રાચીન ગ્રીક ): સાત ટાપુઓનું ઝુમખું તરીકે ઓળખવામાં આવતો હતો. ઈસવીસન પૂર્વેની ત્રીજી સદીમાં બુદ્ધ ધર્મ પાળનાર સમ્રાટ અશોક ના મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતું. પહેલાની થોડી સદી દરમિયાન ભારતીય-શકો, પશ્ચિમી સતરાપ્શ અને સાતવાહન વચ્ચે મુંબઈ પર અંકુશને લઈને વિવાદ થયો. સિલહારા વંશ ના હિન્દુ શાસકો૧૩૪૩ સુધી, એટલે કે જ્યાં સુધી આ ટાપુઓને ગુજરાત સાથે જોડવામાં ન આવ્યા ત્યાં સુધી તેમણે અહીં રાજ કર્યું. દ્વીપસમૂહના જુના બાંધકામની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ અને બાણગંગા કુંડ કેવાલકેશ્વર મંદિર આ યુગ દરમિયાન બંધાયા હતા. ૧૫૩૪માં, પોર્ટુગીઝોએ આ ટાપુઓનો કબજો ગુજરાતના બહાદુર શાહ પાસેથી લઈ લીધો. ૧૬૬૧માં પોર્ટુગીઝોએ આ ટાપુનો કબજો ઈંગ્લેન્ડના ચાર્લ્સ બીજાને કેથરીન ડી બારાગિઝા સાથેના લગ્નને કારણે દહેજ તરીકે આપ્યો. ૧૬૬૮માં આ ટાપુઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક ૧૦ પાઉન્ડને ભાડે લીઝ પર આપવામાં આવ્યો. કંપનીને ટાપુના પૂર્વીય કિનારે કુદરતી બંદર મળ્યુ, જે ઉપખંડમાં માલની હેરફેર માટેના પ્રથમ બંદરની રચના માટે ઉત્તમ હતું. ૧૬૬૧માં તેની વસતિ ઝડપથી વધીને ૧૦,૦૦૦ થઈ, ૧૬૭૫માં આ સંખ્યા વધીને ૬0,000 થઈ અને ૧૬૮૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેનું વડું મથક સૂરતથી મુંબઈ ખસેડ્યું. ક્રમે ક્રમે મુંબઈ તે વખતની બોમ્બે પ્રેસિડેન્સીનું વડું મથક બની ગયું. ૧૮૧૭ બાદ, શહેરનો ઘાટ બદલવામાં આવ્યો, બાંધકામ ઈજનેરી દ્વારા દ્વીપસમૂહના ટાપુઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા. આ યોજના હોર્નબે વેલાર્ડ તરીકે જાણીતી છે, જેનો અંત ૧૮૪૫માં આવ્યો. આને કારણે મુંબઈનો કુલ વિસ્તાર ૪૩૮ ચો. કિમી થયો. ૧૮૫૩માં ભારતની પ્રથમ પેસેન્જર રેલવે લાઈન અહીં નાખવામાં આવી, જે મુંબઈને થાણે સાથે જોડતી હતી. અમેરીકન ગૃહ યુદ્ધ દરમિયાન(૧૮૬૧-૧૮૬૫), મુંબઈ વિશ્વનું મોટું કપાસ વેપાર કેન્દ્ર બન્યું. જેને કારણે અર્થતંત્રને સારો એવો લાભ થયો અને શહેરની પ્રતિષ્ઠા પણ વધી. ૧૮૬૯માં સુએઝ નહેર શરૂ થઈ જેને કરાણે અરબી સમુદ્ર માં બોમ્બે એક મહત્વનું બંદર બન્યું.ત્યાર બાદના 30 વર્ષમાં મુંબઈએ ઘણી પ્રગતિ સાધી અને આંતરમાળખાકિય સવલતોમાં વધારો કરવામાં આવ્યો. આ દરમિયાન શહેરમાં ઘણી નવી સંસ્થાઓનું બાંધકામ થયું. ૧૯૦૬માં મુંબઈની વસ્તી ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ, જેને કારણે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તેનું સ્થાન કોલકાતા પછી બીજું આવ્યું. બોમ્બે પ્રેસિડેન્સી ના પાટનગરને કારણે તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ નું મોટું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં શરૂ કરાયેલું ભારત છોડો આંદોલન મુંબઈમાંથી જ શરૂ થયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી બાદ, મુંબઈ બોમ્બે સ્ટેટ નું પાટનગર બન્યું. ૧૯૫૦માં ઉત્તર તરફના વધુ કેટલાક ટાપુઓ તરફ પણ શહેરનો વધારો થયો. અહીં પણ વસ્તીએ વસવાટ શરૂ કર્યો હતો. thumb|left|સંયુકત મહારાષ્ટ્ર ની ચળવળ દરમિયાન શહીદ થયેલો લોકોની યાદમાં ફ્લોરા ફાઉન્ટેનની બાજુમાં બનાવાયેલ સ્મારક. આ ચોકનું હુતાત્મા ચોક (શહીદ ચોક) તરીકે નામાકરણ કરવામાં આવ્યું હતું. ૧૯૫૫ બાદ, બોમ્બે સ્ટેટના ભાષાવાર ટુકડા કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના કરવામાં આવી. તે સમયે એવી માંગણી કરવામાં આવી હતી કે મુંબઈને સ્વાયત્ત શહેર બનાવવામાં આવે. મુંબઈ નાગરિક સમિતિ એ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિઓની આગેવાનીવાળી સમિતિ હતી જેનો ઉદ્દેશ મુંબઈને સ્વાયત્ત શહેરનો દરજ્જો આપવાનો હતો. જો કે, સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન એ આ ખ્યાલનો વિરોધ કર્યો અને મુંબઈને મહારાષ્ટ્રના પાટનગર તરીકે ઘોષિત કરી દીધું. આ વિરોધ પ્રદર્શનોને કારણે પોલીસે કરેલા ફાયરિંગમાં ૧૦૫ લોકોના મોત થયા હતા. આ બાદ ૧ મે, 1960ના રોજ મુંબઈ સાથે મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ૧૯૯૬માં, આ શહેરનું નામ મહારાષ્ટ્રની શિવસેના સરકારે બોમ્બેને બદલે મુંબઈ કર્યું. સ્થાનિક લોકો કેટલાક સમયથી અંગ્રેજોના કાળના નામોને ઐતિહાસિક સ્થાનિક નામોમાં બદલવાની માંગ કરી રહ્યા હતા તેમજ શિવસેનાએ પણ આ વાતને નીતિ તરીકે સ્વીકારી હતી જેથી બોમ્બેને બદલે મુંબઈ નામ કરવામાં આવ્યું. ૧૯૯૨-૯૩ના રમખાણો ફાટી નિકળ્યા ત્યારે મુંબઈ શહેરની બિનસાંપ્રદાયિક છબી ત્યારે ખરડાઈ હતી. આ રમખાણોમાં જાનમાલનું ઘણું નુકશાન થયું હતું. તેના થોડાક મહિના બાદ ઈસ્લામી આતંકવાદીઓ અને મુંબઈની અંધારીઆલમે શહેરની કેટલીક ઈમારતોને લક્ષ્યાંક બનાવીને ૧૯૯૩માં શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ કર્યા, આ હુમલામાં ૩૦૦ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા. ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈની ટ્રેનોમાં બોંબ વિસ્ફોટને કારણે બસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બોંબ વિસ્ફોટ મુંબઈ ઉપનગરીય રેલવે સેવાને નિશાનો બનાવીને કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના સભ્યો દ્વારા ૨૦૦૮માં મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયો પર રાજકીય હેતુપર્વક હુમલા થયા છે. ૨૬ નવેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૦૮ સુધી, ઈસ્લામી આતંકવાદીઓના એક જુથે નવેમ્બર ૨૦૦૮માં મુંબઈના દક્ષિણ ભાગ પર હુમલો કર્યો. જેમાં ૨૦૦ જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આતંકવાદીઓએ વિવિધ જગ્યાઓ જેવી કે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન, તાજ મહેલ હોટલ અને ઓબેરોય ટ્રાઈડન્ટ હોટલ, લીયોપોલ્ડ કાફે અને યહૂદી સેન્ટર, નરીમાન હાઉસ પર કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા. ભૂગોળ thumb|upright|મુંબઈ મહાનગરમાં તેની આજુબાજુમાં આવેલા ઉપનગરીય જિલ્લાઓ જેવા કે નવી મુંબઈ અને થાણાનો પણ સમાવેશ થઈ જાય છે. મુંબઈ ભારતના પશ્ચિમ કિનારે ઉલ્હાસ નદીને મુખ પર વચસેલુ છે, જેને કોંકણ (Konkan)પ્રાંત કહેવામાં આવે છે. જે સાલસેટ્ટે ટાપુ (Salsette Island)ઓ પર સ્થાન ધરાવે છે. આ ટાપુઓ થાણે જિલ્લા સાથે પણ આશિંક રીતે જોડાયેલા છે. મોટાભાગનું શહેર દરિયાઈ સપાટીથી થોડીક જ ઉંચાઈ પર વસેલું છે જેનું ચડાણ સરેરાશ રેન્જ થી લઈને છે. ઉત્તર તરફનું મુંબઈ ઉચું છે, અને શહેરનો સૌથી ઉંચો ભોગ અંહી છે જેની ઉંચાઈ.શહેરનો એક છેડેથી બીજા છેડા સુધીનો વિસ્તાર 603 ચોરસ કીલોમીટર છે. (233 ચોરકીમી.) શહેરની નજીક જ સંજય ગાંધી નેશનલ પાર્ક આવેલુ છે, જે શહેરનો છઠ્ઠા ભાગનો વિસ્તાર રોકે છે. અહીં નોંધવું જોઈએ કે લાખો લોકોની પાસે હોવા છતાં તેમજ તે પ્રજાતિની નિકંદન નીકળી જવાની અણી પર હોવા છતાં બિલાડી પ્રજાતિના પ્રાણીઓ જેવા કે દિપડા અને ચિત્તા હજી પણ નેશનલ પાર્કચિત્તાઉછેર કેન્દ્ર થાણે નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર બિજલ ત્રિવેદી દ્વારા કિલર કેટ.ની અંદર રહે છે. ભાત્સા ડેમ (Bhatsa Dam)સિવાય, છ મોટા સરોવરો આ શહેરને પાણી પુરૂ પાડે છે જેમ કે, વિહાર (Vihar), વૈતરણા (Vaitarna), ઉપરવાસનું વૈતરણા, તુલસી, તાન્સા અને પવઈ. મુંબઈ શહેરની સરહદમાં જ આવતા બોરિવલ્લી નેશનલ પાર્ક (Borivili National Park)ની અંદર જ તુલસી અને વિહાર સરોવર આવેલા છે. પવાઈ સરોવર પણ શહેરની હદમાં આવે છે જેના પાણીનો ઉપયોગ ઉદ્યોગો માટે થાય છે. ત્રણ નાની નદીઓ જેવી કે , દહીસર, પોઈનસાર (અથવા પોઈસાર) અને ઓહિવારા (અથવા ઓશિવારા) પણ આ જ પાર્કમાંથી ઉદભવ પામે છે. આ ઉપરાંત કુખ્યાત મીઠી નદી તુલસી સરોવરમાંથી નિકળે છે અને વિહાર અને પવાઈ સરોવરનું પાણી તેમાં ભળે છે. શહેરના દરિયાકાંઠે ઘણી બધી ક્રીક (creeks)અને કિનારા આવ્યા છે. આ ટાપુના પુર્વ તરફ મોટાપ્રમાણમાં મેંગ્રોવ (mangrove)ના વૃક્ષો છે તેમજ ભેજવાળી પોચી જમીન પણ બાયોડાઈવર્સિટીને સમુદ્ધ બનાવે છે. પશ્ચિમ કિનારો મોટાભાગે રેતીવાળો અને ખડકાળ છે. દરિયાની નજીક હોવાને કારણે શહેરની જમીન રેતાળ છે. ઉપનગરોમાં જમીનનું પડ કાંપવાળું અને ચીકળું છે. આ પ્રદેશમાં ભૂમિતળેના ખડકો કાળા ડેક્કન (Deccan)બેસાલ્ટ ફ્લોના બનેલા છે અને તેના એસીડ અને પાયા (basic)ના વિવિધ ભોગો ક્રિટેશસ (Cretaceous)અને આદિનૂતનમ (Eocene) યુગનો ઈશારો કરે છે. મુંબઈ ધરતીકંપની રીતે સક્રિય ક્ષેત્ર પર બેઠેલું છે. તેની આસપાસના ભાગોમાં ત્રણ ફોલ્ટ લાઈનો છે. આ વિસ્તારને ત્રીજા ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેનો મતલબ એમ થયો કે રીક્ટર સ્કેલ પર ૬.૫ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવી શકે છે. આબોહવા thumb|મુંબઈમાં સરેરાશ તાપમાન અને વરસાદ( પ્રેસિપિટેશન)નું પ્રમાણ.ટ્રોપિકલ (tropical zone)(ઉષ્ણકટિબંધ) ઝોનમાં આવતું હોવાથી તેમજ અરેબિયન સાગર (Arabian Sea) નજીક હોવાથી મુંબઈની આબોહવા મુખ્યત્વે બે ઋતુઓમાં વહેંચાયેલી છે. એક ભેજવાળી અને બીજી સુકી ઋતુ.ભેજવાળી ઋતુ માર્ચ અને ઓક્ટોબર વચ્ચે હોય છે, આ દરમિયાન ભેજનું પ્રમાણ ઉંચુ હોય છે અને તાપમાનનું પ્રમાણ સરેરાશ કરતા વધુ હોય છે.જુન અને સપ્ટેમ્બર સુધી વરસાદની ઋતુ હોય છે, આ દરમિયાન શહેરમાં ધોધમાર વરસાદ ત્રાટકે છે, આજ ભાગમાં શહેરનો વાર્ષિક વરસાદ વરસે છે.સૌથી વધુ વાર્ષિક વરસાદ 1954માં નોંધાયો હતો.એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ (highest rainfall) 26 જુલાઈ, 2005ના રોજ નોંધાયો હતો.સુકી ઋતુ નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમિયાન હોય છે, આ ઋતુમાં ભેજપનું પ્રમાણ મધ્યમ હોય છે અને વાતાવરણ ગરમથી ઠંડી તરફ જાય છે. જાન્યુઆરી અને ફ્રેબ્રુઆરી પડતી ઠંડી માટે ઉત્તરના ઠંડા પવનો જવાબદાર હોય છે. વાર્ષિક તાપમાનની સૌથી ઉચ્ચથી નીચી કક્ષા.વિક્રમ જનક રીતે ઉચું તપામાન અને નીચું તાપમાન 22 જાન્યુઆરી, 1962માં નોંધાયું હતું. જો કે, સૌથી ઓછું તાપમાન બે હવામાનખાતાની કચેરીઓ દ્વારા નોંધાયું હતું. 8 ફેબ્રુઆરી, 2008ના રોજ શહેરની હદમાં આવતી કાનહેરી ગુફા (Kanheri Caves)ઓની નજીક આવેલી હવામાન કચેરીએ નોંધ્યું હતું. અર્થતંત્ર thumb|upright|બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange)એશિયાનું સૌથી જૂનુ સ્ટોક એક્સચેન્જ છે. જીડીપી મુજબ મુંબઈ વિશ્વનું 38મું સૌથી મોટું શહેર (38th largest city by GDP) છે. જ્યારે ભારતનું તે સૌથી મોટું શહેર છે જેને દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે.ભારત માટે તે આવકનું મોટું કેન્દ્ર છે. ફેક્ટરીની રોજગારીમાં તેનું પ્રદાન 10 %, કુલ આવક વેરા (income tax)માં 40 %, જકાત વેરા (customs duty)(કસ્ટમ)માં 60 %, કેન્દ્રીય આબકારી કર (excise tax)માં 20 %, વિદેશ વેપાર (foreign trade) અને કોર્પોરેટ ટેક્સ (corporate tax)માં 40 % છે. મુંબઈની માથાદીઠ આવક, જે રાષ્ટ્રીય સરેરાશથી ત્રણ ગણી વધું છે.ઘણા ભારતીય કોર્પોરેશન(જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India), એલઆઈસી (LIC), તાતા જૂથ (Tata Group), ગોદરેજ (Godrej)અને રિલાયન્સ (Reliance)) અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 (Fortune Global 500)માં સ્થાન ધરાવતી કંપનીઓ મુંબઈ સ્થિત છે. “ફોરચ્યુન ગ્લોબલ 500-ઇન્ડિયા, 2008“ સીએનએન (CNN)ઘણી વિદેશી બેંકો અને નાણાકીય સંસ્થાઓની શાખાઓ મુંબઈમાં છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર(મુંબઈ)એ સૌથી પ્રતિષ્ઠ સ્થળોમાંથી એક છે. 1980 સુધી, મુંબઈમાં મોટાભાગે ટેક્ષટાઈલ મિલ અને દરિયાઈબંદરનો વ્યાપ વધુ હતો, પરંતુ ત્યાર બાદ સ્થાનિક અર્થતંત્રમાં વધુ વિવિધતા આવવા લાગી. આ બાદ મુંબઈમાં એન્જિનિયરિંગ, ડાયમંડ પોલિશિંગ, હેલ્થકેર, અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉદ્યોગો વિક્સ્યાં.ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (Bhabha Atomic Research Centre) મુંબઈમાં આવેલું છે. ભારતના મોટાભાગના સ્પેશિયલાઈઝ, ટેક્નિકલ ઉદ્યોગો પાસે આધુનિક આંતરમાળખાકિય સુવિધાઓ અને કુશળ માનવ બળ છે. મુંબઈમાં નાણાકીય સંસ્થાઓના ઉદય બાદ એરોસ્પેશ, ઓપ્ટિકલ એન્જિનિયરિંગ, મેડિકલ રીસર્ચ, કમ્પ્યુટર અને બધા જ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, તેમજ વહાણ બાંધકામ, ઉર્જા અને રીન્યુએબલ એનર્જી અંગેના વિવિધ ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસ્યા છે. શહેરના કુલ માનવબળમાં સરકારી અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો સારો એવો હિસ્સો છે. આ ઉપરાંત મુંબઈમાં મોટાપ્રમાણમાં બિનકુશળ અને ઓછી કુશળતા ધરાવતા લોકોની વિશાળ સંખ્યા છે. જેઓ મોટાભાગે ટેક્સી ચલાવીને, કે ફેરિયા તરીકે કામ કરીને રોજગારી કમાય છે. જ્યારે કેટલાક મિકેનિક તરીકે તો કેટલાક બ્લુ કોલર (blue collar) વ્યવસાયમાં સંકળાયેલા છે. બંદર અને જહાજ ઉદ્યોગમાં પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કેટલાય લોકોને રોજગારી આપે છે. મધ્ય મુંબઈમાં આવેલી ધારાવી (Dharavi)માં મોટાપ્રમાણમાં રીસાયક્લિંગ ઉદ્યોગ વિકસ્યો છે. અહીં શહેરના નકામા કચરાને રીસાયકલ કરવામાં આવે છે. આ જિલ્લામાં એક રૃમ ધરાતવી ફેક્ટરીઓની સંખ્યા 15,000 જેટલી છે.વેસ્ટ નોટ, વોન્ટ નોટ ઈન ધ 700 પાઉન્ડ સ્લમ, ધ ગાર્ડિયન, 4 માર્ચ 2007 મુંબઈમાં મીડિયા ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. ભારતના મોટાભાગના ટેલિવિઝન અને સેટેલાઈટ નેટવર્ક, તેમજ મોટા પ્રકાશન ગૃહો મુંબઈમાં વડું મથક ધરાવે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર બોલીવુડ વર્ષ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે. બોલીવુડનું નામ બોમ્બે અને હોલીવુડને ભેગું કરીને પૉર્ટ્મૅન્ટો (portmanteau) દ્વારા બનાવવામાં આવ્યું છે. મરાઠી ટેલિવિઝન (Marathi television) અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ પણ મુંબઈમાં સ્થિત છે. ૧૯૯૧ બાદ ઉદારીકરણને કારણે મુંબઈની સાથે સાથે સમગ્ર ભારતમાં પણ અર્થતંત્રમાં તેજી જોવાઈ હતી. ૯૦ ના મધ્યમાં નાણાકીય, આઈટી, નિકાસ, સેવા અને આઉટસોર્સિંગમાં તેજી જોવાઈ હતી. મુંબઈના મધ્યમ વર્ગને આ તેજીની ઘણી અસર થઈ, જેથી તે ગ્રાહકીય તેજી લાવવામાંમુખ્ય પરિબળ બન્યું. મુંબઈકરની આવક વધતા તેઓને ખરીદશક્તિ પણ વધી જેથી ગ્રાહકોની ખર્ચવાની તાકાત પણ વધી.વિશ્વમાં વેપાર કેન્દ્રોની અનુક્રમણિકા (Worldwide Centres of Commerce Index), 2008માં મુંબઈનું સ્થાન 48મું છે. એપ્રિલ 2008માં, ફોર્બ્સ (Forbes)મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા “અબજોપતિઓ માટેના ટોચના 10 શહેરો”માં મુંબઈને સાતમું સ્થાન આપવામાં આવ્યું હતું. http://www.forbes.com/2008/04/30/billionaires-london-moscow-biz-billies-cz_cv_0430billiecities_slide_5.html?thisSpeed=15000 નગર વહીવટ thumb|બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નો ક્ષેત્રાધિકાર, મહારાષ્ટ્ર (Maharashtra), ગોવા (Goa), દમણ અને દિવ (Daman and Diu), અને દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli) સુધી છે. મુંબઈ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. એક શહેર અને બીજુ ઉપનગર, આ દ્વારા મહારાષ્ટ્રના બે જિલ્લાઓ પણ રચાયા છે. શહેરના વિસ્તારનો સામાન્ય રીતે ટાપુ શહેર તરીકે ઉલ્લેખ કરાય છે. મુંબઈ, જેમાં ટાપુ શહેર અને ઉપનગરોનો સમાવેશ થાય છે તેનું સંચાલન બ્રૃહદમુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) (જે પહેલા બોમ્બે મહાનગરપાલિકા તરીકે જાણીતી હતી) દ્વારા થાય છે. બધી સત્તા મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) પાસે હોય છે, જે આઈએએસ અધિકારી (IAS officer)હોય છે, જેમની નિમણૂંક રાજ્ય સરકાર (state government)કરે છે. મહાનગરપાલિકામાં 227 જેટલા કાઉન્સિલરો(નગર સેવકો) હોય છે જેવો વિવિધ 24 જેટલા મ્યુનિસિપલ વોર્ડ (municipal wards)નું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત પાંચ નિયુક્ત કરાયેલા કાઉન્સિલરો હોય છે, અંહી મેયર (Mayor)ની પણ નિમણૂંક થાય છે. મેટ્રોપોલિટન શહેર મુંબઈની બધા જ પ્રકારની નાગરિકી અને આંતરમાળખાકીય સવલતો પર બીએમસીનો કાબુ હોય છે. વહીવટ માટે દરેક વોર્ડમાં મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરાય છે. નગરસેવકોની ચૂંટણીમાં ઘણા બધા પક્ષો પોતાના ઉમેદવારો ઉભા કરે છે.મુંબઈ મેટ્રોપોલિટન રીઝન(પ્રદેશ) (Mumbai Metropolitan Region)માં સાત મહાનગરપાલિકા અને 13 મ્યુનિસિપલ કાઉન્સિલનો સમાવેશ થાય છે. બીએમસીમાં સાત જેટલી મહાનગરપાલિકાઓને પણ સામેલ કરવામાં આવી છે જેમાં થાણે (Thane), કલ્યાણ-ડોમ્બિવલી (Kalyan-Dombivali), નવી મુંબઈ (Navi Mumbai), મીરા- ભાયંદર (Mira-Bhayandar), ભિવંડી-નિઝામપૂર (Bhiwandi-Nizampur) અને ઉલ્હાસનગર (Ulhasnagar)નો સમાવેશ થાય છે.બ્રૃહદ મુંબઈ મહારાષ્ટ્રના બે જિલ્લાઓનું નિર્માણ કરે છે. આ બન્ને જિલ્લાઓનું અધિકાર જિલ્લા કલેક્ટર (District Collector) હસ્તક હોય છે. કલેક્ટરે મુખ્યત્વે વિવિધ પ્રકારની સંપતિઓનો રેકોર્ડ રાખવાનું તેમજ કેન્દ્ર સરકાર (Central Government)માટે મહેસુલ ઉઘરાવવાનું અને રાષ્ટ્રીય ચૂંટણીઓની દેખરેખ રાખવાનું છે. મુંબઈ પોલીસ (Mumbai Police)ના વડા પોલીસ કમિશનર (Police Commissioner) હોય છે જેઓ આઈપીએસ (IPS)અધિકારી હોય છે. મુંબઈ પોલીસ રાજ્યના ગૃહ વિભાગના હાથ નીચે કામ કરે છે. શહેર સાત પોલીસ અને 17 ટ્રાફિક પોલીસ વિભાગમાં વહેંચાયેલું છે. દરેકની આગેવાની નાયબ પોલીસ કમિશનર કરે છે. ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસના હાથ નીચેની સ્વાયત્ત બોડી છે. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)વિભાગની આગેવાની ચીફ ફાયર ઓફિસર કરે છે જેમના હાથ નીચે ચાર નાયબ ચીફ ફાયર ઓફિસર અને છ વિભાગીય અધિકારીઓ હોય છે. મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)આવેલી છે બોમ્બે હાઈકોર્ટનો ક્ષેત્રાધિકાર, મહારાષ્ટ્ર, ગોવા (Goa), અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories)દમણ અને દિવ (Daman and Diu), અને દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli)સુધી છે. મુંબઈમાં બે નીચલી અદાલતો પણ છે, નાગરીકી બાબતો માટે સ્મોલ કોઝ કોર્ટ (Small Causes Court) અને ગુનાઓ માટેની સેશન્સ કોર્ટ (Sessions Court).મુંબઈમાં આતંકવાદી પ્રવતિઓ ચલાવતા લોકો માટે વિશેષ ટાડા(ટેરરીસ્ટ એન્ડ ડિસ્રપ્ટિવ એક્ટીવીટી)કોર્ટ છે. લોકસભા (Lok Sabha) માટે મુંબઈમાંથી છ સાંસદોની ચૂંટણી થાય છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Vidhan Sabha) માટે 34 ધારાસભ્યો ચૂંટાય છે.મુંબઈની આગેવાની મેયર શુભા રાઉલ (Shubha Raul), મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) જયરાજ ફાટક (Jairaj Phatak), અને શેરીફ (Sheriff) ઈન્દુ શાહની (Indu Shahani) કરે છે. વાહનવ્યવહાર thumb| છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus)જે પહેલા વિકટોરિયા ટર્મિનલ તરીકે જાણીતું હતું તે મધ્ય રેલવે (Central Railway)નું વડું મથકે છે, આ ટર્મિનલને યુનેસ્કો (UNESCO)દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site) ઘોષિત કરાયું છે. thumb|આધુનિક બેસ્ટ (BEST)બસ(સ્ટારબસ). thumb|છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport)દક્ષિણ એશિયા (South Asia)નું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. મુંબઈની વાહનવ્યવહાર વ્યવસ્થામાં મુંબઈ ઉપનગરીય રેલવે સેવા (Mumbai Suburban Railway), બેસ્ટ (BEST), બસ, ટેક્સી, ઓટોરીક્ષા (auto rickshaw), ફેરી, અને એરોપ્લેનનો સમાવેશ થાય છે.મેટ્રો અને મોનોરેલવેનું હાલમાં બાંધકામ ચાલું છે. મુંબઈ બે રેલવે વિભાગનું વડું મથક છે. એક મધ્ય રેલવે(સીઆર) જેનું વડું મથક છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus)માં છે અને બીજૂં પશ્ચિમ રેલવે (ડબલ્યુઆર)જેનું વડું મથક ચર્ચગેટ (Churchgate)નજીક છે. શહેરના વાહનવ્યવહારની કરોડરજ્જુ મુંબઈ ઉપનગરીય રેલવે સેવા છે, આ સેવા ત્રણ અલગ અલગ નેટવર્ક દ્વારા ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાલે છે. મુંબઈ મેટ્રો (Mumbai Metro)ટ્રેન, અંડરગ્રાઉન્ડ એલિવેટેડ રેલવે સિસ્ટમનું હાલમાં બાંધકામ ચાલુ છે. 2011 તેનું કામ પૂરૂ થશે ત્યારે તે વર્સોવા, અંધેરી થી ઘાટકોપર સુધી જશે. જ્યારે મુંબઈ મોનોરેલ (Mumbai Monorail) શરૂ થશે ત્યારે તે જેકોબ સર્કલથી વડાલા વચ્ચે દોડશેમુંબઈ દેશના અન્ય ભોગ સાથે ભારતીય રેલવે (Indian Railways)દ્વારા જોડાયેલું છે. આ ટ્રેનો છત્રપતિ શિવાજી ટર્મિનલ, દાદર (Dadar), લોકમાન્ય તિલક ટર્મિનલ (Lokmanya Tilak Terminus), મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central), બાંદ્રા ટર્મિનલ (Bandra terminus) અને અંધેરીથી ઉપડે છે. મુંબઈની ઉપનગરીય રેલવે સેવા દ્વારા રોજના 6.3 મિલિયન(60 લાખ 30 હજાર) લોકો પ્રવાસ કરે છે. બેસ્ટ દ્વારા ચલાવવામાં આવતી બસો મોટાભાગના શહેરની સાથે સાથે નવી મુંબઈ (Navi Mumbai) અને થાણે (Thane)ને પણ આવરી લે છે. આ બસોનો ઉપયોગ ટુકાં અંતરથી લઈને લાંબા અંતરની મુસાફરી માટે થાય છે. જ્યારે લાંબા અંતર માટે ટ્રેન સેવાઓ સસ્તી પડે છે. બેસ્ટ કુલ 3,408 બસ ચલાવે છે, જે દ્વારા વિવિધ 340 રૂટો દ્વારા 4.5 મિલિયન(40 લાખ 50 હજાર) પેસેન્જરોને તેમના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. બેસ્ટના બસના કાફલામાં સિંગલ ડેકર, ડબલ ડેકર, વેસ્ટિબ્યૂલ, લો ફ્લોર, વિકલાંગોને તકલીફ ન પડે તેવી, એર કન્ડિશન્ડ અને યુરો ત્રણ (Euro III) ધોરણોવાળી તેમજ સીએનજી દ્વારા ચાલતી બસોનો સમાવેશ થાય છે.એમએસઆરટીસી (MSRTC)મુંબઈને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય વિસ્તારોને બસ સેવા દ્વારા જોડે છે. મુંબઈમાં આવેલા પ્રવાસના સ્થળો (tourist attractions in Mumbai)નું દર્શન કરાવતી મુંબઈ દર્શનએ પ્રવાસી બસ સર્વિસ છે. સમગ્ર મુંબઈમાં બીઆરટીએસની અલગ લાઈન બનાવવામાં આવશે જેનું બાંધકામ ૨૦૦૯માં શરુ થયું છે. કાળા અને પીળા કલરની અને મીટર ધરાવતી ટેક્સી (taxis) મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં દેખાય છે.મુંબઈના ઉપનગરોમાં ઓટોરીક્ષાની સેવા છે. લોકોની મંનપસંદ સેવા ઓટોરીક્ષા છે, આ રીક્ષાઓ સીએનજી પર ચાલે છે. પોતાના મંઝીલ સુધી પહોંચવા માટે આ ત્રણ પૈડાની સેવા ઘણી ઝડપી છે. આ ઉપરાંત તે ઘણી સસ્તી સેવા છે, રીક્ષામાં ત્રણ યાત્રીઓ બેસી શકે છે. મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport)શહેરનું મુખ્ય વિમાનસંચાલનનું કેન્દ્ર છે. આ દક્ષિણ એશિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જુહૂ એરોડ્રામ (Juhu aerodrome)ભારતનું સૌથી પહેલું વિમાનીમથક હતું.હાલમાં તેનો ઉપયોગ ફ્લાઈંગ કલબ અને હેલીપોર્ટ માટે થાયછે. પ્રસ્તાવિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Navi Mumbai International Airport)જે કોપરા પનવેલ વિસ્તારમાં બંધાવાનું છે. આ એરપોર્ટને કેન્દ્ર સરકાર પરવાનગી આપી દીધી છે. આ એરપોર્ટ બનવાથી હાલના એરપોર્ટની વ્યવસ્તતામાં ઘટાડો થશે. ભારતના ઘરેલુ પેસેન્જરનો ૨૫% અને દેશના કુલ આંતરરાષ્ટ્રીય પેસેન્જરનો ૩૮% ટ્રાફિક મુંબઈ વહન કરે છે. મુંબઈની વિશેષ પ્રકારની સ્થાનિક ભૂગોળને કારણે તે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કુદરતી બંદર છે. આ બંદર દેશના કુલ પેસેન્જર ટ્રાફિકના 50 % ટકા અને તેના જેટલો જ કાર્ગો ટ્રાફિક પણ વહન કરે છે. ઉપરાંત ભારતીય નૌકાદળ (Indian Navy)નું મહત્વનું મથક પણ અંહી આવ્યું છે, જે પશ્ચિમી નૌકા કમાન્ડનું વડૂં મથક છે.અંહી ઉપલબ્ધ ફેરી સર્વિસને કારણે પણ લોકોને ટાપુ પર અને અન્ય બીચ પર જવાનું સસ્તું પડે છે. ઉપયોગિતા સેવા right|240px|મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ બીએમસી વડુંમથક બીએમસી (BMC) શહેરને પીવાનું પાણી પૂરુ પાડે છે. જે મોટાભાગે તુલસી અને વિહાર સરોવર તેમજ કેટલાક અન્ય સરોવરમાંથી આવે છે. આ પાણીને ભાંડુપ (Bhandup) ખાતે શુદ્ધ કરવામાં આવે છે, જે એશિયાનો સૌથી મોટો શુદ્ધીકરણ પ્લાન્ટ છે. ભારતની સૌપ્રથમ ભૂગર્ભ પાણીની પાઈપલાઈન પણ મુંબઈમાં બાંધવામાં આવશે.આ ઉપરાંત, બીએમસી શહેરના રોડના રખરખાવ અને કચરાના એકત્રીકરણ માટે જવાબદાર છે. મુંબઈમાં દરરોજનો આશરે 7,800 મેટ્રીક ટન જેટલો કચરો ઉત્તર પશ્ચિમમાં આવેલા ગોરાઈ (Gorai)માં, ઉત્તરપુર્વમાં આવેલા મુલુંડ (Mulund)અને પુર્વમાં દેઓનાર (Deonar)ના ગ્રાઉન્ડમાં ડમ્પ કરવામાં આવે છે. Sewage treatment is carried out at Worli (Worli) and Bandra (Bandra), and disposed off by two independent marine outfalls of and at Bandra and Worli respectively. ત્રીજો આઉટફ્લોનું મલાડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં વીજળીના પુરવઠાની વેંચણી બેસ્ટ (BEST) દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઉપનગરોમાં રીલાયન્સ એનર્જી (Reliance Energy), તાતા પાવર (Tata Power)અને મહાવિતરણ (Mahavitaran)(મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન કું.લી) જેવી કંપનીઓ આ વ્યવસ્થા સંભાળે છે. મોટાભાગની વીજળીનું ઉત્પાદન પાણી દ્વારા અને પરમાણૂ દ્વારા કરવામાં આવે છે. તેની ઉત્પાદન ક્ષમતા કરતા તેની ખપત વધુ ઝડપે વધી રહી છે. મુંબઈમાં સૌથી મોટી ટેલિફોન સર્વિસ આપનાર કંપની કેન્દ્ર સરકાર હસ્તકની એમટીએનએલ (MTNL) છે. જેની પાસે 2000ની સાલ સુધી ફિક્સ લાઈન અને સેલ્યુલર સર્વિસ પુરી પાડવાનો ઈજારો હતો. આ કંપની મોબાઈલ અને ડબલ્યુએલએલ (WLL) સેવા પણ આપે છે. મુંબઈમાં સેલફોનનું ક્ષેત્ર વ્યાપક છે. અંહીના મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ, વોડાફોન એસ્સાર (Vodafone Essar), એરટેલ (Airtel), એમટીએનએલ, બીપીએલ ગ્રુપ (BPL group),રીલાયન્સ કમ્યૂનિકેશન (Reliance Communications), આઈડિયા સેલ્યુલર (Idea Cellular) અને તાતા ઈન્ડિકોમ (Tata Indicom)છે. શહેરમાં જીએસએમ અને સીડીએમએ એમ બન્ને પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. શહેરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણોની સંખ્યા વધી રહી છે. આ ક્ષેત્રમાં એમટીએનએલ અને તાતા (Tata) મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ છે. વસ્તી 2001ની વસ્તી ગણતરી મૂજબ મુંબઈની વસ્તી 11,914,398 છે, વર્લ્ડ ગેઝેટીયર દ્વારા કરવામાં આવેલા મુંબઈ મેટ્રોપોલિટન રીઝનની વસ્તી અને રોજગારી પ્રોફાઈલ , સેન્સસ 2001, 5 ઓગસ્ટ, 2008ના રોજ મેળવવામાં આવ્યું.એક અનુમાન મુજબ 2008માં મુંબઈની વસ્તી 13,662,885 છે અને મુંબઈ મેટ્રોપોલિટન એરિયા (Mumbai Metropolitan Area)ની વસ્તી 20,870,764 છે.વસ્તીની ઘનતા અનુમાન ચોરસ કિલોમીટર દીઠ મુજબ 22,000 વ્યકિત છે. શહેરનો સરેરાશ સાક્ષરતા દર 86 % છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઉંચો છે. શહેરમાં દર એક હજાર પૂરૂષોએ મહિલાઓની સંખ્યા 875 છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. મુંબઈમાં જે ધર્મના લોકો રહે છે તેમાં હિંદુ (Hindu)ઓ (67.39%), મુસ્લિમ (Muslim)ઓ (18.56%), બૌદ્ધ ધર્મી (Buddhist)ઓ (5.22%), જૈન (Jain)ઓ (3.99%) અને ખ્રિસ્તી (Christian)ઓ (3.72%), શીખ (Sikh)ઓ અને પારસી (Parsi)ઓ જે વસ્તીનો બાકીનો હિસ્સો પૂરો કરે છે..ભાષાવાર મુજબ વસ્તી જોઈએ તો મહારાષ્ટ્રીયન (Maharashtrians) (53%), ગુજરાતીઓ (Gujaratis) (22%), ઉત્તર ભારતીયો (North Indians) (17%), તમિળો (Tamils) (3%), સિંધી (Sindhis) (3%), તુલુવાસ (Tuluvas)/કન્નાડીગાઝ (Kannadigas) (2%) અને અન્ય.ભારતના વિવિધ છેડેથી લોકો આવતા હોવાથી અહીં વિવિધ પ્રકારની સંસ્કૃતિનું મિશ્રણ જોઈ શકાય છે.શહેરમાં રહેલી વ્યાપારની તકોને કારણે વિદેશી નાગરીકો પણ આ શહેર તરફ આકર્ષાય છે. અન્ય ભારતીય મહાનગરો (metropolitan city)ની જેમ મુંબઈમાં પણ વિવિધ ભાષાઓ જાણતા લોકોની સારી એવી સંખ્યા છે. મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા મરાઠી (Marathi) છે જે વ્યાપક પણે બોલાય છે. અન્ય બોલાતી ભાષાઓમાં હિન્દી (Hindi), ગુજરાતી (Gujarati) અને અંગ્રેજી મુખ્ય છે. હિન્દીની રોજબરોજની કામગીરીમાં બોલાતો પ્રકાર મુંબૈયા (Mumbaiya) તરીકે પ્રખ્યાત છે જેમાં મરાઠી, હિન્દુ, ભારતીય અંગ્રેજી (Indian English) અને અન્ય શોધાયેલા શબ્દોનું મિશ્રણ હોય છે. આ ભાષા મુંબઈની ગલીઓમાં બોલાય છે. અંગ્રેજી ભાષાનો વ્યાપક પણે ઉપયોગ થાય છે. વાઈટ કોલર (white collar) જોબ(મોટા પગારની નોકરી કરતા) કરતા લોકોની આ મુખ્ય ભાષા છે. વિકાસશીલ (developing countries)દેશોના ઝડપથી ઉભરી રહેલા શહેરોમાં શહેરીકરણને કારણે જે સમસ્યાઓ ઉભી થાય છે તેવી જ સમસ્યાઓ મુંબઈમાં પણ છે, જેમ કે વ્યાપક પ્રમાણમાં ગરીબી, બેરોજગારી, આરોગ્ય, અને મોટાભાગના લોકો માટે નબળી કક્ષાનું શૈક્ષણિક ધોરણ અને સિવિક સેવાઓ. મુંબઈમાં રહેઠાણોની કિંમત ઘણી વધુ હોય છે, જેને કારણે લોકો સાંકડી જગ્યાઓ અને પ્રમાણમાં મોંઘા મકાનોમાં રહે છે. જે મોટાભાગે તેમના કામ કરવાના સ્થળથી દુર હોય છે. આ કારણે તેમને ઓફિસ સુધી જવા માટે લાંબુ અંતર રોડ દ્વારા કે ટ્રેન દ્વારા કાપવું પડે છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, મુંબઈના 54.1 % લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.http://nuhru.in/files/Slums%20in%20India%20-%20An%20Overview.pdf?downloadએશિયા (Asia)ની બીજા નંબરની સૌથી મોટી ઝૂંપડપટ્ટી (slum) ધારાવી (Dharavi)મધ્ય મુંબઈમાં આવેલી છે જેમાં આઠ લાખ લોકો રહે છે. માઈક ડેવિસ, પ્લેનેટ ઓફ સ્લમ [« Le pire des mondes possibles : de l'explosion urbaine au bidonville global »], La Découverte, પેરીસ, 2006 (ISBN 978-2-7071-4915-2), p.31.1991 થી 2001ના દશકા દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ની બહારથી જે લોકો મુંબઈમાં આવ્યા તેઓની સંખ્યા 1.12 મિલિયન( 10 લાખ 12 હજાર) છે. જે મુંબઈની વસ્તીના કુલ વધારાના 54.8 % છે. 2004ના વર્ષમાં મુંબઈમાં અપરાધના 27,577 જેટલા બનાવો નોંધાયા છે.જે 2001માં નોંધાયેલા 30,991 ગુનાઓ કરતા 11 % ઓછા છે.શહેરની મુખ્ય જેલ આર્થર રોડ જેલ (Arthur Road Jail) છે. લોકો અને સંસ્કૃતિ thumb|શહેરનું સૌથી જુનું જાહેર પુસ્તકાલય એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે છે. મુંબઈમાં રહેતા લોકોને મુંબઈકર (Mumbaikar)કહેવાય છે. મુંબઈવાસીઓ.તેમના કામ કરવાના સ્થળે જલ્દી જઈ શકે તે માટે ઘણા લોકો રેલવે સ્ટેશનની પાસે જ રહે છે. કારણ કે પ્રવાસમાં ઘણો બધા સમય વ્યય થાય છે. ભારતના લોકો તીખી અને મસાલેદાર વસ્તુઓ આરોગે છે. મુંબઈમાં પણ સમુદ્ધ રાંઘણકળા છે. પરંતુ અંહી અન્ય ભારત કરતા ઓછા તીખા અને મસાલેદાર વ્યંજનો હોય છે. અંહીની કેટલીક ખાવાલાયક ચીજવસ્તુઓની યાદીમાં ધનશાક,ખીચડી, બોમ્બાઈ બટાટા ભાજી, કામાગ કાકરી, સોલાચી કઢી, મિનિ વેલા કરીઅને કરીબોમ્બે ડક (Bombay Duck)નો સમાવેશ થાય છે.રોડની આજૂબાજૂમાં સ્થાનિક વાનગીઓ જેવી વાડાપાંઉ (vada pav), પાણીપૂરી (panipuri), પાવભાજી અને ભેલપૂરી (bhelpuri) પ્રખ્યાત છે.શહેરમાં ઘણી નાની રેસ્ટૉરૉં પણ છે(જે ને ઉડીપી રેસ્ટૉરૉં પણ કહે છે.) જે દક્ષિણ ભારતીય અને પંજાબી વાનગીઓ પીરસે છે. શહેરમાં રેસ્ટૉરૉંનો એક અલગ પ્રકાર પણ છે જેને ઈરાની રેસ્ટૉરૉં કહે છે. આ રેસ્ટૉરૉંમાં એક પરંપરાગત મેનુ હોય છે જેની સાથે પ્રખ્યાત ઈરાની ચા અથવા ચાઈ આપવામાં આવે છે. ભારતીય સિનેમા (Indian cinema)નું જન્મસ્થળ મુંબઈ છે. દાદાસાહેબ ફાળકે (Dadasaheb Phalke)એ 20મી સદીમાં મુંગી ફિલ્મોનું નિર્માણ કર્યું ત્યાર બાદ મરાઠી ટોકી (Marathi talkies)ની પણ શરૃઆત થઈ. સૌથી જૂની ફિલ્મો પ્રદર્શિત થઈ તે 20મી સદીમાં બની હતી. મુંબઈમાં મોટાપ્રમાણમાં પણ થિયેટર છે, જેમાં વિશ્વનું સૌથી મોટું આઈમેક્સ (IMAX) ડોમ થિયેટરનો સમાવેશ થાય છે. જેમાં બોલીવુડ, મરાઠી, અને હોલીવુડ (Hollywood)ની ફિલ્મો પ્રદર્શિત થાય છે. વર્ષ દરમિયાન ઘણા ફિલ્મ ફેસ્ટીવલ આયોજીત કરવામાં આવે છે. મોટાભાગના વ્યવસાયી નાટ્ય મંડળો બ્રિટીશ રાજ દરમિયાન બન્યા હતા, તેઓ 1950ના દાયકામાં લુપ્ત થયા, આ બાદ મુંબઈમાં અનોખી “નાટ્ય ચળવળ“ ચાલી જેમાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં નાટકો બનતા હતા. સમકાલિન કળા સરકારી નાણાં દ્વારા ચાલતી કળા સંસ્થાઓ અને અંગત વ્યવસાયી ગેલેરીઓમાં પ્રદર્શિત થતી રહે છે.સરકારી નાણા દ્વારા ચાલતી આર્ટ ગેલેરીઓમાં જહાંગીર આર્ટ ગેલેરી (Jehangir Art Gallery) અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (National Gallery of Modern Art)નો સમાવેશ થાય છે. 1833માં એશિયાટીક સોસાયટી ઓફ બોમ્બે (Asiatic Society of Bombay)ની સ્થાપના થઈ હતી, જે શહેરનું સૌથી જૂનુ જાહેર પુસ્તકાલય (public library)છે.દક્ષિણ મુંબઈ (South Mumbai)માં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (Chhatrapati Shivaji Maharaj Vastu Sangrahalaya)(પહેલા પ્રિન્સ વેલ્સ મ્યુઝીયમ તરીકે જાણીતું હતું.) જાણીતું મ્યુઝીયમ છે. ગેટવે ઓફ ઇન્ડિયા (Gateway of India)ની નજીક આવેલા આ મ્યુઝીયમમાં ભારતીય ઇતિહાસની પ્રાચીન વસ્તુઓને પ્રદર્શીત કરવામાં આવી છે. મુંબઈમાં પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય આવે છે જેને જીજામાતા ઉધાન (Jijamata Udyaan) કહેવાય છે. તેની સરહદ પર બગીચો અને બંદર આવેલું છે. મુંબઈમાં બે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ (UNESCO World Heritage Sites)આવેલી છે, એક છત્રપતિ શિવાજી ટર્મિનલ (Chhatrapati Shivaji Terminus) અને એલિફન્ટાની ગુફાઓ (Elephanta Caves).શહેરના અન્ય જાણીતા સ્થળો નરીમાન પોઈન્ટ (Nariman Point), ગિરગામ ચોપાટી (Girgaum Chowpatti), જૂહૂ બીચ (Juhu Beach)અને મરીન ડ્રાઈવ (Marine Drive) છે. થીમ પાર્કએસેલ વર્લ્ડ (Essel World)પણ ઘણો પ્રખ્યાત છે, જે ગોરાઈ સમુદ્ર કિનારાથી નજીક છે. એશિયાનો સૌથી મોટો થીમ વોટર પાર્ક, વોટર કિંગ્ડમ પણ મુંબઈમાં આવેલો છે. મુંબઈના રહેવાસીઓ ભારે ધામધૂમપૂર્વક પશ્ચિમિ (Western) અને ભારતીય તહેવારો (Indian festivals)ની ઉજવણી કરે છે. મુંબઈમાં પ્રખ્યાત તહેવારોમાં દિવાળી (Diwali), હોળી (Holi), ઈદ (Eid), ક્રિસમસ (Christmas), નવરાત્રી (Navratri), ગુડ ફ્રાઈડે (Good Friday), દશેરા (Dussera), મોહરમ (Moharram), ગણેશ ચતૂર્થી (Ganesh Chaturthi), દુર્ગા પુજા (Durga Puja) અને મહાશિવરાત્રી (Maha Shivratri)નો સમાવેશ થાય છે. સંગીત, નૃત્ય, નાટ્ય અને ફિલ્મ જેવા વિવિધ ક્ષેત્રને સાંકળી લેતો એક ફેસ્ટીવલ યોજાય છે જેને કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ (Kala Ghoda Arts Festival)કહે છે. જેમાં વિવિધ લોકો પોતાની કળાનું પ્રદર્શન કરે છે.બે અઠવાડીયા સુધી ચાલતો મેળો બાંદ્રા ફેર (Bandra Fair)તરીકે ઓળખાય છે જેમાં બધા જ ધર્મના લોકો ભાગ લે છે. સંગીત સમારોહ પર આધારિત બાણગંગા ફેસ્ટિવલ બે દિવસ સુધી ચાલે છે. જેનું આયોજન મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવેલપ્મન્ટ કોર્પોરેશન દ્વારા મુંબઈમાં આવેલા ઐતિહાસિક બાણગંગા (Banganga Tank) કૂડ પાસે કરવામાં આવે છે. એલિફન્ટા ફેસ્ટિવલ જેનું આયોજન ફ્રેબ્રુઆરી મહિનામાં એલિફન્ટા ટાપુઓ (Elephanta Island) પર થાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ક્લાસિકલ ભારતીય નૃત્ય અને સંગીતના કલાકારો અંહી ઉમટી પડે છે. મુંબઈને નીચેના કેટલાક શહેરો સાથે સિસ્ટર સીટી (sister city) સમજૂતીઓ છે. યોકોહોમા (Yokohama), જાપાન (Japan) લોસ એન્જસલ (Los Angeles), કેલિફોર્નિયા (United States) લંડન (London), યુનાઈટેડ કિંગ્ડમ (United Kingdom) બર્લિન (Berlin), જર્મની (Germany). સ્ટુટગાર્ટ (Stuttgart), જર્મની (Germany). સેન્ટ પિટર્સબર્ગ (Saint Petersburg), રશિયા (Russia). માધ્યમો મુંબઈમાં ઘણા બધા અખબારો (newspaper), પ્રકાશનો, અને ટેલિવિઝન અને રેડીયો સ્ટેશન આવેલા છે. જે અંગ્રેજી ભાષાના જાણીતા અખબારો મુંબઈ ખાતેથી પ્રકાશિત અને વેચાય છે તેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India), મિડ-ડે (Mid-day), હિન્દુસ્તાન ટાઈમ્સ (Hindustan Times), ડીએનએ (DNA), અને ઈન્ડિયન એક્સપ્રેસ (Indian Express)નો સમાવેશ થાય છે.મરાઠી ભાષાના અખબારોમાંલોકસત્તા (Loksatta), લોકમત (Lokmat) અને મહારાષ્ટ્ર ટાઈમ્સ (Maharashtra Times)નો સમાવેશ થાય છે.અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ અખબારો પ્રગટ થાય છે. મુંબઈમાંથી એશિયાનું સૌથી જૂના અખબાર બોમ્બે સમાચાર (Bombay Samachar) પ્રગટ થાય છે, ગુજરાતી ભાષાનું આ દૈનિક 1822થી નિયમિત પણે પ્રગટ થાય છે. મરાઠી ભાષાનું પહેલુ અખબાર બોમ્બે દર્પણ -ની શરૂઆત મુંબઈમાં 1831માં બાલાશાસ્ત્રી જાંભેકરે કરી હતી.લોકપ્રિય સામાયિકોમાં મરાઠીમાં સાપ્તાહિક સકાલ, લોકપ્રભા, અને અંગ્રેજીમાં ઇન્ડિયા ટુડે (India Today) અને આઉટલુકનો સમાવેશ થાય છે. thumb|બોલીવુડ (Bollywood)નું કામકાજ મુંબઈમાં થાય છે. મુંબઈમાં કેટલીયભારતીય (Indian) અને વિદેશી ચેનલો જોવાય છે. મુંબઈવાસીઓ કેબલ દ્વારા 100થી વધુ ચેનલો જોઈ શકે છે, આ ચેનલોના કાર્યક્રમ મુંબઈમાં વસતા વિવિધ પ્રદેશોના લોકો (polyglot)ના મનોરંજન માટે પ્રસારીત કરવામાં આવે છે. મહાનગરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા કોર્પોરેશનનું પણ મથક છે. અંહી મોટી સમાચાર ચેનલો અને પ્રિન્ટ પબ્લિકેશનોનીવિશાળ હાજરી છે.રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શન (Doordarshan)બે પ્રાદેશિક ચેનલ મફત પૂરી પાડે છે. જ્યારે ત્રણ મોટા કેબલ નેટવર્ક અન્ય લોકોને સેવા આપે છે. મુંબઈમાં ઈએસપીએન (ESPN), સ્ટાર સ્પોર્ટસ (Star Sports), ઝી મરાઠી (Zee Marathi), ઈટીવી મરાઠી (ETV Marathi), ડીડી સહ્યાદ્રી, મી મરાઠી, ઝી ટોકીઝ, ઝી ટીવી (Zee TV), સ્ટાર પ્લસ (STAR Plus) અને અન્ય સમાચાર ચેનલો જેવી કે સ્ટાર માઝા લોકપ્રિય છે. મુંબઈ અને મહારાષ્ટ્રના દર્શકોને સમર્પિત હોય તેવી મરાઠી સમાચાર ચેનલોમાં સ્ટાર માઝા (Star Majha), ઝી 24 તાસ (Zee 24 Taas)અને સહારા સમય મુંબઈ છે. સેટેલાઈટ ટેલિવિઝન(ડીટીએચ) (Satellite television (DTH))સેવા તેની મોંઘી કિંમતને લીધે હજૂ સુધી બધા જ લોકો સુધી પહોંચી શકી નથી અંહી જે લોકપ્રિય ડીટીએસ સેવા છે તેમાં ડીસ ટીવી (Dish TV)અને ટાટા સ્કાય (Tata Sky)નો સમાવેશ થાય છે. મુંબઈમાં 12 રેડિયો સ્ટેશન છે જેમાંથી 9 સ્ટેશનો એફએમ (FM) બેન્ડ પર પ્રસારિત થાય છે. અને ત્રણ ઓલ ઇન્ડિયા રેડિયો (All India Radio) સ્ટેશન એએમ (AM) બેન્ડ પર પ્રસારીત થાય છે. મુંબઈમાં કમર્શિયલ રેડિયો (Commercial radio)પ્રોવાઈડર્સ જેમ કે વર્લ્ડ સ્પેશ (WorldSpace), સાઈરસ (Sirius) અને એક્સએમ (XM) લોકપ્રિય છે. કન્ડિશનલ એક્સેસ સિસ્ટમ(સીએએસ)નો કેન્દ્ર સરકાર (Union Government)દ્વારા 2006થી અમલ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ ડાઈરેક્ટ ટુ હોમ(ડીટીએચ) (Direct-to-Home (DTH)) સેવાની તીવ્ર સ્પર્ધાને કારણે જોઈએ તેટલા પ્રમાણમાં સીએએસ પ્રચલિત થયું નથી. હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલીવુડ (Bollywood)મુંબઈમાં સ્થિત છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ વર્ષે 800 જેટલી ફિલ્મો બનાવે છે જે હોલીવુડ (Hollywood)ની સરખામણીમાં બે ગણી છે. આમાંથી બોલીવુડ જ 150 જેટલી ફિલ્મો બનાવે છે. ગોરેગાંવમાં આવેલા ફિલ્મ સ્ટુડીયો જેમાં ફિલ્મ સીટી (Film City)નો પણ સમાવેશ થાય છે તેમાં ઘણી બધી ફિલ્મો માટેના સેટ્સ ઉપલબ્ધ છે. મરાઠી ફિલ્મ ઉદ્યોગ (Marathi Film Industry)પણ મુંબઈમાં આવેલો છે. 2009ના વર્ષ માટેનો શ્રેષ્ઠ ચલચિત્ર (Best Picture) માટેનો એકેડેમી એવોર્ડ (Academy Award) મેળવનાર ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર (Slumdog Millionaire) પણ મુંબઈના કેટલાક ભાગોમાં શુટ કરાઈ છે. તેની કથા પણ મુંબઈની ઝૂંપડપટ્ટીને લગતી છે. શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં આવેલ રાજાબાઇ ટાવર|300px|thumb મુંબઈમાં આવેલી શાળાઓ મ્યુનિસિપલ સ્કુલ (બીએમસી દ્વારા સંચાલિત) અથવા ખાનગી શાળાઓ(ટ્રસ્ટ અથવા અંગત ધોરણે ચલાવાતી) હોય છે. જેમાં કેટલાક કેસોમાં તેઓ સરકાર તરફથી સહાય મેળવે છે. આ શાળઆઓ, મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ(એમએસબીએસએચએસઈ) (Maharashtra State Board (MSBSHSE)), ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન(સીઆઈએસસીઈ) (Council for the Indian School Certificate Examinations (CISCE)) અનેસેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડ્રી એજ્યુકેજ્શન બોર્ડ (Central Board for Secondary Education (CBSE))સાથે જોડાયેલી હોય છે. મોટાભાગે શિક્ષણનું માધ્યમ મરાઠી અથવા અંગ્રેજી હોય છે. સરકારી શાળાઓમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય છે પરંતુ ખાનગી શાળાઓમાં ન જઈ શકતા ગરીબ લોકો માટે આ જ એક માત્ર વિકલ્પ હોય છે વધુ સારી સુવિધાઓને કારણે મોટાભાગના લોકો ખાનગી શાળાઓ જ પસંદ કરે છે. 10+2+3/4 (10+2+3/4 plan)યોજના મુજબ, વિદ્યાર્થીઓ 10 વર્ષમાં શાળાનું શિક્ષણ પૂરૂ કરે છે, અને ત્યાર બાદ બે વર્ષ માટે જુનિયર કોલેજ (Junior College)માં દાખલ થાય છે. જેમાં તેઓ ત્રણ પ્રવાહ, વિનયન, વાણિજ્ય, અને વિજ્ઞાન માંથી એક પ્રવાહની પસંદગી કરે છે. આ બાદ પસંદ કરેલા અભ્યાસમાં ડિગ્રી મેળવી શકાય છે અથવા વ્યવસાયીક ડીગ્રી કોર્સ જેવા કે, કાયદો, એન્જિનિયરિંગ, તબીબી વગેરે. મોટાભાગની કોલેજો મુંબઈ યુનિવર્સિટી (University of Mumbai) સાથે જોડાયેલી હોય છે. મુંબઈ યુનિવર્સિટી સ્નાતકોને બહાર પાડવાની રીતે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંથી એક છે.ભારતની ટોચની એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સ્કુલ છે તેવી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (Indian Institute of Technology, Bombay), વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ (Veermata Jijabai Technological Institute)અને યુનિવર્સિટી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (University Institute of Chemical Technology), તેમજ એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી (SNDT Women's University) સહીતની અન્ય યુનિવર્સિટીઓ મુંબઈમાં આવેલી છે. મુંબઈમાં જમનાલાલ બજાજ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ(જેબીઆઈએમએસ) (Jamnalal Bajaj Institute of Management Studies (JBIMS)), “સિડેનહામ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, રીસર્ચ એન્ડ ઑન્ટ્રપ્રનિયર્સશીપ એજ્યુકેશન“ (Sydenham Institute of Management Studies, Research and Entrepreneurship Education), એસઆઈએમએસઆરઈઈ (SIMSREE), એસ. પી. જૈન (S.P.Jain). તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સ્ટડીઝ (Tata Institute of Social Studies)(ટીઆઈએસએસ) અને અન્ય મેનેજમેન્ટ સ્કુલો આવેલી છે. ભારતની જૂનામાં જૂની લો સ્કુલ,સરકારી લો કોલેજ (Government Law College), અને એશિયાની પહેલી વાણિજ્ય કોલેજ સિડેનહામ કોલેજ (Sydenham College) પણ મુંબઈમાં આવેલી છે. મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ (Sir J. J. School of Art)શિલ્પ અને કળામાં વિવિધ ડીગ્રીઓ ઓફર કરે છે. મુંબઈમાં ભારતની ટોચની બે સંશોધન સંસ્થાઓ આવેલી છે. ધ ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટ રિસર્ચ (ટીઆઈએફઆર (TIFR))અને ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર(બીએઆરસી (BARC)).બીએઆરસી 40 મેગા વોટ પરમાણુ સંશોધન રિએક્ટર સાઈરસ (CIRUS) ચલાવે છે, જે ટ્રોમબે (Trombay) ખાતે આવેલું છે. રમત ગમત thumb|બ્રેબ્રોન સ્ટેડીયમ શહેરમાં આવેલું જુનામાં જૂનું સ્ટેડીયમ છે. મુંબઈમાં (અને દેશમાં) સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. ક્રિકેટ રમતા લોકોની સરખામણીમાં સ્ટેડિયમની ઓછી સંખ્યાને કારણે ક્રિકેટનું રૂપાંતરિત સ્વરૂપ (modified versions of cricket)(જેને મોટભાગે ગલી ક્રિકેટ કહેવાય છે) જેમાં વિવિધ પ્રકારના નિયમો હોય છે તે ગમે ત્યાં રમી શકાય છે જેમ કે પાર્કીગ લોટ, બગીચા કે પછી ચાલીઓમાં. મુંબઈમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (Board of Control for Cricket in India)(બીસીસીઆઈ)નું વડું મથક આવેલું છે. ભારતની સૌથી વધુ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફી રણજી ટ્રોફી (Ranji Trophy)માં મુંબઈ ક્રિકેટ ટીમ (Mumbai cricket team)મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઈ ટીમ સૌથી વધુ સફળતા મેળવનાર ટીમ પણ છે. આ ઉપરાંત, ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને ઈન્ડિયન ક્રિકેટ લીગ (Indian Cricket League)માં મુંબઈ ચેમ્પસ (Mumbai Champs)ની ટીમો મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનો આવેલા છે. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) અનેબ્રેબ્રોન સ્ટેડીયમ (Brabourne Stadium).વાનખેડે સ્ટેડીયમ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ (2011 Cricket World Cup)ની યજમાની મેળવવાનું છે. હાલમાં વર્લ્ડ કપના આયોજનને લઈને સ્ટેડિયમનું વિસ્તૃતિકરણ અને રીનોવેશન થાય છે.મુંબઈમાંથી જે પ્રતિષ્ઠિત ક્રિકેટરો થયા છે તેમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), સૂનિલ ગવાસ્કર (Sunil Gavaskar), અને સંદીપ પાટીલ (Sandip Patil)નો સમાવેશ થાય છે. શહેરમાં ફૂટબોલ બીજી લોકપ્રિય રમત છે. મુંબઈમાં ટેલિવિઝન પર સૌથી વધુ જોવાયેલી ઈવેન્ટમાં ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup)નો સમાવેશ થાય છે. ભારતની રાષ્ટ્રીય રમત ફિલ્ડ હોકી (field hockey) ક્રિકેટની સરખામણીમાં તેની મહત્તા ખઈ બેસી છે. પ્રિમિયર હોકી લીગ(પીએચએલ) (Premier Hockey League (PHL))માં જે થોડી ટીમો ભાગ લઈ રહેલી છે તેમાંથી મહારાષ્ટ્ર તરફથી મુંબઈ સ્થિત મરાઠા વોરિયર્સ (Maratha Warriors)ભાગ લે છે. મુંબઈમાં ચેસ પણ ઘણી લોકપ્રિય રમત છે. મુંબઈમાં અન્ય રમતો રમાય છે તેમાં ટેનિસ, સ્કવોશ, બિલિયર્ડ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ગોલ્ફનો સમાવેશ થાય છે. બહૂ ઓછા ભારતીય શહેરોમાં રમાતી રગ્બી યુનિયન (Rugby union) પણ મુંબઈમાં રમાય છે. દર વર્ષે ફ્રેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalaxmi Racecourse) ખાતે ડર્બી (Derby) રેસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ ફોર્મુલા વન (Formula 1) રેસિંગ લોકપ્રિય બની છે. અનેફોર્સ ઇન્ડિયા (Force India)નામની એફવન ટીમ પણ મુંબઈમાં 2008માં રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2004માં, એફવન પાવરબોટ વર્લ્ડ ચેમ્પિયનશીપ (F1 powerboat world championship)અંતર્ગત મુંબઈ ગ્રાન્ડ પ્રીક્સનું આયોજન કરવામાં આવ્યું છે. વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો પણ શાળાઓ અને કોલેજોમાં લોકપ્રિય છે. 2004માં રમતો પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય તે માટે મુંબઈ મેરેથોન (Mumbai Marathon)નું આયોજન કરવામાં આવ્યં હતું. 2006થી, એટીપી ટુર (ATP Tour)ની આંતરરાષ્ટ્રીય સિરિઝ (International Series)ની ટુર્નામેન્ટ કિંગફિશર એરલાઈન્સ ટેનિસ ઓપન (Kingfisher Airlines Tennis Open)નું મુંબઈમાં આયોજન થાય છે. ફ્રેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં આવેલી ટર્ફ ક્લબ (Turf club)માં મેકડોવેલ (Mcdowell's) ડર્બીનું આયોજન થાય છે. સંદર્ભ પૂરક વાચન અગ્રવાલ, જગદીશબોમ્બે — મુંબઈ: અ પિક્ચર બૂક (૧૯૯૮)— વિલ્કો પબ્લિશિંગ હાઉસ, ISBN 81-87288-35-3. ચૌધરી, કે.કે.; મુંબઈનો ઇતિહાસ (૧૯૮૭) — મોડર્ન પિરિયડ ગેઝેટીયર્સ વિભાગ, મહારાષ્ટ્ર સરકાર બેહરામ કોન્ટ્રાક્ટર ફ્રોમ બોમ્બે ટૂ મુંબઈ (૧૯૯૮) ઓરિયાના બૂક દ્વીવેદી, શારદા અને મેહરોત્રા, રાહુલ બોમ્બે,ધ સીટીઝ વિથઈન (૧૯૯૫) — ઈન્ડિયન બૂક હાઉસ પ્રા.લીમિટેડ. ISBN 81-85028-80-X. ફોક્સ, એડમન્ટ એ; શોર્ટ હિસ્ટ્રી ઓફ બોમ્બે પ્રેસિડેન્સી (૧૮૮૮૭);— ઠાકેર એન્ડ કું — ISBN નહીં. ઈમ્પરિયલ ગેઝેટીયર્સ ઓફ ઇન્ડિયા, વોલ, સાત, બેહરામપૂર ટૂ બોમ્બે.ક્લેરેડોન પ્રેસ ખાતે આવેલો ઓક્સફોર્ડ 1908. 421 પુષ્ઠ અરૂણ કટિયાર એન્ડ ભોજાણી, નમાસ; બોમ્બે, અ કન્ટેમ્પરરી એકાઉન્ટ (1996) — હાર્પર કોલિન્સ ISBN 81-7223-216-0. મેકલેન, જેમ્સ મેકેન્ઝી; અ ગાઈડ ટુ બોમ્બે (૧૮૭૫ & ૧૯૦૨) — વિવિધ આવૃતિઓ; ISBN નહીં. મેપલ્સ— સેટેલાઈટ બેઝ કોમ્પ્રેહેન્સિવ મેપ્સ ઓફ મુંબઈ (૧૯૯૯) — સીઈ ઈન્ફો સિસ્ટમ લીમિટેડ ISBN 81-901108-0-2. અવર ગ્રેટર બોમ્બે (૧૯૯૦) — મહારાષ્ટ્ર સ્ટેટ બ્યુરો ઓફ ટેક્સબૂક પ્રોડક્શન એન્ડ ક્યુરીક્યુલમ રીસર્ચ સુકેતુ મહેતા; મેક્સિમમ સીટી: બોમ્બે લોસ્ટ એન્ડ ફાઉન્ડ (૨૦૦૪) — ક્નોફ ISBN 0-375-40372-8. પટેલ, સુજાતા અને થોરમોર. એલિસ; બોમ્બે મેટાફોર ફોર મો઼ડર્ન ઇન્ડિયા (૧૯૯૫) — ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (Oxford University Press), ISBN 0-19-563688-0. ધ ઓક્સફોર્ડ સ્કુલ એટલાસ; 28મી સુધારેલી આવૃતિ (૧૯૯૧) — ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ISBN 0-19-563316-4. ટીનડાલ, ગિલિયન, સીટી ઓફ ગોલ્ડ(૧૯૯૨)- પેન્ગવિન, ISBN 0-14-009500-4, વિરાણી, પિન્કી; વન્સ વોઝ બોમ્બે (૧૯૯૯) — વાઈકિંગ, ISBN 0-670-88869-9. શારદા દ્વિવેદી,ગોડેસ આઈલેન્ડ ઈન્ડિયન એક્સપ્રેસ, ૬ જૂન ૨૦૦૫. બાહ્ય કડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈની સત્તાવાર વેબસાઈટ સત્તાવાર શહેર અહેવાલ શ્રેણી:મુંબઈ
હુર્રિયત પરિષદ
https://gu.wikipedia.org/wiki/હુર્રિયત_પરિષદ
હુર્રિયત પરિષદ (સ્થાપના માર્ચ ૯, ૧૯૯૩) ૨૬ કાશ્મીરી એકમોનો સમૂહ છે. તે કાશ્મીરમાં આવેલી સામાજીક અને ધાર્મિક સંસ્થા છે જે કાશ્મીરને ભારતથી અલગ રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નશીલ છે. હુર્રિયત પરિષદને પાકિસ્તાનનો ટેકો છે. Category:રાજનીતિ
કાશ્મીર
https://gu.wikipedia.org/wiki/કાશ્મીર
આ લેખ કાશ્મીર ખીણ વિશે છે. આ રાજયનો લેખ જોવા માટે અહીં જુઓ: જમ્મૂ અને કાશ્મીર. thumb|રાજકીય નકશો: કાશ્મીર ખીણ અને પીર પંજલ પર્વત શ્રેણી સાથે thumb|પહેલગામ ખીણ, કાશ્મીર thumb|કાશ્મીરમાં નંગા પરબત, પૃથ્વી પરનો નવમો સૌથી ઊંચો પર્વત. કાશ્મીર (કાશ્મીરી: કોશૂર) ભારતીય ઉપખંડનો એક ભાગ છે જેના ભાગોં પર ભારત નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ તેને પોતાનુ બનાવી લેવા માગે છે. કાશ્મીર એક મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે. આજે તે આતંકવાદ નું મુખ્ય કેન્દ્ર છે. તેની મુખ્ય ભાષા કાશ્મીરી છે. જમ્મુ અને કાશ્મીર ના બાકી બે ખંડ છે જમ્મૂ અને કાશ્મીર ખીણ. પાકિસ્તાન શાસિત રાજ્યના બે બીજા ખંડ છે: શુમાલી પ્રદેશ અને કહેવાતુ આઝાદ કાશ્મીર. ચીનના શાસન નીચે લદાખનો અક્સાઈ ચીન પ્રદેશ આવે છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેનો કુદરતી સૌંદર્ય માટે દુનિયાભર માં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે. ભૂગોળ આ સુંદર ભૂભાગ મુખ્યત્વે ઝેલમ નદીના ઘાટીમાં આવેલો છે. ભારતીય કાશ્મીર ઘાટીમાં ૬ જિલ્લા છે: શ્રીનગર, બડગામ, અનંતનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડા કાશ્મીર હિમાલયના પર્વતીય ક્ષેત્રનો ભાગ છે. જમ્મુ ખંડથી અને પાકિસ્તાનથી તેને પીર-પાંજાલ પર્વત-શ્રેણી અલગ કરે છે. અહીં ઘણા સુંદર સરોવર છે, જેમ કે ડલ/દાલ, વુલર અને નગીન. અહીંનુ હવામાન ગરમીમાં ખુશનૂમા અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. આ પ્રદેશને ધરતીનુ સ્વર્ગ કહેવાય છે. એક નહીં કેટલાય કવિઓએ વારંવાર કહયુ છે કે: ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત. જો આ જમીન પર ક્યાંક સ્વર્ગ છે, (તો પછી) અહિં છે, અહિં છે. શ્રીનગર જમ્મૂ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની છે. આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા -- જેમકે દાલ સરોવર, શાલિમાર અને નિશાત બાઘ, ગુલમર્ગ, પહલગ઼ામ, ચશ્માશાહી, આદિ. અહી હિન્દી સિનેમા ની ઘણી ફ઼િલ્મોં નુ શૂટિંગ થતું હતું. એવુ માનવામાં આવેછે કે શ્રીનગરની હજરત બાલ મસ્જિદમાં હજરત મુહમ્મદ ની દાઢીનો એક વાળ રાખવામાં આવ્યો છે . શ્રીનગર માં શંકરાચાર્ય પર્વત છે. જ્યાં હિંદુ ધર્મસુધારક અને અદ્વૈત વેદાંત ના પ્રતિપાદક આદિ શંકરાચાર્ય સર્વજ્ઞાનપીઠ ના આસન પર વિરાજમાન થયા હતા. દાલ સરોવર અને ઝેલમ નદી (સંસ્કૃત : વિતસ્તા, કશ્મીરી : વ્યથ) માં પરીવહન માટે, ફરવા તેમજ ખરીદારી કરવા માટે શિકારા નામની ખાસ હોડીઓ વપરાય છે. કમળ ના ફૂલોથી સુશોભીત આ દાલ સરોવર પર હોડીઓમાં બનાવેલા ખાસ ઘર હોય છે જે હાઉસબોટ કહેવાય છે. ઇતિહાસકાર માને છે કે શ્રીનગરને મૌર્ય સમ્રાટ અશોક દ્વારા વસાવાયુ હતુ. શ્રીનગર થી નજીક મા એક પ્રાચિન માર્તણ્ડ (સૂર્ય) મંદિર છે.અને કુઔર અનેર અનંતનાગ જ઼િલ્લામાં શિવને સમર્પીત અમરનાથની ગુફા છે. જ્યાં હજારો તીથયાત્રીઓ જાયછે. શ્રીનગર થી ૩૦ કિલોમીટર દૂર મુસ્લિમ સૂફ઼ી સંત શેખ઼ નૂરુદ્દિન વલી ની દરગાહ ચરાર-એ-શરીફ઼ છે. જેને કેટલાક વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદિયોં એ સળગાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ તેનુ સમારકામ કરવામાં આવ્યુ છે. thumb|957x957px|કશ્મીરની ઝેલમ ઘાટીનુ એક દ્રશ્ય|center ઇતિહાસ thumb|માર્ટાંડમાં આવેલું સૂર્ય મંદિર, ૧૮૬૮માં. thumb|અનંતનાગ, જમ્મુ અને કાશ્મીરમાં સૂર્ય મંદિર. thumb|left|બારમુલ્લા નજીક એક બુદ્ધ સ્તૂપ પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવ ની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો તથા મોટાભાગનુ પાણી ઝેલમ નદી ના રસ્તે વહાવી દીધુ હતુ. આ પ્રમાણે આ જગ્યા નુ નામ સતીસર થી કાશ્મીર પડ્યુ. આના થી તર્કસંગત પ્રસંગ એ પણ છે કે આનું વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કાચબાનુ સરોવર) હતુ. આથી કાશ્મીર નામ પડ્યુ. કાશ્મીર નો સરસ પ્રાચીન ઇતિહાસ કલ્હણ (અને ત્યાર બાદ ના અન્ય લેખકોં) ના ગ્રંથ રાજતરંગિણી થી મળેછે. પ્રાચીન કાળમા અહીં હિંદુ આર્ય રાજાઓં નુ રાજ હતુ. મૌર્ય સમ્રાટ અશોક અને કુષાણ સમ્રાટ કનિષ્ક ના સમયમાં કાશ્મીર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ નુ મુખ્ય કેન્દ્ર બની ગયુ. પૂર્વ-મધ્યયુગ મા અહીંના ચક્રવર્તી સમ્રાટ લલિતાદિત્ય એ એક વિશાલ સામ્રાજ્ય કાયમ કરી લીધુ હતુ. કાશ્મીર સંસ્કૃત વિદ્યા નુ વિખ્યાત કેન્દ્ર હતુ.સુભાષ કાક, The Wonder That Was Kashmir. In "Kashmir and its People: Studies in the Evolution of Kashmiri Society." M.K. Kaw (ed.), A.P.H., New Delhi, 2004. ISBN 81-7648-537-3. http://www.ece.lsu.edu/kak/wonder.pdf કાશ્મીર શૈવદર્શન પણ અહીં જન્મ્યા અને મોટા થયા. અહીંના મહાન મનીષીયોં માં પતઞ્જલિ, દૃઢબલ, વસુગુપ્ત, આનન્દવર્ધન, અભિનવગુપ્ત, કલ્હણ, ક્ષેમરાજ વગેરે છે. એવી ધારણા છે કે વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા યોગ વાસિષ્ઠ અહીં લખાયેલ. મધ્યયુગ માં મુસ્લિમ હુમલાખોર કાશ્મીર પર હાવી થઇ ગયા. કેટલાક મુસલમાન શાહ અને રાજ્યપાલ (જેવાકે શાહ જ઼ૈન-ઉલ-અબિદીન) હિન્દુઓ સાથે સારો વ્યવહાર કરતા હતા. પરંતુ કેટલાક (જેવાકે સુલ્તાન સિકંદર બુતશિકન) એ અહીંના મૂળ કાશ્મીરી હિન્દુઓં ને મુસલમાન બનવા, અથવા રાજ્ય છોડવા કે મરવા માટે મજબૂર કરી દીધા. થોડીક સદીઓમા કાશ્મીર ઘાટીમા મુસ્લિમ બહુમત થઇ ગયુ. મુસલમાન શાહોમા વારંવાર તે અફઘાન, કાશ્મીરી મુસલમાન, મુઘલ આદિ વંશો પાસે ગયુ. મુઘલ સલ્તનતના પતન પછી શીખ મહારાજા રણજીત સિંહ ના રાજ્યમાં ભળી થઇ ગયા. થોડા સમય બાદ જમ્મુના હિંદુ ડોગરા રાજા ગુલાબ સિંહ ડોગરા એ બ્રિટિશ લોકો સાથે સંધિ કરીને જમ્મુની સાથે સાથે કાશ્મીર પર પણ અધિકાર કરી લીધો. કાશ્મીરી લોકો thumb|કાશ્મીરી મુસલમાન દરજી કુટુંબ ભારતની આઝાદીના સમયે કાશ્મીરી ઘાટીમા લગભગ ૧૫% લોકો હિંદુ હતા અને બાકી ના મુસલમાન હતા. આતંકવાદ શરુ થયા પછી હાલમા કાશ્મીર માં ફક્ત ૪% હિંદુ હયાત છે, એટલેકે ઘાટીમા ૯૬% મુસ્લિમ બહુમત છે. સંસ્કૃતિ અહીંની સૂફી પરંપરા ખુબ વિખ્યાત છે. જે કાશ્મીરી ઇસ્લામ ને પરંપરાગ શિયા અને સુન્ની થી થોડુ અલગ અને હિંદુઓ પ્રતિ સહિષ્ણુ બનાવે છે. કશ્મીરી હિન્દુઓં ને કશ્મીરી પંડિત બ્રાહ્મણ કહેવાય છે. દરેક કશ્મીરિયોં ને કશ્મીર ની સંસ્કૃતિ, જેમકે કશ્મીરિયત પર ખુબજ ગર્વ છે. વાદી-એ-કશ્મીર પોતાના ચિનાર ના વ્રુક્ષો, કશ્મીરી સફરજન, કેસર (જ઼ાફ઼રાન, જેને સંસ્કૃત માં કાશ્મીરમ્ પણ કહેવાય છે), પશ્ચિમના ઊન અને શૉલોં પર કરેલ કારીગરી, ગલીચોં અને દેસી ચાય (કાઢો) માટે દુનિયા ભર માં મશહૂર છે. અહીંના સંતૂર પણ ખુબજ પ્રસિદ્ધ છે. આતંકવાદ થી ખરેખર આબધા ની અને કશ્મીરિયોં ની સુખ શાંતિ છિનવાઇ ગઇ છે. કશ્મીરી વ્યંજન ભારતભરમા ખુબજ લિજ્જ્તદાર મનાય છે. નોંધ લેવા જેવુ છેકે કે મોટાભાગના કશ્મીરી પંડિત માંસ ખાય છે. કશ્મીરી પંડિતોંના માંસાહારી વ્યંજન જેવાકે નેની (બકરાના માંસનુ) ક઼લિયા, નેની રોગ઼ન જોશ, નેની યખ઼િયન (યખ઼ની), મચ્છ (મછલી), વગેરે. કશ્મીરી પંડિતોંના શાકાહારી વ્યંજન જેવાકે ચમની ક઼લિયા, વેથ ચમન, દમ ઓલુવ (આલૂ દમ), રાજ઼્મા ગોઆગ્જી, ચોએક વંગન (બૈંગન) વગેરે. કશ્મીરી મુસલમાનોંના (માંસાહારી) વ્યંજન જેવાકે વિવિધ જાતના કબાબ અને કોફ્તા, રિશ્તાબા, ગોશ્તાબા, વગેરે. પરંપરાગત કશ્મીરી દાવત ને વાજ઼વાન કહેવાય છે. એવુ કહેવાય છે કે દરેક કશ્મીરી ની ઇચ્છા હોય છે કે જીવનમા ઓછામા ઓછુ ,એક વખત, પોતાન મિત્રો માટે તેઓ વાજ઼વાન પરોસે. બધુમળીને કહીએ તો કશ્મીર હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિઓનું અનોખુ મિશ્રણ છે. વિવાદ ભારતની સ્વતંત્રતા ના સમયે હિંદુ રાજા હરિસિંહ અહિંના શાસક હતા. શેખ અબ્દુલ્લા ના નેતૃત્વમાંં મુસ્લિમ કોન્ફરન્સ (ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ) એ સમયે કશ્મીર ની મુખ્ય રાજનૈતિક પાર્ટી હતી. કશ્મીરી પંડિત, શેખ઼ અબ્દુલ્લા અને રાજ્ય ના વધુ મુસ્લિમો કશ્મીર નો ભારતમાંં જ વિલય થાય તેમ ઇચ્છતા હતા પણ પાકિસ્તાનથી તે સહન ના થયુંં કે કોઈ મુસ્લિમ-બહુમત પ્રાન્ત ભારતમાંં રહે (આનાથી એમના બે-રાષ્ટ્રના સિદ્ધાન્તને ઠેસ પહોંંચતી હતી) જેથી 1947-48 માં પાકિસ્તાનેે કબીલાઓ અને તેમની પોતાની સેના પાસે કશ્મીરમાં આક્રમણ કરાવડાયું અને ઘણો વિસ્તાર કબ્જે કરી લીધો. તે સમયના વડાપ્રધાનજવાહરલાલ નેહરુએ મોહમ્મદ અલી જિન્નાને આવિવાદ નો જનમત-સંગ્રહ થી દુર કરવા નો પ્રસ્તાવ કર્યો, જેને જિન્નાએ એ વખતે ઠુકરાવી દીધો કેમકે તેમને પોતાની સૈનિક કાર્યવાહી પર પુરો ભરોસો હતો. મહારાજા એ શેખ઼ અબ્દુલ્લા સાથે સહમતિથી ભારતમાં અમુક શરતો સાથે કાશ્મીર નો વીલય કરી દીધો. એથી ભારતિય સેનાએ રાજ્યનો ઘણો વિસ્તાર બચાવી લીધો. અને આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ ગયા. તો સંયુક્તરાષ્ટ્ર મહાસભાએ બે સંકલ્પ પારિત કર્યા : પાકિસ્તાન તુરંત પોતાની સેના તેના કબજા હેઠળનો હિસ્સો ખાલી કરે. શાંતિ સ્થપાય તે બાદ બંન્ને દેશો કશ્મીરના ભવિષ્યનું નિર્ધારણ ત્યાંની જનતાની મરજી પ્રમાણે કરે. (ત્યારબાદ કહેવામાં આવ્યુ કે જનમત-સંગ્રહથી). પાકિસ્તાનની પ્રવૃતિઓને કારણે આ સંકલ્પને હાલ સુધીમાં લાગુ નથી કરી શકાયો. ભારતીય પક્ષ જમ્મૂ-કશ્મીર ની લોકતાંત્રિક નિર્વાચિત સંવિધાન-સભા એ 1957 માં એકમત થઇ જમ્મુ કાશ્મીર ના ભારત મા વિલય ને મંજૂરી આપી. ભારત પાકિસ્તાનના બે-રાષ્ટ્ર સિદ્ધાંતમાં માનતું નથી. કેમ કે ભારત સ્વયં ધર્મનિરપેક્ષ છે. કાશ્મીરનો ભારત માં વિલય બ્રિટિશ "ભારતીય સ્વાતન્ત્ર્ય અધિનિયમ" હેઠળ યોગ્ય હતો. લગભગ બધા કશ્મીરી પંડિતોને આતંકવાદીઓ એ ખીણની બાહર ધકેલી દીધા છે અને તેઓ શરણાર્થી શિબીરમાં રહે છે. આજે પણ ભારત દ્રઢપણે POKને ભારતનો જ ભાગ માને છે. આતંકવાદ જે પણ હોય, કાશ્મીરી જનતા આજે પણ પાકિસ્તાન દ્વારા ચલાવી રહેલ ભયાનક આતંકવાદ સામે ઝઝુમી રહી છે. કશ્મીર ઘાટી માં વધતો આતંકવાદ પાકિસ્તાન પ્રેરીત છે. તે અહી ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નું કામ કરે છે. આ પણ જુઓ પંજાબ સંદર્ભ સ્ત્રોત કશ્મીરી પંડિતોની વેબસાઈટ શ્રેણી:જમ્મુ અને કાશ્મીર શ્રેણી:રાજનીતિ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
૧૯૯૩
https://gu.wikipedia.org/wiki/૧૯૯૩
ઘટનાઓ જાન્યુઆરી ૧ - ચૅકોસ્લોવાકિયાનું વિભાજન થયું. સ્વતંત્ર સ્લોવાકિયા અને ચૅક રિપબ્લિક સ્થાપવામાં આવ્યા. જાન્યુઆરી ૩ - મોસ્કોમાં જોર્જ એચ ડબલ્યુ બુશ અને બોરિસ યેલ્ટસિન એ સ્ટાર્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા. જાન્યુઆરી ૫ - અમેરીકામાં વોશિંગ્ટન રાજ્ય એ વેસ્ટલી એલન ડોડને ફાંસીની સજા આપી. (૨૮ વરસમાં પેહલી વાર અમેરીકામાં કોઈને ફાંસીની સજા) મૃત્યુ શ્રેણી:ઇતિહાસ
પાકિસ્તાન
https://gu.wikipedia.org/wiki/પાકિસ્તાન
પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી, સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને લાહોર છે. આ પણ જુઓ ઇસ્લામાબાદ લાહોર કરાચી શ્રેણી:પાકિસ્તાન
લોક સભા
https://gu.wikipedia.org/wiki/લોક_સભા
લોકસભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે. લાયકાત લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તે ભારતીય નાગરિક હોવો જોઇએ. તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઇએ. તેના પર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઇએ. તે કેન્દ્ર કે રાજ્યસરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ. રાજ્યવાર બેઠકોની સંખ્યા વિભાગપ્રકારબેઠકોઅંદામાન અને નિકોબારકેન્દ્રશાસિત પ્રદેશ ૧આંધ્ર પ્રદેશરાજ્ય ૨૫ અરુણાચલ પ્રદેશરાજ્ય ૨આસામરાજ્ય ૧૪બિહારરાજ્ય ૪૦ચંડીગઢકેન્દ્ર શાસિત પ્રદેશ ૧છત્તીસગઢરાજ્ય ૧૧દાદરા અને નગરહવેલીકેન્દ્રશાસિત પ્રદેશ ૧દમણ અને દીવકેન્દ્રશાસિત પ્રદેશ ૧દિલ્હીકેન્દ્રશાસિત પ્રદેશ ૭ગોઆરાજ્ય ૨ગુજરાતરાજ્ય ૨૬હરિયાણારાજ્ય ૧૦હિમાચલ પ્રદેશરાજ્ય ૪જમ્મુ અને કાશ્મીરકેન્દ્રશાસિત પ્રદેશ ૬ઝારખંડરાજ્ય ૧૪કર્ણાટકરાજ્ય ૨૮કેરળરાજ્ય ૨૦લક્ષદ્વીપકેન્દ્રશાસિત પ્રદેશ ૧લડાખકેન્દ્રશાસિત પ્રદેશ ૪મધ્ય પ્રદેશરાજ્ય ૨૯મહારાષ્ટ્રરાજ્ય ૪૮મણિપુરરાજ્ય ૨મેઘાલયરાજ્ય ૨મિઝોરમરાજ્ય ૧નાગાલેંડરાજ્ય ૧ઑડિશારાજ્ય ૨૧પૉંડિચેરીકેન્દ્રશાસિત પ્રદેશ ૧પંજાબરાજ્ય ૧૩રાજસ્થાનરાજ્ય ૨૫સિક્કિમરાજ્ય ૧તમિલ નાડુરાજ્ય ૩૯તેલંગાણારાજ્ય ૧૭ત્રિપુરારાજ્ય ૨ઉત્તરાખંડરાજ્ય ૫ઉત્તર પ્રદેશરાજ્ય ૮૦પશ્ચિમ બંગાળરાજ્ય ૪૨ આ પણ જુઓ રાજ્ય સભા સંદર્ભ શ્રેણી:ભારતની સંસદ શ્રેણી:રાજનીતિ
કરોડ
https://gu.wikipedia.org/wiki/કરોડ
કરોડ () એ ગણતરીની પારંપરિક પદ્ધતિમાં એક એકમ છે જે ભારતમાં વપરાય છે. ૧ કરોડ (૧,૦૦,૦૦,૦૦૦) બરાબર ૧૦૦ લાખ અથવા ૧૦ મિલિયન થાય છે. વૈજ્ઞાનિક ગણતરીમાં કરોડ ૧૦૭ તરીકે લખાય છે. સંદર્ભ Category:અંકગણિત
કોંગ્રેસ
https://gu.wikipedia.org/wiki/કોંગ્રેસ
કોંગ્રેસ એક અંગ્રેજી શબ્દ છે, જેનો અર્થ થાય છે લોકોની કે પ્રતિનિધિઓની સભા/મહાસભા. કોંગ્રેશનલ પદ્ધતિ ની સરકાર હોય એવા દેશો માં મુખ્ય કાનૂન બનાવનારી સંસ્થા ને કોંગ્રેસ કહેવાય છે. આવી કોંગ્રેસ નિમ્નલિખીત દેશોમાં છે: અમેરીકી કોંગ્રેસ અમેરીકી સરકાર ની કાનૂન બનાવનારી સંસ્થા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ એ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયનામાં સર્વોચ્ચ કાનૂન બનાવનારી સંસ્થા છે. નેશનલ કોંગ્રેસ ઓફ બ્રાઝીલ (પોર્ટુગીઝ: Congresso Nacional) એ બ્રાઝીલ ની કાનૂન બનાવનારી સંસ્થા છે. કોંગ્રેસ શબ્દ ઘણા રાજનૈતિક દળોનાં નામમાં આવે છે: ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દક્ષિણ આફ્રિકા માં આફ્રીકી રાષ્ટ્રીય કોંગ્રેસ મલેશિયામાં મલેશિયન ઇંડિયન કોંગ્રેસ કોંગ્રેસ શબ્દ ઘણા રાષ્ટ્રવાદી લોકોના ઐતિહાસિક જમાવડાઓ માટે પણ વપરાવામાં આવ્યો છે: યુનાઇટેડ સ્ટેટ્સ કોંટિનેંટલ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે ભારતની આઝાદી પછી અક રાજનૈતિક દળ બની ગઈ. ઇરાકી રાષ્ટ્રીય કોંગ્રેસ Category:રાજનીતિ
દયારામ
https://gu.wikipedia.org/wiki/દયારામ
thumb|કવિ દયારામ દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે. જીવન દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા. તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા. વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા. કૃતિઓ દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે. તેમની કેટલીક જાણીતી કૃતિઓ: શ્યામ રંગ સમીપે ન જાઉં હવે સખી નહીં બોલું, ઓ વ્રજનારી! પૂરક વાચન આ પણ જુઓ રસિકવલ્લભ સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સંગીત ભુવન ટ્રસ્ટ - દયારામ શ્રેણી:ધાર્મિક સાહિત્યકાર શ્રેણી:વ્યક્તિત્વ
માર્ક ટ્વેઇન
https://gu.wikipedia.org/wiki/માર્ક_ટ્વેઇન
માર્ક ટ્વેઇન ઉપનામ વડે લેખન કાર્ય કરતા સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેંસ (૩૦ નવેમ્બર ૧૮૩૫ – ૨૧ એપ્રિલ ૧૯૧૦) એક પ્રસિદ્ધ અને લોકપ્રિય અમેરિકન લેખક હતા. thumb|માર્ક ટ્વેઇન (1909) શ્રેણી:અંગ્રેજી સાહિત્યકાર શ્રેણી:વ્યક્તિત્વ
માર્ક ટ્વૈન
https://gu.wikipedia.org/wiki/માર્ક_ટ્વૈન
REDIRECT માર્ક ટ્વેઇન
લાહોર
https://gu.wikipedia.org/wiki/લાહોર
thumb|લાહોર શહેરનો એક નજારો લાહોર (પંજાબી ભાષા: لہور, ઉર્દૂ ભાષા: لاہور) પાકિસ્તાન દેશમાં આવેલું બીજું સૌથી મોટું શહેર છે (કરાચી પછી). પાકિસ્તાન-ભારતની સીમા નજીકનું આ શહેર પંજાબનું મુખ્ય મથક છે. લાહોર ઐતિહાસિક પંજાબ ક્ષેત્રનું અહમ સંસ્કૃતિક કેંદ્ર છેLahore Cantonment, globalsecurity.org અને આ દુનિયામાં સૌથી મોટું પંજાબી શહેર છે. લાહોર પર હિંદુ શાહીઓ, ગઝનાવીઓ, ઘુરિદો અને દિલ્હી સલ્તનતનું શાસન રહ્યું હતું. મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લાહોર પોતાના ચરમ પર હતું જ્યારે લાહોર પાંચ સાલ સુધી મુઘલ સામ્રાજ્યની રાજધાની હતી. બાદમાં આ રણજીતસિંહના શીખ સામ્રાજ્યની રાજધાની હતી. લાહોર પાકિસ્તાનના સૌથી ઉદાર અને સર્વદેશી શહેરોમાંનું એક છે. પાકિસ્તાન દેશની સંસ્કૃતિ પર તેની ઘણી અસર દેખાય છે. લાહોર પાકિસ્તાનનું પ્રકાશન ઉદ્યોગ અને સાહિત્યિક દ્રશ્યનું કેન્દ્ર છે, આની સાથે આ પાકિસ્તાનનું તાલીમી કેન્દ્ર પણ છે. ઇતિહાસ દંતકથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે લાહોર શહેરની સ્થાપના શ્રી રામના પુત્ર લવ એ કરી હતી. લાહોરનો કિલ્લોમાં લવનું એક નાનું મંદિર આવેલું છે. બાહ્ય કડીઓ લાહોર શહેરની સરકારની વેબસાઇટ (અંગ્રેજી માં) લાહોરનાં જોવાલાયક સ્થળો લાહોરનો ઇતિહાસ અને અન્ય માહિતી લાહોર ટપાલ ખાતા માહિતી શ્રેણી:પાકિસ્તાન
ઢાકા
https://gu.wikipedia.org/wiki/ઢાકા
thumb|300px|right ઢાકા () (જનસંખ્યા ૯,૦૦૦,૦૨૨ (૨૦૦૧)), બાંગ્લાદેશની રાજધાની છે. રાજધાની હોવા ઉપરાંત ઢાકા બાંગ્લાદેશનું ઔદ્યોગિક અને પ્રશાસકીય કેન્દ્ર પણ છે. અહિયાં ચોખા, શેરડી અને ચાનો વેપાર થાય છે. ઢાકાનો ઇતિહાસ ઓછામાં ઓછો ૧૦૦૦ વર્ષનો છે. શ્રેણી:એશીયામાં આવેલા દેશોની રાજધાનીઓ શ્રેણી:બાંગ્લાદેશ
