title
stringlengths
1
78
url
stringlengths
31
108
text
stringlengths
0
119k
એરિસ્ટોટલના ચક્રનો વિરોધાભાસ
https://gu.wikipedia.org/wiki/એરિસ્ટોટલના_ચક્રનો_વિરોધાભાસ
right|thumb|એરિસ્ટોટલનું ચક્ર. બંન્ને વર્તુળોના પરિઘ સંદર્ભ બિંદુઓ દ્વારા કાપવામા આવેલુ અંતર, કે જે અહીં વાદળી અને લાલ ત્રુટક રેખાઓ દ્વારા દર્શાવવામાં આવ્યુ છે, એ સમાન છે. એરિસ્ટોટલના ચક્રનો વિરોધાભાસ, એ એક ગ્રીક કાર્ય યાંત્રિકી મિકેનિકામાં મળી આવતો વિરોધાભાસ અથવા સમસ્યા છે, જે પરંપરાગત રીતે એરિસ્ટોટલને આભારી છે. આ વિરોધાભાસનો સિધ્ધાંત એ છે કે: એક ચક્રને દ્વિ-પરિમાણીય અવકાશમાં બે વર્તુળો તરીકે દર્શાવવામાં આવે છે. આ ચક્રનું મોટું, બાહ્ય વર્તુળ આડી સપાટીના સંપર્કમા છે (દા.ત. એક માર્ગ કે જેના પર તે ફરે છે), જ્યારે નાનું, આંતરિક વર્તુળ, મોટા વર્તુળ પર સ્થાયી સ્વરૂપે ચોંટેલુ છે, અને આ બંન્ને વર્તુળોના કેન્દ્રો સમાન છે. (આ નાનું વર્તુળ ચક્રનો મણકો, કે પછી ચક્ર પર લગાવેલ રિમ અથવા ધરી હોઈ શકે છે.) ધારો કે, આ બાહ્ય મોટુ વર્તુળ એક સંપૂર્ણ ક્રાંતિ કે ધરીભ્રમણ માટે લપસ્યા વિના (અથવા ઘસાયા વિના) ગોળ ફરે છે, ત્યારે આ બંન્ને વર્તુળોના પરિઘ દ્વારા કપાયેલુ અંતર સમાન હોય છે. આ વિરોધાભાસ એટલા માટે સર્જાય છે, કારણ કે અહીં મોટા વર્તુળ દ્વારા કાપવામા આવેલું અંતર તેના પરિઘ જેટલું જ હોય છે, પરંતુ નાના વર્તુળ માટે આ અંતર તેના પરિઘ કરતા વધારે હોય છે. આ વિરોધાભાસ માત્ર ચક્રો સુધી મર્યાદિત નથી: દ્વિ-પરિમાણમાં દર્શાવવામાં આવેલી અન્ય કોઈ પણ વસ્તુઓ સમાન વર્તન દર્શાવે છે, જેમ કે ટેપનો રોલ, અથવા તેની બાજુ પર વળેલી લાક્ષણિક ગોળ બોટલ અથવા બરણી (જેમા નાનુ વર્તુળ બરણીનું અથવા બોટલનુ ઢાંકણું અથવા કાંઠો હશે ). આ સમસ્યાના એક વૈકલ્પિક સંસ્કરણમાં, મોટા બાહ્ય વર્તુળને બદલે નાનું આંતરિક વર્તુળ, આડી સપાટીના સંપર્કમાં છે. આ ઉદાહરણમાં એક લાક્ષણિક ટ્રેનના પૈડાનો સમાવેશ કરી શકાય છે, કે જેમાં ફ્લેંજ હોય છે, અથવા બેન્ચ પર લટકતી બાર્બેલ હોય છે. ઈઝરાયેલ ડ્રેબ્કીન નામક એક અમેરિકન શિક્ષક અને તત્ત્વચિંતકે, આ કેસ II પ્રકારના વિરોધાભાસની આવૃત્તિ તૈયાર કરી હતી, અને એક સમાન, પરંતુ અસામ્ય, વિશ્લેષણ લાગુ પાડ્યુ હતુ. સંદર્ભ
બ્રહ્મપુત્રા નદી
https://gu.wikipedia.org/wiki/બ્રહ્મપુત્રા_નદી
