title
stringlengths
1
78
url
stringlengths
31
108
text
stringlengths
0
119k
ઝારખંડ
https://gu.wikipedia.org/wiki/ઝારખંડ
200px|right ઝારખંડ ભારતના મધ્યપૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતું છે. જિલ્લાઓ ઝારખંડ રાજ્યમાં કુલ ૨૨ જિલ્લાઓ આવેલા છે. કોડરમા જિલ્લો ગઢવા જિલ્લો ગિરીડીહ જિલ્લો ગુમલા જિલ્લો ચતરા જિલ્લો જામતાડા જિલ્લો દુમકા જિલ્લો દેવધર જિલ્લો ગોડ્ડા જિલ્લો ધનબાદ જિલ્લો પલામૂ જિલ્લો પશ્ચિમી સિંહભૂમ જિલ્લો પૂર્વીય સિંહભૂમ જિલ્લો બોકારો જિલ્લો પાકુડ જિલ્લો રાંચી જિલ્લો લાતેહાર જિલ્લો લોહરદગ્ગા જિલ્લો સરાઇકેલા ખરસાવાં જિલ્લો સાહિબગંજ જિલ્લો સિમડેગા જિલ્લો હજારીબાગ જિલ્લો શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
તમિલનાડુ
https://gu.wikipedia.org/wiki/તમિલનાડુ
200px|right|ભારતમાં તમિલનાડુનું સ્થાન તમિલનાડુ (તમિલ: தமிழ் நாடு) દક્ષિણ-ભારતના ચાર રાજ્યોમાંનું એક રાજ્ય છે. તમિલનાડુ ભારત દેશનું બીજું સૌથી વધુ ઔદ્યોગિકૃત રાજ્ય છે. તેનું પાટનગર ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે. તમિલનાડુ રાજ્યના જિલ્લાઓ 300px|right|તમિલનાડુના જિલ્લાઓ કોડ જિલ્લો મુખ્યમથક વસ્તી (૨૦૦૧) વિસ્તાર (કિમી²) ગીચતા (/કિમી²) અધિકૃત વેબસાઇટ AY અરિયાલુર અરિયાલુર ૬૯૮,૦૦૦ ૩,૨૦૮ ૩૨૨ http://municipality.tn.gov.in/Ariyalur/ CH ચેન્નઈ ચેન્નઈ ૪,૨૧૬,૨૬૮ ૧૭૪ ૨૪,૨૩૧ http://www.chennai.tn.nic.in/ CO કોઇમ્બતુર કોઇમ્બતુર ૪,૨૨૪,૧૦૭ ૭,૪૬૯ ૫૬૬ http://www.coimbatore.tn.nic.in/ CU કડ્ડલોર કડ્ડલોર ૨,૨૮૦,૫૩૦ ૩,૯૯૯ ૫૭૦ http://www.cuddalore.tn.nic.in/ DH ધર્મપુરી ધર્મપુરી ૨,૮૩૩,૨૫૨ ૯,૬૨૨ ૨૯૪ http://www.dharmapuri.tn.nic.in/ DI દિંડીગુલ દિંડીગુલ ૧,૯૧૮,૯૬૦ ૬,૦૫૮ ૩૧૭ http://www.dindigul.tn.nic.in/ ER ઇરોડ ઇરોડ ૨,૫૭૪,૦૬૭ ૮,૨૦૯ ૩૧૪ http://erode.nic.in/ KC કાંચીપુરમ કાંચીપુરમ ૨,૮૬૯,૯૨૦ ૪,૪૩૩ ૬૪૭ http://www.kanchi.tn.nic.in/ KK કન્યાકુમારી નાગરકોઇલ ૧,૬૬૯,૭૬૩ ૧,૬૮૫ ૯૯૧ http://www.kanyakumari.tn.nic.in/ KR કરુર કરુર ૯૩૩,૭૯૧ ૨,૮૯૬ ૩૨૨ http://karur.nic.in/ MA મદુરાઇ મદુરાઇ ૨,૫૬૨,૨૭૯ ૩,૬૭૬ ૬૯૭ http://www.madurai.tn.nic.in/ NG નાગપટ્ટીનમ નાગપટ્ટીનમ ૧,૪૮૭,૦૫૫ ૨,૭૧૬ ૫૪૮ http://www.nagapattinam.tn.nic.in/ NI નિલગિરી ઉદગમંડલમ ૭૬૪,૮૨૬ ૨,૫૪૯ ૩૦૦ http://nilgiris.nic.in/ NM નમક્કલ નમક્કલ ૧,૪૯૫,૬૬૧ ૩,૪૨૯ ૪૩૬ http://namakkal.nic.in/ PE પેરામ્બલુર પેરામ્બલુર ૪૮૬,૯૭૧ ૧,૭૫૨ ૨૭૮ http://www.perambalur.tn.nic.in/ PU પુદક્કટ્ટૈ પુદક્કટ્ટૈ ૧,૪૫૨,૨૬૯ ૪,૬૫૧ ૩૧૨ http://pudukkottai.nic.in/ RA રામનાથપુરમ રામનાથપુરમ ૧,૧૮૩,૩૨૧ ૪,૧૨૩ ૨૮૭ http://ramanathapuram.nic.in/ SA સેલમ સેલમ ૨,૯૯૨,૭૫૪ ૫,૨૨૦ ૫૭૩ http://salem.nic.in/ SI શિવગંગાઇ શિવગંગાઇ ૧,૧૫૦,૭૫૩ ૪,૦૮૬ ૨૮૨ http://sivaganga.nic.in/ TP તિરુપ્પુર તિરુપ્પુર ૧૯,૧૭,૦૩૩ ૫,૧૦૬ ૩૭૫ http://tiruppurcorp.tn.gov.in/ TC તિરુચિરાપલ્લી તિરુચિરાપલ્લી ૨,૩૮૮,૮૩૧ ૪,૪૦૭ ૫૪૨ http://tiruchirappalli.nic.in/ TH થેની થેની ૧,૦૯૪,૭૨૪ ૩,૦૬૬ ૩૫૭ http://www.theni.tn.nic.in/ TI તિરુનેલવેલી તિરુનેલવેલી ૨,૮૦૧,૧૯૪ ૬,૮૧૦ ૪૧૧ http://www.nellai.tn.nic.in/ TJ થંજાવુર થંજાવુર ૨,૨૦૫,૩૭૫ ૩,૩૯૭ ૬૪૯ http://thanjavur.nic.in/ TK તુતુકુડી તુતુકુડી ૧,૫૬૫,૭૪૩ ૪,૬૨૧ ૩૩૯ http://thoothukudi.nic.in/ TL તિરુવલ્લુર તિરુવલ્લુર ૨,૭૩૮,૮૬૬ ૩,૪૨૪ ૮૦૦ http://www.tiruvallur.tn.nic.in/ TR તિરુવરુર તિરુવરુર ૧,૧૬૫,૨૧૩ ૨,૧૬૧ ૫૩૯ http://www.tiruvarur.tn.nic.in/ TV તિરુવનામલઇ તિરુવનામલઇ ૨,૧૮૧,૮૫૩ ૬,૧૯૧ ૩૫૨ http://www.tiruvannamalai.tn.nic.in/ VE વેલ્લોર વેલ્લોર ૩,૪૮૨,૯૭૦ ૬,૦૭૭ ૫૭૩ http://vellore.nic.in/ VL વિલુપ્પુરમ વિલુપ્પુરમ ૨,૯૪૩,૯૧૭ ૭,૨૧૭ ૪૦૮ http://www.viluppuram.tn.nic.in/ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
તામિલ નાડુ
https://gu.wikipedia.org/wiki/તામિલ_નાડુ
REDIRECT તમિલનાડુ
તમિલ નાડુ
https://gu.wikipedia.org/wiki/તમિલ_નાડુ
REDIRECT તમિલનાડુ
ત્રિપુરા
https://gu.wikipedia.org/wiki/ત્રિપુરા
ત્રિપુરા () ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર અગરતલા છે. ત્યાંની મુખ્ય ભાષાઓ બંગાળી અને કોકબોરોક છે. જિલ્લાઓ alt=|right|379x379px ત્રિપુરા રાજ્યમાં કુલ ૮ (આઠ) જિલ્લાઓ આવેલા છે. ધલાઈ જિલ્લો પશ્ચિમ ત્રિપુરા જિલ્લો ઉત્તર ત્રિપુરા જિલ્લો દક્ષિણ ત્રિપુરા જિલ્લો ઉનોકોટી જિલ્લો ગોમતી જિલ્લો સિપાહીજાલા જિલ્લો ખોવઇ જિલ્લો સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:ત્રિપુરા
નાગાલેંડ
https://gu.wikipedia.org/wiki/નાગાલેંડ
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે. નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ right|300x300px નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે. કૈફાઇર જિલ્લો કોહિમા જિલ્લો જુન્હેમોટો જિલ્લો દીમાપૂર જિલ્લો ટ્વેનસાંગ જિલ્લો પેરેન જિલ્લો ફેક જિલ્લો મોકોક્ચુન્ગ જિલ્લો મોન જિલ્લો લોન્ગલેન્ગ જિલ્લો વોખા જિલ્લો સંસ્કૃતિ સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મણિપુર
https://gu.wikipedia.org/wiki/મણિપુર
મણિપુર (মনিপুর) ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત ભગિની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેનું પાટનગર ઇમ્ફાલ શહેરમાં આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષા મણિપુરી છે. મણિપુર એ રાજકીય રીતે સંવેદનશીલ પ્રદેશ છે અને તેમાં પ્રવેશ કરવા માટે સરકાર પાસેથી ખાસ મંજુરી લેવી પડે છે. મણિપુર રાજ્યના જિલ્લાઓ મણિપુર રાજ્યમાં કુલ ૧૬ જિલ્લાઓ આવેલા છે. 300px|મણિપુર રાજ્યના જિલ્લાઓ|alt=મણિપુર રાજ્યના જિલ્લાઓ|right સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મિઝોરમ
https://gu.wikipedia.org/wiki/મિઝોરમ
200px|right મિઝોરમ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલ નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે. ઇતિહાસ ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર આસામ રાજ્યનો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ લુશાઈ હિલ્સ જિલ્લો રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ઈ.સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. ભૂગોળ મિઝોરમ ચારે બાજુ જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, જેનો દક્ષિણ ભાગ ૭૨૨ECONOMIC SURVEY, MIZORAM 2012-13 Planning & Programme Implementation, Department Government of Mizoram (2013) કિમીની આંતર રાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે છે, જ્યારે ઉત્તરી સરહદ મણિપુર, આસામ અને ત્રિપુરાને સ્પર્શે છે. મિઝોરમ ભારતનું પાંચમું સૌથી નાનું રાજ્ય છે અને ૨૧,૦૮૭ ચો. કિમી.નો વિસ્તાર ધરાવે છે. મિઝોરમ 21°56'N to 24°31'N, અને 92°16'E to 93°26'E અક્ષાંસ-રેખાંશ વચ્ચે આવેલું છે.Rintluanga Pachuau, pagal Mizoram: A Study in Comprehensive Geography, , Chapter 3 રાજ્યની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ વચ્ચે મહત્તમ અંતર ૨૮૫ કિમી અને પૂર્વ-પશ્ચિમ વચ્ચેનું મહત્તમ અંતર ૧૧૫ કિમી છે. link=https://en.wikipedia.org/wiki/File:Champhai,_Mizoram,_from_south,_with_Zotlang_in_the_foreground.jpg|thumb|274x274px|મિઝોરમનું ભુપૃષ્ઠ મોટાભાગે પર્વતીય અને ખીણોનું બનેલું છે. મોટા ભાગના ગામો અને નગરો પર્વતોની બાજુમાં આવેલા છે. જિલ્લાઓ link=https://en.wikipedia.org/wiki/File:Mizoramdistrictsmap.png|right|thumb|મિઝોરમના જિલ્લાઓ મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે: ઐઝવાલ જિલ્લો કોલાસિબ જિલ્લો ચમ્ફાઇ જિલ્લો મમિત જિલ્લો લુન્ગલેઇ જિલ્લો લોન્ગતલાઇ જિલ્લો સઇહા જિલ્લો સેરછિપ જિલ્લો સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મેઘાલય
https://gu.wikipedia.org/wiki/મેઘાલય
મેઘાલય એ ભારતનું એક ઉત્તરપૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. સંસ્કૃતમાં આ નામનો અર્થ "વાદળોનો વાસ" એવો થાય છે. ૨૦૧૬ સુધીમાં મેઘાલયની વસ્તી ૩૨,૧૧,૪૭૪ હોવાનો અંદાજ છે. મેઘાલય આશરે ૨૨,૪૩૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરે છે, જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર લગભગ ૩:૧ છે.Meghalaya IBEF, India (2013) આ રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં બાંગ્લાદેશના રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન અંગ્રેજ સત્તાધિકારીઓએ તેને "પૂર્વના સ્કોટલેન્ડ" નામથી ઓળખતા.Arnold P. Kaminsky and Roger D. Long (2011), India Today: An Encyclopedia of Life in the Republic, , pp. 455-459 મેઘાલય અગાઉ આસામનો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંતિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક સ્ત્રી પ્રધાન સમાજ રચના (મેટ્રિનેલ સિસ્ટમ)નું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે જ તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે. આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે, જે સરેરાશ દરેક વર્ષે વર્ષાની નોંધ કરે છે.Meghalaya IBEF, India (2013) રાજ્યનો આશરે ૭૦% જંગલોથી ઘેરાયલો છે.Meghalaya and Its Forests Government of Meghalaya (2012); Quote – total forest area is 69.5% મેઘાલય ઉષ્ણકટિબંધીય જંગલોનું ઇકોરીજીયન મોટા ભાગના રાજ્યને ઘેરી લે છે; તેના પર્વતીય જંગલો ઉત્તર અને દક્ષિણ તરફના નીચાણવાળા ઉષ્ણકટિબંધીય જંગલોથી અલગ છે. જંગલો તેમના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની જૈવવિવિધતા માટે જાણીતા છે. મેઘાલય મુખ્યત્વે એક કૃષિ અર્થતંત્ર ધરાવે છે સાથે નોંધપાત્ર વ્યાપારી વનીકરણ ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. બટેટા, ચોખા, મકાઈ, અનાનસ, કેળા, પપૈયા, મસાલા અહીંની મુખ્ય પેદાશો છે. સેવા ક્ષેત્ર રીઅલ એસ્ટેટ અને વીમા કંપનીઓનું બનેલું છે. ૨૦૧૨માં મેઘાલયનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પન્ન વર્તમાન કિંમત પ્રમાણે અંદાજે છે. Meghalaya Planning Commission, Govt of India (May 2014) રાજ્ય ભૌગોલિક રીતે ખનિજોથી સમૃદ્ધ છે, પરંતુ તે ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર ઉદ્યોગો નથી.Arnold P. Kaminsky and Roger D. Long (2011), India Today: An Encyclopedia of Life in the Republic, , pp. 455-459આ રાજ્યમાં આશરે લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. તે બાંગ્લાદેશ સાથેના વેપાર માટેનું એક મુખ્ય લોજિસ્ટિકલ કેન્દ્ર પણ છે. Meghalaya IBEF, India (2013) જુલાઈ 2018 માં, આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટીગ્રાફી (ભૂસ્તરીય શાસ્ત્ર) આયોગે ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસને લાગતા હોલોસેન યુગને ત્રણ ખંડમાં વિભાજિત કર્યો હતો જેના અંતિમ હોલોસેનને મેઘાલય ખંડ નામ આપવામાં આવ્યું છે. આ એટલા માટે કે મેઘાલયની માવમ્લુહ ગુફાના લવણસ્તંભો લગભગ ઈ. સ. પૂ. ૨૨૫૦ની એક મહત્ત્વની વૈશ્વિક આબોહવા પરિવર્તનની ઘટના, સ્ટ્રેટોટાઈપ, ની સીમા ક્કી કરે છે. વસ્તી વંશીય જૂથો ૨૦૧૧: ખાસી : ૩૪% ગારો : ૩૦.૫% જૈંટીઆ : ૧૮.૫૦% બંગાળી : ૮.૫% નેપાળી : ૨.૫% હાજોંગ : ૧.૨% બાયટ : ૧.૧% કોચ : ૧.૦% તિવા (લાલંગ) : ૦.૯% રભા : ૦.૮% કુકી : ૦.૫% શેખ : ૦.૩% અન્ય: ૦.૨% મેઘાલયની મોટાભાગની વસ્તી આદિવાસી લોકોની છે. ખાસીઓ સૌથી મોટું જૂથ છે, ત્યાર બાદ ગારો પછી જૈંંતિયા આવે છે. આ જાતિઓની જાણકારી અંગ્રેજોને હતી. તેને તેઓ "પહાડી જાતિ" તરીકે ઓળખાતા. અન્ય જૂથોમાં હાજોંગ, બાયટ, કોચ અને સંબંધિત રાજનોંગશી, બોડો, દિમસા, કુકી, લાખર, તિવા(લાલંગ), કરબી, રાભા અને નેપાળી જાતિઓ અહીં વસે છે . ૨૦૧૧ ની વસ્તી ગણતરીના કામચલાઉ અહેવાલ મુજબ મેઘાલયમાં સાત ઉત્તર-પૂર્વીય સાત રાજ્યોમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ૨૭.૮૨% નોંધાય છે. ૨૦૧૧ સુધીમાં મેઘાલયની વસ્તી ૨૯,૬૪,૦૦૭ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જેમાંથી મહિલાઓ ૧૪,૯૨,૬૬૮ અને પુરુષો ૧૪,૭૧,૩૩૯ છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં લિંગ પ્રમાણ ૧,૦૦૦ પુરુષો દીઠ ૯૮૬ સ્ત્રીઓનો હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૯૪૦ કરતા ઘણો વધારે હતો. ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રમાણ ૯૮૫ અને શહેરમાં ૯૭૨ હતો. મેઘાલય રાજ્યના જિલ્લાઓ 400px|મેઘાલયના જિલ્લાઓ|right મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે: પૂર્વ ગારો હિલ્સ જિલ્લો પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો જયંતિયા હિલ્સ જિલ્લો રી ભોઇ જિલ્લો દક્ષિણ ગારો હિલ્સ જિલ્લો પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લો પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લો સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
સિક્કિમ
https://gu.wikipedia.org/wiki/સિક્કિમ
સિક્કિમ ભારતનું પૂર્વમાં આવેલું રાજ્ય છે જેની સરહદો ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાએલી છે, તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. આ રાજ્યમાં કુલ ૧૧ ભાષાઓને અધિકૃત ભાષા ગણવામાં આવે છે, જેમાં નેપાળી, સિક્કિમી, હિન્દી, લેપ્ચા, તમાંગ, લીમ્બુ, નેવારી, રાઈ, ગુરુન્ગ, મગર, સુંવાર અને અંગ્રેજીનો સમાવેશ થાય છેSonam Wangdi (13 October 2009). "Nepali Language in the Eighth Schedule of Constitution". Retrieved 10 March 2010.Lepcha has been an official language since 1977, Limbu since 1981, Tamang since 1995 and Sunwar since 1996.. શાળાઓમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે તેમ જ સરકારી પત્ર, દસ્તાવેજ વગેરેમાં પણ અંગ્રેજી ભાષાનો વપરાશ થાય છે. નામ વ્યુત્પત્તિ "સિક્કિમ" નામ વિષે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત ધારણા એવી છે કે આ શબ્દ લિંબુ ભાષાના બે શબ્દોમાંથી બન્યો છે. લિંબુ ભાષામાં "સુ" એટલે નવું અને "ખિયિમ" એટલે મહેલ કે આવાસ. આ નામ તે રાજ્યના પ્રથમ રાજા ફુન્તસોગ નામગ્યાલ દ્વારા બંધાવવામાં આવેલા મહેલના સંદર્ભે પડ્યું હોવાનું મનાય છે. તિબેટી ભાષામાં સિક્કિમને "ડેનજોંગ" તરીકે ઓળખાય છે. જેનો અર્થ થાય છે "ડાંગરની ખીણ",. ભૂતિયા લોકો આને "બેયુલ ડેમઝોંગ" કહે છે, જેનો અર્થ છે "ડાંગરની ગુપ્ત ખીણ". સિક્કિમના મૂળ વતની લેપ્ચા લોકો આને "નાયે-માઈ-એલ" કહે છે જેનો અર્થ સ્વર્ગ એવો થાય છે. હિંદુ પૌરાણિક ગ્રંથોમાં સિક્કિમને "ઈન્દ્રકિલ" તરીકે ઓળખાવાયો છે, જેનો અર્થ ભગવાનનું ઉદ્યાન એવો થાય છે. ઇતિહાસ સ્થાપના - રાજાશાહી સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા. તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સંત પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે. ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાતકાર થયો, જેમાં તેને દક્ષિણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પાદરી-રાજા બનાવવામાં આવ્યા. thumb|left|ગુરુ રીન્પોચેની મૂર્તિ, સિક્કિમના પ્રણેતા. આ મૂર્તિ વિશ્વમા કોઈ પણ સંતની સૌથી ઊંચી મૂર્તિ છે. ૩૬ મીટર, ૧૨૦ ફૂટ ૧૬૭૦માં ફુનત્સોગ નામગ્યાલ પછી તેમનો પુત્ર તેનસંગ નામગ્યાલ ગાદીએ આવ્યો. તેણે સિક્કિમની રાજધાનીને યુસોમથી રાબ્દેનત્સેમાં ખસેડી. ઈ.સ. ૧૭૦૦માં રાજાની સાવકી બહેન(જેને સિક્કિમની ગાદી ન અપાઈ)ની મદદ વડે ભૂતાને સિક્કિમ પર આક્રમણ કર્યું. તેના દસ વર્ષ પછી તિબેટી સેનાઓએ ભૂતાનીને સિક્કિમથી ખદેડી દીધા અને છોગ્યાલને ફરી ગાદીએ બેસાડ્યા. ૧૭૧૭ અને ૧૭૩૩ની વચમાં પશ્ચિમે આવેલા નેપાળ અને પૂર્વે આવેલા ભૂતાન દ્વારા સિક્કિમ પર ઘણાં આક્રમણો થયા. તેવી એક નેપાળી ચડાઈ દરમ્યાન રાજધાની રાબ્દેનત્સેનો ધ્વંસ કરવામાં આવ્યો. ૧૭૯૧માં ગોરખા આક્રમણથી સિક્કિમ અને તિબેટથી બચાવવા માટે ચીને સિક્કિમમાં સૈન્ય મોકલ્યું હતું. ગોરખાઓના પરાજય પછી ચીનના ક્વીંગ રાજવંશનું સિક્કિમ પર નિયંત્રણ રહ્યું.Singh, O. P. p. 43 અંગ્રેજ શાસન હેઠળ સિક્કિમ thumb|right| ૧૮૭૬નો સિક્કિમનો નક્શો જેમાં ઉત્તરીય સિક્કિમનું ચોમ્પો ડોંગ તળાવ દેખાય છે. જો કે, સમગ્ર ચુંબી અને દાર્જીલીંગને નકશામાં સિક્કિમના ભાગરૂપે દર્શાવાયું નથી. ભારતમાં અંગ્રેજોનું રાજ સ્થપાતાંં સિક્કિમે તેના દુશ્મન નેપાળ સામે અંગ્રેજો સાથે મિત્રતા કેળવી. નેપાળે સિક્કિમ પર આક્રમણ કરી તરાઈ સહિતના ક્ષેત્ર પર આધિપત્ય મેળવ્યું. આને કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળ પર આક્રમણ કર્યું અને પરિણામે ૧૮૧૪નું ગોરખા યુદ્ધ થયું. ૧૮૧૭માં નેપાળ અને સિક્કિમ વચ્ચે સંધિ થઈ અને તે અનુસાર નેપાળે પચાવી પાડેલો સિક્કિમનો પ્રદેશ પાછો આપવો પડ્યો. પરંતુ જ્યારે અંગ્રેજોએ સિક્કિમના મોરાંગ પ્રાંતમાં કરવેરો ઉઘરાવવો શરૂ કર્યો ત્યારે સિક્કિમ અને અંગ્રેજોના સંબંધોમાં કડવાશ ઊભી થઈ. ૧૮૪૯માં સર જોસેફ ડાલ્ટન હૂકર અને ડૉ. આર્થર કેમ્પબેલ નામના બે ડોક્ટરોએ (જેઓ અંગ્રેજ સરકારના અંગ્રેજ-સિક્કિમ સંબંધો વિષેના અધિકારીઓ હતા) સિક્કિમમાં ગુપ્તપણે, અનધિકૃત પ્રવેશ કર્યો. સિક્કિમ સરકારે આ બંને ડૉક્ટરોને અટકમાં લીધા. આને કારણે સિક્કિમના અંગ્રેજો સાથેના સંબંધો વધુ વણસ્યા જેને પરિણામે મોરાંગ અને દાર્જીલિંગ જીલ્લાઓને ૧૮૫૩માં બ્રિટિશ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવ્યા. ત્યાર બાદ સિક્કિમનો છોગ્યાલ અંગ્રેજોના નિયંત્રણ હેઠળ માત્ર નામનો જ રાજા રહી ગયો. ૧૮૯૦માં સિક્કિમ અંગ્રેજરક્ષિત રાજ્ય બની ગયું, અને ત્યાર બાદ બીજા ત્રણ દાયકામાં તેણે થોડી વધુ સ્વાયત્તતાઓ મેળવી. ભારતની સ્વતંત્રતા પછી ઇ.સ.૧૯૪૭માં ભારતને સ્વાત્તંત્રતા મળ્યા બાદ સિક્કિમમાં ભારતીય સંઘરાજ્યમાં ન જોડાવું એવો લોકમત આવ્યો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારતરક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધે સ્વાયત્તતા મળી. ૧૯૫૩ રાજ મંડળ સ્થપાયું જેણે છોગ્યાલના આધિપત્ય હેઠળ સંસદીય સરકારના ગઠનની જોગવાઈ કરી. તે સમયે સિક્કિમ નેશનલ કૉંગ્રેસે નવી ચૂંટણી અને સિક્કિમના રાજકારભારમાં વધુ નેપાળી સહભાગની માંગણી કરી. ૧૯૭૩ના સમયના છોગ્યાલ(રાજા) પાલ્દેન થોન્દુપ નામગ્યાલ ખૂબ જ અપ્રિય હતા અને તેમના મહેલની બહાર રમખાણો ફાટી નીકળ્યા અને ભારતીય સંરક્ષણની માંગણી કરવામાં આવી. ૧૯૭૫માં સિક્કિમના વડા પ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરીકે ભેળવી દેવાની વિનંતી કરી. તે જ વર્ષના એપ્રિલ માસમાં ભારતીય સેનાએ ગંગટોકનો કબ્જો મેળવ્યો અને છોગ્યાલના મહેલના સૈનિકોને નિઃશસ્ત્ર કરી દીધા. ત્યાર બાદ એક લોકમત લેવામાં આવ્યો, જેમાં ૯૭.૫ ટકા મતદાતાઓએ રાજાશાહીનો અંત કરી અને ભારતીય સંઘ સાથે જોડાવાની તરફેણ કરી. આ સંમેલનને લોકોની ઈચ્છા અને ભારતીય સંઘની સહમતિથી પ્રેરિત જણાવાયું હતું પણ તેની ચડાઈ, જાતિભેદનો ફાયદો ઉપાડવો, જનમતમાં ગોટાળા જેવી અનેક ટીકાઓ કરવામાં આવી. ૧૬ મે,૧૯૭૫ના દિવસે સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય બન્યું અને રાજાશાહી નાબુદ થઈ. નવા રાજ્યના ઉમેરણ માટે ભારતીય સંસદ દ્વારા સંવિધાનમાં સુધારો કરવામાં આવ્યો. સૌ પ્રથમ ૩૫મા સુધારા હેઠળ સિક્કિમને "સંલગ્ન" રાજ્ય તરીકે ખાસ દરજ્જો અપાયો. ત્યાર બાદ ૩૬મા સુધારા હેઠળ સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો અને સિક્કિમનું રાજ સંવિધાનની પ્રથમ સારણીમાં ઉમેરાયું. અર્વાચીન ઇતિહાસ ૨૦૦૦ની સાલમાં સત્તરમા કર્મપા ઉરગ્યેન ત્રિનલે દોરજી (જેમને દલાઈ લામાએ માન્યતા આપી અને ચીની સરકારે પણ ટુલ્કુ તરીકે સ્વીકાર્યા) તિબેટથી નાસી છૂટ્યા અને તેમણે સિક્કિમની રુમટેક મઠમાં આશ્રય માગ્યો. આ મુદ્દે ચીની અધિકારીઓ અવઢવમાં હતા. જો તેઓ ભારતનો વિરોધ કરે તો તેઓ સિક્કિમને ભારતનું અંગ ગણે છે એમ સાબિત થાય. ચીન સિક્કિમને ભારતશાસિત સ્વતંત્ર રાજ્ય માનતું હતું. છેવટે ૨૦૦૩માં ચીની સરકારે એ શરતે સિક્કિમને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી કે ભારત સરકાર પણ તિબેટને ચીનનો ભાગ ગણે; અલબત્ત, ૧૯૫૩માં જવાહરલાલ નહેરૂના કાળ દરમ્યાન નવી દિલ્હીએ તિબેટને ચીનનો ભાગ સ્વીકાર્યો હતો."Nehru accepted Tibet as a part of China: Rajnath" . Hindustan Times. Retrieved 3 December 2012. ૨૦૦૩ની આ સમજૂતીને કારણે ભારત ચીન સંબંધોમાં સુધારો આવ્યો, અને ૬ જુલાઈ ૨૦૦૬ના દિવસે સિક્કિમનો નથુલા ઘાટ ભારત-ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો મૂકાયો જે ભારત-ચીન વચ્ચે પ્રથમ ખુલ્લી સીમા બની. પ્રાચીન રેશમ માર્ગની એક શાખા માર્ગસમો આ ઘાટ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી બંધ પડ્યો હતો. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે સિક્કિમમાં ૬.૯ Mwનો ભૂકંપ આવ્યો જેમાં સિક્કિમ, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાનના કુલ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યા."Himalayan quake toll climbs to 116, 40 stranded foreign tourists rescued". DNA. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧. એકલા સિક્કિમમાં જ ૬૦ લોકો મૃત્યુ પામ્યા અને ગંગટોક શહેરમાં ભારે નુકસાન થયું."Earthquake toll over 80; India 68; as rescue teams reach quake epicentre". NDTV. 20 September 2011. Retrieved 3 December 2012. ભૂગોળ thumb|right| સિક્કિમમાંથી સૂર્યોદય સમયે કાંચનજંઘા શિખર ભારતનું સૌથી ઊંચુ શિખર અને વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર હિમાલયની પર્વતમાળામાં આવેલા માળા સમાન સિક્કિમ એ મુખ્યત્વે પર્વતીય ભૂક્ષેત્ર ધરાવે છે. રાજ્યના ભૂક્ષેત્રની સમુદ્રસપાટીથી ઊંચાઈ ૨૮૦મી થી લઈને ૮૫૮૬મી જેટલી છે. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર - કાંચનજંઘા સિક્કિમ અને નેપાળની સરહદે આવેલું છે.. મોટા ભાગનો ભૂભાગ પર્વતીય ઢોળાવ ધરાવતો હોવાથી તે ખેતી માટે અયોગ્ય છે. જોકે અમુક પર્વતીય ઢોળાવોને પગથિયા ખેતરો સ્વરૂપે વિકસાવાયા છે. બરફ ઓગળવાથી વહેતા ઘણાં ઝરણાંઓ રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાંથી વહે છે. આ ઝરણાઓ મળીને તીસ્તા અને રંગીત નામની મુખ્ય નદી અને તેની ઉપનદીઓ બનાવે છે. આ નદીઓ રાજ્યની ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે"Rivers in Sikkim" . Sikkim.nic.in. Retrieved 13 October 2011. આ રાજ્યની ત્રીજા ભાગની જમીન જંગલોથી છવાયેલી છે. સિક્કિમની પૂર્વ, પશ્ચિમ અને ઉતરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં હિમાલયના નીચા શિખરો આવેલા છે. આ દક્ષિણ ભાગમાં વસ્તીની ગીચતા વધુ છે. સિક્કિમમાં ૨૬ શિખરો, ૮૦થી વધુ હિમનદીઓ, ૨૨૭ જેટલા ઊંચાઈ પર આવેલા તળાવો (જેમ કે ત્સોન્ગમો, ગુરુડોન્ગમર અનેખેચોપાલરી), ગરમ પાણીના પાંચ ઝરા અને ૧૦૦થી વધુ નદીઓ અને ઝરણાંઓ આવેલાં છે. રાજ્યના ૮ પર્વતીય ઘાટ તેને તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે જોડે છે. સિક્કિમના ગરમ પાણીના ઝરા તેની વૈદકીય ગુણધર્મો માટે પ્રચલિત છે. અહીં પુર્ચાચુ, યુમથાન્ગ, બોરાન્ગ, રાલાન્ગ, તારમ-ચુ અને યુમી સમડોન્ગ જેવા ગરમ પાણીના ઝરા પ્રખ્યાત છે. નદી કિનારા નજીકના ઝરા વધુ પ્રમાણમાં ગંધક ધરાવે છે; અમુક ઝરા તો હાઈડ્રોજન વાયુ ઉત્સર્જીત કરે છે. .. આ ઝરાઓનું સરાસરી તાપમાન જેટલું હોય છે. ભૂસ્તર રચના thumb|right| કંગચેન્ગ્યો હિમાલયન પર્વતો-ઉત્તર સિક્કિમ. સિક્કિમની ટેકરીઓ મોટે ભાગે નીસીઓસ અને શીસ્ટ નામના ખડકોની બનેલી છે, જેને કારણે ઢીલી અને છીછરી કથ્થઈ રંગની ચીકણી માટીનું નિર્માણ થાય છે. આ માટી છીદ્રાળુ હોય છે અને તેમાં મોટા પ્રમાણમાં આયર્ન ઓક્સાઈડ હોય છે. આ માટી ન્યૂટ્રલથી લઈ અમ્લીય હોય છે. તેમાં ઓર્ગેનીક કે ક્ષારોનો અભાવ હોય છે. આ પ્રકારની માટી નીત્ય લીલા અને પાનખર જંગલ ઉગાડે છે. મોટા ભાગના સિક્કિમમાં પ્રીકેમ્બ્રીયન ખડકો ધરાવે છે, જે તેના શિખરો જેટલાં જૂના નથી. તે ખડકોમાં ફાયલાઈટ હોય છે, વિદારણની તેના પર વધુ અસર થાય છે. આ સાથે રાજ્યમાં પડતા અત્યંત વધારે વરસાદને કારણે ખૂબ વધુ પ્રમાણમાં માટી અને તેમાંના પોષક તત્ત્વોનું ધોવાણ થાય છે. આને કારણે અહીં જમીનનું સ્ખલન ખૂબ થાય છે જેથી મુખ્ય શહેરી ક્ષેત્રોથી અહીંના ગામડાઓ દૂર સુદૂર એકલાં અટૂલા જોવા મળે છે. આબોહવા સિક્કિમમાં પાંચ ઋતુઓ શિયાળો, ઉનાળો, વસંત, પાનખર અને વર્ષા જોવા મળે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસું હોય છે. અહીંની આબોહવા દક્ષિણમાં ઉપ વિષુવવૃત્તીયથી લઈને ઉત્તરમાં ટુંડ્રા પ્રકારની છે. સિક્કિમની માનવ વસાહતી પ્રદેશમાં સમશીતોષ્ણ વાતાવરણ હોય છે અને તાપમાન થી ઉપર જતું નથી. સિક્કિમનું સરાસરી વાર્ષિક તાપમન લગભગ જેટલું છે. નિયમિત હિમવર્ષા મેળવતું હોય એવું સિક્કિમ ભારતનું એક રાજ્ય છે. અહીંની હિમરેખા ઉત્તરે થી લઈને દક્ષીણે જેટલી છે. ઉત્તર સિક્કિમમાં ટુંડ્ર પ્રકારની આબોહવા લગભગ ચાર મહિના સુધી રહે છે, તે સમય દરમ્યાન રાત્રે ઉષ્ણતામાન કરતાં પણ નીચે જતું હોય છે. વાયવ્ય સિક્કિમના પર્વત શિખરો તેની ઉંચાઈને કારણે આખું વર્ષ હિમાચ્છાદિત રહે છે, શિયાળામાં પર્વતો પર તાપમાન જેટલું નીચે જાય છે. વર્ષા ઋતુમાં અહીં ભૂસ્ખલનનો ભય વધી જાય છે. સિક્કિમમાં એકધારા વરસાદ પડતો રહ્યો હોવાનો ૧૧ દિવસનો રેકોર્ડ છે. શિયાળા અને ઉનાળામાં ધુમ્મસને કારણે વાહનવ્યવહાર કઠીન બને છે.Hooker p. 409 સરકાર અને રાજનીતિ + ર રાષ્ટ્રીય ચિહ્નો રાષ્ટ્રીય દિવસ ૧૬ મે (ભારતસાથે વિલિનીકરણ દિવસ) રાષ્ટ્રીય પ્રાણી રાતો પાંડા રાષ્ટ્રીય પક્ષી રાતો તેતર (Blood Pheasant) રાષ્ટ્રીય વૃક્ષ બુરુંશ હિંદી ડિક્શનરી હિનખોન . કોમ (રોડડેન્ડ્રન - Rhododendron) રાષ્ટ્રીય પુષ્પ નોબેલ ઓર્ચિડ ભારતીય સંવિધાન અનુસાર સિક્કિમમાં સંસદીય પદ્ધતિ ધરાવતી પ્રતિનિધિત્વ લોકશાહી અમલમાં છે. અહીંના લોકો મતાધિકાર ધરાવે છે. સરકારી તંત્ર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે: વહીવટી તંત્ર: ભારતના દરેક રાજ્યની જેમ રાજ્યપાલ એ રાજ્યના વહીવટી તંત્રના અધિષ્ઠાતા હોય છે. રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક ઔપચારિક હોય છે અને તેમનું મુખ્ય કાર્ય મુખ્ય મંત્રીની નિમણૂક કરવાનું હોય છે. રાજ્યના ખરા વહીવટી હક્કો રાજ્યની ચૂંટણીમાં બહુમતી ધરાવતા પક્ષ કે ગઠબંધનના મુખ્ય મંત્રી પાસે હોય છે. રાજ્યપાલ મુખ્ય મંત્રીની સલાહ માટે કેબિનેટ મંત્રીઓની પણ નિમણૂક કરે છે. ધારાસભા: ભારતના મોટા ભાગના રાજ્યોની જેમ સિક્કિમ એક સદનવાળી ધારાસભા કે વિધાનસભા ધરાવે છે. સિક્કિમ રાજ્યની ધારાસભામાં ૩૨ સીટો છે જેમાંની એક સંઘ(બૌદ્ધ સંઘ) માટે આરક્ષિત હોય છે. ભારતના બે સદન લોકસભા અને રાજ્યસભા બંનેમાં સિક્કિમ રાજ્ય એક-એક બેઠક ધરાવે છે. ન્યાય: સિક્કિમના ન્યાયતંત્રમાં સિક્કિમ ઉચ્ચ ન્યાયાલય(હાઈકોર્ટ) અને તેની હેઠળ નીચલી કોર્ટનો સમાવેશ થાય છે. સિક્કિમનું ઉચ્ચ ન્યાયાલય ગંગટોકમાં આવેલું છે. આ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ(ચીફ જસ્ટીસ) સહિત અન્ય કાયમી ન્યાયાધીશો પણ હોય છે. સિક્કિમનું ઉચ્ચ ન્યાયાલય સૌથી નાના રાજ્યનું ઉચ્ચ ન્યાયાલય છે. . thumb|left| 'ધ વાઈટ હૉલ કોમ્પ્લેક્સ' સિક્કિમના મુખ્ય મંત્રી અને રાજ્યપાલનું નિવાસ સંકુલ. ૧૯૭૫માં સિક્કિમમાં રાજાશાહીનો અંત આવ્યો ત્યાર બાદ થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બહુમતી મળી. ૧૯૭૯ની કટોકટી પછી સિક્કિમ સંગ્રામ પરિષદ પાર્ટી સત્તા પર આવી અને તેના નેતા નર બહાદૂર ભંડારી મુખ્ય મંત્રી બન્યા. ૧૯૮૪ અને ૧૯૮૯ની ચૂંટણીમાં પણ નર બહાદૂર ભંડારીનો પક્ષ વિજયી રહ્યો. ૧૯૯૪ની ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના પવન કુમાર ચૅમલિંગ સિક્કિમના મુખ્ય મંત્રી બન્યા. તે પછી ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯ એ તમામ ચૂંટણીઓમાં ચૅમલીંગની પાર્ટી સત્તા પર રહી છે. હાલના વર્ષોમાં બૃહદ નેપાળ ચળવળ દ્વારા સિક્કિમને નેપાળને સોંપી દેવાની માંગણી થતી રહી છે. આ ચળવળ દ્વારા અંગ્રેજો દ્વારા ૧૯મી અને ૨૦મી સદીમાં જે નેપાળી ભૂમિને પચાવી પડાઈ હતી તેને પાછી નેપાળ હસ્તક કરવાની માગણી પ્રસારિત થઈ છે. ૧૯૫૦ની ભારત નેપાળ મૈત્રી સંધિ દ્વારા ૧૮૧૫ની સુગૌલી સંધિને રદ કરાઈ તે અનુસાર જે ભૂમિ પર સિક્કિમ રાજ્ય છે, તે નેપાળની છે એવો વિચાર આ ચળવળ ધરાવે છે."India Should Return the Nepalese Land" . WeeklyBlitz.net. 4 June 2010. Retrieved 18 November 2012. જિલ્લાઓ સિક્કિમમાં ચાર જીલ્લા આવેલા છે – પૂર્વ સિક્કિમ જિલ્લો, પશ્ચિમ સિક્કિમ જિલ્લો, ઉત્તર સિક્કિમ જિલ્લો અને દક્ષિણ સિક્કિમ જિલ્લો, તેમના જીલ્લા મથક અનુક્રમે ગંગટોક ગ્યાલશીંગ, મંગન અને નામચી છે. આ જિલ્લાઓને ફરી ઉપવિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. પાકયોંગ અને રોંગ્લી એ પૂર્વી જિલ્લાના ઉપવિભાગ છે. સોરેંગ એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. ચુંગથાંગ એ ઉત્તર જિલ્લાનો ઉપવિભાગ છે. રાવોંગ્લા એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. સિક્કિમના દરેક જિલ્લાની વહીવટની દેખરેખ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલા જિલ્લા કલેક્ટર દ્વારા રાખવામાં આવે છે. જિલ્લાના સર્વ નાગરિક/વસાહતી ક્ષેત્રની દેખરેખ તેની હેઠળ આવે છે. સિક્કિમ રાજ્ય ચીન સાથેની ઘણી સંવેદનશીલ સીમા ધરાવતો હોવાથી, તેનો ઘણો મોટો ભાગ સેનાના નિયંત્રણ હેઠળ આવે છે. ઘણા ક્ષેત્રોમાં વિદેશીઓનો પ્રવેશ નિષેધ છે અથવા તો તે સ્થળોની મુલાકાત લેવા ખાસ પરવાનાની જરૂર પડે છે. વન્ય સૃષ્ટિ ભારતમાં આવેલા ત્રણ નિવસન-ક્ષેત્રમાંના એક એવા નિમ્ન હિમાલયના નિવસન હોટસ્પોટ પર સિક્કિમ આવેલું છે. અહીંના જંગલ ક્ષેત્રની પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સિક્કિમની પર્વતીય ભૂગોળને કારણે ભૂક્ષેત્ર વિવિધ ઉંચાઈઓ ધરાવે છે, જેને કારણે અહીં ઉષ્ણકટિબંધીયથી લઈ સમષીતોષ્ણ કટિબંધીય અને આલ્પાઈન અને ટુંડ્ર પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. સિક્કિમ વિશ્વની અમુક જગ્યાઓમાંની એક છે જ્યાં આટલા નાના ક્ષેત્રફળમાં આટલી વિવિધતા જોવા મળે છે. સિક્કિમનો ૮૧% ભાગ ત્યાંની સરકારના વનવિભાગ હેઠળ આવે છે. સિક્કિમ લગભગ ૫૦૦૦ પ્રજાતિના ફૂલોની વિવિધતા ધરાવે છે. તેમાં ૫૧૫ દુર્લભ ઓર્ચિડ, ૬૦ પ્રીમુલા પ્રજાતિના, ૩૬ રોડોડેનડ્રોન, ૧૧ ઑક, ૨૩ વાંસની પ્રજાતિઓ, ૧૬ શંકુદ્રુમ પ્રજાતિઓ, ૩૬૨ પ્રકારની ફર્ન અને એ પ્રકારના, ૮ ફર્ન વૃક્ષો અને ૪૨૪ વૈદકીય વનસ્પતિ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. સ્થાનીય ભાષામાં ક્રિસમસ ફ્લાવર તરીકે ઓળખાતા શંકુદ્રુમ વૃક્ષો અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. બોબલ ડેન્ડ્રોબીયન એ સિક્કિમનું રાજ પુષ્પ છે અને રોડોડેનડ્રોન એ આ રાજ્યનું રાજ વૃક્ષ છે. સિક્કિમના ઓછી ઊંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં આવેલા હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનોમાં ઓર્ચિડ, લોરેલ, કેળાં, સાલ અને વાંસના વૃક્ષો ઉગે છે. થી વધુ ઊંચાઈએ આવેલા ક્ષેત્રોમાં પૂર્વીય હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનો જોવા મળે છે જેમાં ઓક, અખરોટ, મેપલ, બીર્ચ, એલ્ડર, મેગ્નોલિયા જેવા વૃક્ષો જોવા મળે છે તે સાથે હિમાલયન સમષીતોષ્ણ પાઈનના વનોમાં ચીર પાઈન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ની ઊંચાઈ પર અલ્પાઈન વન્યસૃષ્ટિ જોવા મળે છે. તેમાં નીચેના ક્ષેત્રોમાં જુનીપેર, ફર સાઈપ્રેસ અને રોડોડેનડ્રોન જોવા મળે છે અને ઊંચાઈએ રોડોડેનડ્રોનની અન્ય પ્રજાતિઓ તથા અન્ય જંગલી પુષ્પો ઉગે છે. thumb|right|લાલ પાંડા - સિક્કિમનું રાજ પ્રાણી સિક્કિમની પ્રાણીસૃષ્ટિમાં હિમ ચિત્તો(સ્નો લેપર્ડ),Wilson DE, Mittermeier RA (eds) (2009) Handbook of the Mammals of the World. Vol. 1. Carnivores. Lynx Edicions, Barcelona કસ્તુરી મૃગ, હિમાલયન થાર, લાલ પાંડા, હિમલાન મરમોટ, હિમાલયન સેરૉ, હિમાલયન ગોરલ, મન્ટજેક, લંગૂર, એશિયન કાળા રીંછ, વાદળી ચિત્તા, આરસી બિલાડી (માર્બલ કેટ), લેપર્ડ કેટ, ધોલ, તિબેટી શિયાળ, હોગ બેજર(હિન્દી - બિજ્જૂ), બિન્ટુરોંગ અને હિમાલયન જંગલી બિલાડીનો સમાવેશ થાય છે. આલ્પાઈન ક્ષેત્રોમાં યાક મોટા પ્રમાણમાં મળી આવે છે તેમને દૂધ,માંસ અને ભારે કામ માટે પાળવામાં આવે છે. સિક્કિમની પક્ષીસૃષ્ટિમાં ઇમ્પેયાન તેતર, રાતો શિંગડાવાળો તેતર, હિમ પાર્ટ્રિજ, તિબેટી હિમ કૂકડો, દાઢીધારી ગીધ અને ગ્રીફોન ગીધ(મહાકાય ગીધ), સોનેરી ગરુડ, કેવ્લ(તેતર), પ્લોવર, જંગલી કૂકડો, સેન્ડ પાઈપર, કબૂતર, પ્રાચીન વિશ્વનું ફ્લાય કેચર, બેબ્લર અને રોબીનનો સમાવેશ થાય છે. સિક્કિમમાં પક્ષીઓની ૫૫૦થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની અમુક તો લુપ્તપ્રાયઃ ઘોષિત કરાઈ છે. સિક્કિમ વિશાલ કીટક સૃષ્ટિ ધરાવે છે પણ તેનો પદ્ધતિસર અભ્યાસ થયો નથી. સિક્કિમના સૌથી વધુ પ્રચલિત કીટકો છે પતંગિયાં. ભારતીય ઉપમહાદ્વીપમાં પતંગિયાંની ૧૪૩૮ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની ૬૯૫ જેટલી સિક્કિમમાં નોંધાઈ છે. જેમાં લુપ્તપ્રાયઃ કૈસરે હિન્દ, યેલો ગોર્ગોન અને ભુતાન ગ્લોરી પણ સામેલ છે. અર્થવ્યવસ્થા thumb|left|એલચી, સિક્કિમનો પ્રમુખ રોકડિયો પાક. ૨૦૧૨માં સિક્કિમનું થોક સ્થાનીય ઉત્પાદન (Gross Domestic Product -GDP) ૮૪૦૦ કરોડ જેટલું હતું. જે તે સમયના ૨૮ ભારતીય રાજ્યોના થોક ઉત્પાદનમાં ત્રીજું સૌથી ઓછું ઉત્પાદન હતું. સિક્કિમની અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે. જેમાં પર્વત પરના ઢોળાવ પર પગથિયાં ખેતર બનાવી તેમાં ચોખા ઉગાડવામાં આવે છે. તે સિવાય રાજ્યમાં મકાઈ, બાજરો, ઘઉં, જવ, સંતરા, ચા અને એલચી પણ ઉગાડવામાં આવે છે. ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં સિક્કિમમાં એલચીનું ઉત્પાદન વધુ થાય છે અને અહીં ભારતના કોઈ પણ રાજ્યની સરખામણીએ વધુ ભૂમિ પર એલચી પકવાય છે. સિક્કિમની પર્વતીય ભૂમિ અને નબળા વાહનવ્યવહારની અપલબ્ધિને કારણે અહીં મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસ્યા નથી. દારૂ ગાળણ, ચામડું પકવવું અને ઘડિયાળ બનાવવા જેવા ઉદ્યોગો રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલા મેલી અને નોરથાંગમાં વિકસ્યા છે. આ સિવાય સિક્કિમમાં નાના પ્રમાણમાં તાંબુ, ડોલોમાઈટ, ટેલ્ક, ગ્રેફાઈટ, ક્વાર્ટઝાઈટ, કોલસો, સીસું અને જસતનો ખાણ ઉદ્યોગ પણ ચાલે છે. સિક્કિમમાં લઘુત્તમ ઉદ્યોગો હોવા છતાં ૨૦૦૦થી સિક્કિમની અર્થવ્યવસ્થા ભારતની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા રહી છે. ૨૦૦૭માં જ સિક્કિમનો જીડીપી ૧૩% જેટલો વધ્યો.Indian Ministry of Statistics and Programme Implementation . Retrieved 24 September 2011. ૨૦૧૫ સુધીમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરીત કરવાની સિક્કિમની યોજના છે. "Sikkim to become a completely organic state by 2015". The Hindu. 9 September 2010. Retrieved 29 November 2012."Sikkim makes an organic shift" . Times of India. 7 May 2010. Retrieved 29 November 2012."Sikkim ‘livelihood schools' to promote organic farming". Hindu Business Line. 6 August 2010. Retrieved 29 November 2012."Sikkim races on organic route" . Telegraph India. 12 December 2011. Retrieved 29 November 2012. thumb|પગથિયાંના ખેતરમાં ડાંગરનો પાક હાલના વર્ષોમાં સિક્કિમ સરકારે પર્યટનનો પ્રચાર પ્રસાર કર્યો છે. આને પરિણામે મધ્ય ૧૯૯૧થી સિક્કિમની આવક ૧૪ ગણી વધી છે. આ સિવાય સિક્કિમ સરકારે ઓનલાઈન અને કેસિનોની ગેમ્બલિંગને પણ પ્રોત્સાહન આપ્યું છે. સિક્કિમનો પ્રથમ કેસિનો માર્ચ ૨૦૦૯માં શરૂ થયો હતો. સિક્કિમ સરકારની પ્લેવીન લોટરી ખૂબ સફળ રહી હતી. ઓક્ટોબર ૨૦૦૯માં સિક્કિમ સરકારે ત્રણ ઓનલાઈન સ્પોર્ટ્સ બેટીંગ લાઇસન્સને પરવાનગી આપવાની યોજનાની જાહેરાત કરી છે. ૬ જુલાઈ ૨૦૦૬થી નથુલા ઘાટ ફરી ખોલવામાં આવ્યો જેથી ભારત તિબેટ અને લ્હાસા સાથે સંપર્ક સ્થાપિત થયો. આ ઘટના સિક્કિમ માટે ખૂબ લાભદાયી મનાય છે. જોકે ભારત અને ચીન સરકારના બંધનોને કારણે આ વેપાર વિકસ્યો નથી. વાહનવ્યવહાર હવાઈમાર્ગ thumb|તીત્સા નદી એ રાજ્યનો મુખ્ય જળમાર્ગ છે. સિક્કિમના પર્વતીય ભૂસ્તરને લીધે અહીં એક પણ હવાઈ મથક કે રેલ્વે મથક નથી. ગંગટોકથી દૂર રાજ્યનું સૌથી પહેલું હવાઈ મથક - પાકયોંગ હવાઈ મથક બંધાઈ રહ્યું છે.Sikkim's first airport to be ready by 2014 Zee News આનું બાંધકામ ભારતીય વિમાન પત્તન પ્રાધિકરણ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા) દ્વારા ૨૦૦ એકર ભૂમિ પર થઈ રહ્યું છે. ૪૭૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું આ ભારતના સૌથી ઊંચા પાંચ હવાઈ મથકમાંનું એક બનશે. Sikkim's Greenfield Airport Punj Lloyd GroupSikkim's New Airport Maccaferri Environmental Solutions Pvt. Ltd., India આ હવાઈ મથક ATR વિમાનોને ઉતારવા સક્ષમ હશે. . હાલમાં સિક્કિમથી સૌથી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક છે. આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે. આ બંને સ્થળો બસ સેવા દ્વારા જોડાયેલા છે.How to reach Sikkim Government of Sikkim સિક્કિમ અને બાગડોગરાને જોડતી રોજિંદી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે. આ સેવા સિક્કિમ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા ચલાવવામાં આવે છે. હેલિકોપ્ટાનો આ પ્રવાસ અડધા કલાકનો છે અને તે ૪ પ્રવાસીઓને લઈ જઈ શકે છે. ગંગટોક હેલીપેડ એ રાજયનું એકમાત્ર હેલીપેડ છે. રસ્તા thumb|left|સિક્કિમનો વાહનવ્યવહાર મુખ્યરૂપે ટેકરીઓમાંથી પસાર થતાં સર્પાકાર રસ્તાઓ દ્વારા થાય છે. ઉપર ટેમી ટી ગાર્ડનની બાજુમાંથી પસાર થતો રસ્તો. ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ 31 અને 31A સિલિગુડી અને ગંગટોકને જોડે છે. સિક્કિમ નેશનલ ટ્રાન્સપોર્ટ રાજ્યમાં બસ અને ટ્રક સર્વિસ ચલાવે છે. ખાનગી બસ, પ્રવાસી ટેક્સીઓ અને જીપ આખા સિક્કિમ તેમજ સિલિગુડી સુધી ઉપલબ્ધ છે. મેલીથી છૂટી પડતી એક શાખા રાજ્યના પશ્ચિમી ભાગને જોડે છે. સિક્કિમના દક્ષિણી અને પશ્ચિમી ક્ષેત્રો દાર્જીલિંગ અને કાલિમ્પોગ જેવા ગિરિમથકો સાથે પણ જોડાયેલા છે. રાજય નથુલા ઘાટ થકી તિબેટ સાથે જોડાયેલું છે. રેલ્વે સિક્કિમમાં રેલ્વે સેવાનો અભાવ છે. સિક્કિમથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સિલિગુડી કે ન્યુ જલપાઈગુડી છે. હવે સિક્કિમના રાંગપો અને પશ્ચિમ બંગાળના સીમાવર્તી શહેર સેવોકને જોડતી પરિયોજના શરૂ થઈ છે. "Finally, Sevoke-Rangpo railway link on track" . ConstructionUpdate.com. November 2009. Retrieved 12 November 2012. પાંચ સ્ટૅશન ધરાવતી આ રેલ્વે પહેલા ૨૦૧૫ સુધીમાં પૂરી થવાની હતી. આ રેલ્વે સેવા સિક્કિમની અર્થવ્યવસ્થા અને ભારતીય સેનાને ઉપયોગી સાબિત થશે."Inspection survey for Sikkim rail link". The Hindu. ૨૫ જાન્યુઆરી ૨૦૧૦. Retrieved ૨૭ જુન ૨૦૧૩. જોકે આનું બાંધકામ મોડું પડ્યું છે. આ સાથે રેલ્વે મંત્રાલયે મિરિક અને રાનીપુલને જોડતી રેલ્વેનો પણ પ્રસ્તાવ આપ્યો છે. માળાખાગત સુવિધા thumb|તિબેટોલોજી સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર સિક્કિમના મોટા ભાગના રસ્તાની દેખરેખ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન એ ભારતીય સેનાની એક શાખા છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની સત્તા હેઠળ ન આવતા હોય એવા જેટલા રસ્તા રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવે છે. દક્ષિણ સિક્કિમના રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ - NH31A એ રાજ્યના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. અહીં ભૂસ્ખલનની ઘટનાઓ ઓછી ઘટતી હોવાથી અહીંના રસ્તાઓ સારી સ્થિતિમાં છે. સિક્કિમમાં મોટાભાગની વિદ્યુત શક્તિ ૧૯ જેટલા જળવિદ્યુત કેન્દ્રોમાંથી મેળવવામાં આવે છે. તે સિવાય નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને પાવરગ્રીડ કોર્પોરેશન પાસેથી પણ વિદ્યુત ઊર્જા મેળવવામાં આવે છે. ૨૦૦૬ સુધીમાં સિક્કિમે ૧૦૦% ગ્રામીણ વીજળીકરણ પ્રાપ્ત કર્યું હતું. જો કે અહીં વોલ્ટેજ ઘણાં જ અસ્થિર હોય છે અને વોલ્ટેજ સ્ટેબીલાઈઝરની જરૂર રહે છે. સિક્કિમનો વીજળી વપરાશ ૧૮૨ કિલોવૉટ/કલાક જેટલો છે. રાજ્ય સરકારે રસોઈ માટે બાયોગેસ અને સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો છે પણ તેને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે અને તેનો ઉપયોગ પ્રકાશ મેળવવા પૂરતો જ થાય છે. ૨૦૦૫ સુધીમાં સિક્કિમમાં ૭૩.૨ ટકા ઘરો સલામત પીવાનું પાણી મેળવી શકતા હતા, અહીં મોટી સંખ્યામાં આવેલા ઝરણા દ્વારા લોકો પાણી પુરવઠો પ્રાપ્ત કરે છે. ૮ ડિસેમ્બર ૨૦૦૮ના દિવસે સિક્કિમ ૧૦૦% શૌચાલય વ્યવસ્થા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, અને ખુલ્લામાં શૌચ નિકાસથી મુક્ત થયું હતું અને "નિર્મળ રાજ્ય"નો દરજ્જો પ્રપ્ત કર્યો હતો."Sikkim becomes first state to achieve 100 per cent sanitation" . Infochange India. 9 December 2008. Retrieved 24 June 2012."NIRMAL GRAM PURASKAR 2011" . India Sanitation Portal. 2011. Retrieved 24 June 2012. વસતી thumb|right|200 px| ૨૦૦૪માં ગંગટોકમાં સિક્કિમી મહિલા તેના બાળક સાથે. સિક્કિમ એ ભારતની સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય છે. ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર સિક્કિમની વસતી ૬૧૦,૫૭૭ હતી. સિક્કિમમાં વસતીનું ઘનત્વ સૌથી ઓછું છે. (૮૬ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી.) જોકે અહીં વસતી વધારાનો દર વધુ છે જે ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે લગભગ ૧૨.૩૬% જેટલો હતો. અહીં જાતિ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૮૮૯ સ્ત્રીઓ જેટલો છે. જેમાં કુલ ૩,૨૧,૬૬૧ સ્ત્રીઓ અને ૨,૮૬,૦૨૭ પુરુષો છે. મુખ્યત્વે ગ્રામીણ એવા રાજ્યમાં ગંગટોક એ સૌથી વધુ શહેરીકરણ પામેલું ક્ષેત્ર છે. ૨૦૦૫માં આ રાજ્યની શહેરી વસ્તી કુલ વસ્તીના ૧૧.૦૬% જેટલી હતી. ૨૦૧૧માં સિક્કિમની માથાદીઠ આવક ૮૧,૧૫૯ હતી. અનુવાંશિકતા સદીઓથી થતા નેપાળી લોકોના સ્થળાંતરને કારણે સિક્કિમના મોટા ભાગના લોકો નેપાળી મૂળના છે. ભૂતિયા અને લેપ્ચા લોકોને સિક્કિમના મૂળ રહેવાસી માનવામાં આવે છે. ભૂતિયા લોકો સિક્કિમમાં તિબેટના ખામ જિલ્લામાંથી ૪થી શતાબ્દીમાં આવ્યા હતા. લેપ્ચા લોકો દૂર પૂર્વમાંથી આવ્યા હતા. તિબેટી મૂળના લોકો સિક્કિમના પૂર્વી અને ઉત્તરી ભાગોમાં રહે છે સ્થળાંતરીત વસ્તી બિહારી, બંગાળી અને મારવાડી લોકોની છે જેઓ દક્ષિણી સિક્કિમમાં રહે છે. ધર્મ સિક્કિમમાં નેપાળી લોકોના આગમન પછી હિંદુ ધર્મ એ સિક્કિમનો બહુસાંખ્યક ધર્મ રહ્યો છે. કુલ વસ્તીના ૬૦.૯૩% લોકો આ ધર્મ પાળે છે. બૌદ્ધ ધર્મ એ સિક્કિમનો બીજો સૌથી બહુસંખ્યક ધર્મ છે. ૨૮.૧૦% લોકો આ ધર્મ પાળે છે. સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે. સિક્કિમના ખ્રિસ્તીઓ મૂળે લેપ્ચ લોકો છે જેમને બ્રિટિશ મિશનરીઓએ વટલાવ્યા હતા. વસતીનો ૬.૬૦% ભાગ ખ્રિસ્તી ધર્મ પાળે છે. અન્ય અલ્પ સંખ્યકોમાં બિહારી મુસલમાનો અને જૈન લોકોનો સમાવેશ થાય છે, જેમની વસતી લગભગ ૧% જેટલી છે. વસતીનો સિવાયનો ભાગ સિક્કિમના સ્થાનિક લોકોનો છે તેઓ પારંપારિક ધર્મ પાળે છે. ૧૯૭૦માં સિક્કિમના ભારત સાથેના વિલિનીકરણ સમયે લેપ્ચા અને નેપાળી લોકોમાં તણાવ વધી ગયો હતો, તે સિવાય ભારતના અન્ય રાજ્યોની જેમ કોઈ મોટા સ્થાનીય રમખાણો અહીં થયા નથી."Census and You – Religion". Census India. Retrieved 20 October 2012. લેપ્ચા લોકોનો પારંપારિક ધર્મ મુમ તરીકે ઓળખાય છે. આ ધર્મ સર્વાત્મવાદમાં માને છે. ભાષાઓ સિક્કિમમાં પ્રમુખ સ્વરૂપે નેપાળી ભાષા બોલાય છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. ભારતીય અંગ્રેજી અને હિંદી ભાષા પણ સમગ્ર સિક્કિમમાં લોકો સમજે છે. અન્ય ભાષાઓ જેમ કે ડ્ઝોંગા, ગ્રોમા, ગુરુંગ, લિંબુ, મગર, માઝી, મઝવાર, નેવારી, રાઈ, શેરપા, સુનવાર, તમાંગ, થુલુંગ, તિબેટી નએ યંકા જેવી ભાષાઓ પણ અહીં બોલાય છે. સંસ્કૃતિ thumb| લાચુંગમાં લોસાર નામના બૌદ્ધ તહેવાર દરમ્યાન કરવામાં આવતું "ગુમ્પા નૃત્ય" સિક્કિમમાં બહુ સંખ્યક લોકો દિવાળી અને દશેરા જેવા તહેવાર ઉજવે છે. પારંપારિક સ્થાનીય તહેવારો જેમકે માઘે સંક્રાંતી અને ભીમસેન પૂજા પણ અહીં પ્રખ્યાત છે. લોસાર, લુસોન્ગ, સાગા દવા, લ્હાબાબ દ્યુચેન, દ્રુપ્કા તેશી અને ભુમચુ જેવા બૌદ્ધ તહેવારો સિક્કિમમાં ઉજવાય છે. લોસાર(તિબેટી નૂતન વર્ષ) નામના તહેવાર દરમ્યાન શાળાઓ અને કાર્યાલયો એક અઠવાડીયાની રજા રાખે છે. સિક્કિમના મુસલમાનો ઈદ-ઉલ-ફિત્ર અને મહોરમ જેવા તહેવારો મનાવે છે. ઑફ સિઝનના સમયે પ્રવાસીઓને આકર્ષવા અહીં નાતાલ ઉજવવાને પ્રોત્સાહન અપાય છે. પશ્ચિમિ રૉક સંગીત અને ભારતીય પૉપ સંગીતનો ઘણો મોટો વર્ગ સિક્કિમમાં છે. નેપાળી રૉક સંગીત અને લેપ્ચા સંગીત પણ પ્રસિદ્ધ છે. ફૂટબોલ અને ક્રિકેટ સિક્કિમની લોકપ્રિય રમતો છે. પ્રવાસનના ભાગ તરીકે હેન્ડ ગ્લાઈડિંગ અને રીવર રાફ્ટીંગ પણ લોકપ્રિય બન્યા છે. ખાન-પાન સિક્કિમમાં સામાન્ય રીતે નૂડલ્સ આધારીત વાનગીઓ જેમકેે ઠુપ્કા, ચાઉમીન, થાન્થુક,ગ્યાથુક અને વોન્ટોન પ્રચલિત છે. મોમો નામનું તાજું ફરસાણ અહીં લોકપ્રિય છે. આ એક પ્રકારની ભરેલી વાનગી છે જેમાં શાકભાજી, સ્થાનીય ભેંસનું માંસ કે પોર્ક (ડુક્કરનું માંસ) ભરાય છે અને તેને સૂપ સાથે પીરસવામાં આવે છે. સિક્કિમમાં બીયર, રમ, વ્હીસ્કી અને બ્રાંડી છૂટથી પીવાય છે, તે સિવાય અહીં બાજરામાંથી બનતો ટોંગબા નામનો સ્થાનીય દારૂ પણ લોકપ્રિય છે. દારૂના પ્રતિ વ્યક્તિ સેવનમાં પંજાબ અને હરિયાણા પછી સિક્કિમ ત્રીજા ક્રમાંકે આવે છે. સમાચાર માધ્યમો thumb|upright|દ્રો-દુલ ચોર્ટન સ્તૂપ, ગંગટોક દક્ષિણ સિક્કિમમાં અંગ્રેજી, હિંદી અને નેપાળી વર્તમાન પત્રો મળે છે. નેપાળી અને અંગ્રેજી વર્તમાનપત્રો સિક્કિમમાં સ્થાનીય રીતે પ્રસિદ્ધ થાય છે. હિંદી અને અંગ્રેજી વર્તમાન પત્રો સિલીગુડીમાંથી આવે છે. "જમારો પ્રજાશક્તિ" (નેપાળી વર્તમાન પત્ર), હિમાલયન મિરર, સિક્કિમ એક્સપ્રેસ સિક્કિમ નાઉ (અંગ્રેજી વર્તમાનપત્ર) સમય દૈનિક તથા કાંચનજંઘા ટાઇમ્સ અને પ્રજ્ઞા ખબર (નેપાળી સાપ્તાહિક) અને હીમાલીબેલા એ સિક્કિમના જાણીતા પ્રકાશનો છે. આ સિવાય રાષ્ટ્રીય છાપા જેમ કે ધ સ્ટેટ્સ મેન, ધ ટેલિગ્રાફ, ધ હિંદુ, ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, હિમાલય દર્પણની સ્થાનીય આવૃત્તિઓ પણ અહીં આવે છે. સિક્કિમ હેરાલ્ડ એ અહીંની રાજ્ય સરકારનું સાપ્તાહિક છે. હિમગિરી એ નેપાળી અને અંગ્રેજીમાં હાલખબર એ ઓનલાઈન વર્તમાનપત્રો છે. આ સિવાય તિસ્તારંગીત, અવ્યક્ત, બિલોકન, જર્નલ ઑફ હીલ રીસર્ચ, ખબેર કાગઝ અને સિક્કિમ સાયંસ સોસાયટી ન્યૂઝ લેટર એ અન્ય પ્રકાશનો છે. If one types Sikkim in the input box and submits, the list is displayed. સિક્કિમના શહેરોમાં ઇન્ટરનેટ કૅફે જોવા મળે છે. જોકે, બ્રોડબેન્ડ સુવિધા વધુ પ્રચલિત નથી. મોટા ભાગના ક્ષેત્રોમાં ડીશ એન્ટેના દ્વારા સેટેલાઈટ ટેલિવિઝન માણી શકાય છે. ભારતમાં અન્ય ક્ષેત્રોમાં બતાવાતી ચેનલો અહીં પણ જોઈ શકાય છે. વધારામાં અહીં નેપાળી ભાષાની ચેનલો પણ જોવાય છે. ડીશ ટીવી, દૂરદર્શન અને નાયુમા એ મુખ્ય સેવા પૂરી પાડનાર કંપનીઓ છે. શિક્ષણ સિક્કિમમાં પ્રૌઢ સાક્ષરતાનો દર ૬૯.૬૮% છે. જેમાં ૭૬.૭૩% પુરુષો અને ૬૧.૪૬% સ્ત્રીઓ સાક્ષર છે. સિક્કિમમાં ૧૧૫૭ શાળાઓ છે જેમાં ૭૬૫ રાજ્ય સંચાલિત, ૭ કેન્દ્ર સંચાલિત અને ૩૮૫ ખાનગી શાળાઓ છે. સિક્કિમમાં ૧૨ કૉલેજો આવેલી છે. સિક્કિમ મણીપાલ વિદ્યાપીઠ એ સિક્કિમની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે જે અભિયાંત્રિકી(એન્જિનિયરીંગ), વૈદકીય અને વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) જેવા ક્ષેત્રોમાં શૈક્ષણિક સેવા આપે છે. રાજ્ય સરકાર સંચાલિત બે પોલીટૅક્નીક શાળાઓ છે જે વિવિધ એન્જિનિયરીંગમાં પદવી (ડિપ્લોમા) પ્રદાન કરે છે. આ પોલીટેક્નીક છે એડવાન્સસ ટેકનિકલ ટ્રેઈનિંગ ઇન્સ્ટીટ્યુટ (ATTC) અને બીજી છે સેંટર ફોર કોમ્પ્યુટર ઍન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (CCCT). (ATTC) એ બારદંગ, સિંગતમમાં આવેલી છે જ્યારે CCCT ચીસોપાની, નામ્ચીમાં આવેલી છે. ૨૦૦૮માં યાંગાંગમાં સિક્કિમ વિશ્વવિદ્યાપીઠ શરૂ કરવામાં આવી છે. સંદર્ભ બાહ્ય કડીઓ "Buddhist Monasteries of Sikkim" . Sikkim.nic.in. શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:ઉમદા લેખ
પશ્ચિમ બંગાળ
https://gu.wikipedia.org/wiki/પશ્ચિમ_બંગાળ
પશ્ચિમ બંગાળ () ભારત દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તે ભારતની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય છે અને ૯ કરોડ થી વધુ રહેવાસીઓ તેમાં રહે છે. તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી (૩૪૨૬૭ ચો.માઈલ) છે. વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભાગ, બાંગ્લાદેશ તેની પૂર્વમાં છે અને ઉત્તરમાં નેપાળ અને ભૂટાન; તે પાંચ ભારતીય રાજ્યોની સાથે સરહદો વહેંચે છે: ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કીમ અને આસામ. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ભૌગોલિક દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ હિમાલયન પર્વતીય પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણાકાર પ્રદેશ, રારહ પ્રદેશ અને દરિયાઇ સુંદરવનનો સમાવેશ થાય છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે. મુખ્ય વંશીય જૂથ બંગાળીઓ છે, જેમાં બંગાળી હિન્દુઓ વસ્તી વિષયક બહુમતી ધરાવે છે. પ્રાચીન બંગાળમાં અનેક મુખ્ય જનપદાસની જગ્યા હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં, આ પ્રદેશ સમ્રાટ અશોક દ્વારા જીત્યો હતો. આઠમી સદીના મધ્યભાગમાં બંગાળ માં પાલવંશનું શાસન હતું.ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, તે ગુપ્ત સામ્રાજ્યમાં સમાઈ ગયો હતો. ૧૩મી સદીથી, ૧૮ મી સદીમાં બ્રિટિશ શાસનની શરૂઆત સુધી આ ક્ષેત્ર પર અનેક સુલ્તાન, શક્તિશાળી હિંદુ રાજ્યો અને જમીનદારોનુ શાસન હતુ. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધના પગલે પ્રદેશ પર તેમની પકડ મજબૂત કરી, અને કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું હતુ. બ્રિટિશ વહીવટીતંત્રના પ્રારંભિક અને લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી પશ્ચિમી શિક્ષણનું વિસ્તરણ થયું, વિજ્ઞાનમાં વિકાસ, સંસ્થાકીય શિક્ષણ, અને આ પ્રદેશમાં સમાજ સુધારણામાં પરિણમ્યું, જે બંગાળી પુન:જીવન તરીકે જાણીતુ બન્યુ હતુ. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળનુ એક મુખ્ય સ્થળ હતુ, બંગાળને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ધાર્મિક રેખાઓ પર વિભાજીત કરવામાં આવ્યુ હતું, પશ્ચિમ બંગાળ - ભારતનું એક રાજ્ય અને પૂર્વ બંગાળ - નવા બનેલા રાષ્ટ્રનું એક ભાગ પાકિસ્તાન કે જે પછી બાંગ્લાદેશ બન્યુ. ૧૯૭૭ અને ૨૦૧૧ ની વચ્ચે, વિશ્વની સૌથી લાંબી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર દ્વારા રાજ્યનું સંચાલન કરવામાં આવ્યું હતું. મુખ્ય કૃષિ ઉત્પાદક, ભારતની ચોખ્ખી સ્થાનિક ઉત્પાદનમાં યોગદાનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ છઠ્ઠા ક્રમે છે. રાજ્યનો સાંસ્કૃતિક વારસો, વિવિધ લોક પરંપરાઓ ઉપરાંત, નોબેલ પારિતોષક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર તેમજ સંગીતકારો, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સહિત સાહિત્યમાં નોંધપાત્ર લેખકોનો સમાવેશ થાય છે. કોલકાતાને "ભારતની સાંસ્કૃતિક રાજધાની" તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્પત્તિશાસ્ત્ર બંગાળ નામની ઉત્પત્તિ (બંગાળીમાં બાંગ્લા અને બાંગો) એ જાણમાં નથી. એક સિદ્ધાંત સૂચવે છે કે શબ્દ "બેંગ" પરથી આવ્યો છે, દ્રવીડીયન આદિજાતિ જે આશરે ઇ.સ. પૂર્વે ૧૦૦૦માં વિસ્તાર સ્થાયી થયેલ છે. બંગાળી શબ્દ બૉંગો વાંગ (અથવા બાંગા) ના પ્રાચીન સામ્રાજ્યમાંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે. જોકે કેટલાક પ્રારંભિક સંસ્કૃત સાહિત્યમાં વાંગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ પ્રદેશનો પ્રારંભિક ઇતિહાસ અસ્પષ્ટ છે. ભારતીય ઉપખંડ પર બ્રિટીશ શાસનના અંતમાં, બંગાળ પ્રદેશને ૧૯૪૭ માં ધાર્મિક રેખાઓ ના આધાર પર પૂર્વ અને પશ્ચિમમાં વિભાજિત કરવામાં આવ્યું હતુ.પૂર્વીય ભાગને પૂર્વ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે, અને પશ્ચિમ ભાગ પશ્ચિમ બંગાળ તરીકે જાણીતો બન્યો, જે એક ભારતીય રાજ્ય તરીકે ચાલુ રહ્યો. ૨૦૧૧ માં પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યના સત્તાવાર નામમાં પોશ્ચિમબોન્ગોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી હતી. આ રાજ્યનું મૂળ નામ છે, જે મૂળ બંગાળી ભાષામાં પશ્ચિમ બંગાળનો શાબ્દિક અર્થ છે. ઓગસ્ટ ૨૦૧૬ માં, પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પશ્ચિમ બંગાળના નામને અંગ્રેજી માં "બેંગાલ", હિન્દીમાં "બંગાળ", અને બંગાળીમાં "બાંગ્લા" બદલવાનો એક બીજો ઠરાવ પસાર કર્યો. નામ પરિવર્તનના ઠરાવ અંગે સર્વસંમતિ ઉભી કરવા તૃણમૂલ કોંગ્રેસ સરકારના મજબૂત પ્રયાસો છતાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ડાબેરી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો. જો કે, તે હવે ભારતીય સંસદની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. જિલ્લાઓ right|thumb|પશ્ચિમ બંગાળના જિલ્લાઓ પશ્ચિમ બંગાળ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લો દક્ષિણ ૨૪ પરગણા જિલ્લો ઉત્તર દિનાજપુર જિલ્લો દક્ષિણ દિનાજપુર જિલ્લો કૂચબિહાર જિલ્લો કોલકોતા જિલ્લો જલપાઈગુડી જિલ્લો દાર્જિલિંગ જિલ્લો નાદિયા જિલ્લો પશ્ચિમ મેદિનીપુર જિલ્લો પુરુલિયા જિલ્લો પૂર્વ મેદિનીપુર જિલ્લો બાંકુડા જિલ્લો બીરભૂમ જિલ્લો માલદહ જિલ્લો મુર્શિદાબાદ જિલ્લો વર્ધમાન જિલ્લો હાવડા જિલ્લો હુગલી જિલ્લો સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
પશ્ચિમ બંગાલ
https://gu.wikipedia.org/wiki/પશ્ચિમ_બંગાલ
REDIRECT પશ્ચિમ બંગાળ
પંજાબ, ભારત
https://gu.wikipedia.org/wiki/પંજાબ,_ભારત
alt=|right|228x228px thumb|પંજાબની રચના પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ" (પાંચ) અને "આબ" (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં ઘઉં, શેરડી તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા પંજાબી છે. પંજાબ રાજ્યના જિલ્લાઓ right|400x400px પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે. અમૃતસર જિલ્લો કપૂરથલા જિલ્લો ગુરદાસપુર જિલ્લો જલંધર જિલ્લો તરન તારન સાહિબ જિલ્લો નવા શહર જિલ્લો પટિયાલા જિલ્લો પઠાણકોટ જિલ્લો ફતેહગઢ સાહિબ જિલ્લો ફરીદકોટ જિલ્લો ફિરોઝપુર જિલ્લો બરનાલા જિલ્લો ભટિન્ડા જિલ્લો માનસા જિલ્લો મોગા જિલ્લો મોહાલી જિલ્લો મુક્તસર જિલ્લો રુપનગર જિલ્લો લુધિયાણા જિલ્લો સંગરુર જિલ્લો હોશિયારપુર જિલ્લો બાહ્ય કડીઓ પંજાબ રાજ્ય વિશે સામાન્ય જાણકારી પંજાબ રાજ્ય સરકારનું અધિકૃત વેબસાઇટ પંજાબનો ઇતિહાસ પંજાબ: ચિત્રદર્શન શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
હરિયાણા
https://gu.wikipedia.org/wiki/હરિયાણા
હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે જે હરિયાણા રાજ્યની સીમાની બહાર આવેલું છે, તેમ જ પંજાબ રાજ્યનું પાટનગર પણ છે. મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે. હરિયાણા રાજ્યના જિલ્લાઓ 400px|right|હરિયાણા રાજ્યના જિલ્લાઓ અંબાલા વિભાગ અંબાલા જિલ્લો કૈથલ જિલ્લો કુરુક્ષેત્ર જિલ્લો પંચકુલા જિલ્લો યમુનાનગર જિલ્લો ગુsગાંવ વિભાગ ફરીદાબાદ જિલ્લો ગુરગાંવ જિલ્લો મહેન્દ્રગઢ જિલ્લો મેવાત જિલ્લો રેવારી જિલ્લો પલવલ જિલ્લો હિસાર વિભાગ ભિવાની જિલ્લો ફતેહાબાદ જિલ્લો હિસાર જિલ્લો જિન્દ જિલ્લો સિરસા જિલ્લો રોહતક વિભાગ ઝાજ્જર જિલ્લો કરનાલ જિલ્લો પાનીપત જિલ્લો રોહતક જિલ્લો સોનીપત જિલ્લો સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
હિમાચલ પ્રદેશ
https://gu.wikipedia.org/wiki/હિમાચલ_પ્રદેશ