વર્જિન એટલાંટિક
https://gu.wikipedia.org/wiki/વર્જિન_એટલાંટિક
300px|thumb|right|"વર્જિન એટલાંટિક ઐરવેજ લિમિટેડનું કાર્યાલય" વર્જિન એટલાંટિક ઐરવેઝ લિમિટેડ, સામાન્ય રીતે વર્જિન એટલાંટિક એક હવાઇ સેવા છે જે યુનાયટેડ કિંગડમ થી અંતર્મહાદ્વીપ ઉડાનો ચલાવે છે. બાહ્ય કડીઓ વર્જિન એટલાંટિક ઐરવેઝની વેબસાઇટ (અંગ્રેજી ભાષા) શ્રેણી:ઉદ્યોગ
પ્રિતજ્ઞા પત્ર
https://gu.wikipedia.org/wiki/પ્રિતજ્ઞા_પત્ર
REDIRECT રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)
એમ એફ હુસૈન
https://gu.wikipedia.org/wiki/એમ_એફ_હુસૈન
મકબૂલ ફિદા હુસૈન (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૧૫, પંઢરપુર; મૃત્યુ: ૯ જૂન ૨૦૧૧, લંડન, યુ.કે.) એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી તથા માધુરી દીક્ષિત ના ભાવક તરીકે જાણીતા હતા. Category:કલા Category:ચિત્રકાર શ્રેણી:૧૯૧૫માં જન્મ શ્રેણી:૨૦૧૧માં મૃત્યુ
બિહાર
https://gu.wikipedia.org/wiki/બિહાર
બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે. તેનું ક્ષેત્રફળ 94,163 ચો.કિ.મી. છે. બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે. બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે. ઇતિહાસ બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. મૌર્ય સામ્રાજ્ય ના રાજા અશોક પાટલિપુત્રથી શાસન કરતા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નો જન્મ બિહાર માં થયો હતો. પ્રાચીન કાળ પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયું હતું. મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઇસ પૂર્વથી ૧૮૫ ઇસ પૂર્વ સુધી રહ્યું. છઠી અને પાંચમી સદી ઇસ પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ ચીન તથા જાપાન સુધી પહોંચી ગયો. મધ્યકાળ બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં દિલ્હીના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી. આધુનિક કાળ ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબુ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં ઑડિશાને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય આનાથી અલગ કરી દેવામાં આવ્યું. ભૌગોલિક સ્થિતિ ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે. બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે. રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધી રહે છે. એપ્રિલમાં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - ઓગસ્ટમાં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ ઓક્ટોબર માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે. ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે. અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે. બિહાર રાજ્યના જિલ્લાઓ અરરિયા જિલ્લો અરવલ જિલ્લો ઔરંગાબાદ જિલ્લો કટિહાર જિલ્લો કિશનગંજ જિલ્લો ખગડિયા જિલ્લો ગયા જિલ્લો ગોપાલગંજ જિલ્લો છપરા જિલ્લો જમુઈ જિલ્લો જહાનાબાદ જિલ્લો દરભંગા જિલ્લો નવાદા જિલ્લો નાલંદા જિલ્લો પટણા જિલ્લો પશ્ચિમ ચંપારણ જિલ્લો પૂર્ણિયા જિલ્લો પૂર્વ ચંપારણ જિલ્લો બક્સર જિલ્લો બાંકા જિલ્લો બેગૂસરાય જિલ્લો કૈમૂર જિલ્લો ભોજપુર જિલ્લો ભાગલપુર જિલ્લો મધેપુરા જિલ્લો મુંગેર જિલ્લો મુજફ્ફરપુર જિલ્લો મધુબની જિલ્લો રોહતાસ જિલ્લો લખીસરાય જિલ્લો વૈશાલી જિલ્લો સહરસા જિલ્લો સમસ્તીપુર જિલ્લો સીતામઢી જિલ્લો સીવાન જિલ્લો સુપૌલ જિલ્લો શિવહર જિલ્લો શેખપુરા જિલ્લો સંસ્કૃતિ બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી (મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. શિખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયંતી પર ભારે શ્રદ્ધાર્પણ જોવા મળે છે. જાતિવાદ જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું. વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું. જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું. ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે. વિવાહ લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદન સામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં બિસ્મિલ્લાહ ખાનનું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં થયો હતો. ખાનપાન બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે. રમત ગમત ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે. આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી (ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે. આર્થિક સ્થિતિ દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એક બિહારના લોકોનો મુખ્ય આવક સ્ત્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક કિસ્સાઓમાં વૃદ્ધિ થઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જેને સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનું સાધન બની ગયેલ છે. શિક્ષણ એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે. સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મુકેશ
https://gu.wikipedia.org/wiki/મુકેશ
મુકેશ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે.Encyclopedia of Indian Cinema by Ashish Rajadhyaksha and Paul Willemen. Oxford University Press, 1994. , page 169. તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં રજનીગંધા (૧૯૭૩) ફિલ્મનું કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા. પ્રારંભિક જીવન મુકેશનો જન્મ દિલ્હી ખાતે હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેઓ ઇજનેર પિતા જોરાવર ચંદ માથુર અને માતા ચંદ્રાણી માથુરના દસ સંતાનો પૈકી એક (છઠ્ઠા) હતા. તેઓએ તેમની બહેન સુંદર પિયારીના સંગીત શિક્ષક પાસેથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. દસમા ધોરણથી તેઓ અભ્યાસ છોડી પબ્લિક વર્ક્સ વિભાગની નોકરીમાં જોડાયા.આ દરમિયાન જ તેમણે પોતાની ગાયન ક્ષમતા અને સંગીત વાદ્યો પર કૌશલ્ય હસ્તગત કર્યું. કારકિર્દી મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ. અભિનેતા અને નિર્માતા મુકેશે એક અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૪૧માં રજૂ થયેલી ફિલ્મ નિર્દોષથી કરી. આ ફિલ્મમાં નલિની જયવંત મુખ્ય અભિનેત્રી હતાં. તેમની બીજી ફિલ્મ અદબ અર્જ (૧૯૪૩) હતી. ૧૯૫૩માં રાજકપૂરને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ આહમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. આ જ વર્ષે આવેલી ફિલ્મ માશૂકામાં તેમણે મુખ્ય અભિનેતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની મુખ્ય અભિનેત્રી સુરૈયા હતી. ફિલ્મ અનુરાગ (૧૯૫૬) માં તેઓ મુખ્ય અભિનેતા ઉપરાંત સહ નિર્માતા અને સંગીતકાર પણ હતા. ૧૯૫૧માં આવેલી ફિલ્મ મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા.Mukesh. IMDbMovies Of Mukesh. singermukesh.comBlast from the past: Malhar (1951). The Hindu (29 March 2012). Retrieved on 6 November 2018. અંગત જીવન મુકેશના લગ્ન સરલા ત્રિવેદી સાથે થયા હતાં. સરલાના પિતા રાયચંદ ત્રિવેદી આ લગ્નની વિરુદ્ધમાં હતાં. ૨૨ જુલાઇ ૧૯૪૬ના રોજ કાંદિવલી (મુંબઈ)ના એક મંદિરમાં તેઓએ અભિનેતા મોતીલાલના સહયોગથી લગ્ન કરી લીધા હતા. તેમના પરિવારમાં રીટા, નિતિન (ગાયક), નલિની, મોહનીશ અને નમ્રતા એમ પાંચ સંતાનો હતા. અભિનેતા નીલ નિતિન મુકેશ એ તેમનો પૌત્ર છે. અવસાન ૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પુરસ્કાર thumb|મુકેશ- ભારતના જાણીતા ગાયક શ્રેણી પોસ્ટકાર્ડ પર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ૧૯૭૪ – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ રજનીગંધા (૧૯૭૩) ફિલ્મના કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે. ફિલ્મફેર પુરસ્કાર વિજેતા વર્ષ ગીત ફિલ્મ સંગીત નિર્દેશક ગીતકાર ૧૯૫૯ "સબ કુછ સીખા હમને" અનારી શંકર જયકિશન શૈલેન્દ્ર ૧૯૭૦ "સબસે બડા નાદાન" પહેચાન શંકર જયકિશન વર્મા મલિક ૧૯૭૨"જય બોલો બેઈમાન કી"બેઈમાન શંકર જયકિશન વર્મા મલિક ૧૯૭૬"કભી કભી મેરે દિલ મેં" કભી કભી ખય્યામ સાહિર લુધિયાનવી નામાંકન વર્ષ ગીત ફિલ્મ સંગીત નિર્દેશક ગીતકાર ૧૯૬૨ "હોઠોં પે સચ્ચાઈ રહેતી હૈ" જીસ દેશ મેં ગંગા બહેતી હૈ શંકર જયકિશન શૈલેન્દ્ર ૧૯૬૫ "દોસ્ત દોસ્ત ના રહા" સંગમ શંકર જયકિશન શૈલેન્દ્ર ૧૯૬૮ "સાવન કા મહિના" મિલન લક્ષ્મીકાંત પ્યારેલાલ આનંદ બક્ષી ૧૯૭૧ "બસ યેહી અપરાધ" પહેચાન શંકર જયકિશન નીરજ બંગાળ ફિલ્મ જર્નાલીસ્ટ એસોશિએશન એવોર્ડ વિજેતા ૧૯૬૭ – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – તીસરી કસમ30th Annual BFJA Awards. bfjaawards.com 1968 – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – મિલન31st Annual BFJA Awards. bfjaawards.com 1970 – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – સરસ્વતીચંદ્ર33rd Annual BFJA Awards. bfjaawards.com ફિલ્મોગ્રાફી પાર્શ્વગાયન પહલી નજર (૧૯૪૫) મેલા (૧૯૪૮) આગ (૧૯૪૮) અન્દાજ (૧૯૪૯) આવારા (૧૯૫૧) શ્રી ૪૨૦ (૧૯૫૫) પરવરિશ (૧૯૫૮) અનાડી (૧૯૫૯) સંગમ (૧૯૬૪) મેરા નામ જોકર (૧૯૭૦) ધરમ કરમ (૧૯૭૫) જાણીતાં ગીતો તૂ કહે અગર( ફિલ્મ્ 'અન્ચદાઝ્) જિન્દા હૂઁ મૈ ઇસ તરહ સે મેરા જૂતા હૈ જાપાની (ફિલ્મ આવારા) યે મેરા દીવાનાપન હૈ (ફિલ્મ યહૂદી) કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર (ફિલ્મ અનાડી'') ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના (ફિલ્મ બન્દીની) દોસ્ત દોસ્ત ના રહા (ફિલ્મ સંગમ) જાને કહાઁ ગયે વો દિન (ફિલ્મ મેરા નામ જોકર) મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને (ફિલ્મ આનન્દ) ઇક દિન બિક જાયેગા માટી કે મોલ (ફિલ્મ ધરમ કરમ) મૈ પલ દો પલ કા શાયર હૂઁ( ફિલ્મ્ કબભિક્ભિ ) કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ (ફિલ્મ કભી કભી) ચંચલ શીતલ નિર્મલ કોમલ (ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ) "કહિ દુર જબ દીન ઢલ જાયે" (ફિલ્મ આનન્દ'') ગુજરાતી ગીતો સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત: મહેશ-નરેશ) આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખીમરો-લોડણ) આવો તોય સારું હે તને જાતાં જોઇ પનઘટની વાટે ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું મને તારી યાદ સતાવે નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે (નીલગગનના પંખેરું ) મારા ભોળા દિલનો ઓ નીલગગનના પંખેરું (નીલગગનના પંખેરું ) સનમ જો તુ બને ગુલ તો બુલબુલ હું બની જાઉં નજરને કહી દો પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે સંદર્ભો બાહ્ય કડીઓ www.SingerMukesh.com – A Dedicated Web Site To Singer Mukesh મુકેશને લગતી તમામ માહિતી એકત્રિત કરતી વેબસાઇટ શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:ગાયક શ્રેણી:૧૯૨૩માં જન્મ શ્રેણી:૧૯૭૬માં મૃત્યુ
વેલિંગ્ટન
https://gu.wikipedia.org/wiki/વેલિંગ્ટન
વેલિંગ્ટન શહેર ન્યૂઝીલેન્ડ દેશનું પાટનગર છે. વેલિંગ્ટન શહેર ખાતે ઇ. સ. ૧૮૬૫ના વર્ષમાં પાટનગર ખસેડવામાં આવ્યું તે પૂર્વે ઓકલેન્ડ શહેર ન્યુઝીલેન્ડ દેશનું પાટનગર હતું. thumb|800px|centre|વેલિંગ્ટન શહેર રાત્રીના સમયે thumb|800px|centre|વેલિંગ્ટન શહેર દિવસના સમયે શ્રેણી:રાજધાની શ્રેણી:ન્યુઝીલેન્ડ
થાઇલેન્ડ
https://gu.wikipedia.org/wiki/થાઇલેન્ડ
thumb|250px|દુનિયામાં થાઇલૅન્ડનું સ્થાન થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દનો અર્થ થાઇ ભાષામાં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકોના સંદર્ભમાં પણ વપરાય છે. આ કારણથી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે. ઇતિહાસ મુખ્ય લેખ: થાઇલેન્ડનો ઇતિહાસ રાજનીતિ મુખ્ય લેખ: થાઇલેન્ડની રાજનીતિ ભૂગોળ આ પણ જુઓ સોંગ્ક્રણ (થાઇલેન્ડ) બાહ્ય કડીઓ અધિકૃત થાઈલેન્ડની શાહી સરકાર થાઈલેન્ડ પર્યટન પ્રાધિકરણ થાઈ નેશનલ એસેમ્બલી થાઈલેન્ડ વિદેશ મંત્રાલય થાઈલેન્ડ ઇન્ટરનેટ સૂચના શ્રેણી:થાઇલેન્ડ
આસામ
https://gu.wikipedia.org/wiki/આસામ
આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે.તેનું ક્ષેત્રફળ 78,435 ચો.કિ.મી. છે. આસામમાં ભારતની ભૂતાન તથા બાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે. આસામ રાજ્યના જિલ્લાઓ 300px આસામ રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે. ઉત્તર કછર જિલ્લો ઓદાલગુરિ જિલ્લો કરીમગંજ જિલ્લો શહેરી કામરુપ જિલ્લો ગ્રામિણ કામરુપ જિલ્લો કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લો કોકરાઝાર જિલ્લો ગોલાઘાટ જિલ્લો કછર જિલ્લો ગોલપારા જિલ્લો જોરહટ જિલ્લો દિબ્રુગઢ જિલ્લો ચિરાન્ગ જિલ્લો તિનસુખિયા જિલ્લો દારાંગ જિલ્લો ધુબરી જિલ્લો ધેમાજી જિલ્લો નલબારી જિલ્લો નાગાંવ જિલ્લો બક્સા જિલ્લો બારપેટા જિલ્લો બોંગાઇગાંવ જિલ્લો મારિગાંવ જિલ્લો લખિમપુર જિલ્લો શિવસાગર જિલ્લો (સિબસાગર) શોણિતપુર જિલ્લો હૈલાકાંડી જિલ્લો સંદર્ભ બાહ્ય કડી શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:આસામ
આફ્રિકા
https://gu.wikipedia.org/wiki/આફ્રિકા
thumb|250px|ઉપગ્રહથી લીધેલી આફ્રિકાની છબી આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટિએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી.૨ (૧૧,૭૩૦,૦૦૦ માઇલ૨ પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મિલીયનથી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે. આફ્રિકાના દેશો અલ્જીરિયા અંગોલા બેનિન બોત્સ્વાના બુર્કિના ફાસો બરુન્ડી કેમેરુન કૅપ વર્ડે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ચાડ કોમોરોસ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો રીપબ્લિક ઓફ કોંગો જીબુટી ઇજીપ્ત ઈક્વેટોરિયલ ગિની એરિટ્રિયા ઇથોપિયા ગાબોન ગેમ્બિયા ઘાના ગિની ગિની-બિસ્સાઉ કેન્યા લેસોથો લાઇબેરીયા લિબિયા માડાગાસ્કર મલાવી માલી મૌરિટાનિયા મોરિશિયસ મોરોક્કો મોઝામ્બિક નામિબિયા નાઇજર નાઇજીરીયા રવાન્ડા સાઓ ટૉમ અને પ્રિંસિપે સેનેગલ સેશેલ્સ સીએરા લેઓન સોમાલિયા દક્ષિણ આફ્રિકા ઈસ્ટર્ન કૅપ ગાઉટેન્ગ લીમ્પોપો Mpumalanga દક્ષિણ સુદાન સુદાન સ્વાઝિલેન્ડ ટાંઝાનિયા જાઓ ટ્યુનિશિયા યુગાન્ડાઝામ્બિયા ઝિમ્બાબ્વે બાહ્ય કડીઓ આફ્રિકાના વિવિધ રંગો - બી.બી.સી. હિંદી ભાષામાં આફ્રિકા - ચિત્રદર્શન હિંદી ભાષામાં આફ્રિકાની ખોજ અભિવ્યક્તિ નામની જાળપત્રિકા પર શ્રેણી:આફ્રિકા શ્રેણી:વિશ્વના ખંડો શ્રેણી:ખંડ
શ્રી યોગેશ્વરજી
https://gu.wikipedia.org/wiki/શ્રી_યોગેશ્વરજી
શ્રી યોગેશ્વરજી એક વિરલ સંત સાહિત્યકાર હતા. તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામે જન્મ્યા હતા. માત્ર નવ વરસની નાની ઉંમરે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતુ. તે પછી તેમને મુંબઇ ખાતે આવેલા એક અનાથાશ્રમમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. કોલેજના અભ્યાસ બાદ તેમણે ઇશ્વરની શોધમાં હિમાલય તરફ પ્રયાણ કર્યું. બે દાયકાની એકાંતિક સાધના પછી તેમણે જનસમુદાયમાં વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષામાં તેમણે એકસોથીય વધુ ગ્રંથો લખ્યા. તેમની પદ્ય રચનાઓમાં સરળ ગીતા (ભગવદ ગીતાનો ગુજરાતી અનુવાદ), શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, રામચરિતમાનસ વિગેરેના કાવ્યાનુવાદ મુખ્ય છે. આરતી, આલાપ, અનંત સૂર, બિંદુ, તર્પણ, દ્યુતિ, સાંઈસંગીત, હિમાલય અમારો વિગેરે તેમના પ્રસિધ્ધ કાવ્યસંગ્રહો છે. ગાંધી ગૌરવ એ મહાત્મા ગાંધીજી પરનું તેમનું મહાકાવ્ય છે. તેમણે અનેક ભજનો, સ્તુતિઓ અને આરતીઓની પણ રચના કરી છે. અગિયારસોથી વધુ પૃષ્ઠો ધરાવતી પ્રકાશના પંથે નામે તેમની આત્મકથા અધ્યાત્મ માર્ગના જીજ્ઞાસુઓને અમૂલ્ય માર્ગદર્શન પુરુ પાડે છે. તેમના આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. હિમાલયના પત્રો નામે તેમનો પત્રસંગ્રહ પણ પ્રસિધ્ધ થયો છે. રમણ મહર્ષિના જીવન અને કાર્ય પરનો તેમનો દળદાર ગ્રંથ પણ જીજ્ઞાસુઓમાં લોકપ્રિય થયો છે. Category:આધ્યાત્મ Category:સાહિત્ય Category:વ્યક્તિત્વ
નરેન્દ્ર મોદી
https://gu.wikipedia.org/wiki/નરેન્દ્ર_મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે. અંગત જીવન નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.On Race Course road? Times of India, 18 September 2011, 05.46 am IST તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે. પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા. તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. વ્યક્તિત્વ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ગોધરા કાંડ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.Army too helpless as violence mounts આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી. ૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી. સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા. એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો. રાજકીય કારકિર્દી દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ. ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા. ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા. ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો. ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ. વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો. ૨૦૦૪માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો. વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી. ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા. ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી. ૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા. વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે. માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી. જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા ગુજરાતનો વિકાસ મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો. મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.Chief Minister – Government of Gujarat જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.How to achieve 10% GDP growth Rediff - 16 March 2006 મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે. આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે, રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે. કૃષિ મહોત્સવ – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા ચિરંજીવી યોજના – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે માતૃ વંદના – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે બેટી બચાવો – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ જ્યોતિગ્રામ યોજના – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે કર્મયોગી અભિયાન – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બાળભોગ યોજના – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે કેન્દ્ર સરકાર ૨૦૦૯ની ચુંટણી મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ૨૦૧૪ની ચુંટણી નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે. thumb|right|200px|ભાજપ દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી. મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા. ૨૦૧૯ની ચુંટણી ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.Varanasi (Lok Sabha constituency) તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને મતોના તફાવતથી હરાવ્યા હતા. એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા. વડાપ્રધાન thumbnail|ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે. thumb|ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું. નિતીઓ આર્થિક તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. બંધારણીય તેમણે બંધારણના અનુચ્છેદ ૩૭૦ની કલમ એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી. પુરસ્કારો અને ઓળખ ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં. ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે. ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા. પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા સંદર્ભ બાહ્ય કડીઓ નરેન્દ્ર મોદી: અંગત વેબસાઈટ શ્રેણી:ભારતના વડાપ્રધાન શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ શ્રેણી:રાજનેતા શ્રેણી:૧૯૫૦માં જન્મ
ગુજરાતી લોકો
https://gu.wikipedia.org/wiki/ગુજરાતી_લોકો
પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. ફેલાવો ભારતમાં ગુજરાતીઓ ગુજરાતી લોકો ભારતીય ઉપખંડનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં રહે છે. ઘણા ગુજરાતીઓ ભારતનાં અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ તેમજ રાજધાની દિલ્હી ઉપરાન્ત કેન્દ્ર શાસિત દમણ અને દીવ, દાદરા નગર હવેલીમાં પણ વસવાટ કરે છે. વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ પારસી લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર, જ્યારે વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાતના લોકો મુખ્યત્વે હિંદુ (હિંદુ, શીખ, જૈન, બુદ્ધ - ૯૪%) ધર્મ પાળે છે. ભારતનાં બીજા શહેરોમાં પણ ઘણા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. અન્યત્ર વસેલા ગુજરાતીઓ હિજરતી ગુજરાતી પ્રજા નોંધપાત્ર રીતે સમગ્ર વિશ્વમાં વસે છે. યુ.કે.માં "અંગ્રેજી પૂર્વ આફ્રિકી એશિયાઈ" કોમ એ દેશનિકાલ થયેલ સૌથી મોટી ગુજરાતી વસ્તી છે. અન્ય ગુજરાતીઓની મોટી વસ્તી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં રહે છે (ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, મડાગાસ્કર, મોઝામ્બીક- આ ભૂતપૂર્વ પોર્ટુગીઝ શાષિત કોલોનીની આઝાદી પછી ગુજરાતીઓ નોંધપાત્ર સંખ્યામાં પોર્ટુગલ સ્થાયી થયાં) અને અગ્નિ એશિયા (મ્યાનમાર, મલેશિયા). ઘણા ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં પણ રહે છે. યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે http://www.census.gov/compendia/statab/tables/09s0052.pdf યુ.એસ.માં ૨૦૦૬માં ૧૪,૧૭,૦૦૦ ઘરોમાં ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભારતીય ભાષાઓ (દા.ત. પંજાબી, તમિળ, તેલુગુ) બોલાતી હતી. આમાંથી ગુજરાતી બોલતા લોકોની સંખ્યા ૨,૯૯,૦૦૦ છે, જે સૂચવે છે આશરે ૨૦ ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે. (આ આંકડામાં કુલ ૩,૨૫,૦૦૦ ઉર્દુ બોલનારા લોકો કે જેઓ સામાન્ય ધારણાં પ્રમાણે મુખ્યત્વે પાકિસ્તાની મૂળના હોઈ શકે છે તેમનો સમાવેશ થતો નથી.) નોંધપાત્ર છે કે આ અંદાજ બીજી કે મોટી ગુજરાતી પેઢી કે જેઓએ એમ ઉલ્લેખ કર્યો છે કે તેઓ મુખ્યત્વે ઘરે અંગ્રેજીમાં વાત કરે છે તેનો સમાવેશ થતો નથી. એક અહેવાલ મુજબ અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે, પરંતુ આ સંખ્યા માટે કોઈ પ્રમાણભુત સ્રોત સૂચવાયેલ નથી. મોટા ભાગના પૂર્વ-આફ્રિકન એશિયન લોકો ગુજરાતી છે. ૨૦૧૦ની સાલના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે અંદાજે ૧,૦૪,૦૦૦ લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર બનાવે છે. યુ.કે.માં લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે. ખોરાક ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને જૈન ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, ભાખરી, પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી (વેડમી), ઘારી, ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં ખમણ, ઢોકળાં, પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, ઊંધીયુ, ફાફડા, ચેવડો, સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે. ખીચડી - કે જે ચોખા અને મગની દાળનાં મિશ્રણ નું પકવાન છે, તેને થોડા મસાલા અને ધી સાથે પ્રેશર-કુકરમાં રાંધવામાં આવે છે, જે ગુજરાતી થાળીની પ્રસિધ્ધ વાનગી છે અને સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરોમાં બને છે. ખીચડી દાળ, કઢી, દહી, અથાણું, વિવિધ શાક, પાપડ અને દાણાંદાર દેશી ઘી, વગેરે સાથે ખાઈ શકાય છે. તે ઉપરાંત કાઠીયાવાડની જાડી કઢી અને મોળા દાળભાત પણ ઘણા પ્રખ્યાત છે. કેટલીક વાનગીઓતો ગુજરાતની ખાસીયત છે, જેમંકે વાટી દાળના ખમણ, પાટુડી, ખીચું, ઘારી, લોચો, ઉંધીયું, ઉંબાળીયું, વગેરે. આસો માસની પુનમે દુધ-પૌઆ ખાંડ ઉમેરીને ખાય તો ફાગણની પૂનમે ખજૂર-ધાણી-ચણા ખાય. જમ્યા પછી ગુજરાતીઓ મુખવાસ અથવા પાન ખાય છે. આ ઉપરાંત લાપસી: કે જે ઘઉં ના ફાડાં ની ગોળ અને ઘી મિશ્રિત એકદમ સરળ અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી પણ એટલી જ મહત્વની છે. કાઠિયાવાડ માં ઘરે કોઈ મહત્ત્વ ની વ્યક્તિ આવે કે કોઈ શુભ પ્રસંગે "લાપસી ના આંધણ" મુકવાનું પણ કહેવામાં આવે છે. કેટલીક માંસાહારી વાનગીઓ જોઇએ તો તેમાં ઘાંચીઓ દ્વારા બનાવાતું તપેલું અથવા દાલગોશ્ત જે બકરાનાં મટનમાંથી બનાંવાય છે, તે ઉપરાંત પારસીઓ દ્વારા બનાવાતું ઇંડાનું કાચું, સફેદ માછલી અને ડબ્બા ગોસ ગુજરાતમાં અને બહાર પણ ઘણા પ્રસિદ્ધ છે. ઘીનો ઉપયોગ રસોઇમાં છુટથી થાય છે. ઉદાહરણ તરીકે ભાતમાં, ખીચડીમાં તથા રોટલી પર. ભોજન ચટાકેદાર ફરસાણ વગર અધુરૂં માનવામાં આવે છે. તરલા દલાલ લિખીત ગુજરાતી વાનગીઓનું પુસ્તક તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાની રાત ચંદ્ર પ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે. ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે. ગુજરાતીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતના લોકો. પહેરવેશ ભારતીય ઘરેણા જેવા કે મંગળસુત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. ખાસ કરીને ઘરેણાં ૨૨ કેરેટ સોનાં ના બનેલા હોય છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે હિંદુ લગ્નમાં સામાન્ય વાત છે. પુરૂષો ખાસ કરીનેં ચેન અનેં વિંટી પહેરતા હોય છે. વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુ નો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગો માં મળે છે. પ્રસંગો અનુસાર પુરૂષો અને સ્ત્રીઓનાં પહેરવેશમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે પુરૂષો પેન્ટ અને શર્ટ, જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, જીન્સ, ટી-શર્ટ, કુર્તા, સલવાર કમીઝ વગેરે પહેરે છે. આમ જોવા જઇએ તો પારંપરીક પહેરવેશમાં પુરૂષો ધોતી અને ઉપર કુર્તા પહેરતા હોય છે. સ્ત્રીઓ પ્રસંગો અનુસાર વિવિધ પેટર્ન અનેં કિંમતની સાડી પહેરે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે. લિપિ અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ઇતિહાસમાં ઉલ્લેખ લ્યુડોવિકો દી વર્થેમા (Ludovico di Varthema) (૧૫મી સદી) જેવા પ્રારંભિક યુરોપીયન પ્રવાસીએ ગુજરાત પ્રવાસ કરી ગુજરાત લોકો વિશે લખ્યું હતું. તેણે નોંધ્યું છે કે જૈન ધર્મની ગુજરાતમાં મજબૂત હાજરી હતી. સાહિત્ય ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઇ.સ. ૧૦૦૦માં જોવા મળે છે. ત્યાર થી અત્યાર સુધી ગુજરાથી સાહિત્યમાં અનેક ઘણો વિકાસ થયો છે. હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ ભટ્ટ, શામળ ભટ્ટ, દયારામ, દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોષી, સુરેશ જોષી, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી 'દર્શક' અને રાજેન્દ્ર શાહ ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો છે. કવિ કાન્ત અને કલાપી ગુજરાત ના વિખ્યાત કવિઓ છે. ગુજરાત વિદ્યા સભા, ગુજરાત સાહિત્ય સભા, અને ગુજરાતી સાહિત્ય પરિષદ એ અમદાવાદ સ્થિત સાહિત્ય સંસ્થાઓ છે કે જે ગુજરાતી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે સરસ્વતીચંદ્ર એ ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત સીમાચિહ્નરૂપ નવલિકા છે. લેખકો જેવા કે સુરેશ દલાલ, જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા, હરકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, વિનોદ ભટ્ટ, કાન્તિ ભટ્ટ, મકરંદ દવે, અને વર્ષા અડાલજાએ ગુજરાતી વિચારકો પર પ્રભાવ પાડ્યો હતો. ગુજરાતી થિયેટર ભવાઇનું ઘણો ઋણી છે. ભવાઇ એ સંગીતમય નાટકનો એક પ્રકાર છે. કેતન મહેતા અને સંજય લીલા ભણસાલીએ ભવાઇનો કલાત્મક ઉપયોગ ફિલ્મો જેવી કે ભવની ભવાઇ, ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા અને હમ દિલ દે ચુકે સનમમાં કરવાની શોધ કરી. ડાયરો (મહેફિલ) એ ગાયન અને માનવ સ્વભાવ પર અસર કરે તેવી વાતચીત કે ચર્ચાને સાંકળે છે. કલા અને મનોરંજન ગુજરાતી સિનેમા ઉદ્યોગમાં અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, રમેશ મહેતા, સ્નેહલતા, રાગીણી, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, અરૂણા ઇરાની અને અસરાની તથા હાલમાં હિતેન કુમાર, આનંદી, હિતુ કનોડિયા, શૈલેન્દ્ર ઠાકોર વગેરે જાણીતા કલાકારો છે. સંદર્ભ વધુ માહિતી . શ્રેણી:સંસ્કૃતિ શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ શ્રેણી:ગુજરાત
હિંદી ભાષા
https://gu.wikipedia.org/wiki/હિંદી_ભાષા
thumb|વારાણસી શહેરના બજારમાં હિંદીમાં લખેલ જાહેરાતો હિંદી (દેવનાગરી: हिन्दी, Hindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે. હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે). હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે. હિંદી ભાષાની બોલીઓ right|thumb|300px|હિન્દી ક્ષેત્ર હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે: અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે. સમૂહ હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે. ઇતિહાસ ક્રમ ૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)- સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ. ૫૦૦ બી. સી. - બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત). ૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત). સંસ્કૃતનો વિકાસ ૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ ૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ ૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ. અપભ્રંશ તથા આદિ હિંદી નો વિકાસ ૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી. ૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ. ૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી. ૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ ૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી ૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક) ૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ ૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિંદીનો વિકાસ ૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ ૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત ૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ ૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ ૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત ૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા ૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી. ૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી. ૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું ૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી. ૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી. ૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી ૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત. આધુનિક હિંદી ૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી ૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિંદીનું પહેલુ સાપ્તાહિક ૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરીનો જન્મ ૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત ૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ સંદર્ભ શ્રેણી:ભારતની ભાષાઓ શ્રેણી:દેવનાગરી લિપિમાં લખાતી ભાષાઓ
હિન્દી
https://gu.wikipedia.org/wiki/હિન્દી
REDIRECT હિંદી ભાષા
નીલ્સ હેન્રીક અબૅલ
https://gu.wikipedia.org/wiki/નીલ્સ_હેન્રીક_અબૅલ
નીલ્સ હેન્રીક અબૅલ એ એક જાણીતા યુરોપીઅન ગણિતજ્ઞ હતા. એમનો જન્મ નોર્વેના ફ્રિન્ડો પરગણાંમાં ૫મી ઑગષ્ટ, ૧૮૦૨ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૨૯ના રોજ નોર્વેના ફ્રોલૅન્ડ પરગણાંમાં થયું હતું. અમૂર્ત ગણિતમાં એક ખાસ સમૂહ અબૅલના નામ ઉપરથી અબૅલીયન સમૂહ (abelian group) તરીકે ઓળખાય છે. અબૅલે ઇ. સ. ૧૮૨૪માં સાબિત કર્યું કે ૫ (પાંચ) ઘાતવાળી બહુપદીનાં બીજ તેના સહગુણકોની મદદથી શોધવા શક્ય નથી. તેમણે આ પરિણામ ફ્રેંચ ભાષામાં સ્વખર્ચે પ્રસિધ્ધ કર્યું. શ્રેણી:વૈજ્ઞાનિક શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:યુરોપ
ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી
https://gu.wikipedia.org/wiki/ગોડફ્રી_હેરોલ્ડ_હાર્ડી
ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી (૭ ફેબ્રુઆરી ૧૮૭૭ – ૧ ડિસેમ્બર ૧૯૪૭) એક નોંધપાત્ર બ્રિટિશ ગણિતજ્ઞ હતા. તેઓ અંકશાસ્ત્ર તથા ગાણિતિક વિશ્લેષણના વિષયમાં કરેલા પ્રદાન માટે જાણીતા છે. ગણિતજ્ઞોના વર્તુળ બહાર તે બે વાતોથી જાણીતા છે: A Mathematician's Apology, તેમણે ૧૯૪૦માં લખેલ ગણિતની કલાત્મકતા પરનો નિબંધ (ISBN 0521427061) છે – જે સામાન્ય માણસ માટે એક ગણિતશાસ્ત્રીના મનમાં રસપ્રદ ઝાંકી કરાવે છે. તેમનો ૧૯૧૪થી ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન સાથે રહેલો એક વાલી તરીકેનો સબંધ, જેમની અસામાન્ય અને જાતે કેળવેલી ગણિત પ્રતિભા હાર્ડીએ તરતજ ઓળખી કાઢી હતી. હાર્ડી અને રામાનુજન કરતાં વધુ ભિન્નતા ધરાવતા બે ગણિતજ્ઞોની કલ્પના કરવી મુશ્કેલ છે. હાર્ડી એક ચોક્કસ અને મહેનતુ નાસ્તિક અને રામાનુજન, એક કલ્પનાશિલ હિંદુ. પણ તે બે ખૂબ ગાઢ મિત્રો બની ગયા. પૉલ અર્ડોસ એક મુલાકાત દરમ્યાન હાર્ડીને પૂછ્યું કે તેમનું ગણિતમાં સૌથી મોટું યોગદાન શું હતું ત્યારે હાર્ડીએ અચકાયા વિના જવાબ આપ્યો કે તેણે કરેલી રામાનુજનની શોધ. સંદર્ભ હાર્ડિ જી.એચ. (૧૯૪૦) A Mathematician's Apology કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ: લંડન. હાર્ડિ જી.એચ. (૧૯૪૦) Ramanujan કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ: લંડન. હાર્ડિ જી.એચ. અને ઇ. એમ. રાઇટ (૧૯૩૮) An Introduction to the Theory of Numbers (હાલની આવૃત્તિ ISBN 0198531710) હાર્ડિ જી.એચ. (૧૯૦૮) Course of Pure Mathematics બાહ્ય કડીઓ જી. એચ. હાર્ડીના અવતરણ શ્રેણી:ગણિત શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:૧૯૪૭માં મૃત્યુ
લતા મંગેશકર
https://gu.wikipedia.org/wiki/લતા_મંગેશકર
લતા મંગેશકર (જન્મે હેમા મંગેશકર; ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ - ૬ ફેબ્રુઆરી ૨૦૨૨), ભારતના પાર્શ્વગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા. તેમને વ્યાપકપણે ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે. સાત દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં ભારતીય સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેમને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સ્વર સામ્રાજ્ઞી જેવા સન્માનજનક બિરુદ મળ્યા હતા. તેમણે મુખ્યત્વે હિન્દી, બંગાળી અને મરાઠી સહિતની છત્રીસથી વધુ ભારતીય ભાષાઓ અને કેટલીક વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા હતા. તેણીને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક પ્રશંસાઓ અને સન્માનો મળ્યા હતા. ૧૯૮૯માં તેમને ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૦૧માં, તેમના યોગદાનને માન આપીને તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. એમ. એસ. સુબ્બુલક્ષ્મી પછી તેઓ માત્ર બીજા જ મહિલા ગાયિકા છે, જેમને આ સન્માન મળ્યું છે. The Hindu ફ્રાન્સે ૨૦૦૭માં તેને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓફિસર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કર્યો હતો. તેણીને શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયિકા માટેના ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, બે ફિલ્મફેર પુરસ્કાર, ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઉપરાંત પંદર બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિયેશન એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. ૧૯૭૪માં, તેઓ રોયલ આલ્બર્ટ હોલ, લંડન ખાતે કાર્યક્રમ રજૂ કરનાર પ્રથમ ભારતીય પાર્શ્વગાયિકાઓમાંના એક હતા. તેનું છેલ્લું રેકોર્ડ થયેલું ગીત મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નમાં ગાયત્રી મંત્રની રજૂઆત હતી. પ્રારંભિક જીવન thumb|right|લતા મંગેશકરનો બાળપણનો ફોટોગ્રાફ લતા મંગેશકરનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશ ખાતે એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ હતા, એક શાસ્ત્રીય ગાયક અને રંગમંચ અભિનેતા હતા. તેમની માતા નર્મદા (શ્રીમતી) ના અવસાન પછી દિનાનાથના નર્મદાની નાની બેન શેવંતી (લગ્ન બાદનું નામ સુધામતી) સાથે પુર્નલગ્ન થયા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતું, ત્યાર પછી તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણનું નામ હેમા હતું. પાછળથી તેમના માતાપિતાએ તેમનું નામ બદલીને ભાવબંધન નામના એક નાટકના સ્ત્રી પાત્ર લતિકાના નામ પરથી તેમનું નામ લતા રાખ્યું હતું. તેમના દાદા ગણેશ ભટ્ટ નવાથે હાર્દિકર (અભિષેકી) એક પૂજારી હતા, જેમણે ગોવાના મંગુશી મંદિરમાં શિવ લિંગમનો અભિષેક કર્યો હતો. તેમનાં દાદીમા યેસુબાઈ રાણે ગોવાનાં હતાં. તેમના મામા, શેઠ હરિદાસ રામદાસ લાડ, ગુજરાત માંથી આવ્યા હતા, જેઓ એક સમૃદ્ધ ઉદ્યોગપતિ અને થલનેરના જમીનદાર હતા. તેમણે તેમના મામા પાસેથી પાવાગઢના ગરબા જેવા ગુજરાતી ભાષાના લોકગીતો શીખ્યા હતા. તેઓ પરિવારમાં સૌથી મોટું સંતાન હતાં. મીના મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકર, જન્મ ક્રમમાં તેમના ભાઈ-બહેન છે; બધા કુશળ ગાયકો અને સંગીતકારો છે. તેણીને તેમના પિતા પાસેથી સંગીતનો પ્રથમ પાઠ મળ્યો હતો. પાંચ વર્ષની વયે એમણે પોતાના પિતાના સંગીતમય નાટકમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. સંગીત કારકિર્દી ૧૯૪૦ના દાયકાની પ્રારંભિક કારકિર્દી ૧૯૪૨માં જ્યારે લતાજી ૧૩ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું હૃદયરોગના કારણે અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ મૂવી કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકી)એ તેમની સંભાળ લીધી હતી. તેમણે તેણીને ગાયક અને અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરવામાં મદદ કરી હતી. તેમણે "નાચુ યા ગાડે, ખેલુ સારી મણિ હૌસ ભારી" ગીત ગાયું હતું, જેને વસંત જોગલેકરની મરાઠી ફિલ્મ કિટી હસાલ (૧૯૪૨) માટે સદાશિવરાવ નેવરેકરે કમ્પોઝ કર્યું હતું, પરંતુ આ ગીતને અંતિમ કટમાંથી પડતું મૂકવામાં આવ્યું હતું. વિનાયકે તેમને નવયુગ ચિત્રપટની મરાઠી ફિલ્મ પહિલી મંગલા-ગૌર (૧૯૪૨)માં એક નાનકડી ભૂમિકા આપી હતી, જેમાં તેમણે "નતાલી ચૈત્રચી નવલાઇ" ગાયું હતું, જેને દાદા ચાંડેકરે કમ્પોઝ કર્યું હતું. [૧૮] મરાઠી ફિલ્મ ગજાભાઉ (૧૯૪૩) માટે તેમનું પ્રથમ હિન્દી ગીત "માતા એક સપૂત કી દુનિયા બદલ દે તું" હતું. ૧૯૪૫માં જ્યારે માસ્ટર વિનાયકની કંપનીએ તેનું મુખ્ય મથક મુંબઈ ખસેડ્યું ત્યારે તેઓ પણ મુંબઇ આવી ગયા હતા. તેમણે ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમન અલી ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું હતું. તેમણે વસંત જોગલેકરની હિન્દી ભાષાની ફિલ્મ આપ કી સેવા મેં (૧૯૪૬) માટે "પા લાગૂન કર જોરી" ગીત ગાયું હતું, જેને દત્તા દાવજેકરે કમ્પોઝ કર્યું હતું. આ ફિલ્મમાં નૃત્ય રોહિણી ભાટેએ રજૂ કર્યું હતું, જે પાછળથી પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના બન્યા હતા. લતાજી અને તેમની બહેન આશાએ વિનાયકની પ્રથમ હિન્દી ભાષાની ફિલ્મ મોટી મા (૧૯૪૫)માં નાની-નાની ભૂમિકાઓ ભજવી હતી. એ ફિલ્મમાં લતાજીએ "માતા તેરે ચરનોં મેં" નામનું એક ભજન પણ ગાયું હતું. વિનાયકની બીજી હિન્દી ફિલ્મ સુભદ્રા (૧૯૪૬)ના રેકૉર્ડિંગ દરમિયાન સંગીત દિગ્દર્શક વસંત દેસાઈ સાથે તેમનો પરિચય થયો હતો. ૧૯૪૮માં વિનાયકના મૃત્યુ બાદ સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરે તેમને ગાયક તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લતાનો પરિચય નિર્માતા સશધર મુખર્જી સાથે કરાવ્યો, જેઓ તે સમયે શહીદ (૧૯૪૮) ફિલ્મમાં કામ કરી રહ્યા હતા, પરંતુ મુખર્જીએ લતાના અવાજને "ખૂબ પાતળો" ગણાવ્યો હતો. નારાજ હૈદરે જવાબ આપ્યો હતો કે આગામી વર્ષોમાં, નિર્માતાઓ અને દિગ્દર્શકો "લતાના પગમાં પડી જશે" અને તેમની ફિલ્મોમાં ગાવા માટે "વિનંતી" કરશે. હૈદરે લતાને પ્રથમ મોટો બ્રેક ફિલ્મ મજબૂર (૧૯૪૮)ના નાઝીમ પાણીપતીના "દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોડા" ગીતથી આપ્યો હતો, જે તેમની પ્રથમ મોટી સફળતા મેળવનારી ફિલ્મ બની હતી. સપ્ટેમ્બર ૨૦૧૩માં પોતાના ૮૪માં જન્મદિવસ પર એક ઈન્ટરવ્યુમાં લતાજીએ પોતે જ જણાવ્યું હતું કે, "ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર છે. તે પહેલા એવા સંગીત દિગ્દર્શક હતા જેમણે મારી પ્રતિભા પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો." શરૂઆતમાં તેમણે પ્રતિષ્ઠિત ગાયિકા નૂરજહાંની નકલ કરી હોવાનું કહેવાય છે પરંતુ પાછળથી તેમણે પોતાની ગાયનની શૈલી વિકસાવી હતી. તેમણે ભારતીય ફિલ્મ સંગીતમાં 'આધુનિક' અને 'પરંપરાગત' એમ બંને પ્રકારના મહિલા પાત્રોને અનુરૂપ ગાવાની નવી વિશિષ્ટ (સિગ્નેચર) શૈલી લાવી હતી. તેમની પ્રારંભિક કારકીર્દિમાં તેમની પાસે મર્યાદિત કુશળતા હોવા છતાં, તેણીએ તેમની પાર્શ્વ ગાયનની કારકીર્દિમાં આગળ વધતાં વધુ સારા સ્વર અને પીચનો વિકાસ કર્યો હતો તેમના અવાજમાં એટલું વજન હતું કે તેઓ ભારતીય ફિલ્મી ગીતોની ધૂનને ચોક્કસ આકાર આપી શકે. હિન્દી ચલચિત્રોમાં ગીતો મુખ્યત્વે ઉર્દૂ કવિઓ દ્વારા રચવામાં આવ્યા છે અને તેમાં સંવાદ સહિત ઉર્દૂ શબ્દોનું પ્રમાણ વધારે હોય છે. અભિનેતા દિલીપ કુમારે એક વખત હિન્દી/ઉર્દૂ ગીતો ગાતી વખતે પોતાના ઉચ્ચાર વિશે હળવાશથી અણગમતી ટિપ્પણી કરી હતી; તેથી થોડા સમય માટે તેમણે શફી નામના ઉર્દૂ શિક્ષક પાસેથી ઉર્દૂના પાઠ લીધા હતા. ત્યારપછીના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે નૂરજહાંએ તેમને બાળપણમાં સાંભળ્યા હતા અને તેમને ખૂબ રિયાઝ કરવાનું કહ્યું હતું. બંને આવનારા ઘણા વર્ષો સુધી એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. ફિલ્મ મહલ (૧૯૪૯)નું એક ગીત તેમનું પ્રથમ સફળ ગીત હતું, જેને સંગીત દિગ્દર્શક ખેમચંદ પ્રકાશ દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યું હતું અને અભિનેત્રી મધુબાલા દ્વારા સ્ક્રીન પર લિપ-સિંક કરવામાં આવ્યું હતું. ૧૯૫૦ ૧૯૫૦ના દાયકામાં, લતાજીએ તે સમયના વિવિધ સંગીત દિગ્દર્શકો દ્વારા રચિત ગીતો ગાયા હતા, જેમાં અનિલ વિશ્વાસ (તરાના (૧૯૫૧) અને હીર (૧૯૫૬)), શંકર જયકિશન, નૌશાદ અલી, એસ.ડી. બર્મન, શાર્દુલસિંહ ક્વાત્રા, અમરનાથ, હુસનલાલ અને ભગતરામ (બડી બહિન (૧૯૪૯), મીના બજાર (૧૯૫૦), આધી રાત (૧૯૫૦), છોટી ભાભી (૧૯૫૦), અફસાના (૧૯૫૧), આંસુ (૧૯૫૩), અને અદ્લ-એ-જહાંગીર (૧૯૫૫)) સી. રામચંદ્ર, હેમંત કુમાર, સલિલ ચૌધરી, દત્તા નાયક, ખય્યામ, રવિ, સજ્જાદ હુસૈન, રોશન, કલ્યાણજી-આનંદજી, વસંત દેસાઈ, સુધીર ફડકે, હંસરાજ બહલ, મદન મોહન અને ઉષા ખન્નાનો સમાવેશ થાય છે. thumb|left|લતા મંગેશકર, ૨૩ વર્ષની ઉંમરે, ૧૯૫૩માં તેમણે નૌશાદ માટે ઘણા રાગ આધારિત ગીતો ગાયા હતા, જેમ કે દીદાર (૧૯૫૧), બૈજુ બાવરા (૧૯૫૨), અમર (૧૯૫૪), ઉડણ ખટોલા (૧૯૫૫) અને મધર ઇન્ડિયા (૧૯૫૭). "એ છોરે કી જાત બડી બેવફા", જી.એમ. દુરાણી સાથેનું યુગલ ગીત, સંગીતકાર નૌશાદ માટે તેમનું પ્રથમ ગીત હતું. શંકર-જયકિશનની બેલડીએ બરસાત (૧૯૪૯), આહ (૧૯૫૩), શ્રી ૪૨૦ (૧૯૫૫) અને ચોરી ચોરી (૧૯૫૬) માટે લતાજીની પસંદગી કરી હતી. ૧૯૫૭ પહેલા, સંગીતકાર એસ. ડી. બર્મને સઝા (૧૯૫૧), હાઉસ નં. ૪૪ (૧૯૫૫) અને દેવદાસ (૧૯૫૫)ના ગીતો માટે તેમને અગ્રણી મહિલા ગાયક તરીકે પસંદ કર્યા હતા. જો કે ૧૯૫૭માં તેમની અને બર્મન વચ્ચે તિરાડ પડી ગઈ અને ૧૯૬૨ સુધી તેમણે ફરીથી તેમની રચનાઓ ગાઈ ન હતી. તેમને ફિલ્મ મધુમતી (૧૯૫૮)ના સલીલ ચૌધરી દ્વારા રચિત "આજા રે પરદેસી" ગીત માટે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયિકાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. સી. રામચંદ્ર સાથેના તેમના જોડાણથી અલબેલા (૧૯૫૧), શિન શિંકાઈ બુબ્લા બૂ (૧૯૫૨), અનારકલી (૧૯૫૩), પેહલી ઝલક (૧૯૫૪), આઝાદ (૧૯૫૫), આશા (૧૯૫૭) અને અમરદીપ (૧૯૫૮) જેવી ફિલ્મોમાં ગીતોનું નિર્માણ થયું હતું. મદન મોહન માટે તેમણે બાગી (૧૯૫૩), રેલવે પ્લેટફોર્મ (૧૯૫૫), પોકેટમાર (૧૯૫૬), શ્રી લંબુ (૧૯૫૬), દેખ કબીરા રોયા (૧૯૫૭), અદાલત (૧૯૫૮), જેલર (૧૯૫૮), મોહર (૧૯૫૯) અને ચાચા ઝિંદાબાદ (૧૯૫૯) જેવી ફિલ્મોમાં પાર્શ્વ ગાયન કર્યું હતું. ૧૯૬૦ નૌશાદ દ્વારા રચિત અને મધુબાલા પર ફિલ્માવાયેલું મુઘલ-એ-આઝમ (૧૯૬૦)નું લતાજીનું ગીત "પ્યાર કિયા તો ડરના ક્યા" આજે પણ પ્રખ્યાત છે. દિલ અપના ઔર પ્રીત પરાઇ (૧૯૬૦)માંથી હવાઇયન-થીમ આધારિત ગીત "અજીબ દસ્તાન હૈ યે", શંકર-જયકિશન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું અને મીના કુમારી પર ફિલ્માવામાં આવ્યું હતું. ૧૯૬૧માં, તેમણે બર્મનના સહાયક જયદેવ માટે બે લોકપ્રિય ભજનો, "અલ્લાહ તેરો નામ" અને "પ્રભુ તેરો નામ" રેકોર્ડ કર્યા હતા. ૧૯૬૨માં, હેમંત કુમાર દ્વારા રચિત બીસ સાલ બાદના ગીત "કહીં દીપ જલે કહીં દિલ" માટે તેમને બીજો ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૨૭ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ તેમણે તે સમયના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં, ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ સંબંધિત દેશભક્તિ ગીત "અયે મેરે વતન કે લોગો" ગાયું હતું. સી.રામચંદ્ર દ્વારા રચિત અને કવિ પ્રદીપે લખેલા આ ગીતથી વડાપ્રધાનની આંખમાં આંસુ આવી ગયા હોવાનું કહેવાય છે. ૧૯૬૩માં તેઓ એસ. ડી. બર્મન સાથે પુન: જોડાયા હતા. તેમણે આર ડી બર્મનની પ્રથમ ફિલ્મ છોટે નવાબ (૧૯૬૧) અને ત્યાર બાદ ભૂત બંગલા (૧૯૬૫), પતિ પત્ની (૧૯૬૬), બહારોં કે સપને (૧૯૬૭) અને અભિલાષા (૧૯૬૯) જેવી ફિલ્મોમાં ગીત ગાયું હતું. તેમણે એસ ડી બર્મન માટે કેટલાક લોકપ્રિય ગીતો પણ રેકોર્ડ કર્યા હતા, જેમાં "આજ ફિર જીને કી તમન્ના હૈ", "ગાતા રહે મેરા દિલ" (કિશોર કુમાર સાથે યુગલગીત) અને ગાઇડ (૧૯૬૫) ના "પિયા તોસે", જ્વેલ થીફ (૧૯૬૭) ના "હોઠોં પે ઐસી બાત" અને તલાશના "કિતની અકેલી કિતની તન્હા" નો સમાવેશ થાય છે. ૧૯૬૦ના દાયકા દરમિયાન, તેમણે મદન મોહન સાથેના તેમના જોડાણને ચાલુ રાખ્યું હતું, જેમાં અનપઢ (૧૯૬૨)નું ગીત "આપકી નઝરો ને સમજા", વો કૌન થી ? (૧૯૬૪) ના "લગ જા ગલે" અને "નૈના બરસે રીમ ઝીમ" જહાં આરા (૧૯૬૪)નું "વો ચુપ રહેં તો", મેરા સાયા (૧૯૬૬)નું "તું જહાં જહાં ચલેગા" અને ચિરાગ (૧૯૬૯)નું "તેરી આંખો કે સિવા" વગેરેનો સમાવેશ થાય છે. શંકર -જયકિશન સાથેની તેમની જોડીએ ૧૯૬૦ના દાયકામાં તેમને વિવિધ શૈલીના ગીતો ગાવા માટે મંચ પૂરું પાડ્યું હતું. ૧૯૬૦ના દાયકામાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથેના તેમના જોડાણની શરૂઆત પણ થઈ હતી. આ સંગીત દિગ્દર્શક બેલડી માટે તેમણે તેમની કારકિર્દીમાં સૌથી વધુ લોકપ્રિય ગીતો ગાયા હતા. ૧૯૬૩થી શરૂ કરીને લક્ષ્મીકાંત-પ્યારેલાલનો લતા મંગેશકર સાથેનો નાતો વર્ષો જતાં વધુ મજબૂત બન્યો હતો. તેમણે ૩૫ વર્ષના ગાળામાં આ સંગીતકાર જોડી માટે ૭૦૦થી વધુ ગીતો ગાયાં હતાં, જેમાંથી ઘણાં ગીતો ખૂબ જ સફળ રહ્યાં હતાં. તેમણે પારસમણિ (૧૯૬૩), મિસ્ટર એક્સ ઇન બોમ્બે (૧૯૬૪), આયે દિન બહાર કે (૧૯૬૬), મિલન (૧૯૬૭), અનિતા (૧૯૬૭), શાર્ગિદ (૧૯૬૮), મેરે હમદમ મેરે દોસ્ત (૧૯૬૮), ઇન્તકામ (૧૯૬૯) અને દો રાસ્તે (૧૯૬૯) જેવી ફિલ્મોના ગીતો ગાયા હતા. ફિલ્મજીને કી રાહ માટે તેમને ત્રીજો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૦ ૧૯૭૨માં મીના કુમારીની છેલ્લી ફિલ્મ પાકીઝા રજૂ થઇ હતી. ફિલ્મમાં "ચલતે ચલતે" અને "ઈન્હી લોગોં ને" સહિતના લોકપ્રિય ગીતો દર્શાવવામાં આવ્યા હતા, જે મંગેશકર દ્વારા ગાવામાં આવ્યા હતા. તેમણે એસ. ડી. બર્મનની છેલ્લી ફિલ્મો માટે ઘણા લોકપ્રિય ગીતો રેકોર્ડ કર્યા હતા, જેમાં પ્રેમ પૂજારી (૧૯૭૦)નું "રંગીલા રે", શર્મિલી (૧૯૭૧)ના "ખિલતે હૈં ગુલ યહાં" અને "પિયા બીના" ઉપરાંત મદન મોહનની છેલ્લી કેટલીક ફિલ્મો દસ્તક (૧૯૭૦), હીર રાંઝા (૧૯૭૦), દિલ કી રાહેં (૧૯૭૩), હિન્દુસ્તાન કી કસમ (૧૯૭૩), હંસતે ઝખમ (૧૯૭૩) અને લૈલા મજનુ (૧૯૭૩) ફિલ્મના ગીતોનો સમાવેશ થાય છે. ૧૯૭૦ના દાયકામાં તેમના ઘણા નોંધપાત્ર ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલ દેવ બર્મને કંપોઝ કર્યા હતા. ૧૯૭૦ના દાયકામાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા રચિત તેમનાં ઘણાં ગીતો ગીતકાર આનંદ બક્ષીએ લખ્યાં હતાં. તેમણે અમર પ્રેમ (૧૯૭૨), કારવાં (૧૯૭૧), કટી પતંગ (૧૯૭૧) અને આંધી (૧૯૭૫) ફિલ્મોમાં રાહુલ દેવ બર્મન સાથે ઘણા હિટ ગીતો રેકોર્ડ કર્યા હતા. ૧૯૭૩માં, આર. ડી. બર્મન દ્વારા રચિત અને ગુલઝાર દ્વારા લિખિત ફિલ્મ પરિચયના ગીત "બીતી ના બિતાઈ" માટે તેમને શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયક તરીકેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૪માં તેમણે સલિલ ચૌધરી દ્વારા રચિત અને વાયલાર રામવર્મા દ્વારા લિખિત ફિલ્મ નેલુ માટે તેમનું એકમાત્ર મલયાલમ ગીત "કડાલી ચેનકડાલી" ગાયું હતું. ૧૯૭૫માં, કલ્યાણજી આનંદજી દ્વારા રચિત ફિલ્મ કોરા કાગઝના ગીત "રૂઠે રૂઠે પિયા" માટે તેણીને ફરીથી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૦ના દાયકાથી, તેમણે ભારત અને વિદેશમાં ઘણા કોન્સર્ટ પણ કર્યા હતા, જેમાં અનેક ચેરિટી કોન્સર્ટનો પણ સમાવેશ થાય છે. વિદેશમાં તેમની પ્રથમ કોન્સર્ટ ૧૯૭૪માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં થઇ હતી. તેમણે મીરાંબાઈના ભજનોનું એક આલ્બમ, "ચલા વહી દેશ" પણ બહાર પાડ્યું હતું, જે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા રચિત હતું. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં, તેમણે અન્ય બિન-ફિલ્મી આલ્બમો બહાર પાડ્યા, જેમ કે તેણીએ ગાલિબ ગઝલોનો સંગ્રહ, મરાઠી લોકગીતોનું આલ્બમ, ગણેશ આરતીનું આલ્બમ અને શ્રીનિવાસ ખલે દ્વારા રચિત સંત તુકારામના "અભંગ" નું આલ્બમ બહાર પાડ્યું હતું. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં, તેમણે અગાઉ જેમની સાથે કામ કર્યું હતું તેવા સંગીતકારોના સંતાનો સાથે કામ કર્યું હતું. આમાંના કેટલાક સંગીતકારોમાં સચિન દેવ બર્મનના પુત્ર રાહુલ દેવ બર્મન, રોશનના પુત્ર રાજેશ રોશન, સરદાર મલિકના પુત્ર અનુ મલિક અને ચિત્રગુપ્તના પુત્રો આનંદ-મિલિંદનો સમાવેશ થાય છે. તેમણે આસામી ભાષામાં પણ ઘણા ગીતો ગાયા હતા અને આસામી સંગીતકાર ભુપેન હજારિકા સાથે ખૂબ જ સારા સંબંધો વિકસાવ્યા હતા. તેમણે તેમના માર્ગદર્શન હેઠળ ઘણાં ગીતો ગાયાં હતાં. રૂદાલી (૧૯૯૩)ના ગીત "દિલ હૂમ હૂમ કરે" એ તે વર્ષે સૌથી વધુ વિક્રમી વેચાણ નોંધાવ્યું હતું. ૧૯૮૦ ૧૯૮૦ના દાયકાથી લતા મંગેશકરે સિલસિલા (૧૯૮૧), ફાસલે (૧૯૮૫), વિજય (૧૯૮૮) અને ચાંદની (૧૯૮૯) ફિલ્મમાં સંગીત દિગ્દર્શક શિવહરી સાથે તથા ઉસ્તાદી ઉસ્તાદ સે (૧૯૮૧), બેઝુબાન (૧૯૮૨), વો જો હસીના (૧૯૮૩), યે કેસા ફર્ઝ (૧૯૮૫) અને મૈને પ્યાર કિયા (૧૯૮૯) ફિલ્મમાં રામ લક્ષ્મણ સાથે કામ કર્યું હતું. તેમણે કર્ઝ (૧૯૮૦), એક દુજે કે લિયે (૧૯૮૧), સિલસિલા (૧૯૮૧), પ્રેમ રોગ (૧૯૮૨), હીરો (૧૯૮૩), પ્યાર ઝુકતા નહી (૧૯૮૫), રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫), નગીના (૧૯૮૬), અને રામ લખન (૧૯૮૯) જેવી અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાયા હતા. સંજોગ (૧૯૮૫) ફિલ્મનું તેમનું ગીત "ઝુ ઝુ ઝુ યશોદા કા નંદલાલા" ખૂબ જ લોકપ્રિય થયું હતું. ૧૯૮૦ના દશકના ઉત્તરાર્ધમાં, તેમણે અનુક્રમે આનંદ (૧૯૮૭) અને સત્યા (૧૯૮૮) ફિલ્મો માટે સંગીતકાર ઇલૈયારાજાના ગીતો "અરારો અરારો" અને "વલાઇ ઓસાઈ" ની બે એક પછી એક પ્રસ્તુતિઓ સાથે તમિલ ફિલ્મોમાં પુનરાગમન કર્યું હતું. ૧૯૮૦ના દાયકામાં, સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે લતાએ તેમની સૌથી મોટી હિટ ફિલ્મોના ગીતો ગાયા હતાં. જેમાં,આશા (૧૯૮૦)માં "શીશા હો યા દિલ હો", કર્ઝ (૧૯૮૦)માં "તુ કિતને બરસ કા", દોસ્તાના (૧૯૮૦)માં "કિતના આસાન હૈ", આસ પાસ (૧૯૮૦)માં "હમ કો ભી ગમ", નસીબ (૧૯૮૦) માં "મેરે નસીબ મેં", ક્રાંતિ(૧૯૮૦)માં, "ઝિંદગીકી ના તૂટે" નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક દુજે કે લિયે (૧૯૮૧)માં "સોલા બારસ કી", પ્રેમ રોગ (૧૯૮૨)માં "યે ગલિયાં યે ચૌબારા", અર્પણ (૧૯૮૩)માં "લિખનેવાલે ને લિખ ડાલે", 'અવતાર(૧૯૮૩)માં "દિન મહીને સાલ", હીરો (૧૯૮૩)માં "પ્યાર કરનેવાલે" અને "નિંદિયા સે જાગી", સંજોગ (૧૯૮૫)માં "ઝુ ઝુ ઝુ યશોદા", મેરી જંગ (૧૯૮૫)માં "ઝિંદગી હર કદમ", યાદોં કી કસમ (૧૯૮૫)માં "બૈઠ મેરે પાસ", રામ અવતાર (૧૯૮૮)માં "ઉંગલી મેં અંગૂઠી" અને રામ લખન (૧૯૮૯)માં "ઓ રામજી તેરે લખન ને" જેવા ગીતો ખૂબ જ લોકપ્રિય નીવડ્યાં હતાં. આ વર્ષોમાં લતા માટે રાહુલ દેવ બર્મનની કેટલીક રચનાઓમાં અલીબાબા ઔર ૪૦ ચોર (૧૯૮૦)માં "આજા સર-એ-બાઝાર", ફિર વોહી રાત (૧૯૮૧)માં "બિંદીયા તરસે", સિતારા (૧૯૮૧)માં "થોડી સી જમીન", રોકી (૧૯૮૧)માં "ક્યા યહી પ્યાર હૈ", લવ સ્ટોરી (૧૯૮૧)માં "દેખો મૈંને દેખા", કુદરત (૧૯૮૧)માં "તુને ઓ રંગીલે" , શક્તિ (૧૯૮૧)માં "જાને કૈસે કબ" વગેરેનો સમાવેશ થાય છે. બેતાબ (૧૯૮૩)માં "જબ હમ જવાન હોંગે", ખૂબ જ લોકપ્રિય બન્યું હતું, અગર તુમ ના હોતે (૧૯૮૩)માં "હમે ઔર જીને", માસૂમ (૧૯૮૩)માં "તુઝસે નારાઝ નહીં", બડે દિલ વાલા (૧૯૮૩)માં "કહીં ન જા", સનીમાં "જાને ક્યા બાત" (૧૯૮૪), અર્જુન (૧૯૮૫)માં "ભૂરી ભુરી આંખે", સાગર (૧૯૮૫)માં "સાગર કિનારે", સવેરેવાલી ગાડી (૧૯૮૬)માં "દિન પ્યાર કે આયેંગે" તેમના અન્ય લોકપ્રિય ગીતો છે. લતાએ રફી સાથે સ્વયંવર (૧૯૮૦)માં "મુઝે છૂ રહી હૈં", જોની આઇ લવ યુ (૧૯૮૨)માં "કભી કભી બેઝુબાન", કામચોર (૧૯૮૨)માં "તુજ સંગ પ્રીત", ખુદ્દાર (૧૯૮૨)માં "અંગ્રેજી મેં કહેતે હૈ", નિશાન (૧૯૮૩)માં "અખિયોં હી અખિયોં મેં", આખિર ક્યોં (૧૯૮૫)માં "દુશ્મન ના કરે", દિલ તુઝકો દિયા (૧૯૮૭) માં "વાદા ના તોડ", જેવા યુગલ ગીતો ગાયા હતા. બપ્પી લહિરીએ લતા માટે કેટલાક ગીતોની રચના કરી હતી, જેમાં સબૂત (૧૯૮૦)માં "દૂરિયાં સબ મીટા દો", પતિતા (૧૯૮૦)માં "બૈઠે બૈઠે આજ આયી", સમજૂતી (૧૯૮૦)માં "જાને ક્યૂં મુઝે", જ્યોતિ (૧૯૮૧)માં "થોડા રેશમ લગતા હૈ", પ્યાસ (૧૯૮૨)માં "દર્દ કી રાગિની", અને હિંમતવાલા (૧૯૮૩)માં "નૈનો મેં સપના" (કિશોર કુમાર સાથે યુગલ) નો સમાવેશ થાય છે. ખય્યામે ૮૦ના દાયકામાં પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને થોડિસી બેવફાઇ (૧૯૮૦)માં "હઝાર રાહેં મુડ" (કિશોર કુમાર સાથે યુગલગીત), ચંબલ કી કસમ (૧૯૮૦)ના "સિમટી હુયી", દર્દ (૧૯૮૧)માં "ના જાને ક્યા હુઆ", દિલ-એ-નાદાન (૧૯૮૨), "ચાંદ કે પાસ" જેવા ગીતો કમ્પોઝ કર્યા હતા. ૮૦ના દાયકા દરમિયાન લતાએ રવિન્દ્ર જૈન માટે રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫)માં "સુન સાહિબા સુન", ઉષા ખન્ના માટે શમા (૧૯૮૧)માં "ચાંદ અપના સફર", સૌતન (૧૯૮૩)માં "શાયદ મેરી શાદી" અને "ઝિંદગી પ્યાર કા" સૌતન કી બેટી (૧૯૮૩)માં "હમ ભૂલ ગયે રે" જેવા હિટ ગીતો ગાયા હતા. મંગેશકરે ચક્ર (૧૯૮૧)માં "કાલે કાલે ગેહરે સાયે", ધનવાન (૧૯૮૧)માં "યે આંખે દેખ કર" અને "કુછ લોગ મોહબ્બત કો", મશાલ (૧૯૮૪) માં "મુઝે તુમ યાદ કરના", શહેનશાહ (૧૯૮૯)માં અમર-ઉત્પલ માટે "જાને દો જાને દો મુજે", ગંગા જમના સરસ્વતી (૧૯૮૮)માં "સાજન મેરા ઉસ પાર" તથા વારિસ (૧૯૮૯)માં ઉત્તમ જગદીશ માટે "મેરે પ્યાર કી ઉમર" ગીતો ગાયા હતા. જૂન ૧૯૮૫માં, યુનાઇટેડ વે ઓફ ગ્રેટર ટોરોન્ટોએ તેમને મેપલ લીફ ગાર્ડન ખાતે કાર્યક્રમ આપવા આમંત્રણ આપ્યું હતું. એની મરેની વિનંતીથી, લતાએ પોતાનું ગીત "યુ નીડ મી" ગાયું હતું. ૧૨,૦૦ લોકોએ આ કોન્સર્ટમાં હાજરી આપી હતી, જેણે ચેરિટી માટે ૧૫૦,૦૦૦ ડૉલર એકત્ર કર્યા હતા. ૧૯૯૦ ૧૯૯૦ના દાયકામાં મંગેશકરે આનંદ-મિલિંદ, નદીમ-શ્રવણ, જતીન-લલિત, દિલીપ સેન-સમીર સેન, ઉત્તમ સિંહ, અનુ મલિક, આદેશ શ્રીવાસ્તવ અને એ. આર. રહેમાન સહિતના સંગીત દિગ્દર્શકો સાથે રેકોર્ડિંગ કર્યું હતું. તેમણે કેટલાક બિન-ફિલ્મી ગીતો રેકોર્ડ કર્યા હતા, જેમાં જગજીત સિંઘ સાથેની ગઝલોનો પણ સમાવેશ થાય છે. તેમણે કુમાર સાનુ, અમિત કુમાર, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, ઉદિત નારાયણ, હરિહરન, સુરેશ વાડેકર, મોહમ્મદ અઝીઝ, અભિજીત ભટ્ટાચાર્ય, રૂપ કુમાર રાઠોડ, વિનોદ રાઠોડ, ગુરદાસ માન અને સોનૂ નિગમ સાથે પણ ગીતો ગાયાં છે. ૧૯૯૦માં તેમણે હિન્દી ફિલ્મો માટે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું, જેણે ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ લેકિનનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મના "યારા સિલી સિલી" ગીતની પ્રસ્તુતિ માટે તેમને શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયકનો ત્રીજો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો, જેને તેમના ભાઈ હૃદયનાથ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું. તેમણે તે સમયે યશ ચોપરા અને તેમના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની લગભગ તમામ ફિલ્મો માટે ગીતો ગાયા છે, જેમાં ચાંદની (૧૯૮૯), લમ્હે (૧૯૯૧), ડર (૧૯૯૩), યે દિલ્લગી (૧૯૯૪), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫), દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને ત્યારબાદ મોહબ્બતેં (૨૦૦૦), મુઝસે દોસ્તી કરોગે (૨૦૦૨) અને વીર-ઝારા (૨૦૦૪)નો સમાવેશ થાય છે. ૧૯૯૦ દરમિયાન તેમણે રામલક્ષ્મણ સાથે પત્થર કે ફૂલ (૧૯૯૧), ૧૦૦ ડેઝ (૧૯૯૧), મહેબૂબ મેરે મહેબૂબ (૧૯૯૨), સાતવાં આસમાન (૧૯૯૨), આઇ લવ યુ (૧૯૯૨), દિલ કી બાઝી (૧૯૯૩), અંતિમ ન્યાય (૧૯૯૩), ધ મેલોડી ઓફ લવ (૧૯૯૩), ધ લો (૧૯૯૪), હમ આપકે હૈ કોન (૧૯૯૪), મેઘા (૧૯૯૬), લવ કુશ (૧૯૯૭), મનચલા (૧૯૯૯), અને દુલ્હન બનુ મૈં તેરી (૧૯૯૯) જેવી ફિલ્મોના ગીતો ગાયાં હતા. એ. આર. રહેમાને આ સમયગાળા દરમિયાન તેમની સાથે કેટલાક ગીતો રેકોર્ડ કર્યા હતા, જેમાં દિલ સેમાં "જિયા જલે", વન ટુ કા ફોર માં "ખામોશિયાં ગુનગુનાને લગી", પુકારમાં "એક તૂ હી ભરોસા", ઝુબેદામાં "પ્યારા સા ગાંવ" અને "સો ગયે હૈં", રંગ દે બસંતીમાં "લુક્કા ચુપ્પી", લગાનમાં "ઓ પલાનહારે"નો સમાવેશ થાય છે. તેણીએ "એક તુ હી ભરોસા" ગીત ગાતી વખતે ફિલ્મ પુકારમાં ઓન-સ્ક્રીન હાજરી આપી હતી. ૧૯૯૪માં તેમણે શ્રદ્ધાંજલિ – માય ટ્રિબ્યુટ ટુ ધ ઇમોર્ટલ્સ આલ્બમ પ્રદર્શિત કર્યું હતું.[૧૦૯] આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે લતા મંગેશકરે તે સમયના અમર ગાયકોને તેમના કેટલાક ગીતો પોતાના અવાજમાં રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આલ્બમમાં કે.એલ.સાયગલ, કિશોર કુમાર, મોહમ્મદ રફી, હેમંત કુમાર, મુકેશ, પંકજ મલ્લિક, ગીતા દત્ત, ઝોહરાબાઈ, અમીરબાઈ, પારૂલ ઘોષ અને કાનન દેવીના ગીતો છે. તેણે રાહુલ દેવ બર્મનના પહેલા અને છેલ્લા બંને ગીતો ગાયા હતા. ૧૯૯૪માં તેમણે રાહુલ દેવ બર્મન માટે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું "કુછ ના કહો" ગીત ગાયું હતું. ૧૯૯૯માં તેમના નામનું પરફ્યુમ બહાર પાડવામાં આવ્યું હતું. આ જ વર્ષે લાઇફટાઇમ એચિવમેન્ટ માટે તેમને ઝી સિને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૯માં તેમને રાજ્ય સભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. જો કે, તેઓ રાજ્ય સભાના સત્રોમાં નિયમિત રીતે હાજરી આપતા ન હતા, જેના કારણે ગૃહના કેટલાક સભ્યો જેવા કે, ઉપસભાપતિ નજમા હેપ્તુલ્લાહ, પ્રણવ મુખર્જી અને શબાના આઝમી દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી. તેમણે પોતાની ગેરહાજરીનું કારણ ખરાબ સ્વાસ્થ્ય ગણાવ્યું હતું. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સંસદસભ્ય તરીકે તેમણે દિલ્હીમાં પગાર, ભથ્થું કે સરકારી આવાસનો લાભ લીધો ન હતો. ૨૦૦૦ ૨૦૦૧માં લતા મંગેશકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તે જ વર્ષે, તેમણે પુણેમાં માસ્ટર દીનાનાથ મંગેશકર હોસ્પિટલની સ્થાપના કરી, જેનું સંચાલન લતા મંગેશકર મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું (જેની સ્થાપના ઓક્ટોબર ૧૯૮૯ માં મંગેશકર પરિવાર દ્વારા કરવામાં આવી હતી). ૨૦૦૫માં, તેમણે સ્વરાંજલિ નામનું જ્વેલરી કલેક્શન ડિઝાઇન કર્યું હતું, જેનું નિર્માણ ભારતીય ડાયમંડ એક્સપોર્ટ કંપની એડોરાએ કર્યું હતું. ક્રિસ્ટીઝની હરાજીમાં આ સંગ્રહમાંથી પાંચ નમૂનાઓએ ૧૦૫,૦૦૦ પાઉન્ડ એકઠા કર્યા હતા, અને આ નાણાંનો કેટલોક હિસ્સો ૨૦૦૫ના કાશ્મીર ધરતીકંપ રાહત માટે દાનમાં આપવામાં આવ્યો હતો. ૨૦૦૧માં, તેમણે લજ્જા ફિલ્મ માટે, સંગીતકાર ઇલીયારાજા સાથે પોતાનું પ્રથમ હિન્દી ગીત રેકોર્ડ કર્યું હતું; તેણીએ અગાઉ ઇલિયારાજા દ્વારા તમિલ અને તેલુગુ ગીતો રેકોર્ડ કર્યાં હતાં. તેમનું ગીત "વાદા ન તોડ" ને ફિલ્મ ઇટર્નલ સનશાઇન ઓફ ધ સ્પોટલેસ માઇન્ડ (૨૦૦૪) અને તેના સાઉન્ડટ્રેકમાં સામેલ કરવામાં આવ્યું હતું. ૨૧ જૂન, ૨૦૦૭ના રોજ, તેમણે સાદગી આલ્બમ બહાર પાડ્યું, જેમાં જાવેદ અખ્તર દ્વારા લખાયેલા અને મયુરેશ પાઇ દ્વારા કમ્પોઝ થયેલા આઠ ગઝલ પ્રકારના ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૧૦ ૧૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ લતા મંગેશકરે સરહદેં : મ્યુઝિક બિયોન્ડ બાઉન્ડ્રીઝ નામનું આલ્બમ બહાર પાડ્યું હતું, જેમાં તેમના અને મહેંદી હસનનું (પાકિસ્તાનના ફરહાદ શહજાદ દ્વારા લખાયેલું) યુગલ ગીત "તેરા મિલના બહુત અચ્છા લગે" નો સમાવેશ થાય છે. આ આલ્બમમાં ઉષા મંગેશકર, સુરેશ વાડકર, હરિહરન, સોનૂ નિગમ, રેખા ભારદ્વાજ અને અન્ય એક પાકિસ્તાની ગાયક ગુલામ અલી છે. ૧૪ વર્ષના અંતરાલ બાદ, તેમણે સંગીતકાર નદીમ-શ્રવણ માટે બેવફા (૨૦૦૫)નું "કૈસે પિયા સે" ગીત રેકોર્ડ કર્યું હતું. પેજ ૩ (૨૦૦૫) માટે "કિતને અજીબ રિશ્તે હૈં યહાં પર" અને જેલ (૨૦૦૯) માટે "દાતા સુન લે", ફિલ્મ સતરંગી પેરાશૂટ (૨૦૧૧) માટે "તેરે હસ્ને સાઇ મુઝેકો" રેકોર્ડ કર્યું હતું. વિરામ બાદ તેઓ પાર્શ્વ ગાયન ક્ષેત્રે પાછા ફર્યા હતા અને પોતાના સ્ટુડિયોમાં ડુન્નો વાય ટુ - લાઇફ ઇસ મોમેન્ટ માટે ગીત "જીના ક્યા હૈ, જાના મૈને" રેકોર્ડ કર્યું હતું. ૨૮ નવેમ્બર, ૨૦૧૨ના રોજ, તેમણે મયુરેશ પાઇ દ્વારા રચિત સ્વામી સમર્થ મહા મંત્ર નામના ભજનોના આલ્બમ સાથે પોતાનું મ્યુઝિક લેબલ, એલએમ મ્યુઝિક લોન્ચ કર્યું હતું. તેમણે આ આલ્બમમાં તેમની નાની બહેન ઉષા સાથે ગીત ગાયું હતું. ૨૦૧૪ માં, તેણીએ બંગાળી આલ્બમ, સુરોધ્વનિ''નું રેકોર્ડિંગ કર્યું હતું, જેમાં સલીલ ચૌધરીની કવિતાનો સમાવેશ થાય છે, જેને પાઇ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતું. ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ લતા મંગેશકરે ભારતીય સેના અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ રૂપે મયુરેશ પાઇ દ્વારા રચિત "સૌગંધ મુઝે ઇઝ મિટ્ટી કી" ગીત રજૂ કર્યું હતું. ગીતો ગુજરાતી ગીતો માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે દીકરી તો પારકી થાપણ કહેવાય વૈષ્ણવ જન તો હે કાનુડા તોરી ગોવાલણ હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે માંદગી અને અવસાન ૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ લતા મંગેશકરને હળવા લક્ષણો સાથે કોરોનાવાયરસ સંક્રમણનું નિદાન થયું હતું અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં "નજીવો સુધારો" થયા બાદ તેમનું વેન્ટિલેટર હટાવી દેવાયું હતું; જો કે, તેણીની તબિયત લથડ્યા બાદ, ૫ ફેબ્રુઆરીએ ફરીથી તેમને વેન્ટિલેટર હેઠળ મૂકવામાં આવ્યા હતા. ન્યુમોનિયા અને કોવિડ-૧૯ માટે સતત ૨૮ દિવસની સારવાર લીધા બાદ ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૯૨ વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમથી તેમનું અવસાન થયું હતું. લતા મંગેશકરના અવસાનના પગલે ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. સમગ્ર ભારતમાં ૬થી ૭ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો અને મુખ્યમંત્રીઓ, ભારતીય સંગીત ઉદ્યોગ, ભારતીય ફિલ્મ ઉદ્યોગના સભ્યો, હસ્તીઓ, ચાહકો અને ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી ધારણ કરી લતાજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા, શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા તે જ દિવસે મુંબઈના શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંગેશકરની બહેનો આશા ભોંસલે અને ઉષા મંગેશકર, દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે, શરદ પવાર, શાહરુખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, વિદ્યા બાલન, શ્રદ્ધા કપૂર, સચિન તેંડુલકર, અનુરાધા પૌડવાલ સહિત અનેક મહાનુભાવો અને પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ, મંગેશકરના અસ્થિઓનું તેમની બહેન આશા ભોંસલે અને ભત્રીજા આદિનાથ મંગેશકર દ્વારા નાસિકના રામકુંડ ખાતે ગોદાવરી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પુરસ્કાર અને સન્માન thumb|right|૨૦૧૩માં 'દીનાનાથ મંગેશકર એવોર્ડ્સ'ની ઘોષણામાં લતા મંગેશકર|200px લતા મંગેશકરે અનેક પુરસ્કારો અને સન્માનો જીત્યા હતા. જેમાં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન, (૨૦૦૧) પદ્મભૂષણ (૧૯૬૯), પદ્મવિભૂષણ (૧૯૯૯), લાઇફટાઇમ એચિવમેન્ટ્સ માટે ઝી સિને એવોર્ડ (૧૯૯૯), દાદાસાહેબ ફાળકે એવોર્ડ (૧૯૮૯), મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ (૧૯૯૭), એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૧૯૯૯), લિજન ઓફ ઓનર (૨૦૦૭), એએનઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૨૦૦૭), ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ૧૫ બંગાળ પત્રકાર સંઘ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેમણે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયિકા તરીકે ચાર ફિલ્મફેર એવોર્ડ્સ પણ જીત્યા હતા. ૧૯૯૩માં તેમને ફિલ્મફેર લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અને ૧૯૯૪ અને ૨૦૦૪માં ફિલ્મફેર વિશેષ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૮૪માં મધ્યપ્રદેશ રાજ્ય સરકારે તેમના સન્માનમાં 'લતા મંગેશકર પુરસ્કાર'ની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ ૧૯૯૨માં 'લતા મંગેશકર એવોર્ડ'ની સ્થાપના કરી હતી. ૨૦૦૯ માં, તેણીને ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર, 'ઓફિસર ઑફ ધ ફ્રેન્ચ લિજન ઓફ ઓનર' ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૧૨માં, આઉટલુક ઇન્ડિયાના શ્રેષ્ઠતમ ભારતીય સર્વેક્ષણમાં તેણીને ૧૦મા ક્રમે મૂકવામાં આવ્યા હતા. તેમને ૧૯૮૯માં સંગીત નાટક અકાદમી ઉપરાંત કોલ્હાપુરની ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય, ખૈરાગઢ અને શિવાજી યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા શ્રેણી:ભારતીય મહિલા ગાયકો શ્રેણી:બોલીવુડ શ્રેણી:૧૯૨૯માં જન્મ શ્રેણી:૨૦૨૨માં મૃત્યુ શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા
આશા ભોંસલે
https://gu.wikipedia.org/wiki/આશા_ભોંસલે
આશા ભોંસલે () (જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાંગલી, મહારાષ્ટ્ર, ભારત.) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે. સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે. જાણીતા ગુજરાતી ગીતો છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત. તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે. ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર. ઉંચી તલાવડીની કોર, પાણી ભરતાં. સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા. દાદા હો દીકરી. છાનું રે છપનું કંઇ થાય નહિં. ખમ્મા મારા નંદજીના લાલ. પિયરને પિપળેથી આવ્યું પારેવડું. મારા રામ તમે સિતાજીની તોલે ન આવો. સંદર્ભ બાહ્ય કડી શ્રેણી:કલા શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:બોલીવુડ શ્રેણી:ભારતીય મહિલા ગાયકો શ્રેણી:૧૯૩૩માં જન્મ શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા શ્રેણી:ફિલ્મફેર પુરસ્કારોના વિજેતાઓ શ્રેણી:જીવિત લોકો શ્રેણી:મરાઠી લોકો
સચિન તેંડુલકર
https://gu.wikipedia.org/wiki/સચિન_તેંડુલકર
સચિન રમેશ તેંડુલકર (મુંબઈ ખાતે, જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩) એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા. તેંડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખાય છે. સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે.. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે. ૨૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેંડુલકરે 30,000 રન પુરા કર્યાં. ૧૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના બ્રાયન લારા ના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં ૧૨૦૦૦ રન પૂર્ણ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પાર કરનાર ત્રીજો બેટ્સમેન અને પ્રથમ ભારતીય છે. આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કરનારા તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક ૧૦૦૦૦ રનના સિમાચિહ્નનને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫૦ રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે ૧૦ ટેસ્ટ શતકો નોંધાવવાના ૭૦ વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી. તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી, અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી, જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો. તેંડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા. શરૂઆતનાં વર્ષો અને વ્યક્તિગત જીવન તેંડુલકરનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ બોમ્બે (હાલના મુંબઈ) ખાતે રાજાપુર સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. Mangalore Today News Network – Sachin Tendulkar celebrates twenty glorious years of cricketIndia4u – Biography of Sachin Tendulkar એવા તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમણે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડ્યું હતું. તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન નામે એક ભાઈ અને સવિતાઇ નામે એક બહેન હતા.તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી, બાન્દ્રા (પૂર્વ), મુંબઈ માં પોતાના શરૂઆતના વર્ષો ગાળ્યા.તેમણે જહોન મેકએનોરે ને આદર્શ ગણી ટેનિસમાં રૂચિ દેખાડી હતી. તેંડુલકર શારદાશ્રમ વિદ્યામંદિર માં (હાઇસ્કૂલ) અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરૂ રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળા ના દિવસો દરમિયાન તેમણે ઝડપી ગોલંદાજ ની તાલિમ લેવા માટે એમઆરએફ પેસ ફાઉન્ડેશન માં જોડાયા હતા,પરંતુ 3૫૫ ટેસ્ટ વિકેટો નો વિક્રમ ધરાવનારા ડેનિસ લિલી પર તેઓ અસર ઉપજાવી શક્યા ન હતા અને લિલી એ તેમને બેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું. તેંડુલકર જ્યારે યુવા વય ના હતા ત્યારે તેઓ નેટ્સ માં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા. જો એ થાકી જાય તો આચરેકર એક રૂપિયા નો સિક્કો સ્ટમ્પ ના ટોચ પર મુકતા, અને જે ગોલંદાજ તેંડુલકર ને આઉટ કરે તેને તે સિક્કો મળતો. જો તેડુંલકર આઉટ થયા વગર બધા જ રાઉન્ડ પાસ કરે તો તે સિક્કો કોચ તેને આપતા. તેડુંલકર તેવા જીતેલા ૧૩ સિક્કાને પોતાની કીમતી સંપત્તિ માને છે. શાળા માં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળક તરીકે નામના ધરાવતા હતા. મુંબઇ ના વર્તુળો માં તેઓ વાતચીત નો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉ થી એવું માનતા કે ભવિષ્ય માં તેઓ મહાન ખેલાડી બનશે. વર્ષ ૧૯૮૮ તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું. જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સ માં સદી ફટકારી હતી. ૧૯૮૮ માં લોર્ડ હેરિસ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ મેચ માં નોંધાયેલી ૬૬૪ રન ની અખંડિત ભાગીદારી માં તેંડુલકર અને તેમના મિત્ર અને ટીમ ના સાથી વિનોદ કામ્બલી સંકળાયેલા હતા. કામ્બલી એ પણ ભારતીય ટીમનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. આ આક્રમક જોડીએ એક બોલર ને રડાવી દીધો હતો અને વિરોધી ટીમ ને રમત બંધ કરવા પર મજબૂર બનાવી દીધી હતી. તેંડુલકરે તે ઇનિંગ્સ માં 3૨૬* તેમજ તે ટુર્નામેન્ટ માં એક હજાર ઉપર રન કર્યાં હતા. ૨૦૦૬ સુધી આ ભાગીદારી ક્રિકેટ ના કોઇ પણ સ્વરૂપ ની સૌથી મોટી હતી. ભારત ના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચ માં અંડર-૨૩ ની જોડી એ આ વિક્રમ તોડ્યો હતો. તેઓ જ્યારે ૧૪ વર્ષ ના હતા ત્યારે ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે તેમના પોતાના અલ્ટ્રા લાઇટ પેડ્સ ની એક જોડી તેને આપી હતી. આ ઘટના ના ૨૦ વર્ષ પછી ગાવસ્કર નો ૩૪ ટેસ્ટ સદીઓ ફટકારવા નો વિશ્વ વિક્રમ તોડ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તે મારા માટે સૌથી મોટી પ્રોત્સાહક પળ હતી. ૧૯૯૫ માં સચિન તેંડુલકર પિડીયાટ્રિશીયન અને ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા ની દિકરી અંજલી ને (જન્મ ૧૦ નવેમ્બર, ૧૯૬૭) પરણ્યા હતા. તેઓના બે બાળકો છે, સારા (જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૯૭)અને અર્જુન (જન્મ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૯). તેંડુલકર તેમના સાસુ અન્નાબેન મહેતા સાથે જોડાયેલા મુંબઇ સ્થિત એનજીઓ અપનાલય દ્વારા દર વર્ષે ૨૦૦ અસંસ્કૃત બાળકોને સ્પોન્સર કરે છે. શરૂઆતની રાષ્ટ્રીય કારકિર્દી ડીસેમ્બર ૧૧, ૧૯૮૮, ના રોજ માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ ના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બે ની મેચ માં અણનમ ૧00 રન બનાવ્યા, જેણે તેને પ્રથમ શ્રેણી ના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર બનાવ્યો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેઓધર એન્ડ દુલીપ ટ્રોફી માં પણ સદી ફટકારી.. મુંબઈ ના કેપ્ટન દિલીપ વેન્ગસરકારે તેને નેટ માં કપિલ દેવ સાથે રમતા જોઈ ને સિલેક્ટ કર્યો. ,અને બોમ્બે ના સૌથી વધારે રન સાથે શ્રેણી સમાપ્ત કરી. તેણે ઈરાની ટ્રોફી ફાઈનલ માં અદ્વિતીય સદી ફટકારી હતી, અને તે પછી ના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણી ની સીઝન પછી પાકિસ્તાન ટુર માટે ચૂંટાયો હતો. તેમણે કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય. ૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા. આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂઆત ની કારકિર્દી તેંડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૮૯ માં 16 વરસ ની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ માં ક્રિકેટ માં પ્રવેશ કરનારા વકાર યુનિસ ની બોલિંગ માં તેઓ ૧૫ રન બનાવી આઉટ થયા હતા,પરંતુ પાકિસ્તાન ના બોલિંગ આક્રમણ દરમિયાન તેમના શરીર પર કરવા માં આવેલા પ્રહારો વિરૂદ્ધ નોંધપાત્ર રીતે પોતાની જાતને સંભાળી હતી. સીઆલકોટ ની ફાઈનલ મેચ માં એક બાઉન્સર બોલ તેમના નાક પર વાગતા તેમને નાક માંથી લોહી નીકળ્યું હતું છતાં તેમને સારવાર લેવાની ના પાડી ને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પેશાવર માં ૨૦ ઓવર ની પ્રદર્શન રમત માં, તેંડુલકરે ૧૮ બોલ માં ૫૩ રન ફટકાર્યા જેમાં અબ્દુલ કાદિર ની એક ઓવર પણ સામેલ છે જેમાં તેમણે ૨૮ રન ફટકાર્યા. જેના પર પાછળ થી ભારતીય કેપ્ટન ક્રીસ શ્રીકાંત નું કેહવું હતું કે આ અત્યાર સુધી ની સર્વોત્તમ શ્રેણી માં ની એક છે. બધા માં, તેમણે ટેસ્ટ શ્રેણી માં ૨૧૫ રન ૩૫.૮૩ ની એવરેજ થી કર્યા, અને એક પણ રન કર્યા વગર એક માત્ર એક દિવસીય આંતરરાષ્ટ્રીય માં થી આઉટ થયી ગયા. આ શ્રેણી પછી તેમણે ન્યુઝીલેન્ડ માં ૮૮ ની બીજી ટેસ્ટ શ્રેણી સાથે ૨૯.૨૫ ની એવરેજ થી ૧૧૭ રન ફટકાર્યા. તેમાં તે બે એક દિવસીય મેચ રમ્યા જે માંથી એક માં તે એક પણ રન કર્યા વગર ડીસમીસ થઇ ગયા અને બીજા માં 36 રન કર્યા હતા. તેમની તે પછી ની ૧૯૯૦ ની ઇંગ્લેન્ડ ટુર માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ૧૧૯* રન મારી ને તે બીજા સૌથી યુવાન ક્રિકેટર બની ગયા.વિઝડને તે શ્રેણી માટે જણાવ્યું "બહુ પરિપક્વતા નું એક અનુંસાસિત પ્રદર્શન" અને લખ્યું: તેંડુલકરે ૧૯૯૧-૧૯૯૨ ની ઓસ્ટ્રેલિયા ની ટુર વખતે વધુ વિકાસ કર્યો જયારે તેણે સિડની માં પર્થ ની બાઉન્સિંગ પીચ પર અજોડ 148 ફટકાર્યા. આ સમયે મર્વ હ્યુજીસે [[એલન બોર્ડરને]] કહ્યું હતું કે આ નાનો છોકરડો તારા કરતા વધુ રન બનાવશે, એબી. રેન્કમાં સુધારો thumb|સચિન તેંડુલકર બોલરના છેડા તરફ રાહ જોતા ૧૯૯૪-૧૯૯૯ ના વર્ષો દરમિયાન તેંડુલકર નો દેખાવ તેના શારિરીક વિકાસ ની સાથે ઝડપથી વિકાસ પામતો હતો. ૧૯૯૪ માં હિંદુઓ ના તહેવાર હોળી ના દિવસે તેંડુલકરને ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઇનિંગ્સ ની શરૂઆત કરવાનું કહેવા માં આવ્યું. તેમણે ફક્ત ૪૯ બોલમાં ૮૨ રન બનાવ્યા. તેમણે શ્રીલંકા ના કોલમ્બો ખાતે ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બર ૯, ૧૯૯૪ ના રોજ પ્રથમ વનડે સદી નોંધાવી હતી. તેમણે ૭૯ વનડે મેચો બાદ સદી નોંધાવી હતી. ૧૯૯૬ માં પાકિસ્તાન સામે શારજાહ માં ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન એક દુર્બળ વખત માંથી પસાર થઇ રહ્યા હતા. તેંડુલકર અને નવજોત સિંઘ સિદ્ધુએ સદીઓ ફટકારી બીજી વિકેટ માટે વિક્રમજનક ભાગીદારી નોંધાવી હતી. આઉટ થયા બાદ, તેંડુલકરે અઝરુદ્દીનને બેટિંગ અંગે દ્વિધા માં પડેલો જોયો. તેંડુલકરે અઝરુદ્દીન ને બેટિંગ માટે પ્રોત્સાહન આપ્યું અને અઝરુદ્દીને ફક્ત ૧૦ બોલમાં જ ૨૯ રન ફટકારી દીધા. તેને પગલે ભારતે પ્રથમ વખત ૩૦૦ થી વધુનો સ્કોર બનાવ્યો. આ મેચમાં ભારતે જીત મેળવી હતી. ૧૯૯૬ ના ક્રિકેટ વિશ્વ કપ માં બે સદીઓ અને ટોચ ની બેટિંગ સરેરાશ સાથે તેંડુલકરે ટુર્નામેન્ટ માં સૌથી વધુ રન બનાવ્યા અને ક્રિકેટ વિશ્વ માં તેમની વૃદ્ધિ સતત થતી રહી. તે વિશ્વકપ ની ઓછી જાણીતી સેમિફાઇનલ માં સારો દેખાવ કરનારા તે એકમાત્ર બેટ્સમેન હતા. જ્યારે તેંડુલકર ની વિકેટ પડી ત્યારબાદ બધા જ ખેલાડીઓ ના પતન ની શરૂઆત થઇ ગઇ અને પરિણામે ભારતે હારનો સામનો કરવો પડ્યો અને તેને પગલે પ્રેક્ષકોએ હુરિયો બોલાવી વિરોધ નોંધાવ્યો. ૧૯૯૮ માં ઓસ્ટ્રેલિયા ના પ્રવાસ દરમિયાન તેંડુલકરે સતત 3 સદી ફટકારતા બેટિંગ વિશ્વના ટોચ ના સ્થાન ના સમયગાળા ની તે શરૂઆત હતી. ઓસ્ટ્રેલિયા ના સ્પીનરો શેન વોર્ન અને ગેવિન રોબર્ટ્સન સામે આક્રમક વલણ અપનાવવા ના અગાઉથી કરાયેલા આયોજન તેની એક ઓળખ છે, જેમની સામે તેઓ હંમેશા ઉંચા ફટકા મારતા. આ આયોજન કામ કરી જતા ભારતે ઓસ્ટ્રેલિયા ને હરાવી દીધું. આ ટેસ્ટ મેચ ની સફળતા બાદ શારજાહ ખાતે તેમણે બે ઝમકદાર ઇનિંગ્સ રમી, જેમાં તેમણે જીતવી જ પડે તેવી મેચો માં સતત બે સદીઓ નોંધાવી અને ફાઇનલ મેચ માં ઓસ્ટ્રેલિયા સામે ફરી શેન વોર્ન ને માનસિક રીતે હતાશ બનાવી દીધો. આ શ્રેણી બાદ વોર્ને શોકાતુર મજાક કરી હતી કે તેને ભારતીય દેવતાના ભયંકર સપના આવે છે. તેનો તે શ્રેણી માં બોલ સાથે પણ સારો રોલ રહ્યો હતો, જેણે એક દિવસીય મેચ માં 5 વિકેટ ધોઈ કાઢી હતી. ઓસ્ટ્રેલિયા ની પાસે જીતવા માટે ૩૧0 રન નો ટાર્ગેટ હતો અને 3૧ ઓવર માં ૨૦૩ રન અને 3 વિકેટ સાથે આરામ થી રમી રહ્યું હતું તે પછી તેંડુલકરે માત્ર ૧૦ ઓવર માં ૩૨ જ રન આપી ને માઈકલ બેવન, સ્ટીવ વો, ડેરેન લેહમેન, ટોમ મૂડી અને ડેમીઅન માર્ટીન ની વિકેટ લઇ ને મેચ ભારત તરફ વાળી દીધી. તેંડુલકરે ઢાકા ખાતે આઇસીસી 1998 ની ક્વોટર ફાઇનલમાં ફક્ત ૧૨૮ બોલ માં ૧૪૧ રન ફટકાર્યા બાદ ઓસ્ટ્રેલિયા ની ચાર વિકેટ ઝડપી એકલે હાથે મેચ જીતાડી સેમિફાઇનલમાં ભારત ના પ્રવેશ નો માર્ગ સરળ કર્યો હતો. ૧૯૯૯ માં પાકિસ્તાન જ્યારે ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે સચિનને પીઠ ના દુખાવાનો પ્રશ્ન ઉભો થયો. આ મેચ માં સચિને સદી મારી હોવા છતાં ભારતે ચેપોક ખાતે ની એ ઐતિહાસિક મેચ ગુમાવી દીધી હતી. ૧૯૯૯ ના ક્રિકેટ વિશ્વ કપના મધ્ય ભાગ માં તેંડુલકર ના પિતા પ્રોફેસર રમેશ તેડુંલકર નું મૃત્યું થયું ત્યારે વધુ ખરાબ પરિસ્થિતી નું નિર્માણ થયું. તેંડુલકર ઝીમ્બાવે સામે ની મેચ છોડી ને પિતા ના અંતિમ સંસ્કાર કરવા માટે પાછો ભારત આવી ગયો. આમ છતાં તેમણે બ્રિસ્ટલ ખાતે કેન્યા સામે ની પછી ની મેચ માં સદી (૧૦૧ બોલ માં અણનમ ૧૪0) ફટકારી આક્રમકતા સાથે પરત ફર્યા. તેમને આ સદી પોતાના પિતા ને અર્પણ કરી. કપ્તાનપદ ભારતીય ક્રિકેટ ટીમ ના કપ્તાન તરીકે ના તેંડુલકર ના બે સમયગાળા બહુ સફળ રહ્યા ન હતા. ૧૯૯૬ માં જ્યારે તેંડુલકર ને કપ્તાનપદ સંભાળ્યું ત્યારે તેના પ્રત્યે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. આમ છતાં ૧૯૯૭ થી ટીમનો દેખાવ ખૂબ નબળો રહ્યો. તે સમયે અઝરુદ્દીને કહ્યું હતું કે "નહીં જીતેગા! છોટે કી નસીબ મેં જીત નહી હે!" , જેનું ગુજરાતી થાય છે: "તે નહી જીતે! નાના ના નસીબ માં જીત નથી". તેંડુલકરે તેના બીજા કાર્યકાળ દરમિયાન અઝરૂદ્દિન ના સ્થાને કપ્તાન પદ સંભાળ્યું જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે ગયું હતું. ભારત ને નવા વિશ્વવિજેતાઓ એ ૩-0 થી મક્કમ માત આપી હતી. છતાં તેંડુલકર દરેક વખત ની જેમ તેના બેસ્ટ પ્રદર્શન પર હતો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડસ રમતોમાં ની કોઈ એક માં જીત્યો હતો. ભારત માં દક્ષિણ આફ્રિકા સામે ૦-૨ થી બીજી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ તેંડુલકરે કપ્તાન પદે થી રાજીનામું આપ્યું અને સૌરવ ગાંગુલીએ ૨૦૦૦ માં કપ્તાન પદ સંભાળ્યું. તેંડુલકર ભારતીય ટીમની વ્યૂહાત્કમ પ્રક્રિયાઓ ના એક મહત્વ ના ભાગ હતા. તેઓ ને ઘણી વાર કપ્તાન સાથે વ્યૂહો ઘડતા અને ચર્ચા કરતા જોવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે જાહેર માં કબૂલ્યું હતું કે તેંડુલકરે ઇરફાન પઠાણ ને ઉપર ના ક્રમે બેટિંગ માં મોકલવા ના કરેલા સૂચન નો અમલ કામચલાઉ રીતે થયો હોવા છતાં તે ટીમ ના ભવિષ્ય માટે તાત્કાલિક અસર ઉપજાવનારો રહ્યો હતો. ઇજાઓ તેંડુલકર નો ટેસ્ટ ક્રિકેટ માં સારો દેખાવ ૨૦૦૧ અને ૨૦૦૨ માં બેટ અને બોલ વડે કેટલીક મહત્વ ની ભૂમિકાઓ સાથે સતત ચાલુ રહ્યો. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે૨૦૦૧ માં રમાયેલી જાણીતી કોલકાતા ટેસ્ટ ના અંતિમ દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. તેંડુલકરે મેથ્યુ હેડન અને એડમ ગિલક્રીસ્ટ ની ચાવીરૂપ વિકેટો ઝડપી, જેમણે અગાઉ ની ટેસ્ટ માં સદી ફટકારી હતી. તેંડુલકરે 2003 ના ક્રિકેટ વિશ્વ કપ માં ૧૧ મેચ માં ૬૭૩ રન બનાવ્યા અને તેને સહારે ભારત ફાઇનલ સુધી પહોંચ્યું. ઓસ્ટ્રેલિયા એ ૧૯૯૯ માં જીતેલી ટ્રોફીનું પુનરાવર્તન કર્યુ અને તેંડુલકર ને મેન ઓફ ધી ટુર્નામેન્ટ એવોર્ડ થી નવાજવા માં આવ્યો. ૨૦૦૩/0૪ માં ભારતની તૈયાર શ્રેણી ની ઓસ્ટ્રેલીયા ની સફર માં છેલ્લી ટેસ્ટ શ્રેણી માં સિડની માં તેંડુલકરે ૨૪૧* રન ફટકારી ને પોતાનું સ્થાન જમાવી દીધું જેણે ભારત ને અણનમ સ્થિતિ માં લાવી દીધા. બીજી ઇનિંગ્સ માં પણ તેમણે અણનમ ૫0 રન નોંધાવ્યા અને આગામી શ્રેણી માં મુલતાન ખાતે પાકિસ્તાન વિરૂદ્ધ અણનમ ૧૯૪ રન ફટકાર્યા. તેંડુલકર જ્યારે બેવડી સદી સુધી પહોંચવા ની તૈયારી માં હતા ત્યારે રાહુલ દ્રવિડે દાવ પૂરો થયાની જાહેરાત કરતા ૧૯૪ રન ની ઇનિંગ્સ વિવાદિત રહી હતી. તે દિવસે સાંજે પ્રેસ સાથે ની મુલાકાત માં પાકિસ્તાન સામે ની બેવડી સદી ૨૦૦ રન મિસ કરવા ના પ્રશ્ન સામે જણાવ્યું કે તે દાવ પુરા થયા ની જાહેરાતે તેણે અચંબા માં મૂકી દીધેલો અને તે ઘણો નિરાશ થયો હતો. ઘણા પૂર્વ ક્રિકેટરો ના કહેવા પ્રમાણે દ્રવિડ ની ઘોષણા યોગ્ય ઘોષણા હતી. મીડિયા ના કેહવા પ્રમાણે ઘોષણા જાણીતી રીતે સૌરવ ગાંગુલી દ્રારા કરવામાં આવી હતી, અને ગાંગુલીએ પાછળ થી પોતે તેમ પણ કહ્યું હતું કે તે એક ભૂલ હતી. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને કોચ જ્હોન રાઇટે જ્યારે ટીમ ના વિજય પછી આ બાબત આંતરિક મામલો હોવાનું જણાવ્યા બાદ આ વિવાદ નો અંત આવ્યો હતો. તેંડુલકર ધરખમ ફોર્મ માં હોવા છતાંટેનીસ એલ્બો ની ઇજા ને કારણે વર્ષ ની મોટા ભાગ ની મેચ માં તેઓ ટીમ ની બહાર રહ્યા હતા અને ૨૦૦૪ માં ઓસ્ટ્રેલિયા ભારત ના પ્રવાસે આવ્યું ત્યારે છેલ્લી બે ટેસ્ટ માં તેમનું પુનરાગમન થયું હતું. મુંબઇ માં મળેલા વિજય માં તેમણે મોટો ફાળો આપ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયા તે શ્રેણી ૨-1 થી જીતી ગયું હતું. ૧0 ડિસેમ્બર, ૨00૫ ના રોજ ફીરોઝ શાહ કોટલા ખાતે તેંડુલકરે શ્રીલંકા સામે વિક્રમસર્જક 3૫મી ટેસ્ટ સદી નોંધાવી હતી. 6 ફેબ્રુઆરી, ૨00૬ ના રોજ તેમણે પાકિસ્તાન સામે 3૯મી વનડે સદી નોંધાવી હતી. તે પછી તેમણે ૧૧ ફેબ્રુઅરી, ૨૦૦૬, ના દિવસે પાકિસ્તાન સામે ની એક બીજી એક દિવસીય અંતરરાષ્ટ્રીયમાં રન-અ-બોલ ૪૨, અને પછી લાહોર માં 95 શત્રુતાપુર્વક જેણે 13 ફેબ્રુઅરી, ૨00૬ એ ભારત ના વિજય ની સ્થાપના કરી. ૧૯ માર્ચ, 2006 ના રોજ સ્થાનિક ગ્રાઉન્ડ વાનખેડે પર ઇંગ્લેન્ડ સામે ની ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવ માં સચિને નોંધાવેલા ૨૧ બોલમાં ૧ રનને કારણે પ્રેક્ષકો ના એક ટોળા એ સચિન નો હુરિયો બોલાવ્યો હતો. આ પ્રકાર નો તિરસ્કાર સચિને પ્રથમ વાર અનુભવ્યો હતો. તેંડુલકર એક પણ અર્ધ શતક માર્યા વગર ત્રણ ટેસ્ટ શ્રેણી પતાવા ના હતા અને તેમના ખભા ના ઓપરેશન ની ખબર બહાર પડી જેણે તેમની ક્રિકેટ ની લાંબી જિંદગી પર સવાલ ઉઠાવ્યો. તેંડુલકર ના ઘાયલ ખભા પર શસ્ત્રક્રિયા કરવા માં આવી. જૂલાઇ ૨૦૦૬ માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ(બીસીસીઆઇ) એવી જાહેરાત કરી હતી કે સુધારણા કાર્યક્રમ બાદ સચિન તેની ખભા ની ઇજા માંથી બહાર આવી ગયો છે અને પંસદગી માટે પ્રાપ્ય છે અને અંતે આગામી શ્રેણી માટે તેની પસંદગી થઇ હતી. પુનરાગમન મલેશિયા માં યોજાયેલા ડીએલએફ કપ માં તેંડુલકર નું પુનરાગમન થયું અને સારો દેખાવ કરનારા તેઓ એકમાત્ર ભારતીય બેટ્સમેન હતા. પુનરાગમન બાદ ની પ્રથમ મેચ માં ૧૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે તેંડુલકરે ૪0મી વનડે સદી ફટકારીને તેના ટીકાકારો ને જડબાતોડ જવાબ આપ્યો હતો. સચિને અણનમ ૧૪૧ રન નોંધાવ્યા હોવા છતાં વરસાદ ને કારણે અટવાયેલી મેચ વેસ્ટ ઇન્ડિઝ ડકવર્થ-લુઇસ પદ્ધતિ ને આધારે જીતી ગયું. ૨૦૦૭ ના ક્રિકેટ વિશ્વ કપ ની તૈયારીઓ દરમિયાન ગ્રેગ ચેપલે તેંડુલકર ના અભિગમ વિષે ટીકા કરી હતી. અહેવાલ મુજબ ચેપલ એવું માનતા હતા કે તેંડુલકર નીચેના ક્રમે સારો દેખાવ કરી શકે છે, જ્યારે અન્ય લોકોના મતે તે ઓપનીંગ બેટ્સમેન તરીકે સારી કામગીરી કરે છે, જે ક્રમે તેઓ મોટે ભાગે રમતા આવ્યા છે. ચેપલ એવું પણ માનતા કે તેંડુલકર ની સતત નિષ્ફળતા ટીમ ની તકો પર અસર કરી રહી છે. બહુ ઓછી જોવા મળે તેવી ઘટના માં તેંડુલકરે ચેપલ ની વાત નો એવું કહેતા જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી ના કોઇ પણ કોચે તેના અભિગમ સામે વાંધો ઉઠાવ્યો નથી. ૭ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ બીસીસીઆઇ એ તેંડુલકર ને માધ્યમો સામે કરેલી ટિપ્પણી માટે નો ખુલાસો માગતી નોટિસ આપી હતી. વેસ્ટ ઇન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપ ૨00૭ માં તેંડુલકર અને રાહુલ દ્રવિડ ની આગેવા ની હેઠળ ની ભારતીય ક્રિકેટ ટીમ નો દેખાવ સામાન્ય સ્તરનો રહ્યો. ગ્રેગ ચેપલ દ્વારા દબાણપૂર્વક નીચેના ક્રમે બેટિંગ માં મોકલાતા તેંડુલકરે (બાંગ્લાદેશ સામે) ૭, (બર્મુડા સામે) અણનમ ૫૭ અને (શ્રીલંકા સામે) 0 રન નોંધાવ્યા હતા. તેના પરિણામે ભારતીય ટીમ ના પછી ના કોચ ગ્રેગ ચેપલ ના ભાઈ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન ઇયાન ચેપલે મુંબઇ ના મિડ ડે સમાચારપત્ર માં તેંડુલકર ને નિવૃત્તિ જાહેર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશ સામે ની શ્રેણી માં તેંડુલકર ઓપનીંગ બેટિંગ માં પરત ફર્યા અને મેન ઓફ ધી સિરીઝ બન્યા. દક્ષિણ આફ્રિકા સામે ફ્યુચર કપ દરમિયાન તેમણે સતત બે વાર ૯૦ થી વધુ રન માર્યા. તેઓ સૌથી વધુ રન નોંધાવનારા ખેલાડી હતા અને તેમને મેન ઓફ ધી સિરીઝ તરીકે નવાજવા માં આવ્યા. thumb|right|2008 માં એસસીજી ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેંડુલકરે 38મી ટેસ્ટ સદી પૂરી કરી અને તેઓ ૧૫૪ રને અણનમ રહ્યા. ૨૮ જૂલાઇ, ૨૦૦૭ ના રોજ નોટિંગહામ ટેસ્ટના બીજા દિવસે તેંડુલકર ૧૧000 ટેસ્ટ રન પૂર્ણ કરનારા ત્રીજા બેટ્સમેન બન્યા. તે પછી ની ઇંગ્લેન્ડ સામે ની સળંગ એક દિવસીય શ્રેણી માં તેંડુલકર ૫3.૪૨ ની એવરેજ સાથે ભારત તરફ થી પ્રમુખ રન સ્કોરર રહ્યા હતા. ઓક્ટોબર ૨૦૦૭ માં ઓસ્ટ્રેલિયા સામે ની વનડે સિરીઝ માં તેંડુલકર કુલ ૨૭૮ રન સાથે સૌથી વધુ રન નોંધાવનાર બેટ્સમેન હતા. ૨00૭ માં તેંડુલકર સાત વખત ૯૦ થી 100 રનના ગાળા માં આઉટ થયા, જેમાં ત્રણ વખત ૯૯ રન નો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો એ એવું સૂચન કર્યું હતું કે તેની કારકિર્દી ના આ તબક્કા માં તે સદી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેંડુલકર તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માં 23 વખત ૯0 થી ૧00 રન ના ગાળા માં આઉટ થયા છે. ૮ નવેમ્બર, ૨00૭ ના રોજ તેઓ મોહાલી ખાતે પાકિસ્તાન સામે વનડેમાં ઉમર ગુલ ની બોલિંગ માં કામરાન અકમલ ના હાથે ૯૯ રન ના સ્કોરે કેચ આઉટ થયા હતા. ચોથી વનડે માં તેઓ ઉમર ગુલ ની બોલિંગ માં ૯૭ રન ના (૧૧૬ ચોગ્ગા સાથે ૧૦૨ બોલ માં) સ્કોરે બોલ્ડ આઉટ થયા હતા અને ૨00૭ માં વનડે માં બીજી વાર સદી કરવા માં નિષ્ફળ નિવડ્યા હતા. ૨૦૦૭/૦૮ ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ૨00૭-0૮ માં ચાર ટેસ્ટ ની બીજી ઇનીંગ માં સદંતર નિષ્ફળતા છતાં ૪૯૩ રન સાથે શ્રેણી માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ને અસામાન્ય દેખાવ કર્યો. સચિન મેલબોર્ન માં મીલીગ્રામ માં પહેલી ટેસ્ટ ની પહેલી પરી માં ૬૨ રનબનાવ્યા,પણ રોક નથી ચાલી સકતી એક ભારે 33૭ રન ઓસ્ટ્રેલીયા ને માટે નથી જીતી સકતા. સિડની ખાતે રમાયેલી વિવાદાસ્પદ ટેસ્ટમાં સચિને અણનમ ૧૫૪ રન નોંધાવ્યા હતા અને ભારત મેચ હારી ગયું હતું. આ એસસીજી ના ગ્રાઉન્ડ પરની તેની ત્રીજી સદી હતી અને તેને પગલે ગ્રાઉન્ડ પરની તેની સરેરાશ ૨૨૧.33 હતી. પર્થ માં વાકા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ માં સચિને ઝમકદાર ઇનીંગ માં ૭૧ રન નોંધાવી ભારત ના પ્રથમ દાવ ના સ્કોર 330 રન માં મહત્વ નો ફાળો આપ્યો. તેમને એલબીડબ્લ્યૂ દ્વારા આઉટ આપવા માં આવ્યા હતા અને પાછળ થી આ નિર્ણય પર પ્રશ્નો ઉઠ્યા હતા. ભારત ને વાચા માં એક ઐતિહાસિક જીત લખી હતી.એડીલેડ ,જો કે એક આકર્ષિત માં સમાપ્ત માં ચૌથી ટેસ્ટ માં તેઓએ પહેલી પારી માં ૧૫૩ રન બનાવ્યા વી.વી.એસ.લક્ષ્મણ ની સાથે એક મહત્વપૂર્ણ ૧૨૬ રન સાથે પાંચવી વિકેટ ના માટે લક્ષ્મણ ૧૫૬ થી ૨૮૨ ના સ્કોર પર ભારતનું નેતૃત્વ કરવા માટે ના સુરક્ષિત ખેલાડી હતા. તેમણે પ્લેયર ઓફ મેચ એવોર્ડ મેળવ્યો. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાસાથે ની કોમનવેલ્થ બેન્ક ત્રિકોણીય શ્રુંખલામાં તેંડુલકર વનડે માં ૧૬000 રન નોંધાવનારો પ્રથમ અને એક માત્ર ખેલાડી બન્યો. ૫ ફેબ્રુઆરી, ૨00૮ ના રોજ બ્રિસ્બેન ખાતે શ્રીલંકા વિરૂદ્ધ તેમણે આ સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું. તે સીબી ના સારી રીતે ૧0,3૫,૪૪,અને 3૨ ના સ્કોર શ્રુંખલાનું નિશાન સાધવા નું ચાલુ કરી દીધું હતું,પણ તે મોટા સ્કોર માં ચાલુ થાય છે પરિવર્તિત નથી કરી સકતો. શ્રુંખલા ના મધ્ય ભાગ માં તેમના દેખાવ ખરાબ થવા લાગ્યો, પરંતુ હોબાર્ટ ખાતે શ્રીલંકા સામે ની જીતવી જ પડે તેવી મેચ માં 54 બોલમાં 63 રન નોંધાવી મજબૂત પુનરાગમન કર્યું. તેને પહેલી સીરીઝ માં ૧૨0 બોલ માં ૧૧૭ રન બનાવ્યા અને બીજી ફાઈનલ માં ૯૧ રન દક્ષિણ આફ્રિકા સામે ઘરેલું સીરીઝ્સ ત્રણ ટેસ્ટ સીરીઝ ફરિ થી સાઉથ આફ્રિકા ના ઘર પર તેંડુલકરે પહેલી ઈનિંગ્સ માં ૦ રન કર્યા. ત્યાર બાદ ની બાકી સીરીઝ એમને ખોઈ, તે સીરીઝ ૧-૧ સાથે બરાબર રહી. શ્રીલંકા સીરીઝ ૨00૮ ના મધ્યમાં શ્રીલંકા માં ત્રણ ટેસ્ટ સીરીઝ પહેલા બ્રાયન લારા નો ટેસ્ટ ક્રિકેટ મા ૧૧૯૩૫ રન ના વિક્રમ થી ઉપર જવા માટે સચિન ને ફક્ત ૧૭૭ રનની જરૂર હતી. ભલે, ફક્ત ૯૫ રન ના સ્કોર પર તે બધા 6 દાવ માં અસફળ રહ્યા. ભારત ૧-૨ થી હારી ગયુ. પાછા જોશ અને રેકોર્ડ તોડવા શ્રીલંકા ની સામે એક દિવસીય શ્રુંખલા માં તેંડુલકર ચોટ ના કારણે સાઈડલાઈન થઇ ગયો હતો. તેમ છતાં, ભારત પછી ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ દરમિયાન તેઓ ફિટનેસ અને જોશ માં આવી ગયા, બીજી ટેસ્ટ માં ૮૮ રન કરવા પહેલા, તેણે પહેલી ટેસ્ટ મેચ માં ૧૩ અને ૪૯ રન કર્યા, આ પ્રકારે ટેસ્ટ ના સોથી વધારે સંખ્યા માટે બ્રાયન લારા આયોજિત રેકોર્ડ તોડ્યો. તેમણે ૧૨000 રન પુરા કર્યા જયારે 61 રને પહોચેલા. સચીન તેંદુલકર એ ત્રીજી ટેસ્ટ માં ૫૦ અને ૧૦૯ ચોથી ટેસ્ટ માં રન કર્યા હતા, જેના ફળ સ્વરૂપ ભારત ૨-0 થી બોર્ડેર - ગાવસ્કર શ્રુંખલા જીતી ગયું હતું. ઇંગ્લેન્ડ સામે ઓદિઆઇ અને ટેસ્ટ સીરીઝ્સ ઇંગ્લેન્ડ સામે ની ઘરેલું ૭ ઓડીઆઇસ સીરીઝ માંથી ચોટ ના કારણે તેંડુલકર ફરી થી પહેલી ત્રણ ઓડીઆઇસ માંથી બહાર થઇ ગયો, પણ તેણે ચોથી ઓડીઆઇ માં ૧૧ અને પાંચવી માં ૫0 રન બનાવ્યા, મુંબઈ હુમલા ના કારણે ઓડીઆઇ સીરીઝ્સ રદ થતા પહેલા, ભારત માટે સ્કોરલાઈન ૫-0 હતો. ડીસેમ્બર ૨00૮ માં ઇંગ્લેન્ડ ૨ મેચ ની ટેસ્ટ સીરીઝ માટે પાછો આવ્યું, અને ચેન્નઈ માં પહેલી ટેસ્ટ માં, જીત માટે ૩૮૭ રન નો પીછો કરતા, તેંડુલકરે યુવરાજ સિંગ પાંચવી ન તૂટેલી વિકેટ સાથે ૧૬૩ માં અણનમ ૧૦૩ રન બનાવ્યા. આ તેની ચોથી મેચ માં ત્રીજો શતક હતો, અને જીત ના પરિણામ માં પહેલો. આ તેની ૧૯૯૯ ની ચેન્નાઈ ટેસ્ટ માં પાકિસ્તાન સામે ૨૭૧ સ્કોર નો પીછો કરતા તેનો યોગદાન હતો, સચિને સખ્ત પીઠ ના દુખાવા સાથે ૧૩૬ રન બનાવ્યા અને લક્ષ્ય થી માત્ર ૧૭ રન દુર આઉટ થયો, દોરી જતા તૂટી પડ્યો અને ૧૨ રન થી હારી ગયું. તેણે પોતાનો આ શતક મુંબઈ હુમલા ના પીડિતો ને અર્પણ કર્યું. બીજી ટેસ્ટ ની બંને ઇનિંગ્સમાં તેંડુલકર નિષ્ફળ રહ્યો, ભારત ૧-0 થી સીરીઝ જીતી ગયું. શ્રીલંકા ઓડીઆઇસ ૨00૯ ની શરૂઆત માં, મુંબઈ હુમલા અને પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ના કારણે પાકિસ્તાન સીરીઝ રદ થતા, ભારતે શ્રીલંકા નું ૫ ઓડીઆઇ માટે પુનરાવર્તન કર્યું. પહેલી 3 ઓડીઆઇ માં ત્રણ સમયે ખોટો એલબીડબ્લ્યુ આઉટ અપાતા સચિને ૫,૬ અને ૭ રન બનાવ્યા. ત્યાર પછી તે ફરીથી ધાયલ થયો હતો. ન્યુ ઝીલેન્ડ સીરીઝ ભારતનું ત્યાર પછી નું કાર્ય ન્યુ ઝીલેન્ડ સામે ની સીરીઝ હતું. તે સતત 3 ટેસ્ટ અને 5 ઓડીઆઇ સાથે ચાલુ રહ્યું. તેંડુલકરે પહેલી મેચ માં ૨0 સાથે અને ત્યાર પછી બીજી મેચ માં 61 રન સાથે ઓડીઆઇ સીરીઝ માં શરૂઆત કરી. પછી તેણે ત્રીજી ઓડીઆઇ માં અણનમ ૧૬3 રન બનાવ્યા, પેટ ના મચકોડે તેણે રીટાયર હર્ટ માટે મજબુર કર્યો અને ઇનિંગ્સ પૂર્ણ થઇ. ભારતે ૩૯૨ બનાવ્યા અને સહેલાઇ થી જીતી ગયુ. સચિન ચોટ ના કારણે પાછલી બે ઓડીઆઇ માંથી બહાર હતો પણ એક ધોવાએલી રમત સાથે ભારત 3-૧ થી સીરીઝ જીતી ગયું. તેંડુલકરે પહેલી ટેસ્ટ માં ૧૬0 રન બનાવ્યા, તેનો ૪૨ મો શતક, અને ભારત જીતી ગયું. તેણે બીજી ટેસ્ટ માં ૪૯ અને ૬૪ અને ત્રીજી ટેસ્ટ માં ૬૨ અને ૯ રન બનાવ્યા, જેમાં છેલ્લા દિવસ માં વરસાદે ભારત ને જીતતા અટકાવ્યો હતો.ભારત ૧-0 થી સીરીઝ જીત્યું. શ્રીલંકા માં કોમ્પેક કપ તેંડુલકરે પોતાની જાત ને વેસ્ટ ઇન્ડીઝ ના પ્રવાસ ની ઓડીઆઇ માંથી આરામ આપ્યો, પણ સપ્ટેમ્બર ની શરૂઆત માં શ્રીલંકા, ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે ના કોમ્પેક કપ(ત્રિકોણીય સીરીઝ) માટે પાછો આવ્યો હતો. તેણે ફાઈનલ માં ૧૩૮ રન બનાવવા થી પહેલે લીગ મેચો માં ૪૬ અને ૨૭ રન બનાવ્યા. આ તેંડુલકર નું ઓડીઆઇ ફાઈનલ માં ૬ઠું શતક હતું અને ફાઈનલ્સ માં તેનું ત્રીજો અનુક્રમિત ૫0 ની ઉપર સ્કોર હતો. જયારે તેંડુલકરે ઓડીઆઇ ફાઈનલ માં શતક બનાવ્યો છે તેવી ૬ વખત ભારત જીત્યો છે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 200૯ તેંડુલકર સાઉથ આફ્રિકા માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માં માત્ર એક ઇનિંગ્સ રમ્યો, પાકિસ્તાન સામે ૮ રન બનાવ્યા અને ભારત હારી ગયું. ઓસ્ટ્રેલીયા સામે ની પછી ની મેચ ધોવાઇ ગઈ અને વિન્ડીઝ સામે ની ત્રીજી મેચ માં તે ફૂડ પોઈઝનીંગ ના કારણે બહાર રહ્યો હતો,વિન્ડીઝ દ્રારા હાર અને તેમના ગ્રુપ માં ત્રીજો પૂર્ણ કર્યા બાદ ભારત બાકાત થઇ ગયું હતું. ભારત-ઓસ્ટ્રેલીયા ઓડીઆઇ સીરીઝ ઓસ્ટ્રેલીયા ઓક્ટોમ્બર માં ૭ મેચો ની ઓડીઆઇ માટે ભારત આવ્યુ, અને તેંડુલકરે પહેલી ચાર રમતોમાં ૧૪,૪,3૨ અને ૪0 રન બનાવ્યા. પાંચવી મેચ માં,સીરીઝ બરોબરી સાથે ઓસ્ટ્રેલીયાએ ૫0 ઓવરમાં 3૫0/૪ નો સ્કોર બનાવ્યો. તેંડુલકરે ૧૪૧ બોલ માં ૧૭૫ રન સાથે તેની ૪૫મી ઓડીઆઇ શતક બનાવ્યો. માત્ર જયારે તે લાગ્યું કે તે ભારત ને મોટા વિજઈ જુમલા ની દિશા માં વાળશે, તે નવા પ્રવેશીત ક્લીન્ટ મેક્કેયના સીધા થી સોર્ટ ફાઈન લેગ ના પગ દ્રારા સંચાલિત સમાચાર મળ્યા, ભારત ને ચાર વિકેટ્સ સાથે ૧૮ બોલ માં ૧૯ રનની જરૂર હતી. ભારતીય પૂછડિયા ભાંગી પડયા અને તેઓ 3 રન દ્રારા હારી ગયા, 3૪૭ માં બધા આઉટ થઈ ગયા. આ મેચ દરમ્યાન, તેંડુલકર ૧૭000 ઓડીઆઇ રન બનાવનાર પહેલો ખેલાડી પણ બન્યો,અને ઓસ્ટ્રેલીયા સામે તેનો અંગત શ્રેષ્ઠ હાંસિલ કર્યું, ત્રીજા સૌથી મોટા સ્કોર ની હાર તરીકે. તેણે તેને પોતાની શ્રેષ્ઠ ઇનિંગ્સ માંથી એક ગણાવી પણ કહ્યું કે તે વધારે સારી થઇ સકી હોત જો ભારત મેચ જીત્યું હોત. ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૦૮ માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો. એક પ્રતિક ખેલાડી તરીકે, તે ટીમ માં બીજા ક્રમ ના સૌથી વધારે ભુગતાન ખિલાડી સનથ જયસુરીયા કરતા ૧૫% વધારે ૧,૧૨૧,૨૫0 ડોલર રકમ માટે સહી કરી હતી. રમત ની શૈલી thumb|300px|તેંડુલકર લેગ-સાઈડ કાંડા ફ્લીઅક રમતો તેંડુલકરે વર્ચસ્વ છેદયું છે: તે બેટિંગ, બોલિંગ અને થ્રો તેના જમણા હાથ થી પણ લેખન તેના ડાબા હાથ સાથે કરે છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન નિયમિત રીતે ડાબા હાથ થી થ્રો કરવા ની પ્રેક્ટિસ કરે છે. ક્રિકઇન્ફો ના કોલમિસ્ટ સમ્બિટ બાલે તેમને તેના સમય ના સૌથી તંદુરસ્ત બેટ્સમેન ગણાવ્યા હતા. તેમની બેટીંગ સંપૂર્ણ સમતોલ છે અને તે દરમિયાન તેઓ વધારા ની હલચલ કે અયોગ્ય ફટકો ન લગાવી સારી રીતે રમી શકે છે. તેણે ધીમી અને નીચી વિકેટ્સ ની ઓછી પસંદગી દેખાડી અને,સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ની સખ્ત, ઉછાળવાળી પીચ ઉપર ઘણા શતક બનાવ્યા. તેઓ સ્ક્વેર ની ઉપર થી બોલને પંચ શૈલી થી મારવા માટે વિખ્યાત છે. તેઓ કોઇ પણ ખામી વગરના સીધા શોટ મારવા માટે પણ જાણીતા છે, જેને તાજેતર માં જ ભારત ના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે એએફપી માં લખેલા એક અહેવાલ માં જણાવ્યું હતું કે સચિન તેંડુલકર જેવી ઉમદા તકનીક સાથે ની આક્રમકતા ધરાવતા ખેલાડી વિષેની કલ્પના ક્રિકેટ જગત ના ઇતિહાસ માં કરવી ખૂબ અઘરી છે. સર ડોનાલ્ડ બ્રેડમેન, હમેશા ઘણા પાસે થી મહાન બેટ્સમેન ગણાતા આવ્યા છે,તેંદુલકર તેમના જેવી સમાન બેટિંગ છટા ધરાવે છે. બ્રેડમેન ના જીવનચરિત્ર માં લખવા માં આવ્યું છે કે બ્રેડમેન ને તેંડુલકર ની તકનીકો, ફટકાઓ ની પસંદગી અને ટકી ને રમવા ની અદા હંમેશા પોતાની બેટિંગ યાદ કરાવે છે અને તેઓ તેમના પત્ની ને કહેતા કે મારી યુવા વયની રમત જોવા માટે તેંડુલકર ની આજની રમત જો. બ્રેડમેન ની પત્ની, જેસ્સી એ સ્વીકાર કર્યો કે તેઓ સમાન દેખાય છે. thumb|left|300px|તેંડુલકર ક્રીઅસ ઉપર, ડીલીવરી નો સામનો કરવા તૈયાર થતો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચે તેનો અભિપ્રાય આપ્યો કે સચિન તેના ફૂટવર્ક ના કારણે તેની શરૂઆતી ઇનિંગ્સ માં સોર્ટ બોલ પર સંવેદનશીલ થઇ ગયો હતો. બુચાનન એવું પણ માનતા હતા કે તેંડુલકર ડાબા હાથે થતી ઝડપી બોલિંગ સામે ન રમી શકવા ની નબળાઇ ધરાવે છે. ૨૦૦૪ થી થયેલી સંખ્યાબંધ ઇજાઓને કારણે તેના પર અસર થઇ હતી. ત્યાર થી તેંડુલકર ની બેટિંગ માં આક્રમકતા ના અભાવ જોવા મળે છે. તેની બેટિંગ ની શૈલી માં આવેલા પરિવર્તન માટે તેણે નીચેના કારણો આગળ ધર્યા હતા. (૧) કોઇ પણ બેટ્સમેન તેની લાંબી કારકિર્દી દરમિયાન એક સરખી શૈલી થી બેટિંગ કરી શકે નહીં અને (૨) હવે તે ટીમ નો વરિષ્ઠ ખેલાડી હોવા થી તેના પર વધુ જવાબદારીઓ છે. તેની કારકિર્દી ના શરૂઆત ના સમયગાળા માં તે વધુ આક્રમક બેટ્સમેન હતા અને સારી સરેરાશે સદીઓ ફટકારતા. ઓસ્ટ્રેલિયા ના ટીમ ના પૂર્વ ખેલાડી ઇયાન ચેપલે તાજેતર માં એવી ટિપ્પણી કરી હતી કે એક ખેલાડી તરીકે સચિન જ્યારે યુવા વય માં હતો તેની સરખામણી એ હાલ માં કઇં જ નથી. આમ છતાં, ૨૦૦૮ માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે કેટલીક ઉમદા ઇનીંગ રમી ને તેની આક્રમક પ્રતિભા છતી કરી હતી અને તેની યુવાવય ની રમત ની યાદ અપાવી હતી. તેંડુલકર મુખ્ય બોલર ન હોવા છતાં એક સરખી સરળતા થી મધ્યમ ગતિએ, લેગ સ્પિન અને ઓફ સ્પિન બોલિંગ કરી શકે છે. મોટે ભાગે સામે ની ટીમ ના બે બેટ્સમેનો બહુ લાંબા સમય થી પિચ પર સ્થિર થઇ ગયા હોય ત્યારે સચિન બોલિંગ નાખે છે, કેમકે તે ભાગીદારી તોડનાર ઉપયોગી બોલર ગણાય છે. બોલિંગ દ્વારા તેણે ભારતને એકથી વધુ વખત વિજય અપાવ્યો છે. તેણે ટેસ્ટ મેચમાં 44 વિકેટ્સ લીધી અને ઓડીઆઇ માં ભારત માટે સૌથી વધારે વિકેટ્સ લેનારનો 9મો ક્રમ ધરાવે છે. કારકિર્દીની સિદ્ધીઓ right|thumb|350px|સચિન ની ટેસ્ટ મેચ ની બેટિંગ કારકિર્દી ની ઇનીંગ દર ઇનીંગ બ્રેકડાઉન માં બનાવેલા રન (લાલ રેખા) અને અને છેલ્લી દસ ઇનીંગ માં બનાવેલા રન ની સરેરાશ (વાદળી રેખા) છે. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય વનડે માં રન બનાવનાર ધુંવાધાર બેટ્સમેન છે. સચિન ના હાલ ના ટેસ્ટ ના કુલ રન થી તેણે બ્રાયન લારા ના ૧૧,૯૫૩ રન ના વિક્રમ ને ૨00૮ માં ઓસ્ટ્રેલિયા ના ભારત પ્રવાસ સમયે મોહાલિ ખાતે ની બીજી ટેસ્ટ માં વટાવી દીધો હતો. સચિને આ વિક્રમ તોડ્યો તે દિવસ ને તેની ૧૯ વર્ષ ની કારકિર્દી ની સૌથી મોટી સિદ્ધી ગણાવી હતી. તે ટેસ્ટ અને ઓડીઆઈ બને માં સૌથી વધારે શતકો નો વિક્રમ પણ ધરાવે છે. સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ પર ઉંડી અસર ઉપજાવી છે અને એક સમયે તો તેણે ટીમના મોટા ભાગ ના વિજય માં પાયા ની ભૂમિકાઓ ભજવી છે. ભારત જેવા ક્રિકેટ-પ્રિય દેશ માં રમતગમત ક્ષેત્રે અસરકારક પ્રદાન બદલ તેણે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવા માં આવ્યા છે. ૧૯૯૭ માં તેઓ વિઝડન ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદ થયા હતા અને વિઝડન ૧00 ની યાદી માં ક્રિકેટ જગત ના સર્વ સમય માટે બીજા ક્રમ ના વનડે અને ટેસ્ટ ક્રિકેટ ના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું. તેંડુલકરે ક્રિકેટ વિશ્વ કપ માં પણ સતત સારો દેખાવ કર્યો. તેંડુલકર ક્રિકેટ વિશ્વ કપ, ૨૦૦૩ અને ક્રિકેટ વિશ્વ કપ, ૧૯૯૬ માં સર્વોચ્ચ રન કરનાર ખેલાડી હતા. તેંડુલકરે ઓડીઆઈ માં ૭ વખત ૧000 રન એક વર્ષ માં કર્યા, અને ૧૯૯૮ માં તેણે ૧૮૯૪ રન કર્યા, તેણે એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં એક વર્ષ માં કોઈ પણ ખિલાડી દ્રારા બનાવેલા રનોની સંખ્યા નો રેકોર્ડ આરામ થી બનાવ્યો. તેંડુલકર એવા ખેલાડીઓ ની યાદી માં સ્થાન ધરાવે છે જેઓ ૧૯૮૦ ના દાયકા થી આજ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા હોય. તે ટેસ્ટ મેચો માં ૧૧ વખત મેન ઓફ ધી મેચ અને 4 વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે, તેમાંથી બે વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં ઓસ્ટ્રેલિયા સામે. આ દેખાવ થી તેમને ઓસ્ટ્રેલિયા ના ઘણા ક્રિકેટરો અને પ્રસંશકો તરફ થી આદર મળ્યો હતો. સમાન રીતે તે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો માં ૬0 વખત મેન ઓફ ધી મેચ અને ૧૪ વખત મેન ઓફ ધી સીરીઝ રહી ચુક્યો છે. વ્યક્તિગત આદર અને કદર પદ્મ વિભૂષણ, ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ૨૦૦૮. આઇસીસી વર્લ્ડ ઓડીઆઇ ઇલેવન:૨00૪,૨00૭ રાજીવ ગાંધી અવાર્ડ્સ-રમતો: ૨૦૦૫ ક્રિકેટ વિશ્વ કપ ૨00૩ માં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ મહારાષ્ટ્ર ભૂષણ અવાર્ડ, ૨૦૦૧ માં મહારાષ્ટ્ર રાજ્ય નો સૌથી વધારે નાગરિક અવાર્ડ પદ્મ શ્રી, ભારતનું ચોથા ક્રમ નું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન, ૧૯૯૯ રાજીવ ગાંધી ખેલ રત્ન, ભારતનો રમત માં સિદ્ધિ માટે આપવા માં આવતો સૌથી વધુ આદર, ૧૯૯૭-૯૮ વર્ષનો વિઝડન ક્રિકેટેર: ૧૯૯૭ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૯૪ નો અર્જુન એવોર્ડ. જાન્યુઆરી ૨૦૦૮ માં બ્રિટન ના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને એવું સૂચન કર્યું હતું કે સચિન ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રદાન બદલ માનદ નાઇટહૂડ થી નવાજવા જોઇએ. તે ટાઈમ સામાયિક માં "તેની કળા નો મહાન જીવિત હિમાયતી" તરીકે ઉલ્લેખિત થયો હતો. અન્ય ક્રિકેટર્સ દ્રારા બિરદાવવું સપ્ટેમ્બર ૨૦૦૭ માં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર શેન વોર્ને ૫0 મહાન ક્રિકેટેર જેઓ તેના સમય દરમ્યાન રમ્યા હતા તેની યાદી છાપી, તેમાં તેંડુલકરે નંબર 1લુ સ્થાન સુનિશ્ચિત કર્યું. મહાન ભારતીય ટેસ્ટ બેટ્સમેન માંથી એક સુનીલ ગાવસ્કરે, સચિન ને " બેટિંગ સંપૂર્ણતા ની એકદમ નજીક હોવું" તરીકે ગણાવ્યો. શેન વોર્ને દશક પહેલા ઉલ્લેખ્યું હતું કે, "હું સચિન ને માત્ર વિકેટ ની અંદર દોરતો અને છગ્ગા ઉપર થી મને ચુપ કરતા દુ:સ્વપ્ન સાથે રાત્રે પથારી માં જઈશ. તે અણનમ હતો. હું નથી વિચારતો કે, ડોન બ્રેડમેન સિવાય, કોઈ પણ સચિન તેંડુલકર જેવા સમાન કક્ષા માં હોય. તે એક માત્ર અદભુત ખિલાડી છે." તેને વિવિધ ક્રિકેટર્સ દ્રારા ઘણી કદર પ્રાપ્ત કર્યા, વસીમ અક્રમ સહીત જેણે કહ્યું કે "સચિન જેવા ક્રિકેટર્સ જીવન સમય માં એક વખત આવે છે અને હું પ્રોત્સાહિત છું કે તે મારા સમય માં રમ્યો."વિવ રિચાર્ડ્સ જેણે કહ્યું કે " તે 99.95 પ્રતિશત સંપૂર્ણ છે. હું તેને જોવા માટે ભુગતાન કરીશ."બ્રાયન લારા જેણે કહ્યું કે "તમે મહાન પ્રતિભાશાળી જાણો છો જયારે તમે તેને જુઓ છો." અને મને કહેવા દો કે સચિન સ્પષ્ટ મહાન પ્રતિભાશાળી છે. અને બેરી રિચાર્ડ્સ જેણે કહ્યું કે "સચિન ક્રિકેટ નો ભગવાન છે." ભૂતપૂર્વ ન્યુ ઝીલેન્ડ નો ઓલ-રાઉંડર રીચાર્ડ હેડલી મને છે કે સચિન તેંડુલકર ક્યારે પણ થયેલો મહાન બેટ્સમેન છે જે રમત નો ગ્રેસ છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ ભુતકાળ માં કહ્યું કે બ્રેડમેન પછી નો તેંડુલકર ઇતિહાસ માં મહાન ક્રિકેટર થશે. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકા ના મહાન એલેન ડોનાલ્ડે તેંડુલકર ને મહાન બેટ્સમેન ગણાવ્યો જેની સામે તેણે ક્યારે પણ બોલિંગ કરી હોય. વર્તમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીગ પણ મને છે કે તેંડુલકર મહાન બેટ્સમેન છે જેમની સાથે અથવા સામે તે રમ્યો.. સર ડોન બ્રેડમેને પણ કહ્યું કે તે જયારે સચિન ને બેટિંગ કરતા જુએ છે ત્યારે તેમાં તેમને પોતાની જાત દેખાય છે. ભૂતપૂર્વ પાકિસ્તાન કેપ્ટન અને બેટિંગ દંતકથા હનીફ મોહમ્મદે સચિન તેંડુલકરને "ઉપખંડ ના ક્રિકેટિંગ રત્ન" તરીકે ની અવધિ આપી, અને કહ્યું કે આ ભારતીય જમોણી બેટ્સમેન આવનારા વરસોમાં ઘણા બધા રેકોર્ડ્સ ટૂટવા નો નિમિત છે. વિવાદો માઇક ડેનિસ નો પ્રસંગ ૨00૧ માં ભારત ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ ની બીજી ટેસ્ટ મેચ માં મેચ રેફરિ માઇક ડેનિસે ચાર ભારતીય ખેલાડીઓ ને અતિશય અપિલ કરવા બદલ તેમજ કપ્તાન સૌરવ ગાંગુલી ને ટીમ ને નિયંત્રણ માં ન રાખવા બદલ દંડ કર્યો હતો. તેંડુલકર ને બોલ સાથે ચેડા કરવા બદલ એક મેચ માટે બહાર કરવા માં આવ્યા હતા. ટેલિવીઝન ના કેમેરા ની તસવીરો એવું સૂચવતી હતી કે તેંડુલકર પોર્ટ એલિઝાબેથ ના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ દરમિયાન ક્રિકેટ બોલ ની સિલાઇ ને દૂર કરવા માં સામેલ હોઇ શકે. તેનાથી બોલ ની સ્થિતી માં ફેરફાર કરી શકાય છે. મેચ રેફરિ માઇક ડેનિસે બોલ સાથે ચેડા કરવાના આરોપો ના દોષી ગણાવ્યા અને એક ટેસ્ટ મેચ નો પ્રતિબંધ લાદી દીધો. જાતિવાદ ના આરોપ સાથે નો બનાવ કાબુ બહાર હતો, અને માઇક ડેનીસ ને ત્રીજી ટેસ્ટ મેચ ની જગ્યા એ પ્રવેશ દ્રારા તેને સુમસાન બનાવ્યો. ઉંડી તપાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ મેચ ને રદ થયેલી જાહેર કરી અને તેંડુલકર નો પર નો પ્રતિબંધ ઉઠાવી લીધો. તેંડુલકર પર બોલ સાથે ચેડા કરવા બદલ મુકવામાં આવેલો આરોપ અને અતિશય અપિલ કરવા બદલ સેહવાગ પર મુકવા માં આવેલા પ્રતિબંધ સામે ભારતીય જનતા અને ભારતીય સંસદ માં પણ વિરોધ ના વંટોળ ઉઠ્યા. ફેરારી પર કસ્ટમ ની છૂટ માટેનો વિવાદ ડોન બ્રેડમેન ના ટેસ્ટ ક્રિકેટ માં ૨૯ શતક ના વિક્રમ ની સચિન તેંડુલકર ની બરોબરી ના ઉત્સવ માં, ફેરારી ઓટોમોટીવ એ તેના સિલ્વરસ્ટોન માં બ્રિટીશ ગ્રાન્ડ પ્રિક્ષ (જુલાઈ ૨૩, ૨૦૦૨) પર તેના ચરિયાણ ક્ષેત્ર પર દંતકથા સમાન એફ1 રેસર માઈકલ સ્ચુમાકર દ્રારા ફેરારી ૩૬૦ મોડેના સ્વીકાર કરવા માટે સચિન તેંડુલકરને આમંત્રણ આપ્યું. ૪ સપ્ટેમ્બર, ૨00૨ ના રોજ ભારત ના નાણાપ્રધાન જશવંતસિંઘે સચિન ને એવું કહેતા એક પત્ર લખ્યો હતો કે સરકાર તેની સિદ્ધી ને બિરદાવવા માટે તેની કાર પર લાદવા માં આવેલી કસ્ટમ ડ્યૂટી ને ઉઠાવી લેશે. આમ છતાં એ સમય ના નિયમો મુજબ ફક્ત ઇનામ તરીકે મળેલી વસ્તુઓ પર ની કસ્ટમ ડ્યૂટી માંથી છૂટ મળી શકે, ભેટ તરીકે મળેલી વસ્તુઓ પર નહીં. પછી થી ભારત માં કસ્ટમ ડુટી(રૂ.૧.૧૩ કરોડ અથવા રૂ.૭૫ લાખ ની કાર મુલ્ય પર ૧૨0%)ચૂકવ્યા વિના ફેરારી ખરીદવા ની પરવાનગી આપવા માં આવી. જૂલાઇ ૨00૩ માં જ્યારે કસ્ટમ ની છૂટ ની જાહેરાત કરવા માં આવી ત્યારે આ છૂટ સામે રાજકીય અને સામાજિક વિરોધ ઉભો થયો અને દિલ્હી હાઇકોર્ટ માં જાહેરહિત ની અરજી દાખલ કરવામાં આવી. આ વિવાદ ઘેરો બનતા સચિને કસ્ટમ ડ્યૂટી ચૂકવવાનો આગ્રહ કર્યો અને અંતે ફેરારી અંગે ના વિવાદ નો અંત આવ્યો. સચિન તેની ફેરારી મોડેના લઇ ને મુબંઇ માં રાત્રી ના સમયે ફરવા નીકળતા જોવા મળે છે. પ્રસંશકો thumb|સચિન પર જાન આપનાર પ્રસંશક, સુધીર કુમાર ચૌધરી જેણે જીવન પર્યાપ્ત ઘર ની બધી રમતો ની ટીકીટ માટેના હકો લઈ લીધા. ક્રિકેટ વિશ્વ માં સચિન ના પ્રવેશ ને ભારત ના ભૂતપુર્વ અગ્રણી ખેલાડીઓ અને તેને રમતો જોનારા લોકોએ ખૂબ વખાણ્યો હતો. તેની બીજી મચ માં પહેલું અર્ધ શતક અને ૧૭ વર્ષની ઉમરે તેનો પહેલો શતક, તેંડુલકર ના સતત સારો દેખાવ તેને આખા વિશ્વ માં ઘણા પ્રસંશક કમાવી આપ્યા, જેમાં ઓસ્ટ્રેલિયન લોકોનો પણ સમાવેશ, જ્યાં તેંડુલકરે સતત શતક કર્યા હતા. સચિન ના પ્રસંશકો દ્વારા એક ખૂબ જાણીતી કહેવત બોલવામાં આવે છે કે, "ક્રિકેટ મારો ધર્મ છે અને સચિન મારો ભગવાન છે." ક્રિકઈન્ફો એ તેની પ્રોફાઈલ માં ઉલ્લેખ કર્યો કે "...તેંડુલકર અવશેષ, અંતર દ્રારા, દુનિયા માં સૌથી વધારે પૂજાયેલો ક્રિકેટર છે. મુંબઇ માં તેના ઘર ખાતે, તેંડુલકર ના પ્રસંશકો ની ભીડ ઘણી હોવાથી તે સામાન્ય જીવન જીવવા માટે અસમર્થ છે. ઇયાન ચેપલે જણાવ્યું હતું કે તેણે અલગ પ્રકાર ની શૈલી થી જીવવા નું દબાણ છે અને તેણે વિગ પહેરી ને બહાર જવું પડે અને ફક્ત રાત ના સમયે જ ફીલ્મ જોવા જઇ શકે. ટીમ શેરીડેન ને આપેલા એક ઇન્ટર્વ્યૂ માં સચિને કબૂલ્યું હતું કે તે મુબંઇ ની શેરીઓ માં રાત ના સમયે શાંત ડ્રાઇવ કરવા જાય છે જ્યારે તે થોડી શાંતિ અને નિરવતા ને માણી શકે છે. સચિન નો એક અત્યંત દિલી પ્રસંશક છે, તે છે સુધીર કુમાર ચૌધરી. સુધીર કુમાર ચૌધરી સચિન નો અને ભારતીય ક્રિકેટ ટીમ નો પ્રસિદ્ધ અત્યંત દિલી પ્રસંશક છે. તેણે પોતાના શરીર ને ભારતીય ઝંડા ના રંગથી રંગયુ અને તેની પીઠ પર તેંડુલકર નું નામ લખ્યું અને દરેક ઘરેલું રમત ની મુલાકાત લીધી. બધી ઘરેલું રમત ની જીવન પર્યાપ્ત નિશ્ચિત ટીકીટ મંજુર કરવા માટે ભૂતપૂર્વ બીસીસીઆઈ ના પ્રમુખ શરદ પવાર સામે તે પોતાનો રંગેલો શરીર બતાવવા માટે નગ્ન થયો હતો. તે સચિન ને દર વર્ષે ૧000 લીચીસ મોકલતો અને ક્રિકેટર્સ પાસે થી આભાર તરીકે ટીકીટસ અને ભેટ પ્રાપ્ત કરતો. તે બધી ભારતીય ઘરેલું રમત માં નજરે ચડ્યો અને તેને પોતે સચિન દ્રારા પ્રોત્સાહન અને ટીકીટ પ્રાપ્ત કર્યું. ધંધાકીય રસ સચિન ની જંગી લોકપ્રિયતા ને પગલે ભૂતકાળ માં તેને સંખ્યાબંધ ઔદ્યોગિક સોદાઓ પણ કર્યા છે. હાલ માં સમગ્ર વિશ્વ ના ક્રિકેટરો ની સરખામણી એ સૌથી વધુ સ્પોન્સરશીપ ધરાવતો ખેલાડી છે. સચિન ૧૯૯૫ માં વર્લ્ડટેલ સાથે પાંચ વર્ષ માટે રૂ.30 કરોડ રૂપિયા નો સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સોદો કર્યો ત્યારે તે ક્રિકેટ ના ઔદ્યોગિક સોદા ઓ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી ગણાતા. ૨00૧ માં તેનો વર્લ્ડટેલ સાથે પછીનો કરાર ૫ વર્ષ માટે ૮0 કરોડ ના મૂલ્ય નો હતો. ૨00૬ માં તેમણે સાત્ચી અને સાત્ચી ના આઈકોનિક્ષ સાથે 3 વર્ષ માટે ૧૮0 કરોડ નો કરાર કર્યો. તેઓ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટર છે. પ્રસિધી નો ઉપયોગ કરતા, તેંડુલકરે બે રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી :તેંડુલકર'સ (કોલાબા, મુંબઈ) અને (મુલુંડ, મુંબઈ). સચિન આ રેસ્ટોરેન્ટ્સ માં માર્સ રેસ્ટોરેન્ટ ના સંજય નારંગ સાથે ભાગીદારી ધરાવે છે. તેમણે બેંગલોર ખાતે સચિન્સ નામ ની નવી રેસ્ટોરેન્ટ ની પણ શરૂઆત કરી છે. ૨00૭ માં તેંડુલકરે એસ ડ્રાઇવ એન્ડ સચ બ્રાન્ડ હેઠળ હેલ્થકેર અને ફિટનેસ પ્રોડક્ટ્સ ની રજૂ કરવા ફ્યુચર ગ્રુપ અને મણીપાલ ગ્રુપ સાથે સંયુક્ત સાહસ ની રચના ની પણ જાહેરાત કરી હતી. વર્જિન કોમિક્સ ની એક કોમિક્સ બુકમાં સચિન ને સુપર હીરો તરીકે પણ વર્ણવવા માં આવ્યા હતા. ઉત્પાદનો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ સચિન તેંડુલકરે આ બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સ કરેલ છે જે આ પ્રમાણે છે પેપ્સી:૧૯૯૨-વતર્માન કેનન: ૨00૬-૨00૯ એરટેલ: ૨00૪-૨00૬ નઝારા ટેક્નોલોજીસ: ૨00૫-૨00૮ સચિન પર આધારિત મોબાઈલ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે ૨00૭ ના ક્રિકેટ વિશ્વ કપ માં સચિન ના અવાજ માં સ્કોર અને સમાચાર સંભળાવવા માટે બ્રાન્ડ સચિન તેંડુલકર નો પૂરક પરવાનો મેળવ્યો હતો. હચ- આઈસીસી ના મુખ્ય સંદેશા-વ્યવહાર પ્રાયોજકે રિલાયન્સ ના આ પ્લાનન ને છુપી રીત નું માર્કેટિંગ જાહેર કરેલું, જેને રિલાયન્સ કામ્યુંનીકેશને અસ્વીકાર કરેલો બ્રિટાનીઆ: ૨00૧-૨00૭ હોમટ્રેડ: ૨00૧-૨00૨ સનફીસ્ટ:૨00૭-૨0૧૩/૧૪ નેશનલ એગ કોઓર્ડીનેશન કમિટી (એનઈસીસી): ૨00૩-૨00૫ બૂસ્ટ:૧૯૯0-વર્તમાન એક્સન સૂઝ:૧૯૯૫-૨000 એડીડાસ:૨000-૨0૧0 ફિયાત પાલિઓ:૨00૧ થી ૨003 રેયનોલ્ડ્સ: ૨00૭-વર્તમાન ટીવીએસ:૨00૨-૨00૫ ઇએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ:૨00૨-વર્તમાન જી-હેન્ઝ:૨00૫-200૭ સેન્યો બીપીએલ:૨00૭-વર્તમાન એઇડ્સ સાવધાન અભીયાન:૨00૫ કોલગેટ-પાલ્મોલીવ ફીલીપ્સ એમઆરએફ વીસા અવિવા રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ ગ્રુપ જીવનચરિત્રો સચિન તેંડુલકર પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. સચિન તેંડુલકર ની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરતા કેટલાક પુસ્તકો ના નામ નીચે મુજબ છે: સચિન: ધી સ્ટોરી ઓફ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેટ્સમેન ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન ૯૭૮-0-૧૪-30૨૮૫૪ ધ એ ટુ ઝેડ ઓફ સચિન તેંડુલકર ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન ૯૭૮-૮૧-૭૪૭૬-૫30-૭ સચિન તેંડુલકર - એ ડેફિનીટીવ બાયોગ્રાફી - વૈભવ પુરાંદરે. પ્રકાશક: રોલિ બુક્સ. આઈએસબીએન ૮૧-૭૪3૬-3૬0-૨ સચિન તેંડુલકર - માસ્ટરફુલ - પિટર મરે, આશિષ શુક્લા પ્રકાશક: રૂપા. આઈએસબીએન ૮૧-૭૧૬૭-૮૦૬-૮ ઇફ ક્રિકેટ ઈઝ અ રિલિજિયન, સચિન ઈઝ ગોડ વિજય દ્રારા, શ્યામ બલાસુબ્રમાંનિયન પ્રકાશક: હાર્પારકોલ્લીન્સ ઇન્ડિયા આઈએસબીએન ૯૭૮-૮૧-૭૨૨૩-૮૨૧-૬ નોંધ સંદર્ભો પૂરક વાચન બાહ્ય કડીઓ http://india.cricketworld4u.com/profile/sachin-tendulkar.php શ્રેણી:જીવિત લોકો શ્રેણી:ભારત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:મરાઠી લોકો શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:અર્જુન પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:મહારાષ્ટ્રના લોકો શ્રેણી:ભારતીય ક્રિકેટ ખેલાડી શ્રેણી:૧૯૭૩માં જન્મ શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા
વડોદરા
https://gu.wikipedia.org/wiki/વડોદરા
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા વડોદરા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે. વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇતિહાસ thumb|ઇ.સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. અંકોટક (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વધ્યું. જો કે, વડોદરાના અકોટા ખાતે પુરાતત્વીય ખોદકામમાં આ વિસ્તારમાં આશરે 3000 વર્ષ જૂની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મળ્યા છે. Page 79. ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું. વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું. ભૌગોલિક વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. વિશ્વામિત્રી નદી ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ, દક્ષિણે ભરૂચ તથા નર્મદા,પશ્ચિમે આણંદ તથા ખેડા જિલ્લાઓ આવેલા છે. વડોદરા જિલ્લાની પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે. જો કે વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે. વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે. હવામાન શીયાળો: મહત્તમ ૨૯°C, લઘુત્તમ ૯°C ઉનાળો: મહત્તમ ૪૬°C, લઘુત્તમ ૨૪°C વરસાદ (જૂન-મધ્ય થી સપ્ટેમ્બર-મધ્ય): ૯૩૧.૯ મિ.મી. નિમ્નતમ નોંધાયેલ તાપમાન: -૧°C ઉચ્ચતમ નોંધાયેલ તાપમાન: ૪૬°C ઉદ્યોગ અને વાણિજ્ય વડોદરા શહેરનું ગુજરાત રાજ્યમાં ઘણુ મહત્વનું સ્થાન છે. ૧૯૬૦ના દશકાની શરૂઆત સુધી, વડોદરા શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ગણના થતી હતી. સૌપ્રથમ આધુનિક ફેક્ટરી(એલૅમ્બીક ફાર્માસ્યૂટિકલ્સ)ની સ્થાપના વડોદરામાં ૧૯૦૭માં કરવામાં આવી હતી અને ત્યાર બાદ સારાભાઈ કેમિકલ્સ, અને જ્યોતિ જેવી કંપનીઓ ૧૯૪૦ માં આવી હતી. ૧૯૬૨ સુધીમાં અહિયાં ૨૮૮ રોજગારી ફેક્ટરીઓ ધમધમતી હતી, જેમાં ૨૭,૫૧૭ કામદારો કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન, મુખ્ય ઔદ્યોગિક જૂથોમાં રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ, સુતરાઉ કાપડ અને મશીન ટૂલ્સ હતા. ૧૯૦૮ માં સયાજીરાવ ત્રીજા દ્વારા સ્થાપિત બેન્ક ઓફ ધ બરોડાનો પણ આ ઔદ્યોગિક વૃદ્ધિ માં મહત્વનો ફાળો હતો. ૧૯૬૨ માં, ગુજરાત રિફાઈનરી અને ભારતીય ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વડોદરા નજીકના કોયલી ગામ ખાતે સ્થાપના સાથે વડોદરા માં ઔદ્યોગિક પ્રવૃત્તિ માં અચાનક તેજી જોવા મળી. કાચો માલ ની ઉપલબ્ધતા, પ્રોડક્ટ માગ, સરકાર અને ખાનગી સાહસિકો દ્વારા માનવ, નાણાકીય અને સંસાધનો ના કુશળ સુયોજન જેવા પરિબળો એ વડોદરાને ભારતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રો માં એક બનાવવામાં ફાળો આપ્યો છે. અંકલેશ્વર માં તેલ ગેસની શોધએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મોટો ભાગ ભજવ્યો હતો.વડોદરા પ્રદેશ આ ઔદ્યોગિકરણ પ્રક્રિયામાં સૌથી મોટું લાભાર્થી રહ્યુ હતુ. ગુજરાત રિફાઈનરીનુ પ્રથમ તબક્કા ઉત્પાદન ૧૯૬૫ માં શરૂ થયુ હતુ. રિફાઈનરીના મૂળભૂત ઉદ્યોગ હોવાથી, રિફાઈનરીનુ પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મોરચા પર મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ હતું. વડોદરા માં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (જી.એસ.એફ.સી), ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આઇ.પી.સી.એલ., હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માલિકીની ), ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એ.સી.એલ) જેવા વિવિધ મોટા પાયે ઉદ્યોગો ગુજરાત રિફાઈનરીની સાન્નિધ્ય માં આવેલ છે જે તેમના તમામ બળતણ અને કાચા માલના માટે રિફાઈનરી પર આધાર રાખે છે. અન્ય મોટા પાયાના જાહેર ક્ષેત્રના એકમોમાં હેવી વોટર પ્રોજેક્ટ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જી.આઇ.પી.સી.એલ), ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓ.એન.જી.સી) અને ગેસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડ (જી.એ.આઇ.એલ) નો સમાવેશ થાય છે. આ જાહેર ક્ષેત્રના સાહસો ઉપરાત , અન્ય મોટા પાયેના સાહસો ખાનગી ક્ષેત્રમાં આવેલ છે જેમ કે, બોમ્બાર્ડીયર ટ્રાન્સપોર્ટેશન, એક કેનેડીયન કંપની જેની સાવલી સાઇટ માં દિલ્હી મેટ્રોનુ ઉત્પાદન થાય છે. જનરલ મોટર્સ (એમ જિ મોટર્સ), ALSTOM, એબીબી,સિમેન્સ્, ફિલિપ્સ, પેનાસોનિક, ફૅગ(FAG), સ્ટર્લીંગ બાયોટેક, સન ફાર્માસ્યૂટિકલ્સ અને Areva ટી એન્ડ ડી, બોમ્બાર્ડીયર, અને GAGL (ગુજરાત ઓટોમોટિવ ગીયર્સ લિમિટેડ) જેવા ઘણા ઉત્પાદન એકમો વડોદરા માં સ્થાપિત છે. વધુમાં વડોદરાની આસપાસમાં ઘણી ગ્લાસ ઉત્પાદન કંપનીઓ પણ સ્થાપિત છે, જેમ કે, Haldyn ગ્લાસ, HNG ફ્લોટ ગ્લાસ લિમિટેડ, CEAT, Apollo Tyres, હિરો હોન્ડા,પિરામલ ગ્લાસ અને ગુજરાત ગ્લાસ વગેરે. કોઇ પ્રદેશમાં વિશાળ ઔદ્યોગિક એકમો ની સ્થાપના આપમેળે ઘણા નાના સાહસો અસ્તિત્વમાં લઈ આવે છે. વડોદરા શહેર છે અને આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રમાણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આજે ધમધમે છે. વડોદરાના ઔદ્યોગિકરણથી માત્ર વડોદરા નહી પણ આખા ગુજરાત અને ભારતના અન્ય ઉદ્યોગો આકર્ષાયા છે. 'નોલેજ સિટી', કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઇંડ્સ્ટ્રીના નજરાણા સાથે, વડોદરા ધીમે ધીમે આઇટી અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં હબ બની રહ્યુ છે. વાહન વ્યવહાર હવાઇ માર્ગ વડોદરા હવાઇ મથક મુંબઇ, દિલ્લી, બેંગલોર અને અમદાવાદ સાથે હવાઇ માર્ગે જોડાયેલ છે. રેલ માર્ગ વડોદરા, પશ્ચિમ રેલ્વેનું સૌથી મહત્વપૂર્ણ જંકશન છે. મુંબઇ, સુરતથી અમદાવાદ, જામનગર જતાં અને દિલ્લી, મથુરા, ગોધરા જતા વચ્ચે આવતા આ શહેરને ભૌગોલિક ફાયદો મળેલ છે. ધોરી માર્ગ ભારતના સૌથી વ્યસ્ત મનાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને દ્રુતગતિ માર્ગ નં.૧ પર આ શહેર વસેલું છે. જોવાલાયક સ્થળો લક્ષ્મી વિલાસ મહેલ મોતીબાગ મેદાન મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય મધ્યવર્તિ પુસ્તકાલય સયાજી બાગ (કમાટી બાગ) સરદાર પટેલ પ્લેનેટેરીયમ કીર્તિ મંદિર નજર બાગ મહેલ ચાંપાનેર દરવાજા લહેરીપુરા દરવાજા પ્રતાપ વિલાસ મહેલ લાલબાગ માંડવી દરવાજા ખંડેરાવ માર્કેટ મકબરા (હજીરા) સયાજી સરોવર સુર સાગર અરવિંદ આશ્રમ દક્ષિણામૂર્તિ મંદિર ઇસ્કોન મંદિર આજવા નીમેટા આઇપીસીએલ મંદિર સીંધરૉટ કાલાઘોડા મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય આઇનૉક્ષ મલ્ટીપ્લેક્ષ વડોદરા સેંટ્ર્લ ઇનઓરબીટ મોલ સેન્ટર સ્ક્વેર મોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આત્મજ્યોતિ આશ્રમ ચિન્મય મિશન બરોડા ડેરી (સુગમ ડેરી) સ્વામિનારાયણ મંદિર - વાડી, કારેલીબાગ, અટલાદરા સંદર્ભ બાહ્ય કડીઓ વડોદરા ઑન-લાઇન વડોદરા શહેરની માહિતી વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:વડોદરા તાલુકો શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:વડોદરા શહેર શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો
આવર્ત કોષ્ટક
https://gu.wikipedia.org/wiki/આવર્ત_કોષ્ટક
thumb|250px|આવર્ત કોષ્ટકના રચનાકાર મેન્ડેલીફ આવર્ત કોષ્ટક એ રસાયણ શાસ્ત્રનો સૌથી ઉપયોગી કોઠો છે. રશિયન રસાયણ શાસ્ત્રી મેન્ડેલીફે ઈ.સ. ૧૮૬૯માં બનાવ્યુંં હતુંં. હાલનાં આવર્ત કોષ્ટકમાં ૧૧૮ તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે. આવર્ત કોષ્ટક વિશ્વમાં હાજર તત્વોની યાદી છે. તેની ખાસિયત એ છે કે એમાં કરેલ ગોઠવણી પ્રમાણે એક ઊભી હારમાં આવતાં તત્વોના ગુણધર્મો ઘણા મળતા આવે છે. આવર્ત કોષ્ટક નો વિકાસ હેન્દ્રી મોસલે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો તેણે પરમાણુભાર અને પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખ બનાવ્યા હતા. પરમાણુ ભાર નો આલેખ એ પરમાણુ ક્રમાંકના આલેખ કરતા થોડો વિચલિત આમ તો જોવા મળે છે તેથી તેને પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈને આવા કોષ્ટકનો વિકાસ કર્યો આમ હેન્દ્રી મોસલે નો ફાળો આવત કોષ્ટકમાં ખૂબ જ મહત્વનો છે તેમણે તેના પરથી આધુનિક આવર્ત કોષ્ટક ના તત્વો ના ગુણધર્મો અને પરમાણ્વીય ક્રમાંક આધાર રાખે છે આમ આધુનિક આવર્ત કોષ્ટક માં 18 સમૂહ અને સાત આવડતો છે આધુનિક આવર્ત કોષ્ટક ને ચાર લેવામાં વહેંચવામાં આવ્યો છે (1) S વિભાગ (2) p વિભાગ (3) d વિભાગ (4)f વિભાગ ~s વિભાગના તત્વોમાં બે સમૂહનો સમાવેશ થાય છે પહેલું આલ્કલી ધાતુ, બીજું આલ્કલાઇન અર્થ ધાતુ. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય તો તેવા તત્વો અને એસ વિભાગના તત્વો કહે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન એસ વન ટુ ટુ છે આ વિભાગના તત્વો અથવા તો બે ઇલેક્ટ્રોન ગુમાવી અને એક પ્લસ અને બે પ્લસ વીજભાર મેળવે છે જેના લીધે તત્વની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા તત્વો જોવા મળે છે મને મોટામાં થતું સંયોજનોનો આયનીય લક્ષણો ધરાવે છે. ~d માં કુલ સમૂહ 3થી 12 સુધીના તત્વો આવેલા હોય છે કુલ 10 સમૂહ નો સમાવેશ થાય છે બનાવે છે. બાહ્ય કડી શ્રેણી:રસાયણવિજ્ઞાન શ્રેણી:રાસાયણિક તત્વો
આમિર ખાન
https://gu.wikipedia.org/wiki/આમિર_ખાન