બ્રહ્મપુત્રા નદી તિબેટ, ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી નદી છે. તે વહેણ વડે વિશ્વની ૯મી સૌથી મોટી અને ૧૫મી સૌથી લાંબી નદી છે. વિવિધ નામો તે તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, આસામમાં બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે. ઉદગમ અને માર્ગ બ્રહ્મપુત્રા નદી તિબેટના માન સરોવરમાંથી નીકળે છે. તે તેના ઉદગમથી ૧,૧૨૫ કિ.મી. અંતર સુધી પૂર્વમાં વહે છે. ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ચીનમાં તે મુખ્ય હિમાલય પર્વતમાળાની દક્ષિણે નીએન ચેન તાંગલા સુધી વહે છે. ત્યાંથી પૂર્વ હિમાલયને ભેદીને અરુણાચલના સિયાંગ ઉપવિભાગ પાસે ઈશાન ભારતમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગ નામથી પણ ઓળખાય છે. અહીં તે નૈઋત્ય તરફી વળાંક લે છે અને ૭૨૦ કિ.મી. જેટલી આસામની ખીણમાંથી પસાર થાય છે. ત્યાંથી તે દક્ષિણ તરફ ફંટાઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તે ગંગા અને મેઘના નદીઓ સાથે મળીને સુંદરવન નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ રચે છે. આખરે તે બંગાળના ઉપસાગરને (બંગાળની ખાડી) મળી જાય છે. સહાયક નદીઓ બ્રહ્મપુત્રા નદીને માનસ, સુબનસીરી, ધાનસીરી, કામેંગ, તિસ્તા, જયભોરેલી, દિસાંગ, કોપલી, લોહિત જેવી ૨૪ સહાયક નદીઓ છે. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ભારતની નદીઓ
ફેની નદી
https://gu.wikipedia.org/wiki/ફેની_નદી
ફેની નદી ભારતના ત્રિપુરા રાજ્ય અને બાંગ્લાદેશમાંથી વહેતી એક મહત્ત્વની નદી છે. આ નદીનો ઉદગમ ત્રિપુરા રાજ્યના દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં થાય છે. પછી તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને મુહરી નદીમાં તેનો વિલય થઈ જાય છે. થોડા અંતર પછી મુહરી નદી બંગાળના ઉપસાગરમાં સમાઈ જાય છે. સંદર્ભ શ્રેણી:ભારતની નદીઓ
વૈનગંગા નદી
https://gu.wikipedia.org/wiki/વૈનગંગા_નદી
વૈનગંગા નદી મધ્યભારતની એક મહત્ત્વની નદી છે. ઉદગમ અને માર્ગ આ નદી મધ્ય પ્રદેશ રાજ્યની દક્ષિણે આવેલ સાતપુડા પર્વતમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. શ્રેણી:ભારતની નદીઓ
રોહિણી (દેવી)
https://gu.wikipedia.org/wiki/રોહિણી_(દેવી)
રોહિણી એ હિંદુ ધર્મના એક દેવી છે અને તેઓ ચંદ્ર દેવના પ્રિય પત્ની છે. તેઓ દક્ષની પુત્રી અને અન્ય ૨૬ નક્ષત્રોની બહેન છે. ચંદ્રના ઘર (નક્ષત્રો કે જેમાંથી ચંદ્ર પસાર થાય છે)માંથી, કૃત્રિકા, રેવતી અને રોહિણી જેવા લઘુ નક્ષત્રોને ઘણીવાર દેવો અને માતાઓ તરીકે વર્ણવવામાં આવે છે. રોહિણીના નામનો અર્થ લાલ રંગ ધરાવનાર એવો થાય છે. "લાલ દેવી" (રોહિણી દેવી) તરીકે તેઓ અલ્દેબરાન (સૂર્ય કરતા મોટો લાલ તારો) અવતાર છે. પૌરાણિક કથા હિંદુ પૌરાણિક કથાઓમાં, રોહિણી રાજા દક્ષ અને રાણી પંચજનીની પુત્રી છે. તેઓ દક્ષની સત્તાવીસ પુત્રીઓમાંના એક છે જેમણે ચંદ્ર દેવતા સાથે લગ્ન કર્યા