thumbnail|right|હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ( ) એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ , જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે. હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. માથાદીઠ આવકમાં હિમાચલ ભારતના રાજ્યોમાં ચોથા ક્રમાંકે આવે છે. મોટા પ્રમાણમાં વહેતી બારમાસી નદીઓને કારાણે હિમાચલ પ્રદેશમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં જળવિદ્યુત ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત શક્તિને દિલ્હી, પંજાબ અને રાજસ્થાનને વેચવામાં આવે છે. હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા જળવિદ્યુત, પ્રવાસન અને ખેતી આધારીત છે. હિમાચલ પ્રદેશ એ સૌથી ઓછું શહેરી કરણ પામેલું રાજ્ય છે, અહીંની ૯૦% વસ્તી ગામડામાં રહે છે. જો કે શિમલા જિલ્લામાં ૨૫% વસ્તી શહેરી ક્ષેત્રમાં રહે છે. ૨૦૦૫ના ટ્રાન્સપરેન્સી ઈંટરનેશનલન સર્વેક્ષણ પ્રમાણે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતું કેરળ પછી હિમાચલ પ્રદેશ બીજી ક્રમાંકે આવતું રાજ્ય છે. ઈતિહાસ હિમાચલ પ્રદેશ ક્ષેત્રનો ઇતિહાસ ઈ.પૂ. ૨૨૫૦ થી ૧૭૫૦ સુધીના સિંધુ ખીણ સંસ્કૃતિ કાળ જેટલો પુરાતન છે. પ્રાગૈતિહાસિક કાળથી અહીં કોઈલી, હાલી, ડાગી, ધૌગ્રી, દસા ખાસસ અને કિરાત જેવી જાતિઓ વસવાટ કરતી હતી. વેદિક કાળમાં જનપદ તરીકે ઓળખાતા નાના રાજ્યો અહીં અસ્તિત્વમાં હતાં જેને પાછળથી ગુપ્ત રાજાઓએ જીતી લીધા. રાજ હર્ષવર્ધન હેઠળના અલ્પ શાસન પછી ફરીથી આ ક્ષેત્ર નાના રજવાડામાં વહેંચાયું જેમાં અમુક રજપૂતી રાજ્ય પણ હતાં. આ નાના રાજ્યો ઘણી હદ સુધી સ્વાતંત્ર ભોગવતાં અને દીલ્હીના સુલતાન દ્વારા તેમની પર ઘણી ચડાઈઓ કરવામાં આવી હતી. ૧૦મી સદીની શરૂઆતમાં મહંમદ ગઝની એ કાંગડા જીતી લીધું હતું. તૈમુર અને સિકંદર લોધીએ પણ આ ક્ષેત્રના તળેટી ભાગ પર ચડાઈ કરી ઘણાં કિલ્લા જીત્યા હતા. . અમુક રાજ્યોએ મોગલોનું આધિપત્ય સ્વીકારી તેમનું ખંડીયાપણું માન્ય કર્યું હતું. thumb|left|સંસારચંદ (૧૭૬૫-૧૮૨૩) ૧૭૬૮માં નેપાળની સત્તા લડાયક ટોળી - ગોરખાઓના હાથમાં આવી. તેમણે પોતાનું સૈન્ય પ્રબળ કર્યું અને તેમના રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો. ધીરે ધીરે તેમણે શિરમોર અને શિમલા જીતી લીધાં. અમરસિંહ થાપાના નેતૃત્વ હેઠળ ગોરખાઓએ કાંગડાને ઘેરો ઘાલ્યો. સ્થાનીય સરદારોની સહાયતા વડે તેમણે ૧૮૦૬માં સંસારચંદ કટોચને હરાવ્યો. પરંતુ ૧૮૦૯માં મહારાજ રણજીત સિંહની સત્તા હેઠળ કાંગડા કિલ્લાને તેઓ જીતી ન શક્યા. આ હાર પછી ગોરખાઓએ રાજ્યના દક્ષિણી ભાગ પર સામ્રાજ્ય વિસ્તાર શરૂ કર્યો. આને કારણે તરાઈ ક્ષેત્રમાં તેઓ બ્રિટિશ સત્તા સામે સીધા સંઘર્ષમાં ઉતર્યા. ત્યાં બ્રિટિશ સૈન્યએ તેમને સતલજ ક્ષેત્રમાંથી ખદેડી કાઢ્યા. સમય જતાં બ્રિટિશ સત્તા સર્વોપરી સત્તા તરીકે ઉભરાઈ આવી. ૧૮૪૬ના સમયના પ્રથમ શીખ-અંગ્રેજ યુદ્ધ દરમ્યાન લાહોર દરબાર હેઠળના બચેલ ક્ષેત્રમાંથી રાજા રામ સિંહે સીબાનો કિલ્લો પાછો જીતી લીધો. બ્રિટિશ સત્તા સામે ના અસંતોષાને કારણે થયેલા ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ય સંગ્રામ સમયે હિમાચલ પ્રદેશના લોકો રાજનૈતિક રીતે અન્ય રાજ્યોના લોકો જેટલા સક્રીય ન હતા. બુશરના રાજા ના અપવાદ સિવાય આ ક્ષેત્રના સર્વ રાજ રજવાડાં નિષ્ક્રિય રહ્યાં હતાં. ચંબા, બિલાશપુર, ભાગલ અને ધામી જેવા રજવાડાઓએ તો આ સંગ્રામમાં બ્રિટિશ સત્તાને મદદ કરી હતી. thumb|પથ્થરમાંથી કોતરી કાઢેલું મંદિર, મસરૂર ૧૮૫૮ના રાણીના ઢંઢેરા પછી બ્રિટિશ વસાહતો હવે બ્રિટિશ રાજસત્તાના આધિપત્ય હેઠળ આવી. બ્રિટિશ સાશન દરમ્યાન ચમ્બા, વિલાશપુર અને મંડીના રાજ્યો એ ઘણો વિકાસ કર્યો. પ્રથમ વિશ્વ વિગ્રહ સમયે આ પર્વતીય રાજના દરેક રજવાડાઓ બ્રિટિશ સત્તાને વફાદાર રહ્યા અને તેમણે બ્રિટિશ રાજ ને માનવ અને વસ્તુઓ જેવી જરૂરિયાતો પૂરી પાડી. સ્વતંત્રતા પછી ૧૯૪૮માં હિમાચલ પ્રદેશ ( વ્યવસ્થાપન) કાયદો, ૧૯૪૮ ના અનુચ્છેદ ૩ અને ૪ હેઠળ પશ્ચિમી હિમાલયના ૨૮ રજવાડા જમીનદારો અને દક્ષિણ પંજાબ હિલ સ્ટેટના ૪ રાજ્યો ભેળવીને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ચીફ કમીશનર હિમાચલ પ્રદેશ પ્રાંતની રચના કરવામાં આવી. ૧ એપ્રિલ ૧૯૫૪ના દિવસે બિલાસપુર રાજ્યને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિમાચલ પ્રદેશને ક્લાસ સી સ્ટેટનો દરજ્જો મળ્યો. અહીંની વિધાન સભાની ચૂંટણી ૧૯૫૨માં થઈ. ૧ નવેંબર ૧૯૫૬ના દિવસે હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. ૧૯૬૬માં ભારતીય સંસદે પંજાબ પુનઃગોઠવણી ના કાયદો પારિત કર્યો આને કારણે સિમલા, કાંગડા, લાહુલ જેવા પૂર્ન ક્ષેત્રો અને અંબાલા જીલ્લાનો નાલગઢ ક્ષેત્ર, અંબ, લોહરા, ઉનાકાનુંગો જીલ્લો, સંતોખગઢકાનુંગોનો અમુક ક્ષેત્ર હોશિયાર પુર જીલ્લાનો અમુક ક્ષેત્ર, ધાર કાલન કાનુંગો આદિને હિમાચલ પ્રદેશ સાથે ભેળવી દેવામાં આવ્યા. ૧૮ ડિસેંબર ૧૯૭૦ના દિવસે હિમાચલ પ્રદેશ કાયદો પારિત કરી ૨૫ જાન્યુઆરી ૧૯૭૧ ના દિવસે હિમચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. ભૂગોળ અને આબોહવા thumb|કી ગોમ્પા અને પૃસ્ઠભૂમીમાં વહેતી સ્પીતી નદી. thumb|ખજીઆરનું દ્રશ્ય - ઉનાળો upright|thumb|એશિયાઈ પેરેડાઈસ ફ્લાયકેચર - કુલુ thumb|શિમલાના પક્ષી ઉદ્યાનમાં હિમાલયન મોનલ હિમાચલ પ્રદેશ એ પશ્ચિમી હિમાલયમાં વસેલું એક પર્વતીય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ જેટલું છે. હિમ નદીઓ અને નદીઓ હિમાચલ પ્રદેશની પ્રાકૃતિક નિતારણ વ્યવસ્થા બનાવે છે. અહીંની નદીઓ સમગ્ર પર્વત માળાઓમાંથી તાણાવાણ સ્વરૂપે વહે છે. ગંગા અને સિંધુ આ બન્ને નદીના ખીણ પ્રદેશને પાણી પુરવઠો આપે છે. ચંદ્રભાગા કે ચેનાબ, રાવી, બિયાસ, સતલજ અને યમુના નદી મળીને અહીંની જલનિતારણ બનાવે છે. આ નદીઓમાં આખું વરસ પાણી રહે છે અને વરસાદ તથા બરફ પીગળવાથી તેમાં પાણીની પુરવઠો કાયમ રહે છે. હિમાચલ પ્રદેશમાં ભૂપૃષ્ઠની ઊંચાઈમાં ઘણો મોટો તફાવત હોવાથી અહીં વિવિધ સ્થળોની આબોહવા પણ વિવિધ પ્રકારની છે. દક્ષિણ તરફના પ્રદેશમાં સમષીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણ હોય છે. ઉત્તર અને પૂર્વ તરફના ક્ષેત્રો વધુ ઉંચાઈએ આવેલા હોવાથી અહીં ઠંડુ, શંકુદ્રુમ અને બરફીલું હવામાન જોવા મળે છે. આ પ્રદેશમાં ધર્મશાલા જેવા ક્ષેત્રો છે જે ખૂબ વર્ષા ધરાવે છે અને તેથી વિપરિત લાહૌલ અને સ્પીતી જેવા ક્ષેત્રો પણ છે કે જે અત્યંત ઠંડા અને વર્ષા રહિત છે. મોટાભાગે હિમાચલ પ્રદેશમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. ઉનાળો મધ્ય એપ્રિલ થી શરૂ થઈ જૂનના અંત સુધી રહે છે. શંકુદ્રુમ ક્ષેત્રો સિવાયના દરેક ક્ષેત્રો ખૂબ ગરમી અનુભવે છે. ઉનાળામાં અહીંનું સરાસરી તાપમાન જેટલું હોય છે. નવેંબરથી માર્ચ મહિના દરમ્યાન અહીં શિયાળો હોય છે. શંકુદ્રુમ ક્ષેત્રોમાં (સામાન્ય રીતે થી વધુ ઉંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં, એટલેકે ઉચ્ચ અને ટ્રાંસ-હિમાયલયન ક્ષેત્રોમાં). હિમવર્ષા પણ થાય છે. હિમાચલ પ્રદેશ રાજ્યના જિલ્લાઓ આ રાજ્યમાં કુલ ૧૨ જિલ્લાઓ આવેલા છે. કાંગડા જિલ્લો હમીરપુર જિલ્લો મંડી જિલ્લો બિલાસપુર જિલ્લો ઉના જિલ્લો ચંબા જિલ્લો લાહૌલ અને સ્પીતી જિલ્લો સિરમૌર જિલ્લો કિન્નોર જિલ્લો કુલ્લૂ જિલ્લો સોલન જિલ્લો શિમલા જિલ્લો શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. શિમલા એ પહેલાં ભારતના બ્રિટિશ રાજની ઉનાળુ રાજધાની હતી. જિલ્લોએ રાજ્યનું એક પ્રશાસનિક ક્ષેત્ર છે. જિલ્લાના પ્રમુખ અધિકારી ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય છે. આ અધિકારી ભારતીય પ્રશાસનિક સેવા (IAS)નો અધિકારી હોય છે. ડૅપ્યુટી કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટના હાથ નીચે હિમાચલ પ્રશાસનિક સેવા કે હિમાચલની અન્ય રાજ સેવાના અન્ય અધિકારીઓ કાર્યરત્ હોય છે. દરેક જિલ્લાને પેટા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે જેના વડા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય છે. સબ ડિવિઝનને બ્લોકમાં વિભાજીત કરાય છે. બ્લોકમાં વિવિધ પંચાયતો અને નગર પાલિકાઓ હોય છે. કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ભારતીય પોલીસ સેવાના અધિકારી સંભાળે છે. તેમની નીચે હિમાચલ પોલીસ સેવાના અધિકારીઓ હોય છે. પ્રાણી અને વન્ય સંપત્તિ ૨૦૦૩ના ભારતીય વન સર્વેક્ષણ અનુસાર હિમાચલ પ્રદેશની ૬૬.૫૨% જમીન પર કાયદાકિય રીતે વ્યાખ્યાયીત જંગલો છે. જો કે વૃક્ષાચ્છાદિત ક્ષેત્ર માત્ર ૨૫.૭૮% છે. જમીનની ઉંચાઈ અને વરસાદને આધારે અહીં હરિયાળીની વિવિધતા જોવા મળે છે. હિમાચલ પ્રદેશનો દક્ષીણી ભાગ ઓછી ઉંચાઈએ આવેલો છે. અહીં ઉષ્ણ કટિબંધના અને સમષીતોષ્ણ કટિબંધના શુષ્ક તેમજ આર્દ્ર પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનો જોવા મળે છે. હરિયાણાની ઉત્તર પ્રદેશ સાથેની સીમાના ક્ષેત્રોમાં વાયવ્યના કાંટાળા છોડવાનાં જંગલો છે જે શુષ્ક પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના વનના ઉદાહરણ છે જ્યારે અગ્નિ દિશામાં ગંગાના ઉપરવાસના મેદાનોમાં આર્દ્ર પાનખરના જંગલો આવેલાં છે. અહીં સાલ અને સીસમનાં વૃક્ષો જોવા મળે છે. જેમ જેમ ભૂપૃષ્ઠની ઉંચાઈ વધતી જાય છે તેમ તેમ વિવિધ પ્રકારના જંગલો જોવા મળે છે જેમ કે પશ્ચિમ હિમાલયન પહોળા પાન ધરાવતા વૃક્ષોના જંગલો, હિમાલયન સમશિતોષ્ણ શંકુદ્રુમ જંગલો વગેરે. પહોળા પાંદડાવાળા વૃક્ષો ધરાવતા જંગલોમાં સદાહરિત ઓકના વૃક્ષો જોવા મળે છે જ્યારે પાઈનના જંગલોમાં ચીર પાઈન પ્રમુખ પણે જોવા મળે છે. વૃક્ષાંત-રેખાની બાજુએ પશ્ચિમ હિમાલયન ઉપ-અલ્પાઈન શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. જેમાં પૂર્વી હિમાલયન ફર, પશ્ચિમી હિમાલયન સ્પ્રુસ, દેવદાર અને ભૂરા પાઈનના વૃક્ષો જોવા મળે છે મહત્તમ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં ઈશાન દિશામાં પશ્ચિમ હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો અને વાયવ્ય ક્ષેત્રોમાં વાયવ્યી હિમાલયન આલ્પાઈન ઝાંખરા અને ઘાસના મેદાનો જોવામળે છે. અહીંના વૃક્ષો ખૂજ મજબૂત હોય છે. તેમના મૂળનો વિસ્તાર ઘણો મોટો હોય છે. એલ્ડર, બર્ચ, ર્‌હોડેનડ્રોન અને આર્દ્ર આલ્પાઅન ઝાંખરા અહીંની સ્થાનીય વનસ્પતિ છે. માર્ચથી મેના કાળ દરમ્યાન શિમલા તરફ ટેકરીઓના ઢોળાવ પર ર્‌હોડેનડ્રોન જોવા મળે છે. ઝાંખર ભૂમિ અને ઘાસના મેદાનો બાદ વધુ ઉંચાઈએ ખડકાળ અને હિમ્ચ્છાદિત ટેકરીઓ શરૂ થાય છે. હિમાચલ ક્ષેત્રને દેશની ફળોની ટોપલી કહેવામાં આવે છે. અહીં ઘણા મોટા પ્રમાણમાં ફળોના બગીચા આવેલાં છે. ટૅકરીના ઢોળાવ પર ઘાસના મેદાનો અને ગોચર જમીન જોવા મળે છે. શિયાળા પછી ફળોના બગીચા અને ટેકરીઓના ઢોળાવ પરના વૃક્ષો પર ફુલો ખીલી નીકળે છે. અહીં ગુલાબ, ચ્રીસેન્થેમમ, તુલીપ અને લીલીની ખેતી પણ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશને વિશ્વની ફુલછાબ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં પક્ષીઓની ૧૨૦૦ અને પ્રાણીઓની ૩૫૯ પ્રજાતિઓ મળી આવે છે. તેમાં દીપડો, હિમ દીપડો (રાજ પ્રાણી), ઘોરલ, કસ્તુરી મૃગ અને પશ્ચિમી ટ્રગોપન નો સમાવેશ થાય છે. અહીં ૨ મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયાર્ણ્યો આવેલા છે. કુલુ જિલ્લામાં ધ ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જેની રચના હિમાલયની મુખ્ય વન્ય અને પ્રાણી સંપત્તિના સંવર્ધન માટે કરવમાં આવી હતી. હિમ ક્ષેત્રની વન્ય અને પ્રાની સૃષ્ટીના સંવર્ધન માટે પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે. સરકાર thumb|શિમલામાં ટાઉન હોલ હિમાચલ પ્રદેશની વિધાન સભાનો કોઈ સંવિધાનની રચના પહેલાનો કોઈ ઇતિહાસ નથી. આ રાજ્યની સ્થાપના જ સ્વાતંત્રય પ્રાપ્તિ પછી થઈ છે. આની સ્થાપના ૧૫ એપ્રિલ ૧૯૪૮ના દિવસે ૩૦ રજવાડાઓનું એકીકરણ કરીને, કેન્દ્રીય પ્રશાશનિક ક્ષેત્ર તરીકે કરવામાં આવી. હિમાચલ પ્રદેશમાં ભારતના અન્ય રાજ્યોની જેમ પ્રતિનિધિક સંસદીય લોકશાહી છે. અહીં સર્વ નાગરિકોને મતાધિકાર નો હક્ક હોય છે. લોકોદ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની વિધાન સભા હોય છે. આ સભ્યો પોતાનામાંથી એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર ચૂંટી કાઢે છે જેઓ વિધાન સભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે. હિમાચલ પ્રદેશનું ન્યાયતંત્ર હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય અને નીચલા ન્યાયાલયો મળીને બનેલું છે. રાજ્યના સંવૈધાનિક વડા રાજ્યપાલ હોય છે તેમના હક્કો નામ માત્રના હોય છે. ખરા કાર્યકારી અધિકાર મુખ્ય મંત્રી અને મંત્રી મંડળ ધરાવે છે. રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય વિધાનસભામઆં બહુમતી ધરાવતા પક્ષ કે યુતિ અથવા ગઠબંધનના નેતાને રાજ્યપાલ દ્વારા સરકાર રચવાનું આમંત્રન આપવામાં આવે છે. આ નેતા મુહ્ય મંત્રી બને છે અને તેમની સલાહ મુજબ રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. હિમાચલ પ્રદેશની વિધાન સભા એક ગૃહી હોય છે તેમાં ૬૮ વિદાન સભ્યો છે. વિધાન સભાની મુદ્દત ૫ વર્ષની હોય છે. કોઈ કારણસર સમય પહેલાં વિધાન સભા ભંગ કરવાના પ્રાવધાનો પણ સંવિધાનમાં છે. વહીવટના અન્ય ઘટકો જેવા કે પંચાયત, શહેરની નગર પાલિકા, જિલ્લા પરિષદ વગેરેની ચૂંટણીઓ પણ તેમના બંધારાણ અનુસાર નિયમીત થાય છે. ખેતી thumb|કુલુ ખીણમાંથી દેખાતા હિમાલયના શિખરો હિમાચલ પ્રદેશના સ્થાનીય ઉત્પાદનનો ૪૫% જેટલો ભાગ ખેત પેદાશોનો બનેલો છે. હિમાચલ પ્રદેશના લોકોની આવકનું તે મુખ્ય સ્રોત છે. આ રાજ્યના ૯૩% લોકોનો રોજગાર સીધી કે આડકતરી રીતે ખેતી આધારીત છે. હિમાચલ પ્રદેશમાં ખેતીની ખાસ કરીની ધાન્ય ખેતીની અમુક મર્યાદાઓ છે. પર્વતીય ક્ષેત હોવાને કારણે અહીં ખેતરો અમુક સીમાથી મોટા નથી હોતાં. ઢોળાવ પર ભરણી કરી ખેતરો નિર્માણ કરવાનું કામ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આથી હિમચલ પ્રદેશમાં ત્યાંની આબોહવા અનુસાર રોકડીયા પાકો ઉગાડી વધુ નફો મેળવાય છે. ઘઉં, મકાઈ. ચોખા અને જવ એ હિમાચલ પ્રદેશમાં ઉગતું મુખ્ય અનાજ છે. મંડી, કાંગડા અને સિરમુર જિલ્લાના પાઓન્તાના ખીણ પ્રદેશામાં ઘઉં, મકાઈ અને ચોખા ઉગાડવામાં આવે છે. જ્યારે શિમલામાં જવનો પાક લેવાય છે. હિમાચલ પ્રદેશમાં અનાજનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઓછું થાય છે પણે અન્ય ખેતીમાં તે અગ્રેસર છે જેમકે બીજ બેટેટા, આદુ, શાકભાજી, શાકભાજીના બીજ, ખાધ્ય મશરૂમ, ચિકોરીના બીજ, જૈતૂન(ઓલિવ), હોપ્સ અને અંજીર વગેરે. બીજ બટેટા મુખ્યત્વે શિમલા, કુકુ અને લાહૌલ ક્ષેત્રમાં ઉગાડાય છે. અહીં ઓલિવ, અંજીર, હોપ્સ, મશરૂમ, ફુલો, પીસ્તા, ખરબુચ અને કેસરના વાવેતરને વિશેષ ઉત્તેજન અપાય છે. સોલન જિલ્લો શાકભાજીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. સિરમૌર જિલ્લામાં ફુલોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ફળોનું ઉત્પાદન પણ આ રાજ્ય માટે આર્થિક વરદાન સાબિત થયું છે. અહીં ફળોના ઉત્પાદન માટે યોગ્ય એવા વિશાલ ભૂમિખંડ આવેલાં છે. ફળોના ઉત્પાદનને લીધે ભૂમિનું વિદારન અટકે છે અને પારંપારિક ખેતી કરતાં તે વિશેષ પ્રમાણમાં આવકની તકો ઊભી કરે છે. અહીં આવક સંબંધે પ્રતિ એકર ઉત્પન્ન વધુ છે. સફરજની બાગાયતી ખેતી સૌથી વધુ ઉત્પાદન આપે છે. મધ્ય હિમાલયન જલ નિતારણ વિકાસ પરિયોજના જેવા જમીન સંચયની યોજનાઓ અહીં હાથ ધરાઈ છે. હિમાચલ પ્રદેશ જંગલીકરણ પ્રોજેક્ટ આ પરિયોજનાનો એક ભાગ છે. આવી પરિયોજનાને કારાણે ખેતીની ઉત્પાદન ક્ષમતા વધી છે પરિણામે ગામડાના લોકોની આવક વધી છે. અર્થવ્યવસ્થા ભારતના અન્ય ક્ષેતોની જેમ પંચવર્ષી યોજના આ ક્ષેત્રમાં પણ ૧૯૪૮માં ચાલુ થઈ. પ્રથમ પંચવર્ષી યોજનામાં ૫.૨૭ કરોડ રૂપિયાની હતી. તેમાંથી ૫૦% વધુ ભાગ રસ્તા બાંધકામ માટે વાપરવાનું પ્રાવધાન હતું. ભારતના રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં હિમાચલ પ્રદેશ ચોથે ક્રમે આવે છે. રાજ્યની સ્થાનીય આવકનો ૪૫% ભાગ ખેતી ક્ષેત્રમાંથી આવે છે. ખેતી એ આવક અને રોજગારનું મુખ્ય સ્રોત છે. હિમાલયના ૯૩% લોકોનો રોજગાર ખેતી આધારીત છે. ઘઉં, મકાઈ, ચોખા ને જવ એ અહીંનું મુખ્ય અનાજ છે. જળ વિદ્યુત પણ રાજ્યની આવકનો અન્ય સ્રોત છે. રાજ્યની પાંચ નદીઓની (યમુના, સતલજ, બિઆસ, રાવિ અને ચિનાબ) જળવિદ્યુત ક્ષમતા ૨૩૦૦૦.૪૩ મેગાવૉટ આંકવામાં આવી છે . રાષ્ટ્રીય જળ વિદ્યુત ક્ષમતાનો ૨૫% ભાગ હિમાચલ પ્રદેશમાં સમાયેલો છે. દરેક કુટુંબનું એક બેંક ખાતું એ લક્ષ્ય પ્રાપ્ત કરવા વાળો હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યો . પ્રવાસન હિમાચલ પ્રદેશમાં પ્રવાસન એ અર્થવ્યવસ્થા અને વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ કારક છે. અહીં વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ભુપૃષ્ઠ છે, જે વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. હિમાચલ પ્રદેશ અહીંના સાહસિક ખેલો માટે પણ જાણીતું છે જેમ કે બીર બિલિંગ અને સોલાંગ વેલી, કુલુમાં રાફ્ટીંગ, શિમલામાં આઈસ સ્કેટીંગ, બિલાસ પુરમં બોટિંગ અને અન્ય ખેલો જેવા કે પર્વતારોહણ, ઘોડે સવારી, સ્કીઈંગ, માછીમારી. વગેરે ફીલ્મના ચિત્રીકરણ માટે પણ આ રાજ્ય પ્રખ્યાત છે. હિન્દી ફિલ્મો જેવી કે રોજા, હીના, જબ વી મેટ, વીર ઝારા, યે જવાની હૈ દિવાની, હાઈ-વે વગેરેનું ચિત્રિકરણ હિમાચલમાં થયું છે. બહાદુરપુર કિલ્લો, ભાકરા બંધ, નૈના દેવી મંદિર, મણિમહેશ, ભૂરીસિંહ સંગ્રહાલય, ભરમાપુર, ખજીયાર, નાકો સરોવર, પ્રાશર સરોવર, તેવલસર, છોટી કાશી, મંડી, જોગીંદર નગર ખીણ, ડેલહાઉઝી, સુજાનપુર ટીરા, ધર્મશાલા, પાલમપુર, મસરુર ખડક મંદિર, કાંગડાનો કિલ્લો, કિનૌર, મણિકરન, મનાલી, કિબ્બર ગામ, કુંઝુમ ઘાટ, રોહતાંગ પાસ, સ્પીતિ, શિમલા, કસૌલી, ગોવિંદસાગર સરોવર આદિ અન્ય જોવાલાયક સ્થળો છે. લોકસંખ્યા thumb|પારંપારિક ઘર, મનાલી ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર હિમાચલ પ્રદેશની કુલ વસતી ૬૮,૫૬,૫૦૯ હતી. તેમાં ૩૪,૭૩,૮૯૨ પુરુષો અને ૩૩,૮૨,૬૧૭ સ્ત્રીઓ હતી. આ વસ્તી ભારતની વસ્તીના ૦.૫૭ % છે. વસ્તી વધારાનો દર ૧૨.૮૧% છે. અહીં ૮૩.૭૮% સાક્ષરતા છે અને સ્ત્રી પુરુષ પ્રમાણ ૯૭૪/૧૦૦૦ છે. વસતીના આધારે હિમાચલપ્રદેશ ભારતના રાજ્યોમાં ૨૧મા ક્રમાંકે આવે છે. હિમાચલ પ્રદેશામાં કાંગડા જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે. અહીં પ્રમુખ રૂપે રજપૂત, રાથી, બ્રાહ્મણો અને ઘીર્થ (ચૌધરી) લોકો રહે છે. અહીં તિબેટી લોકોની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. હિમાચલ પ્રદેશના લોકોની જીવન પ્રત્યાશા (૧૯૮૬-૧૯૯૦) ૬૨.૮ વર્ષ છે (જે ભારતીય સરાસરી ૫૭.૭ વર્ષ કરતાં વધુ છે). ૨૦૧૦માં શિશુ મૃત્યુ દર ૪૦ હતો. જન્મ દર ૧૯૭૧ ૩૭.૩ થી ઘટીને ૨૦૧૦માં ૧૬.૯ થયો છે. જે રાષ્ટ્રીય સરાસરી ૨૬.૫ (૧૯૯૮). મૃત્યુ દર ૨૦૧૦માં ૬.૯ છે. હિમાચલ પ્રદેશની સાક્ષરતાનો દર ૧૯૮૧થી ૨૦૦૧ની વચમાં ૩૪.૬૫% વધ્યો છે. ભાષા હિંદી એ હિમાચલ પ્રદેશની સત્તાવાર તથા પ્રચલિત ભાષા છે. જોકે મોટા ભાગના લોકો પહાડી ભાષા પણ બોલે છે. ધર્મ અહીં ૯૫% લોકો હિંદુ ધર્મ પાળે છે. બાકીનો ભાગ બૌદ્ધ અને શીખ ધર્મ પાળનારાઓનો છે. લાહૌલ અને સ્પિતી ક્ષેત્રના લહૌલી લોકો મુખ્યત્વે બુદ્ધ ધર્મ પાળે છે. શીખો મોટે ભાગે શહેરોમાં મળે છે અને વસતીનો ૧.૨૩% ભાગ ધરાવે છે. અહી મુસ્લીમોની વસ્તી ૧.૬૩% જેટલી છે. સંસ્કૃતિ thumb|કુલુનો દશેરા ઉત્સવ thumb|કિન્નૌરનું નાકો ગામ, હિમાચલ પ્રદેશ ભૌગોલિક રીતે દુર્ગમ હોવાને કારાણે હિમાચલ પ્રદેશ ઘણાં સમય સુધી બાહ્ય સાંસ્કૃતિક પ્રવાહોથી ભિન્ન રહ્યું. યાંત્રિકી વિકાસને કારણે હવે આ રાજ્યમાં ઝડપથી બદલાવ આવવા માંડ્યો છે. ભારતના અન્ય રાજ્યોની જેમ હિમાચલ પ્રદેશ પણ એક બહુ ભાષી બહુ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે. અહીંની હિંદી, પહાડી, ડોગરી, મંડીલી, કાંગરી અને કિનૌરી ભાષાઓ બોલાય છે. અહીં ખત્રી, બ્રાહ્મણ, ગુજ્જર, રજપૂત, ગડ્ડી, ગીર્થ, ચૌધરી, કાનેટ, રાઠી, કોલી સૂદ જેવી જાતિના લોકો વસે છે. તે સિવાય અહીં કિન્નર, પંગવાલ સુલેહરિયા અને લાહૌલી જેવી જનજાતિઓ પણ વસે છે. હિમાચલ પ્રદેશ તેની હસ્તકળાઓ માટે જાણીતો છે. કાલીન, ચામડાની વસ્તુઓ, શાલ, ધાતુકામ, લાકડાની વસ્તુઓ અને ચિત્રકળા જેવા હસ્ત ઉદ્યોગો આ રાજ્યમાં છે. અહીં બનતી પશ્મિના શાલની આખા દેશમાં માંગ છે. હિમાચલી ટોપીઓ પણ ઘણી આકર્ષક હોય છે. હિમાચલમાં પડતી અત્યંત ઠંડીને કારણે અહીં ઊનનું વણાટકામ પ્રચલિત છે. હિમાચલના લગભગ બધા ઘરોમાં હાથશાળ હોય છે. અહીં ઊનને પવિત્ર ગણવામાં આવે છે અને તેનો ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાશ થાય છે. કુલુ શાલના ઉત્પાદનમાટે પ્રખ્યાત છે. કાંગડા તેની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. હિમાચલ સંસ્કૃતિ હસ્તકળાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. જેમાં પશ્મિના શાલ, કારપેટ, ચાંદીનું ધાતુકામ, ભરત ભરેલી ચપ્પલો, ઘાસના બુટ, કાંગડા અને ગોમ્પા શૈલીની ચિત્રકળા, લાકડા પરનું કાર્ય, ઘોડાના વાળમાંથી બનતી બંગડી, લાકડા અને ધાતુના વાસણ અને ઘરવખરી આદિનો સમાવેશ થાય છે. આજના આધુનિક યુગના યંત્રો દ્વારા બનતા સાધનો સામે અને માર્કેટિંગ સુવિધાના અભાવને કારાણે આ કળાઓ લુપ્તપ્રાયઃ થતી જાય છે. હાલના સમયમાં સ્થાનીય અને વિદેશી બજારમાં આ કળાકૃતિઓની માગ વધી રહી છે. આ રાજ્યનું એક પોતાનું આગવું સંગીત અને નૃત્ય છે. ઉત્સવો અને અન્યે કાર્યક્રમો દરમ્યાન તેઓ નૃત્ય અને સંગીત દ્વારા ભગવાનોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. ભારમાં ઉજવાતા તહેવારો સીવાય અન્ય સ્થાનીય મેળાઓ અને ઉત્સવો પણ અહીં અજવાય છે. શિમલા એ અહીંની રાજ્ધાની છે. એશિયાની એક માત્ર આઈસ સ્કેટીંગ રીંક અહીં આવેલી છે. ખોરાક હિમાચલ પ્રદેશના લોકોનો રોજિંદો ખોરાક ઉત્તર ભારતીયો જેવો જ છે પણ તે સ્વાદમાં જુદો તરી આવે છે. તેઓ ઘઉં અને મકાઈના રોટલા ખાય છે, આ સિવાય મસૂર, ચોખા ને શાકભાજ્કીઓ વિશેષ વાપરે છે. મદ્રાહ, માહની, મીઠા સલૂના, બાટ, ભુજ્જુ, સાગ, પાલ્ડા, રેધુ, કૌક, ઝોઉલ. સિધુ/બરુરુ, બેદુઆન ચટણી, ખટ્ટી દાલ વગેરે એ અહીંની વિશેષ વાનગીઓ છે. સંદર્ભ શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
https://gu.wikipedia.org/wiki/અંદામાન_અને_નિકોબાર_દ્વીપસમૂહ
આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિંદ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે. ઈ.સ. ૨૦૦૧માં આંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષિણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે. આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાંના ૨૬ ટાપુ પર માનવ વસવાટ છે. હુગલી નદીના મુખથી ૯૫૦ કિ.મી.ના અંતરે આ દ્વીપસમૂહ આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દૂર છે. આંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભૂમિ (મેઇન લેન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રાથી ૫૪૭ કિ.મી. દૂર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઈ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે. ઇતિહાસ પ્રથમ રહેવાસીઓ લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાંના પુરાતાત્વિક પુરાવાઓ મળે છે અને આનુવંશિક અભ્યાસ તેમજ સાંસ્કૃતિક અભ્યાસ સૂચવે છે કે, સ્વદેશી અંદામાની લોકો અન્ય વસ્તીમાંથી મધ્ય પેલેલિથિક દરમિયાન અલગ થઈ ગયા હોય શકે છે કે જે ૩૦૦૦૦ વર્ષો પૂર્વે સમાપ્ત થઈ હતી. તે સમયથી અંદામાની લોકો ભાષાકીય, સાંસ્કૃતિક તેમજ પ્રાદેશિક જૂથોમાં વિવિધતા ધરાવે છે. નિકોબાર દ્વીપસમૂહ વિભિન્ન લોકોની આબાદી દ્વારા ભરાયેલ જોવા મળે છે. ચોલ સામ્રાજ્ય રાજેન્દ્ર ચોલ (સમયગાળો: ઇ.સ. ૧૦૧૪-૧૦૪૨) એ શ્રીવિજય સામ્રાજ્ય ઇન્ડોનેશિયા સામે યુદ્ધ અભિયાન માટે સૌ પ્રથમ આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો નૌસેનિક રણનીતિક તરીકે ઉપયોગ કર્યો હતો. ચોલ શાસકો આ દ્વીપને નકવવરમના નામથી સંબોધન કરતા હતા કે જેની માહિતી ૧૦૫૦ના તંજાવુરના શિલાલેખમાંથી મળે છે. યુરોપિયન યાત્રી માર્કોપોલો (૧૨-૧૩મી સદી)એ પણ આ દ્વીપસમૂહને 'નેકુંવરન' તરીકે સંદર્ભ કર્યો છે. હાલનું આધુનિક નામ નિકોબાર એ મૂળ તમિલ નામ 'નાકવારામ'નું બ્રિટિશ કાળ દરમિયાન અપભ્રંશ બની નિકોબાર પડ્યું છે. ભૂગોળ આ દ્વીપ સમૂહ માં કુલ ૫૭૨ ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ બે ભાગ માં વહેંચાયેલ છે : અંદામાન ટાપુઓ નિકોબાર ટાપુઓ જિલ્લાઓ ઉત્તર અને મધ્ય અંદમાન દક્ષિણ અંદામાન નિકોબાર આ પણ જુઓ નિકોબાર ટાપુઓ અંદામાન અને નિકોબાર કમાન્ડ સંદર્ભ બાહ્ય કડીઓ આંદામાન અધિકૃત વેબસાઇટ આંદામાન નિકોબાર પ્રવાસ વર્ણન શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
ચંડીગઢ
https://gu.wikipedia.org/wiki/ચંડીગઢ
200px|right|ભારતના નકશામાં ચંડીગઢ 300px|thumb|right|ચંડીગઢ ખાતે આવેલો રોક ગાર્ડન ચંડીગઢ (હિંદી: चंडीगढ़, પંજાબી: ਚੰਡੀਗੜ੍ਹ) ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોની રાજધાની છે. પણ તે પોતે આ બે માંથી એક પણ રાજ્યનો ભાગ નથી, તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. આ પણ જુઓ રોક ગાર્ડન ખૂલ્લો હાથ સ્મારક શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:પંજાબ શ્રેણી:હરિયાણા
દાદરા અને નગરહવેલી
https://gu.wikipedia.org/wiki/દાદરા_અને_નગરહવેલી
દાદરા અને નગરહવેલી એ ભારત દેશનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો, જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સમાવેશ થયો છે. તે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસમાં આવેલું હતું. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે. અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે. ઇતિહાસ thumb|પોર્ટુગીઝ શાસન સમયમાં દમણ, દાદરા અને નગર હવેલીનો નકશો ૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રંટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો.P S Lele, Dadra and Nagar Haveli: past and present, published by Usha P. Lele, 1987 ૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા. ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી હવે કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણમાંનો એક જિલ્લો છે.http://164.100.47.4/BillsTexts/LSBillTexts/Asintroduced/366_2019_LS_Eng.pdf જોવાલાયક સ્થળો આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે. આ પણ જુઓ દાદરા અને નગરહવેલી જિલ્લો સંદર્ભ શ્રેણી:દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
દમણ અને દીવ
https://gu.wikipedia.org/wiki/દમણ_અને_દીવ
દમણ અને દીવ () ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી જુદા પડતા હતા. ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા. ૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો. જિલ્લાઓ દમણ જિલ્લો દીવ જિલ્લો સંદર્ભ બાહ્ય કડીઓ દમણ વહીવટી કચેરીનું અધિકૃત વેબસાઇટ દમણ ઓનલાઇન ડોટકોમ દમણ અને દીવ પ્રવાસન વિભાગની વેબસાઇટ દમણ અને દીવ વિકિટ્રાવેલ પર કમિશનર, ભાષા આધારીત લઘુમતીઓ; ૪૨મો અહેવાલ; જુલાઇ ૨૦૦૩થી જૂન ૨૦૦૪ શ્રેણી:દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
મહેસાણા જિલ્લો
https://gu.wikipedia.org/wiki/મહેસાણા_જિલ્લો
thumb|200px|right|ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે. ઇતિહાસ thumb|તોરણવાળી માતાના મંદિરનું પ્રવેશદ્વાર ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું. તેનો ઉલ્લેખ ઇ.સ. ૧૯૩૨ની જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં મળે છે. સંવત ૧૮૭૯ના મણિલાલ ન્યાલચંદના પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમાં મેહસાજીએ ચામુંડા મંદિર બંધાવ્યું હોવાનું જણાવાયું છે. જોકે એ સ્પષ્ટ છે કે નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન થઇ હતી. અન્ય એક કથા અનુસાર મેહસાજીએ નગર વિક્રમ સંવત ૧૩૭૫ (ઇ.સ. ૧૩૯૮)માં કરી હતી. ગાયકવાડે બરોડા જીતી લીધું અને બરોડા સ્ટેટની સ્થાપના કરી. ઉત્તર ગુજરાતમાં તેમણે તેમનું શાસન વિસ્તૃત કર્યું અને પાટણને મુખ્ય મથક બનાવ્યું, ત્યારબાદ મુખ્ય મથક કડી અને પછી ૧૯૦૨માં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યું. બરોડા રાજ્યનો ઉત્તર વિભાગ ૮ મહાલોમાં વિભાજીત હતો. ગાયકવાડ રાજ્યે મહેસાણા સાથે વડોદરાને જોડતી રેલ્વે લાઇનની ૨૧ માર્ચ ૧૮૮૭માં શરૂ કરી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજમહલ તરીકે ઓળખાતો મહેલ વિક્રમ સંવત ૧૯૫૬માં તેમના પુત્ર ફતેહસિંહરાવ માટે બંધાવ્યો હતો, જે હવે ડિસ્ટ્રીક કોર્ટ તરીકે વપરાય છે. ભૂગોળ મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે. હવામાન મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે. મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે. વસ્તી thumb|જિલ્લાના વિજાપુર નજીક આગલોડ ખાતે આવેલ માણિભદ્ર વીરનું જૈન મંદિર આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.વસ્તી ગણતરી માહિતી રાજકારણ મહેસાણામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. વિધાનસભા બેઠકો ગુજરાત વિધાનસભાની ૭ (સાત) બેઠકો મહેસાણા જિલ્લામાં આવેલી છે. |} સંદર્ભ બાહ્ય કડીઓ મહેસાણા જિલ્લા સમાહર્તા કાર્યાલયનું અધિકૃત વેબસાઇટ મહેસાણા જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ શ્રેણી:ઉત્તર ગુજરાત
ભાવનગર શહૅર
https://gu.wikipedia.org/wiki/ભાવનગર_શહૅર
REDIRECT ભાવનગર
પુડુચેરી
https://gu.wikipedia.org/wiki/પુડુચેરી
પુડુચેરી એ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર પુડુચેરી (શહેર) છે. પુડુચેરી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. સંદર્ભ બાહ્ય કડીઓ પૉંડિચરી કેન્દ્રશાસીત પ્રદેશની અધિકૃત સરકારી વેબસાઇટ Treaty establishing De Jure Cession of French Establishments in India પ્રવાસન વિભાગની અધિકૃત વેબસાઇટ પોંડીટુરિઝમની પ્રવાસન વેબસાઇટ પોંડિચેરીની આજુ-બાજુના ઉત્સવો અને તહેવારોની વિગત શ્રેણી:કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:પૉંડિચરી
લક્ષદ્વીપ
https://gu.wikipedia.org/wiki/લક્ષદ્વીપ
લક્ષદ્વીપ (મલયાલમ: ലക്ഷദ്വീപ്, Mahl: ލަކްޝަދީބު Lakshadīb) દ્વીપસમુહ એ ભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર કવરત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું. લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ thumb|150px|right|લક્ષદ્વીપ ટાપુઓનો નક્શો કઠમઠ ટાપુ મિનીકોય ટાપુ કવરત્તી ટાપુ બંગારામ ટાપુ કલ્પેની ટાપુ અગાતી ટાપુ અન્દરોત ટાપુ અન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:કેન્દ્રશાસિત પ્રદેશો શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
કેન્દ્રશાસિત પ્રદેશ
https://gu.wikipedia.org/wiki/કેન્દ્રશાસિત_પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂંટી કાઢવાને જગ્યાએ તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો 300px|right|ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો ઈ.સ. ૨૦૨૦ ના વર્ષ પ્રમાણે ભારતમાં કુલ ૮ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ચંડીગઢ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ લક્ષદ્વીપ પૉંડિચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર લદ્દાખ દિલ્હીને રાષ્ટ્ર્રીય રાજધાની ક્ષેત્ર (NCR - National Capital Region) તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે થાય છે. જોકે દિલ્હીને થોડા વર્ષો પહેલાં રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો છે. શ્રેણી:ભારત શ્રેણી:કેન્દ્રશાસિત પ્રદેશો
કેન્દ્ર શાસિત પ્રદેશ
https://gu.wikipedia.org/wiki/કેન્દ્ર_શાસિત_પ્રદેશ
REDIRECT કેન્દ્રશાસિત પ્રદેશ
પોંડિચેરી
https://gu.wikipedia.org/wiki/પોંડિચેરી
REDIRECT પુડુચેરી
જયંતિ દલાલ
https://gu.wikipedia.org/wiki/જયંતિ_દલાલ
જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. જીવન જયંતી ઘેલાભાઈ દલાલ , ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’ (૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન. સર્જન વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તખ્તાની ઊંચી જાણકારી ધરાવતા એમણે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધો નથી. ‘સોયનું નાકું’, ‘દ્રોપદીનો સહકાર’, ‘જોઈએ છે, જોઈએ છીએ’ જેવી એકાંકીઓ એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનનો ઊંડો સંસ્પર્શ પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી પ્રગટતી માર્મિકતા, ઉક્તિલાઘવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળોટવાળી લાઘવયુક્ત શૈલીને લીધે એમના સંવાદો કવચિત્ દુર્બોધ પણ રહ્યા છે. ‘અવતરણ’ (૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિ-અંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશોરો માટે કરેલા ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો (૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી’ ના એક પાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલો માળી’ (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભા.૧, ૧૯૬૪; ભા.૨, ૧૯૬૬; ભા.૩, ૧૯૬૯) કરેલું. વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’ (૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો. આરંભમાં ‘નિર્વાસિત’ ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે મનઃસૃષ્ટિમાં ગુજરાતી ઘટનાને અવલંબતી કથા-નિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દ્રશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી ઉપસાવી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાનો વિનિયોગ-એમની વાર્તાકલાના વિશેષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હોઈને તથા એમની બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને પામવાની પટુતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું. એમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે. એમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી’ (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે, તેનું ગદ્યચિત્રો લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા’ ઉપનામથી ‘નવગુજરાત’ માં, એમણે ગુજરાતના રાજ્કીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકા વ્યક્તિચિત્રો ને લઘુલેખોના બે સંગ્રહો ‘મનમાં આવ્યું’ (૧૯૬૧) અને ‘તરણાની ઓથ મને ભારી’ (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય મળે છે. નાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટ્યકારો અને નાટ્યકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખો ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ (૧૯૬૩) તથા ‘નાટક વિશે’ (સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪)માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ્ય-વાર્તાવિવેચન એમાંની નિજી દ્રષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જુદું તરી આવે છે. એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭), ‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે. જવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની લાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે. તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે. ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે છે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે. પાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે. એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે. શહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા, ઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો સામાજિક દસ્તાવેજ છે. કાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની તટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે. બાહ્ય કડીઓ ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય Category:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:૧૯૦૯માં જન્મ
અંગ્રેજી
https://gu.wikipedia.org/wiki/અંગ્રેજી
REDIRECT અંગ્રેજી ભાષા
અંગ્રેજી ભાષા
https://gu.wikipedia.org/wiki/અંગ્રેજી_ભાષા
thumb thumb|upright|EN (ISO 639-1) અંગ્રેજી એ પશ્ચિમ જર્મેનીક ભાષા છે, જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. 18મી, 19મી અને 20મી સદીની શરૂઆત સુધી બ્રિટિશ રાજના લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેમજ 20મી સદીના મધ્ય ભાગ સુધીએમોન, પીપી. 2245–2247.સ્ક્નેઇનડર, પી. 1.માઝરુઇ, પી. 21.હોવેટ, પીપી. 127-133. યુનાઇટેડ સ્ટેટ્સને કારણે અંગ્રેજી ભાષા દુનિયાના ઘણા ખૂણાઓમાં લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ વિજ્ઞાનની આગળ પડતી ભાષા બની ગઇ. ક્રિસ્ટલ, પીપી. 87-89.વારધાઉ, પી. 60.રાષ્ટ્ર સમૂહ દેશો (કોમન વેલ્થ દેશો) તેમજ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં બીજી કે ગૌણ ભાષા અને અધિકૃત ભાષા તરીકે અંગ્રેજોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભાષાઓથી બનેલી છે જેને સંયુક્તપણે જૂની અંગ્રેજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા ગ્રેટ બ્રિટનના પૂર્વીય ટાપુઓ ઉપરથી લાવવામાં આવી હતી. આ ભાષાને એન્ગ્લો સેક્સોન લોકો લાવ્યા હતા કે જેઓ 5મી સદીની શરૂઆતમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ અંગ્રેજી ઉપર જૂની નોર્વેની ભાષાનો પ્રભાવ પડ્યો. આ ભાષા આઠમાથી દસમા સૈકાના કાળ દરમિયાનના યુરોપીય આક્રમણકારોની ભાષા હતી. નોર્મનોની જીતના સમયગાળા દરમિયાન જૂની અંગ્રેજી ભાષા મધ્યકાલિન અંગ્રેજી ભાષા તરીકે વિકાસ પામી. તેના શબ્દો અને જોડણી મોટા ભાગે નોર્મન (એન્ગ્લો ફ્રેન્ચ) ભાષાના શબ્દભંડોળમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી કે ઇન્ગલિશ ભાષાનાં વ્યુત્પત્તિશાસ્ત્ર અંગે જોઇએ તો "ઇન્ગલિશ" શબ્દ 12મી સદીની જૂની અંગ્રેજી ભાષા એન્ગલિસ્ક અથવા તો ઇન્જલ , એન્જલ્સ શબ્દનું બહુવચન છે તેના ઉપરથી ઉતરી આવ્યો છે. (" જે ઇંગ્લેન્ડ કે ઇન્ગલેન્ડનાં લક્ષણોને પ્રતિબિંબિત કરે છે). આધુનિક અંગ્રેજી ભાષામાં સ્વરોમાં ધરખમ બદલાવ આવ્યો. આ બદલાવ 15મી સદીમાં ઇંગ્લેન્ડ ખાતે થયો. આ દરમિયાન અંગ્રેજી ભાષાએ વિવિધ વિદેશી ભાષાઓમાંથી નવાનવા શબ્દો લીધા અને નવા શબ્દો બનાવ્યા. અંગ્રેજી ભાષાનાં શબ્દો પૈકી નોંધપાત્ર માત્રાના શબ્દો ખાસ કરીને તકનિકી શબ્દો મૂળતઃલેટિન અને ગ્રીક ભાષા ઉપરથી બનાવવામાં આવ્યા છે. મહત્વ આધુનિક અંગ્રેજી ભાષાને કેટલીક વખત વિશ્વની પ્રથમ લિન્ગ્વા ફ્રાન્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાનું વર્ચસ્વ પુષ્કળ પ્રમાણમાં છે. કેટલીક વખત તે સંચાર, વિજ્ઞાન, વેપાર, ઉડ્ડયન, મનોરંજન, રેડિયો અને મુત્સદ્દીગીરી માટેની આવશ્યક આંતરરાષ્ટ્રીય ભાષા ગણવામાં આવે છે. જેમજેમ બ્રિટિશ રાજનો વિકાસ થતો ગયો તેમતેમ આ ભાષા બ્રિટિશ ટાપુઓ ઉપર ફેલાવા લાગી અને 19મી સદીના અંત સુધીમાં તો તે સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઇ. ઉત્તર અમેરિકામાં બ્રિટિશ વસાહત સ્થપાઇ ગયા બાદ તે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં વર્ચસ્વ ધરાવતી ભાષા બની. યુએસના વિકસતા જતા આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેને વિશ્વની મહાસત્તાનો દરજ્જો મળ્યો. અને બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન આ ભાષા સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર રીતે ફેલાઇ ગઇ. ઘણાં બધાં ક્ષેત્રો, વ્યવસાય અને વેપારમાં જેવા કે તબીબી અને કોમ્પ્યૂટર વગેરેમાં અંગ્રેજી ભાષાનાં જ્ઞાનને પ્રાથમિક જરૂરીયાત ગણવામાં આવી છે. જેનાં પરિણામે અંદાજે 1 અબજ લોકો અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન મળે તેટલો અભ્યાસ તો કરે જ છે. (જુઓ અંગ્રેજી ભાષાનો અભ્યાસ અને શિક્ષણ). યુનાઇટેડ નેશન્સ (યુએન)ની છ અધિકૃત ભાષાઓ પૈકીની અંગ્રેજી એક છે. ડેવિડ ક્રિસ્ટલ જેવા ભાષાશાસ્ત્રીએ નોંધ્યું હતું કે વૈશ્વિક ભાષાઓ કરતાં અંગ્રેજી ભાષાના ધરખમ વિકાસને કારણે વિશ્વના કેટલાક ભાગોમાં જન્મની ભાષાશાસ્ત્રની વિવિધતા ઘટવા માંડી હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલેશિયા અને ઉત્તર અમેરિકામાં આનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળ્યું હતું. ભાષાઓનાં પતનમાં અંગ્રેજી ભાષાનાં વિશાળ પ્રભુત્વએ અગત્યની ભૂમિકા ભજવી છે. તેવી જ રીતે ઐતિહાસિક ભાષાશાસ્ત્રીઓ કે જેઓ ભાષાના બદલાવ અંગેની જટિલતા અને પ્રવાહિત ગતિશીલતા અંગે સાવચેત હતા. તેઓ અંગ્રેજીના પ્રભાવ અંગે પણ સાવચેત હતા તેથી તેમણે અંગ્રેજી ભાષાને તેમની સ્થાનિક ભાષા સાથે સુવ્યવસ્થિત અને કુદરતી રીતે સંમિશ્રિત કરી જેમ કે ક્રિઓલ્સ અને પિડગિન્સ સમયાંતરે અંગ્રેજી સમકક્ષ આ ભાષાઓનાં નવાં કુટુંબો બન્યાં.[26] ઇતિહાસ અંગ્રેજી પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનાં મૂળિયાં એન્ગ્લો ફ્રિસિયન અને લોવર સાક્સોનમાં રહેલાં છે. આ બે એવી તળપદી ભાષાઓ છે કે જે બ્રિટનમાં સ્થાયી થયેલા જર્મની નાગરિકો અને રોમનના લશ્કરી સહાયકો દ્વારા વિવિધ ભાગો કે જેમને હાલમાં ઉત્તર-પશ્ચિમી જર્મની, ડેનમાર્ક અને નેધરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી 5મી સદીમાં લાવવામાં આવી હતી. જર્મનીની આદિવાસી પ્રજાતિઓ પૈકીની એક એન્જેલ્સ,[28] હતી તેઓ એન્ગેલ્ન અને બેડે પ્રાંતમાંથી આવ્યા હતાં તેમ માનવામાં આવે છે તેઓ પોતાની જૂની ભૂમિ છોડીને જે જગ્યાએ સ્થાયી થયા તેને બેડે અને એન્ગેલ્નનું સંમિશ્રિત નામ બ્રિટન[30] આપવામાં આવ્યું. 'ઇંગ્લેન્ડ'(ઇન્ગ્લા લેન્ડ "એન્જલ્સની ભૂમિ") અને ઇન્ગલિશ (જૂનું અંગ્રેજી ઇન્ગલિસ્ક ) નામો આ આદિવાસી પ્રજાતિ દ્વારા ઉતરી આવ્યાં છે. એન્ગ્લો સાક્સોન લોકોએ ઇ.સ.449ની સાલથી ડેનમાર્ક અને જુટલેન્ડના પ્રદેશોથી આક્રમણ કરવાની શરૂઆત કરી. એન્ગ્લો સાક્સોન લોકોનું બ્રિટનમાં આગમન થયું તે પૂર્વે ત્યાંના સ્થાનિક લોકો બ્રિથોનિક ભાષા બોલતા હતા. આ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં બોલાતી કેલ્ટ લોકોની કેલ્ટિક ભાષા હતી. જોકે તળપદી ભાષામાં નોંધપાત્ર ફેરફારો વર્ષ 1066ના નોર્માન લોકોનાં આક્રમણ બાદ થયા. ભાષાએ તેનું નામ જાળવી રાખ્યું અને નોર્માન લોકોના આક્રમણ પહેલાંની ભાષા જૂની અંગ્રેજીના નામે ઓળખાવા લાગી. શરૂઆતમાં જૂની અંગ્રેજી વિવિધ પ્રકારની તળપદી ભાષાઓનો સમૂહ હતી. આ ભાષાઓનાં મૂળિયાં ગ્રેટ બ્રિટનના એન્ગ્લો સાક્સોન રાજની વિવિધતાને પ્રતિબિંબિત કરતાં હતાં.ડેવિડ ગ્રેડોલ, ડિક લેઇથ, અને જોઆન સ્વાન, ઇન્ગલિશઃ હિસ્ટ્રી, ડાઇવર્સિટી એન્ડ ચેન્જ (ન્યૂ યોર્કઃ રાઉટલેજ, 1996), 101. આ તમામ વિવિધ તળપદી ભાષાઓ પૈકી લેટ વેસ્ટ સાક્સોન ભાષાનું પ્રભુત્વ ધીરેધીરે વધવા લાગ્યું. અંગ્રેજી ભાષાના ક્રમિક અને ઝડપી વિકાસના મહત્વની ભૂમિકા કેથલિક દેવળોએ પણ ભજવી હતી. વર્ષ 530માં સંત બેનેડિટનું શાસન શરૂ થયું અને તે 1536 સુધી મઠોનાં વિસર્જન સુધી યથાવત રહ્યું.આ દરમિયાન રોમન કેથલિક દેવળોએ મઠોને અને કેટનબરીના ઓગસ્ટિન જેવા કેથલિક અધકૃતોને સૂચના આપી કે તેમની શાળાઓમાં સ્ક્રિપ્ટોરિયા અને પુસ્તકાલય જેવા બુદ્ધિગમ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. મધ્યકાલિન યુગ દરમિયાન કેથલિક દેવળોએ બુદ્ધિગમ્ય જીવન અને લેખિત ભાષાનાં પ્રભુત્વને ક્રિયાશિલ બનાવ્યું. કેથલિક સંતોએ મુખ્યત્વે લેટિન ભાષાનું લખાણ લખ્યું અથવા તો તેની નકલો કરી. જે મધ્યકાલિન યુરોપની લિન્ગ્વા ફ્રાન્કામાં વધારે પડતું જોવા મળતું હતું. જ્યારે સંતો પ્રસંગોપાત સ્થાનિક ભાષામાં લખતા ત્યારે લેટિન ભાષામાંથી અંગ્રેજી ભાષામાં બનાવેલા શબ્દો અવેજી તરીકે મૂકતાં. કોઇ વસ્તુની સમજણ આપવા માટે લેટિન ભાષાનો ઉપયોગ કરવામાં આવતો અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં નહોતો આવતો. અંગ્રેજી ભાષામાં મોટા ભાગના શબ્દો લેટિન ભાષામાંથી લેવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાના વોકેબ્યુલેરિયમ માં મોટા ભાગના શબ્દોનું સર્જન લેટિન ભાષામાંથી થયું હોવાનું માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે બ્રિટિશ સમાજનો શ્રેષ્ઠ વર્ગે કેથલિક સંતો દ્વારા બનાવવામાં આવેલા શબ્દભંડોળને કાયમી બનાવ્યો. વધુમાં તેમણે લેટિન ભાષામાંથી નવા શબ્દોની શોધોની પરંપરા પણ ચાલુ રાખી. જે કેથલિક ચર્ચના અસ્ત સુધી ચાલુ રહી. જૂની અંગ્રેજી સ્થાનિક ભાષા પણ આક્રમણોનાં બે મોજાંથી પ્રભાવિત હતી. સૌપ્રથમ ભાષા બોલનારા ઉત્તર જર્મનીના લોકો કે જેઓ જર્મની કુટુંબના હતાં તેમણે 8મી અને 9મી સદીમાં બ્રિટિશ ટાપુઓ અને વસાહતો ઉપર ચડાઇ કરી હતી (જુઓ ડેનલો). બીજું આક્રમણ નોર્માનો દ્વારા 11મી સદીમાં કરવામાં આવ્યું હતું. તેઓ જૂની નોર્માન ભાષા બોલતા હતા. તેમણે વિશિષ્ટ અંગ્રેજી ભાષા તૈયાર કરી જેને એન્ગ્લો નોર્માન તરીકે ઓળખવામાં આવતી. (સમય જતાં તેમાંથી નોર્માન નામનું તત્વ લુપ્ત થવા લાગ્યું. તેના ઉપર પેરિસિયન ફ્રેન્ચનું પ્રભુત્વ વધવા લાગ્યું. પાછળથી અંગ્રેજી ભાષા એન્ગ્લો ફ્રેન્ચ ભાષા તરીકે ઓળખાવા લાગી.) બે આક્રમણોને કારણે અંગ્રેજી કેટલાક અંશે મિશ્રિત ભાષા બની. (જોકે ભાષાશાસ્ત્રના શબ્દોની દૃષ્ટિએ અંગ્રેજી ક્યારેય મિશ્રિત ભાષા નહોતી. વિવિધ ભાષા બોલનારા લોકોનો સહનિવાસને કારણે અંગ્રેજી મિશ્રિત ભાષા બની આ લોકોએ પાયાનાં સંચાર માધ્યમ તરીકે એક નવી ભાષાનો વિકાસ કર્યો). સ્કેન્ડેનેવિયન લોકોના સહનિવાસને કારણે એન્ગ્લો ફ્રિસિયન અંગ્રેજીમાં શબ્દોની પૂરવણી વધી. પાછળથી નોર્મન વ્યવસાયને કારણે લેટિન ભાષામાંથી ઉતરી આવેલા જર્મની શબ્દોનું પ્રમાણ વધવા પામ્યું. અંગ્રેજી ભાષા ઉપર નોર્માનનું પ્રભુત્વ કોર્ટ અને સરકાર મારફતે થયું. આવી રીતે અંગ્રેજીનો વિકાસ સ્થિતિસ્થાપક અને વિશાળ શબ્દભંડોળ ધરાવતી "ઉછીની" ભાષા તરીકે થયો. બ્રિટિશ રાજના ઉદ્ભવ અને ફેલાવાની સાથે અંગ્રેજી ભાષાનો સ્વીકાર ઉત્તર અમેરિકા, ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય પ્રાંતમાં થયો. યુનાઇટેડ સ્ટેટ્સનો મહાસત્તા તરીકે ઉદ્ભવ થતા અંગ્રેજી ભાષાના ફેલાવાને મદદ મળી. વર્ગીકરણ અને તેને સંબંધિત અન્ય ભાષાઓ અંગ્રેજી ભાષા જર્મની કુટુંબની પેટાશાખા પશ્ચિમી જર્મનીના એન્ગ્લો ફ્રિસિયન ભાષા બોલતા પેટાજૂથ ઉપરથી ઉતરી આવી છે. આ જૂથ ઇન્ડો-યુરોપીયન ભાષાઓ બોલતાં જૂથના સભ્યો હતા. અંગ્રેજીની એકદમ નજીકની પડોશી ભાષા સ્કોટ્સ ભાષા છે. આ ભાષા મુખ્યત્વે સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડના કેટલાક ભાગો, અને ફ્રિસિયનમાં બોલાય છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ સ્કોટ્સ ભાષાને અલગ ભાષા નહીં ગણતા તેને અંગ્રેજી તળપદી ભાષાનાં જૂથ તરીકે ગણે છે. ફ્રિસિયન ભાષાને પણ ઘણા લોકો દ્વારા અંગ્રેજીની નજીકની પડોશી ભાષા ગણવામાં આવી છે. સ્કોટ્સ અને ફ્રિસિયન બાદ એવી જર્મની ભાષાઓ આવે છે કે જે અંગ્રેજી સાથે થોડે દૂરથી સંકળાયેલી છે જેમા નોન એન્ગ્લો ફ્રિસિયન પશ્ચિમી જર્મની ભાષાઓ, લો જર્મન, ડચ, આફ્રિકન્સ, હાઇ જર્મન, તેમજ ઉત્તર જર્મની ભાષાઓ સ્વિડિશ, ડેનિશ, નોર્વેયન, આઇલેન્ડિક અને ફારોઇસના નામો ગણાવી શકાય. સ્કોટ્સ ભાષાના અપવાદને બાદ કરતાં અને પાયાના સ્તરે ફ્રિસિયન ભાષાને બાદ કરતાં અન્ય કોઇ પણ ભાષા અંગ્રેજી સાથે પરસ્પર બુદ્ધિગ્રાહ્ય રીતે સંકળાયેલી નથી. જેની પાછળ તે ભાષાના નિયમો, વાક્યરચના, ભાષાશાસ્ત્રની શાખા અને ધ્વનિશાસ્ત્રમાં વિવિધતાને જવાબદાર ગણાવી શકાય.બ્રિટિશ ટાપુઓ ઉપરની અંગ્રેજી ભાષા અલગ તરી આવે છે. જોકે કેટલેક અંશે ડચ ભાષા અંગ્રેજી સાથે ઘણી જ સામ્યતા ધરાવતી ભાષા છે. પોતાની આ અલગતાને કારણે અંગ્રેજી અને સ્કોટ્સ ભાષાઓ ખંડીય જર્મની ભાષાઓ તરીકે વિકાસ પામી છે. તેમજ પોતાનું પ્રભુત્વ બતાવતી આવી છે.અ હિસ્ટ્રી ઓફ ઇન્ગલિશ લેન્ગવેજ/પા. નં. 336/ લેખકઃ આલ્બર્ટ .સી. બા અને થોમસ કેબલ/ પ્રકાશકઃ રાઉટલેજઃ 5મી આવૃિત્ત (માર્ચ 21, 2002) અન્ય જર્મની ભાષાઓના નિયમોમાં તફાવત કેટલાક કારણોસર આવ્યો હોવો જોઇએ જેમ કે અલગતાથી ભાષાશાસ્ત્રની શાખા જુદી તરી આવવી તેમજ અંગ્રેજી ભાષામાં લેટિન શબ્દોનો કરવામાં આવતો બહોળા પ્રમાણમાં ઉપયોગ દા.ત. "એક્ઝટ" વિરુદ્ધ ડચ યુટગેન્ગ (શરૂઆતમાં "આઉટ-ગેન્ગ" સાથે "ગેન્ગ" "ગેન્ગવે" તરીકે) અને ફ્રેન્ચ "ચેન્જ" વિરુદ્ધ જર્મન એન્ડેરન્ગ , "મુવમેન્ટ" વિરુદ્ધ જર્મન બેવેગન્ગ (શાબ્દિક રીતે "અધરિંગ" અને "બિ-વે-ઇન્ગ" ("એકલાં આગળ વધવું")). બંને શબ્દો જર્મનીના હોવા છતાં પણ કોઇ એક સમાનાર્થીને બદલે બીજાની પસંદગીના કારણે પણ નિયમમાં બદાલ કે તફાવત જોવા મળે છે. (દા. ત. અંગ્રેજીમાં કેર અને જર્મનીમાં સોર્જ બંને શબ્દો પ્રોટો જર્મનિક શબ્દો અનુક્રમે * કારો અને * સર્ગો ઉપરથી ઉતરી આવ્યા છે. પરંતુ અંગ્રેજી શબ્દ કેરમાં * કારો નું પ્રભુત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે જર્મન, ડચ સ્કેન્ડેનેવિયન ભાષાઓમાં * સર્ગો શબ્દનાં મૂળિયાં જોવા મળે છે. * સર્ગો શબ્દ હજી પણ અંગ્રેજી ભાષામાં સોરો શબ્દ તરીકે અસ્તિત્વ ધરાવે છે. વાક્ય રચના માટે દરેક ભાષાના અલગ નિયમો છે. (દા. ત., જર્મનમાં ઇચ હેબ નોચ નાઇ એટવાસ આઉફ ડે પ્લાટ્ઝ ગેસેહેન , વિરુદ્ધ અંગ્રેજી " આઇ હેવ નેવર સિન એનિથિંગ ઇન ધ સ્ક્વેર").અંગ્રેજી ભાષાની વાક્યરચના ઉત્તરીય જર્મની ભાષાની ખૂબ જ સમાન રહે છે. એમ માનવામાં આવે છે કે મધ્યકાલિન અંગ્રેજી કાળ દરમિયાન ઉત્તરીય જર્મની ભાષાએ અંગ્રેજી વાક્યરચના ઉપર પોતાનું સારું એવું પ્રભુત્વ જમાવ્યું છે. (દા. ત. નોર્વેની ભાષામાં જેગ હાર લિકેવેલ આલ્ડ્રી સેટ નોએ આિ ટોરગેટ ; સ્વિડિશમાં જેગ હાર એન્નુ એલ્ડ્રિગ સેટ નાગોટ પા ટોરગેટ . અન્યની સરખામણીએ તેઓ એકબીજાની ભાષા સરળતાથી શીખી શકે છે. ડચ ભાષાની વાક્યરચના અંગ્રેજી અને જર્મન ભાષા વચ્ચેની મધ્યસ્થી છે (દા. ત. ઇક હેબ નોગ નૂઇટ ઇએટ્સ ગેઝિએન ઓપ હેટ પ્લેઇન આ તફાવતને બાદ કરતાં અંગ્રેજી અને અન્ય જર્મની ભાષાઓમાં ઘણી સામ્યતા રહેલી છા. (દા. ત. અંગ્રેજીમાં બ્રિંગ/બ્રોટ/બ્રોટ , ડચમાં બ્રેન્ગેન/બ્રેશ્ત/ગેબ્રેશ્ત , નોર્વેની ભાષામાં બ્રિન્ગે/બ્રાક્તે/બ્રાક્ત ; અંગ્રેજી ઇટ/એટ/ઇટન , ડચ ઇટેન/એટ/ગેગેટન , નોર્વે એટે/એટ/એટ્ટ અંગ્રેજી અને નીચલા પ્રદેશો )ડચ અને લો જર્મન) અને સ્કેન્ડેનેવિયાની ભાષામાં વધારે સમાનતા જોવા મળે છે. ભાષાશાસ્ત્રની શાખાના તફાવતોને કારણે અંગ્રેજી તેમજ તેને સંલગ્ન ભાષાના ઘણા ખોટા મિત્રો પણ છે (દા. ત. અંગ્રેજીમાં ટાઇમ વિરુદ્ધ નોર્વેની ભાષામાં ટાઇમ "અવર"), અને ધ્વનિશાસ્ત્રના તફાવતો એવા શબ્દોમાં સાંભળી શકાય છે કે જે શબ્દો વંશપરંપરાથી સંકળાયેલા હોય ("ઇનફ" વિરુદ્ધ જર્મન જેનુગ , ડેનિશ શબ્દ નોક . કેટલીક વખત ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર બંનેના ફેરફારો (જર્મન ઝેઇટ , "ટાઇમ" અંગ્રેજી શબ્દ "ટાઇડ" સાથે સંલગ્ન છે, પરંતુ આ અંગ્રેજી શબ્દ મતલબના પારંપરિક તબક્કા સાથે "પિરિયડ"/"ઇન્ટરવલ" મતલબ દર્શાવે છે. આ શબ્દોનો મતલબ થાય છે દરિયા ઉપર ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ બળની અસર જોકે ટાઇડિંગ્સ અને બિટાઇડ જેવા કેટલાક શબ્દોમાં મૂળ અર્થ જળવાઇ રહ્યો છે. ટુ ટાઇડ ઓવર જેવા કેટલાક શબ્દસમૂહમાં પણ મૂળ અર્થ સચવાઇ રહ્યો છે. સાધારણ, પરસ્પરની બુદ્ધિગ્રાહ્યતાથી પાડવામાં આવેલા ભેદો છતાં પણ અંગ્રેજી ભાષા તેના કુટુંબની અન્ય ભાષાઓ કરતાં જર્મની ભાષાઓની વધારે નજીક છે. અંતે અંગ્રેજીએ સંયુક્ત શબ્દો બનાવવાની શરૂઆત કરી દીધી અને હાલના શબ્દોને અન્ય જર્મની ભાષાઓથી અલગ પાડવા માટે તેમને જોડવાની શરૂઆત કરી. આ કવાયત છેલ્લાં 1500 વર્ષોથી ચાલી રહી છે અને તેને લગતી આદતો પણ અલગ-અલગ છે. દા.ત. અંગ્રેજી ભાષાની ભાવવાચક સંજ્ઞામાં મૂળ શબ્દની પાછળ "-હૂડ", "-શિપ", "-ડોમ" અને "-નેસ" જેવા પ્રત્યેયો લગાડીને બનાવવામાં આવે છે. એક જ મૂળમાંથી નીકળેલા તમામ પ્રત્યેયો મોટાભાગના કે તમામ અન્ય જર્મની ભાષાઓમાં છે.પરંતુ તેમના ઉપયોગની પદ્ધતિ અલગ-અલગ છે.જેમ કે જર્મની ભાષાનો "ફ્રેહેઇટ" વિરુદ્ધ અંગ્રેજી ભાષાનો "ફ્રિડમ" શબ્દ (પ્રત્યેય "-હેઇટ" એ "-હૂડ" શબ્દનો સગોત્ર છે, જ્યારે "-ડોમ" પ્રત્યેય જર્મનના "-ટમ" પ્રત્યેયનો સગોત્ર છે). આઇલેન્ડિક અને ફેરાઓસ ભાષાઓ જર્મન ભાષાઓ છે. તેઓ પોતપોતાની રીતે અંગ્રેજી ભાષાને અનુસરે છે.અંગ્રેજીની જેમ જ તેમણે પણ સ્વતંત્ર રીતે જર્મન ભાષાનું પ્રભુત્વ વિકસાવ્યું છે. ઘણા લિખિત ફ્રેન્ચ શબ્દો પણ અંગ્રેજી ભાષાની બુદ્ધગ્રાહ્યતાથી સ્વીકારવામાં આવ્યા છે. (જોકે તેમનાં ઉચ્ચારણો ખૂબ જ અલગ છે.) કારણ કે અંગ્રેજી ભાષાએ નોર્માન અને ફ્રેન્ચ ભાષાનાં ઘણા શબ્દોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. નોર્માનોની જીત બાદ આ શબ્દો એન્ગલો નોર્માન ભાષા મારફતે ઉતરી આવ્યા છે. ત્યારબાદની સદીઓમાં આ શબ્દો સીધા ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યા છે. જેનાં પરિણામે અંગ્રેજી શબ્દભંડોળ પૈકીના મોટા ભાગનાં શબ્દો ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યા છે. જોકે તેમના સ્પેલિંગમાં સાધારણ તફાવત જોવા મળે છે. (શબ્દોના અંત જૂની ફ્રેન્ચ ભાષાના સ્પેલિંગ સાથે કરવામાં આવે, વગેરે.) આ ઉપરાંત પ્રસંગોપાત કહેવાતા જૂઠ્ઠા મિત્રોને કારણે પણ બદલાવ જોવા મળે છે. (દા.ત. "લાઇબ્રેરી", વિરુદ્ધ ફ્રેન્ચ શબ્દ "લાઇબ્રેરાઇ", જેનો મતલબ છે પુસ્તકોની દુકાન) (ફ્રેન્ચ ભાષામાં "લાઇબ્રેરી" શબ્દનો મતલબ થાય છે "ગ્રંથાગાર") મોટાભાગના ફ્રેન્ચ લોનશબ્દોનું અંગ્રેજી ભાષામાં ઉચ્ચારણ ( મિરાજ નામના શબ્દ અથવા તો કુપ દ ઇટાત શબ્દસમૂહના અપવાદને બાદ કરતાં) સંપૂર્મપણે અંગ્રેજીકરણ થઇ જવા પામ્યું છે. અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે. ડેનિશ આક્રમણને કારણે તેના થોડા સમય પહેલા જ કેટલાક ઉત્તર જર્મની શબ્દો પણ અંગ્રેજીમાં આવ્યા (જુઓ ડેનલો); આ પ્રકારના શબ્દોમાં "સ્કાય", "વિન્ડો", "એગ", અને "ધે" (અને તેનાં રૂપો) તેમજ "આર", (ટુ બીનું હાલનુ બહુવચન)નો સમાવેશ થાય છે. ભૌગલિક વહેંચણી thumb|આલેખ વિશ્વના જે દેશોમાં અંગ્રેજી મુખ્ય ભાષા તરીકે બોલાય છે તેધોમાં અંગ્રેજી ભાષા બોલનારા લોકોની સંખ્યા દર્શાવે છે. આશરે 37.5 કરોડ લોકો અંગ્રેજીને તેમની પ્રથમ ભાષા તરીકે બોલે છે.કર્ટિસ, એન્ડી. કલર, રેસ, એન્ડ ઇન્ગલિશ લેન્ગવેજ ટિચિંગઃ શેડ્ઝ ઓફ મિનિંગ , 2006, પા. નં. 192. મંદારિયન ચીની અને સ્પેનિશ ભાષાઓ બાદ આજે અંગ્રેજી જન્મની ભાષા તરીકે સંભવતઃ સૌથી વધુ બોલાતી ત્રીજા ક્રમની ભાષા છે.CIA World Factbook , ફિલ્ડ લિસ્ટિંગ-લેન્ગવેજિસ (વર્લ્ડ). જોકે જન્મની ભાષા બોલનારા અને તે સિવાયના લોકોને સંયુક્ત રીતે ગણવામાં આવે તો સંભવતઃ તે વિશ્વમાં બોલાતી સૌથી સામાન્ય ભાષા છે. તેમ છતાં પણ ચીની ભાષાઓની સરખામણીએ તે બીજા ક્રમે આવે છે. (પરંતુ "ભાષાઓ" અને "બોલીઓ" વચ્ચેનો ફરક પાડ્યો છે કે નહીં તેના ઉપર આધાર રાખે છે).લેન્ગવેજિસ ઓફ ધ વર્લ્ડ (ચાર્ટ્સ) , કોમરી (1998), વેબર (1997), અને સમર ઇન્સ્ટિટ્યુટ ફોર લિન્ગ્વિસ્ટિક્સ (એસઆઇએલ) 1999 એથનોલોગ સર્વે. ધ વર્લ્ડ્સ મોસ્ટ વાઇડલી સ્પોકન લેન્ગવેજિસ ઉપર પ્રાપ્ય આ અંદાજોમાં બીજી કે ગૌણ ભાષા બોલનારા 47 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તેમની ભાષાની સાક્ષરતા અને નિપુણતાનો ક્યાસ કાઢીને તેને માપવામાં આવી છે.20,000 ટિચિંગ ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક ડેવિડ ક્રિસ્ટલે ગણતરી માંડી છે કે જેમના જન્મની ભાષા અંગ્રેજી નથી તેવા લોકોની સંખ્યા જન્મની ભાષા અંગ્રેજી છે તેવા લોકો કરતા સંખ્યામાં વધી ગયા છે અને તેમનો ગુણોત્તર 3માંથી 1નો છે.રજૂ કરવામાં આવેલા જે દેશોમાં જન્મની ભાષા બોલનારા લોકોની સંખ્યા વધુ છે તેવા દેશોના નામ ઉતરતા ક્રમની સંખ્યા અનુસારઃ યુનાઇટેડ સ્ટેટ્સ (21.5 કરોડ),કોષ્ટક 47માં દર્શાવવામાં આવેલા આંકડાઓ સૂચવે છે કે 5 વર્ષ કે તેથી વધુ ઉંમરના 21,48,09,000 લોકો ઘરમાં પણ અંગ્રેજી ભાષા બોલે છે. અમેરિકન કોમ્યુનિટી સર્વે આધારિત આ પરિણામોમાં કોલેજના સામૂહિક શયનગૃહમાં સહજીવન જીવનારા, સંસ્થાઓમાં સાથે અભ્યાસ કરતા અને ઘરે જૂથ બનાવીને રહેતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વ્યાખ્યાની દૃષ્ટિએ જે લોકોની જન્મની ભાષા અંગ્રેજી છે તેઓ અને જે લોકો ઘરે એક કરતાં વધારે ભાષા બોલે છે તેમને બાકાત રાખવામાં આવ્યા છે. યુનાઇટેડ કિંગડમ (6.1 કરોડ),ધ કેમ્બ્રિજ એનસાઇક્લોપેડિયા ઓફ ધ ઇન્ગલિશ લેન્ગવેજ, 2જી આવૃત્તિ, ક્રિસ્ટલ ડેવિડ; કેમ્બ્રિજ, યુકે: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, [1995 (2003-08-03).] કેનેડા (1.82 કરોડ),કેનેડા પ્રાંત અને તેને લગતા પ્રદેશોની ગણતરી2006 અનુસાર માતૃભાષા અને ઉંમર જૂથ આધારિત વસતી 20 ટકા નમૂનાની માહિતી , વસતી ગણતરી 2006, કેનેડાના આંકડાઓ ઓસ્ટ્રેલિયા (1.55 કરોડ),ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ તરફથી મેળવવામાં આવેલી વસતી ગણતરીની માહિતી ઘરમાં બોલાતી મુખ્ય ભાષા. દર્શાવેલા આંકડાઓ એવી વ્યક્તિઓની સંખ્યા સૂચવે છે કે જેઓ ઘરમાં માત્ર અંગ્રેજી ભાષા બોલે છે. નાઇજિરિયા (40 લાખ),નાઇજિરિયન પિડજિન ભાષા બોલનારા લોકોની સંખ્યા, પિડજિન કે ક્રિઓલ ભાષા અંગ્રેજી ઉપર આધારિત છે. ઇહેમિયર દર્શાવે છે કે અંદાજે 30થી 50 લાખ લોકો જન્મની ભાષા બોલે છે. આ કોષ્ટકમાં અંદાજના મધ્ય બિંદુની સંખ્યા લેવામાં આવી છે. ઇહેમિયર, કેલેચુક્વુ ઉચેચુક્વુ. 