આમિર ખાન (આમિર હુસૈન ખાન ૧૪ માર્ચ ૧૯૬૫) એક ભારતીય ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે. ખાનો સંખ્યાબંધ વિવેચનાત્મક અને વ્યાપારીક રીતે સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની જાતને હિન્દી સિનેમાના એક આગળ પડતા અભિનેતા તરીકે સ્થાપિત કરી છે. તેઓ આમિર ખાન પ્રોડક્શન્સના સ્થાપક અને માલિક પણ છે. તેમના કાકા નાસિર હુસૈનની ફિલ્મ યાદો કી બારાત (1973)માં એક બાળ કલાકાર તરીકે પોતાની કારકીર્દિનો પ્રારંભ કરનાર, ખાને તે પછીના 11 વર્ષો બાદ હોલી ફિલ્મ (1984)થી પોતાની વ્યાવસાયિક કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમના પિતરાઇ ભાઈ મન્સુર ખાનની ફિલ્મ કયામત સે કયામત તક (1988)માં તેમને પ્રથમ વખત વ્યાપારી સફળતા પ્રાપ્ત થઇ હતી, જેના માટે તેમણે ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબૂ પુરસ્કાર પણ જીત્યો હતો. 1980 અને 1990ના દાયકાના અગાઉના સાત નામાંકનો દરમિયાન, ખાને ભારે કમાણી કરનાર રાજા હિન્દુસ્તાની (1996)માં ભૂમિકા બદલ તેમનો પ્રથમ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર મેળવ્યો હતો. 2001માં તેમણે એકેડમી પુરસ્કાર માટે નામાંકિત થયેલી લગાન ફિલ્મ સાથે ફિલ્મના નિર્માણની શરૂઆત કરી હતી. ખાન તે ફિલ્મમાં આગવી ભૂમિકા બજાવી હતી અને તે કામગીરી બદલ દ્વિતીય ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર જીત્યો હતો. અભિનયમાં ચાર વર્ષના વિરામ બાદ ખાને કેતન મહેતાની ફિલ્મ Mangal Pandey: The Rising (2005)દ્વારા પુનરાગમન કર્યું હતું, અને બાદમાં રંગ દે બસંતી (2006)માં પોતાના અભિનય બદલ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનય બદલ ક્રિટીક્સ પુરસ્કાર જીત્યો હતો. 2007માં, તેમણે તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) સાથે દિગ્દર્શનની શરૂઆત કર હતી, જેના માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો પુરસ્કાર મળ્યો હતો. ત્યાર બાદ તેમણે ગજિની (2008)માં અભિનય કર્યો, જે તે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ હતી. 2009માં ખાન વ્યાપારી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ 3 ઇડિઅટ્સ માં દેખાયા હતા, જે અત્યાર સુધીની બોલિવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, અલબત્ત તે ફૂગાવાથી પર હતી. પૂર્વજીવન ખાન બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલ, મુંબઇ, ભારતમાં, મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા, જે ઘણા દાયકાઓથી ભારતીય મોશન પિક્ચર ઉદ્યોગમાં છે. તેમના પિતા, તાહિર હુસૈન, ફિલ્મ નિર્માતા હતા, જ્યારે તેમના મૃત્યુ પામેલા કાકા, નાસિર હુસૈન, ફિલ્મ નિર્માતા તેમજ દિગ્દર્શક અને અભિનેતા હતા. તેઓ મુસ્લિમ વિદ્વાન અને રાજકારણી મૌલાના અબ્દુલ કલામ આઝાદના વંશજ છે અને રાજ્ય સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો.નજમા હેપ્તુલ્લાહના બીજા પિતરાઇ છે. ફિલ્મ કારકીર્દિ અભિનેતા ખાને પોતાની ફિલ્મ કારકીર્દિનો પ્રારંભ હોમ પ્રોડક્શનમાં નાસિર હુસૈન દ્વારા બનાવવામાં આવેલી યાદોં કી બારાત (1973) અને મદહોશ (1974)માં બાળ કલાકાર તરીકે કર્યો હતો. 11 વર્ષો બાદ તેમણે પુખ્ત વયે સૌપ્રથમ વખત કેતન મહેતાની હોલી (1984) ફિલ્મમાં અભિનય કર્યો હતો, જે ભૂમિકાને બહુ ધ્યાનમાં લેવાઇ ન હતી. ખાને 1988ની ફિલ્મ કયામત સે કયામત તક માં પ્રથમ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જેનું દિગ્દર્શન તેના પિતરાઇ ભાઈ અને નાસિર હુસૈનના પુત્ર મન્સુર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પ્રગતિશીલ વ્યાપારી સફળતા હતી, અને ખાનની આગવા અભિનેતા તરીકેની કારકીર્દિની અસરકારક રજૂઆત હતી. વિશિષ્ટ પ્રકારના 'ચોકલેટ હીરો' જેવા દેખાવને લીધે તેઓ કિશોર વયના પ્રતિક તરીકે જાણતા બન્યા હતા. વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ રાખ માં પણ તેમણે અભિનય કર્યો હતો, જેના માટે તેમને સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર માટે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યાર બાદ, 1980ના અંતમાં અને 1990ના પ્રારંભમાં તેમણે વિવિધ ફિલ્મોમાં દેખા દીધી હતી : દિલ (1990), જે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી, દિલ હૈ કી માનતા નહી (1991), જો જિતા વોહી સિકંદર (1992), હમ હે રાહી પ્યાર કે (1993) (જેના માટે તેમણે પટકથા પણ લખી હતી), અને રંગીલા (1995). આમાંની મોટા ભાગની ફિલ્મો વિવેચનાત્મક રીતે અને વ્યાપારી રીતે સફળ થઇ હતી. અન્ય સફળતાઓમાં અંદાજ અપના અપના નો સમાવેશ થાય છે, જેમાં સહ અભિનેતા સલમાન ખાન હતા. તેની રજૂઆત સમયે ફિલ્મની ટીકાકારો દ્વારા તેની તરફેણ કરવામાં આવી ન હતી, પરંતુ વર્ષો વીતતા તેણે આદર ભાવ પ્રાપ્ત કર્યો હતો. ખાને વર્ષમાં ફક્ત એક અથવા બે ફિલ્મોમાં અભિનય કરવાનું જ ચાલુ રાખ્યું હતું, જે હિન્દી સિનેમાની મુખ્ય વિચારધારા ધરાવતા અભિનેતામાં અસાધારણ લક્ષણ હતું. 1996માં ધર્મેશ દર્શન દ્વારા દિગ્દર્શીત વ્યાપારીક બ્લોકબસ્ટર ફિલ્મ રાજા હિન્દુસ્તાની રૂપે એક માત્ર ફિલ્મ રજૂ થઇ હતી, જેમાં તેમણે કરિશ્મા કપૂર સાથે જોડી બનાવી હતી. આ ફિલ્મે અગાઉના સાત નામાંકન બાદ તેમને તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અપાવ્યો હતો અને આ ફિલ્મ તે વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી, તેમજ 1990ના દાયકાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી. આ સમયે ખાનની કારકીર્દિ એવા તબક્કે હતી જેમાં વધારો થવાનો અવકાશ ન હતો અને તે પછીના થોડા વર્ષો સુધી જે ફિલ્મો આવી તેને સામાન્ય સફળતા પ્રાપ્ત થઇ હતી. 1997માં, તેમણે ફિલ્મ ઇશ્ક માં અજય દેવગણ સાથે સહ અભિનય કર્યો હતો અને જુહી ચાવલા સાથે જોડી બનાવી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી. 1998માં, ખાને સાધારણ સફળતા પ્રાપ્ત કરેલી ફિલ્મ ગુલામ માં દેખા દીધી હતી, જેના માટે તેમણે પ્લેબેક સીંગીંગ પણ કર્યું હતું. જોહ્ન મેથ્યુ મેટહનની સરફરોશ (1999) ખાનની વર્ષ 1999ની પ્રથમ રજૂઆત હતી, જેણે બોક્સ ઓફિસ પર સરેરાશથી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. સમીક્ષકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી અને ખાનની ભૂમિકાને પ્રમાણિક અને ભ્રષ્ટાચાર વિનાના પોલીસ અધિકારી કે જે સરહદી આતંકવાદ સામે લડાઇમાં વ્યસ્ત હતા તેવી દર્શાવવામાં આવી હતી અને ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, આવી જ ભૂમિકા તેમણે દીપા મહેતાની આર્ટ હાઉસ ફિલ્મ અર્થ માં બજાવી હતી. નવી સહસ્ત્રાબ્દીમાં તેમની પ્રથમ રજૂઆત મેલા હતી, જેમાં તેમણે તેમના સગા ભાઈ ફૈઝલ ખાન સાથે ભૂમિકા બજાવી હતી, જે બોક્સ ઓફિસ અને વિવેચનાત્મક દ્રષ્ટિએ બોમ્બ સાબિત થઇ હતી. 2001માં તેઓ લગાન માં દેખાયા હતા. આ ફિલ્મને વિવેચનાત્મક અને વ્યાપારીક રીતે ભારે સફળતા પ્રાપ્ત થઇ હતી, અને 74માં એકેડેમી પુરસ્કાર ખાતે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ તરીકે નામાંકન પ્રાપ્ત થયું હતું. વધુમાં, વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં વિવેચનાત્મક પ્રશંસા પ્રાપ્ત કરી હતી, તેમજ અસંખ્ય ભારતીય પુરસ્કાર પ્રાપ્ત કરવાની સાથે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા હતા. ખાને પોતે તેમનો બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો. લગાન માં મળેલી સફળતા તે વર્ષના પાછળના ભાગમાં આવેલી ફિલ્મ દિલ ચાહતા હૈ સુધી સતત રહી હતી, જેમાં ખાને અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન સાથે સહ અભિનય કર્યો હતો, તેમજ પ્રિતી ઝીન્ટાએ તેમની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન તે સમયમાં નવા આવેલા ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. સમીક્ષકોના મતે, ફિલ્મે ભારતીય શહેરી યુવાનોને આજના સમયમાં ખરેખર છે તેવા દર્શાવીને તમામ નવા આયામો તોડ્યા હતા. તેમાં જે પાત્રો દર્શાવવામાં આવ્યા હતા તે આધુનિક, વિવેકી અને સર્વદેશી હતા. આ ફિલ્મે સાધારણ સારી કામગીરી બજાવી હતી અને મોટે ભાગે તમામ શહેરોમાં સફળ થઇ હતી. ખાને ત્યાર બાદ અંગત સમસ્યાઓ દર્શાવીને ચાર વર્ષનો વિરામ લીધો હતો અને 2005માં કેતન મહેતાની Mangal Pandey: The Rising ફિલ્મમાં વાસ્તવિક જીવનના હિન્દી લશ્કરી સિપાઇ અને શહીદની મુખ્ય ભૂમિકા બજાવીને 2005માં પુનરાગમન કર્યું હતું, જેણે 1857ના ભારતીય બળવા અથવા 'ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ'માં ચિનગારી ચાંપી હતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાની પુરસ્કાર જીતેલી ફિલ્મ રંગ દે બસંતી , ખાનની 2006ની સૌપ્રથમ રજૂઆત હતી. તેમની ભૂમિકાને વિવેચનાત્મક રીતે વખાણવામાં આવી હતી, જેણે તેમને શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મફેર ક્રિટીક્સ પુરસ્કાર જીતાડી આપ્યો હતો અને વિવિધ શ્રેષ્ઠ અભિનેતા માટેના નામાંકન પ્રાપ્ત થયા હતા. આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી, અને તેની પસંદગી ઓસ્કરમાં ભારતના સત્તાવાર પ્રવેશ તરીકે થઇ હતી. ફિલ્મને નોમિનીની ટૂંકી યાદીમાં સ્થાન આપવામાં ન આવ્યું હોવા છતાં, તેણે બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકે ઇંગ્લેંડમાં બાફ્ટા પુરસ્કારોમાં નામાંકન પ્રાપ્ત કર્યું હતું. તેના પછીની ફિલ્મ, ફના (2006)માં પણ ખાનના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી, અને તે ફિલ્મ 2006ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ સાબિત થઇ હતી. 2007ની તેમની ફિલ્મ, તારે ઝમીન પર નું નિર્માણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ, કે જે આમિર ખાન પ્રોડક્શન્સ ની બીજી રજૂઆત હતી, તેમાં ખાને શિક્ષક તરીકે સહાયક ભૂમિકા બજાવી હતી, જે ડિસ્લેક્સિક (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર) ધરાવતા બાળકના મિત્ર બની જઇ તેની મદદ કરે છે. તેને સમીક્ષકો અને જનતાએ સહર્ષ રીતે આવકારી હતી. ખાનની કામગીરીને પણ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો, જોકે ખાસ કરીને તેમના દિગ્દર્શનને લીધે તેમના વખાણ કરવામાં આવ્યા હતા. 2008માં, ખાને ફિલ્મ ગજિની માં અભિનય કર્યો હતો. ફિલ્મને ભારે વ્યાપારી સફળતા પ્રાપ્ત થઇ હતી અને તે બોલિવુડની વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મમાં તેના અભિનય બદલ, ખાનને વિવિધ પુરસ્કાર સમારંભોમાં શ્રેષ્ઠ અભિનેતા માટે તેમજ પંદરમા ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા માટેના નામાંકનો મળ્યા. 2009માં ખાને વ્યાપારી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ 3 ઇડિઅટ્સ માં ભૂમિકા અદા કરી. ખાનની રણછોડદાસ ચાંચડ તરીકેની ભૂમિકાની પ્રેક્ષકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. નિર્માતા 2001માં ખાને આમિર ખાન પ્રોડક્શન્સ તરીકે જાણીતી પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી. તેની પ્રથમ ફિલ્મ લગાન હતી. આ ફિલ્મ 2001માં રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાને અગ્રણી નાયકની ભૂમિકા બજાવી હતી. આ ફિલ્મની પસંદગી 74માં એકેડમી પુરસ્કારોમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ભારતના સત્તાવાર પ્રવેશ તરીકે થઇ હતી. તે કેટેગરીમાં તેની પસંદગી થઇ હતી અને નામાંકિત થઇ હતી, પરંતુ નો મેન્સ લેન્ડ સામે તે પરાજિત થઇ હતી. ફિલ્મે ફિલ્મફેર અને આઇફા જેવા ઘણા ભારતીય પુરસ્કાર સમારંભોમાં સંખ્યાબંધ પુરસ્કારો જીત્યા હતા, અને નેશનલ ફિલ્મ પુરસ્કાર ફોર મોસ્ટ પોપ્યુલર ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો, આ પુરસ્કાર ખાન અને ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકર વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. ખાને બાદમાં લગાન ની ઓસ્કર ખાતેની હાર અંગે ટિપ્પણી કરી હતી: "ખરેખર અમે નિરાશ થયા છીએ. સમગ્ર દેશ અમારી સાથે હતો તે બાબત અમને ઉત્સાહમાં રાખતી હતી". 2007માં તેમણે ફિલ્મ તારે ઝમીન પર રજૂ કરી હતી, જેમાં તેમણે સૌપ્રથમ વખત દિગ્દર્શન કર્યું હતું. ખાને આ ફિલ્મમાં સહાયક ભૂમિકા પણ ભજવી હતી, જેમણે બાળ અભિનેતા દર્શીલ સફારી સાથે કામ કર્યું હતું. ફિલ્મનો પ્રારંભિક રીતે કલ્પના અને વિકાસ પતિ અને પત્ની અમોલ ગુપ્તે અને દીપા ભાટીયાની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. તે નાના બાળતની વાર્તા હતી, જે તેના શિક્ષણ જ્યાં સુધી તેને ડિસ્લેક્સિક (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર) તરીકે ઓળખી કાઢતા નથી, ત્યાં સુધી તે બાળક પીડાતુ રહે છે. આ ફિલ્મના વિવેચનાત્મક રીતે વખાણ કરવામાં આવ્યા હતા, તેમજ બોક્સ ઓફિસ પર પણ સફળતા પ્રાપ્ત થઇ હતી. તારે ઝમીન પર એ 2008નો ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો તેમજ અસંખ્ય અન્ય ફિલ્મફેર અને સ્ટાર સ્ક્રીન પુરસ્કારો પણ જીત્યા હતા. ખાનની કામગીરીએ તેને ફિલ્મફેરમાં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કારો જીતાવી આપ્યા હતા, જેણે બોલિવુડમાં એક સક્ષમ ફિલ્મનિર્માતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. 2008માં, ખાને તેમના ભત્રીજા ઇમરાન ખાનને ફિલ્મ જાને તુ યા જાને ના માં સૌપ્રથમ વખત તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ ભૂમિકા આપી હતી. આ ફિલ્મને ભારતમાં ખૂબ સફળ થઇ હતી, અને ખાનને ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ ફિલ્મ માટે ફરી નામાંકન મળ્યું હતું. ટી.વી કારકિર્દી આમીર ખાન પહેલીવાર ટીવી ના પડદે 6 મે 2012 ના રોજ આવીયો . સામજિક ઘટના ને આધારિત એક વાર્તાલાપ કાર્યક્રમ "સત્ય મેવ જયતે " થી શરૂઆત કરી અને આ કાર્યક્રમ ખૂબજ લોકપ્રિય થયો હતો . કાર્યક્રમ નું પ્રસારણ સ્ટાર પ્લસ પર કરવામાં આવ્યું હતું . અંગત જીવન કયામત સે કયામત તક ના વર્ષો દરમિયાન ખાન રીના દત્તાને પરણ્યા હતા. તેમને જુનેદ નામનો પુત્ર અને ઇરા નામની પુત્રી એમ બે બાળકો હતા. રીનાએ લગાન ના નિર્માતા તરીકે કામ કર્યું ત્યારે સંક્ષિપ્ત રીતે ખાનની કારકીર્દિ સાથે સંકળાયેલી હતી. ડિસેમ્બર 2002માં, ખાને છૂટાછેડાની અરજી કરી હતી અને 15 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો અને રીનાએ તેમના બન્ને બાળકોનો હવાલો લીધો હતો. 28 ડિસેમ્બર, 2005ના રોજ, લગાન ના ફિલ્માંકન દરમિયાન આશુતોષ ગોવારિકરની સહાયક દિગ્દર્શક કિરણ રાવ સાથે તેણે લગ્ન કર્યા હતા.આમિર ખાનની ઊંચાઇ 5.5 ફૂટ છે. અનેક વખત નામાંકિત થવા છતાં, "ભારતીય ફિલ્મ પુરસ્કારોમાં વિશ્વસનિયતાનો અભાવ હોય છે" તેવું માનતા હોવાથી ખાન કોઇ પણ ભારતીય ફિલ્મ પુરસ્કાર સમારંભોમાં હાજર રહ્યા નથી. 2007માં, ખાન તેમના નાના ભાઈ ફૈઝલ માટે તેમના પિતા તાહીર હુસૈન સામે પાલન લડાઇ હારી ગયા હતા. 2007માં, ખાનને લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાનું મીણનું પુતળું પ્રદર્શનમાં મુકવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, ખાને એવું કહીને ના પાડી હતી કે, "તે મારા માટે અગત્યનું નથી...જો લોકોને જોવી હશે તો લોકો મારી ફિલ્મ જોશે. તેમજ, હું એક સાથે ઘણા કામ કરી શકુ નહીં. મારી આટલા કામ માટે જ ક્ષમતા છે." 2009માં એક મુલાકાતમાં, ખાને જણાવ્યું હતું કે તે ફિલ્મનિર્માણના વિશ્વને સ્વતંત્ર વિચારશરણીથી જોવા માગે છે અને તે "અલગ કામ નહીં, પણ કામ અલગ પદ્ધતિથી કરે છે. હું માનુ છું કે દરેક વ્યક્તિએ તેના/તેણીના સ્વપ્નોને અનુસરવા જોઇએ અને પ્રયત્ન કરવો જોઇએ અને ઉપયોગિતાને આધારે સિદ્ધ કરવા માટે ક્ષમતા સર્જનને શક્ય બનાવવું જોઇએ." તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓને અંતિમ પરિણામ કરતા ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં વધુ રસ છે: "મારા માટે, પ્રક્રિયા વધુ અગત્યની છે, વધુ આનંદકારક છે. મને પ્રથમ તબક્કાથી જ પ્રક્રિયા પર પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રીત કરવાનું ગમશે." તેમના રોલ મોડેલ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, "ગાંધીજી એક એવા વ્યક્તિ છે, જે મને પ્રેરણા આપે છે!." ફિલ્મની સફર અભિનેતા વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિકા નોંધ ૧૯૭૩ યાદો કી બારાત યુવાન રતન ૧૯૭૪ મદહોશ બાળ કલાકાર ૧૯૮૪ હોલી મદન શર્મા ૧૯૮૮ કયામત સે કયામત તક રાજ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ પુરૂષ પ્રવેશક પુરસ્કાર નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૧૯૮૯ રાખ આમિર હુસૈન નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર લવ લવ લવ અમિત ૧૯૯૦ અવ્વલ નંબર સન્ની તુમ મેરે હો શિવા દિલ રાજા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર દિવાના મુઝ સા નહીં અજય શર્મા જવાની જિંદાબાદ શશી ૧૯૯૧ અફસાના પ્યાર કા રાજ દિલ હૈ કી માનતા નહી રઘુ જેટલી નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ઇસી કા નામ જિંદગી છોટુ દૌલત કી જંગ રાજેશ ચૌધરી ૧૯૯૨ જો જીતા વોહી સિકંદર સંજયલાલ શર્મા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૧૯૯૩ પરંપરા રણવીર પૃથ્વી સિંઘ હમ હે રાહી પ્યાર કે રાહુલ મલ્હોત્રા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૧૯૯૪ અંદાજ અપના અપના અમર મનોહર નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૧૯૯૫ બાઝી ઇન્સ્પેક્ટર અમર દામજી આતંક હી આતંક રોહન રંગીલા મુન્ના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અકેલે હમ અકેલે તુમ રોહિત ૧૯૯૬ રાજા હિન્દુસ્તાની રાજા હિન્દુસ્તાની વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૧૯૯૭ ઇશ્ક રાજા ૧૯૯૮ ગુલામ સિદ્ધાર્થ મરાઠે નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કારમાં નામાંકન ૧૯૯૯ સરફરોશ અજય સિંહ રાઠોડ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર મન દેવ કરન સિંહ અર્થ (૧૯૪૭ ) દિલ નવાઝ ૨૦૦૦ મેલા કિશન પ્યારે ૨૦૦૧ લગાન ભુવન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર દિલ ચાહતા હૈ આકાશ મલ્હોત્રા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૨૦૦૫ Mangal Pandey: The Rising મંગલ પાંડે નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૨૦૦૬ રંગ દે બસંતી દલજિત સિંહ 'ડીજે' વિજેતા , ફિલ્મફેર વિવેચક પુરસ્કાર: શ્રેષ્ઠ પ્રદર્શન નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફના રેહાન કાદરી ૨૦૦૭ તારે ઝમીન પર રામ શંકર નિકુંભ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર ૨૦૦૮ ગજિની સંજય સિંઘાનિયા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ૨૦૦૯ લક બાય ચાન્સ પોતે વિશેષ કલાકાર 3 ઇડિઅટ્સ રણછોડદાસ શામલદાસ ચાંચડ (રેંચો)/ ફુન્સુખ વાંગડુ ૨૦૧૦ દિલ્હી બેલી મહેમાન કલાકાર ૨૦૧૦ ધોબી ઘાટ નિર્માણ બાદ બોમ્બે વેલ્વેટ નિર્માણ પહેલા અંદાજ અપના અપના ૨ ઘોષિત ૨૦૧૨તલાશ ઇન્સ્પેકટર સુરજ સિંહ શેખાવત 2013બૉમ્બે ટૉકીઝહિમસેલ્ફગીતમાં ખાસ દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ"2013રૂબરૂહિમસેલ્ફડોક્યુમેન્ટરી ફાઈલ2013ધૂમ 3સાહિર ખાન / સમર ખાન [છઠ્ઠી]2014પીકેપીકેશ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ2015દિલ ધડકને દોપ્લુટો મેહરા2016દંગલમહાવીરસિંહ ફોગટ પ્લેબેક સીંગીંગ વર્ષ ફિલ્મ-ચલચિત્ર ગીત ૧૯૯૮ ગુલામ આતી ક્યા ખંડાલા ૨૦૦૦ મેલા દેખો ૨૦૦૦ જમાના આ ગાયા ૨૦૦૫ મંગલ પાંડે: ધ રાઇઝિંગ હોલી રે ૨૦૦૬ રંગ દે બસંતી લલકાર ફના ચંદા ચમકે ૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) બમ બમ બોલે નિર્માતા વર્ષ ફિલ્મ-ચલચિત્ર દિગ્દર્શક નોંધ ૨૦૦૧ લગાન આશુતોષ ગોવારીકર વિજેતા , નેશનલ ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટે કે જે તંદુરસ્ત મનોરંજન પૂરું પાડે છે વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર ૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) આમિર ખાન વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર ૨૦૦૮ જાને તુ યા જાને ના અબ્બાસ ટાયરવાલા નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર ૨૦૧૦ દિલ્હી બેલી બોલિવુડ હંગામા અભિનય દેવ ધોબી ઘાટ કિરણ આમિર ખાન નિર્માણ હેઠળ પીપલી લાઇવ નિર્માણ હેઠળ લેખક/દિગ્દર્શક વર્ષ ફિલ્મ-ચલચિત્ર નોંધ ૧૯૮૮ કયામત સે કયામત તક વાર્તા લેખક ૧૯૯૩ હમ હૈ રાહી પ્યાર કે પટકથાકાર ૨૦૦૭ તારે ઝમીન પર (લાઇક સ્ટાર્સ ઓન અર્થ ) દિગ્દર્શક વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કાર આગળ વધુ વાંચો ક્રેરર, સિમોન. "આમિર ખાન ઓન મેકીંગ ઇટ ઓન બોલીવુડ." ધી ટાઇમ્સ , 15 જાન્યુઆરી, 2010. સંદર્ભો બાહ્ય લિન્ક્સ સત્તાવાર વેબસાઈટ શ્રેણી:ભારતીય ફિલ્મ અભિનેતાઓ શ્રેણી:ભારતીય ફિલ્મ નિર્માતાઓ શ્રેણી:જીવિત લોકો શ્રેણી:ભારતીય મુસ્લિમો શ્રેણી:બોલીવુડ શ્રેણી:હિન્દી ફિલ્મ અભિનેતાઓ શ્રેણી:હિન્દી ફિલ્મ દિગ્દર્શકો શ્રેણી:ભારતીય ફિલ્મ દિગ્દર્શકો શ્રેણી:મુંબઇના લોકો શ્રેણી:ફિલ્મફેર પુરસ્કારોના વિજેતાઓ શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:ભારતીય બાળ કલાકારો શ્રેણી:૧૯૬૫માં જન્મ
શાહરૂખ ખાન
https://gu.wikipedia.org/wiki/શાહરૂખ_ખાન
શાહરૂખ ખાન (હિન્દી: शाहरुख़ ख़ान, ઉર્દૂ: شاہ) (જન્મ 2 નવેમ્બર ૧૯૬૫), જેને ઘણી વખત ભારતમાં શાહ રુખ ખાન તરીકે સંબોધવામાં આવે છે, તે અભિનેતા અને હિંદી ફિલ્મો (બોલીવુડ)નો અગ્રણી સ્ટાર તેમજ ફિલ્મ નિર્માતા અને ટેલિવીઝન પ્રસ્તુતક છે. વિગત શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે. શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), ચક દે ઇન્ડિયા (૨૦૦૭) અને ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કલ હો ના હો (૨૦૦૩), વીર-ઝારા (૨૦૦૪) અને કભી અલવિદા ના કહેના (૨૦૦૬) વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા. નિર્માતા ખાને જ્યારે જુહી ચાવલા (Juhi Chawla) અને ડાયરેક્ટર અઝીઝ મિરઝા (Aziz Mirza) સાથે મળીને 1999માં ડ્રીમ્ઝ અલિમીટેડ (Dreamz Unlimited) નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી ત્યારે તેઓ એક નિર્માતા તરીકે ઉભરી આવ્યા હતા. પ્રથમ બે ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું અને તેમાં અભિનય પણ કર્યો હતોઃ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (Phir Bhi Dil Hai Hindustani) (2000) અને અસોકા (Asoka) (2001) જે બોક્સ ઓફિસ પણ નિષ્ફળ ગઇ હતી.જોકે, નિર્માતા અને સ્ટાર તરીકે ત્રીજી ફિલ્મ, ચલતે ચલતે (Chalte Chalte) (2003)બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી. 2004માં ખાને રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ (Red Chillies Entertainment) નામની અન્ય એક પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી અને અન્ય એક હીટ ફિલ્મ એવી મૈ હૂ ના (Main Hoon Na)નું નિર્માણ કર્યું હતું અને અભિનય કર્યો હતો. ત્યાર પછીના વર્ષે તેમણે પહેલી (Paheli) નામની કાલ્પનિક ફિલ્મનું નિર્માણ અને અભિનય કર્યો હતો, તેની કામગીરી નબળી રહી હતી. એકેડેમી એવોર્ડઝ (Academy Awards)માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તરીકે ભારતનો જોકે સત્તાવાર રીતે પ્રથમ પ્રવેશ હતો, પરંતુ તે અંતિમ પસંદગીમાંથી પસાર થઇ શક્યુ ન હતું. 2005માં પણ ખાને કરન જોહર સાથે મળીને સુપરનેચરલ હોરર ફિલ્મ (horror film) કાલ (Kaal)નું સહ નિર્માણ કર્યું હતું અને મલૈકા અરોરા ખાન (Malaika Arora Khan) સાથે આઇટમ નંબર (item number) તરીકેની ભૂમિકા ભજવી હતી. કાલ બોક્સ ઓફિસ પર સાધારણ સફળ થઇ હતી. તેમની કંપનીએ ઓમ શાંતિ ઓમ (Om Shanti Om) (2007)નું નિર્માણ કર્યું હતું, જેમાં તેમણે ભૂમિકા બજાવી હતી અને બિલ્લુ (Billu) (2009)માં તેમણે બોલીવુડ સુપરસ્ટાર તરીકે ટેકાત્મક ભૂમિકા બજાવી હતી. ૨૦૦૮માં રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ બીસીસીઆઇ (BCCI)ના નેજા હેઠળ આઇપીએલ (IPL) ક્રિકેટ (cricket) લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની માલિક બની હતી. ટેલવીઝન હોસ્ટ (આમંત્રિત) ૨૦૦૭માં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ની ત્રીજી શ્રેણીના યજમાન તરીકે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને સ્થાને ખાન આવ્યા હતા, આ ગેઇમ શો હુ વોન્ટસ ટુ બી મિલીયનોર? (Who Wants to Be a Millionaire?)નું ભારતીય સ્વરૂપ હતું. અગાઉના હોસ્ટે આ શોનું પાંચ વર્ષો સુધી 2000-05 સંચાલન કર્યું હતું. 22 જાન્યુઆરી 2007ના રોજ કોન બનેગા કરોડપતિ નવા હોસ્ટ ખાન સાથે પ્રસારિત થયું હતું અને બાદમાં 19 એપ્રિલ 2007ના રોજ તેનો અંત આવ્યો હતો. ખાને ૨૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ ગેમ શો ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ? (Kya Aap Paanchvi Pass Se Tez Hain?)નું હોસ્ટીંગ કરવાનું શરૂ કર્યું હતું, આ શો આર યુ સ્માર્ટર ધેન ફિફ્થ ગ્રેડર? (Are You Smarter Than a 5th Grader?)નું ભારતીય. સ્વરૂપ હતું, જેનો છેલ્લો એપિસોડ 27 જુલાઇ 2008ના રોજ ખાસ મહેમાન તરીકે લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) સાથે પ્રસારિત થયો હતો. એવોર્ડઝ અને નોમિનેશન્સ ફિલ્મોગ્રાફી અભિનેતા વર્ષ શિર્ષક ભૂમિકા નોંધો 1992 દિવાના (Deewana) રાજા સહાય વિજેતા, ફિલ્મફેર બેસ્ટ મેલ ડિબટ એવોર્ડ (Filmfare Best Male Debut Award) ઇડીયટ (Idiot) પવન રઘુજન ચમત્કાર (Chamatkar) શ્રીવાસ્તવ રાજુ બન ગયા જેન્ટલમેન (Raju Ban Gaya Gentleman) રાજુ (રાજ માથુર ) દિલ આશના હૈ (Dil Aashna Hai) કરન 1993માયા મેમસાબ (Maya Memsaab) લલિત કુમાર કીંગ અંકલ (King Uncle) અનિલ ભંસલ બાઝીગર (Baazigar) અજય શર્મા/ વિકી મલ્હોત્રા વિજેતા , ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) ડર (Darr) રાહુલ મેહરા નોમિનેટેડ, ફિલ્મફેર બેલ્ટ વિલન એવોર્ડ (Filmfare Best Villain Award) કભી હા કભી ના (Kabhi Haan Kabhi Naa) સુનિલ વિજેતા, બેસ્ટ પરફોર્મન્સ માટે ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ (Filmfare Critics Award for Best Performance) નોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 1994 અંજામ (Anjaam) વિજય અગ્નિહોત્રીવિજેતા , ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ (Filmfare Best Villain Award) 1995 કરન અર્જુન (Karan Arjun) અર્જુન સિંહ/વિજય ઝમાના દિવાના (Zamana Deewana) રાહુલ મલ્હોત્રા ગુડ્ડુ (Guddu) ગુડ્ડુ બહાદૂર ઓહ ડાર્લિંગ! યે હૈ ઇન્ડિયા (Oh Darling! Yeh Hai India) હીરો દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (Dilwale Dulhania Le Jayenge) રાજ મલ્હોત્રાવિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)રામ જાને (Ram Jaane) રામ જાને ત્રિમૂર્તી (Trimurti) રોમી સિંઘ 1996 ઇંગ્લીશ બાબુ દેશી મેમ (English Babu Desi Mem) વિક્રમ /હરી/ગોપાલ/મયૂરચાહત (Chaahat) રૂપ રાઠોડઆર્મી (Army) અર્જુન ખાસ દેખાવ દુશ્મન દુનીયા કા (Dushman Duniya Ka) બદ્રુ 1997ગૂદગૂદી (Gudgudee) ખાસ દેખાવ કોયલા (Koyla) શંકર યસ બોસ (Yes Boss) રાહુલ જોષીનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)પરદેશ (Pardes) અર્જુન સાગર દિલ તો પાગલ હૈ (Dil To Pagal Hai) રાહુલ વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 1998ડુપ્લીકેટ (Duplicate) બબલુ ચૌધરી/મનુ દાદા નોમિનેટેડ, ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ (Filmfare Best Villain Award)અચાનક (Achanak) હીમસેલ્ફ ખાસ દેખાવ દિલ સે (Dil Se) અમરકાંત વર્મા તામિલ (Tamil)માં ડબ કરેલ યુઆયર, તેલગુ (Telugu)માં ડબ કરેલ પ્રેમા થોકુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai) રાહુલ ખન્ના વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 1999બાદશાહ (Baadshah) રાજ હીરા/બાદશાહનોમિનેટેડ, ફિલ્મફેર બેસ્ટ કોમેડીયન એવોર્ડ (Filmfare Best Comedian Award)2000ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની (Phir Bhi Dil Hai Hindustani) અજય બક્ષીહે રામ (Hey Ram) અમઝદ અલી ખાનઓસ્કરમાં હે રામતરીકે તામિલ (Tamil)માં માં એકી સાથે કરવામાં આવેલી ભારતની સત્તાવાર એન્ટ્રી (India's official entry to the Oscars) જોશ (Josh) મેક્સ હર દિલ જો પ્યાર કરેગા (Har Dil Jo Pyar Karega) રાહુલ ખાસ દેખાવ મોહબત્તે (Mohabbatein) આર્યન મલ્હોત્રાવિજેતા, બેસ્ટ પરફોર્મન્સ માટે ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ (Filmfare Critics Award for Best Performance) નોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)ગજ ગામિની (Gaja Gamini) હીમસેલ્ફ ખાસ દેખાવ 2001વન 2 કા 4 (One 2 Ka 4) અરુણ વર્માઅસોકા (Asoka) અસોકા સમ્રાટ અસોકા તરીકે તામિલ (Tamil)માં ડબ કરેલી કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) રાહુલ રાયચંદ નોમિનેટેડ, ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ (Filmfare Best Actor Award) 2002 હમ તુમ્હારે હૈ સનમ (Hum Tumhare Hain Sanam) ગોપાલ દેવદાસ (Devdas) દેવદાસ મુખર્જીવિજેતા ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી (India's official entry to the Oscars) શક્તિઃ બળ (Shakti: The Power) જયસિંહ ખાસ દેખાવ સાથીયા (Saathiya) યેશવંત રાવ કેમીયો 2003ચલતે ચલતે (Chalte Chalte) રાજ માથુર કલ હો ના હો (Kal Ho Naa Ho) અમન માથુર નોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 2004યે લમ્હે જુદાઇ કે (Yeh Lamhe Judaai Ke) દુશાંત મૈ હૂ ના (Main Hoon Na) મેજર રામ પ્રસાદ શર્માનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)વીર ઝારા (Veer-Zaara) વીર પ્રતાપ સિંહનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)સ્વદેસ (Swades) મોહન ભાર્ગવવિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) દેસમ તરીકે તામિલ (Tamil)માં ડબ થયેલો 2005કુછ મીઠા હો જાયે (Kuch Meetha Ho Jaaye) હીમસેલ્ફ ખાસ દેખાવ કાલ (Kaal)કાલ ધમાલ ગીતમાં ખાસ દેખાવ સિલસિલે (Silsiilay)સૂત્રધાર જબ જબ દિલ મિલે ગીતમાં ખાસ દેખાવ પહેલી (Paheli) કિશનલા / ધી ઘોસ્ટ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રીઓની યાદી (India's official entry to the Oscars) શાહ રુખ ખાનની અંદરની અને બહારની દુનીયા (The Inner and Outer World of Shah Rukh Khan) હીમસેલ્ફ(આત્મકથારૂપ ફિલ્મ)બ્રિટીશ લેખક અને ડાયરેક્ટર નસરીન મુન્ની કબીર (Nasreen Munni Kabir) દ્વારા દિગ્દર્શીત દસ્તાવેજી ફિલ્મ 2006અલગ (Alag) સબસે અલગ ગીતમાં ખાસ દેખાવ કભી અલવિદા ના કેહના (Kabhi Alvida Naa Kehna) દેવ સરનનોમિનેટેડ, ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ (Filmfare Best Actor Award) ડોન-ધી ચેઝ બિગીન્સ અગેઇન (Don - The Chase Begins Again) વિજય/ડોનનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)આઇ સી યુ (I See You) સુબહ સુબહ ગીતમાં ખાસ દેખાવ 2007ચક દે ઇન્ડિયા (Chak De India) કબીર ખાન વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award)હે બેબી (Heyy Babyy) રાજ મલ્હોત્રા મસ્ત કલંદર ગીતમાં ખાસ દેખાવ ઓમ શાંતિ ઓમ (Om Shanti Om)ઓમ પ્રકાશ માખીજા/ઓમ કપૂરનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 2008ક્રેઝી 4 (Krazzy 4) બ્રેક ફ્રી ગીતમાં ખાસ દેખાવભૂતનાથ (Bhoothnath) આદિત્ય શર્મા ખાસ દેખાવ રબ ને બના દી જોડી (Rab Ne Bana Di Jodi) સુરીન્દર સાહની /રાજનોમિનેટેડ, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર (Filmfare Best Actor Award) 2009લક બાય ચાન્સ (Luck by Chance) હીમસેલ્ફ ખાસ દેખાવ બિલ્લુ (Billu) સાહીર ખાન કૂચી કૂચી હોતા હૈ (Koochie Koochie Hota Hain) રોકી ફિલ્મીંગ માય નેઇમ ઇઝ ખાન (My Name is Khan) રિઝવાન ખાન ફિલ્મીંગ2010દુ્લ્હા મિલ ગયાપવન રાજ ગાંધીખાસ દેખાવ (special appearance)માય નેમ ઇસ ખાનરિઝવાન ખાનશ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award for the best actor)શાહરૂખ બોલા ખુબસુરત હે તુહિમસેલ્ફકેમિઓ દેખાવ2011ઓલવેઝ કભી કભીઅજ્ઞાતગીત "એન્ટેના" ખાસ દેખાવલવ બ્રેકર્સ અપ જિંદગીહિમસેલ્ફકેમિઓ દેખાવરા વનG one / શેખર સુબ્રમણ્યમ [B]ડોન 2Donશ્રેષ્ઠ ફિલ્મ માટે નામાંકન ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ અભિનેતા માટે એવોર્ડ નામાંકન ફિલ્મફેર2012સ્ટુડન્ટ ઓફ ધ યરઆવતા નથી જબ તક હૈ જાનસમર આનંદશ્રેષ્ઠ અભિનેતા માટે એવોર્ડ નામાંકન ફિલ્મફેર2013બૉમ્બે ટૉકીઝહિમસેલ્ફગીતમાં ખાસ દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ 'ચેન્નાઇ એક્સપ્રેસરાહુલ વાઈ વાઈ મિઠાઈવાલા શ્રેષ્ઠ અભિનેતા માટે એવોર્ડ નામાંકનફિલ્મફેર2014ભૂતનાથ રિટર્ન્સઆદિત્ય શર્માકેમિઓ દેખાવહેપી ન્યૂ યરચંદ્ર "ચાર્લી" મનોહર શર્મા2015દિલવાલેરાજ કાલી " રણધીર બક્ષીશ્રેષ્ઠ અભિનેતા માટે એવોર્ડ નામાંકન ફિલ્મફેર2016ફેનઆર્યન ખન્ના / ગૌરવ ચંદના [બીતૂતક તૂતક તુતીયાંએ દિલ હૈ મુશ્કિલતાહિર તાલીયાર ખાનકેમિઓ દેખાવડિયર જિંદગીDR. જહાંગીર ખાન (જગ)વિસ્તૃત નાનકડી નિર્માતા ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (Phir Bhi Dil Hai Hindustani) (2000) અસોકા (Asoka) (2001) ચલતે ચલતે (Chalte Chalte) (2003) મૈ હૂ ના (Main Hoon Na) (2004) કાલ (Kaal) (2005) પહેલી (Paheli) (2005) ઓમ શાંતિ ઓમ (Om Shanti Om) (2007) બિલ્લુ (Billu) (2009) પ્લેબેક સિંગર મૈ તો હુ પાગલ - બાદશાહ (Baadshah) (1999) અપુન બોલા - જોશ (Josh) (2000) ખૈકે પા બનારસવાલા - ડોન- ધ ચેઝ બિગીન્સ અગેઇન્સ (Don - The Chase Begins Again) (2006) એક હોક દૂંગી રખકે - ચક દે ઇન્ડિયા (Chak De India) (2007) સત્તર મિનટ - ચક દે ઇન્ડિયા (Chak De India) (2007) સ્ટન્ટ્સ ડાયરેક્ટર કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai) (1998) મૈ હૂ ના (Main Hoon Na) (2004) કભી અલવિદા ના કૈહના (Kabhi Alvida Naa Kehna) (2006) ચક દે ઇન્ડિયા (Chak De India) (2007) ઓમ શાંતિ (Om Shanti Om) (2007) ટેલિવીઝન દેખાવ દિલ દરીયા (1988) ફૌજી (Fauji) (1988) અને એનબએસપી;... અભિમન્યુ રાય દૂસરા કેવલ (1989) સરકસ (1989) ઇન વિચ એન્ની ગિવ્સ ઇટ ધોઝ વન્સ (In Which Annie Gives It Those Ones) (1989) ઇડીયટ (Idiot) (1991)અને એનબીએસપી;,,,,પવન રઘુજન કરીના કરીના (Kareena Kareena) (2004)અને એનબીએસપી;,,,,ખાસ દેખાવ સિમી ગરેવાલ (Simi Garewal) સાથે આયોજિત બેઠક ....ગેસ્ટ કોફી વીથ કરન (Koffee with Karan) (2004-2007) અને એનબીએસપી;...ગેસ્ટ (3 એપિસોડ) કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) (2007 અને એનબીએસપી;... હોસ્ટ જ્હૂમ ઇન્ડિયા (Jjhoom India) (2007) અને એનબીએસપી;...ગેસ્ટ નચ બલીયે (Nach Baliye) (2008) .... ગેસ્ટ ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ? (Kya Aap Paanchvi Pass Se Tez Hain?) 2008 અને એનબીએસપી;... હોસ્ટ તે પણ જુઓ ભારતીય અભિનેતાઓની યાદી (List of Indian Actors) બીબ્લીયોગ્રાફી (વૃત્તાંત) નસરીન મુન્ની કબીર (Nasreen Munni Kabir). શાહ રુખ ખાની અંદરની અને બહારની દુનીયા (The Inner and Outer World of Shah Rukh Khan) (દસ્તાવેજી, 2005). શાહરુખ ખાન- હજુ પણ ખાન વંચાય છે . એ1 બુક્સ ડિસ્ટ્રીબ્યૂટર 2007. આઇએસબીએન 9788187107798. ગેહલોત, દીપા; અગરવાલ, અમીત. કીંગ ખાન એસઆરકે. ઓગ્સબર્ગ વેલ્ટબિલ્ડ 2007. આઇએસબીએન 9783828988699. ઘોષ, બિસ્વદીપ. હોલ ઓફ ફેમ (અનેક એવોર્ડઝનો વિજેતા): શાહરુખ ખાન (ઇંગ્લીંશમાં)મુંબઇ (Mumbai): મેગના બુક્સ, 2004. આઇએબીએન 8178092379. ચોપરા, અનુપમા. બોલીવુડનો રાજાઃ શાહ રુખ ખાન અને ભારતીય. સિનેમાની આકર્ષક દુનીયા (ઇંગ્લીશ) ન્યુ યોર્કઃ વોર્નર બુક્સ, 2007. આઇએસબીએન 9780446578585. નોંધ બાહ્ય કડીઓ |- !કોલ્સ્પન=”3” સ્ટાઇલ=”બેકગ્રાઉન્ડઃ #ડીએએ520;”| ફિલ્મફેર એવોર્ડઝ (Filmfare Awards) |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- |- શ્રેણી:બોલીવુડ શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:ભારતીય ફિલ્મ અભિનેતાઓ શ્રેણી:જીવિત લોકો શ્રેણી:ભારતીય અભિનેતા શ્રેણી:કલા શ્રેણી:ફિલ્મફેર પુરસ્કારોના વિજેતાઓ શ્રેણી:૧૯૬૫માં જન્મ
અવિનાશ વ્યાસ
https://gu.wikipedia.org/wiki/અવિનાશ_વ્યાસ
અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા જેમણે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમને ભારત સરકાર તરફથી ૧૯૭૦માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો. જીવન અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં ૨૧ જુલાઇ ૧૯૧૨ના રોજ થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીત તાલીમ ઉસ્તાદ અલ્લાઉદિન ખાન પાસે લીધી હતી. તેમની કારકિર્દીની શરૂઆત HMV સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઇ હતી જ્યાં અવિનાશ વ્યાસે તેમની પ્રથમ ગ્રામોફોન રેકર્ડ ૧૯૪૦માં બહાર પાડી હતી અને ચલચિત્ર ઉદ્યોગમાં ગુજરાતી ચલચિત્ર મહાસતી અનસુયા સાથે ૧૯૪૩માં પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લા રખાં સાથે બેલડી બનાવીને કરી હતી. તેના પછીના વર્ષે તેમના બે ચલચિત્રો કૃષ્ણ ભક્ત બોદાણા અને લહેરી બદમાશ સફળ ન રહ્યા હતા. તેમનું પ્રથમ મોટું સફળ ચલચિત્ર ૧૯૪૮માં ગુણસુંદરી હતું, જે ગુજરાતી અને હિંદી બંને ભાષામાં દ્વિભાષી ચલચિત્ર હતું. તેમણે ૧૯૦ હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા, તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. તેમણે તેમના સમયના મોટાભાગના મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું હતું. તેમણે કમાર જલાલાબાદી, ઇન્દિવર, ભરત વ્યાસ અને રાજા મહેંદી અલી ખાન જેવા ગીતકારો સાથે બેલડી બનાવીને ગીતો લખ્યા હતા. ગીતા દત્ત તેમના માનીતા ગીતકાર હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ચલચિત્રોમાં વધુ ગીતો ગાયા હતા. અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે. અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. કવિ પ્રદીપજીના ખૂબ પ્રખ્યાત ગીત "પીંજરે કે પંછી રે, તેરા દર્દ ના જાને કોઇ" ને તેમણે સ્વરબ્દ્ધ કરેલુ. તેમને કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.ગુજરાતી અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતિ કમિશનર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર,નવેમ્બર ૨૦૧૪ તેમને વાર્ષિક ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે મળ્યા હતા, જે એક કિર્તીમાન છે. ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમીએ તેમને "ગૌરવ પુરસ્કાર" એનાયત કર્યો હતો અને ૧૯૭૦માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત થયો હતો. તેમની કેટલીક યાદગાર રચનાઓ ૨૯ માર્ચ ૨૦૧૨ના રોજ સંગ્રહ તરીકે અવિનાશ વ્યાસ - અ મ્યુઝિકલ જર્ની તરીકે બહાર પડ્યું હતું. તેમનું અવસાન ૨૦ ઓગસ્ટ ૧૯૮૪ના રોજ ૭૨ વર્ષની ઉંમરે, તેમના છેલ્લા ચલચિત્ર ભક્ત ગોરા કુંભારની રજૂઆતના ત્રણ વર્ષ પછી થયું હતું. જાણીતી રચનાઓ વર્ષગીતચલચિત્રગીતકારગાયકો૧૯૪૯રાખના રમકડામંગળ ફેરાઅવિનાશ વ્યાસગીતા દત્ત અને એ. આર. ઓઝા૧૯૪૯અમે મુંબઈના રહેવાસીમંગળ ફેરાઅવિનાશ વ્યાસગીતા રોય, ચુનીલાલ પરદેશી અને એ. આર. ઓઝા૧૯૫૦રીતુ અનોખી પ્યાર અનોખાહર હર મહાદેવઅજ્ઞાતઝોહરા અબાલેવાલી૧૯૫૦ટીમ ટીમા ટીમ તારેહર હર મહાદેવરમેશ શાસ્ત્રીમુકેશ અને સુલોચના કદમ૧૯૫૨ચમક રહે તારેરાજરાણી દયમંતીનીલકંઠ તિવારીમધુબાલા ઝવેરી૧૯૫૩જાને દી કિસ્મત કી નાવભાગ્યવાનરમેશ ગુપ્તામન્ના ડે અને વૃંદ૧૯૫૪બી.એ., એમ.એ., બી.એડ.અધિકારરાજા મહેંદી અલી ખાનઆશા ભોંસલે અને વૃંદ૧૯૫૪તીકડમ બાઝી તીકડમ બાઝીઅધિકારરાજા મહેંદી અલી ખાનકિશોર કુમાર૧૯૫૪સુન ભી લે પરવરદિગાર દિલ કી ઇતની સી પુકારમલ્લિકા-એ-આલમ નૂરજહાંકેશવ ત્રિવેદીઆશા ભોંસલે૧૯૫૪એક ધરતી હૈ એક હૈ ગગનઅધિકારનીલકંઠ તિવારીમીના કપૂર૧૯૫૫કોઇ દુખીયારી આયી તેરે દ્વારઅંધેરી નગરી ચોપટ રાજાભરત વ્યાસસુધા મલહોત્રા૧૯૫૫તેરે દ્વાર ખડા ભગવાનવામન અવતારકવિ પ્રદિપકવિ પ્રદિપ૧૯૫૫બડે બડે ઢૂંઢે પહાડજગતગુરુ શંકરાચાર્યભરત વ્યાસહેમંત કુમાર૧૯૫૫દીપ જલ રાહા હૈઅંધેરી નગરી ચોપટ રાજાભરત વ્યાસતલત મહેમૂદ૧૯૫૫એક બાર તો મિલ લો ગલેઅંધેરી નગરી ચોપટ રાજાભરત વ્યાસતલત મહેમૂદ અને સુધા મલહોત્રા૧૯૫૭આજ નહી તો કલનાગમણીકવિ પ્રદિપગીતા દત્ત૧૯૫૭આજ નહી તો કલ બિખરેંગે યે બાદલનાગમણીકવિ પ્રદિપગીતા દત્ત૧૯૫૭પોલમ પોલલક્ષ્મીકમાર જલાલબાદીમોહમ્મદ રફી૧૯૫૭પિંજરે કે પંછી રેનાગમણીકવિ પ્રદિપકવિ પ્રદિપ૧૯૫૭સો જા રે મેરે લાલઆધી રોટીભરત વ્યાસગીતા દત્ત૧૯૬૦મહેંદી તે વાવી માળવેમહેંદી રંગ લાગ્યોઅવિનાશ વ્યાસલતા મંગેશકર૧૯૬૦રસ્તે રઝળતી વાર્તામહેંદી રંગ લાગ્યોઅવિનાશ વ્યાસલતા મંગેશકર૧૯૬૦તેરે બંગલે કી બાબુ મે મૈનાભક્ત રાજભરત વ્યાસશમશાદ બેગમ૧૯૬૦આ મુંબઈ છેમહેંદી રંગ લાગ્યોચંદ્રકાંત સોલંકીમન્ના ડે૧૯૬૨જા રે બાદલ જાકૈલાશપતિમદન ભારતીલતા મંગેશકર૧૯૭૭હું અમદાવાદનો રીક્ષાવાળોમા બાપરુઇ રાજકિશોર કુમાર ચલચિત્રો મહાસતી અનસૂયા (૧૯૪૩) કૃષ્ણ ભક્ત બોદાણા (૧૯૪૪) લહેરી બદમાશ (૧૯૪૪) ગુણસંદરી (૧૯૪૮) મંગળ ફેરા (૧૯૪૯) હર હર મહાદેવ (૧૯૫૦) વીર ભીમસેન (૧૯૫૦) દશાવતાર (૧૯૫૧) જય મહાલક્ષ્મી (૧૯૫૧) રામ જન્મ (૧૯૫૧) શ્રી વિષ્ણુ ભગવાન (૧૯૫૧) રાજરાણી દયમંતી (૧૯૫૨) શિવ શક્તિ (૧૯૫૨) વાસના (૧૯૫૨) ભાગ્યવાન (૧૯૫૩) તીન બત્તી ચાર રાસ્તા (૧૯૫૩) ચક્રધારી (૧૯૫૪) મહા પૂજા (૧૯૫૪) મલ્લિકા-એ-આલમ નૂરજહાં (૧૯૫૪) અધિકાર (૧૯૫૪) અંધેર નગરી ચોપટ રાજા (૧૯૫૫) વામન અવતાર (૧૯૫૫) એકાદશી (૧૯૫૫) જગદગુરૂ શંકરાચાર્ય (૧૯૫૫) રિયાસત (૧૯૫૫) દ્વારકાધીશ (૧૯૫૬) સુદર્શન ચક્ર (૧૯૫૬) લક્ષ્મી (૧૯૫૭) નાગ મણિ (૧૯૫૭) રામ લક્ષ્મણ (૧૯૫૭) સંત રઘુ (૧૯૫૭) આધી રોટી (૧૯૫૭) ગોપીચંદ (૧૯૫૮) ગ્રેટ શો ઓફ ઇન્ડયા (૧૯૫૮) જંગ બહાદુર (૧૯૫૮) પતિ પરમેશ્વર (૧૯૫૮) રામ ભક્તિ (૧૯૫૮) ચરણોં કી દાસી (૧૯૫૯) ગૃહલક્ષ્મી (૧૯૫૯) મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) ભક્ત રાજ (૧૯૬૦) હેરોન મલ્લાત (૧૯૬૧) હવા મહલ (૧૯૬૨) કૈલાશપતિ (૧૯૬૨) બાપુ ને કહા થા (૧૯૬૨) રોયલ મેલ (૧૯૬૩) ભક્ત ધ્રુવ કુમાર (૧૯૬૪) કલાપી (૧૯૬૭) બદમાશ (૧૯૬૯) બેટી તુમ્હારે જૈસી (૧૯૬૯) સૂર્ય દેવતા (૧૯૬૯) તાકત ઔર તલવાર (૧૯૭૦) જેસલ તોરલ (૧૯૭૧) મહા સતી સાવિત્રી (૧૯૭૩) ડાકુ ઔર ભગવાન (૧૯૭૫) સોન બૈની ચુન દાદી (૧૯૭૬) મા બાપ (૧૯૭૯) ભક્ત ગોરા કુંભાર (૧૯૮૧) સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:સંગીતકાર શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:૧૯૧૨માં જન્મ શ્રેણી:૧૯૮૪માં મૃત્યુ
આશિત દેસાઈ
https://gu.wikipedia.org/wiki/આશિત_દેસાઈ
આશિત દેસાઈ ગુજરાતી સુગમ સંગીત ગાયક - સંગીતકાર એક છે. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. તેમણે લખેલી (કાવ્ય) રચનાઓ પ્રમાણમાં ઓછી છે અને તે કવિતાઓને સ્વાભાવિક રીતે આશિત દેસાઈની ઉત્તમ સ્વર રચનાઓનો સાથ સાંપડે છે. આશિત દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ પણ એક ગાયક અને તબલા વાદક છે. બાહ્ય કડીઓ સોની મ્યુઝિક ની વેબસાઇટ પર આશિત દેસાઈ અંગે સુદીપ ઑડિયો ની વેબસાઇટ પર આશિત દેસાઈ અંગે Category:કલા Category:વ્યક્તિત્વ શ્રેણી:ગાયક શ્રેણી:કવિ શ્રેણી:સંગીતકાર
અમિતાભ બચ્ચન
https://gu.wikipedia.org/wiki/અમિતાભ_બચ્ચન
અમિતાભ બચ્ચન એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન હોસ્ટ, પ્રસંગોપાત પાર્શ્વગાયક અને ભૂતપૂર્વ રાજકારણી છે જે હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો, તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે. બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા. બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. પ્રારંભિક જીવન ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર) ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે "ક્યારેય લોપ ન પામતો પ્રકાશ"તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે. અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની (Jnana Prabodhini) અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. તેમણે ત્રણ જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન કારકિર્દી પ્રારંભિક કામગીરી ૧૯૬૯ - ૧૯૭૨ આનંદમાં બચ્ચને ૧૯૬૯માં ખ્વાજા અબ્બાસ એહમદ દ્વારા નિર્દેશિત સાત ક્રાંતિકારીઓની વાત કહેતી ફિલ્મ સાત હિંદુસ્તાની દ્વારા ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, તેમાં ઉત્પલ દત્ત , મધુ (Madhu) અને જલાલ આગા (Jalal Agha) પણ હતા.ફિલ્મને નાણાકીય સફળતા મળી ન હતી, પણ બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક (National Film Award) મળ્યો હતો. વિવેચકોની ટીકાની સાથે વેપારી સફળતાઆનંદમાં તેમણે તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.બચ્ચનની ડોક્ટરની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અમિતાભે ૧૯૭૧માં પરવાના માં નવીન નિશ્ચલ , યોગીતા બાલી અને ઓમપ્રકાશ સાથે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે ખલનાયક તરીકેની તેમની ભૂમિકાનું ચિત્રણ કરતી હતી. તેના પછી તેમની કેટલીક ફિલ્મો આવી પણ તેને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી, તેમાં ૧૯૭૧માં આવેલી રેશ્મા ઓર શેરા નો પણ સમાવેશ થાય છે.આ સમય દરમિયાન તેમણે ગુડ્ડી માં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની ભાવિ પત્ની જયા ભાદુરી ધર્મેન્દ્ર સામે હતી.પોતાના ઘેઘૂર અવાજ માટે જાણીતા બચ્ચને કારકિર્દીના પ્રારંભમાં બાવરચી ફિલ્મમાં પાત્રપરિચય કરાવ્યો હતો. ૧૯૭૨માં બચ્ચને રોડ એકશન કોમેડી ફિલ્મ બોમ્બે ટુ ગોવા (Bombay to Goa) કરી હતી, જેનું દિગ્દર્શન એસ. રામનાથને કર્યું હતું.તેમણે અરૂણા ઇરાની (Aruna Irani), મેહમૂદ , અનવર અલી અને નાસીરહુસૈન સાથે હીરો તરીકેની ભૂમિકા ભજવી હતી. 1973થી 1983 દરમિયાન સ્ટારડમનો ઉદય બચ્ચનની કારકિર્દી માટે 1973નું વર્ષ સીમાચિન્હ સમાન સાબિત થયું હતું, દિગ્દર્શક પ્રકાશ મેહરા એ તેમને ફિલ્મ ઝંઝીર (૧૯૭૩)માં ઇન્સ્પેક્ટર વિજય ખન્નાની ભૂમિકા માટે મુખ્ય ભૂમિકામાં કરારબદ્ધ કર્યા હતા.આ ફિલ્મ તેમણે અગાઉ ભજવેલી રોમેન્ટિકલી થીમ્ડ ફિલ્મ કરતાં એકદમ વિપરીત હતી. આ ફિલ્મે અમિતાભને એક નવી ઓળખ આપી હતી - ધ "એન્ગ્રી યંગમેન " બોલીવૂડનો એકશન હીરો, તેના પછીની ફિલ્મો તેને આ જ ઓળખના આધારે મળી હતી. બોક્સઓફિસ પર સફળતા મળી હોય તેવી તેમની હીરો તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૭૩ના વર્ષમાં તેમણે જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા અને આ સમય દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઝંઝીર ઉપરાંત અભિમાનમાં પણ તેમણે કામ કર્યું હતું, જે તેમના લગ્નના એક મહિના પછી પ્રદર્શિત થઈ હતી.પછી બચ્ચને ઋષિકેશ મુખરજી દ્વારા નિર્દેશિત અને બ્રિજેશ ચેટરજી દ્વારા લિખિત સામાજિક ફિલ્મ નમકહરામ (Namak Haraam)માં વિક્રમની ભૂમિકા ભજવી હતી, જેનો મુખ્ય આધાર મિત્રતા હતો.રાજેશ ખન્ના અને રેખા સાથેની તેમની સહાયક ભૂમિકાની પ્રશંસા થઈ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. બચ્ચને ૧૯૭૪માં વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ રોટી કપડા ઔર મકાન માં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવતા પહેલાં કુંવારા બાપ અને દોસ્ત જેવી કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.મનોજ કુમાર દ્વારા લિખીત અને દિગ્દર્શિત આ ફિલ્મ નાણાકીય અને લાગણીશીલ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ પ્રામાણિક્તા જાળવી રાખવાનો સંદેશ પૂરો પાડે છે. આ ફિલ્મે વ્યાવસાયિક સફળતા મેળવી હતી તેમજ વિવેચકોએ પણ તેના વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં અમિતાભની સાથે મનોજ કુમાર, શશી કપૂર અને ઝીન્નત અમાન હતા.બચ્ચને 6ઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૪માં રજૂ થયેલી ફિલ્મ મજબૂર માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે હોલિવૂડ ની જ્યોર્જ કેનેડી અભિનિત ફિલ્મ ઝીગઝેગની રિમેક હતી.૧૯૭૫માં તેની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સામાન્ય સફળતા મળી હતી. આ વર્ષે તેણે કોમેડી ચૂપકે ચૂપકે , ક્રાઇમ ડ્રામા ફરાર થી લઇને રોમેન્ટિક ડ્રામા મિલિ જેવી વૈવિધ્યપૂર્ણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.જોકે ૧૯૭૫માં તે બે એવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની ગણાય છે.તેમણે યશ ચોપરા (Yash Chopra) દિગ્દર્શિત દિવાર માં શશી કપૂર , નિરુપા રોય અને નીતુ સિંહ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમણે ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નોમિનેશન મેળવ્યું હતું.૧૯૭૫માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યંત સફળતા મેળવી હતી અને તે રેન્કિંગમાં ચાર નંબર પર રહી હતી. ઇન્ડિયાટાઇમ્સ મુવીઝ દિવારને ટોપ ૨૫ મસ્ટ સી બોલિવૂડ ફિલ્મસમાં સ્થાન આપે છે.૧૯૭૫ની ૧૫મી ઓગસ્ટે રજૂ થયેલી ફિલ્મ શોલે એ ફુગાવા ને ધ્યાનમાં લેતાં ૬૦ મિલિયન અમેરિકન ડોલરને સમકક્ષ રૂ. ૨,૩૬,૪૫,૦૦,૦૦૦ કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતમાં હરહંમેશ સૌથી વધુ જોવાતી ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું.બચ્ચને આ ફિલ્મમાં જયદેવનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં ધર્મેન્દ્ર , હેમા માલિની , સંજીવ કુમાર , જયા બચ્ચન (Jaya Bhaduri) અને અમજદ ખાન સહિત ઉદ્યોગના ટોચના કલાકારોએ પણ અભિનય કર્યો હતો. ૧૯૯૯માં બીબીસી ઇન્ડિયાએ આ ફિલ્મને “ફિલ્મ ઓફ ધ મિલેનિયમ” અને દિવારની જેમ તેને પણ ઇન્ડિયાટાઇમ્સ (Indiatimes) મુવીઝ દ્વારા ટોપ ૨૫ મસ્ટ સી બોલીવૂડ ફિલ્મ્સ તરીકે જાહેર કરાઇ હતી.આ જ વર્ષે ૫૦મા વાર્ષિક ફિલ્મફેર એવોર્ડ (Filmfare awards)ના જજોએ તેને ફિલ્મફેર બેસ્ટ ફિલ્મ ઓફ ૫૦ યર્સ (Filmfare Best Film of 50 Years)ના સન્માનથી નવાજી હતી. બોક્સ ઓફિસ પર શોલે જેવી ફિલ્મોને સફળતા સાંપડ્યા પછી બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં તેમની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી અને ૧૯૭૬થી ૧૯૮૪ દરમિયાન તેમણે ઘણા બધા ફિલ્મફેર પારિતોષિકમાં શ્રેષ્ઠ અભિનેતા (Filmfare Best Actor Award)ના પારિતોષિક અને નામાંકનો મેળવ્યા હતા. શોલે જેવી ફિલ્મોએ તેમને બોલિવૂડના એક્શન હીરો તરીકે પ્રસ્થાપિત કર્યા હતા, બચ્ચને કભી કભી (Kabhie Kabhie) (૧૯૭૬) જેવી ફિલ્મમાં રોમેન્ટિક ભૂમિકા અને અમર અકબર એન્થોની (Amar Akbar Anthony)માં (૧૯૭૭) કોમિક ટાઇમિંગની ભૂમિકા કરીને પોતે વૈવિધ્યસભર ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે તે પુરવાર કર્યુ હતું અને કારકિર્દીના પ્રારંભમાં પણ તેમણે ચુપકે-ચુપકે (Chupke Chupke) (૧૯૭૫) જેવી કોમેડી ફિલ્મ કરી હતી.૧૯૭૬માં યશ ચોપરા (Yash Chopra)એ ફરીથી તેમને બીજી ફિલ્મ કભી કભી માટે કરારબદ્ધ કર્યા હતા. બચ્ચને તેમાં યુવા કવિ અમિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી, જે પૂજા નામની સુંદર યુવતીના પ્રેમમાં પડે છે, પૂજાની ભૂમિકા અભિનેત્રી રાખી ગુલઝારે (Rakhee Gulzar) ભજવી હતી.અમિતાભ બચ્ચને અગાઉ કરેલી એકશન ફિલ્મો કરતાં આ ભૂમિકા લાગણીશીલ સંવાદો અને નાજુક માવજતના લીધે એકદમ અલગ તરી આવતી હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળવાની સાથે તેમને ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતા તરીકેના પારિતોષિકમાં નામાંકન પણ મળ્યું હતું. તેમને ૧૯૭૭માં અમર અકબર એન્થોની માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો, તેમાં તેમની સાથે વિનોદ ખન્ના (Vinod Khanna) અને ઋષિ કપૂર (Rishi Kapoor) હતા. બચ્ચને તેમાં એન્થની ગોન્ઝાલ્વીસની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૮નું વર્ષ બચ્ચનની કારકિર્દીનું સૌથી સફળ વર્ષ નીવડ્યું હતું. તેમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ચારેય ફિલ્મો ભારતમાં તે વર્ષની અત્યંત સફળ ફિલ્મો હતી.તેમણે ફરીથી બેવડી ભૂમિકા ભજવાનું શરૂ કરતાં કસ્મેવાદે (Kasme Vaade)માં અમિત અને શંકર તથા ડોન (Don)માં અંડરવર્લ્ડ ગેંગના ડોન તરીકેની તથા તેના જ હમશક્લ વિજયની ભૂમિકા ભજવી હતી.તેમના અભિનયે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પારિતોષિક અપાવ્યો હતો અને ત્રિશુલ (Trishul) તથા મુકદ્દર કા સિકંદર (Muqaddar Ka Sikander)માં તેમના અભિનયના વિવેચકોએ પણ વખાણ કર્યા હતા, બંને ફિલ્મોએ તેમના શ્રેષ્ઠ અભિનેતાના નામાંકન અપાવ્યા હતા.ફિલ્મક્ષેત્રે એક કલાકાર તરીકે તેમની અપ્રિતમ સફળતાને જોઈને ફ્રેન્ચ ડિરેક્ટર ફ્રાન્કોઇસ ટ્રોફોટે તેમને "વન મેન ઇન્ડસ્ટ્રી" (François Truffaut)નું બિરુદ આપ્યું હતું. ૧૯૬૯માં પ્રથમ વખત અમિતાભે તેમની ફિલ્મ મિ. નટવરલાલ (Mr. Natwarlal)માં પાર્શ્વગાયક તરીકે અવાજ આપ્યો હતો, તેમાં તેમની હીરોઇન રેખા (Rekha) હતી.આ ફિલ્મમાં તેમની ભૂમિકાએ ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકેનું નામાંકન અપાવ્યું હતું અને શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો ફિલ્મફેર પારિતોષિક (Filmfare Best Male Playback Award) પણ અપાવ્યો હતો.૧૯૬૯માં તેમને ફરીથી કાલા પત્થર (Kaala Patthar) (૧૯૬૯) માટે શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મળ્યું હતું. તેના પછી તેમને ફરીથી ૧૯૮૦માં રાજ ખોસલા (Raj Khosla)એ દિગ્દર્શિત ફિલ્મ દોસ્તાના (Dostana) માટે નામાંકન મળ્યું હતું, જેમા તેમની સામે શત્રુઘ્નસિંહા (Shatrughan Sinha) અને ઝીનત અમાન (Zeenat Aman) હતા.દોસ્તાના ૧૯૮૦માં સૌથી વધારે આવક રળનારી ફિલ્મ સાબિત થઈ હતી. ૧૯૮૧માં તેમણે યશ ચોપરાની મેલોડ્રામા ફિલ્મ સિલસિલા (Silsila)માં તેમની પત્ની જયા તથા કહેવાતી પ્રેમિકા રેખા (Rekha) સાથે ભૂમિકા ભજવી હતી.આ સમયગાળામાં તેમની અન્ય ફિલ્મોમાં રામ બલરામ (Ram Balram) (૧૯૮૦), શાન (Shaan) (૧૯૮૦), લાવારિસ (Lawaaris) (૧૯૮૧) અને શક્તિ (Shakti) (૧૯૮૨)નો સમાવેશ થાય છે, શક્તિમાં તેમણે લેજન્ડરી અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar)ને બરોબરની ટક્કર આપી હતી. thumb|right|રેખા (Rekha) અને અમિતાભ બચ્ચન ૧૯૮૨માં કૂલી ફિલ્મના શૂટિંગ વખતે ઇજા ૧૯૮૨માં કૂલી (Coolie) ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચનને સહ અભિનેતા પુનીત ઇસ્સર (Puneet Issar) સાથે ફાઇટિંગ સીન કરતી વખતે આંતરડામાં ગંભીર ઇજા થઈ હતી.બચ્ચન ફિલ્મમાં પોતાના સ્ટન્ટ જાતે કરતા હતા અને એક દ્રશ્યમાં તેમણે ટેબલ પર પડીને જમીન પર પડવાનું હતું. આમ છતાં તે ટેબલ તરફ પડ્યા ત્યારે ટેબલની ધાર તેમના પેટમાં ઘૂસી જતા તેમની અંદરના ભાગમાં ઇજા થઈ હતી અને ઘણું બધુ લોહી વહી ગયું હતું. તેમણે તાકીદે સ્પ્લેનેક્ટોમી કરાવવી પડી હતી અને હોસ્પિટલમાં ઘણા મહિનાઓ સુધી ગંભીર રીતે બીમાર રહ્યા હતા તથા મૃત્યુની નજીક પહોંચી ગયા હતા. લોકોએ તેમના જીવન માટે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં જઈને પ્રાર્થનાઓ કરી હતી, તેમજ તેમના અંગોનું દાન આપવાની ઓફર કરી હતી. તેઓ જે હોસ્પિટલમાં સારવાર લેતા હતા તેની બહાર તેમના શુભેચ્છકોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી. તેમને સાજા થતા ઘણા મહિના લાગી ગયા હતા અને લગભગ એક વર્ષના સમયગાળા પછી તેમણે ફરી અભિનય શરૂ કર્યો હતો. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી અને બચ્ચનના અકસ્માતની થયેલી જબરજસ્ત પબ્લિસિટીના લીધે તેને બોક્સઓફિસ પર જબરજસ્ત સફળતા મળી હતી. બચ્ચનના અકસ્માતના બદલે દિગ્દર્શક મનમોહન દેસાઈ (Manmohan Desai)એ કૂલી (Coolie) ફિલ્મનો અંત બદલી નાખવાની ફરજ પડી હતી.અગાઉના પાત્રાંકન મુજબ બચ્ચન અંતે મૃત્યુ પામતો હતો, પરંતુ પછી કથાનકમાં ફેરફાર કરીને તે પાત્રને અંતે જીવંત રખાયું હતું. દેસાઈએ કહ્યું હતું કે જે વ્યક્તિ વાસ્તિવક જીવનમાં મૃત્યુને નજીક પહોંચી ગયો હોય તેને સ્ક્રીન પર મરતો બતાવવો એકદમ અયોગ્ય બાબત હોત. આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી ત્યારે બચ્ચનને જે ફાઇટ દૃશ્યમાં ઈજા થઈ હતી તે દૃશ્ય સ્ક્રીન પર થોડો સમય થંભાવી દેવામાં આવે છે અને પછી સ્ક્રીન પર લીટી આવે છે કે આ શોટ વખતે અભિનેતાને ઇજા થઈ હતી અને આ રીતે અકસ્માતને પબ્લિસિટી આપવામાં આવી હતી. તેમને પાછળથી માયસ્થેનિયા ગ્રેવિસનું નિદાન કરાયું હતું. (Myasthenia gravis)તેમની માંદગીના લીધે તેઓ માનસિક અને શારીરિક રીતે નબળા પડી જતા ફિલ્મો છોડી રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો. આ સમયે તેઓ નિરાશાવાદી બની ગયા હતા કે તેમને નવી ફિલ્મ હવે કેવી રીતે મળશે તેની ચિંતા સતાવતી હતી. લગભગ દરેક ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તે નકારાત્મક નિવેદન કરતાં કહે છે કે "યે ફિલ્મ તો ફ્લોપ હોગી "("ધીસ ફિલ્મ વિલ ફ્લોપ") રાજકારણઃ ૧૯૮૪-૧૯૮૭ ૧૯૮૪માં અમિતાભે અભિનયમાં ટૂંક સમયનો વિરામ લઈને લાંબા સમયના કૌટુંબિક મિત્ર રાજીવ ગાંધી (Rajiv Gandhi)ને ટેકો આપવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો.તે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચ. એન. બહુગુણા (H. N. Bahuguna) સામે અલ્હાબાદની લોકસભા બેઠક પરથી લડ્યા અને સામન્ય ચૂંટણીના ઇતિહાસ માં 68.2 ટકાનું જંગી માર્જિન કહી શકાય તેટલી ટકાવારીથી જીત્યા હતા.તેમની રાજકીય કારકિર્દી ટૂંકી નીવડી હતી અને તેમણે ત્રણ વર્ષ બાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. બચ્ચન અને તેમના ભાઈ "બોફોર્સ કૌભાંડ" (Bofors scandal)માં સંડોવાયેલા હોવાના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું, એવો એક અખબારે દાવો કર્યો હતો, જેને બચ્ચન બંધુઓ કોર્ટમાં ઘસડી ગયા હતા.બચ્ચન બોફોર્સ કૌભાંડમાં નિર્દોષ પુરવાર થયો હતો. તેમના જૂના મિત્ર અમરસિંહે તેમને નાણાકીય કટોકટીમાં મદદ કરી હતી, તેમની કંપની એબીસીએલ નિષ્ફળ જતા આ કટોકટી સર્જાઈ હતી. તેના પછી બચ્ચને અમરસિંહના રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાનું શરૂ કર્યું.જયા બચ્ચન સમાજવાદી પક્ષ (Samajwadi Party)માં જોડાયા અને રાજ્યસભા માં સભ્ય બન્યા."બચ્ચનનું ચૂંટણી લડવાનું કોઈ આયોજન નથી" hindu.comબચ્ચને જાહેરખબરો અને રાજકીય પ્રચારોમાં સમાજવાદી પક્ષની તરફેણ કરવાની ચાલુ રાખી. આ પ્રવૃત્તિના લીધે તેમણે મુશ્કેલીમાં મૂકાવવું પડ્યું અને ભારતીય કોર્ટોમાં ખોટા દોવાનો સામનો કરવો પડ્યો, જેમાં તેમણે પોતે ખેડૂત હોવાના કરેલા નિવેદનના સમર્થનમાં રજૂ કરેલા કાનૂની પત્રોનો સમાવેશ થાય છે. બચ્ચન તેમની કારકિર્દીમાં ટોચ પર હતા ત્યારે તેમના પર સ્ટારડસ્ટ (Stardust) અને બીજા કેટલાક ફિલ્મ મેગેઝિનોએ 15 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.પોતાના બચાવમાં બચ્ચને દાવો કર્યો હતો કે તેમણે 1989ના અંત સુધી તેમની ફિલ્મના સેટ પર પ્રેસને ફરકવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી."બચ્ચન પર લગભગ 15 વર્ષનો પ્રતિબંધ"ઇન્ડિયાએફએમ ન્યુઝ બ્યુરો27 જાન્યુઆરી 2007 મંદી અને નિવૃત્તિ 1988થી 1992 બચ્ચન 1988માં ફિલ્મોમાં પાછો ફર્યો હતો અને શહેનશાહ માં શીર્ષક ભૂમિકા નીભાવી હતી, આ ફિલ્મ બચ્ચનની પુનરાગમન ફિલ્મ હોવાથી તેને બોક્સોફિસ પર સફળતા મળી હતી.સફળ પુનરાગમન પછી બચ્ચનની બીજી ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જતા તેમનો સ્ટાર પાવર ઘસાવવા માંડ્યો હતો. 1991માં આવેલી હિટ ફિલ્મ હમ (Hum) પછી જૂનો ટ્રેન્ડ શરૂ થશે તેમ લાગ્યું હતું, પણ આ બાબત પણ અલ્પજીવી નીવડી હતી અને બોક્સઓફિસ પર તેમની નિષ્ફળતાનો દોર જારી રહ્યો હતો. હિટ ફિલ્મોના અભાવ છતાં પણ બચ્ચનને 1990માં આવેલી ફિલ્મ અગ્નિપથ (Agneepath)માં માફિયા ડોનની ભૂમિકા બદલ બીજો રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક મળ્યો હતો.આ વર્ષ પછી બચ્ચન થોડા સમય સુધી સ્ક્રીન પર દેખાયા ન હતા. 1992માં ખુદાગવાહ ફિલ્મ પ્રદર્શિત થયા પછી બચ્ચને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. 1994માં તેમની બહુ પાછી ઠેલાયેલી ફિલ્મ ઇન્સાનિયત રિલીઝ થઈ હતી, પણ તેને બોક્સઓફિસ પર નિષ્ફળતા સાંપડી હતી. ફિલ્મ નિર્માણ અને અભિનય ક્ષેત્રે પુનરાગમન 1996થી 1999 બચ્ચન તેમની કામચલાઉ નિવૃત્તિના સમયગાળા દરમિયાન નિર્માતા બન્યા હતા અને અમિતાભ બચ્ચને કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી હતી. 1996મા સ્થપાયેલી એ.બી.સી.એલ.નું વિઝન 2000 સુધીમાં મનોરંજન ક્ષેત્રે 10 અબજ રૂપિયા(25 કરોડ અમેરિકન ડોલર)ની કંપની બનવાનું હતું. એબીસીએલની વ્યૂહરચના ભારતના મનોરંજન ઉદ્યોગ માટે પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાનું હતું. તેની કામગીરી મુખ્યપ્રવાહની કમર્શિયલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ, ઓડિયો કેસેટ અને વિડીયો ડિસ્ક, ટેલીવિઝન સોફ્ટવેરનું નિર્માણ અને માર્કેટિંગ સોફ્ટવેર, સેલીબ્રીટી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું હતું. કંપનીને 1996માં લોન્ચ કરવામાં આવ્યા પછી ટૂંક સમયમાં જ કંપનીએ પ્રથમ ફિલ્મ બનાવી હતી.તેરે મેરે સપને) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, પંરતુ તેણે અર્શદ વારસી તથા હાલની દક્ષિણની ફિલ્મોની સ્ટાર સિમરન (Simran) જેવી અભિનેત્રીઓને લોન્ચિંગ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.એબીસીએલે કેટલીક બીજી ફિલ્મોનું નિર્માણ કર્યું, પણ તેને સફળતા ન મળી બચ્ચને 1997માં તેની ફિલ્મ મૃત્યુદાતા તેની કંપનીના નેજા હેઠળ બનાવી ફરીથી પુનરાગમન કર્યું. મૃત્યુદાતામાં બચ્ચનની અગાઉની એકશન હીરો તરીકેની ઇમેજનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થયો હોવા છતાં તેને નાણાકીય અને વિવેચન બંને રીતે નિષ્ફળતા સાંપડી હતી.એબીસીએલે 1996ની મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા ની મુખ્ય આયોજક હતી, બેંગલોર (Bangalore)માં તેનું આયોજન થયું હતું, પરંતુ તેમાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હતા.આમ મિસ વર્લ્ડના આયોજનના ફિયાસ્કા અને તેના પછી તેના પરિણામે એબીસીએલ અને જુદી-જુદી કંપનીઓ કાનૂની દાવપેચમાં સપડાઈ હતી. આ ઉપરાંત એબીસીએલે તેના ટોપ લેવલના મેનેજરોને વધારે પડતો પગાર આપ્યો હતો અને તેના લીધે તે 1997માં નાણાકીય રીતે અને કામકાજની રીતે પડી ભાંગી હતી. કંપનીને છેવટે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ બોર્ડે માંદી કંપની જાહેર કરી હતી. બોમ્બે હાઇકોર્ટે એપ્રિલ 1999માં બચ્ચનને તેના મુંબઈ સ્થિત બંગલો (bungalow) પ્રતીક્ષા અને બીજા બે ફ્લેટ કેનેરા બેન્ક ની બાકી નીકળતી લોન વસૂલ થાય નહીં ત્યાં સુધી વેચી શકતા અટકાવ્યો હતો.બચ્ચને વિનંતિ કરી હતી કે તેઓ તેમની કંપની માટે ભંડોળ ઊભું કરવા સહારા ઇન્ડિયા ફાઇનાન્સ પાસે બંગલો ગીરો મૂકવા માગે છે. બચ્ચને તેની કારકિર્દીને પુર્નજીવિત કરવાનો પ્રયાસ કર્યો અને તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) (1998)ને સરેરાશ સફળતા મળી અને ફિલ્મ સૂર્યવંશમ (Sooryavansham) (1999)ને હકારાત્મક રીવ્યુ મળ્યા. પણ બીજી ફિલ્મો જેવી કે લાલ બાદશાહ (Lal Baadshah) (1999) અને હિંદુસ્તાન કી કસમ (1999) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. ટેલીવિઝન કેરિયર 2000ના વર્ષમાં બચ્ચને બ્રિટીશ ટેલીવિઝન ગેમ શો હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર? (Who Wants to Be a Millionaire?) ની ભારતીય આવૃત્તિ કરવાનો નિર્ણય લીધો.શીર્ષક, કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)મોટાભાગના દેશોમાં આ કાર્યક્રમને લોક માન્યતા મળી હતી અને તેને પ્રારંભથી જ સફળતા મળી હતી. કેનેરા બેન્કે (Canara Bank) નવેમ્બર 2000માં તેનો કેસ પાછો ખેંચી લીધો હતો. બચ્ચન 2005માં નવેમ્બર સુધી કેબીસીમાં હોસ્ટ હતો અને તેની આ સફળતાએ તેને ફિલ્મોમાં ફરીથી લોકપ્રિયતા માટેનો તખ્તો ઘડી આપ્યો. જબરજસ્ત પુનરાગમનઃ 2000 - વર્તમાન 2000માં અમિતાભ બચ્ચને યશ ચોપરા (Yash Chopra)ની બોક્સ ઓફિસ પર સફળ રહેલી ફિલ્મ મહોબ્બતે (Mohabbatein)માં અભિનય કર્યો હતો, જેનું દિગ્દર્શન આદિત્ય ચોપરા (Aditya Chopra)એ કર્યું હતું.આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન (Shahrukh Khan) સામે કડક અને શિસ્તના આગ્રહી આચાર્યની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિટ થયા પછી બચ્ચન (2001) Ek Rishtaa: The Bond of Loveપછીની ફિલ્મોમાં કુટુંબના વડા તરીકેની ભૂમિકામાં આવવા લાગ્યો, તેમાં કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) (2001) અને બાગબાન (Baghban) (2003) હતી.અભિનેતા તરીકે તેમણે વૈવિધ્યસભર ભૂમિકા નીભાવવાનું ચાલુ રાખ્યું. તેમને અક્સ (Aks) (2001), આંખે (Aankhen) (2002), ખાકી (Khakee) (2004), દેવ (Dev) (2004) અને બ્લેક (Black) (2005)ની ભૂમિકા બદલ વિવેચકોની પ્રશંસા પણ મળી.પોતાના આ નવા ક્લેવરનો ફાયદો ઉઠાવી અમિતાભે જુદી-જુદી પ્રોડક્ટ્સ અને સર્વિસિસના એન્ડોર્સમેન્ટ લેવા લાગ્યા અને ઘણી ટીવી અને બિલબોર્ડ એડર્વટાઇઝમેન્ટમાં તે દેખાવવા લાગ્યા. 2005 અને 2006માં તેમને અને તેમના પુત્ર અભિષેકને ચમકાવતી ફિલ્મ બંટી ઓર બબલી (Bunty Aur Babli) (2005) અને ગોડફાધર (Godfather)ને શ્રદ્ધાંજલિ આપતી ફિલ્મ સરકાર (Sarkar) (2005)ને અને કભી અલવિદા ના કહેના (Kabhi Alvida Na Kehna) (2006)ને સફળતા મળી હતી.બધી બોક્સઓફિસ પર સફળ રહી હતી2006 અને 2007માં પ્રદર્શિત થયેલી બીજી ફિલ્મો બાબુલ (Baabul) (2006), એકલવ્ય (Eklavya) અને નિશબ્દ (Nishabd) (2007)ને બોક્સઓફિસ પર નિષ્ફળ ગઇ હતી, પરંતુ તેમના અભિનયના વિવેચકોએ વખાણ કર્યા હતા.તેમણે નાગથિહાલી ચંદ્રશેખર (Nagathihalli Chandrashekhar) દ્વારા નિર્દેશિત ફિલ્મ અમૃથાડારેમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. thumb|IIFA એવોર્ડ ૨૦૦૬માં અમિતાભ બચ્ચન મે 2007માં તેમની બે ફિલ્મો ચીની કમ (Cheeni Kum) અને મલ્ટીસ્ટાર ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા (Shootout at Lokhandwala) પ્રદર્શિત થઈ હતી.શૂટઆઉટ એટ લોખંડવાલાએ બોક્સઓફિસ પર સારી કામગીરી બજાવી હતી અને તેને ભારતમાં હિટ જાહેર કરાઈ હતી, તેની સરખામણીએ ચીની કમનો પ્રારંભ ધીમો રહ્યો હતો અને તેને સરેરાશ હિટ ફિલ્મ જાહેર કરાઈ હતી. ઓગસ્ટ 2007માં તેમની સૌથી મોટી હિટ ફિલ્મ શોલે (Sholay) (1975)ની રિમેક (remake) રામ ગોપાલ વર્મા કી આગ (Ram Gopal Varma Ki Aag) ફિલ્મે બોક્સઓફિસ પર ધબડકો કર્યો હતો અને વિવેચકોએ આ ફિલ્મની આકરી ટીકા કરી હતી. તેમની પ્રથમ અંગ્રેજી ભાષાની ફિલ્મ ઋતુપર્ણો ઘોષ (Rituparno Ghosh)ની ધ લાસ્ટ લીયર (The Last Lear)નું પ્રીમિયર નવ સપ્ટેમ્બર 2007ના રોજ 2007 ટોરોન્ટોમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભ (2007 Toronto International Film Festival)માં થયું હતું.આ ફિલ્મમાં તેમની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને બ્લેક પછીનો શ્રેષ્ઠ અભિનય ગણાવ્યો હતો. બચ્ચને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શાંતારામ (Shantaram)માં સહાયક ભૂમિકા ભજવી હતી. મીરા નાયર (Mira Nair) દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હોલીવૂડ (Hollywood)નો સ્ટાર જોની ડેપ (Johnny Depp) મુખ્ય ભૂમિકામાં હતો.આ ફિલ્મ ફેબ્રુઆરી 2008માં પ્રદર્શિત થવાની હતી, પરંતુ લેખકોની હડતાળના કારણે તેનું પ્રદર્શન સપ્ટેમ્બર 2008માં પાછુ ઠેલાયું હતું. ભૂતનાથ (Bhoothnath)માં બચ્ચને ભૂત (ghost) તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે નવ મે 2008ના રોજ પ્રદર્શિત થઈ હતી.સરકાર રાજ (Sarkar Raj) જૂન 2008માં પ્રદર્શિત થી હતી અને તે 2005ની ફિલ્મ સરકાર (Sarkar)ની સીકવલ હતી.સરકાર રાજને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ભારતમાં મુંબઈ (Mumbai) ખાતે 8 ડિસેમ્બર 2008માં યોજાયેલી બીજી લાઇવ અર્થ (Live Earth) ઇવેન્ટ લાઇવ અર્થ ઇન્ડિયા 2008 (Live Earth India 2008)માં બચ્ચન જોન બોન જોવી (Jon Bon Jovi) સાથે સહ યજમાન હતા. 26 જાન્યુઆરી 2009માં અમિતાભ બચ્ચન મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અંધેરી ખાતે શરૂ કરવામાં આવી તેના મુખ્ય મહેમાન હતા. સ્વાસ્થ્ય 2005માં હોસ્પિટલાઇઝેશન નવેમ્બર 2005માં અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુમાં (ICU)દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્મોલ ઇન્ટેસ્ટાઇનના (small intestine)ડાઇવર્ટિક્યુલિટિસનું (diverticulitis)નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બચ્ચને તેના થોડા દિવસો પહેલાં પેટમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેનું નિદાન થયું હતું. તેઓ સાજા થતા હતા તેના થોડા સમયગાળા દરમિયાન તેમના મોટાભાગના પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયા હતા, તેમાં તેઓ જેનું હોસ્ટિંગ કરતા હતા તે ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)નો પણ સમાવેશ થાય છે. અમિતાભ માર્ચ 2006માં કામ પર પાછા ફર્યા. અવાજ બચ્ચન તેના ઘેરા અને ઘાટિલા અવાજ માટે જાણીતો છેબચ્ચને તેમના ઘાટીલા અવાજ દ્વારા પાત્રપરિચય આપ્યો છે, પાર્શ્વગાયકી (playback singer) પણ કરી છે અને ઘણા બધા કાર્યક્રમોમાં પ્રેઝન્ટર પણ રહ્યા છે. પ્રતિષ્ઠિત ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રે (Satyajit Ray)પણ બચ્ચનના અવાજથી પ્રભાવિત હતા. તેમને તેમની ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં (Shatranj Ke Khiladi) બચ્ચનને આપવા યોગ્ય ભૂમિકા ન લાગતા તેના અવાજનો ઉપયોગ કોમેન્ટ્રી આપવા કર્યો હતો. હિંદુસ્તાન ટાઇમ્સમાં અમિતાભે "શતરંજ કે ખિલાડી " માટે અવાજ આપ્યોહિંદુસ્તાન ટાઇમ્સ (Hindustan Times)ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલાં બચ્ચને ઓલ ઇન્ડિયા રેડિયોમાં (All India Radio) ઉદઘોષક તરીકેની ભૂમિકા માટે અરજી કરી હતી, પણ તે નકારી કાઢવામાં આવી હતી. તેમણે પણ નીચેની ફિલ્મો માટે કામ પર અવાજ થાય: બાલિકા બધું (1975) તેરે મેરે સપને (1996) લગાન (2001) પરિણીતા (2005) જોધા અકબર (2008) સ્વામી (2007) [77] જોર લગા કે ... હૈયા ! (2009) કહાની (2012) ક્રિશ 3 (2013) મહાભારત (2013) કોચડૈયાન (હિન્દી આવૃત્તિ) (2014) વિવાદો અને ટીકા બારાબંકી અને જમીનનો કેસ ઉત્તરપ્રદેશમાં 2007માં (Uttar Pradesh state assembly elections, 2007) યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બચ્ચને મુલાયમસિંહ યાદવની (Mulayam Singh)સરકાર માટે પ્રયાસ કર્યો હતો. છતાં પણ તેનો સમાજવાદી (Samajwadi Party) પક્ષ હારી ગયો હતો અને માયાવતી (Mayawati) સત્તામાં આવી હતી. જૂન 2007માં ફૈઝાબાદની (Faizabad) કોર્ટે આદેશ આપ્યો હતો કે તેમણે જમીનવિહોણા દલિત (Dalit)ખેતમજૂરો તરીકે ગણાવી ગેરકાયદેસર રીતે કૃષિ જમીન ખરીદી હતી.તેના લીધે તેવી અટકળો હતી કે છેતરપિંડીના કેસની તપાસ થશે, કારણ કે તેમણે ખેડૂત તરીકે દાવો કર્યો હતો. આ કૌભાંડ બહાર આવ્યા પછી 19 જુલાઈ 2007માં બચ્ચને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) બારાબંકી અને પુણેમાં સંપાદિત કરેલી જમીન પાછી આપી દીધી હતી. (Pune)તેમણે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખને આ જમીન દાનમાં આપવા લખ્યુ હતું, જે પુણેમાં ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવી હતી. આમ છતાં લખનૌ કોર્ટે જમીન દાનમાં આપવા સામે મનાઇહુકમ આપતા જણાવ્યું હતું કે જમીનની યથાવત સ્થિતિ જાળવામાં આવે. બચ્ચને 12 ઓક્ટોબર 2007ના રોજ બારાબંકી જિલ્લાના દૌલતપુરની જમીન પરનો દાવો જતો કર્યો હતો. 11 ડિસેમ્બર 2007ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ (Lucknow) બેન્ચે બારાબંકી જિલ્લાની સરકારી જમીનની ખોટી રીતે ફાળવણીના કેસમાં બચ્ચનને ક્લિન ચીટ આપી હતી. લખનૌ બેન્ચના સિંગલ જજે જણાવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ આચરી હોવાનો પુરાવા મળ્યા નથી. "વડી અદાલતે અમિતાભ બચ્ચનને જમીન વિવાદ કેસમાં ક્લિન ચીટ આપી"હેપનિંગ ન્યુઝઃ ApunKaChoiceCom12 ડિસેમ્બર 2007"અમિતાબ બચ્ચનને ઉત્તરપ્રદેશ જમીન કૌભાંડમાં ક્લિન ચીટ" AllBollywood.com11 ડિસેમ્બર 2007 બારાબંકી કેસમાં હકારાત્મક ચુકાદો મલ્યા પછી અમિતાભ બચ્ચને મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું કે તે પુણે જિલ્લામાંં મવાલ તાલુકાની જમીન આપવાની ઇચ્છા ધરાવતા નથી. રાજ ઠાકરેની ટીકા thumb|right|300px|બચ્ચનને દર્શાવતી જાહેરખબર જાન્યુઆરી 2008માં રાજકીય રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) વડા રાજ ઠાકરેએ (Raj Thackeray)અમિતાભ બચ્ચનને લક્ષ્યાંક બનાવી કહ્યું હતું કે તેમને મહારાષ્ટ્રને બદલે પોતાના વતન તરફ વધારે ઝુકાવ છે. અમિતાભે તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના (Aishwarya Rai Bachchan)નામે મહારાષ્ટ્રના બદલે ઉત્તરપ્રદેશમાં બારાબંકી (Barabanki) ખાતે ગર્લ્સ સ્કૂલ શરૂ કરી તેની સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રસાર માધ્યમોના અહેવાલો મુજબ એક સમયના અમિતાભના પ્રશંસક રાજ ઠાકરેએ અભિષેક (Abhishek)અને ઐશ્વર્યાના લગ્નમાં તેમને આમંત્રણ ન આપતા બચ્ચન પર આ પ્રહારો કર્યા હતા. બીજી બાજુ બચ્ચને તેમના કાકા બાલ ઠાકરે અને ભત્રીજા ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું. રાજના આક્ષેપોના જવાબ આપતા બચ્ચનની પત્ની અને સમાજવાદી પક્ષની સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે બચ્ચન મુંબઈમાં પણ શાળા શરૂ કરવા ઇચ્છુક છે, પણ એમએનએસના નેતા તેના માટે જમીન તો ફાળવે. તેણે પ્રસાર માધ્યમોમાં જણાવ્યું હતું કે,"મેં સાંભળ્યું છે કે રાજ ઠાકરે મુંબઈ અને કોહિનૂર મિલ્સમાં જંગી મિલકતનો માલિક છે.જો તેઓ જમીન ફાળવવા તૈયાર હોય તો અમે ઐશ્વર્યા રાયના નામે સ્કૂલ શરૂ કરવા તૈયાર છે. આમ છતાં અમિતાભ આ મુદ્દે ટીકા કરવાથી દૂર રહ્યો હતો. બાલ ઠાકરેએ આ આક્ષેપોનો પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે, " અમિતાભ સ્પષ્ટવક્તા છે અને તેને મહારાષ્ટ્ર પ્રત્યે અત્યંત પ્રેમ છે અને તેનો પુરાવો તેણે ઘણા પ્રસંગોએ આપ્યો છે."બચ્ચને વારંવાર જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને મુંબઈએ મને ઘણું સન્માન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આજે પોતે જે છે તે લોકોના પ્રેમના લીધે છે. મુંબઈની પ્રજા હંમેશા કલાકારોને માન આપતી આવી છે. તેથી તેમની સામે આ પ્રકારના આક્ષેપો મૂકવા એકદમ મૂર્ખામીભરી બાબત છે. અમિતાભ ગ્લોબલ સુપરસ્ટાર છે.સમગ્ર વિશ્વના લોકો તેને સન્માન આપે છેકોઈ વ્યક્તિ આ બાબત ભૂલી શકે નહીં. અમિતાભે મૂર્ખામીભર્યા આક્ષેપો અવગણવા જોઈએ અને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ" રાજ ઠાકરેની ટિપ્પણીના લગભગ મહિના પછી 23 માર્ચ 2008ના રોજ અમિતાભે ટેબ્લોઈડને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો પર ધ્યાન આપીને હું તેમને તેઓ ઇચ્છે છે તેવું મહત્વ આપી શકું નહીં.28 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમીની (International Indian Film Academy) પત્રકાર પરિષદમાં બચ્ચનને આ પ્રકારની બાબત અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ સ્થળે જીવવું કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે.તેણે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેના પર રાજની ટિપ્પણીની કોઈ અસર થઈ નથી પારિતોષિકો, સન્માનો અને પ્રશંસાપત્રો ફિલ્મોગ્રાફી છેલ્લી ફિલ્મો વર્ષફિલ્મભૂમિકાઅન્ય નોંધો2006ફેમિલી (Family)વિરેન સાહીડરના જરૂરી હૈ (Darna Zaroori Hai)અધ્યાપકકભી અલવિદા ના કહેના (Kabhi Alvida Naa Kehna)સમરજિત સિંહ તલવાર (અકાસેક્સી સેમ)નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પારિતોષિક (Filmfare Best Supporting Actor Award)બાબુલ (Baabul)બલરાજ કપૂર2007Eklavya: The Royal Guard એકલવ્ય નિશબ્દ (Nishabd)વિજયચીની કમ (Cheeni Kum)બુદ્ધદેવ ગુપ્તાશૂટઆઉટ એટ લોખંડવાલા (Shootout at Lokhandwala)ડિંગરાખાસ ભૂમિકામાંઝૂમ બરાબર ઝૂમ (Jhoom Barabar Jhoom)સૂત્રધારખાસ ભૂમિકામાંરામગોપાલ વર્મા કી આગ (Ram Gopal Varma Ki Aag)બબ્બન સિંહ ઓમ શાંતિ ઓમ (ફિલ્મ) (Om Shanti Om)પોતે ખાસ ભૂમિકામાં2008જોધા અક્બર (Jodhaa Akbar)નેરેટરભૂતનાથ (Bhoothnath)ભૂતનાથ (કૈલાશનાથ)સરકાર રાજ (Sarkar Raj)સુભાષ નાગરે/"સરકાર"ગોડ તુસી ગ્રેટ હો (God Tussi Great Ho)ગોડ ઓલમાઇટીધ લાસ્ટ લિયર (The Last Lear)હરીશ "હેરી" મિશ્રાવિજેતા, સ્ટારડસ્ટ શ્રેષ્ઠ અભિનેતા પારિતોષિક (Stardust Best Actor Award)2009દિલ્હી-6 (Delhi-6)દાદાજીખાસ ભૂમિકામાંઅલાદિન (Aladin)જિનપોસ્ટ-પ્રોડકશનજોની મસ્તાના (Johnny Mastana)જોન પરેરાપોસ્ટ પ્રોડકશનઝમાનત (Zamaanat)શિવશંકરવિલંબટેલિઝમેન (Talismaan)ફિલ્મિંગતીન પત્તી (Teen Patti)આવિ ગયુશાંતારામ (Shantaram)કાદર ભાઈપ્રી-પ્રોડકશન નિર્માતા વર્ષફિલ્મ1996 (1996)તેરે મેરે સપને (Tere Mere Sapne (1996 film))1997 (1997)ઉલ્લાસમ (Ullasam)મૃત્યુદાતા (Mrityudaata)1998 (1998)મેજર સાબ (Major Saab)2001 (2001)અક્સ (Aks)2005 (2005)વિરુદ્ધ (Viruddh)2006 (2006)ફેમિલી- ટાઇઝ ઓફ બ્લડ (Family - Ties of Blood) પાર્શ્વગાયક વર્ષફિલ્મ1979 (1979)ધ ગ્રેટ ગેમ્બલર (The Great Gambler)નટવરલાલ (Mr. Natwarlal)1981 (1981)લાવારિસ (Lawaaris)નસીબ (Naseeb)સિલસિલા (Silsila)1983 (1983)મહાન (Mahaan)પુકાર (Pukar)1984 (1984)શરાબી (Sharaabi)1989 (1989)તૂફાન (Toofan)જાદુગર (Jaadugar)1992 (1992)ખુદાગવાહ (Khuda Gawah)1998 (1998)મેજર સાબ (Major Saab)1999 (1999)સૂર્યવંશમ (Sooryavansham)2001 (2001)અક્સ (Aks)કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham)2002 (2002)આંખે (Aankhen)2003 (2003)અરમાન (Armaan)બંધન (Baghban)2004 (2004)દેવ (Dev)એતબાર (Aetbaar)2006 (2006)બાબુલ (Baabul)2007 (2007)નિશબ્દ (Nishabd)ચીની કમ (Cheeni Kum)2008ભૂતનાથ (Bhoothnath)જોધા અકબરયાર મેરી જિંદગીસરકાર રાજગોડ તુસી ગ્રેટ હો2009દિલ્હી 6ઝોર લગાકે હૈયાઅલાદિનપા2010રનતીન પત્તીકંદહાર2011બુઢા હોગા તેરા બાપઆરક્ષણરાવન2012કહાનીમિસ્ટર ભટ્ટી ઓન છુટ્ટીડીપાર્ટમેન્ટબોલ બચ્ચનઇંગલિશ વિંગ્લિશ2013ધ ગ્રેટ ગેટ્સબીયબૉમ્બે ટૉકીઝસત્યાગ્રહબોસક્રિશ 3મહાભારત2014ભૂતનાથ રિતુર્ન્સમાનમ2015શામીતાબહૈ બ્રોપીકુ2016વાજિરકી એન કાTe3nપિન્ક સંદર્ભ બાહ્ય કડીઓ અમિતાભ બચ્ચનનું સત્તાવાર બ્લોગ શ્રેણી:અલ્હાબાદના લોકો શ્રેણી:ભારતીય અભિનેતા શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:બોલીવુડ શ્રેણી:જીવિત લોકો શ્રેણી:૧૯૪૨માં જન્મ શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા
શ્રીનિવાસ રામાનુજન
https://gu.wikipedia.org/wiki/શ્રીનિવાસ_રામાનુજન
thumb|રામાનુજનનું જન્મ સ્થળ, ૧૮ અલાહીરી શેરી, ઇરોડ શ્રીનિવાસ ઐયંગર રામાનુજન (; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા. રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, "ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.""The Man Who Knew Infinity", (1991), Kanigel, Robert, page 7 of Prologue ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તેમની ૧૨૫મી જન્મતિથિ ઉજવવામાં આવી હતી. અને હવે ૨૦૨૧ માં ૧૩૪મી જન્મતિથિ ઉજવામાં આવશે. સન્માન thumb|રાષ્ટ્રીય ગણિત દિવસ અને રામાનુજન thumb|ટપાલ ટિકિટ પર રામાનુજન (૨૦૧૧) ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. આ પણ જુઓ અવિભાજ્ય સંખ્યા સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગણિત શ્રેણી:વ્યક્તિત્વ શ્રીનિવાસ રામાનુજન નું જીવનચરિત્ર
રામાનુજન
https://gu.wikipedia.org/wiki/રામાનુજન
REDIRECT શ્રીનિવાસ રામાનુજન
મુંબઇ
https://gu.wikipedia.org/wiki/મુંબઇ
REDIRECT મુંબઈ
અખા ભગત
https://gu.wikipedia.org/wiki/અખા_ભગત
અખા રહિયાદાસ સોની (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. જીવન અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે. જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. સર્જન છપ્પા આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે. દોષનિવારક અંગવર્ગ વેષનિંદા અંગ આભડછેટનિંદા અંગ શ્થુળદોષ અંગ પ્રપંચ અંગ ચાનક અંગ સુક્ષ્મદોષ અંગ ભાષા અંગ ખળજ્ઞાની અંગ જડભક્તિ અંગ સગુણભક્તિ અંગ દંભભક્તિ અંગ જ્ઞાનદગ્ધ અંગ દશવિધજ્ઞાની અંગ વિભ્રમ અંગ કુટફળ અંગ ગુણગ્રાહક અંગવર્ગ ગુરુ અંગ સહજ અંગ કવિ અંગ વૈરાગ્ય અંગ વિચાર અંગ ક્ષમા અંગ તીર્થ અંગ સ્વાતીત અંગ ચેતના અંગ કૃપા અંગ ધીરજ અંગ ભક્તિ અંગ સંત અંગ સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ માયા અંગ સૂઝ અંગ મહાલક્ષ અંગ વિશ્વરૂપ અંગ સ્વભાવ અંગ જ્ઞાની અંગ જીવ ઇશ્વર અંગ આત્મલક્ષ અંગ વેષવિચાર અંગ જીવ અંગ વેદ અંગ અજ્ઞાન અંગ મુક્તિ અંગ આત્મા અંગ ફલપ્રતિપાદક અંગવર્ગ પ્રાપ્તિ અંગ પ્રતીતિ અંગ જાણીતી રચનાઓ પંચીકરણ અખેગીતા ચિત્ત વિચાર સંવાદ ગુરૂ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ બ્રહ્મલીલા કૈવલ્યગીતા સંતપ્રિયા અખાના છપ્પા અખાના પદ અખાજીના સોરઠા પૂરક વાચન સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:વ્યક્તિત્વ
આશિત દેસાઇ
https://gu.wikipedia.org/wiki/આશિત_દેસાઇ
REDIRECT આશિત દેસાઈ
જગદીશચંદ્ર બોઝ
https://gu.wikipedia.org/wiki/જગદીશચંદ્ર_બોઝ
right|thumb| જગદીશચંદ્ર બોઝ એમની પ્રયોગશાળામાં જગદીશચંદ્ર બોઝ ( ત્રીસમી નવેમ્બર, ૧૮૫૮— ત્રેવીસમી નવેમ્બર,૧૯૩૭) પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું. ‎શ્રેણી:વ્યક્તિત્વ‏ શ્રેણી:વૈજ્ઞાનિક શ્રેણી:૧૯૩૭માં મૃત્યુ શ્રેણી:૧૮૫૮માં જન્મ
ડૉ. વિક્રમ સારાભાઇ
https://gu.wikipedia.org/wiki/ડૉ._વિક્રમ_સારાભાઇ
REDIRECT વિક્રમ સારાભાઈ
વિક્રમ સારાભાઈ
https://gu.wikipedia.org/wiki/વિક્રમ_સારાભાઈ
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગસ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. શરૂઆતના વર્ષો વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંનું ચોથું સંતાન હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદમાં છે. ૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતિ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩ કારકિર્દી ૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલુરુમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપ્યાં. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં થઈ હતી. ભારતીય પ્રબંધ સંસ્થાન, અમદાવાદ (ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ), લોક વિજ્ઞાન કેન્દ્ર (કોમ્યુનિટી સાયન્સ સેન્ટર), સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩ ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ ઉર્જા સંસ્થાન (ઍટોમીક એનર્જી કમિશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી. ભારતના પ્રથમ રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ. ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગત જીવન thumb|વિક્રમ અને મૃણાલિની સારાભાઈ, ૧૯૪૮ તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું. પુરસ્કાર અને માનદ સ્થાનો thumb|ભારતીય ટપાલ ટિકિટ પર વિક્રમ સારાભાઇ (૧૯૭૨) ભટનાગર પુરસ્કાર (૧૯૬૨) ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨) પદ્મભૂષણ (૧૯૬૬) ઇન્ટરનેશનલ એટમિક એજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦) 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧) પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ફિલાઇન્ડિયા ગાઈડબુક, ફિલાટેલીઆ, ૨૦૦૮ સ્થાપના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના. અટિરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના. અન્ય માનદો દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. સંદર્ભ બાહ્ય કડીઓ મહાન વૈજ્ઞાનિક હિંદુ દૈનિક શ્રેણી:વૈજ્ઞાનિક‎ શ્રેણી:ભારતીય અવકાશ કાર્યક્રમ શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:૧૯૧૯માં જન્મ શ્રેણી:૧૯૭૧માં મૃત્યુ શ્રેણી:ઇસરો
ઐશ્વર્યા રાય
https://gu.wikipedia.org/wiki/ઐશ્વર્યા_રાય
thumb|ઐશ્વર્યા રાય ઐશ્વર્યા રાય-બચ્ચન અથવા ઐશ્વર્યા બચ્ચન (જન્મનું નામઃ ઐશ્વર્યા રાય, તુલુ (જન્મઃ ૧ નવેમ્બર ૧૯૭૩) એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય, તેના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા શ્રેય, પાંચ ભાષાઓ, મુખ્યત્વે હિન્દી, તમિલ અને ઇંગલિશ માં 40 ફિલ્મોમાં અભિનય કર્યો છે. મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરનાર ઐશ્વર્યા રાયની સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ ફિલ્મ જિન્સ (ઇ. સ. ૧૯૯૮) હતી, આ ફિલ્મે તેને ફિલ્મફેર (દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો.સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (ઇ. સ. ૧૯૯૯)થી તે બોલીવુડના ધ્યાનમાં આવી હતી.ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડજીત્યો હતો.૨૦૦૨માં તેણે ભણસાલીની આગામી ફિલ્મ દેવદાસમાં કામ કર્યું હતું, જેમાં તેણે ફિલ્મફેરમાં બીજી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. ઇ. સ. ૨૦૦૩થી ઇ. સ. ૨૦૦૫ દરમિયાન તેની કારકિર્દીમાં નબળા તબક્કા બાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ 2 માં (ઇ. સ. ૨૦૦૬) કામ કર્યું હતું, જે તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ બની હતી.ઐશ્વર્યાએ ત્યાર બાદ ગુરુ' (ઇ. સ. ૨૦૦૭) અને જોધા અક્બર (ઇ. સ. ૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી.આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે. તેની કારકિર્દી દરમિયાન રાયે અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય પ્રોડક્શનની બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ (ઇ. સ. ૨૦૦૩), મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસ (ઇ. સ. ૨૦૦૫), ધ લાસ્ટ લીજન (The Last Legion) (ઇ. સ. ૨૦૦૭) અને ધ પિંક પેન્થર 2 (ઇ. સ. ૨૦૦૯) સહિત હિન્દી (Hindi), અંગ્રેજી (English), તામિલ અને બંગાળીમાં ૪૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે. પ્રારંભિક જીવન મેંગલોર માં કૃષ્ણરાજ રાય અને વૃંદા રાયના ઘરે ઐશ્વર્યાનો જન્મ થયો હતો. તેનો પરિવાર મેંગલોરના બંટ સમાજ નો છે. તેને એક મોટો ભાઈ છે, જેનું નામ આદિત્ય રાય છે અને તે નૌકાદળમાં કામ કરે છે તથા તેણે ઐશ્વર્યાની ફિલ્મ દિલ કા રિશ્તા (ઇ. સ. ૨૦૦૩)નો કો-પ્રોડ્યુસર પણ હતો. ઐશ્વર્યા નાની હતી ત્યારે તેના માતા-પિતા મુંબઇ આવીને વસ્યા, જ્યાં તેણે સાંતાક્રૂઝ માં આર્ય વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો. ઐશ્વર્યાએ "એચએસસી"નો અભ્યાસ એક વર્ષ ચર્ચગેટ (Churchgate)ની જય હિંદ કોલેજ (Jai Hind College)માં અને ત્યાર બાદ માટુંગાની રુપારેલ કોલેજ માં પૂરો કર્યો હતો. શાળામાં તે હોંશિયાર હતી અને તેણે આર્કિટેક્ટ બનવાનો નિર્ણય કર્યો હતો અને આર્કિટેક્ચરમાં અભ્યાસ શરૂ કર્યો. તે માતૃભાષા તુલુ (Tulu), તેમજ હિન્દી (Hindi), અંગ્રેજી (English), મરાઠી (Marathi) અને તમીલ (Tamil) સહિત કેટલીક ભાષા જાણે છે.તેણે આર્કિટેક્ચર (architecture)માં અભ્યાસ શરૂ કર્યો હતો. મિસ વર્લ્ડ આર્કિટેક્ચરના અભ્યાસની સાથે સાથે તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું હતું. ઇ. સ. ૧૯૯૪માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં તેણે સુસ્મિતા સેન પછી બીજુ સ્થાન મેળવ્યું હતું અને મિસ ઇન્ડિયા વર્લ્ડ 'નો તાજ જીત્યો હતો.તે મિસ વર્લ્ડ બની તે જ વર્ષે તેણે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ જીત્યો હતોતેણે સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી અભ્યાસ છોડી દીધો અને મિસ વર્લ્ડના તાજ ધારણ કર્યો હોવાથી એક વર્ષનો સમય લંડન માં પસાર કર્યોરાયે તેની કારકિર્દીની શરૂઆત પ્રોફેશનલ મોડેલ તરીકે કરી હતી અને પછી તેણે અભિનેત્રી તરીકે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ફિલ્મ કારકિર્દી અગાઉની કારકિર્દી રાયે મણિરત્નમ ની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)માં મોહનલાલ (Mohanlal), સામે હીરોઈન તરીકે ચમકીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ.તે જ વર્ષે રાયે બોબી દેઓલ સાથેની ફિલ્મ ઔર પ્યાર હો ગયા દ્વારા બોલીવુડ (Bollywood) ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. જોકે, તેની ત્રીજી ફિલ્મ એસ. શંકર ની તમીલ ફિલ્મ જિન્સ (૧૯૯૮) મહત્વની રહી હતી. આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી હતી. તેણે ઐશ્વર્યાને દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. રાયને બેવડી ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બે વર્ષે પૂરી થઈ હતી. સફળતા, (ઇ. સ. ૧૯૯૯-ઇ. સ. ૨૦૦૫) સંજય લીલા ભણસાલી ની 1999માં આવેલી હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ ઐશ્વર્યા માટે બોલીવુડની સફળ હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી હતી. ઐશ્વર્યાને તેના માટે પ્રથમ વખત ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.તે જ વર્ષે સુભાષ ઘાઈની તાલ ફિલ્મમાં પણ તેણે કામ કર્યુ હતુ અને તેને જબરજસ્ત સફળતા મળી હતી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ફિલ્મના વખાણ થયા હતા અને તેમાં પણ અમેરિકા માં તો આ ફિલ્મે નોંધપાત્ર સફળતા મેળવતા વેરાયટી ની બોક્સ ઓફિસની યાદીમાં ટોચની ૨૦ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું. આ ફિલ્મમાં અભિનય બદલ રાય ફિલ્મફેર એવોર્ડ માટેની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેના દાવેદારોમાં સ્થાન પામી હતી. વિવેચકોએ બંને ફિલ્મમાં ઐશ્વર્યાના કામના વખાણ કર્યા હતા. રાયે ૨૦૦૦માં બે હિટ ફિલ્મ મોહબ્બતે અને જોશ (Josh)માં સહાયક ભૂમિકા ભજવી હતી. પછીના વર્ષે રાયની તામિલ ફિલ્મ કન્ડુકોન્ડૈન કન્ડુકોન્ડૈન (Kandukondain Kandukondain)માં પણ તેની અદાકારીના વખાણ થયા હતા. સંજય લીલા ભણસાલીએ ૨૦૦૨માં બનાવેલી ભવ્ય ફિલ્મ દેવદાસ માં શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત ની સાથે રાય પણ હતી.આ ફિલ્મએ સમગ્ર વિશ્વમાં પથરાયેલા બોલીવુડના પ્રશંસકોમાં આકર્ષણ પેદા કર્યું હતું, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.આ જ સમયે પશ્ચિમનું ધ્યાન પણ ભારતની આ અભિનેત્રી પર પડ્યું હતું અને તેને હોલિવૂડ (Hollywood)ના પ્રોજેક્ટમાં કામ કરવાનું આમંત્રણ મળ્યું હતું.દેવદાસે ભારત અને વિદેશમાં જબરજસ્ત સફળતા મેળવતા વર્ષની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બનવાની સિદ્ધિ મેળવી હતી. આ ફિલ્મએ રાયને બીજી વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો. રાયે ૨૦૦૩માં વિવેચકોની પ્રશંસા અને વ્યવસાયી સફળતા મેળવનારી ફિલ્મ બંગાળી ફિલ્મ ચોખેર બાલી (Chokher Bali)માં કામ કર્યુ હતુ, આ ફિલ્મ રવિન્દ્રનાથ ટાગોર ની નવલકથા પરથી તે જ નામે બનાવવામાં આવી હતી. જો કે ચોખેર બાલી પછી તેની બધી ફિલ્મોમાં ખાકી(૨૦૦૪)ને જ બોક્સઓફિસ પર સફળતા મળી હતી. શબ્દ, કુછ ના કહો (Kuch Naa Kaho), ક્યુ...!ને સરિયામ નિષ્ફળતા મળી હતી.આ ઉપરાંત હો ગયા ના અને રેઇનકોટ (Raincoat)ની સાથે તેની આંતરરાષ્ટ્રીય ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ (Bride and Prejudice), મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ (Mistress of Spices)ને પણ નિષ્ફળતા મળી હતી. રાય ૨૦૦૨થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નિયમિત રીતે હાજર રહી છે. ૨૦૦૩ના વર્ષમાં તો તે કાન્સની જ્યુરીની સભ્ય હતી.તે જ મહિને તેની પ્રથમ વિદેશી ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ પ્રદર્શિત થઈ હતી.આ ફિલ્મ જેન ઓસ્ટિનની ક્લાસિક નોવેલ પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ નું ભારતીય રૂપાંતરણ હતી.તેના પછીની તેની વિદેશી ફિલ્મ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ (The Mistress of Spices) હતી, જે બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી. ઐશ્વર્યાને થોડા સમય પૂરતી બોક્સ ઓફિસ પર સતત નિષ્ફળતા સાંપડી હતી. આ દરમિયાન મેલબોર્ન માં ૨૦૦૬ની કોમનવેલ્થ ગેમ્સ ની સમાપનવિધિમાં ભારતીય કળાનું પ્રદર્શન કરવા માટે તે હાજર રહી હતી. નવી દિલ્હી માં યોજાનારી ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સ (2010 Commonwealth Games)ના ભાગરૂપે ભારતીય કલાકારોએ મેલબોર્નમા સમાપનવિધિમાં પ્રદર્શન કર્યું હતું.વિદેશી ફિલ્મોમાં અભિનય કરવા દરમિયાન ભારતીય ફિલ્મ બન્ટી ઓર બબલી માં ઐશ્વર્યાના “કજરા રે” ગીત પરના સાત મિનીટના નૃત્યને જબરજસ્ત લોકપ્રિયતા મળી હતી. (2006-હાલમાં) ૨૦૦૬માં તેની બે ફિલ્મો પ્રદર્શિત થઈ હતીઃ ઉમરાવ જાન (Umrao Jaan) અને ધૂમ 2 (Dhoom 2)ઉમરાવ જાનને ભારતમાં સરિયામ નિષ્ફળતા મળી હતી, પણ ૨૦૦૪ની હિટ ફિલ્મ ધૂમ (Dhoom)ની સીક્વલે બધાનું ધ્યાન ઐશ્વર્યા તરફ ખેંચ્યું હતું. આ ફિલ્મ વર્ષની જબરજસ્ત હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને ૨૦૦૭માં ઓમ શાંતિ ઓમ (Om Shanti Om) આવી ત્યાં સુધી સૌથી વધુ કમાણી(ફુગાવા સાથે એડ્જસ્ટ કર્યા વગર) કરતી ફિલ્મ હતી.આ ફિલ્મમાં તેણે ઋત્વિક રોશન (Hrithik Roshan)ને આપેલા ચુંબનના દ્રશ્યને લઈને જબરજસ્ત વિવાદ સર્જાયો હતો.છતાં પણ તેની ભૂમિકા બદલ ઘણા બધા એવોર્ડ માટેની શ્રેષ્ઠ અભિનેત્રીના દાવેદારોમાં તેને સ્થાન મળ્યું હતું, તેમાં ફિલ્મફેરનો પણ સમાવેશ થાય છે. મણિરત્નમ ની ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ગુરુ નું ટોરોન્ટો માં પ્રીમિયર કરાયું હતું.આ ફિલ્મ ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના જીવન પર આધારિત હતી અને વિશ્લેષકોએ તેને વખાણી હતી અને બોક્સ ઓફિસ પર પણ તેણે સારો દેખાવ કર્યો હતો. પ્રોવોક્ડ (Provoked) ફિલ્મ સર્કલ ઓફ લાઇટ પુસ્તક પર આધારિત હતી. ભારત અને યુકેમાં છ એપ્રિલ ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મમાં તેણે વાસ્તવિક જીવનના પાત્રની ભૂમિકા ભજવી હતી. આ આત્મકથાનક ફિલ્મમાં તેણે વાસ્તવિક જીવનમાં ઘરેલું હિંસાનો ભોગ બનતી કિરણજીત આહલુવાલિયાની ભૂમિકા અદા કરી હતી.એપ્રિલ ૨૦૦૭ના અંતે તેની પ્રથમ અમેરિકન ફિલ્મ ધ લાસ્ટ લીજન (The Last Legion) આવી હતી. રશિયા અને હોલેન્ડમાં તથા પછી ઉત્તર અમેરિકાના થિયેટરોમાં ઓગસ્ટ ૨૦૦૭માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.૨૦૦૮માં તેણે ઋત્વિક રોશનસાથે ઐતિહાસિક વિષય પર આશુતોષ ગોવારીકર (Ashutosh Gowariker)ની ફિલ્મ જોધા અકબર કરી હતી. આ ફિલ્મમાં તેણે મુઘલ (Mughal) સામ્રાજ્યના પ્રણેતા અકબર (Jalaluddin Muhammad Akbar)ની પત્ની જોધા બાઇ ની ભૂમિકા ભજવી હતી. અકબરની ભૂમિકા ઋત્વિકે ભજવી હતી. આ ઉપરાંત સરકાર રાજમાં તેણે પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે મહારાષ્ટ્ર (Maharashtra)ના ગ્રામીણ વિસ્તારમાં નવો વીજ પ્લાન્ટ નાખવા માગતી અગ્રણી વીજ કંપનીના સીઇઓ (CEO)ની ભૂમિકા ભજવી હતી. રાયે તામિલ ફિલ્મ ઉદ્યોગ (Tamil film industry)માં પાછા ફરતા રજનીકાંત (Rajinikanth) સાથે અંધિરન (Endhiran) ફિલ્મ કરી. તેનું નિર્દેશન એસ. શંકરે (S. Shankar) કર્યું હતું. આજ તક (Aaj Tak) ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં તેણે આ ફિલ્મ માટે રૂ. છ કરોડ લીધા હોવાનું કહ્યું હતું. આમ તે ભારત (India)ની સૌથી વધુ રકમ લેતી અભિનેત્રી બની ગઈ હતી.આ ઉપરાંત તે વિક્રમ સાથે મણિરત્નમ ની આગામી ફિલ્મ અશોકવનમ (Ashokavanam) કરવાની હોવાનું મનાય છે, જે જોડે-જોડે હિન્દીમાં રાવણ ના શીર્ષક હેઠળ બનવાની છે અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેમાં મુખ્ય ભૂમિકામાં છે.તેણે તાજેતરમાં સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની આગામી ફિલ્મ સાઇન કરી છે. તેમા તેની સામે ઋત્વિક રોશન (Hrithik Roshan), છે. વિપુલ શાહ (Vipul Shah)ની આગામી ફિલ્મમાં તે અક્ષયકુમાર (Akshay Kumar) સામે ચમકવાની છે. ફરહાન અખ્તર (Farhan Akhtar) દ્વારા બનાવવામાં આવનારી અને અભિનય દેવ દ્વારા નિર્દેશિત ફિલ્મ તથા વિશાલ ભારદ્વાજ (Vishal Bharadwaj) દ્વારા દિગ્દર્શિત આગામી સાહસમાં પણ તે કામ કરશે. રાયને ૨૦૦૯માં ભારતીય સિનેમામાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રી (Padma Shri) પારિતોષિક આપવામાં આવ્યો હતો૨૦૦૯માં જ વર્ષે રાયે ફ્રાન્સના બીજા નંબરના એવોર્ડ ઓર્ડર ઓફ ફ્રાન્સ (Order Of France), ઓર્ડર ડેસ આર્ટ એટ ડેસ લેટર (Ordre des Arts et des Lettres)ને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, કારણ કે તેના પિતા ગંભીર માંદગીથી પીડાઈ રહ્યા હતા અને તેની ઇચ્છા હતી કે તેનું સમગ્ર કુટુંબ એવોર્ડ સમારંભમાં હાજર રહે.અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), નંદિતા દાસ (Nandita Das), શાહરૂખ ખાન (Shahrukh Khan) પછી ઓર્ડર ઓફ ફ્રાન્સ (Order Of France) માટે પસંદ થનારી તે ફક્ત ચોથી ભારતીય અભિનયકાર હતી. અન્ય કામગીરી ૨૦૦૩માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની જ્યુરી મેમ્બર બનનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી.તેણે ૨૦૦૪માં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન (Siachen Glacier) ગ્લેસિયરની મુલાકાત લીધી હતી. એનડીટીવી (NDTV)ના પર દર્શાવાતા જય જવાનના નવા વર્ષ (New Year)ના સ્પેશિયલ એપિસોડ માટે તેણે જવાનોનો (jawan) જુસ્સો વધારવા આ મુલાકાત લીધી હતી. રાય ૨૦૦૫માં પલ્સ પોલિયો (Pulse Polio)ની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. ભારત સરકારે (Government of India) ૧૯૯૪થી ભારત માંથી પોલિયો નાબૂદી માટે પલ્સ પોલિયોનું અભિયાન શરૂ કરેલું છે.. તેણે ૨૦૦૮માં તેના કુટુંબ ( family) સાથે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના દૌલતપુર ગામમાં અનાથ બાળકીઓ માટેની જ શાળાનો શિલાન્યાસ કર્યો હતો.આ શાળા બચ્ચન કુટુંબ દ્વારા બનાવવામાં આવશે અને તે ઐશ્વર્યાના નામે હશે. ૨૦૦૮ના ઉનાળામાં ઐશ્વર્યા તેના પતિ અને સસરા તથા પ્રીટિ ઝિન્ટા (Preity Zinta), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh), માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે અનફર્ગેટેબલ વર્લ્ડ ટુરમાં જોડાઈ હતી. આ પ્રવાસના પ્રથમ તબક્કામાં અમેરિકા, કેનેડા, લંડન અને ટ્રિનિદાદ આવરી લેવાયા હતાઆ પ્રવાસનો બીજો તબક્કો ૨૦૦૮ના વર્ષના અંતે યોજાય તેવી શક્યતા છે. આ કોન્સર્ટનું આયોજન અમિતાભની કંપની એબી કોર્પ લિમિટેડે વિઝક્રાફ્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગમાં કર્યું છે. સંબંધો અને વ્યક્તિગત જીવન [[ચિત્ર:Abhishek & Aishwarya.jpg‎|thumb|right|ઐશ્વર્યા રાય (Aishwarya Rai) તેના પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે આઇફા એવોર્ડ ઐશ્વર્યા રાયે અગાઉ બોલીવુડના અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને વિવેક ઓબેરોય (Vivek Oberoi) સાથે લાગણીના સંબંધોથી જોડાઇ હતી.પરંતુ તેણે પછી તેનાથી ત્રણ વર્ષ નાના ભારતીય અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે લગ્ન કર્યા છે. તેમના સંબંધો અંગે ઘણી બધી અટકળો પછી અભિષેક બચ્ચન સાથે તેની સગાઈની જાહેરાત ૧૪ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ થઈ હતી. અમિતાભ બચ્ચને પછી આ જાહેરાતને સમર્થન આપ્યું હતું. રાયે ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ દક્ષિણ ભારત (South Indian)ના બન્ટ (Bunt) સમાજની પરંપરા મુજબની હિન્દુ વિધિથી બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. રાય પોતે બન્ટ સમાજની છે.પછી ઉત્તર ભારતીય (North Indian) અને બંગાળી (Bengali) બંને વિધિઓ પણ કરવામાં આવી હતી. મુંબઈ (Mumbai)માં જુહુ (Juhu) ખાતે પ્રતીક્ષામાં બચ્ચનના નિવાસ્થાને યોજાયેલા ખાનગી સમારંભમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારંભ ફક્ત બચ્ચન કુટુંબ અને રાયના કુટુંબીઓ તથા મિત્રો પૂરતો જ મર્યાદિત હોવા છતાં પ્રસારમાધ્યમોના થયેલા સમાવેશે તેને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનાવી દીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રસારમાધ્યમો રાય ભારતીય સિનેમાનો વિશ્વસ્તરે સૌથી લોકપ્રિય ચહેરો છે. ટાઇમે (Time) ૨૦૦૪માં ઐશ્વર્યાની વિશ્વની “સૌથી વધુ ૧૦૦ પ્રભાવક વ્યક્તિઓમાં”ની એક તરીકે પસંદગી કરી હતી. તે ૨૦૦૩માં ટાઇમ મેગેઝિનની એશિયા આવૃતિના કવરપૃષ્ઠ પર ચમકી હતી.ઐશ્વર્યાના પ્રોફાઇલને બીજી જાન્યુઆરી ૨૦૦૫માં 60 મિનીટ (60 Minutes)માં દર્શાવાઇ હતી. હજારો વેબસાઇટ, ઇન્ટરનેટ પોલ્સ અને જુલિયા રોબર્ટ્સે તેને વિશ્વની સૌથી વધુ સુંદર મહિલા ગણાવી હતી.વિશ્વની સૌથી સુંદર મહિલા? cbsnews.com27 ઓક્ટોબર 2007ના રોજનો સુધારોઓક્ટોબર 2004માં લંડન (London)ના માદામ તુસો (Madame Tussaud's)ના વેક્સ મ્યુઝિયમ (wax museum)માં તેના મીણના પૂતળાને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું.આ પ્રકારનું સન્માન મેળવનારી તે છઠ્ઠી ભારતીય અને બોલીવુડમાં તેના સસરા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પછી બીજા નંબરની કલાકાર બની હતી. ૨૦૦૫માં તે એન્ડી મેકડોવેલ (Andie Macdowell), ઇવા લોન્ગોરિયા (Eva Longoria) અને પેનેલોપ ક્રુઝ (Penelope Cruz)ની સાથે લોરિયલ (L'Oreal)ની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની હતી.તે જ વર્ષે નેધરલેન્ડ (Netherland)માં એક ખાસ ટ્યૂલિપ (Tulip)ને ઐશ્વર્યા રાયનું નામ આપવામાં આવ્યું હતું.રાય ડેવિડ લેટરમેન (Late Show with David Letterman)ના લેટ શોમાં આવનારી પ્રથમ ભારતીય બની હતી અને ઓપ્રાહ (Oprah's)ના વીમેન અક્રોસ ધ ગ્લોબ સેગમેન્ટમાં આવનારી બોલીવુડ (Bollywood)ની પ્રથમ કલાકાર બની હતી. ૨૦૦૫માં હાર્પર્સ એન્ડ ક્વિન (Harpers and Queen)ની વિશ્વની ૧૦ સૌંદર્યવાન મહિલાઓની યાદી પાડી હતી, તેમાં તેને નવમું સ્થાન મળ્યું હતું. એવોર્ડ્સ અને નામાંકન ચલચિત્રો વર્ષનામભાષાભૂમિકાનોંધ1997ઈરુવર (Iruvar)તમીલપુષ્પા/કલ્પનાપ્રથમ બેવડી ભૂમિકાઔર પ્યાર હો ગયા હિન્દી (Hindi)આશિ કપૂર1998જિન્સ (ફિલ્મ) (Jeans)તમિલમધુમીતા/વૈષ્ણવીવિજેતા, ફિલ્મફેર(દક્ષિણ) શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ (Filmfare Best Actress Award South), ઓસ્કરમાં સત્તાવાર પ્રવેશ મેળવનારી ભારતીય ફિલ્મ 1999આ અબ લૌટ ચલે હિન્દીપૂજાહમ દિલ દે ચૂકે સનમ હિન્દીનંદિનીવિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ રાવોઈ ચંદામામાતેલુગુકેમિઓ અપિઅરન્સતાલ હિન્દીમાનસીનામાંકન, શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Best Actress Award)2000મેલા હિન્દીચંપાકલીકેમિઓ અપિઅરન્સકન્ડુકોન્ડેઇન કન્ડુકોન્ડેઇન તમિલમીનાક્ષી બાલાજોશહિન્દીશિર્લીહમારા દિલ આપ કે પાસ હૈ હિન્દીપ્રીતિ વિરાટનામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડઢાઈ અક્ષર પ્રેમ કે હિન્દીસાહિબા ગ્રેવાલમોહબ્બતે હિન્દીમેઘાનામાંકન, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ |- |2001||અલબેલા ||હિન્દી||સોનિયા|| |- |rowspan="5"|2002||હમ તુમ્હારે હૈ સનમ||હિન્દી||સુમન||કેમિઓ અપિઅરન્સ |- |હમ કિસીસે કમ નહીં ||હિન્દી||કોમલ રસ્તોગી|| |- |23rd March 1931: Shaheed ||હિન્દી||||કેમિઓ અપિઅરન્સ |- |દેવદાસ||હિન્દી||પાર્વતી(પારો)||વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ (Filmfare Best Actress Award) ઓસ્કરમાં સત્તાવાર પ્રવેશ મેળવનારી ભારતીય ફિલ્મ |- |શક્તિઃ ધ પાવર ||હિન્દી||ઐશ્વર્યા રાય||કેમિઓ અપિઅરન્સ |- |rowspan="3"|2003||ચોખેર બાલી(ફિલ્મ) (Chokher Bali)||બંગાળી (Bengali)||વિનોદિની|| |- |દિલ કા રિશ્તા ||હિન્દી||ટિયા શર્મા|| |- |કુછ ના કહો||હિન્દી||નમ્રતા શ્રીવાસ્તવ|| |- |રોસ્પાન-4|2004||બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ ||અંગ્રેજી (English)||લલિતા બક્ષી|| |- |ખાકી (Khakee)||હિન્દી||મહાલક્ષ્મી|| |- |ક્યુ...!હો ગયા ના ||હિન્દી||દિયા મલ્હોત્રા|| |- |રેઇનકોટ||હિન્દી||નીરજા||નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ (Filmfare Best Actress Award) |- |રોસ્પાન-3|2005||શબ્દ (Shabd)||હિન્દી||અંતરા વશિષ્ઠ|| |- |બન્ટી ઓર બબલી ||હિન્દી||||કજરા રે (Kajra Re) ગીતમાં ખાસ ભૂમિકામાં |- |મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ ||અંગ્રેજી||ટિલો|| |- |rowspan="2"|2006||ઉમરાવ જાન ||હિન્દી||ઉમરાવ જાન|| |- |ધૂમ 2 ||હિન્દી||સુનહરી||નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ (Filmfare Best Actress Award) |- |rowspan="3"|2007||ગુરુ (Guru)||હિન્દી||સુજાતા||નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ |- |પ્રોવોક્ડ (Provoked)||અંગ્રેજી/હિન્દી||કિરણજીત અહલુવાલિયા || |- |ધ લાસ્ટ ધ લાસ્ટ લીજન ||અંગ્રેજી||મીરા|| |- |rowspan="2"|2008||જોધા અક્બર (Jodhaa Akbar)||હિન્દી||જોધાબાઈ (Jodhabai)||નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ |- |સરકાર રાજ ||હિન્દી||અનિતા|| |- | rowspan="2" |2009||ધ પિન્ક પેન્થર 2 ||અંગ્રેજી||સોનિયા સોલેન્ડ્રિસ|| |- |અશોકવનમ ||તમીલ||||ફિલ્મિંગ |- | rowspan="5" |2010||રાવણ||હિન્દી||રાગિણી શર્મા|| |- |રાવાનાં |તમિલ |રાગિની સુબ્રમનિયમ |દુબડ ઇન્ટુ તેલગુ એસ વિલ્લીયન |- |એન્થિરાન |તમિલ |સાના |ડબ્ડ ઇન્ટુ તેલુગુ એસ રોબો એન્ડ હિન્દી એસ રોબોટ |- |એકશન રીપ્લે |હિન્દી |માલા | |- |ગુઝારિશ |હિન્દી |સોફિયા ડી સુઝા |શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો પુરસ્કાર નામાંકન ફિલ્મફેર |- |2015 |જઝબા |હિન્દી |અનુરાધા વરમાં | |- | rowspan="2" |2016 |સરબજીત |હિન્દી |દલબીર કૌર | |- |એ દિલ હૈ મુશ્કિલ |હિન્દી |સાબા તાલીયાર ખાન'' સંદર્ભો આ ઉપરાંત જુઓ ભારતીય ફિલ્મ અભિનેત્રીઓની યાદી (List of Indian movie actresses) બચ્ચન કુટુંબ (Bachchan Family) બાહ્ય કડીઓ શ્રેણી:૧૯૭૩માં જન્મ શ્રેણી:અભિનેત્રી શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:બોલીવુડ
ઐશ્વર્યા
https://gu.wikipedia.org/wiki/ઐશ્વર્યા
REDIRECT ઐશ્વર્યા રાય
કાજોલ
https://gu.wikipedia.org/wiki/કાજોલ
કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ: ૫ ઓગસ્ટ ૧૯૭૪), કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે. કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેમની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. અભિનેતા અજય દેવગણ સાથે કાજોલ ના લગ્ન થયા છે. કાજોલે ૧૯૯૨ની બેખુદી ફિલ્મથી અભિન્યની શરુઆત કરી હતી. ૧૯૯૩ની બાઝીગર ફિલ્મ સાથે તેને સફળતા મળી હતી. તેણીએ શાહરૂખખાન સાથે જોડી જમાવી હતી. આ જોડીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), કુછ કુછ હોતા હૈ(૧૯૯૮), ક્ભી ખુશી ક્ભી ગમ(૨૦૦૧) અને માઇ નેમ ઇઝ ખાન(૨૦૧૦) જેવી સફળ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. આ ચારેય ફિલ્મોમાં અભિનય માટે કાજોલ ને ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો "ફિલ્મફેર પુરસ્કાર" મળ્યો હતો. કભી ખુશી કભી ગમના નિર્માણ બાદ તેણે ફિલ્મ અભિનયમાંથી પાંચ વર્ષ માટે વિરામ લીધો હતો. તેણે કુણાલ કોહલીની ફના ફિલ્મ સાથે ૨૦૦૬માં અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું, અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો "શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર" મળ્યો હતો. પાંચ વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતીને તે પોતાના મરહૂમ માસી નૂતન સાથે સૌથી વધુ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતવાનો વિક્રમ ધરાવે છે. ૨૦૧૧માં ભારત સરકારે તેણીને ફિલ્મ ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતા.http://www.bollywoodhungama.com/news/2011/01/26/15264/index.html પરિવાર અને પૃષ્ઠભૂમિ કાજોલનો જન્મ મુંબઈ ખાતે મરાઠી-બંગાળી પરિવારમાં થયો હતો. તેમનાં માતા તનુજા એક અભિનેત્રી છે, જ્યારે તેમના સ્વર્ગસ્થ પિતા શોમૂ મુખરજી એક ફિલ્મ દિગ્દર્શક અને નિર્માણકર્તા હતા. સ્વર્ગસ્થ અભિનેત્રી નૂતન તેના માસી થાય, જેમની સાથે કાજોલ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર સૌથી વધુ વખત જીતવાનો (પાંચ વખત) વિક્રમ ધરાવે છે. તેમના નાની શોભના સમર્થ અને વડનાની રતન બાઈ પણ હિંદી સિનેમા સાથે જોડાયેલ હતા. તેમના કાકા જોય મુખરજી અને દેબ મુખરજી બંને ફિલ્મ નિર્માતા છે. તેમના દાદા સાશાધર મુખરજી, એક દિગ્દર્શક હતા. તેમના દાદી સતીરાની દેવી અશોક કુમાર, અનૂપ કુમાર અને કિશોર કુમારના બહેન હતાં. કાજોલનાં પિત્રાઈ રાની મુખર્જી, શરબાની મુખરજી અને મોનીશ બેહલ પણ બોલિવુડ અભિનેતા છે; જ્યારે તેમનો પિત્રાઈ અયાન મુખરજી એક દિગ્દર્શક છે. કાજોલની નાની બહેન તનીષા મુખરજી પણ એક અભિનેત્રી છે. કાજોલે ફેબ્રુઆરી ૨૪, ૧૯૯૯ના રોજ બોલિવુડ અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યાં. દંપતિને બે બાળકો છે, એક ન્યાસા (૨૦૦૩માં જન્મ) નામની દીકરી અને યુગ (૨૦૧૦માં જન્મ) નામનો દીકરો. કાજોલના પિતા હ્રદયરોગનો હુમલો આવતાં એપ્રિલ ૧૦, ૨૦૦૮ના રોજ સ્વર્ગવાસી થયા. તેમની અંતિમક્રિયા તે જ દિવસે રાખવામાં આવી અને અનેક બોલિવુડ હસ્તીઓએ હાજરી આપી. કારકિર્દી કાજોલે પોતાની પંચગીની ખાતેની સેંટ. જોસેફ શાળા છોડી અને ૧૭ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મ ૧૯૯૨માં આવેલી બેખૂદી હતી જે એક નિષ્ફળ ફિલ્મ હતી. ૧૯૯૩માં દિગ્દર્શક જોડી અબ્બાસ-મસ્તાનની બાઝીગર ફિલ્મથી તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયાં; જે તેમની બીજી ફિલ્મ હતી. ફિલ્મમાં તેમના સહકલાકાર શાહરૂખ ખાન હતા જેમની સાથે આગળ જતાં કાજોલે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની જોડીએ આપેલ તમામ ફિલ્મો સફળ પૂરવાર થઈ. ૧૯૯૪નાં વર્ષની તેમની પ્રથમ ફિલ્મ ઉધાર કી ઝીંદગી નિષ્ફળ રહી હતી. પણ ફિલ્મમાં તેમના અભિનયને કારણે તેમને બીએફજેએ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત કરાયા. તેમની આગામી ફિલ્મ યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત યે દિલ્લગી હતી. આ ફિલ્મમાં તેમના સપના, એક મજબૂત મનોબળવાળી કલ્પનાશીલ છોકરી જે પોતાના માબાપને છોડીને મોટા શહેરમાં પોતાના ભવિષ્ય માટે જાય છે; તરીકેના અભિનય માટે તેમને પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન થયું. ૧૯૯૫નાં વર્ષમાં કાજોલે ભારતની તે વર્ષની સૌથી સફળ બે ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની પ્રથમ ફિલ્મ રાકેશ રોશનની કરન અર્જુન હતી. ફિલ્મ જે પુનર્જન્મ સાથે સંકળાયેલ હતી તેણે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરી. જોકે તેમની તે વર્ષની આગામી ત્રણ ફિલ્મો નિષ્ફળ રહી, પરંતુ આદિત્ય ચોપરાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માત્ર તે વર્ષની જ સૌથી સફળ ફિલ્મ નહોતી પરંતુ હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું. ૨૦૦૮માં તે ફિલ્મ મુંબઈના ફિલ્મ થિયેટરોમાં તેના ૧૨મા વર્ષમાં પ્રવેશી અને તેણે ૧૦ અબજ રૂપિયાની કમાણી કરી. જે બોલીવુડના ઈતિહાસમાં સૌથી વધુ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ ખૂબ જ મોટી સફળતા મેળવી હતી અને તે દસ ફિલ્મફેર એવોર્ડ જીતી. કાજોલનું યુવા એનઆરઆઈ તરીકેનું પાત્ર જે શાહરૂખ ખાનના પ્રેમમાં પડે છે તેની ખૂબ જ સરાહના થઈ અને તેના માટે કાજોલને પ્રથમ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૨૦૦૫માં ઈન્ડિયાટાઈમ્સે તેને ૨૫ જોવા જેવી ફિલ્મોમાં સ્થાન આપ્યું અને તેને "તે પ્રકારની ફિલ્મો માટે ચીલો ચાતરનાર" ગણાવી. તે જ વર્ષે રેડિફ દ્વારા પાછળથી કરવામાં આવતી સમીક્ષામાં જણાવ્યું કે આદિત્ય ચોપરાએ બુદ્ધિપૂર્વક સિમરનના પાત્ર માટે કાજોલને પસંદ કરેલ, શરૂઆતની વધુ પડતી વિનયી અને આનાકાની કરતી સિમરન કરતાં કાજોલે સાચા જીવન જેવી જીંદાદિલી અને ભોળપણ ભરેલ અભિનય આપ્યો. અહિં પડદા પર જમાવટ ધરાવતી જોડી જે દંતકથા સમાન છે તેનો ઉલ્લેખ કરવો જ રહ્યો. ૧૯૯૬માં કાજોલની બમ્બઈ કા બાબુ નામે એક જ ફિલ્મ જાહેર થઈ. જેમાં તેણી સૈફ અલી ખાન વિરુદ્ધ હતી અને તે નિષ્ફળ ફિલ્મ રહી હતી. ૧૯૯૭માં કાજોલ ગુપ્ત નામની ફિલ્મમાં ચમકી જેમાં સાથી કલાકાર તરીકે બોબી દેઓલ અને મનીષા કોઈરાલા હતા. ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. તે સિવાય, તેણીનો અભિનય બોલીવુડની મહિલા અભિનેત્રીઓ માટે નોંધપાત્ર ઘટના હતા, તેણી નકારાત્મક પાત્ર માટેનો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કલાકાર હતી. તે વર્ષે તેણીની આગામી ફિલ્મ હમેશા હતી. કરન અર્જુનની જેમ તેમાં પણ પુનર્જન્મની કથા હતી પણ તે નિષ્ફળ સાબિત થઈ હતી. તેની આગામી ફિલ્મ મીન્સારા કનાવૂ હતી જે તેણીની પ્રથમ તામિલ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે કાજોલને તેમનો દક્ષિણના ફિલ્મફેર પુરસ્કારનો એકમાત્ર ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર (દક્ષિણ) મળ્યો. તે વર્ષની તેણીની આખરી ફિલ્મ ઈશ્ક નામની ભાવનાત્મક ફિલ્મ હતી. તે ફિલ્મમાં તેણે તેના ત્યારના ભાવિ પતિ અજય દેવગણ સાથે જોડી જમાવી હતી. તે સફળ ફિલ્મ રહી હતી. કાજોલને વધુ સફળતા ૧૯૯૮ દરમિયાન મળી, કારણ કે તે વર્ષની સૌથી સફળ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. તે શરૂઆતમાં સલમાન ખાન સાથે રમૂજી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં ચમકી. આ ફિલ્મ તે વર્ષની ચોથી સૌથી સફળ ફિલ્મ હતી. તેની આગલી ફિલ્મ સંજય દત્ત સાથેની દુશ્મન હતી અને તે મધ્યમ સફળ રહી હતી. તે ફિલ્મમાં બેવડી ભૂમિકામાં હતી અને આ માટે તેણીને પ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો સ્ટાર સ્ક્રિન પુરસ્કાર મળ્યો. તેની ત્યારપછીની ફિલ્મ અજય દેવગણ સાથેની પ્રેમકથા પ્યાર તો હોના હી થા હતી, જે તે વર્ષની બીજા ક્રમની સૌથી સફળ ફિલ્મ હતી. જોકે તે વર્ષની સૌથી સફળ ફિલ્મ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ હતી, જેમાં તેણી શાહરૂખ ખાન સાથે હતી અને તે ફિલ્મ ભારત અને વિદેશમાં સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી. તેણીએ અંજલી નામની એક કોલેજની યુવા વિદ્યાર્થિનીનો પાઠ ભજવ્યો જે પોતાના સૌથી નજીકના મિત્રને છૂપી રીતે પ્રેમ કરે છે, ઘણા વર્ષોથી વિખૂટા પડી ગયા બાદ તેના મિત્રની પત્નીના અવસાન બાદ તેમનો ફરીથી મેળાપ થાય છે. આ માટે તેણીનો બીજો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. ૧૯૯૯માં કાજોલની પ્રથમ ફિલ્મ દિલ ક્યા કરે હતી. તેણે નંદીતા રાય નામના સહાયક પાત્રનો ભાગ ભજવ્યો હતો જેનાં ઘણા વખાણ થયાં હતાં. તેણીની બીજી ફિલ્મ હમ આપ કે દિલ મેં રહેતે હૈં સફળ રહી હતી. તેમાં તેણીએ અનિલ કપુર સાથે કામ કર્યું હતું, જેના માટે તેને ફરી એક વાર ફિલ્મફેર પુરસ્કારમાં નામાંકન મળ્યું હતું. ૨૦૦૦નું વર્ષ તેણીને માટે નિષ્ફળ રહ્યું હતું. રાજુ ચાચા તેણીની એકમાત્ર ફિલ્મ નિષ્ફળ રહી હતી. કાજોલની માત્ર બે ફિલ્મ ૨૦૦૧માં જાહેર થઈ. કુછ ખટ્ટી કુછ મીઠીમાં તેણે બેવડી ભૂમિકા ભજવી હતી જે નિષ્ફળ રહી હતી. જોકે તેણીએ સફળતા કરન જોહર દિગ્દર્શિત ફિલ્મ કભી ખુશી કભી ગમ દ્વારા પાછી મેળવી હતી. તે ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હતી અને વિદેશમાં ૨૦૦૬ સુધી તેણે સૌથી વધુ કમાણીનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. કાજોલનું પાત્ર અંજલી દિલ્હી ખાતે ચાંદની ચોકમાં વસતી એક પંજાબી યુવતીનું હતું, જે પૈસાપાત્ર રાહુલના પ્રેમમાં પડે છે જે પાત્ર શાહરુખ ખાન દ્વારા ભજવાયું હતું. તેણીના અભિનયના પ્રતાપે તેને ઘણા પુરસ્કારો મળ્યા. તેમાં તેણીનો ત્રીજો ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર અને બીજો સ્ટાર સ્ક્રિન શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર સામેલ છે. વિવેચક તરણ આદર્શે લખ્યું કે, "કાજોલ પરંપરાગત રીતે ચાંદની ચોકમાં વસતા લોકોના પાત્રમાં સર્વોચ્ચ છે. તેણીની પંજાબી બોલીએ ખૂબ જ પ્રસંશા મેળવી." ધ હિન્દુ જણાવે છે કે wrote, "Kajol -- in only her second appearance this year, the first one being in a double role in ``Kajol ... steals the thunder from under very high noses indeed. With her precise timing and subtle lingering expression, she is a delight all the way." This was Kajol's last collaboration with Khan until they would be cast again by Johar as a lead pair in early 2010. Following the success of Kabhi Khushi Kabhie Gham, Kajol took a sabbatical from full-time acting for five years. She gave birth to her daughter Nysa in 2003. She made a successful comeback in 2006 with Kunal Kohli's drama Fanaa, one of the highest grossing films of the year. Portraying a blind Kashmiri girl who falls in love with a Kashmiri terrorist (played by Aamir Khan) in the film, she won her fourth Filmfare Best Actress Award. U, Me aur Hum, which released on 11 April 2008, marked her husband Ajay Devgan's directorial debut. For her performance in the film, she received her tenth Filmfare Best Actress Award nomination. Raja Sen wrote in his review, "... Kajol ... can span through happy-breezy with her eyes closed, and so the first half doesn't even pose her a challenge, but when Alzheimer's strikes Piya and she begins to forget all that matters in her life, Kajol raises the bar strikingly high."http://www.rediff.com/movies/2008/apr/11hum.htm Kajol was recently seen alongside Shahrukh Khan in Karan Johar's drama My Name Is Khan, which is based on a true story, against the backdrop of perceptions on Islam post 11 September. Filming commenced in December 2008 in Los Angeles and ended in October 2009. Upon release, the film received positive reviews from critics and became the highest-grossing Bollywood film of all time in the overseas market. Kajol's portrayal of a single mother who marries a Muslim autistic man was well-received, with Rajeev Masand writing, "Bringing emotional depth to what is essentially Rizwan's story, Kajol is immensely likeable as Mandira, using her eyes to convey volumes, topping the performance off with a powerful breakdown scene that literally puts her through the wringer." Kajol won her fifth Best Actress award at the Filmfare, a record which she shares with her late aunt, actress Nutan. She next starred alongside Kareena Kapoor and Arjun Rampal in We Are Family, an Indian adaptation of the Hollywood movie Stepmom (1998). Directed by Siddharth Malhotra, Hindustan Times critic Mayank Shekhar stated, "The premise is stuff dry tissues are made for. Yet, the pathos here is produced not from moments, but from performances alone: a stunning Kajol’s in particular. She appears superior to Susan Sarandon, I suspect." Her next film, Toonpur Ka Superhero, a live-action/animated film, was released in December 2010.http://www.toonpur.com/ માધ્યમોમાં ૨૦૦૫માં તેણીએ અમિતાભ બચ્ચન દ્વારા ચલાવાતા ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. તેણે પતિ અજય દેવગણ સાથે જોડી બનાવી હતી. તેઓ ૧ કરોડ રૂપિયા જીત્યા હતા અને તેને ચેન્નઈ ખાતેની કેન્સર હોસ્પિટલમાં દાનમાં આપ્યા હતા. કાજોલ ઈન્ડિયન આઈડોલની પહેલી તેમજ બીજી સિશનમાં મહેમાન નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા.http://www.bollywoodhungama.com/news/2006/04/12/6989/index.html તેણીએ કરન જોહરના કાર્યક્રમ કોફી વીથ કરનમાં શાહરૂખ ખાન સાથે પ્રથમ હપ્તામાં ભાગ લીધો હતો. તેણીએ પ્રથમ સિશનના અંતિમ હપ્તામાં પણ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે હાજરી આપી હતી. આ જ કાર્યક્રમની બીજી સિશનનો પ્રથમ હપ્તાની શરૂઆત કુછ કુછ હોતા હૈના કલાકારોના પુનઃમિલનથી થયો હતો. પોતાના દિગ્દર્શક તરીકેની શરૂઆતના એક દાયકા બાદ કરન જોહરે તેણીને શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે આમંત્રિત કર્યા હતા. તેણીએ અભિનેત્રી પ્રિતી ઝિંટા સાથે ફેશન વિક ૨૦૦૬માં મનીષ મલ્હોત્રાના ફેશન શો ફ્રીડમમાં મોડેલિંગ કર્યું હતું અને રેમ્પ પર વોક કર્યું હતું. ૨૦૦૬માં બોલિવુડના મહાન કલાકારોના નામ હેઠળ ચાર લઘુ મૂર્તિઓ રજૂ કરાઈ જેમાં પ્રિયંકા ચોપરા, ઋત્વિક રોશન અને શાહરૂખ ખાન સાથે ચોથી મૂર્તિ કાજોલની હતી.http://www.bollywoodhungama.com/features/2006/09/18/1581/index.html ૨૦૦૮માં તેણી, તેણીના પતિ અજય દેવગણ અને તેણીના માતા તનુજા ટીવી કાર્યક્રમ રોક એન' રોલ ફેમિલીમાં નિર્ણાયક મંડળના સભ્યો હતા.http://www.bollywoodhungama.com/features/2008/04/01/3730/index.html ઓક્ટોબર ૨૦૦૯માં વોગ ઈન્ડિયાની ખાસ વર્ષગાંઠ આવૃત્તિમાં શાહરૂખ ખાન સાથે તેણીએ હાજરી આપી હતી.http://www.bollywoodhungama.com/features/2009/09/26/5529/index.html સામાજિક કાર્યો બ્રિટન ખાતે આવેલ લૂમ્બા ટ્રસ્ટ કે જે વિધવાઓના બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે તેના ગુડવિલ એમ્બેસેડર હોવાની સાથે, કાજોલ શિક્ષા નામના બિનસરકારી સંગઠન સાથે પણ કામ કરે છે.www.bollywoodhungama.com/news/2008/10/06/11990/index.html તેણીને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ કર્મવીર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જે એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે જે પોતાના વ્યવસાયથી અલગ અને આગળ પડીને સમાજીક સમસ્યાઓના નિવારણ માટે કાર્ય કરે છે.http://www.bollywoodhungama.com/news/2008/11/25/12233/index.html પુરસ્કારો ફિલ્મોની યાદી વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા અન્ય નોંધ ૧૯૯૨ બેખૂદી રાધિકા ૧૯૯૩ બાઝીગર પ્રિયા ચોપરા ૧૯૯૪ ઉધાર કી ઝીંદગી સીતા યેહ દિલ્લગી સપના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર ૧૯૯૫ કરન અર્જુન સોનિયા સક્સેના તાકત કવિતા હલચલ શર્મિલી ગુંડારાજ રીતુ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સિમરન સિંઘ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર ૧૯૯૬ બમ્બઈ કા બાબુ નેહા ૧૯૯૭ ગુપ્ત:ધ હિડન ટ્રુથ ઈશા દિવાન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર હમેશા રાની શર્મા/રેશમા મીનસારા કાણાવૂ પ્રિયા અમલરાજ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર દક્ષિણ તામિળ ફિલ્મ ઈશ્ક કાજલ ૧૯૯૮ પ્યાર કિયા તો ડરના ક્યા મુશ્કાન ઠાકુર ડુપ્લિકેટ ખાસ હાજરી દુશ્મન સોનિયા/નૈના સહેગલ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર પ્યાર તો હોના હી થા સંજના નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર કુછ કુછ હોતા હૈ અંજલી શર્મા વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર ૧૯૯૯ દિલ ક્યા કરે નંદિતા રાય હમ આપકે દિલ મેં રહેતે હૈં મેઘા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર હોતે હોતે પ્યાર હો ગયા પિન્કી ૨૦૦૦ રાજુ ચાચા અન્ના 2001 કુછ ખટ્ટી કુછ મીઠી ટીના/સ્વીટી ખન્ના જોડિયો અભિનય કભી ખુશી કભી ગમ અંજલી શર્મા રાયચંદ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર ૨૦૦૩ કલ હો ના હો Maahi Ve ગીતમાં ખાસ હાજરી 2006 ફના ઝુની અલી બૈગ વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર કભી અલવિદા ના કહેના Rock N Roll Soniye ગીતમાં ખાસ હાજરી ૨૦૦૭ ઓમ શાંતિ ઓમ પોતે Deewangi Deewangi ગીતમાં ખાસ હાજરી 2008 યુ, મી ઔર હમ પીયા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર હાલ-એ-દિલ Oye Hoye ગીતમાં ખાસ હાજરી રબ ને બના દિ જોડી Phir Milenge Chalte Chalte ગીતમાં ખાસ હાજરી ૨૦૦૯ વિઘ્નહર્તા શ્રી સિદ્ધિવિનાયક પોતે ખાસ હાજરી 2010 માય નેમ ઈઝ ખાન મંદિરા ખાન વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર વી આર ફેમિલી માયા ટુનપુર કા સુપર હીરો પ્રિયા 2012સ્ટુડન્ટ ઓફ ધ યરપોતાની ભૂમિકામાંગીતમાં ખાસ દેખાવ "ડિસ્કો સોંગ"2015દિલવાલેમીરા દેવ મલિકશ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:બોલીવુડ શ્રેણી:ભારતીય અભિનેત્રી શ્રેણી:૧૯૭૪માં જન્મ
રાની મુખર્જી
https://gu.wikipedia.org/wiki/રાની_મુખર્જી
રાની મુખર્જી (જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૮), એક ભારતીય અભિનેત્રી છે. તે બૉલીવૂડ ફિલ્મો માં કામ કરે છે. રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે. તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત (૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા હૈ રાની માટે ઘણી સારી સાબિત થઇ. તેના કુછ કુછ હોતા હૈ ના અભિનય માટે તેને "ઉપભુમિકા માં શ્રેષ્ઠ અભિનેત્રી" નો ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. કેટલીક ઠીક-ઠીક ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને ફરી ફિલ્મફૅર પુરસ્કાર મળ્યો. આ વખતે "વિવેચકની પસંદી શ્રેષ્ઠ અભિનેત્રી" તરીકે ૨૦૦ર ની ફિલ્મ સાથીયા માટે. છેલ્લે રાનીને તેની ૨૦૦૪ની ફિલ્મ હમ તુમ માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. આ સિવાય રાનીએ ચલતે ચલતે (૨૦૦૩) અને ૨૦૦૪ ના પાછલા ભાગમાં આવેલ બ્લૉક-બસ્ટર, વીર-ઝારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ બ્લૅક છે, તેમાં રાનીએ એક બહેરી-અંધ છોકરી ની ભુમિકા અદા કરી છે જેને ઘણા વિવેચકોએ તથા શ્રોતાઓએ વખાણી છે. રાની મુખર્જી શાહરૂખ ખાન સાથે દુનિયાભર માં ફરેલ સ્ટેજ-શો પ્રવાસ, ટેમ્પટેશન્સ ૨૦૦૪ નો ભાગ હતી. શ્રેણી:બોલીવુડ શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:કલા શ્રેણી:૧૯૭૮માં જન્મ
અબૅલ
https://gu.wikipedia.org/wiki/અબૅલ
REDIRECT નીલ્સ હેન્રીક અબૅલ
સીદીસૈયદની જાળી
https://gu.wikipedia.org/wiki/સીદીસૈયદની_જાળી
thumb|સીદી સૈયદની જાળી thumb|સીદી સૈયદની મસ્જીદ સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે. બાંધકામ રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે. સીદી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે. ઇતિહાસ આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી.Nawrath, E. A. (1956). Immortal India; 12 colour and 106 photographic reproductions of natural beauty spots, monuments of India's past glory, beautiful temples, magnificent tombs and mosques, scenic grandeur and picturesque cities, ancient and modern. Bombay, Taraporevala's Treasure House of Books. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું. સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેવી ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. સીદી સઈદનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો. ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ અપાયાં હતાં. સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતાં તે તેના નામે જ પ્રચલિત બની. વર્ષ ૧૯૦૦માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી. લોકપ્રિયતા અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે. છબીઓ સંદર્ભો શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:સ્થાપત્ય શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
ભૂમિતિ
https://gu.wikipedia.org/wiki/ભૂમિતિ
ભૂમિતિ ( સંસ્કૃત માં ભૂ = જમીન (અથવા સપાટી) અને મિતિ = માપ (અથવા માપવું) ) ગણિતની એક શાખા છે. ભૂમિતિના વિષયમાં જુદા-જુદા આકારોનું વિશ્લેષણ થાય છે. દુનિયામાં જોવા મળતા આકારો ના મુખ્ય ત્રણ પ્રકાર છે. સુરેખ, સમતલ અને ઘન. આ વર્ગીકરણ તેમના પરિમાણના આધારે થયેલું છે. તેઓ અનુક્રમે ૧, ૨ અને ૩ પરિમાણ ધરાવે છે. પૂર્વધારણાઓ ભૂમિતિના વિષયમાં મુખ્યતઃ પ્રમેયો સાબિત કરવામાં આવે છે. પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. ભૂમિતિની મુખ્ય પૂર્વધારણાઓ આ મુજબ છે: બિંદુની પૂર્વધારણા રેખાની પૂર્વધારણા કિરણની પૂર્વધારણા વ્યાખ્યાઓ પૂર્વધારણાઓ પછી વ્યાખ્યાઓ આવે છે. સામાન્ય રીતે ભૂમિતિના જુદાજુદા આકારોનું વિવરણ વ્યાખ્યાઓ દ્વારા અપાય છે. કેટલીક પ્રારંભિક વ્યાખ્યાઓ આ મુજબ છે: રેખાખંડ : બે બિંદુઓને જોડતા સૌથી ટૂંકા પાથ પર આવેલા બિન્દુઓના ગણને રેખાખંડ કહેવાય છે. કિરણ ખૂણો : કોઇ બે ભિન્ન કિરણ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય છે. બહુકોણ: જે બંધ આકૃતિ ખુણાઓથી રચાયેલી હોય તેને બહુકોણ કહેવાય છે ત્રિકોણ : જે બંધ આકૃતિના ત્રણ ખુણા હોય તેને ત્રિકોણ કહેવાય છે. ચતુષ્કોણ : જે બંધ આકૃતિના ચાર ખુણા હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. ચોરસ : જે બંધ આકૃતિના ચારે ચાર ખુણા ૯૦ અંશના હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. પંચકોણ : જે બંધ આકૃતિના પાંચ ખુણા હોય તેને પંચકોણ કહેવાય છે. ષટ્કોણ : જે બંધ આકૃતિના છ ખુણા હોય તેને ષટ્કોણ કહેવાય છે. અષ્ટકોણ : જે બંધ આકૃતિના આઠ ખુણા હોય તેને અષ્ટકોણ કહેવાય છે. પ્રમેય ભૂમિતિ તથા ગણિતની અન્ય શાખાઓનું કામ મુખ્યત્વે પ્રમેયો દ્વારા થાય છે. પ્રમેયમાં એક વિધાન સાબિત કરવામાં આવે છે. પ્રમેય સાબિત કરવા માટે વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ તથા પહેલા સાબિત થઇ ચુકેલાં પ્રમેયોને ઉપયોગમાં લઇ શકાય છે. કેટલાક જાણીતાં પ્રમેયો આ પ્રમાણે છે. પાયથાગોરસનું પ્રમેય કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાને સમાવતી બે બાજુઓ(a અને b)નાં માપના વર્ગનો સરવાળો તે ત્રિકોણના કર્ણ(c)ના માપના વર્ગ જેટલો થાય છે. C^2=a^2+b^2. આ પણ જુઓ ત્રિકોણમિતિ શ્રેણી:ગણિત
સુરત
https://gu.wikipedia.org/wiki/સુરત
લંડન
https://gu.wikipedia.org/wiki/લંડન
thumb|right|250px|થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય લંડન () ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે. ભૂગોળ લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને કુલ ૧,૫૮૩ ચોરસ કિલોમીટર (૬૧૧ ચો માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે. થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે. ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (૦૨૦) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટર વેને તય કરવામાં આવી છે. સ્થાનિક પરિવહન લંડનમાં ભારતની જેમ જ અને બાકીના યુરોપના દેશોથી વિપરિત એવું રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવાનું ચલણ છે. લંડનની જાહેર યાતાયાત સેવાઓ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પૂરી પાડે છે, જેમાં ભૂગર્ભિય રેલ્વે, સ્તરિય રેલ્વે, બસ અને ટ્રામ સેવાઓનો સમાવેશ થાય છે. સંદર્ભો બાહ્ય કડીઓ London.gov.uk London - British History Online શ્રેણી:ઇંગ્લેન્ડ શ્રેણી:રાજધાની
જાપાન
https://gu.wikipedia.org/wiki/જાપાન
thumb|250px|દુનિયામાં જાપાનનું સ્થાન thumb|250px જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે. જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો દેશ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો ચીન, કોરિયા અને રશિયા છે. જાપાનવાસીઓ પોતાના દેશને "નિપ્પોન" (Nippon) પણ કહે છે, જેનો અર્થ "ઊગતા સૂર્યનો દેશ" થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાનના પ્રસિદ્ધ શહેરો છે. ઇતિહાસ જાપાની લોકવાર્તાઓ અનુસાર વિશ્વ ના નિર્માતાએ સૂર્ય દેવી તથા ચન્દ્ર દેવીની પણ રચના કરી. ત્યારબાદ, તેમનો પૌત્ર ક્યૂશૂ દ્વીપ પર આવ્યો અને પછી તેમના સંતાનો હોંશૂ દ્વીપ પર ફેલાઈ ગયા. પ્રાચીન યુગ જાપાનનું પ્રથમ લેખિત પ્રમાણ ઈ. સ. ૫૭ ના એક ચીની લેખમાંથી મળે છે. તેમાં એક એવા રાજનીતિજ્ઞના ચીન પ્રવાસનું વર્ણન છે જે પૂર્વના કોઈ દ્વીપથી આવ્યો હતો. ધીમે-ધીમે બન્ને દેશો વચ્ચે રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. તે સમયે જાપાનીઓ એક બહુદૈવિક ધર્મનું પાલન કરતાં હતા. છઠ્ઠી સદીમાં ચીનમાં થઈન બૌદ્ધ ધર્મ જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને "શિંતો" નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું. શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મરે તો તેની પછીનો શાસકે પોતાની રાજધાની પહેલાથી કોઇ અલગ જગ્યાએ બનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ.સ. ૭૧૦ માં રાજાએ નૉરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૯૧૦ માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક રૂપથી જાપાનથી અલગ રહ્યો. આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન ૧૧મી સદીના અંત સુધી રહ્યું. કેટલાંક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક પેગોડાઓ નું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા. મધ્યયુગ મધ્યયુગમાં જાપાનમાં સામંતવાદનો જન્મ થયો. જાપાની સામંતોને સમુરાઇ કહેવામાં આવતા. જાપાની સામંતોએ કોરિયા પર બે વાર ચડાઈ કરી, પરંતુ તેમને કોરિયા અને ચીનના મિંગ શાસકોએ હરાવી દીધા. ૧૬મી સદીમાં યુરોપના પોર્ટુગીઝ વ્યાપારીઓ અને મિશનરીઓએ જાપાનમાં પાશ્ચાત્ય વિશ્વ સાથે સાંસ્કૃતિક તાલમેલની શરૂઆત કરી. આધુનિક યુગ ૧૮૫૪માં પહેલી વાર જાપાને પાશ્ચાત્ય દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા. પોતાની વધતી ઔદ્યોગિક ક્ષમતાના સંચાલન માટે જાપાનને પ્રાકૃતિક સંસાધનો ની જરૂર પડી જેના માટે તેણે ૧૮૯૪-૯૫માં ચીન તથા ૧૯૦૪-૦૫માં રશિયા પર ચડાઈ કરી. જાપાને રશિયા-જાપાન યુદ્ધમાં રશિયાને હરાવી દીધું. આવું પહેલી વાર થયું જ્યારે કોઇ એશિયાઈ રાષ્ટ્રએ કોઇ યુરોપિયન શક્તિ પર વિજય મેળવ્યો હોય. જાપાને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોનો સાથ આપ્યો પણ ૧૯૪૫માં અમેરિકા દ્વારા હિરોશિમા તથા નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેંકવાની સાથે જ જાપાને આત્મસમર્પણ કરી દીધું. ત્યાર પછીથી જાપાને પોતાની જાતને એક આર્થિક શક્તિના રૂપમાં સુદૃઢ કરી અને હાલમાં બધા ટેક્નોલોજિકલ ક્ષેત્રોમાં તેનું નામ અગ્રણી રાષ્ટ્રોમાં ગણાય છે. ભૂગોળ જાપાનના વિભાગો જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ ૬૮૦૦ દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત ૩૪૦ દ્વીપ ૧ ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે: હોક્કાઇદો, હોન્શૂ, શિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો ૭૬.૨% ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર ૧૩.૪% છે, ૩.૫% વિસ્તારમાં પાણી છે અને ૪.૬% જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની ૨૮% માછલીઓ બહારથી આયાત કરવી પડે છે. શાસન તથા રાજનીતિ આમ તો એમ ક્યાંય નથી લખ્યું પણ જાપાનની રાજનૈતિક સત્તાનો પ્રમુખ રાજા હોય છે. તેની શક્તિઓ સીમિત છે. જાપાનના બંધારણ અનુસાર "રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે". બંધારણ મુજબ જાપાનની સ્વતંત્રતાની કમાન જાપાનની જનતાના હાથમાં છે. વિદેશ નીતિ સૈનિક રૂપથી અમેરિકા પર નિર્ભર જાપાનના સંબંધ અમેરિકા સાથે સામાન્ય છે. સેના જાપાનનું વર્તમાન બંધારણ તેને બીજા દેશો પર સૈનિક-અભિયાન કે ચડાઈ કરવાની ના પાડે છે. અર્થતંત્ર એક અનુમાન મુજબ જાપાનમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. પરંતુ જાપાનનું અર્થતંત્ર સ્થિર નથી. અહીંના લોકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 50,000 અમેરિકન ડૉલર છે જે ખૂબ અધિક છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી જાપાન પાછલા કેટલાક દસકાઓમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી થઈ ગયું છે. સંસ્કૃતિ કેટલાક લોકો જાપાનની સંસ્કૃતિને ચીનની સંસ્કૃતિનું જ વિસ્તરણ સમજે છે. જાપાની લોકોએ કેટલીયે વિદ્યાઓમાં ચીનની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે. બૌદ્ધ ધર્મ અહીં ચીની તથા કોરિયન ભિક્ષુઓના માધ્યમથી પહોંચ્યો. જાપાનની સંસ્કૃતિની સૌથી ખાસ વાત એ છે કે અહીંના લોકો પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ રાખે છે. માર્ચ મહિનો ઉત્સવોનો મહિનો હોય છે. ધર્મ જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મ નું અનુસરણ કરે છે .અહીંનો જુનો ધર્મ શિન્તો છે, જેનો શાબ્દિક અર્થ 'દેવતાઓનો પંથ' થાય છે. ભાષા લગભગ ૯૯% જનતા જાપાની ભાષા બોલે છે. જનજીવન પોતાની જાપાન યાત્રા બાદ નિશિકાંત ઠાકુર લખે છે: આ પણ જુઓ જાપાનનો રાષ્ટ્રધ્વજ શ્રેણી:જાપાન
કાંકરિયા તળાવ
https://gu.wikipedia.org/wiki/કાંકરિયા_તળાવ
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ઇતિહાસ { "type": "FeatureCollection", "features": [ { "type": "Feature", "properties": { "marker-symbol": "circle", "marker-size": "small", "title": "નગીનાવાડી" }, "geometry": { "type": "Point", "coordinates": [ 72.601120233885, 23.006054319405 ] } }, { "type": "Feature", "properties": { "marker-symbol": "water", "marker-size": "small", "title": "કાંકરિયા તળાવ" }, "geometry": { "type": "Point", "coordinates": [ 72.601077318541, 23.007752895169 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "garden", "marker-size": "small", "title": "પતંગિયા ઉદ્યાન"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.598465562041, 23.004052869462 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "cemetery", "marker-size": "small", "title": "ડચ-આર્મેનિયન કબ્રસ્તાન"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.597306847747, 23.005731719367 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "zoo", "marker-size": "small", "title": "પ્રાણી સંગ્રહાલય"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.60290730017, 23.008891850762 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "parking", "marker-size": "small", "title": "પાર્કિંગ"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.605417847808, 23.006679766557 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "museum", "marker-size": "small", "title": "પ્રકૃતિ સંગ્રહાલય"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.604881406005, 23.005869976664 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "museum", "marker-size": "small", "title": "બાલવાટિકા"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.604645371612, 23.005277444395 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "square", "marker-size": "small", "title": "કિડ્સ સીટી"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.601469636138, 23.002729525993 ] } }, { "type": "Feature", "properties": {"marker-symbol": "circle-stroked", "marker-size": "small", "title": "માછલી ઘર"}, "geometry": { "type": "Point", "coordinates": [ 72.60065424459755, 23.00272952599284 ] } } ] } કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું. તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા. એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરીસ્થિતિમાં રહેવા પામી હતી. એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો. નવીનીકરણ રૂ. ૩૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો.Kankaria Carnival in Ahmedabad from December 25th to 31st કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો, જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું.Celebration of cultural and historical heritage of Ahmedabad ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી. આકર્ષણ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય thumb|કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે. તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો. બાલવાટિકા તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે, જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતું. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ અને પ્લે હાઉસ છે. કિડ્ઝ સીટી કિડ્ઝ સીટી નાના બાળકો માટે રચાયેલ વિશ્વ છે. ૪,૨૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિસ્તારમાં ૧૮ પ્રવૃત્તિ કેન્દ્રો છે. તેમાં બેંક,અગ્નિશામક હાઉસ,રેડિયો સ્ટેશન,પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે. અટલ એક્સપ્રેસ thumb|અટલ એક્સપ્રેસ - ટ્રેન અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે.હાલમાં આ ટ્રેન તળાવની ફરતે ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે.Kankaria toy train on way from London આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ આઇ અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે. સંદર્ભ શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:અમદાવાદ શ્રેણી:તળાવ