હતા. તે ચંદ્રની પ્રિય અને મુખ્ય પત્ની છે. ચંદ્રએ તેનો મોટાભાગનો સમય રોહિણી સાથે વિતાવ્યો, જેના કારણે તેની અન્ય પત્નીઓ ગુસ્સે થઈ અને તેઓએ આ અંગે તેમના પિતાને ફરિયાદ કરી. પોતાની પુત્રીઓને દુઃખી જોઈને દક્ષે ચંદ્રને તેની કીર્તિ ગુમાવવાનો શ્રાપ આપ્યો. છેવટે ચંદ્રની કીર્તિ આંશિક રીતે શિવ દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. રોહિણી એ રાશિચક્રનું ચોથું નક્ષત્ર છે, જેના પર ચંદ્ર શાસન કરે છે. તે વૃષભમાં ૧૦° ૦' થી વૃષભમાં ૨૩°૨૦' સુધી ફેલાયલો છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકોની આંખો ખાસ કરીને આકર્ષક હોય છે એવું માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ તારો રોહિણી છે અને એવું માનવામાં આવે છે કે આ તારાના પ્રભાવ હેઠળ જન્મ લેવાની તેમની પસંદગી પાછળ એક ખાસ ઉદ્દેશ્ય છે. સંદર્ભ શ્રેણી:જ્યોતિષ
ચેલમ્મા
https://gu.wikipedia.org/wiki/ચેલમ્મા
ચેલમ્મા એ ભારતના દક્ષિણ કર્ણાટક પ્રદેશના હિંદુ દેવી છે. આ દેવીને કોલારમાં કોલારમ્મા સાથે તેની પૂજા કરવામાં આવે છે અને તેનો વીંછી સાથે સંબંધ માનવામાં આવે છે. અનુયાયીઓ માને છે કે ચેલમ્મા મંદિરમાં પ્રાર્થના કરવાથી વ્યક્તિના વીંછીના કરડવાથી અને દેવતા દ્વારા ભયંકર વાયરસથી રક્ષા થાય છે. અહીં એક પ્રાચીન હુંડી છે જે જમીનમાં કોતરેલી છે અને છેલ્લા ૧૦૦૦ વર્ષથી લોકો તેમાં ભેટ કે કણિક આપે છે અને તેને કોઈએ તેને ખોલી નથી. એક એવી દંતકથા છે કે તેમાં કિંમતી પથ્થરો અને જૂના સમયના સોનાના સિક્કા છે. આ દેવીના નામમાં "અમ્મા" પ્રત્યય મુકવામાં આવ્યો છે જે મોટાભાગની દક્ષિણ ભારતીય દેવીઓ માટે સામાન્ય પ્રત્યય છે. બાહ્ય લિંક્સ કોલારના મંદિરો
દેવિકા રાણી
https://gu.wikipedia.org/wiki/દેવિકા_રાણી
દેવિકા રાણી (૩૦ માર્ચ ૧૯૦૮ – ૯ માર્ચ ૧૯૯૪) એક ભારતીય અભિનેત્રી હતા જે ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં સક્રિય હતા. ભારતીય સિનેમાના પ્રથમ મહિલા તરીકે વ્યાપકપણે સ્વીકૃત દેવિકા રાણીની સફળ ફિલ્મ કારકિર્દી ૧૦ વર્ષ સુધી ચાલી હતી. શ્રીમંત અંગ્રેજી ભારતીય પરિવારમાં જન્મેલા દેવિકા રાણીને નવ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. ઈગ્લેંન્ડમાં જ તેમનો પ્રારંભિક ઉછેર થયો હતો. ૧૯૨૮માં તેઓએ ભારતીય ફિલ્મ-નિર્માતા હિમાંશુ રાય સાથે લગ્ન કર્યા હતા. તેમણે રાયની પ્રાયોગિક મૂક ફિલ્મ અ થ્રો ઓફ ડાઇસ (૧૯૨૯) માટે કોસ્ચ્યુમ ડિઝાઇન અને કલા નિર્દેશનમાં મદદ કરી હતી. ત્યારબાદ બંને જર્મની ગયા અને બર્લિનના યુએફએ સ્ટુડિયોમાં ફિલ્મ નિર્માણની તાલીમ મેળવી હતી. ત્યારબાદ હિમાંશુ રાયે પોતાની દ્વિભાષી ફિલ્મ કર્મા (૧૯૩૩)માં પોતાને હીરો તરીકે તથા દેવિકા રાણીને નાયિકા તરીકે રજૂ કર્યા હતા. આ ફિલ્મનું પ્રીમિયર ૧૯૩૩માં ઇંગ્લેન્ડમાં યોજાયું હતું, ફિલ્મ ભારતમાં નિષ્ફળ ગઈ હતી. ૧૯૩૪માં આ દંપતી ભારત પરત ફર્યું હતું અને હિમાંશુ રાયે કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે ભાગીદારીમાં બોમ્બે ટોકીઝ નામનો પ્રોડક્શન સ્ટુડિયો સ્થાપ્યો હતો. સ્ટુડિયોએ પછીના ૫-૬ વર્ષોમાં ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું, અને તેમાંની ઘણી ફિલ્મોમાં દેવિકા રાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અશોક કુમાર સાથેની તેની ઓન-સ્ક્રીન જોડી ભારતમાં લોકપ્રિય બની હતી. ૧૯૪૦માં રાયના મૃત્યુ બાદ, દેવિકા રાણીએ સ્ટુડિયોનો વહીવટ પોતાના હાથમાં લીધો અને તેમના સ્વર્ગસ્થ પતિના સહયોગીઓ સશધર મુખર્જી અને અશોક કુમાર સાથે ભાગીદારીમાં કેટલીક વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ૧૯૪૫માં તેઓ ફિલ્મોમાંથી નિવૃત્ત થયા હતા અને રશિયન ચિત્રકાર સ્વેતોસ્લાવ રોરીચ સાથે લગ્ન કરી બેંગ્લોરની બહારના વિસ્તારમાં આવેલી તેમની એસ્ટેટમાં તેમનું બાકીનું જીવન પસાર કર્યું હતું. તેમના પુરસ્કારોમાં પદ્મશ્રી (૧૯૫૮), દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (૧૯૭૦) અને સોવિયેત ભૂમિ નહેરુ પુરસ્કાર (૧૯૯૦)નો સમાવેશ થાય છે. પૃષ્ઠભૂમિ અને શિક્ષણ દેવિકા રાણીનો જન્મ ૩૦ માર્ચ ૧૯૦૮ના રોજ હાલના આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક વોલ્તેરમાં અત્યંત સમૃદ્ધ અને શિક્ષિત બંગાળી પરિવારમાં દેવિકા રાણી ચૌધરી તરીકે થયો હતો. તેમના પિતા, કર્નલ મન્મથનાથ ચૌધરી જમીનદારી પરિવારના એક મોટા વંશજ હતા. તેઓ મદ્રાસ પ્રેસિડેન્સીના પ્રથમ ભારતીય સર્જન-જનરલ હતા. દેવિકાના દાદા દુર્ગાદાસ ચૌધરી હાલના બાંગ્લાદેશના પબના જિલ્લાના ચટમોહર ઉપજીલ્લાના જમીનદાર હતા. તેમના પૈતૃક દાદી, સુકુમારી દેવી (દુર્ગાદાસના પત્ની) નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના બહેન હતા. દેવિકાના પિતાને પાંચ ભાઈઓ હતા, તે બધા જ પોતપોતાનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા, સર આશુતોષ ચૌધરી બ્રિટિશ રાજ દરમિયાન કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. જોગેશચંદ્ર ચૌધરી અને કુમુદનાથ ચૌધરી, બંને કોલકાતા સ્થિત અગ્રણી બેરિસ્ટર હતા; પ્રમથનાથ ચૌધરી પ્રખ્યાત બંગાળી લેખક હતા અને ડૉ. સુહરિદનાથ ચૌધરી જાણીતા તબીબ હતા. દેવિકાના માતા લીલા દેવી ચૌધરી પણ એટલા જ શિક્ષિત પરિવારમાંથી આવતા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજી હતી. આમ, દેવિકા રાણીનો સંબંધ તેમનાં