2006). "અ બેઝિક ડિસ્ક્રિપ્શન એન્ડ એનાલિટિક ટ્રિટમેન્ટ ઓફ નાઉન ક્લોઝિસ ઇન નાઇજિરિયન પિડજિન ." નોર્ડિક જરનલ ઓફ આફ્રિકન સ્ટડિઝ 15 (3): 296-313. આયર્લેન્ડ (38 લાખ), દક્ષિણ આફ્રિકા (37 લાખ),સેન્સસ ઇન બ્રિફ , પા. નં. 15 (કોષ્ટક 2.5), 2001 વસતી ગણતરી, દક્ષિણ આફ્રિકાના આંકડાઓ ન્યૂ ઝિલેન્ડ (36 લાખ) વસતી ગણતરી 2006.(માઇક્રોસોફ્ટ એક્સેલ ફાઇલ્સની કડીઓ) દક્ષિણ આફ્રિકામાં જન્મની ભાષા બોલનારા લોકોની સંખ્યા દર્શાવવામાં આવી નથી. પરંતુ જે લોકો માત્ર અંગ્રેજી બોલે છે તે લોકોની સંખ્યા અંદાજે 30,08,058 અને કુલ 1,97,187 લોકોએ યોગ્ય જાણકારી આપી નથી તેવા લોકોને બાદ કરવામાં આવે તો અંગ્રેજી બોલનારા લોકોની કુલ સંખ્યા 36,73,623ની થશે. ફિલિપાઇન્સ, જમૈકા અને નાઇજિરિયા જેવા દેશોમાં પણ જન્મની ભાષા ડાયલેક્ટ કન્ટિન્યુઆ બોલનારા લોકોની સંખ્યા લાખોમાં છે. જેમાં અંગ્રેજી આધારિત ક્રિઓલ ભાષા બોલનારાથી માંડીને આધુનિક અંગ્રેજી સ્વરૂપ ધરાવનારી ભાષા બોલનારા લોકોનો સમાવેશ થાય છે. જે દેશોમાં અંગ્રેજી બીજી કે ગૌણ ભાષા તરીકે બોલાય છે તેવા દેશોમાં જોઇએ તો ભારતમાં આ ભાષા બોલનારા લોકો સૌથી વધુ છે કે જેઓ ('ભારતીય અંગ્રેજી') ભાષા બોલે છે. ક્રિસ્ટલનો એવો દાવો છે કે જન્મની ભાષા બોલનારા અને નહીં બોલનારા લોકોને સંયુક્ત રીતે ગણવામાં આવે તો વિશ્વમાં અંગ્રેજી બોલતા હોય અને સમજી શકતા હોય તેવા લોકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.સબકોન્ટિનેન્ટ રેઇઝિસ ઇટ્સ વોઇશ, ક્રિસ્ટલ, ડેવિડ; ગાર્ડિયન સાપ્તાહિકઃ શુક્રવાર 19મી નવેમ્બર 2004.યંગ ઝ્હાઓ; કેઇથ .પી. કેમ્પબેલ (1995). "ઇન્ગલિશ ઇન ચાઇના". વર્લ્ડ ઇન્ગલિશિસ 14 (3): 377-390. હોંગકોંગ દ્વારા અધિક 25 લાખ અંગ્રેજી બોલનારાઓનું પ્રદાન (1996ની વસતી ગણતરી અનુસાર). ભાષા બોલનારા લોકોને આધારે દેશના ક્રમ ક્રમ દેશ કુલ સંખ્યા વસતીની ટકાવારી પ્રથમ ભાષા અધિક ભાષા તરીકે વસ્તી ટિપ્પણી 1 યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) 251,388,301 96% 215,423,557 35,964,744 262,375,152 સ્રોતઃ યુએસ વસતી ગણતરી 2000: ભાષાનો ઉપયોગ અને અંગ્રેજી બોલવાની ક્ષમતા:2000, કોષ્ટક 1. બીજી ભાષા તરીકે અંગ્રેજી બોલનારા લોકોની સંખ્યા તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘરે અંગ્રેજી ભાષા નથી બોલતા પરંતુ તેઓ અંગ્રેજી ભાષા "સારી" અથવા તો "ખૂબ જ સારી" રીતે જાણે છે. નોંધઃ આ આંકડાઓ 5 કે તેથી વધુ ઉંમર ધરાવતી વસતીમાંથી લેવામાં આવ્યા છે. 2 ભારત 90,000,000 8% 178,598 બીજી ભાષા તરીકે બોલનારા લોકોની સંખ્યા 6,50,00,000 ત્રીજી ભાષા તરીકે બોલનારા લોકોની સંખ્યા 2,50,00,000 1,028,737,436 જે લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ બીજી ભાષા અને ત્રીજી ભાષા તરીકે કરે છે તે તમામ લોકોનો સમાવેશ આ આંકડાઓમાં કરવામાં આવ્યો છે. આંકડાઓ 1991ની સાલના છે.ભારતની વસતી ગણતરી ભારતીય વસતી ગણતરી, અંક 10, 2003, પીપી. 8-10, (લેખ: વસતી ગણતરીમાં પશ્ચિમ બંગાળની ભાષાઓ અને સર્વેક્ષણો દ્વિભાષીયતા તેમજ ત્રિભાષિયતા).ટ્રોફ, હર્બર્ટ એસ. 2004. ઇન્ડિયા એન્ડ ઇટ્સ લેન્ગવેજિસ . સિમેન્સ એજી, મ્યુનિચ આ આંકડાઓમાં અંગ્રેજી ભાષા બોલનારા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરનારાઓ નો નહીં."અંગ્રેજી બોલનારા" અને "અંગ્રેજીના વપરાશકર્તા" વચ્ચેનો ભેદ સમજવા માટે જુઓ ટીઇએસઓએલ-ઇન્ડિયા (ટિચર્સ ઓફ ઇન્ગલિશ ટુ સ્પિકર્સ ઓફ અધર લેન્ગ્વેજિસ તેમના લેખમાં વિકિપિડિયાના અગાઉના આ જ લેખમાં દર્શાવેલા 35 કરોડ લોકો વચ્ચેના ભેદનું નિરૂપણ કરે છે. જેમાં વધારે સંભવિત સંખ્યા 9 કરોડની લાગે છે. 3 નાઇજિરિયા 79,000,000 53% 4,000,000 >75,000,000 148,000,000 આ આંકડાઓ નાઇજિરિયાની પિડગિન ભાષા બોલનારા લોકોના છે. પિડગિન અંગ્રેજી ભાષા ઉપર આધારિત પ્રાંતીય ભાષા હોય છે. ઇહેમિરના જણાવ્યા અનુસાર આશરે 30થી 50 લાખ લોકો જન્મની ભાષાનો પ્રયોગ કરે છે. કોષ્ટકમાં દર્શાવેલી સંખ્યા આ અંદાજનું મધ્યબિંદુ છે. ઇહેમિર, કેલેચુક્વુ ઉચેચુક્વુ 2006). "નાઇજિરિયન પિડગિન ભાષાના નામ વાક્યાંશોનું પાયાનું વર્ણન અને વિષય નિરૂપણનું વિશ્લેષણ " નોર્ડિક જરનલ ઓફ આફ્રિકન સ્ટડીઝ 15(3): 296-313. 4 યુનાઇટેડ કિંગડમ 59,600,000 98% 58,100,000 1,500,000 60,000,000 સ્રોતઃ કેરિસ્ટલ (2005), પી. 109. 5 ફિલિપાઈન્સ 48,800,000 52% 3,427,000 45,373,000 92,000,000 બોલનારાની કુલ સંખ્યાઃ વસતી ગણતરી 2000 7ના આંકડા કરતાં ઉપરની ટેક્સ્ટમાં 5 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવનારા 6.67 કરોડ લોકો પૈકી 63.71 ટકા લોકો અંગ્રેજી બોલી શકે છે. માતૃભાષાના બોલનારા: વસતી ગણતરી 1995 એન્ડ્રુ ગોન્ઝાલેસના લેખ ધ લેન્ગ્વેજ પ્લાનિંગ સિચ્યુએશન ઇન ફિલિપાઇન્સ, બહુભાષી અને બહુસાંસ્કૃતિક વિકાસ અંગેના સામયિકમાં જણાવ્યા અનુસાર, 19 (5 અને 6), 487-525. (1998) ઇથેનોલોગની યાદી અનુસાર જન્મની ભાષા બોલનારા 34 લાખ લોકો પૈકી 52 ટકા લોકો અંગ્રેજીને અધિક ભાષા તરીકે બોલે છે. 6 કેનેડા 25,246,220 85% 17,694,830 7,551,390 29,639,030 સ્રોતઃ 2001ની વસતી ગણતરી- અધિકૃત ભાષાઓ નું જ્ઞાન અને માતૃભાષા . જન્મની ભાષા બોલનારા પૈકી 1,22,660 લોકોની માતૃભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ બંને હતી. જ્યારે 1,75,72,170 લોકોની માતૃભાષા અંગ્રેજી હતી ફ્રેન્ચ નહીં. 7 ઓસ્ટ્રેલિયા 18,172,989 92% 15,581,329 2,591,660 19,855,288 સ્રોતઃ 2006ની વસતી ગણતરી. પ્રથમ ભાષા અંગ્રેજીનાં ખાનાંમાં દર્શાવવામાં આવેલા આંકડાઓ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓનાં આંકડા છે કે જેઓ ઘરે પણ અંગ્રેજી ભાષા બોલે છે. અધિક ભાષા અંગ્રેજીનાં ખાનાંમાં દર્શાવવામાં આવેલા આંકડાઓ અન્ય દેશોના રહેવાસીઓના આંકડાઓ છે જેમનો દાવો છે કે તેઓ અંગ્રેજી "સારી" અથવા તો "ખૂબ જ સારી" રીતે બોલી શકે છે. અન્ય 5 ટકા લોકોએ તેમની ઘરની ભાષા કે અંગ્રેજી ભાષાની કૌશલ્યતા અંગેની સ્થિતિ જણાવી નહોતી નોંધઃ કુલ= પ્રથમ ભાષા+અન્ય ભાષા; ટકાવારી = કુલ/વસતી એવા દેશો કે જ્યાં અંગ્રેજી મુખ્ય ભાષા છે એન્ગ્વિલા, એન્ટિગુઆ અને બાર્બુડામાં અંગ્રેજી પ્રાથમિક ભાષા છે. ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલિયાઇ અંગ્રેજી), બાહમાસ, બાર્બાડોસ, બેલાઇઝ (બેલિઝિયન ક્રિઓલ), બર્મુડા, બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી, બ્રિટિશ વર્જિન ટાપુઓ, કેનેડા (કેનેડિયન અંગ્રેજી), કેમેન ટાપુઓ, ફાકલેન્ડ ટાપુઓ, જિબ્રાલ્ટાર, ગ્રેનાડા, ગુઆમ, ગર્નસી, (ચેનલ આઇલેન્ડ અંગ્રેજી), ગયાના આયર્લેન્ડ, (હાઇબેર્નો-અંગ્રેજી), આઇસત ઓફ મેન (મેન્ક્સ અંગ્રેજી), જમૈકા (જમૈકન અંગ્રેજી), જર્સી, મોન્સ્ટેરાટ, (નૌરુ), ન્યૂ ઝિલેન્ડ (ન્યૂઝિલેન્ડ અંગ્રેજી), પિટકેરિયન ટાપુઓ, સેઇન્ટ હેલેના, સેઇન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેઇન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડાઇન્સ, સિંગાપુર, દક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ, ટ્રિનિદાદ અને ટોબાગો, તુર્ક્સ અને કાઇકોસ ટાપુઓ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ. ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, ફિજી, ગામ્બિયા, ઘાના, ભારત, કેન્યા, કિરિબાતી, લેસોથો, લાઇબેરિયા, મેડાગાસ્કર, માલ્ટા, માર્શલ ટાપુઓ, મોરેશિયાસ નામિબિયા, નાઇજિરિયા, પાકિસ્તાન, પલાઉ, પાપુઆ, ન્યૂ ગયાના, ફિલિપાઇન્સ (ફિલિપાઇન અંગ્રેજી), રવાન્ડા, સેઇન્ટ લ્યુસિયા, સામોઆ, સિશિલિસ, સિએરા લેઓન, સોલોમન ટાપુઓ, શ્રીલંકા, સુદાન, સ્વાઝિલલેન્ડ, તાન્ઝાનિયા, યુગાન્ડા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે. આ એવી 11 અધિકૃત ભાષાઓ પૈકીની એક છે કે જેને દક્ષિણ આફ્રિકામાં સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. (દક્ષિણ આફ્રિકી અંગ્રેજી) ઓસ્ટ્રેલિયાના હાલના આનુસંગિક પ્રાંતોમાં પણ અંગ્રેજીને અધિકૃત ભાષા તરીકે માનવામાં આવી છે.(નોરફોક ટાપુ, ક્રિસમસ ટાપુ અને કોકોસ ટાપુ) અને યુનાઇટેડ સ્ટેટ્સમાં (અમેરિકન સામોઆ, ગુઆમ, ઉત્તર મારિયાના ટાપુઓ, પ્યુઅર્ટો રિકો અને યુએસ વર્જિન ટાપુઓ). અને હોંગકોંગની જૂની બ્રિટિશ વસાહત. (વધુ માહિતી માટે જુઓ જે દેશોમાં અંગ્રેજી અધિકૃત ભાષા તરીકે ગણવામાં આવે છે તેની યાદી) યુનાઇટેડ સ્ટેટ્સ કે યુનાઇટેડ કિંગડમમાં અંગ્રેજી અધિકૃત ભાષા નથી.લેન્ગ્વેજિસ સ્પોકન ઇન ધ યુએસ, નેશનલ વર્ચ્યુઅલ ટ્રાન્સલેશન સેન્ટર, 2006.યુએસ ઇન્ગલિશ ફાઉન્ડેશન , ઓફિશિયલ લેન્ગ્વેજ રિસર્ચ યુનાઇટેડ કિંગડમ. યુએસની સરકારમાં કોઇ જ અધિકૃત ભાષા ન હોવાને કારણે 50 રાજ્યોની સરકારો પૈકી 30 રાજ્યોની સરકારે અંગ્રેજીને અધિકૃત ભાષાનો દરજ્જો આપ્યો છે. અધિકૃત ભાષાનો દરજ્જો મળ્યો ન હોવા છતાં પણ યુનાઇટેડ કિંગડમની કેટલીક જૂની વસાહતો અને તેના દ્વારા રક્ષિત રાષ્ટ્રો જેવા કે બહેરિન, બ્રુનેઇ, બાંગ્લાદેશ, મલેશિયા અને યુનાઇટેડ આરબ અમિરાતમાં અંગ્રેજી મહત્વની ભાષા ગણાય છે. અંગ્રેજીને ઇઝરાયેલની ડિ જ્યુર અધિકૃત ભાષા ગણવામાં આવતી નથી. જોકે આ ભાષાએ અધિકૃત ભાષાનો ઉપયોગ યથાવત રાખ્યો છે. ડિ ફેક્ટો બ્રિટિશ ચૂકાદાથી ચાલતી આવતી અંગ્રેજીની ભૂમિકા.મલ્ટિલિન્ગ્વિયાલિઝમ ઇન ઇઝરાયેલ , લેન્ગ્વેજ પોલિસી રિસર્ચ સેન્ટર અંગ્રેજી વૈશ્વિક ભાષા તરીકે અંગ્રેજી બહોળા પ્રમાણમાં બોલાતી હોવાને કારણે ઘણી વખત તેને "વિશ્વ ભાષા" તરીકે સંબોધવામાં આવે છે. જેને આધુનિક જમાનાની લિન્ગ્વા ફ્રાન્કા ગણી શકાય. મોટાભાગના દેશોમાં અંગ્રેજીને અધિકૃત ભાષા ગણવામાં ન આવતી હોવાથી હાલમાં તે એવી ભાષા છે કે જેને સમગ્ર વિશ્વમાં વિદેશી ભાષા તરીકે શીખવવામાં આવે છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ (જેવા કે ડેવિડ ગ્રેડોલ)નું માનવું છે કે આ ભાષા "જન્મની અંગ્રેજી બોલનારા લોકો"ની સાંસ્કૃતિક સંપત્તિ નથી. પરંતુ જેમ જેમ આ ભાષા વિકાસ પામી તેમ તેમ તેણે વિશ્વભરની સંસ્કૃતિને તેનામાં સમાવી છે. આંતરરાષ્ટ્રીય સંધિ અનુસાર તેને હવાઇ અને દરિયાઇ સંચાર માધ્યમ માટેની અધિકૃત ભાષા ગણવામાં આવે છે. અંગ્રેજી સંયુક્ત રાષ્ટ્રસંઘની અધિકૃત ભાષા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સહિતના ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોની તે અધિકૃત ભાષા છે. યુરોપીય દેશોમાં અંગ્રેજી સૌથી વધુ વિદેશી ભાષા તરીકે ભણવામાં આવે છે. (89 ટકા શાળાનાં બાળકો), ત્યારબાદ ફ્રેન્ચ (32 ટકા), જર્મન (18 ટકા), સ્પેનિશ (8 ટકા) અને રિશયન ભણવામાં આવે છે; જ્યારે યુરોપમાં વિદેશી ભાષાની ઉપયોગિતામાં જોઇએ તો 68 ટકા અંગ્રેજી, 25 ટકા ફ્રેન્ચ, 22 ટકા જર્મન અને 16 ટકા સ્પેનિશનો ઉપયોગ થાય છે.યુરોબેરોમિટર દ્વારા વર્ષ 2006માં કરવામાં આવેલું સર્વેક્ષણ , યુરોપીય દેશોની અધિકૃત ભાષાઓ ની વેબસાઇટમાં અંગ્રેજી નહીં બોલનારા યુરોપીય દેશોમાં ટકાવારીની દૃષ્ટિએ મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાતચીત કરી શકે છે. (નોંધનીય છે કે ટકાવારી વયસ્ક લોકોની વસતીમાંથી લીધી છે કે જેમની ઉંમર 15 વર્ષ કે તેથી વધુની છે.) સ્વિડનમાં (85 ટકા), ડેનમાર્કમાં (83 ટકા), નેધરલેન્ડમાં (79 ટકા), લક્ઝેમ્બર્ગમાં (66 ટકા), ફિનલેન્ડમાં (60 ટકા), સ્લોવેનિયામાં (56 ટકા), ઓસ્ટ્રિયામાં (53 ટકા), બેલ્જિયમમાં (52 ટકા) અને જર્મનીમાં (51 ટકા). અંગ્રેજી ભાષામાં છપાતાં પુસ્તકો, સામાયિકો અને અખબારો વિશ્વના ઘણા દેશોમાં મળે છે. વિજ્ઞાનમાં પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ ખૂબ જ સહજતાથી થાય છે. વર્ષ 1997માં સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સે નોંધ્યું હતું કે વિજ્ઞાનને લગતા 95 ટકા લેખો અંગ્રેજી ભાષામાં લખાયા હતા. જે પૈકીના અંગ્રેજી ભાષા બોલનારા દેશોના લેખકોના લેખો માત્ર અડધી માત્રામાં જ હતા. અંગ્રેજી ભાષા નવી વૈશ્વિક લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ હોવાને કારણે તેણે બીજી ભાષાઓ ઉપર વિપરીત અસર કરવાની શરૂ કરી છે. લાંબે ગાળે તે ભાષામાં બદલાવ આણે છે તો કેટલીક વખત નબળી ભાષાને ખતમ પણ કરી નાખે છે. આ કારણોસર જ ભાષાશાસ્ત્રીઓએ તેને "અંગ્રેજી ભાષાનો સામ્રાજ્યવાદ" નામનો પારિભાષિક શબ્દ આપ્યો છે.જામ્બોર, પૌલ ઝેડ.' ઇન્ગલિશ લેન્ગવેજ ઇમ્પિરિયાલિઝમઃ પોઇન્ટ્સ ઓફ વ્યૂ' , જર્નલ ઓફ ઇન્ગલિશ એઝ એન ઇન્ટરનેશનલ લેન્ગવેજ, એપ્રિલ 2007- ગ્રંથ 1 પા. નં. 103-123 (વર્ષ 2007માં દાખલ) તળપદી ભાષા અને પ્રાદેશિક વિવિધતા બ્રિટિશ રાજનાં વિસ્તરણથી લઇને બીજાં વિશ્વ યુદ્ધ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રભુત્વએ અંગ્રેજીનોપ્રસાર સમગ્ર વિશ્વમાં કર્યો. વિશ્વવ્યાપકતાને કારણે અંગ્રેજી ભાષાએ ઘણી અંગ્રેજી બોલીઓ અને અંગ્રેજી આધારિત ક્રિઓલ ભાષાઓ તેમજ પિડજિન્સ વિકસાવી અંગ્રેજીની બે શિક્ષિત બોલીઓને સમગ્ર વિશ્વસ્તરે બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડ્યો- એક હતી દક્ષિણ બ્રિટિશની શિક્ષિત ભાષા અને બીજી હતી શિક્ષિત મધ્યપશ્ચિમી અમેરિકન ભૂતપૂર્વ ભાષાને કેટલીક વખત બીબીસી (અથવા તો રાણીની) અંગ્રેજી ભાષા કહેવામાં આવતી. આ ભાષા કદાચ તેના "અધિકૃત ઉચ્ચારણો"ને કારણે ધ્યાનાકર્ષક બની હશે. આ ભાષા કેમ્બ્રિજ પ્રતિકૃતિના નમૂનારૂપ છે. યુરોપ, આફ્રિકા અને ભારતીય ઉપખંડોમાં અન્ય ભાષા બોલનારા લોકોને અંગ્રેજી શીખવવા માટે તેનું ધોરણ ઉત્તમ ગણવામાં આવે છે. ઉપરાંત બ્રિટિશ કોમનવેલ્થ દ્વારા પ્રભાવિત કે પછી યુએસ સાથે પોતાની જાતને ન સરખાવવા ઇચ્છતા રાષ્ટ્રો પણ આ ધોરણને માન્ય રાખે છે. પાછળથી અસ્તિત્વમાં આવેલી જનરલ અમેરિકન બોલી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં બહોળા પ્રમાણમાં ફેલાયેલી છે. આ અમેરિકી ઉપખંડ અને તેના વિસ્તારો (જેવાકે ફિલિપાઇન્સ)ની પ્રતિકૃતિ છે. આ પ્રકારના દેશોને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ગાઢ સંબંધ છે અથવા તો તેઓ તે દેશ સાથે સરખાવવા ઇચ્છે છે. આ બે મહત્વની બોલીઓ ઉપરાંત અંગ્રેજીમાં સંખ્યાબંધ વિવિધ પ્રકારની બોલીઓ અસ્તિત્વમાં છે. જેમાં ઘણા કિસ્સાઓમાં પેટાબોલીઓ જેવી કે બ્રિટિશ અંગ્રેજીમાં; કોકની, સ્કાઉસ અને જ્યોર્ડીનો સમાવેશ થાય છે. કેનેડિયન અંગ્રેજીમાં; ન્યૂફાઉન્ડલેન્ડ અંગ્રેજી અને આફ્રિકન અમેરિકન સ્થાનિક અંગ્રેજીમાં ("ઇબોનિક્સ") તેમજ અમેરિકન અંગ્રેજીમાં દક્ષિણ અમેરિકી અંગ્રેજીનો સમાવેશ થાય છે. અંગ્રેજી અનેકત્વ ધરાવનારી ભાષા છે. તેની કોઇ મધ્ય કે સત્તાધિશ ભાષા નથી જેવી રીતે ફ્રાન્સમાં એકેડેમી ફ્રાન્કાઇસ છે તેમ અંગ્રેજીમાં કંઇ જ નથી; એટલા માટે જ કોઇ એક પ્રકારની અંગ્રેજી ભાષાને "સાચી" કે "ખોટી" ગણવામાં નથી આવતી. સિવાયકે એવો કોઇ એક ચોક્કસ વર્ગ કે જે ભાષા થકી દોરવાતો હોય. {{0}સ્કોટ્સ ભાષાનાં મૂળિયાં ઉત્તરીય મધ્ય અંગ્રેજીએઇટકેન, એ.જે. એન્ડ મેકાર્થર, ટી. ઇડીએસ. (1979) લેન્ગવેજિસ ઓફ સ્કોટલેન્ડ . એડિનબર્ગ, ચેમ્બર્સ. પી. 87માંથી ઉતરી આવ્યા છે. અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે. પરંતુ એક્ટ્સ ઓફ યુનિયન 1707 બાદ ભાષાની ક્ષીણ થવાની પ્રક્રિયા શરૂ થઇ. ત્યારબાદની પેઢીએ વધુને વધુ આધુનિક અંગ્રેજી ભાષાનો સ્વીકાર કરવાની શરૂઆત કરી જેના પરિણામે તે એક બોલી બનીને રહી ગઇ. હાલમાં ભલે તે અંગ્રેજીની એક અલગ ભાષા કે બોલી હોય તેને સ્કોટિશ અંગ્રેજી તરીકે ગણાવી શકાય. આ ભાષા હાલમાં વિવાદાસ્પદ છે. જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે. ઉપરાંત તેને યુરોપિયન ચાર્ટર ફોર રિજનલ એન્ડ માઇનોરિટી લેન્ગવેજિસ અંતર્ગત આવરી લેવામાં આવી છે.<ref>યુનાઇટેડ કિંગડમ દ્વારા સુપરત કરવામાં આવેલો બીજો અહેવાલ જે કલમ 25ના 1લા ફકરા રાષ્ટ્રીય લઘુમતીઓના રક્ષણની જોગવાઇઓને અનુસરે છે.' </ref> સ્કોટ્સની પ્રાદેશિક બોલીઓ પણ સંખ્યાબંધ છે અને આ ભાષાનાં ઉચ્ચારણો, વ્યાકરણ અને નિયમો અલગ છે. ઘણી વખત તો તે અંગ્રેજી ભાષા કરતાં પણ નોંધપાત્ર રીતે જુદા પડે છે. અંગ્રેજી બોલનારા લોકોની લઢણ ઘણી અલગ હોય છે જેના કારણે તે વ્યક્તિની જન્મની બોલી કે ભાષાનો સંકેત મળી જાય છે. પ્રાદેશિક ભાષા બોલનારાની લઢણના ભેદને વધુ સ્પષ્ટ રીતે સમજવો હોય તો જુઓ રિજનલ એસેન્ટ્સ ઓફ ઇન્ગલિશ અને પ્રાદેશિક બોલીઓના ભેદને તેમજ લક્ષણોને વધુ સ્પષ્ટ રીતે સમજવા હોય તો જુઓ અંગ્રેજી ભાષાની બોલીઓની યાદી. ઇંગ્લેન્ડમાં વ્યાકરણ અને શબ્દભંડોળ કરતા તફાવત ઉચ્ચારણો વચ્ચે મર્યાદિત બની ગયો છે. સર્વે ઓફ ઇન્ગલિશ ડાયલેક્ટ્સના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં વ્યાકરણ અને શબ્દભંડોળ અલગઅલગ હતા. પરંતુ નિયમો ક્ષીણ થતા ગયા તેમતેમ તફાવતો કે અલગતા મરી પરવારી.પિટર ટ્રડગિલ, ધ ડાયલેક્ટ્સ ઓફ ઇંગ્લેન્ડ 2જી આવૃત્તિ, પાનું 125, બ્લેકવેલ, ઓક્સફર્ડ, 2002 પોતાના ઇતિહાસ દરમિયાન અંગ્રેજી ભાષાએ ઘણી બધી ભાષામાંથી શબ્દો લીધા હોવાને કારણે ઇન્ગલિશ લોનવર્ડ હવે વિશ્વભરની ઘણી ભાષામાં જોવા મળે છે. જે તેના બોલનારાનો તકનિકી અને સાંસ્કૃતિક પ્રભુત્વને પ્રતિબિંબિત કરે છે. કેટલીક પિડજિન્સ અને ક્રિઓલ ભાષાઓ અંગ્રેજીના આધાર ઉપર બનેલી છે. જેમ કે જમૈકન પેટોઇસ, નાઇજિરિયન પિડજિન અને ટોક પિસિન. અંગ્રેજી ભાષામાંના અમુક શબ્દો બિન અંગ્રેજી ભાષાના રૂપોનું વિવરણ કરે છે. આ બિન અંગ્રેજી ભાષામાં અંગ્રેજી ભાષાનો હિસ્સો વિશાળ માત્રામાં હોય છે. અંગ્રેજીની નિર્માણ પામેલી વિવિધતા પાયાનું અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે સરળ બનાવવામાં આવ્યું છે. ઉત્પાદકો અને અન્ય આંતરરાષ્ટ્રીય વેપારમાં પત્રાચાર કે અન્ય પ્રકારના સંપર્કો પાયાના અંગ્રેજીમાં કરવામાં આવે છે. એશિયાની કેટલીક શાળાઓમાં શરૂઆત કરનારા લોકો માટે અંગ્રેજી વિષયનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. ઇ-પ્રાઇમે ટુ બી નાં ક્રિયાપદનાં રૂપો કાઢી નાખ્યા છે. અંગ્રેજીમાં સુધારો એ અંગ્રેજી ભાષામાં દોષ દૂર કરીને તેને સુધારવાનો સામૂહિક પ્રયાસ છે. હાથની સંજ્ઞાઓ દ્વારા અંગ્રેજીનું જ્ઞાન જેમાં હાથની આંગળીઓ દ્વારા સંજ્ઞા બનાવીને અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવે છે. આ પદ્ધતિ મૂક-બધિરો માટે વિકસાવવામાં આવી છે. આને સાચી નિશાનીઓની ભાષા માનવાની ભૂલ ન કરવી જોઇએ. જેમ કે બ્રિટિશ સાંકેતિક ભાષા અને અમેરિકી સાંકેતિક ભાષા એન્ગ્લોફોન દેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ભાષાઓ સ્વતંત્ર છે અને તે અંગ્રેજી ઉપર આધારિત નથી. સિસ્પિક અને તેને આધારિત એરસ્પિક તેમજ પોલિસસ્પિક તમામના શબ્દભંડોળ મર્યાદિત છે. વર્ષ 1980માં એડવર્ડ જ્હોન્સન દ્વારા કેટલાક વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંચાર માટે આ ભાષાઓ વિકસાવવામાં આવી હતી. ચેનલ ટનલમાં ઉપયોગમાં લેવા માટે ટનલસ્પિક ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. ખાસ અંગ્રેજી એ અંગ્રેજીનું સરળ સ્વરૂપ છે જેનો ઉપયોગ વોઇસ ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવે છે. આમાં માત્ર 1500 શબ્દોનાં શબ્દભંડોળનો જ ઉપયોગ કરવામાં આવે છે. ધ્વનિશાસ્ત્ર સ્વરનો ઉચ્ચાર આ ભાષાના સ્વરો છે જે દરેક પ્રાંત પ્રમાણે જુદા પડે છે. કેટલીક ઉત્તર અમેરિકી અંગ્રેજી બોલીઓમાં લંબાઇની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આઇપીએ (IPA) વર્ણન શબ્દ દેખીતી રીતે ગુણવત્તાવાળા સ્વરો નિમ્ન અગ્ર બિનવર્તુળાકાર સ્વર બી ડી નિમ્ન મધ્ય અગ્ર મધ્ય બિનવર્તુળાકાર સ્વર બી ડી ઉચ્ચ મધ્ય અગ્ર બિનવર્તુળાકાર સ્વર બી ડીઆરપીમાં તેની ખૂબ જ નજીક છે ઉચ્ચ અગ્ર બિનવર્તુળાકાર સ્વર બી ડીઆરપીમાં બોલનારા યુવાવર્ગમાં તે ખૂબ જ નજીક છે ઉચ્ચ પૃષ્ઠ વર્તુળાકાર સ્વર બી એક્સઅમેરિકાની ઘણી તળપદી અંગ્રેજીમાં આ ધ્વનિનો અભાવ જોવા મળે છે. કેટલીક ભાષાઓ કે શબ્દોમાં આ ધ્વનિનું ઉચ્ચારણ સાથે અથવા. જુઓ લોટ-ક્લોથ સ્પ્લિટ . ઉચ્ચ મધ્ય પૃષ્ઠ વર્તુળાકાર સ્વર પી ઇડીકેટલીક ઉત્તર અમેરિકી અંગ્રેજી ભાષામાં આ સ્વર નથી. જુઓ કોટ- કૉટ મર્જર . ઉચ્ચ પૃષ્ઠ બિનવર્તુળાકાર સ્વર બીઆર નિમ્નમધ્ય મધ્યપૃષ્ઠ સ્વર જી ડી નિમ્નપૃષ્ઠ વર્તુળાકાર સ્વર બી ઇડીઅક્ષર <યુ > કેટલીક વખત ગ્રીક વર્ણમાળાના નવમા અક્ષરનું પ્રતિનિધિત્વ કરી શકે છે. બીઆરપીમાં ગ્રીક વર્ણમાળાનો નવમો સ્વર જો પાછળ,, આવતો હોય અથવા તો તેની અગાઉનો વ્યંજન તાલવ્ય બને છે. તેમજ તેને વાળે છે,, અને તે અનુક્રમે ટ્યુન , ડ્યુરિંગ , શુગર અને એઝ્યોર નામના શબ્દોમાં જોિ શકાય છે. અમેરિકન અંગ્રેજીમાં જ્યાં સુધી શબ્દની પાછળ આર ન લાગે ત્યાં સુધી તે તાલવ્ય નથી બનતો. જેના પરિણામે તે વળે છે,, અને જેને અનુક્રમે નેચર , વર્જર , શ્યોર અને ટ્રેઝર નામના શબ્દમાં જોઇ શકાય છે. ઉચ્ચ મધ્ય પૃષ્ઠ બિનવર્તુળાકાર સ્વર, ઉચ્ચ મધ્ય સ્વરપાછલા સ્વરનું પ્રતીક એ આ અંગ્રેજી મધ્ય સ્વરમાં રૂઢિગત છે. ખરેખર તો સામાન્યતઃ તે વધારે નજીક છે. ઉત્તરીય ઇંગ્લેન્ડના ભાગોમાં આ સ્વરનો ઉપયોગ કરવામાં આવતો નથી, અને તેનો ઉપયોગ તેની જગ્યાએ જ થાય છે. બી ડી ઉચ્ચમધ્ય મધ્ય બિનવર્તુળાકાર સ્વર બી ડીઆ ધ્વનિનું ઉત્તર અમેરિકી સ્વરૂપ ર્હોટિક સ્વર છે અને આરપી સ્વરૂપ લંબ મધ્ય સ્વર છે. શ્વા અથવા સ્વા આરઓએસ પોસ્ટઓફ એસઉત્તર અમેરિકી અંગ્રેજી બોલનારા ઘણા લોકો ભાર દીધા વિનના આ બે સ્વરો વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. તેમના માટે રોઝિસ અને રોઝાસ નું ઉચ્ચારણ સરખું જ થાય છે અને તેના માટે સામાન્યતઃ સ્ક્વા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. નિમ્ન મધ્ય બિનવર્તુળાકાર સ્વર આરઓએસએસઘણી વખત આ ધ્વનિની નકલ સાથે અથવા તો સાથે. સંધ્યક્ષર નિમ્નમધ્ય અગ્ર બિનવર્તુળાકાર સ્વર- નિમ્ન અગ્ર બિનવર્તુળાકાર સ્વર બી ઇડીસામાન્ય અમેરિકન, સ્કોટિશ, આઇરિશ અને ઉત્તરીય અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓમાં સંયુક્ત સ્વર અને સમાન ગુણવત્તાવાળા સ્વર નિમ્ન મધ્ય પૃષ્ઠ વર્તુળાકાર સ્વર- નિમ્ન મધ્ય પૃષ્ઠ મધ્ય સ્વર બી ડીઇઆરપીમાં ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં તે નજીક હોય છે. ઘટતા જતા સ્વર તરીકે તે (અન્ય સ્વરની આગળ પણ આવી શકે છે) અથવા તો તે બોલી ઉપર આધારિત રાખે છે. ઉચ્ચ અગ્ર બિનવર્તુળાકાર સ્વર નિમ્ન મધ્ય અગ્ર મધ્ય બિનવર્તુળાકાર સ્વર સીઆરઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં (ખાસ કરીને કેનેડામાં) તે અવાજરહિત વ્યંજનની આગળ ઉચ્ચારાય છે. જેથી કરીને રાઇટર અને રાઇડર અને વચ્ચેનો ભેદ તેના સ્વરના કારણે પડે છે નહીં કે તેના વ્યંજનને કારણે. ઉચ્ચ અગ્ર બિનવર્તુળાકાર સ્વર નિમ્નમધ્ય મધ્યપૃષ્ઠ સ્વર સીકેનેડામાં આનું ઉચ્ચારણ અવાજરહિત વ્યંજનની આગળ કરવામાં આવે છે. ઉચ્ચ મધ્ય પૃષ્ઠ વર્તુળાકાર સ્વર નિમ્ન અગ્ર બિનવર્તુળાકાર સ્વર બી નિમ્ન મધ્ય અને મધ્યપૃષ્ઠ સ્વર શ્વા અથવા સ્વા બીઘણી બોલવાની લઢણોમાં આ ધ્વનિનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેના કરતા. જુઓ ઇન્ગલિશ લેન્ગવેજ હિસ્ટોરિક વોવેલ ચેન્જિસ બિફોર હિસ્ટોરિક આર. ઉચ્ચ મધ્ય અગ્ર બિનવર્તુળાકાર સ્વર શ્વા એફકેટલીક બિન રોહ્ટિક ભાષાઓમાં શ્વાને અવગણીને પડતો મૂકવામાં આવે છે તેનું એક સ્વરકીકરણ થાય છે અને ધ્વનિ લંબાય પણ છે. નોંધ વ્યંજન આ અંગ્રેજી વ્યંજન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતાં પ્રતીકો છે જેને આંતરરાષ્ટ્રીય ધ્વનિઉચ્ચારણના મૂળાક્ષરો (આઇપીએ)માંથી લેવામાં આવ્યા છે.  ઓષ્ઠ્યદંત્યોષ્ઠ્યદંત્યમૂર્ધન્યમૂર્ધન્યતાલવ્યતાલવ્યઓષ્ઠ્ય તાલવ્યકંઠ્યઅનુનાસિક        કેટલીક લઢણોમાં તાલવ્ય અનુનાસિક બિન ઉચ્ચારક રીતે ઉપધ્વનિ તરીકે બાલાતા હોય છે. કેટલીક ઉત્તરીય બ્રિટનની બોલીમાં તે પહેલા બોલાતા હોય છે અને. કેટલીક બોલીઓમાં તે સસ્વર પ્રકીર્ણ સ્વરમાં આવતો હોવા છતાં પણ તેનું ઉચ્ચારણ અલગથી કરવામાં આવે છે.  સ્ફોટક          સ્પર્શ સંઘર્ષી        ધ્વનિ,, અને તેઓ કેટલીક ભાષામાં ઓષ્ઠ્ય બને છે. શરૂઆતની સ્થિતિમાં ઓષ્ઠ્ય સ્વરો ક્યારેય વ્યતિરેકી ગણાતા નથી. અને તેના કારણે જ કેટલીક વખત તેની નકલ કરવામાં આવતી નથી. સામાન્ય અમેરિકી ભાષા બોલનારા લોકોને ભાન થયું કે <આર> (હંમેશા ર્હોટિસાઇઝ્ડ) ભાગેથી અંદરની બાજુએથી બોલાય છે, આ જ વસ્તુ સ્કોટિશ અંગ્રેજી ભાષામાં જ જોવા મળી, વગેરે જેને મૂર્ધન્ય પ્રત્યાવરણ અથવા તો લંબાવીને ઉચ્ચારણ કરવું ગણાવી શકાય.      સંઘર્ષી  કોકની જેવી કેટલીક ભાષાઓમાં આંતરદંતવ્ય અને સામાન્યતઃ સાથે ભળી જાય છે અને, અને અન્ય ભાષાઓ જેવી કે આફ્રિકન અમેરિકન સ્થાનિક અંગ્રેજીમાં તે દંતવ્ય સાથે ભળી જાય છે. કેટલીક આઇરિશ બોલીઓમાં, અને દંત્ય સ્ફોટક સ્વર બની જાય છે. તેથી તે તાલવ્ય સ્ફોટક સ્વર કરતા જુદો પડે છે.મોટા ભાગની ભાષાઓમાં અવાજરહિત તાલવ્ય સંવર્ધી સ્વર માત્ર આગળ બોલવામાં આવતો ઉપધ્વનિ હોય છે. દા. ત. હ્યુમન /çjuːmən/. જોકે કેટલીક બોલીઓમાં (જુઓ ધિસ), ધ પડતાં મૂકવામાં આવ્યા છે પરંતુ શરૂઆતનાં વ્યંજનો સમાન છે.અવાજરહિત તાલવ્ય સંવર્ધી સ્વર /એક્સ/નો ઉપયોગ અંગ્રેજી બોલનારા સ્કોટિશ કે વેલ્શ લોકો દ્વારા સ્કોટ કે ગેઇલિક શબ્દો બોલનારા લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે લોક અથવા તો જર્મનીના લોનવર્ડ્ઝ માટે બોલનારા અને હિબ્રુ લોકો દ્વારા બોલવામાં આવતા શબ્દો જેમ કે બાક અથવા તો કાનુકા /xanuka/.દક્ષિણ આફ્રિકામાં બોલાતી અંગ્રેજી ભાષામાં પણ /એક્સ/નો ઉપયોગ કરવામાં આવે છે. સ્કાઉસ અને લિવરપુલ જેવી કેટલીક બોલીઓમાં અર્ધ સંવર્ધી સ્વર /કે/ના ઉપધ્વનિ તરીકે બોલાય છે જેમ કે ડોકર . થડકારાવાળો              એપ્રોક્સિમેન્ટ          સ્કોટિશ અને આઇરિશ અંગ્રેજીમાં અવાજરહિત ડબલ્યુનું ઉચ્ચારણ જોવા મળે છે. તદુપરાંત અમેરિકન, ન્યૂઝિલેન્ડ અને ઇન્ગલિશ અંગ્રેજીમાં પણ આ પ્રકારનું ઉચ્ચારણ જોવા મળે છે. મોટા ભાગની અન્ય ભાષાઓમાં તે ભળી જાય છે કેટલીક સ્કોટિશ ભાષાઓમાં પણ તે ભળી જાય છે.  પાર્શ્વિક               નોંધ અવાજ અને મહાપ્રાણ {અંગ્રેજી ભાષાના {0}વિરામ વ્યંજનોમાં અવાજ અને મહાપ્રાણ બોલી ઉપર આધાર રાખે છે પરંતુ કેટલાક સામાન્ય નિયમો આપી શકાયઃ અવાજરિહત સ્ફોટક અને અર્ધસંઘર્ષી,, અને મહાપ્રાણ ત્યારે બને છે જ્યારે વાક્યરચનામાં તે શરૂઆતમાં હોય અને તેના ઉપર ભાર આપવામાં આવતો હોય. તુલના કરો પિન અને સ્પિન , ક્રેપ અનેસ્ક્રેપ . કેટલીક બોલીઓમાં જે વાક્યરચનામાં ભાર આપવામાં ન આવતો હોય તેમાં પણ મહાપ્રાણ લંબાવવામાં આવે છે. ભારતીય અંગ્રેજી જેવી અન્ય બોલીઓમાં અવાજરહિત તમામ વિરામો મહાપ્રાણ વિનાના હોય છે. કેટલીક બોલીઓમાં શરૂઆતનો સ્ફોટક શબ્દ નિર્ઘોષી બની જાય છે. કેટલીક બોલીઓમાં શબ્દમાં છેવાડાનો અવાજરહિત સ્ફોટક છોડવામાં આવતો નથી અથવા તો કેટલીક વખત કંઠ્ય વિરામ રચે છે. ઉ.દા. ટેપ , સેક . કેટલીક બોલીઓમાં શબ્દના છેવાડે રહેલો અવાજસહિતનો સ્ફોટક કેટલીક વખત નિર્ઘોષી બની જાય છે. (દા.ત. અમેરિકી અંગ્રેજી) ઉ.દા.:સેડ , બેગ . કેટલીક ભાષાઓમાં અંતિમ સ્થિતિમાં તેને સંપૂર્ણ અવાજ સાથે ઉચ્ચારવામાં આવે છે. પરંતુ શરૂઆતની સ્થિતિમાં તેનું આંશિક ઉચ્ચારણ કરવામાં આવે છે. દેખીતી વૃત્તખંડીય લાક્ષણિકતા ધ્વનિનાં જૂથો અંગ્રેજી એ અવાજના આરોહ-અવરોડની ભાષા છે. એનો મતલબ એ થાય છે કે અવાજની ઊંચાઇ કે તીવ્રતાનો ઉપયોગ વાક્યરચનાના નિયમોનાં રૂપે કરવામાં આવે છે. દા. ત. આશ્ચર્ય કે વક્રોક્તિ દર્શાવવા માટે અથવા તો વાક્યને પ્રશ્નાર્થમાં તબદિલ કરવા માટે. અંગ્રેજી ભાષામાં આરોહ-અવરોહની પદ્ધતિ શબ્દોનાં જૂથ ઉપર આધારિત હોય છે. જેમને ધ્વનિનાં જૂથો, ધ્વનિના એકમો, આરોહ-અવરોહનાં જૂથો અથવા તો તાત્પર્ય જૂથો કહેવામાં આવે છે. ધ્વનિ જૂથો એકશ્વાસે અને પરિણામસ્વરૂપે બોલાય છે. તેમની લંબાઇ મર્યાદિત હોય છે. તેમાં સરેરાશ પાંચ શબ્દો હોય છે અને તેને બોલતા સમયગાળો અંદાજે બે સેકન્ડ જેટલો લાગે છે. ઉદાહરણ તરીકે: ડુ યુ નીડ એનિથિંગ? એટલે કે તમારે કંઇ જોઇએ છીએ? આઇ ડોન્ટ, નો એટલે કે મને ખબર નથી આઇ ડોન્ટ નો (તેનાથી વિપરીત દા. ત., અથવા ઝડપી અને બોલચાલની ભાષામાં આઇ ડોન્નો બોલાય છે જેમાં ડોન્ટ અને નો વચ્ચેનો વિરામ નીકળી જાય છે.) આરોહ-અવરોહની લાક્ષણિકતા અંગ્રેજી ભાર આપીને બોલવામાં આવતી ભાષા છે. આ પ્રકારની વાક્યરચનાના નિયમોમાં શબ્દો અને શબ્દસમૂહોનાં ઉચ્ચારણમાં અવાજની ઊંચાઇ/પ્રબળતા જોવા મળે છે જે અન્ય ભાષામાં જોવા મળતી નથી. જૂના એકસ્વરી શબ્દોને ભારયુક્ત/ભાર આપીને અને ત્યારબાદ ભારમુક્ત/ભારરહિત કહેવામાં આવતા હતા. તેથી જ વાક્યમાં દરેક ધ્વનિજૂથને એકસ્વરી શબ્દમાં વહેંચી શકાય છે.જે ભારયુક્ત કે ભારમુક્ત હોઇ શકે છે. ભારપૂર્વક બોલાતા એકસ્વરી શબ્દોને અણુકેન્દ્રીય એકસ્વરી શબ્દો કહે છે. ઉદાહરણ તરીકે: ધેટ | વોઝ | ધ | બેસ્ટ | થિંગ | યુ | કુડ | હેવ | ડન !' અહીં તમામ એકસ્વરી શબ્દો ભારરહિત છે સિવાય કે બેસ્ટ અને ડન શબ્દો આ બંને ભારયુક્ત છે. બેસ્ટ શબ્દને ખૂબ જ ભારપૂર્વક બોલવામાં આવતો હોવાથી તેને અણુકેન્દ્રીય એકસ્વરી શબ્દ કહેવાય છે. અણુકેન્દ્રીય એકસ્વરી શબ્દ બોલનાર જે વાત કહેવા માગતો હોય તેના મુખ્ય મુદ્દાને પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે: જ્હોન હેડ નોટ સ્ટોલન ધેટ મની. એટલે કે જ્હોને તે નાણાં ચોર્યાં નથી. (... બીજા કોઇએ ચોર્યાં છે.) જ્હોન હેડ નોટ સ્ટોલન ધેટ મની. (... કોઇએ કહ્યું કે તેણે ચોર્યાં છે અથવા... તે વખતે નહીં, પણ પછીથી તેણે ચોર્યાં છે.) જ્હોન હેડ નોટ સ્ટોલન ધેટ મની. (... તેણે અન્ય કોઇ કારણોસર નાણાં લીધાં હતાં.) જ્હોન હેડ નોટ સ્ટોલન ધેટ મની. (... તેણે બીજાં નાણાંની ચોરી કરી છે.) જ્હોન હેડ નોટ સ્ટોલન ધેટ મની . (... તેણે બીજી કોઇ વસ્તુની ચોરી કરી છે.) તેવી જ રીતે આઇ ડિડ નોટ ટેલ હર ધેટ.(મેં તેણીનીને તે કહ્યું નહોતું.) (... બીજા કોઇએ તેણીનીને કહ્યું હતું) આઇ ડિડ નોટ ટેલ હર ધેટ. (... તમે કહ્યું કે મેં તેને તે કહ્યું છે અથવા તો... હવે હું તેને એ કહીશ) આઇ ડિડ નોટ ટેલ હર ધેટ. (... મેં તે કહ્યું નહોતું; તેણે તેનું અનુમાન લગાવી લીધું હશે, વગેરે) આઇ ડિડ નોટ ટેલ હર ધેટ. (... મેં બીજા કોઇને કહ્યું હતું) આઇ ડિડ નોટ ટેલ હર ધેટ . (... મેં તેણીનીને કશુંક બીજું કહ્યું હતું) આનો ઉપયોગ લાગણીઓ પ્રદર્શીત કરવા માટે પણ થઇ શકે છે: ઓહ , રિયલી? એટલે કે ઓહ શું ખરેખર? (...મને તેની ખબર નહોતી) ઓહ, રિયલી ? (...મને તમારા ઉપર વિશ્વાસ નથી. અથવા... તે સ્પષ્ટ સમજી શકાય તેવું હતું) અણુકેન્દ્રી એકસ્વરી શબ્દ અન્ય શબ્દો કરતાં મોટેથી બોલાય છે અને સ્વરના આરોહમાં બદલાવ આવવો તેની લાક્ષણિકતા છે. અવાજના આરોહ-અવરોહ બદલાવવા એ અંગ્રેજીમાં સામાન્ય બાબત છે. આ ભાષામાં અવાજ મોટો થવો કે ઉપર જવો અને અવાજ નીચો જવો ઉપરાંત અવાજ નીચેથી ઉપર જવો અથવા તો ઉપરથી નીચે જવો જેવા આરોહ-અવરોહ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અવાજના ઉપર અને નીચે જવાના વિરોધાભાસ વચ્ચે અંગ્રેજી સહિતની અન્ય ભાષાઓમાં નીચે જતો અવાજ નિશ્ચિતતા સૂચવે છે જ્યારે ઉપર જતો અવાજ અનિશ્ચિતતા સૂચવે છે. જેના કારણે શબ્દોના અર્થો ઉપર ઘેરી અસર પડે છે. ખાસ કરીને અર્થનાં વલણ, તેનો સકારાત્મક, નકારાત્મક વિરોધાભાસ; આમ નીચે જતા અવાજનો મતલબ થાય છે "જાણકારીનું વલણ" જ્યારે ઊંચા જતા અવાજનો મતલબ થાય છે "નહીં જાણકારીનું વલણ". નીચે લીટી દોરેલા શબ્દોમાં પ્રશ્નોના હા/નામાં જવાબ આપતાં સ્વર ઊંચો જાય છે. ઉદાહરણ તરીકે: વ્હેન ડુ યુ વોન્ટ ટુ બી પેઇડ? એટલે કે તમને નાણાંની ચૂકવણી ક્યારે કરશો? નાઉ? એટલે કે અત્યારે? (વધતો જતો અવાજ. આકિસ્સામાં એક પ્રશ્નાર્થ મૂકી જાય છે કે "શું મને મારાં નાણાં અત્યારે મળશે?" અથવા "તમે અત્યારે નાણાંની ચૂકવણી કરવા ઇચ્છો છો?") નાઉ. એટલે કે અત્યારે (નીચે જતો અવાજ. આ કિસ્સામાં, એક ગર્ભિત વિધાન કરે છે: "મને મારાં નાણાં અત્યારે મળે તેમ હું ઇચ્છું છું.") વ્યાકરણ અન્ય ઇન્ડો-યુરોપીયન ભાષાઓની સરખામણીએ અંગ્રેજી વ્યાકરણમાં વિભક્તિ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે આધુનિક અંગ્રેજીથી વિપરીત આધુનિક જર્મન અને ડચ તેમજ રોમાન્સ ભાષાઓમાં વ્યાકરણીય લિંગનો અભાવ જોવા મળે છે. તથા વિશેષણ યુક્ત કરારનો અભાવ જોવા મળે છે. કેસના અભ્યાસ અનુસાર આ તમામ સમગ્ર ભાષાઓમાંથી નાબૂદ થઇ ગયા છે અને માત્ર સર્વનામોમાં અસ્તત્વ ધરાવે છે. વિકારકોના નમૂના (દા. ત. સ્પિક/સ્પોક/સ્પોકન વિરુદ્ધ નબળાં ક્રિયાપદો કે જેઓ મૂળ રીતે જર્મની ભાષામાંથી ઉતરી આવ્યાં હતાં તેમણે આધુનિક અંગ્રેજીમાં તેમનું મહત્વ ગુમાવી દીધું છે. તેના સ્થાને વિભક્તિઓ (જેવી કે બહુવચન પ્રદર્શીત કરતી)નો વપરાશ નિયમિત બન્યો છે. સમય જતાં ભાષા વધુ પૃથ્થકરણાત્મક બની છે. તેમાં ક્રિયાપદના અર્થ બતાવનારાં ક્રિયાપદો વિકસાવ્યા છે. તેમજ શબ્દનો અર્થ સમજાવવા માટે સુવ્યવસ્થિત શબ્દો બનાવ્યા છે. સહાયક ક્રિયાપદો પ્રશ્નાર્થો, નકારાત્મક વલણ, કર્મણી પ્રયોગ અને ગતિશીલ ભાવને બતાવે છે. શબ્દભંડોળ સદીઓથી અંગ્રેજી ભાષાના શબ્દભંડોળમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.અંગ્રેજી શબ્દભંડોળની પ્રક્રિયાઓ અને પ્રતિક્રયાઓના બદલાવો માટે સીએફ. ઇન્ગલિશ એન્ડ જનરલ હિસ્ટોરિકલ લેક્સિકોલોજી (જોશિમ ગ્રઝેગા અને મેરિઓન સ્કોનર દ્વારા લિખિત) અન્ય ઘણી ભાષાઓની જેમ પ્રોટો-ઇન્ડો-યુરોપીયન ભાષા (પી.આઇ.ઇ.)માંથી ઉતરી આવેલી અંગ્રેજીનાં ઘણા શબ્દો સમાન છે જે તેમને તેમનાં મૂળ (જર્મની શાખા)થી પીઆઇઇ સુધી મારફતે પકડી શકાય છે.આ શબ્દોનું પાયાનું ઉચ્ચારણ આઇ , થાય છે. જૂની અંગ્રેજીમાંથી તે આઇસી , (સીએફ. જર્મન આઇસીએચ , ગોથિક આઇકે , લેટિન ઇજીઓ , ગ્રીક ઇજીઓ , સંસ્કૃત અહમ્ ), હું (સીએફ જર્મન એમઆઇસીએચ, એમઆઇઆર , ગોથિક એમઆઇકે, એમઆઇએસ , લેટિન મી , ગ્રીક ઇએમઇ , સંસ્કૃત મામ , આંકડાઓ (દા. ત. એક , બે , ત્રણ , (સીએફ. ડચ ઇઇએન , ટીડબલ્યુઇઇ , ડીઆરઆઇઇ , ગોથિક એઆઇએનએસ , ટીડબલ્યુેઆઇ , ટીએચઆરઇઆઇએસ (þreis) , લેટિન યુએનયુએસ, ડીયુઓ, ટીઆરઇએસ , ગ્રીક ઓઆઇએનઓએસ , "એસ (ઓન ડાઇસ)", ડીયુઓ, ટીઆરઇઆઇએસ , માતા, પિતા, ભાઈ, બહેન વગેરે જેવા સામાન્ય કુટુંબનાં સંબંધો માટે (સીએફ. ડચમા મોએદર , ગ્રીક મેટેર , લેટિન માતેર , સંસ્કૃત માતૃ માતા ) ઘણાં પ્રાણીઓનાં નામ છે. (સીએફ. જર્મન માઉસ , ડચ મ્યુઇસ , સંસ્કૃત મૂષ , ગ્રીક માઇસ , લેટિન મુસ ; માઉસ કે ઉંદરડો અને અન્ય ઘણાં ક્રિયાપદો (સીએફ. ટુ નો એટલે કે જાણવું શબ્દ જૂની ઉચ્ચ જર્મન નાજાન , જૂની નોર્સ ના , ગ્રીક ગિગ્નોમી , લેટિન ગ્નોસ્કેર , હિતિતે કેનેસ ; વગેરે શબ્દો ઉપરથી બન્યો છે. જર્મની શબ્દો (સામાન્યતઃ જૂની અંગ્રેજી ભાષાના શબ્દો અથવા તો કેટલેક અંશે જૂની નોર્સ ભાષાનાં મૂળનાં શબ્દો) આધુનિક અંગ્રેજી ભાષામાં વપરાતા લેટિની શબ્દો કરતાં ટૂંકા છે. સામાન્ય બોલચાલમાં તેનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેમાં પાયાના તમામ ઉચ્ચારણો, નામયોગી શબ્દો, ઉભયાન્વયી ક્રિયાની વિશેષતા દર્શાવતા ક્રિયા વિશેષણોનો સમાવેશ થઇ જાય છે. આ તમામ મળીને અંગ્રેજી ભાષાનાં નિયમો, વાક્યરચના અને વ્યાકરણનું નિર્માણ કરે છે. મધ્યકાલિન અંગ્રેજીમાં શબ્દોનું સંક્ષેપી કરણ શરૂ થયું જેના કારણે શબ્દો ટૂંકાણમાં લખાવાના શરૂ થયા. ઓલ્ડઇન્ગ હિફોડ , > મોડઇન્ગ હેડ , ઓલ્ડઇન્ગ સાવોલ > મોડઇન્ગ સોલ , અને ભારણના કારણે એકસ્વરીનો લોપ થાય છે. ઓલ્ડઇન્ગ ગેમેન > મોડઇન્ગ ગેમ , ઓલ્ડઇન્ગ એરેન્ડે > મોડઇન્ડ એરાન્ડ , જર્મનીના શબ્દો લેટિની શબ્દો કરતાં નાના હોય છે તે કારણોસર નહીં. જૂની અંગ્રેજીનાં લંબાણપૂર્વકના, ઉચ્ચ અને નોંધણી પામેલા શબ્દો નોર્માન લોકોની જીત થઇ તે બાદ ભાષા તેમના તાબામાં આવવાને કારણે ભૂલાઇ ગયા. જૂની અંગ્રેજીના મોટા ભાગના શબ્દો અંગ્રેજી સાહિત્ય, કળા અને વિજ્ઞાનને અર્પણ કરવામાં આવ્યા. તેમનો ઉપયોગ નહીં થતો હોવાને કારણે તેમનો વિકાસ બંધ થઇ ગયો. આધુનિક અંગ્રેજી ભાષામાં વપરાતા લેટિની શબ્દો કાળક્રમે વધુ શાલિન અને શિક્ષિત ગમાવા માંડ્યા. જોકે લેટિન શબ્દોના વધારે પ્રમાણમાં કરવામાં આવતા ઉપયોગને દંભ અથવા તો વાતને ગોળ-ગોળ ફેરવવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. જ્યોર્જ ઓરવેલના નિબંધ પોલિટિક્સ એન્ડ ધ ઇન્ગલિશ લેન્ગવેજને અંગ્રેજી ભાષાના અગત્યના શોધ નિબંધ તરીકે માનવામાં આવે છે. તેમાં ટિકા ઉપરાંત અંગ્રેજી ભાષાના અન્ય ગેરઉપયોગને સમજાવવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં અંગ્રેજી બોલનારા લોકો પાસે લેટિન અને જર્મન ભાષાના સમાનાર્થી પસંદ કરવાની તક હોય છે: કમ (આવવું) અથવા તો અરાઇવ (આગમન) ; સાઇટ (દૂરંદેશી) અથવા તો વિઝન (દીર્ઘદૃષ્ટિ) ; ફ્રીડમ (સ્વતંત્રતા) અથવા લિબર્ટી (મુક્તિ) . કેટલાક કિસ્સાઓમાં જર્મની મૂળનો શબ્દ ઓવરસી (દેખરેખ રાખવી), લેટિન ભાષાના શબ્દ સુપરવાઇઝ (નજર રાખવી) અને લેટિન ભાષામાંથી ફ્રેન્ચમાં આવેલો ફ્રેન્ચ ભાષાના શબ્દ સર્વે (કાળજીપૂર્વક જોવું)માં પણ પસંદગીનો અવકાશ મળે છે. તો વળી ઘણી વખત નોર્માન ફ્રેન્ચમાંથી ઉતરી આવેલા શબ્દ (દા. ત. વોરંટી ), પેરિસિયન ફ્રેન્ચ શબ્દ ગેરંટી , ઉપરાંત જર્મની અને લેટિન મૂળનાં ઘણા શબ્દો જેવા કે સિક (જૂની અંગ્રેજી) ઇલ , (જૂની નોર્સ) ઇન્ફર્મ , (ફ્રેન્ચ) એફ્લિક્ટેડ (લેટિન)ની પસંદગીનો પણ અવકાશ મળે છે. આ પ્રકારના સમાનાર્થીઓ વિવધ પ્રકારના અર્થોની અને મતલબોની વિવિધતા ઊભી કરે છે. જેના કારમે બોલનારી વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવા માટેના અનેકવિધ વિકલ્પો મળે છે. સમાનાર્થીઓનાં જૂથો સાથે વ્યુત્પત્તિશાસ્ત્રની નિકટતા ભાષા બોલનારને ભાષાશાસ્ત્રના નિયમન ઉપરનો અભૂતપૂર્વ કાબૂ આપે છે. જુઓ: લિસ્ટ ઓફ જર્મનિક એન્ડ લેટિનેટ ઇક્વિવેલન્ટ્સ ઇન ઇન્ગલિશ, ડબ્લેટ (લિન્ગ્વિસ્ટિક્સ). આના અપવાદરૂપે અને કદાચ દુનિયાની ખૂબ જ ઓછી ભાષાઓમાં જ આવું હશે કે અંગ્રેજીને તેના શબ્દ મિટ્સ (માંસ)ના નામો છે. તે તમામ ભાષાઓ કરતાં અલગ અને કદાચ તે જે પ્રાણીમાંથી માંસ પેદા થાય છે તેની સાથે સરખાવી શકાય તેવાં પણ નથી હોતાં. કારણ કે પ્રાણીઓનાં નામ જર્મન મૂળનાં હોય છે જ્યારે માંસ કે મિટ ફ્રેન્ચ મૂળનો શબ્દ છે. ઉ.દા. તરીકે ડીયર (હરણ) અને વેનિસન (હરણનું માંસ), કાઉ (ગાય) અને બીફ (ગૌમાંસ), સ્વાઇન/પિગ (ડુક્કર) અને પોર્ક (ભૂંડનું માંસ); અને શિપ (ઘેટું) અને મટન (ઘેટાંનું માંસ) નો સમાવેશ થાય છે. આ બાબતની શરૂઆત નોર્માન આક્રમણ બાદ થઇ હતી. એ જમાનામાં એન્ગ્લો-નોર્માન બોલનારો શાલિન વર્ગ માંસનો ખરીદાર હતો. માંસ નિમ્ન વર્ગના લોકો દ્વારા વેચવામાં આવતું હતું. જે મોટા ભાગના લોકો એન્ગ્લો સાક્સોન લોકો હતા. કેટલાક એવા લેટિન ભાષાના શબ્દો છે જે રોજબરોજની ભાષામાં ઉપયોગમાં લેવાય છે. ઘણી વખત આ શબ્દો લેટિન ભાષાના નથી લાગતા અને ઘણી વખત તેમાં જર્મન સામ્યતા પણ નથી હોતી. દા. ત. માઉન્ટેઇન (પર્વત) , વેલી (ખીણ) , રિવર (નદી) , આન્ટ (કાકી) , અંકલ (કાકા) , મૂવ (ચાલવું) , યુઝ (ઉપયોગ) , પુશ (ધકેલવું) , અને સ્ટે ("બાકી રહેવું") વગેરે લેટિન ભાષાનાં શબ્દો છે. તે જ પ્રમાણે વ્યસ્તતા જોઇ શકાય છે: એકનોલેજ , મિનિંગફુલ , અન્ડરસ્ટેન્ડિંગ , માઇન્ડફુલ , બિહેવિયર , ફોરબિયરન્સ , બિહૂવ , ફોરસ્ટોલ , એલાય , રાઇમ , સ્ટાર્વેશન , એમ્બોડિમેન્ટ એન્ગ્લો-સાક્સોનમાંથી આવેલા છે અને એલિજિયાન્સ , એબેન્ડનમેન્ટ , ડેબુટન્ટ , ફ્યુડેલિઝમ , સિઝ્યોર , ગેરંટી , ડિસરિગાર્ડ , વોર્ડરોબ , ડિસેનફ્રેન્ચાઇઝ , ડિઝારે , બેન્ડોલિયર , બોર્જિઓઇસી , ડિબાઉશેરી , પરફોર્મન્સ , ફર્નિચર , ગેલાન્ટ્રી બધા જર્મની મૂળના છે. સામાન્યતઃ આ જર્મન મૂળ ફ્રેન્ચમાં છે તેથી ઘણી વખત આ શબ્દોનું મૂળ શોધવું શક્ય બનતું નથી. સામાન્ય ઉપયોગમાં લેવાતી તકનિકી બાબતો અંગ્રેજી સરળતાથી સ્વીકારી લે છે. તેમજ સમયાંતરે બીજી ભાષાઓમાંથી શબ્દો અને શબ્દ સમૂહો પોતાનામાં સમાવે છે. હાલના અંગ્રેજીમાં વપરાતા તકનિકી શબ્દોનાં ઉદાહરણ જોઇએ તો કૂકી , ઇન્ટરનેટ અને યુઆરએલ આ ઉપરાંત જોન્રે , ઉબેર , લિન્ગ્વા ફ્રાન્કા અને એમિગો ગણાવી શકાય (તમામ શબ્દો/શબ્દ સમૂહો અનુક્રમે ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને સ્પેનિશ ભાષામાંથી લેવામાં આવ્યા છે.) આ ઉપરાંત રોજિંદા જીવનમાં બોલાતી ભાષા પણ ઘણી વખત જૂના શબ્દોના અને શબ્દ સમૂહોના નવા અર્થો આપે છે. ખરેખર તો આ અસ્થિરતા અંગે એમ કહી શકાય કે ઔપચારિક અંગ્રેજી અને સમકાલિન અંગ્રેજી વચ્ચેના ભેદની સ્પષ્ટતા કરવાની જરૂર છે. અંગ્રેજી ભાષામાં શબ્દોની સંખ્યા ઓક્સફર્ડ ઇન્ગલિશ ડિક્શનરી ની શરૂઆતમાં આપવામાં આવેલી જનરલ એક્સપેક્ટેશન્સ માં ઝણાવવામાં આવ્યું છે કે:અંગ્રેજી ભાષાનો શબ્દભંડોળ નિઃશંકપણે વિશાળ છે પરંતુ તેના કદ વિશેનો ક્યાસ કાઢવો તે ગણતરી કરવા કરતાં વ્યાખ્યાયિત કરવાનો મુદ્દો વિશેષ પ્રમાણમાં છે. અન્ય ભાષાઓ જેવી કે ફ્રેન્ચ (ધ એકેડમી ફ્રાન્કાઇસે), જર્મન (રેટ ફર ડ્યુત્સે રેશ્તસ્ક્રેઇન્બન્ગ), સ્પેનિશ (રિયલ એકેડેમિયા એસ્પામોલા), અને ઇટાલિયન (એકેડેમિયા ડેલા ક્રુસ્કા)થી વિપરીત અંગ્રેજી ભાષામાં અધિકૃત રીતે સ્વીકારવામાં આવેલા શબ્દો અને સ્પેલિંગ્સને વ્યાખ્યાયિત કરવા માટેની કોઇ જ સંસ્થા નથી. તબીબી, વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નવા શબ્દો બનાવવાની પ્રક્રિયા નિયમિતરૂપે થતી આવે છે. અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ભાષા પણ સતત વિકાસ પામી રહી છે. જે પૈકીના કેટલાક શબ્દોનો ઉપયોગ બહોલા પ્રમાણમાં થવા માંડ્યો છે; જ્યારે કેટલાક શબ્દો અમુક વર્તુળો પૂરતા મર્યાદિત બની ગયા છે. વિદેશી સ્થાનાંતરિતો દ્વારા બોલવામાં આવતા વિદેશી શબ્દો પણ ઘણી વખત બહોળી માત્રામાં બોલાતી અંગ્રેજી ભાષાનો એક ભાગ બની ગયા છે. અનાદિકાળના, બોલીના અને સ્થાનિક શબ્દો બહોળા પ્રમાણમાં "અંગ્રેજી" તરીકે સ્વીકારાઇ શકે છે અને કદાચ નથી પણ સ્વીકારાતા.ઓક્સફર્ડ ઇન્ગલિશ ડિક્શનરી , બીજી આવૃત્તિ (ઓઇડી2) માં સમાવિષ્ટ નીતિ બાદ 6,00,000 જેટલી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. વેબસ્ટર્સ થર્ડ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી, ઉનાબ્રિજ્ડ (4.75,000 મુખ્ય શીર્ષ શબ્દો)ના તંત્રીઓએ તેમની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આંકડો તેના કરતાં ઘણો વધારે છે. એક અંદાજ મુજબ દર વર્ષે ભાષામાં 25,000 નવા શબ્દોનો ઉમેરો થાય છે.કિસ્ટર, કેન. "ડિક્શનરિઝ ડિફાઇન્ડ." લાઇબ્રેરી જરનલ, 6/15/92, ગ્રંથ 117 અંક 11, પી43, 4પી, 2બીડબલ્યુ ગ્લોબલ લેન્ગવેજ મોનિટરે જાહેર કર્યું છે કે તારીખ 10મી જૂન, 2009ના રોજ અંગ્રેજી ભાષામાં 10 લાખમા શબ્દનો ઉમેરો થયો હતો.'ઇન્ગલિશ ગેટ્સ મિલિયન્થ વર્ડ ઓન વેનસડે, સાઇટ સેય્સ' આ જાહેરાતને પગલે ભાષાશાસ્ત્રીઓ અને કોશકારોકિપિંગ ઇટ રિયલ ઓન ડિક્શનરી રોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. પરંતુ ઘણા બિનકુશળ લોકોએ આ આંકડાને<ref>[http://news.bbc.co.uk/2/hi/programmes/world_news_america/8094381.stm મિલિયન્થ ઇન્ગલિશ વર્ડ' ડિકલેર્ડ''' ] </ref> ટીકા-ટિપ્પણી વિના સ્વીકારી લીધો હતો. શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષાનાં પ્રભુત્વનું પરિણામ એ આવ્યું છે કે અંગ્રેજી ભાષાના શબ્દભંડોળને કેટલેક અંશે જર્મની (ખાસ કરીને પશ્ચિમ જર્મની થોડે અંશે ઉત્તરીય જર્મની પણ) અને લેટિનેટ (લેટિન ભાષામાંથી આવેલા, અથવા તો નોર્માન ફ્રેન્ચ કે પછી રોમાન્સ ભાષામાંથી ઉતરી આવેલા શબ્દો) એ પ્રમાણે વહેંચી શકાય છે. 1,000 શબ્દોમાંથી સૌથી વધારે (83 ટકા) અતિસામાન્ય અંગ્રેજી શબ્દો જેમાંથી 100 જેટલા જર્મન શબ્દો હોય છે. તેથી વિપરીત વિવિધ વિષયો માટે આપવામાં આવેલા મોટા ભાગના શબ્દો જેમ કે વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિત વગેરેના પારિભાષિક શબ્દો મોટા ભાગે ગ્રીક કે લેટિન ભાષામાંથી આવેલા છે. ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અને રસાયણશાસ્ત્રને લગતા મોટી સંખ્યામાંના પારિભાષિક શબ્દો અરેબિકમાંથી આવ્યા છે. અંગ્રેજી શબ્દોનાં મૂળને સુવ્યવસ્થિત કરવા માટે અનેક આંકડાકીય દરખાસ્તો મૂકવામાં આવી છે. જોકે તેમાંની કોઇ પણ પદ્ધતિ ભાષાશાસ્ત્રી દ્વારા સ્વીકારવામાં આવી નથી. જૂની શોર્ટર ઓક્સફર્ડ ડિક્શનરી 3જી આવૃત્તિમાં 80,000 શબ્દોનું એક કમ્પ્યુટરાઇઝ્ડ સર્વેક્ષમ કરવામાં આવ્યું છે. જેને ઓર્ડર્ડ પ્રોફ્યુશન માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ થોમસ ફેન્કેન્સ્ટેટ અને ડિએટેર વુલ્ફ (1973) દ્વારા કરવામાં આવ્યું હતું તેના અંદાજ મુજબ અંગ્રેજી શબ્દોનાં મૂળિયાં નીચે મુજબ છે. thumb|250px|અંગ્રેજી શબ્દભંડોળમાં પ્રભાવો લેન્ગ્યુ દ ઓઇલ , ફ્રેન્ચ અને જૂની નોર્માન સહિત: 28.3 ટકા લેટિન, આધુનિક, વૈજ્ઞાનિક અને તકનિકી લેટિન સહિત 28.24 ટકા અન્ય જર્મની ભાષાઓ (જેમાં જૂની અંગ્રેજીમાંથી સીધી રીતે ઉતરી આવેલા શબ્દોનો સમાવેશ થાય છે. પરંતુ ફ્રેન્ચ, લેટિન અથવા તો અન્ય રોમાન્સ ભાષાઓ ભાષામાં રહેલા જર્મની તત્વોથી ઉતરી આવેલા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો નથી: 25 ટકા ગ્રીકઃ 5.32 ટકા વ્યુત્પત્તિશાસ્ત્ર આપવામાં આવ્યું નથી: 4.03 ટકા ચોક્કસ નામો ઉપરથી ઉતરી આવેલા: 3.28 ટકા અન્ય તમામ ભાષાઓ 1 ટકા કરતાં પણ ઓછી જોસેફ એમ. વિવિયમ્સ દ્વારા ઓરિજિન્સ ઓફ ઇન્ગલિશ લેન્ગવેજ નામનાં સર્વેક્ષણમાં અમુક હજાર વ્યાપારિક પત્રોમાંથી 10,000 જેટલા શબ્દો લેવામાં આવ્યા હતા જેમાંથી નીચે મુજબના આંકડાઓ પ્રાપ્ય બન્યા હતા.જોસેફ એમ. વિલિયમ્સ, ઓરિજિન્સ ઓફ ધ ઇન્ગલિશ લેન્ગવેજ એટ એમેઝોન.કોમ ફ્રેન્ચ (લેન્ગ્યુ દ ઓઇલ) : 41 ટકા "જન્મની" અંગ્રેજી: 33 ટકા લેટિન: 15 ટકા જૂની નોર્સ: 2 ટકા ડચ: 1 ટકા અન્ય: 10 ટકા ડચ અને લો જર્મન મૂળ ઘણા શબ્દો નૌકાદળ, જહાજનાં પ્રકારો તેમજ પાણીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે તે ડચ મૂળના શબ્દો છે. યોટ જોટ , સ્કિપર શ્ચિપર , અને ક્રૂઝર ક્રૂઝર તેનાં ઉદાહરણો છે. અન્ય શબ્દો કલા અને રોજિંદા જીવનને લગતા છે. ઇઝલ ઇઝેલ , એચ એટ્સન , સ્લિમ સ્લિમ , સ્ટેપલ (મધ્યકાલિન ડચ અનુસાર સ્ટેપલ "બજાર"), સ્લિપ (મધ્યકાલિન ડચ સ્લિપન ). રોજિંદા જીવનમાં બોલાતી અંગ્રેજી ભાષામાં પણ ડચ ભાષાનું યોગદાન છે. દા. ત. સ્પૂક , અને હવે ઓબ્સોલેટ સ્નાઇડર (દરજી) અને સ્ટાઇવર (નાનો સિક્કો). લો જર્મન ભાષામાંથી આવેલા શબ્દોમાં ટ્રેડ (મધ્યકાલિન લો જર્મન શબ્દ ટ્રેડ , સ્મગલ , સ્મગ્લન , અને ડોલર (ડેલર/થેલર ). ફ્રેન્ચ મૂળ અંગ્રેજી ભાષાના શબ્દભંડોળ પૈકી મોટા ભાગનો ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલો અથવા તો લાન્ગવેસ દ ઓઇલનાં મૂળનો છે.આ શબ્દોનું અંગ્રેજી ભાષામાં પરિવર્તન એન્ગ્લો નોર્માન ભાષા મારફતે થયું છે. નોર્માન લોકોના આક્રમણ બાદ આ ભાષા ઉચ્ચ કોટિના લોકો દ્વારા ઇંગ્લેન્ડમાં બોલાતી હતી. ફ્રેન્ચ મૂળનાં શબ્દોમાં કોમ્પિટિશન , માઉન્ટેઇન , આર્ટ , ટેબલ , પબ્લિસિટી , પોલીસ , રોલ , રૂટિન , મશીન , ફોર્સ , અને બીજા હજારો શબ્દોનો સમાવેશ થાય છે.અંગ્રેજીના ધ્વનિશાસ્ત્રને બંધ બેસતાં થવા માટે આ પૈકી મોટા ભાગના શબ્દો ફ્રેન્ચના બદલે એન્ગ્લિસાઇઝ્ડ કરવામાં આવ્યા છે. (જોકે તેમાં અપવાદરૂપે ફસાડ અને અફેયર દ કોયુર ગણાવી શકાય). લેખન પદ્ધતિ અંદાજે 19મી સદીની આસપાસ અંગ્રેજી લેટિન લિપિમાં લખાતી હતી. ત્યાર બાદ તે એન્ગ્લો સાક્સોન લિપિમાં લખાવાની શરૂઆત થઇ. જોડણીની રચના અથવા તો શુદ્ધ જોડણી બહુસ્તરીય છે. જેમાં ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક જોડણી જન્મની જર્મની ભાષા અનુસાર અગ્રતા ક્રમ ધરાવે છે. ભાષાના ધ્વનિશાસ્ત્ર ઉપરથી તેનો વિકાસ નોંધપાત્ર માત્રામાં થયો છે. શબ્દોની જોડણી ઘણી વખત શબ્દ જે રીતે બોલાય છે તેના કરતા નોંધપાત્ર માત્રામાં જુદી પડતી હોય છે. અક્ષરો અને ધ્વનિનો મેળ ન ખાતો હોવા છતાં પણ જોડણીના કારણે તે વાક્યરચના, ધ્વનિ અને બોલી 75 ટકા જેટલી વિશ્વસનીય હોય છે.એબોટ, એમ.(2000). આઇડેન્ટિફાઇંગ રિલાયેબલ જનરલાઇઝેશન્સ ફોર સ્પેલિંગ વર્ડ્ઝઃ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મલ્ટિલેવલ એનાલિસિસ ધ એલિમેન્ટરી સ્કુલ જરનલ 101(2), 233-245. કેટલીક જોડણીના ધ્વનિ સાંભળતા એવો અહેસાસ થાય છે કે અંગ્રેજી 80 ટકા ધ્વનિશાસ્ત્ર ઉપર આધારિત ભાષા છે.મોઆટ્સ, એલ. એમ. (2001). સ્પીચ ટુ પ્રિન્ટઃ લેન્ગવેજ એસેન્શિયલ્સ ફોર ટિચર્સ. બાલ્ટિમોર, એમડીઃ પૌલ એચ. બ્રુક્સ કંપની. જોકે બીજી ભાષાઓની સરખામણીએ અંગ્રેજી ભાષાનો અક્ષરો અને ધ્વનિ સાથેનો સંબંધ સાતત્યપૂર્ણ રહ્યો છે; દા. ત ઓયુજીએચ નું ઉચ્ચારણ 10 જુદી-જુદી રીતે કરી શકાય છે. ગૂંચવણ ભરેલી જોડણીના ઇતિહાસના પરિણામે ભાષાનું વાંચન પડકારજનક બને છે.ડાયેન મેકગિનેસ, વ્હાય અવર ચિલ્ડ્રન કાન્ટ રિડ (ન્યૂ યોર્કઃ ટચસ્ટોન, 1997) પીપી. 156-169 ફ્રેન્ચ, ગ્રીક અને સ્પેનિશ સહિતની ભાષાઓ કરતાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું કડકડાટ વાચન કરતાં સમય લાગે છે.ઝેઇગલર, જે. સી., એન્ડ ગોસ્વામી, યુ. (2005. રિડિંગ એક્વિઝિશન, ડેવલપમેન્ટલ ડિસલેક્સિયા, એન્ડ સ્કિલ્ડ રિડિંગ એક્રોસ લેન્ગવેજિસ. સાઇકોલોજિકલ બુલેટિન,131 (1), 3-29. પાયાનો અને દોષરહિત પત્રાચાર વર્ણમાળાના અક્ષરો નિશ્ચત ભાષા પી પી બી , બી , ટી ટી, ટીએચ (જવલ્લેજ) થાઇમ, થેમ્સ ટીએચ થિંગ આફ્રિકન અમેરિકન, ન્યૂ યોર્ક ડી. ડી. ટીએચ ધેટ (આપ્રિકન અમેરિકન, ન્યૂયોર્ક) કે સી (+ એ,ઓ, યુ, વ્યંજનો) , કે, સીકે, સીએચ, ક્યુયુ (જવલ્લેજ) વશ થાય છે , કેએચ (વિદેશી શબ્દોમાં) જી. જી, જીએચ, જીયુ (+ એ, ઇ, આઇ) જીયુઇ (અંતિમ સ્થિત) એમ એમ એન એન ŋ એન (જી અને કે પહેલા લખાતો) , એનજી એફ. એફ, પીએચ, જીએચ (શબ્દાંતે, ક્યારેક વચ્ચે) લાફ, રફ ટીએચ થિંગ (ઇંગ્લેન્ડમાં બોલાતી અંગ્રેજી ભાષાનાં ઘણાં રૂપોમાં) વી વી ટીએચ વિથ (કોકની, ઇસ્ટ્યુઅરી અંગ્રેજી) Θ ટીએચ થિક, થિંક, થ્રુ ð ટીએચ ધેટ, ધિસ, ધ એસ એસ, સી (+ ઇ, આઇ, વાય) , એસસી (+ ઇ, આઇ, વાય) , ç કેટલીક વખત સી (façade/ફસાડ) ઝેડ ઝેડ, એસ (શબ્દાંતે અથવા કેટલીક વખત શબ્દ વચ્ચે) , એસએસ (જવલ્લેજ) પઝેસ્ડ, ડેઝર્ટ , શરૂઆતમાં એક્સ અક્ષર લગાવવાથી બનતો શબ્દ ઝાયલોફોન એસએચ, એસસીએચ, ટીઆઇ (સ્વર પહેલા) પોર્શન , સીઆઇ/સીઇ (સ્વર પહેલા) સસ્પિશિયન , ઓશન ; એસઆઇ/ એસએસઆઇ (સ્વર પહેલા) ટેન્શન , મિશન ; સીએચ (ખાસ કરીને ફ્રેન્ચ મૂળનાં શબ્દોમાં) ; જવલ્લેજ એસ/એસએસ યુની પહેલા શુગર , ઇશ્યુ ; સીએચએસઆઇ તરીકે માત્ર ફ્યુશિયા માં મધ્યભાગમાં આવતો એસઆઇ (સ્વર પહેલા) ડિવિઝન , મધ્યભાગમાં આવતો એસ ("યુઆર" પહેલા) પ્લેઝર , ઝેડએચ (વિદેશી શબ્દોમાં) , યુ પહેલાંનો ઝેડ એઝ્યોર , જી (ફ્રેન્ચ મૂળના શબ્દોમાં) (+ ઇ, વાય આઇ) ઝાર , જે (ફ્રેન્ચ મૂળના શબ્દોમાં) બીઝ એકસ કેએચ, સીએચ,એચ (વિદેશી શબ્દોમાં) પ્રસંગોપાત સીએચ લોક , (સ્કોટિશ અંગ્રેજી, વેલ્શ અંગ્રેજી) એચ એચ (શરૂઆતમાં એક સ્વરવાળો શબ્દ નહીંતર શાંત કે ઉચ્ચાર વિનાનો) , જે (સ્પેનિશ મૂળના શબ્દોમાં) આઇ આલાઇ સીએચ, ટીસીએચ, ટી યુ પહેલા ફ્યુચર , કલ્ચર ટી (+ યુ, યુઇ, ઇયુ) ટ્યુન, ટ્યુઝડે, ટ્યુટોનિક (કેટલીક ભાષાઓમાં જુઓ- ફોનોલોજિકલ હિસ્ટ્રી ઓફ ઇન્ગલિશ કોન્સોનન્ટ ક્લસ્ટર્સ) જે, જી (+ ઇ, આઇ, વાય) ડીજી, (+ ઇ, આઇ વ્યંજન સાથે) બેજ, જજમેન્ટ ડી (+ યુ, યુઇ, ઇડબલ્યુ) ડ્યુન, ડ્યુ, ડિ્યુ (કેટલીક ભાષાઓમાં સ્વિસ સંધિનાં ઉદાહરણ તરીકે) આર, ડબલ્યુઆર (શરૂઆતમાં) રેન્ગલ જે વાય (શરૂઆતમાં અથવા તો સ્વરોની વચ્ચે હોય ત્યારે) , જે હેલિલૂજ એલ એલ ડબલ્યૂ ડબલ્યુએચનું ઉચ્ચારણ એચડબલ્યુ થાય સ્કોટિશ અને આઇરિશ અંગ્રેજી ઉપરાંત અમેરિકન, ન્યૂ ઝિલેન્ડ અને ઇન્ગલિશ અંગ્રેજી ભાષામાં લેખિત ઉચ્ચારણ અન્ય જર્મની ભાષાઓથી વિપરીત અંગ્રેજી ભાષામાં વિશેષક નથી હોતા. વિદેશી લોનવર્ડ્સને બાદ કરતા (જેમ કે કાફે નું તીક્ષ્ણ ઉચ્ચારણ) બે સ્વરોનું ઉચ્ચારણ અલગ-અલગ થાય છે તેમ બતાવવા માટે વિશેષકોનો અસામાન્ય ઉપયોગ થતો જોવા મળ્યો છે. (ઘણી વખત ઔપચારિક લખાણોમાં) ( દા. ત. નેઇવ, ઝોએ ). ડેકોર, કાફે રિઝ્યુમ, રિઝ્યુમે, એન્ટ્રી, ફિયાન્સી અને નેઇવ જેવા શબ્દોનો ઉપયોગ ઘણી વખત વિશેષક સાથે કે તેના વિના કરવામાં આવે છે. કેટલાક અંગ્રેજી શબ્દોએ પોતાને બીજા શબ્દોથી જુદા પાડવા માટે વિશેષકો જાળવી રાખ્યા છે. જેમ કે એનાઇમ, એક્સપોઝ, લેમ, ઓર, ઓર, પેટ પિક અને રોઝ જોકે આ શબ્દોને ઘણી વખત પડતા પણ મૂકવામાં આવે છે. (દા. ત. રિઝ્યુમ રિઝ્યુમ રિઝ્યુમે ઘણી વખત યુએસમાં તેનો સ્પેલિંગ આરઇેસયુએમિ કરવામાં આવે છે. ઉચ્ચારણોની સ્પષ્ટતા કરવા માટે કેટલાક લોનવર્ડ્ઝ વિશેષક નીમી શકે તેમ છે. આ વિશેષક અસલ શબ્દમાં જોવા નહીં મળે. જેમ કે મેટ સ્પેનિશમાં યેરબા યેટ વળી મેલ , માલદિવનું પાટનગર આ શબ્દો લખવા માટે ફ્રેન્ચનો ઉપયોગ થાય છે. ઔપચારિક અંગ્રેજી લખાણ અંગ્રેજી ભાષાના સ્વરૂપ સાથે તમામ લોકો સર્વાનુમતે સહમત થયા છે કે શિક્ષિત લોકો અને અંગ્રેજી ભાષા બોલનારા લોકો વિશ્વભરમાં જે લખે છે તે ઔપચારિક અંગ્રેજી છે. બોલનારા તેના ઉપર ખાસ ધ્યાન નથી આપતાં પરંતુ દેખીતી રીતે તે સમાન લાગે છે પણ અંગ્રેજી બોલવા કરતાં અલગ તે બોલી, ઉચ્ચારણો, રોજિંદા ઉપયોગમાં લેવાતી ભાષા બોલચાલની પ્રાદેશિક ભાષા કરતા અલગ પડે છે. લેખિત અંગ્રેજીમાં સ્થાનિક સ્તરે જોવા મળતા તફાવતો ખૂબ જ મર્યાદિત છે. મુખ્યત્વે તેઓ જોડણીના તફાવતથી અટકાયેલા છે. અમેરિકન અંગ્રેજી અને બ્રિટિશ અંગ્રેજીમાં જોડણીના તફાવતો છે તેમજ વ્યાકરણ અને વાક્યરચનામાં પણ સાધારણ તફાવતો છે. પાયાના અને સરળ વૃત્તાંતો અંગ્રેજી ભાષાનું વાચન સરળ બનાવવા માટે ભાષાના કેટલાક સરળ વૃત્તાંતો આપવામાં આવ્યા છે. એક વૃત્તાંતને પાયાનું અંગ્રેજી એવું નામ આપવામાં આવ્યું છે. એક બનાવેલી ભાષા કે જેમાં શબ્દોની સંખ્યા ખૂબ જ ઓછી છે જેને ચાર્લ્સ કેય ઓજન દ્વારા બનાવવામાં આવી છે. આ ભાષાને તેણે તેના પુસ્તક બેઝિક ઇન્ગલિશ: અ જનરલ ઇન્ટ્રોડક્શન વિથ રૂલ્સ એન્ડ ગ્રામર (1930)માં વર્ણવી છે. આ ભાષા અંગ્રેજી ભાષાના સરલ વૃત્તાંતને આધારિત છે. ઓજને જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષાને શીખતા સાત વર્ષ લાગે છે, એસ્પેરાન્ટોને શીખતા સાત મહિના લાગે છે અને પાયાનાં અંગ્રેજીને શીખતા સાત મહિના લાગે છે. આમ પાયાના અંગ્રેજીનો સ્વીકાર એવી કેટલીક કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે કે જેમને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પોતાનાં પુસ્તકો બનાવવાની જરૂર રહે છે અને એવી કેટલીક સંસ્થાઓ દ્વારા સ્વીકાર કરાયો કે જેઓ તેમના વિદ્યાર્થીઓને ટૂંકાગાળામાં અંગ્રેજી શીખવાડવા માગે છે. પાયાના અંગ્રેજીમાં ઓજને એક પણ શબ્દ એવો નથી મૂક્યો કે જેને બીજા શબ્દોના ઉપયોગ સાથે બોલી શકાય. તેણે એવા શબ્દો બનાવ્યા છે કે જે કોઇ પણ ભાષા બોલનારા લોકો ઉપયોગમાં લઇ શકે. તેણે ઘણાં પરીક્ષણો અને ગોઠવણો કર્યા બાદ ભાષાના શબ્દો બનાવ્યા છે. તેણે વ્યાકરણને પણ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અંગ્રેજીના વપરાશકારો માટે વ્યાકરણ સામાન્ય રાખ્યું છે. આ વિચારને બીજાં વિશ્વયુદ્ધ બાદ તરત જ ખૂબ જ પ્રસિદ્ધિ મળી અને તે વિશ્વશાંતિના સાધન તરીકે વપરાવા માંડ્યું. તે એક કાર્યક્રમના રૂપે નહીં બનાવવામાં આવી હોવા છતાં પણ વિવિધ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે તેના સમાન પ્રકારના સરળ નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય એક નમૂનો છે સરળ અંગ્રેજી તે હયાત છે અને તેને અંકુશાત્મક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા એરોસ્પેસ ઉદ્યોગની સમારકામ મેન્યુઅલ માટે બનાવવામાં આવી હતી. આ ભાષા સંભાળપૂર્વકના મર્યાદિત અને ગુણવત્તા યુક્ત અંગ્રેજીને અર્પણ કરે છે. સરળ અંગ્રેજીમાં મંજૂરી પામેલા શબ્દોનો કોષ છે. આ શબ્દોનો ઉપયોગ અમુક રીતે જ કરી શકાય છે. દા. ત. શબ્દ ક્લોઝ (બંધ કરવું)નો ઉપયોગ વાક્ય "ક્લોઝ ધ ડોર" એટલે કે દરવાજો બંધ કરો તરીકે થઇ શકે છે પરંતુ "ડુ નોટ ગો ક્લોઝ ટુ લેન્ડિંગ ગિયર" એટલે કે લેન્ડિંગ ગિયરની નજીક ના જશો તે વાક્યમાં ઉપયોગ નહીં કરી શકાય. નોંધ સંદર્ભો ગ્રંથસૂચી કેન્યોન, જ્હોન સેમ્યુઅલ અને નોટ, થોમસ આલ્બર્ટ, અ પ્રોનાઉન્સિંગ ડિક્શનરી ફોર અમેરિકાન ઇન્ગલિશ'' , જી એન્ડ સી મેરિયમ કંપની, સ્પ્રિંગ ફિલ્ડ, માસ, યુએસએ, 1953. બાહ્ય કડીઓ એક્સેન્ટ ઓફ ઇન્ગલિશ ફ્રોમ અરાઉન્ડ ધ વર્લ્ડ (યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ) વિશ્વભરમાં બોલાતી 50 જેટલી અંગ્રેજી ભાષા પૈકી એક જ પ્રકારના 110 શબ્દોનાં ઉચ્ચારણ કેવી રીતે થાય છે તેને સાંભળીને અભ્યાસ કરો ઓનલાઇન તરત જ સાંભળવાની સગવડ ઉપલબ્ધ શબ્દકોશો કલેક્શન ઓફ ઇન્ગલિશ બાઇલિન્ગ્વિયલ ડિક્શનરિઝ dict.org ડિક્શનરી ઓફ અમેરિકન રિજનલ ઇન્ગલિશ ઇન્ગલિશ લેન્ગવેજ એન્ડ વર્ડ રૂટ્સ, પ્રિફિક્સિસ એન્ડ સફિક્સિસ (એફિક્સિસ) ડિક્શનરી ઓક્સફર્ડ્સ ઓનલાઇન ડિક્શનરી મેરિયમ-વેબસ્ટર્સ ઓનલાઇન ડિક્શનરી મેક્વાયર ડિક્શનરી ઓનલાઇન શ્રેણી:ભાષાઓ શ્રેણી:ભારતની ભાષાઓ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
https://gu.wikipedia.org/wiki/કનૈયાલાલ_માણેકલાલ_મુનશી
REDIRECT કનૈયાલાલ મુનશી
જયોતીન્દ્ર દવે
https://gu.wikipedia.org/wiki/જયોતીન્દ્ર_દવે
REDIRECT જ્યોતીન્દ્ર દવે
યુ.એસ.
https://gu.wikipedia.org/wiki/યુ.એસ.