મહાભારત
https://gu.wikipedia.org/wiki/મહાભારત
thumb|300px|કુરુક્ષેત્રમાં કૃષ્ણ-અર્જુન, ૧૮-૧૯મી સદીમાં દોરેલું ચિત્ર. મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશ બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુધ્ધની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેેેેેરવાઈ જાય છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમા અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા (અર્થ: ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી, તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે. સમય સૂર્ય સિદ્ધાન્ત ગ્રંથ પ્રમાણે કળિયુગના આરંભ ઇ.સ. પૂર્વ ૩૧૦૨, ૧૮ ફેબ્રુઆરીએ અડધી રાત્રે (00:00) થયો હતો.The Induand the Rg-Veda, Page 16, By Egbert Richter-Ushanas, કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું. એટલે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું, એવી માન્યતા છે. મહાભારતનો સમય આર્યભટ્ટના આર્યભાટ્ટીયામ પ્રમાણેCritical Perspectives on the Mahābhārata edited by Arjunsinh K. Parmar. p.147 षष्ट्यव्दानां षष्टिर्यदा व्यतीतास्त्रयश्च युगपादा:। त्र्यधीका विंशतिरव्दास्तदेह मम जन्मनोडतीता:। "અત્યાર સુધી ત્રણ યુગ ચાલ્યા ગયા છે અને હાલમાં કળિયુગ ચાલુ છે. અત્યારે કળિયુગનું ૩૬૦૦મુ વર્ષ ચાલુ છે અને હું અત્યારે ૨૩ વર્ષનો છું." આર્યભટ્ટનો જન્મ ઇ. સ. ૪૭૬માં થયો હતો. એટલે ૩૬૦૧ (૧ વર્ષ ચાલુ) - (૪૭૬ + ૨૩)= ઇ. સ. પૂર્વ. ૩૧૦૨. કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું.Age of Bhārata War edited by Giriwar Charan Agarwala. p.74. એટલે કે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું. પરિચય સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે, યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્ એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઈ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મહાભારત' તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: "જે (વાત) અહીં (મહાભારતમાં) છે તે તમને સંસારમાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે." મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણો વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે. પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ thumb| અંગકોર વાટ ખાતે વ્યાસ માટે મહાભારત લખતા ગણેશ નુ નિરુપણ. કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલાં એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા. આ મહાકાવ્યની શરૂઆત એક નાની રચના 'જયગ્રંથ'થી થઈ છે. જો કે તેની કોઈ નિશ્ચિત તિથિ ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથિ નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં મતભેદો છે. આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુંં વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાંં ચોક્કસ પુરુ થઇ ગયું હતુ. પુસ્તક સંદર્ભ: પાંડે, સુષમિતા (૨૦૦૧). ed:ગોવિન્દ ચન્દ્ર પાંડે: "Religious Movements in the Mahabharata” (પુસ્તકઃCentre of Studies in Civilizations), નવી દિલ્હી. આઇએસબીએન ૮૧-૮૭૫૮૬-૦૭-૦. શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે. આર્યભટ્ટના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વેમાં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઈ. મોટાભાગના પૌરાણિક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઈ)ના વિકાસ થયા પહેલાંં તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે. મહાભારત: અનુપમ કાવ્ય મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર આજના ગંગાથી ઉત્તર-યમુનાની આસપાસનો દોઆબના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે. કથા મહાભારતની કથામાં એકસાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે, જેમાંની મુખ્ય કથાઓ નીચે મુજબ છે: કર્ણની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિરનો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલાંં તેને મળેલાં વરદાનની પરખ કરવાં સૂર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમાંં મૂકી નદીમાંં તરતો મૂકી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીકે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જેને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલા કોઈ પણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નહીં, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી) કપટથી ભિક્ષુક બની તેના કવચ અને કુંડળ દાનમાં માગી લીધા હતા નહિંતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને હરાવવો ઘણું અઘરું થઈ પડ્યું હોત. ભીષ્મની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુંં હતું, કારણકે, તેમના પિતા શંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. ભીમની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામીભક્તિના કારણે ઓળખાતા હતા. યુધિષ્ઠિરની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યા નહોતા અને માત્ર એક જ વખત કૃષ્ણના કારણે તેમણે જુઠ્ઠું બોલવું પડ્યું હતું. સંક્ષિપ્ત કથા ભારત દેશના સ્થાપક ભરતના વંશજ શંતનુ હસ્તિનાપુરમાં રાજ કરતા હોય છે અને તેમને ગંગાથી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતાંં શંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે. right|thumb|200px| સત્યવતી, જે માછીમાર સ્ત્રી છે, તેને પ્રસન્ન કરતા શાન્તનુ. રાજા રવિ વર્મા દ્વારા ચિત્ર. ત્યારબાદ શંતનુ માછીમારની કન્યા સત્યવતીને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસેથી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલીન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્યમાં રાજ્યનો હિસ્સો માંગે નહીંં આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે. સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞાથી બંધાયેલ ભીષ્મ તેની સાથે લગ્ન કરી શકતા નથી. ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે. સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબિકા, અંબાલિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબાલિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતાંં અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુરનો રાજા બને છે. પાંડુને બે પત્ની હતી - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન)ના રાજાની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે. કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઈ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલાંં સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો. પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યુ પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે. હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે. thumb|માછલીની આંખ વીંધતો અર્જુન, હોયશાલા સામ્રાજ્ય દ્વારા બનાવવામાં ચેન્નકેશવ મંદિર. thumb|દ્રૌપદીનું વસ્ત્રાહરણ. સંરચના આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન સભાપર્વ - મય દાનવ દ્વારા ઇન્દ્રપ્રસ્થ ભવનનું નિર્માણ. દરબારની ઝલક, દ્યૂત ક્રીડા અને પાંડવોનો વનવાસ અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન વિરાટપર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ ઉદ્યોગપર્વ- યુદ્ધની તૈયારી ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ ગીતા આવે છે) દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સૂતેલી પાંડવ સેનાનો વધ સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રીઓ દ્વારા મૃત સ્વજનો માટે શોક શાંતિપર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મનો દિશા-નિર્દેશ અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઈઓની સદ્‍ગતિનો પ્રથમ ભાગ સ્વર્ગારોહણપર્વ - પાંડવોની સ્વર્ગ યાત્રા આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપગ્રંથ હરિવંશ પણ છે જેને મહાભારતની પૂરવણી ગણવામાં આવે છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે. મહાભારતના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકેનો દરજ્જો પામેલા છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે: ભગવદ્ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વમાં અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ. નલ દમયન્તી : અરણ્યકપર્વમાં એક પ્રેમકથા. કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણની કથા. રામાયણ : અરણ્યકપર્વમાં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં. ઋષ્યશૃંગ : એક ૠષિની પ્રેમકથા. વિષ્ણુ સહસ્રનામ : વિષ્ણુનાં ૧૦૦૦ નામોનો મહિમા, શાંતિપર્વમાં. આધુનિક મહાભારત કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રહ્માંડને લગતી ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શીખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે. ૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજૂઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯માં પહેલી વાર એના પર ફિલ્મ બની જે પીટર બ્રુકે બનાવી હતી. મહાભારતનાં પાત્રો અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુદ્ધમાં વીરગતિ પામ્યો. અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી. અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન, ધૃતરાષ્ટ્રની માતા. અંબાલિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબિકા અને અંબાની બહેન, પાંડુરાજાની માતા. અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતી અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર. બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું. ભીષ્મ : મૂળ નામ દેવવ્રત, શંતનુ અને ગંગાનો પુત્ર, પોતાના પિતાના પુનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મના નામે ઓળખાયા. દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચ પાંડવોની અર્ધાંગિની હતી. ભગવાન કૃષ્ણની પરમ સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે. દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા. દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં. દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો. દુઃશાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના વાળ પકડી તેને ઢસડીને લાવ્યો હતો. એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન(પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો. ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય. ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધૃતરાષ્ટ્રની પત્ની. જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધૃતરાષ્ટ્રનો જમાઈ, જેનો અર્જુને કુરુક્ષેત્ર યુદ્ધમાં શિરોચ્છેદ કર્યો હતો. કર્ણ : સૂર્યદેવના આહ્વાનથી કુંતીએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રના નામે પણ તે ઓળખાયો. કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં. કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીના આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો. કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભૂમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે. પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ)વાળા રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથીઓના ગુરુ હતા, વિષ્ણુના એક અવતાર જેણે પૃથ્વીને ૨૧ વખત ક્ષત્રિયવિહોણી કરી હતી. શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા. ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની. મહર્ષિ વ્યાસ : મહાભારતના રચયિતા, પરાશર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણ વર્ણના હતા અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો ધૃતરાષ્ટ્ર : કૌરવોના પિતા તથા મહાભારતના યુદ્ધ સમયે હસ્તિનાપુરના રાજા. કુંતી/પૃથા: પાંડવોની માતા. ઘટોત્કચ : ભીમ અને હિડિંબાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું. તે બાણ કર્ણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો. બર્બરીક : ઘટોત્કચનો પુત્ર. કુરુ વંશવૃક્ષ સંજ્ઞાસૂચિ પુરુષ: ભૂરી કિનારી સ્ત્રી: લાલ કિનારી પાંડવો: લીલું ચોકઠું કૌરવો: પીળું ચોકઠું નોંધ ક : શંતનુ કુરુ વંશનો રાજવી હતો, તેનાં પૂર્વજ કુરુનાં નામે આ વંશ ઓળખાયો. તેનાં લગ્ન ગંગા સાથે અને પછી સત્યવતી સાથે થયેલાં. ખ : પાંડુ અને ધૃતરાષ્ટ્ર વિચિત્રવિર્યના મૃત્યુ બાદ વ્યાસ દ્વારા જન્મેલા પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ વ્યાસ વડે અનુક્રમે અંબિકા, અંબાલિકા અને દાસીની કુખે જન્મેલા પુત્રો હતા. ગ : કર્ણ કુંતીના પાંડુ સાથે લગ્ન થયા તે પહેલા સૂર્ય દેવ દ્વારા જન્મ્યો હતો. ઘ : યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પાંડુના પુત્રો તરીકે જાણીતા છે પરંતુ તે બધા જ કુંતીએ વિવિધ દેવોનું આવાહન કરીને મેળવેલા હતા. તે પાંચે ભાઈઓના લગ્ન દ્રૌપદી સાથે થયા હતા (દ્રૌપદી ઉપરની વંશાવલીમાં દર્શાવવામાં આવી નથી). ચ : દુર્યોધન અને તેના સગા બહેન-ભાઈઓ એક જ સમયે જન્મ્યા હતા. તેઓ તેમના પિતરાઈ પાંડવોના સમવયસ્ક જ હતા. ભારતની બહાર મહાભારત ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં પણ મહાભારતનુ સ્થાનિક સંસ્કરણ છે. ઇંડોનેશિયામાં આ કાવી ભાષામાં છે. સંદર્ભ અને ટીકા બાહ્ય કડીઓ ગુજરાતીમાં મહાભારત-ઓન લાઈન-ફ્રી સ્વર્ગારોહણ - મહાભારતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં, પાત્રોનો પરિચય, તથા સંપૂર્ણ મહાભારત ગ્રંથ સંસ્કૃતમાં PDF સ્વરૂપે મહાભારત વિષે સંદર્ભ સાહિત્ય સંસ્કૃત મહાભારત - જે લેખિત અને શ્રાવ્ય રૂપમાં ડાઉનલોડ કરી શકાય તેમ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પણ ઉપલબ્ધ છે. મહાભરત ઑનલાઇન ઇલેક્ટ્રોનિક ગ્રંથ ઑનલાઇન મહાભારત કિસરી મોહન ગાંગુલીએ અનુવાદ કરેલું મહાભારત (સૌ પ્રથમ અંગ્રેજી અનુવાદ, જે આજે પણ સંદર્ભ સાહિત્ય તરિકે ગણતરીમાં લેવાય છે) at sacred-texts.com at bharatadesam.com અંગ્રેજીમાં મહાભારતનાં ૧૮ પર્વો મહાભારત વિષયક અન્ય લેખો મહાભારત અને સિંધુ-સરસ્વતિ પરંપરા, સુભાષ કાક દ્વારા લિખિત એક લેખ (pdf) ચિત્રપટ ધ મહાભારત ૧૯૮૯, પિટર બ્રુક દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ. કલયુગ ૧૯૮૦, શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ જેમાં આધુનિક સમયમાં એક ધબકતા ઉદ્યોગનાં બે વારસદાર કુટુંબો વચ્ચેનો સંઘર્ષ મહાભારતનાં સંદર્ભમાં કટાક્ષમય રીતે રજુ કરવામાં આવ્યો છે. મહાભારતનાં ૧૮ પર્વો સંસ્કૃત-દેવનાગરીમાં. આ પણ જુઓ રામાયણ શ્રેણી:ધર્મ શ્રેણી:ઇતિહાસ શ્રેણી:ધાર્મિક સાહિત્ય
ભાવનગર જિલ્લો
https://gu.wikipedia.org/wiki/ભાવનગર_જિલ્લો
thumb|200px|right|સૌરાષ્ટ્રના જિલ્લાઓ ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે. ઇતિહાસ બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું, જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા. તાલુકાઓ ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે. ઉમરાળા ગારીયાધાર ઘોઘા જેસર તળાજા પાલીતાણા ભાવનગર મહુવા વલ્લભીપુર સિહોર જોવાલાયક સ્થળો ધાર્મિક સ્થળો પાલીતાણા - શેત્રુંજીનાં જૈન દેરાસરો શ્રી નિષ્કલંક મહાદેવ શ્રી ખોડિયાર મંદિર, રાજપરા બગદાણા ભગુડા પર્યટન સ્થળો અલંગ - જહાજ તોડવાનું કારખાનુ મહુવા - સૌરાષ્ટ્રનું કાશ્મીર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ગોપનાથ હાથબ બોરતળાવ શિહોર - જૂનું કાશી મસ્તરામધારા ભવાની દરિયા કિનારો મહુવા લોકમેળાઓ ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો શીતળાદેરીનો મેળો શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો માળનાથ મહાદેવનો મેળો ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી. જે જમૈકા દેશની વસ્તી અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે. ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો. ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે. ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે . ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે. પરિવહન ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે. રાજકારણ વિધાન સભા બેઠકો |} સંદર્ભ બાહ્ય કડીઓ ભાવનગર જિલ્લા પંચાયતની વૅબસાઇટ જિલ્લા કલેક્ટરશ્રીની સત્તાવાર વૅબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
ભાવનગર
https://gu.wikipedia.org/wiki/ભાવનગર
ભાવનગર ( ) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે. ઈતિહાસ સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલેનવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું. હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે. ભાવનગર રજવાડાના સ્વાતંત્ર્યસેનાનીઓ બળવંતરાય મહેતા જાદવજીભાઈ મોદી જગુભાઈ પરીખ નાનાભાઈ ભટ્ટ ગુણવંતભાઈ પુરોહિત અખીલેશ્વરીબેન મહેતા ગજાનન પુરોહિત રાજાભાઈ લખાણી પૃથ્વીસિંહ આઝાદ તારાબહેન મોદક ગિજુભાઈ બધેકા મૂળશંકર ભટ્ટ વર્તમાન ભાવનગર શહેર વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે. thumb|ભાવનગર હવાઇ મથક thumb|અલંગમાં ૧૯૯૭ના વર્ષ દરમ્યાન ભાંગવા માટે લવાયેલું Princess Marguerite નામનું કેનેડીયન જહાજ હવાઈમથક રેલ્વે મથક જુના બંદર નવા બંદર અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ કેન્દ્રિય ક્ષાર અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંથાન કલાનગરી ૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે. જોવા લાયક સ્થળો <ol start="1"> નિલમબાગ પેલેસ ભાવવિલાસ પેલેસ ગૌરીશંકર તળાવ ગંગા દેરી ગંગા જળીયા તળાવ <ol start="6"> મોતિબાગ ટાઉન હોલ ગાંધી-સ્મૃતિ સરદાર-સ્મૃતિ શ્રી તખ્તેશ્વર મહાદેવ વિક્ટોરિયા પાર્ક <ol start="11"> બાર્ટન પુસ્તકાલય શામળદાસ કોલેજ આયુર્વેદ કોલેજ શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર હવામાન સંદર્ભ બાહ્ય કડીઓ ભાવનગર જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઇટ ભાવનગર તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઇટ ભાવનગર જિલ્લાની અધિકૃત વેબસાઇટ જિલ્લા કલેક્ટરશ્રીની સત્તાવાર વૅબસાઇટ શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ભાવનગર જિલ્લો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો
બોર તળાવ
https://gu.wikipedia.org/wiki/બોર_તળાવ
REDIRECT ગૌરીશંકર તળાવ
ગૌરીશંકર તળાવ
https://gu.wikipedia.org/wiki/ગૌરીશંકર_તળાવ
ગૌરીશંકર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ તળાવનું બાંધકામ ૧૮૭૧માં શરૂ કરવામાં આવ્યું જે ૧૮૭૨માં પુર્ણ થયું હતુ . વિગત thumb|મહાનગરપાલીકાનું ચેતવણી આપતું પાટીયું. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. આ તળાવને કીનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ આવેલા છે. તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે. આ તળાવમાં ન્હાવાની, કપડા ધોવાની કે માછીમારી કરવાની મનાઈ રજવાડાના વખતથી અમલમાં છે. કૈલાશ વાટીકા કૈલાશ વાટીકા કે બાલ વાટીકા એ ગૌરીશંકર તળાવની બાજુમાં બાળકોને માટે રમત ગમત માટેનું ઉદ્યાન છે. થાપનાથ મહાદેવ thumb|તળાવ કાઠે આવેલું થાપનાથ મહાદેવનું મંદિર થાપનાથ મહાદેવ એ ગૌરીશંકર તળાવના કિનારે આવેલું ભગવાન શંકરનું મંદિર છે. શ્રાવણ મહીનાના દરેક સોમવારે થાપનાથ મહાદેવના પરીસરમાં લોક-મેળો ભરાય છે. ભીકડાની કેનાલ માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. ગૌરીશંકર તળાવના બાંધકામની સાથે જ માલેશ્રી નદીના આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને ભીકડા ગામ પાસે રોકીને નહેર દ્વારા આ તળાવ તરફ વાળવામાં આવ્યું છે. ભાવનગરના દિર્ઘદ્રષ્ટા રાજવીઓ એ એવી વ્યવસ્થા કરાવી છે કે ગૌરીશંકર તળાવ ભરાઇ જાય એટલે નહેરમા પાણી આવતું અટકાવી શકાય જેથી ભાવનગર શહેર પર ક્યારેય પુરની આફતના આવે. જો ભુલેચુકે પણ વહેણ બદલવાનું રહી જાય તો પણ વધારાનું પાણી "વૅસ્ટ વીયર" દ્વારા કંસારાના નાળા વાટે શહેર પર આફત બન્યા વગર દરિયામાં વહી જાય તેવું પણ આયોજન અહીંયા છે. વેસ્ટ વિઅર અને કંસારાનું નાળું ગૌરીશંકર તળાવના એકદમ દક્ષીણ ભાગ પર આવેલા બંધને વેસ્ટ વિઅર કહે છે. તળાવ ભરાઇ જાય ત્યારે તેમાંથી છલકાતું પાણી કાળવી બીડ, સુભાષનગર, આનંદનગર વગેરે વિસ્તારમાંથી પસાર થતા અને કંસારાના નાળા તરીકે ઓળખાતા નાળા દ્વારા દરીયા તરફ વાળવામાં આવેલ છે. આ નાળા પર નવા બંદર રોડ, સુભાષનગર, સરદારનગર અને તળાજા રોડ એમ ચાર જગ્યાએ પુલ બાંધવામાં આવ્યા છે. સંદર્ભ શ્રેણી:તળાવ શ્રેણી:ભાવનગર
તખ્તેશ્વર મહાદેવ
https://gu.wikipedia.org/wiki/તખ્તેશ્વર_મહાદેવ
શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે. તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે. મંદિર સાથે સંકળાયેલી કથા ભાવનગર રજવાડાના તખ્તસિંહ ગોહીલ યાત્રા પરથી પરત ફર્યા બાદ એમણે એક સંતના આદેશથી નર્મદા નદીના કીનારેથી શિવલીંગ મગાવીને આ મંદિર બનાવરાવ્યું હોવાનું કહેવાય છે. સંદર્ભ શ્રેણી:ભાવનગર શ્રેણી:ગુજરાતનાં શિવાલયો
એશિયાઇ સિંહ
https://gu.wikipedia.org/wiki/એશિયાઇ_સિંહ
એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાન થી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે. 300px|left|thumb|સિંહણ thumb|વૃક્ષ પર પેશાબ કરીને એશિયાટિક સિંહ તેના પ્રદેશને ચિહ્નિત કરે છે વર્તણૂક આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે. જેમાંથી એક કે બે બચ્ચાઓ પુખ્ત વયના થાય છે. પુખ્ત વયના નર નું વજન 190 કિલોગ્રામ અને તેમની લંબાઈ 180- 205 સેન્ટિમીટર સુધી હોય શકે છે, જયારે માદા નું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160- 185 સેન્ટિમીટર સુધી હોય શકે છે. આ પ્રાણી નું વજન વધુ હોવાથી થોડા સમય માટે તે 80 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ સુધી દોડી શકે છે. ઘણી પ્રાચીન સભ્યતાઓ ના અવશેષો માં સિંહના ચિત્રો મળી આવ્યા હોવાને કારણે એવું માની શકાય છે કે આ જાતિ હજારો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. નર સિંહ ના ગળા ની આસપાસ લાંબા વાળ જોવા મળે છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જયારે માદા સિંહ માં આ વાળ જોવા મળતા નથી. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫. સિંહ બિલાડી પ્રજાતિ નું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથ માં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચા નો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવર નો શિકાર કરવો વધુ પસંદ કરે છે જેમકે શિયાળ, હરણ, કાળીયાર, સાબર વગેરે. સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે. સિંહ-માનવી વચ્ચે અસ્તિત્વ સંઘર્ષ ભેંસાણ તાલુકાનાં જંગલની હદ પર આવેલા નાના એળા સામપરા ગામનાં ખેત મજૂરી કરતા હંસાબેન જેરામભાઈ ધામેચા (ઉ.વ.૪૨) આઠ મહિલાઓ સાથે સીમમાં ચણીયાબોર વીણવા ગયા હતાં ત્યારે અચાનક એક સિંહણ તેઓની સામે ચડી આવી હતી અને ઉભેલી મહિલાઓ પર હુમલો કર્યો હતો. જેમાં હંસાબેન ધામેચા સિંહણના પંજામાં આવી ગયા હતાં. તેમને સિંહણ ઢસડી બાજુના ખેતરમાં લઈ જઈ ત્યાં તેને દાંત તથા નહોર ભરાવી મોતને ઘાટ ઉતાર્યા હતાં. રેવન્યુ વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી મહિલાના પરિવારજનોને વળતર મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા હાટીના તાલુકાના ચુલડીની સીમમાં બાબરા વીડીના ઘાસ કાપવાના કામ માટે આવેલા અને નાજાભાઈ દેસાભાઈની વાડીમાં ઝુંપડા બાંધી રહેતા દાહોદના શ્રમિક પરિવારનો રૂમાલભાઈ ડામોર (ઉ.વ.૬) નામનો બાળક કુદરતી હાજતે ગયો હતો. ત્યારે ત્યાં એક સિંહે આ બાળકને જોઈ તેના પર હુમલો કરીને ભક્ષણ કરી ગયો હતો. જાફરાબાદ નજીકના દરીયાકિનારે સિંહ આવી ચડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આથી સિંહ ગભરાઈને દરીયામાં ઉતરી જાફરાબાદ દીવાદાંડી સુધી તરીને પહોચીં ગયો હતો . વસતી ઇ.સ. ૨૦૨૦ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૬૭૪ છે.નવગુજરાત સમય, પાનાનં ૧૨ ૨૦૨૦ પ્રમાણે સંખ્યા નર સિંહ ૧૬૧ માદા, સિંહણ ૨૬૦ સિંહબાળ ૨૫૩ કુલ ૬૭૪ ઇ.સ. ૨૦૧૫ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા પ્રમાણે ગિરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસતી ૫૨૩ હતી. ૨૦૧૫ પ્રમાણે સંખ્યા નર સિંહ ૧૦૯ માદા, સિંહણ ૨૦૧ સિંહબાળ ૨૧૩ કુલ ૫૨૩ આ વસતી નીચે મુજબનાં જિલ્લાનાં વિસ્તારમાં ફેલાયેલી છે. જિલ્લો સંખ્યા જૂનાગઢ ૨૬૮ ગિર સોમનાથ ૪૪ અમરેલી ૧૭૪ ભાવનગર ૩૭ સંદર્ભ બાહ્ય કડીઓ સિંહ વિષયક વધુ માહિતી અને શબ્દાર્થ માટે, ભગવદ્ગોમંડલ એશિયાઇ સિંહ સંરક્ષણ સોસાયટી (ALPS), ગુજરાત, ભારત સિંહ (Panthera leo) “ARKive images of life on Earth” વેબસાઇટ પર] સિંહ વિશે ગુજરાતી ઉપયોગી માહિતી અને આશ્ચર્યજનક તથ્યો Panthera leo (સિંહ) “Animal Diversity Web” પર] એશિયાઇ સિંહો વિષયક ચલચિત્ર (૩ ચલચિત્રો) શ્રેણી:ગુજરાત શ્રેણી:ગુજરાતનાં વન્યજીવો શ્રેણી:ભારતનાં વન્યજીવો શ્રેણી:પ્રાણીઓ શ્રેણી:પ્રાણીશાસ્ત્ર
કચ્છ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/કચ્છ_જિલ્લો
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે. ભૂગોળ કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના પૂર્વ ભાગ તથા ઉત્તર ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા એમ ૪ જિલ્લા સાથે અને ઉત્તરમાં રાજસ્થાન સાથે રાજ્ય સીમા ધરાવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે. વહીવટી તાલુકાઓ કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે: અબડાસા નખત્રાણા ભચાઉ અંજાર ગાંધીધામ માંડવી મુન્દ્રા રાપર લખપત ભુજ રાજકારણ વિધાનસભા બેઠકો ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ ૬ (છ) બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે. |} લોકસભા બેઠકો કચ્છમાં એક લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. તેમાં વિધાનસભાની ૬ બેઠકો ઉપરાંત મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઇ.સ. ૨૦૦૪થી લોકસભામાં સતત ભારતીય જનતા પક્ષ વિજયી બનતો આવ્યો છે. ભાષા thumb|200px|right|કચ્છ જિલ્લો, ગુજરાત રાજ્ય કચ્છની મુખ્ય ભાષા કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે. ઇતિહાસ thumb|right|કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલીન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું. ૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, વિશ્વનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાનાં શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે. ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેનાથી અલ્લાહ બંધનું ર્સજન થતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતાં અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો જેમાં ૧૮,૦૦૦ ઉપરાંતના લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘર નાશ પામ્યા હતાં અને જાનમાલ સાથે અબજો રૂપિયાનું નુકસાન થયેલ હતુ. કચ્છના અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણો કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃધ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર. જોવાલાયક સ્થળો કચ્છના જોવાલાયક સ્થળોની ટૂંકી યાદી નીચે મુજબ છે. + ક્રમ સ્થળનું નામ વર્ણન ૧ માતાનો મઢ હિંદુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર ૨ કોટેશ્વર હિંદુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર ૩ નારાયણ સરોવર હિંદુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર ૪ હાજીપીર મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ ૫ જેસલ-તોરલ સમાધી અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી ૬ છતરડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ) ૭ લાખા ફૂલાણીની છતરડી કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી ૮ સૂર્યમંદિર કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય ૯ પુંઅરો ગઢ નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ ૧૦ લખપતનો કિલ્લો શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ ૧૧ કંથકોટનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય ૧૨ તેરાનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય ૧૩ મણીયારો ગઢ શિલ્પ સ્થાપત્ય ૧૪ ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ ૧૫ કંથકોટ પુરાતત્વ ૧૬ અંધૌ પુરાતત્વ ૧૭ આયનામહેલ સંગ્રહાલય, રાજમહેલ-ભુજ ૧૮ પ્રાગ મહેલ રાજમહેલ-ભુજ ૧૯ વિજયવિલાસ પૅલેસ રાજમહેલ-માંડવી ૨૦ વાંઢાય તીર્થધામ ૨૧ ધ્રંગ તીર્થધામ, મેકરણદાદાનું મંદિર ૨૨ રવેચીમાનું મંદિર રવ તીર્થધામ ૨૩ પીંગલેશ્વર મહાદેવ હિંદુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ, દરિયાકાંઠો ૨૪ જખ બોંતેરા (મોટા યક્ષ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૨૫ જખ બોંતેરા (નાના યક્ષ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૨૬ પુંઅરેશ્વર મહાદેવ પર્યટન, હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૨૭ બિલેશ્વર મહાદેવ પર્યટન,હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૨૮ ધોંસા પર્યટન,હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૨૯ કાળો ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર ૩૦ ધીણોધર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય ૩૧ ઝારાનો ડુંગર ઐતિહાસિક ડુંગર ૩૨ મોટું રણ સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર ૩૩ નાનું રણ રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન ૩૪ ભદ્રેસર જૈનોનું તીર્થધામ , ભામાશાનું જન્મ સ્થળ હિંદુ તીર્થસ્થાન, ૩૫ બૌતેર જિનાલય-કોડાય જૈનોનું તીર્થધામ ૩૬ કંડલા મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક) ૩૭ માંડવી બંદર, પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ ૩૮ જખૌ મત્સ્ય બંદર ૩૯ મુન્દ્રા ખાનગી બંદર ૪૦ અંબેધામ-ગોધરા (તા.માંડવી) હિંદુ તીર્થસ્થાન,તીર્થસ્થળ ૪૧ મતિયાદેવ-ગુડથર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૨ ચંદરવો ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૩ સચ્ચીદાનંદ મંદિર-અંજાર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૪ લુણીવારા લુણંગદેવ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૫ બગથડા યાત્રાધામ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૬ ખેતાબાપાની છતરડી હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૭ ભિખુ ઋષિ-લાખાણી ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૪૮ એકલમાતા રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય , હિંદુ તીર્થસ્થાન, ૪૯ નનામો ડુંગર ઐતિહાસિક ડુંગર ૫૦ રોહાનો કિલ્લો ઐતિહાસિક કિલ્લો ૫૧ લાખાજી છતેડી -- ૫૨ મોટી રુદ્રાણી જાગીર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૫૩ રુદ્રમાતા ડેમ પ્રાકૃતિક સૌદર્ય ૫૪ છારીઢંઢ પ્રાકૃતિક પક્ષી સૌદર્ય ૫૫ રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર) ધાર્મિક સ્થળ, હિંદુ તીર્થસ્થાન, ૫૬ ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૫૭ ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ ૫૮ કચ્છ મ્યૂઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય ૫૯ વિથૉણ ખેતાબાપા મંદિર/ધાર્મિક, હિંદુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ ૬૦ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ‍‍‍(ભુજ) ધાર્મિક સ્થળ, હિંદુ તીર્થસ્થાન, ૬૧ નિર્વાસીતેશ્વર મંદીર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, આદિપુર ૬૨ કચ્છ સમર્પણ આશ્રમ યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે. ૬૩ શિવમસ્તુ સમવસરણ તીર્થ જૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે. ૬૪ ગાંધી સમાધિ રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર૬૫ ક્રાંતિતીર્થ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી ૬૬ એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ  લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ  ૬૭ હબાય હિંદુ તીર્થસ્થાન, શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર ૬૮ ખાત્રોડ હિંદુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર ૬૯ ભેડ માતાજી હિંદુ તીર્થસ્થાન, મોમાઈ માતાજીનું મંદિર ઉદ્યોગો કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ - ખનીજો ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટ, ચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇલેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલ છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાતું રહેલ છે અને નવી નીતિ અનુસાર હવે તેને કંડલા સ્પેશીયલ ઇકોનોમી ઝોન તરીકે પીછાનવામાં આવે છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે. મીઠાનું ઉત્પાદન thumb|કચ્છના રણમાં મીઠું પકવતા મજૂર જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજરાત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવા પ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે. બંદરો ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૪૦૬ કી.મી. જે ગુજરાતનો સૌથી લાંબો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે. જિલ્લાના નાના મોટા કુલ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રા, જખૌ, તુણા અને કંડલા છે. તેમાં કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજોની ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે. આવનારા સમયમાં કચ્છ ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે. રસ્તાઓ અને રેલ્વે thumb|કચ્છના રણમાંથી પસાર થતો એક માર્ગકચ્છ જિલ્લામાં ૩૧ માર્ચ ૧૯૯૯ની સ્થિતિએ કુલ પ૮૦૬ કી.મી.ની લંબાઇ ધરાવતા પાકા રસ્તા હતા. કચ્છ જિલ્લાના ૮૮૪ વસવાટી ગામો સામે પાકા રસ્તે જોડાયેલા ૮૪૭ ગામો તથા કાચા જોડાયેલા ૩૭ ગામો છે. રસ્તાઓ અંગેની નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, મુખ્ય માર્ગના વર્ગીકરણ સહીતની વિગતો નીચે મુજબ છે. ક્રમ રસ્તાઓ લંબાઈ (કિમીમાં) ૧ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૬૩ ૨ રાજ્ય ધોરીમાર્ગ ૧૮૯૬ ૩ મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ ૮૪૯ ૪ અન્ય જિલ્લા ધોરીમાર્ગ ૭૫૬ ૫ ગ્રામ્ય માર્ગ ૨૦૪૨ કચ્છ જિલ્લામાં બ્રોડગેજ તેમજ મીટર ગેજ લાઇનો આવેલ છે. પાલનપુરથી ભુજ જતી મીટરગેજ રેલ્વેલાઇનના ર૬ર કીમી અને મુંબઇથી ભુજ થતી બ્રોડગેજલાઇનના ૧ર૩ કી.મી. કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં રપ મીટર ગેજ તથા પ બ્રોડગેજના રેલ્વે સ્ટેશન આવેલ છે અને જિલ્લાના ૧૦ તાલુકામાથી પાંચ તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાને આવરી લે છે. હાલમાં જ નલીયા સુધી બ્રોડગેઝ રેલ્વે લાઇનને સૈધ્ધાંતીક મંજુરી મળેલ છે. જિલ્લામાં ઔઘોગિક વસાહતા, રસ્તાઓ રેલ્વે વિમાનીસેવાઓ, બંદરોના વિકાસ વિજળી, પાણી તથા સંદેશાવ્યવહારની મહત્વની આંતરમાળખાકીય સેવાઓ ઉપલબ્ધ કરીને, વિકાસને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ છે. છેલ્લા દાયકા દરમ્યાન મુન્દ્રા પાસે અદાણીપોર્ટનો ખૂબ જ વિકાસ થયો છે, એ જ રીતે લખપત તાલુકામાંથી સાંધી સિમેન્ટ પણ જિલ્લાનું મોટું ઔઘોગિક એકમ બનેલ છે. રાજય સરકારનું સાહસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લીમીટેડ પણ મહત્વનું ઔઘોગિક એકમ છે. બંદરો અને ઉઘોગોના વિકાસ સાથે જિલ્લામાં વાહન વ્યવહારમાં ઉતરોતર વધારો થયેલછે. ૨૦૦૧નો ધરતીકંપ ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ આવેલ વિનાશક ભુકંપની સૌથી વધારે ખરાબ અસર કચ્છ જિલ્લા પર થઇ હતી. ૬.૯ રિકટર સ્કેલના આ ભુકંપમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં જાનહાની અને સંપતિને નુકસાન થયુ હતું. જિલ્લાના ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને રાપર તાલુકાઓમાં વિશેષ નુકસાન થયુ. સમગ્ર જિલ્લાના ૯૪૯ ગામોમાંથી ૮૯૦ ગામો અસરગ્રસ્ત થયા હતા. કુલ થઈને ૧૮,૦૦૦ ઉપરાંત માનવ મૃત્યુ થયા હતા. ૧,૪૬,૦૪૧ જેટલા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જયારે ર,૭૮,૦પર મકાનો અંશતઃ નાશ પામ્યા હતા, ભુકંપ બાદ તુરંત જ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી મોટા પ્રમાણમાં બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પુનર્વસનની તબકકાવાર કામગીરી હાથ ધરાઈ, જેના પરીણામ સ્વરુપે જિલ્લામાં મોટા પ્રમાણમાં પુનઃનિર્માણ પણ થયુ અને સાથોસાથ જિલ્લાના પુર્નવસન અને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહનની યોજનાઓ અમલમાં મુકાતા જિલ્લાના ઔઘોગિક વિકાસને બળ મળ્યું છે. સંદર્ભ બાહ્ય કડીઓ panjokutch.com પર ગુજરાતીમાં કચ્છ વિષે માહિતી શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ શ્રેણી:ગુજરાતના વિસ્તારો
ભુજ
https://gu.wikipedia.org/wiki/ભુજ
ભુજ () ગુજરાત માં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લા અને ભુજ તાલુકાનું વહીવટી મથક છે. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું (જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં નુકશાન પામેલ છે) જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે. ભૂગોળ ભુજની સરેરાશ ઉંચાઇ ૧૧૦ મીટર છે. શહેરની પૂર્વ બાજુએ ભુજિયો ડુંગર આવેલો છે, જેના પર ભુજિયો કિલ્લો આવેલો છે, જે ભુજ શહેર અને માધાપરને જુદા પાડે છે. શહેરના મુખ્ય તળાવોમાં હમીરસર તળાવનો સમાવેશ થાય છે. પરીવહન બસ ભુજ બસ માર્ગે અમદાવાદ, રાજકોટ તથા મુંબઇ, નાસિક સાથે જોડાયેલું છે. રાજ્ય પરીવહનની બસથી ભુજ ગુજરાત અને રાજસ્થાનના અન્ય શહેરો તથા જોવાલાયક સ્થળો સાથે જોડાયેલું છે. રેલ્વે નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંબઇ, દિલ્હી, પુના, અમદાવાદ અને વડોદરાની ટ્રેન સેવા ઉપલબ્ધ છે. હવાઇ માર્ગ અઠવાડિયાની કુલ ૧૧ હવાઈ સેવાઓ ભુજ અને મુંબઈને જોડે છે. હવામાન જોવાલાયક સ્થળો હમીરસર આયના મહેલ કાળો ડુંગર જ્યુબીલી મેદાન છતેડી ટપકેશ્વરી મંદિર ત્રિ મંદિર દરબાર ગઢ ભુજ સંગ્રહાલય ભુજિયો ડુંગર રાજેન્દ્ર બાગ રુદ્ર માતા ડેમ સુરલ ભીટ મહાદેવ સ્વામિનારાયણ મંદિર - સ્વામિનારાયણ સંપ્રદાયનું, ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત આ મંદિર છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨, વૈશાખ સુદ ૦૫) ના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી. આ મૂળ મંદિર ભુજમાં આવેલા ભુંકંપ સમયે ક્ષતિગ્રસ્ત થતા તેને સ્થાને એક વિશાળ મંદિરનું નિર્માણ કરાયું છે. આ નિર્માણકાર્યની શરૂઆત ૭ મે, ૨૦૦૩નાં રોજ કરાઈ અને સાત વર્ષે, ૧૮ મે, ૨૦૧૦ના રોજ કાર્ય પૂર્ણ થયું. હિલ ગાર્ડન સંદર્ભ Category:ગુજરાતનાં શહેરો અને નગરો Category:ગુજરાતનાં તાલુકા મથકો શ્રેણી:ભુજ તાલુકો
સોમનાથ
https://gu.wikipedia.org/wiki/સોમનાથ
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામીક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. નામ ઉત્પત્તિ દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બાંધ્યું હતું. ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને "ચંદ્ર તારો ક્ષય થાય." એવો શ્રાપ આપ્યો.. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે ઇતિહાસ મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું.Satish Chandra, Medieval India: From Sultanat to the Mughals, (Har-Anand, 2009), 278. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો. સ્વતંત્ર ભારતમાં પુન:નિર્માણ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. ચિત્રો સંદર્ભ બાહ્ય કડીઓ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ શ્રી સોમનાથ મહાદેવ મંદિર વિશે માહિતી ‍(હિંદી ભાષામાં) તીર્થ પરિચય - સોમનાથ મંદિર (તીર્થયાત્રા મહાસંઘ) સોમનાથ (ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) સોમનાથ મંદિર, ગુજરાત શ્રી સોમનાથ મહાદેવ મંદિર એક જ્યોતિર્લિંગ જ્યાં ત્રણ પ્રખ્યાત નદીઓ "મહાસંગમ" મળે છે શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ધાર્મિક સ્થળો શ્રેણી:ગુજરાતનાં શિવાલયો શ્રેણી:જ્યોતિર્લિંગ શ્રેણી:યાત્રાધામ
નર્મદા નદી
https://gu.wikipedia.org/wiki/નર્મદા_નદી
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે. નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે. સરદાર સરોવર બંધ thumb|સરદાર સરોવર બંધ, ચોમાસામાં. નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલને બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી. મહાત્મ્ય thumb|300px|right|આરસપહાણની શીલાઓ પરથી વહેતી નર્મદા નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે. આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે. નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી. ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો. આખા વિશ્વ મા એકમાત્ર નર્મદા નદી ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે. જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રા ના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે. નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે. આ પણ જુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા સંદર્ભ બાહ્ય કડીઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દિવ્યભાસ્કર ના સંગ્રહમાંથી શ્રેણી:ગુજરાતની નદીઓ શ્રેણી:ભારતની નદીઓ
હોમી ભાભા
https://gu.wikipedia.org/wiki/હોમી_ભાભા
હોમી જહાંગીર ભાભા (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતાની મદદ વડે તેમણે મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮માં તેમણે અટૉમિક એનર્જી કમિશન ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા. તેમનું મૃત્યુ ૧૯૬૬ માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું. ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે. બાહ્ય કડીઓ હોમી ભાભા પર લેખ(nuclearweaponarchive.org) ભાભા અને જે. આર. ડી. ટાટા પર ધ હિન્દુ એ લખેલ લેખ હોમી ભાભા પર લેખ(vigyanprasar.com) Legends: હોમી ભાભા પર લેખ(parsicommunity.com) Category:વૈજ્ઞાનિક Category:વ્યક્તિત્વ Category:ભારતીય અવકાશ કાર્યક્રમ શ્રેણી:૧૯૦૯માં જન્મ શ્રેણી:૧૯૬૬માં મૃત્યુ
અંજાર
https://gu.wikipedia.org/wiki/અંજાર
અંજાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું શહેર તેમજ તાલુકા મથક છે. તે કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. આ શહેર તેના સૂડી અને ચાકુ માટે પ્રસિદ્ધ છે. ઇતિહાસ અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું. ૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષિક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું. ૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર ભયાનક રીતે અસરગ્રસ્ત થયું હતું. નગર રચના રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે. જોવા લાયક સ્થળો જેસલ-તોરલની સમાધિ - આ સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે. લોકો માને છે આ સમાધિઓ એક બીજાની નજીક આવી રહી છે. જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહાપ્રલય આવશે. જેસલ જાડેજા રાજવી કૂળમાં જન્મેલો એક કૂખ્યાત બહારવટીયો હતો. તેની ભારે રંજાડ હતી. તે મહાસતી તોરલના સંપર્કમાં આવ્યો અને તેના જીવનનું પરિવર્તન થઇ ગયું. અજેપાળ મંદિર - અજેપાળે શહીદી વહોરી હતી. તેમના પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યું હોવાનું કહેવાય છે. અંબા માનું મંદિર - લોકવાયકા અનુસાર અંજાર ના દશનામ ગોસ્વામી સમાજના સંત શ્રી સાગરગિરિજી ભદ્રેશ્વરથી ભદ્રકાળી માતાજીની કૃપા મેળવી અંજારમાં લાવ્યા. પબડીયું તળાવ મેકમર્ડોનો બંગલો વીર બાળક સ્મારક - ૨૦૦૧ના ધરતીકંપ દરમિયાન મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમર્પિત સ્મારક. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો શ્રેણી:અંજાર તાલુકો
માંડવી (કચ્છ)
https://gu.wikipedia.org/wiki/માંડવી_(કચ્છ)
માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી (દાબેલી) માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. ભૂગોળ માંડવી એક બંદર છે અને સ્થાન પર રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી જિલ્લા મુખ્ય મથક ભુજથી લગભગ ૬૦ કિ.મી ના અંતરે અને અમદાવાદ થી ૪૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે. ઇતિહાસ thumb|બ્રહ્મપુરી વિસ્તારમાં જૂના કિલ્લાની દિવાલ અને દરવાજો thumb|રુક્માવતી નદી પરનો માંડવી પુલ માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. ૧૫૮૦માં કરી હતી.Cutch માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે. પર્યટન અહીંનો સુંદર સાગર કિનારો, ૨૦ જેટલી પવનચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. બ્રિટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ પણ જોવાલાયક છે. ક્રાંતિ તીર્થ (શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક), માંડવી પોર્ટ, માંડવીનો કિલ્લો, વહાણવટા ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ જેવા અનેક સ્થળો જોવાલાયક છે. છબીઓ આ પણ જુઓ માંડવી બીચ સંદર્ભ બાહ્ય કડીઓ માંડવી તાલુકા પંચાયતની વેબસાઇટ Category:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો શ્રેણી:માંડવી તાલુકો
બેંગલુરુ
https://gu.wikipedia.org/wiki/બેંગલુરુ
બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ () કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. સ્વત્રંત્રતા પછી બેંગ્લોર ભારતના મહત્વના ઔદ્યોગીક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. બેંગ્લોર હિન્દુસ્તાન ઍરોનૉટીક્સ લિમીટેડ-HAL, ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો-ISRO), ભારત ઇલેક્ટ્રોનીક્સ લિમીટેડ (BEL) જેવી સંસ્થાઓનું ઘર છે. છેલ્લા દાયકામાં, બેંગ્લોર ભારતની સિલિકૉન વેલીને નામે દેશ-વિદેશમાં જાણિતું થયું છે અને ભારતનાં તેમજ વિશ્વનાં ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દાયકામાં, ભારતની છબીને વિશ્વમાં એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે ગણાવવામાં બેંગ્લોરનું યોગદાન મહત્વનું છે. ભારતીય વાયુદળ, મદ્રાસ ઈન્જીનીયરીંગ તથા સેન્ટ્રલ મીલીટરી પોલીસનું પ્રશીક્ષણ કેન્દ્ર પણ બેંગ્લોરમાં આવેલું છે. ભૂગોળ તથા હવામાન દરીયાની સપાટીથી ૯૨૦ મીટર ઊંચાઈ પર હોવાને કારણે દખ્ખણના ઉચ્ચપ્રદેશ]]માં આવેલું બેંગ્લોર શહેર બારેમાસ ખુશનુમા હવામાન ઘરાવે છે. શિયાળામાં તાપમાન ૨૪ ડિગ્રી અને ઉનાળા માં ૩૫ ડિગ્રી હોય છે. વર્ષનું તાપમાન માર્ચ - મે (સૌથી વધુ ગરમીવાળા મહિના) જૂન - સપ્ટેમ્બર (દક્ષીણપશ્ચીમી ચોમાસું) નવેમ્બર - ડિસેમ્બર (ઊત્તર-પૂર્વ ચોમાસું) ડિસેમ્બર - જાન્યુઆરી (સૌથી વધુ ઠંડીવાળા મહિના) તાપમાન ગુરૂત્તમ ૩૭ ડિગ્રી, લધુત્તમ ૧૫ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇતિહાસ ૧૫૩૭માં બેંગ્લોરની સ્થાપના કેમ્પે ગોવડા (૧૫૧૦ - ૧૫૭૦) એ કરી હોવાનું મનાય છે. પુરાણ કાળમાં તેનો ઉલ્લેખ 'કલ્યાણપુરી' અથવા 'કલ્યાણનગર' તરીકે છે. મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટ ત્યાગી, બેંગ્લોરની દક્ષીણ પશ્ચીમે આવેલા શ્રવણબેલગોડામાં જૈન ધર્મનો અંગીકાર કર્યો. બ્રીટીશ રાજ્ય કાળમાં બ્રીટીશરો આ શહેર ને બેંગ્લોર નામ આપ્યું. બેંગલુરુ ગંગા કાળમાં સૌ પ્રથમ બેંગલુરુ નામના પ્રદેશનો ઉલ્લેખ થયો છે - જે આજના કોડીગેહલ્લિ (હેબ્બલ પાસે) નજીક હલેબેંગલુરુ ગામ મનાય છે. એમ મનાય છે કે કેમ્પે ગોવડા (પહેલા)એ ૧૫૩૭માં જ્યારે નવી રાજધાનિ સ્થાપી ત્યારે તેનું નામ તેમનાં પત્ની તથા માતાના વતન હલેબેંગલુરુ પરથી બેંગલુરુ પાડ્યું. બીજા મત પ્રમાણે, બેંગ્લોરનું નામ બેંડા કાલુ એટલે Boiled beans પરથી પડ્યું હશે. એક કથા પ્રમાણે, જ્યારે દશમી સદીમાં વિજયનગરના રાજા વીરબલ્લ એક વાર જંગલમાં માર્ગ ભૂલ્યા ત્યારે એક વૃધ્ધાએ તેમને બાફેલા ચણા (?) ખાવા આપ્યા. આ ઘટના પછી રાજાએ તે જગ્યાનું નામ બેંડા કાલુરુ એટલે કે "the city of boiled beans" પાડ્યું. શાસકો ૧૬૩૮માં બીજાપુરના સુલતાન આદિલ શાહ પાસેથી મરાઠા શાસક શાહજી ભોંસલે‌એ બેંગ્લોર ઉપર કબજો કર્યો. ૫૦ વર્ષના મરાઠી શાસન પછી ૧૬૮૬માં બેંગ્લોર મોગલ શાસન હેઠળ આવ્યું. આશરે ૧૬૮૯માં મોગલોએ મૈસૂરના રાજા ચીક્કદેવરાયને દાનમાં (leased?) આપ્યું. ચીક્કદેવરાયે, બેંગ્લોર કિલ્લાને દક્ષિણમાં વિસ્તાર્યો અને કિલ્લામાં વેંકટરમણ મંદિરની સ્થાપના કરી. આ ગ્રેનાઈટના કિલ્લાને હૈદરઅલીએ ૧૭૫૯માં મજબુત કર્યો. ૧૭૯૯માં બ્રિટિશર લૉર્ડ કૉર્નવૉલીસની આગેવાની હેઠળ ટીપુ સુલતાનને હરાવી, બેંગ્લોર કબજે કર્યું. પ્લેગ ૧૮૯૮માં બેંગ્લોરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાને નિવારવા ઘણાં મંદિરો બંધાવવામાં આવ્યા હતાં. આ મંદિરો મરંમ્મા એટલે પ્લેગ મંદિર કહેવાય છે. એમ કહેવાય છે કે પ્લેગને કારણે બેંગ્લોરની આરોગ્યસેવાઓ તથા સ્વચ્છતા સુઘારવાના પગલાં લેવામાં આવ્યાં. શહેરને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું તથા પ્લેગ ઑફિસરની પણ નિમણૂંક થઈ. શહેરમાં ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી અને સ્વચ્છ મકાનો બાંધવામાટે કાયદા બનાવવામાં આવ્યા. ઇ.સ. ૧૯૦૦માં જ્યોર્જ નાથેનીયલ કર્ઝને વિક્ટોરીયા હોસ્પીટલનું ઉદ્ગાટન કર્યું. બેંગ્લોરમાં આ સમયે રેલ્વેલાઈન પણ નાખવામાં આવી. આ સમય દરમ્યાન બેંગ્લોરનો વિકાસ પણ થયો. બસવનગુડી (બસવેશ્વર મંદિર કે નંદી મંદિરના નામે) તથા મલ્લેશ્વરમ (કાડુ મલ્લેશ્વર મંદિરના નામે) વિસ્તારો સ્થાપવામા આવ્યા. ૧૯૨૧-૧૯૩૧માં કળશીપાલ્યા તથા ગાંધીનગરનો વિસ્તાર થયો. ૧૯૪૮માં જયનગરનું નિર્માણ કરવામા આવ્યું. thumb|કર્ણાટક વિધાનસભાગૃહ (વિધાન સોધા) રસ્તાઓ બેંગ્લોરના સૈન્ય સંસ્થાઓને કારણે ઘણા રસ્તાઓના નામ સૈન્યને લગતા છે જેમકે - આર્ટીલરી રોડ, બ્રીગેડ રોડ, ઇન્ફન્ટ્રી રોડ, કૅવૅલરી રોડ, વગેરે. સાઊથ પરેડ રોડ જે હવે મહાત્મા ગાંધી રોડ તરીકે પ્રખ્યાત છે. બેંગ્લોર કૅન્ટૉનમેન્ટનો વહીવટ એક રૅસીડ્ન્ટ અધીકારીને હસ્તક હતો અને તેના નિવાસસ્થાન પાસેના રસ્તાનું નામ રેસીડન્સી રોડ પડ્યું. શિક્ષણ અને સંસ્કૃતિ thumb|બેંગલોર હાઇ કોર્ટ બેંગ્લોર કર્ણાટક રાજ્યનું સૌથી મોટું તથા કોસ્મોપોલિટન શહેર છે. કર્નાટક રાજ્યની કન્નડ ભાષા અહીં વપરાય છે. અહીંના લોકો બહુભાષિય છે. અહીં તમીળ, તેલુગુ ભાષાઓ પણ બોલાય છે. અંગ્રેજી પણ લોકો બોલે તથા સમજી શકે છે. Information Technology ના કારણે વિવિઘ પ્રાંત થી વસેલા લોકો ને કારણે અંગ્રેજી તથા હિન્દી પણ પ્રચલીત છે. બેંગ્લોરમાં ૫૧% લોકો ભારતના વિવિધ ભાગ માથી આવીને વસેલા છે - આ ચીલો બ્રીટીશ કાળ થી ચાલ્યો આવે છે. બ્રિગેડ રૉડ નજીક બ્રીટીશ સમયના ભારતીય સૈનિકોની યાદમાં લખાયલાતમીળ ભાષાના શીલાલેખ આ વાતની શાક્ષી પૂરે છે. બેંગ્લોરમાં ભારતની અનેક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે - ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મૅનૅજમૅંટ (IIM, બેંગ્લોર), નેશનલ લૉ સ્કુલ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇનફૉર્મેશન ટૅકનૉલૉજી, નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ એન્ડ ન્યુરો સાયન્સ, રાષ્ટ્રીય વિધ્યાલય કૉલૅજ ઓફ ઇન્જીનિયરીંગ, U.V.C.E, P.E.S ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનોલોજી, M.S. રામૈયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનૉલૉજી અને બી.એમ.એસ કોલેજ ઓફ એન્જીનિયરિંગ, બેંગ્લોર મૅડિકલ કોલેજ, અને સૅન્ટ જૉન્સ મેડિકલ કોલેજ. બેંગ્લોરમાં ભારતની અનેક પ્રખ્યાત શાળાઓ પણ છે - બીશપ કૉટન હાઇસ્કુલ, નૅશનલ પબ્લીક સ્કુલ, સૅન્ટ જૉસૅફ યુરૉપિયન સ્કુલ, સૅન્ટ જૉસૅફ ઇન્ડીયન સ્કુલ, સૅન્ટ જ્રમૈન હાઇસ્કુલ, MES , બાલ્ડવિન અને ફ્રાંક એન્થોની પબ્લીક સ્કુલ વગેરે નો સમાવેશ થાય છે. મહત્વની સંસ્થાઓ બેંગ્લોરમાં વિશ્વવિખ્યાત સંસ્થાઓ આવેલી છે. બેંગ્લોરના ઝડપી વિકાસમાં આ સંસ્થાઓનો ફાળો મહત્વનો છે. વિશ્વમાં બહુ ઓછા શહેરો આ ઉપલબ્ઘી ઘરાવે છે. એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર સાયન્સ યુનિવર્સીટી વિમાન શાસ્ત્ર, શંરક્ષણ અને ખગોળ શાસ્ત્ર ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન નેશનલ એરોસ્પેસ લેબોરેટરી હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ એરોનોટીક્સ વિકાસ સંસ્થા એડવાન્સ સીસ્ટસ્મ્સ ઈન્ટીગ્રેશન અને ઈવેલ્યુએશન સંસ્થા ગેસ ટર્બાઈન રીસર્ચ સંસ્થા ડીફેન્સ બાયો-ઈન્જીનિયરીંગ અને ઈલેક્ટ્રોમેડીકલ લેબોરેટરી ઈલેક્ટ્રોનીક્સ અને રડાર વિકાસ સંસ્થા માઈક્રોવેવ સંશોધન અને વિકાસ કૅન્દ્ર આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટિક વિકાસ કેન્દ્ર એરબૉર્ન સીસ્ટસ્મ્સ કૅન્દ્ર રીસર્ચ સંસ્થાઓ ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફીક સ્ટડીઝ ખગોળ શાસ્ત્ર રામન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી સુપર કમ્પ્યુટર પ્રશિક્ષણ અને રીસર્ચ કેન્દ્ર નેશનલ સોફ્ટવેયર ટેક્નોલોજી કેન્દ્ર ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી બાયૉલૉજીકલ ટેક્નોલોજી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ એન્ડ ન્યુરો સાયન્સ નેશનલ બાયોલોજીકલ સાયન્સ કેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયો ઈન્ફર્મેટિક્સ અને અપ્પ્લાઈડ બાયો ટેક્નોલોજી કીડવાઈ મેમોરિયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓન્કોલોજી કાયદો નેશનલ લૉ સ્કુલ મેનેજમેન્ટ ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ફેશન નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી અન્ય ઇન્ડીયન નૅશનલ કાર્ટૉગ્રાફીક અસૉશીએશન બેંગ્લોરનો વિકાસ પાકિસ્તાન તથા ચીનથી અંતરના કારણે ભારત સરકારે બેંગ્લોરમાં સંરક્ષણ તથા વિકાસ માટેની મહત્વનાં ઉઘ્યોગોમાં ભારે રોકાણ કર્યું. પરીણામે બેંગ્લોર એન્જીનીયરો તથા વૈજ્ઞાનિક તજજ્ઞો માટે આકર્ષણ બન્ચું જેને કારણે બેંગ્લોર, ઈન્ફૉર્મૅશન ટેક્નોલોજીમાંં ઝડપભેર આગળ વધી શક્યું. બેંગ્લોરના આકર્ષક બાગ-બગીચાઓ અને અદ્યતન કાચના બહુમાળી મકાનોને કારણે ન્યુઝ વીકે બેંગ્લોરને વિશ્વનાં ૧૨ "Capitals of Style" શહેરોમાં ગણાવ્યું છે. શ્રેણી:કર્ણાટક શ્રેણી:ઇસરો
લાખ
https://gu.wikipedia.org/wiki/લાખ
લાખ એ ભારતીય ઉપખંડની પારંપરિક ગણવાની પદ્ધતી પ્રમાણે એક એકમ સંખ્યા છે, જે હજુ પણ ભારત દેશમાં વહેવારમાં વપરાય છે. ૧ લાખ (૧૦૦,૦૦૦)= ૧૦૫ = ૧ સો હજાર = 0. ૧ મિલિયન બરાબર હોય છે. શ્રેણી:અંકગણિત શ્રેણી:સંખ્યા
દિલ્લી
https://gu.wikipedia.org/wiki/દિલ્લી
REDIRECT દિલ્હી
સુનામી
https://gu.wikipedia.org/wiki/સુનામી