REDIRECT યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
કચ્છ
https://gu.wikipedia.org/wiki/કચ્છ
REDIRECT કચ્છ જિલ્લો
ભાવનગર શહેર
https://gu.wikipedia.org/wiki/ભાવનગર_શહેર
REDIRECT ભાવનગર
અમદાવાદ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/અમદાવાદ_જિલ્લો
અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૦૮,૨૦૦ છે. અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, આણંદ, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે. ઇતિહાસ thumb|૧૮૭૭માં બ્રિટિશ શાસન સમયનો અમદાવાદ જિલ્લાનો નકશો આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું. અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. વસ્તી વસ્તી ૭૨,૦૮,૨૦૦ (૨૦૧૧ની ગણતરી પ્રમાણે) વસ્તીની ગીચતા ૮૯૦ માણસો પ્રતિ વર્ગ કી.મી. સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર ‌૯૦૩ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ સાક્ષરતાનો દર ૮૬.૬૫% તાલુકાઓ thumb|right|અમદાવાદ જિલ્લાના તાલુકાઓ અમદાવાદ જિલ્લામાં ૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે. તાલુકોવસ્તીવિસ્તાર (ચો.કિમી.)ગામોની સંખ્યાગ્રામ પંચાયતની સંખ્યા સાક્ષરતા દર૨૦૧૧૧૯૯૧અમદાવાદ શહેર પૂર્વ૫,૫૭૦,૫૮૫૪૬૪.૧૬૮૯.૬૨%અમદાવાદ શહેર પશ્ચિમબાવળા૧૨૪૦૦૦૯૦૪૦૮૪૧૪.૮૦૪૮૪૮૭૭.૧૨%દસ્ક્રોઇ૨૩૩૯૨૫૧૭૫૦૮૦૩૫૭.૪૪૬૪૬૩૮૦.૦૧%દેત્રોજ-રામપુરા૭૬૫૫૫૬૮૭૩૪૪૫૦.૦૦૫૧૪૬ધંધુકા૭૪૯૬૦૬૬૧૦૩૪૬૪૦ધોલેરા૫૦૮૨૧૯૪૨૧૩૩૩૪ધોળકા૧૬૬૬૪૧૧૪૦૧૧૩૮૨૮.૫૮૭૧૬૫૭૨.૪૫%માંડલ૫૮૦૬૪૪૯૯૭૭૩૨૫.૨૯૩૭૩૬૭૬.૨૦%સાણંદ૧૯૫૦૦૫૧૩૬૭૭૭૪૪૩.૫૨૬૭૬૯૮૩.૯૧%વિરમગામ૧૩૧૬૮૦૯૩૯૮૨૧,૨૫૫.૭૨૬૮૬૫૭૧.૫૬% રાજકારણ વિધાનસભા બેઠકો અમદાવાદ જિલ્લામાં ૨૧ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. |} સંદર્ભ બાહ્ય કડીઓ અમદાવાદ જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
https://gu.wikipedia.org/wiki/યુનાઇટેડ_સ્ટેટ્સ_ઓફ_અમેરિકા
યુનાઇટેડ સ્ટેટ્સ, (યુએસએ) સંયુક્ત રાજ્ય અમેરિકા કે અમેરિકા તરીકે સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય (ફેડેરલ) બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં તેના 48 સમીપ-વર્તી રાજ્યો અને પાટનગર જિલ્લો વોશિંગ્ટન ડી.સી. પ્રશાંત મહસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલા છે, જેમની ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદો છે. અલાસ્કાનું રાજ્ય ખંડની ઉત્તર-પશ્ચિમે આવેલું છે અને તેની પૂર્વમાં કેનેડા અને પશ્ચિમમાં બેરિંગની સામુદ્રધુનીની પેલે પાર રશિયા આવેલું છે. હવાઈ રાજ્ય પ્રશાંત મહાસાગરના મધ્યમાં આવેલો દ્વીપસમૂહ છે.દેશના કેટલાંક પ્રદેશો કેરેબીયન સાગરમાં અને પ્રશાંત મહસાગરમાં પણ આવેલા છે. અંદાજે 30.5 કરોડની વસતી સાથે 37.9 કરોડ ચોરસ માઇલ (98.3 લાખ ચોરસ કિલોમીટર) વિસ્તાર ધરાવતું ધી યુનાઇટેટ સ્ટેટ્સ કુલ વિસ્તાર પ્રમાણે ત્રીજા કે ચોથા ક્રમનો સૌથી મોટો અને જમીન ક્ષેત્ર તથા વસતી પ્રમાણે ત્રીજો સૌથી મોટો દેશ છે.ધી યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના સૌથી વધારે વંશીય રીતે વૈવિધ્યપૂર્ણ અને બહુસાંસ્કૃતિક રાષ્ટ્રો પૈકીનો એક છે અને ઘણા દેશોમાંથી કાયમી વસવાટ માટે મોટા પાયે સ્થળાંતર કરનારા લોકોનો બનેલો છે.આદમ્સ, જે. ક્યુ. અને પર્લાઇટ સ્ટ્રોથર-આદમ્સ (2001)વૈવિધ્ય સાથે વહેવારશિકાગોઃ કેન્ડોલ-હન્ટઆઇએસબીએન 078728145એક્સ અમેરિકી અર્થતંત્ર 2008માં અંદાજે 1430 અબજ યુએસ $ (US$)(નોમિનલ જીડીપીના આધારે વિશ્વના કુલ જીડીપીના 23 ટકા અને સમતુલ્ય ખરીદ શક્તિએ લગભગ 23 ટકા)ના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે.યુરોપિય સંઘ (European Union) સંયુક્તપણે વિશાળ અર્થતંત્ર ધરાવે છે, પરંતુ તે એક રાષ્ટ્ર નથી. આ દેશની સ્થાપના એટલાન્ટિકના કાંઠે આવેલા ગ્રેટ બ્રિટનના 13 સંસ્થાનોએ કરી હતી. 4 જુલાઈ, 1776માં તેમણે સ્વતંત્રતાનું જાહેરનામું કર્યું હતું, જેણે ગ્રેટ યુનાઇટેડ કિંગડમથી અલગ પડીને તેમની સ્વતંત્રતાની અને એક સહકારયુક્ત સંઘની રચનાની જાહેરાત કરી હતી.બળવાખોર રાજ્યોએ સ્વતંત્રતાના પ્રથમ સફળ સંસ્થાનવાદી યુદ્ધ, અમેરિકી ક્રાન્તિ યુદ્ધમાં ગ્રેટ બ્રિટનને હાર આપી હતી.ડુલ, જોનાથન આર. (2003).એ કમ્પેનીયન ટુ અમેરિકન રીવોલ્યુશનમાં પ્રકરણ, "ક્રાંતિની મુત્સદ્દીગીરી, 1783 સુધી," પૃષ્ઠ 352, સંપા.જેક પી. ગ્રીન અને જે. આર. પોલમેઇડન, માસઃ બ્લેકવેલ, પૃષ્ઠ352–361આઇએસબીએન 1405116749.ફિલાડેલ્ફીયા સંમેલને 17 સપ્ટેમ્બર, 1787એ હાલના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને અપનાવ્યું હતું, ત્યાર પછીના વર્ષે તેને બહાલી મળતાં રાજ્યો એક મજબૂત કેન્દ્રીય સરકાર સાથે એક પ્રજાસત્તાકના ભાગ બન્યા હતા.1791માં બહાલી આપવામાં આવેલા દસ બંધારણીય સુધારા ધરાવતા હક પત્રકે ઘણા બધા બૂનિયાદી નાગરિક અધિકારો અને મુક્તિઓની ખાત્રી આપી હતી. 19મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, મેક્સિકો અને રશિયા પાસેથી જમીન ખરીદી અને ટેક્સાસ પ્રજાસત્તાક તથા હવાઈ પ્રજાસત્તાકનું વિલીનીકરણ કર્યું હતું. રાજ્યોના હકો અને ગુલામી પ્રથાના વિસ્તાર અંગે કૃષિપ્રધાન દક્ષિણ અને ઔદ્યોગિક ઉત્તરવચ્ચે થયેલા વિવાદોએ 1860ના અમેરિકી આંતરવિગ્રહને જન્મ આપ્યો હતો.ઉત્તરના વિજયે દેશના કાયમી ભાગલા થતા અટકાવ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાનૂની ગુલામીનો અંત આવ્યો હતો.1870 સુધીમાં, દેશનું અર્થતંત્ર દુનિયામાં સૌથી મોટું બન્યું હતું. સ્પેન-અમેરિકી યુદ્ધ અને પહેલા વિશ્વ યુદ્ધે લશ્કરી સત્તા તરીકેના દેશના દરજ્જાને અનુમોદન આપ્યું હતું. 1945માં, બીજા વિશ્વયુદ્ધમાંથી બહાર આવેલો યુનાઇટેડ સ્ટેટ્સ અણુ શસ્ત્રો ધરાવતા પ્રથમ દેશ, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય અને નાટો (NATO)ના સ્થાપક સભ્ય તરીકે સ્થાપિત થયું હતું. શીત યુદ્ધના અંતે એક માત્ર મહાસત્તા તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ રહ્યું હતું. દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચના લગભગ 50 ટકા ધરાવે છે અને વિશ્વમાં અગ્રણી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બળ છે. વ્યુત્પત્તિશાસ્ત્ર 1507માં જર્મન નકશા આલેખક માર્ટિન વાલ્ડસીમુલરેતૈયાર કરેલા નકશામાં ઇટાલીના સંશોધક અને નકસા આલેખક અમેરિગો વેસ્પુસી ના નામ પરથી પશ્ચિમી ગોળાર્ધની ભૂમિને "અમેરિકા" નામ આપ્યું હતું. ભૂતપૂર્વ બ્રિટિશ સંસ્થાનોએ દેશના આધૂનિક નામનો ઉપયોગ સ્વતંત્રતાનું જાહેરનામુંમાં કર્યો હતો, જે 4 જુલાઇ, 1776ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રતિનિધિઓએ અમેરિકાના 13 યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા અપનાવાયેલી સર્વસંમત ઘોષણા હતી. વર્તમાન નામ 15 નવેમ્બર, 1777માં છેવટે નક્કી થયું, જ્યારે બીજી ખંડીય કોંગ્રેસે મહાસંઘના અનુચ્છેદો (Articles of Confederation) અપનાવ્યા હતા, જેમાં પ્રથમ જણાવે છે, "આ સમવાયનું શીર્ષક રહેશે 'ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા'."ટૂંકુ રુપ યુનાઇટેડ સ્ટેટ્સ પણ સ્વીકૃત છે.અન્ય સામાન્ય રુપોમાં યુ.એસ, 'ધી યુએસએ અને અમેરિકાનો સમાવેશ થાય છે.લોકબોલીમાં યુ.એસ. ઓફ એ. અને ધી સ્ટેટ્સનો પણ સમાવેશ થાય છે.યુનાઇટેડ સ્ટેટ્સ માટેનું એક વેળાનું લોકપ્રિય નામ કોલમ્બીયા ક્રિસ્ટોફર કોલમ્બસ)પરથી આવ્યું હતું.તે "કોલમ્બીયાનો જિલ્લો નામમાં જણાય છે. યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકનો નિર્દેશ કરવાનો સ્વીકૃત માર્ગ અમેરિકી તરીકે સંબોધવાનો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર વિશેષણ છે, તેમ છતાં અમેરિકી અને યુ.એસ. દેશનો નિર્દેશ કરવા માટે વપરાતા સૌથી સામાન્ય વિશેષણો છે. ("અમેરિકી મૂલ્યો", "યુ.એસ. દળો").યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા ના હોય તેવા લોકો માટે અંગ્રેજીમાં ભાગ્યે જ અમેરિકી શબ્દ વપરાય છે.વિલ્સન, કેનેથ જી. (1993).ધી કોલમ્બીયા ગાઇડ ટુ સ્ટાન્ડર્ડ અમેરિકન ઇંગ્લિશન્યૂ યોર્ક, કોલમ્બીયા પ્રેસ, 27–28આઇએસબીએન 0231069898."યુનાઇટેડ સ્ટેટ્સ" શબ્દ-સમૂહ મૂળે બહુવચન ગણાતો હતો, દા.ત. 1885માં બહાલી પામેલા યુનાઇટેડ સ્ટેટસના બંધારણમાં તેરમો સુધારો (Thirteenth Amendment to the United States Constitution)માં સમાવિષ્ટ "ધી યુનાઇટેડ સ્ટેટ્સ આર"આંતર વિગ્રહના અંત પછી તેને એકવચન ગણવાનું સામાન્ય બન્યું, દા.ત. "ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ"એકવચન રુપ હવે સ્વીકૃત છે, બહુવચન રુપ "ધીસ યુનાઇટ્ડ સ્ટેટ્સ" રુઢીપ્રયોગમાં જળવાયું છે. ભૂગોળ અને હવામાન left|thumb|સમીપવર્તી અમેરિકી રાજ્યો ભૌગોલિક વર્ણન કરતો નકશો સમીપ-વર્તી યુનાઇટેડ સ્ટેટ્સ નો કુલ જમીન વિસ્તાર અંદાજે 1.9 અબજ એકર છે.કેનેડા દ્વારા સમીપ-વર્તી યુનાઇટેડ સ્ટેટ્સથી છુટું પડતું અલાસ્કા 36.5 લાખ એકર વિસ્તાર ધરાવતું સૌથી મોટું રાજ્ય છે.ઉત્તર અમેરિકાની દક્ષિણપશ્ચિમે મધ્ય પ્રશાંતમાં દ્વિપ-સમૂહ હવાઈ માત્ર 40 લાખ એકર વિસ્તાર ધરાવે છે.રશિયા અને કેનેડા પછી યુનાઇટેડ સ્ટેટ્સ કુલ વિસ્તારની રીતે વિશ્વનું ત્રીજુ કે ચોથુ સૌથી મોટું રાષ્ટ્ર (largest nation by total area) છે અને ક્રમ નિર્ધારણમાં ચીન (China)થી સહેજ ઉપર અથવા નીચે છે.ચીન અને ભારત (India) દ્વારા વિવાદીત પ્રદેશોની કઈ રીતે ગણતરી થાય છે અને યુનાઇટેડ સ્ટેટ્સનું કુલ કદ કઈ રીતે ગણાય છે તેના આધારે ક્રમ નિર્ધારણ બદલાય છે. સીઆઈએ વર્લ્ડ ફેક્ટ બુક 3,794,083 ચો.મી. (9,826,630 ચોરસ કિમી), ધી યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન 3,717,813 ચો.મી. (9,629,091 ચો.મી.), અને એનસાઇક્લોપીડીયા બ્રિટાનિકા 3,676,486 ચો.મી. (9,522,055 ચો.મી.) દર્શાવે છે.માત્ર જમીનના વિસ્તારનો જ સમાવેશ કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ કદમાં રશિયા અન ચીન પછી ત્રીજા ક્રમે છે અને કેનેડાથી સહેજ આગળ છે. thumb|ધી ટેટોન રેન્જ, રોકી પર્વતમાળાનો ભાગ એટલાન્ટિક દરિયાકાંઠાના પ્રદેશમાં અંદરની બાજુ પાનખરનાજંગલો અને પીડમોન્ટ ની પર્વતમાળા આવેલી છે.અપલેચીયન પર્વતો પૂર્વીય સાગરકાંઠાના પ્રદેશને મહાન સરોવરો અને મધ્યપશ્ચિમ (Midwest)ના ઘાસના મેદાનોથી અલગ પાડે છે. દુનિયાની ચોથા ક્રમની સૌથી મોટી નદી વ્યવસ્થામિસિસિપી-મિસૂરી મુખ્યત્વે ઉત્તરથી દક્ષિણ તરફ દેશના મધ્યભાગમાં થઈને વહે છે. મહાન મેદાનો ના સપાટ, ફળદ્રુપ ઘાસના મેદાનો, પ્રેઇરી, પશ્ચિમ સુધી લંબાય છે, જે દક્ષિણપૂર્વમાં એક ઉચ્ચપ્રદેશ થી ખંડીત થાય છે.મહાન મેદાનોની પશ્ચિમી ધારે આવેલી રોકી પર્વતમાળા ઉત્તરથી પશ્ચિમ સુધી સમગ્ર દેશમાં પથરાયેલી છે, જે કોલોરાડો માં 14,000 ફુટ (4300 મીટર)થી પણ વધારે ઊંચાઇએ પહોંચે છે.એની પશ્ચિમે ખડકાળ મહાન બેસન (Great Basin) અને મોહાવી જેવા રણો આવેલા છે.સીયેર નવાડા અને કેસ્કેઇડ પર્વતમાળાઓ પ્રશાંત કાંઠા ની નજીક આવેલી છે.20,320 ફુટે (6,194 મી) અલાસ્કાનો પર્વત મકિન્લી દેશનું સૌથી ઊંચુ શિખર ધરાવે છે. અલાસ્કાના એલેક્ઝાન્ડર (Alexander) અને આલુશન ટાપુઓ માં સક્રિય જ્વાળામુખી આવેલા છે, જ્યારે હવાઈના કેટલાક ટાપુઓ જ્વાળામુખીના બનેલા છે.રોકી પર્વતમાળામાં યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનહેઠળનો મહાજ્વાળામુખી સમગ્ર ખંડના મોટામાં મોટા જ્વાળામુખી લક્ષણો ધરાવે છે. left|thumb|upright|બાલ્ડ ઇગલછેક 1782થી યુનાઇટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રીય પક્ષી છે. યુનાઇટેડ સ્ટેટ્સ તેના વિશાળ કદ અને ભૌગોલિક વૈવિધ્ય સાથે મોટા ભાગના આબોહવા પ્રકારો ધરાવે છે.100 રેખાંશ ની પૂર્વમાં આબોહવા ઉત્તરમાં આદ્ર ખંડીય થી દક્ષિણમાં આદ્ર પેટાઉષ્ણપ્રદેશીય પ્રકારની છે.ફ્લોરિડાનો દક્ષિણ છેડો ઉષ્ણપ્રદેશીય છે, એ જ રીતે હવાઈ પણ.100 રેખાંશની પશ્ચિમે આવેલા મહાન મેદાનો અર્ધ-સૂકા છે.મોટા ભાગના પશ્ચિમી પર્વતો આલ્પાઇન છે. મહાન બેસનમાં આબોહવા સૂકી,દક્ષિણપશ્ચિમમાં રણ પ્રકારની, તટવર્તી કેલિફોર્નીયા માં ભૂમધ્ય પ્રકાર ની અને તટવર્તી ઓરેગોન, વોશિંગ્ટન અને દક્ષિણ અલાસ્કામાં સામૂદ્રીક છે.અલાસ્કાનો મોટો ભાગ ધ્રુવ પ્રદેશીય કે પેટાઆર્કટિક છે.અત્યંત વિષમ આબોહવા અસામાન્ય નથી - મેક્સિકોની ખાડી ની સરહદે આવેલા રાજ્યો હરીકેનનો ભોગ બને છે અને દુનિયાનો મોટા ભાગનો ટોર્નેડો દેશમાં ફુંકાય છે, ખાસ કરીને મધ્યપશ્ચિમના ટોર્નેડો વિસ્તારમાં . અમેરિકાનું પર્યાવરણ અત્યંત વૈવિધ્યપુર્ણ છે. સમીપ-વર્તી અમેરિકી રાજ્યો અને અલાસ્કામાં અંદાજે 17,000 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ (vascular plants)ની પ્રજાતિઓ છે અને હવાઈમાં બારમાસી વનસ્પતિઓ (flowering plants)ની 1800 કરતા વધારે પ્રજાતિઓ આવેલી છે, જેમાંની કેટલીક મુખ્યભૂમિમાં આવેલી છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં 400 કરતા વધારે સસ્તન પ્રાણીઓ, 750 પક્ષીઓ અને 500 સરિશૃપો અને ઉભયજીવી પ્રજાતિઓ વસે છે.લગભગ 91,000 કીટ પ્રજાતિઓ વર્ણવવામાં આવી છે.1973નો જોખમમાં મુકાયેલી પ્રજાતિ ધારો (Endangered Species Act)જેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે તેવી પ્રજાતિઓ અને તેમના નિવાસસ્થાનોની સુરક્ષા કરે છે, જેની ઉપર યુનાઇટેડ સ્ટેટ્સ મત્સ્ય અને વન્ય જીવન સેવા (United States Fish and Wildlife Service) ચાંપતી દેખરેખ રાખે છે.58 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને અન્ય સંઘીય રીતે સંચાલિત થતા અન્ય સેંકડો ઉદ્યાનો, જંગલો અને વાઇલ્ડરનેસ વિસ્તારો છે.બધી મળીને દેશના જમીન વિસ્તારની 28.8 ટકા જમીન સરકારની માલિકીની છે.આમાંની મોટા ભાગની સંરક્ષિત (protected) છે, તેમ છતાં કેટલીક તેલ અને ગેસ સારકામ, ખાણકામ, વૃક્ષ કટાઈ કે ઘેટા બકરા ઉછેર માટે ભાડા પટ્ટા પર આપવામાં આવી છે, 2.4 ટકા જમીન લશ્કરી ઉપયોગ માટે વપરાય છે. ઇતિહાસ દેશી અમેરિકીઓ અને યુરોપિય વસાહતીઓ અલાસ્કાના વતની સહિતના અમેરિકાની મુખ્યભૂમિના મૂળ નિવાસીઓ એશિયામાંથી સ્થળાંતર કરીને (migrated from Asia) આવ્યા હતા.તેઓ ઓછામાં ઓછા 12,000 અને વધુમાં વધુ 40,000 વર્ષો પહેલાં આવવા માંડ્યા હતા.એમાંના પૂર્વ-કોલમ્બીયાઈ (pre-Columbian) મિસિસિપી સંસ્કૃતિ (Mississippian culture)ના લોકોએ કૃષિ, ભવ્ય સ્થાપત્ય અને રાજ્યકક્ષાના સમાજો વિકસાવ્યા હતા.અમેરિકામાં યુરોપિયનોએ વસવાટ કરવાનું શરુ કર્યું ત્યાર બાદ લાખો મૂળ નિવાસી અમેરિકીઓ શીતળા (smallpox) જેવા આયાતી રોગોના રોગચાળામાં મૃત્યુ (many millions of indigenous Americans died) પામ્યા હતા. વિલિયમ હેલસોલની ધી મેફ્લાવર ઇન પ્લાઇમાઉથ હાર્બર, 1882માં વર્ણવ્યા પ્રમાણે, 1620માં નવી દુનિયામાં [[ચિત્ર:MayflowerHarbor.jpg|left|thumb|ધી મેફ્લાવર ' દ્વારા લવાઈ રહેલા પિલગ્રિમ્સ .]] 1492માં જેનોવાવાસી (Genoese) સંશોધક ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજા સાથેના કરાર હેઠળ, કેટલાક કેરિબીયન ટાપુઓ પર પહોંચ્યો હતો અને મૂળ નિવાસી લોકો સાથે પ્રથમ સંપર્ક કર્યો હતો.2 એપ્રિલ, 1513એ સ્પેનિશ કોંક્વિસ્ટેડોર ( વિજેતા) જુઆન પોન્સ ડી લીઓનેજેને "લા ફ્લોરિડા (La Florida)" કહી હતી તેના પર ઉતરાણ કર્યું હતું. એક એવી જગ્યાએ એક યુરોપવાસીનું દસ્તાવેજીકરણ પામેલું આ સર્વપ્રથમ આગમન હતું, જે પાછળથી યુ.એસ. મુખ્યભૂમિના નામે ઓળખાઈ હતી.પ્રદેશમાં સ્પેનિશ વસાહતોના પગલે હાલના દક્ષિણપશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ માં વસાહતો થઈ, જ્યાં હજારો લોકો મેક્સિકો મારફતે આવ્યા હતા.ફ્રાન્સના ફર વેપારીઓ (fur trade)એ મહાન સરોવરો (Great Lakes)ની આસપાસ ન્યૂ ફ્રાન્સ ના થાણા સ્થાપ્યા હતા. પાછળથી ફ્રાન્સે છેક મેક્સિકોની ખાડી સુધી ઉત્તર અમેરિકાના ઘણા બધા અંતરિયાળ પ્રદેશ પર દાવો કર્યો હતો.પ્રથમ સફળ અંગ્રેજ વસાહતો 1607માં જેમ્સટાઉન માં વર્જિનીયા સંસ્થાન (Virginia Colony) અને 1620માં પિલગ્રિમ્સ (Pilgrim)નું પ્લાયમાઉથ સંસ્થાન (Plymouth Colony)હતા.મેસેચુસેટ્સ બે સંસ્થાન (Massachusetts Bay Colony)નું 1628માં ખતપત્ર થતાં વસાહતીઓનું મોજું આવ્યું હતું, 1634 સુધીમાં ન્યૂ ઇંગ્લેન્ડ (New England)માં દસેક હજાર પ્યુરિટન્સ (Puritan) આવીને વસ્યા હતા.1610ના અંતમાં અને અમેરિકી ક્રાન્તિની પહેલાં લગભગ 50,000 ગુનેગારોને બ્રિટનના અમેરિકી સંસ્થાનોમાં લાવવામાં આવ્યા હતા.1614માં ડચ લોકો મેનહટ્ટન ટાપુ (Manhattan Island) પરના ન્યૂ એમ્સ્ટર્ડમ (New Amsterdam) સહિત હડસન નદી (Hudson River)ના હેઠવાસમાં સ્થાયી થયા હતા. 1674માં હોલેન્ડે એ વખતનો તેમનો અમેરિકી વિસ્તાર ન્યૂ નેધરલેન્ડ્સ (New Netherland) પ્રાંત ઇંગ્લેન્ડને સોંપી દીધો, જેને ન્યૂ યોર્ક નામ આપવામાં આવ્યું હતું.ઘણા નવા વસાહતીઓ, ખાસ કરીને દક્ષિણ (the South)માં, ઇન્ડેચર્ડ સર્વન્ટ્સ (indentured servants) હતા, 1630થી 1680ની વચ્ચે વર્જિનાયાના તમામ વસાહતીઓના બે-તૃતિયાંશ લોકો ઇન્ડેચર્ડ સર્વન્ટ્સ હતા.રસેલ, ડેવિડ લી (2005)દક્ષિણના સંસ્થાનોમાં અમેરિકી ક્રાન્તિજેફરસન, એન.સી., અને લંડનઃ મેકફારલેન્ડ, પા.12આઇએસબીએન 0786407832.સદીના અંતે આફ્રિકી ગુલામો (African slaves) બંધુઆ મજુરીનો પ્રાથમિક સ્રોત બન્યા હતા.કેરોલિનાસ (the Carolinas)ના 1729ના ભાગલા અને 1732માં જ્યોર્જીયા (Georgia)ના સંસ્થાનકરણ સાથે 13 બ્રિટિશ સંસ્થાનો સ્થપાયા, જે પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યા.ઇંગ્લિશમેનના પ્રાચીન હકો (rights of Englishmen) પ્રત્યે વધતી જતી ભક્તિ અને પ્રજાસત્તાકવાદ (republicanism)ને તરવરાટભર્યું સમર્થન આપતી સ્વ-સરકારની ભાવના સાથે એ તમામની સ્થાનિક સરકારો હતી, જેમાં મોટા ભાગના મુક્ત લોકો ચુંટણીમાં ભાગ લઈ શકતા હતા. તમામે આફ્રીકી ગુલામ વેપાર (African slave trade)ને કાનૂની બનાવ્યો.ઊંચો જન્મ દર, નીચો મૃત્યુ દર અને સ્થિર હિજરતીઓના પ્રવાહે સંસ્થાનિક વસતીને ઝડપથી વધારી હતી.મહાન જાગૃતિ (Great Awakening)ના નામે ઓળખાયેલી 1730 અને 1740ની ખ્રિસ્તી પુનરુત્થાનવાદી (revivalist) ચળવળે ધર્મ અને ધાર્મિક સ્વતંત્રતા બંનેમાં રસ વધાર્યો હતો.ફ્રેન્ચ અને ઇન્ડિયન યુદ્ધ (French and Indian War)માં બ્રિટિશ દળોએ ફ્રાન્સ પાસેથી કેનેડા આંચકી લીધું હતું, પરંતુ ફ્રેન્ચભાષી (francophone) વસતી દક્ષિણના સંસ્થાનોથી રાજકીય રીતે અલગ જ રહી."અમેરિકી ઇન્ડિયન્સ"ના નામે જાણીતા અમેરિકાના મૂળ વતનીઓ (Native Americans) વિસ્થાપિત થઈ રહ્યા હતા, તેમને બાદ કરતા બાકીના તેર સંસ્થાનોની વસતી 1770માં 26 લાખ હતી, જે બ્રિટનની વસતીના એક-તૃતિયાંશ ભાગ જેટલી હતી. દર પાંચ અમેરિકીઓએ એક અ-શ્વેત ગુલામ હતો. બ્લેકબર્ન, રોબિન (1998).ધી મેકિંગ ઓફ ન્યૂ વર્લ્ડ સ્લેવરી. ફ્રોમ ધી બેરોક ટુ ધી મોડર્ન, 1492-1800.લંડન અને ન્યૂ યોર્ક વર્સો.પી.460આઇએસબીએન 1859841953.બ્રિટનના વેરા ભરવા છતાં અમેરિકી સંસ્થાનવાસીઓનું ગ્રેટ બ્રિટનની સંસદ માં કોઈ પ્રતિનિધિત્વ ન હતું. સ્વતંત્રતા અને વિસ્તરણ જહોન ટ્રંબુલ (John Trumbull) દ્વારા thumb|સ્વતંત્રતાની ઘોષણા (Declaration of Independence), 1817-18 અમેરિકી સંસ્થાનવાસીઓ અને બ્રિટન વચ્ચે 1760થી 1770ની શરુઆતના ક્રાન્તિકારી સમયગાળા (revolutionary period) દરમિયાન થયેલા તનાવને કારણે અમેરિકી ક્રાન્તિકારી યુદ્ધ (American Revolutionary War) શરુ થયું હતું, જે 1775થી 1781 સુધી લડાયું હતું.14 જુન, 1775એ ફિલાડેલ્ફીયા (Philadelphia)માં મળેલી ખંડીય કોંગ્રેસે (Continental Congress) જ્યોર્જ વોશિંગ્ટન (George Washington)ની આગેવાની હેઠળ ખંડીય લશ્કર (Continental Army)ના સ્થાપના કરી હતી."તમામ માણસો સમાન છે (all men are created equal)" અને "ચોક્કસ મૂળભૂત હકો (unalienable Rights)" ધરાવે છે, તેવી જાહેરાત સાથે કોંગ્રેસે સ્વતંત્રતાની ઘોષણા (Declaration of Independence)ને 4 જુલાઈ, 1776માં બહાલી આપી હતી, જેનો મુસદ્દો મહદઅંશે થોમસ જેફરસને (Thomas Jefferson) ઘડ્યો હતો.આ તારીખે હવે દર વર્ષે અમેરિકાના સ્વતંત્રતા દિન (Independence Day)ની ઉજવણી થાય છે.1777માં, મહાસંઘના અનુચ્છેદો (Articles of Confederation)ના આઘારે એક નબળી સંઘીય સરકારની સ્થાપના થઈ, જે 1789 સુધી કાર્યાન્વિત રહી હતી. ફ્રાન્સની મદદથી (assisted by the French) અમેરિકી દળોએ બ્રિટનને હરાવ્યા (British defeat) પછી ગ્રેટ બ્રિટને યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતા (recognized the independence of the United States) અને મિસિસિપી નદી (Mississippi River)ની પશ્ચિમ સુધીના અમેરિકી વિસ્તાર પરના રાજ્યોના સાર્વભૌમત્વ (sovereignty)ને સ્વીકાર્યું હતું.કરવેરાની સત્તાઓ સાથેની મજબૂત રાષ્ટ્રીય સરકાર સ્થાપવા માગતા લોકોએ 1787માં બંધારણીય સંમેલન (constitutional convention) બોલાવ્યું હતું.યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણ (United States Constitution)ને 1788માં બહાલી આપવામાં આવી હતી અને નવા પ્રજાસત્તાકની પ્રથમ સેનેટ પ્રતિનિધિગૃહ (first Senate, House of Representatives) અને પ્રમુખ (president) જ્યોર્જ વોશિંગ્ટને 1789માં કાર્યભાર સંભાળ્યો હતો.વ્યક્તિગત આઝાદીઓના સંઘીય અંકુશોને નકારતો અને અસંખ્ય કાનૂની રક્ષણો પ્રદાન કરતો હકોનો ખરડો (Bill of Rights)1791માં પસાર થયો હતો. ગુલામી (slavery) તરફના અભિગમો બદલાઈ રહ્યા હતા, બંધારણના એક અનુચ્છેદે (clause in the Constitution)આફ્રિકી ગુલામી વેપારને માત્ર 1808 સુધી જ સંરક્ષિત કર્યો હતો.17890થી 1804ના ગાળામાં ઉત્તરના રાજ્યોએ ગુલામી નાબૂદ કરી હતી. દક્ષિણના ગુલામ રાજ્યો (slave state) આ "વિશિષ્ટ સંસ્થા (peculiar institution)"ના બચાવકાર તરીકે રહ્યા.લગભગ 1800માં શરુ થયેલી બીજી મહાન જાગૃતિ (Second Great Awakening)એ ઇસુના શુભસંદેશના વાદ (evangelicalism)ને જન્મ આપ્યો, જેને કારણે ગુલામી પ્રથાની નાબૂદી (abolitionism) સહિતની વિવિધ સામાજિક સુધારણા (reform movement)ની ચળવળો શરુ થઈ. right|thumb|તારીખ પ્રમાણે પ્રદેશોનું સંપાદન પશ્ચિમમાં આગળ વિસ્તરણ (expand westward) કરવાની અમેરિકીઓની ઇચ્છાને કારણે ઇન્ડિયન યુદ્ધો (Indian Wars)ની લાંબી શૃંખલા ચાલી અને બની ઇન્ડિયન હટાવવાની (Indian removal) નીતિ, જેણે મૂળ વતનીઓનો જમીનનો અધિકાર છીનવી લીધો1803માં પ્રમુખ થોમસ જેફરસનના શાસનમાં ફ્રાન્સના દાવાવાળા વિસ્તારની લુઇસીયાના ખરીદી (Louisiana Purchase)એ દેશના કદને લગભગ બમણું કરી દીધું.વિવિધ તકલીફો અંગે બ્રિટન સામે ઘોષિત થયેલા 1812ના યુદ્ધ (War of 1812)નું કોઈ પરીણામ આવ્યું નહીં, પરંતુ તેનાથી અમેરિકાનો રાષ્ટ્રવાદ (nationalism) મજબૂત બન્યો.ફ્લોરિડામાં શ્રેણીબદ્ધ અમેરિકી લશકરી કાર્યવાહીને પરીણામે સ્પેને તેને અને અન્ય ખાડી કાંઠાના વિસ્તારને 1819માં સોંપી દીધો (Spain to cede).યુનાઇટેડ સ્ટેટ્સે 1845માં ટેક્સાસ પ્રજાસત્તાક (Republic of Texas)નું વિલનીકરણ કર્યું.આ ગાળામાં મેનિફેસ્ટ ડેસ્ટિની (Manifest Destiny)નો વિચર લોકપ્રિય થયો હતો.મોરિસન, માઇકલ એ. (1999).સ્લેવરી એન્ડ ધી અમેરિકન વેસ્ટઃ ધી એક્લિપ્સ ઓફ મેનિફેસ્ટ ડેસ્ટિની એન્ડ ધી કમિંગ ઓફ ધી સિવિલ વોર.ચેપલ હિલઃ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના પ્રેસ, પેજીઝ13-21આઇએસબીએન 0807847968.1846માં બ્રિટન સાથે ઓરેગોન સંધિ (Oregon Treaty)ને કારણે યુ.એસ. વર્તમાન અમેરિકી ઉત્તરપશ્ચિમ (American Northwest) ક્ષેત્ર પર અંકુશ જમાવી શક્યું હતું. મેક્સિકો-અમેરિકી યુદ્ધ (Mexican-American War)માં અમેરિકાના વિજયને પરીણામે 1848માં કેલિફોર્નીયા (California)ની સોંપણી (cession) થઈ અને હાલનો દક્ષિણપશ્ચિમ (American Southwest) ક્ષેત્ર બન્યો. 1848-49માં કેલિફોર્નીયાની સોનાની દોટે (California Gold Rush) પશ્ચિમમાં હિજરતને ઉત્તેજન આપ્યું હતું.નવી રેલવે (New railways)એ વસાહતીઓનો પુનર્વસવાટ સરળ બનાવ્યો અને અમેરિકી મૂળ વતનીઓ સાથે સંઘર્ષ વધાર્યો હતો. અડધી સદી દરમિયાન ચામડા-માંસ માટે તેમ જ રેલવે ઝડપથી નાંખવા માટે 4 કરોડ અમેરિકી બિસન (American bison) કે પાડાની કતલ કરવામાં આવી હતી.મેદાની ઇન્ડિયન્સ (plains Indians) માટે પ્રાથમિક સ્રોત જેવા બિસન ખતમ થવાથી મૂળ વતનીઓનીસંસ્કૃતિ પર આકરો પ્રહાર પડ્યો હતો. આંતરવિગ્રહ અને ઔદ્યોગિકરણ thumb|left|બેટલ ઓફ ગેટીસબર્ગ (Battle of Gettysburg), કુરીયર એન્ડ ઇવ્સ (Currier & Ives) દ્વારા લિથોગ્રાફ, કે.1863 રાજ્ય અને સંઘ સરકાર (state and federal governments) વચ્ચેના સંબંધો અંગે થતી દલીલોથી તેમ જ નવા રાજ્યોમાં ગુલામીના પ્રસાર પર થતી હિંસક અથડામણો (violent conflicts)થી ગુલામ રાજ્યો અને મુક્ત રાજ્યો (free states) વચ્ચે તનાવ (Tensions) વધવા માંડ્યો હતો.વ્યાપક રીતે ગુલામ-વિરોધી રીપબ્લિકન પક્ષ (Republican Party)ના ઉમેદવાર અબ્રાહમ લિંકન (Abraham Lincoln) 1860માં પ્રમુખ તરીકે ચુંટાયા હતા.તેમણે કાર્યભાર સંભાળ્યો તે પહેલાં સાત ગુલામ રાજ્યોએ અલગ પડવાની (secession) ઘોષણા કરીને કોન્ફડરેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા (Confederate States of America)ની સ્થાપના કરી, તેમની ઘોષણાને સંઘ સરકારે ગેરકાનૂની ગણાવી.ફોર્ટ સુમ્ટર પર કોન્ફડરેટના હુમલા (attack upon Fort Sumter) સાથે અમેરિકી આંતરવિગ્રહ (American Civil War)નો પ્રારંભ થયો અને ચાર વધુ ગુલામ રાજ્યો કોન્ફડરેસીમાં જોડાયા.લિંકનના મુક્તિ જાહેરનામા (Emancipation Proclamation)એ સંઘ (Union)ને ગુલામીનો અંત લાવવા પ્રતિબદ્ધ બનાવ્યું.1865માં સંઘના વિજયના પગલે યુ.એસ. બંધારણમાં ત્રણ સુધારા સાથે ગુલામ રખાયેલા લગભગ 40 લાખ આફ્રિકી અમેરિકી (African American)ઓને આઝાદીની ખાત્રી (ensured freedom) પૂરી પાડવામાં આવી, પાનુ સાત કુલ ગુલામ વસતી 3,953,760 દર્શાવે છે.તેમને નાગરિક બનાવવામાં આવ્યા (made them citizens) અને મતદાનના અધિકારો આપવામાં આવ્યા (gave them voting rights).યુદ્ધ અને તેના નિવારણે સંઘની સત્તા (federal power)માં નોંધપાત્ર વધારો કર્યો.ડી રોસા, માર્શલ એલ. (1997).ધી પોલિટિક્સ ઓફ ડિસોલ્યુશનઃ ધી ક્વેસ્ટ ફોર અ નેશનલ આઇડેન્ટિટી એન્ડ ધી અમેરિકન સિવિલ વોર.એડિસન, એનજેઃ ટ્રાંઝેક્શન, પા.266આઇએસબીએન 1560003499. thumb|એલિસ ટાપુઓ (Ellis Island), ન્યૂ યોર્ક ખાતે ઉતરાણ કરતા આધિવાસીઓ, 1920 યુદ્ધ પછી લિંકનની હત્યા (assassination of Lincoln)એ ઉદ્દામ બનાવેલી રીપબ્લિકનો (radicalized Republican)ની પુનઃનિર્માણ (Reconstruction)ની નીતિઓએ દક્ષિણી રાજ્યોને ફરીથી એકીકૃત કરવાના અને તેમનું પુનઃનિર્માણ કરવાના ઉદ્દેશ નવા મુક્ત થયેલા ગુલામોના અધિકારો માટે ખાત્રી પુરી પાડી.1877ના સમાધાન (Compromise of 1877)થી 1876ની વિવાદીત પ્રમુખીય ચુંટણી (1876 presidential election)ના નિરાકરણને કારણે પુનઃનિર્માણનો અંત આવ્યો, જિમ ક્રો કાયદા (Jim Crow laws)ઓએ તુરત જ ઘણા આફ્રિકી અમેરિકીઓના મતાધિકારને છીનવીલીધો (disenfranchised many African Americans).ઉત્તરમાં, શહેરીકરણ અને દક્ષિણ (Southern) તેમ જ પૂર્વ યુરોપ (Eastern Europe)માંથી આવી રહેલા આધિવાસીઓના અભૂતપૂર્વ પ્રવાહે (influx of immigrants) દેશના ઔદ્યોગિકરણ (country's industrialization)ને ઝડપી બનાવ્યું.આધિવાસનું મોજુ 1929 સુધી ટક્યું અને તેણે શ્રમ પૂરો પાડ્યો અને અમેરિકી સંસ્કૃતિમાં પરિવર્તન આણ્યું.આયાત-નિકાસની ચીજો પરની ઊંચી જકાતો, રાષ્ટ્રીય માળખકાકીય સવલતોનું નિર્માણ અને નવા બેન્કિંગ નિયમનોએ વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું.1867માં રશિયા પાસેથી અલાસ્કાની ખરીદી (Alaska purchase)એ દેશના મુખ્યભૂમિ વિસ્તરણને પૂર્ણ કર્યું.1890નો વુન્ડેડ ની હત્યાકાંડ (Wounded Knee massacre) ઇન્ડિયન યુદ્ધો (Indian Wars)માં છેલ્લો મોટો સશસ્ત્ર સંઘર્ષ હતો. 1893માં, હવાઈના પ્રશાંત સામ્રાજ્ય (Kingdom of Hawaii)ની મૂળ નિવાસી રાજાશાહી (indigenous monarchy)ને અમેરિકી નિવાસીઓના બળવાએ ઉથલાવી પાડી અને યુનાઇટેડ સ્ટેટ્સે 1898માં દ્વિપસમૂહને વિલીન કર્યું. એ જ વર્ષે સ્પેન-અમેરિકી યુદ્ધ (Spanish-American War)માં વિજયે દર્શાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વસત્તા (world power) છે અને પ્વેર્ટો રિકો, ગ્વામ અને ફિલિપાઇન્સ (Philippines)નું વિલીનીકરણ થયું.અડધી સદી પછી ફિલિપાઇન્સે આઝાદી મેળવી, જ્યારે પ્વેર્ટો રિકો અને ગ્વામ યુ.એસ. વિસ્તારો તરીકે રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ, મહાન મંદી અને દ્વિતિય વિશ્વયુદ્ધ thumb|left|ડસ્ટ બાઉલ (Dust Bowl) દરમિયાન છોડી દેવાયેલું ફાર્મ, દક્ષિણ ડાકોટા (South Dakota), 1936 1914માં બીજુ વિશ્વયુદ્ધ (World War I) ફાટી નીકળ્યું, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ તટસ્થ રહ્યું હતું.મોટા ભાગના અમેરિકીઓને બ્રિટન અને ફ્રાન્સ પ્રત્યે સહાનુભૂતિ હતી, પરંતુ ઘણા લોકો હસ્તક્ષેપ કરવાની વિરુદ્ધમાં હતા.ફોનર, એરિક અને જહોન એ. ગેરેટી (1991).ધી રીડર્સ કમ્પેનીયન ટુ અમેરિકન હિસ્ટ્રીન્યૂ યોર્ક હાઉટન મિફિન, પા.576આઇએસબીએન 0395513723.1917માં, યુનાઇટેડ સ્ટેટ્સ મિત્ર રાજ્યો (Allies) સાથે જોડાયું અને ધરી રાષ્ટ્રો (Central Powers)ની વિરુદ્ધમાં બાજી પલટી.યુદ્ધ પછી સેનેટે લીગ ઓફ નેશન્સ (League of Nations)ની સ્થાપના કરતી વેર્સાઇની સંધિ (Treaty of Versailles)ને બહાલી આપી નહીં.દેશે પૃથકતાતાવાદ (isolationism) સુધી લઈ જનારી એકપક્ષીયતા (unilateralism)ની નીતિ અપનાવી, મેકડફી, જેરોમ, ગેરી વેઇન પિગ્રેમ અને સ્ટીવ ઇ. વુડવર્થ (2005).યુ.એસ. હિસ્ટ્રી સુપર રીવ્યૂપિસ્કાટાવે, એનજે, રીસર્ચ એન્ડ એજ્યુકેશન એસોસિએશન, પા.418આઇએસબીએન 0738600709.1920માં, મહિલા અધિકાર (women's rights) આંદોલન મહિલાઓને મતદાનનો આધિકાર (women's suffrage) આપતો બંધારણીય સુધારો (constitutional amendment) પસાર કરાવવામાં જીત મેળવી.ગર્જના કરતા બીજા દાયકા (Roaring Twenties)ની સમૃદ્ધિનો અંત 1929ના વોલ સ્ટ્રીટના કડાકા (Wall Street Crash of 1929) સાથે આવ્યો, જેણે મહાન મંદી (Great Depression)ના પગરણ માંડ્યા.1932માં પ્રમુખ તરીકે ચુંટાયા બાદ ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટે (Franklin D. Roosevelt) અર્થતંત્રમાં સરકારી હસ્તક્ષેપ વધારતી નીતિઓ, ન્યૂ ડીલ (New Deal)ને હાથ ધર્યું1935ની આસપાસ આવેલા ડસ્ટ બાઉલે (Dust Bowl) સંખ્યાબંધ ખેડુત સમુદાયોને કંગાળ બનાવ્યા અને પશ્ચિમી સ્થળાંતરનું નવું મોજુ સર્જ્યું. 6 જુન, 1944ના ડી-ડે (D-Day) ટાણે યુ.એસ. લશ્કર (U.S. Army)ના પ્રથમ પાયદળ ડિવિઝન (1st Infantry Division)ના thumb|સૈનિકો નોર્મન્ડી પર ઉતરાણ (landing in Normandy) કરે છે. બીજા વિશ્વયુદ્ધ (World War II)ના પ્રારંભિક તબક્કામાં અસરકારકપણે તટસ્થ રહેલું યુનાઇટેડ સ્ટેટ્સ સપ્ટેમ્બર 1939માં નાઝી જર્મની (Nazi Germany)ના પોલાન્ડ (invasion of Poland) પર આક્રમણ પછી જમીન ભાડાપટ્ટો કાર્યક્રમ (Lend-Lease) મારફતે માર્ચ 1941થી મિત્ર રાજ્યો (Allies)ને લશ્કરી સામગ્રી (materiel) પૂરી પાડવા માંડ્યું હતું.7 ડીસેમ્બર, 1941એ જાપાનના પર્લ હાર્બર પરના આશ્ચર્યજનક હુમલા (attack on Pearl Harbor) પછી ધરી દેશો (Axis powers)ની સામે મિત્ર રાજ્યો સાથે જોડાયું હતું.અમેરિકાના ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ અન્ય કોઈ પણ યુદ્ધ કરતા વધારે ખર્ચાળ પુરવાર થયું, પરંતુ તેણે મૂડી રોકાણ અને નોકરીઓ પૂરી પાડીને અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું હતું.મુખ્ય યુદ્ધરત દેશોમાં યુદ્ધને કારણે ગરીબ બનવાને બદલે અમેરિકા સમૃદ્ધ બનનાર, ખરેખર અત્યંત સમૃદ્દ બનનાર એક માત્ર દેશ બન્યો.કેનેડી, પાઉલ (1989).મહાન સત્તાઓનું ઉત્થાન અને પતન.ન્યૂ યોર્ક, વિન્ટિજ, પૃ.358આઇએસબીએન 0670728197.બ્રેટન વુડ્સ (Bretton Woods) અને યાલ્ટા (Yalta) ખાતે મળેલી મિત્ર રાજ્યોની પરીષદોએ આંતરરાષ્ટ્રીય સંગઠનોની નવી વ્યવસ્થાની રુપરેખા ઘડી કાઢી હતી, જેણે યુનાઇટેડ સ્ટેટ્સ (United States) અને સોવિયેત યુનિયન (Soviet Union)ને વિશ્વ પ્રવાહોના કેન્દ્ર સ્થાને મુક્યા હતા.યુરોપમાં વિજય (victory was won in Europe)ની સાથે 1945માં સાનફ્રાન્સિસ્કો (San Francisco)માં યોજાએલી આંતરરાષ્ટ્રીય પરીષદે (international conference) સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર (United Nations Charter) ઘડી કાઢ્યું, જે યુદ્ધ પછી સક્રિય બન્યું હતું.અણુ શસ્ત્રો વિકસાવનાર પ્રથમ દેશ (developed the first nuclear weapons)અમેરિકાએ આ શસ્ત્રોનો ઉપયોગ ઓગસ્ટમાં જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી (Hiroshima and Nagasaki) પર કર્યો હતો.2 સપ્ટેમ્બરે જાપાને શરણાગતિ (Japan surrendered) સ્વીકારતા યુદ્ધનો અંત આવ્યો હતો.પ્રશાંત યુદ્ધ સંશોધન સમાજ (2006).જાપાનનો સૌથી લાંબો દિવસ.ન્યૂ યોર્કઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ.આઇએસબીએન 4770028873. શીત યુદ્ધ અને દેખાવોની રાજનીતિ [[ચિત્ર:Martin Luther King - March on Washington.jpg1963માં, "મારું એક સ્વપ્ન છે (I Have a Dream)" એ ભાષણ આપતાં |thumb|left|upright|માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર (Martin Luther King, Jr.)]] બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન વચ્ચે શીત યુદ્ધ (Cold War)દરમિયાન સત્તા માટે સ્પર્ધા શરુ થઈ, જેણે નાટો (NATO) અને વોર્સો કરારો (Warsaw Pact) દ્વારા યુરોપની લશ્કરી બાબતો પર પ્રભુત્વ જમાવ્યું હતું.યુનાઇટેડ સ્ટેટ્સે ઉદારવાદી લોકશાહી (liberal democracy)ને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે સોવિયેત યુનિયને સામ્યવાદ અને કેન્દ્રીય આયોજિત અર્થતંત્ર (planned economy)ને પ્રોત્સાહન આપ્યું હતું. બંનેએ સરમુખત્યારશાહીને સમર્થન આપ્યું અને પરોક્ષ યુદ્ધ (proxy war)માં જોતરાયા હતા.1950-53ના કોરીયાના યુદ્ધ (Korean War)માં અમેરિકી દળો સામ્યવાદી ચીની (Communist Chinese) દળો સામે લડ્યા હતા.ગૃહની બિન-અમેરિકી પ્રવૃત્તિ સમિતિ (House Un-American Activities Committee)એ શંકાસ્પદ ડાબેરી ભાગંફોડમાં શ્રેણીબદ્ધ તપાસો હાથ ધરી હતી, જ્યારે સેનેટર જોસેફ મેકકાર્થી (Joseph McCarthy) સામ્યવાદ-વિરોધી લાગણીના મુખ્ય પ્રવક્તા બન્યા. 1961માં સોવિયેત યુનિયને પ્રથમ માનવરહિત અવકાશયાન (first manned spaceflight) છોડતાં પ્રમુખ જહોન એફ. કેનેડી (John F. Kennedy)એ અમેરિકાને "ચંદ્ર પર પ્રથમ માનવી" ("a man on the moon,") મોકલનાર પ્રથમ દેશ બનવાનું આહ્વાન કર્યું હતું, જે 1969માં સિદ્ધ થયું હતું. કેનેડીએ ક્યુબામાં સોવિયેત દળો સાથે તનાવપૂર્ણ આણ્વિક મૂઠભેડ (tense nuclear showdown)નો પણ સામનો કર્યો હતો.દરમિયાન અમેરિકાએ સાતત્યપૂર્ણ આર્થિક વિસ્તરણ સાધ્યું હતું.રોઝા પાર્ક્સ (Rosa Parks) અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર (Martin Luther King, Jr.) જેવા આફ્રિકી અમેરિકીઓની આગેવાની હેઠળની મજબૂત થતી જતી નાગરિક અધિકાર ચળવળે (civil rights movement) પૃથકતાવાદ અને ભેદભાવ સામે સંઘર્ષ આદર્યો.1993માં કેનેડીની હત્યા (Kennedy's assassination) બાદ પ્રમુખ લીન્ડન બી. જહોન્સન (Lyndon B. Johnson)ના શાસન દરમિયાન 1964નો નાગરિક અધિકાર કાયદો (Civil Rights Act of 1964) અને 1965નો મતદાન અધિકાર કાયદો (Voting Rights Act of 1965) પસાર થયા.જહોન્સન અને તેમના અનુગામી રિચાર્ડ નિક્સને (Richard Nixon)દક્ષિણપૂર્વ એશિયામાં પરોક્ષ યુદ્ધને નિષ્ફળ વિયેતનામ યુદ્ધ (Vietnam War) સુધી વિસ્તાર્યું હતું.યુદ્ધ-વિરોધ (opposition to the war), અશ્વેત રાષ્ટ્રવાદ (black nationalism) અને લૈંગિક ક્રાન્તિ (sexual revolution)થી પ્રોત્સાહિત થયેલી પ્રતિસંસ્કૃતિ ચળવળ (countercultural movement)વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગઈ. બેટી ફ્રીડેન (Betty Friedan) અને ગ્લોરીયા સ્ટાઇનમ (Gloria Steinem) અને અન્યોએ નારીવાદનું નવું મોજુ (new wave of feminism) ફેલાવ્યું, જેણે નારી માટે રાજકીય, સામાજિક અને આર્થિક સમાનતાની માગણી કરી. વોટરગેટ કૌભાંડ (Watergate scandal)ને પરીણામે 1974માં નિક્સન રાજીનામુ આપનારા પ્રથમ પ્રમુખ બન્યા હતા. ન્યાયમાં રુકાવટ અને સત્તાના દુરુપયોગ સહિતના આરોપો અંગે તેમની સામે મહાઅભિયોગ (impeached)ની કાર્યવાહી થઈ નહીં. ઉપપ્રમુખ જેરાલ્ડ ફોર્ડ (Gerald Ford) તેમના અનુગામી (succeeded) બન્યા હતા.1970ના અંતભાગમાં જિમી કાર્ટર (Jimmy Carter)નું વહીવટીતંત્ર સ્ટેગફ્લેશન (stagflation) અને ઇરાન અપહ્રત કટોકટી (Iran hostage crisis)થી ઘેરાયેલું રહ્યું.1980માં રોનાલ્ડ રીગન (Ronald Reagan)ની પ્રમુખ તરીકેની ચુંટણીએ અમેરિકી રાજનીતિમાં નોંધપાત્ર જમણેરી ઝુકાવ (rightward shift in American politics)નો પ્રારંભ કર્યો હતો, જેનું પ્રતિબિંબ કરવેરા અને ખર્ચ કરવાની અગ્રતા (taxation and spending priorities)માં મહત્વના ફેરફારોમાં પડ્યું.કેમના કાર્યકાળની બીજી મુદતમાં ઇરાન-કોન્ટ્રા કૌભાંડ (Iran-Contra scandal) અને સોવિયેત યુનિયન સાથે નોંધપાત્ર રાજનૈતિક પ્રગતિ (diplomatic progress with the Soviet Union) બંને જોવા મળ્યા.પાછળથી સોવિયેત યુનિયનમાં ભંગાણ પડતા શીત યુદ્ધનો અંત આવ્યો સાંપ્રત યુગ [[ચિત્ર:WTC9-11.jpg11 સપ્ટેમ્બર, 2001 (September 11, 2001)ની સવારે|thumb|right| ધી વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center)]] પ્રમુખ જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશ (George H. W. Bush)ના શાસનમાં યુએન-સંમત ખાડી યુદ્ધ (Gulf War)માં અને બિલ ક્લિન્ટન (Bill Clinton)ના શાસનમાં યુગોસ્લાવ યુદ્ધો (Yugoslav wars)માં યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશોએ ભજવેલી નેતૃત્વની ભૂમિકાએ મહાસત્તા તરીકેના અમેરિકાના સ્થાનને જાળવી રાખવામાં મદદ કરી હતીઆધૂનિક અમેરિકી ઇતિહાસમાં સૌથી લાંબુ આર્થિક વિસ્તરણ માર્ચ 1991થી માર્ચ 2001ના ગાળામાં થયું, જેમાં ક્લિન્ટનના વહીવટ અને ડોટ કોમ ફુગ્ગાનો સમાવેશ થાય છે (dot-com bubble).એક દિવાની દાવો (civil lawsuit) અને સેક્સ કૌભાંડ (sex scandal)ને પરીણામે ક્લિન્ટન સામે મહાઅભિયોગ કાર્યવાહી (Clinton's impeachment) થઈ, પરંતુ તેઓ સત્તા પર ચાલુ રહ્યા.અમેરિકાના ઇતિહાસમાં કાંટાની ટક્કર સમી 2000ની પ્રમુખપદની ચુંટણી (2000 presidential election)નું નિરાકરણ યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય (U.S. Supreme Court decision)થી થયું અને જ્યોર્જ એચ. ડબ્લ્યુ. બુશના પુત્ર જ્યોર્જ ડબ્લ્યુ. બુશ (George W. Bush) પ્રમુખ બન્યા. 11 સપ્ટેમ્બર, 2001 (September 11, 2001)એ અલ-કાયદા (al-Qaeda)ના ત્રાસવાદીઓ ન્યૂ યોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center) અને વોશિંગ્ટન ડી.સી. પાસે પેન્ટાગોન (The Pentagon) પર ત્રાટક્યા હતા, જેમાં અંદાજે ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા.તેના પ્રતિભાવમાં બુશ વહીવટીતંત્ર (Bush administration)એ "ત્રાસવાદ સામે યુદ્ધ (War on Terrorism)" શરુ કર્યું.2001ના અંતે યુ.એસ. દળોએ અફઘાનિસ્તાનમાં આક્રમણ (invasion of Afghanistan)ની આગેવાની લીધી, તાલિબાન સરકાર (Taliban) અને અલ-કાયદાની તાલિમ છાવણીઓને દૂર કરી. તાલિબાન વિદ્રોહીઓએ ગેરીલા યુદ્ધ ચાલુ રાખ્યું છે.2002માં બુશ વહીવટીતંત્રએ વિવાદાસ્પદ કારણો (controversial grounds)આગળ ધરીને સત્તાપલટા (regime change) માટે દબાણ કરવા માંડ્યું હતું.લશ્કરી હસ્તક્ષેપ માટે નાટોના ટેકા વિના કે યુએના સ્પષ્ટ આદેશ વિના, બુશે સંમત દેશોનું જોડાણ (Coalition of the Willing) રચ્યું. જોડાણ દળોએ ઇરાક હુમલો કરે તે પહેલાં (preemptively) તેની પર આક્રમણ કરી (invaded Iraq)ને 2003માં સરમુખત્યાર અને એક વેળાના યુએસના સાથી સદ્દામ હુસેન (Saddam Hussein)ને હટાવ્યા હતા. હવે મોટા ભાગના અમેરિકીઓ જેનો વિરોધ કરી રહ્યા છે તે ઇરાક યુદ્ધ (Iraq War) હજુ ચાલુ છે, જોકે હિંસા ઘટવા માંડી છે.યુનાઇટેડ સ્ટેટ્સે ત્રાસવાદ સામેના યુદ્ધ અને ઇરાક યુદ્ધની તેની કામગીરીમાં માનવ અધિકારોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે (Amnesty International) મુક્યો છે.2005માં, હરિકેન કટરિના (Hurricane Katrina)એ ગલ્ફ કોસ્ટ (Gulf Coast)ના મોટા હિસ્સામાં તીવ્ર નુકસાન પહોંચાડયું હતું અને ન્યૂ ઓર્લીયન્સ (New Orleans)ને નષ્ટ કરી દીધું હતું. 4 નવેમ્બર, 2008એ વૈશ્વિક આર્થિક મંદી (economic recession) વચ્ચે બરાક ઓબામા (Barack Obama) રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચુંટાયા.આ હોદ્દો સંભાળનારા તેઓ પ્રથમ આફ્રિકી અમેરિકી (African American) છે. સરકાર અને ચુંટણીઓ [[ચિત્ર:Capitol Building Full View.jpgયુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ (United States Capitol)ના |thumb|right|પશ્ચિમ ભાગમાં યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસ (United States Congress) બેસે છે.]] યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી જુનું હયાત સંઘરાજ્ય (federation) છે.તે બંધારણીય પ્રજાસત્તાક (constitutional republic) છે, "જેમાં બુહમતી શાસન (majority rule) કાયદા (law) દ્વારા રક્ષિત લઘુમતી હકો (minority rights)થી સૌમ્ય બનાવવામાં આવ્યું છે."સ્કેબ, જહોન એમ., અને જહોન એમ. સ્કેબ II (2002).એન ઇન્ટ્રોડક્શન ટુ ધી અમેરિકન લીગલ સીસ્ટમફ્લોરેન્સ, કેવાયઃ ડેલ્મર, પા.6આઇએસબીએન 0766827593.તેનું માળખું મૂળભૂતપણે પ્રતિનિધિ લોકશાહી (representative democracy) તરીકે ઘડી કાઢવામાં આવ્યું છે, તેમ છતાં પ્રદેશોમાં વસતા યુ.એસ. નાગરિકોને સંઘરાજ્યના અધિકરીઓ માટે મતદાન કરવાથી દૂર રખાયા છે.રાસ્કિન, જેમ્સ બી. (2003). ઓવરરુલિંગ ડેમોક્રશીઃ ધી સુપ્રીમ કોર્ટ વિ. ધી અમેરિકન પીપલલંડન અને ન્યૂ યોર્ક, રાઉટલેજ, પા.36-38આઇએસબીએન 0415934397.સરકાર અમેરિકી બંધારણ દ્વારા વ્યાખ્યાયિત અંકુશો અને સંતુલનો (checks and balances)ની વ્યવસ્થા દ્વારા નિયંત્રિત થાય છે, જે દેશન સર્વોચ્ચ કાનૂની દસ્તાવેજ તરીકે અમેરિકાના લોકો માટે એક સામાજિક કરાર (social contract) તરીકે કામ કરે છે.અમેરિકાની સંઘીય વ્યવસ્થા (American federalist system)માં નાગરિકો સરકારના ત્રણ પ્રકારના સ્તરો (three levels of government)હેઠળ આવે છે, સંઘ, રાજ્ય અને સ્થાનિક. સ્થાનિક સરકાર (local government)ની ફરજો સામાન્યપણે કાઉન્ટી (county) અને મ્યુનિસિપલ સરકારો વચ્ચે વહેંચાય છે.લગભગ તમામ કિસ્સાઓમાં વહીવટી અને વૈધાનિક અધિકારીઓ જિલ્લાવાર નાગરિકોના બહુમતી મત (plurality vote)થી ચુંટાય છે.સંઘ સ્તરે પ્રમાણસરના પ્રતિનિધિત્વ (proportional representation)ની જોગવાઈ નથી અને નીચલા સ્તરે તે અપવાદરુપ હોય છે.સંઘીય અને રાજ્યના અદાલતી અને કેબિનેટ (cabinet) અધિકારીઓની નિમણૂંક વહીવટી પાંખ દ્વારા થાય છે અને તેને વિધાનસભા મંજુરી આપે છે, તેમ છતાં કેટલાર રાજ્યોમાં ન્યાયમૂર્તિઓ અને અધિકારીઓ લોકોના મતથી પણ ચુંટાય છે. thumb|left|વ્હાઇટ હાઉસ (White House)નો દક્ષિણ સન્મુખ ભાગ યુ.એસ. પ્રમુખ (U.S. president)નું ઘર અને કાર્યસ્થળ છે. સંઘ સરકાર ત્રણ પાંખની બનેલી છેઃ વિધાનસભા (Legislative): સેનેટ (Senate) અને પ્રતિનિધિગૃહ (House of Representatives)ની ની બનેલી દ્વિ-ગૃહીય (bicameral) કોંગ્રેસ (Congress) સંઘીય કાયદા (federal law) બનાવે છે, યુદ્ધ જાહેર કરે (declares war) છે, સંધિઓને બહાલી આપે છે, નાણાકોથળીની તાકાત (power of the purse) ધરાવે છે, અને મહાઅભિયોગ (impeachment)ની શક્તિ પણ ધરાવે છે, જેના દ્વારા તે સરકારના હયાત સભ્યોને દૂર કરી શકે છે. વહીવટી (Executive): પ્રમુખ (president) લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ (commander-in-chief) છે, વૈધાનિક ખરડો (legislative bills) કાયદો બને તે પહેલાં તેને અટકાવાનો અને રદ કરવાનો અધિકાર ધરાવે છે અને મંત્રી મંડળ (Cabinet) તથા અન્ય અધિકારીઓની નિમણૂંક કરે છે, જેઓ સંઘીય કાયદા અને નીતિઓ હાથ ધરે છે અને તેને લાગુ પાડે છે. ન્યાયિક (Judicial): સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને નીચલી સંઘીય અદાલતો (federal courts), જેના ન્યાયમૂર્તિઓની નિમણૂંક પ્રમુખ સેનેટની મંજુરી સાથે કરે છે. તે કાયદાનું અર્થઘટન કરે છે અને તેમને ગેરબંધારણીય (unconstitutional) લાગતા કાયદા રદ કરે છે. thumb|right|યુનાઇટેડ સ્ટેટ્સ સર્વોચ્ચ અદાલતના મકાન (United States Supreme Court building)નો પશ્ચિમ સન્મુખ ભાગ પ્રતિનિધિગૃહ 435 સભ્યો ધરાવે છે, દરેક સભ્ય બે વર્ષની મુદત માટે કોંગ્રેસની ચુટણી માટેના જિલ્લા (congressional district)નું પ્રતિનિધિત્વ કરે છે.ગૃહની બેઠકો દર દસ વર્ષે વસતીના આધારે રાજ્યો વચ્ચે ફાળવાય (apportioned) થાય છે.2000ની વસતી ગણતરી (2000 census) પ્રમાણે, સાત રાજ્યો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ ધરાવે છે, જ્યારે સૌથી વધારે વસતી ધરાવતો કેલિફોર્નીયા 53 પ્રતિનિધિઓ ધરાવે છે.સેનેટના 100 સભ્યો છે, દરેક રાજ્ય બે સેનેટરો ધરાવે છે. તેમાં એક છ વર્ષની મુદત માટે એટ-લાર્જ (at-large) ચુંટાય છે, સેનેટની એકૃતૃતિયાંશ બેઠકોની દર બીજા વર્ષે ચુટણી થાય છે.રાષ્ટ્રપ્રમુખ ચાર વર્ષની મુદત સુધી કામ કરે છે અને બેથી વધારે વખત ચુંટાઈ શકતા નથી. (no more than twice)રાષ્ટ્રપ્રમુખ સીધા મતથી ચુંટાતા નથી (not elected by direct vote), પરંતુ આડકતરા મતદારમંડળ (electoral college)ની વ્યવસ્થાથી ચુંટાય છે, જેમાં રાજ્યની વસતી પ્રમાણે મતો નક્કી થાય છે.યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice of the United States)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટ નવ સભ્યો ધરાવે છે, જેઓ જીવનભર કાર્યભાર સંભાળે છે.રાજ્ય સરકારોનું માળખું પણ લગભગ આ જ પ્રમાણે છે, જોકે, નેબ્રાસ્કા (Nebraska) વિશિષ્ટપણે એક-ગૃહીય (unicameral) વિધાનસભા ધરાવે છે.દરેક રાજ્યના (વડા વહીવટદાર) ગવર્નર (governor) સીધા ચુંટાય છે. રાજ્ય અને સંઘ બંને સરકારોના તમામ કાયદા અને કાર્યવાહી સમીક્ષાને પાત્ર છે અને બધારણના ભંગ કરતા કોઈ પણ કાયદાને ન્યાયતંત્ર રદ કરી શકે છે.બંધારણનો મૂળ મુસદ્દો સંઘ સરકારના માળખાં અને જવાબદારીઓ પ્રસ્થાપિત કરે છે અને તેની દરેક રાજ્ય સાથેની જવાબદારીઓ નક્કી કરે છે.અનુચ્છેદ પ્રથમ (Article One) હેબીયસ કોર્પસ (habeas corpus)ની "ગ્રેટ રિટ"ના હકનું રક્ષણ કરે છે, અને અનુચ્છેદ ત્રણ (Article Three) તમામ ફોજદારી ગુનાઓમાં જ્યુરી ટ્રાયલ માટેના હક (right to a jury trial)ની ગેરન્ટી આપે છે.બંધારણમાં સુધારા (Amendments to the Constitution) માટે ત્રણ-ચતુર્થાં રાજ્યોની બહાલીની જરૂર પડે છે.બંધારણમાં 27 વખત સુધારા થયા છે, હકોનો ખરડો (Bill of Rights) પ્રથમ દસ સુધારાથી બન્યો છે, જ્યારે ચૌદ સુધારા (Fourteenth Amendment) અમેરિકીઓના વ્યક્તિગત હકોનો કેન્દ્રીય પાયો રચે છે. પક્ષો, વિચારધારા અને રાજકારણ thumb|((યુ.એસ. મુખ્ય ન્યાયમૂર્તિ જહોન જી. રોબર્ટ્સસાથે ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપ્રમુખના હોદ્દાના શપથ લેવડાવે છે. 20 જાન્યુઆરી, 2017)) યુનાઇટેડ સ્ટેટ્સે તેના મોટા ભાગના ઇતિહાસ દરમિયાન બે-પક્ષી વ્યવસ્થા હેઠળ કામગીરી બજાવી છે.તમામ સ્તરે ચુંટણી દ્વારા નક્કી થતા હોદ્દાઓ માટે રાજ્ય-સંચાલિત પ્રાથમિક ચુટણીઓ પાછળથી યોજાનારી સામાન્ય ચુટણીઓ માટે મુખ્ય પક્ષના નામ-નિર્દિષ્ટોને પસંદ કરે છે.1856ની સામાન્ય ચુટણી (general election of 1856)થી અત્યાર સુધી બે મુખ્ય પક્ષો ચુટણી લડ્યા છે, જેમાં ડેમોક્રેટિક પક્ષ અને રીપબ્લિકન પક્ષ (Republican Party)ની સ્થાપના 1854માં થઈ હતી.આંતરવિગ્રહથી અત્યાર સુધીમાં ત્રીજા પક્ષનો એક માત્ર ઉમેદવારે રાષ્ટ્રપ્રમુખની ચુટણીમાં 20 ટકા જેટલા લોકપ્રય મત મેળવ્યા હતા. અને તે 1912માં પ્રોગ્રેસિવ પક્ષના થીયોડોર રુઝવેલ્ટ. અમેરિકાની રાજકીય સંસ્કૃતિ (political culture)માં રીપબ્લિકન પક્ષ કેન્દ્રથી જમણેરી કે "રુઢીચુસ્ત (conservative)" અને ડેમોક્રેટિક પક્ષ કેન્દ્રથી ડાબેરી અથવા "ઉદારવાદી (liberal)" ગણાય છે.ઉત્તરપૂર્વ (Northeast) અને પશ્ચિમ કાંઠા (West Coast)ના રાજ્યો અને મહાન સરોવરો (Great Lakes)ના કેટલાક રાજ્યો વાદળી રાજ્યો (blue states) તરીકે ઓળખાય છે અને સરખામણીમાં ઉદારવાદી છે.દક્ષિણ (South)ના લાલ રાજ્યો (red states) અને મહાન મેદાનો (Great Plains) અને રોકી માઉન્ટેઇન્સ (Rocky Mountains)ના ઘણા રાજ્યો સરખામણીમાં રુઢીચુસ્ત છે. 2008ની રાષ્ટ્રપ્રમુખની ચુટણી (2008 presidential election) જીતનારા બરાક ઓબામા (Barack Obama) 44મા યુએસ પ્રમુખ (44th U.S. president) છે અને આ હોદ્દો ધરાવનારા પ્રથમ આફ્રિકી અમેરિકી (African American) છે.અગાઉના તમામ રાષ્ટ્રપ્રમુખો વિશુદ્ધ યુરોપિય વંશના હતા.2008ની ચુટણીમાં ડેમોક્રેટિક પક્ષે ગૃહ (House) અને સેનેટ (Senate) બંને પર તેના અંકુશને મજબૂત બનાવ્યો.યુનાઇટેડ સ્ટેટ્સની 111મી કોંગ્રેસ (111th United States Congress)માં, સેનેટમાં 56 ડેમોક્રેટો, બે સ્વાયત્તો (independents) (જે ડેમોક્રેટો સાથે સંલગ્ન છે) અને 41 રીપબ્લિકનો છે. (એક બેઠક વિવાદીત છે). ગૃહમાં 254 ડેમોક્રેટો અને 178 રીપબ્લિકનો છે. (ત્રણ બેઠખો ખાલી છે). રાજકીય ભાગલા યુનાઇટેડ સ્ટેટ્સ પચાસ રાજ્યોનું ફેડરલ યુનિયન (federal union) છે.મૂળ તેર રાજ્યો એ તેર સંસ્થાનો (thirteen colonies)માંથી બન્યા છે, જેમણે બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો.બાકીના મોટા ભાગના રાજ્યો યુદ્ધ દ્વારા અથવા યુ.એસ. સરકારે કરેલી ખરીદીથી પ્રાપ્ત થયા છે. આમાં અપવાદરુપ છે, વેર્મોન્ટ (Vermont), ટેક્સાસ (Texas) અને હવાઈ. સંઘમા જોડાતા પહેલાં તેઓ દરેક સ્વાયત્ત પ્રજાસત્તાક હતા.બીજું અપવાદરુપ જુથ એ રાજ્યોનું છે, જેમને મૂળ તેર રાજ્યોના વિસ્તારમાંથી રચવામાં આવ્યા.દેશના પ્રારંભિક ઇતિહાસમાં ત્રણ રાજ્યો આ રીતે રચવામાં આવ્યા. વર્જિનીયા (Virginia)માંથી કેન્ટુકી (Kentucky), નોર્થ કેરોલિના (North Carolina)માંથી ટેનેસી (Tennessee) અને મેસેચુસેટ્સ (Massachusetts)માંથી મેઇન (Maine).અમેરિકી આંતરવિગ્રહ (American Civil War) દરમિયાન વર્જિનીયામાંથી પશ્ચિમ વર્જિનીયા (West Virginia) છુટું પડ્યું.સૌથી નવું રાજ્ય હવાઈ 21 ઓગસ્ટ, 1959માં અસ્તિત્વમાં આવ્યું.રાજ્યોને સંઘમાંથી અલગ (secede) પડવાનો અધિકાર નથી (do not have the right). રાજ્યો યુ.એસની જમીનનો વિશાળ ભાગ ધરાવે છે. દેશના બે અન્ય વિસ્તારો દેશના અંગભૂત ગણાય છે, તેઓ છે કોલમ્બીયા જિલ્લો. તે ફેડરલ જિલ્લો (federal district) છે અને પાટનગર વોશિંગ્ટન તેમાં આવેલું છે. પામાઇરા એટોલ (Palmyra Atoll) વસતી વગરનો, પરંતુ સંઘમાં સામેલ કરેલો (incorporated territory) પ્રશાંત મહાસાગરમાં આવેલો વિસ્તાર છે.યુનાઇટેડ સ્ટેટ્સ દરિયાપારના પાંચ મોટા વિસ્તારો પણ ધરાવે છે. કેરિબીયનમાં પ્વેર્ટો રિકો (Puerto Rico) અને યુનાઇટેડ સ્ટેટ્સ વર્જિન ટાપુઓ (United States Virgin Islands) અને પ્રશાંતમાં અમેરિકી સમોઆ (American Samoa), ગ્વામ (Guam) અને ઉત્તરીય મેરીયાના ટાપુઓ (Northern Mariana Islands).અમેરિકી સમોઆ સિવાયના વિસ્તારોમાં જન્મેલા લોકો યુ.એસ. નાગરિકત્વ (U.S. citizenship) ધરાવે છે. વિદેશી સંબંધો અને લશ્કર યુનાઇટેડ સ્ટેટસ વૈશ્વિક સ્તરે આર્થિક, રાજકીય અને લશ્કરી વગ ધરાવે છે.તે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ (United Nations Security Council)નું કાયમી સભ્ય છે અને ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક (United Nations Headquarters) આવેલું છે. લગભગ તમામ દેશોની વોશિંગ્ટન ડીસીમાં એલચી કચેરીઓ (embassies) છે અને ઘણાના દેશભરમાં કોન્સ્યુલેટ્સ (consulates) છે.એ જ રીતે, લગભગ તમામ દેશોમાં અમેરિકાની એલચી કચેરીઓ (American diplomatic missions) છે.જોકે, ક્યુબા (Cuba), ઇરાન (Iran), ઉત્તર કોરીયા (North Korea), ભૂતાન (Bhutan), સુદાન (Sudan) અને રીપબ્લિક ઓફ ચાઇના (Republic of China) (તાઇવાન) યુનાઇટેડ સ્ટેટ્સ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા નથી. યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ કિંગડમ (United Kingdom) સાથે ખાસ સંબંધો (special relationship) ધરાવે છે અને ઓસ્ટ્રેલીયા (Australia), ન્યૂ ઝીલેન્ડ (New Zealand), જાપાન (Japan), ઇઝરાયેલ (Israel) તેમ જ નાટોના અન્ય સાથી સભ્યો સાથે મજબૂત સંબંધો ધરાવે છે.તે તેના પડોશીઓ સાથે ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ (Organization of American States) દ્વારા અને કેનેડા (Canada) તેમ જ મેક્સિકો (Mexico) સાથે ત્રિપક્ષીય ઉત્તર અમેરિકા મુક્ત વેપાર કરાર (North American Free Trade Agreement) જેવા મુક્ત વેપાર કરારો (free trade agreements)થી ગાઢપણે કામ કરે છે. 2005માં, યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર વિકાસ સહાય (official development assistance) પાછળ વિશ્વભરમાં સૌથી વધારે 27 અબજ ડોલર ખર્ચ્યા હતા, જોકે, કુલ રાષ્ટ્રીય આવક (gross national income)ના ભાગ તરીકે જોતાં યુ.એસ.નું પ્રદાન ફક્ત 0.22 ટકા છે, જે 22 દાતા દેશોમાં વીસમા ક્રમે છે. ખાનગી ફાઉન્ડેશનો, કોર્પોરેશનો અને શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ જેવા બિન-સરકારી સ્રોતોએ 96 અબજ ડોલર દાન કર્યું હતું.123 અબજ $નું સંયુક્ત ટોટલ પણ વિશ્વમાં સૌથી વધારે છે અને જીએનઆઇની ટકાવારી તરીકે સાતમા ક્રમે છે. thumb|left|ધી યુએસએસ રોનાલ્ડ રીગન (USS Ronald Reagan) સુપરકેરીયર (supercarrier) રાષ્ટ્રપ્રમુખ દેશના લશ્કરી દળોના કમાન્ડર-ઇન-ચીફનો ખિતાબ ધરાવે છે અને તેના અગ્રણીઓ, સંરક્ષણ પ્રધાન (secretary of defense) અને જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (Joint Chiefs of Staff)ની નિમણૂંક કરે છે.યુનાઇટેડ સ્ટેટ્સનું સંરક્ષણ મંત્રાલય (United States Department of Defense) લશ્કર (Army), નૌકાદળ (Navy), મરીન કોર્પ્સ (Marine Corps) અને હવાઈદળ (Air Force) સહિતના લશ્કરી દળોનું સંચાલન કરે છે. કોસ્ટ ગાર્ડ (Coast Guard)નું શાંતિના સમયમાં હોમલેન્ડ સિક્યુરિટી મંત્રાલય (Department of Homeland Security) અને યુદ્ધના સમયમાં નૌકાદળ મંત્રાલય (Department of the Navy) સંચાલન કરે છે.2005માં, લશ્કરમાં 13.8 લાખ વ્યક્તિઓ સક્રિય ફરજ બજાવતા હતા, જેમાં અનામતદળો (Reserves) અને નેશનલ ગાર્ડ (National Guard) દરેકના કેટલાક હજાર લોકોને સામેલ કરતા કુલ સંખ્યા 23 લાખ સૈનિકો (2.3 million troops)ની થાય.સંરક્ષણ મંત્રાલય આ ઉપરાંત લગભગ સાત લાખ નાગરિકોને કામે રાખે છે, જેમાં કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થતો નથી.લશ્કરી સેવા સ્વૈચ્છિક છે, જોકે, યુદ્ધના સમયમાં પસંદગીયુક્ત સેવા વ્યવસ્થા (Selective Service System) દ્વારા ફરજિયાત લશ્કરી સેવા (conscription) લાગુ પાડી શકાય છે. વાયુદળના ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ અને એરીયલ રીફ્યુએલિંગ ટેન્કર્સના વિશાળ કાફલા, નૌકાદળના 11 એક્ટિવ એરક્રાફ્ટ કેરીયર્સ તેમ જ એટલાન્ટિક (Atlantic and) અને પેસિફિક ફ્લીટ (Pacific fleets)માં મરિન એક્સપિડિશનરી યુનિટ (Marine Expeditionary Unit) દ્વારા અમેરિકી દળો ઝડપથી તૈનાત થઈ શકે છે.યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એન્ટાર્કટિકા સિવાય (except Antarctica) દરેક ખંડમાં 770 લશ્કરી થાણા અને ફેસિલિટીઝમાં લશ્કર તૈનાત (deployed to 770 bases and facilities) છે.આ વૈશ્વિક લશ્કરી હાજરીનો વ્યાપ જોઇને ઘણા વિદ્વાનો યુનાઇટેડ સ્ટેટ્સને "લશ્કરી થાણાઓનું સામ્રાજ્ય" જાળવતું હોવાનું વર્ણવવા પ્રેરાયા છે. 2006માં અમેરિકાનો કુલ લશ્કરી ખર્ચ 528 અબજ ડોલર કરતા વધારે હતો, જે વૈશ્વિક લશ્કરી ખર્ચના 46 ટકા છે. અને યાદીમાં તેની પછીના ચૌદ દેશોના રાષ્ટ્રીય લશ્કરી ખર્ચના કુલ સરવાળા કરતા પણ વધારે છે.(સમતુલ્ય ખરીદશક્તિ (purchasing power parity)ના સંદર્ભમાં, તે યાદીમાં તેના પછીના આવા સંયુક્ત ખર્ચ કરતા પણ વધારે છે.)1,756 $નો માથાદીઠ ખર્ચ વૈશ્વિક સરેરા કરતા દસ ગણો છે.જીડીપીના 4.06 ટકાએ યુએસનો લશ્કરી ખર્ચ 172 દેશોમાં 27મા ક્રમે છે.2009 માટેનું સંરક્ષણ મંત્રાલયનું સૂચિત બજેટ (Department of Defense budget) 515.4 અબજ $ છે, જે 2008ની સરખામણીમાં સાત ટકા અને 2001 કરતા લગભગ 74 ટકા વધારે છે.યુનાઇટેડ સ્ટેટ્સને ઇરાક યુદ્ધ (Iraq War)નો ખર્ચ અંદાજે 2.7 ટ્રિલિયન $ થયો છે.10 માર્ચ, 2009ની સ્થિતિએ યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધમાં 4,257 લશ્કરી ખુવારી વહોરી છે અને 31,000થી વધારે ઘવાયા છે. અર્થતંત્ર આર્થિક સૂચકોબેકારી (Unemployment)8.1 % ફેબ્રુઆરી 2009જીડીપી વૃદ્ધિ-6.2%ચોથુ ત્રિ-માસિક 2008 (1.1% 2008)ત્રિમાસિક વૃદ્ધિ વાર્ષિક દરે દર્શાવવામાં આવે છે.સીપીઆઇ (CPI)ફુગાવો0.0% જાન્યુઆરી 2008-જાન્યુઆરી 2009રાષ્ટ્રીય દેવુ (National debt)$10.881 ટ્રિલિયનફેબ્રુઆરી 26, 2009ગરીબી (Poverty)12.5%2007 યુનાઇટેડ સ્ટેટ્સ મૂડીવાદી (capitalist) મિશ્રિત અર્થતંત્ર (mixed economy) ધરાવે છે, જે પુષ્કળ કુદરતી સંસાધનો (natural resource), સુ-વિકસિત આંતર-માળખું, અને ઊંચી ઉત્પાદકતા દ્વારા આગળ વધ્યું છે.આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund)ના જણાવ્યા પ્રમાણે, અમેરિકાનો 14.3 ટ્રિલિયન $ જીડીપી બજાર વિનિમય દરોએ કુલ વિશ્વ પેદાશ (gross world product)ના 23 ટકા જેટલું છે અને સમતુલ્ય ખરીદશક્તિ (purchasing power parity) (પીપીપી)એ કુલ વિશ્વ પેદાશના લગભગ 21 ટકા છે.તે વિશ્વમાં સૌથી વધુ રાષ્ટ્રીય જીડીપી છે, જે 2007માં પીપીપીએ યુરોપિય સંઘ (European Union)ના સંયુક્ત જીડીપી કરતા લગભગ 4 ટકા હતું. દેશ માથા દીઠ ન્યૂનતમ જીડીપી (nominal GDP per capita)માં વિશ્વભરમાં સત્તરમાં સ્થાને અને પીપીપીએ માથાદીઠ આવકમાં છઠ્ઠુ સ્થાન (GDP per capita at PPP) ધરાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ચીજવસ્તુઓનો સૌથી મોટો આયાતકાર અને ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જોકે તેની માથાદીઠ નિકાસ (exports per capita) સરખામણીમાં ઓછી છે.કેનડા, ચીન, મેક્સિકો, જાપાન અને જર્મની તેના ટોચના વેપારી ભાગીદાર દેશો છે.અગ્રણી નિકાસ ચીજ ઇલેક્ટ્રિકલ મશીનરી છે, જ્યારે વાહનો અગ્રણી આયાત છે.માત્ર છ વર્ષ સુધી ટકેલા વિસ્તરણ પછી અમેરિકી અર્થતંત્ર ડીસેમ્બર 2007થીમંદી (recession)માં સપડાયું છે. ખાનગી ક્ષેત્ર (private sector) અર્થતંત્રનો મુખ્ય હિસ્સો રોકે છે, જ્યારે સરકાર જીડીપીના 12.4 ટકા માટે સક્રિયપણે જવાબદાર છે. અર્થતંત્ર ઔદ્યોગિકરણ પછીના તબક્કામાં (postindustrial) છે, જેમાં સેવા ક્ષેત્ર (service sector)નો જીડીપીમાં 67.8 ટકા ફાળો છે. કુલ બિઝનેસ આવક જથ્થાબંધ અને છૂટક વેપારમાંથી આવે છે, જ્યારે ચોખ્ખી આવક નાણા અને વીમા ક્ષેત્રમાંથી થાય છે.મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર તરીકે રસાયણિક પેદાશો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઔદ્યોગિક તાકાત બની રહ્યું છે.યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં ક્રુડ તેલનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે, તેમ જ તેનો સૌથી મોટો આયાતકાર પણ. તે દુનિયાનો પ્રથમ ક્રમનો વીજળી અને અણુ ઉર્જા પેદા કરનારો દેશ છે, તેમ જ લિક્વિડ નેચરલ ગેસ, સલ્ફર, ફોસ્ફેટ્સ અને સોલ્ટનો પણ.કૃષિ (agriculture) જીડીપીમાં માત્ર એક જ ટકો હિસ્સો ધરાવતું હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સ મકાઈ અને સોયાબિનમાં વિશ્વમાં ટોચનો ઉત્પાદક દેશ છે.ડોલર વોલ્યૂમના પ્રમાણમાં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ (New York Stock Exchange) વિશ્વમાં સૌથી મોટું છે. કોકા-કોલા (Coca-Cola) અને મેકડોનાલ્ડ્સ (McDonald's) વિશ્વની બે સૌથી મોટી સ્વીકૃત બ્રાન્ડ છે. thumb|વોલ સ્ટ્રીટ (Wall Street)માં ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ આવેલું છે (New York Stock Exchange). 2005માં, 15.5 કરોડ લોકો સ-વેતન નોકરીઓમાં હતા, જેમાંના 80 ટકા પૂર્ણકાલીન નોકરીઓ કરતા હતા.આમાં બહુમત લોકો એટલે કે 79 ટકા સેવા ક્ષેત્રમાં નોકરી કરતા હતા.લગભગ 1.55 કરોડ લોકો સાથે આરોગ્ય સંભાળ અને સામાજિક સહાય રોજગારી માટેનું અગ્રણી ક્ષેત્ર છે.કામદારોના 12 ટકા સંઘોમાં સંગઠીત (unionized) છે, સરખામણીએ યુરોપમાં 30 ટકા છે.કામદારોને ભાડે રાખવાના અને છૂટા કરવાના સરળ નિયમોમાં યુનાઇટેડ સ્ટેટ્સને વિશ્વ બેન્ક પ્રથમ ક્રમે મુકે છે.1973થી 2003 દરમિયાન, સરેરા અમેરિકી માટે એક વર્ષનું કામ વધીને 199 કલાકનું થયું.તેને પરીણામે, કૈંક અંશે યુનાઇટેડ સ્ટેટ્સે વિશ્વમાં સૌથી ઊંચી શ્રમ ઉત્પાદકતા જાળવી રાખી.જોકે, 1950થી 1990 સુધીના ગાળામાં હતી તેવી કલાક દીઠ ઉત્પાદકતા તે જાળવી શક્યું નથી. નોર્વે, ફ્રાન્સ, બેલ્જીયમ અને લક્ઝમબર્ગ (Luxembourg) હવે કલાક દીઠ વધારે ઉત્પાદક છે.યુરોપની સરખામણીમાં યુ.એસ.માં મિલકત અને કોર્પોરેટ આવક વેરાના દરો (income tax rates) ઊંચા છે, જ્યારે શ્રમ અને ખાસ કરીને વપરાશ પરના વેરાના દરો ઓછા છે. આવક અને માનવ વિકાસ thumb|300px|ફુગાવો-એડજસ્ટેડ ટકાવારીમાં વધારો (ટોચના એક ટકાના લાભો બોટમ બારમાં જણાય છે.) યુનાઇટેડ સ્ટેટચ્સ સેન્સસ બ્યૂરો (United States Census Bureau)ના જણાવ્યા પ્રમાણે, 2007માં કરવેરા પહેલાનીમધ્યવર્તી ઘરેલુ આવક (median household income) $50,233 હતી.આ સરેરાશ મેરીલેન્ડ (Maryland)માં $68,080થી મિસિસિપી (Mississippi)માં $36,338 હતી.સમતુલ્ય ખરીદશક્તિ (purchasing power parity) વિનિમય દરનો ઉપયોગ કરતા, સમગ્રપણે આ મધ્યવર્તી વિકસિત દેશો (developed nations)ના સૌથી સમૃદ્ધ જુથો જેટલી જ છે.વીસમી સદીના મધ્યભાગમાં તીવ્રપણે ઘટ્યા બાદ ગરીબી દરો (poverty rates) 1970ના આરંભકાળથી ઊંચા ગયા છે. દર વર્ષે 11-15 ટકા અમેરિકીઓ ગરીબી રેખા (poverty line)ની નીચે છે અને 25થી 75 વર્ષની વચ્ચેના 68.5 ટકા લોકો ઓછામાં ઓછું એક વર્ષ ગરીબીમાં પસાર કરે છે.2007માં, 3.73 કરોડ અમેરિકીઓ ગરીબીમાં જીવતા હતા. સાપેક્ષ ગરીબી (relative poverty) અને નિરપેક્ષ ગરીબી (absolute poverty)ને સમૃદ્ધ દેશોની સરેરાશ કરતા ઘટાડીને યુ.