thumb|250px|26 ડિસેમ્બર, 2004ના રોજસુનામી (tsunami)એ થાઈલેન્ડ (Thailand)ને રગદોળ્યું. મહાસાગર (ocean)માં જ્યારે પાણીના મુળમાં પરિવર્તન આવે છે જેથી મોટા મોટા મોજા (waves)ઉછળે છે. પાણીની અંદર કે બહાર જંગી હલચલ (mass movement), ભૂકંપ (Earthquake), જ્વાલામુખી સક્રિય થવો (volcanic eruption), તેમજ પાણીની અંદર વિસ્ફોટ થવો (underwater explosion), જમીન ઘસી પડવી (landslides), પાણીની અંદર ભૂકંપ (earthquake) થવો કે પછી મોટી ઉલ્કા ત્રાટકવી (asteroid impacts)કે પછી પરમાણુ શસ્ત્રો (nuclear weapon)નો ઉપયોગને કારણે સુનામી ઉદભવે છે. પાણીની શક્તિ અને તેના જથ્થાને કારણે સુનામીની અસરો ભયંકર બની જાય છે. ગ્રીક (Greek)ના ઇતિહાસકાર થુસાડિડેસે (Thucydides)સૌપ્રથમ વખત સુનામીને દરિયામાં થતા ભૂંકપ સાથે સાંકળી હતી. પરંતુ ખરેખર સુનામીના પ્રકાર વિશે 20મી સુધી બહુ આછો પાતળો ખ્યાલ હતો. હાલમાં પણ સુનામી અંગે સંશોધનકાર્ય ચાલી રહ્યું છે. પહેલાના ઘણા ભૂસ્તરશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્રીઓ અને સમુદ્રવિજ્ઞાનીઓ, " ધરતીકંપ સંબંધિત દરિયાઈ મોજા"- હવે આને આપણે સુનામી તરીકે ઓળખીયે છે. ઘણા હવામાની (meteorological) વંટોળ (storm)ની સ્થિતિ ડીપ ડિપ્રેશન (depressions)ને કારણે ચક્રાવાત (cyclones) કે વાવાઝોડા (hurricanes)માં પલટાઈ જાય છે જેથી તોફાનો ઉઠે (storm surge)છે જે દરિયાના ભરતીઓટની સ્થિતિ કરતા ઘણા ઉંચા હોય છે. આનું કારણ ડિપ્રેશનના કેન્દ્રમાં હવાનું ઓછું દબાણ (atmospheric pressure) જવાબદાર હોય છે આ તોફાનો ઉઠે (storm surges) છે જે દરિયાકિનારે પહોંચે છે જેને સુનામી સાથે સરખાવાય છે, આ વંટોળ જમીનના મોટા વિસ્તારોમાં પહોંચીને વિસ્તારને જળબંબાકાર કરી દે છે. આ સુનામી નથી. આ પ્રકારના સ્ટોર્મ બર્મા (Burma)(મ્યાનમાર) (Myanmar)માં મે 2008માં ઉછળ્યા હતા. પરિભાષા સુનામીનો શબ્દ જાપાનીઝ અર્થમાંથી ઉદભવ્યો છે. બંદર (harbor) ("ત્યસુ", 津) and મોજા (wave) ("નામી", 波). [a.જાપ.સુનામી, સુનામી, બંદર+ નામી મોજા- ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનેરીબહુવચન માટે કોઈ પણ તેને અંગ્રેજીની સામાન્ય પ્રકેટીશ મુજબ વાપરી શકે છે અથવા એસપ્રત્યેય લગાડી દે, અથવા જાપાનીઝ શબ્દપ્રયોગ મુજબ ઉચ્ચાર કરી શકે. જાપાનના ઇતિહાસ (Japanese history)માં સુનામી બહુ સામાન્ય છે. જાપાનમાં અત્યાર સુધીમાં 195 ઘટનાઓ નોંધાઈ છે. સુનામીને ઘણી વખત ભરતીના મોજા (tidal waves) તરીકે ઓળખવામાં આવે છે. આ વાત હવે વિજ્ઞાનની દ્રષ્ટીએ ખોટી પડી છે. નવા સંશોધન મુજબ ભરતીઓટ સાથે સુનામીને કશું જ લાગતું વળગતું નથી. આનું કારણ એ છે કે સુનામી દરમિયાન દરિયાઈ મોજાની ઉંચા ઉછળે છે જેથી લોકો તેને સુનામી જ ગણી લે છે. સુનામી અને ભરતી બન્ને પાણીના મોજા ઉત્પન કરે છે, પરંતુ સુનામીના કેસમાં પાણીની અંદરની હલચલ ઘણી જ મોટી માત્રામાં હોય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે તે ભરતી જેવું લાગે છે. જો કે, ભરતીઓટના અર્થમાં "મળતાપણું ""ભરતીઓટ"ધ અમેરિકન હેરીટેજ, સ્ટેડમેન્સ મેડિકલ ડીક્શનેરીહોગટન મિફિન કંપની11 નવેમ્બર 2008, <Dictionary.com http://dictionary.reference.com/browse/tidal>.અથવા ભરતીઓટના લક્ષ્ણો -al. (n.d.).Dictionary.com અનબ્રીજ (વો 1.1).Dictionary.com માંથી લેવામાં આવ્યું. 11 નવેમ્બર , 2008http://dictionary.reference.com/browse/-alઅને સુનામીની પરિભાષા હજૂ એટલી ચોક્કસ નથી.કારણ કે સુનામી માત્ર બંદરો સુધી સિમિત નથી. ભરતી ઓટના મોજાની પરિભાષા ભૂસ્તરશાસ્ત્રી (geologist)ઓ અને સમુદ્રવિજ્ઞાની (oceanographer)ઓએ પરાવૃત કરી છે. જાપાનીઝ સિવાય દુનિયાની એક માત્ર તામિલ ભાષા (Tamil language)માં જ આ ભયાનક મોજાઓ માટે શબ્દ છે અને શબ્દ છે "અઝાહી પેરાલાઈ"ભારતનો દક્ષિણ અને પુર્વનો દરિયાકાંઠો છેલ્લા 700 વર્ષોથી આ પ્રકારનો મોજાનો અનુભવ કરતો રહ્યો છે. પથ્થરો પર કરાયેલા કોતરકામ મુજબ તે સમયે તેઓ આને નિયમિત ઘટના ગણાતા હતા. અશેચનિશ ભાષા (Acehnese language)માં સુનામી માટે ië beuna અથવા alôn buluëk શબ્દ છે. (ઉચ્ચાર પર આધાર રાખે છે.)જ્યારે ઈન્ડોનેશિયાની સિમેયુલુઈ (Simeulue)ની ડિફાયન ભાષા (Defayan language) મુજબ સુનામીને સિમોંગ કહેવાય છે. સિમેયુલુઈની સિંગુલાઈ ભાષા (Sigulai language)માં પણ સુનામી માટે ઈમોંગ શબ્દ છે. http://www.jtic.org/en/jtic/images/dlPDF/Lipi_CBDP/reports/SMGChapter3.pdf કારણો દરિયાની અંદરની પ્લેટોની સરહદો (plate boundaries)ખસતી રહે છે તે દરમિયાન આ પ્લેટો પાણીને ખસેડી કાઢે છે જેથી સુનામી ઉદભવે છે. આને કારણે અસંભવિતપણે પ્લેટોની સરહદો એકબીજાથી દુર જાય છે અથવા એકબીજા પર ચડી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી. સબડક્શન (Subduction)ઝોનમાં ઉદભવતા ભૂકંપને કારણે મોટાભાગના બધા જ સુનામી ઉદભવ્યા છે. દરિયાકિનારાથી દુર સુનામીના મોજા ઓછા વિશાળ (amplitude)(મોજાની ઉંચાઈ) હોય છે. આ મોજાં લાંબા અંતર (wavelength)કાપી શકે છે. (ઘણી વખત હજારો કિલોમિટર સુધી) જેને કારણે દરિયામાં તેની ખબર પડતી નથી. આને કારણે આ મોજાની ઉંચાઈ સામાન્ય જેટલી હોય છે. દરિયાની સપાટી કરતા માત્ર 300 એનબીએસપી જેટલી. પરંતુ તેની ઉંચાઈ છીછરા પાણીમાં પહોંચ્યા બાદ વધી જાય છે. આ પ્રક્રિયાને નીચે વર્ણવામાં આવી છે.સુનામી દરિયાની ભરતી કે ઓટના કોઈ પણ રૃપમાં આવી શકે છે. ઓટ ચાલી રહી હોય ત્યારે પણ જો મોજાની ઉંચાઈ વધવા લાગે તો પણ સુનામી આવે છે. 1 એપ્રિલ, 1946ના રોજ રિક્ટર સ્કેલ (Richter Scale) પર 7.8ની તીવ્રતા ધરાવતો ભૂકંપ (earthquake)અલાસ્કા (Alaska)ના અલેઉથિયન ટાપુ (Aleutian Islands)નજીક નોંધાયો. આને કારણે ઉદભવેલા સુનામીના મોજા 14 મીટર ઉંચા ઉછળ્યા હતા અને હવાઈ ટાપુના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જ્યાં આ ભૂકંપ (earthquake)નોંધાયો તે પેસિફિક મહાસાગર (Pacific Ocean)માં આવેલી પ્લેટ, સબડક્ટીંગ (subducting)(પાછલી બાજુ દબાવવું) અલાસ્કા (Alaska)ની પ્લેટની અંદર ખસેડતી હતી. પ્લેટોના દબાણ સિવાય પણ સુનામી ઉદભવી હોય તેવા દાખલા નોંધાય છે જે મુજબ પાષાયયુગ (Neolithic) દરમિયાન સ્ટોરેગ્ગા (Storegga)માં, 1929માં ગ્રાન્ડ બેંકસ (Grand Banks) ખાતે અને 1998માં પાપુઆ ન્યુ ગુએના (Papua New Guinea) ખાતે નોંધાયા છે. (તાપીન, 2001) ગ્રાન્ડ બેંકસ અને પાપુઆ ન્યુ ગુએનાના સુનામીમાં ભૂકંપ જવાબદાર હતો જે સેડિમન્ટ(દરિયાઈ ખડક) અસ્થિર થઈ ગયો હતો અને અંતે પડી ગયો હતો. આ પડી ગયો હતો અને જેથી સુનામી ઉદભવી હતી. આ સુનામી એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં પ્રવેશી ન હતી. જ્યારે સ્ટોરેગ્ગા સેડિમન્ટ પડવાનું કારણ જાણી શકાયું નથી.માનવામાં આવે છે કે ખડક પર વધુ પડતા ભારને કારણ તે અસ્થિર બન્યો હોય અને વધુ ભારને કારણે ઘસી પડ્યો હોય.આ ઉપરાંત બીજી શક્યતા એ પણ છે કે ભૂકંપને કારણે પણ આવા પર્વતો અસ્થિર બન્યા હોય અને ત્યાર બાદ ઢળી પડ્યા હોય.તેમજ અન્ય એક થિયરી પણ છે જે ગેસ હાઈડ્રેટ્સ(મિથેન વગેરે.)ને કારણે દરિયાઈ પર્વતો ઢળે છે. ધ "ગ્રેટ ચિલીયન ભૂકંપ (Great Chilean earthquake)" (19:11 વાગ્યે ) મે 22, 1960 (9.5 એમw (Mw)), માર્ચ 27, 1964 "ગુડ ફ્રાઈડે ભૂકંપ (Good Friday earthquake)" અલાસ્કા 1964 (9.2 એમડબલ્યુ), and the " ગ્રેટ સુમાત્રા-અંદમાન ભૂકંપ (Great Sumatra-Andaman earthquake)" (00:58:53 યુટીસી) ડિસેમ્બર 26, 2004 (9.2 એમડબલ્યુ), આ બધા એવા શક્તિશાળી મેગાથ્રસ્ટ (megathrust) ભૂકંપના ઉદાહરણ છે જે દ્વારા ઉદભવેલ સુનામી અન્ય મહાસાગારો સુધી પહોંચી શકવા શક્તિમાન હતા. જાપાનમાં આવેલો નાનો (4.2 એમડબલ્યુ) ભૂકંપ સુનામીને નોતરી લાવી શકે છે જે માત્ર પંદર મિનીટમાં જ આજુબાજુના દરિયાકાંઠા પર ફરી વળીને તબાહી ફેલાવી શકે છે. 1950ના દાયકામાં માની લેવામાં આવ્યું હતું કે સુનામી જમીન ઘસી પડવા (landslides)ને કારણ, જ્વાળામુખી ફાટવાને કારણ આવે છે.દા.ત. સાન્તોરાની (Santorini), ક્રકાટાઉ (Krakatau), અને જ્યારે તેનો પાણી સાથે સંપર્ક થાય છે ત્યારે અસરને કારણે (impact event) સુનામી આવે છે. આને કારણે પડી રહેલા કાટમાળ કે વિસ્ફોટને કારણે મોટા પ્રમાણમાં ઉર્જા પાણીમાં ભળે છે જેથી મોટી માત્રામાં પાણી તેનું સ્થાન ગુમાવી દે છે. પર્વતનો કાટમાળ પડવાનો ક્રમ પાણી સહન કરી શકે તેનાથી કેટલાય ઘણો વધુ ઝડપી હોય છે. મીડિયા દ્વારા આ ઘટનાને "મેગા-સુનામી" (mega-tsunami) નામ આપવામાં આવ્યું છે. આ થિયરી દ્વારા ઉદભવતા સુનામી જલ્દીથી ગાયબ થાય છે અથવા તે દરિયાના નાના વિસ્તારમાં બનતા હોવાથી તેમજ દરિયાકાંઠાથી અંતરને કારણે તે વધુ નુકશાન પહોંચાડતા નથી. પરંતુ જે કેટલાક ભૂકંપને કારણે ટ્રાન્સ-ઓશેનિક સુનામી ઉદભવે તેની અસર ગંભીર હોય છે.આને કારણે ઘણા મોટા સ્થાનિક આધાતના મોજા (shock wave)(સોલિટન્સ (solitons)) પ્રસરાવે છે. જેમ કે 1958માં લિટુઆ બે (Lituya Bay)નજીક જમીન ઘસી પડવાને કારણે જે મોજા ઉછળ્યા તે પ્રાથમિક અંદાજ મુજ 534 મીટર ઉંચાઈ ધરાવતા હતા.જો કે, વધારા પડતા મોટા પ્રમાણમાં થતી જમીન ઘસી પડવાને કારણ કહેવાતા "મેગા-સુનામી (mega-tsunami)" આવે છે. જેની તાકાત એક મહાસાગરથી બીજા મહાસાગર સુધી સફર ખેડવાની શક્તિ હોય છે. આ વાતને હાલમાં ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આ થિયરીને સમર્થન કરી શકે તેવા ભૂસ્તરીય પ્રમાણો મળ્યા નથી. વિશિષ્ટ લાક્ષણિક્તાઓ હિંદ મહાસાગરના સુનામી બાદ ખેદાનમેદાન થયેલો ચેન્નાઈનો મરિના બીચ|thumb દરરોજના પવનને કારણે મોજાની લંબાઈ(ટોચથી ટોચ સુધી) અને ઉંચાઈ લગભગ, જ્યારે ઉંડા મહાસાગરમાં સુનામીના મોજા પણ એટલી જ ઉંચાઈ ધરાવતા હોય છે. જે મોજા લાંબી સફ ખેડે છે. પરંતુ વેવલેંથ પ્રચંડ તાકાતને કારણે એક સાયકલ પુરી કરતા 20 થી 30 મીનીટ લે છે જેથી ઉંડા પાણીમાં સુનામીનો તાગ કાઢવો અઘરો છે. તેની સફર પણ જહાજોના ધ્યાનમાં આવતી નથી. જ્યારે સુનામી દરિયાકાંઠે ત્રાટકે છે ત્યારે પાણી છીછરૂં બની જાય છે, અને મોજા વેવ શોલિંગ (wave shoaling)ને કારણે દબાય છે અને આગલી સફર ધીમે રીતે ચાલુ રાખે છે. મોજાને સમી ઓછા જાય છે અને જવાની અને વિશાળતા વધતી જાય છે જેથી મોજા દેખી શકાય છે.આ મોજામાં હજૂ પણ કેટલાય કિલોમીટર(કેટલાક માઈલ) ખેડી નાખવાની તાકાત હોય છે, સુનામીના મોજા પુર્ણ ઉંચાઈએ પહોંચતા માત્ર થોડી મીનીટો લાગી છે જેથી પીડિતને તેને પાણીની ઉથલપાથલની જગ્યાએ પાણીનું વધતું સ્તર જ દેખાય છે ખુલ્લા સમુદ્રકાંઠા અને ઉંડા સમુદ્રની જોડે આવેલા વિસ્તારો સુનામીના મોજાને પગથિયા જેવો આકાર આપી દે છે. (એક બાદ એક ઉપર ચડવું) સુનામી આવી રહ્યાના ચિન્હો thumb|250px|હવાઈ (Hawaii)ના લાઉપાહોએહોએ ખાતે આવેલું સુનામીગ્રસ્તોનું સ્મારક. આવી રહેલા સુનામી અંગે કોઈ ચેવતણી આપી શકાતી નથી. જો કે, ભૂકંપને કારણે સુનામી આવતા હોય છે, જેથી પાણીની નજીક અને છીછરાં પાણીમાં થતા ભૂકંપને કારણે સુનામી ઉદભવી શકે છે, જે મધ્યમકદથી લઈને હાઈ મૅગ્નિટયૂડ સુધીના હોય છે. પાણીનું પ્રમાણ અને ઉંડાઈ સારી માત્રામાં હોય છે. જો પહેલા તબક્કામાં સુનામી ટ્રૉફ કહેવાતી જગ્યાએ પહોંચવાને બદલે મોજાની ટોચ પર પહોંચે તો, દરિયાકિનારાના પાણીમાં નોંધપાત્ર ઘટાડો આવે છે. જેને કારણે હંમેશા પાણીમાં રહેતો પ્રદેશ ખુલ્લો થાય છે. આને સુનામી આવી રહ્યાની પહેલા તબક્કાની ચેતવણી ગણી શકાય. કારણ કે આ બાદ સુનામી જલ્દીથી ત્રાટકી શકે છે.જો વ્યકિત દરિયાકિનારે ઉભી છે અને દરિયામાં પાણી ખેંચાઈ રહ્યું હોય( હોનારતમાં બચી ગયેલા ઘણા લોકએ અવાજ સાથે આ વાત નોંધી છે), તો બચવા માટે તેણે ઉંચી જગ્યાઓએ કે પછી ઉંચી ઈમારતમાં આશરો લઈ લેવો જોઈએ. આવું થાઈલેન્ડના ફુંકેટના માઈખાઓ બીચ પર બન્યું હતું. ઈગ્લેન્ડના સરે પરગંણાની રહેવાસી 10 વર્ષિય ટીલી સ્મિથ તેના માતાપિતા અને બહેનો સાથે બીચ પર હતી. તેણે તાજેતરમાં જ સુનામી અંગે શાળામાં ભણી હતી. જેથી તેણે પોતાના પરિવારને આ બાબતે ચેતવણી આપી કે હવે સુનામી નજીકમાં છે. તેના માતાપિતાએ બીજા લોકો અને હોટલ સ્ટાફને આ બાબતે ચેતવ્યા. આના થોડા સમયમાં સુનામી ત્રાટક્યું હતું. તાજેતરમાં જ ભૂગોળ અંગેના પાઠને કારણે સ્મિથે કેટલાય લોકોના જીવ બચાવ્યા. જેને જશ તેને મળે છે.તે આ અંગે પોતાના ભૂગોળના શિક્ષક એન્ડ્રુ કેરનેયને જશ આપે છે. હિંદ મહાસાગરમાં 2004 સુનામી (2004 tsunami)માં ઉદભવ્યું હતું. જે આફ્રિકાના કિનારે કે અન્ય પુર્વિય કિનારે નોંધાયું ન હતું. આ સુનામી પુર્વ તરફથી આવ્યું હતું. આનું કારણ મોજાનો પ્રકાર છે-જે પુર્વીય બાજુની ફોલ્ટ લાઈનની નીચી બાજુ તરફ પ્રસરતા હતા, અને પશ્ચિમી બાજુની ઉપરલી તરફ આવતા હતા. પશ્ચિમી સ્પંદનને કારણે આફ્રિકા અને અન્ય પશ્ચિમી કિનારાઓમાં પાણી ભરાયું હતું. બધા જ સુનામીના 80 ટકા સુનામી પેસિફિક મહાસાગરમાં ઉદભવે છે, પરંતુ જ્યા મોટી માત્રમાં પાણી કે (જેમાં ટાપુની અંદર આવેલા તળાવનો પણ સમાવેશ થાય છે) હોય છે ત્યારે આ શક્ય બને છે. જેનું કારણ જમીન ઘસી પડવું, જ્વાળામુખીનો વિસ્ફોટ, કે ભૂસ્તરીય ગતિવિધીઓ હોઈ શકે છે. "જિઓગ્રાફિકલ" મેગેઝીન(એપ્રિલ 2008)માં આવેલા લેખ હિંદ મહાસાગરનું સુનામી મુજબ 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલું સુનામી પ્રદેશની તુલનામાં એટલું ભયાનક સુનામી ન હતું જેટલી પ્રદેશમાં શક્યતા છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સુનામી રીસર્ચ સેન્ટરના પ્રોફેસર કોસ્ટાસ સાયનોલાકિસ દ્વારા "જિઓગ્રાફિકલ જર્નલ ઈન્ટરનેશનલ"માં સયુંકત રીતે લખાયેલા અભ્યાસ પેપરમાં શક્યતા દર્શાવવામાં આવી છે કે હિંદ મહાસાગરમાં ભવિષ્યમાં ઉદભવતા સુનામી, મડાગાસ્કર, સિંગાપોર, સોમાલિયા, પશ્ચિમી ઓસ્ટ્રેલિયા, અને અન્ય ઘણા પ્રદેશોમાં અસર કરશે. બોક્સિંગ ડેના દિવસે આવેલા સુનામીએ 300,000 લોકોનો ભોગ લીધો હતો. જેમાં ઘણાના મૃતદેહો દરિયામાં લાપતા બન્યા હતા જ્યારે ઘણાના મૃતદેહો ઓળખી શકાયા ન હતા.કેટલાક બિન સત્તાવાર રીપોર્ટ મુજબ આ સુનામીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1 મિલિયન(10 લાખ) લોકો માર્યા ગયા હોઈ શકે છે. ચેવતણી અને સાવચેતી right|thumb|બ્રિટીશ કોલંબિયા (British Columbia)ના બામફિલ્ડ (Bamfield)માં સુનામીનીચેતવણી દર્શાવતા ચિન્હો. [[ચિત્ર:Tsunami wall.jpgજાપાનના સ્યુ (Tsu) ખાતે |right|thumb|સુનામી દિવાલ.]] ચોક્કસ જગ્યાએ ચોક્ક્સ મેગ્નિટીટ્યુડનો ભૂંકપ થાય તો પણ-સુનામીથી બચી શકાય કે તેની ચોક્કસ આગાહી કરી શકાય નહીં. ભૂસ્તરશાસ્ત્રી, સમુદ્રવિજ્ઞાનીઓ અને ભૂકંપ શાસ્ત્રીઓ, દરેક ભૂકંપનું વિશ્લેષ્ણ કરે છે અને ઘણા બધા ઘટકોને લઈને સુનામીની ચેતવણી જાહેર કરવી કે નહીં તેનો નિર્ણય લે છે. જો કે, કેટલીક જગ્યાઓએ સુનામીને લગતી ચેતવણી લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘણી સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ કરાઈ રહ્યો ચે જે દ્વારા સુનામીથી થતા નુકશાનને ઓછું કરી શકાય."બોટમ પ્રેશર સેન્સર્સ" નામની એક સિસ્ટમને વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેના પર સતત નજર રાખવામાં પણ આવી રહી છે. લંગર હોય છે જે બોયાની જોડે જોડાયેલા હોય છે. મહાસાગરના તળિયે વહી રહેલા પાણીના પ્રેશરને સેન્સર્સ સતત મોનિટર કરતા રહે છે, જે માટે સામાન્ય ગણતરીનો ઉપયોગ કરવામાં આવે છે. \,\! P = \rho gh () જ્યાં પી= ન્યુટન પર ચોરસ મીટરે ઓવરલેઈંગ દબાણ. (pressure) = ઘનતા (density) ની દરિયાઈ પાણીની (seawater)= 1.1 x 103 કિ.ગ્રા/મી3, જી= ગૂરૂત્વાકર્ષણને લીધે વેગ (acceleration due to gravity)= 9.8 એમ/એસ 2 અને એચ=વોટર કોલમમાં પાણીની ઉંચાઈ મીટરમાં 5,000 મીટર ઉંડાઈનું વોટર કોલમ હોવાના કારણે ઓવરલાઈંગ પ્રેસ બરાબર અથવા લગભગ 5.7 મિલિયન ટન પર ચોરસ મીટર દાખલા તરીકે, જ્યાં સુનામીના અગ્રણી મોજા ટ્રૉફ હોય, ત્યારે સુનામી મોજા આવે તેના પહેલા દરિયાકિનારે પાણી ઘટવા લાગે છે. જો દરિયાઈ સીબેડનો ઢાળ છીછરો હોય તો આ ઘટાડો ઘણા મીટર્સ સુધીનો હોઈ શકે છે. જોખમ હોવા છંતા આ વાતથી અજાણ લોકો ઉત્સુક્તાને કારણે તેમજ દરિયાકિનારે જ રહે છે અને ખુલ્લી પડેલી જગ્યામાંથી માછલીઓ વિણવા લાગે છે. 26 ડિસેમ્બર 2004ના હિંદ મહાસાગરના સુનામી દરમિયાન પાણી ખેંચાયું હતું અને લોકો આનું કારણ તપાસવા માટે ખુલ્લા વિસ્તારમાં ઘસી ગયા હતા.લેવાયેલા ફોટોગ્રાફ મુજબ સામાન્ય રીતે પાણીમાં રહેતા વિસ્તારમાં લોકો ઉભા દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં દરિયાના મોજા આવી રહેલા જોઈ શકાય છે.બીચ પરના મોટાભાગના લોકો ભાગી શકવામાં નિષ્ફળ રહ્યા હતા અને મોતને ભેટ્યા હતા. left|200px|thumb|જાપાનમાં 2004માં કામાકુરા (Kamakura)માં દરિયાઈ દિવાલ (seawall) પર લગાવવામાં આવેલું સુનામીની ચેતવણી દર્શાવતું ચિન્હ.મુરામાચી સમયગાળા (Muromachi period) દરમિયાન, સુનામી કામાકુરામા ત્રાટક્યું હતું, જેણે અમિદા (Amida) બુદ્ધ (Buddha)ની કોટોકુઈન (Kotokuin)માં રાખવામાં આવેલી મુર્તિના લાકડાના બિલ્ડીંગને તોડી પાડ્યું હતું. ત્યાર બાદથી આ મુર્તિઓ બહાર રાખવામાં આવી છે. જે પ્રાંતોને સુનામીનો વધુ ખતરો છે તેઓએ સુનામી ચેતવણી સિસ્ટમ (tsunami warning system)નો ઉપયોગ કરી શકે જે દ્વારા સુનામી ત્રાટકે તે પહેલા સામાન્ય લોકોને ચેતવણી આપીને સલામત સ્થળે ખસેડી શકાય.અમેરિકાના પશ્ચિમ કિનારે, જે પેસિફિક મહાસાગરમાંથી ઉભા થતા સુનામી જોખમ તરફ ઢળેલો છે ત્યાં લોકોને સુનામી વખતે કયા રસ્તાનો ઉપયોગ કરવો તેના ચિન્હો મુકવામાં આવ્યા છે. હોનોલુલુમાં સુનામી ચેતવણી સિસ્ટમ લગાવવામાં આવી છે.પેસિફિક મહાસાગરમાં ભુસ્તરને લઈને થતી બધી જ પ્રવૃતિ પર આ સિસ્ટમ નજર રાખે છે. મૅગ્નિટયૂડ અને અન્ય માહિતી દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાય છે. અંહી એ વાત નોંધવી જોઈએ કે, પેસિફિક મહાસાગરમાં સક્રિયપણે ભૂસ્તર પ્રવૃતિઓ થઈ રહી છે, પરંતુ બધા જ ભૂકંપ સુનામી ઉત્પન્ન કરતા નથી. અને આ માટે કમ્પ્યુટરની મદદ લેવાયછે. જે દ્વારા પેસિફિક મહાસાગર કે આજુબાજુની જગ્યાઓ પર થતા ભૂકંપનું યોગ્ય વિશ્લેષ્ણ કરવામાં આવે છે જે દ્વારા સુનામીની શક્યતાઓ તપાસવામાં આવે છે. ત્યાર બાદ જ સુનામીની જાહેરાત કરાય છે. હિંદ મહાસાગરમાં આવેલા સુનામીની સીધી અસર હેઠળ દરેક દેશોની કેન્દ્ર સરકાર સુનામી અંગે ગંભીર બની છે. જેથી સુનામીની ચેતવણી જાહેર કરતા પહેલા કેન્દ્ર સરકારો અને યુનાઈટેડ નેશન્સની ડીઝાસ્ટર મિટિગેશન કમિટી દ્વારા વસ્તુ સ્થિતિને ચકાસવામાં આવે છે. હાલમાં હિંદ મહાસાગરમાં સુનામી વોર્નિંગ સિસ્ટમ ઈન્સોટલ કરવામાં આવી છે. સુનામી આવવાની આગાહી કમ્પ્યુટર મોડેલ (Computer model) કરી શકે છે. નિરિક્ષણ દ્વારા ખબર પડી છે કે કમ્પ્યુટર દ્વારા સુનામી ઉત્પન્ન થાય છે તેની ગણતરીની મિનિટોમાં જ કમ્પ્યુટર સુનામીની ચેતવણી જાહેર કરે છે. બોટમ પ્રેશર સેન્સર્સને દરિયાના તળે ચાલી રહેલી ભુસ્તરીય પ્રવૃતિઓની મળેલી માહીતી અને રિડિંગને આધારે સેન્સર્સ માહીતી પ્રસારીત કરે છે. આ ઉપરાંત સીફ્લોર(બાથમેથી (bathymetry)) અને દરિયાકાંઠાની જમીન(ટોપોગ્રાફી (topography)) પણ મહત્વના પરિબળ છે. આના દ્વારા આવી રહેલા સુનામીના મોજાની વિશાળતા અને તેની ઉંચાઈનો અંદાજ લગાવી શકાય છે. પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલા દરેક દેશો સુનામી ચેતવણી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. અને આ દેશો સુનામીની અસરથી બચાવવા માટે લોકોને દરિયાકાંઠો ખાલી કરાવવાની અન્ય તાલીમ સમયસર આપતા રહે છે. જાપાનમાં આ પ્રકારની તાલિમ, કેન્દ્ર સરકાર, સ્થાનીક સત્તામંડળો, કટોકટીની સર્વિસ અને સામાન્ય જનતા માટે ફરજિયાત છે. [[ચિત્ર:Tsunami Evacuation Route signage south of Aberdeen Washington.jpgવોશિંગ્ટન (Washington)માં |right|thumb|સુનામી ઇવૅક્યુએશન રૂટ સંજ્ઞા યુ એસ. રૂટ 101 (U.S. Route 101)ની સાથે.]] કેટલાક પ્રાણીશાસ્ત્રીઓ માની રહ્યા છે કે પ્રાણીઓ આ પ્રકારની સંજ્ઞા જલ્દી સમજી જાય છે. તેઓ ભૂકંપને રેલેગ મોજા (Rayleigh waves) કે સુનામીની ને સમય પહેલા જ સમજી લે છે. કેટલાક પ્રાણીઓને કુદરતી આપત્તિઓ સમજવાની શક્તિ હોય છે. જો તેઓને સતત નિરિક્ષણમાં રાખવામાં આવે તો તેઓ ભૂકંપ, સુનામી સહીતની વિપત્તિઓની વહેલી ચેતવણી આપી શકે છે. જો કે, પુરાવા વિવાદાસ્પદ છે અને વિજ્ઞાનની રીતે પુરવાર થયા નથી.કેટલાક બિન ચકાસાયેલા દાવા મુજબ લિસ્બન ભૂકંપ પહેલા પ્રાણીઓ વ્યાકુળ બન્યા હતા અને નીચેથી ઉંચી જગ્યાએ જતા રહ્યા હતા.તેમજ આજ વિસ્તારના કેટલાક પ્રાણીઓ ઉંચેથી નીચે આવ્યા હતા.આ પ્રકારની વાત 2004ના હિંદ મહાસાગરના ભૂકંપ (2004 Indian Ocean earthquake)વખતે શ્રીલંકા (Sri Lanka)ના મિડીયા દ્વારા નોંધવામાં આવી છે. એ શક્ય છે કે કેટલાક ચોક્કસ પ્રાણીઓ(દા.ત. હાથી) જેઓ દરિયાકાંઠે ફરતા હોય તેઓએ સુનામીનો અવાજ સાંભળ્યો હોઈ શકે છે. હાથીઓ અંગે પ્રતિક્રિયા આપતા અવાજ આવતો હોય ત્યાંથી દુર જતા રહે છે. તો બીજી બાજુ કેટલાક માણસો આ ઘટનાની તપાસ કરવા માટે દરિયામાં ઉતરે છે અને અંતે મોતને ભેટે છે. સુનામીને રોકવું અશક્ય છે.જો કે, સુનામી જ્યા વારંવાર આવે છે તેવા દેશોમાં ભૂકંપ એન્જિનિયરિંગ (earthquake engineering) દ્વારા દરિયાકાંઠે સુનામીની અસર ઓછી કરવાના પ્રયાસો કરાયા છે. વધુ વસ્તી ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જાપાને 4.5 મીટર(13.5 ફુટ) ઉંચી સુનામી દિવાલ (tsunami wall)બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. તો કેટલાક વિસ્તારોમાં ફ્લડગેટ અને ચેનલ બનાવવામાં આવી છે જે દ્વારા સુનામીના પાણીને અન્યત્ર વાળી શકાય.જો કે, તેની અસરકારકતા અંગે પ્રશ્ન ઉભા જ છે. કારણ કે સુનામીના મોજા આ અવરોધકો કરતા ક્યાંય ઉંચા હોય છે. દાખલા તરીકે. 12 જુલાઈ 1993માં થયેલા ભૂકંપની બેથી પાંચ મીનીટમાં જ ઓકુશીરી હોકાઈડો સુનામી (Okushiri, Hokkaidō tsunami) હોકાઈડો (Hokkaidō) ઓકુશીરી ટાપુ (Okushiri Island)પર સુનામીના મોજા ત્રાટક્યા હતા. આ મોજાની ઉંચાઈ 30 મીટર(100 ફુટ) મપાઈ હતી. ઉંચાઈ મુજબ મોજા 10 માળની ઈમારત જેટલા ઉંચા હતા. દરિયાકાંઠાનું શહેર એઓને (Aonae) સુનામી દિવાલ દ્વારા ઘેરાયેલું છે, પરંતુ મોજાઓએ આ દિવાલને વટાવીને અંદરના વિસ્તારમાં ઘુસી આવ્યા હતા અને લાકડાની દરેક વસ્તુનો નાશ કરી દીધો હતો. દિવાલ કદાચ મોજાની તીવ્રતા તેમજ તેની ઉંચાઈ ઘટાડી શકે પરંતુ મોટું નુકશાન અને લોકોના જીવ બચાવી શકે નહીં. સુનામીની અસરોને કુદરતી ઉપાયો જેવા કે વૃક્ષો કે દરિયાઈ પટ્ટી દ્વારા ઘટાડી શકાય છે. 2004ના હિંદ મહાસાગર સુનામીના રસ્તામાં આવતા કેટલાક વિસ્તારો બચી ગયા હતા. કારણ કે સુનામીની ઉર્જા આ વિસ્તારોમાં આવેલા નાળિયેર (coconut palm) કે મેંગ્રોવ (mangrove)ના વૃક્ષોએ ખેંચી લીધી હતી. એક અસરકારક ઉદાહરણમાંસ ભારતમાં આવેલા તામિલનાડુ (Tamil Nadu)ના નેલુવેદાપાથી (Naluvedapathy)ગામમાં ઘણું ઓછું નુકશાન થયું હતું અને માત્ર થોડાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ માટે કારણ એ હતું કે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of Records)માં સ્થાન મેળવવા માટે આ વિસ્તારમાં 80,244 જેટલા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા જેથી મોજાઓની શક્તિ તુટી ગઈ હતી અને જાનહાની ઓછી થઈ હતી. આથી પર્યાવરણવાદીઓ સુનામીના જોખમનો સામનો કરી રહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાની સલાહ આપી રહ્યા છે. ઉપયોગમાં આવી શકે તેવા વિકસિત વૃક્ષો થવામાં કેટલોક સમય લાગી શકે છે, પરંતુ વૃક્ષોની વાવણી ઘણી સસ્તી થાય છે અને લાંબાગાળાની હોય છે. જે કુત્રિમ અવરોધો દ્વારા સુનામીના નુકશાનને ઘટાડવાના પ્રયાસ છે તેના કરતા વધુ સારી છે. સુનામીનો ઇતિહાસ ઐતિહાસિક પરિમાણમાં જોઈએ તો સુનામીની ઘટના બહુ અસામાન્ય નથી. ગત સદી દરમિયાન કુલ 25 જેટલી સુનામી ઘટનાઓ નોંધાઈ છે. જેમાંની ઘણી ઘટનાઓ એશિયા-પેસિફિક વિસ્તાર અને ખાસ કરીને જાપાનમાં નોંધાઈ છે.2004માં બોક્સિંગ ડે સુનામી (Boxing Day Tsunami)ને કારણે 350,000 લોકોના મોત થયા હતા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈસ.પુર્વે 426 પહેલા (As early as 426 B.C.) ગ્રીક (Greek)ઇતિહાસવિદ્ થુસાયડીડેશે (Thucydides) પોતાના પુસ્તક પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ (History of the Peloponnesian War) પુસ્તકમાં સુનામીના કારણોની તપાસ કરી છે. અને ચોક્કસ દલીલ કરી છે કે આનું કારણ દરિયાઈ ભૂકંપ જ છે. થુસાયડીડેશ (Thucydides)" પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ", 3.89.1-4જેથી તેઓ કુદરતી વિજ્ઞાન (natural science)ના ઇતિહાસમાં પહેલા વ્યકિત બન્યા જેઓ ભૂકંપ અને મોજાને કારણ અને અસરના સંદર્ભમાં એકબીજા સાથે સાંકળ્યા. સ્મીટ ટી.સી.: "'ગ્રીક સાહિત્યમાં સુનામી ", ગ્રીસ અને રોમ , બીજો સર્વે, વોલ. 17, નં. 1 (એપ્રિ., 1970), પેજ. 100–104 (103f.) મારા મતે આનું કારણ ભૂકંપમાં શોધવું જોઈએ.દરિયામાં પહેલા પાણી શોષાઈ જાય છે અને ત્યાર બાદ તે બેગણી શક્તિથી પાછું ફરે છે અને વિસ્તારમાં પાણીની રેલમછેલ કરી દે છે. હું માનું છું કે આ ઘટના ભૂકંપ વગર શક્ય બની ન શકે. થુસાયડીડેશ (Thucydides) " પેલોપોનેશિયન યુદ્ધનો ઇતિહાસ", 3.89.5 એલેકઝાન્ટ્રીયા (Alexandria)ને તબાહ કરી દેનાર 365માં આવેલા સુનામી (365 A.D. tsunami)બાદ રોમન (Roman)ઇતિહાસકાર એમેનુસ મારસેલ્યુઅસ (Ammianus Marcellinus) (રેસ ગેસ્ટે 26.10.15-19)એ સુનામીની નમુનારૂપ ઘટનાક્રમ વર્ણવ્યો છે. જેમાં પ્રારંભનો ભૂકંપ, અને દરિયાની પ્રતિક્રિયા અને વિશાળ કદના મોજાનું ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું છે. કેલી, ગાવીન(2004)" અમાઈનસ અને સુનામી" ધ જર્નલ ઓફ રોમન સ્ટડીઝવોલ.94, પીપી.141–167 (141)સ્ટેઈન્લે, જેન-ડેનિયલ એન્ડ જોર્સ્તાદ, થોમસ એફ. (2005)" 365માં સુનામીએ એલેક્ઝાન્ડ્રીયાનો નાશ કર્યો, ઈજીપ્તનું ધોવાણ, સ્ટાર્ટાનો દેખાવ બગાડવો અને એલોથોનોનસ વસ્તુનો ઉપયોગ કરવો. " વધુ જુઓ ભૂકંપ (Earthquake) હાઈ ગ્રાઉન્ડ પ્રોજેક્ટ (Higher Ground Project) હાઈપોથેટીકલ ફ્યુચર ડીઝાસ્ટર (Hypothetical future disasters) તારાજી વેરનાર કુદરતી આપત્તિઓની યાદી (List of deadliest natural disasters) મહાભયાનક સુનામીઓની યાદી (List of Deadliest Tsunamis) ભૂકંપની યાદી (List of earthquakes) મેગાસુનામી (Megatsunami) મેટોસુનામી (Meteotsunami) મિનોઅન ફાટવું (Minoan eruption) રોગ મોજા (Rogue wave) સ્નીકર(અવાજ ન કરે તેવા) મોજા (Sneaker wave) જ્વાળામુખી પર્વત (Supervolcano) ભરતીઓટ (Tidal bore) સુનામી સોસાયટી (Tsunami Society) સુનામી વોર્નિંગ સિસ્ટમ (Tsunami warning system) યુનાઈટેડ કિંગ્ડમમાં સુનામી (Tsunamis in the United Kingdom) પાદનોંધ સંદર્ભો abelard.org. સુનામી: સુનામીની તીવ્ર ઝડપ પણ અનંત નહીં . મેળવવામાં આવ્યું March 29, 2005. ડુડેડલી, વોલ્ટર સી & લી, મીન (1988: પહેલી આવૃતિ) સુનામી!ISBN 0-8248-1125-9 લિંક ઈવાન, ડબલ્યુ.ડી એડિટર 2006, 26 ડિસેમ્બર 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલ સુનામી અને ગ્રેટ સુમાત્રા ભૂકંપ અંગેનો રીપોર્ટ, સમરીઃભૂકંપ એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ઈઈઆરઆઈ પબ્લિકેશન # 2006-06, 11 પ્રકરણ, 100 પેજ, સમરી, વત્તા ટેક્સ્ટ સાથેની સીડી રોમ અને ફોટોગ્રાફ, ઈઈઆરઆઈ રીપોર્ટ 2006-06.ISBN 1-932884-19-X કેનેલી, ક્રિસ્ચયન(ડિસેમ્બર 30, 2004)"સુનામીમાંથી બચેલા"સ્લેટ. લિંક લેમ્બોર્ન, હેલેન(27 માર્ચ, 2005)"સુનામીઃ એનાટોમી ઓફ ડીઝાસ્ટર"બીસીસી ન્યુઝ (BBC News). લિંક માસેય, રીચાર્ડ(1 જાન્યુઆરી, 2005)"ધ બિગબેંગ ઘેટ ટ્રીગર્ડ અ ટ્રેજડી" ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ (The Sydney Morning Herald), પેજ 11, અવતરણ ડૉ. માર્ક લિયોનાર્ડ, જિયોસાયન્સ ઓસ્ટ્રેલિયાના ભૂસ્તરશાસ્ત્રી NOAAના પેજ પર 2004 હિંદ મહાસાગરનો ભૂકંપ અને સુનામી તાપીન, ડી, 2001સ્થાનિક સુનામી.ભૂસ્તરશાસ્ત્રી11–8, 4–7. http://www.telegraph.co.uk/news/1480192/Girl-10-used-geography-lesson-to-save-lives.html10 વર્ષની બાળકીએ ભૂગોળના પાઠ દ્વારા લોકોના જીવ બચાવ્યા. બાહ્ય કડીઓ લેખો અને વેબસાઈટ શું એચ એફ રડાર સુનામીને પકડી શકે? -યુનિવર્સિટી ઓફ હમર્બગ એચએફ -રડાર એન્વીરટેક સુનામી વોર્નિંગ સિસ્ટમ -દરિયાઈભૂંકપ અને દરિયાઈ સપાટી ગેજ પર આધારીત geology.com મોટાભાગની સુનામી માટે પર્વત ઢળી પડવાનું કારણ જવાબદાર સુનામીથી કેવી રીતે બચી શકા- બાળકો અને યુવાનો માટેની ગાઈડ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિયોહેઝાર્ડ(આઈસીજી) ITSU —પેસિફિક સુનામી વોર્નિંગ સિસ્ટમ અંગે સંયોજક જુથ જકાર્તા સુનામી ઈન્ફોર્મેશન સેન્ટર નેશનલ સુનામી હેઝાર્ડ મિટિગેશન પ્રોગ્રામ -કેન્દ્ર અને રાજ્યોના પ્રયાસોને યુનાઈટેડ સ્ટેટે કોર્ડીનેટ કર્યા NOAA સેન્ટર ફોર સુનામી રીસર્ચ (NCTR) NOAA સુનામી—સુનામીનું સામાન્ય વર્ણ અને અમેરિકાનીNOAAની ભૂમિકા NOVA: વેવ ધ શોક ધ વર્લ્ડ—2004ના સુનામી બાદ થોડા જ દિવસોમાં તૈયાર કરાયેલ રીપોર્ટ અને જગ્યા. પેસિફિક સુનામી મ્યુઝિયમ "સાયન્સ ઓફ સુનામી હેઝાર્ડ" જર્નલ સાયન્ટીફીક અમેરિકન મેગેઝીન(જાન્યુઆરી 2006નો અંક) સુનામીઃ વેવ ઓફ ચેન્જ ડિસેમ્બર 2004ના હિંદ મહાસાગરના સુનામીમાંથી આપણે શું શીખ્યા. સોશિયલ એન્ડ ઈકોનોમિક કોસ્ટ ઓફ સુનામી ઈન યુનાઈટેડ સ્ટેટ NOAA "સોશિયોઈકોનોમિક્સ" વેબસાઈટની પહેલ સુનામી સેન્ટર-યુનાઈટેડ સ્ટેટ નેશનલ વેધર સર્વિસ સુનામીનો ડેટાબેઝ વિગતો અને આંકડાઓ સાથે સુનામી ચેતવણી - સુનામીની ચેતવણી મોબાઈલ ફોન વડે સુનામી અને ભૂકંપ USGS: સુનામીમાં બચેલા (યુનાઈટેડ સ્ટેટ) તસ્વીરો અને વિડીયો વધુ જુઓઃ તસ્વીરો અને વિડોય, 2004 હિંદ મહાસાગરનો ભૂકંપ (Images and video, 2004 Indian Ocean earthquake) 2004 એશિયન સુનામી સેટેલાઈટ તસ્વીર(પહેલા અને પછી) ડીસેમ્બર 2004માં શ્રીલંકા, થાઈલેન્ડ, અને ઈન્ડોનેશિયામાં ત્રાટકનાર સુનામીની એમ્ચ્યોર કેમકોડર વિડીયો સ્ટ્રીમ(સુનામી માટે શોધવું) એમ્ચ્યોર ફોટો થાઈલેન્ડ સુનામી 2004 ચીલીના દરિયાકિનારે ઉદભવેલા 1960ના સુનામી તોફાનનું એનિમેશન NOAA સેન્ટર ફોર સુનામી રીસર્ચમાં સુનામીની ખરેખર અને નકલનું એનિમેશન CBC ડિજિટલ આર્કાઇવ્ઝ – કેનેડાના ભૂકંપ અને સુનામી કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવેલુ સુનામીનું એનિમેશન સુનામીનો ઉદભવ- એનિમેશન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખંડીય પ્લેટો અથડાઈ અને કેવી રીતે 26 ડિસેમ્બર 2004ની આપત્તિ સર્જાઈ. સિંગાપોર સૈન્ય (Singapore Armed Forces)દ્વારા સુનામીગ્રસ્ત વિસ્તારોને માનવીય ધોરણોએ પહોંચાડાયેલી મદદના ફોટો અને વિડીયો. પેનાંગ અને કુઆલા મુડા, કેદાહ માં સુનામી પછીની સ્થિતિ સુનામીગ્રસ્ત વિસ્તારોની સેટેલાઈટ ઈમેજ, હાઈ રેઝલૂશન સેટેલાઈટ ઈમેજમાં 2004નાં સુનામીની અસરો અને ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ભારતના નિકાબાસ ટાપુના વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. બચેલા વ્યકિતઓ-પ્રવાસીઓ દ્વારા ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે સુનામીની દિલધડક તસ્વીરો લેવવામાં આવી હતી. (ઉપલબ્ધ નથી) શ્રેણી:Physical oceanography શ્રેણી:Japanese words and phrases શ્રેણી:Flood શ્રેણી:Water waves શ્રેણી:Forms of water શ્રેણી:Earthquake engineering
ધરતીકંપ
https://gu.wikipedia.org/wiki/ધરતીકંપ
ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે.સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ (Mercalli scale) પર માપવામાં આવે છે. ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે. એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો (seismic wave) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના (phenomenon) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ (faults) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) (hypocenter) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે. thumb|300px|વૈશ્વિક ભૂકંપના એપિસેન્ટર્સ (epicenter), 1963 અને ; 1998 thumb|300px|right|પૃથ્વીના આંતર પોપડાઓનું ટેકટોનિક હલનચલન કુદરતી ભૂકંપો thumb|right|ભંગાણના પ્રકારો ટેકટોનિક ધરતીકંપો આ પૃથ્વી પર ગમે ત્યાં થઈ શકે છે. જયાં પણ ભંગાણના સ્તર (fault plane) ઊંચા થઈ શકે કે તૂટી શકે એટલી માત્રામાં સ્થતિસ્થાપક ઊર્જા સંગ્રહાઈ હોય ત્યાં આ ધરતીકંપો સર્જાતા હોય છે. પૃથ્વીની સૌથી વધુ સપાટી જેનાથી રચાઈ છે તે પરાવર્તી (transform) પ્લેટ અથવા કેન્દ્રગામી (convergent) પ્રકારની પ્લેટ છે. જો ઘર્ષણ વધારતી હોય તેવી કોઈ અનિયમિતતા અથવા ખરબચડાપણું (asperities) ન હોય તો આ પ્લેટો (પોપડાઓ) એકબીજા પર સહેલાઈથી અને ધરતીકંપના તરંગો ઉપજાવ્યા વિના (aseismically) સરે છે. પરંતુ મોટા ભાગના પોપડાઓના છેડા આવું ખરબચડાપણું ધરાવતા હોય છે અને તેથી અથડાવું-સરકવું જેવી ઘટના (stick-slip behaviour) ઘટે છે.આવી રીતે જો પૃથ્વીના બે આંતર પોપડાઓના છેડા એકબીજામાં અટવાઈ જાય તો બે પોપડાઓના સતત હલનચલનથી તણાવ વધે છે અને તેથી પોપડાઓના એ છેડા પર ખાસ્સા પ્રમાણમાં ઊર્જા ઊભી થાય છે.જયાં સુધી છેડા પરનું ખરબચડાપણું તૂટી ન જાય ત્યાં સુધી તણાવ વધતો રહે છે અને પછી અચાનક છેડાનો અટવાઈ ગયેલો ભાગ છૂટીને ઊંચો થઈને બીજા સ્તર પર સરકે છે અને અત્યાર સુધી સંગ્રહાયેલી ઊર્જા છૂટી પડે છે. આ જે ઊર્જા મુકત થાય છે તે કેટલાક મૂળભૂત તત્ત્વો (strain) ધરતીકંપ સર્જતા તરંગો (seismic waves), પોપડાઓના છેડા પરના ઘર્ષણથી પેદા થયેલી ગરમીના રૂપમાં છૂટા પડે છે જેનાથી ઘણી વાર પથ્થર/પહાડ પણ તૂટી જાય છે અને આમ ધરતીકંપ આવે છે. ધીમે ધીમે મોટું કદ લઈ રહેલા આ તણાવ અને ઘર્ષણ ઘણી વાર અચાનક ધરતીકંપમાં પરિણમતા નથી, જેને સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત (ઈલેસ્ટીક-રીબાઉન્ડ થીયરી) (Elastic-rebound theory) કહે છે. ધરતીકંપની કુલ ઊર્જામાંથી માત્ર 10 ટકા કે તેથી પણ ઓછી ઊર્જા સિઝમીક એનર્જી તરીકે છૂટી પડે છે તેવું અનુમાન છે.ધરતીકંપની મોટા ભાગની ઊર્જા પોપડાઓમાં ભંગાણ (fracture) પેદા કરવામાં વપરાઈ જાય છે અથવા તો પછી ઘર્ષણથી પેદા થતી ગરમીમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ, ધરતીકંપો પૃથ્વીની સંભવિત સ્થિતિસ્થાપક ઊર્જામાં ઘટાડો કરે છે અને તેના તાપમાનમાં વધારો કરે છે. જો કે આ બદલાવો, પૃથ્વીના પતાળમાં રહેલી અઢળક ગરમીની સરખામણીમાં નહિવત્ છે. ધરતીકંપ ભંગાણના પ્રકારો ભંગાણના ત્રણ મુખ્ય પ્રકાર છે જે ધરતીકંપ સર્જી શકે છેઃ સામાન્ય, વિરોધી (દબાણ) અને અથડામણ-સરવું.સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડૂબવા-સરવાના ઉદાહરણ છે, જેમાં પોપડા નીચેની (dip) દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઊભી ગતિવિધિ થાય છે.જયાં પૃથ્વીનો પોપડો વિસ્તૃત (extended) થયેલો હોય, જેમ કે અપસારી (વિરોધી) સીમાઓ, ત્યાં સામાન્ય ભંગાણ થઈ શકે છે. જયાં પૃથ્વીનો પોપડો સંકોચાયેલો (shortened) હોય, જેમ કે કેન્દ્રગામી સીમાઓ- આવા વિસ્તારોમાં વિરોધી ભંગાણ થઈ શકે છે.જયારે પૃથ્વીના પોપડાઓની બે બાજુઓ એકબીજાની પાછળ સમાંતરે સરતી હોય ત્યારે અથડામણ-સરવું પ્રકારનું ભંગાણ આ કરાડ પોપડાઓમાં થાય છે; આ પ્રકારના અથડામણ-સરવું પ્રકારના ભંગાણમાં વિશેષ રૂપે સીમાઓ બદલાતી હોય છે. પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુ-બાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધિઓ ઘણા ધરતીકંપોના મૂળમાં જોવા મળી છે; જેને ત્રાંસમાં સરવું કહેવામાં આવે છે. પોપડાઓની સરહદોથી દૂર ધરતીકંપ જયારે કોઈ એક ખંડીય શિલાવરણમાં પૃથ્વીના પોપડાઓની સીમાઓ આવેલી હોય ત્યારે ઊભી થતી વિકૃતિ પોપડાની પોતાની સીમા કરતાં પણ વધુ મોટા વિસ્તારમાં ફેલાય છે.સન આન્દ્રેઝ ફોલ્ટ (San Andreas fault)ના ખંડીય પરાવર્તનના કિસ્સામાં, ફોલ્ટના વિસ્તાર (દા.ત. "બિગ બેન્ડ" ક્ષેત્ર)માં મુખ્ય અનિયમિતતાઓ અને સર્જાયેલા વધારાના ભાગના કારણે અનેક ધરતીકંપો થયા, જે પોપડાની સરહદોથી ઘણા દૂર હતા. નોર્થરીજ ધરતીકંપ (Northridge earthquake)માં આ પ્રકારના વિસ્તારમાં આંધળા ધસારાની બાબત કારણભૂત હતી. પોપડાઓની કેન્દ્રગામી ત્રાંસી ગતિનું બીજું ઉદાહરણ ઝેગ્રોસ (Zagros) પર્વતમાળાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી અરેબિયન (Arabian) અને યુરેશિયન પ્લેટ (Eurasian plate)ની સરહદો વચ્ચે થતી અતિશય ત્રાંસી કેન્દ્રગામી ગતિનું છે. આ પોપડાની સીમા સાથે જોડાયેલો વધારાનો કે ઊંચો થયેલો ભાગ છેવટે એક હડસેલા સાથે છૂટો પડે છે અને સીમાની દક્ષિણપશ્ચિમના વિશાળ વિસ્તારને બરાબર કાટખૂણે ઘર્ષણમાં આવે છે. આ એકદમ સ્પષ્ટ અથડાવાની-સરવાની ક્રિયા છે જે તાજા ભંગાણની સાથોસાથ અને લગભગ પોપડાની સીમાને લગોલગ થાય છે.ધરતીકંપની કેન્દ્રીય હિલચાલ (focal mechanism) થકી આ નિદર્શિત થાય છે.તેલેબિયન, એમ. જેકસન, જે.૨૦૦૪.ઈરાનની ઝેગ્રોસ પર્વતમાળામાં ધરતીકંપના કેન્દ્રીય તંત્રો અને તેની ઊંચાઈ ઘટવાની બાબતનું ફેરમૂલ્યાંકન.જિઓફિઝિકલ જર્નલ ઈન્ટરનેશનલ, ૧૫૬, પૃષ્ઠ ૫૦૬-૫૨૬ પાડોશી પ્લેટ સાથેના ઘર્ષણ અને કચરો ભેગો થવાથી અથવા દૂર (દા.ત. બરફ ઓગળવો) થવાના કારણે તમામ ટેકટોનિક પ્લેટોમાં આંતરિક તણાવ હોય છે. આ તણાવ એટલો થઈ શકે છે કે જેના કારણે હાલના સ્તરોમાં ભંગાણ પડે અને પરિણામે આંતરસ્તરીય ધરતીકંપ (intraplate earthquake) સર્જાય. છીછરા અને તીવ્ર કેન્દ્રવાળા ધરતીકંપો મોટા ભાગના ટેકટોનિક ધરતીકંપો પૃથ્વીના પેટાળમાં અમુક કિલોમીટર ઊંડે આવેલા અગ્નિના વલય પરથી ઉદ્ભવતા હોય છે. 70 કિ.મી.થી ઓછા ઊંડાણે કેન્દ્રબિંદું ધરાવતા ધરતીકંપોને "છીછરા-કેન્દ્રવાળા" ધરતીકંપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જયારે 70થી 300 કિ.મી.નું કેન્દ્રીય ઊંડાણ ધરાવતા ધરતીકંપોને "મધ્યમ-કેન્દ્રવાળા" અથવા તો "મધ્યમ કક્ષા"ના ધરતીકંપો તરીકે ઓળખવામાં આવે છે. એવા સબડકશન ક્ષેત્રો (subduction zones), જયાં જૂનાં અને ઠંડા દરિયાઈ પોપડાઓ (oceanic crust), બીજી ટેકટોનિક પ્લેટની નીચે સરતા હોય છે, ત્યાં ઘણા વધારે ઊંડાણ ધરાવતા (300થી 700 કિ.મી. ઊંડાણે) તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો (deep-focus earthquake) સર્જાઈ શકે છે. સબડકશનના આવા ભૂકંપની રીતે સક્રિય એવા વિસ્તારોને વાદતી-બેનીઓફ ક્ષેત્રો (Wadati-Benioff zone) તરીકે ઓળખવામાં આવે છે. તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો એટલા ઊંડાણે ઉદ્ભવે છે જયાં પોપડાનું શિલાવરણ (lithosphere) ઊંચા તાપમાન અને દબાણને કારણે બરડ રહેતું નથી. જયારે ઓવિલિયન (olivine) માળખું, સ્પાઈનેલ (spinel) માળખામાં તબક્કાવાર રૂપાંતરિત (phase transition) થતું હોય ત્યારે તીવ્ર-કેન્દ્રવાળા ધરતીકંપો સર્જાવાની સંભાવના ઊભી થાય છે. ધરતીકંપો અને જવાળામુખી જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખી (volcano)માં લાવા (magma)ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે, ઉ.દા. 1980માં સ્ટે. હેલન્સ પર્વત (Mount St. Helens) પર ફાટેલ (eruption of 1980) જવાળામુખી. ધરતીકંપના એકથી વધુ બનાવો મોટા ભાગના ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધિત હોય છે અને કોઈક શ્રેણીનો ભાગ હોય છે. અનુવર્તી આંચકાઓ ધરતીકંપના મુખ્ય આંચકા પછી આવતાં આંચકાઓને અનુવર્તી આંચકાઓ કહેવામાં આવે છે, જે એક પ્રકારના ધરતીકંપ જ છે. ધરતીકંપનો મુખ્ય આંચકો આવ્યો હોય તે જ વિસ્તારમાં આ અનુવર્તી આંચકાઓ આવતા હોય છે પરંતુ હંમેશાં ઓછી તીવ્રતા ધરાવતા હોય છે. જો આ અનુવર્તી આંચકો, ધરતીકંપના મુખ્ય આંચકા કરતાં વધુ તીવ્રતાવાળો હોય તો એ આંચકાને ધરતીકંપનો મુખ્ય આંચકો ગણવામાં આવે છે અને તેની પહેલાં ગણાતા મુખ્ય આંચકાને પ્રથમ આંચકા (foreshock) તરીકે ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે છે.વિસ્થાપિત ભંગાણ સ્તર (fault plane) ધરતીકંપના મુખ્ય આંચકાની અસરો સાથે ગોઠવાય તે દરમ્યાન તેની આજુબાજુના પોપડામાં અનુવર્તી આંચકાઓ આવતા હોય છે. ધરતીકંપોની હારમાળા thumb|200px|right|મેકસીકલી નજીક ફેબુ્રઆરી 2008માં આવેલા હારબંધ ધરતીકંપો ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ ધરતીકંપો (earthquake) આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની આ હારમાળા, ધરતીકંપના અનુવર્તી આંચકા (aftershock) કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન (Yellowstone National Park)માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. ધરતીકંપના વાવાઝોડાં ઘણીવાર ધરતીકંપોનું વાવાઝોડું (earthquake storm) કહી શકાય તેવી રીતે ઘણા ધરતીકંપો આવે છે, દરેક ધરતીકંપ તેની પહેલાંના કંપોના કારણે કે તેમના કારણે સર્જાયેલા તણાવને હળવા કરવા માટે આવતો હોય છે. ધરતીકંપના અનુવર્તી આંચકા (aftershock)ની જેમ છતાં ભંગાણના અડોઅડના ભાગે અનુભવાતા આ ધરતીકંપો ઘણી વખત વર્ષોના સમયગાળામાં પથરાયેલા જોઈ શકાય છે; અને તેમાંના કેટલાક પછી આવેલા ધરતીકંપો પહેલાં અનુભવાયેલા ધરતીકંપ જેટલી જ તીવ્રતાવાળા કે તેટલું જ નુકસાન પહોંચાડે છે. 20મી સદીમાં તુર્કીમાં આવેલ ઉત્તર એનાટોલિયન ભંગાણ (ફોલ્ટ) (North Anatolian Fault) પર ત્રાટકેલા લગભગ ડઝનેક જેટલા ધરતીકંપોમાં આવી ભાત જોવા મળી હતી અને મધ્ય પૂર્વમાં આવેલા જૂના અનિયમિત, મોટા ધરતીકંપો માટે તેમના પરથી ધારણા બાંધવામાં આવી હતી. આવર્તનની સંખ્યા અને તીવ્રતા અમેરિકાના કેલિફોર્નિયા (California) અને અલાસ્કા (Alaska) તેમ જ ગુએટમાલા (Guatemala) જેવા વિશ્વના અનેક સ્થળોએ લગભગ સતત નાના ધરતીકંપો આવતા રહ્યા છે.ચીલે (Chile), પેરુ (Peru), ઈન્ડોનેશિયા (Indonesia), ઈરાન (Iran), પાકિસ્તાન (Pakistan), પોર્ટુગલ (Portugal)માં આવેલ એઝોર્સ (Azores), તુર્કી (Turkey), ન્યૂઝીલેન્ (New Zealand)ડ, ગ્રીસ (Greece), ઈટાલી અને જાપાન- ધરતીકંપ લગભગ ગમે ત્યાં આવી શકે- ન્યૂ યોર્ક શહેર (New York City), લંડન (London) અને ઓસ્ટ્રેલિયા પણ બાકાત નહીં. મોટા ધરતીકંપો લાંબા ગાળો આવે છે, આવર્તનની ઝડપ (exponential) સાપેક્ષે જોઈએ તો એક ચોક્કસ સમયગાળામાં આવેલ 4ની તીવ્રતાવાળા ધરતીકંપોની સંખ્યા, ૫ની તીવ્રતાવાળા ધરતીકંપ કરતાં દસ ગણી વધારે છે. (ધરતીકંપની ઓછી સંભાવના ધરાવતા) યુનાઈટેડ કિંગડમમાં, આવેલા ધરતીકંપોના આવર્તનોની સામાન્ય ગણતરી આ મુજબ હતી- 3.7 - 4.6ની તીવ્રતાનો ધરતીકંપ દર વર્ષે, 4.7 - 5.5ની તીવ્રતાનો એક ધરતીકંપ દર 10 વર્ષે, અને 5.6 કે તેથી વધુ તીવ્રતા ધરાવતો ધરતીકંપ દર 100 વર્ષે. યુ.કે.માં ધરતીકંપની સંભાવના અને ભૂકંપજન્યતા આ ગુટેનબર્ગ-રિકટર નિયમ (Gutenberg-Richter law)નું એક ઉદાહરણ છે. 1931માં 350 સિઝમિક સ્ટેશનો હતાં, આજે તેની સંખ્યા હજારોમાં છે. આ સ્ટેશનોના પરિણામે નજીકના ભૂતકાળમાં ઘણા ધરતીકંપો નોંધાયા. જો કે તેના પરથી ધરતીકંપોનું પ્રમાણ વધ્યું એવું કહી શકાય નહીં, માત્ર સાધન/તકનિકમાં આવેલા ધરખમ સુધારાથી હવે તે નોંધવા શકય બન્યા છે, તેવું કહી શકાય. છેક 1900થી, પૃથ્વી પર સરેરાશ દર વર્ષે, 18 મોટા (7.0-7.9ની તીવ્રતા ધરાવતા) ધરતીકંપો અને એક ખૂબ મોટો (8.0 કે તેથી વધુ તીવ્રતા ધરાવવતો) ધરતીકંપ આવતા રહ્યા હશે એવું યુ.એસ.જી.એસ. (USGS)નું અનુમાન છે અને તેમના મતે આ સરેરાશ પ્રમાણમાં ઘણી સ્થિર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, દર વર્ષે આવતા મોટા ધરતીકંપોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેને એક વ્યવસ્થિત ચીલો ગણવાને બદલે માત્ર આંકડાશાસ્ત્રીય ચઢ-ઉતર (statistical fluctuation) ગણવામાં આવી રહી છે.યુ.એસ.જી.એસ. પાસેથી ધરતીકંપોની તીવ્રતા અને આવર્તનો/સમયગાળા વિશેની વધુ વિગતવાર આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે. વિશ્વના મોટા ભાગના ધરતીકંપો (90%, સૌથી મોટા ધરતીકંપોમાંથી 81%) 40,000 કિ.મી. લાંબી, ઘોડા આકારની સરકમ-પૅસિફિક સિઝમિક પટ્ટી (circum-Pacific seismic belt)માં આવે છે, જે પૅસિફિક રિંગ ઓફ ફાયર (Pacific Ring of Fire) તરીકે પણ જાણીતી છે. પૅસિફિક પ્લેટ (Pacific Plate)ના મોટા ભાગના હિસ્સા આ રિંગથી બંધાયા છે.હિમાલય પર્વતમાળા (Himalayan Mountains) જેવી કેટલીક બીજી પ્લેટની સરહદો પર પણ ભારે ધરતીકંપો સર્જાવાની શકયતા હોય છે.ધરતીકંપ માનવસર્જિત કારણોથી પણ આવી શકે છે જેમ કે નદી પર ખૂબ મોટા બંધ (dam) બાંધવા, મોટી ઈમારતો (building) બાંધવી, પાતાળ કૂવા (well)ઓ ખોદવા અને તેમાં દ્રવ્ય દાખલ કરવું, કોલસાની ખાણો (coal mining) ખોદવી અને તેલના કૂવા ખોદવાથી (oil drilling) ધરતીકંપની શકયતા વધે છે. ધરતીકંપનું ઊંચું જોખમ ધરાવતા વિસ્તારોમાં વસેલા અને સતત વિકસતા મેકિસકો શહેર (Mexico City), ટોકયો (Tokyo) કે તહેરાન (Tehran) જેવાં મહાનગરો (mega-cities) માટે ધરતીકંપ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અહીં માત્ર એક ધરતીકંપમાં 30 લાખ લોકોનો જીવ જઈ શકે તેમ છે. વિશ્વનાં શહેરો પર તોળાતું ધરતીકંપનું જોખમ ધરતીકંપની અસરો 1755ના લિસ્બન ધરતીકંપે (1755 Lisbon earthquake) લિસ્બન (Lisbon)માં સર્જેલી તારાજી thumb|400px|1755ના તાંબાની કોતરણી ધરાવતા ચિત્રમાં કંડારેલી જોવા મળે છે.બંદરમાં નાંગરેલા વહાણોને ત્સુનામી (tsunami) ડુબાડે છે. ધરતીકંપની અનેક અસરો/પરિણામો હોય છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે- જમીન ધ્રુજાવવી અને ફાટ પાડવી ધ્રુજારી અને જમીનમાં ફાટ પડવી એ ધરતીકંપની મુખ્ય અસરો છે અને તેના કારણે ઈમારતો અને તેના જેવા અન્ય માળખાઓને વત્તા કે ઓછા અંશે સૈદ્વાંતિક રીતે નુકસાન પહોંચે છે. ધરતીકંપની અસરો સ્થાનિક ધોરણે કેટલી તીવ્રતા ધારણ કરે છે તેનો આધાર ઘણી બાબતો પર રહે છે, જેમ કે ધરતીકંપની તીવ્રતા (magnitude), ભૂકંપબિંદુ (epicenter)થી સ્થળનું અંતર, અને ધરતીકંપના તરંગને વધુ જોરથી કે ઘટાડીને પ્રસારતી (wave propagation) સ્થળની ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂરચનાકીય પરિસ્થિતિ.જમીનની ધ્રુજારી જમીનના વેગ (acceleration) પરથી માપવામાં આવે છે. ચોક્કસ પ્રકારના સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરચનાકીય અને ભૂ-આકૃતિક પરિમાણોના કારણે, ધરતીકંપ ઓછી-તીવ્રતાવાળો હોય તો પણ, ધરતીકંપના તરંગોને ઝીલી જમીનની સપાટી પર ખાસ્સી ધ્રુજારી પહોંચાડે તેવું બની શકે. આ અસરને સ્થાનિક કે સ્થળ પરથી થતો વધુ પ્રસાર કહેવામાં આવે છે. આ કિસ્સામાં ધરતીકંપ (seismic)ના તરંગો ઊંડી, સખત જમીનમાંથી, ઉપરની ઢીલી જમીન સુધી પ્રસરે છે અને ત્યારે ત્યાંની ભૌગોલિક અને ભૌમિતિક સંરચના મુજબ ધરતીકંપના કંપનો વધતી કે ઓછી માત્રામાં ત્યાં કેન્દ્રિત થવાથી આવું બનતું હોય છે. ભંગાણ (ફોલ્ટ)ના રસ્તામાં જમીનની સપાટી પર પડેલી ફાટ જોઈ શકાય તેવી અને ઘણી વાર જમીનના બે સ્તરોને જુદા કરતી નાખતી હોય છે. મોટા ધરતીકંપોમાં આવી ફાટ અમુક મીટર સુધીની હોઈ શકે છે.બંધ (dams), પુલ અને અણુશકિત મથકો (nuclear power stations) જેવાં વિશાળ ઈજનેરી માળખાઓ માટે જમીનમાં પડતી ફાટ મોટું જોખમ ઊભું કરે છે. તેથી અત્યારે હાલના ભંગાણ રેખાના નકશા અને જે-તે માળખાના આયુષ્ય દરમ્યાન કોઈ જમીન ફાટવાની શકયતા છે કે કેમ તે કાળજીપૂર્વક તપાસવું ખૂબ અગત્યનું બને છે. ભૂસ્ખલન અને હિમપ્રપાત ધરતીકંપની જેમ જ, ભૂસ્ખલન એવું ભૂસ્તરીય સંકટ છે જે વિશ્વના ગમે તે સ્થળે ઘટી શકે છે. જબરજસ્ત તોફાનો, ધરતીકંપ, જવાળામુખી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે.તત્કાળ બચાવની કામગીરી ચાલતી હોય ત્યારે પણ ભૂસ્ખલનનું જોખમ રહે છે. અગ્નિ 1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ (1906 San Francisco earthquake)થી લાગેલી thumb|400px|right|આગ ધરતીકંપ પછી વીજળીની લાઈનો (electrical power) તૂટવાથી કે ગેસ લાઈન તૂટવાથી આગ (fire) લાગી શકે છે. પાણીના જોડાણો તૂટી જવાથી અને દબાણ ઘટી ગયું હોવાથી, એક વાર આગ લાગે પછી તેને ફેલાતી અટકાવવી ખૂબ મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે, 1906ના સાન ફ્રાન્સિસકોના ધરતીકંપ (1906 San Francisco earthquake)માં, ધરતીકંપથી જેટલી જાનહાનિ થઈ તેનાથી વધુ જાનહાનિ આગના કારણે થઈ હતી. માટીનું પીઘળવું ધ્રુજારીને કારણે માટીના પાણીથી સંતૃપ્ત થયેલા દાણાદાર (granular) કણો (રેતી જેવા) ક્ષણિક સમય માટે પોતાની શકિત ગુમાવે છે અને ઘન (solid)માંથી પ્રવાહી (liquid) રૂપમાં બદલાય છે. આમ ધરતીકંપ થાય ત્યારે માટી પીઘળે (Soil liquefaction) છે.માટી પીઘળવાથી ઈમારતો અથવા પુલ જેવા સખત માળખાઓ આવી પોચી બનેલી જમીનમાં નમી પડે છે કે અંદર ધસી જાય છે. ધરતીકંપની આ એક ભયંકર અસર ગણી શકાય.ઉદાહરણ તરીકે, 1964ના અલાસ્કાના ધરતીકંપ (1964 Alaska earthquake) વખતે માટી ઓગળવાને કારણે ઘણી ઈમારતો જમીનમાં ઊતરી ગઈ હતી, અને પછી પોતાની પર જ પડીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ત્સુનામી thumb|left|200px|2004માં ભારતીય મહાસમુદ્રમાં આવેલા ધરતીકંપ (2004 Indian Ocean earthquake)થી સર્જાયેલી ત્સુનામી સમુદ્રમાં ખૂબ મોટા કદના પાણીની ગતિવિધિમાં આવેલા કોઈ ઓચિંતા, અણધાર્યા બદલાવથી ખૂબ ઊંચાં, લાંબી તરંગ-લંબાઈ ધરાવતા, ખૂબ મોટાં મોજાં ઉદ્ભવે છે જેને ત્સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા મહાસમુદ્રમાં આવા ત્સુનામી મોજાંઓની ટોચ 100 કિ.મી.ને વટાવી જાય છે અને મોજાં વચ્ચેનો સમયગાળો પાંચ મિનિટથી લઈને એક કલાક સુધીનો હોઈ શકે છે. આવાં ત્સુનામી પાણીના ઊંડાણ મુજબ દર કલાકે 600-800 કિ.મી.ની ઝડપે અંતર કાપે છે. ધરતીકંપના પરિણામે કે પછી દરિયામાં થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલાં મોટાં મોજાં ગણતરીની ક્ષણોમાં કાંઠાના વિસ્તારોમાં ફરી વળે છે.ત્સુનામી ખુલ્લા સમુદ્રમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જે ધરતીકંપના પરિણામે તે સર્જાયાં હોય તેના કલાકો પછી દૂર દૂરના કિનારાઓ પર તારાજી સર્જે છે. સામાન્ય રીતે, રિકટર સ્કેલ પર ૭.૫થી ઓછી તીવ્રતા દર્શાવતા ધરતીકંપોથી ત્સુનામી સર્જાતાં નથી. જો કે, તે સિવાયના કિસ્સાઓમાં પણ ત્સુનામી સર્જાયાનું નોંધાયું છે, છતાં સૌથી વિનાશક ત્સુનામી 7.5 કરતાં વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે. ત્સુનામી સામાન્ય ભરતીઓટના મોજાંઓ કરતાં જુદા હોય છે. સામાન્ય મોજાંમાં પાણી જેમ ગોળ ગોળ વહે છે તેની જગ્યાએ ત્સુનામીમાં પાણી સીધેસીધું વહે છે. ધરતીકંપ કારણે દરિયામાં થયેલા ભૂસ્ખલનથી પણ ત્સુનામી પેદા થઈ શકે છે. પૂર ઊભરાઈને જમીન પર વહી આવતા પાણીના કોઈ પણ જથ્થાને પૂર કહેવાય. <સંદર્ભ> એમએસએન (MSN) એન્કાર્ટા (MSN Encarta) શબ્દકોશ. પૂર2006-12-28 (2006-12-28)ના કરાયેલો સુધારો > જયારે પાત્ર જેમ કે નદી કે તળાવમાંનું પાણીનું કદ તેની ક્ષમતા કરતાં વધી જાય અને તેથી તેમાંનું કેટલુંક પાણી તેના સામાન્ય કિનારા છોડી બહાર વહી જાય છે ત્યારે સામાન્ય રીતે પૂર આવ્યું કહેવાય. છતાં, જો ધરતીકંપથી બંધને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં પૂર ધરતીકંપની આડઅસર પણ હોઈ શકે છે.ધરતીકંપના કારણે બંધની નદીઓના કિનારા ધસી પડી શકે છે, જે પછીથી તૂટી પડવાના કારણે પૂર આવી શકે છે. ઉસોઈ બંધ (Usoi Dam) તરીકે જાણીતો એકવાર ધરતીકંપને કારણે રચાયેલો ભૂસ્ખલન બંધ (landslide dam), જો ભવિષ્યમાં કોઈ ધરતીકંપના કારણે તૂટે તો તજીકિસ્તાન (Tajikistan)ના સારેઝ તળાવ (Sarez Lake)ના તળપ્રદેશમાં ભારે વિનાશક એવું પૂર આવી શકે છે.એક અંદાજ મુજબ આ પૂરથી લગભગ ૫૦ લાખ લોકોને અસર પહોંચે તેમ છે. મનુષ્યનો પ્રભાવ ધરતીકંપો રોગ (disease), મૂળભૂત જરૂરિયાતોનો અભાવ, જાનહાનિ, વીમાના ઊંચા હપ્તાઓ, જાહેર મિલકતને નુકસાન, રસ્તા અને પુલને નુકસાન, ઈમારતો જમીનદોસ્ત થવી અથવા તેનો પાયો હલી જવો જે તેને ભવિષ્યના ધરતીકંપ વખતે નુકસાન માટે વધુ સંવેદનશીલ બનાવે વગેરે જેવી અનેક બાબતોમાં પરિણમી શકે છે. ધરતીકંપથી પ્રેરાઈને જવાળામુખી ફાટે અને તેના કારણે પાકને સારું એવું નુકસાન થાય તેવું પણ શકય છે, જેમ કે "ઉનાળા વિનાનું વર્ષ (Year Without a Summer)" (1816). ધરતીકંપની સૌથી નોંધનીય, માનવીય અસર એ માનવ જાનહાનિ છે એ બાબતે મોટા ભાગના લોકો સહમત છે. ધરતીકંપો માટે તૈયારી ધરતીકંપને અનુકૂળ ઈજનેરીકામ (Earthquake engineering), ધરતીકંપનો સામનો કરવાની સજ્જતા (Earthquake preparedness), ધરતીકંપ સાપેક્ષે ઘરની સલામતી (Household seismic safety), સિઝમિક રીટ્રોફિટ (Seismic retrofit) (વિશેષ ઝડપ કરનાર સામગ્રી અને તકનિકો), ધરતીકંપને લગતાં જોખમો (Seismic hazard), ધરતીકંપને લગતી ગતિવિધિઓ ઘટાડવી (Mitigation of seismic motion) અને ધરતીકંપનું અનુમાન (Earthquake prediction) જેવી પ્રક્રિયાઓ દ્વારા આજે સંભવિત ધરતીકંપના વિસ્તારોને ગંભીર નુકસાનથી બચાવવા માટેના અને તેમને ધરતીકંપનો સામનો કરવા માટે તૈયાર કરવાના રસ્તાઓ મોજૂદ છે. સંસ્કૃતિમાં ધરતીકંપોનું નિરુપણ પૌરાણિક કથા અને ધર્મ નોર્સ પુરાણકથા (Norse mythology)માં ધરતીકંપોને ઈશ્વર અને લોકી (Loki) વચ્ચેના લોહિયાળ સંઘર્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જયારે તોફાન અને લડાઈ-ઝઘડાના ઈશ્વર (god) લોકીએ સૌંદર્ય અને પ્રકાશના ઈશ્વર બાલ્દ્ર (Baldr)ને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમને માથા પર વિષ ટપકાવતા એક ઝેરી સાપ સાથે ગુફામાં પૂરી દેવાની સજા થઈ.તેમના માથા પર ટપકતું વિષ ઝીલવા માટે લોકીની પત્ની સિજ્ઞાન (Sigyn) વાટકો લઈને સાથે ઊભી રહી. પણ જયારે તેને વાટકો ખાલી કરવા માટે ત્યાંથી ખસવું પડતું ત્યારે વિષના ટપકાં લોકીના મુખ પર પડતા. ત્યારે લોકી પોતાનું માથું ઝાટકો મારીને ખંખેરતા અને પોતાનાં બંધનો ઝાટકતા જેના કારણે પૃથ્વી પર ધ્રુજારી પેદા થતી. ગ્રીક પુરાણકથા (Greek mythology)માં, પોસિડોન (Poseidon) ઈશ્વર છે જે ધરતીકંપો ઊભા કરતા હતા. જયારે પણ તે ખરાબ મૂડમાં હોય ત્યારે તે પોતાના ત્રિશૂળ (trident)થી જમીન પર ઘા કરતા, જેના કારણે આ અને બીજી અન્ય આપત્તિઓ સર્જાતી.તે વેરથી પ્રેરાઈને અને લોકોને સજા ફટકારવા, તેમનામાં ભય પેદા કરવા માટે પણ ધરતીકંપોનો ઉપયોગ કરતા. લોકપ્રિય સંસ્કૃતિ આધુનિક લોકપ્રિય સંસ્કૃતિ (popular culture)માં, ધરતીકંપોને મોટાં, મહાન શહેરોને, જેમ કે 1995માં કોબે (Kobe in 1995) અથવા 1906માં સાન ફ્રાન્સિસકો (San Francisco in 1906)ને જમીનદોસ્ત કરતી નાખતી ઘટતા તરીકે દર્શાવવામાં આવે છે. કાલ્પનિક ધરતીકંપો અચાનક અને કોઈ પણ ચેતવણી વિના ત્રાટકે છે. આ કારણોસર ધરતીકંપની વાર્તાઓ સામાન્ય રીતે દુર્ઘટનાથી શરૂ થાય છે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાતો તેના કેન્દ્રમાં રહે છે. શોર્ટ વોક ટુ ડે લાઈટ (Short Walk to Daylight) (1972), ધ રૅગેડ એજ (The Ragged Edge) (1968) Aftershock: Earthquake in New Yorkઅથવા (1998) આવી વાર્તાનાં ઉદાહરણ છે. હેઈનરીક વોન કલેઈસ્ટની કલાસિક નવલિકા "ધ અર્થકવેક ઈન ચીલે (The Earthquake in Chile)"નું ઉદહારણ નોંધવાલાયક છે. આ નવલિકામાં 1647માં દેવાલય (સાન્તીઆગો)ના વિનાશનું વિવરણ કરવામાં આવ્યું છે.હારુકી મુરાકમી (Haruki Murakami)ના "આફટર ધ કવેક" નામના ટૂંકી કાલ્પનિક વાર્તાઓના સંગ્રહમાં 1995ના કોબેના ધરતીકંપની પરિણામી અસરોને રજૂ કરવામાં આવી છે. વાર્તાઓમાં સૌથી લોકપ્રિય એવો એક ધરતીકંપ એ એક દિવસ કેલિફોર્નિયા (California)ના સાન આન્દ્રેઝ ફોલ્ટ (San Andreas Fault) પર આવતો "બિગ વન" (સૌથી મોટો) કાલ્પનિક ભૂકંપ છે, જેને અન્ય નવલકથાઓ ઉપરાંત રિકટર 10 (Richter 10) (1996) અને ગુડબાય કેલિફોર્નિયા (Goodbye California) (1977) નામની નવલકથાઓમાં ચિતરવામાં આવ્યો છે. અ કમ્પેરેટિવ સિઝમોલોજી નામની જેકોબ એમ. એપ્પેલની વ્યાપક રીતે સંકલિત ટૂંકી વાર્તામાં એક વિશ્વાસુ કલાકાર, એક વૃદ્ધાને નજીકના ભવિષ્યમાં એક ધરતીકંપ આવશે જ તેવી ખાતરી કરાવે છે.જેએમ એપ્પેલ અ કમ્પેરેટિવ સિઝમોલોજીવેબેર સ્ટીડઝ (પ્રથમ પ્રકાશન), વોલ્યુમ 18, નંબર 2.જિમ શિપાર્ડ (Jim Shepard)ના "લાઈક યુ હેડ અન્ડરસ્ટેન્ડ, એનીવે" નામના વાર્તાસંગ્રહમાંની "પ્લેઝર બોટીંગ ઈન લિટુયા બેય" નામની એક વાર્તામાં "બિગ વન" (સૌથી મોટો ભૂકંપ) ભયાનક તારાજી કરતી ત્સુનામી પણ સર્જે છે. આ પણ જુઓ ધરતીકંપ સામે રક્ષણ માટે વીમો (Earthquake insurance) ધરતીકંપમાં થતું નુકસાન (Earthquake loss) ધરતીકંપોની યાદી (List of earthquakes) 1900 પછી આવેલા જીવલેણ, ભયાનક ધરતીકંપોની યાદી (List of all deadly earthquakes since 1900) ધરતીકંપ અને મૃત્યુઆંકની યાદી (List of earthquakes by death toll) સિઝમોટેકટોનિકસ (Seismotectonics) સંદર્ભો અન્ય લિન્ક શૈક્ષણિક કેવી રીતે બને છે આ ઘટનાઓ (How Stuff Works) ધરતીકંપ કેવી રીતે આવે છે સૌથી વિનાશક એવા ૧૨ ધરતીકંપો ધરતીકંપમાં કેવી રીતે જીવ બચાવવો- બાળકો અને યુવાનો માટેની માર્ગદર્શિકા ધરતીકંપો અને પ્લેટ ટેકટોનિકસની માર્ગદર્શિકા "અર્થકવેકસ" - કાયે એમ. શેડલોક અને લુઈસ સી. પાકિસેર કૃત શૈક્ષણિક પુસ્તિકા ધરતીકંપની તીવ્રતા યુએસજીએસ (USGS) ધરતીકંપ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો આઈઆરઆઈએસ (IRIS) સિઝમિક મોનિટર - પાછલાં પાંચ વર્ષમાં આવેલા તમામ ધરતીકંપો દર્શાવે છે. લેટેસ્ટ અર્થકવેકસ ઈન ધ વર્લ્ડ - પાછલા અઠવાડિયામાં આવેલા તમામ ધરતીકંપોને દર્શાવે છે. ડીપ ઓસન એકસપ્લોરેશન ઈન્સ્ટિટયૂટ, વુડ્ઝ હોલ ઓસનોગ્રાફિક ઈન્સ્ટિટ્યૂશન (Woods Hole Oceanographic Institution) તરફથી ધરતીકંપ અંગેની માહિતી જિઓ.પર્વત (Mtu.)એજયુ- ધરતીકંપનું ભૂકંપબિંદુ (એપિસેન્ટર) કેવી રીતે શોધી શકાય? ઐતિહાસિક ધરતીકંપોની તસવીરો/ચિત્રો earthquakecountry.info- ધરતીકંપ અને ધરતીકંપ માટેની સુસજ્જતા અંગે વારંવાર પુછાતા પ્રશ્નોનો ઉત્તર આપે છે. ઈન્ટરેકિટવ ગાઈડઃ અર્થકવેકસ - ગાર્ડિઅન અનલિમિટેડ (Guardian Unlimited) દ્વારા અપાયેલી શૈક્ષણિક પ્રસ્તુતિ જિઓવોલ ધરતીકંપ જોવા-સમજવા માટે મદદરૂપ શૈક્ષણિક થ્રીડી (3D) પ્રેઝેન્ટેશન સિસ્ટમ વર્ચ્યુઅલ અર્થકવેક - ભૂકંપબિંદું કયાં આવેલાં હોય છે અને તેની તીવ્રતા કેવી રીતે નિશ્ચિત થાય છે તે સમજાવતી શૈક્ષણિક સાઈટ સીબીસી ડિજિટલ આર્કાઈવ્સ - કેનેડામાં આવેલા ધરતીકંપો અને ત્સુનામી અર્થકવેકસ એજયુકેશનલ રિસોર્સિસ - મોઝ ભૂકંપશાસ્ત્રને લગતાં માહિતી કેન્દ્રો યુરોપ આંતરરાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (ઈન્ટરનેશનલ સિઝમોલોજિકલ સેન્ટર આઈએસસી) યુરોપિયન-મેડિટરેનિયન સિઝમોલોજિકલ સેન્ટર (ઈએમએસસી - EMSC) જીએફઝેડ (GFZ) પોટ્સડેમ ખાતે ગ્લોબલ સિઝમિક મોનિટર વૈશ્વિક ભૂકંપ અહેવાલ અને એનડેશ; ચાર્ટ છેલ્લા 48 કલાકમાં આઈસલેન્ડમાં આવેલા ભૂકંપો ઈન્સ્ટિટ્યૂટો નાઝીઓનાલે દિ જિઓફિસિકા એ વુલકાનોલોજીયા (આઈએનજીવી), ઈટાલી ડેટાબેઝ ઓફ ઇન્ડીવિજયુઅલ સિઝમોજેનિક સોર્સસિઝ (ડીઆઈએસએસ), મધ્ય મેડિટરેનિયન પોર્ટુગલ મીટિઅરૉલજિકલ ઈન્સ્ટિટયૂટ (છેલ્લા મહિનામાં થયેલ ધરતીકંપને લગતી ગતિવિધિ) જાપાન અર્થકવેક ઈન્ફોર્મેશન ઓફ જાપાન, જાપાન મીટિઅરૉલજિકલ એજન્સી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ સિઝમોલોજી એન્ડ અર્થકવેક એન્જિનિયરીંગ (આઈઆઈએસઈઈ - IISEE) બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પ્રાચીન સમય (3000 બીસી)થી લઈને વર્ષ 2006 સુધી વિશ્વમાં ધરતીકંપના કારણે પહોંચેલા નુકસાન અંગેનો આધાર-સામગ્રીસંગ્રહ - બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જાપાન), (建築研究所)જાપાનીઝ ભાષામાં. વેધરન્યુઝ આઈએનસી. છેલ્લા 7 દિવસમાં થયેલી ભૂકંપ સંબંધી હલચલને શિન્ડો (震度) (shindo (震度)) સ્કેલમાં વર્તુળ કરીને તેના સ્થાન સાથે દર્શાવે છે. વેધરન્યુઝ આઈએનસી, ગ્લોબલ વેબસાઈટ ન્યૂઝીલેન્ડ જિઓનેટ- ન્યૂઝીલેન્ડમાં આવેલા ધરતીકંપના અહેવાલો (અદ્યતન અને થોડા સમય પહેલાંના ભૂકંપો વિશે) યુનાઈટેડ સ્ટેટ્સ ધ યુ.એસ. નેશનલ અર્થકવેક ઈન્ફોર્મેશન સેન્ટર સધર્ન કેલિફોર્નિયા અર્થકવેક ડેટા સેન્ટર ધ સધર્ન કેલિફોર્નિયા અર્થકવેક સેન્ટર (એસસીઈસી - SCEC) પુટિંગ ડાઉન રુટ્સ ઈન અર્થકવેક કન્ટ્રિ - એસસીઈસી કૃત ભૂકંપનું વિજ્ઞાન અને તેના માટેની તૈયારી કેળવવા માટેનું માર્ગદશક પુસ્તક. કેલિફોર્નિયા અને નેવાડામાં તાજેતરમાં આવેલા ભૂકંપો રેપિડ અર્થકવેક વ્યૂઅર થકી તાજેતરમાં આવેલા ભૂકંપોના સિઝમોગ્રામ્સ, ધ રેપિડ અર્થકવેક વ્યૂઅર ઈનકોર્પોરેટેડ રિસર્ચ ઈન્સ્ટિટયૂશન્સ ફોર સિઝમોલોજી (આઈઆરઆઈએસ), ભૂકંપને લગતી આધારભૂત માહિતી તથા સોફટવેર આઈઆરઆઈએસ સિઝમિક મોનિટર - વિશ્વમાં તાજેતરમાં આવેલા ભૂકંપોનો નકશો સિઝમોઆર્કાઈવ્ઝ - વિશ્વમાં આવેલા નોંધનીય ભૂકંપોના સિઝમોગ્રામ આર્કાઈવ્ઝ સિઝમિક સ્કેલ્સ ધ યુરોપિયન મેક્રોસિઝમિક સ્કેલ વૈજ્ઞાનિક માહિતી પરચૂરણ ચીન સિયાચીન ભૂકંપ 12/05/2008ના અહેવાલો કશ્મીર રીલિફ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (કેઆરડીએફ - KRDF) પીબીએસ (PBS) ન્યૂઝઅવર - ધરતીકંપની આગાહી કરનાર યુએસજીએસ એન્ડ એનડેશ; 1900 પછી વિશ્વ પર ત્રાટકેલા સૌથી મોટા ધરતીકંપો ધરતીકંપોએ વેરેલો વિનાશ - અત્યાર સુધી નોંધાયેલા સૌથી ભયંકર ધરતીકંપોની યાદી ગુગલના નકશા પર લોસ એન્જલસ ધરતીકંપનું ચિત્રણ ધ ઈએમ-ડીએટ (EM-DAT) આંતરરાષ્ટ્રીય આપત્તિ સંબંધી આધારભૂત માહિતી ધરતીકંપ સંબંધી વર્તમાનપત્રોના લેખોનો સંગ્રહ અર્થ-કવેક.ઓઆરજી PetQuake.org - પ્રાણીઓની વિચિત્ર અથવા કોઈક લાક્ષણિક વર્તણૂકના આધારે ધરતીકંપની આગાહી કરતું અધિકૃત પીઈટીએસએએએફ (PETSAAF) વ્યવસ્થાતંત્ર લિન્કમાં ભંગાણ 03:33, 2 જૂન 2008 (યુટીસી-UTC) ઈટાલીના દક્ષિણ વિસ્તારમાં આવેલા હારબંધ ભૂકંપો - 23 નવેમ્બર 1980, જિસ્યુઅલ્દો વિશ્વપટ પર તાજેતરમાં આવેલા ભૂકંપો ગુગલ નકશા પર તત્ક્ષણ (રીઅલ-ટાઈમ) ભૂકંપો, ઓસ્ટ્રેલિયા અને બાકીનું વિશ્વ ધરતીકંપ સંબંધી માહિતી - ગુગલ મેપ્સ અને ગુગલ અર્થ સાથે આંકડાકીય અને અન્ય માહિતીનું વિગતવાર સંકલન ખારિતા ડિજિટલ કાર્ટોગ્રાફી માટેનું આઈએનજીવી (INGV) પોર્ટલ - (ગુગલ મેપ્સ સાથે મળીને) આઈએનજીવી (INGV) ઈટાલિયન નેટવર્ક દ્વારા છેલ્લા ભૂકંપોની નોંધણી ખારિતા ડિજિટલ કાર્ટોગ્રાફી માટેનું આઈએનજીવી (INGV) પોર્ટલ - (ગુગલ મેપ્સ સાથે મળીને) વિસ્તાર મુજબ ઈટાલીની ધરતીકંપ સંવેદનશીલતા 1981-2006 તાજેતરના ભૂકંપો દર્શાવતો વિશ્વનો ઈન્ટરએકિટવ નકશો (દિવસ/અઠવાડિયું/મહિનો) – કવેક કેચર નેટવર્ક (Quake-Catcher Network), બોઓઆઈએનસી (BOINC) શ્રેણી:ભૂગોળ શ્રેણી:વિજ્ઞાન શ્રેણી:ભૌતિકવિજ્ઞાન
ખગોળશાસ્ત્ર
https://gu.wikipedia.org/wiki/ખગોળશાસ્ત્ર
thumb|હબલ ટેલિસ્કોપ વડે લેવાયેલ ક્રેબ નેબ્યુલાની છબી thumb|લા સિલ્લા નિરિક્ષણકેન્દ્રથી દેખાતી આકાશગંગા ખગોળ શાસ્ત્ર (અંગ્રેજી ભાષા: Astronomy) એ પૃથ્વી અને તેના વાયુમંડળની બહારની એટલે કે અંતરીક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે. બ્રહ્માંડની ઉત્પત્તિ તથા વિકાસના અધ્યયન કરવા માટે કૉસ્મૉલૉજી અને અંતરીક્ષના પદાર્થોનું અધ્યયન કરવા માટે એસ્ટ્રૉફીઝીક્સ એ ખગોળ શાસ્ત્રની શાખાઓ છે. આ પણ જુઓ સૂર્યમંડળના ગ્રહો શ્રેણી:વિજ્ઞાન
ભૌતિકશાસ્ત્ર
https://gu.wikipedia.org/wiki/ભૌતિકશાસ્ત્ર
ભૌતિક શાસ્ત્ર () એ એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન છે કે જેમાં નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રીક શબ્દ φυσικός (ફીઝિકોસ= "કુદરતી"), જેનું મૂળ φύσις (ફીઝિસ = "કુદરત" છે, પરથી ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) શબ્દ ઉતરી આવ્યો છે. આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. પરીચય ભૌતિક શાસ્ત્ર એક વિશાળ શાખા છે. ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા કરવી અઘરી છે. અમુક વિદ્વાનોં ના મતાનુસાર આ ઊર્જા વિષયક વિજ્ઞાન છે અને આમાં ઊર્જા નું રૂપાંતરણ તથા પદાર્થ વચ્ચેનાં સંબંધોં નીં ચર્ચા કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાકૃત જગત અને તેની આંતરીક ક્રિયાઓં નો અભ્યાસ કરવામાં આવે છે. આકાશ (space), સમય (time), ગતિ, પદાર્થ, વિદ્યુત, પ્રકાશ, ઊષ્મા તથા ધ્વનિ વગેરે અનેક વિષય તેમની સીમામાં આવે છે. આ વિજ્ઞાનનો એક મુખ્ય વિભાગ છે. તેનાં સિદ્ધાંત સમગ્ર વિજ્ઞાન માં માન્ય છે અને વિજ્ઞાન ની દરેક શાખાને લાગુ પડે છે. તેનું ક્ષેત્ર વિસ્તૃત છે અને તેની સીમા નિર્ધારિત કરવી અતિ કઠિન છે. બધા વૈજ્ઞાનિક વિષય વધતે ઓછે અંશે આની અંતર્ગત આવે છે. વિજ્ઞાન ની અન્ય શાખાઓ કાં તો સીધીજ ભૌતિક શાસ્ત્ર પર આધારિત છે, અથવા તેમની હકિકતોને આના મૂલ સિદ્ધાંતોં સાથે સંયોજીત કરવાનો પ્રયત્ન કરાય છે. ભૌતિક શાસ્ત્રનું મહત્વ એ માટે પણ છે કે, તકનિકિ (Technology) તથા એન્જીનીયરીંગ નું જન્મદાત્રી હોવાને કારણે તે આ યુગના સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે પ્રેરક છે. બહુ જ પહેલા આને દર્શન શાસ્ત્રનો વિભાગ ગણીને નેચરલ ફિલૉસોફી (Natural Philosophy) તરીકે ઓળખાવાતું હતું, પરંતુ ઇ.સ. ૧૮૭૦ ના સમય આસપાસ "ભૌતિક શાસ્ત્ર" તરીકે ઓળખાતું થયુ. ધીરે ધીરે આ વિજ્ઞાન પ્રગતિ પામતું ગયુ અને અત્યારે તો તેની પ્રગતિની તિવ્ર ઝડપ જોઇને, અગ્રગણ્ય ભૌતિક વિજ્ઞાનીઓને પણ આશ્ચર્ય થાય છે. ધીરે ધીરે આમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓની ઉત્પત્તિ થઇ, જેમકે રસાયણિક ભૌતિકી (Chemical Physics), ખગોળીય ભૌતિકી (Astrophysics), જીવભૌતિકી (Biophysics), ભૂભૌતિકી (Geophysics), આણ્વિક ભૌતિકી (Nuclear Physics), અવકાશ ભૌતિકી (Space Physics) વિગેરે. ભૌતિક શાસ્ત્ર નો મુખ્ય સિદ્ધાંત "ઊર્જા સંરક્ષણ" (Conservation of Energy) છે. જે મુજબ કોઇ પણ દ્રવ્યસમુદાય ની ઊર્જા નું પ્રમાણ સ્થિર હોય છે. સમુદાય ની આંતરિક ક્રિયાઓ દ્વારા આ પ્રમાણ વધવાનું કે ઘટવાનું શક્ય નથી. ઊર્જા નાં અનેક રૂપ હોય છે અને તેનું રૂપાંતરણ થઇ શકે છે, પરંતુ તેમનાં પ્રમાણમાં કોઇ પ્રકાર નું પરિવર્તન શક્ય નથી. આઇસ્ટાઇન ના સાપેક્ષવાદનાં સિદ્ધાંત અનુસાર દ્રવ્યમાન (mass) પણ ઉર્જામાં રૂપાંતરીત થઇ શકે છે. આ રીતે ઊર્જા સંરક્ષણ અને દ્રવ્યમાન સંરક્ષણ બન્ને સિદ્ધાંતો નો સમન્વય થઇ જાય છે, અને આ સિદ્ધાંત વડે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર એક બીજા સાથે સંકળાય છે. પરંપરાગત ભૌતિક શાસ્ત્ર (Classical Physics) ભૌતિકી ને મોટે ભાગે બે ભાગોમાં વહેંચી શકાય છે. ઈ.સ. ૧૯૦૦થી પહેલાં જે ભૌતિક જ્ઞાન અર્જિત કરવામાં આવ્યું હતું અને તે સંબંધી જે નિયમ તથા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યાં હતાં, તેમનો સમાવેશ પ્રાચીન ભૌતિકમાં કરવામાં આવ્યો. તે સમયની વિચારધારાના પ્રેરણાસ્ત્રોત ગૅલિલીયો (૧૫૬૪-૧૬૪૨) તથા ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) હતાં. શાસ્ત્રીય ભૌતિકને મુખ્યત: યાંત્રિકી (Mechanics), ધ્વાનિકી (Acoustics), ઊષ્મા (Heat), વિદ્યુચ્ચુંબકત્વ અને પ્રકાશિકી (Optics)માં વિભાજિત કરવામાં આવે છે. આ શાખાઓ ઇંજીનિયરિંગ તથા શિલ્પ-વિજ્ઞાનની આધારશિલાઓ છે અને ભૌતિકની પ્રારંભિક શિક્ષા આનાથી જ શરૂ કરવામાં આવે છે. આધુનિક ભૌતિક શાસ્ત્ર ઈ.સ.૧૯૦૦ પછી અનેક ક્રાંતિકારી તથ્ય જ્ઞાત થયા, જેમને પ્રાચીન ભૌતિકીના સાંચામાં બેસાડવા કઠિન છે. આ નવા તથ્યોનું અધ્યયન કરવા અને તેમની ગૂંચવણોને ઉકેલવા ભૌતિકની જે શાખાની ઉત્પત્તિ થઈ, તેને આધુનિક ભૌતિકી કહે છે. આધુનિક ભૌતિકીનું દ્રવ્યસંરચના સાથે સીધો સંબંધ છે. અણુ, પરમાણુ, કેંદ્રક (ન્યુક્લીયસ) (nucleus) તથા મૂળભૂત કણ આના મુખ્ય વિષયો છે. ભૌતિકની આ નવીન શાખાને વૈજ્ઞાનિક વિચારધારા એ નવીન અને ક્રાંતિકારી વળાંક આપ્યો છે, તથા આનાથી સમાજવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે. આ પણ જુઓ ભૌતિકશાસ્ત્રની સમયરેખા રસાયણ શાસ્ત્ર જીવ શાસ્ત્ર બાહ્ય કડીઓ ગણિત અને ભૌતિક Flash Animations for Physics ભૌતિક શાસ્ત્રનાં નિયમો (અંગ્રેજી માં) ભૌતિક વિભાગ, ભારતીય તકનિકિ સંસ્થા (IIT) કાનપુર શ્રેણી:વિજ્ઞાન શ્રેણી:ભૌતિકવિજ્ઞાન
રાજ્ય સભા
https://gu.wikipedia.org/wiki/રાજ્ય_સભા
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે. રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું. ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી. રાજ્યોનાં નામ બેઠકોની સંખ્યા આંધ્ર પ્રદેશ ૧૧ અરુણાચલ પ્રદેશ ૧ આસામ ૭ બિહાર ૧૬ છત્તીસગઢ ૫ દિલ્હી ૩ ગોઆ ૧ ગુજરાત ૧૧ હરિયાણા ૫ હિમાચલ પ્રદેશ ૩ જમ્મુ અને કાશ્મીર ૪ ઝારખંડ ૬ કર્ણાટક ૧૨ કેરળ ૯ મધ્ય પ્રદેશ ૧૧ મહારાષ્ટ્ર ૧૯ મણિપુર ૧ મેઘાલય ૧ મિઝોરમ ૧ નાગાલેંડ ૧ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી ૩ નામાંકિત ૧૨ ઓરિસ્સા ૧૦ પોંડિચેરી ૧ પંજાબ ૭ રાજસ્થાન ૧૦ સિક્કિમ ૧ તમિલનાડુ ૧૮ ત્રિપુરા ૧ ઉત્તરપ્રદેશ ૩૧ ઉત્તરાખંડ ૩ પશ્ચિમ બંગાળ ૧૬ તેલંગાણા ૭ સંદર્ભ આ પણ જુઓ લોક સભા બાહ્ય કડીઓ ભારત સરકારની રાજ્ય સભાનું અધિકૃત વેબસાઇટ ભારત સરકારની રાજ્ય સભાની વેબસાઇટ પર વખતોવખત પુછાતા પ્રશ્નોનું જાળપૃષ્ઠ શ્રેણી:ભારતની સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
https://gu.wikipedia.org/wiki/ભારતના_રાષ્ટ્રપતિ
ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ગણતંત્રના વડા અને ભારતીય સૈન્ય દળના કમાન્ડર-ઇન-ચીફ છે. તેઓ તમામ પ્રકારની કટોકટી લાદે છે અને દૂર કરે છે, યુદ્ધ / શાંતિની ઘોષણા કરે છે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય નાગરિક હોવા જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે, રાષ્ટ્રપતિ પાસે પૂરતી શક્તિ છે. પરંતુ કેટલાક અપવાદો સિવાય, રાષ્ટ્રપતિના કાર્યાલયમાં આપવામાં આવેલી મોટાભાગની સત્તાઓ વાસ્તવમાં વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે, જેને રાયસીના હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ કેટલી વખત પદ સંભાળી શકે તેની કોઈ મર્યાદા નથી. અત્યાર સુધી માત્ર પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ પદ પર બે વખત પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. પ્રતિભા પાટીલ ભારતના ૧૨મા રાષ્ટ્રપતિ હતા અને આ પદ સંભાળનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે ૨૫ જુલાઈ ૨૦૦૭ના રોજ પદ અને ગોપનીયતા ના શપથ લીધા હતા. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ છે. ઇતિહાસ ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટનથી સ્વતંત્ર થયું અને વચગાળાની વ્યવસ્થા હેઠળ દેશ કોમનવેલ્થ ડોમિનિયન બન્યો. આ વ્યવસ્થા હેઠળ, ભારતના ગવર્નર જનરલની સ્થાપના ભારતના રાજ્યના વડા તરીકે કરવામાં આવી હતી, જેમની નિમણૂક બ્રિટિશ ભારતમાં બ્રિટનના વચગાળાના રાજા જ્યોર્જ છઠ્ઠા દ્વારા કરવામાં આવી હતી, જે અંગ્રેજોને બદલે ભારતના વડા પ્રધાનની સલાહથી કરવામાં આવી હતી. આ એક અસ્થાયી માપદંડ હતો, પરંતુ ભારતીય રાજકીય વ્યવસ્થામાં સામાન્ય રાજાનું અસ્તિત્વ ચાલુ રાખવું એ ખરેખર સાર્વભૌમ રાષ્ટ્ર માટે યોગ્ય વિચાર નહોતો. આઝાદી પહેલા ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. તેમણે ટૂંક સમયમાં ચક્રવર્તી રાજગોપાલાચારીને પદ સોંપ્યું, જેઓ ભારતના એકમાત્ર ભારતીય મૂળના ગવર્નર જનરલ બન્યા. રાષ્ટ્રપતિની ચુંટણી ભારતના રાષ્ટ્રપતિ કલમ ૫૫ મુજબ પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલીની સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિની પસંદગી ભારતની સંસદના બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા) તેમજ રાજ્યની ધારાસભાઓ (વિધાનસભાઓ)ના ચૂંટાયેલા સભ્યો દ્વારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. ભારતના કોઈપણ નાગરિક કે જેની ઉંમર ૩૫ વર્ષ કે તેથી વધુ છે તે આ પદ માટે ઉમેદવાર બની શકે છે. રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર લોકસભાના સભ્ય બનવા માટે લાયકાત ધરાવતો હોવો જોઈએ અને સરકાર હેઠળ કોઈ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈપણ વિવાદનો નિર્ણય કરવાનો અધિકાર છે. ન્યાયિક સત્તાઓ બંધારણની કલમ ૭૨ રાષ્ટ્રપતિને ન્યાયિક સત્તા આપે છે કે તે સજાને નાબૂદ કરી શકે છે, માફ કરી શકે છે, પાછી ખેંચી શકે છે, માફ કરી શકે છે, બદલી શકે છે. દયા: વ્યક્તિને થયેલી સંપૂર્ણ સજા અને પ્રતીતિ અને ગેરલાયકાતને બાજુ પર રાખવી અને તેને એવી સ્થિતિમાં મૂકવો કે જાણે તેણે કોઈ ગુનો કર્યો ન હોય. આ લાભ સંપૂર્ણ અથવા આંશિક રીતે આપવામાં આવે છે અને સજા ભોગવતા પહેલા અથવા પછી આપી શકાય છે. પરિવર્તન: કઠોર સજા ને સામાન્ય અથવા હળવી સજામાં બદલી નાખવી, જેમ કે સશ્રમ સજા ને શ્રમ હટાવી સામાન્ય સજામાં બદલી દેવી. નિવારણ: સજાની મુદત ઘટાડી દેવી પરંતુ તેનો સ્વભાવ બદલવો નહીં. વિરામ: સજા માં માફી આપવી, તે ખાસ પરિસ્થિતિ માં પર ઉપલબ્ધ છે જેમ કે સગર્ભા સ્ત્રી માટે સજામાં ઘટાડો કરવો. વિલંબ: સજાના અમલમાં વિલંબ, ખાસ કરીને ફાંસીની સજાના કિસ્સામાં રાષ્ટ્રપતિની માફીની સત્તા સંપૂર્ણપણે તેમની ઇચ્છા પર નિર્ભર છે. રાષ્ટ્રપતિની સંસદીય શક્તિ રાષ્ટ્રપતિ સંસદનો એક ભાગ છે. તેમની મંજુરી વિના કોઈપણ બિલ ગૃહમાં પસાર થઈ શકતું નથી કે લાવી શકાતું નથી. રાષ્ટ્રપતિની વિવેકાધીન સત્તાઓ કલમ ૭૪ મુજબ કલમ ૭૮ મુજબ, વડાપ્રધાન સમય સમય પર રાષ્ટ્રપતિને મળશે અને રાજ્યની બાબતો અને ભવિષ્યના બિલો વિશે માહિતી આપશે, આ રીતે, કલમ ૭૮ મુજબ, રાષ્ટ્રપતિને માહિતી મેળવવાનો અધિકાર છે, આ કલમ વડા પ્રધાન પર બંધારણીય જવાબદારી મૂકે છે. આ અધિકારનો ઉપયોગ રાષ્ટ્રપતિ કોઈપણ સમયે કરી શકે છે, આ દ્વારા તેઓ મંત્રી પરિષદને બિલ અને નિર્ણયોના પરિણામો વિશે ચેતવણી આપી શકે છે. જ્યારે કોઈપણ રાજકીય પક્ષ લોકસભામાં બહુમતી મેળવી શક્યો ન હોય, તો તે તેની વિવેકબુદ્ધિ અનુસાર વડાપ્રધાનની નિમણૂક કરશે. સસ્પેન્શન વીટો/પોકેટ વીટો પણ વિવેકાધીન શક્તિ છે સંસદના ગૃહોને બોલાવવા જો મંત્રી પરિષદ પાસે બહુમતી ન હોય તો લોકસભાનું વિસર્જન. કલમ ૭૬(૩) મંત્રી પરિષદને સંયુક્ત જવાબદારી આપે છે. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદને વ્યક્તિગત રીતે મંત્રી દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય પર સંયુક્ત રીતે વિચાર કરવા માટે બોલાવી શકે છે. બંધારણ હેઠળ રાષ્ટ્રપતિનું પદ રામજસ કપૂર કેસ અને શેર સિંહ કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદીય સરકારમાં વાસ્તવિક કાર્યકારી સત્તા મંત્રી પરિષદમાં હોય છે. ૪૨, ૪૪મા સુધારા પહેલા, કલમ ૭૪ નું લખાણ હતું કે વડા પ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળ હશે જે રાષ્ટ્રપતિને સલાહ અને મદદ કરશે. આ લેખમાં એ જણાવ્યું નથી કે તે આ સલાહ સ્વીકારવા માટે બંધાયેલા હશે કે નહીં. માત્ર અંગ્રેજી પરંપરા મુજબ જ તે બાધ્ય હતા. ૪૨મા સુધારા દ્વારા, કલમ ૭૪ ના લખાણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ સલાહ મુજબ કાર્ય કરવા માટે બંધાયેલા હતા. ૪૪મા સુધારા દ્વારા કલમ ૮૪ ફરીથી બદલવામાં આવી. હવે રાષ્ટ્રપતિ પુનઃવિચાર માટે તેમને આપવામાં આવેલી સલાહ પરત કરી શકે છે પરંતુ તેમને બીજી વખત મળેલી સલાહ મુજબ કામ કરવું પડશે. ભારતના રાષ્ટ્રપતિઓ સંદર્ભ શ્રેણી:ભારત
ભારતના વડાપ્રધાન
https://gu.wikipedia.org/wiki/ભારતના_વડાપ્રધાન