એસ. કલ્યાણ રાજ્ય વિકસિત દેશોમાં હવે સૌથી સાદગીભર્યું છે.સ્મીડિંગ, ટી. એમ. (2005)"પબ્લિક પોલિસીઃ ઇકોનોમિક ઇનઇક્વોલિટી એન્ડ પોવર્ટી, ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઇન કમ્પેરેટિવ પર્સ્પેક્ટિવ"સોશલ સાયન્સ ક્વાર્ટલી 86, 955-983કેનવર્થી, એલ. (1999)"ડુ સોશલ-વેલ્ફેર પોલિટિક્સ રીડ્યુશ પોવર્ટી?એ ક્રોસ નેશનલ એસેસમેન્ટ" સોશલ ફોર્સીસ 77(3), 1119-1139.બ્રેડલી, ડી, ઇ. હુબેર, એસ. મોલર, એફ. નીલ્સન એન્ડ ડી. સ્ટીફન્સ (2003)"ડીટરમિનન્ટ્સ ઓફ રીલેટિવ પોવર્ટી ઇન એડવાન્સ્ડ કેપિટાલિસ્ટ ડેમોક્રસીઝ" અમેરિકન સોસીયલોજીકલ રીવ્યૂ 68(1), 22-51મોટી વયના લોકોમાં ગરીબી ઘટાડવામાં અમેરિકી કલ્યાણ રાજ્યએ સારી કામગીરી બજાવી છે, તેમ છતાં ઓર, ડી.(નવેમ્બર-ડીસેમ્બર, 2004)."સોશલ સીક્યુરિટી ઇઝન્ટ બ્રોકન: સો વ્હાઇ ધી રશ ટુ ફિક્સ ઇટ?"સિ. સ્ટર અને આર. વાસુદેવનમાં, સંપા.(2007). કરન્ટ ઇકોનોમિક ઇશ્યૂઝ.બોસ્ટન: ઇકોનોમિક બ્યૂરોયુવાનો સરખામણીમાં ઓછી મદદ મેળવે છે.21 ઔદ્યોગિક દેશોમાં બાળકોની સ્થિતિ અંગેના યુનિસેફ (UNICEF)ના એક અભ્યાસે અમેરિકાને છેલ્લેથી બીજા ક્રમે મુક્યું હતું. ઉત્પાદકતામાં મજબૂત વધારો, નીચી બેરોજગારી અને ફુગાવાનો નીચો દર છતાં 1980થી આવક લાભો અગાઉના દાયકાઓ કરતા ઓછા રહ્યા છે અને ઓછા વહેંચાયા છે અને આર્થિક અસલામતી વધી છે.1947થી 1979ની વચ્ચે વાસ્તવિક મધ્યવર્તી આવક (real median income) તમામ વર્ગો માટે 80 ટકા વધી છે અને સમૃદ્ધ અમેરિકીઓ કરતા ગરીબ અમેરિકીઓની આવકો ઝડપથી વધી છે.બાર્ટેલ્સ, એલ. એમ. (2008). અનઇક્વલ ડેમોક્રશી: ધી પોલિટિકલ ઇકોનોમી ઓફ ધી ન્યૂ ગિલ્ડેડ એઇજ.પ્રિન્સટન, એનજેઃ પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસબેવડી કમાણી ધરાવતા ઘરો, સ્ત્રી-પુરુષ વચ્ચેની ઘટેલી અસમાનતા અને લાંબા કામના કલાકોને કારણે 1980થી તમામ વર્ગો માટે મધ્યવર્તી ઘરેલુ આવક (Median household income) વધી છે, પરંતુ વૃદ્ધિ ધીમી રહી છે અને એકદમ ટોચ તરફ મજબૂતપણે ઝુકેલી છે. (જુઓ ગ્રાફ).ગિલ્બર્ટ,ડી. (1998). ધી અમેરિકન ક્લાસ સ્ટ્રક્ચર.બેલ્મોન્ટ, સીએઃ વેડ્સવર્થ.આઇએસબીએન 0534505201.પરીણામે, ટોચના 1 ટકાનો આવકમાં હિસ્સો 1980 પછી બમણા કરતા વધ્યો છે, જે 2005માં કુલ નોંધાયેલી આવકના 21.8 ટકા હતો. તેથી યુનાઇટેડ સ્ટેટ્સ વિકસિત દેશોમાં સૌથી વધારે આવક અસમાનતા ધરાવે છે. ટોચનો 1 ટકા વર્ગ તમામ સંઘીય વેરાના 27.6 ટકા ચુકવે છે, ટોચના 10 ટકા 54.7 ટકા ચુકવે છે.આવકની જેમ સંપત્તિ અત્યંત કેન્દ્રિત છે. પુખ્ત વસતીના સૌથી સમૃદ્ધ 10 ટકા દેશની ઘરેલુ સંપત્તિના 69.8 ટકા ધરાવે છે, જે વિકસિત દેશોમાં બીજા ક્રમનો સૌથી વધારે હિસ્સો છે.ટોચના 1 ટકા ચોખ્ખી સંપત્તિના 33.4 ટકા ધરાવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી [[ચિત્ર:Buzz salutes the U.S. Flag.jpgચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણ (landing on the Moon) દરમિયાન |right|thumb|અવકાશયાત્રી બઝ એલ્ડ્રિન (Buzz Aldrin), 1969]] 19મી સદીના અંતભાગથી યુનાઇટેડ સ્ટેટ્સ વૈજ્ઞાનિક સંશોધન અને તકનીકિ શોધખોળમાં અગ્રણી છે.1876માં, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ (Alexander Graham Bell)ને ટેલીફોન માટેની પ્રથમ અમેરિકી પેટન્ટ (patent for the telephone) એનાયત થઈ હતી.થોમસ એડીસન (Thomas Edison)ની પ્રયોગશાળાએ ફોનોગ્રાફ (phonograph), પ્રથમ લાંબો સમય ચાલનારો બલ્બ (long-lasting light bulb) અને પ્રથમ ટકાઉ મુવી કેમેરા (movie camera) વિકસાવ્યા.નીકોલા ટેસ્લા (Nikola Tesla) ઉલટસૂલટ પ્રવાહ (alternating current), એસી મોટર (AC motor) અને રેડીયો (radio)માં અગ્રેસર હતા.વીસમી સદીની શરુઆતમાં રેન્સમ ઇ. ઓલ્ડ્સ (Ransom E. Olds) અને હેનરી ફોર્ડ (Henry Ford)ની ઓટોમોબાઇલ કંપનીઓએ એસેમ્બલી લાઇન (assembly line)ને પ્રોત્સાહન આપ્યું.1903માં રાઇટ બંધુઓ (Wright brothers)એ પ્રથમ ટકાઉ, અંકુશિત, હવા કરતા ભારે, ઉર્જાથી ચાલતું ઉડ્ડયન કર્યું (first sustained and controlled heavier-than-air powered flight).1930માં નાઝીવાદ (Nazism)ના પ્રાદુર્ભાવથી આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein) અને એનરિકો ફર્મિ (Enrico Fermi) સહિતના યુરોપના ઘણા વૈજ્ઞાનિકોને યુનાઇટ્ડે સ્ટેટ્સમાં વસવાટ કરવા જવા પ્રેર્યા.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અણુ શસ્ત્રો વિકસાવનાર મેનહટ્ટન પ્રોજેક્ટ (Manhattan Project) અણુ યુગ (Atomic Age)માં લઈ ગયો.અવકાશ સ્પર્ધા (Space Race)એ રોકેટ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન (materials science) અને કમ્પ્યુટર્સમાં ઝડપી પ્રગતિ સાધી.યુનાઇટેડ સ્ટેટ્સે મુખ્યત્વે અપ્રાનેટ (ARPANET) અને તેનું અનુગામી ઇન્ટરનેટ (Internet) વિકસાવ્યા.આજે સંશોધન અને વિકાસ માટેના ભંડોળનો મોટો ભાગ, એટલે કે 40 ટકા ખાનગી ક્ષેત્રમાંથી આવે છે.યુનાઇટેડ સ્ટેટ્સ વૈજ્ઞાનિક સંશોધન નિબંધો અને અસર પરીબળ (impact factor)માં વિશ્વમાં અગ્રણી છે..અમેરિકીઓ ઊંચી કક્ષાની તકનીકિ ગ્રાહક ચીજવસ્તુઓ ધરાવે છે અને લગભગ દરેક અમેરિકી ઘર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ (broadband Internet access) ધરાવે છે.જનીનમાં ફેરફારથી બનાવેલા આહાર (genetically modified food)ને પ્રાથમિકપણે વિકસાવનાર અને ઉગાડનાર દેશ અમેરિકા છે. જૈવતકનીકિ પાક ઉગાડેલી દુનિયાની અડધા કરતા પણ વધારે જમીન અમેરિકામાં છે. પરીવહન thumb|Iઆંતરરાજ્ય ઘોરીમાર્ગ વ્યવસ્થા (Interstate Highway System) લંબાય છે. 2003ની સ્થિતિએ દર 1,000 અમેરિકીએ 759 ઓટોમોબાઇલ્સ હતા, તેની સરખામણીમાં પછીના વર્ષે યુરોપિય સંઘના દર હજાર રહીશોએ 472 હતા.વ્યક્તિગત વાહનો (personal vehicles)ના લગભગ 40 ટકા વાન્સ, એસયુવીઝ (SUVs) કે હળવી ટ્રક્સ હતા.તમામ ડ્રાઇવરો અને બિન-ડ્રાઇવરો સહિતના સરેરાશ અમેરિકી પુખ્તો રોજના પ્રવાસમાં ડ્રાઇવિંગ પાછળ 55 મિનીટ ખર્ચે છે.અમેરિકાની ઇન્ટરસિટી પેસેન્જર રેલ વ્યવસ્થા સરખામણીમાં નબળી છે.યુરોપમાં 38.8 ટકાની સરખામણીમાં કુલ યુ.એસ. વર્ક ટ્રિપ્સના માત્ર 9 ટકા સમૂહ પરીવહનનો ઉ (mass transit)પયોગ કરે છે.સાયકલનો ઉપયોગ ન્યૂનતમ છે, યુરોપના સ્તરોથી ઘણો નીચો.નાગરિક વિમાની ઉદ્યોગ સંપુર્ણપણે ખાનગી છે, જ્યારે મોટા ભાગના વિમાની મથકો જાહેર માલિકીના છે.પ્રવાસીઓની સંખ્યાના આધારે દુનિયાની સૌથી મોટી પાંચ વિમાની કંપનીઓ અમેરિકી છે. અમેરિકન એરલાઇન્સ (American Airlines) તેમાં પ્રથમ ક્રમે છે.દુનિયાના સૌથી વ્યસ્ત ત્રીસ પ્રવાસી વિમાની મથકોમાં સોળ અમેરિકામાં છે, તેમાં સૌથી વ્યસ્ત હાર્ટ્સફીલ્ડ-જેક્સન એટલાન્ટા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક (Hartsfield-Jackson Atlanta International Airport) (એટીએલ)નો સમાવેશ થાય છે. ઉર્જા યુનાઇટેડ સ્ટેટ્સનું ઉર્જા બજાર વર્ષે 29,000 ટેરાવોટ (terawatt)નું છે.ઉર્જાનો માથાદીઠ વપરાશ (Energy consumption per capita)દર વર્ષે 7.8 ટન ક્રુડ તેલના સમતુલ્ય છે. તેની સરખાણીમાં જર્મનીમાં 4.2 ટન અને કેનેડામાં 8.3 ટન છે.2005માં 40 ટકા ઉર્જા પેટ્રોલીયમમાંથી, 23 ટકા કોલસામાંથી અને 22 ટકા કુદરતી વાયુમાંથી પ્રાપ્ત થઈબાકીની ઉર્જા અણુ શક્તિ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતો (renewable energy)માંથી મેળવવામાં આવી.યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં સૌથી મોટુ પેટ્રોલીયમનું વપરાશકાર છે.દાયકાઓથી અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અણુશક્તિએ મર્યાદિત ભૂમિકા ભજવી છે.2007માં, નવા અણુ મથકો માટે કેટલીક અરજીઓ દાખલ થઈ હતી. વસતીગણતરી સંબંધિત thumb|right|કાઉન્ટી પ્રમાણે સૌથી મોટાં વંશીય જૂથો, 2000 ગેરકાયદેસર સ્થળાંતર કરીને (illegal immigrants)અમરિકામાં વસેલા અંદાજે 1.12 કરોડ લોકો આંકડો આપોઆપ અપડેટ થાય છે.સહિત અમેરિકાના વસતી ગણતરી બ્યૂરોએ અંદાજેલી વસતી છેયુનાઇટેડ સ્ટેટ્સ ચીન અને ભારત પછી વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી વધારે વસતી ધરાવતું રાષ્ટ્ર છે.વસતી વૃદ્ધિ (population growth)નો દર 0.89%, છે, તેની સરખામણીમાં યુરોપિય સંઘનો 0.16%. છે.દર 1,000એ 14.6 ટકાનો જન્મ દર (birth rate) વિશ્વની સરેરાશ કરતા ઓછો છે અને અલ્બેનીયા (Albania) અને આયર્લેન્ડ (Ireland)ને બાદ કરતા યુરોપિય સંઘના કોઈ પણ દેશ કરતા વધારે છે.2007ના નાણાકીય વર્ષમાં 10.5 લાખ આધિવાસીઓને કાનૂની નિવાસ (legal residence) આપવામાં આવ્યો હતો.બે દાયકા કરતા વધારે સમયથી મેક્સિકો નવા નિવાસીઓનો અગ્રણી સ્રોત છે, 1998થી ચીન, ભારત અને ફિલિપાઇન્સ દર વર્ષે નવા નિવાસીઓને મોકલનારા ટોચના ચાર દેશો રહ્યા છે.યુનાઇટેડ સ્ટેટ્સ એક માત્ર એવો ઔદ્યોગિક દેશ છે, જયાં મોટા પાયે વસતી વૃદ્ધિના અંદાજો મુકાયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અત્યંત વૈવિધ્યપુર્ણ વસતી (diverse population) ધરાવે છે. 10 લાખ કરતાવધારે સભ્યો ધરાવતા 31 વંશીય જૂથો (ancestry groups) છે.શ્વેત અમેરિકીઓ (White Americans) સૌથી મોટું વંશીય જૂથ (racial group) છે, ઉપરાંત જર્મન અમેરિકી (German American), આઇરિશ અમેરિકી (Irish American) અને ઇંગ્લિશ અમેરિકી (English American) દેશના ચાર મોટા વંશીય જૂથો પૈકીના ત્રણ છે.આફ્રિકી અમરિકી (African American)દેશની સૌથી મોટી વંશીય લઘુમતી (racial minority) અને ત્રીજું સૌથી મોટું વંશીય જૂથ છે.એશિયાઇ અમેરિકી (Asian American)દેશની બીજા ક્રમની સૌથી મોટી વંશીય લઘુમતી છે. ચીની (Chinese) અને ફિલિપિનો (Filipino) બે સૌથી મોટા એશિયાઇ અમેરિકી વંશીય જૂથો છે.2007માં યુ.એસ.ની વસતીમાં 29 લાખ જેટલા અમેરિકી ઇન્ડિયનો (American Indian) કે અલાસ્કાના મૂળવતની (Alaskan native)ઓ, 10 લાખથી વધારે હવાઈના વતની (native Hawaiian) અને 5 લાખ પ્રશાંત ટાપુ (Pacific island)ના વંશના મળીને અંદાજે 45 લાખ છે. વંશ/વંશીયતા (2007)શ્વેત (White)80.0%આફ્રિકી-અમેરિકી (African American)12.8%એશિયાઇ (Asian)4.4%મૂળ અમેરિકી વતનીઓ અને અલાસ્કાના મૂળ વતનીઓ (Native American and Alaskan Native)1.0%હવાઇના મૂળ વતનીઓ અને પ્રશાંત ટાપુવાસી (Native Hawaiian and Pacific Islander)0.2%બહુવંશીય (Multiracial)1.6%હિસ્પેનિક કે લેટિનો (Hispanic or Latino) (કોઈ પણ વંશના)15.1% હિસ્પેનિક અને લેટિનો અમેરિકીઓ (Hispanic and Latino Americans)ની(બંને શબ્દો સત્તાવાર રીતે એકબીજા માટે વાપરી શકાય તેવા છે) વસતીમાં વધારો એ વસતી ગણતરીની તરાહમાં થયેલો સૌથી મોટો ફેરફાર (demographic trend) છે.વસતી ગણતરી બ્યુરોએ 4.54 કરોડ હિસ્પેનિક મૂળના અમેરિકીઓને એક અલગ "વંશીયતા (ethnicity)" ધરાવે છે એમ ગણીને અલગ તારવ્યા છે. 64% of હિસ્પેનિક અમેરિકીઓf મેક્સિકન મૂળના (Mexican descent)છે.2000થી 2007 દરમિયાન દેશની હિસ્પેનિક વસતિમાં 27 ટકાનો વધારો થયો હતો, જ્યારે બિન-હિસ્પેનિક વસતિમાં માત્ર 3.6 ટકાનો જ વધારો થયો હતો.આમાંની મોટા ભાગની વૃદ્ધિ આધિવાસને આભારી છે. અમેરિકી વસતિનો 12.4 ટકા હિસ્સો વિદેશ-જન્મ ધરાવે છે, જેમાં 54 ટકા લોકો લેટિન અમેરિકા (Latin America)માં જન્મેલા છે.ફળદ્રુપતા પણ એક પરીબળ છે. સરેરાશ હિસ્પેનિક સ્ત્રી તેના જીવનકાળમાં ત્રણ બાળકોને જન્મ આપે છે.સરખામણીપાત્ર ફળદ્રુપતા દર બિન-હિસ્પેનિક અ-શ્વેત સ્ત્રી માટે 2.2 અને બિન-હિસ્પેનિક શ્વેત સ્ત્રી માટે 1.8 છે. (2.1ના પુરવણી દર (replacement rate) કરતા નીચે).લઘુમતીઓ (Minorities) (વસતિ ગણતરી બ્યૂરોએ કરેલી વ્યાખ્યાપ્રમાણે, બિન-હિસ્પેનિક, બિન-બહુવંશીય ગોરાઓ ઉપરાંતના તમામ) વસતિના 34 ટકા છે, તેઓ 2042 સુધીમાં બહુમતી થવાનો અંદાજ છે. લગભગ 79 ટકા અમેરિકીઓ શહેરી વિસ્તારો (urban areas)માં રહે છે. (વસતિ ગણતરી બ્યુરોની વ્યાખ્યા પ્રમાણે આવા વિસ્તારોમાં પરા (suburb)ઓનો સમાવેશ થાય છે).આમાં અડધા લોકો 50,000થી વધારે વસતિ ધરાવતા શહેરોમાં રહે છે.2006માં ઇનકોર્પોરેટેડ સ્થળો (incorporated places)એક લાખથી વધારે વસતિ ધરાવતા હતા, નવ શહેરો 10લાખથી વધારે વસતિ ધરાવતા હતા અને ચાર વૈશ્વિક શહેરો (global cities) વીસ લાખથઈ વધારે વસતિ ધરાવતા હતા. (ન્યૂ યોર્ક શહેર, લોસ એન્જેલસ (Los Angeles), શિકાગો, અનેહાઉસ્ટન (Houston))દસ લખાથી વધાર વસતિ ધરાવતા પચાસ મેટ્રોપોલિટન વિસ્તારો (metropolitan areas) છે.પચાસ સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા મેટ્રો વિસ્તારોમાં 23 પશ્ચિમમાં અને 25 દક્ષિણમાં છે.એટલાન્ટા (Atlanta), ડલાસ (Dallas), હાઉસ્ટન (Houston), ફિનીક્સ (Phoenix), અને રીવરસાઇડ (Riverside)ના મેટ્રો વિસ્તારો 2000થી 2006ની વચ્ચે 10 લાખ લોકોના ત્રણ-ચતુર્થાંશ કરતા વધારે વૃદ્ધિ પામ્યા હતા. ભાષા ભાષાઓ (2005)અંગ્રેજી(માત્ર)21.62 કરોડસ્પેનિશ,ક્રીયોલ (Creole)3.22 કરોડચીની23 લાખફ્રેન્ચ,ક્રીયોલ (Creole)19 લાખતગાલોગ (Tagalog)14 લાખવિયેટનામી (Vietnamese)11 લાખજર્મન11 લાખ અંગ્રેજી (English) વાસ્તવિક રાષ્ટ્રીય ભાષા (national language) છે.સંઘીય સ્તરે કોઈ સત્તાવાર ભાષા (official language) નથી, તેમ છતાં કેટલાક કાયદાઓ, જેવા યુ.એ. નેચરલાઇઝેશન જરૂરિયાત (U.S. naturalization requirements) અંગ્રેજીને સ્વીકૃત ગણે છે.2005માં, લગભગ 21.6 કરોડ અથવા તો પાંચ વર્ષથી માંડીને મોટી વયના લોકો ઘરમાં માત્ર અંગ્રેજી બોલતા હતા.વસતિના 12 ટકા લોકો દ્વારા ઘરમાં બોલાતી સ્પેનિશ (Spanish) બીજા ક્રમની સૌથી સામાન્ય ભાષા છે અને સૌથી વધારે શીખવાતી વિદેશી ભાષા છે.અંગ્રેજી ઓછામાં ઓછા 28 રાજ્યોની સત્તાવારા ભાષા હોવાથી તેને દેશની સત્તાવાર ભાષા બનાવવાની કેટલાક અમેરિકીઓ હિમાયત કરે છે.હવાઈમાં રાજ્યના કાયદાથી હવાઈ (Hawaiian) અને અંગ્રેજી બંને સત્તાવાર ભાષાઓ છે. ન્યૂ મેક્સિકો (New Mexico)એ અંગ્રેજી અને સ્પેનિશ બંનેના ઉપયોગ માટે જ્યારે લુઇસીયાના (Louisiana)એ અગ્રેજી અને ફ્રેન્ચ માટે કાયદા ઘડ્યા છે, કેમ કે બંનેને કોઇ સત્તાવાર ભાષા નથી. કેલિફોર્નીયા (California) જેવા અન્ય રાજ્યો અદાલતના ફોર્મ્સ જેવા ચોક્કસ સરકારી દસ્તાવેજો સ્પેનિશમાં પ્રસિદ્ધ કરવા આદેશે છે. કેટલાક ઇન્સ્યુલર વિસ્તારો તેમની મૂળ દેશી ભાષાને અંગ્રેજીની સાથે સત્તાવાર સ્વીકૃતિ આપે છે. અમેરિકી સમોઆ અને ગ્વામે અનુક્રમે સમોઆઇ (Samoan) અને ચમારો (Chamorro)ને સ્વીકારી છે. ઉત્તરીય મેરીયાના ટાપુઓએ કેરોલિનીયાઇ (Carolinian) અને ચમારો ભાષાઓને સ્વીકારી છે. સ્પેનિ પ્વર્ટો રિકોની સત્તાવાર ભાષા છે. ધર્મ thumb|right|એક દક્ષિણી બાપ્ટિસ્ટ (Southern Baptist) ચર્ચ; મોટા ભાગના અમેરિકીઓ ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર રીતે બિનસાંપ્રદાયિક દેશ (secular nation) છે. અમેરિકી બંધારણનો પ્રથમ સુધારો (First Amendment) ધર્મના મુક્ત પાલન (free exercise of religion)ની ખાત્રી આપે છે અને કોઈ પણ પ્રકારના ધાર્મિક શાસનની સ્થાપનાની મનાઈ ફરમાવે છે.2002ના એક અભ્યાસમાં 59 ટકા અમેરિકીઓએ જણાવ્યું હતું કે "ધર્મ તેમના જીવનમાં અત્યંત મહત્વનો ભાગ" ભજવે છે. આ ટકાવારી અન્ય કોઈ પણ સમૃદ્દ દેશ કરતા ઘણી ઊંચી છે.2007ના એક સરવે પ્રમાણે, 78.4 ટકા પુશ્ક લોકો પોતાને ખ્રિસ્તી (Christian) તરીકે ઓળખાવે છે. આ ટકાવારી 1990માં 86.4 હતી.પ્રોટેસ્ટન્ટ (Protestant) સંપ્રદાયના લોકો 51.3 ટકા હતા, જ્યારે રોમન કેથોલિકવાદ (Roman Catholicism) 23.9 ટકાએ સૌથી મોટી વ્યક્તિગત સંજ્ઞા છે.અભ્યાસ વસતિના 26.3 ટકા ગોરા ઇવેન્જેલિકલ્સ (evangelicals)ને દેશનું સૌથી ધાર્મિક જૂથ ગણાવે છે, જ્યારે અન્ય અભ્યાસ તમામ વંશોના ઇવેન્જેલિકલ્સને 30-35 ટકા ગણાવે છે.2007માં વિવરણ હેઠળના કુલ બિન-ખ્રિસ્તી ધર્મો 4.7 ટકાહતા, જે 1990ના 3.3 ટકાથી વધ્યા હતા.અગ્રણી બિન-ખ્રિસ્તી પંથો યહુદી (Judaism) (1.7%), બૌદ્ધ (Buddhism) (0.7%), ઇસ્લામ (Islam) (0.6%), હિન્દુ (Hinduism) (0.4%), અને ઐક્યવાદી સર્વહિતવાદ (Unitarian Universalism) (0.3%) છે.પોતાને નિરિશ્વરવાદી (agnostic), નાસ્તિક (atheist), કે કોઈ પણ જાતનો ધર્મ નહીં (no religion) હોવાનું જણાવતા લોકો 1990માં 8.2 ટકાથી વધીને 2007માં 16.1 ટકા થયા હતા, જે સંખ્યા બ્રિટન (2005: 44%) અને સ્વીડન (2005: 85%) જેવા ઔદ્યોગિકરણ પછીના દેશોની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછી છે. શિક્ષણ thumb|right|મનરો નગર, ન્યૂ જર્સી શાળા અમેરિકી જાહેર શિક્ષણ (public education) રાજ્ય અને સ્થાનિક સરકારો દ્વારા સંચાલિત છે અને સંઘીય અનુદાનોના અંકુશો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સનું શિક્ષણ મંત્રાલય (United States Department of Education) તેનું નિયમન કરે છે.મોટા ભાગની શાળાઓમાં બાળકો છ કે સાત વર્ષની ઉંમરથી (સામાન્યપણે, કિંડરગાર્ટન (kindergarten) અથવા પ્રથમ કક્ષા (first grade))માં) દાખલ થાય છે અને અઢાર વર્ષના થાય ત્યાં સુધી (સામાન્યપણે બારમી કક્ષા (twelfth grade), હાઇસ્કુલ (high school))ના અંત સુધી) તેઓ ભણે છે. કેટલાક રાજ્યો વિદ્યાર્થીઓને સોળ કે સત્તર વર્ષે શાળા છોડવાની છુટ આપે છે.લગભગ 12 ટકા બાળકો રુઢીચુસ્ત શાળાઓ (parochial) કે બિન-સંકુચિત (nonsectarian)કે ખાનગી શાળાઓમાં (private school) દાખલ થાય છે.માત્ર બે ટકા બાળકો ધરે બેઠા ભણે (homeschooled) છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ શિક્ષણની ઘણી સ્પર્ધાત્મક જાહેર અને ખાનગી સંસ્થાઓ (institutions of higher education) તેમ જ ખુલ્લી પ્રવેશ નીતિઓ સાથેની સ્થાનિક સમુદાય કોલેજો (community college) છે.25 અને તેથી વધારે વર્ષની ઉંમરના અમેરિકીઓના 84.6 ટકા હાઇસ્કુલ સુધી ભણે છે, 52.6 ટકા કોલેજમાં જાય છે, 27.2 ટકા સ્નાતકની ડીગ્રી (bachelor's degree) મેળવે છે અને 9.6 ટકા અનુ-સ્નાતક ડીગ્રીઓ મેળવે છે.મૂળભૂત સાક્ષરતા દર (literacy rate) અંદાજે 99 ટકા છે.યુ.એસ. સાક્ષરતા અંગે વધારે વિગતો માટે, જુઓ 21મી સદીમાં અમેરિકી પુખ્તોની સાક્ષરતા તરફ એક નજર, યુ.એસ. શિક્ષણ મંત્રાલય (2003).સંયુક્ત રાષ્ટ્રોએ યુનાઇટેડ સ્ટેટ્સને 0.97નો શિક્ષણ આંક આપ્યો છે, જે તેને વિશ્વમાં 12મા સ્થાને મુકે છે. આરોગ્ય યુનાઇટેડ સ્ટેટ્સમાં અપેક્ષિત આયુષ્ય (life expectancy) જન્મથી 77.8 વર્ષનું છે, જે પશ્ચિમ યુરોપમાં સમગ્ર આંકડા કરતા એક વર્ષ ઓછું છે અને નોર્વે, સ્વીટ્ઝર્લેન્ડ અને કેનેડા કરતા ત્રણથી ચાર વર્ષ ઓછું છે.છેલ્લા બે દાયકામાં અપેક્ષિત આયુષ્યમાં દેશનો ક્રમ વિશ્વમાં 11મા સ્થાનેથી 42મા સ્થાને પહોંચી ગયું છે.દર હજારે 6.37નો બાળ મરણ દર (infant mortality rate) યુનાઇટેડ સ્ટેટ્સને 221 દેશોમાં 42મા સ્થાને મુકે છે, જે પશ્ચિમ યુરોપના તમામ દેશો કરતા પાછળ છે.યુ.એસ.નો કેન્સરથી ઉગરી જવાનો દર વિશ્વમાં સૌથી ઊંચો છે. પુખ્ત વસતિનો અંદાજે એક-તૃતિયાંશ સ્થુળ (obese) છે અને તે ઉપરાંતનો એક-તૃતિયાંશ વધારે વ ધરાવે છે, સ્થુળતા દર ઔદ્યોગિક દેશોમાં સૌથી ઊંચો છે અને છેલ્લા પચીસ વર્ષમાં બમણા કરતા વધ્યો છે.આરોગ્ય સુરક્ષા વ્યવસાયિકો સ્થુળતા સંબંધિત ટાઇપ ટુ ડાયાબીટીસ (type 2 diabetes)ને રોગચાળો (epidemic) ગણાવે છે.દર હજારે 79.8નો યુ.એસ. સગીર સગર્ભાવસ્થા દર ફ્રાન્સ કરતા ચાર ગણો અને જર્મની કરતા પાંચ ગણો છે.ગર્ભપાત (Abortion)ને કાયદેસર ગણવાની માગ અત્યંત વિવાદાસ્પદ છે.ઘણા રાજ્યોએ તેની કાર્યવાહીને જાહેર ભંડોળ પૂરું પાડવા પર પ્રતિબંધ મુક્યો છે અને મોડેથી થતા ગર્ભપાતો પર અંકુશ લાદ્યો છે. સગીરો માટે માતા-પિતાનું જાહેરનામુ જરૂરી બનાવ્યું છે અને રાહ જોવાનો ગાળો ફરજિયાત બનાવ્યો છે.ગર્ભપાતનો દર ઘટી રહ્યો છે, ત્યારે દર હજાર જન્મે 241નો ગર્ભપાત દર અને 15થી 44 વર્ષની ઉંમરની દર હજાર સ્ત્રીઓએ 15નો ગર્ભપાત દર મોટા ભાગના પશ્ચિમી દેશો કરતા વધારે છે. હાઉસ્ટન (Houston)માં thumb|right| ટેક્સાસ તબીબી કેન્દ્ર (Texas Medical Center) વિશ્વનું સૌથી મોટું તબીબી કેન્દ્ર છે. માથાદીઠ ખર્ચ અને જીડીપીની ટકાવારી બંને રીતે માપતાં યુ.એસ. આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા કોઈ પણ અન્ય દેશ કરતા વધારે છે.ઓઇસીડી હેલ્થ ડેટા 2000: એ કમ્પેરેટિવ એનાલિસિસ ઓફ 29 કન્ટ્રીઝ [સીડી-રોમ] (ઓઇસીડી: પેરિસ, 2000).આ પણ જુઓ વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)એ 2000માં યુ.એસ. આરોગ્ય સુરક્ષા વ્યવસ્થાને પ્રતિભાવ પાઠવવાની બાબતમાં પ્રથમ ક્રમે મુકી હતી, પરંતુ સમગ્ર કામગીરીની રીતે 37મા સ્થાને મુકી હતી.યુનાઇટેડ સ્ટેટ્સ તબીબી સંશોધનમાં અગ્રણી છે.2004માં, બિન-ઔદ્યોગિક ક્ષેત્રે જૈવતબીબી સંશોધન પાછળ યુરોપ કરતા ત્રણ ગણો માથાદીઠ ખર્ચ કર્યો. અન્ય તમામ વિકસિત દેશોથી વિપરીત યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સુરક્ષા કવરેજ સાર્વત્રિક (universal) નથી.2004માં, ખાનગી વીમા કંપનીઓએ વ્યક્તિગત આરોગ્ય ખર્ચના 36 ટકા ચુકવ્યા, ખાનગી રોકડ ચુકવણીઓ 15 ટકા થઈ, જ્યારે સંઘ, રાજ્ય અને સ્થાનિક સરકારોએ 44 ટકા ચુકવ્યા.2005માં, વસતિના 15.9 ટકા એટલે કે, 4.66 કરોડ અમેરિકીઓ વીમા કવચ વિનાના હતા, જે 2001 કરતા 54 લાખ વધારે હતા.આ વધારાનું મુખ્ય કારણ માલિક-પ્રાયોજિત આરોગ્ય વીમા સાથે સંકળાયલા અમેરિકીઓની ઘટેલી સંખ્યા છે.વીમા વિનાના અને અપૂરતો વીમા ધરાવતા અમેરિકીઓ (જેમની સંખ્યાના અંદાજો વ્યાપકપણે ભિન્ન છે), એક મોટો રાજકીય મુદ્દો છે. 2006માં, મેસચૂસિટ્સ (Massachusetts) સાર્વત્રિક આરોગ્ય વીમાને કાયદેસર બનાવનારું પ્રથમ રાજ્ય બન્યું. ગુના અને કાયદાનું પાલન right|400px યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદાનું પાલન પ્રાથમિકપણે સ્થાનિક પોલિસ અને શેરિફ (sheriff)ના વિભાગની જવાબદારી છે, જ્યારે રાજ્ય પોલિસ (state police) વ્યાપક સેવાઓ પૂરી પાડે છે.ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Federal Bureau of Investigation) (એફબીઆઈ) અને યુ.એસ. માર્શલ્સ સર્વિસ (U.S. Marshals Service) જેવી સંઘીય એજન્સીઓની ખાસ ફરજો હોય છે.સંઘીય સ્તરે અને લગભગ તમામ રાજ્યોમાં સામાન્ય કાયદા (common law) વ્યવસ્થાથી ન્યાયવિધિ ચાલે છે.રાજ્યોની અદાલતો મોટા ભાગની ફોજદારી કાર્યવાહી હાથ ધરે છે, જ્યારે સંઘીય અદાલતો (federal courts) ચોક્કસ નિયુક્ત ગુનાઓ તેમ જ રાજ્ય વ્યવસ્થાઓ સામેની અપીલો (appeal) હાથ ધરે છે. વિકસિત દેશો (developed nations)માં યુનાટેડ સ્ટેટ્સ હિંસક ગુનાઓમાં સરેરાશથી ઊંચુ સ્તર ધરાવે છે અને ખાસ કરીને બંદૂક હિંસા (gun violence) અને હત્યાના ગુનાઓ (homicide) ઊંચા સ્તરે છે. 2007માં દર એક લાખે 5.6 હત્યાઓ હતી, જે પડોશી દેશ કેનેડા કરતા ત્રણ ગણી હતી.યુ.એસ.માં હત્યાનો દર1991થી 1999ની વચ્ચે 42 ટકા ઘટ્યો હતો અને ત્યારથી લગભગ સ્થિર છે.બંદૂક માલિકી હકો (Gun ownership rights) સતત ચાલતા રાજકીય વિવાદનો વિષય છે (contentious political debate). યુનાઇટેડ સ્ટેટ્સ દુનિયામાં સૌથી ઊંચો દસ્તાવેજીકૃત જેલવાસ (incarceration) દર અને કુલ જેલ વસતિછેલ્લામાં છેલ્લા આંકડા માટે, જુઓ ચીન અને ઉત્તર કોરીયામાં જેલવાસનો દરના અન્ય અંદાજો માટે જુઓ ધરાવે છે.2008ની શરુઆતમાં, 23 લાખ કરતા વધારે લોકો જેલમાં મોકલાયા હતા, જે આંકડો દર સો પુખ્તોએ એક કરતા વધારેનો હતો.હાલનો દર 19809ના આંકડા કરતા લગભગ સાત ગણો છે. ગોરા પુરુષો કરતા છ ગણા વધારે અને હિસ્પેનિક પુરુષો કરતા ત્રણ ગણા વધારે આફ્રિકી અમેરિકીઓ જેલમાં ધકેલાયા છે.2006માં, યુ.એસ. જેલવાસ દર પોલાન્ડ કરતા ત્રણ ગણો હતો. આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠન (Organisation for Economic Co-operation and Development) (ઓઇસીડી)નું સભ્ય પોલાન્ડ યુ.એસ પછી બીજા ક્રમે છે.દેશમાં જેલવાસનો ઊંચો દર મહદઅશે સજા (sentencing) અને ડ્રગ નીતિઓ (drug policies)ને કારણે છે.મૃત્યુ દંડ (capital punishment)ની સજા મોટા ભાગના પશ્ચિમી દેશોમાં રદ થઈ ગઈ છે, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેને ચોક્કસ સંઘીય અને લશ્કરી ગુનાઓ માટે બહાલી મળી છે અને તે તેર રાજ્યોમાં અમલમાં છે.1976માં, જ્યારે યુ.એસ. સુપ્રીમ કોર્ટે ચાર વર્ષની માફી પછી મૃત્યુ દંડની સજા પાછી ચાલુ (reinstated the death penalty) કરી, ત્યારે 1,000 મૃત્યુદંડનો અમલ થયો હતો.મૃત્યુદંડની સંખ્યામાં ચીન, ઇરાન, પાકિસ્તાન (Pakistan), ઇરાક અને સુદાન (Sudan) પછીના ક્રમે આવતા અમેરિકાનો 2006ના વર્ષમાં વિશ્વભરમાં મૃત્યુદંડની સંખ્યામાં છઠ્ઠો ક્રમ હતો.1976માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, ડીસેમ્બર 2007માં ન્યૂ જર્સી (New Jersey) મૃત્યુ દંડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. સંસ્કૃતિ thumb|અમેરિકાના સાંસ્કૃતિક પ્રતીકો: એપલ પાઇ (apple pie), બેઇઝબોલ (baseball), અને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ (American flag) યુનાઇટેડ સ્ટેટ્સ બહુસાંસ્કૃતિક (multicultural) રાષ્ટ્ર છે, જ્યાં વિવિઝ વંશીય જૂથો, પરંપરાઓ અને મૂલ્યોને સ્થાન છે.થોમ્પસન, વિલિયમ એન્ડ જોસેફ હિકી (2005)સોસાયટી ઇન ફોક્સબોસ્ટનઃ પીયરસનઆઇએસબીએન 020541365X.હવે બહુ થોડા પ્રમાણમાં અમરિકી મૂળ વતનીઓ (Native American) અને હવાઈ મૂળ વતનીઓ (Native Hawaiian)ને બાદ કરતા "અમેરિકી વંશીયતા" જેવું નથી. લગભગ બધા જ અમેરિકીઓ કે તેમના પૂર્વજો છેલ્લી પાંચ સદીઓમાં સ્થળાંતર કરીને આવેલા છે.ફ્લોરિડા, મોરિસ પી., અને પાઉલ ઇ. પીટરસન (2000). ધી ન્યૂ અમેરિકન ડેમોક્રશી.લંડનઃલોંગમેન, પૃ.87આઇએસબીએન 0321070585.મોટા ભાગના અમેરિકીઓની સંસ્કૃતિ, એટલે કે મુખ્ય પ્રવાહની અમેરિકી સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ (Western culture) છે, જે મોટે ભાગે યુરોપિય આધિવાસઓની પરંપરાઓ (traditions of European immigrants) માથી આવી છે. તેમાં આફ્રિકાથી લવાયેલા ગુલામોની પરંપરાઓ (traditions brought by slaves from Africa) જેવા અન્ય સ્રોતોની અસરો ભળી છે.હોલોવે, જોસેફ. ઇ. (2005).અમેરિકી સંસ્કૃતિમાં આફ્રિકીવાદ, બીજા આવૃત્તિબ્લુમિંગ્ટન, ઇન્ડિયાના યુનિવર્સિટી પ્રેસ, પૃ.18-38આઇએસબીએન 0253344794.જહોનસન, ફર્ન એલ. (1999).સ્પીકિંગ કલ્ચરલી, લેંગ્વેજ ડાયવર્સિટી ઇન ધી યુનાઇટેડ સ્ટેટ્સથાઉસન્ડ ઓક્સ, કેલિ., લંડન અને ન્યૂ દિલ્હી, સેઇજ, પૃ.116.આઇએસબીએન 0803959125.એશિયા (Asia) અને ખાસ કરીને લેટિન અમેરિકા (Latin America)માંથી થયેલા તાજેતરના સ્થાયી વસવાટ માટેના સ્થળાંતરોએ એક સાંસ્કૃતિક મિશ્રણમાં ઉમેરો કર્યો છે, જેને એકરુપ કરી દેનારા મેલ્ટિંગ પોટ (melting pot) અને વૈવિધ્યપુર્ણ સલાડ બાઉલ (salad bowl) બંને તરીકે વર્ણવવામાં આવતા રહ્યા છે, જેમાં આધિવાસીઓ અને તેમના વારસદારો ચોક્કસ સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જાળવી રાખે છે. ગીર્ટ હોફસ્ટીડ (Geert Hofstede)ના સાંસ્કૃતિક વિશ્લેષણ પ્રમાણે, અભ્યાસ હેઠળના કોઈ પણ દેશ કરતા યુનાઇટેડ સ્ટેટ્સ વ્યક્તિવાદ (individualism)માં સૌથી વધારે ગુણ મેળવે છે.મુખ્યપ્રવાહની સંસ્કૃતિ માને છે કે યુનાઇટેડ સ્ટેટ્સ એક વર્ગવિહીન સમાજ (classless society)છે, પરંતુ વિદ્વાનો દેશના સામાજિક-કરણ (socialization), ભાષા અને મૂલ્યને અસર કરતા સામાજિક વર્ગો વચ્ચે નોંધપાત્ર ફરકો આલગ તારવે છે. અમેરિકી મધ્યમ અને વ્યવસાયિક વર્ગે (American middle and professional class)ઘણા સાંપ્રત સામાજિક પ્રવાહોમાં પહેલ કરી છે, જેવા કે આધૂનિક નારીવાદ (modern feminism), પર્યાવરણવાદ (environmentalism), અને બહુ-સંસ્કૃતિવાદ.અમેરિકીઓના સ્વ-આદર્શો, સામાજિક મંતવ્યો અને સાંસ્કૃતિક અપેક્ષાઓ અસામાન્યપણે ચુસ્ત ડીગ્રી પરત્વેના વળગણ સાથે સંબંધિત છે.સામાન્ય કે સરેરાશ (ordinary or average), કોઈ પણ પ્રકારની સામાજિક-આર્થિક સિદ્ધિઓને મહત્વની ગણવાના અમેરિકીઓના વલણને હકારાત્મક લક્ષણ ગણવામાં આવે છે.અમેરિકી સ્વપ્ન (American Dream) અથવા તો અમેરિકીઓ ઊંચી સામાજિક ગતિશીલતા (social mobility) ભોગવે છે, તેવો ખ્યાલ આધિવાસીઓને આકર્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમ છતાં કેટલાક વિશ્લેષકોને જણાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ પશ્ચિમ યુરોપ કે કનેડા કરતા ઓછી ગતિશીલતા ધરાવે છે. સ્ત્રીઓ હવે ઘરની બહાર કામ કરે છે અને મોટા ભાગની સ્ત્રીઓ સ્નાતકની પદવીઓ (bachelor's degrees) મેળવે છે.2005માં, 28 ટકા ઘરો (28% of households)બાળકો વિનાના વિવાહીત દંપતિઓના હતા, જે સૌથી સામાન્ય ગોઠવણ છે.વિલિયમ્સ, બ્રીયાન, સ્ટેસી સી. સોયર અને કાર્લ એમ. વેલસ્ટ્રોમ (2005).મેરીજીઝ, ફેમિલીઝ એન્ડ ઇન્ટિમેટ રીલેશનશીપ્સબોસ્ટનઃ પીયરસનઆઇએસબીએન 0205366740સમ-લિંગી લગ્ન (Same-sex marriage) એક વિવાદાસ્પદ મુદ્દો છે, કેટલાક રાજ્યોએ લગ્નના વિકલ્પે સિવિલ યુનિયન (civil unions)ને મંજુરી આપી છે.2003 અને 2008ની વચ્ચે મેસચુસેટ્સ (Massachusetts), કેલિફોર્નાયા (California), અને કનેક્ટિકટ (Connecticut)ની સુપ્રીમ કોર્ટોએ ઠરાવ્યું હતું કે સમ-લિંગી લગ્ન પરનો રાજ્યોનો પ્રતિબંધ ગેરકાનૂની છે.કેલિફોર્નીયાના ચુકાદાને નવેમ્બર, 2008માં મતદારોએ મંજુર કરેલા રાજ્ય બંધારણીય સુધારા (a state constitutional amendment) દ્વારા રદ કરવામાં આવ્યો. આ સુધારો લગ્નને પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જોકે, તેની કાયદેસર હાલમાં અદાલતમાં પડકારાઇ રહી છે.2004 અને 2008 વચ્ચે 13 અન્ય રાજ્યો (13 other states)ના મતદારોએ સમ-લિંગી લગ્ન પર આ જ પ્રકારના બંધારણીય પ્રતિબંધો મુક્યા. લોકપ્રિય માધ્યમો thumb|ધીહોલીવુડ સાઇન (Hollywood sign) દુનિયાનું સૌ પ્રથમ ચલચિત્રનું વેપારી ધોરણે પ્રદર્શન 1894માં ન્યૂ યોર્ક શહેરમાં થયું હતું, જેમાં થોમસ એડિસન (Thomas Edison)ના કાઇનેટોસ્કોપ (Kinetoscope)નો ઉપયોગ થયો હતો..પછીના વર્ષે એક પ્રોજેક્ટે ફિલ્મનું પણ ન્યૂ યોર્કમાં સ્ક્રીનિંગ થયું હતું અને પછીના દાયકાઓમાં યુનાઇટેડસ સ્ટેટ્સ બોલતી ફિલ્મો (sound film)ના નિર્માણમાં મોખરે હતુ.વીસમી સદીના પ્રારંભથી યુ.એસ. ફિલમ ઉદ્યોગ મોટે ભાગે હોલીવુડ (Hollywood, California) અને કેલિફોર્નીયાનીમાં અને તેની આસપાસ રહ્યો છે.નિર્દેશક ડી. ડબ્લ્યુ. ગ્રિફિથે (D. W. Griffith) ફિલ્મ ગ્રામર (film grammar)ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઓર્સન વેલ્સ (Orson Welles)ની સિટિઝન કેન (Citizen Kane) (1941) તમામ યુગની સૌથી મહાન ફિલ્મ તરીકે વારંવાર સંદર્ભંમાં લેવાય છે.વિલેજ વોઇસ: 100 બેસ્ટ ફિલ્મ્સ ઓફ ધી 20th સેન્ચુરી (2001).ફિલ્મસાઇટ.ઓઆરજી; સાઇટ એન્ડ સાઉન્ડ ટોપ ટેન પોલ 2002.19 જુન, 2007એ પ્રાપ્ત કરેલ.અમેરિકાના પડદાના કલાકારો જહોન વેઇન (John Wayne) અને મેરિલીન મનરો (Marilyn Monroe) મહાન આદર્શરુપ ચરિત્રો બન્યા છે, જ્યારે નિર્માતા/ઉદ્યોગ સાહસિક વોલ્ટ ડીઝની (Walt Disney) એનિમેટેડ ફિલ્મ (animated film) અને મુવીવેપાર (merchandising) બંનેમાં અગ્રણી હતા.હોલીવુડના અગ્રણી સ્ટુડીયોઝે (major film studio) ઇતિહાસમાં વેપારી રીતે સૌથી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેવી કે સ્ટાર વોર્સ (1977) અનેટાઇટેનિક (Titanic) (1997) અને હોલીવુડની પ્રોડક્ટ્સ આજે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ ભોગવે છે. અમેરિકીઓ વિશ્વમાં ટેલિવિઝનના સૌથી મોટા દર્શકો છે અને તેમનો સરેરાશ જોવાનો સમય વધતો રહ્યો છે, જે 2006માં દિવસના પાંચ કલાક સુધી પહોંચ્યો હતો.ચાર મોટા પ્રસારણ નેટવર્ક્સ વ્યાપારી ધોરણે ચાલતા સ્વાયત્ત એકમો છે.મોટે ભાગે વેપારી ધોરણે ચાલતા રેડીયો કાર્યક્રમોને દિવસના માત્ર સરેરાશ અઢી કલાકથી વધુ સમયઅમેરિકીઓ સાંભળે છે, વેબ પોર્ટલ (web portal)s અને વેબ સર્ચ એન્જિનો (web search engine), ઉપરાંત સૌથી લોકપ્રિય વેબસાઇટો છે માઇ સ્પેસ (MySpace), યુ ટ્યુબ (YouTube), ફેઇસબુક (Facebook), ઇબે (eBay), અને વિકિપીડીયા (Wikipedia). આફ્રિકી અમેરિકી સંગીત (African American music)ની લયબદ્ધ અને તાલબ્ધ શૈલીઓએ અમેરિકી સંગીત (American music)ને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે અને તેને યુરોપિય પરંપરાથી અલગ પાડ્યું છે.બ્લુઝ (blues) જેવા અને હવે જે જુના સમયના સંગીત (old-time music)તરીકે ઓળખાય છે તેવા લોક (folk) રુઢિપ્રયોગોમાંથી તત્વો લઇને અને તેમનું રુપાંતર કરીને વૈશ્વિક દર્શકગણો માટેની લોકપ્રિય શૈલીઓ (popular genres)નું સર્જન કરવામાં આવ્યું.વીસમી સદીના પ્રારંભકાળમાં લુઇસ આર્મસ્ટ્રોંગ (Louis Armstrong) અને ડ્યુક એલિંગ્ટન (Duke Ellington) જેવા સર્જકોએ જાઝ (Jazz) વિકસાવ્યું હતું.1920 અને 1950ના અરસામાં કન્ટ્રી સંગીત (Country music), રીધમ અને બ્લુઝ (rhythm and blues), અને રોક એન્ડ રોલ (rock and roll)નો ઉદ્ભવ થયો.1960માં લોક પુનરોદય (folk revival)માંથી બહાર આવેલા બોબ ડીલાન (Bob Dylan) અમેરિકાના સૌથી મહાન ગીતલેખકો પૈકીના એક બન્યા અને જેમ્સ બ્રાઉને (James Brown) ફંક (funk)ને વિકસાવ્યું.મોટા ભાગના તાજેતરના અમેરિકી સર્જનોમાં હિપ હોપ (hip hop) અને ઘરેલુ સંગીત (house music)નો સમાવેશ થાય છે.એવિસ પ્રેસ્લી (Elvis Presley), માઇકલ જેક્સન (Michael Jackson), અને મેડોના (Madonna) જેવા અમેરિકી પોપ સ્ટારો વૈશ્વિક કક્ષાએ વિખ્યાત થયા છે.બિડલ, જુલિયન (2001).વોટ વોઝ હોટ !: ફાઇવ ડીકેડ ઓફ પોપ કલ્ચર ઇન અમેરિકા.ન્યૂ યોર્ક સિટાડેલ, પૃ.9આઇએસબીએન 0806523115. લિટરેચર, ફિલોસોફી એન્ડ ધી આર્ટ્સ બીટ પેઢી (Beat Generation)ના સૌથી શ્રેષ્ઠ સર્જકો પૈકીના એક thumb|લેખક જેક કેરુઆક (Jack Kerouac) 18મી સદીમાં અને 19મી સદીના પ્રારંભમાં અમેરિકી કલા અને સાહિત્યએ યુરોપમાંથી મોટે ભાગે પ્રેરણા મેળવી હતી.નાથાનીયેલ હોથોર્ન (Nathaniel Hawthorne), એડગર એલન પો (Edgar Allan Poe), અને હેનરી ડેવિડ થોરો (Henry David Thoreau) જેવા લેખકોએ 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં વિશિષ્ટ અમેરિકી સાહિત્યનો અવાજ પ્રસ્થાપિત કર્યો.સદીના ઉત્તરાર્ધમાં માર્ક ટ્વેઇ (Mark Twain) અને કવિવોલ્ટ વ્હીટમેન (Walt Whitman) મોટા ગજાના સર્જકો હતા. પોતાના જીવનકાળ દરમિયાન સાવ જ અજાણ્યા રહેલા એમિલી ડિકિન્સન (Emily Dickinson) હવે પ્રસ્થાપિત અમેરિકી કવયિત્રી તરીકે સ્વીકૃત છે.રાષ્ટ્રીય અનુભવ અને ચરિત્રના પાયાના પાસાઓને ઝીલતા સર્જનો - જેવા કે, હર્માન મેલવીલે (Herman Melville)ની મોબિ-ડિક (Moby-Dick) (1851), ટ્વેઇનની હકલબેરી ફિનના પરાક્રમો (The Adventures of Huckleberry Finn) (1885), and એફ. સ્કોટ ફિટ્ઝીરાલ્ડ (F. Scott Fitzgerald)ની ધી ગ્રેટ ગેટ્સબી (The Great Gatsby) (1925) - આ તમામને "મહાન અમેરિકી નવલકથા (Great American Novel)" કહી શકાય. 11 યુ.એસ. નાગરિકો સાહિત્યનું નોબેલ ઇનામ (Nobel Prize in Literature)જીત્યા છે, તાજેતરમાં 1993માં ટોની મોરિસન (Toni Morrison) જીત્યા.1954ના નોબેલ ઇનામ વિજેતા અર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway)ને મોટે ભાગે વીસમી સદીના સૌથી પ્રભુત્વશાળી લેખકો પૈકીના એક ગણવામાં આવે છે.મેયર્સ, જેફરી (1999).હેમિંગ્વે, એ બાયોગ્રાફીન્યૂ યોર્ક, ડા કેપો, પૃ.139આઇએસબીએન 0306808900.પશ્ચિમી (Western) અને વાસ્તવિક અપરાધ કથાઓ (hardboiled crime fiction) જેવી લોકપ્રિય સાહિત્યિક શૈલીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકસી હતી. બીટ પેઢી (Beat Generation)ના લેખકોએ નવા સાહિત્યિક અભિગમો શોધ્યા, જેમાં જહોન બાર્થ (John Barth), થોમસ પીન્ચોન (Thomas Pynchon), અને ડોન ડેલિલો (Don DeLillo) જેવા અનુ-આધૂનિક (postmodernist) લેખકોનો સમાવેશ થાય છે. રાલ્ફ વાલ્ડો એમર્સન (Ralph Waldo Emerson) અને થોરોની આગેવાની હેઠળના ટ્રાન્સેનડેન્ટાલિસ્ટો (transcendentalists)એ અમેરિકાની પ્રથમ મોટી તત્વજ્ઞાનની ચળવળની સ્થાપના કરી હતી. (philosophical movement)આંતર વિગ્રહ પછી વહેવારવાદ (pragmatism)ના વિકાસમાં ચાર્લ્સ પીયર્સ (Charles Peirce) અને ત્યાર બાદ વિલીયમ જેમ્સ (William James) અનેજહોન ડેવી (John Dewey) મોખરે હતા.વીસમી સદીમાં ડબ્લ્યુ. વી. ક્વાઇન (W. V. Quine) અને રિચાર્ડ રોર્ટી (Richard Rorty)ની કૃતિઓએ અમેરિકી શિક્ષાવર્તુળોમાં વિશ્લેષણાત્મક તત્વજ્ઞાન (analytic philosophy)ની ચર્ચા આણી.એઇન રેન્ડ (Ayn Rand)નો વસ્તુવાદ (objectivism) મુખ્યપ્રવાહમાં લોકપ્રિય બન્યા. દ્રશ્ય કલાઓમાં હડસન રીવર સ્કુલ (Hudson River School) યુરોપના કુદરતવાદ (naturalism)નીપરંપરામાં 19મી સદીના મધ્યભાગમાં ચાલેલી ચળવળ હતી.1913માં, યુરોપિય આધૂનિકતાવાદી કલા (modernist art) આર્મરી શો (Armory Show)ના ન્યૂ યોર્ક શહેરમાં થયેલા પ્રદર્શને લોકોને આઘાત પહોંચાડ્યો હતો અને અમેરિકી કલા જગતમાં પરિવર્તન આણ્યું હતું.બ્રાઉન મિલ્ટન ડબ્લ્યુ. (1988 1963).ધી સ્ટોરી ઓફ ધી આર્મરી શો.ન્યૂ યોર્ક એબીવીલઆઇએસબીએન 0896597954.જ્યોર્જીયા ઓકીફ (Georgia O'Keeffe), માર્સ્ડન હાર્ટલે (Marsden Hartley) અને અન્યોએ નવી શૈલીઓના પ્રયોગો કર્યા અને અત્યંત ઊંચી વ્યક્તિનિષ્ઠ સંવેદનશીલતા ઉજાગરકરી.જેકસન પોલોક (Jackson Pollock) અનેવિલેમ ડી કુનિંગ (Willem de Kooning)ના અમૂર્ત અભિવ્યક્તિવાદ (abstract expressionism) અને એન્ડી વારહોલ (Andy Warhol) અને રોય લિક્ટનસ્ટીન (Roy Lichtenstein)ની પોપ કલા (pop art) જેવી અગ્રણી કલાત્મક ચળવળો મોટે ભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકસી હતી. આધૂનિકતાવાદ અને ત્યાર બાદ અનુ-આધૂનિકતાવાદ (postmodernism)ના જુવાળે ફ્રાન્ક લોઇડ રાઇટ (Frank Lloyd Wright), ફિલિપ જહોનસન (Philip Johnson), અને ફ્રાન્ક ગેરી (Frank Gehry) જેવા અમેરિકી સ્થપતિઓને પ્રસિદ્ધિ અપાવી. thumb|right|ન્યૂ યોર્ક શહેરનું બ્રોડવે થીયેટર ડિસ્ટ્રિક્ટ (Broadway theater district) ઘણા લોકપ્રિય કાર્યક્રમો માટેનું સ્થળ છે. અમેરિકી થીયેટરના સૌ પ્રથમ અગ્રણી પ્રાયોજકો પૈકીના એક હતા પી. ટી. બાર્નમ (P. T. Barnum), જેમણે 1841માં લોઅર મેનહટ્ટન (Manhattan)માં એક મનોરંજન કોમ્પલેક્સ શરુ કર્યું હતું.1870ના અંતભાગમાં હેરીગન અને હાર્ટ (Harrigan and Hart)ની ટીમે ન્યૂ યોર્કમાં લોકપ્રિય સંગીતબદ્ધ (musical) કોમેડીઝની શ્રેણી રજુ કરી.વીસમી સદીમાં બ્રોડવે (Broadway) પર આધૂનિક સંગીતબદ્ધ સ્વરુપ બહાર આવ્યું, ઇર્વિંગ બર્લિન (Irving Berlin), કોલ પોર્ટર (Cole Porter), અને સ્ટીફન સોન્ધેમ (Stephen Sondheim) જેવા મ્યુઝિકલ થીયેટર કમ્પોઝર્સના ગીતો પોપ સ્ટાન્ડર્ડ (pop standards) બન્યા.નાટ્ય લેખક યુજીન ઓનીલ (Eugene O'Neill) 1936માં સાહિત્યનું નોબેલ ઇનામ જીત્યા, અન્ય લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકારોમાં પુલિત્ઝર ઇનામ (Pulitzer Prize) વિજેતાઓટેનેસી વિલિયમ્સ (Tennessee Williams), એડવર્ડ એલ્બી (Edward Albee), અને ઓગસ્ટ વિલ્સન (August Wilson)નો સમાવેશ થાય છે. 1910ના ચાર્લ્સ ઇવ્સ (Charles Ives)ના મોટેભાગે એ વખતે ઉવેખાયેલા કાર્યએ તેમને પ્રશિષ્ટ પરંપરાના યુ.એસ.ના પ્રથમ અગ્રણી કમ્પોઝર તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. અન્યમાં હેનરી કોવેલ (Henry Cowell) અને જહોન કેઇજ (John Cage) જેવા પ્રયોગવાદીઓએ પ્રશિષ્ટ કમ્પોઝિશનમાં અમેરિકી અભિગમ રચ્યો.એરોન કોપલેન્ડ (Aaron Copland) and જ્યોર્જ ગર્શ્વિને (George Gershwin) લોકપ્રિય અને પ્રશિષ્ટ સંગીતનું વિશિષ્ટ સંયોજન વિકસાવ્યું.કોરીયોગ્રાફર્સ (Choreographers) ઇસાડોરા ડંકન (Isadora Duncan) અને માર્થા ગ્રેહામે (Martha Graham) આધૂનિક નૃત્ય (modern dance)ની રચનામાં મદદ કરી હતી, જ્યારે જ્યોર્જ બેલેન્ચાઇન (George Balanchine) and જેરોમ રોબિન્સs (Jerome Robbins) વીસમી સદીના બેલેમાં અગ્રણી હતા.આલ્ફ્રેડ સ્ટીગ્લીટ્ઝ (Alfred Stieglitz), એડવર્ડ સ્ટેઇચેન (Edward Steichen) અને એન્સેલ આદમ્સ (Ansel Adams) જેવા અગ્રણી ફોટોગ્રાફરોને કારણે ફોટોગ્રાફી (photography)ના આધૂનિક કલાત્મક માધ્યમમાં અમેરિકીઓ ઘણા લાંબા સમયથી મહત્વનો ભાગ ભજવે છે. કોમિક સ્ટ્રિપ (comic strip) અને કોમિક બુક (comic book) બંને અખબારો અમેરિકાના સર્જન છે.પ્રશિષ્ટ કોમિક પુસ્તક સુપરમેન (Superman) અને સુપરહીરો (superhero) અમેરિકી આદર્શ બન્યા છે. આહાર thumb|right|મેક્સિકન અને ચાઇનીઝ આહાર પૂરો પાડતી હોટલો સાથેના અમેરિકી સ્ટ્રિપ મોલ (strip mall)નું દ્રશ્ય. મુખ્યપ્રવાહની અમેરિકી રાંધણ કલા (culinary art)ઓ અન્ય પશ્ચિમી દેશો જેવી જ છે.ઘઉં (Wheat) પ્રાથમિક ધાન્ય (cereal) છે. પરંપરાગત અમેરિકી રાંધણ કલામાં ટર્કી (turkey), વ્હાઇટ-ટેલ્ડ ડીયર (white-tailed deer) હરણનું માંસ (venison), બટાકા (potato), શક્કરીયા (sweet potato), મકાઈ (corn), કોળુ (squash), અને મેપલ સીરપ (maple syrup), ઉપરાંત મૂળ વતનીઓ તેમ જ પ્રારંભિક યુરોપિય વસાહતીઓના દેશી ખોરાકના વિવધ તત્વોનો ઉપયોગ થાય છે.ધીમેથી રંધાતુ ભુંડનું માંસ, બીફ, શેકેલું માંસ (barbecue), ક્ેરબ કેક (crab cake), હટાકાની વેફર (potato chip)અને ચોકોલેટ ચિપ કુકીઝ (chocolate chip cookie) વિશિષ્ટપણે અમેરિકી શૈલીનો આહાર છે.આફ્રિકી ગુલામોએ વિકસાવેલું સાઉલ ફૂડ (Soul food) દક્ષિણમાં તેમ જ બીજે ઠેકાણે વસતા આફ્રિકી અમેરિકીઓમાં લોકપ્રિય છે.સમન્વયકારી (Syncretic) રાંધણ કલા જેવી કે લુઇસીયાના ક્રીયોલ (Louisiana creole), કેજન (Cajun), અને ટેક્સ-મેક્સ (Tex-Mex) પ્રાદેશિક મહત્વ ધરાવે છે.એપલ પાઇ (apple pie), ફ્રાઇડ ચિકન (fried chicken), પિત્ઝા (pizza), હેમબર્ગર (hamburger) અનેહોટ ડોગ (hot dog) જેવી લાક્ષણિક વાનગીઓ વિવિધ આધિવાસીઓની રાંધણકલામાંથી આવી છે.બુરિટો (burrito) અને ટેકો (taco) અને પાસ્તા (pasta) જેવી મેક્સિકન વાનગીઓ તેમ જ ફ્રેન્ચ ફ્રાઇઝ (French fries) ઇટાલીયન સ્રોતમાંથી ફેરફાર કરીને અપનાવવામાં આવી અને વ્યાપકપણે ખવાય છે.અમેરિકીઓ સામાન્યપણે ચા કરતા વધારે કોફીને પસંદ કરે છે.ઓરેન્જ જ્યુસ અને દૂધ નાસ્તા સાથે લેવાતા પીણા તરીકે પ્રચલિત થયા તેના માટે મોટે ભાગે અમેરિકી ઉદ્યોગોનું માર્કેટિંગ જવાબદાર છે.સ્મિથ, એન્ડ્રુ એફ.(2004)ધી ઓક્સફર્ડ એન્સાઇક્લોપીડીયા ઓફ ફુડ એન્ડ ડ્રિન્ક ઇન અમેરિકાન્યૂ યોર્ક, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, પૃ.131-32આઇએસબીએન 0195154371.લેવેન્ટેઇન, હાર્વે (2003).રીવોલ્યુશન એટ ધી ટેબલઃ ધી ટ્રાંસફોર્મેશન ઓફ ધી અમેરિકન ડાયેટબર્કલે, લોસ એન્જેલસ એન્ડ લંડન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીયા પ્રેસ, પૃ.154-55આઇએસબીએન 0520234391.1980 અને 1990ના અરસામાં અમેરિકીઓના આહારમાં કેલરીના પ્રમાણમાં 24 ટકા વધારો થયો. ફાસ્ટ ફૂડ (fast food)ના આઉટલેટ્સ પર વાંરવાર જમવાની આદત, આરોગ્ય અધિકારીઓ જેને અમેરિકી "સ્થુળતા રોગચાળો" કહે છે, તેની સાથે સંકળાયેલી છે.અત્યંત મધુર હળવા પીણા (soft drink) વ્યાપકપણે લોકપ્રિય છે, ખાંડવાળા હળવા પીણા અમેરિકીઓના સરેરાશ કેલરી વપરાશમાં 9 ટકા હિસ્સો ધરાવે છે. રમતો thumb| કોલેજ ફુટબોલ (college football) ટીમનો ક્વાર્ટરબેક (quarterback) પાસ (pass) કરવાની તૈયારીમાં. 19મી સદીના અંત ભાગથી બેઝબોલ (baseball) રાષ્ટ્રીય રમત (national sport) ગણાય છે. અમેરિકી ફુટબોલ (American football), બાસ્કેટબોલ (basketball), અને આઇસ હોકી (ice hockey) દેશના અન્ય ત્રણ મુખ્ય વ્યવસાયિક ટીમ સ્પોર્ટ્સ છે.કોલેજ ફૂટબોલ (College football) અને બાસ્કેટબોલ (basketball) મોટા પ્રમાણમાં પ્રેક્ષકોને આકર્ષે છે.કેટલાક માપદંડોથી હવે ફૂટબોલ સૌથી પ્રેક્ષણીય રમત (spectator sport) છે.મેકકેમ્બ્રિજ, માઇકલ (2004). અમેરિકાઝ ગેઇમઃ ધી એપિક સ્ટોરી ઓફ હાવ પ્રો ફુટબોલ કેપ્ચર્ડ એ નેશન.ન્યૂ યોર્ક રેન્ડમ હાઉસઆઇએસબીએન 0375504540.બોક્સિંગ (Boxing) અને હોર્સ રેસિંગ (horse racing) એક સમયે સૌથી વધારે નિહાળવામાં આવતા વ્યક્તિગત સ્પોર્ટ્સ ગણાતા હતા, પરંતુ હવે તેમનું સ્થાન ગોલ્ફ (golf) અને ઓટો રેસિંગે (auto racing), ખાસ કરીને નાસ્કરે (NASCAR) લીધું છે. સોકર (Soccer) યુવા અને શિખાઉ સ્તરોએ વ્યાપકપણે રમાય છે અને એક વ્યવસાયિક રીતે પ્રેક્ષણીય રમત તરીકે વૃદ્ધિ પામી રહ્યું છે.ટેનિસ (Tennis) અને અન્ય ઘણી આઉટડોર રમતો પણ લોકપ્રિય છે. મોટા ભાગની અમેરિકી રમતો યુરોપિય પ્રણાલીઓમાંથી ઉતરી આવી છે, તેમ છતાં વોલીબોલ (volleyball), સ્કેટબોર્ડિંગ (skateboarding), સ્નોબોર્ડિંગ (snowboarding), અને ચીયરલીડિંગ (cheerleading) અમેરિકાની મૌલિક રમતો છે.લક્રોસ (Lacrosse)અને સર્ફિંગ (surfing) અમેરકાના મૂળ વતનીઓ અને હવાઇના મૂળ વતનીઓની પ્રવૃત્તિઓમાંથી ઉતરી આવ્યા છે, જે પશ્ચિમી સંપર્ક પહેલાની રમતો છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં આઠ ઓલીમ્પિક રમતો (Olympic Games) યોજાઈ છે. (taken place in the United States.)ઉનાળુ ઓલીમ્પિક રમતો (Summer Olympic Games)માં યુનાઇટેડ સ્ટેટ્સે 2,301 ચંદ્રકો જીત્યા છે, જે કોઈ પણ દેશ કરતા વધારે છે અને શિયાળુ ઓલીમ્પિક રમતો (Winter Olympic Games)માં બીજા ક્રમે 216 ચંદ્રકો મેળવ્યા છે.નોર્વે પ્રથમ છે, સોવિયેત સંઘ ત્રીજુ છે અને જો તેના ચંદ્રકો રશિયાના ચંદ્રકોની સાથે ગણવામાં આવે તો બીજુ હશે. સંદર્ભો બાહ્ય કડીઓ સરકાર યુ.એસ. સરકારની સત્તાવાર વેબ પોર્ટલ સરકારી સાઇટો તરફનો ગેટ વે હાઉસ યુનાઇટેડ સ્ટેટસ પ્રતિનિધિગૃહની સત્તાવાર વેબ સાઇટ સેનેટ યુનાઇટેડ સ્ટેટસ સેનેટની સત્તાવાર વેબ સાઇટ વ્હાઇટ હાઉસ યુનાઇટેડ સ્ટેટસ પ્રમુખની સત્તાવાર વેબ સાઇટ સુપ્રીમ કોર્ટ યુનાઇટેડ સ્ટેટસ સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વેબ સાઇટ ઓવરવ્યૂઝ એન્ડ ડેટા ઇન્ફોયુએસએ યુ.એસ. ઇન્ફર્મેશન એજન્સી રીસોર્સીસની પોર્ટલ લાયબ્રેરી ઓફ કોંગ્રેસ યુ.એસ.કોંગ્રેસ લાયબ્રેરી (Library of Congress)ની સત્તાવાર સાઇટ યુ.એસ. વસતિ ગણતરી ગૃહ અને આર્થિક આંકડાઓ યુ.એસ. વસતી ગણતરી બ્યૂરો (U.S. Census Bureau)માંથી લેવાયેલા વ્યાપક આંકડા યુ.એસ. નાગરિકત્વ અને આધિવાસ સેવાઓ સત્તાવાર સરકારી સાઇટ યુ.એસ. ઇકોનોમિક રીસર્ચ સર્વિસ (Economic Research Service)માંથી લેવાયેલા સ્ટેટ ફેક્સ શીટ્સ વસતિ, રોજગારી, આવક અને ફાર્મ આંકડા યુ.એસ. એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (Energy Information Administration)માંથી દરેક રાજ્ય માટેના રાજ્ય ઉર્જા પ્રોફાઇલ્સ, આર્થિક, પર્યાવરણીય અને ઉર્જાની આંકડાકીય માહિતી પોપ્યુલેશન રેફરન્સ બ્યૂરોમાંથી વસતિ ગણતરીની હાઇલાઇટ્સ આંકડાઓ યુ.એસ.એ.ના 30 રાજ્યો દરેક રાજ્ય માટેની સંયુક્ત માહિતીપ્રદ લિન્ક્સ વિકિટ્રાવેલ (Wikivoyage)માંથી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રાવેલ ગાઇડ યુનાઇટેડ સ્ટેટ્સ એનસાઇક્લોપીડીયા બ્રિટાનિકા એન્ટ્રી ઇતિહાસ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ કલેક્ટેડ બાય ધી નેશનલ સેન્ટર ફોર પબ્લિક પોલિસી રીસર્ચ યુ.એસ. નેશનલ મોટ્ટોસઃ હિસ્ટરી એન્ડ કન્સ્ટિટ્યુશનાલિટી એનાલીસિસ બાય ધી ઓન્ટારીયો કન્સલ્ટન્ટ્સ ઓન રીલીજ્યસ ટોલરન્સ ઐતિહાસિક વિગતો માટેની યુએસએ સંયુક્ત લિન્ક્સ નકશઓ યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય નકસાપોથી , અમેરિકાના આંતરિક બાબતોના મંત્રાલયના સત્તાવાર નકસાઓ વિકિમેપીયા (WikiMapia) (જે વિકિપેડીયા/ વિકિમીડીયા ફાઉન્ડેશન (Wikimedia Foundation)સાથે જોડાયેલું નથી)માં યુનાઇટેડ સ્ટેટ્સનો સેટેલાઇટ વ્યૂ શ્રેણી:અમેરિકા
સાબરકાંઠા જિલ્લો
https://gu.wikipedia.org/wiki/સાબરકાંઠા_જિલ્લો
thumb|200px|right|ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લા રાજસ્થાન રાજ્યનો સરહદી જિલ્લો છે. સામાન્ય રુપ રેખા જિલ્લાની સામાન્ય રુપરેખા: ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માઝમ નદી પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો, શાકભાજી પાકો, ટામેટાં, વાલોળ, ફુલાવર અને કોબીજ કુલ ગામ: ૧,૩૮૯ ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫ નગરપાલિકા: ૦૬ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૪૮ અહીંથી પસાર થાય છે. જોવાલાયક સ્થળો ઈડરનો ગઢ ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર સપ્તેશ્વર વિરેશ્વર પોળોનું જંગલ ગુણભાંખરી (ચિત્રવિચિત્રનો મેળો) સાબર ડેરી, હિંમતનગર તાલુકાઓ હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા તલોદ પ્રાંતિજ વડાલી વિજયનગર પોશિના મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ અને મેઘરજ તાલુકાઓનો સમાવેશ અરવલ્લી જિલ્લામાં થયો છે. રાજકારણ વિધાનસભા બેઠકો સાબરકાંઠા જિલ્લામાં ૪ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. |} સંદર્ભ બાહ્ય કડીઓ અધિકૃત વેબસાઇટ સાબરકાંઠા જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ શ્રેણી:ઉત્તર ગુજરાત
ભરૂચ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/ભરૂચ_જિલ્લો
thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે. ભૂગોળ thumb|ભરૂરચ જિલ્લાનો નકશો, બોમ્બે પ્રેસિડેન્સી, ૧૮૭૭ ભરૂચ જિલ્લો ઉત્તર અક્ષાંશ ર૧૦ રપ' ૪પ" અને પૂર્વ રેખાંશ ૭ર૦ ૩૪' ૧૯" દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. ઉત્તરમાં ખેડા જિલ્લો અને વડોદરા જિલ્લો, પૂર્વમાં નર્મદા જિલ્લો, પશ્ચિમે ખંભાતના અખાતના કિનારાનો લગભગ ૮૭ કિ. મી. જેટલો પટ અને દક્ષિણે સુરત જિલ્લાથી આ જિલ્લો ઘેરાયેલો છે. મહી નદી અને નર્મદા નદી આ જિલ્લાને અનુક્રમે આણંદ (જુનો ખેડા જિલ્લો) અને વડોદરા જિલ્લાથી અલગ પાડે છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૯૦.૩૮ ચોરસ કિ.મી. છે, જે રાજયના કુલ વિસ્તારના ૪.૬૧ ટકા જેટલો થાય છે. ભરૂચ જિલ્લામાં ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો છે, જેના ઉપર ભરૂચ મઘ્યમ કક્ષાનું તથા દહેજ, કાવી અને ટંકારી નાની કક્ષાનાં બંદરો છે ભરૂચ જિલ્લો પ્રથમ દ્રષ્ટિએ નગરપાલિકાઓ૪ગામ૬૬૬ગ્રામ પંચાયતો૫૪3ગ્રામ મિત્રોરપ૩પ પુરૂષ૮,૦૫,૭૦૭સ્ત્રી૬,પ૬,૯૮૦સાક્ષરતા૮૧.૫૧ ટકાસરેરાશ વરસાદ ૭૬૦ મિ.મી.રેલવે (કિ.મી.)રપ૭ કિ.મી.પ્રાથમિક શાળાઓ૧૦૧૪માઘ્યમિક શાળાઓ૧રપઉચ્ચતર માઘ્યમિક શાળાઓ૪૭યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીસિંચાઈ (હેકટરમાં) ૧,૦૯,૭૭૭સહકારી મંડળીઓ ર૦૪૦વાજબી ભાવની દુકાનો પ૩ર આરોગ્યહોસ્પિટલ - ૬આયુર્વેદિક - ૧પરકતપિત્ત - ૧ક્ષય-૧પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૩૭સામૂહિક આરોગ્ય કેન્દ્રો - ૦૮ મુખ્ય પાક ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળનદીઓ નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી.ઉઘોગ યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશોમેળાઓ શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો, હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળૉ (સૉનેરી મહેલ). જોવા લાયક સ્થળો શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર - લખીગામ, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરે. તાલુકાઓ ભરૂચ અંકલેશ્વર જંબુસર હાંસોટ વાગરા આમોદ વાલિયા ઝઘડીયા નેત્રંગ રાજકારણ વિધાન સભા બેઠકો |} સંદર્ભ બાહ્ય કડીઓ અધિકૃત વેબસાઇટ ભરૂચ જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
લીંબુ
https://gu.wikipedia.org/wiki/લીંબુ
લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે. શ્રેણી:વનસ્પતિ શ્રેણી:ફળ
અરેબીક અંકો
https://gu.wikipedia.org/wiki/અરેબીક_અંકો
REDIRECT હિન્દુ-અરેબીક અંકો
ગાંધીનગર
https://gu.wikipedia.org/wiki/ગાંધીનગર
ગાંધીનગર () ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઈતિહાસ ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર નગરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના દિવસે થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. નગરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે . The Times of India.Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth. Angelfire.com (21 June 2014).The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012 ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું. આયોજન ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે. જોવાલાયક સ્થળો ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે. અક્ષરધામ (ગાંધીનગર) સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર) ગુજરાત વિધાનસભા ઇન્ફોસિટી (ગાંધીનગર) મહાત્મા મંદિર (ગાંધીનગર) સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર) સરિતા ઉદ્યાન (ગાંધીનગર) હરણ ઉદ્યાન (ગાંધીનગર) સચિવાલય (ગુજરાત) સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક) પુનિત વન સંદર્ભ બાહ્ય કડીઓ ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રેણી:ગાંધીનગર જિલ્લો શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો
વૅલેન્શિયન
https://gu.wikipedia.org/wiki/વૅલેન્શિયન
વૅલેન્શિયન એ વૅલેન્શિયા ના પ્રદેશના લોકો દ્વારા ત્યાં બોલાતી એક ભાષાને અપાયેલું નામ છે. આ ભાષાને યુરોપના અન્ય ભાગોમાં કૅટલન કહે છે. બીજી બાજુ વૅલેન્શિયન શબ્દનો ઉપયોગ ભાષાશાસ્ત્રીઓ એવો કરે છે કે તે કૅટલન ભાષાની એક બોલી છે જે મધ્ય અને દક્ષિણ વૅલેન્શિયામાં બોલાય છે. વૅલિન્શિયન વૅલેન્શિયાની સત્તાવાર ભાષા છે. જનરાલિટાટ વૅલેન્શિયાએ જૂન ૨૦૦૫માં છેલ્લે કરેલ ગણતરી પ્રમાણે વૅલેન્શિયાની વસ્તીમાં ૯૪% લોકો વૅલેન્શિયન સમજી શકે છે, લગભગ ૭૮% લોકો બોલી અને વાંચી શકે છે, જ્યારે ૫૦% લોકો લખી શકે છે. શ્રેણી:ભાષાઓ
વૅલેન્શિયા ના પ્રદેશ
https://gu.wikipedia.org/wiki/વૅલેન્શિયા_ના_પ્રદેશ
REDIRECT વૅલેન્શિયા નો પ્રદેશ
વૅલેન્શિયા નો પ્રદેશ
https://gu.wikipedia.org/wiki/વૅલેન્શિયા_નો_પ્રદેશ
+Comunitat Valenciana 140px|વૅલેન્શિયાના પ્રદેશનો ધ્વજ 95px|વૅલેન્શિયાના પ્રદેશનું ચિહ્ન 300px રાજધાની વૅલેન્શિયા સત્તાવાર ભાષાઓ વૅલેન્શિયન (કૅટલન) અને સ્પૅનિશ વિસ્તાર – કુલ – % સ્પેઇન ૮મો ક્રમ ૨૩,૨૫૫ કિમી² ૪.૬% વસ્તી – કુલ (૨૦૦૩) – % સ્પેઇન – ગીચતા ૪થો ક્રમ ૪,૩૨૬,૭૦૮ ૧૦.૩% ૧૮૬.૦૫/km² સ્વતંત્ર દરજ્જો મળ્યાની તારીખ જુલાઇ ૧૦, ૧૯૮૨ ISO 3166-2 VC જનરાલિટાટ વૅલેન્શિયાના વૅલેન્શિયાનો પ્રદેશ અથવા વૅલેન્શિયા, રાષ્ટ્રિય સ્થિતિ ધરાવતો સ્પેનનો સ્વંત્રત વિસ્તાર છે. તે ઇબેરિયન દ્રીપકલ્પની બાજુએ મધ્ય અને દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલો છે. આ વિસ્તાર ત્રણ વિભાગોમાં (અલિકોન્ટે, કાસ્ટેલોન અને વેલેન્શિયા), ચોત્રીસ જિલ્લાઓમાં અને પાંચસો ચાલીસ મ્યુનિસિપાલિટીઓમાં વિભાજીત છે. ૫૧ લાખની વસ્તી સાથે તે સ્પેનનો ચોથો સ્વતંત્ર વિસ્તાર ગણાય છે. તેની રાજધાની વૅલેન્શિયા છે અને તે સ્પેનનું ત્રીજું મોટું શહેર છે. ૧૯૮૨માં જ્યારે તેને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો, ત્યારથી તેનું સત્તાવાર નામ Comunitat Valenciana (વૅલેન્શિયન; સ્પૅનિશ: Comunidad Valenciana) રહ્યું છે. આ પ્રદેશનો ઇતિહાસ ૧૩મી સદી માં શરૂ થયો હતો જ્યારે વૅલેન્શિયાના રાજ્યની સ્થાપના થઇ હતી. બાહ્ય કડીઓ વૅલેન્શિયા ભાષા અકાદમી વૅલેન્શિયાનું અધિકૃત પર્યટન સંજાળપૃષ્ઠ
ઑસ્ટ્રિયા
https://gu.wikipedia.org/wiki/ઑસ્ટ્રિયા
ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે. જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે. ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે. બાહ્ય કડીઓ શ્રેણી:દેશ
સંયુક્ત રાજ્ય
https://gu.wikipedia.org/wiki/સંયુક્ત_રાજ્ય
REDIRECT યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
સત્ય ઇસુ દેવળ
https://gu.wikipedia.org/wiki/સત્ય_ઇસુ_દેવળ
સત્ય ઇસુ દેવળ એક સ્વતંત્ર દેવળ (સંપ્રદાય) છે, જેની સ્થાપવામાં ૧૯૧૭ માં ચીનમાં કરવામાં આવી હતી. આજે આ સંપ્રદાયના ૪૫ દેશોમાં અંદાજીત ૧૫-૨૫ લાખ ની આસપાસમાં અનુયાયીઓ છે. ભારતમાં આ દેવળની સ્થાપના ૧૯૩૨માં કરવામા આવી. આ દેવળ ખ્રિસ્ત ધર્મની પૅન્ટાકોસ્ટલ શાખાનો એક ચીની ફાંટો છે. તેઓ ક્રીસમસ અને ઈસ્ટર મનાવતા નથી.આની સંસદ લોસ એંજેલસમાં રચવામાં આવી હતી. દસ મુખ્ય સિદ્ધાંતો અને માન્યતાઓ દિવ્ય આત્મા "દિવ્ય આત્માનું સાન્નિધ્ય એ વાતની બાંહેધરી આપે છે કે સ્વર્ગ એ આપણો વારસો છે. કેટલાક લોકો પ્રાર્થના દરમ્યાન અજ્ઞાત ભાષામાં બોલવા લાગે છે, જે આ સાન્નિધ્યની સાબિતિ આપે છે." બાપ્ટિઝ્મ(નામકરણ) "જળ બાપ્ટિઝ્મ/બાપ્તિસ્મા (ખ્રીસ્તી ધર્મની નામકરણની વિધિ) એ ખ્રિસ્તિ ધર્મના દેવળમાં કરવામાં આવતાં ૭ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે, જે પાપ નાશ અને પુનરુદ્ધાર માટે કરવામા આવે છે. આ પ્રકારનું બાપ્ટિઝ્મ કુદરતી જળ સ્ત્રોત, જેવાકે નદી, ઝરણાં કે સાગર માં કરવામા આવે છે. બાપ્ટિસ્ટ (બાપ્ટિઝ્મનો સંસ્કાર કરનાર પાદરી), કે જેણે પોતે આ સંસ્કાર (જળ બાપ્ટિઝ્મ-Water baptism) અને દિવ્ય બાપ્ટિઝ્મ (Baptism of Holy Spirit) ના સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય તે, આ સંસ્કારની વિધિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર (તેમને સ્મરીને) કરે છે અને જે વ્યક્તિ આ સંસ્કાર પ્રાપ્ત કરી રહી હોય તેને માટે સંપૂર્ણ પણે નતમસ્તક પાણીમા ઉભા રહેવું જરૂરી હોય છે." પાદ પ્રક્ષાલન "પાદ પ્રક્ષાલન (પગ ધોવા)નો સંસ્કાર ભક્તને પ્રભુ ઇસુ ખ્રિસ્તની વધુ નજીક લઇ જાય છે. આ સંસ્કાર વિધિ સતત એ ઉપદેશ પણ યાદ અપાવે છે કે, દરેક વ્યક્તિએ પ્રેમ, પવિત્રતા, માનવતા, દયા (ક્ષમા) અને સેવા આ લક્ષણો અપનાવવા જોઇએ. જળ બાપ્ટિઝ્મ નો સંસ્કાર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર પોતાના પાદ પ્રક્ષાલે તે જરૂરી છે. આ સિવાય અન્ય સંજોગોમા પણ જ્યારે જરૂર યોગ્ય હોય ત્યારે પાદ પ્રક્ષાલન કરવામા આવે છે." પ્રભુભોજન "પ્રભુભોજન એ ખ્રિસ્તિ ધર્મના સાત સંસ્કારો પૈકીની એક સંસ્કાર વિધિ છે, જે પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૃત્યુની યાદમાં ઉજવવામાં આવે છે. આ વિધિ ખ્રિસ્તિ ધર્મના અનુયાયીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્તના (પ્રતિકાત્મક) માંસ અને લોહીનો હિસ્સો આરોગવાનો લ્હાવો આપે છે, જેનાથી તેઓ ઇશ્વર સાયુજ્ય પ્રાપ્ત કરી શકે અને સાશ્વત જીવન પ્રાપ્ત કરીને અંતિમ દિવસે તેમનો ઉદ્ધાર થઇ શકે. આ વિધિ શક્ય એટલી વધુ વખત કરવામાં આવે છે અને તેમા આથો આવ્યા વગરના લોટમાંથી બનાવેલો ફક્ત એક બ્રૅડ (પાંઉ) અને દ્રાક્ષના રસનો ઉપયોગ થાય છે." આરામનો દિવસ "સૅબથ એટલેકે અઠવાડીયાનો આરામનો દિવસ - સપ્તાહનો સાતમો દિવસ (યહુદીઓ માટે શનીવાર અને ખ્રિસ્તિઓ માટે રવિવાર) એ પ્રભુના આશિર્વાદ પ્રાપ્ત દિવસ છે અને તેમના દ્વારા શુદ્ધ કરવામા આવેલો છે અને માટે પવિત્ર દિન ગણાય છે. આ દિવસ, આવનરા જીવનમાં સાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે ઈશ્વરની સર્જનાત્મકતા અને મુક્તિ ને યાદ કરીને પ્રભુનો પાડ માનવામા વિતાવવો જોઇએ". ઇસુ ખ્રિસ્ત "પાપીઓના ઉદ્ધાર માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મૃત્યુ સ્વિકાર્યું અને મૃત્યુના ત્રીજા દિવસે કબરમાંથી પુનર્જીવિત થઇને સ્વર્ગારોહણ કર્યું. એ જ પ્રભુ ઇસુ ખ્રિસ્ત, પૃથ્વી અને સ્વર્ગના ધણી છે, માનવજાતના મસીહા છે અને સાચા દેવતા છે." બાઇબલ "જૂનો કરાર અને નવો કરાર બન્ને મળીને જે બાઇબલ બને છે, તે ઈશ્વર દ્વારા પ્રેરિત છે, એક માત્ર શાસ્ત્રોક્ત સત્ય છે અને ખ્રિસ્તિ ધર્મની જીવનશૈલીનો આધાર સ્તંભ છે." મુક્તિ "શ્રદ્ધા દ્વારા ભગવાનની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાળુઓએ પવિત્રતાની પ્રાપ્તિ, પ્રભુ પ્રત્યે આદર અને માનવતાને પ્રેમ કરવા માટે દિવ્ય આત્મા ઉપર આધાર રાખવો જ જોઇએ." ચર્ચ "'બીજી વર્ષા' (ઇ.સ્. ૧૯૦૦માં અમેરિકામાં થયેલી ઘટના, ઇસુ ખ્રિસ્તે એક વખત કહ્યું હતું કે "હું સ્વર્ગે સિધાવ્યા પછી તમને દિવ્ય આત્માની ભેટ આપીશ", પૅન્ટાકોસ્ટલ ખ્રિસ્તિઓ એમ માને છે કે, અન્ય ભાષામાં બોલવાની ઘટના દ્વારા દિવ્ય આત્મા વર્ષાની માફક વરસ્યો હતો, અને આ ઘટના પહેલી વખત ઇ.સ્.પૂર્વે ૩૬ માં બની હતી અને લગભગ ૩જી સદી પછી અટકી ગઇ હતી, જેને પ્રથમ વર્ષા કહેવાય છે, અને બીજી વખત ઇ.સ્.૧૯૦૦માં અમેરિકામાં ઘટેલી જેને બીજી વર્ષા કહેવાય છે.)ની ઘટના દરમ્યાન ઇસુ ખ્રિસ્તે દિવ્ય આત્મા મારફતે સ્થાપેલું દેવળ તે હાલનાં સમયનું પુનરોદ્ધારિત 'સત્ય ઇસુ દેવળ' છે. પુનરાગમન "ઇસુનું પુનરાગમન અંતિમ દિવસે થશે, જ્યારે તે સ્વર્ગમાંથી વિશ્વમાં ન્યાય તોળવા અવતરશે અને ત્યારે, ધાર્મિક/પુણ્યશાળી જીવો સાશ્વત જીવન પ્રાપ્ત કરશે જ્યારે પાપાત્માઓને સજા મળશે." શ્રેણી:ખ્રિસ્તી ધર્મ શ્રેણી:ધાર્મિક પંથ
કેરલા
https://gu.wikipedia.org/wiki/કેરલા
REDIRECT કેરળ
વર્તળની ત્રિજ્યા
https://gu.wikipedia.org/wiki/વર્તળની_ત્રિજ્યા
REDIRECT વર્તુળની ત્રિજ્યા
ધુમકેતુ
https://gu.wikipedia.org/wiki/ધુમકેતુ
REDIRECT ધૂમકેતુ
આઇસલૅન્ડ
https://gu.wikipedia.org/wiki/આઇસલૅન્ડ
REDIRECT આઈસલેંડ
ધોધ
https://gu.wikipedia.org/wiki/ધોધ
thumb|right|250px| હોપટૂન ધોધ: ઑટવે રાષ્ટ્રીય ઉદ્યાન નજીક, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા ધોધ (સંસકૃત: જલપ્રપાત, હિંદી: झरना, મરાઠી: धबधबा, તમિળ: நீர்வீழ்ச்சி (નીરવીળ્ચ્ચી), અંગ્રેજી: waterfall) એ એક ભૂસ્તરીય રચના છે, જેનું સર્જન ઊંચાઈમાં અચાનક ઘટાડો થતો હોય તેવા સ્થાને ધોવાણ ન થઇ શકે તેવા પથ્થરો ઉપરથી વહેતા પાણીના વહેણમાંથી થાય છે. ધોધ માનવસર્જીત પણ હોઇ શકે છે, જેનો ઉપયોગ બગીચાઓમાં કે અન્ય કુદરતી પૃષ્ઠભૂ ઉભી કરવા અલંકાર તરીકે થાય છે. ક્યારેક ધોધનું સર્જન પર્વતોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં ઝડપી ધોવાણ થઇ રહ્યું હોય અને પાણીના વહેણનો માર્ગ સતત બદલાતો હોય, આવી જગ્યાઓએ ધોધ વર્ષોના ધોવાણને કારણે નહીં પણ તેની સરખામણીમાં અચાનક થયેલ ભૂસ્તરીય ઘટનાને કારણે થાય છે, જેમકે જ્વાળામુખી ફાટવો. દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત * દુનિયાના જળધોધ વિશેની માહિતીનો સ્ત્રોત પ્રદર્શન બાહ્ય કડીઓ સંદર્ભ અંગ્રેજી વિકિપીડિયામાં ધોધ ઉપર લેખ શ્રેણી:કુદરતી રચના શ્રેણી:ભૂગોળ
નેબ્યુલા
https://gu.wikipedia.org/wiki/નેબ્યુલા
REDIRECT નિહારિકા
પાંડવ
https://gu.wikipedia.org/wiki/પાંડવ
alt=|thumb|250x250px|શિવની પૂજા કરતા પાંડવો અને દ્રૌપદી પાંડવ એટલે કે રાજા પાંડુનો પુત્ર. હિંદુ ધર્મના પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) યુધિષ્ઠિર (૨) ભીમ (૩) અર્જુન (૪) નકુળ અને (૫) સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે. પાંડવોના માતા-પિતા પાંડવોના પિતાનું નામ પાંડુ હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા. સંદર્ભ મહાભારત શ્રેણી:મહાભારત શ્રેણી:હિંદુ ધર્મ શ્રેણી:પૌરાણિક પાત્રો
નેપાળ
https://gu.wikipedia.org/wiki/નેપાળ
નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સગરમાથા) નેપાળમાં આવેલું છે. ઇ.સ. ૨૦૦૮ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલુ છે. "નેપાળ" નામ સૌપ્રથમ ભારતીય ઉપખંડના વૈદિક સમયગાળાના ગ્રંથોમાં નોંધાયેલું છે, પ્રાચીન નેપાળમાં તે યુગ જ્યારે હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી, જે દેશનો મુખ્ય ધર્મ હતો. પૂર્વે પ્રથમ સહસ્ત્રાબ્દીના મધ્યમાં, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળમાં લુમ્બિનીમાં થયો હતો. ઉત્તર નેપાળના ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે જોડાયેલા હતા. કેન્દ્રમાં સ્થિત કાઠમંડુ ખીણ ભારત-આર્યોની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, અને નેપાળ મંડલા તરીકે ઓળખાતી સમૃદ્ધ નેવાર સંઘની બેઠક હતી. શાહ વંશે નેપાળ રાજ્યની સ્થાપના કરી અને બાદમાં તેના રાણા વંશના પ્રીમિયર્સ હેઠળ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાણ કર્યું. આ દેશ ક્યારેય વસાહત ન હતો પરંતુ શાહી ચીન અને બ્રિટિશ ભારત વચ્ચે બફર રાજ્ય તરીકે સેવા આપી હતી. અંચલ મેચી કોસી સગરમાથા જનકપુર બાગમતી નારાયણી ગણ્ડકી લુમ્બિની ધવલાગિરી રાપ્તી કર્ણાલી ભેરી સેતી મહાકાલી પ્રમુખ નદીઓ કોસી બાગમતી નારાયણી ગણ્દકી કર્ણાલી મહાકાલી સંદર્ભ
રોટલી
https://gu.wikipedia.org/wiki/રોટલી
thumb|ફૂલકા રોટલી, વરાળથી ફૂલેલી રોટલી રોટલી એ ભારતીય તથા અન્ય સંબંધીત પાકશાસ્ત્રોમાં એક મુખ્ય વાનગી છે. ગુજરાતમાં રોટલી બનાવવાની પદ્ધતિ ઘઉંને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને આ લોટમાં પ્રમાણસર પાણી અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટલી સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા મોણ (તેલ) પ્રમાણસર નાખવામાંં આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આડણી(ઓરસિયો/ પાટલો/ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણ વડે વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/તવી/તવા/તાવડી ઉપર શેકવામાં આવે છે. આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પીરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને રોટલો કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઈના લોટનો પણ બને છે. રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે. રોટલી જેમાં બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને ભાખરી પણ કહે છે જે બનાવવા માટે મોણ(તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરી બનાવવા લોટ કઠણ બાંધવો પડે છે. આજકાલ તો લગ્ન પ્રસંગોમાં પણ નાની રોટી, ફૂલકા રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રોટલીઓ સંસ્કૃતિમાં રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે, આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને, કારેલાનું શાક. સંદર્ભ category:ખોરાક category:વાનગી શ્રેણી:ગુજરાતી વાનગી શ્રેણી:ગુજરાતી ભોજન
ઇસ્લામ
https://gu.wikipedia.org/wiki/ઇસ્લામ
ઇસ્લામ (અરબી: اسلام ) એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ"[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત (સંદેશવાહક) છે.આ ધર્મ અલ્લાહના પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. અનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%), ઇસ્લામના અનુયાયી મુસ્લિમ કે મુસલમાન કહેવાય છે. મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે. મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાન છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે. મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે.(૧) સુન્ની મુસલમાનો (૭૫-૯૦%) અને શિયા મુસલમાનો (૧૦-૨૫%). ઇન્ડોનેશિયા વિશ્વનની ૧૩% મુસ્લિમ વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. ૨૩% મુસલમાનો મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં તથા ૩૧% મુસલમાનો દક્ષિણ એશિયા માં અને ૧૫% સબ-સહારાના આફ્રિકામાં વસે છે. કેટલાક મુસ્લિમ સમૂદાયો અમેરિકા, કોકેસસ, મધ્ય એશિયા, ચીન, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયાના ધરાતલ, ફિલીપાઈન્સ અને રશિયામાં પણ વસવાટ કરે છે. એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રદ્ધા રાખી તેનો એકરાર કરવો. પૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો, વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રદ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ. એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઈમાન લાવનાર માણસ માટે અલ્લાહ તરફથી શાંતિ સલામતીની બાંહેધરી આપવામાં આવે છે. એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે: આજ્ઞાપાલન અને સમર્પણ. અને ઈમાન એટલે શ્રદ્ધા, આસ્‍થા અને એકરાર . ઇસ્લામના પાંચ મૂળ સ્તંભ ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો((arkān al-Islām أركان الإسلام; also arkān al-dīn أركان الدين "pillars of the religion") દરેક મુસલમાન માટે ફરજીયાત માનવામાં આવે છે. આ બાબતો પ્રસિદ્ધ હદીસ "હદીસ એ જિબ્રિલ" માં વર્ણવવામાં આવી છે. પાંચ સ્તંભ ઇમાન (એક અલ્લાહ ઉપર જ પુર્ણ શ્રધ્ધા) સલાત કે નમાઝ રોઝા કે ઉપવાસ ઝકાત કે દાન હજ વિસ્તારપૂર્વક સમજણ સુન્ની ઇસ્લામ જૂથમાં 5 સ્તંભોને માનવામાં આવે છે જયારે શિયા ઇસ્લામ જુથમાં 6 સ્તંભો છે. શહાદા સાક્ષી આપવી - અરબી ભાષામાં સાક્ષીના કલમાને આ રીતે લખાય છે: لا اله الا الله محمد رسول الله લીપીયાંતર :લા ઇલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર રસુલલ્લાહ ગુજરાતી અનુવાદ: અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ(દૂત) છે.આ ઘોષણા સાથે, દરેક મુસ્લિમ એકેશ્વરવાદ અને મોહમ્મદના દૂત હોવાની બાબતને શ્રદ્ધા અને સમર્થન આપે છે. આ ઇસ્લામનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. દરેક મુસલમાન માટે તેને સ્વીકારવું ફરજિયાત છે. કોઈ બિનમુસ્લિમ માટે ઇસ્લામ અંગીકાર કરવા માટે ઇસ્લામિક ધાર્મિક ન્યાયાધીશની સામે આને સ્વીકારી લેવું પૂરતું છે. સલાત- આને પર્શિયનમાં નમાઝ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની પ્રાર્થના છે જે અરબીમાં વિશેષ નિયમો દ્વારા કરવામાં આવે છે. ઇસ્લામ અનુસાર, નમાઝ ઈશ્વર તરફ માનવ કૃતજ્ઞતા દર્શાવે છે. તે મક્કા શહેરમાં આવેલા કાબાની દિશામાં મોઢું રાખીને અદા કરવામાં આવે છે. દરેક મુસ્લિમ માટે દિવસમાં 5 વખત નમાઝ પઢવી ફરજિયાત છે.બીમારીની સ્થિતિમાં પણ તેને ટાળી શકાતી નથી. રોઝા કે ઉપવાસ-ઇસ્લામનો નવમો મહિનો રમઝાન નો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઇ સૂર્યાસ્ત (મગરીબ) સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજીયાત છે.આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે.જાતીય પ્રવૃત્તિઓ પણ નિષેધ હોય છે.બીમાર કે અસમર્થ વ્યક્તિ ને રોઝા ન રાખવાની છૂટ હોય છે. રોઝાના મુખ્ય બે હેતુઓ છે .એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઇ માત્ર ઇશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ, ભિખારી અને દિનદુખીયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય. ઝકાત કે દાન - આ એક વાર્ષિક દાન છે જેમાં માલદાર મુસલમાનો પર ગરીબ મુસલમાનોને નાણાકીય સહાય કરવી ફરજિયાત છે. મોટાભાગના મુસ્લિમો દાનમાં તેમની વાર્ષિક આવકના 2.5% દાન કરે છે. આ એક ધાર્મિક ફરજ છે કારણ કે ઇસ્લામ અનુસાર, પુંજી એ ઇશ્વરની ભેટ છે.દાન આપીને જીવન અને માલની સલામતી થાય છે. હજ- હજ એ ધાર્મિક ક્રિયાનું નામ છે જે ઇસ્લામી પંચાંગના છેલ્લા એટલેકે બારમાં મહિનામાં અરબસ્તાનના મક્કા અને મદીના શહેરોમાં જઈને પૂરી કરવામાં આવે છે.માત્ર સક્ષમ અને માલદાર મુસલમાન પર જ આ ફરજીયાત છે,ગરીબો પર નથી.માલદાર મુસલમાન માટે પણ જીવનમાં માત્ર એક વખતજ પઢવી ફરજ છે. મુસલમાનો માટે આ ૭ બાબતો પર શ્રદ્ધા રાખવી જરૂરી ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત બાબતોમાં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે: ૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે. ૨. રિસાલત (ઈશદૂતત્વ): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મુહમ્મદ છે. ૩. ધર્મ પુસ્તક: મુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ(બાઈબલ). ૪. ફરિશ્તા (અરબીમાં મલાઈકા): ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદાજુદા સમયે જુદીજુદી રીતે દેખાય છે. ૫. કયામત(પ્રલય)નો દિવસ: મુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. ૬. નસીબ: મુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના થતું નથી. ૭.બંદગી : ઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે. જન્નત અને દોઝખની માહિતી જ્ન્નત (સ્વર્ગ): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ તેની કૃપાથી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહે એવી બનાવી છે કે, માણસે દુનિયામાં એની કલ્પના પણ નહી કરી હોય. દોઝખ (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામતના દિવસે અલ્લાહ નરકમાં નાખશે ,જ્યાં એવા એવા વિચિત્ર પ્રાણીઓ હશે જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. નર્કની આગ અલ્લાહે એવી બનાવી છે કે એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે. સંદર્ભ 1.^" સુરહ:અલ-બકરહ [2:255],સુરહ:તા-હા(૨૦:૯૮) 2.^John L.Esposito (2009)."Islam.Overview".In John L.Esposito.The Oxford Encyclopedia of the Islamic World.Oxford University Press. 3.^F.E.Peters (2009).'Allah".in John L.Esposito.The Oxford Encyclopedia of the Islamic World.Oxford :Oxford University Press. 4."The Global Religious Landscape".18 Dcember 2012. 5.[[The Future of World Religions:Population Growth Projections,2010-2050 Pew Research Centre,April 2,2015,retrieved October 20,2018 6.According to Oxford Dictionaries,"Muslim is the preferred term for 'follower of Islam',although Moslem is also widely used." 7.Campo,Juan Eduardo (2009)."Allah".Encyclopedia of Islam.Infobase Publishing. p.34.ISBN 978-1-4381-2698-8. 8.Ibrahim Ozdemir (2014)."Environment".In Ibrahim Kalin.The Oxford Encyclopedia of Philosophy,Science and Technology in Islam.Oxford:Oxford University Press. 9."Pillars of Islam".Encyclopaedia Britannica online. 10."Pillars of Islam".Oxford centre for Islamic Studies.United Kingdom :Oxford University. 11."Five Pillars of Islam" 12."The Five Pillars of Islam".Canada:University of Calgary.Tetrieved date 2010-11-17 આ પણ જુઓ ઇસ્લામીક પંચાંગ ઈસ્લામની ટિકા ઈસ્લામિક આતંકવાદ બાહ્ય કડીઓ શ્રેણી:ધર્મ શ્રેણી:ઇસ્લામ
ભારતનો રાષ્ટ્રધ્વજ
https://gu.wikipedia.org/wiki/ભારતનો_રાષ્ટ્રધ્વજ
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. આ ધ્વજના પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય ધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે. રંગોની માહિતી અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે. રંગ HTML (વેબ પેજ માટે) CMYK (છાપકામ માટે) Textile color (કાપડ માટે) Pantone (-)(કેશરી) Saffron #FF9933 0-50-90-0 Saffron (કેશરી) 1495c(સફેદ) White #FFFFFF 0-0-0-0 Cool Grey (કૂલ ગ્રે) 1c(લીલો) Green #138808 100-0-70-30 India green (ઇન્ડીયન ગ્રીન) 362c(ઘેરો ભૂરો) Navy blue #000080 100-98-26-48 Navy blue (ઘેરો ભૂરો) 2755c ધ્વજ ભાવના thumb| અશોક ચક્ર, "ધર્મનું ચક્ર" ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે, ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. અને લીલો કલર એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."'બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. ઇતિહાસ thumb|150px|બ્રિટિશ ભારતનો ધ્વજ thumb|150px|right|બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ thumb|150px|(કલકત્તા)કોલકાતા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાતામાં લહેરાવેલ thumb|150px|ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ) thumb|right|150px|હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭ thumb|150px|૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે ચરખો) thumb|150px|૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે. thumb|150px|right|૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ. thumb|150px|right| આઝાદ હિંદ નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં આઝાદ હિંદ ફોજ માટે ફરકાવાયેલ. ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ (Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম") લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા. પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્'' દેવનાગરી લિપીમાં લખેલ હતું. ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ. બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરુલ આંદોલન માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો. ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં. મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં. ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં કોલકાતામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું. આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો. છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું. આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવાયેલ. ઉત્પાદન પ્રક્રિયા right|200px|thumb|બેંગલોર, વિધાન સભા ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન + ધ્વજ પ્રમાણમાપ માપ મિલીમિટર૧૬૩૦૦ × ૪૨૦૦૨૩૬૦૦ × ૨૪૦૦૩૨૭૦૦ × ૧૮૦૦૪૧૮૦૦ × ૧૨૦૦૫૧૩૫૦ × ૯૦૦૬૯૦૦ × ૬૦૦૭૪૫૦ × ૩૦૦૮૨૨૫ × ૧૫૦૯૧૫૦ × ૧૦૦ ૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંસ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા, જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે. ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર, ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ. કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે. રાષ્ટ્રધ્વજ આચારસંહિતા (flag protocol) ૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (:en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહિતની એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા, પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું, આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે, અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન. ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું. કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરી, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. રાષ્ટ્રધ્વજનું સન્માન ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં, ૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે. પરંતુ કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી. રાષ્ટ્રધ્વજની જાળવણી 200px|right|રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત. રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે. રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે. આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે, અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. ભીંત પર પ્રદર્શન right|150px અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી. અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં, અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે, રાષ્ટ્ર્ધ્વજને વર્તુળની શરૂઆતનાં સ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે. જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનો રીવાજ છે. રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે right|170px રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે, નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો, જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોય તો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે. આંતરીક પ્રદર્શન માટે right|170px જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો. ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો. પરેડ અને સમારોહ right|170px વાહનો પર પ્રદર્શન ફ્લેગ કોડના ભાગ-IIIના સેક્શન IXમાં ઉલ્લેખિત મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં. અડધી કાઠીએ નિકાલ કરવાનાં નિયમ નોંધ સંદર્ભ બાહ્ય કડીઓ category:ભારતનાં રાષ્ટ્રચિહ્નો શ્રેણી:રાષ્ટ્રધ્વજો
મુહમ્મદ
https://gu.wikipedia.org/wiki/મુહમ્મદ
મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) (અથવા ‍મહંમદ અથવા મુહંમદ) એ ઇસ્લામના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનના મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહનુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા, આઠ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત (પયગંબર) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સ .અ. વ.)' તરીકે ઓળખાયા. જેનો અર્થ 'અલ્લાહની દયા એમના પર થજો' થાય છે. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ". કુરાનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ (સ.અ.વ.) સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યુ. તેઓ ૬૩ વર્ષની વયે મૃત્યું પામ્યા હતા. ખાનદાન અને વંશ ઈબ્રાહીમના પુત્ર ઈસ્માઈલના કુટુંબમાં અદનાન નામી વંશજથી ચાલેલ પેઢીમાં તેમનો જન્મ થયો. વંશાવળી નીચે મુજબ છે. વંશાવળી મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બીન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય્ય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુવય્ય બિન ગાલિબ બિન ફિહ્ર બિન માલિક બિન નઝર બિન કિનાનહ બિન ખુઝયમહ બિન મુદરિકહ બિન ઈલ્યાસ બિન મુજર બિન નિઝાર બિન મઅદ બિન અદનાન. આપના વડવાઓમાં ફિહ્ર તે પહેલા વ્યકિત છે જેમનાથી આપનું ખાનદાન કુરૈશ કહેવાયું. કુસય્ય તે પહેલા વ્યકિત છે, જેમણે એક ગામ જેવડા મક્કાને નવું સ્વરૂપ આપ્યું. ચારે તરફ નવા મકાનો અને મહોલ્લાઓ બનાવી શહેર બનાવ્યું અને દરબાર કે મીટિંગ ભરવા માટે એક મોટું ઘર 'દારૂન્નદવહ' બનાવ્યું.જેને આપણે કાઉન્િસલ હાૅલ કહી શકીએ. પરદાદા હાશીમ અત્યંત કૃપાળુ સ્વભાવના માલિક હતા.ઘણા જ ઉદારદિલ અને સખી હતા.એક વાર મક્કહ દુષ્કાળમાં સપડાયું અને લોકો અન્ન વિના ટળવળવા લાગ્યા. આવા સમયે તેમણે એકલે હાથે આખા મક્કહને પેટ ભરી ખવડાવી આ સંકટમાંથી ઉગારી લીધું હતું. પેઢીમાં અવતરનાર અંતિમ નબીના નૂરના કિરણો આપના કપાળેથી પ્રકાશ રેલાવતાં.બની ઈસ્રાઈલના વિદ્વાનો આ જોઈ આપની સામે ઝુકી જતા.આ જ નૂરે નુબુવ્વ્તને પામવા માટે રૂમના બાદશાહ હરકયુલિસે આપને કહેણ મોકલ્યું કે હું આપની દાનવીરતા અને ઉદારદિલીથી અત્યંત પ્રભાવિત થયો છું,મારી પાસે પધારો, હું મારી રાજકુમારી આપને પરણાવવા માંગું છું.વાસ્તવમાં આ બહાને તે નૂરે નુબુવ્વતને પોતાના ખાનદાનમાં ખેંચી લાવવા માંગતો હતો.પરંતુ હાશિમે ઈન્કાર કરી દીધો અને મદીનાના બની નજ્જાર ખાનદાનની ''બીબી સલમા'' નામી ખાતૂનથી નિકાહ કર્યા. આપ જ તે પહેલા વ્યકિત છે જેમણે કુરૈશ ખાનદાન માટે નિયમ બનાવ્યો કે ગ્રીષ્મ ઋતુમાં શામ ભણી અને શીત ઋતુમાં યમન ભણી, એમ વષ્ર્ામાં બે વાર વેપારી વણજારો રવાના કરવામાં આવે. વષ્ર્ાના આ બે વેપારી પ્રવાસોનો ઉલ્લેખ કુર્આનમાં પણ છે. દાદા અબ્દુલ મુત્તલિબ મોસાળ મદીનામાં પેદા થયા હતા.કારણ કે આપના વાલિદ હાશિમ બીબી સલમાથી મદીનામાં શાદી કરી ત્યાં થોડા રોકાઈને પ્રવાસે નીકળી પડયા.જેમાં ગાઝહ નામી સ્થળે એમનું દેહાંત થયું. સખાવતમાં તેઓ પોતાના પિતાથી પણ એક કદમ આગળ, તથા રૂપવાન અને બહાદૂર હતા.વષ્ાર્ોથી ગૂમ થઈ ગયેલ ઝમઝમના કૂવાનું સ્થળ આપને જ સ્વપ્નમાં બતાવવામાં આવ્યું હતું. જેને આપે ફરીવાર ખોદી જીવંત કર્યો. એમના કુલ ૧૦ પુત્રો અને છ પુત્રીઓ હતી. એમ કુલ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ૯ કાકા અને છ ફોઈઓ હતી. કાકાઓ (૧) અબ્બાસ (ર)હમ્ઝહ (૩)અબૂ તાલિબ (૪)ઝુબૈર (પ) હારિસ (૬)હજ્લ (૭) મુકવ્વિમ (૮) ઝિરાર (૯) અબૂલહબ. ફોઈઓ (૧) સફિય્યહ (ર) ઉમ્મે હકીમ (૩) આતિકહ (૪) ઉમયમહ (પ) અરવા (૬) બર્રહ. પિતા અબ્દુલ્લાહ આપના જન્મ પૂર્વે જ મરણ પામ્યા.તેઓ દાદા અબ્દુલ મુત્તલિબના લાડકા અને વિષેશ કેળવણી પામેલ દીકરા હતા. ઝમઝમનો કૂવો ખોદતી વેળા અબ્દુલ મુત્તલિબે મન્નત માની હતી કે જો પરવરદિગાર મને ૧૦ પુત્રો આપશે તો એમાંથી એકને હું અલ્લાહના નામ ઉપર વધેરીશ. સમય વીત્યો અને આપને ત્યાં દસ પુત્રો થયા. મન્નત પૂરી કરવા અબ્દુલ મુત્તલિબે ચીઠ્ઠીઓ ઉછાળી તો એમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું. એક હાથમાં અબ્દુલ્લાહની આંગળી અને બીજા હાથમાં વધેરવાની છરી લઈ અબ્દુલ મુત્તલિબ વધસ્થળ તરફ આગળ વધે છે.લાડકા ભાઈની બહેનો આ જોઈ દ્રવી ઉઠે છે.એક બહેને કરગરીને કહયું કે પિતાજી ! ફરી એકવાર અબ્દુલ્લાહ અને દસ ઊંટો વચ્ચે ચીઠ્ઠી ઉછાળી જુઓ. (દસ ઉંટો તે વેળા એક માણસના ખૂનનો બદલો હતો)આ વેળા પણ ચીઠ્ઠીમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું. અબ્દુલ મુત્તલિબ ૧૦-૧૦ ઊંટ વધારી ચીઠ્ઠીઓ નાંખતા રહયા.અંતે ૧૦૦ ઊંટો વેળા ચીઠ્ઠી ઊંટોના નામે નીકળી અને અબ્દુલ્લાહના બદલે ૧૦૦ ઊંટ વધેરવામાં આવ્યા. બનૂ ઝુહરહ નામી ખાનદાનની એક કુળવાન ખાતૂન બીબી આમિનહ સાથે આપના નિકાહ થાય છે.માતા તરફની વંશાવળી નીચે મુજબ છે.મુહમ્મદ બિન આમિનહ બિન્તે વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરહ બિન કિલાબ બિન મુર્રહ.કિલાબ ઉપર બન્નેવ ખાનદાનો ભળી જાય છે. જન્મ: અંતે ચાંદ પ્રગટે છે. અને અંધારૂ દૂર થવાની ઘડીઓ નજીક આવી પહોંચે છે. આગમનની છડી પોકારતા અનેક ચમત્કારો વિશ્વમાં ઘટવા માંડે છે.માતાને પ્રકાશમાં શામના મહેલો દેખા દે છે.ઈરાની મહારાજા કિસ્રાનો મહેલ ધણધણી ઉઠે છે.અને મહેલના ૧૪ કાંગરાઓ (કળશ-ગુંબદ) ખરી પડે છે. તે જ સવારે દરબારમાં ખબર પહોંચે છે કે હઝાર વષ્ર્ાથી નિરંતર સળગતી અને પૂજાતી અગિયારમીની આગ અચાનક ઓલવાય જાય છે. સાવહ નામની એક મોટી નદીનું ખરખર વહેતું જળ અચાનક કયાં ઉતરી જાય છે કે નદીમાં નામ માત્ર પાણી દેખાતું નથી. ફકત પચાસ પંચાવન દિવસ પહેલાંની જ વાત, અબરહા નામનો બાદશાહ હાથીઓનું લશ્કર લઈ અલ્લાહના ઘર કા'બાને તોડવા આવે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ તે સમયે કા'બાના મુતવલ્લી હતા.મકકા વાસીઓને સલાહ આપે છે કે અબરહાના શકિતશાળી લશ્કરના પ્રતિકારની આપણામાં હામ નથી, અને ઘર ખુદાનું છે.આપણે બહાર નીકળી જઈએ, અલ્લાહ જ એના ઘરની રક્ષાા કરશે.અને સાચે જ અલ્લાહે અબ્દુલ મુત્તલિબના શબ્દો સાચા કરી દેખાડયા.અલ્લાહનો પ્રકોપ અબરહાના લશ્કર ઉપર ઉતરે છે અને તે નાનકડા પક્ષાીઓની ચાંચમાંથી વિખેરાતી નાની નાની કાંકરીઓથી માયર્ો જાય છે. રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે પ૭૧, ર૦ કે રર એપ્રિલના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે. નિકાહ આપના નિકાહ પચ્ચીસ (રપ) વર્ષ બે મહીના, દસ દિવસની ઉમરે થયા, હઝરત ખદીજા (રદી.)ની ઉમર એ વખતે ચાલીસ (૪૦) વર્ષની હતી. રિવાયત છે કે હઝરત ખદીજાને ૧ર ઓકિયા સોનું મહેર આપી, ( ૧, ઓકિયા ૧૧૧ ગ્રામ, ૪૭ર મી. ગ્રામ). વહી પહેલાં ૧પ વરસ અને વહી પછી હિજરતના પૂર્વે ત્રણ વષ્ર્ા સુધી તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે રહયા, એમની વફાત થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઉમર ૪૯ વરસ, આઠ મહીનાની હતી, તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના નિખાલસ સલાહકાર અને મદદગાર હતાં. અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે નુબુવ્વત પછી એક બાળક 'કાસિમ' પેદા થયા, જેમના નામ ઉપરથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કુન્નિયત 'અબુલકાસિમ' પડી હતી. અને બીજા પુત્ર અબ્દુલ્લાહ પેદા થયા, એમનું જ બીજું નામ તય્યિબ હતું. એમને જ તાહિર કહેતા હતા. અમુકના મત મુજબ તય્યિબ અને તાહિર અલગ છે. અને પુત્રીઓ : ઝયનબ, રૂકય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ. મુહમ્મદ બિન ઇસ્હાક રહ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. અને પુત્રો બધા જ 'દુગ્ધાશી' એટલે કે દૂધપીવાની ઉમરે જ વફાત પામ્યા. સીરતકારોનું એક કથન એવું છે કે કાસિમ બે વરસની ઉમરે વફાત પામ્યા, એમના વિશે જ અમુકનું કહેવું છે કે સીધી સવારી પર સવાર થઈ શકે એટલી ઉમરે આપની વફાત થઈ. અલબત્ત પુત્રીઓએ ઇસ્લામનો ઝમાનો જોયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન પણ લાવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ પણ કયુઁ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે હિજરત પણ ફરમાવી. અમુકનું કહેવું છે કે અબ્દુલ્લાહ સિવાયની બધી અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. સૌથી મોટા પુત્ર કાસિમ, પછી તય્યિબ અને ત્યાર બાદ તાહિર. પુત્રીઓમાં સૌથી મોટાં ઝયનબ, પછી રૂકય્યા. અમુકના કથન મુજબ રૂકય્યા મોટાં પછી ઝયનબ. ત્યાર બાદ ફાતિમહ અને પછી ઉમ્મે કુલ્ષૂમ. એક કથન આ પણ છે કે ફાતિમહ સહુથી નાનાં છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ સઘળી અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે મક્કા મુકર્રમામાં પેદા થઈ. મદીનામાં એક સાહબઝાદા, ઇબ્રાહીમ, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ગુલામડી, મારિયહ કિબ્તીયહ રદિ.ના કુખે પેદા થયા અને મદીનામાં જ વફાત પામ્યા. સત્તર દિવસ એમની ઉમર હતી. એક કથન મુજબ સાત માસની વયે વફાત પામ્યા. એક કથન ૧૮ માસની વય હોવાનું પણ છે. હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં. લડાઈઓ રર લડાઈઓ મશ્હૂર છે. વુદ્દાન : આમાં અબવા સુધી જવાનું થયું હતું, હિજરત પછી એક વરસ, બે મહીના દસ દિવસ વિત્યેની આ ઘટના છે. બુવાત : કુરૈશના એક કાફલા સાથેની લડાઈ છે, એમાં ઉમય્યહ બિન ખલફ પણ હતો, પહેલી લડાઈના ૧ માસ ૩ દિવસ પછીની આ ઘટના છે. બદરે ઊલા : (બદરની પહેલી લડાઈ) મદીનાની સરકારી ગોચરમાં ચરતા ઊંટોને લૂટી જનાર કુર્ઝ બિન જાબિરને પકડવા માટેની આ લડાઈ હતી, બીજી લડાઈના ર૦ દિવસ પછીની આ ઘટના છે. બદરે કુબરા : (બદરની મોટી લડાઈ) હિજરત પછી એક વરસ, આઠ મહીના પછી રમઝાનની સત્તરમી તારીખે આ લડાઈ થઈ. સહાબા (રદી.)ની સંખ્યા ત્રણસો તેર (313) હતી, શત્રુઓ ૯૦૦ - ૧૦૦૦ વચ્ચે હતા, આ ફર્ક સ્પષ્ટ થવાનો દિવસ હતો, અલ્લાહ તઆલાએ આજે હક - બાતિલ, સત્ય- અસત્ય વચ્ચે તફાવત અને ફર્ક સ્પષ્ટ કરી દીધો. આ લડાઈમાં અલ્લાહ તઆલાએ પાંચ હઝાર વિશેષ્ા નિશાન ધરાવતા ફરિશ્તાઓ વડે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મદદ ફરમાવી. બની કયનિકાઅની લડાઈ. સવીકની લડાઈ : અબૂ સફયાન સખ્ર બિન હર્બની તપાસ - શોધ માટેની આ લડાઈ હતી. બનૂ સુલૈમની લડાઈ : 'કુદ્ર' નામી સ્થળે આ લડાઈ થઈ. ઝી અમ્રની લડાઈ. આને જ 'ગતફાનની લડાઈ' પણ કહે છે, અને 'અન્મારની લડાઈ' પણ આનું જ નામ છે, છેલ્લી ચારેવ ઘટનાઓ હિજરી સન - ર ના બાકીના દિવસોમાં ઘટી છે. ગઝવએ ઉહદ : સન હિ.૩. આ લડાઈમાં હઝરત જિબ્રઈલ અને હઝરત મિકાઈલ (અલૈ.) હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ડાબે - જમણે ઉભા રહીને સખત લડાઈ લડયા. બની નઝીરની લડાઈ : ઉહદના સાત માસ, દસ દિવસ પછી. ઝાતુર્રિકાઅની લડાઈ : બનૂ નઝીરની લડાઈના બે માસ, વીસ દિવસ પછીની ઘટના છે. આમાં જ સલાતુલ ખૌફ અદા ફરમાવી. દૂમતુલ જન્દલની લડાઈ : ઝાતુર્રિકાઅના બે માસ, ચાર દિવસ પછી આ લડાઈ થઈ. બનુલ્મુસ્તલકની લડાઈ : દૂમતુલ જન્દલના પાંચ મહીના, ત્રણ દિવસ પછીની આ ઘટના છે. એમાં જ જુઠાઓએ હઝરત આઈશહ (રદી.) ઉપર તહોમત મૂકી હતી. ખન્દકની લડાઈ : હિજરતના ચાર વરસ, દસ મહિના, પાંચ દિવસ વીત્યેની આ ઘટના છે. બનૂ કુરયઝહની લડાઈ : ખન્દકની લડાઈના ૧૬ દિવસ પછી. બનુ લહયાનની લડાઈ : બનૂ કુરયઝહના ત્રણ માસ પછી. ગાબહની લડાઈ : સન. હિ. ૬ ની ઘટના, હુદયબિયહના ઉમરહવાળી ઘટના પણ આ વરસે જ ઘટી છે. ખયબરની લડાઈ : હિજરતના સાત વરસ, ૧૧ દિવસ પછીની ઘટના છે. એના છ મહીના, દસ દિવસ પછી ઉમરહની નિય્યત ફરમાવી હતી. ફત્હે મક્કા : હિજરતના સાત વરસ, આઠ મહીના ૧૧ દિવસ પછી. હુનૈન : 'ફત્હે મક્કા' પછીની લડાઈ છે, અલ્લાહ તઆલાએ એમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની મદદ માટે ફરિશ્તાઓ ઉતાયર્ા હતા. તાઈફ : સન. હિ. ૮ ની જ ઘટના છે. આ જ વરસે અત્તાબ બિન અસીદ (રદી.)એ લોકો સાથે હજ અદા ફરમાવી. તબૂક : હિજરતના આઠ વરસ, છ માસ, પાંચ દિવસ પછી આ લડાઈ થઈ. આ જ વરસે હઝરત અબૂબક્ર (રદી.)એ અન્ય સહાબા સાથે હજ અદા ફરમાવી. હઝરત ઝૈદ બિન અરકમ (રદી.)થી રિવાયત છે, તેઓ ફરમાવે છે કે, મેં હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સંગાથે ૧૭ ગઝવહ કર્યા અને બે માં જોડાઈ શકયો નહીં. ઇબ્ને ઇસ્હાક, અબૂ મઅશર અને મૂસા બિન ઉકબા વગેરેનું કથન છે કે, હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે રપ ગઝવહ કયર્ા, એક કથન ર૭ ગઝવહનું છે, એ ઉપરાંત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ દ્વારા સહાબાના નેતૃત્વમાં મોકલવામાં આવેલ નાની ટુકડીઓની સંખ્યા લગભગ પ૦ છે. આ બધામાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે ૭ ગઝવહમાં જ લડાઈ લડયા છે, બદર, ઉહદ, ખન્દક, બનુકુરયઝહ, મુસ્તલક, ખૈબર અને તાઈફ. અમુક સીરતકારોના મત મુજબ વાદીયુલકુરા, ગાબહ અને બનૂ નઝીરમાં પણ આપ લડાઈ લડયા છે. નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.v ઉમર ત્રેસઠ વરસની ઉમરે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. ઉમ્ર મુબારક વિશે બે કથનો બીજાં પણ છે. એક પાંસઠ વરસ અને બીજું સાંઈઠ વરસનું. પરંતુ ૬૩ વરસની રિવાયત જ સહી છે. વફાતનો સમય ૧ર, રબીઉલ અવ્વલ, સોમવારના દિવસે ચાશ્તના સમયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. અમુક રિવાયતોથી વફાતની તારીખ ર, રબીઉલ અવ્વલ માલૂમ પડે છે. હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે, તમારા નબીએ અકરમ સોમવારના દિવસે પેદા થયા. સોમવારના દિવસે જ મક્કાથી હિજરત કરી, સોમવારના દિવસે જ મદીના શરીફમાં પ્રવેશ્યા અને સોમવારના દિવસ જ વફાત પામ્યા. દફનની રાત : બુધવારની રાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દફનાવવામાં આવ્યા. એક રિવાયત મંગળવારની રાત્રિની પણ છે. મૃત્યુની બીમારી ૧ર દિવસ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બીમાર રહયા. અમુક ૧૪ દિવસ કહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તાવ આવતો હતો. રિવાયતોમાં આવે છે કે إذا جاء نصر اللہ ઉતરવાના પછીથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીમારી શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ સૂરત વફાતની જાણ કરવાના અર્થમાં જ હતી. છેલ્લો ખુત્બો જુમેરાતના દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માથા મુબારક ઉપર તેલવાળો અમામહ બાંધીને હુજરા શરીફમાંથી મસ્જિદમાં પધાર્યા તો મુબારક ચહેરો પીળો પડી રહયો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિમ્બર ઉપર બેસીને હઝરત બિલાલ રદિ.ને બોલાવ્યા અને ફરમાવ્યું કે, એલાન કરી દો કે તમારા નબીની નસીહત સાંભળવા ભેગા થઈ જાઓ, કારણ કે આ છેલ્લી નસીહત છે. આ સાંભળતાં જ અબાલ - વૃદ્ઘ, સઘળા, જે સ્િથતિમાં હતા, મસ્જિદમાં ભેગા થઈ ગયા. લોકોને ન તો બારણા બંધ કરવાનું ભાન હતું, ન માલ - મતાની ફિકર. બધું ખુલ્લું મુકીને મસ્જિદમાં દોડી આવ્યા. એટલે સુધી કે પરદહનીશન, લાજવંતી કુંવારિકાઓ પણ પોતાના મહબૂબ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની છેલ્લી નસીહત સાંભળવા ઘરોમાંથી બહાર દોડી આવી. આવનારાઓથી મસ્જિદ ભરાય ગઈ. જગા ઓછી થઈ પડી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વારંવાર ફરમાવવું પડયું કે પાછળથી આવનારાઓ માટે કંઈક જગ્યા કરો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉભા થયા અને ઘણો જ ઉમદા, અર્થસભર ખુત્બો આપ્યો. અને પછી હજુરા શરીફમાં પરત સિધાવી ગયા. ત્યાર પછી દિવસે દિવસે બીમારી વધતી રહી, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ ખુત્બો આપ્યો નથી. જીવનની છેલ્લી ક્ષણો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો સમય નÒક હતો, ત્યારે પાસે પાણીથી ભરેલો એક પ્યાલો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર એમાં હાથ નાખતા અને ચહેરા ઉપર ફેરવતા. અને આ દુઆ દોહરાવતા : ��اللہم اعنی علی سکرات الموت હે અલ્લાહ !મોતની સખ્તી ઉપર મારી મદદ ફરમાવ. વફાત : જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ તો લોકો હુજરા શરીફમાં ભેગા થઈ ગયા. પવિત્ર શરીરને એક સુંદર ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું. ફરિશ્તાઓએ શરીર ઢાંકી દીધું હતું. એમ પણ રિવાયતોમાં આવે છે. અત્યંત ગમગીની અમુક સહાબાએ ઘણા જ ગમ - સદમાની અસરમાં આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો ઇન્કાર કરી દીધો. હઝરત ઉમર રદિ. પણ એમાંના એક હતા. હઝરત ઉસ્માન રદિ. વગેરે ઘણા સહાબાનું બોલવાનું પણ સદમાના કારણે બંધ થઈ ગયું. બીજા દિવસ સુધી એમની ઝબાનથી કોઈ શબ્દ નીકળ્યો નહી. અમુક લોકો તો સદમાના લઈને બેસી જ ગયા. ઉઠવાની શકિત પણ એમનામાં ન રહી. હઝરત અલી રદિ.નો આ જ હાલ હતો. આ ઘટના વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અબૂબક્ર રદિ.થી વધારે દઢતા કોઈની ન હતી. ગુસ્લ જયારે સહાબએ કિરામ રદિ.નો ગમ કંઈક ઓછો થયો અને ગુસલ વિશે વાત ચીત કરવા લાગ્યા તો હુજરા શરીફના દરવાજેથી અવાજ સંભળાયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો પાક સાફ જ છે. એમને ગુસલ ન આપશો. ત્યાર પછી બીજી અવાજ સંભળાયી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપો. પહેલી અવાજ શયતાનની હતી, હું ખિઝર છું. ત્યાર પછી હઝરત ખિઝરે સહાબએ કિરામથી તઅઝિયત ફરમાવી અને કહયું કે, અલ્લાહ તઆલા પાસે જ દરેક મુસીબતમાં તસલ્લી છે અને દરેક જનારનો બદલો છે અને દરેક જતી રહેનાર વસ્તુનો અજ્ર છે. માટે અલ્લાહ તઆલા ઉપર જ ભરોસો કરો, એની ઝાતથી જ ઉમીદ રાખો. ખરી મુસીબતમાં તો એ માણસ છે જે સવાબથી મહરૂમ કરી દેવામાં આવે. ગુસલ કેવી રીતે આપવામાં આવ્યું ? સહાબા રદિ.નો મત આ બાબતે અલગ અલગ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહેરેલાં કપડાંઓમાં જ ગુસલ આપવામાં આવે કે અન્ય મય્યિતોની જેમ કપડાં કાઢીને ગુસલ આપવામાં આવે ? બધા આ અસમંજસમાં હતા, એ દરમિયાન દરેક ઉપર અલ્લાહ તઆલા તરફથી ઘેન - ઊંઘનો અસર છવાય ગયો, દરેક માણસ નિંદરના નશામાં ચાલ્યો ગયો, અને પછી અવાજ આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કપડાંઓ સાથે જ ગુસલ આપવામાં આવે. અવાજ સાંભળતા જ બધા ચોંકીને જાગૃત થઈ ગયા અને પછી કમીસ પહેરેલી સ્િથતિમાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપવામાં આવ્યું. ગુસલ આપતી વેળા કોઈ અવયવને સહાબા ફેરવવા ચાહતા તો તે અવયવ પોતે જ ફરી જતો. હવાની લહેરખી જેવી પાતળી અવાજ કાનમાં સંભળાતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નરમાશથી કામ કરો, ગુસલ આપનારા એકલા તમે જ નથી, અન્યો પણ છે. ગુસલ આપનાર સહાબાએ કિરામ રદિ. .હઝ. અલી બિન અબી તાલિબ રદિ. .હઝ. અબ્બાસ રદિ. .હઝ. ફઝલ બિન અબ્બાસ રદિ. .કુષ્ામ બિન અબ્બાસ રદિ. .ઉસામહ બિન ઝેદ રદિ. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગુલામ .હઝ. શુકરાન રદિ..હઝ. ઓસ બિન ખવલી અન્સારી રદિ. પણ આ વેળા ઉપસ્િથત હતા. હઝરત અલી રદિ.એ પેટ ઉપર હાથ ફેરવ્યો, પણ પેટમાંથી કંઈ નીકળ્યું નહી. એટલે તેઓ બોલ્યા કે આપ તો Òવતં અને મૃત, દરેક સ્િથતિમાં પાક - સાફ જ રહયા. તકફીન (કફન પહેરાવવું) ત્રણ સફેદ ચાદરોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કફન પહેરાવવામાં આવ્યું. યમનના એક શહેર સુહૂલની બનેલી આ ચાદરો હતી. કફનમાં કમીસ - અમામહ ન હતાં. ફકત સિલાઈ વગરની ત્રણ ચાદરો જ હતી. મુશ્કની ખુશ્બૂ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે વાપરવામાં આવી હતી. હઝરત અલી રદિ. એ એમાંથી થોડી બચાવી લીધી હતી, એમ કહીને કે મારા મરવા પછી એને વાપરવામાં આવે. જનાઝહની નમાઝ આપની જનાઝહની નમાઝ મુસલમાનોએ અલગ અલગ પઢી. કોઈએ ઇમામત કરાવી નથી. અમુકે એનું કારણ એ દશર્ાવ્યું છે કે આમ કરવાથી દરેકને આગવી નમાઝે જનાઝહની સઆદત મળે, કોઈની તાબેદારી - ઇમામતમાં પઢવી ન પડે. અમુકનું કહેવું છે આમ કરવા પાછળ નમાઝનો સમય લાંબો કરવાનો આશય હતો, જેથી બહારથી આવનારા લોકો નમાઝ અને દફન ક્રિયામાં શરીક થઈ શકે. તદફીન (દફન ક્રિયા) કબર શરીફમાં નીચે લાલ કામળી પાથરવામાં આવી. આ કામળી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધુ પડતી ઓઢતા હતા. શુકરાન રદિ.એ આ ચાદર પાથરી. કબરમાં હઝ. અબ્બાસ રદિ. હઝ. અલી રદિ. હઝ. ફઝલ રદિ. કુષ્ામ રદિ. અને શુકરાન રદિ. ઉતયર્ા. એક રિવાયતમાં છે કે હઝ. અબ્દુર્રહમાન બિન અવફ રદિ. પણ કબરમાં ઉતર્યા. અમુક રિવાયતોમાં છે કે સહાબએ કિરામ રદિ. વચ્ચે દફન કરવાની જગ્યા વિશે અલગ અલગ મંતવ્યો હતાં. અમુકનું કહેવું હતંુ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના નમાઝ પઢવાના સ્થળે દફન કરવામાં આવે. અમુક જન્નતુલ બકીઅમાં દફન કરવાનું કહેતા હતા. હઝ. અબૂબક્ર સિદ્દીક રદિ.એ ફરમાવ્યું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા છે કે દરેક નબીને તેની વફાતના સ્થળે જ દફન કરવામાં આવ્યા છે. માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના સ્થળે જ આપને દફન કરવામાં આવે. કબર શરીફ આ નિર્ણય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો બિસ્તર એ સ્થળેથી હટાવીને ત્યાં કબર ખોદવામાં આવી. અને કબર ઉપર નવ (૯) કાચી ઈંટો ઢાંકવામાં આવી. કબર લહદ (બગલી) બનાવવામાં આવે કે નહી, એ બાબતે પણ મતભેદ હતો, એટલે ફેસલો કરવામાં આવ્યો કે, મદીના શરીફમાં બે માણસો કબર ખોદે છે. (૧) હઝ. અબૂ તલ્હા રદિ. તેઓ લહદ (બગલી) કબર બનાવે છે. (ર) હઝરત અબૂ ઉબૈદહ રદિ., તેઓ લહદ બનાવતા નથી. આ બેમાંથી જે પહેલા આવે તે એમની રીત પ્રમાણેની કબર બનાવશે. થોડી વારે હઝ. અબૂ તલ્હા રદિ. આવી ગયા, એટલે કબર શરીફમાં લહદ બનાવવામાં આવી. કબરની જગ્યાએ હઝરત આઈશહ રદિ.નો હુજરહ (રૂમ) હતો. જાનવરો ઊંટણીઓ : સીરતની કિતાબોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ગાય - ભેંસ પાળી હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત વીસ દુધાળી ઊંટણીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે હતી. આ ઊંટણીઓ જંગલમાં રાખવામાં આવતી હતી અને રાત્રે એમનું દૂધ દોહીને બે મશકોમાં ભરીને લાવવામાં આવતું હતું. અમુક ઊંટણીઓ ઘણું દૂધ આપતી હતી. જેમ કે, અલહન્નાઅ. અસ્સમરાઅ. અલઉરય્યિસ. અસ્સઅદિય્યહ. અલબુગૂમ. અલયુસયરહ. અલરય્યાઅ. બુરદહ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક ઊંટણીનું નામ 'બુરદહ' હતું. ઝહહાક બિન સુફયાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી હતી. અને સૌથી વધુ દૂધ આપતી હતી. આ એક ઊંટણી બે ઉચ્ચપ્રકારની ઊંટણીઓ જેટલું દૂધ આપતી હતી. મહરિય્યહ : એક ઊંટણીનું નામ મહરિય્યહ હતું. હઝરત સઅદ બિન ઉબાદહ રદિ.એ બનુઉકૈલના ઊંટોમાંથી પસંદ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ભેટ આપી હતી. કસ્વાઅ (કપાયેલા કાનવાળી) : આ જ તે ઊંટણી છે, જે હઝરત અબૂબક્ર રદિ.એ બનૂકુશૈરથી ૮૦૦ દિરહમમાં ખરીદી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એના ઉપર સવાર થઈને જ હિજરત કરી હતી. ત્યારે એની ઉમર ચાર વરસ હતી. વહી ઉતરતી ત્યારે આ ઊંટણી સિવાય બીજી કોઈ પણ ઊંટણી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ભાર વેઠી શકતી ન હતી. એને અઝબાઅ અને જદઆઅ પણ કહેતા હતા. અમુક રિવાયતોથી માલૂમ પડે છે કે આ ત્રણ અલગ અલગ ઊંટણીઓના નામો છે. આ કસ્વાઅ ઊંટણી દોડમાં પણ બધાથી આગળ રહેતી હતી. પણ એકવાર પાછળ રહી ગઈ તો એના પાછળ પડી જવાથી મુસલમાનોને ઘણો આઘાત લાગ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને સમજાવ્યા કે આ અલ્લાહ તઆલાનો ફેસલો છે, જે વસ્તુને તે બુલંદ કરે છે એને પરાસ્ત પણ કરે છે. અમુકનું મંતવ્ય છે કે પાછળ રહી જનાર ઊંટણી 'અઝબાઅ' હતી. અને એ કસ્વાઅથી અલગ છે. અબૂઉબૈદ કહે છે કે એના કાનમાં કોઈ ખામી ન હતી. બલકે આ એનું નામ છે. જયારે અમુકનું કહેવું છે કે એના કાનમાં જન્મથી જ કાણું હતું, એટલા માટે એનું આવું નામ રાખવામાં આવ્યું. બકરીઓ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ૧૦૭ બકરીઓ હતી. જેમાંથી સાત દૂધ આપતી હતી. એમના નામ આ પ્રમાણે છે. અજવહ. ઝમઝમ. સુક્તયા. બરકહ.� વરશહ. અત્લાલ. અત્રાફ. હઝ. ઉમ્મે અયમન રદિ. આ બકરીઓ ચરાવતાં હતાં. એક બકરી ગયષ્ાહ નામની પણ હતી. જેનું દૂધ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે અલગ રાખવામાં આવતું હતું. મરઘો ઇતિહાસકાર અબૂસઅદનું વર્ણન છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સફેદ મરઘો પણ હતો. જીવનક્રમ મુહમ્મદ(સ.અ.વ.) ના જીવનની એક ઝલક ઘટનાક્રમઉમરઈસ્વી સનનબવી - હિજરી સન૧પવિત્ર જન્મ, રર એપ્રિલ, રબીઉલ અવ્વલ, આમુલફીલ.૫૭૧૨હલીમા સઅદિયાને દૂધ પીવડાવવા સોં૫વામાં આવ્યા.૮ દિવસ૫૭૧૩પોતાની વાલિદહના ખોળામાં.૫ વરસ૫૭૬૪ વાલિદા - માતાનો ઇન્તેકાલ.૫ વરસ૫૭૭૫શામની પહેલી સફર. કાકા સંગાથે.૯૫૭૯૬વેપાર હેતુએ શામની પહેલી સફર.૨૩૫૯૩૭હઝરત ખદીજા (રદિ.) સાથે નિકાહ.૨૫૫૯૫૮કોમ તરફથી સાદિક-અમીનનો ખિતાબ.૩૦૬૦૦૯હજરે અસ્વદ મૂકવા માટે મઘ્યસ્થી બન્યા.૩૫૬૦૫૧૦અલ્લાહની યાદ માટે હિરા નામના પહાડની ગુફામાં જવું શરૂ કર્યું.૩૭૬૦૭૧૧નુબુવ્વત મળવી અને વહી ઉતરવી.૪૦૬૧૦૧૨લોકોને ઇસ્લામ સ્વીકાર માટે જાહેર આમંત્રણ૪૩૬૧૪૩૧૩મુસલમાનોની હબશહ (ઇથોપિયા) પ્રતિ હિજરત.૪૫૬૧૫૫૧૪હમ્ઝહ (રદિ.) અને ઉમર (રદિ.)નો ઇસ્લામ સ્વીકાર૪૬૬૧૬૬૧૫મક્કાના શત્રુઅો તરફથી ૫ૂરા કબીલાનો બહિષ્કાર૪૭૬૧૬૭૧૬બહિષ્કારનો અંત, કાકા અબૂતાલિબ અને ખદીજા (રદિ.)નું અવસાન. તાઇફનો સફર, આઇશહ (રદિ.) સાથે નિકાહ, મેઅરાજની ઘટના.૫૦૬૧૯૧૦૧૭પ્રથમ (૬) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર.૫૧૬૨૦૧૧૧૮બીજીવાર (૧ર) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર૫૨૬૨૧૧૨૧૯ત્રીજીવાર (૭૩) મદીનાવાસીઓનો ઇસ્લામ સ્વીકાર, ૫૪૬૨૨હિજરી સન ૧૨૦મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની મદીના હિજરત૫૪૬૨૨૧ હિ.૨૧બદરની લડાઇ, ૫ુત્રી ફાતિમહના નિકાહ, રોઝા ફરજ થયા.૫૫૬૨૪૨ હિ.૨૨ઉહદની લડાઇ, હમ્ઝહ (રદિ.)અને સિત્તેર સહાબા (રદિ.)ની શહાદત૫૬૬૨૫૩ હિ.૨૩આમિર બિન માલિકના દગાથી ૬૯ કારી સહાબા (રદિ.)ની શહાદત.૫૭૬૨૫૪ હિ.૨૪ખંદકની લડાઇ૫૮૬૨૭૫ હિ.૨૫હુદબિયહની સંધિ-સુલેહ૫૯૬૨૮૬ હિ.૨૬ખૈબરની જીત, બાદશાહોને ઇસ્લામનું આમંત્રણ, ઉમરએ કઝા.૬૦૬૨૮૭ હિ.૨૭મૂતહની લડાઇ, હુનૈનની લડાઇ, મક્કાની ફતેહ૬૧૬૨૯૮ હિ.૨૮તબૂકની લડાઇ, હજ ફર્ઝ થઇ. ઇસ્લામ સ્વીકાર માટે વિવિધ પ્રતિનિધિ મંડળોનું મદીનામાં આવવું.૬૨૬૩૦૯ હિ.૨૯આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લનો હજ.( પ્રથમ અથવા અંતિમ)૬૩૬૩૧૧૦ હિ.૩૦બીમારી અને મૃત્યું૬૩૬૩૨૧૧ હિ. શ્રેણી:ઇસ્લામ શ્રેણી:ઇતિહાસ શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ
ફ્રી સૉફ્ટવૅર
https://gu.wikipedia.org/wiki/ફ્રી_સૉફ્ટવૅર
thumb|upright|રિચાર્ડ સ્ટોલમેન, ફ્રી સૉફ્ટવૅર ચળવળના સ્થાપક (૨૦૦૯) ફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે.Free Software Movement (gnu.org)Philosophy of the GNU Project (gnu.org)What is free software (fsf.org) સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે. ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે. સંદર્ભ શ્રેણી:સોફ્ટવેર શ્રેણી:કોમ્પ્યુટર
શાકાહારી
https://gu.wikipedia.org/wiki/શાકાહારી
thumb|ભારતમાં શાકાહારી ‍(લીલા) અને માંસાહારી ખોરાક ઉપર (લાલ-ભૂખરા) રંગના ચિહ્ન લગાવવા ફરજિયાત છે. શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ (કંદમૂળ)માંથી પોતાનો ખોરાક તૈયાર કરી આહાર તરીકે ઉપયોગ કરે. આમાં કોઈપણ પ્રાણીના શરીરમાંથી, કોઈપણ સ્વરુપે મેળવવામાં આવેલા ખોરાકને અવૈદ્ય ગણવામાં આવે છે. સંદર્ભ શ્રેણી:ખોરાક શ્રેણી:આહાર
ભાત (તા. દસ્ક્રોઇ)
https://gu.wikipedia.org/wiki/ભાત_(તા._દસ્ક્રોઇ)
ભાત (તા. દસ્ક્રોઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. ભાત ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ સરખેજથી ફક્ત ૧૦ કિલોમીટર દૂર, સરખેજ-ધોળકા રોડ પર આવેલું છે. અહીં ચોખા ખૂબ જ પ્રમાણમાં પાકતા હોવાથી આ ગામનું નામ ભાત રાખવામાં આવ્યું છે. શ્રેણી:દસ્ક્રોઇ તાલુકો
હીન્દી
https://gu.wikipedia.org/wiki/હીન્દી
REDIRECT હિંદી ભાષા
ચેન્નઈ
https://gu.wikipedia.org/wiki/ચેન્નઈ
ચેન્નઈ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલાતમિલનાડુ રાજ્યની રાજધાની છે. આ ઉપરાંત ચેન્નઈમાં ચેન્નઈ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું મહાનગર છે. ચેન્નઈ દેશના અન્ય ભાગો સાથે રેલ્વે માર્ગ દ્વારા, રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા તેમ જ વિમાન માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં જવા માટે અદ્યતન સુવિધાઓ મળી શકે છે. ચેન્નઈ (તમિળ: சென்னை ), નામે જાણીતું છે., ચેન્નઈ ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે, જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. બંગાળની ખાડીના કોરોમંડલ કાંઠેઆવેલા ચેન્નઈની વસ્તી 2009ની વસ્તીગણતરી મુજબ 8.85 મિલિયન(88 લાખ)જેટલી છે. ચેન્નઈ મહાનગર પાલિકા પણ છે. શહેરી વસ્તી અંદાજીત રીતે 80 લાખ જેટલી છે,જેના કારણે તે ભારતનું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર છે. આ શહેર બ્રિટિશરો દ્વારા 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, જેને તેમણે એક મોટા શહેરી વિસ્તાર અને નૌકામથક તરીકે વિકસાવ્યું હતું. 20મી સદી સુધીમાં, તે મદ્રાસ પ્રાંતનું મહત્વનું વહીવટી કેન્દ્ર બની ગયું હતું. ચેન્નઈનું અર્થતંત્ર ઓટોમોબાઇલ, ટેકનોલોજી, હાર્ડવેર ઉત્પાદન અને હેલ્થકેર ઉદ્યોગમાં બહોળો ઔદ્યોગિક પાયો ધરાવે છે. ચેન્નઈ સોફ્ટવેર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને તેને સંલગ્ન સેવાઓ આઈટીઈએસ(ITES))ની નિકાસ કરતું ભારતનું બીજા નંબરનું શહેર છે. ભારતનો મોટાભાગનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ચેન્નઈની આસપાસ સ્થપાયો છે. તમિલનાડુ રાજ્યની જીડીપી(GDP)માં ચેન્નઈનું પ્રદાન 39 ટકા છે. ભારતમાંથી થતી ઓટોમોટિવ નિકાસમાંથી 60 ટકા નિકાસ ચેન્નઈમાંથી થાય છે. ઘણી વખત તેને ભારતનું ડેટ્રોઈટ ગણવામાં આવે છે. ચેન્નઈમાં દેશના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમમાંના એક મદ્રાસ મ્યુઝીક સિઝનના કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં કલાકારો ભાગ લે છે. શહેરમાં નાટ્ય ક્રાર્યક્રમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત ચેન્નઈમાં પ્રાચીન નૃત્યકળા ભારતનાટ્યમનું કેન્દ્ર પણ છે. તમિળફિલ્મ ઉદ્યોગ, જે મોટાભાગે કોલીવુડ નામે ઓળખાય છે, તે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે. આ ઉદ્યોગનું કેન્દ્ર ચેન્નઈ છે. જેથી આ શહેરના સંગીતનો ફિલ્મમાં પડઘો પડે છે. નામો ચેન્નઈ નામ ચેન્નાપટ્ટીનમ માંથી ટુંકાવવામાં આવ્યું છે, જેનું બ્રિટિશ હકુમત દ્વારા ઈ.સ. 1640માં ફોર્ટ સેંટ જયોર્જનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ પહેલા આ ભાગ ચંદ્રગીરીના રાજાના આધિપત્ય હેઠળ આવતો હતો. ચેન્નઈ નામ અંગે બે કથાઓ પ્રચલીત છે. એક કથા મુજબ ચેન્નાપટ્ટીનમ નામ કલાહસ્થી વંદવાસીના રાજા પદમનાયક વેલામાના વિજયનગર નાયક દામેર્લા ચેન્નાપ્પા નાયક પરથી આવ્યું છે. બ્રિટિશ હકુમતે ઈ. સ. 1639માં તેમની પાસેથી આ નગર હસ્તગત કરી લીધી હતું. ચેન્નઈ ના નામનો સત્તાવાર ઉપયોગ ઓગસ્ટ 1639માં કરાયેલા એક વેચાણ ખતમા મળી આવ્યો છે. આ વેચાણ ખત બ્રિટિશ એજન્ટ ફ્રાન્સિસ ડેનો હતો . અન્ય એક વૃતાંત મુજબ, ચેન્નાપટ્ટીનમ નામ ચેન્ના કેશ્વા પેરૂમલ મંદિરપરથી આવ્યું છે. તમિળમાં ચેન્ની અર્થ થાય છે ચહેરો , અને મંદિરને શહેરનો ચહેરો માનવામાં આવે છે . શહેરનું ભૂતપૂર્વ નામ મદ્રાસ ફોર્ટ સેંટ જ્યોર્જની ઉત્તરે આવેલા મદ્રાસપટ્ટીનમ નામ પરથી આવ્યું હતું. પરંતુ સંશોધકો વચ્ચે મદ્રાસપટ્ટીનમ કેવી રીતે આવ્યું તેને લઈને થોડો વિવાદ છે.કેટલાક માને છે કે અહીં 16મી સદીમાં આવેલા પોર્ટુગીઝોએ એક ગામનું નામ માદ્રે દે દેઉસ આપ્યું હતું . કેટલાક એવું માને છે કે આ ગામનું નામ જાણીતા મદેરિયોસ પરિવાર (પાછલા વર્ષોમાં મદેરા અથવા મદ્રા નામે જાણીતા) પોર્ટુગીઝ મુળના પરિવાર, જેમણે ચેન્નઈમાં મદ્રે દિ દેઉસ નું ચર્ચ સાન્થોમમાં 1575માં બંધાવ્યું હતું, તેમના પરથી આવ્યું છે.(આ ચર્ચને 1997માં ધ્વંશ કરી દેવામાં આવ્યું છે.) 17મી સદીમાં બ્રિટિશરોએ આ વિસ્તારનો કબજો લીધો ત્યારે મદ્રાસપટ્ટીનમ અને ચેન્નાપટ્ટીનમ ને વિલીન કરી દેવામાં આવ્યા અને આ નગરને બ્રિટિશરોમદ્રાસપટ્ટીનમ તરીકે ઓળખતા હતા જ્યારે સ્થાનિકો તેને ચેન્નાપટ્ટીનમ કહેતા હતા. મદ્રાસ જેવું ટુંકુ નામ પોર્ટુગીઝ મુળનું હોવાનું મનાય છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે 1996માં ચેન્નઈ નું નામ બદલ્યું. આ સમયે ઘણા ભારતીય શહેરોના નામ પણ બદલવામાં આવ્યા હતા. ઇતિહાસ thumb|right|1909માં મદ્રાસ શહર પહેલી સદીની આસપાસમાં ચેન્નઈની આસપાસનો વિસ્તાર વહિવટી, સૈન્ય અને આર્થિક રીતે મહત્વનો ભાગ ભજવતો હતો. આ વિસ્તાર પર દક્ષિણ ભારતના ઘણા રાજાઓએ રાજ કર્યું છે જેમાં પલ્લવ, ચેરા વંશ, ચોલા, પાંડ્યા, અને વિજયનગરનો સમાવેશ થાય છે. હાલમાં ચેન્નઈનો મહત્વનો ભાગ એવું મયલાપોર એક વખતે પલ્લવોનું મહત્વનું બંદર હતું. 1522માં પોર્ટુગીઝોઅહીં આવ્યા અને ખ્રિસ્તી ધર્મપ્રચારક સેંટ થોમસપરથી સાઉ ટોમે(São Tomé) કહેવાતું બંદર બાંધ્યું. એવું માનવામાં આવતું હતું તેઓ ઈ. સ. 52 થી 70 વચ્ચે અહીં આવ્યા હતા. 1612માં ડચ લોકોએ શહેરની ઉત્તર બાજુ પુલિકેટનજીક પોતાનું થાણું બાધ્યું. 22 ઓગસ્ટ, 1639માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ફ્રાન્સિસ ડેએ વિજયનગરના રાજા પેડા વેંકટ રાય પાસેથી ચંદ્રગીરીમાં કોરોમંડલ કાંઠે જમીન લીધી હતી. આ વિસ્તાર પર વંદાવાસીનો નાયક દેમલા વેંકટપતિ રાજ કરતો હતો. તેણે બ્રિટિશરોને ફેકટરી અને વેપાર કરવા માટે વેરહાઉસ બાંધવાની પરવાનગી આપી હતી. વર્ષ બાદ બ્રિટિશરોએ ફોર્ટ સેંટ જયોર્જનું બાંધકામ કર્યું, જે વસાહતી શહેરોનો મધ્યભાગ બન્યું. ફોર્ટ સેંટ જયોર્જ હાઉસ હાલમાં તમિળનાડુની વિધાનસભા છે. thumb|right|વિકટોરીયા પબ્લિક હોલ 1746માં ફોર્ટ સેંટ જ્યોર્જ અને મદ્રાસ પર ફ્રેન્ચોએ મોરેશિયસના ગવર્નર અને જનરલ લા બ્યુરડોનિસની આગેવાનીમાં કબજો જમાવ્યો, અને જીત બાદ શહેર અને તેની આસપાસના ગામોમાં ભારે લૂંટફાટ આદરી હતી. આ બાદ 1749માં બ્રિટિશરોએ આઈક્સા લા ચાપેલાની સંધિ દ્વારા બ્રિટિશરોએ ફરીથી આ શહેર પર કબજો જમાવ્યો અને ફેન્ચ અને મૈસુરના સુલતાન હૈદર અલીના આક્રમણના ભયને કારણે કિલ્લાને ફરતે મજબૂત દિવાલ ચણવામાં આવી.18મી સદીમાં બ્રિટિશરોએ તમિળનાડુ અને હાલના દિવસોમાં આંધ્ર પ્રદેશઅને કર્ણાટક કહેવાતો પ્રદેશ જીતી લીધો હતો અને મદ્રાસ પ્રેસિડેન્સીની સ્થાપના મદ્રાસને રાજધાની બનાવીને કરી. બ્રિટિશ હકુમત દરમિયાન આ શહેરનો ભારે વિકાસ થયો તેમજ મહત્વના નૌકા મથક તરીકે પણ શહેર ઉભર્યું. 19મી સદીના અંત ભાગમાં ભારતમાં રેલવેનું આગમાન થતા આ શહેરને દેશના અન્ય મહત્વના શહેરો જેવા કે બોમ્બે અને કલકત્તા સાથે જોડી દેવામાં આવ્યું છે જેથી શહેરો વચ્ચે વેપાર તેમજ પ્રત્યયન વધ્યું. 16મી અને 18મી સદી દરમિયાન મદ્રાસ થોડા સમય માટે પોર્ટુગીઝ અને ફ્રેન્ચોના કબજા હેઠળ આવ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, મદ્રાસ જ ભારતનું એક માત્ર એવું શહેર હતું જેના પર સેન્ટ્રલ પાવર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 22 સપ્ટેમ્બર 1914ના રોજ જર્મન લાઈટ ક્રુઝરએ ઓઈલ ડિપોટ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે હિંદ મહાસાગરમાં વહાણ વ્યવહારને અસર થઈ હતી. 1947માં ભારતે સ્વતંત્રતા મેળવ્યા બાદ મદ્રાસ રાજ્યનું 1969માં નામ બદલીને તમિળનાડુ કર્યું હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવા બદલ 1965માં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાદ શહેર અને રાજ્યમાં રાજકીય ગતિશીલતામાં પરિવર્તન આવ્યું હતું. 2004ના હિંદ મહાસાગર સુનામીએ ચેન્નઈના કિનારાને પણ ધમરોળ્યું હતું. જેને કારણે ઘણા લોકો માર્યા ગયા હતા અને દરિયાકિનારે રહેતા લોકોને અન્યત્ર ખસી જવું પડ્યું હતું. ભૂગોળ અને આબોહવા thumb|ચેન્નઈ સપાટ તટવર્તી કાંઠે વસેલું છે, લેન્ડસેટ 7 નકશામાં દર્શાવાયું છે. ચેન્નઈ ભારતના દક્ષિણપુર્વ કિનારે તમિળનાડુ રાજ્યના ઉત્તરપુર્વ ભાગે સપાટ તટવર્તી ભુમિ જે પુર્વીય તટવર્તી ભુમિ તરીકે ઓળખાય છે તેના પર વસેલું છે.સરેરાશ ઉંચાઈ 6.7 મિટર (22 ફુટ) છે, અને સૌથી ઉંચો પોઈન્ટ 60 મિટર (200 ફુટ) છે. મરિના બીચ શહેરના દરિયાકાંઠે 12 કિલોમીટર સુધી પથરાયેલો છે. બે નદીઓ વાંકીચુંકી રીતે ચેન્નઈમાંથી વહે છે જેમાંની એક કોઉમ નદી (અથવા કુવમ ) કેન્દ્રમાં થઈને વહે છે જ્યારે અદ્યાર નદી શહેરના દક્ષિણ ભાગમાંથી વહે છે. જ્યારે ત્રીજી નદી કોર્ટલ્યાર એન્નારના દરિયામાં ભળતા પહેલા શહેરના ઉત્તર ભાગને સ્પર્શે છે. અદ્યાર અને કોઉમ નદીઓ ઔધોગિક કચરા અને સ્થાનિક અને વ્યવસાયીક સ્ત્રોતોના કચરાને કારણે ભારે પ્રદુષિત છે. રાજ્ય સરકારે સમયાંતરે કાદવ અને પ્રદુષણને અદ્યારનદીમાંથી દુર કરે છે, આ નદી કોઉમ નદી કરતા ઓછી પ્રદુષિત છે. અદ્યાર નદીનું મુખને રક્ષિત કરવામાં આવ્યું છે જ્યાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું કુદરતી નિવાસ્થાન છે. બકિંગહામ કેનાલ ચાર કીમી(3 માઈલ) લાંબી માનવસર્જિત કેનાલ કાંઠે સમાંતર ચાલે છે જે બે નદીઓને જોડે છે. પૂર્વ-પશ્ચિમના પ્રવાહ ઓટ્ટેરી નુલ્લાહઉત્તર ચેન્નઈમાથી વહે છે અને બકિંગહામ કેનાલને બેસિન બ્રિજ ખાતે મળે છે. . શહેરના પશ્ચિમ કિનારે વિવિધ કદના ઘણા બધા સરોવરો છે. ચેન્નઈને પીવાનું પાણી રેડ હીલ્સ, શોલાવરમ અને ચેમ્બારામબાક્કમ સરોવરમાંથી મળી રહે છે. જો કે ભૂગર્ભ જળ હવે જરાક ખારૂંબની રહ્યું છે. ચેન્નઈની જમીનમોટાભાગે માટી, પોચા ખડક અને સેન્ડસ્ટોન)ની બનેલી છે. રેતાળ વિસ્તાર નદી અને દરિયા કિનારે છે જેમ કે તિરુવનમિયુર, અદ્યાર, કોટ્ટીવાક્કમ, સેન્થોમ, જયોર્જ ટાઉન, ટોન્ડીરપેટ અને ચેન્નઈના બાકીના દરિયાકાંઠો. અહીં વરસાદી પાણીજલદીથી નિતરીજમીનમાં પહોંચી જાય છે. શહેરના મોટા વિસ્તારોની નીચે માટી છે જેમ કે ટી. નગર, પશ્ચિમ મમબાલમ, અન્ના નગર, વિલ્લિવાક્કમ, પેરામબુર અને વિરુગામબાક્કમ જેવા વિસ્તારોમાં છે. પહાડના બનેલા વિસ્તારોમાં ગુઈન્ડી, પેરુનગુડી,વેલાચેરી, અદામ્બાક્કમ અને સાઈદાપેટના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. thumb|right|ચેન્નઈનો પ્રખ્યાત બી, મરીના બીચ, ચેન્નઈ ચાર ભાગોમાં વિભાજીત છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ. ઉત્તર ભાગ મોટાભાગે ઔધોગિક વિસ્તાર છે. કેન્દ્રીય ચેન્નઈ શહેરના વ્યાપારી કેન્દ્ર સમાન વિસ્તાર છે જેમાં વેપારના મહત્વના કેન્દ્રો જેમ કે પેરીઝ કોર્નરનો સમાવેશ થાય છે. દક્ષિણ અને પશ્ચિમ ચેન્નઈ અગાઉ મોટાભાગે રહેવાસી વિસ્તારો હતો, પરંતુ આ વિસ્તારો હવે ઝડપી વેપારી વિસ્તારો બની રહ્યા છે.આ વિસ્તારમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ, નાણાકીય કંપનીઓ અને કોલ સેન્ટરનો સમાવેશ થાય છે. શહેર દક્ષિણમાં જુના મહાબલિપુરમ રોડ અને ગ્રાન્ડ સધર્ન ટ્રંક રોડ ( (જીએસટી રોડ)ની સાથે સાથે ઝડપી વિકસી રહ્યું છે જ્યારે પશ્ચિમમાં અમબાતુર, કોયામબેદુ અને શ્રીપેરુમબદુર બાજુ વિકસી રહ્યું છે., શહેરની હદમાં નેશનલ પાર્ક, અને ગુઈન્ડી નેશનલ પાર્ક, હોય તેવા વિશ્વના કેટલાક શહેરોમાં ચેન્નઈ સ્થાન ધરાવે છે. ચેન્નઈભૂમધ્યરેખા રેખા પર છે, જે મોસમી તાપમાનમાં તીવ્ર ફેરફારોને અટકાવે છે.વર્ષના મોટાભાગમાં શહેરનું વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે. વર્ષનો સૌથી ગરમ ભાગ મેના અંત ભાગમાં અને જુનની શરૂઆતમાં હોય છે જેને સ્થાનિકો અગ્નિ નક્ષત્રમ ("અગ્નિ તારો") અથવા કાથિરી વેયઈલ , કહે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 38–42 °સી.જેટલું હોય છે. (100–107 °ફે). જ્યારે સૌથી ઠંડો મહિનો જાન્યુઆરી હોય છે, જે દરમિયાન તાપમાન 18–20 °સેલ્સીયસ જેટલું હોય છે. (64–68 °ફે). સૌથી ઓછું તાપમાન 15.8 °સી (60.44 °ફે) અને સૌથી ઉંચુ તાપમાન 45 °સી (113 °ફે) નોંધાયું હતું. જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 1,300 મી.મી.(51 ઈંચ) જેટલો પડે છે. શહેરમાં વરસાદ મોટાભાગે ઉત્તર પુર્વના ચોમાસાંના પવનો લાવે છે જે સપ્ટેમ્બરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી હોય છે. શહેરમાં કેટલીક વાર બંગાળની ખાડીમાંથી ઉદભવતા વાવાઝોડા પણ ત્રાટકે છે. સૌથી વધુ વરસાદ 2,570 મી.મી. (101 ઈંચ) 2005માં નોંધાયો હતો. સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા પવનો મે અને સપ્ટેમ્બરમાં દક્ષિણ અને પશ્ચિમમાંથી આવે છે, જ્યારે ઉત્તર પુર્વના પવનો બાકીના વર્ષ દરમિયાન વાય છે. વહીવટીતંત્ર અને જરૂરી સેવાઓ શહેરના કર્મચારીઓ જાન્યુઆરી 2007 મુજબ http://www.chennaicorporation.com/aboutcoc/whoswho.htm મેયર મિ. સુબ્રમણિયન નાયબ મેયર આર. સત્ય બામા કોર્પોરેશન કમિશનર રાજેશ લખોની પોલીસ કમિશનર કે. રાધાક્રિષ્ણન શહેરનું સંચાલન ચેન્નઈ મહાનગરપાલિકાદ્વારા થાય છે. 1688માં મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી જે ભારતની સૌથી જુની મહાનગરપાલિકા છે. મહાનગરપાલિકામાં 155 કાઉન્સિલર(નગરસેવક) છે જેઓ 155 વોર્ડ નું પ્રતિનિધિત્વ કરે છે જેમને નાગરિકો સીધા ચુંટી કાઢે છે. બાદમાં નગરસેવકો મેયર અને નાયબ મેયરને ચુંટે છે જે છ જેટલી સ્ટેન્ડીંગ કમિટીઓની આગેવાની લે છે. તમિળનાડુ રાજ્યનું ચેન્નઈ પાટનગર હોવાથી શહેરમાં કારોબારી અને લેજિસ્લેટિવનું મુખ્યમથક સચિવાલયમાં છે જે ફોર્ટ સેંટ જયોર્જકેમ્પસમાં આવેલું છે, પરંતુ અન્ય ઈમારતો શહેરના વિવિધ વિભાગોમાં છે. મદ્રાસ હાઈકોર્ટ, જેનું ન્યાયિક કાર્યક્ષેત્ર સમગ્ર તમિળનાડુ અને પુડુચેરી સુધી લંબાવવામાં આવ્યું છે, જે રાજ્ય અને શહેરમાં સૌથી ઉચ્ચ ન્યાયિક સત્તા છે. ચેન્નઈમાં ત્રણ સંસદીય મતદારક્ષેત્રો છે —ઉત્તર ચેન્નઈ, મધ્ય ચેન્નઈ, અને દક્ષિણ ચેન્નઈ અને વિધાનસભા માટે 18 (ધારાસભ્યો)ને ચુંટે છે અને રાજ્યની વિધાનસભામાં મોકલે છે. thumb|left|ચેન્નઈ મેટ્રોપોલિટન પોલીસ પેટ્રોલ મેટ્રોપોલિટન વિભાગ શહેરના ઉપનગરોને આવરી લે છે, જે કાંચિપૂરમ અને થીરુવલ્લુરજિલ્લાના કેટલાક ભાગો છે. મોટાભાગના ઉપનગરો નગરપાલિકાઓ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે નાના નગરોનો વહીવટ પંચાયત દ્વારા કરવામાં આવે છે. શહેરી વિસ્તાર 174 કીમી.² (67 માઈલ²), છે, જ્યારે મેટ્રોપોલિટન વિસ્તાર 1,189 કીમી² (458 માઈલ²)માં ફેલાયેલો છે. ચેન્નઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરીટી (સીએમડીએ(CMDA))એ શહેરની આજુબાજુમાં સેટેલાઈટ ટાઉનશીપ બનાવવા માટેનો બીજો માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ સેટેલાઈટ ટાઉનશીપ દક્ષિણમાં મહાબલિપુરમ, દક્ષિણ-પશ્ચિમમાં ચેનગાલપટ્ટુ અને મરાઈમલાઈ નગરને અને પશ્ચિમમાં કાંચીપૂરમ શહેર, શ્રીપેરુમ્પુદુર, થીરૂવલ્લુરઅને અરાક્કોનમનો સમાવેશ થઈ જાય છે. બ્રુહદ ચેન્નઈ પોલીસ વિભાગ તમિળનાડુ પોલીસનો એક ભાગ છે, જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અમલ કરાવે છે. શહેર પોલીસ દળની આગેવાની પોલીસ કમિશનર લે છે, જ્યારે બાકીના વહીવટીતંત્રનો અંકુશ તમિળનાડુ ગૃહ મંત્રાલય પાસે હોય છે. આ વિભાગમાં 36 પેટાવિભાગ છે જેમાં કુલ 121 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. શહેરના ટ્રાફિકનું સંચાલન ચેન્નઈ ટ્રાફિક પોલીસ(CCTP) દ્વારા થાય છે. જ્યારે મેટ્રોપોલિટન ઉપનગરોમાં પોલીસ વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન પોલીસને આધિન હોય છે. અને જિલ્લાના બહારના ભાગોમાં કાંચીપૂરમ અને થિરૂવલ્લુર પોલીસ વિભાગ વ્યવસ્થા સંભાળ છે. thumb|રીપન બિલ્ડીંગમાં ચેન્નઈ મહાનગરપાલિકાનું કાર્યાલય છે, જે 1913માં બંધાઈ હતી.