thumb|260px|ભારતના વડા પ્રધાનોના (જન્મ પ્રમાણે રાજ્યો) ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે. ૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે. રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુ.પી.એ.) ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે. ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. ચાવી ભારતના વડાપ્રધાનના પક્ષ માટે ચાવીઓ અન્ય ચાવીઓ №: ક્રમ હત્યા અથવા પદ પર મૃત્યુ પહેલાના મુદ્દત પછી ફરીથી રાજીનામું અવિશ્વાસ મત પછી રાજીનામું ભારતના વડાપ્રધાનોની યાદી ક્રમનામછબીપૂર્વ પદપક્ષ મત વિસ્તારસત્તા નિમણુકલોક સભા ૧જવાહરલાલ નેહરુ100pxભારતની કામચલાઉ સરકારના ઉપ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસફુલપુર, ઉત્તર પ્રદેશ૧૯૪૭૧૯૫૨લોર્ડ માઉન્ટબેટનબંધારણીય સભા૧૯૫૨૧૯૫૭રાજેન્દ્ર પ્રસાદ૧લી૧૯૫૭૧૯૫૭૨જી૧૯૫૭૧૯૬૪૩જી –ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) 133x133pxશ્રમ અને મજૂર મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૧૯૬૪૧૯૬૪૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન ૨લાલ બહાદુર શાસ્ત્રી123x123pxગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅલાહાબાદ, ઉત્તર પ્રદેશ૧૯૬૪૧૯૬૬સર્વપલ્લી રાધાકૃષ્ણન –ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) 133x133pxગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૧૯૬૬૧૯૬૬૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન ૩ઈન્દિરા ગાંધી100pxમાહિતી અને પ્રસારણ મંત્રી વડા પ્રધાન (ફરી-ચૂંટાયેલ)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉત્તર પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય૧૯૬૬૧૯૬૭સર્વપલ્લી રાધાકૃષ્ણન૧૯૬૭૧૯૭૧વી. વી. ગિરિ૪થી૧૯૭૧૧૯૭૭૫મી ૪મોરારજી દેસાઈ126x126pxનાણાં મંત્રી અને ૧૯૬૯માં તેમના રાજીનામા પહેલા ઉપ વડાપ્રધાનજનતા પાર્ટીસુરત, ગુજરાત૧૯૭૭૧૯૭૯બી. ડી. જત્તી (કાર્યકારી રાષ્ટ્રપતિ)૬ઠ્ઠી ૫ચરણ સિંહ136x136pxનાણાં મંત્રીજનતા પાર્ટી (સેક્યુલર)બાઘપત, ઉત્તર પ્રદેશ૧૯૭૯૧૯૮૦ દિવસોનીલમ સંજીવ રેડ્ડી (૩)ઈન્દિરા ગાંધી100pxભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)મેદક, આંધ્ર પ્રદેશ૧૯૮૦૧૯૮૪નીલમ સંજીવ રેડ્ડી૭મી ૬રાજીવ ગાંધી100pxઅમેઠીના સાંસદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)અમેઠી, ઉત્તર પ્રદેશ૧૯૮૪૧૯૮૪ઝૈલસિંઘ૧૯૮૪૧૯૮૯૮મી ૭વિશ્વનાથ પ્રતાપ સિંઘ100pxરક્ષા મંત્રીજનતા દળફતેહપુર, ઉત્તર પ્રદેશ૧૯૮૯૧૯૯૦ દિવસોઆર. વેકંટરામન૯મી ૮ચંદ્રશેખરalt=Chandra Shekhar|136x136pxબલિયાના સાંસદસમાજવાદી જનતા પાર્ટીબલિયા, ઉત્તર પ્રદેશ૧૯૯૦૧૯૯૧ દિવસોઆર. વેકંટરામન ૯પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ136x136pxવિદેશ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)નાંદયાલ, આંધ્ર પ્રદેશ૧૯૯૧૧૯૯૬આર. વેકંટરામન૧૦મી ૧૦અટલ બિહારી વાજપેયીalt=અટલ બિહારી વાજપેયી|125x125pxવિદેશ મંત્રીભારતીય જનતા પાર્ટીલખનૌ, ઉત્તર પ્રદેશ૧૯૯૬૧૯૯૬16 daysશંકર દયાલ શર્મા૧૧મી ૧૧એચ. ડી. દેવે ગોવડા150x150pxકર્ણાટકના મુખ્યમંત્રીજનતા દળકર્ણાટક તરફથી રાજ્ય સભાના સભ્ય૧૯૯૬૧૯૯૭ દિવસોશંકર દયાલ શર્મા ૧૨ઇન્દ્ર કુમાર ગુજરાલ100pxવિદેશ મંત્રીજનતા દળબિહાર તરફથી રાજ્ય સભાના સભ્ય૧૯૯૭૧૯૯૮ દિવસોશંકર દયાલ શર્મા (૧૦)અટલ બિહારી વાજપેયી133x133pxભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય જનતા પાર્ટીલખનૌ, ઉત્તર પ્રદેશ૧૯૯૮૧૯૯૯કે. આર. નારાયણ૧૨મી૧૯૯૯૨૦૦૪૧૩મી ૧૩મનમોહન સિંહ150x150pxનાણાં મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઆસામ તરફથી રાજ્ય સભાના સભ્ય૨૦૦૪૨૦૦૯એ. પી. જે. અબ્દુલ કલામ૧૪મી૨૦૦૯૨૦૧૪પ્રતિભા પાટીલ૧૫મી ૧૪નરેન્દ્ર મોદીalt=નરેન્દ્ર મોદી|120x120pxગુજરાતના મુખ્યમંત્રીભારતીય જનતા પાર્ટીવારાણસી, ઉત્તર પ્રદેશ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯પ્રણવ મુખર્જી૧૬મી૩૦ મે ૨૦૧૯હાલમાંરામનાથ કોવિંદ૧૭મી નોંધ સમયરેખા સંદર્ભ પૂરક વાચન શ્રેણી:ભારત સરકાર
સૂર્યમંડળ
https://gu.wikipedia.org/wiki/સૂર્યમંડળ
right|upright=1.5|thumb|સુર્યમંડળના ગ્રહો અને નાના ગ્રહોકદને માપવાના છે, પરંતુ સૂર્થી સંબધિત અંતર નથી. સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળોનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળ પરિવારના લગભગ 8 જેટલા ગ્રહોની પરિભ્રમણ કક્ષા ગોળાકાર હોય છે. આ પ્રકારના ગ્રહોની સપાટી સમતળ હોય છે, જેને કાન્તિવૃત્ત કહેવામાં આવે છે. અંદરની બાજુના ચાર નાના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહો ખડકો અને ધાતુઓના બનેલા હોય છે અને સપાટીની દ્રષ્ટિએ ઠોસ હોય છે. બહારની બાજુના ચાર ગ્રહોઃ આ ગ્રહોમાં ગુરૂ,શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. આ ગ્રહોને ગેસના ગોળાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા હોય છે તેમજ તેઓ પાર્થિવ ગ્રહો કરતા વિશાળ કદના હોય છે. સૂર્યમંડળને નાના અવકાશી પદાર્થોથી બનેલા બે અન્ય પ્રાંતોનું પણ ઘર માનવામાં આવે છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે ઉલ્કા ઓના સમૂહનો એક પટ્ટો પથરાયેલો હોય છે જેમાં રહેલા અવકાશી પદાર્થો પાર્થિવ ગ્રહો જેવા જ હોય છે. આ ગ્રહો પણ ધાતુ તેમજ ખડકોના બનેલા હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાથી આગળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે. આ તમામ પદાર્થો મુખ્યત્વે ઠંડા પદાર્થો જેવા કે પાણી, બરફ, એમોનિયા અને મિથેન જેવા પદાર્થોના બનેલા છે. આ પ્રદેશોમાં પાંચ સ્વતંત્ર અવકાશી પદાર્થો જેવા કે સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ આવેલા છે. આ પદાર્થોનું ઘનત્વ ખૂબ જ વધારે હોય છે તેમજ તેમનું ગુરૂત્વાકષર્ણ બળ પણ વધારે હોય છે. એટલે જ તેમને વામન કદના વિશાળ તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પ્રદેશોમાં હજારોની સંખ્યામાં નાના અવકાશી તત્વો ઉપરાંત નાના અવકાશી પદાર્થોની વસતી પણ રહેલી છે. જેમાં કોમેટ્સ, સેન્ટાર્સ અને અંતિરક્ષની રજકણોનો સમાવેશ થાય છે. આ પદાર્થો બંને પ્રદેશોની વચ્ચે મુક્તપણે અવર-જવર કરતાં હોય છે. સૂર્ય પવનોમાં આયન અને વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતો વાયુ ધરાવે છે. આ વાયુ તારાઓની વચ્ચેના રહેલા માધ્યમમાં એક પરપોટાનું નિર્માણ કરે છે જેને હિલિઓસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિસ્તરણ સમતળ સપાટી સુધી થાય છે. પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ લાંબાગાળાના ધૂમકેતુના સ્રોત તરીકેની ભૂમિકા ભજવે છે. આ વાદળ હિલોસ્ફિયર કરતાં હજારો ગણું દૂર હોઇ શકે છે. છ ગ્રહો અને ત્રણ દ્વાર્ફ ગ્રહોની ફરતે કુદરતી ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. સામાન્યતઃ તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ચંદ્ર બાદ તમામ ચાર બહારના ગ્રહો અવકાશી રજકણ અને અન્ય પદાર્થોથી બનેલી રિંગથી ઢંકાયેલા હોય છે. શોધ અને નીરિક્ષણ હજારો વર્ષો સુધી માનવજાતિમાં કેટલાક અપવાદોને બાદ કરતાં સૂર્યર્મંડળના અસ્તિત્વનો કોઇને ખ્યાલ નહોતો. તેઓ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને તે બ્રહ્માંડની મધ્યમાં આવેલી છે. તેમજ અવકાશમાં વિહરતા પવિત્ર પદાર્થોથી તે નિરપવાદપણે અલગ છે. જોકે ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ અને ગ્રીકના તત્વચિંતક એરિસ્ટ્રેશસ ઓફ સામોસે સૂર્યકેન્દ્રી બ્રહ્માંડ અંગેનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ નિકોલસ કોપરનિકસ ગાણિતિક દ્રષ્ટિએ સૂર્યકેન્દ્રી વ્યવસ્થાનું ભાવિ ભાખનાર પ્રથમ વૈજ્ઞાનિક હતો. સત્તરમી સદીના તેના અનુગામીઓ ગેલિલિયો ગેલિલી,જ્હોન્સ કેપલર અને આઇસેક ન્યૂટન આ બધાએ ભૌતિકશાસ્ત્ર અંગેની સમજ ઊભી કરી હતી જેના કારણે ધીમે-ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેમજ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવી જ રીતે અન્ય ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તાજેતરના સમયમાં ટેલિસ્કોપમાં આવેલાં પરિવતર્નો અને માનવરહિત અવકાશયાનના ઉપયોગ મારફતે ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા ખડકો અને ક્રેટર્સ જેવા ભૂસ્તરશાસ્ત્રને લગતા પદાર્થોના અભ્યાસ અને સંશોધન સક્ષમ બન્યાં છે. આ ઉપરાંત ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા વાદળો, રજકણનાં તોફાનો અને આઇસ કેપ્સ જેવા મોસમગત સંશોધનો પણ સરળ બન્યાં છે. માળખું thumb|upright=1.5|સૂર્ય મંડળના શરીરમાંના ગ્રહોને માપવાના છ (ઘડિયાળના કાંટા પ્રમાણે ટોચથી ડાબી તરફ) સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય છે. સૂર્યમંડળનો જી2 પ્રકારનો આ મુખ્ય તારો મંડળના 99.86 ટકા જેટલા ભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમના ઉપર ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની ભ્રમણકક્ષાના ચાર મુખ્ય અંગો છે. ગેસના ગોળાઓ બાકીના 99 ટકા પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ ગુરૂ અને શનિનું પ્રદાન 90 ટકા જેટલું રહેલું છે. સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા વિશાળ કદના પદાર્થો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેલા છે. જેને કાન્તિવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહો કાન્તિવૃત્તની ખૂબ જ નજીક આવેલા હોય છે જ્યારે ધૂમકેતુઓ અને ક્વાઇપર પટ્ટે તેના કરતાં નોંધપાત્ર રીતે દૂર આવેલો છે. તમામ ગ્રહો અને મોટા ભાગના અન્ય અવકાશી પદાર્થો સૂર્યની સાથે જ અને તેની દિશામાં જ પરિભ્રમણ કરે છે. (સૂર્યના ઉત્તર ધ્રુવ ઉપરથી જોઇ શકાય છે તે રીતે દક્ષિણાવર્ત). જોકે આમાં હેલીના ધૂમકેતુ જેવા અપવાદો પણ છે. વધારે પડતાં અંતર સાથે તાલ મિલવવા માટે સૂર્યમંડળના ઘણા અવકાશી પદાર્થો સરખા અંતરે આવેલા હોય છે. હકીકતમાં જોઇએ તો થોડા અપવાદો સાથે ગ્રહો કે પટ્ટાનું અંતર સૂર્યથી અને તેની આગલી ભ્રમણકક્ષાથી વધારે હોય છે. દા.ત. શુક્ર બુધ કરતાં સૂર્યથી 0.33 એસ્ટ્રો યુનિટ (એયુ) (AU) દૂર આવેલો છે. જ્યારે શનિ ગુરૂ કરતાં 4.3 એયુ અને નેપ્ચ્યુન યુરેનસ કરતા 10.5 એયુ દૂર આવેલો છે. ભ્રમણ કક્ષા વચ્ચે રહેલાં અંતર વચ્ચેનો સહસબંધ જાણવા અંગેના ટિટિયસ બોડે નિયમ જેવા પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ કોઇ ચોક્કસ અભ્યાસને માન્યતા આપીને સ્વીકારવામાં આવ્યો નથી. કેપલરના ગ્રહોની ગતિના નિયમમાં સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા પદાર્થોની ભ્રમણ કક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેપલરના નિયમ અનુસાર દરેક પદાર્થ સૂર્ય સાથે એક જ કેન્દ્રની આસપાસ દીર્ઘ વર્તુળાકારે ફરે છે. નાની તેમજ મધ્યમ ધરી ધરાવનારા અને સૂર્યની નજીક રહેલા ગ્રહોનાં વર્ષો ટૂંકા હોય છે. લંબગોળાકારે પરિભ્રમણ દરમિયાન દરેક ગ્રહનું સૂર્યથી અંતર તેનાં વર્ષોને આધારે અલગ અલગ થાય છે. જ્યારે કોઇ ગ્રહ સૂર્યની સૌથી વધુ નજીક આવી જાય તેને પેરિહિલિયન કહેવામાં આવે છે જ્યારે તે સૂર્યથી ખૂબ જ દૂર જતો રહે તેને એફેલિયન કહેવામાં આવે છે. પેરિહિલિયન દરમિયાન દરેક ગ્રહો ઝડપી ગતિએ ભ્રમણ કરતા હોય છે જ્યારે એફિલિયન દરમિયાન તેઓ ધીમી ગતિએ પરિભ્રમણ કરતા હોય છે. મોટાભાગના અવકાશી પદાર્થોની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર જેવી હોય છે પરંતુ ધૂમકેતુઓ, એસ્ટોઇડ્સ અને ક્વાઇપર પટ્ટામાં રહેલા અવકાશી પદાર્થો અતિશય લંબગોળાકારે પરિભ્રમણ કરતા હોય છે. સૂર્યમંડળમાં રહેલા દરેક ગ્રહોને પોતાનું એક ગૌણ મંડળ પણ હોય છે. ઘણા બધા પદાર્થો ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે જેમને કુદરતી ઉપગ્રહો અથવા તો ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકીના કેટલાક તો બુધ ગ્રહ કરતાં પણ વિશાળ હોય છે. મોટાભાગના વિશાળ કુદરતી ઉપગ્રહો સરખી ગતિએ ફરતા હોય છે તેમનો એક ભાગ તે જે ગ્રહની આસપાસ ફરતો હોય તેની તરફ રહે છે. ચાર વિશાળ ગ્રહોને એટલે કે ગેસના ગોળાઓને ફરતે અવકાશી પદાર્થોથી બનેલી એક રિંગ આવેલી હોય છે. આ રિંગો અવકાશી પદાર્થોની બનેલી પાતળી પટ્ટી જેવી હોય છે અને તે ગ્રહોને ફરતે એકાકારે ફરતી હોય છે. પરિભાષા કેટલીક વખત સૂર્યમંડળને વિવિધ પ્રાંતોમાં વહેંચવામાં આવે છે. અંદરનાં સૂર્યમંડળમાં ચાર ટેરેસ્ટેરિયલ એટલે કે પાર્થિવ ગ્રહો અને મુખ્ય એસ્ટરોઇડ પટ્ટાનો સમાવેશ થાય છે. ચાર ગેસના વિશાળ ગોળાઓ સહિતનું બહારનું સૂર્યમંડળ એસ્ટરોઇડ પટ્ટાની બહાર આવેલું હોય છે. સૂર્યમંડળના સૌથી બહારના કે દૂરના ભાગ તરીકે ક્વાઇપર પટ્ટાને ઓળખવામાં આવે છે. આ પટ્ટો સ્પષ્ટપણે જોઇ શકાય તેવો છે અને તેમાં નેપ્ચ્યુનની પેલે પાર આવેલા પદાર્થોનો સમાવેશ થાય છે. ગતિની દૃષ્ટિએ અને સ્થૂળ રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થોનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કરી શકાય ગ્રહો , દ્વાર્ફ ગ્રહો અને સૂર્યમંડળના નાના પદાર્થો . ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એ પ્રકારનો પદાર્થ છે કે જેની પાસે પોતાને ગોળાકાર આકાર આપવા માટે પૂરતાં તત્વો ધરાવે છે અને તેણે તેની આસપાસના નાના અવકાશી પદાર્થોને સાફ કરી નાખ્યા છે. આ વ્યાખ્યા અનુસાર જોવામાં આવે તો સૂર્ય મંડળમાં 8 જાણીતા ગ્રહો આવેલા છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ વ્યાખ્યા પ્લુટોને લાગુ નથી પડતી, કારણ કે તેણે તેની ભ્રમણ કક્ષામાં રહેલા અવકાશી પદાર્થોને સાફ નથી કર્યા. દ્વાર્ફ ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એવો અવકાશી પદાર્થ છે કે જે પોતાના ગુરૂત્વાકર્ષણ બળને આધારે પરિભ્રમણ કરવાને સક્ષમ છે પરંતુ તેણે તેની આસપાસના અવકાશી પદાર્થોના સમૂહને સાફ નથી કર્યા તેમજ તે ઉપગ્રહ પણ નથી. આ વ્યાખ્યા પ્રમાણે જોઇએ તો સૂર્યમંડળમાં કુલ પાંચ દ્વાર્ફ ગ્રહો આવેલા છે. સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ ભવિષ્યમાં કેટલાક અવકાશી પદાર્થોને પણ દ્વાર્ફ ગ્રહો તરીકે ગણવામાં આવી શકે છે જેમાં સેધા, ઓર્કસ અને ક્વાઓરનો સમાવેશ થાય છે. જે દ્વાર્ફ ગ્રહો ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશમાં પરિભ્રમણ કરે છે તેમને "પ્લુટોઇડ"ના નામે ઓળખવામાં આવે છે. આ સિવાયના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થોને સૂર્યમંડળના નાના પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ખગોળ વૈજ્ઞાનિકો સૂર્યમંડળમાં મળી આવેલા વિવિધ પદાર્થોને ધ્યાનમાં રાખીને ગ્રહોનું વર્ગીકરણ કરતી વખતે વાયુ , બરફ અને ખડક જેવી પરિભાષાનો પ્રયોગ કરે છે. ખડક શબ્દનો પ્રયોગ ઊંચુ તાપમાન ધરાવતા વરાળ જેવા પદાર્થોથી બનેલા તત્વોના કે ગલનબિંદુના વર્ણન માટે વાપરવામાં આવે છે. આ પ્રકારના તત્વો અવકાશી પદાર્થોના સમૂહની વચ્ચે તમામ પ્રકારની સ્થિતિમાં સખત રહે છે. ખડકોમાં રહેલા પદાર્થોમાં સિલિકેટ્સ અને નિકલ તેમજ લોખંડ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે. સામાન્યતઃ અંદરના સૂર્યર્મંડળમાં અમુક વસ્તુઓ સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ તેનાથી બનેલા હોય છે. વાયુઓ અત્યંત નીચું ગલનબિંદુ અને વરાળનું ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા પદાર્થો છે. જેમાં રાસાયણિક રૂપલ ગુમાવ્યા વિનાનો હાઇડ્રોજન, હિલિયમ, નિયોન વગેરેનો સમાવેશ થાય છે. આ પદાર્થો અવકાશના ગેસવાળા વિસ્તારોમાં રહે છે. આ તમામ સૂર્યમંડળના મધ્યભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે જેમાં ગુરૂ અને શનિનો સમાવેશ થાય છે. પાણી, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા બરફ નું ગલનબિંદુ અમુક સો કેલ્વિન જેટલું હોય છે. જ્યારે તેમની કળા પરિસરતું દબાણ અને તાપમાન ઉપર આધાર રાખે છે. આ તમામ પદાર્થો સૂર્યમંડળની વિવિધ જગ્યાઓ ઉપર બરફ, પ્રવાહી અને વાયુના સ્વરૂપે જોવા મળે છે. જ્યારે સૂર્યમંડળથી દૂરના પ્રદેશોમાં તેઓ સખત કે ગેસવાળા પદાર્થો તરીકે જોવા મળે છે. મોટા ભાગના વિશાળ ઉપગ્રહો ઉપર બર્ફીલા પદાર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન (કહેવાતા બરફના વિશાળ ગોળાઓ) ઉપરાંત નેપ્ચ્યુનની પેલે પાર રહેલા અસંખ્ય અવકાશી પદાર્થો ઉપર તે જોવા મળે છે. ગેસ અને બરફ બંનેને સંયુક્ત રીતે વોલેટાઇલ એટલે કે અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય thumb|right|સંકેતસ્થાનનું વહન, ગ્રાહની તુલનામાં સૂર્યનું કદ દર્શાવે છે. સૂર્ય એ સૂર્યમંડળનો એક તારો છે. તે તેના મુખ્ય ઘટકોથી દૂર આવેલો છે. તેનું વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના [[ગર્ભ[16]વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના [[ગર્ભ]]માં તાપમાન અને ઘનત્વ પેદા કરે છે જે પરમાણુ સંયોજનનો ભાર ઝીલવાને સક્ષમ હોય છે. સૂર્ય પ્રચંડ ઉર્જા પેદા કરે છે. મોટાભાગની ઊર્જા અવકાશમાં રેલાઇ જતી હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી 400 થી 700 NM બેન્ડ જેટલો પ્રકાશ ઉત્પાન્ન થાય છે જેને આપણે દૃશ્યમાન પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. સૂર્યનું વર્ગીકરણ પીળા રંગના દ્વાર્ફ ગ્રહ તરીકે જી2 પ્રકારના તારા તરીકે કરી શકાય. પરંતુ આના કારણે ગેરસમજ થશે કારણ કે આપણી આકાશગંગાના મોટાભાગના તારાઓ આ જ પ્રકારના છે. સૂર્ય તેના કરતા જરા વિશાળ અને વધારે પ્રકાશમાન છે. તારાઓનું વર્ગીકરણ હર્ટ્ઝસ્પ્રુન્ગ રસેલની આકૃતિ પ્રમાણે કરી શકાય. આ આકૃતિ તારાની જમીન પર તેના તાપમાનની સરખામણીએ તેની તેજસ્વીતા દર્શાવે છે. સામાન્યતઃ ગરમ તારાઓ વધારે તેજસ્વી હોય છે. તારાઓ દ્વારા અનુસરવામાં આવતી આ પ્રક્રિયાને મુખ્ય ઘટના ક્રમ કહેવામાં આવે છે. સૂર્ય બરાબર તેની મધ્યમાં રહેલો હોય છે. જોકે સૂર્ય કરતાં પણ તેજસ્વી અને ગરમ તારાઓ ખૂબ જ ઓછા છે. પરંતુ નોંધપાત્ર રીતે ઝાંખા અને ઠંડા તારાઓને લાલ દ્વાર્ફ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ગ્રહો સામાન્ય છે. આકાશગંગામાં લગભગ 85 ટકા આ પ્રકારના ગ્રહો આવેલા છે. એમ માનવામાં આવે છે કે સૂર્ય મુખ્ય ઘટના ક્રમમાં તેની સ્થિતિ તેને તારાઓના જીવનનો અગત્યનો સ્રોત બનાવે છે. આ કારણોસર તેણે તેનું પરમાણુ સંયોજન માટે જરૂરી એવું હાઇડ્રોજનનું તત્વ ગુમાવ્યું નથી. સૂર્યની તેજસ્વિતા સતત વિકાસ પામતી રહી છે. અગાઉ તેના ઇતહાસમાં સૂર્ય આજે જેટલો છે તેના કરતા 70 ટકા જેટલો તેજસ્વી હતો. સૂર્ય એ પોપ્યુલેશન I પ્રકારનો તારો છે. તેનો ઉદ્ભવ બ્રહ્માંડના વિકાસના અંતિમ ચરણમાં થયો હતો. અને તેથી જ તે જૂના પોપ્યુલેશન II ગ્રહોની સરખામણીએ હાઇડ્રોજન, ધાતુઓ (ખગોળીય ભાષામાં) અને હિલિયમ કરતાં વધારે ભારે પદાર્થો ધરાવે છે. હાઇડ્રોજન અને હિલિયમ કરતા પણ ભારે તત્વોનું નિર્માણ જૂના તેમજ ધડાકા સાથે ફાટતા તારાઓના ગર્ભમાં થાય છે. એટલે બ્રહ્માંડ જ્યારે નવાતારાઓથી ભરાઇ જાય ત્યારે જૂના તારાઓ નષ્ટ થઇ જશે. જૂના તારાઓમાં ધાતુઓનું પ્રમાણ ઓછુ હોય છે જ્યારે નવા તારામાં તેનું પ્રમાણ વધારે હોય છે. ધાતુનું વધારે પડતું પ્રમાણ સૂર્ય માટે ગ્રહમંડળની રચનામાં મહત્તવનું સાબિત થાય છે. કારણ કે ગ્રહોનું નિર્માણ દ્રવ્ય પ્રકારના ધાતુઓથી થતું હોય છે. left|thumb|હેલીસ્ફિયરીક પ્રવર્તમાન પત્રક આંતરગ્રહીય માધ્યમ પ્રકાશ ઉપરાંત સૂર્ય સતત સૂક્ષ્મકણોથી બનેલા પવનો રેલાવતો રહે છે જેને સૂર્યપવનના નામે ઓળખવામાં આવે છે. આ સૂક્ષ્મકણોનો પ્રવાહ અંદાજે 15 લાખ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય છે. જેના કારણે સૂક્ષ્મ વાતાવરણ (હિલોસ્ફિયર)નું નિર્માણ થાય છે. રજકણોનો આ પ્રવાહ સૂર્યમંડળને કમ સેકમ 100 AU બહાર લઇ જાય છે. (જુઓ હેલિયોપોઝ) આને આંતરગ્રહીય માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સપાટી ઉપર આવતા સોલાર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન જેવા ચુંબકીય તોફાનો હિલોસ્ફિયરને અવકાશનું વાતાવરણ નિર્માણ કરવામાં નડતરરૂપ બને છે. હિલોસ્ફિયરમાં રહેલું સાૈથી વિશાળ માળખું હિલોસ્ફેરિક કરન્ટ શીટ તરીકે ઓળખાય છે. શંકુ અાકારના ગૂંચળા જેવો અવકાશી પદાર્થ આંતરગ્રહીય માધ્યમ ઉપર રહેલા સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાંથી બને છે.રીલે, પેટે; લિંકર, જે.એ.મિકીક, ઝેડ., "હિલીયોસ્ફિયરીક પ્રવર્તમાન પત્રકનો નૂનો આપે છે: સૂર્ય ચક્રમાં ફેરફાર", (2002) જર્ન ઓફ જિયોફીઝીકલ રિસર્ચ (સ્પેસ ફિઝીક્સ), વોલ્યુમ 107, ઇસ્યુ એ A7, પૃષ્ઠ એએસએચ 8-1, સાઇટઆઇડી 1136, ડીઓટી 10.1029/2001જેએ000299. એનિમલ કંઝર્વેશન (61): 141-146 સંપૂર્ણ પાઠ્યબે ઉત્તર છેડાઓ સાથેનો તારો , એપ્રિલ 22, 2003, સાયંસ @ નાસા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના વાતાવરણને સૂર્યપવનોથી ધોવાઇ જતાં બચાવે છે. શુક્ર અને મંગળને પોતાનાં ચુંબકીય ક્ષેત્ર હોતા નથી જેના કારણે સૂર્યપવન તેના વાતાવરણને અવકાશમાં દૂર સુધ ઢસડી જાય છે. કોરોનલ માસ ઇજેક્શન અને તેના જેવી ઘટનાઓ સૂર્યની સપાટી ઉપરથી ચુંબકીય ક્ષેત્રોને સાફ કરી નાખે છે તેમજ જંગી જથ્થામાં વિવિધ પ્રકારના પદાર્થોને ફૂંકી મારે છે. આ ચુંબકીય ક્ષેત્રોની જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રતિક્રિયા થાય છે ત્યારે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં આ કણોની પ્રતિક્રિયા થાય છે જેના પરિણામે ચુંબકીય ધ્રુવની નજીક જોવા મળતા ઓરોરેનું નિર્માણ થાય છે. બ્રહ્માંડના કિરણોનો ઉદ્ભવ સૂર્યમંડળની બહાર થાય છે. હિલોસ્ફિયર સૂર્યમંડળ અને ગ્રહોનાં (જે ગ્રહોને પોતાના ચુંબકીય ક્ષેત્રો હોય છે તેવા ગ્રહોના) ચુંબકીય વિસ્તારોનું આંશિક રીતે રક્ષણ કરે છે. તેમજ તેમને સુરક્ષા પણ પૂરી પાડે છે. બ્રહમાંડના ઇન્ટરસ્ટેલરમાં રહેલા કિરણોની ક્ષમતા અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રોની તાકાત લાંબા સમયગાળા ાદ હદલાય છે. એટલે સૂર્યમંડળમાં કોસ્મિક રેડિયેશનનું પ્રમાણ બદલાતું રહે છે જોકે તે કટલા પ્રમાણમાં બદલાય છે તે જાણી કાયું નથી. આંતરગ્રહીય માધ્યમ એ બ્રહ્માંડની રજકણોથી બનેલા અને થાળી જેવો આકાર ધરાવતા કમ સેકમ બે પ્રાંતોનું ઘર છે. તેમાંનો પ્રથમ પ્રાંત ઝોડિયેકલ રજકણોથી બનેલાં વાદળોનો બનેલો હોય છે જે સૂર્યમંડળના અંદરના ભાગમાં આવેલો હોય છે અને જેનાં પરિણામે ઝોડિયેકલ પ્રકાશનું નિર્માણ થાય છે. તેનું ઉદ્ભવ સ્થાન એસ્ટરોઇડ પટ્ટામાં ઊભા થતા પ્રતિરોધને કારણે થતું હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિરોધ ગ્રહો સાથે સંપર્ક થવાને કારણે થાય છે. જ્યારે બીજા પ્રાંતનો ઉદ્ભવ 10થી 40 પ્રકાશવર્ષ દૂર ક્વાઇપર પટ્ટામાં થતાં આ જ પ્રકારનાં પ્રતિરોધથી થાય છે. આંતરિક સૂર્યમંડળ જે પ્રાંતમાં પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ આવેલા છે તેવા પ્રાંતનું પરંપરાગત નામ આંતરિક સૂર્યમંડળ છે. મુખ્યત્વે સિલિકેટ અને ધાતુઓથી બનેલા આંતરિક સૂર્યમંડળના તમામ પદાર્થો સૂર્યની વધારે નજીક આવેલા છે. આંતરિક ગ્રહો thumb|આંતરિક ગ્રહો ડાબથી જમણી તરફઃ મર્ક્યુરી, વેનુ, પૃથ્વી અને મંગળનો ગ્રહ (કદ માપવાના છે) અંદરના ચાર પાર્થિવ ગ્રહોનું બંધારણ ઘન અને ખડકોનું હોય છે. આ ગ્રહોને ઓછા ચંદ્ર હોય છે અથવા તો હોતા જ નથી તેમજ તેમની ફરતે રિંગ પણ હોતી નથી. તેઓ મુખ્યત્વે ઉષ્ણ પ્રતિકારક પદાર્થો જેવા કે સિલિકેટ કે જે તેમના ઉપરના પોપડાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તેઓ પ્રવાહી અને લોખંડ અને નિકલ જેવી ધાતુઓના બનેલા હોય છે કે જે તેમના ગર્ભનું નિર્માણ કરે છે. અંદરની ભાગે આવેલા ચાર પૈકી ત્રણ ગ્રહો શુક્ર, પૃથ્વી અને મંગળને સુવ્યવસ્થિત વાતાવરણ હોય છે. તમામ ગ્રહોને જ્વાળામુખીનાં મુખો, ટેક્ટોનિક ઉપરાંત ભૂમિગત લાક્ષણિકતાઓ જેવી કે ખીણ અને જ્વાળામુખીઓ વગેરે હોય છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે આંતરિક ગ્રહો અને લઘુ ગ્રહો વચ્ચે તફાવત છે જે અંગે ગેરસમજ ન થવી જોઇએ. આંતરિક ગ્રહો જે ગ્સૂરહો પૃથ્વી કરતાં સૂર્નીયની વધારે નજીક આવેલા ગ્રહોને કહેવામાં આવે છે. (દા. ત. બુધ અને શુક્ર) બુધ બુધ એ સૂર્યની સૌથી વધુ નજીક આવેલો ગ્રહ છે (0.4 પ્રકાશવર્ષ) બુધ સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે અને તેનું કદ 0.055 માસ (અવકાશી પદાર્થોનું કદ માપવાનો એકમ) જેટલું છે. બુધને કોઇ જ કુદરતી ઉપગ્રહો નથી.અગાઉ તેના ઇતિહાસમાં થયેલા પ્રતિરોધોને કારણે તેના ઉપર જ્વાળામુખીના મુખો ધરાવતી ગીરિમાળાઓ આવેલી છે.શેન્ક પી., મેલોશ એચ.જે. (1994), લાબોટે થ્રશ્ટ સ્ક્રેપ્સ અને મર્ક્યુરીના લિથોસ્ફીયર , 25મા ગ્રહણ અને પ્લાનેટરી સાયંસ કોન્ફરન્સનો સાર, 1994 એલપીઆઇ....25.1203S બુધ ઉપર નગણ્ય પ્રકારનું વાતાવરણ હોય છે. જેમાં વિસ્ફોટોનો સમાવેશ થાય છે. સૂર્યપવનોના કારણે તેની સપાટી નષ્ટ થઇ જાય છે. તેના ગર્ભમાં વિશાળ માત્રામાં લોખંડ રહેલું છે અને થોડું પ્રવાહી પણ રહેલું છે જોકે પ્રવાહી કેટલી માત્રામાં છે તેનો અંદાજ હજી મળ્યો નથી. એક પૂર્વધારણા અનુસાર મોટી તેમજ ગંભીર અસરોના કારણે તેનું બહારનું વાતાવરણ નાશ પામ્યું હતું પરંતુ હવે તેની રક્ષા સૂર્યની ઊર્જા દ્વારા થાય છે.કેમેરોન, એ.જી.ડબ્લ્યુ.(1985), ધી પાર્શિયલ વોલેટીનાઇઝેન ઓફ મર્ક્યુરી , ઇકારસ, વી. 64, પૃ. 285–294.બેન્ઝ, ડબ્લ્યુ., સ્લેટરી, ડબ્લ્યુ.એલ., કેમેરોન, એ.જી.ડબ્લ્યુ (1988), કોલીઝનલ સ્ટ્રીપીંગ ઓફ મર્ક્યુરીઝ મેન્ટલ , ઇકારસ , વી. 74, પૃ. 516–528.બુધ પર આજ સુધી મા સૌથી વધુ તાપમાન રાત મા -૧૯૫ અને દિવસ મા ૩૬૦ સુધી નોધાયુ છે. શુક્ર શુક્ર એ વધુ ચમકતો ગ્રહ છે. તેના વાતાવરણ માં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૯૭% હોય છે. શુક્રને પૃથ્વીનો જોડિયો પણ કહેવાય છે (આકાર અને દ્રવ્યમાનના આધારે). એ પૃથ્વીના કદ જેટલો સૂર્યની નજીક આવેલો છે (૦.૭ એસ્ટ્રો યુનિટ (AU)) અને તેનું કદ ૦.૮૧૫ અર્થ માસ જેટલું છે. પૃથ્વીની જેમ જ શુક્રની ફરતે સિલિકેટ પ્રવાહીનું આવરણ આવેલું છે તેમજ તેનું ગર્ભ લોખંડનું છે. શુક્રને સુવ્યવસ્થિત વાતાવરણ છે તેમજ તેની ઉપર આંતરિક ખગોળીય ઘતિવિધિઓના પણ પુરાવાઓ છે. જોકે પૃથ્વીની સરખામણીએ તે એકદમ સૂકોગ્રહ છે અને તેનું વાતાવરણ પૃથ્વીની સરખામણીએ ૯૦ ગણું ઘનતા વાળું છે. શુક્રને પણ કોઇ જ કુદરતી ઉપગ્રહ નથી. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે તેની સપાટી ઉપરનું તાપમાન ૪૦૦ અંશ સેલ્સિયસ જેટલું છે. જેની પાછળ શુક્રનાં વાતાવરણમાં રહેલા વધારે પડતા ગ્રીનહાઉસ વાયુઓ જવાબદાર ગણાવી શકાય. બીજી રસપ્રદ વાત એ છે કે શુક્ર ગ્રહ પૃથ્વીની નજીકનો ગ્રહ હોવાને કારણે તેને રાત્રીના સમયે આકાશમાં તારા સ્વરૂપે જોઈ શકાય છે. હાલના તબક્કે શુક્ર ઉપર કોઇ નિશ્ચિત ખગોળીય ગતિવિધિઓ બની રહી હોય તેવું નોંધાયું નથી. પરંતુ શુક્રને પોતાનું ચુંબકીય ક્ષેત્ર ન હોવાને કારણે તેના સુવ્યવસ્થિત વાતાવરણમાં થતો ઘટાડો અટકે છે. જેનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે તેના ઉપર ફાટતા જ્વાળા મુખીઓને કારણે તેનું વાતાવરણ ફરી ફરીને નિર્માણ પામે છે. ગ્રીક સંસ્કૃતિમાં શુક્રને પ્રેમ અથવા સૌન્દર્યની દેવી કહેવામાં આવે છે. પૃથ્વી પૃથ્વી પર જળની ઉપસ્થિતિને કારણે તે ભૂરા રંગનો દેખાય છે. પૃથ્વી પોતાની ધરી પર ૨૩° નમેલી છે. પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરી ને ૧૬૧૦0 કિ.મિ./કલાકની ગતિથી ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪ સેકન્ડમાં એક ચક્કર લગાવે છે જેને પૃથ્વીનું પરિભ્રમણ કહેવાય છે. સૂર્યની પરિક્રમા પૂરી કરતા તેને ૩૬૫ દિવસ ૫ કલાક ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનો સમય લાગે છે. તેને પૃથ્વીની પરિક્રમા કહે છે. સૂર્ય પછી પૃથ્વીને સૌથી નજીકનો તારો પ્રોકિસમાં સૅનચુરી છે જે આલ્ફા સેન્ચ્યુરી સમૂહનો તારો છે. તે પૃથ્વીથી ૪.૨૨ પ્રકાશવર્ષ દૂર છે. (૧ એસ્ટ્રો યુનિટ (AU)) આંતરિક ગ્રહોમાં પૃથ્વી સહુથી વિશાળ કદની અને ઘનતા ધરાવતી છે. આ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર ખગોળીય ગતિવિધિઓ ચાલી રહી છે. ઉપરાંત સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીમાં રહેલું પ્રવાહી હાઇડ્રોસ્ફિયર તમામ પાર્થિવ ગ્રહો કરતાં અલગ છે. આ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર પ્લેટ કેક્ટોનિક્સ જોવા મળે છે. અન્ય ગ્રહોની સરખામણીએ પૃથ્વી ઉપરનું વાતાવરણ ધરમૂળથી અલગ હોય છે. તેનું વાતાવરણ જીવસૃષ્ટિઓથી બદલાયા કરે છે અને તેમાં ૨૧ ટકા જેટલો મુક્ત પ્રાણવાયુ રહેલો હોય છે. ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. જેનું પૃથ્વીથી અંતર ૩,૮૫,૫૦૦ કિમિ છે. પાર્થિવ ગ્રહને મળેલો આ સહુથી મોટો ઉપગ્રહ છે. મંગળ મંગળ (1.5 પ્રકાશવર્ષ) એ શુક્ર અને પૃથ્વી કરતા નાના કદનો ગ્રહ છે અને તેનું કદ 0.107 અર્થ માસ જેટલું છે.તેની વેરનભૂમિ આયન ઓક્સાઇડને કારણે લાલ છે.આથી તેને લાલ ગ્રહ અથવા યુદ્ધનો દેવતા પણ કહે છે.પૃથ્વી સમાન ઋતુપરિવર્તન થાય છે કારણકે તે ધરી પર 25°ખૂણે નમેલો છે.ફોબોસ અને ડિમોસ એમ બે ઉપગ્રહ છે.માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઉંચો પર્વત 'નિક્સ ઓલપિયા' છે.જે સોંરમંડલ નો સોંથી ઉંચો પર્વત છે. સોંરમંડલ નો મોટો જ્વાળામુખી ઓલિપ્સ મેસી મંગળ પર અતિથ છે. તેના ઉપર મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ હોય છે. અને તેની સપાટી ઉપરનું દબાણ 6.1 મિલિબાર્સ જેટલું (અંદાજે પૃથ્વીની સરખામણીએ 0.6 ટકા) હોય છે. તેની સપાટી ઓલિમ્પસ મોન્સ જેવા જ્વાળામુખીઓથી પથરાયેલી છે. તેમજ વેલ્સ મારિનરિઝ જેવી ઊંડી ખીણો પણ મંગળ ઉપર આવેલી છે. આ બાબત ઉપરથી સાબિત થાય છે કે મંગળ ઉપર ખગોળીય ગતિવિધિઓ 20 લાખ વર્ષો પૂર્વે શરૂ થઇ છે. મંગળની ધરતી ઉપર રહેલા આયર્ન ઓક્સાઇડની ધૂળને કારણે તેનો રંગ લાલ દેખાય છે. મંગળને દેઇમોસ અને ફોબોસ નામના બે ખૂબ જ નાના કુદરતી ઉપગ્રહો છે. જે મંગળ અને ગુરૂની વચ્ચે આવેલા પટ્ટામાં રહે છે. મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો પટ્ટો upright=1.5|thumb|મુખ્ય મંગળ અને ગુરુની વચ્ચેના અંસંખ્ય તારાઓનો પટ્ટો અને ત્રોજન મંગળ અને ગુરના અસંખ્ય તારાઓ મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો પટ્ટો (એસ્ટરોઇડ) સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો સમૂહ છે. આ પદાર્થો મુખ્યત્વે ઉષ્ણતાના પ્રતિરોધક, ખડકો અને ધાતુઓ જેવા ખનીજના બનેલા છે.એસ્ટરોઇડ પટ્ટાનો મુખ્ય ભાગ મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો છે. તે સૂર્ય કરતાં 2.3થી 3.3 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. ગુરૂના ભારે ગુરૂત્વાકર્ષણને કારણે સૂર્યમંડળ તેના આસપાસના તમામ પદાર્થોને એકત્રિત કરી રાખવામાં નિષ્ફળ જાય છે. સ્ટરોઇડનું કદ માઇક્રોસ્કોપિકથી અમુક સો કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. સમગ્ર એસ્ટરોઇડ વિશાળ કદના સેરેસને બચાવે છે. જેનું વર્ગીકરણ સૂર્યમંડળના નાના પદ્રાથો તરીકે કરવામાં આવે છે. પરંતુ વેસ્ટા, હાઇજિયા, વગેરે જેવા કેટલાક એસ્ટરોઇડ સ્થિરપ્રવાહીતા જેવું સંતુલન જાળવવામાં પાર ઉતરે તો તેમનું વર્ગીકરણ બદલીને દ્વાર્ફ ગ્રહો તરીકે પણ કરવામાં આવે છે. એસ્ટરોઇડ પટ્ટો પોતાના એક કિલોમિટરના વ્યાસમાં જ હજારો અને કરોડોની સંખ્યામાં અવકાશી પદાર્થો ધરાવે છે. આમ છતાં પણ મુખ્યપટ્ટામાં રહેલા પદાર્થો પૃથ્વીની ફરતે રહેલા પદાર્થોના હજારમાં ભાગ જેટલા પણ નહીં હોય. મુખ્યપટ્ટા ઉપર રહેલા અવકાશી પદાર્થો ખૂબ જ છૂટાછવાયયેલા હોય છે. અવકાસયાન તેની વચ્ચેથી વિના કોઇ અકસ્માતે પસાર થઇ શકે છે. 10 અને 10-4 એમ જેટલો વ્યાસ ધરાવતા એસ્ટરોઇડને મિટરોઇડ કહેવામાં આવે છે. સેરેસ સેરેસ (2.77 પ્રકાશવર્ષ) એસ્ટરોઇડ પટ્ટામાં રહેલો સહુથી મોટો અવકાશી પદાર્થ છે અને તેનું વર્ગીકરણ દ્વાર્ફ ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેનો વ્યાસ 1000 કિલોમિટર કરતા થોડો નાનો છે ગુરૂત્વાકર્ષણ બળના આધારે પોતાનો આકાર ગોશ રાખવા માટે તેની પાસે પૂરતું કદ રહેલું છે. 19મી સદીમાં જ્યારે સેરેસની શોધ થઇ ત્યારે તેને એક ગ્રહ તરીકે સ્વીકૃતી આપવામાં આવી હતી પરંતુ જ્યારે 1850માં અન્ય એસ્ટરોઇડની શોધ થઇ ત્યારે તેનું વર્ગીકરણ બદલી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી 2006માં તેનું વર્ગીકરણ દ્વાર્ફ ગ્રહ તરીકે કરવામાં આવ્યું હતું. એસ્ટરોઇડ જૂથો મુખ્ય પટ્ટામાં આવેલા એસ્ટરોઇડને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એસ્ટરોઇડ જૂથો અને એસ્ટરોઇડ કુટુંબો. તેમનું વર્ગીકરણ તેમની ભ્રમણકક્ષાની લાક્ષણિકતાઓને આધારે કરવામાં આવે છે. એસ્ટરોઇડ ચંદ્રો એસ્ટરોઇડેઝ છે કે જેઓ એસ્ટરોઇડના વિશાળ વિસ્તારમાં પરિભ્રમણ કરે છે. ખરા અર્થમાં જોઇએ તો આ પ્રકારના ચંદ્રોને ગ્રહો પ્રકારના ચંદ્રો ન કહી શકાય કારણ કે ઘણી વખત તેઓ તેના ભાગીદારો જેટલા જ વિશાળ હોય છે. એસ્ટરોઇડમાં મુખ્ય પટ્ટાના ધૂમકેતુઓ પણ આવેલા હોય છે. તેઓ પૃથ્વી ઉપર રહેલા પાણીના મુખ્ય સ્રોતો પણ હોઇ શકે. ટ્રોજાન એસ્ટરોઇડ ગુરૂના L4 અથવા તો L5 બિંદુઓ પાસે આવેલો હોય છે. (ગુરૂત્વાકર્ષણની દ્રષ્ટિએ આ વિસ્તાર સ્થિર માનવામાં આવે છે. તે ગ્રહોને પોતાની ભ્રમણ કક્ષામાં રાખે છે.) ટ્રોજાન શબ્દનો પ્રયોગ નાના અવકાશી પદાર્થો અને ઉપગ્રહ લેગ્રેન્જ પોઇન્ટ માટે પણ પ્રયોજવામાં આવે છે. હિલ્દા એસ્ટરોઇડ્સ ગુરૂ સાથે 2:3 રેઝનન્સ ઉપર આવેલા હોય છે. જેના કારણે તેઓ ગૂરૂના દર બે પરિભ્રમણે સૂર્યના ત્રણ પરિભ્રમણ કરે છે.આંતરિક સૂર્યમંડળ રોગ એસ્ટરોઇડથી પણ ઘેરાયેલું હોય છે. જેમાંના કેટલાક ગ્રહો આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષા ઓળંગી જતા હોય છે. બાહ્ય સૂર્યમંડળ સૂર્યમંડળની બહારની બાજુએ આવેલો વિસ્તાર ગેસના ગોળાઓનું અને તેમના વિશાળ ચંદ્રોનું આશ્રયસ્થાન છે. સેન્ટોર્સ સહિતના અલ્પજીવી ધૂમકેતુઓ આ પ્રાંતમાં પરિભ્રમણ કરતા હોય છે. સૂર્યથી ખૂબ જ દૂરના અંતરે હોવાને કારણે બાહ્ય સૂર્યમંડળના અવકાશી પદાર્થો બરફ ના (જેમ કે પાણી, એમોનિયા, મિથેન વગેરે જેવા પદાર્થોને ખગોળીય વિજ્ઞાનની ભાષામાં બરફ કહેવામાં આવે છે.) બનેલા હોય છે. જ્યારે આંતરિક સૂર્યમંડળના ગ્રહો ખડકોના બનેલા હોય છે. બાહ્ય સૂર્યમંડળનું તાપમાન ખૂબ જ નીચું હોવાને કારણે આ પદાર્થો બરફની જેમ જામી રહે છે. બાહ્ય ગ્રહો thumb|ટોચથી નીચે સુધીઃ નેપ્ચ્યુન, યુરેનસ, સેટર્ન અને ગુરુ(કદ માપવાના નથી) ચાર બાહ્ય ગ્રહો અથવા તો ગેસના ગોળાઓ (ક્યારેક તેમને જોવેઇન ગ્રહો પણ કહેવામાં આવે છે.) સંયુક્ત રીતે જોઇએ તો સૂર્યની પરિભ્રમણ કક્ષાનો લગભગ 99 ટકા વિસ્તાર આવરી લે છે. ગુરૂ અને શનિ પ્રચુર માત્રામાં હાઇડ્રોજન અને હિલિયમનો જથ્થો ધરાવે છે. જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન પુષ્કળ માત્રામાં બરફ ધરાવે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓએ એવું સૂચન કર્યું હતું કે તેમને વિશાળ બરફના ગોળાઓ તરીકે ઓળખવા જોઇએ. ગેસના વિશાળ એવા દરેક ગોળાઓની ફરતે વલયો આવેલા છે પરંતુ માત્ર શનિને ફરતે આવેલાં વલયોને જ પૃથ્વી ઉપરથી નરી આંખે નિહાળી શકાય છે. બાહ્યગ્રહો ને ગુરૂ ગ્રહો માની લેવાની ભૂલ ન કરવી જોઇએ.બાહ્ય ગ્રહો એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની બહાર આવેલા ગ્રહો છે જેમાં મંગળ અને બાહ્ય ગ્રહોનો સમાવેશ થાય છે. ગુરુ ગુરુ (5.2 એસ્ટ્રો યુનિટ (AU)) નું કદ 318 અર્થ માસિઝ જેટલું છે.તમામ ગ્રહોનાં સંયુક્ત કદ કરતાં પણ તેનું કદ 2.5 ગણું વધારે છે. ગુરૂ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. ગુરૂમાં રહેલી પ્રચંડ ગરમીના કારણે તેના વાતાવરણમાં વાદળોના પટ્ટાઓ તેમજ ગ્રેટ રેડ સ્પોટ જેવી ઘણી અસ્થાયી વસ્તુઓનું નિર્માણ થાય છે. ગુરૂને 63 જાણીતા ઉપગ્રહો છે. ગેનિમિડ, કેલિસ્ટો, આઇઓ અને યુરોપા જેવા ચાર વિશાળ ઉપગ્રહો જ્વાળા મુખી અને આંતરિક ગરમી પ્રકારની પાર્થિવ ગ્રહો જેવી સમાનતા ધરાવે છે. ગેનિમિડ સૂર્યમંડળનો સહુથી વિશાળ ઉપગ્રહ છે. તે બુધ કરતાં પણ મોટો છે. શનિ શનિ (9.5 પ્રકાશવર્ષ) તેની ફરતે આવેલા વિશાળ વલયોને કારણે પ્રખ્યાત છે. ગુરૂમાં અને શનિમાં વાતાવરણ તેમજ ચુંબકીય ક્ષેત્રની દૃષ્ટિએ ઘણી સામ્યતા રહેલી છે. શનિનું વોલ્યૂમ ગુરૂના 60 ટકા જેટલું હોવા છતાં પણ કદમાં તે ત્રીજા ભાગનો એટલે કે 95 અર્થ માસિસ (ગ્રહોના કદ માપવાનો એક એકમ) જેટલો છે. તેથી તે સૂર્યમંડળમાં સહુથી ઓછું ઘનત્વ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે. શનિને પાકે પાયે 60 ઉપગ્રહો છે. જે પૈકીના ટાઇટન અને એન્સિલેડસ પ્રખ્યાત છે. આ બંને ઉપગ્રહો બરફના બનેલા હોવા છતાં પણ તેમના ઉપર ખગોળીય ગતિવિધિ થતી હોવાના સંકેતો મળ્યા છે. ટાઇટન બુધ કરતાં પણ વિશાળ ઉપગ્રહ છે અને સૂર્યમંડળમાં રહેલો તે એકમાત્ર ઉપગ્રહ છે કે જે નોંધપાત્ર વાતાવરણ ધરાવતો હોય છે, યુરેનસ યુરેનસ (19.6 પ્રકાશવર્ષ)નું કદ 14 અર્થ માસિસ જેટલું છે અને તે બાહ્ય ગ્રહોમાં સહુથી ઓછું વજન ધરાવતો ગ્રહ છે. અન્ય ગ્રહોની સરખામણીએ આ ગ્રહની વિશેષતા એ છે કે તે પોતાની દિશામાં રહીને સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તેની ધરીની સ્થિતિ કાન્તિવૃત્તથી 90 અંશના ખૂણે નમેલી હોય છે. અન્ય ગેસના ગોળાઓની સરખામણીએ તેનું ગર્ભ વધારે ઠંડું હોય છે. તેમજ અવકાશમાં તે ખૂબ જ નહિવત માત્રામાં ગરમી છોડે છે. યુરેનસને 27 જાણીતા ઉપગ્રહો આવેલા છે જે પૈકી સહુથી મોટા ઉપગ્રહોમાં ટાઇટાનિયા, ઓબેરોન, અમ્બ્રિયલ, એરિયલ અને મિરાન્ડાનો સમાવેશ થાય છે. નેપ્ચ્યુન નેપ્ચ્યુન(30 પ્રકાશવર્ષ) યુરેનસ કરતા નાનો હોવા છતાં પણ તેનું કદ મોટું છે.(લગભગ 17 પૃથ્વીઓ જેટલું) જેના કારણે તેનું ઘનત્વ વધારે છે. તે આંતરિક ગરમી પુષ્કળ પ્રમાણમાં અવકાશમાં ફેકે છે જોકે ગુરૂ અને શનિ જેટલી માત્રામાં તો નહીં જ નેપ્ચ્યુનને 13 જાણીતા ઉપગ્રહો છે. તે પૈકીનો ટ્રાઇટોન સહુથી વિશાળ ઉપગ્રહ છે કે જે ખગોળીય રીતે સક્રિય છે. તેના ઉપર પ્રવાહી નાઇટ્રોજનના ઝરાઓ આવેલા છે. ટ્રાઇટોન અધોગામી રીતે પરિભ્રમણ કરતો એકમાત્ર વિશાળ ઉપગ્રહ છે. નેપ્ચ્યુનની ભ્રમણ કક્ષામાં ઘણા નાના ગ્રહો પણ આવેલા છે જેમને નેપ્ચ્યુન ટ્રોજાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ નેપ્ચ્યનના 1:1 રેઝનન્સ સાથે હોય છે. ધૂમકેતુઓ right|thumb|કોમેટ હેલ બોપ ધૂમકેતુઓ એ સૂર્યમંડળમાં આવેલા નાના પદાર્થો છે. તેઓ થોડા કિલોમિટરના અંતરે જ આવેલા છે અને મુખ્યત્વે અસ્થિર બરફના બનેલા હોય છે. તેમની ભ્રમણ કક્ષા ખૂબ જ અનિયમિત હોય છે. સામાન્ય રીતે તેમની ભ્રમણ કક્ષા આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષાની માફક સૂર્યની નજીકમાં નજીકથી લઇને પ્લુટોની પેલે પાર સુધીની હોય છે. ધૂમકેતુ જ્યારે આંતરિક સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્ય સાથેની તેની નિકટતાના કારણે તેની બરફથી બનેલી સપાટી પીગળે છે. જેના કારણે આયન અણુઓ દ્વારા એક કોમા અને ગેસ તેમજ રજકણોની બનેલી એક લાંબી પૂંછડીનું નિર્માણ થાય છે. મોટે ભાગે આ પૂંછડીને નરી આંખે પણ જોઇ શકાય છે. અલ્પજીવી ધૂમકેતુઓની ભ્રમણ કક્ષાનો સમયગાળો 200 વર્ષ કરતાં ઓછો હોય છે. જ્યારે દીર્ઘાયુ ધૂમકેતુઓની પરિભ્રમણ કક્ષાનો સમયગાળો હજારો વર્ષોનો હોય છે. અલ્પજીવી ધૂમકેતુઓએ ક્ાઇપર પટ્ટાનું સર્જનકર્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે હેલી બોપ જેવા દીર્ઘાયુ ધૂમકેતુઓએ ઊર્ટ વાદળનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. ક્રેયુટ્ઝ સનગ્રેઝર્સ જેવા કેટલાક ધૂમકેતુના જૂથોનું સર્જન એક જ ગ્રહના તૂટી પડવાને કારણે થયું હોવાનું અનુમાન છે. શંકુ આકારની પરિભ્રમણ કક્ષા ધરાવતા કેટલાક ધૂમકેતુઓનું સર્જન સૂર્યમંડળની બહાર થયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેમની ભ્રમણકક્ષાનું ચોક્કસ માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. સૂર્ય ઊર્જાને કારણે ઘણા ધૂમકેતુઓ ઉપર વરાળ ઉત્પન્ન થતી જોવા મળે છે જેના કારણે તેનો સમાવેશ એસ્ટરોઇડ્ઝમાં પણ કરવામાં આવે છે. સેન્ટોર્સ સેન્ટોર્સ એ બર્ફીલા ધૂમકેતુઓ જેવા અવકાશી પદાર્થો હોય છે. તેમની ધરી ગુરૂ કરતા મોટી (5.5 એસ્ટ્રો યુનિટ (AU)) અને નેપ્ચ્યુન કરતા નાની ( 30 પ્રકાશ વર્ષ) જેટલી હોય છે. સહુથી વધુ જાણીતો અને વિશાળ સેન્ટોર્સ 10199 ચારિક્લો છે તેનો વ્યાસ આશરે 250 કિલોમિટરનો છે. પ્રથમ સેન્ટોર તરીકે 2060 શિરોનની શોધ કરવામાં આવી હતી જેનું વર્ગીકરણ ધૂમકેતુ તરીકે પણ કરવામાં આવે છે. (95P) જેવી રીતે ધૂમકેતુ સૂર્યની નજીક જાય તેમ તેમની પૂંછડી લાંબી થતી જાય તેમ શિરોનમાં પણ તે જ લાક્ષણિકતાઓ છે. ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશ નેપ્ચ્યુનથી આગળનો વિસ્તાર અથવા તો ટ્રાન્સ નેપ્ચ્યનિયન પ્રદેશ એવો વિસ્તાર છે કે હજી સુધી આ પ્રાંત બાજુ ખાસ મોટાપાયે નીરિક્ષણ કરવામાં આવ્યું નથી. આ પ્રદેશ કદમાં ખૂબ જ નાનો છે તેનો વ્યાસ પૃથ્વી કરતાં પાંચમા ભાગનો છે અને તેનું કદ ચંદ્ર કરતાં પણ ઓછું છે. તે મુખ્યત્વે ખડકો અને બરફનો બનેલો છે. આ પ્રદેશને ક્યારેક બાહ્ય સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ઘણા લોકો બાહ્ય સૂર્યમંડળ પરિભાષાનો પ્રયોગ એસ્ટરોિડ પટ્ટાની પેલે પાના વિસ્તારો માટે ઉપયોગમાં લેતા હોય છે. ક્વાઇપર પટ્ટો left|thumb|upright=1.5|તમામ જાણીતા કુઇપીર પટ્ટા પદાર્થોનો પ્લોટ, ચાર બહારના ગ્રહોની સામે બેસાડેલ ક્વાઇપર પટ્ટાનાં બંધારણમાં અેસ્ટરોઇડ પટ્ટે જેવા જ કાટમાળથી ભરેલા વલયો આવેલા હોય છે જે બધા મુખ્યત્વે બરફના બનેલા હોય છે. આ તમામ સૂર્યથી 30થી 50 એસ્ટ્રો યુનિટ (AU) દૂર ફેલાયેલા હોય છે. ક્વાઇપર પટ્ટો મુખ્યત્વે સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો બનેલો હોય છે પરંતુ તેમાં રહેલા ક્વાઓઆર, વરૂણ અને ઓરકસ જેવા મોટા અવકાશી પદાર્થોને દ્વાર્ફ ગ્રહો તરીકે પમ ઓળખવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા 1 લાખ કરતાં પણ વધારે અવકાશી પદાર્થોનો વ્યાસ 50 કિલોમિટર જેટલો હોય છે પરંતુ સમગ્ર ક્વાઇપર પટ્ટાનું કદ પૃથ્વી કરતાં 10 કે 100 માસ ઓછું માનવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા ઘણા અવકાશી પદાર્થોને બહુવિધ ઉપગ્રહો હોય છે. આ પૈકીના મોટાભાગના ઉપગ્રહોની ભ્રમણકક્ષા તેમને કાન્તિવૃત્તની બહાર લઇ જાય છે. ક્વાઇપર પટ્ટાને ક્લાસિકલ અને રેઝનન્સિસ એમ બે ભાગમાં વહેચવામાં આવે છે. રેઝનન્સની ભ્રમણ કક્ષા નેપ્ચ્યુન સાથે સંકળાયેલી છે. (દા. ત. નેપચ્યુનની ત્રણ ભ્રમણ કક્ષાએ બે અવા તો દર બે ભ્રમણ કક્ષાએ એક) પ્રથમ રેઝનન્સની શરૂઆત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાંથી જ થાય છે. ક્લાસિકલ પટ્ટામાં એ પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે કે જેમને નેપ્ચ્યુન સાથે કોઇ રેઝનન્સ નથી તેઓ 39.4થી 47.7 એસ્ટ્રો યુનિટ (AU) સુધી ફેલાયેલા હોય છે. પ્રથમ વખત જ્યારે શોધ થઇ ત્યારે ક્લાસિકલ ક્વાઇપર પટ્ટામાં રહેલા પદાર્થોનું વર્ગીકરણ ક્યુબ્યુનોસ તરીકે પણ કરવામાં આવ્યું હતું. તેમની ભ્રમણકક્ષા હજી પણ ઓછી અનિયમિત માનવામાં આવે છે. પ્લુટો અને શેરોન પ્લુટો (સરેરાશ 39 એસ્ટ્રો યુનિટ (AU) દ્વાર્ફ ગ્રહ, ક્વાઇપર પટ્ટામાંનો સહુથી વધુ જાણીતો ગ્રહ જ્યારે 1939માં તેની શોધ કરવામાં આવી ત્યારે તેને નવમો ગ્રહ માનવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2006માં ગ્રહોની વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવતા આ માન્યતા બદલાઇ છે. પ્લુટો લંબગોળાકારે પરિભ્રમણ કરે છે. તેની ધરી કાન્તિવૃત્તથી 17 ડિગ્રી જેટલી હોય છે અને તેનું અંતર સૂર્યથી 29.7 એસ્ટ્રો યુનિટ (AU) (નેપ્ચ્યુનની ભ્રમણ કક્ષા નજીક)થી માંડીને 49.5 પ્રકાશ વર્ષ જેટલું હોય છે. પ્લુટોના સહુથી વિશાળ ચંદ્ર શેરોનને પણ દ્વાર્ફ ગ્રહ ગણવામાં આવે છે કે નહીં તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. પોતાની સપાટી ઉપર રહેલા ગુરૂત્વાકર્ષણને આધારે પ્લુટો અને શેરોન બંને બારિસેન્ટરમાં ભ્રમણ કરતા હોય છે. જેના કારણે પ્લુટો અને શેરોનની દ્વિસંગી સિસ્ટમ બને છે. નિક્સ અને હાઇડ્રા નામના બે નાના ચંદ્રો પ્લુટો અને શેરોનની આસપાસ પરિભ્રમણ કરે છે. પ્લુટો રેઝનન્ટ પટ્ટામાં આવેલો છે અને તેની રેઝેનન્સ 3 :2ની છે એનો મતલબ એ થાય કે નેપ્ચ્યુન સૂર્યની ફરતે ત્રણ ચક્કર મારે ત્યારે પ્લુટોના બે ચક્કર પૂરાં થાય છે. ક્વાઇપર પટ્ટામાં વસતા અવકાશી પદાર્થો કે જેમની ભ્રમણ કક્ષા આ રેઝનન્સ સાથે વહેંચાયેલી હોય તેમને પ્લુટિનો તરીકે ઓળખવામાં આવે છે. હાઉમિયા અને માકેમાકે હાઉમિયા (સરેરાશ 43.34 પ્રકાશવર્ષ) અને માકેમાકે (સરેરાશ 45.79 એસ્ટ્રો યુનિટ (AU) પ્લુટો કરતા કદમાં નાના છે. આ પદાર્થો ક્લાસિકલ ક્વાઇપર પટ્ટામાંના વિશાળ પદાર્થો માનવામાં આવે છે. તેથી તેમનું નેપ્ચ્યુન સાથેનું રેઝનન્સ નક્કી નથી. હાઉમિયા ઇંડાં આકારનો બે ચંદ્રો ધરાવતો અવકાશી પદાર્થ છે. પ્લુટો બાદ મેકેમેક ક્વાઇપર પટ્ટાનો સહુથી વધારે પ્રકાશિત પદાર્થ છે. મૂળ અનુક્રમે 2003 ઇએલ 61 અને 2005 એફવાય 9 તરીકે જાણીતા બનેવા આ અવકાશી પદાર્થોને 2008માં દ્વાર્ફ ગ્રહોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમની ભ્રમણ કક્ષા પ્લુટો કરતાં વધારે નમતી એટલે કે 28 અને 29 અંશની હોય છે. સ્કેટર્ડ ડિસ્ક સ્કેટર્ડ ડિસ્ક ક્વાઇપર પટ્ટાને ઢાંકી દે છે અને તે ખૂબ જ દૂર સુધી ફેલાયેલી છે. અલ્પજીવી ધૂમકેતુઓના ઉદ્ભવ સ્થાન તરીકે તેની ગણના કરવામાં આવે છે. નેપ્ચ્યુનની અગાઉ બહારની તરફ કરવામાં આવેલી હિજરતને કારણે તેના ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઇને સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોની પરિભ્રમણ કક્ષા અવ્યવસ્થિત બની ગઇ હોવાનું માનવામાં આવે છે. સ્કેટર્ડ ડિસ્કના મોટાભાગના પદાર્થો (એસઓડી)નો પેરિહિલિયા ક્વાઇપર પટ્ટામાં આવેલો હોય છે પરંતુ તેમનો એફેલિયા સૂર્યથી 150 પ્રકાશવર્ષ જેટલો દૂર આવેલો છે. એસઓડીની ભ્રમણ કક્ષા કાન્તિવૃત્ત તરફ નમેલી હોય છે. મોટાભાગે તે લંબગોળાકારની હોય છે. કેટલાક ખગોળ શાસ્ત્રીઓ સ્કેટર્ડ ડિસ્કને ક્વાઇપર પટ્ટાનો બીજો પ્રાંત માનતા નથી અને તેઓ સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોને સ્કેટર્ડ ક્વાઇપર પટ્ટાના અવકાશી પદાર્થો તરીકે ઓળખે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ સેન્ટોર્સનું વર્ગીકરણ પણ ક્વાઇપર પટ્ટાની અંદરની બાજુએ આવેલા પદાર્થો તરીકે કરે છે.એવા અવકાશી પદાર્થો કે જે સ્કેટર્ડ ડિસ્કમાં જેમનું ઠેકાણું બહારની બાજુએ આવેલું હોય. એરિસ એરિસ (સરેરાશ 68 એસ્ટ્રો યુનિટ (AU) ને સ્કેટર્ડ ડિસ્કના સૌથી મોટા અવકાશી પદાર્થ તરીકે ગણવામાં આવે છે. આ પદાર્થ શેનો બનેલો છે તે અંગે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ પદાર્થ પ્લુટો કરતાં 5 ટકા જેટલો મોટો છે અને તેનો વ્યાસ 2400 કિમી છે. જાણીતા દ્વાર્ફ ગ્રહો પૈકીનો આ સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહના ચંદ્રને ડાયસ્નોમિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્લુટોની જેમ જ આ ગ્રહની ઙ્રમણ કક્ષા ખૂબ જ અનિયમિત કે અવ્યવસ્થિત હોય છે.તેનું પેરિહિલિયન 38.2 એસ્ટ્રો યુનિટ (AU) (અંદાજે પ્લુટોથી સૂર્ય જેટલા અંતરે) એ એફિલિયન 97.6 પ્રકાશ વર્ષ જેટલું હોય છે. તેની ભ્રમણ કક્ષા કાન્તિવૃત્ત તરફ ખૂબ જ નમેલી હોય છે. દૂરના પ્રદેશો સૂર્યમંડળના અંત અને તારાઓ વચ્ચેનું અંતરિક્ષ શરૂ થવાના બિંદુ ઉપર આવેલી જગ્યાની સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાઇ નથી. જોકે તેની સીમારેખાઓનું નિર્માણ સૂર્યપવનો અને સૂર્યના ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવે છે. સૂર્યપવનોનો પ્રભાવ સૂર્યથી પ્લુટોના અંતર કરતાં ચારગણો વધારે દૂર સુધી ફેલાયેલો હોય છે. આ હેલિયોપોઝ ને તારાઓ વચ્ચેના માધ્યમની શરૂઆતનો ભાગ માનવામાં આવે છે. જોકે સૂર્યનું રોશેસ્ફિયર, તેના ગુરૂત્વાકર્ષણની પ્રભુત્વતા તેના કરતા હજારો ગણી દૂર ફેલાયેલી હોવાનું માનવામાં આવે છે. હેલિયોપોઝ left|thumb|વોયેજરો હિલીયોશિયાથમાં પ્રવેશે છે. હેલિયોસ્ફિયરને બે અલગ પ્રાંતમાં વહેચવામાં આવે છે. તારાઓ વચ્ચે રહેલી જગ્યા (ઇન્ટરસ્ટેલર)ના પવનો જે ઇન્ટર સ્ટેલર મિડિયમમાં ફૂંકાતા વાયુઓ છે. તેની સાથે અથડાય નહીં ત્યાં સુધી સૂર્ય પવનોની ઝડપ અંદાજે 400 કિ.મિ. જેટલી હોય છે. આ બંને પવનો વચ્ચેની અથડામણ ટર્મિનેશન શોકમાં થાય છે. આ ઘટના ઇન્ટર સ્ટેલર માધ્યમથી 80થી 100 એસ્ટ્રો યુનિટ (AU) ઉપર વહેતા સૂર્ય પવનો અને નીચેથી વહેતા સૂર્ય પવનોથી 200 પ્રકાશ વર્ષ દૂર બને છે. અહીં પવન નાટકીય ઢબે ધીમો પડી જાય છે અને તે સંકોચાઇને વધુ તોફાની બને છે.અહીં તે મોટા ઇંડાકાર માળખાંની રચના કરે છે જેને હેલિયોશિથના નામથી ઓળખવામાં આવે છે. તેનો દેખાવ અને તેમાં થતી પ્રક્રિયા ધૂકેતુંની પૂંછડી જેવી હોય છે. તે ઉપરના સૂર્યપવનોથી 40 પ્રકાશવર્ષ પરંતુ તેની પૂંછડી ઘમી વખત નીચેના પવનો તરફ વળેલી હોય છે. વોયેજર 1 અને વોયેજર 2 એ ટર્મિનેશન શોક પસાર કરીને હિલિયોશિથમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્યથી વોયેજર 1નું અંતર 94 એસ્ટ્રો યુનિટ (AU) અને વોયેજર 2નું અંતર 84 પ્રકાશ વર્ષનું છે. હિલિયોસ્ફિયરની સીમારેખા તરીકે ઓળખાતા હેલિયોપોઝને એક એવું બિંદુ માનવામાં આવે છે કે જ્યાં સૂર્યપવનોનો અંત આવે છે અને તારાઓ વચ્ચેનાં અવકાશ (ઇન્ટર સ્ટેલર સ્પેસ)ની શરૂઆત થાય છે. હિલોસ્ફિયરની બહારની ધરીનો આકાર તેમજ તેનું બંધારણ ઇન્ગટર સ્તિટેલર મિડિયમ સાથેના સંપર્શીકથી ઉદદ્ભવનારા ગતિશીલ પ્રવાહીથી અસરગ્રસ્ત છે. તેવી જ રીતે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ઉપર પ્રભુત્વ ધરાવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો આકાર ઉત્તરીય હેમિસ્ફિયરમાં થાય છે. જે દક્ષિણ હેમિસ્ફિયરથી 9 એસ્ટ્રો યુનિટ (AU) અંદાજે 90 કરોડ માઇલ) દૂર આવેલું છે. આંકડાઓ 1 અને 2 જુઓ. હેલિયોપોઝથી 230 એસ્ટ્રો યુનિટ (AU)ના અંતરે બો શોક આવેલું છે. એવા પ્રકારની રજકણોનો બનેલો અવકાશી પદાર્થ કે જે સૂર્ય આકાશ ગંગામાંથી પસાર થતી વખતે છોડતો જાય છે. હેલિયોપોઝની પેલેપાર કોઇ જ અવકાશ યાન જઇ શક્યું નથી એટલે સ્થાનિક ઇન્ટર સ્ટેલર સ્પેસની સ્થિતિ કેવી છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે નાસાનું વોયેજર અવકાશયાન આગામી દાયકા સુધીમાં હેલિયોપોઝ સુધી પહોંચશે ત્યારબાદ સૂર્યપવનો દ્વારા પૃથ્વી તરફ કેટલી માત્રામાં કિરણોત્સર્ગ કરવામાં આવે છે તેની માહિતી મેળવી શકાશે. બ્રહ્માંડના કિરણોથી હેલિયોસ્ફિયર સૂર્યમંડળનું રક્ષણ કેવી રીતે કરે છે તે બાબત ખૂબ જ નજીવી માત્રામાં જાણી શકાઇ છે. નાસા દ્વારા ભંડોળ આપવામાં આવેલી એક ટુકડી વિઝન મિશન નામનો એક કોન્સેપ્ટ બનાવી રહી છે જેનું ધ્યેય હિલિયોસ્ફિયર અંગેનું સંશોધન કરવાનું છે. ઊર્ટ વાદળ thumb|upright=1.3|ઉર્ટ ક્લાઉડ, ધી હિલીસ ક્લાઉડ અને કુઇપીર બેલ્ટ(ઇનસેટ)નું કલાકારનું ચિત્ર પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ એ લાખો કરોડો બર્ફીલા પદાર્થોનું બનેલું ગોળાકાર વાદળ છે. આ વાદળને દીર્ઘાયુ ધૂમકેતુઓના સ્રોત તરીકે માનવામાં આવે છે. આ વાદળ સૂર્યમંડળમાં 50,000 AU (એક પ્રકાશ વર્ષ) સુધી ફેલાયેલું છે અને તેનો વિસ્તાર 1,00,000 AU સુધી (1.87 પ્રકાશ વર્ષ સુધી પણ હોઇ શકે છે. બાહ્ય ગ્રહો સાથે સર્જાતી ગુરૂત્વાકર્ષણ પ્રક્રિયાને કારણે આંતરિક સૂર્યમંડળમાંથી બહાર ધકેલાઇ આવતા ધૂમકેતુઓથી ઊર્ટ વાદળનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. ઊર્ટ વાદળમાં રહેલા અવકાશી પદાર્થોની ગતિ ખૂબ જ ધીમી હોય છે. તેમજ અથડામણો, પસાર થતાં તારાની ગુરૂત્વાકર્ષણ અસરો, આકાશ ગંગામાંથી ઉછળતા મોજાંઓ કે તેના બળ વગેરે જેવી અનિશ્ચિત ઘટનાને કારણે તેની ગતિમાં અવરોધો આવે છે. સેડના 90377 સેડના (સરેરાશ 525.86 AU) એક વિશાળ, લાલાશ પડતો પ્લુટો પ્રકારનો અવકાશી પદાર્થ છે. તેની પરિભ્રમમ કક્ષા ખૂબ જ વિશાળ અને લંબગોળ છે.તે પેરિહિલિયનથી 76 AU અને એફેલિયનથી 928 AU દૂર આવેલો છે.તેની ભ્રમણ કક્ષા પૂરી કરતાં 12,050 વર્ષનો સમય લાગે છે. આ પદાર્થની શોધ માઇક બ્રાઉને વર્ષ 2003માં કરી હતી. તેના મતાનુસાર નેપ્ચ્યુનની હિજરતથી અસરગ્રસ્ત થઇને તેનું પેરિહિલિયન ખૂબ જ દૂર હોવાને કારણે સેડના સ્કેટર્ડ ડિસ્ક કે ક્વાઇપર પટ્ટાનો ભાગ નથી. તેના સહિત અન્ય કેટલાક ખગોળ શાસ્ત્રીઓના મતાનુસાર આ એક નવા પ્રકારનો પદાર્થ છે. તેના પોતાના પણ અવકાશી પદાર્થો હોઇ શકે જેનું પેરિહિલિયન 45 AU અને એફિલિયન 415 AU નું હોઇ શકે છે તેમજ તેનો ભ્રમણ કાળ 3,420 વર્ષ સુધીનો હોઇ શકે છે. આ પ્રકારના પદાર્થોને બ્રાઉને ઊર્ટ વાદળની અંદરના પદાર્થો તરીકે ઓળખાવ્યા છે. કારણ કે સૂર્યની ખૂબ જ નજીક હોવા છતાં પણ તે એક જ પ્રકારની પ્રક્રિયામાંથી બનેલા છે. સેડનાનો આકાર ચોક્ક્સપણે માપી શકાયો નથી તેમ છતાં પણ તે દ્વાર્ફ ગ્રહો જેવો જ પદાર્થ છે. સીમારેખાઓ આપણા મોટાભાગના સૂર્યમંડળને હજી પૂરી રીતે જાણી શકાયું નથી. સૂર્યનું ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર તેની આસપાસ રહેલા તારાઓના ગુરૂત્વાકર્ષણ બળને પ્રભાવિત કરે છે. તેની અસર બે પ્રકાશ વર્ષ (1,25,000 AU) સુધી ફેલાયેલી છે. ઊર્ટ વાદળની ત્રિજ્યાનો ઓછામાં ઓછો અંદાજ 50,000 AU થી વધારે નથી તેમ માનવામાં આવે છે. સેડના જેવા પદાર્થોનું સંશોધન થયું હોવા છતાં પણ ક્વાઇપર પટ્ટો અને ઊર્ટ વાદળની વચ્ચે આવેલો હજારો AU જેટલા વિસ્તારનું સંશોધન કરી શકાયું નથી. બુધ અને સૂર્યની વચ્ચે આવેલા પ્રદેશનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે. જે પ્રદેશો અંગે સૂર્યમંડળમાં હજી સુધી સંશોધન થયું નથી કે ચાલી રહ્યું છે તેમાંથી પણ નવા પદાર્થો અંગેની જાણકારી મળવાની શક્યતા છે. આકાશ ગંગા સાથે સંબંધ left|thumb|આપણી આકાશગંગામાં સૂર્ય મંડળનું સ્થાન આપણું સૂર્યમંડળ આકાશગંગામાં આવેલું છે. આ એક ગૂંચળા જેવો આકાર ધરાવતી આકાશગંગા છે જેનો વ્યાસ 1,00,000 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે અને આકાશ ગંગામાં 200 અબજ જેટલા તારાઓ આવેલા છે. સૂર્ય આકાશ ગંગાની બહારની બાજુએ આવેલા ગૂંચળાવાળા વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારને ઓરિયન આર્મ અથવા તો સ્થાનિક ધાર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય આકાશ ગંગાના કેન્દ્રથી, 25,000થી 28,000 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. આકાશ ગંગામાં તેની પરિભ્રમણની ઝડપ 220 કિ.મિ. પ્રતિ સેકન્ડની છે. તેથી તેને આખું પરિભ્રમણ પૂરૂં કરતાં 22.5 કરોડથી 25 કરોડ વર્ષનો સમય લાગે છે. સૂર્યના આ પરિભ્રમણને સૂર્યમંડળના બ્રહ્માંડ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટર સ્ટેલર સ્પેસમાંથી સૂર્યપથની શરૂઆત થાય છે તે હરક્યુલિસ નાં ઝૂમખાં પાસેથી નીકળીને વેગા તારાના હાલના સ્થાન ભણી ગતિ કરે છે. પૃથ્વી ઉપર જીવનની જે ઉત્ક્રાન્તિ થઇ તેના માટે આકાશ ગંગામાં સૂર્યમંડળની સ્થિતિ પણ ખૂબ જ અગત્યનું પાસું ગણાવી શકાય. તેની પરિભ્રમણ કક્ષા એકદમ ગોળ છે અને અંદાજે તેની ઝડપ પણ આકાશ ગંગાના સ્પાઇરલ આર્મ જેટલી જ છે. તેથી પૃથ્વી સ્પાઇરલ આર્મને ક્યારે વટાવતી નથી. સ્પાઇરલ આર્મ સુપરનોવા જેવા ખતરનાક પદાર્થોનું આશ્રયસ્થાન હોવાને કારણે પૃથ્વીને લાંબા સમય સુધી જીવનકાળ ચલાવવાનો મોકો મળ્યો છે. સૂર્યમંડળ આકાશ ગંગાના સહુથી વધારે તારાઓથી ભરેલા ગીચ વિસ્તારથી પણ દૂર આવેલું છે. કેન્દ્રની નજીક તારાઓના ગુરૂત્વાકર્ષણ બળથી ખેંચાઇને કેટલાય અવકાશી પદાર્થો ઊર્ટ વાદળમાં આવે છે. જેમાંથી આંતરિક સૂર્યમંડળમાં અનેક પ્રકારના ધૂમકેતુઓનું નિર્માણ થાય છે અને તે ધડાકાઓ સાથે અવકાશમાં અથડાય છે. જેના કારણે પૃથ્વી ઉપર જોખમ હોવાની શક્યતા છે. આકાશ ગંગાના મધ્ય ભાગમાંથી આવતા પ્રચંડ કિરણોત્સર્ગને કારણે પણ જટિલ જીવનના વિકાસમાં અવરોધ આવી શકે છે. સૂર્યમંડળની હાલની સ્થિતિને જોતાં ખગોળશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું છે કે તાજેતરના સુપરનોવે છેલ્લા 35,000 વર્ષો દરમિયાન પૃથ્વી ઉપરનાં જીવનને સૂર્યના વાતાવરણમાં મોટા ધૂમકેતુઓ તેમજ અન્ય અવકાશી પદાર્થો ફેંકીને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. પડોશીઓ સ્થાનિક ઇન્ટર સ્ટેલર વાદળને આકાશ ગંગાનું પ્રથમ પડોશી માનવામાં આવે છે. આ વાદળને લોકલ ફ્લફ તેમજ આ વાદળના વિસ્તારને સ્થાનિક પરપોટો એટલે કે લોકલ બબલ તરીકે પણઓળખવામાં આવે છે. તેનો આકાર રેતીની ઘડિયાળ જેવો છે અને તેનું સ્થાન ઇન્ટર સ્ટેલર મિડિયમથી 300 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે. આ પરપોટાનું નિર્માણ અતિશય ગરમ કિરણો દ્વારા થયું છે. આ પરપોટાનું નિર્માણ કેટલાક સુપરનોવા દ્વારા કરવામાં આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. સૂરેયની આસપાસ દસ પ્રકાસ વર્ષના વિસ્તાર (95 લાખ કરોડ કિ.મિ.)ના વિસ્તારમાં ખૂબ જ ઓછાં તારાઓ આવેલાં છે. સૂર્યની સૌથી નજીક ત્રેવડા તારાની એક સિસ્ટમ આલ્ફા સેન્ટાઉરી આવેલી છે જેનું અંતર સૂર્યથી 4.4 પ્રકાશ વર્ષ જેટલું છે. આલ્ફા સેન્ટાઉરીમાં એ અને બી તારાની જોડી નજીકમાં આવેલી છે. તેઓ સૂર્ય પ્રકારના જ તારાઓ છે. જ્યારે ત્રીજો લાલ રંગનો તારો નાનો દ્વાર્ફ ગ્રહ જેવો છે. જેને આલ્ફા સેન્ટોરી સી તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા સેન્ટોરીને પ્રોક્સિમા સેન્ટોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે તારાની જોડી 0.2 પ્રકાશ વર્ષના અંતરે પરિભ્રમણ કરે છે. ત્યારબાદ બર્નાર્ડ તારા નામનો અન્ય એક લાલ દ્વાર્ફ સૂર્યની સહુથી નજીક આવેલો તારો છે.(5.9 પ્રકાશ વર્ષ) ત્યાર બાદ વુલ્ફ 359 (7.8 પ્રકાશ વર્ષ), લેલેન્ડે 21185 (8.3 પ્રકાશ વર્ષ) સૂર્યના કરતા દસ પ્રકાશ વર્ષ કરતાં પણ નજીક આવેલા તારાઓ પૈકીનો સહુથી મોટો તારો સાઇરિયસ માનવામાં આવે છે. તે ખૂબ જ ચળકતો અને મેઇન સિક્વન્સ તારો છે તેનું માસ સૂર્ય કરતાં બમણું છે.તેની આસપાસ સફેદ રંગનો દ્વાર્ફ ગ્રહ પરિભ્રમણ કરે છે. તેને સાઇરિયસ બીના નામથી ઓળખવામાં આવે છે. તે 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. દસ પ્રકાશ વર્ષમાં બાકી રહેલાં મંડળને લાલ દ્વાર્ફ મંડળ કહેવામાં આવે છે. જેમાં લુઇટેન 726-8 (8.7 પ્રકાશ વર્ષ), તેમજ એકલવાયો લાલ દ્વાર્ફ રોઝ 154 (9.7 પ્રકાશ વર્ષ) આવેલા છે. આપણી નજીક સૂર્ય જેવો એક માત્ર તારો તાઉ સેટી છે. જે 11.9 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. તેની પાસે સૂર્યનું 80 ટકા જેટલું માસ છે પરંતુ તેની તેજસ્વીતા માત્ર 60 ટકા જેટલી છે. એપ્સિલોન ઇરેડાની નામનો ગ્રહસૂર્યથી 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે જેને અધિક સઉર ગ્રહ પણ કહેવામાં આવે છે. આ તારો સૂર્ય કરતાં થોડો ઝાંખો અને લાલાશ પડતો છે જે 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. એક નિશ્ચિત ગ્રહ એપ્સિલોન ઇરેડાની બી છે તેનું માસ ગુરૂના માસ કરતા 1.5 ગણું છે તે દર 6.9 વર્ષે તેના તારાનું પરિભ્રમણ કરે છે. બંધારણ અને ઉત્ક્રાન્તિ સૂર્યમંડળનું સર્જન 4.6 અબજ વર્ષો પહેલા મોટાં વાદળનું ગુરૂત્વાકર્ષણના કારણે તૂટી પડવાથી થયું હતું શરૂઆતમાં આ વાદળ દ્વારા કેટલાક તારાઓનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. જેના હાલમાં સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે તેને અગાઉ પ્રિ સોલાર નેબ્યુલાના નામથી ઓળખવામાં આવતી હતી. તીત્ર્ણ ઝડપમાં વાદળ તૂટી પડવાને કારણે તેની ગતિ વધારે ઝડપી બની ગઇ હતી. કેન્દ્ર સ્થાનમાં જ મોટાભાગના અવકાશી પદાર્થો ભેગા થતાં તે ભાગ આજુ બાજુના વલયો કરતાં વધારે ગરમ બની ગયો. જેમ જેમ નેબ્યુલા પરિભ્રમણ કરવા માેડી તેમ તેમ તેણે પ્રોટો પ્લેનેટરી ડિસ્કને સમતળ કરી નાખી આ ડિસ્કનો વ્યાસ 200 AUનો હતો અને તે ઘટ્ટ તેજ ગરમ હતી તેની મધ્યમાં પ્રોટો સ્ટાર આવેલો હતો. હાલની ઉત્ક્રાન્તિ અનુસાર સૂર્યને ટી ટોરી તારો માનવામાં આવી રહ્યો છે. ટી ટોરી તારાના અભ્યાસ ઉપરથી માલુમ પડે છે કે તેઓની આસપાસ 0.001થી 0.1 સોલાર માસ ધરાવતા પ્રિ પ્લેનેટરી અવકાશી પદાર્થો જોવા મળે છે. આ પ્રકારના પદાર્થો નેબ્યુલામાંથી કે તે તારામાંથી જ છૂટા પડેલા હોય છે. સેન્દ્રિય વૃદ્ધિથી જન્મેલાં ગ્રહો આ પ્રકારની ડિસ્કનું નિર્માણ કરે છે. પાંચ કરોડ વર્ષો સુધીમાં પ્રોટોસ્ટારની મધ્યમાં રહેલા હાઇડ્રોજનની ઘનતા તેને થર્મોન્યુક્લિયર મિશ્રણ બનાવવાને પર્યાપ્ત હતાં. હાઇડ્રોસ્ટેટિક સમતુલાનું નિર્માણ ન થાય ત્યાં સુધી દબાણ, તાપમાન, પ્રતિક્રિયાનો દર અને ઘનતા વધતા રહે છે. થર્મલ એનર્જી ગુરૂત્વાકર્ષણનો પ્રતિકાર કરે છે. આ મુદ્દે સૂર્ય એક પૂર્ણરૂપી મેઇન સિક્વન્સ તારો બને છે. હર્ટ્જસ્પ્રન્ગ રસેલની આકૃતિની મુખ્ય શ્રેણી સુધી સૂર્ય તેનો વિકાસ શરૂ કરશે ત્યાં સુધી આજે આપણે જાણઈએ છીએ તેમ સૂર્ય મંડળ અસ્તિત્વમાં રહેશે. જેમ સૂર્ય તેના હાઇડ્રોજન ઇંધણ મારફતે બળે છે, તેમ ઉર્જા ઉત્પાદન ઘટાડાના કડક વલણને ટેકો આપે છે, જે તેને તેની પર જ પડી ભાંગવામાં પરિણમે છે. દબાણમાં વધારો કોરને ગરમ કરે છે, તેથી વધુ ઝડપથી બળે છે. પરિણામે, સૂર્ય દરરોજના આશરે 1.1 અબજ વર્ષોના દરે તેજસ્વી વૃદ્ધ પામે છે. અત્યારથી આશરે 5.4 અબજ વર્ષો પછી સૂર્યના ગર્ભની અંદરનો હાઇડ્રોજન સંપૂર્ણ રીતે હિલીયમમાં રૂપાંતર પામશે, જે મુખ્ય શ્રેણીના તબક્કાનો અંત લાવશે. આ સમયે, સૂર્યના બહારના આવરણ તેના પ્રવર્તમાન વ્યાથી આરે 260 ગણા સુધી વિસ્તરશે; સૂર્ય રેડ જાયંટ (લાલ ગોળો) બની જશે. તેની બહોળા પ્રમાણમાં વધેલી સપાટી વિસ્તારને કારણે, સૂર્યની સપાટી, મુખ્ય શ્રેણી (ઠંડામાં ઠંડુ 26000 કે) ની તુલનામાં નોંધપાત્ર રીતે ઠંડો થઇ જશે. આખરે, સૂર્યના બહારના સ્તરો ખરી જશે, અને સફેદ નાનો તારો છોડી દેશે, જે અત્યંત અદભૂત ઘન પદાર્થ છે, અને સૂર્યના મૂળ જથ્થાથી અર્ધો છે, પરંતુ પૃથ્વીના કદ જેટલો છે. ખરી ગયેલા બહારના સ્તરો ગ્રહને લગતો નિહારીકાતરીકે જાણીતાનું સર્જન કરશે, જે તારાઓની વચ્ચે જે સમાગ્રીઓથી સૂર્યની રચના થઇ હતી તેમાંથી થોડી સામગ્રી પરત કરશે. નોંધ નામનું મૂડીકરણ બદલાય છે, ખગોળશાસ્ત્રીય સ્મૃતિસહાયકને લગતું સત્તાવાર શરીર, તમામ વ્યક્તિગત ખગોળશા્ત્રીય પદાર્થોના નામનું મોટા અક્ષરમાં લખાણ (સૂર્ય મંડળ )નિશ્ચિત કરે છે. જોકે, નામો લોઅર કેસ (સૂર્ય મંડળ )માં સામાન્ય રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ઉદા. તરીકે ઓક્સફોર્ડ ઇંગ્લીશ ડિક્શનરી માં, મેરીયન-વેબસ્ટર્સ 11મી કોલીજિયેટ ડિક્શનરી , અનેએનસાયક્લોપીડીયા બ્રિટાનીકા . આઠ ગ્રહ અને પાંચ નાના ગ્રહોની કુદરતી ઉપગ્રહોની સંપૂર્ણ યાદી માટે જુઓ કુદરતી ઉપગ્રહોની યાદી સૂર્ય, ગુરુ અને સેટ્રન સિવાયના સૂર્ય મંડળના સમૂહને ગણતરીપૂર્વકના તમામ સમૂહોના મોટા પદાર્થોનો એકી સાથે ઉમેરો કરીને અને ઉર્ટ ક્લાઉડ (આશરે 3 પૃથ્વી સમૂહો અંદાજત)ના સમૂહો માટે કાચી ગણતરીનો ઉપયોગ કરીને, કુપીયર બેલ્ટ (આશરે 0.1 પૃથ્વી સમૂહને અંદાજિત)અને મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચેના પટ્ટાનો એક ગ્રહ (0.0005 પૃથ્વી સમૂહ હોવાનો અંદાજ) આમ કુલ થઇને, 37 પૃથ્વી સમૂહોના ઉપર ગોળાકાર, અથવા સૂર્યની ફરતેના ગ્રહમાં 8.1 ટકા સમૂહ યુરેનસ અને નેપ્ચ્યુન(~31 પૃથ્વી સમૂહો)ના સંલગ્ન સમૂહોની બાદબાકી કરાઇ છે ત્યારે, બાકીના ~6 પૃથ્વી સમૂહ સામગ્રીઓમાં કુલના 1.3 ટકાનો સમાવેશ થાય છે. ખગોળશા્ત્રીઓ ખગોળશાસ્ત્રીય એકમ(AU)માં સૂર્યમંડળ સુધીનું અતર માપે છે. એક AU બરાબર પૃથ્વી અને સૂર્યના કેન્દ્રની વચ્ચેનું સરેરાશ અંતર અથવા 149,598,000કીમી થાય છે. સૂ્ર્યથી પ્લુટો આશરે 38 AU છે અને સૂર્ય ગુરુથી આશરે 5.2 AU છે. એક પ્રકાશ વર્ષએ 63,240 AU. સંદર્ભો બાહ્ય લિન્ક્સ નાસાના સોલર સિસ્યમ એક્સપ્લોરેશન દ્વારા સોલર સિસ્ટમ પ્રોફાઇલ નાસાના સોલર સિસ્ટમ સિમ્યુલેટર નાસા/જેપીએલ સોલર સિસ્ટમ મુખ્ય પાનું નવ ગ્રહો- બીલ આર્નેટ્ટ દ્વારા વ્યાપક સૂર્ય મંડળ સાઇટ SPACE.com: સૂર્ય મંડળ વિશે તમામ ગ્રહો વચ્ચેના અંતરનું વર્ણન ગ્રહોનું એક બીજા સૂર્ય અન્ય તારાઓ, એકબીજા સાથેનું કદને સમાવતું વર્ણન પ્લાનેટરી સાયંસ રિસર્ચ ડિસકવરીઝ સૂર્ય મંડળ બોડી વિશે લેખો સાથેની શૈક્ષણિક જર્નલ શ્રેણી:ભૌતિકવિજ્ઞાન શ્રેણી:ખગોળશાસ્ત્ર શ્રેણી:સૌરમંડળ
રસાયણ શાસ્ત્ર
https://gu.wikipedia.org/wiki/રસાયણ_શાસ્ત્ર
thumb|right|રસાયણો - એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ, જે વિવિધ રંગો દર્શાવે છે. રસાયણ શાસ્ત્ર (ગ્રીક: χημεία) એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે, જેમાંની મુખ્ય શાખાઓ છે: કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવરસાયણ, ભૂરસાયણ, ક્વૉન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક સ્પેક્ટ્રમિકી. રસાયણ શાસ્ત્રનો વિકાસ મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી થયો એમ કહેવામાં આવે છે, પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એ. એમ. લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યારપછી થયો. રાસાયણિક સમીકરણ બે પદાર્થોને ભેગા (મિશ્ર) કરતાં તેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તે દર્શાવવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોને તેમના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આવી પ્રક્રિયા દરમિયાન તત્વોનો જથ્થો (વજન) અચળ રહેતો હોઈ પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતા પદાર્થોમાંના પરમાણુઓની સંખ્યા સરખી રહે તે રીતે સમીકરણ લખવામાં આવે છે; દા. ત., NaCl + H2SO4 → NaHSO4 + HCl આ સમીકરણ એમ દર્શાવે છે કે સોડિયમ ક્લોરાઈડ (NaCl)ની સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ બાઇસલ્ફેટ (અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ) અને હાઇડ્રોક્લોરિક ઍસિડ (અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ) ઉત્પન્ન થાય છે. કેટલાક પદાર્થોમાં પરમાણુઓનો સમૂહ એક એકમ તરીકે વર્તે છે. તેમને સૂત્ર દ્વારા દર્શાવતી વખતે કૌંસમાં મૂકવામાં આવે છે. દા. ત., (NH4)2SO4 (એમોનિયમ સલ્ફેટ). પ્રક્રિયામાં ભાગ લેતા કે તેને લીધે ઉદભવતા અણુઓની સંખ્યા સૂચવે છે; દા. ત., 2 + → 2 ધાતુઓ-અધાતુઓ અને આવર્ત કોષ્ટક thumb|આવર્ત કોષ્ટક દરેક રાસાયણિક તત્વોનું ધાતુઓ અને અધાતુઓ એમ બે વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. જે ચળકતી હોય અને વિદ્યુત તથા ઉષ્માનું વહન કરતી હોય તેને ધાતુ કહેવામાં આવે છે, અને જેમાં આવા ગુણધર્મોનો અભાવ હોય તેને અધાતુ કહેવામાં આવે છે. તવોના વર્ગીકરણનું એક વિશિષ્ટ સ્વરૂપ એ આવર્ત કોષ્ટક છે. તેમાં સરખા ગુણધર્મોવાળાં તત્વોને એક સમૂહમાં જ્યારે ક્રમશ: બદલાતા જતા ગુણધર્મોવાળાં તત્વોને આવર્તમાં ગોઠવવામાં આવ્યા છે. આવું પ્રથમ આવર્ત કોષ્ટક ૧૮૬૩માં ન્યૂલૅન્ડ્ઝે વિકસાવ્યું હતું, તે પછી દમિત્રી મેન્દેલિયેવ દ્વારા તેને વધુ સારા સ્વરૂપમાં ૧૮૬૯માં રજૂ કરવામાં આવ્યું હતું. આ આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ તેમના સાપેક્ષ પરમાણુભાર અનુસાર કરાયું હતું. તેમાં જે તત્વોના ગુણધર્મોમાં સરખાપણું હોય તેઓ પરમાણુભાર દ્વારા એકબીજા સાથે સંકળાયેલા જણાયા અને તેમને એક સમૂહ અથવા કુટુંબમાં મૂકવામાં આવેલા. આ પ્રણાલીમાં કેટલીક ખામીઓ અને અપવાદો જોવા મળેલા, જે પાછળથી તત્વોની તેમના પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવણી કરીને દૂર કરાયા હતા. શાખાઓ રસાયણ શાસ્ત્રની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવેલ છે: કાર્બનિક રસાયણ: આ શાખામાં કાર્બન નામના તત્વનાં સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે. અકાર્બનિક રસાયણ: આ શાખામાં સમગ્ર તત્વો અને તેમનાં સંયોજનોની રાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે છે. ભૌતિક રસાયણ: રાસાયણિક પ્રણાલિઓ અને ફેરફારો માટે ભૌતિક નિયમોના ઉપયોગનો આમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્રની સઘળી શાખાઓમાં આ શાખા ઉપયોગી છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર, વિદ્યુત-રસાયણ, કૉલોઇડ રસાયણ વગેરે તેના પેટાવિભાગો છે. વૈશ્લેષિક રસાયણ: સંકીર્ણ પદાર્થોનું સાદા પદાર્થોમાં અલગન અને તેમાંના ઘટકોની પરખ અને માપન - વગેરેનો આ શાખામાં સમાવેશ થાય છે. રેડિયો-રસાયણ: વિકિરણધર્મી સમસ્થાનિકોની વર્તણૂક તથા ઉચ્ચ ઊર્જાવાળાં વિકિરણ દ્વારા ઉદભવતી રાસાયણિક અસરોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. જૈવરસાયણ: આ જીવંત પ્રાણીઓ અને જીવન-પ્રક્રમોને લગતું રસાયણ શાસ્ત્ર છે. ભૂરસાયણ: ખનિજોનું ઉદભવન, ખડકોનું રૂપાંતરણ જેવી પૃથ્વીમાં બનતી પ્રવિધિઓનો અભ્યાસ આ શાખામાં થાય છે. પૂરક વાચન આ પણ જુઓ ભૌતિક શાસ્ત્ર જીવ શાસ્ત્ર સંદર્ભો શ્રેણી:વિજ્ઞાન શ્રેણી:રસાયણવિજ્ઞાન