બિલ્ડિંગનું નામ ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ રીપન પરથી આપવામાં આવ્યું છે. ચેન્નઈમાં મહાનગરપાલિકા અને ઉપનગરોમાં નગરપાલિકાઓ નાગરિક સેવાઓ પૂરી પાડે છે. શહેરનો કચરાનો નિકાલ એક ખાનગી કંપની નીલ મેટલ ફનાલિકા એન્વાયર્ન્મેન્ટ મેનેજમેન્ટ દ્વારા તેમજ અન્ય વિભાગોમાં ચેન્નઈ મહાનગરપાલિકા દ્વારા થાય છે. પાણીની અને ગટર વ્યવસ્થા ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર એન્ડ સ્યૂઇજ બોર્ડ દ્વારા સંભાળવામાં આવે છે, જેને સીએમડબલ્યુએસએસબી(CMWSSB) ના નામે ઓળખવામાં આવે છે, જ્યારે વીજળીનો પુરવઠો તમિળનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડ દ્વારા પુરો પાડવામાં આવે છે. શહેરની ટેલિફોન વ્યવસ્થા છ મોબાઈલ અને ચાર લેન્ડલાઈન કંપનીઓ સંભાળે છે,, એનેક્ચર એમાં ચેન્નઈ સર્કલમાં સેલ્યુલર સેવાઓ પુરી પાડતા લાયસન્સ ધરાવતા ઓપરેટરોની યાદી છે. સીડીએમએ(CDMA)ડેવલોપમેન્ટ ગ્રુપની સત્તાવાર વેબસાઈટમાંથી યાદી તાતા ટેલિસર્વિસ અને રીલાયન્સ કોમ્યુનિકેશન એ બે જ કંપનીઓ ભારતમાં સેલ્યુલરમાં સીડીએમએ(CDMA) સેવા પૂરી પાડે છે. જે કંપનીઓ સીફી અને હાથવે સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ ન હોવાથી વર્ષોથી ચેન્નઈ ચોમાસાના પાણીનો સંગ્રહકરે છે. શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો હોવાથી પાણી પુરવઠાની અછતઅનુભવાઈ રહી છે. તેમજ ભૂગર્ભ જળ વધુ ઉંડે જઈ રહ્યું છે. પહેલા વિરાનમ સરોવર યોજના શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ નવો વિરાનમ પ્રોજેક્ટ જે સપ્ટેમ્બર 2004થી અમલમાં આવ્યો છે, તેને કારણે છેવાડાના સ્ત્રોત પરથી પાણી મેળવવાની આધારમાં ઘટાડો થયો છે. છેલ્લા વર્ષોમાં ભારે અને સતત ચોમાસાને અને અન્ના નગર રેઈન સેન્ટર ખાતે ચેન્નઈ મેટ્રોવોટર દ્વારા વરસાદી પાણીના સંગ્રહ(RWH)કરવામાં આવે છે, તેના કારણે શહેરની પાણીની સમસ્યા થોડી હળવી થઈ છે. ઉપરાંત નવી યોજનાઓ જેવી કે તેલુગુ ગંગા યોજના દ્વારા આંધ્ર પ્રદેશનીની ક્રિષ્ણા નદીમાંથી પાણી લાવવાની યોજના છે, જેથી જળ સમસ્યા ઓછી થાય. ઉપરાંત દરિયાના પાણીને ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા શહેરના પાણીના પુરવઠાને વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અર્થતંત્ર thumb|પેરી કોર્નર, ચેન્નઈનો જુનો વેપાર વિસ્તાર|link=Special:FilePath/DSC00390.JPG ચેન્નઈનું અર્થતંત્ર વિવિધ ઉદ્યોગો પર નભે છે, જેમ કે ઓટોમોબાઈ, સોફ્ટવેર સર્વિસ, હાર્ડવેર મેન્યુફેક્ચરીંગ, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ. 2000 મુજબ શહેરની કુલ વ્યકિતગત આવક રૂ. 12,488.83 કરોડ છે, જે તમિળનાડુ રાજ્યની કુલ આવકના 10.9% ટકા જેટલી થવા જાય છે. 2001માં ચેન્નઈમાં કુલ માનવબળની સંખ્યા 15 લાખ હતી, જે તેની વસ્તીના 31.79% જેટલી થાય છે. 1991ની વસ્તીગણતરી મુજબ, શહેરનો મોટોભાગ વેપાર(25.65%), ઉત્પાદન(23.52%), પરિવહન (10.72%), બાંધકામ(6.3%) અને અન્ય સેવાઓ (31.8%) સંકળાયેલો છે.ચેન્નઈનો મેટ્રોપોલિટન વિસ્તાર તમિળનાડુની સેલ્સ ટેક્ષની આવકનો 75% હિસ્સો આપે છે. સીઆઈઆઈ(CII)મુજબ, 2025 સુધીમાં ચેન્નઈનો વિકાસ થશે અને $100 બિલિયન ડોલરનું અર્થતંત્ર હાલના અર્થતંત્ર કરતા 2.5 ઘણું બની જશે. શહેરમાં ભારતનો 30 ટકા ઓટોમોબાઈલ ઉદ્યોગ અને 35 ટકા ઓટો કમ્પોન્નટ ઉદ્યોગ સ્થિત છે. મોટી ઓટોમોબાઈલ કંપનીઓ જેવી કે હ્યુન્ડાઈ, ફોર્ડ, બીએમડબલ્યુ(BMW), મિત્સુબિત્શી, કોમાત્સુ,ટીવીએસ જુથ (ટીવીએસ(TVS)), અશોક લેયલેન્ડ, નિસ્સાન-રિનોલ્ટ, ડાઈમલ્ર ટ્રક્સ, ટીઆઈ સાયકલ ઓફ ઈન્ડિયા, ટાફે(TAFE) ટ્રેકટર્સ, રોયલ એનફિલ્ડ, કેટર પીલર ઇન્ક, કપારો, મદ્રાસ રબર ફેકટરી (એમઆરએફ(MRF))અને મિશેલિનના ઉત્પાદન પ્લાન્ટ શહેરમાં છે. અવાડીખાતે આવેલી હેવી વ્હિલ ફેક્ટરીમાં લશકરી વાહનો જેમાં ભારતની મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન એમબીટી(Arjun MBT) નું ઉત્પાદન થાય છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં રેલવેના કોચ અને ભારતીય રેલવેને લગતા અન્ય ભાગોનું ઉત્પાદન થયા છે. આ પ્રકારના ઉદ્યોગોને લીધે ચેન્નઈને "દક્ષિણ એશિયાનું ડેટ્રોઈટ" કહેવામાં આવે છે. અમ્બાતુર-પાડી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઘણા ટેક્ષટાઈલ ઉત્પાદક એકમો છે અને એપરલ અને જુતા ઉત્પાદન માટે સેઝ (સેઝ) એકમો શહેરના દક્ષિણ ભાગમાં બનાવવામાં આવી રહ્યા છે. ચેન્નઈ દેશની ચામડાંની નિકાસમાં 50 ટકાથી વધુ હિસ્સાનું પ્રદાન કરે છે. thumb|ચેન્નઈમાં આવેલા ઘણા બધા સોફ્ટવેર પાર્કમાંથી એક ટાઈડલ પાર્ક. આ શહેર ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓના ઉત્પાદનનું કેન્દ્ર છે, જ્યાં ડેલ, નોકિયા, મોટોરોલા, સેંમસંગ, ફ્લેક્સોટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેર મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે, જે મોટાભાગે શ્રીપેરુમ્બુદુર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ(SEZ))માં છે. ઘણી સોફ્ટવેર અને સોફ્ટવેર સેવાઓ પુરી પાડતી કંપનીઓએ તેમના ડેવલપમેન્ટ સેન્ટર ચેન્નઈમાં ઉભા કર્યા છે, જેઓ ભારતની સોફ્ટવેરની કુલ નિકાસમાં 14 ટકા હિસ્સો આપે છે. 2006-07 દરમિયાન ભારતની સોફ્ટવેર નિકાસ 144,214 કરોડ રૂપિયા હતી. જેના કારણે સોફ્ટવેર નિકાસ કરતું દેશનું બીજા નંબરનું શહેર હતું. તેના પહેલા બેંગલોરનો નંબર આવે છે. જાણીતી નાણાકીય સંસ્થાઓ જેમાં વિશ્વ બેંક, એચએસબીસી(HSBC), સીટી બેંકના બેક ઓફિસ કામગીરી શહેરમાં છે. ચેન્નઈમાં રાષ્ટ્રીય કક્ષાની ત્રણ મોટી બેંકોનું મુખ્ય મથક છે. તેમજ ઘણી રાજ્ય કક્ષાની સહકારી, નાણાકીય અને વીમા કંપનીઓના મથકો ચેન્નઈમાં છે. ભારતની કેટલીક હેલ્થકેર શ્રેત્રની સંસ્થાઓ જેવી કે એપોલો હોસ્પિટલ (એશિયાની સૌથી મોટી હોસ્પિટલ શ્રેણી), શંકારા નેત્રાલય અને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર શહેરમાં આવેલી છે, જે સમગ્ર વિશ્વમાંથી આવતા મેડિકલ ટુરીસ્ટ માટેની પસંદગીની સંસ્થાઓ છે. ટેલિકોમ ક્ષેત્રની વિશાળ કંપની એરિક્શન અને અલ્કાટેલ-લુસેન્ટ, ફાર્માસ્યુટીકલની મોટી કંપની ફાઈઝર અને રસાયણ ક્ષેત્રની કંપની ડાઉ કેમિકલ્સ ચેન્નઈમાં સંશોધન અને વિકાસ સુવિધા ધરાવે છે. સિરૂસેરી ખાતે આવેલા ટીઆઈસીઈએલ(TICEL) બાયો ટેક પાર્ક અને ગોલ્ડન જ્યુબિલી બાયો ટેક પાર્કમાં બાયોટેકનોલોજી કંપનીઓ અને લેબોરેટરીઓ સ્થિત છે. ચેન્નઈમાં સંપુર્ણ કમ્પ્યુટર આધારિત સ્ટોક એક્સચેન્જ છે જેને મદ્રાસ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી સારી આરોગ્યની સુવિધાઓ ધરાવતા શહેરોમાં ચેન્નઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચેન્નઈમાં એપોલો હોસ્પિટલ સ્થિત છે, જે એશિયાની સૌથી મોટી અને વિશ્વની સૌથી વિશાળ હોસ્પિટલ શ્રેણીઓમાંની એક છે. હેલ્થકેર ટુરીઝમમાં પોતાના પગ વધુ મજબૂત કરતા ચેન્નઈએ ભારતની હેલ્થ રાજધાનીનું સ્થાન મેળવી લીધું છે. હાલમાં વિદેશમાંથી 45% અને 30-40% ઘરેલું હેલ્થ ટુરીસ્ટ ચેન્નઈમાં આવે છે. વસ્તી-વિષયક માહિતી thumb|રાહદારીઓને કારણે ટી. નગરમાં આવેલી રંગનાથન સ્ટ્રીટ હંમેશા ભરચક હોય છે. ચેન્નઈમાં રહેતા રહેવાસીઓને ચેન્નઈલાઈટ કહેવામાં આવે છે. 2001 મુજબ, ચેન્નઈ શહેરમાં 43.4 લાખની વસ્તી છે જ્યારે તેની મેટ્રોપોલિટન વસ્તી 70 લાખ 40 હજાર જેટલી થવા જાય છે. બીજા માસ્ટર પ્લાનને આધારે ચેન્નઈ શહેર અને મેટ્રોપોલિટન વિસ્તારની વસ્તી ગીચતા ગણવામાં આવી છે. જે માટે વસ્તીના અને જે તે પ્રાંતના વિસ્તારના આંકડા લેવામાં આવ્યા છે. પરિવર્તનનો દર = 1.609 કીમી. ચોરસ માઈલમાં વસ્તી ગણતરી કરવા માટે આ દરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2006માં મેટ્રોપોલિટન શહેરમાં અંદાજીત 45 લાખ લોકો રહેતા હતા. 2001માં વસ્તી ગીચતા કીમી દીઠ 24,682 હતી (માઈલ દીઠ 63,926), જ્યારે મેટ્રોપોલીટન વિસ્તારમાં વસ્તી ગીચતા કિલોમીટર દીઠ 5,922 હતી (માઈલ દીઠ 15,337), જેના કારણે ચેન્નઈ વિશ્વના સૌથી ગીચ શહેરોમાંથી એક બન્યુ છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ વિશ્વમાં પાંચ લાખથી વધુ લોકો એક જગ્યાએ રહેતા હોય તેવા ઉપનગરોમાં 51મો નંબર ધરાવે છે. લિંગ અનુપાત(સેક્સ રેશિયો) દર 1000 પુરુષોએ 951 મહિલાનો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 944 કરતા સહેજ વધારે છે. સરેરાશ સાક્ષરતા દર 80.14% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 64.5% કરતા ઘણો વધારે છે. શહેરમાં ઝુંપડપટ્ટીમાં વસતા લોકોની દ્રષ્ટીએ ભારતનું ચોથા નંબરનું શહેર પણ ચેન્નઈ છે. 820,000 લોકો ( વિસ્તીના 18.6%) ઝુંપડપટ્ટીમાં રહે છે. જે ભારતની કુલ ઝુંપડપટ્ટીની વસ્તીના પાંચ ટકા છે. 2005માં, શહેરમાં ગુનાનો દર 100,000 લોકોએ, 313.3નો હતો જે દેશના મોટા શહેરોમાં નોંધાતા ગુનાના 6.2% જેટલો થાય છે. 2004થી શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે, જે 61.8% ટકાએ પહોંચ્યું છે. ચેન્નઈમાં મોટીભાગની વસ્તી તમિળવાસીઓની છે. તમિળ ચેન્નઈમાં બોલાતી મુખ્ય ભાષા છે. અંગ્રેજી પણ શહેરમાં પ્રચલિત છે, તેમાં પણ વેપાર, શિશ્રણ અને ઉચ્ચ અધિકારીઓ અને વ્યાવસાયિકોમાં વધુ બોલાય છે. તેલુગુ અને મલયાલીસમુદાયો પણ શહેરમાં મોટી સંખ્યામાં વસે છે. ચેન્નઈમાં તમિળનાડુ અને દેશના વિવિધ ભાગોમાંથી આવતા લોકોની પણ સારા પ્રમાણમાં વસ્તી છે. 2001 સુધીમાં, શહેરમાં 937,000 હિજરતીઓ હતા( વસ્તીના 21.57% ), જેમાંથી 74.5% તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, જ્યારે 23.8% લોકો ભારતના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા, અને 1.7% લોકો વિદેશથી આવીને અહીં સ્થાયી થયા છે. 2001ની વસ્તીગણતરી મુજબ હિન્દુ ધર્મ પાળતા લોકોની શહેરમાં વસ્તી 82.27% છે અને મુસ્લિમો (8.37%), ખ્રીસ્તીઓ (7.63%) અને જૈનો (1.05%)ની સંખ્યામાં છે. સંસ્કૃતિ thumb|ભારતીય નાટ્યમ નૃત્યાંગના ચેન્નઈ ભારતનું સંગીત અને સાંસ્કૃતિક પાટનગર છે.{url=www.hindu.com/thehindu/mag/2002/12/01/stories/2002120100770500.htm} શહેર તેના ક્લાસિકલ નૃત્ય અને હિન્દુ મંદિરો માટે પ્રખ્યાત છે. દર ડિસેમ્બર મહિના દરમિયાન ચેન્નઈમાં પાંચ અઠવાડિયાનો સંગીત કાર્યક્રમ 1927થી મદ્રાસ મ્યુઝીક એકેડેમીની શરૂઆતથી યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેટલાય કલાકારો દ્વારા પરંપરાગત કર્ણાટકી સંગીતનું (કુચેરીસ ) આયોજન કરવામાં આવે છે. જ્યારે દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતા કળાના કાર્યક્રમનું નામ ચેન્નઈ સંગમમ છે, જેમા તમિળનાડુની વિવિધ કળા બતાવવામાં આવે છે. ચેન્નઈ ભારતનાટ્યમ માટે પણ પ્રખ્યાત છે, જે નૃત્યનો ઉદભવ તમિળનાડુમાં થયો હતો. ભારતનાટ્યમ માટે કલાક્ષેત્ર મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે, જે શહેરના દક્ષિણ ભાગે આવેલો દરિયાકાંઠો છે. ચેન્નઈમાં કેટલાય કોયર સ્થિત છે, જેઓ ક્રિસ્મસની સિઝન દરમિયાન શહેરના વિવિધ ભાગોમાં અંગ્રેજી અને તમિળમાં સમુહગાયનમાં ભાગ લે છે. મદ્રાસ મ્યુઝીકલ એસોસિયેશન(MMA) એ દેશનું સૌથી જુનું અને પ્રતિષ્ઠ કોયર છે અને તેના કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજાય છે. ચેન્નઈમાં તમિળ સિનેમાં ઉદ્યોગનું કેન્દ્ર છે જેને કોદામ્બક્કમમાં આવેલા મોટા મુવી સ્ટુડીયોને કારણે કોલિવૂડ ઓળખવામાં આવે છે. દર વર્ષે આ સિનેમા ઉદ્યોગ 150થી વધુ તમિળ ફિલ્મો બનાવે છે, અને તેનું સંગીતનો શહેર પર ઘણો પ્રભાવ જોવા મળે છે. દેશના ફિલ્મ ઉદ્યોગના મોટા નામો પૈકી રજનીકાંત, કમલ હસન, મણિરત્ન અને એસ. શંકર ચેન્નઈમાં પોતાની કામગીરી કરે છે. 2009માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે બે ઓસ્કાર એવોર્ડ જીતનાર સંગીતકાર એ. આર. રહેમાનેચેન્નઈને ઉંચાઈ પર પહોંચાડી દીધું છે. ચેન્નઈ થિયેટરમાં તમિળ નાટકો, રાજકીય કટાક્ષો, કોમેડી, પ્રાચિન કથાઓ, અને ઐતિહાસિક કથા પર આધારિત નાટકો યોજાય છે. શહેરમાં અંગ્રેજી નાટકો પણ ભજવવામાં આવે છે. ચેન્નઈના ઉત્સવોમાં પોંગલ જાન્યુઆરીમાં પાંચ દિવસ ઉજવવામાં આવે છે, જે ચેન્નઈવાસીઓ માટે મહત્વનો ઉત્સવ છે. મોટાભાગના ધાર્મિક ઉત્સવો જેવા કે દિવાળી, ઈદ અને નાતાલ ચેન્નઈમાં ઉજવવામાં આવે છે. ચેન્નઈની રાંઘણકળામાં શાકાહારી અને માંસાહારી ભોજનનો સમાવેશ થાય છે. શહેરની ઘણી રેસ્ટોરન્ટ હળવું ભોજન અથવા ટીફીનસેવા પૂરી પાડી છે જેમાં ચોખામાંથી બનતી વાનગીઓ જેવી કે પોંગલ, ઢોંસા, ઈડલી અને વડાને ગરમ ફિલ્ટર કોફીસાથે પિરસવામાં આવે છે. પરિવહન thumb|300px|એમઆરટીએસ પાસ થઈ રહેલો ચેન્નઈનો આઈટી હાઈવે ચેન્નઈ દક્ષિણ ભારત માટે મહત્વનો ગેટવે છે, તેમજ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેમા અન્ના ઈન્ટરનેશનલ ટર્મિનલ અને કામરાજ ડોમેસ્ટીક ટર્મિનલનો સમાવેશ થાય છે જે દેશનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. શહેર દક્ષિણ એશિયા, દક્ષિણ પુર્વ એશિયા, પુર્વ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેરિયરથી જોડાયેલું છે. ચેન્નઈ એરપોર્ટ દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત કાર્ગો ટર્મિનલ છે. હાલના એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણ કરવામાં આવી રહ્યું છે અને અંદાજીત 2,000 કરોડના ખર્ચે શ્રીપેરૂમ્બુદુરખાતે નવું ગ્રીનફ્લિડ એરપોર્ટ બાંધવામાં આવી રહ્યું છે. શહેરમાં બે મોટા બંદરો છે, જેમાં ચેન્નઈ બંદર, કે જે સૌથી મોટું કુત્રિમ બંદર છે, અને એન્નોર બંદરનો સમાવેશ થાય છે. બંગાળની ખાડીમાં સૌથી મોટું બંદર ચેન્નઈ બંદર છે. તે જે ભારતનું બીજા નંબરનું કન્ટેનર હબ છે, જે ઓટોમોબાઈલ, મોટરસાયકલ અને અન્ય ઔદ્યોગિક કાર્ગોનું વહન કરે છે. એન્નોર બંદર પરથી કોલસાનું, કાચી ધાતું અને અન્ય બલ્ક તેમજ ખનીજોનું વહન થાય છે. જ્યારે નાના બારાં રોયાપુરમનો સ્થાનિક માછીમારો અને ટ્રોલરો ઉપયોગ કરે છે. alt=|left|thumb|ચેન્નઈમાં એમઆરટીએસ ટ્રેન સ્ટેશન ચેન્નઈ ભારત સાથે રોડ અને રેલવે દ્વારા સુવ્યવસ્થિત રીતે જોડાયેલું છે. પાંચ મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગમુંબઈ, કોલકત્તા, તિરૂચિરાપલ્લી (ત્રિચી), તિરુવલ્લુર અને પુડુચેરી (પોંન્ડીચેરી)સાથે જોડાયેલા છે. ચેન્નઈ મોફુસિલ બસ ટર્મનિસ (CMBT),માંથી રાજ્યના વિવિધ ભાગોમાં બસ જાય છે. આ સ્ટેશન એશિયાનું સૌથી મોટું બસ સ્ટેશન છે. સાત સરકારી પરિવહન કોર્પોરેશનો શહેરો અને રાજ્યો વચ્ચે બસ સેવા ચલાવે છે. આંતરરાજ્ય અને આંતર શહેરની કેટલીય બસ સેવાઓ ચેન્નઈથી ઉપડે છે. ચેન્નઈ સધર્ન રેલવેનું વડું મથક છે. શહેરમાં બે મુખ્ય રેલવે મથકો છે. ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન શહેરનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પરથી મોટા શહેરોની ટ્રેનો મળે છે. આ શહેરોમાં મુંબઈ, કોલકત્તા, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોઈમ્બતૂર, થીરૂવનંથપૂરમનો સમાવેશ થાય છે. ચેન્નઈ ઈગ્મોર એ અન્ય સ્ટેશન છે, જ્યાંથી તમિળનાડુ રાજ્યના વિવિધ ભાગોમાં જતી વિવિધ ટ્રેનો મળી રહી છે. બસ, ટ્રેન અને ઓટો રીક્ષા શહેરના જાહેર પરિવહનના મુખ્ય સાધનો છે. thumb|એમટીસીની નવી વોલ્વો બસ ચેન્નઈ ઉપનગર રેલવે સ્ટેશન દેશના સૌથી જુના રેલવે નેટવર્કમાંનું એક છે, જેમાં ચાર બ્રોડગેજ રેલવે સેક્ટર છે જે શહેરના બે છેડા ચેન્નઈ સેન્ટ્રલ અને ચેન્નઈ બીચ ને એકબીજા સાથે જોડે છે. આ ટર્મિનલ પરથી ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ - આરાક્કોનામ - તીરુત્તાની, ચેન્નઈ સેન્ટ્રલ/ચેન્નઈ બીચ – ગુમ્મિદિપોંડી - સુલુરપેટા અને ચેન્નઈ બીચ – તાંબારામ - ચેનગાલપાટુ - તીરૂમાલપૂર(કાંચીપૂરમ) જવા માટે નિયમિત રૂપમાં ટ્રેન મળી રહી છે. ચોથું ક્ષેત્ર માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (એમઆરટીએસ) છે, જે અન્ય રેલ નેટવર્કની સાથે ચેન્નાઇ બિચને વેલાચેરીથી જોડે છે. ભૂગર્ભમાં મેટ્રો ટ્રેન બનાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએમટીસી)શહેરમાં વ્યાપક રૂપે બસ સેવા પૂરી પાડે છે. જેમાં કુલ 3262 બસો 627 રૂટોને આવરી લે છે, જેના દ્વારા રોજના 50 લાખ લોકો અવર જવર કરે છે. વાન્સ, નું લોકપ્રિય નામ મેક્સી કેબ 'શેર' ઓટો રીક્ષા પરિવહનનું પ્રચલિત માધ્યમ છે, જે બસનો વિકલ્પ પૂરો પાડે છે. મીટર ધરાવતી ટેક્ષી,ટુરીસ્ટ ટેક્ષી અને ઓટો રીક્ષા ભાડે મળે છે. ચેન્નઈનું પરિવહન માળખાનો વ્યાપ ઘણો વિશાળ છે, પરંતુ તેના વધુ ઉપયોગને કારણે ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાઓ વધી રહી છે. સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગ્રેડ સેપરેટર અને ફ્લાયઓવર બાંધ્યા છે. સૌપ્રથમ ફ્લાયઓવર જેમીની ફ્લાયઓવર છે જે 1973માં પ્રખ્યાત રોડ અન્ના સલાઈખાતે બાંધવામાં આવ્યો હતો. માધ્યમો ચેન્નઈમાં અખબારનું પ્રકાશન કરવાની શરૂઆત 1785માં સાપ્તાહિક ધ મદ્રાસ કુરીયર દ્વારા થઈ હતી. આ બાદ 1795માં ઘણા સાપ્તાહિકો જેવા કે ધ મદ્રાસ ગેઝેટ અને ધ ગવર્ન્મેન્ટ ગેઝેટ શરૂ થયા હતા. 1836માં ધ સ્પેક્ટેટર નું પ્રકાશ કરવામાં આવ્યું, જે ભારતીય માલિકી ધરાવતું અંગ્રેજી ભાષાનું પ્રથમ અખબાર હતું. આ અખબાર 1853માં શહેરનું પ્રથમ દૈનિક અખબાર બન્યું હતું. પ્રથમ તમિળ અખબાર 1899માં સ્વદેશમિત્રન શરૂ થયું હતું. ચેન્નઈમાંથી પ્રકાશિત થતા મુખ્ય અંગ્રેજી અખબારોમાં ધ હિન્દુ , ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ , ધ ડેક્કન ક્રોનિકલ અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ચેન્નઈમાં અખબાર શરૂ કર્યું છે. જ્યારં સાંધ્ય દૈનિકોમાં ધ ટ્રિનીટી મિરર અને ધ ન્યુઝ ટુડે નો સમાવેશ થાય છે. 2004માં ધ હિન્દુ શહેરનું સૌથી વધુ વંચાતું અંગ્રેજી અખબાર બન્યું હતું. હિન્દુનું તે વખતે દૈનિક વેચાણ 267,349 હતું. જ્યારે ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા અન્ય વ્યાપાર દૈનિક અખબારોમાં ધ ઈકોનોમીક ટાઈમ્સ , ધ હિન્દુ બિઝનેશ લાઈન , બિઝનેશ સ્ટાન્ડર્ડ અને ધ ફાયનાન્સિયલ એક્સપ્રેસ નો સમાવેશ થાય છે. મુખ્ય દૈનિક અખબારોમાં દિના થાનથી , દિનાકરન , દિના મની , દિના મલાર , તમિળ મુરાસુ , મક્કાલ કુરાલ અને મલાઈ મલાર અને અન્ય તેલુગુ દૈનિકોમાં ઈનાડુ, વાર્તા, આંધ્ર જ્યોતિ અને સાક્ષીનો સમાવેશ થાય છે. જો ઇનપુટ બોક્સમાં કોઇ ચેન્નાઇમાં દાખલ અને સબમિટ કરે છે તો સૂચિ પ્રદર્શિત થશે. જ્યારે સામૂહિક અખબારોમાં ધ અન્નાનગર ટાઈમ્સ અને ધ અધ્યાર ટાઈમ્સ ચોક્કસ વિસ્તારો માટે પ્રસિદ્ધ થાય છે. ચેન્નઈમાંથી પ્રસિદ્ધ થતા સામાયિકોમાં આનંદા વિકટન , કુમુદમ , કલ્કી , કુંગુમાન , "થુગ્લક",સ્વામી (તેલુગુ સામાયિક) , ફ્રન્ટલાઈન અને સ્પોર્ટસ્ટાર નો સમાવેશ થાય છે. દુરદર્શન ચેન્નઈમાં બે ટરેસ્ટ્રિઅલ ટેલિવિઝન ચેનલ અને બે સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ તેના 1974માં સ્થાપવામાં આવેલા ચેન્નઈ સેન્ટર પરથી ચલાવે છે. ખાનગી સેટેલાઈટ ચેનલોમાં સન ટીવી, રાજ ટીવી,ઝી તમિળ સ્ટાર વિજય, જયા ટીવી, મક્કલ ટીવી, વસંથ ટીવી અને કલાઈગર ટીવીનું ચેન્નઈમાંથી પ્રસારણ થાય છે. સન નેટવર્ક ભારતનું સૌથી મોટી બ્રોડકાસ્ટીંગ કંપનીઓમાંની એક છે, જેનું વડું મથક ચેન્નઈમાં છે. એસસીવી(SCV) અને હાથવે અહીંના મુખ્ય કેબલ ટીવી સર્વિસ કેબલ પ્રોવાઈડર છે, તો ડિરેક્ટ ટુ હોમ (ડીટીએસ(DTH)) સેવા અહીં ડીડી ડિરેક્ટ પ્લસ, ડિશ ટીવી, ટાટા સ્કાય, સન ડિરેક્ટ ડીટીએસ(DTH), રીલાયન્સ બીગ ટીવી અને ડિજિટલ ટીવી(એરટેલ-ભારતી) પુરી પાડે છે. ચેન્નઈ ભારતનું પ્રથમ એવું શહેર હતું, જેણે કેબલ ટીવી માટે કન્ડીશનલ એક્સેસ સિસ્ટમનો અમલ કર્યો હતો. 1930માં સ્થાપવામાં આવેલા રીપ્પોન બિલ્ડીંગ કોમ્પલેક્ષમાંથી રેડીયોનં પ્રસારણ શરૂ થયું હતું, જે બાદમાં 1938માં ઓલ ઈન્ડિયા રેડીયો ખાતે લઈ જવામાં આવ્યું હતું. શહેરમાં બે એમએમ(AM) અને 10 એફએમ(FM) રેડિયો સ્ટેશન છે, જેનું અન્ના યુનિવર્સિટી, ઓલ ઈન્ડિયા રેડિયો અને અન્ય ખાનગી બ્રોડકાસ્ટરો દ્વારા પ્રસારણ કરવામાં આવે છે. શિક્ષણ thumb|અન્ના યુનિવર્સીટીનો મુખ્ય દરવાજો ચેન્નઈની શાળાઓ મોટાભાગે તમિળનાડુ સરકાર અથવા ખાનગી સંચાલકો દ્વારા ચલાવવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે. અહીં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અથવા તમિળ હોય છે. મોટાભાગની શાળાઓ ધોરણ 10ની પરીક્ષાઓ આયોજીત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલા તમિળનાડુ સ્ટેટ બોર્ડસાથે જોડાયેલી હોય છે. જ્યારે કેટલી શાળાઓ એન્ગલો ઈન્ડિય બોર્ડ અથવા મોન્ટેસોરી પદ્ધતિની ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડ સાથે સંકળાયેલી હોય છે. શાળામાં ત્રણ વર્ષની ઉંમરે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં બે વર્ષ તેને બાલમંદિરમાં ભણાવવામાં આવે છે. ત્યારે બાદ પ્રાથમિક ધોરણમાં તે 10 વર્ષ ભણે છે અને બાદમાં તે માધ્યમિક શિક્ષણ મેળવે છે. આ બાદ વિદ્યાર્થીને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના બે વર્ષ વિજ્ઞાન અથવા વાણિજ્ય પ્રવાહમાં ભણવા પડે છે. આ બાદ જ તે વ્યવસાયિક અથવા સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે. શહેરમાં 1,389 શાળાઓ છે, જેમાંથી 731 પ્રાથમિક, 232 માધ્યમિક અને 426 ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે. ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઈઆઈટી મદ્રાસ(IIT Madras), ધ કોલેજ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના 1794માં કરવામાં આવી હતી. મદ્રાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના 1949માં કરવામાં આવી હતી, જે શહેરમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અભ્યાસ માટે જાણીતી છે. મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજો અન્ના યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. મદ્રાસ મેડિકલ કોલેજ(MMC), સ્ટેન્લી મેડિકલ કોલેજ (SMC), કિપાઉક મેડિકલ કોલેજ અને શ્રી રામચંદ્ર મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (SRMC) શહેરની નોંધપાત્ર તબીબી કોલેજો છે. વિજ્ઞાન, આર્ટ અને વાણિજય પ્રવાહની કોલેજો યુનિવર્સિટી ઓફ મદ્રાસ સાથે જોડાયેલી હોય છે, આ યુનિવર્સિટી શહેરમાં ત્રણ કેમ્પસ ધરાવે છે. કેટલીક કોલેજો જેમ કે મદ્રાસ ક્રિસ્ટીયન કોલેજ, લોયલા કોલેજ અને ધ ન્યુ કોલેજ સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓ છે. શહેરમાં સંશોધન સંસ્થાઓની સારી એવી હાજરી છે, જેમ કે સેન્ટ્રલ લેધર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CLRI), સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CEERI) અને ઈન્સ્ટીટ્યુટ ફોર ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ (IFMR).કોન્નેમારા પબ્લિક લાયબ્રેરી ચાર નેશનલ ડિપોઝીટરી સેન્ટરમાંની એક છે, જ્યાં ભારતમાંથી પ્રસિદ્ધ થતા બધા જ અખબારો અને પુસ્તકોની એક નકલ મેળવવામાં આવે છે. તેને યુનેસ્કો (UNESCO) માહિતી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. | રમત ગમત thumb|left|300px|જવાહરલાલ નેહરૃ સ્ટેડીયમમાં સોકર અને એથલેટીક સ્પર્ધાનું આયોજન થાય છે. ક્રિકેટ અહીંની સૌથી લોકપ્રિય રમત છે. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (MAC), ચેપોક એ ભારતના સૌથી જુના સ્ટેડીયમો પૈકીનું એક છે. આઈઆઈટી (IIT) મદ્રાસ કેમ્પસ માં આવેલું ચેમ્પ્લાસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો યોજે છે. આ ઉપરાંત 2011ના વિશ્વ કપ માટે એક આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નઈ નજીક બાંધવાનું આયોજન છે. શહેર તરફથી જાણીતા ક્રિકેટરોમાં ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની એસ.વેંકટરાઘવન અને ક્રિસ શ્રીકાંત છે. ચેન્નઈમાં આવેલી ક્રિકેટ ઝડપી બોલિંગ એકેડેમી એમઆરએફ(MRF) પેસ ફાઉન્ડેશનના કોચમાં બોબ સિમ્પસન અને ડેનિસ લીલી જેવાનો સમાવેશ થાય છે. ચેન્નઈ ઈન્ડિયન પ્રિમિયર લીગની ક્રિકેટ ટીમ ચેન્નઈ સુપર કિંગસધરાવે છે. ચેન્નઈ ઈન્ડિયન ક્રિકેટ લીગની ટીમ ચેન્નઈ સુપરસ્ટાર્સ પણ ધરાવે છે. thumb|right|300px|એસડીએટી ટેનિસ સ્ટેડિયમ કોમ્પલેક્ષ ખાતે સેન્ટર કોર્ટમાં ચેન્નઈ ઓપનનું આયોજન થાય છે. મેયર રાધાક્રિષ્ણન સ્ટેડીયમને ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા તેની આધુનિક સવગડોને કારણે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક સ્ટેડીયમ ગણાવ્યું છે. શહેર પ્રિમિયર હોકી લીગ (પીએચએલ(PHL))ની ચૈન્નાઈ વિરન્સ ટીમ ધરાવે છે. શહેરમાં હોકીની ઘણી ટુર્નામેન્ટો જેવી કે એશિયા કપ અને પૂરૂષો માટેની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થાય છે. ચેન્નઈએ ઘણા લોકપ્રિય ટેનિસ ખેલાડીઓ આપ્યા છે જેમ કે વિજય અમૃતરાજ અને રમેશ ક્રિષ્ણન તેમજ ચેન્નઈમાં એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP), ચેન્નઈ ઓપન, એટીપી(ATP) વર્લ્ડ ટૂર 250 સિરીઝનું આયોજન થાય છે, જે દેશની એકમાત્ર (ATP) ટુર્નામેન્ટ છે. ફૂટબોલ અને એથ્લેટીક સ્પર્ધાઓનું આયોજન જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમમાં થાય છે. અહીં વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસની રમતો પણ રમાય છે. જ્યારે વોટર સ્પોર્ટસનું આયોજન વેલચેરી એક્વાટીક કોમ્પલેક્ષ ખાતે થાય છે. ચેન્નઈમાં 1995માં દક્ષિણ એશિયન ગેમ્સ (SAF Games)નું આયોજન થયું હતું. ચેન્નઈ આઝાદી બાદથી ઓટો રેસિંગમાં પણ આગવું સ્થાન ધરાવે છે. મોટર રેસિંગ ઈવેન્ટ માટે ઈરૂંગટ્ટુકોત્તાઈ ખાતે શ્રીપેરૂમ્બુદુર ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન માટે કરવામાં આવે છે. ઘોડદોડ પણ ગુઈન્ડી રેસ કોર્સ ખાતે યોજાય છે, જ્યારે રોવિંગ સ્પર્ધા મદ્રાસ બોટ કલબખાતે થાય છે. શહેરમાં 18 હોલ ધરાવતા બે ગોલ્ફના મેદાન છે. જેમાંકોસ્મોપોલિટન કલબ અને જીમખાના કલબનો સમાવેશ થાય છે, બન્નેની સ્થાપના 19મી સદીના અંતમાં થઈ હતી. ચેસની રમતનો વિશ્વ વિજેતા વિશ્વનાથ આનંદચેન્નઈમાં મોટો થયો છે. ચેન્નઈમાંથી અન્ય એથલેટ્સમાં શરથ કમલ અને બે વખત કેરમ વિશ્વ વિજેતા મારીયા ઈરૂદયામનો સમાવેશ થાય છે. શહેરમાં રગ્બી યુનિયનની ટીમ છે જેને ચેન્નઈ ચિત્તાહના નામે ઓળખાય છે. કૉન્સ્યુલટ્સ અને સિસ્ટર સીટી ચેન્નઈમાં હાલમાં રહેલા કોન્સ્યુલટ, એમ્બેસી, અને રાજદુતાલયોની યાદી: ઓસ્ટ્રિયન કૉન્સ્યુલટ બેલ્જિયમ કૉન્સ્યુલટ બ્રિટિશ હાઈકમિશન ચીલી કૉન્સ્યુલટ કેનેડિયન કૉન્સ્યુલટ ચેક રીપબ્લિકનું કૉન્સ્યુલટ ડેનિસ કૉન્સ્યુલટ ફિનલેન્ડ કૉન્સ્યુલટ ફ્રેન્ચ કૉન્સ્યુલટ જર્મન કૉન્સ્યુલટ ગ્રીસ કૉન્સ્યુલટ હંગેરી કૉન્સ્યુલટ આઈસલેન્ડ કૉન્સ્યુલટ ઈન્ડોનેશિયન કૉન્સ્યુલટ ઈટાલીનું કૉન્સ્યુલટ જાપાનીઝ કૉન્સ્યુલટ દક્ષિણ કોરિયા કૉન્સ્યુલટ કઝાખિસ્તાન કૉન્સ્યુલટ લક્ઝમબર્ગ કૉન્સ્યુલટ મલાવિયન કૉન્સ્યુલટ મલેશિયન કૉન્સ્યુલટ માલદિવિયન કૉન્સ્યુલટ મોરેશિયસ કૉન્સ્યુલટ ન્યુઝીલેન્ડ કૉન્સ્યુલટ નેધરલેન્ડ કૉન્સ્યુલટ નોર્વેઝીયન કૉન્સ્યુલટ ફિલિપાઈન્સ કૉન્સ્યુલટ રશિયન ફેડરેશન કૉન્સ્યુલટ સર્બિયન કૉન્સ્યુલટ સિંગાપૂર કૉન્સ્યુલટ સ્પેનનું કૉન્સ્યુલટ શ્રીલંકન હાઈકમિશન સ્વીડનનું કૉન્સ્યુલટ સ્વીત્ઝલેન્ડનું કૉન્સ્યુલટ તુર્કીશ કૉન્સ્યુલટ-જનરલ તુ્કમેન મહાવાણિજ્યદૂતાવાસ યુએસ કૉન્સ્યુલટhttp://chennai.usconsulate.gov ચેન્નઈને વિશ્વના કેટલાક શહેરો સાથે ગાઢ સંબંધ છે. Country City State / Region Since United States 25px|link=Special:FilePath/Sanantonioseal.jpeg San Antonio 25px Texas! style="background:white; color:black;" ! 2007 Germany 25px Frankfurt 25px Hesse! style="background:white; color:black;" ! 2005. Egypt 25px Cairo 25px Cairo Governorate! style="background:white; color:black;" ! 2000. United States 25px Denver 25px Colorado! style="background:white; color:black;" ! 1984 Russia 25px Volgograd 25px Volgograd Oblast 1966 વધુ જૂઓ તમિળનાડુ ચેન્નઈનો ઇતિહાસ ચેન્નઈમાં પ્રવાસન ચેન્નઈ ઉપનગર રેલવે ચેન્નઈનો વિસ્તાર ચેન્નઈમાં પાણી પુરવઠો નોંઘ વધુ વાંચન બાહ્ય કડીઓ ચેન્નઇ જિલ્લાનું સત્તાવાર વેબસાઇટ ચેન્નઇ મહાનગરપાલિકાનું અધિકૃત વેબસાઇટ ெசன்ைன - வரலாற்று நிகழ்வுகள் (ચેન્નઈ ઐતિહાસિક પ્રસંગો) 1639 - 1988 શ્રેણી:ભારતનાં મહાનગરો શ્રેણી:ચેન્નઈ જિલ્લો શ્રેણી:તમિલનાડુ
રમેશ પારેખ
https://gu.wikipedia.org/wiki/રમેશ_પારેખ
રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું. જીવન રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયા, ચાંદની સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ. ૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. સર્જન રમેશ પારેખ તેમના ગીતો માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી વધુ જાણીતા છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યાં (૧૯૭૦) ની પ્રશંસા થઇ હતી. ખડિંગ (૧૯૭૯) તેમનો બીજો કાવ્ય સંગ્રહ છે જેણે અનેક પુરસ્કારો મળ્યા હતા. તેમના અન્ય કાવ્ય સંગ્રહો; ત્વ (૧૯૮૦), સનનન (૧૯૮૧), ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫), મીરાં સામે પાર (૧૯૮૬) અને વિતાન સુદ બીજ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ છ અક્ષરનું નામ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઇ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઇ હતી. લે, તિમિર! સૂર્ય (૧૯૯૫), છાતીમાં બારસાખ (૧૯૯૮‌), ચશ્માંના કાચ પર (૧૯૯૯) અને સ્વગતપર્વ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. કાલ સાચવે પગલા (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. સ્તનપૂર્વક (૧૯૮૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં સગપણ એક ઉખાણું (૧૯૯૨), સૂરજને પડછાયો હોય (૨૦૦૨) અને રમૂજી નાટક તરખાટનો સમાવેશ થાય છે. તેમના નિબંધ સંગ્રહો હોંકારો આપો તો કહું (૧૯૯૪), ચાલો એકબીજાને ગમીએ (૨૦૦૧), સર્જકના શબ્દને સલામ (૨૦૦૨) છે. તેમણે ગિરા નદીને તીર (૧૯૮૯) કાવ્ય સંગ્રહ અને આ પડખું ફર્યો લે! (૧૯૮૯) ગઝલ સંગ્રહનું સંપાદન કર્યું હતું. બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમના બાળ કવિતા સંગ્રહો હાઉક (૧૯૭૯), ચીં (૧૯૮૦), દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા (૧૯૮૮, સચિત્ર), ચપટી વગાડતા આવડી ગઇ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તા સંગ્રહો હફરફ લફરફ (૧૯૮૬), દે તાલ્લી (૧૯૭૯), ગોર અને ચોર (૧૯૮૦), કુવામા પાણીનું ઝાડ (૧૯૮૬) અને જંતર મંતર છુ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ જાદુઇ દીવો અને અજબ ગજબનો ખજાનો છે. પારિતોષિકો ૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો. ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો. ૧૯૮૨-૮૩માં નસીબની બલિહારી ચલચિત્ર અને ૧૯૯૩-૯૪માં માનવીની ભવાઇ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડમાં મળ્યો હતો. અંગત જીવન ૧૯૭૨માં તેમના લગ્ન રસિલાબેન સાથે થયા હતા. તેમની પુત્રી નેહાનો જન્મ ૧૯૭૪માં અને પુત્ર નિરજનો જન્મ ૧૯૭૫માં થયો હતો. સંદર્ભ પૂરક વાચન બાહ્ય કડીઓ ગુજરાતીસાહિત્યપરિષદ.કોમ પર પરિચય અધિકૃત વેબસાઇટનો સંગ્રહ શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:કુમાર સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:૧૯૪૦માં જન્મ શ્રેણી:૨૦૦૬માં મૃત્યુ
પાલનપુર
https://gu.wikipedia.org/wiki/પાલનપુર
પાલનપુર એ એક શહેર અને બનાસકાંઠા જિલ્લામાં આવેલ નગરપાલિકા છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે. નામ પાલનપુર પહેલાં પ્રહલાદન પાટણ કહેવાતું હોવાનું અને ચંદ્રાવતીના પરમાર વંશના ધારાવર્ષદેવ પરમારના ભાઇ પ્રહલાદનદેવ દ્વારા ઇ.સ. ૧૧૮૪ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. તેની સ્થાપના વિક્રમ સંવતની સ્થાપના (ઇસ પૂર્વે ૫૭)ના ૨૦૦ વર્ષ પૂર્વે થઇ હોવાનું પણ મનાય છે. ત્યારબાદ ચૌદમી સદીમાં પાલનપુર પાલનશી ચૌહાણ દ્વારા ફરી વસાવાયું અને હાલનું નામ મેળવ્યું. બીજી વાયકા મુજબ તે પાલ પરમાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના ભાઇ જગદેવે નજીકનું જગાણા ગામ સ્થાપ્યું હતું. ઇતિહાસ પાલનપુર સૌપ્રથમ પરમાર વંશના પ્રહલાદન નામના રાજપૂત દ્વારા સ્થાપવામાં આવ્યું એવું મનાય છે. પાલનપુરનો વિસ્તાર તેમને તેમના ભાઇ દ્વારા, કે જેઓ અત્યારના માઉન્ટ આબુના શાસક હતા, વડે ભેટ આપવામાં આવ્યો હતો. પાલનપુર આ કારણે પ્રહલાદનપુર તરીકે જાણીતું હતું. જૈન ઇતિહાસમાં પણ પાલનપુરને પ્રહલાદનપુર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પાલનપુર પાછળથી બ્રિટિશ રાજનો ભાગ બન્યું. એક સમયે આ શહેરની ફરતે મજબૂત કિલ્લે બંદી કરેલી હતી, તેને સાત દરવાજા હતા. આ દરવાજાઓમાં માત્ર મીરાં દરવાજો અત્યારે (હયાત) પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. માત્ર આ દરવાજાઓ દ્વારા જ આવાગમન શક્ય હતું. સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ નો જન્મ પાલનપુરમાં થયો હતો એવું મનાય છે. પાલનપુરનું રજવાડું thumb|right|પાલનપુર રજવાડાનો ધ્વજ અફઘાનોની લોહાની (હેતાણી અથવા બિહારી પઠાણ) જાતિના રજવાડાની પાલનપુર બેઠક (રાજધાની) હતી. તે રાજઘરાનાનો પૂર્વ ઇતિહાસ ઉપલબ્ધ નથી પણ, લગભગ ૧૬મી શતાબ્દી તેઓ ભારતમાં જ રહ્યાં છે. કહેવાય છે કે આ કુટુંબના મોભી મોગલ રાજા અકબરની અપર બહેનને પરણ્યા હતાં અને પાલનપુર તથા આસપાસનું ક્ષેત્ર દહેજમાં મેળવ્યું હતું. ઔરંગઝેબ પછીના અંધાધૂંધીના કાળમાં (૧૮મી શતાબ્દી) આ રજવાડું મહત્ત્વ પામ્યું. ત્યાર બાદ થોડાં જ સમયમાં તે રાજ્ય મરાઠાઓ દ્વારા સર કરી લેવાયું અને અન્ય પાડોશીની જેમ લોહાનીઓએ પણ ૧૮૧૭માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાબેદાર રાજવટ નીતિ સ્વીકારી. આ રજવાડાનું ક્ષેત્ર ૧૭૬૬ ચો.કિમી. (૬૮૨ ચો.માઈલ) અને ૧૯૦૧માં વસ્તી ૨,૨૨,૬૨૭ હતી. પાલનપુર નગરની વસ્તી તે સમયે માત્ર ૮,૦૦૦ હતી. દર વર્ષે રાજ્યની રૂ. ૫૦,૦૦૦ની આવક હતી અને તે વડોદરાના ગાયકવાડ રાજાને રૂ ૨૫૬૪નું સાલિયાણું ભરતું. રાજપીપળા માલવાની રેલ્વે લાઈન પર તે મહત્વનું સ્થાનક હતું અને ડીસાની બ્રિટીશ છાવણીનો સમાવેશ કરતું. ઘઉં, ચોખા અને શેરડી તેનો મુખ્ય પાક હતો. સાબરમતી નદીના નીરથી આ રાજ્યની ઉત્તર તરફ (આજનું જેસોર અભયારણ્ય) ગીચ જંગલ હતાં પણ દક્ષિણે અને પૂર્વે ખડકાળ અને ખુલ્લા પ્રદેશ હતાં. અરવલ્લી પર્વતની કોર પર આવેલ હોવાથી તે રાજ્ય મહદ અંશે ખડકાળ હતું. આ શહેર ફૂલોના બગીચાઓ માટે પણ પ્રખ્યાત હતું અને તેના અત્તરોની દેશ-વિદેશમાં ભારે માંગ રહેતી હતી. પાલનપુર એજન્સી thumb|right|200px|પાલનપુર એજન્સીનો નકશો એક રાજનીતિ એજન્સીને પણ પાલનપુરે પોતાનું નામ આપ્યું હતું, જે આજના ગુજરાત અને રાજસ્થાનના સીમાકીય પ્રદેશના રજવાડાઓનું જૂથ હતું. તેમાં ૧૭ રજવાડાં હતાં જેઓ ૧૬,૫૫૮ ચો.કિમી (૬,૩૯૩ ચો માઈલ) વિસ્તારમાં પથરાયેલાં હતાં અને ૧૯૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે તેની વસ્તી ૪,૬૭,૨૮૧ હતી. ભૂગોળ પાલનપુર પર આવેલું છે. તેની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ છે. તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને અરવલ્લીની વચ્ચેના નીચાણવાળા વિસ્તારમાં વસેલું છે અને અરવલ્લી પર્વતમાળાની શરૂઆત પાલનપુર નજીકથી થાય છે. વાતાવરણ દરિયાકિનારાથી દૂર આવેલું હોવાથી પાલનપુરનું વાતાવરણ વિષમ રહે છે. અહીંનો ઉનાળો ગરમ પવનો અને મહત્તમ ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથેનો છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં તાપમાન લઘુત્તમ ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે. વાર્ષિક વરસાદ ૫૧૩ મિમી જેટલો છે. પરિવહન બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તે અન્ય શહેરો સાથે માર્ગ અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલ છે. thumb|પાલનપુર રેલ્વે સ્ટેશન, ૧૯૫૨ રેલ્વે રાજપૂતાના-માળવા રેલમાર્ગનો ફાંટો પાલનપુરથી આબુ ઇ.સ. ૧૮૭૯માં, ડીસા-પાલનપુરને જોડતો રેલ્વે માર્ગ ૧૮૯૩માં અને ડીસા-કંડલા રેલ્વે માર્ગ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો. પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન, જયપુર-અમદાવાદ લાઇન પર આવેલું છે, જે પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. તે ચેન્નાઇ, થિરૂઅનંતપુરમ, મૈસુર, બેંગ્લોર, પુને, મુંબઈ, જયપુર, જોધપુર, દિલ્હ, દહેરાદૂન, મુઝફ્ફરનગર, બરૈલી અને જમ્મુ સાથે સીધી લાઇનમાં જોડાયેલ છે. તે ગુજરાતમાં મોટાભાગના શહેરો સાથે જોડાયેલ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદરનો સમાવેશા થાય છે. પાલનપુર અને સામખીયાળી વચ્ચેની બ્રોડગેજ લાઇનનો પ્રસ્તાવ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ થશે. માર્ગ બિયાવરને રાધનપુરથી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪ ડીસા-પાલનપુર થઇને પસાર થાય છે, જે પાલી, શિરોહી અને આબુ રોડને પાલનપુર સાથે જોડે છે. રાજ્ય ધોરી માર્ગ SH ૭૧૨ અને SH ૧૩૨ પાલનપુર થઇને પસાર થાય છે પાલનપુરને નજીકના શહેરો સાથે જોડે છે. રાજ્યનો SH ૪૧ મહેસાણા અને અમદાવાદને જોડે છે. હવાઇમાર્ગ સૌથી નજીકનું હવાઇ મથક ડીસા હવાઇ મથક છે, જે પાલનપુર રજવાડાં માટે બનાવવામાં આવેલું હતું. તે પાલનપુર થી ૨૬ કિમી દૂર આવેલું છે. નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઇ મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, અમદાવાદ છે, જે પાલનપુર શહેરથી ૧૩૯ કિમી દૂર છે. વસ્તી પાલનપુર શહેર અને પરાં વિસ્તારોની કુલ વસ્તી ૧,૪૧,૫૯૨ છે. આ વિસ્તાર પાલનપુર શહેર અને લક્ષ્મીપુરા પરાંનો સમાવેશ કરે છે. કુલ વસ્તી પુરુષો સ્ત્રીઓ બાળકો(૬ વર્ષથી નાના) સાક્ષરતા દર પુરુષ સાક્ષરતા સ્ત્રી સાક્ષરતા ૧,૪૧,૫૯૨ ૭૪૦૮૮ ૬૭૫૦૪ ૧૪૫૦૮ ૮૪.૪૬ ૯૧.૮૧ ૭૬.૪૭ સ્થાનિક લાક્ષણિકતાઓ જોવાલાયક સ્થળો thumb|જોરાવર પેલેસ, ૧૯૩૬ thumb|મીરાં દરવાજો, શહેરના કોટ દરવાજાઓમાંથી બાકી રહેલો એક માત્ર દરવાજો ૧૭૫૦માં (સંવત ૧૮૦૬)માં બહાદુર ખાને શહેરની ફરતે દિવાલ "નગરકોટ" બંધાવી હતી. તે ૩ માઇલ પરિઘ ધરાવતી હતી તેમજ સાત દરવાજાઓ સાથે ૧૭ થી ૨૦ ફીટ ઉંચી અને ૬ ફીટ પહોળી હતી. ખૂણાઓ પર શસ્ત્રો સાથેના ગોળાકાર મિનારાઓ હતા. આ દિવાલને સાત દરવાજાઓ, દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, માલણ દરવાજો, વીરબાઇ દરવાજો, સલેમપુરા દરવાજો, સદરપુર અથવા શિમલા દરવાજો ‍(નવો દરવાજો) અને કમાલપુરા દરવાજો હતા. માત્ર મીરાં દરવાજો હજી સુધી હયાત છે. શેર મહંમદ ખાને ૧૯૧૦માં રાજા જ્યોર્જ પાંચમાંના દિલ્હી દરબારમાં હાજરી આપી હતી અને તેમણે જ્યોર્જ પાંચમાંના નામ પરથી ૧૯૧૩માં ક્લબ બંધાવી. ૧૯૧૮માં તેમના પછીના શાસક તાલે મહંમદ ખાને રેલ્વે સ્ટેશનની નજીક કીર્તિ સ્તંભ બંધાવ્યો. જે ૨૨ મીટર ઊંચો છે. આ મિનારામાં તેમના પિતાની કિર્તી અને પાલનપુર અને તેમના વંશના ઈતિહાસનું વર્ણન છે. તેમણે ૧૯૨૨ થી ૧૯૩૬ની વચ્ચે બાલારામ પેલેસ પણ બંધાવ્યો અને પછી જોરાવર પેલેસ બંધાવ્યો (જે હાલમાં કોર્ટ તરીકે વપરાય છે). તેમણે જહાંનારા બાગ (હાલમાં શશિવન) બંધાવ્યો, જે તેમના ઓસ્ટ્રેલિયાના વેપારીની દિકરી સાથેના બીજાં લગ્નની ઉજવણીમાં બાંધવામાં આવ્યો હતો. જૂના બજારો જેવાકે નાની બજાર, મોટી બજાર અને ઢાળવાસ છે. ચમન બાગ અને શશીવન શહેરમાં આવેલા મુખ્ય બગીચાઓ છે. જાલોરી શાસક મલિક મુઝાહિદ ખાને તેની રાણી માનબાઇ જાડેજાની યાદમાં ૧૬૨૮માં માનસરોવર બંધાવ્યું હતું. જેસોર રીંછ અભયારણ્ય કે જે આળસુ રીંછ સહિત લુપ્ત થવાને આરે ઊભેલી અન્ય પ્રજાતિઓ જેમકે દીપડો, સુવર (જંગલી બોઅર), શાહૂડી (પોર્ક્યુપાઈન) આદિનું આશ્રય સ્થાન છે. તે ૧૮૦ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે અને પાલનપુરથી ૪૫ કિમી દૂર છે. મંદિરો પાલનપુરમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરો છે. સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ શિવને સમર્પિત પાતાળેશ્વર મંદિર બંધાવ્યું હતું. બીજા મંદિરોમાં લક્ષ્મણ ટેકરી મંદિર, મોટા રામજી મંદિર, અંબાજી માતા મંદિરનો સમાવેશ થાય છે. મુખ્ય જૈન મંદિરોમાં મોટું દેરાસર અને નાનું દેરાસર છે. પલ્લવિયા પાર્શ્વનાથ મંદિર, જે મોટા દેરાસર તરીકે ઓળખાય છે, તે રાજા પ્રહલાદ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ દેરાસર પાર્શ્વનાથને સમર્પિત છે. બાલારામ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર પાલનપુરથી ૨૦ કિમી દૂર આવેલું છે. અંબાજીનું પ્રખ્યાત મંદિર અહીંથી ૫૦ કિમી દૂર છે. પ્રખ્યાત વ્યક્તિઓ પાલનપુર હીરાના ઉધોગમાંના મોટાભાગના લોકોની જન્મભૂમિ પણ છે. ભારતની આધુનિક હીરા તરાશની ઉધોગની સ્થાપના પાલનપુરી જૈન કુટુંબોએ કરી, જેમણે ૧૯૦૯માં પોતાના ગામડાને ગરીબીમાંથી ઉગારવા આ ઉધોગ પસંદ કર્યો. અંતરીયાળ વિસ્તારમાં આવેલ હોવાથી પાછળથી તેમણે પોતાનો ધંધો મુંબઈ અને પછી સુરતમાં વિકસાવ્યો. તેમ છતાં આજે પણ તેઓ માતૃભૂમિ સાથે નજીકથી જોડાયેલા છે. આજે પણ ભારતીય હીરા ઉધોગ જે મોટે ભાગે આભૂષણો માટે હીરા તરાશે છે, તેમાં પાલનપુરી જૈનોની બહુમતી છે. ભારત અને એન્ટવર્પની મોટાભાગની હીરા ઉધોગની માલિકી પાલનપુર મૂળવતન ધરાવતાં લોકો પાસે છે. હીરવિજયસૂરી - જૈન શ્વેતાંબર પરંપરાના તપ ગચ્છ સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ. ભરત શાહ - બોલીવુડ ફિલ્મ નિર્માતા. બી. કે. ગઢવી - કોંગ્રેસ પક્ષના પૂર્વ સચિવ, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય કક્ષાના માજી નાણાંમંત્રી, ભારત સરકાર. કાલિદાસ નરશીદાસ કર્ણાવત - કર્ણાવત સ્કૂલ, કર્ણાવત છાત્રાલય, બ.કા.મર્કે.કો.ઓપ. બેંક તથા બ્રહ્મપુરી આશ્રમ જેવી સંસ્થાઓની સ્થાપના. પ્રણવ મિસ્ત્રી - સંશોધક. સૈયદ બંધુઓ - ફોટોગ્રાફી. સાહિત્યકારો પાલનપુરમાં અનેક નામી સાહિત્યકારો થઇ ગયા છે. ચંદ્રકાંત બક્ષી અનવરમિંયા કાજી શૂન્ય પાલનપુરી સૈફ પાલનપુરી અમર પાલનપુરી આગમ પાલનપુરી મુસાફિર પાલનપુરી બાગી પાલનપુરી ખામોશ પાલનપુરી સૂફી પાલનપુરી છબીઓ પાલનપુર તાલુકો પાલનપુર શહેર પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં આશરે ૧૧૦ જેટલાં ગામોનો સમાવેશ થાય છે. આ પણ જુઓ પાલનપુરી બોલી કિર્તી સ્થંભ સંદર્ભ બાહ્ય કડીઓ Category:ગુજરાતનાં શહેરો અને નગરો Category:ગુજરાતનાં તાલુકા મથકો Category:પાલનપુર તાલુકો શ્રેણી:પાલનપુર
રઘુવીર ચૌધરી
https://gu.wikipedia.org/wiki/રઘુવીર_ચૌધરી
રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. જીવન thumb|૪૭મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદમાં રઘુવીર ચૌધરી તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા. સર્જન મુખ્ય કૃતિઓ નવલકથા પૂર્વરાગ (૧૯૬૪)ગુજરાતી સાહિત્ય સભા મુજબ "અમૃતા" એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી. અમૃતા (૧૯૬૫) પરસ્પર (૧૯૬૯) ઉપરવાસ (૧૯૭૫) રૂદ્રમહાલય (૧૯૭૮) પ્રેમઅંશ (૧૯૮૨) ઇચ્છાવર (૧૯૮૭) વાર્તા સંગ્રહો આકસ્મિક સ્પર્શ (૧૯૬૬) ગેરસમજ (૧૯૬૮) બહાર કોઈ છે (૧૯૭૨) નંદીઘર (૧૯૭૭) અતિથિગૃહ (૧૯૮૮) કવિતા તમસા (૧૯૬૭, ૧૯૭૨) વહેતાં વૃક્ષ પવનમાં ઉપરવાસયત્રી નાટક અશોકવન (૧૯૭૦ ઝુલતા મિનારા (૧૯૭૦) સિકંદરસાની (૧૯૭૯) નજીક એકાંકી ડિમલાઇટ (૧૯૭૩) ત્રીજો પુરુષ (૧૯૮૨) વિવેચન અદ્યતન કવિતા વાર્તાવિશેષ દર્શકના દેશમાં જયંતિ દલાલ મુક્તાનંદની અક્ષર આરાધના રેખાચિત્રો સહરાની ભવ્યતા (૧૯૮૦) તિલક પ્રવાસ વર્ણન બારીમાંથી બ્રિટન ધર્મચિંતન વચનામૃત અને કથામૃત સંપાદન સ્વામિનારાયણ સંતસાહિત્ય નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય સન્માન કુમાર સુવર્ણ ચંદ્રક ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫) - અમૃતા માટે. નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૫) - તિલક કરે રઘુવીર માટે. નોંધ સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાતી સાહિત્ય પરિષદ પર રઘુવીર ચૌધરીનો પરિચય શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:કુમાર સુવર્ણચંદ્રક વિજેતા શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો
ઉંઝા
https://gu.wikipedia.org/wiki/ઉંઝા
ઉંઝા કે ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું નગર અને તે તાલુકાનું મુખ્યમથક છે. ઉંઝા નગરપાલિકા છે. વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનો સરેરાશ સાક્ષરતા દર ૭૭% છે. મહત્વના સ્થળો thumb|ઉમિયા માતાજીનું મંદિર ઉંઝાનું માર્કેટયાર્ડ - એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ. ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા - પટેેેલ સમાજના કુળદેવીનું મંદિર. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો શ્રેણી:ઉંઝા તાલુકો
વલસાડ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/વલસાડ_જિલ્લો
વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે. ભૂગોળ ભૌગોલીક સ્થાન ૨૦.૮ થી ૨૧.૯ ઉ.અક્ષાંશ ૬૨.૩૯ થી ૭૩.૩૦.૫ રેખાંશ તાલુકાઓ વલસાડ જિલ્લાના છ તાલુકા છે. વલસાડ પારડી વાપી ઉમરગામ કપરાડા અને ધરમપુર. આ છ તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે. સરહદ અત્રેના જિલ્લાના વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે. વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪) પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે. પર્વતો પારનેરા નદીઓ ઔરંગા પાર દમણગંગા કોલક વરસાદ ૩૧૩૧ મી.મી. હવામાન વધુમાં વધુ ૩૫ સે. થી ૪૧ સે. ઓછામાં ઓછુ ૧૨ સે. થી ૧૫ સે. ઉદ્યોગ આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ૬૦ કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે. જિલ્લાની સામાન્ય રૂ૫રેખા રેલ્વે ૭૫ કિ.મી. રસ્તા‍ રાજય ધોરીમાર્ગ - ૩૭૨ કિ.મી. પંચાયત માર્ગ - ૨૬૦૫.૯૪ કિ.મી પાકા, ૨૪૨.૭૯ - કિ.મી. કાચા ઇતિહાસ ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓ પ્રવેશ્યા હતા. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો "ખેડ સત્યાગ્રહ" અથવા ઘાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે. વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે. આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે. ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે. પૂર્વમાં સહ્યાદ્રિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે. વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં સાંઇબાબા મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત સરકારના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તેમ જ કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહ્યાદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે. ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે. આબોહવા શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી. ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી. ચોમાસુ - જૂન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી. જોવાલાયક સ્‍થળો તિથલ ઉદવાડા વિલ્સન હીલ, ધરમપુર: ધરમપુર થી લગભગ ૩૦ કી.મી. દુર આવેલ પંગારબારીથી ૬૭૬.૧૮ ની ઉચાઇએ આવેલ વિલ્સન હીલ હવા ખાવાનાં સ્થળ તરીકે વિકસી રહયું છે. ૧૯૨૮માં અહી અંગ્રેજ ગર્વનર વિલ્સનની મુલાકાત વખતે આકર્ષક છત્રી અને એમની પ્રતિમાં મુકી આ સ્થળને વિલ્સનહીલ નામ અપાયું હતું. આજે એ પ્રતિમા ધરમપુરનાં સંગ્રહાલયમાં રાખવામાં આવેલી છે. અહીંથી દેખાતું સૂર્યાસ્તનું દૃષ્ય જોવા માટે સહેલાણીઓ આવે છે. પારનેરા ડુંગર ધરાસણા પારડી પલસાણા: પારડીનું અન્ય નામ કિલ્લા પારડી છે. જે ૧૬ મી સદીમાં બનેલા કિલ્લાને કારણે પ્રખ્યાત છે. નજીકનાં દમણમાં પોર્ટુગીઝોનાં અમલનાં વખતમાં પારડી એક મહત્વનું સરકારી થાણું હતું. નજીકના પલસાણા ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર અને પાણીનાં કુંડ આવેલા છે. અને અહી શિવરાત્રી પ્રસંગે મેળો ભરાઈ છે. આઝાદી પછી ખેડ સત્યાગ્રહને કારણે પણ આ ગામ જાણીતું છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર: ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ધરમપુર તાલુકા ખાતે, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા સંચાલિત એવું આ કેન્દ્ર ૨૭ એપ્રિલ, ૧૯૮૪નાં રોજ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું. આ કેન્દ્ર દ્વારા કુદરતી અને પર્યાવરણ વિષયક સાચવણી અને આ વિસ્તારનો સાંસ્કૃતિક વારસો સાચવવા જેવા વિષય પર ભાર મુકાયો છે. યુવાનો અને મહીલાઓમાં રચનાત્મક અને સર્જનાત્મક કૌશલ્યો કેળવીને રોજગારલક્ષી તાલીમ આપીને રાષ્ટ્રનો સાંસ્કૃતિ વારસો જાળવી રાખવા અને તેમનું જતન કરવું તથા વૈજ્ઞાનિક રીત ભાત શીખવવી એ આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે. આ કેન્દ્ર ખાતે બાળ પુસ્તકાલય, બાળ ઉદ્યાન, બાળકો માટેનું મીની થીયેટર તથા રમકડાનો વર્કશોપ આકર્ષક છે. રાજકારણ વિધાન સભા બેઠકો |} સંદર્ભ બાહ્ય કડીઓ વલસાડ જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
દુનિયાની પ્રાચીન સાત અજાયબીઓ
https://gu.wikipedia.org/wiki/દુનિયાની_પ્રાચીન_સાત_અજાયબીઓ
દુનિયાની સાત અજાયબીઓ એટલે કે પ્રાચીન સાત અજાયબીઓ. એમાં માનવ ઇતિહાસની યશગાથા સંકળાયેલી છે અને માનવ શ્રમની મઘુર યાદો જોડાયેલી છે. એનો હેતુ તે જમાનાના પ્રવાસીઓને પ્રખ્યાત જગાઓની યાદી આપવાનો અને પ્રવાસ માટે પ્રેરવાનો હતો.આ પ્રાચીન સાત અજાયબીઓની યાદી ગ્રીક સેનાપતિ એન્ટિપેટરે બનાવેલ,જે મોટાભાગે ગ્રીક સંસ્કૃતિનો જ્યાં પ્રભાવ હતો તેવા ભૂમધ્ય સાગરની આસપાસના વિસ્તારમાંજ આવેલ હતી. thumb|center|250px સાત પ્રાચિન અજાયબીઓ અજાયબી બાંધકામ સમય બનાવનાર નોંધવાલાયક મૂદ્દાઓ પતન સમય પતનનું કારણ ગીઝાનો મહાન પિરામિડ૨૫૮૪-૨૫૬૧ ઇ.પૂ. ઇજીપ્શ્યન પ્રાચિન ઇજીપ્તના ચોથા રાજવંશી ફારાઓહ (રાજા)ની કબર માટે બાંધવામાં આવેલ. હયાત --- બેબીલોનનાં ઝુલતા બગીચા૫૬૨ ઇ.પૂ. બેબીલોનીયન્સ આ બહુમાળી બગીચાઓ ૨૨ મી.(૭૫ ફીટ) ઊંચા હતા,તેમાં તમામ જગ્યાએ પાણી પહોંચાડવાની યાંત્રિકસુવિધા હતી.તેના છાપરાઓ પર મોટા વૃક્ષ ઉગાડેલ હતા.નેબુચાંદનઝર-૨ નામના રાજાએ પોતાની પત્નિ માટે બાંધેલ. ૫૩૦ ઇ.પૂ. ધરતીકંપ ઓલિમ્પિયાનું ઝીયસનું પુતળુ ૪૬૬ ઇ.પૂ-૪૫૬ ઇ.પૂ.(મંદિર) ૪૩૫ ઇ.પૂ.(બાવલું) ગ્રીકો આ બાવલું ૧૨ મી.(૪૦ ફીટ)ઊંચુ હતું. ૫ મી સદી-૬ઠી સદી આગ અથવા ધરતીકંપથી. આર્ટેમિસનું દેવળ ૫૫૦ ઇ.પૂ. લીડીયન્સ, પર્શીયન્સ, પ્રાચિન ગ્રીકો ગ્રીક દેવી આર્ટેમિસના માનમાં બનાવેલ,પૂરા ૧૨૦ વર્ષે આનું બાંધકામ પૂરૂં થયેલ,જે આગને કારણે નાશ પામતા મહાનસિકંદર દ્વારા ફરીથી નિર્માણ કરાયેલ. ૩૫૬ ઇ.પૂ. આગને કારણે, મોઝોલસ ની કબર ૩૫૧ ઇ.પૂ. પર્શિયન્સ, પ્રાચિન ગ્રીકો અંદાજે ૪૫ મી.(૧૩૫ ફીટ)ઉંચી હતી.ચારે તરફ સુંદર શિલ્પાકૃતિઓ ધરાવતી આ કબર 'મોઝોલસ'નામના પર્શિયન સરદાર માટે બનાવેલ. ઇ.સ.૧૪૯૪ ધરતીકંપ માં નૂકશાન પામેલ અને ધર્મયુધ્ધદરમિયાન નાશ થયેલ. રહોડ્સનું બાવલું ૨૯૨ ઇ.પૂ.-૨૮૦ ઇ.પૂ. ગ્રીક ૩૫ મી.(૧૧૦ ફીટ) ઉંચુ આ કદાવર બાવલું ગ્રીકસૂર્યદેવતા હેલિઓસનું હતુ. ઇ.પૂ.૨૨૬ માં ધરતીકંપ ને કારણે જર્જરીત થયેલ જેના ભંગારનો નાશ ઇ.સ.૬૫૪ માં કરવામા આવેલ. ધરતીકંપ એલેક્ઝાંડ્રીયાની દીવાદાંડી ૨૮૦ ઇ.પૂ. ટોલેમીક ઇજીપ્ત ૧૧૫ થી ૧૩૫ મી.(૩૮૩-૪૪૦ ફીટ) ઉંચુ આ બાંધકામ કેટલીયે સદીઓ સુધી દુનિયાનું સૌથી ઉંચુ બાંધકામ ગણાતુ રહેલ. ઇ.સ. ૧૩૦૩ - ૧૪૮૦ ધરતીકંપ શ્રેણી:ઇતિહાસ
પાલીતાણા
https://gu.wikipedia.org/wiki/પાલીતાણા
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે. ઇતિહાસ પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. ભુતપૂર્વ રજવાડું પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું. દેરાસરો thumb|પાલીતાણાના દેરાસરો આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે. જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. મોટેભાગના જૈનો સમેત શિખર, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૬૧૬ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનાવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં. પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સંગ્રહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે. પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે.પાલિતાણા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઇટ નાં આધારે ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે. શાકાહારી નગર ઇ.સ. ૨૦૧૪માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું હતું. અહીં માંસ, માછલી કે ઇંડા વેચવા અથવા ખરીદવા પર તેમજ માછીમારી અને ખાદ્ય પદાર્થ તરીકે પ્રાણીઓનો ઉછેર કરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. પરિવહન વિમાન દ્વારા પાલીતાણાથી સૌથી નજીક્નું વિમાનમથક ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે. આ બંન્ને એરપોર્ટ, દેશનાં મોટાં શહેરો જેવાં કે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીકનું એરપોર્ટ છે. ટ્રેન પાલીતાણામાં રેલ્વે સ્ટેશન છે જે ભાવનગર સાથે જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદ સાથે જોડાયેલું છે. નજીકમાં સિહોર જંકશન આવેલું છે, જે મુંબઈ ,અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી, તિરુવંનતપુરમ સાથે જોડાયેલ છે. ૨૦૧૪ના રેલ્વે બજેટમાં મંજૂર થયેલ પાલિતાણા-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. બસ માર્ગ ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ, રાજકોટ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદથી એસ.ટી. અને ખાનગી બસો નિયમિત ચાલે છે જે લગભગ ૫ કલાકનો સમય લે છે. અમદાવાદથી પાલીતાણાનું અંતર ૨૧૫ કિ. મી. છે. ટેક્સી પણ મળી શકે છે. સંદર્ભ બાહ્ય કડીઓ Category:ગુજરાતનાં શહેરો અને નગરો Category:ધાર્મિક સ્થળો શ્રેણી:જૈન તીર્થ શ્રેણી:પાલીતાણા તાલુકો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો
ઉનાવા
https://gu.wikipedia.org/wiki/ઉનાવા
ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ-પાલનપુર ધોરીમાર્ગ પર મહેસાણાથી ઊંઝા તરફ ૧૯ કિ.મી. ના અંતરે મુખ્ય રસ્તા પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઊંઝા છે જે ફક્ત ૫ કિ.મી.ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે. વસ્તી ઉનાવા એક વિશાળ ગામ છે, જેમાં કુલ ૨૭૪૯ પરિવારો રહે છે. ઉનાવા ગામની વસ્તી ૧૨૯૦૧ છે, જેમાંથી ૬૭૦૧ પુરુષો અને ૬૨૦૦ સ્ત્રીઓ છે. ઉનાવા ગ્રામ વસ્તીમાં ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૧૩૮૪ છે, જે ગામની કુલ વસ્તીના ૧૦.૭૩% જેટલી છે. ઉનાવા ગામનું સરેરાશ લિંગનું પ્રમાણ ૯૨૫ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં ઊંચું છે. વસ્તી ગણતરી મુજબ ઉનાવા માટે બાળ જાતિ ગુણોત્તર ૭૭૨ છે, જે ગુજરાત સરેરાશ ૮૯૦ થી નીચો છે. ગુજરાતની તુલનામાં ઉનાવા ગામની સાક્ષરતા દર વધારે છે. ૨૦૧૧માં, ઉનાવા ગામની સાક્ષરતા દર ગુજરાતની ૭૮.૦૩% ની તુલનાએ ૯૧.૬૬% હતી. ઉનાવામાં પુરુષની સાક્ષરતા ૯૫.૯૫% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૮૭.૧૨% છે. સંચાલન ભારત અને પંચાયતી રાજ કાયદા મુજબ, ઉનાવા ગામનું સંચાલન સરપંચ દ્વારા કરવામાં આવે છે, જે ગામના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે. સંદર્ભ શ્રેણી:ઉંઝા તાલુકો શ્રેણી:યાત્રાધામ
રાજકોટ
https://gu.wikipedia.org/wiki/રાજકોટ
રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. રાજકોટ ગુજરાતનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે. ઇતિહાસ રાજકોટ શહેરની સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં. ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. ૧૫ એપ્રિલ ૧૯૪૮થી ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ સુધી રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર રહ્યું હતું. વસ્તી ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૪,૪૨,૯૭૫ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં માધાપર, માવડી, મનહરપુર, , ઘંટેશ્વર, આનંદપર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો સમાવેશ થાય છે. જોવાલાયક સ્થળો ફરવાના સ્થળો પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર (કાલાવડ રોડ) રેસકોર્સ મેદાન જ્યુબિલી બાગ ગાંધીજી મ્યુઝીયમ અટલ સરોવર રામનાથ મહાદેવ ભક્તિધમ આજી ડેમ ઈશ્વરીયા પાર્ક ન્યારી ડેમ લાલપરી તળાવ પ્રદ્યુમન પાર્ક અવધ ક્લબ ખીરસરા પેલેસ ઢીંગલી સંગ્રહાલય (યાજ્ઞિક માર્ગ) વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ) ઐતિહાસિક તથા અન્ય સ્થળો કબા ગાંધીનો ડેલો રાષ્ટ્રીય શાળા મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકુમાર કોલેજ લાલપરી તળાવ માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઔધોગિક સ્થળો અટીકા જી.આઈ.ડી.સી. આજી જી.આઈ.ડી.સી. મેટોડા જી.આઈ.ડી.સી. શાપર જી.આઈ.ડી.સી.(ઍસ.આઈ.ડી.સી.) અર્થતંત્ર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે. સ્થાનિક સરકાર રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે. મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. શિક્ષણ શાળાઓ શહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે. માધ્યમિક શાળાઓ કોટક સ્કૂલ​ ૐ વિધાલય​ માસુમ વિદ્યાલય એ. એસ. ચૌધરી હાઇસ્કુલ શા.વે. વિરાણી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હાઇસ્કુલ સેન્ટ્રલ સ્કુલ કેન્દ્રિય વિદ્યાલય મારુતિ મંદિર રાજકુમાર કૉલેજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સેન્ટ મેરીઝ હાઇસ્કુલ સામજી વેલજી વિરાણી હાઇસ્કુલ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સ્વામિનારાયણ ગુરૂકુલ આઇ.પી. મિશન જી. ટી. હાઇસ્કુલ કડવીબાઇ વિરાણી હાઇસ્કુલ આર. એચ. કોટક ગર્લ્સ હાઇસ્કુલ દિલ્હી પબ્લિક સ્કુલમહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો એચ & એચ બી કોટક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ ધર્મેન્દ્ર લો કોલેજ માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજ સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટ એવિપિટી પોલીટેકનિક કોલેજ એમ. જે. કુંડલિયા કૉલેજ​ જે. જે. કુંડલિયા કૉલેજ​ મારવાડી ફાઉન્ડેશન ગ્રુપ ઑફ એજ્યુકેશન આત્મિય એન્જીનિયરીંગ કોલેજ આર.કે. એન્જીનિયરીંગ કોલેજ વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ સરકારી પોલીટેકનીક રાજકોટ ક્રાઇસ્ટ પોલિટેકનિક કોલેજ દર્શન એન્જીનિયરીંગ કોલેજ ગારડી કોલેજ લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ ટ્રસ્ટ કોલેજ હવામાન બાહ્ય કડીઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (RUDA) સંદર્ભ શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો શ્રેણી:રાજકોટ તાલુકો
નેપાલ ભાષા
https://gu.wikipedia.org/wiki/નેપાલ_ભાષા
નેપાલ ભાષા (નેપાલ ભાય) એ મૂળે નેપાળમાં ઉદ્ભવેલી નેપાળની મુખ્ય ભાષા છે. આ ભાષા ૧૪મી સદીથી ૧૮મી સદીના અંત સુધી નેપાળની વહીવટી ભાષા હતી. હાલમાં નેપાળની સત્તાવાર ભાષા નેપાળી ભાષા છે, નેપાળ ભાષા નથી. નેપાળ ભાષાને "ચીની-તિબેટીયન ભાષા-પરિવાર" હેઠળ "તિબેટીયન-બર્મીઝ જૂથ" માં જૂથબદ્ધ કરવામાં આવી છે. તે એકમાત્ર ચીન-તિબેટીયન ભાષા છે જે રાંઝણા લિપિ, લોકપ્રિય લિપિ અને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. આ ભાષા દક્ષિણ એશિયાનો સૌથી પ્રાચીન ઇતિહાસ ધરાવતી તિબેટો-બર્મીઝ ભાષા છે અને તિબેટો બર્મીઝ ભાષાઓમાં ઉપયોગમાં લેવાતી ચોથી સૌથી પ્રાચીન ભાષા છે. વર્ગીકરણ આ ભાષા ચીન-તિબેટીયન ભાષા પરિવાર હેઠળ તિબેટો-બરમાલે જૂથમાં જોડાયેલી છે. લિપિ નેપાળ ભાષા ઘણી લિપિમાં લખાયેલી છે. તેમાંની મુખ્ય લિપિઓ રાંઝણા, પ્રચલિત લિપિ, બ્રાહ્મી, ભુજિંગોલ, દેવનાગરી વગેરે છે. આ બધી સ્ક્રિપ્ટો ડાબેથી જમણે લખાયેલી છે. આ બધી લિપિઓમાં સ્વરમાલા અને વ્યાન્યાનમાલા નામના બે પ્રકારના અક્ષરો છે. વિકાસ નેપાળ ભાષા નેપાળ વિભાગ (કાઠમંડુ પ્રદેશ) ની મૂળ ભાષા છે. આ ભાષાનું મૂળ સ્થાન કાઠમંડુ છે. કાઠમંડુમાં, કિરાંતના શાસન દરમિયાન, આ ભાષા 'કિરાંતી ભાષા'થી પ્રભાવિત હતી. તિબેટ સાથેના સદીઓના વેપાર સંબંધોને કારણે આ ભાષામાં તિબેટીયન ભાષાનો નોંધપાત્ર પ્રભાવ પણ જોવા મળે છે. લિચ્છવી કાળ અને મલ્લ કાળમાં સંસ્કૃત ભાષા અને ખાસ ભાષાનો પ્રભાવ પણ આ ભાષામાં દેખાવા લાગ્યો. તિબેટો-બરમાલે ભાષા પરિવારની ભાષા હોવા છતાં, વર્ષોથી ભરોપેલી ભાષાના સંબંધને કારણે નેપાળ ભાષા ખાસ કરીને નામપાડાનો સ્વભાવ થોડો ભારોપેલી જેવો થઈ ગયો છે. નેપાળી મીડિયામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી બાદ આ ભાષાના વિકાસને વેગ મળ્યો છે. શ્રેણી:ભાષાઓ
જામનગર જિલ્લો
https://gu.wikipedia.org/wiki/જામનગર_જિલ્લો
thumb|200px|right| ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે. ભૂગોળ જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાઓ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે અને મોટી ભરતી દરમિયાન તેમાં પાણી ફરી વળતા હોય છે. લાલપુર તાલુકાનો મેદાની પ્રદેશ સરેરાશ ૭૫.૮૩ મીટર ઊંચાઇ ધરાવે છે. જોડિયા અને જામનગર તાલુકાઓ કાંપની જમીનો ધરાવે છે, જ્યારે ધ્રોલ અને કાલાવાડ તાલુકાઓમાં મધ્યમ કાળી જમીનો આવેલી છે. ઉદ્યોગો રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે. વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જામનગર જિલ્લાની વસ્તી ૨૧,૫૯,૧૩૦ હતી. જે નામિબિયાની વસ્તી જેટલી અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્ય જેટલી હતી. વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૧૨મો ક્રમ હતો. જિલ્લાની ગીચતા છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં વસ્તી વધારાનો દર ૧૩.૩૮ ટકા હતો. જામનગરમાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૩૮ સ્ત્રીઓનું છે. ૨૦૦૧માં ૬૬.૪% ના સાક્ષરતા દરથી ૨૦૧૧માં સાક્ષરતા દર ૭૪.૪% થયો હતો. ઇ.સ. ૧૯૦૧થી જિલ્લાની વસ્તીમાં સતત વધારો થતો રહ્યો છે. +વસ્તીના આંકડાઓ વર્ષ વસ્તીવધારાનો દર ૧૯૦૧ ૩,૫૨,૧૫૦ -૧૯૧૧૩,૫૯,૬૦૧૨.૧૨૧૯૨૧૩,૫૯,૬૩૧૦.૦૧૧૯૩૧૪,૨૫,૪૬૩૧૮.૩૧૧૯૪૧૪,૧૭,૮૩૩૨૧.૭૧૧૯૫૧૬,૧૬,૮૯૬૧૯.૧૩૧૯૬૧૮,૨૮,૪૧૯૩૪.૨૯૧૯૭૧૧૧,૧૧,૩૪૩૩૪.૧૫ તાલુકાઓ કાલાવડ જામજોધપુર જામનગર જોડિયા ધ્રોળ લાલપુર રાજકારણ વિધાનસભા બેઠકો |} આ પણ જુઓ હાલાર બાહ્ય કડીઓ જામનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ સંદર્ભ શ્રેણી:સૌરાષ્ટ્ર શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
તાપી નદી
https://gu.wikipedia.org/wiki/તાપી_નદી
thumb|300px|right|સુરત નજીક તાપી નદીનું વિહંગમ દૃશ્ય thumb|250px|right|તાપી નદી, સુરત નજીક. તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે, તેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. નર્મદા અને મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. તાપી નદી દક્ષિણ મધ્ય પ્રદેશના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને અરબી સમુદ્રના ખંભાતના અખાતને જઇને મળે છે. ગુજરાતનું સુરત પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા. નામ તાપી નદીનું ઉદ્‌ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલ્તાઇ છે. મુલ્તાઇ શહેરનું સંસ્કૃત નામ મૂલતાપી છે. જેનો અર્થ થાય છે 'તાપીનું મૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી અને સુર્યપુત્રી છે. થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫માં પાડવામાં આવ્યું છે. એવુ માનવામાં આવે છે.કે ૧૯૧૫ મા એક થાઈલેન્ડ નો બુદ્ધ ધર્મ નો પ્રવાસી ભારત ભ્રમણ કરવા આવ્યો. ત્યારે તેને તાપી નદી એટલે સૂર્ય પુત્રી તાપી ના વેદોમાં પુરાણ કાલીન માહિતી મળતાં તેને ગુજરાત ની આ તાપી નદી નુ પાણી પોતાની સાથે થાઈલેન્ડ લઈ ગયા. અને તે પાણી નુ થાઈલેન્ડ ની નદી મા વીસ્જીત કરવામાં આવ્યું. ત્યારે ત્યાં ની તે નદી નુ નામ તાપી રાખવામાં આવ્યું. નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે, જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.)માં આવેલો છે. તાપીનો ઘણું કરીને મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશીમ, જલગાંવ, ધુળે, નંદરબાર અને નાસિકમાં થઇને વહે છે. મધ્ય પ્રદેશના બેતુલ અને બુરહાનપુર તથા ગુજરાતના સુરત જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાના ડુમસ ખાતે ખંભાતના અખાતને મળે છે. ઉપનદીઓ ગિરણા નદી પાંઝરા નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે. વાઘુર નદી બોરી નદી અનેર નદી અમરાવતી નદી - ધુલિયા જિલ્લામાં માલપુર ગામ પાસે તાપી નદીમાં ભળે છે. અરુણાવતી નદી - શિરપુર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે. ગોમાઈ નદી - નંદુરબાર જિલ્લામાં તાપી નદીમાં ભળે છે. વાકી નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે. બુરાઈ નદી - ધુલિયા જિલ્લામાં તાપી નદીમાં ભળે છે. યોજનાઓ તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે: . ઉકાઇ (તાપી જિલ્લામાં) . કાકરાપાર (સુરત જિલ્લામાં) સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતની નદીઓ
નર્મદા જિલ્લો
https://gu.wikipedia.org/wiki/નર્મદા_જિલ્લો
thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે. ભૂગોળ નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૫૫ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે. અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે. ઇતિહાસ આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો. વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા. નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે. આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે. તાલુકાઓ નાંદોદ ડેડીયાપાડા તિલકવાડા સાગબારા ગરૂડેશ્વર જોવાલાયક સ્થળો નિનાઈ ધોધ શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય કરજણ બંધ, કરજણ નદી પર. શૂલપાણેશ્વર મંદિર સરદાર સરોવર બંધ રાજપીપળાનો મહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર પટેલની પ્રતિમા) દેવમોગરા માતાનું મંદિર (સાગબારા તાલુકો) રાજકારણ વિધાન સભા બેઠકો |} સંદર્ભ બાહ્ય કડીઓ અધિકૃત વેબસાઇટ નર્મદા જિલ્લા પંચાયતની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ
યાક
https://gu.wikipedia.org/wiki/યાક
ચમરી ગાય અથવા તો યાક એ લાંબા લાંબા વાળવાળું કાળા રંગનું ખૂંધ ધરાવતું ગાય કે બળદને મળતું આવતુ દૂધાળી જાતીનું પાલતું પ્રાણી છે. યાક તિબેટ, દક્ષિણ મધ્ય એશિયાના હિમાલયના ક્ષેત્ર તેમજ મંગોલિયામાં જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ તથા કિન્નોર જિલ્લામાંં તથા જમ્મુ-કાશ્મીરના લડાખ ક્ષેત્રમાં આ પ્રાણી જોવા મળે છે. ગુજરાતીમાં યાક સુરાગાય ના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં નર અને માદા યાક માટે યાક શબ્દનો જ પ્રયોગ થાય છે પણ જ્યાં આ પ્રાણી સૌથી વધુ જોવા મળે છે એટલે કે તિબેટની સ્થાનિક ભાષા તિબેટમાં યાક શબ્દ નર ના સંદર્ભમાં વપરાય છે જ્યારે માદાને ડ્રી અથવા નાક થી ઓળખાય છે. યાક મૂળ જંગલી પ્રાણી હતું, પણ એની ઉપયોગિતા ખ્યાલમાં લઇને મનુષ્યએ એને પાલતું બનાવ્યું. જંગલી યાકની ઊંચાઇ આશરે ૨ મીટર હોય છે જ્યારે પાળેલા યાકની ઊંચાઇ જંગલી યાક કરતાં લગભગ અડધી હોય છે. બંને વર્ગના યાકના શરીર પર લાંબા લાંબા વાળ હોય છે જે અતિશય ઠંડી સામે પણ એને રક્ષણ આપે છે. યાક બે પ્રકારના હોય છે - શીંગડાવાળા તથા શીંગડાવગરનાં. યાક ત્રણ રંગના જોવા મળે છે - કાળા, કાબરચીતરા અને ભૂરા. પાલતું યાક સફેદ રંગના પણ જોવા મળે છે. જંગલી યાક યાકનું વજન આશરે ૧,૦૦૦ કિલો (૨,૨૦૦ પાઉન્ડ) હોય છે. ચારથી પાંચ યાક એક સમૂહમાં રહે છે. પણ નાની વયના યાક મોટા જૂથમાં રહે છે જેથી બચ્ચાંઓનું પરભક્ષીઓથી રક્ષણ કરી શકાય. યાક ૩,૨૦૦ મી (૧૦,૫૦૦ ફૂટ). યાકનું પ્રિય ખાધ્ય ઘાસ છે. પાલતુ યાક યાકને દૂધ, વાળ, માંસ, ગોબર અને શીંગડા માટે પાળવામાં આવે છે. યાક દરરોજ એક થી બે લિટર દૂધ આપે છે. યાકનું દૂધ ઘાટું હોય છે એમાં ૧૨ ટકા ચરબી હોય છે. યાકના દૂધમાંથી માખણ અને ચીઝ બનાવાય છે. તિબેટમાં યાકના દૂધમાંથી બનાવેલી ચીઝને છુરપી કહેવાય છે, જ્યારે મંગોલિયામાં એને બ્યાસલાગ કહેવાય છે. બાહ્ય કડીઓ માહિતી સંગ્રહ - જંગલી યાકનાં ચિત્રો તેમ જ ચલચિત્રો (Bos grunniens) h2g2 યાક વિશે માર્ગદર્શિકા આંતરરાષ્ટ્રીય યાક એસોસીએશન (IYAK) યુરોપિયન યાક એસોસીએશન (EYAK) યાક પ્રજાતિના માહિતીસંગ્રહ વિશે લેખ યાક: તિબેટનું પ્રાણી AnimalInfo.Org નામની વેબસાઇટ પર - જંગલી યાક વિશે માહિતી શ્રેણી:સસ્તન પ્રાણીઓ
સનેડો
https://gu.wikipedia.org/wiki/સનેડો
સનેડો એ ગુજરાતી લોકસંગીતનો પ્રકાર છે, જેને જાણીતા ગુજરાતી ગાયક મણિરાજ બારોટ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો છે. ઇતિહાસ સનેડાની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ સ્નેહને ડો પ્રત્યય લગાડીને થઇ છે. સ્નેહનું સનેહ અને તેને ડો વાત્સલ્ય સ્વરૂપનો પ્રત્યય લાગતા સ્નેહડો શબ્દ બન્યો અને છેવટે તે સનેડોમાં રુપાંતર પામ્યો. સનેડાના પ્રકારના મૂળ ૧૭મી સદી જેટલા જૂનાં છે, જેનો પ્રસાર ઉત્તર ગુજરાતથી લઇને મારવાડ, રાજસ્થાન સુધી થયો છે. સનેડાની જેમ જ તે નેહડોમાંથી નેડો શબ્દ રુપે ઉદ્ભવ્યો. સનેડોમાં ચાર પંક્તિઓની જોડી હોય છે અને તે ગુજરાતના લોકનાટ્ય સ્વરૂપ ભવાઇ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટે ૧૯૮૦ના દાયકામાં સ્ટેજ પર સનેડો રજૂ કર્યો હતો અને તેમને સનેડાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શ્રેય અપાય છે, પરંતુ મુખ્યત્વે ગુજરાતી લોક કલાકાર મણિરાજ બારોટે ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન સનેડાને લોકપ્રિય બનાવ્યો હતો. સનેડાનો વિષય પ્રેમ અથવા યુવાનીથી લઈને વ્યંગ સુધીનો કંઈપણ હોઈ શકે છે. સનેડો ગુજરાતના પાટણ જિલ્લાના ગામડાઓમાંથી ઉદ્ભવ્યો છે અને તે સમગ્ર ગુજરાતમાં અને ભારતના અન્ય ભાગો, યુનાઇટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનમાં ગુજરાતી બોલતી વસ્તીમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય બની ગયું છે. તે અવારનવાર નવરાત્રી, તહેવારો, લગ્નની ઉજવણીઓ અને પાર્ટીઓમાં વગાડવામાં આવે છે. સનેડો દરમિયાન પાશ્વભૂમિમાં વગાડવામાં આવતું સંગીત ડાકલું નામના સંગીતનું સાધન છે. તે ડમરુ જેવો આકાર ધરાવે છે, પરંતુ તે ઘણું મોટું હોય છે. ચલચિત્રોમાં મેડ ઇન ચાઇના, ૨૦૧૯ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાની વિવિધતા દર્શાવવામાં આવી છે. મિત્રો, ૨૦૧૮ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાના વિવિધ સ્વરૂપો દર્શાવાયા છે. સંદર્ભ બાહ્ય કડીઓ સનેડો વિશે માહિતીપ્રદ બ્લોગ સનેડાના વિડીયો અને ઓડિયો શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ
વંદે માતરમ્
https://gu.wikipedia.org/wiki/વંદે_માતરમ્
વંદે માતરમ એ ભારત દેશનું રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રિય સૂત્ર હતું. વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશિત કર્યું હતું. ગીત સંસ્કૃત ગુજરાતી લિપ્યાંતરણसुजलां सुफलां मलयजशीतलाम् सस्य श्यामलां मातरंम् . शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम् फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्, सुहासिनीं सुमधुर भाषिणीम ॥ सुखदां वरदां मातरम् ॥ कोटि कोटि कन्ठ कलकल निनाद कराले द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले के बोले मा तुमी अबले बहुबल धारिणीम् नमामि तारिणीम् रिपुदलवारिणीम् मातरम् ॥ तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म त्वं हि प्राणाः शरीरे बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति, तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥ त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी, नमामि त्वाम् नमामि कमलां अमलां अतुलाम् सुजलां सुफलां मातरम् ॥ श्यामलां सरलां सुस्मितां भूषिताम् धरणीं भरणीं मातरम् ॥સુજલાં સુફલાં મલયજશીતલામ્ શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્ ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુર ભાષિણીમ્ સુખદાં વરદાં માતરમ્ કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે કે બલે મા તુમિ અબલે બહુબલધારિણીં નમામિ તારિણીમ્ રિપુદલવારિણીં માતરમ્ તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ ત્વ્મ્ હિ પ્રાણ શરીરે બાહુતે તુમિ મા શક્તિ હૃદય઼ે તુમિ મા ભક્તિ તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી કમલા કમલદલ બિહારિણી બાણી બિદ્યાદાય઼િની ત્બામ્ નમામિ કમલાં અમલાં અતુલામ્ સુજલાં સુફલાં માતરમ્ શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્ ધરણીં ભરણીં માતરમ્ ઇતિહાસ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે. કોંગ્રેસનાં કલકત્તા અધિવેશન (૧૮૯૬)માં, રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. અરવિંદે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂ માં ભાષાંતર કર્યું છે. ૧૯૩૭ માં આ ગીત ના ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નહેરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ ના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં રજૂ કરેલાં વક્તવ્યનો એક ભાગ નીચે આપ્યો છે: શબ્દો અને સંગીતની એ રચના જેને જન ગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે, બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર આધિકૃત કરે, અને વન્દે માતરમ્ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જન ગણ મનની સમકક્ષ સન્માનિય પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરું છું કે આ સદસ્યોને સંતુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ, ખંડ દ્વાદશ:૨૪-૧-૧૯૫૦) આ ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું. આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં ૧ વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયો. આ સમાપનનું અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલયએ આ ગીત ને ૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી. પરંતુ, પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે વિવાદ આનંદ મઠ ઉપન્યાસ પર અમુક વિવાદ છે અમુક લોકો તેને મુસલમાન વિરોધી માને છે. તેમનું કહેવું છે કે આમાં મુસલમાનોને વિદેશી અને દેશદ્રોહી બતાવવામાં આવ્યાં છે. વંદે માતરમ્ ગાવા પર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતની પહેલી બે કડી, જે પ્રસાંગિક છે, તેમાં કોઈ પણ મુસલમાન વિરોધી વાત નથી અને ન કોઈ દેવી કે દુર્ગાની અરાધના કરી છે પણ આવા વિરોધ કરતાં લોકોનું કહેવું છે કે, મુસ્લિમ ધર્મમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે અને આ ગીતમાં માઁ ની વંદના કરવામાં આવી છે; આ એવા ઉપન્યાસમાંથી લેવામાં આવ્યું છે જે મુસ્લિમ વિરોધી છે; બે કડી પછીનું ગીત જેને કોઈ મહત્વ આપવામાં નથી આવ્યું, જે પ્રાસંગિક પણ નથી તેમાં મા દુર્ગાની આરાધના છે. જોકે એવું નથી કે ભારતનાં બધાં મુસલમાનોને આ ગીત સામે વિરોધ છે કે બધાં હિંદુઓ એને ઉત્સાહથી ગાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં સંગીતકાર એ. આર. રહમાને કે જે પોતે એક મુસલમાન છે, 'વંદેમાતરમ્' ગીતને લઈ એક આલ્બમ તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું છે. બહુમતિ લોકોનું માનવું છે કે આ વિવાદ રાજનૈતિક વિવાદ છે. ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ખ્રિસ્તી લોકો પણ મૂર્તિ પૂજન નથી કરતા પણ તેઓ દ્વારા આ વિષે કોઈ વિવાદ નથી. કાયદો શું કોઈને કોઈ ગીત ગાવા માટે મજબૂર કરી શકાય કે નહીં? આ પ્રશ્ન સર્વોચ્ચ અદાલત સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 [૨] વાદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ વાદમાં અમુક વિદ્યાર્થિઓ ને સ્કૂલમાંથી એટલા માટે કાઢી મુકવામાં આવ્યાં હતા કેમ કે તેમણે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાની ના પાડી દીધી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં રાષ્ટ્રગીતનાં સમયે તેના સમ્માનમાં ઊભા તો થતાં હતાં તેનું સન્માન કરતાં હતાં પણ ગાતાં ન હતા. તેમને ગાવાનું કહેવામાં આવતાં માટે તેમણે ના પાડી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા સ્વીકાર કરી અને તેમને સ્કૂલમાં પછા લેવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતનું સન્માન કરે છે પણ તેને ગાતો નથી તો એનો મતલબ એમ નથી કે તે એનું અપમાન કરી રહ્યાં છે. તેને ન ગાવા પર ન તો દંડિત યા ન તો પ્રતાડિત કરી શકાય. વંદેમાતરમ રાષ્ટ્રગાન છે તેને જબરજસ્તી ગાવડાવવા માટે મજબૂર કરવામાં પણ આ જ કાયદો/નિયમ લાગશે. આ પણ જુઓ જન ગણ મન સંદર્ભ ઉન્મુક્ત - વન્દે માતરમ્ શ્રેણી: ભારતનાં રાષ્ટ્રચિહ્નો
તાંબું
https://gu.wikipedia.org/wiki/તાંબું
250px|thumb|right|આવર્ત કોષ્ટક માં તાંબુ thumb|280px|તાંબુ તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન cu ( ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પિત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે. તાંબુ લઘુ તત્વોની શ્રેણીમાં આવે છે.  શ્રેણી:રાસાયણિક તત્વો
હીરો
https://gu.wikipedia.org/wiki/હીરો
REDIRECT કાર્બન
નેપાલ સ્કાઉટ
https://gu.wikipedia.org/wiki/નેપાલ_સ્કાઉટ
નેપાલ સ્કાઉટ નેપાલ દેશમાંની એક સ્કાઉટ અને ગાઇડ સંઘ તરીકે કાર્ય કરતી સંસ્થા છે. નેપાળ દેશમાં સ્કાઉટ અને ગાઇડ સંઘની સ્થાપના ઇ.સ. ૧૯૫૨ના વર્ષમાં કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૬૯ના વર્ષમાં નેપાલ સ્કાઉટ અને ગાઇડ સંઘ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટના સભ્ય તરીકે સામેલ થયું હતું. આ ઉપરાંત ઇ.સ. ૧૯૮૪ના વર્ષમાં નેપાલ સ્કાઉટ અને ગાઇડ સંઘ વર્લ્ડ એસોસિએશન ઓફ ગર્લ ગાઇડ્સ એન્ડ ગર્લ સ્કાઉટ્સ ના સભ્યપદે સામેલ થયો હતો. આ સંઘમાં ૧૬,૩૯૯ સ્કાઉટ્સ અને (વર્ષ ૨૦૦૮ની માહિતી મુજબ) અને ૧૧,૯૬૨ ગાઇડ્સ (વર્ષ ૨૦૦૩ની માહિતી મુજબ) કાર્યરત છે. નોંધ Category:સ્કાઉટ
અમરેલી જિલ્લો
https://gu.wikipedia.org/wiki/અમરેલી_જિલ્લો
અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અહીં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ઇતિહાસ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે ૧૭૩૦ માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી. આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.૧૭૪ર-૪૩ માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. ૧૮ર૦ સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહયુ, જેઓ ગાયકવાડે મેળવેલા મુલકના પાટનગર અમરેલી ખાતે રહેતા હતા. ક્રમમાં આવતા તે પછીના સંપાદન કરેલ, અગાઉ છાભરિયા તરીકે ઓળખતા દામનગર અને છ ગામો હતા, જે લાઠીના લાખાજીએ પોતાની પુત્રીના દામાજીરાવ ગાયકવાડ સાથેના લગ્નપ્રસંગે દહેજમાં આપ્યા હતા. બાબરાના કાઠીઓ અને બીદૃઓએ લઈ લીધેલા કેટલાક ગામો પાછા મેળવીને વિઠલરાવ દેવાજીએ આમા વધારો કર્યો. આ સંપાદનથી ર૬ ગામોનો દામનગર મહાલ બન્યો. પાછળની આ મહાલ લાઠી તાલુકામાં ભેળવવામાં આવ્યો. જિલ્લાની પુનઃરચનાની યોજના હેઠળ આ જિલ્લાને તબદીલ કરવામાં આવેલ હતો. છેલ્લા સૈકા દરમિયાન ધારીનો કિલ્લો, સરસીયાના થેબાની કાઠીના કબ્જામાં હતો. જે તેમણે રાણીંગવાલા નામના પ્રખ્યાત બહારવટીયાને મફત સોંપી દીધો. રાણીંગવાલા બહારવટા માટે બહાર ગયો હતો ત્યારે ગાયકવાડે ધારી તાલુકો પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં કયારે પ્રવેશ કર્યો તે ચોકકસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું, જેના નિભાવ માટે જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી જૂનાગઢના નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સૂપ્રત કરી દીધી હતી. અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા જોવાલાયક સ્થળો રાજકારણ વિધાનસભા બેઠકો |} સંદર્ભ આ પણ જુઓ ૨૦૧૫ અમરેલી જળ હોનારત બાહ્ય કડીઓ અધિકૃત વેબસાઇટ અમરેલી કલેક્ટર,અધિકૃત વેબ Category:ગુજરાતના જિલ્લાઓ
તત્ત્વ
https://gu.wikipedia.org/wiki/તત્ત્વ
રાસાયણિક તત્વ અથવા તત્વ એ શુદ્ધ રાસાયણિક પદાર્થ છે જેનો સંપૂર્ણ જથ્થો એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય છે, અને દરેક પરમાણુના કેન્દ્રમાં સરખી સંખ્યામાં પ્રોટોન આવેલા હોય છે. આ પ્રોટોનની સખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. આ તત્વોનું સામાન્ય રાસાયણિક રીતો દ્વારા વધુ સાદા ઘટકોમાં વિભાજન કરી શકાતું નથી. કાર્બન, ઓક્સીજન, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, સોનું, પારો, સીસું, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે રાસાયણિક તત્વોના ઉદાહરણો છે. તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટક રૂપે કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૧૮ તત્વો શોધાયા છે, જેમાંથી પરમાણુ ક્રમાંક ૧ થી પરમાણુ ક્રમાંક ૯૪ સુધીના તત્વો કુદરતી રીતે પૃથ્વી પર મળી આવે છે જ્યારે બાકીના ૨૪ તત્વો કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. કુલ ૮૦ તત્વો સ્થાયિત્વ ધરાવે છે, જ્યારે બાકીના બીજા - પરમાણુ ક્રમાંક ૪૩, ૬૧ તેમજ ૮૪થી આગળનાં - એમ કુલ ૩૮ તત્વો વિકિરણ-ઉત્સર્ગી ગુણધર્મો ધરાવે છે. વર્ણન કોઈ પણ તત્વનું રાસાયણિક રીતોથી બે અથવા તેથી વધુ પદાર્થોમાં વિઘટન કરી શકાતું નથી. કોઈ પણ તત્વમાં નિશ્ચિત પ્રકારના પરમાણુઓ સિવાય બીજા પરમાણુઓ હોતા નથી. દા.ત., હાઈડ્રોજનમાં હાઈડ્રોજનના જ પરમાણુઓ હોય છે, અને એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમના જ પરમાણુઓ હોય છે. આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં ગોઠવાયેલાં તત્વોને તેમના ઈલેક્ટ્રોનિક બંધારણમે ધ્યાનમાં રાખીને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: (૧) s-વિભાગનાં તત્વો (૨) p-વિભાગનાં તત્વો (૩) d-વિભાગનાં તત્વો અને (૪) f-વિભાગનાં તત્વો. s-વિભાગનાં તત્વો: સૌથી બહારની કક્ષક, એટલે કે s-કક્ષકમાં ઈલેક્ટ્રોન ધારણ કરનારા તત્વોનો આ વિભાગમાં સમાવેશ થાય છે. આવર્ત કોષ્ટકમાં આવેલા સમૂહ-૧ અને સમૂહ-૨ માં આવેલા તત્વો s-વિભાગના તત્વો છે. આ તત્વોના ગુણધર્મો તેમની s-કક્ષકમાં આવેલા ઈલેક્ટ્રોનને આભારી હોય છે. આ તત્વોનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns1 અથવા ns2 પ્રકારનું હોય છે. * p-વિભાગનાં તત્વો: સમૂહ ૩ (બ), ૪ (બ), ૬ (બ), ૭ (બ) અને શૂન્ય સમૂહનાં તત્વોને p-વિભાગનાં તત્વો કહેવામાં આવે છે. આ સમૂહના તત્વોની બહારની કક્ષામાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ ઈલેક્ટ્રોન હોય છે. આ વિભાગના બધા જ તત્વોમાં આ ઈલેક્ટ્રોન પૈકીના બે ઈલેક્ટ્રોન સૌથી બહારની s-કક્ષકમાં હોય છે અને બાકીના ઈલેક્ટ્રોન ત્યારપછીની p-કક્ષકમાં હોય છે. આમ સમૂહ ૩ (બ) થી શૂન્ય સમૂહ તરફ જતાં p-કક્ષક ક્રમશ: ભરાય છે અને s-કક્ષક સંપૂર્ણ ભરાયેલ હોય છે. આ સમૂહના બધા જ તત્વોના ગુણધર્મો તેમની p-કક્ષકમાં આવેલા ઈલેક્ટ્રોનને આભારી હોય છે. આ વિભાગના તત્વોનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns2 np1 થી ns2 np6 પૈકીનું કોઈ પણ એક હોઈ શકે છે. s-વિભાગ અને p-વિભાગનાં તત્વોને પ્રતિનિધિ તત્વો અને નિષ્ક્રિય તત્ત્વોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે તત્વોની સૌથી બહારની શક્તિસપાટીના s અથવા p-કક્ષકો અપૂર્ણ હોય એટલે એ જેમનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns1 થી ns2 np5 પૈકીનું કોઈ એક હોય તેમને પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. આ તત્વો બીજા તત્વો પાસેથી ઈલેક્ટ્રોન મેળવીને, ગુમાવીને કે ભાગીદારી કરીને રાસાયણિક સંયોજન બનાવે છે. જે તત્વોના s અથવા p-કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલા હોય છે તેમને નિષ્ક્રિય તત્વો કહે છે. આ તત્વો કોઈ પણ રાસાયણિક ક્રિયામાં ભાગ લેતાં નથી અને તેઓ આવર્ત કોષ્ટકના શૂન્ય સમૂહમાં આવેલાં હોય છે. આ તત્વોનું ઈલેક્ટ્રોનિક બંધારણ ns2 np6 પ્રકારનું હોય છે. d-વિભાગનાં તત્ત્વો: જ્યારે તત્વોની d-કક્ષક ભરાવા માંડે ત્યારે તે તત્વો d-વિભાગનાં તત્વો તરીકે ઓળખાય છે. આ તત્ત્વોમાં ઈલેક્ટ્રોનનું ઉમેરણ બહારની બીજી શક્તિસપાટીમાં આવેલી d-કક્ષકમાં થાય છે. આવર્ત કોષ્ટકમાં આ તત્ત્વો s-વિભાગ અને p-વિભાગની વચ્ચે 3 (અ), ૪ (અ), ૫ (અ), ૬ (અ), ૭ (અ); ૮ અને ૧ (બ) સમૂહમાં આવેલાં છે. માટે તેમને સંક્રાંતિ તત્વો પણ કહે છે. આ તત્ત્વોનું ઈલેક્ટ્રોનિક બંધારણ (n-1)d1-9 ns1-2 પૈકીનું કોઈ પણ એક હોય છે. f-વિભાગનાં તત્ત્વો: જે તત્વોમાં f-કક્ષકમાં ઈલેક્ટ્રોન ભરાવા માંડે તે તત્ત્વોને f-વિભાગનાં તત્ત્વો કહે છે. આ તત્વોમાં બહારથી બીજી શક્તિસપાટીની f-કક્ષક અને ત્રીજી શક્તિસપાટીની f-કક્ષક અપૂર્ણ હોય છે અને સંક્રાંતિ શ્રેણીનો પેટાવિભાગ બનાવે છે, માટે તેઓ આંતરસંક્રાંતિ તત્ત્વો તરીકે પણ ઓળખાય છે. પરમાણુભાર કોઈ પણ તત્વના પરમાણુમા આવેલ પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાને તે તત્વનો પરમાણુભાર કહે છે. સંદર્ભો શ્રેણી:રસાયણવિજ્ઞાન
મુખપૃષ્ઠ/જુનું-૧
https://gu.wikipedia.org/wiki/મુખપૃષ્ઠ/જુનું-૧
લેખ સંબંધિતયહ વિશ્વકોશમા અભી તક હુવા લેખ કો દેખ્ને કે લિયે નિચે કે ડબ્બા મા લેખ શુરુ હોને વાલા અક્ષર મા દબાએં આપ કા ખોજા લેખ નહી હૈ વા નયા લેખ શુરુ કરને કે લિયે નિકે ચા ડબ્બા પ્રયોગ કરેં ગુજરાતી (યુનિકોડ) લેખન સહાયતા* ગમભન ગુજરાતી માં કેવીરીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાના ભારતીય લિપિનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાના પૃષ્ઠ પર આપેલી છે. અન્ય વિકિપીડિયન સ્વયંસેવકોને સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ. યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ. IBM નું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર વિકિપીડિયા અન્ય વિકિપિડિયા ભાષા વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ </div>__NOTOC__ __NOEDITSECTION__
બનાસકાંઠા જિલ્લો
https://gu.wikipedia.org/wiki/બનાસકાંઠા_જિલ્લો
રામાયણ
https://gu.wikipedia.org/wiki/રામાયણ
રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઇ.સ.પૂર્વે ૫૦૪૧ ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની યાત્રા. વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૭ કાંડોમાં વહેંચાયેલું છે: બાલકાણ્ડ અયોધ્યાકાંણ્ડ અરણ્યકાણ્ડ કિષ્કિંધાકાણ્ડ સુંદરકાણ્ડ યુદ્ધકાણ્ડ - લઙ્કાકાણ્ડ ઉત્તરકાણ્ડ હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ માત્ર હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. રચના ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીઓને જ્યારે આ પુછ્યુ ત્યારે ઉત્તર મળ્યો કે કોઈ કોઈનાં પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાનાં પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઈ. આ પછી તેઓ પોતાનાં પાપનાં પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી. એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાઈને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો. મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્ હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડામાં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એકની વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે. આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની પ્રસન્નતા થઇ. આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય? આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા. રામાયણની પૃષ્ઠભૂમિ રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે. રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ - આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય - જેમ કે - ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે. કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો. સામાજીક જીવન રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે. વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો. ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા. લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ - બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે - ખાસ કરીને કૈકેયીના પ્રસંગે - વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો. રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે. રામાયણના પાત્રો રામ - વિષ્ણુ નાં અવતાર. સીતા - રામના પત્ની. લવ - રામ અને સીતાના પુત્ર. કુશ- રામ અને સીતાના પુત્ર. દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા. કૌશલ્યા - રામના માતા. કૈકેયી - દશરથ રાજાના પત્ની અને ભરતના માતા સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણ તથા શત્રુઘ્ન ના માતા. લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાના મોટો પુત્ર. ભરત - રામના ભાઈ. કૈકેયીનાપુત્ર. શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાના નાના પુત્ર. જનક-સુનયના - સીતાના પિતા-માતા. ગુહ - રામના મિત્ર અને જંગલના રાજ્યના રાજા. વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ. વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર. સુગ્રીવ - વાનરકુળના કિષ્કિંધાના રાજા. રામના મિત્ર. વાલી - વાનરકુળના કિષ્કિંધાનારાજા. સુગ્રીવના મોટો ભાઈ. તારા - વાલીના પત્ની. હનુમાન- સુગ્રીવના મંત્રી, રામના ભક્ત. જાંમવંત - રીંછકુળના સુગ્રીવની સભામાં મંત્રી. અંગદ - વાલીના પુત્ર નલ- વિશ્વકર્માનાપુત્ર, સુગ્રીવના સેનાની. જટાયુ - ગીધ પક્ષી, દશરથના મિત્ર. સંપાતિ - જટાયુના મોટો ભાઈ. રાવણ - લંકાના રાજા અને શિવ ના પરમ ભક્ત. મંદોદરી - રાવણના પટ્ટરાણી. વિભીષણ - રાવણના નાના ભાઈ અને મંત્રી. કુંભકર્ણ - રાવણના નાના ભાઈ. શૂર્પણખા - રાવણના બહેન. ખર, દૂષણ - રાવણના દંડકારણ્યમાંની સેનાના અધિપતિ. મારિચ - તાડકાનાપુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ. ઇન્દ્રજીત/મેઘનાદ - રાવણના મોટો પુત્ર. મકરધ્વજ - હનુમાનજીના પુત્ર. ઉર્મિલા - લક્ષમણના પત્ની. માંડવી - ભરતના પત્ની. અહલ્યા - ઋષિ ગૌતમના પત્ની જેને શ્રીરામે શ્રાપ મુક્ત કર્યા. રામાયણનો સંદેશ મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે. રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો. રામ, ભરત- ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે. સીતા - પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી લક્ષ્મણ - તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી. હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી. સુગ્રીવ - મિત્રતા. વાલી, રાવણ - શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ. વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ. મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે. બીજા રામાયણ મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે. તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ શ્રી રામ ચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે. વીસમી સદીમાં મોરારીબાપુ રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. ધારાવાહિક બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી. રામાયણના ફેરફારો નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યા પત્થરની મૂર્તિ બની ગઇ તે પ્રસંગ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછી અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વિશ્વામિત્ર રામને તેના આશ્રમમાં લઇ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્ન ચિત્ત થાય છે અને ગૌતમ મુનિ તેને ફરીથી સ્વીકારે છે. રામનું પત્થરની મૂર્તિ ને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે. મિથિલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ કોઇ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ વજનદાર અને ખૂબ જુનુ હોય છે જે રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે જુનુ હોવાથી તુટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થઇ સીતાને પરણાવવાની વાત કરે છે. ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતા તેમને જમીનમાંથી મળેલી હોય છે, જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે. લગ્ન વખતે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતાના લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે. કૈકેયી કોઇ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઇ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાંખવાની વાત વાલ્મિકી રામાયણમાં નથી. ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસની કલ્પના છે. વાલ્મિકી રામાયણમાં ગુહ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે. દરેક આશ્રમમાં ઘણા ઋષિમુનિઓ રહેતા હોય છે. આશ્રમો ખૂબ વિશાળ અને પોતાના વનો, બગીચાઓ ધરાવતા હોય છે. દરેક આશ્રમમાં ખાવા માટે મુખ્યત્વે કંદ, મૂળ, ફળો વગેરે પ્રાપ્ય હોય છે અને દરેકને માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય છે. ભરત અયોધ્યાના લોકો અને સેના સહિત ગંગા પાર કરે છે; ગુહ રાજાના નાવિકો બધી જ હોડીઓમાં પુરા રસાલાને રથો, સામાન સહિત નદી પાર કરાવે છે. હાથીઓ તરીને નદી પાર કરે છે. ચિત્રકુટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો કે વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે. ચિત્રકુટ છોડ્યા પછી દંડકારણ્યમાં રામ દશ વર્ષ સુધી રહે છે જે દરમિયાન બધા ઋષિઓની સાથે રહે છે અને એક આશ્રમથી બીજા આશ્રમ એમ ફરતા રહે છે. પંચવટીમાં સીતાનો અગ્નિપ્રવેશ અધ્યાત્મ રામાયણમાં દર્શાવ્યો છે, વાલ્મિકી રામાયણમાં નથી. ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને તેમને લોહી પણ નીકળે છે. લગભગ ત્રણ મુહુર્ત કે આઠ કલાકના યુદ્ધમાં ખર-દૂષણની ૧૪ હજારની સેનાનો નાશ થાય છે. ઘણા સૈનિકો ભાગી જાય છે અને રાવણને સમાચાર આપે છે. આ પછી રાવણ મારીચ પાસે રામ વિષે જાણવા જાય છે. મારિચ તેને રામને કશુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ પાછો લંકા જાય છે. ફરીથી શૂપર્ણખા ના કહેવા પછી તે મંત્રી જોડે ચર્ચા કરી સીતાનું અપહરણ કરવાનો વ્યૂહ ઘડે છે. લક્ષમણ જ્યારે રામને શોધવા સીતાને એકલા મુકી જાય છે ત્યારે સીતા ઘરની બહાર હોય છે. લક્ષ્મણ રેખાનો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ નથી. રાવણ બ્રાહ્મણનો વેષ ધરી સીતાને જોવા આવે છે. તે ભિક્ષા માંગવા આવતો નથી. આતિથ્ય સત્કારના ધર્મ મુજબ સીતા તેને કંદ, મૂળ, ફળો આપે છે. રાવણ સીતાને પોતે રાવણ હોવાનું અને પોતાની સાથે ચાલી નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇન્કાર કરે છે. આથી તેને કેડેથી પકડી લઇ રાવણ ચાલતો થાય છે અને પોતાના રથમાં લઇ જાય છે. રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના સેવકો અને સારથી હોય છે જેનો જટાયુ સાથેના યુદ્ધમાં નાશ થાય છે. રામ શબરીને મળવા જાય છે ત્યારે તેને શબરી ફળો વગેરે આપી સ્વાગત કરે છે. શબરીના એઠા બોર ખાવા તે કોઇ કવિની કલ્પના છે. આ પણ જુઓ મહાભારત બાહ્ય કડીઓ ગુજરાતીમાં રામાયણ-રહસ્ય-રામચરિતમાનસ શ્રેણી:ધર્મ શ્રેણી:ઇતિહાસ શ્રેણી:ધાર્મિક સાહિત્ય
હિંદુ
https://gu.wikipedia.org/wiki/હિંદુ
હિંદુ શબ્દ એવા વ્યક્તિની ઓળખ કરાવે છે કે જે ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્દભવેલાં વૈદિક ધર્મનાં તત્વજ્ઞાન, જીવનદ્રષ્ટી, ગ્રંથો તેમજ ધાર્મિક અને સાંસક્રુતિક જીવનશૈલીનો અનુયાયી હોય. દુનિયામાં આશરે ૯૨ કરોડ હિંદુઓ વસે છે અને એમાંના ૮૯ કરોડ ભારતમાં છે જ્યારે બાકીનાં 3 કરોડ દુનિયાનાં અન્ય દેશોમાં વસે છે. દુનિયાની વસતીના ૧૩.૫% ભાગ સાથે હિંદુઓએ હિંદુ ધર્મને ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ બનાવ્યો છે. ભારત સિવાયનાં અન્ય દેશો કે જ્યાં મોટી ગણનામાં હિંદુઓ વસે છે તેમાં નેપાળ, બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ્સ, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ તથા દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે. હિંદુ શબ્દનો ઇતિહાસ હિંદુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસલમાન, આરબ વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. સિંધૂને ગ્રીક, લેટીન અને બીજી યુરોપિયન ભાષામાં ઇન્ડસ તરીકે ઓળખવામાં આવી અને આથી જ ભારત દેશને યુરોપમાં ઇન્ડીયા તરીકે ઓળખવામાં આવ્યો. ભારતના પ્રાચીન લોકો તેમના ધર્મને સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે ઓળખે છે. મુસ્લિમોના આક્રમણ બાદ હિંદુ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે. પરિભાષા ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે: હિંદુ ધર્મની માન્યતાઓ, રૂઢિઓ તથા પરંપરાઓમાં રહેલી બહોળી વિવિધતાને કારણે હિંદુત્ત્વને ધાર્મિક, સાંસ્ક્રુતિક કે સામાજીક-રાજનૈતીક મંડળ તરીકે વર્ગીકૃત કરવામાં પણ અસમંજસ છે અને એટલેજ હિંદુને વર્ણવતી જગ માન્ય પરીભાષા પર એકમત મેળવવો કઠીન છે. એક સર્વજ્ઞ મત એવો છે કે હિંદુ ધર્મમાં આટલી વિવિધતાઓ હોવા છતાં તેઓને સાથે બાંધતો એક સેતુ છે કે જેમાં સમાન ધારણાંઓ (જેમકે ધર્મ, મોક્ષ અને સંસાર), રિવાજો (જેમકે પુજા, ભક્તિ વગેરે) તથા સાંસ્ક્રુતિક પરંપરાઓ સમાયેલા છે. અને એટલે એક હિંદુ એવો વ્યક્તિ હોઈ શકે કે જે હિંદુ તત્વજ્ઞાનની કોઈ એક શાખા, જેમકે અદ્વૈત, વિશિષ્ટાઅદ્વૈત, દ્વૈત કે દ્વૈતઅદ્વૈતનું અનુકરણ કરતો હોય. કોઈ એક દેવ કે દેવીને લગતા, જેમકે શૈવ પંથ, વિષ્ણુ પંથ કે શક્તિ પંથનાં રિવાજોનું પાલન કરતો હોય. કે પછી જે મોક્ષ મેળવવા માટે વિવિધ યોગ વિદ્યામાંથી કોઈ એક, જેમકે ભક્તિને સાધતો હોય. ઈ.સ. ૧૯૯૫નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે “હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય” એ પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે: રસ્તા અલગ અલગ હોઈ શકે તે માન્યતાનો સ્વીકાર, અને એ સત્યને સમજવું કે પુજનીય દેવો ધણા છે, તેજ હિંદુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. જો કે પૂજનીય દેવો ઘણા છે અને એક જ છે, ઈશ્વર સાકાર છે અને નિરાકાર છે, ઈશ્વરના પ્રતિક તરીકે મૂર્તિ અને ઈશ્વર સર્વત્ર છે આવી બંને પ્રકારની માન્યતાનો સ્વીકાર થયેલો છે. અમુક બુધ્ધિજીવીઓએ હિંદુને હિંદુ ધર્મથી અળગો કરી તેને ધર્મ અનુયાયીથી વધુ, એક આગવી ઓળખ આપવાના પ્રયત્નો કર્યા છે કે જેમાં હિંદુ એક રાષ્ટ્રવાદી કે સામાજિક-રાજનૈતિક વર્ગનો સભ્ય હોય. વીર સાવરકરે તેમની વગદાર પત્રીકા - "હિંદુત્વ: હિંદુ કોણ છે" માં ભૌગોલીક એકતા તેમજ સહીયારી સંસ્ક્રુતિ તથા જાતિને હિંદુઓને ઓળખાવતા ગુણો કહ્યા છે; અને એટલે હિંદુ એક એવો વ્યક્તિ છે કે જે "ભારતને પોતાની પિત્રુભુમી તથા પુજ્યભુમી અને પોતાના ધર્મનું જન્મસ્થાન માનતો હોય." હિંદુત્વના આ પ્રત્યયીકરણે છેલ્લા એક દશકમાં હિંદુ રાષ્ટ્રવાદમાં મુખ્ય ભુમીકા ભજવી છે. જો કે, જેને આજના સમયમાં લોકો 'હિંદુ ધર્મ' એ નામથી ઓળખે છે તે ધર્મના કોઈપણ ધર્મગ્રંથમાં તે મુજબની માન્યતા ધરાવતો વર્ગ હિંદુ તરીકે ઓળખાશે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો તરીકે ઓળખાતા કોઈ પણ ગ્રંથોમાં હિંદુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી જેથી 'હિંદુ ધર્મ' જેવો શબ્દ પાછળથી લોકમુખે પ્રચલિત થયો હોવાનું વિદ્વાનો માને છે. શ્રેણી:હિંદુ ધર્મ
સિંધુ
https://gu.wikipedia.org/wiki/સિંધુ
સિંધુ નદી ભારતીય ઉપખંડમાંની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી આ નદી જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે ભળી જાય છે. આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪,૫૦,૦૦૦ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદીમાંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં સિંધુના બીજા વીસ જેટલા ફાંટા પડે છે. સંદર્ભ શ્રેણી:ભારતની નદીઓ
માન સરોવર
https://gu.wikipedia.org/wiki/માન_સરોવર
માન સરોવર તળાવ લ્હાસાથી આશરે ૨૦૦૦ કિ.મી. દૂર ચીનના તાબામાં આવેલા તિબેટમાં આવેલું છે. તે પીવાલાયક તાજા પાણીથી ભરેલું છે. તેની પશ્ચિમે રક્ષાસ્થલ સરોવર અને ઉત્તરે કૈલાસ પર્વત આવેલ છે. ભૂગોળ માન સરોવર દરિયાની સામાન્ય સપાટીથી ૪૫૫૬ મી.ની ઉંચાઇ પર છે. તે દુનિયાનું સૌથી ઉંચુ પીવાલાયક તાજા પાણીનું સરોવર છે. આકારમાં સરોવર ગોળ છે. તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મી. અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મી. છે. શિયાળામાં તેનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધુ અને કર્નાલી નદી સરોવરની આસપાસથી નીકળે છે. સાંસ્કૃતિક મહત્વ કૈલાસ પર્વતની માફક, માન સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. ભારત, તિબેટ અને બીજા પડોશી દેશોમાંથી ઘણા યાત્રાળુઓ દર વર્ષે અંહિ આવે છે. ખાસ કરીને ભારતમાંથી નિયમિત રીતે યાત્રાઓ ગોઠવાય છે જેમાં કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે. હિંદુ માન્યતા મુજબ, સરોવરની ઉત્પતિ સૌપ્રથમ બ્રહ્માના મનમાં થઇ હતી, આથી તેને માનસ્+સરોવર = માનસરોવર કહેવામાં આવે છે. હિંદુ લોકો હંસ પક્ષીને ડાહ્યુ અને પવિત્ર માને છે અને માનસરોવર હંસ પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન ઘર બની રહે છે. (હંસનું તાત્વિક મહત્વ પણ છે કે - હંસ..હંસ.. વારે વારે બોલવાથી સોહમ્ સોહમ્ બોલાય/સંભળાય છે, જે ઉપનિષદનો સંદેશ છે.) બૌદ્ધ લોકો તેને અનોતટા સરોવર તરીકે પણ ઓળખે છે જ્યાં માયા દેવીએ બુદ્ધને ગર્ભમાં ધારણ કરેલા. સરોવરના કિનારા પર થોડા આશ્રમો-બૌદ્ધિક મઠો પણ છે. ચ્યુ ગોમ્પા તરીકે ઓળખાતો એક મઠ ઘણો જાણીતો છે જે એક ઊભી ટેકરી પર બનાવેલ છે અને એવું લાગે કે જાણે પત્થરમાંથી જ કોતર્યો હોય. વધુ માહિતી http://www.kmyatra.org/lake-mansarovar.htm શ્રેણી:હિંદુ ધર્મ શ્રેણી:પવિત્ર સરોવરો
ચાણક્ય
https://gu.wikipedia.org/wiki/ચાણક્ય
ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. બાળપણ ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા. ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો. એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ. તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે પાકિસ્તાનમાં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું. એલેકઝાન્ડર અલક્ષેન્દ્ર (અલિકસુંદર) તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો ઈરાનને જીતી ભારત પર - અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે પર્વતેશ્વર (પોરસ) ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી એલેકઝાન્ડરમાં ભળી ગયો અને પર્વતેશ્વર સામે લડાઇ કરવા તેની સાથે થયો. મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વૈતક્તિક મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ. ક્રાંતિ પાટલીપુત્ર છોડી તેઓ તક્ષશિલા જવા તૈયાર થયા. રસ્તામાં તેમણે બાળકોને રમતા જોયા જ્યા એક બાળક બીજા બધાનો રાજા બની તેમને ન્યાય આપતો હતો. બાળકની ન્યાયની સમજણ જોઇ ચાણક્યે તેને જ પાટલીપુત્રનો રાજા બનાવવા નિશ્ચય કર્યો અને તેને તેની માતા પાસેથી ખરીદી લીધો. તેણે માતાને સમજાવી કે તે તેના પુત્રને મહાન બનવાની શિક્ષા આપશે. આ પુત્ર એટલે ચંદ્રગુપ્ત અને તે મુરા દાસીનો પુત્ર હોવાથી તેને મૌર્ય કહેવાય છે. તક્ષશિલામા આવી ચંદ્રગુપ્તને ભણવા મુકયો અને પોતે શિક્ષણ કાર્ય ચાલું રાખ્યું. તેમણે એલેક્ઝાન્ડરના સૈન્યમાં ભારતીય સૈન્યોની ઘણી અફવા ફેલાવી હતી; એલેક્ઝાન્ડરનું સૈન્ય લાંબા પ્રવાસથી થાકી ગયું હતું અને બધી અફવાથી તેમણે ભારતમાં આગળ યુદ્ધ ન કરવા બળવો કર્યો. એલેક્ઝાન્ડર પણ પોરસ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો આથી તેણે નિ:સહાય પાછા ફરવાનું નક્કી કર્યુ અને સેલ્યુકસને તે પ્રાંત સોંપી પોતે ગ્રીક જવા સિંધુ અને સમુદ્ર માર્ગે પાછો ફર્યો. એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકોને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા. ધનનંદનો નાશ right|thumb|ધનનંદનું સામ્રાજ્ય, ઇ.સ. પૂર્વે ૩૨૩ પાટલીપુત્રમાં તેમણે નાલંદા વિદ્યાપીઠ ઊભી કરવા રાજાને વિનંતિ કરી. તેમને ખબર હતી કે ધનનંદ આવી વાતની ના પાડશે સાથે સાથે આવી જ કોઇ વાતથી પાટલીપુત્રની પ્રજા રાજા સામે બળવો કરશે. ચાણક્યનો પ્રસ્તાવ રાજાએ ઠુકરાવ્યો અને બધા જ મંત્રીઓ રાજા પ્રત્યે નારાજ થયા. આ જ દરમિયાન ચાણક્યના વિશ્વાસુ લોકોએ ધનનંદના પુત્રને, સેનાપતિને ફોડી લીધા. નગરમાં એક રાત્રી યુદ્ધ પણ થયું અને ચાણકયએ ચંદ્રગુપ્ત જે ગુપ્તવેશે નગરમાં આવેલો તેને રાજા બનાવ્યો અને ધનનંદને સવાર પહેલા જ રથમાં બેસાડી નગર બહાર મોકલી આપ્યો. ધનનંદના જ મહામંત્રી રાક્ષસને મહાઅમાત્ય તરીકે નિયુક્ત કર્યા. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ઇતિહાસ શ્રેણી:ભારતના અર્થશાસ્ત્રીઓ શ્રેણી:વ્યક્તિત્વ
શિવાજી
https://gu.wikipedia.org/wiki/શિવાજી
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસ નો અગત્ય નો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. શિવાજી પહેલાની રાજકીય પરિસ્થિતિ ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલાઉદ્દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી. ૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતી ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું. ૧૬૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી - બિજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા. આ દરમિયાન દિલ્હીની સત્તા શાહજહાંના હાથમાં હતી. શિવાજીનું કુટુંબ શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી જીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી. પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મુઘલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બિજાપુર આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને 'સર લશ્કર' નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા. બાળપણ thumb|right|રાયગઢનો કિલ્લો શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદવિવાદ છે. ૧૯ ફેબ્રુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ 'શિવા' રાખ્યુ હતુ. જીજાબાઇને બીજા પુત્રો હતા પરંતુ, એક બીજા મોટા પુત્ર સિવાય કોઇ જીવ્યુ ન હતું. શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને ૧૬૩૬માં હરાવ્યા હતા. ના છુટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી. મહારાજ્યનો પાયો શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં હતા - પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી. શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે "આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે." આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ. સ્થાનિક સલ્તનત સાથે સંઘર્ષ સુરતની લુંટ સુરત યુદ્ધ કે જે ૫ જાન્યુઆરી, ૧૬૬૪ માં છત્રપતિ શિવાજી મહારાજ અને ઇનાયત ખાન જે એક મુઘલ સુબેદાર હતો તેમની વચ્ચે સુરત શહેર, ગુજરાત નજીક થયું હતું. જેમાં શિવાજીએ પ્રમાણમાં નાના મુઘલ દળને હરાવ્યું. શિવાજીએ યુદ્ધ પછી સુરત શહેરમાં ઐતિહાસિક લુંટ ચલાવી હતી. ત્યાર પછી તે પરત ફરતા ભવાની માતા ના મંદિર એ દર્શન કરી સૂર્યપુત્રી નદી કુદાવી હતી. પ્રતાપગઢની લડાઇ ઈનાયત ખાન સાથે લડાઇ ઇનાયત ખાન આદિલ શાહ નો સુબેદાર હતો. તેને આદિલ શાહ ની માતા ને શિવાજીનું માથુ લાવવાનું વચન આપ્યુ હતુ. શિવાજી એ રાયેશ્વર મંદિર પર તોરના કિલ્લામા રહેલા તોરનાદેવીને મુક્ત કરવા ની પ્રતીજ્ઞા લીધી.શિવાજી એ બહુરુપી જોડે જઇ ને ઇનાયત ખાન ને મારીને તોરના કિલ્લામાં તોરનાદેવીના મંદિરમાં નવરાત્રિ મનાવી અને લોકોને ઇનાયત ખાનના અત્યાચારમાંથી મુક્ત કર્યા. મુઘલ સાથે લડાઇ શાઈસ્ત ખાન શિવાજીએ મુઘલ પ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાઈસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાઈસ્ત ખાને અહેમદનગરથી વિજયકૂચ કરી પૂનાનો કિલ્લો જીતી લીધો. પૂનામાં તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાઈસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેના પુત્રને લશ્કરે મારી નાંખ્યો. આગ્રાની કેદ અને છુટકારો સિંહગઢની લડાઇ આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, "ગઢ આલા પણ સિંહ ગેલા" (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. રાજ્યાભિષેક જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો. દક્ષિણ દિગ્વિજય ઇ.સ. ૧૬૭૭-૭૮ માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું. સંદર્ભ શ્રેણી:ઇતિહાસ શ્રેણી:વ્યક્તિત્વ શ્રેણી:મરાઠા સામ્રાજ્ય
યુગ
https://gu.wikipedia.org/wiki/યુગ
હિંદુ ધર્મ પ્રમાણે, યુગ () એ સમયનું એક માપ છે. યુગ ચાર છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ - જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય. કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા. યુગો સત્યયુગ (૧૭,૨૮,૦૦૦ વર્ષ) ત્રેતાયુગ (૧૨,૯૬,૦૦૦ વર્ષ) દ્વાપરયુગ (૮,૬૪,૦૦૦ વર્ષ) કળિયુગ (૪,૩૨,૦૦૦ વર્ષ) મન્વન્તરો સ્વયંભુ સ્વરોચિષ ઔત્તમિ તામસ રૈવત ચાક્ષુષ વૈવસ્વત અર્ક સાવર્ણિ બ્રહ્મ સાવર્ણિ દક્ષ સાવર્ણિ ધર્મ સાવર્ણિ રુદ્ર સાવર્ણિ રૌચ્ય ભૌત્ય સંદર્ભ શ્રેણી:સમય શ્રેણી:હિંદુ ધર્મ
સત્યયુગ
https://gu.wikipedia.org/wiki/સત્યયુગ
ચાર પ્રસિદ્ધ યુગ માં સત્યયુગ અથવા કૃતયુગ પ્રથમ મનાય છે. પ્રાચીન વૈદિક ગ્રંથો સત્યયુગ, ત્રેત્રયુગા વગેરેના મહાકાવ્યમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ નથી હોવા છતાં, સ્મૃતિયો અને ખાસ કરીને પુરાણોમાં ચાર યુગનો વિસ્તૃત પ્રતિપાદન છે. પુરાણોમાં સત્યયુગ સંબંધિત નીચેની વિગતો આપવામાં આવી છે - ''વૈશાખ શુક્લ અક્ષય તૃતીયા રવિવાર ના આ યુગ ની ઉત્પત્તિ થઈ હતી. તેનું કદ 17,28,000 વર્ષ છે. આ યુગ માં ભગવાન ના મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહાવતાર અને નરસિંહાવતાર આ ચાર અવતાર થયા હતા. આ સમયગાળા દરમિયાન સુવર્ણ પરંપરાઓની સમૃદ્ધિ હતી. મનુષ્ય અત્યંત દીર્ઘકૃત અને લાંબા આયુષ્ય વાળા હતા. આ યુગ ના પ્રધાન તીર્થ પુષ્કર હતા. આ યુગ માં જ્ઞાન, ધ્યાન અથવા તપ ના પ્રાધાન્ય હતા. પ્રત્યેક પ્રજા પુરુષાર્થસિદ્ધિ કરી કૃતકૃત્ય થતા, એટલે જ આ "કૃતયુગ" કહેવાય છે. ધર્મ ચાર ઘણું(સૌથી સંપૂર્ણ) હતું. મનુના ધર્મશાસ્ત્ર આ યુગમાં એકમાત્ર વિશ્વસનીય ગ્રંથ છે. મહાભારત માં આ યુગ ના વિષય માં એ વિશિષ્ટ મત મળે છે કે કલિયુગ ના પછી કલ્કિ દ્વારા આ યુગ ની પુનઃ સ્થાપના થશે (વન પર્વ 191/1-14). વન પર્વ 149/11-125) માં આ યુગ ના ધર્મ નો વર્ણ દ્રષ્ટવ્ય છે. બ્રહ્મા નો એક દિવસ ૧૦,૦૦૦ ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે: ચાર યુગ ૪ ચરણ (૧,૭૨૮,૦૦૦ સૌર વર્ષ)સત યુગ ૩ ચરણ (૧,૨૯૬,૦૦૦ સૌર વર્ષ) ત્રેતા યુગ ૨ ચરણ (૮૬૪,૦૦૦ સૌર વર્ષ)દ્વાપર યુગ ૧ ચરણ (૪૩૨,૦૦૦ સૌર વર્ષ)કલિ યુગ સંદર્ભ શ્રેણી:હિંદુ ધર્મ
ત્રેતાયુગ
https://gu.wikipedia.org/wiki/ત્રેતાયુગ
thumb|હિન્દૂ કાલ સારણી ત્રેતાયુગ હિન્દૂ ધર્મ અનુસાર ચાર યુગો માં થી એક યુગ છે. ત્રેતા યુગ માનવકાલ ના દ્વિતીય યુગ ને કહેવાય છે. આ યુગ માં વિષ્ણુ ના પાંચમા, છઠ્ઠા અને સાતમાં અવતાર પ્રકટ થયા હતા. આ અવતાર વામન,Vamana Avatar પરશુરામ અને રામ હતા. આ યુગ માં ૠષભ રૂપી ધર્મ ત્રણેય પાયા ઉપર ઉભો હતો.Kali Yuga આનાથી પહેલા સત્યયુગ માં એ ચારેય પાયા ઉપર ઉભો હતો. એના પછી દ્વાપર યુગ માં એ બે પાયા પર અને આજ ના અનૈતિક યુગ માં, જેને કલિયુગ કહેવાય છે, ફક્ત એક પાયા પર જ ઉભો છે. આ કાલ રામ ના દેહાંત થી સમાપ્ત થાય છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષ નો હતો. બ્રહ્મા નો એક દિવસ 10,000 ભાગો માં વેંચાયેલો હોય છે, જેને ચરણ કહેવાય છે: ચાર યુગ ૪ ચરણ (૧,૭૨૮,૦૦૦ સૌર વર્ષ)સત યુગ ૩ ચરણ (૧,૨૯૬,૦૦૦ સૌર વર્ષ) ત્રેતા યુગ ૨ ચરણ (૮૬૪,૦૦૦ સૌર વર્ષ)દ્વાપર યુગ ૧ ચરણ (૪૩૨,૦૦૦ સૌર વર્ષ)કલિ યુગ આ ચક્ર આવી જ રીતે ફરતું રહે છે, કે બ્રહ્મા ના એક દિવસ માં 1000 મહાયુગ થઈ જાય છે. જ્યારે દ્વાપર યુગ માં ગંધમાદન પર્વત પર મહાબલી ભીમ સેન હનુમાનજી થી મળ્યા તો હનુમાનજી ને કહ્યું - કે હે પવન કુમાર તમે તો યુગો થી પૃથ્વી પર નિવાસ કરી રહ્યા છો તમે મહા જ્ઞાન ના ભંડાર છો બળ બુદ્ધિ માં પ્રવીણ છો કૃપયા તમે મારા ગુરુ બનીને મને શિષ્ય રૂપ માં સ્વીકાર કરીને મને જ્ઞાન ની ભિક્ષા આપો તો હનુમાનજી એ કહ્યું - હે ભીમ સેન સૌથી પહેલા સતયુગ આવ્યું જેમાં જે કામનાઓ મન માં આવતી હતી એ કૃત(પુરી) થઈ જતી હતી એટલે એને ક્રેતા યુગ(સત યુગ) કહેવાતું હતું એમાં ધર્મ ને ક્યારેય હાનિ નહોતી થતી એના પછી ત્રેતા યુગ આવ્યું આ યુગ માં લોકો કર્મ કરીને કર્મ-ફળ પ્રાપ્ત કરતા હતા, હે ભીમ સેન પછી દ્વાપર યુગ આવ્યું આ યુગ માં વેદો ના ૪ ભાગ થઈ ગયા અને લોકો સત ભ્રષ્ટ થઈ ગયા ધર્મ ના માર્ગ થી ભટકવા લાગ્યા છે અધર્મ વધવા લાગ્યું, પરંતુ હે ભીમ સેન હવે જે યુગ આવશે એ છે કલિયુગ આ યુગ માં ધર્મ ખતમ થઈ જશે મનુષ્ય ને એની ઈચ્છા ના અનુસાર ફળ નહીં મળે ચારે દિશામાં અધર્મ નું સામ્રાજ્ય દેખાશે.
દ્વાપરયુગ
https://gu.wikipedia.org/wiki/દ્વાપરયુગ
દ્વાપર યુગએ હિંદુ ધર્મ પ્રમાણે ચાર યુગોમાંનો ત્રીજો યુગ છે. આ યુગ ત્રેતાયુગ અને કલિયુગની વચ્ચે આવે છે. પુરાણો પ્રમાણે, આ યુગનો અંત જ્યારે કૃષ્ણ વૈકુંઠમાં પાછા ફર્યા ત્યારે થયો હતો. ભગવદ પુરાણ પ્રમાણે, દ્વાપર યુગનો સમય ૮,૬૪,૦૦૦ વર્ષોનો માનવામાં આવે છે. 12.2.29-33 પરંતુ, આ વર્ષ એટલે પૃથ્વીને સૂર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મતો પ્રવર્તે છે. દ્વાપર યુગ દરમિયાન ધર્મના બે જ સ્થંભો છે - અર્થ અને સત્ય. વિષ્ણુ પીળો રંગ ધારણ કરે છે અને વેદોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા - ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ સમય ગાળા દરમિયાન બ્રાહ્મણોને બે અથવા ત્રણ વેદોનું જ્ઞાન હતું પણ તેમણે ભાગ્યે જ ચારેય વેદોનો સંપૂર્ણ અભ્યાસ કરેલો. આ વર્ગીકરણને કારણે વિવિધ વર્ણો અસ્તિત્વમાં આવ્યા. શ્રેણી:ઇતિહાસ શ્રેણી:હિંદુ ધર્મ
કળિયુગ
https://gu.wikipedia.org/wiki/કળિયુગ
કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે.ભાગવત પુરાણ (1.18.6), વિષ્ણુ પુરાણ (5.38.8), અને બ્રહ્મા પુરાણ (212.8), કૃષ્ણે જ્યારે પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી.જુઓ: Matchett, Freda, "The Puranas", p 139 and Yano, Michio, "Calendar, astrology and astronomy" in આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે. કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે. સંદર્ભો શ્રેણી:ઇતિહાસ શ્રેણી:હિંદુ ધર્મ
જુનાગઢ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/જુનાગઢ_જિલ્લો
thumb|200px|right|ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે. ભૂગોળ પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લો એ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસ્તી ૨૭,૪૩,૦૮૨ છે જે જમૈકા દેશ અથવા યુ.એસ.એ.ના રાજ્ય ઉટાહ જેટલી છે. ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી જુનાગઢનો વસ્તીની દ્રષ્ટિએ ૧૪૨મો ક્રમ છે. જિલ્લાની વસ્તી ગીચતા ૩૧૦ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વધારો ૧૨.૦૧% રહ્યો હતો. જુનાગઢમાં જાતિ પ્રમાણ ૯૫૨ અને સાક્ષરતા ૭૬.૮૮% છે. તાલુકાઓ કેશોદ જુનાગઢ ગ્રામ્ય જુનાગઢ શહેર ભેંસાણ માણાવદર માળિયા માંગરોળ મેંદરડા વંથલી વિસાવદર ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. નવ રચિત જિલ્લામાં, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો.ગુજરાત સરકારે આજે સાત નવા જિલ્લાની જાહેરાત કરી જોવાલાયક સ્થળો તુલસીશ્યામ સતાધાર દામોદર કુંડ ઉપરકોટ કિલ્લો ગિરનાર જૈન મંદિરો અને અંબાજી તથા દત્તાત્રેય શિખર (ગોરખનાથ) મહાબત મકબરો સિંચાઇ જુનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હીરણ, મચ્‍છુન્‍દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી.મી. છે. ઉત્પાદન તથા વિકાસ જિલ્લાનાં ઉત્પાદનો તથા વિકાસની રૂપરેખામુખ્ય પાક મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા, મકાઈ, કેળ, કઠોળમુખ્ય ખનીજો ચોક, લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થરમુખ્ય વ્યવસાય કૃષિ, પશુપાલન, માછીમારીપરિવહન વ્યવસ્થા રેલ્વે ૪૨૧ કિ.મી.રસ્તા ૪૮૧૦ કિ.મી.બંદરો ૧ (માંગરોળ)એરપોર્ટ ૧ (કેશોદ)પોસ્ટ ઓફીસ ૯૭૪બેંક રાષ્‍ટ્રીયકૃત બેંકની શાખા ૧૨૬સહકારી, ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની શાખા ૧૩કો-ઓપરેટીવ બેંકની શાખા ૬૩ગ્રામિણ બેંકની શાખા ૨૨ ઉદ્યોગો ઔદ્યોગિક વસાહતો જૂનાગઢ, વિસાવદર, શીલ લઘુ ઉદ્યોગ એકમો - ૬૪૮૬ મધ્‍યમ, મોટા ઔદ્યોગિક એકમો - ૪૪ ઔદ્યોગિક સહકારી મંડળી - ૨૭પ શિક્ષણ શિક્ષણ સંસ્થાઓ પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦ માધ્યમિક શાળાઓ - ૩૪૩ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪ કોલેજ - ૧૬ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રાજકારણ વિધાનસભા બેઠકો |} આ પણ જુઓ જૂનાગઢ સિંચાઇ વિભાગના જળબંધો સંદર્ભ બાહ્ય કડીઓ જુનાગઢ જિલ્લા પંચાયતની વેબસાઇટ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ શ્રેણી:સૌરાષ્ટ્ર
ગિરનાર
https://gu.wikipedia.org/wiki/ગિરનાર
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે. ભૂસ્તરશાસ્ત્ર ગિરનાર પર્વત ડેક્કન ટ્રેપની રચના પછી સંવાદી અંતર્ભેદન દ્વારા રચાયેલ લેકોલીથ પ્રકારના ખડકોનો બનેલ છે. એ ગ્રેબ્રો, લેંપ્રોફાયર, ડાયોરાઈટ, રાહ્યોલાઈટ, લીંબરગાઈટ, સાયનાઈટ પ્રકારના ખડકો ધરાવે છે. અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો. ત્યારબાદ ક્રમશ: સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા. ઇતિહાસ સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં. આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે, ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ? મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ? અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે. પુરાણોમાં ઇતિહાસ પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ (તા. ભેંસાણ) અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો. ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે. ગિરનારની પરિક્રમા મહત્વ thumb|ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર, રૂપાયતન ખાતે શ્રદ્ધાળુઓ ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રકૃતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. પરિક્રમાનાં સ્થળ thumb|ગિરનાર પરિક્રમામાં સાધુ સંતો જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે. યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે. પરિક્રમામાં સેવાકીય પ્રવૃત્તિ ગિરનાર ફરતે દર વર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે. ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૃદ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યુલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે. ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે શિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળામાં સમગ્ર ભારતનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. પુરાણો ઇતિહાસ ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે. આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે. ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો. thumb|ભવનાથ મહાદેવ જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે. મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે. ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે. મહત્વ અને વર્ણન ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમ થી મહા વદ ચૌદશ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે. આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે. ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદિરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે. નાગાબાવાઓનું સરઘસ ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે. આ સરઘસ શિવરાત્રિની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે. આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખૂબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે. શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે. રાવટી અને ઉતારા સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે. ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે. આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. મંદિરો નેમીનાથ દેરાસર ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનાર પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમિનાથ અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે. ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદિર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદિર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભ દેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા'માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદિરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદિરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે. આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા'ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદિર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્વનાથના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. સહ્સાવાન્ નમીનાથજીનાં દેરાસર ભગવાન નેમિનાથની કલ્યાણક ભૂમી, અર્વાચીન મંદિર. અંબાજીનું મંદિર ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે. આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે. ગોરખનાથનો ધુણો thumb|200px|right|ગોરખનાથની ટુક આમ અંબાજી માતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે. અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખૂબજ થકાવનારો હોય છે. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે. દતાત્રેયનો ધુણો thumb|200px|right|દતાત્રેય ટુક (આગળ), કાલકા ટુક (પાછળ) ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે. આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે. મીરા દાતાર ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ નવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે, ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર. અન્ય સ્થળો અશોકનો શિલાલેખ અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઇતિહાસના અમુલ્ય વારસા સમ્રાટ અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. દામોદર કુંડ thumb|250px|right|દામોદર કુંડ જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદિર આવેલું છે. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન (સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી. વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલે કે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે. ઉડનખટોલા ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસથી ગિરનાર પર્વત પર ઉડનખટોલા/રોપ-વેનું સંચાલન શરુ થયું છે. રોપ-વેમાં ભવનાથ તળેટીથી શરુ કરીને અંબાજી ટૂંક સુધી પ્રવાસ કરતા આઠ મિનિટનો સમય લાગે છે. તેનો ટીકીટના દર ૭૦૦ રૂ. રીટર્ન ટીકીટના અને ૪૦૦ રૂ એક તરફી પ્રવાસના રાખવામાં આવ્યા છે. પૂરક વાચન સંદર્ભ બાહ્ય કડીઓ ગિરનાર પર્વત વિશે ગુજરાત પ્રવાસન વિભાગની વેબસાઇટ પર માહિતી શ્રેણી:ધાર્મિક સ્થળો