માતા-પિતા બંને દ્વારા કવિ અને નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર સાથે હતો. દેવિકા રાણીને નવ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. ૧૯૨૦ના દાયકાની મધ્યમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે અભિનય અને સંગીતનો અભ્યાસ કરવા માટે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ (રાડા) અને લંડનની રોયલ એકેડેમી ઓફ મ્યુઝિકમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે આર્કિટેક્ચર, ટેક્સટાઇલ અને ડેકોર ડિઝાઇનના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને એલિઝાબેથ આર્ડેન હેઠળ તાલીમ પણ મેળવી હતી. આ બધા જ અભ્યાસક્રમો ૧૯૨૭ સુધીમાં પૂર્ણ થઈ ગયા, અને દેવિકા રાણીએ પછી ટેક્સટાઈલ ડિઝાઇનમાં નોકરી શરૂ કરી. નોંધ સંદર્ભ પૂરવણી શ્રેણી:ભારતીય અભિનેત્રી શ્રેણી:૧૯૦૮માં જન્મ શ્રેણી:૧૯૯૪માં મૃત્યુ શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા
યક્ષિણી
https://gu.wikipedia.org/wiki/યક્ષિણી
thumb|ભૂતેશ્વર યક્ષિણી, (મથુરા, બીજી સદી યક્ષિણી (यक्षिणी ) એ હિંદુ, બૌદ્ધ અને જૈન ધાર્મિક પૌરાણિક કથાઓમાં સ્ત્રી પ્રકૃતિની આત્માઓનો એક વર્ગ છે જે દેવો અને અસુરો તથા ગાંધર્વ અને અપ્સરાઓથી અલગ છે. યક્ષિણીઓ અને તેમના પુરુષ સમકક્ષ યક્ષ, ભારતના સદીઓ પુરાણા પવિત્ર ઉપવનો સાથે સંકળાયેલા ઘણા અસાધારણ પ્રાણીઓમાંના એક છે. પૂર્વોત્તર ભારતીય જનજાતિઓની પરંપરાગત દંતકથાઓ, કેરળની પ્રાચીન દંતકથાઓ તથા કાશ્મીરી મુસ્લિમોની લોકકથાઓમાં પણ યક્ષી જોવા મળે છે. શીખ ધર્મના પવિત્ર ગ્રંથોમાં પણ યક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારી વર્તણૂકવાળા અને સૌમ્ય લોકોને સંરક્ષક તરીકે પૂજવામાં આવે છે, તેઓ દેવતાઓના ખજાનચી કુબેરના ઉપસ્થિતો છે, અને સંપત્તિના હિન્દુ દેવતા પણ છે જેમણે હિમાલયના અલકા સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. ભૂતો જેવી વર્તણૂક ધરાવતી દુષ્ટ અને તોફાની યક્ષિણીઓ પણ છે, જે ભારતીય લોકવાયકા અનુસાર માનવીઓને ત્રાસ આપી શકે છે અને શાપ આપી શકે છે. અશોક વૃક્ષ યક્ષિણીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ઝાડના તળમાં રહેલી યુવતી એ ભારતીય ઉપખંડમાં પ્રજનનક્ષમતાનો સંકેત દર્શાવે છે. પ્રાચીન બૌદ્ધ તેમજ હિંદુ મંદિરોમાં દ્વારપાળ તરીકે જોવા મળતી ભારતીય કળામાં જે તત્ત્વો જોવા મળે છે તેમાંનું એક તત્ત્વ યક્ષિણી છે, જેનો પગ થડ પર હોય છે અને તેના હાથ શૈલીયુક્ત ફૂલોવાળા અશોકની ડાળીને પકડી રાખે છે જેના પર કેટલીકવાર ફળો પણ હોય છે. બૌદ્ધ ધર્મમાં યક્ષિણીઓ ભારહુત, સાંચી અને મથુરાના ત્રણ સ્થળોએ મોટી સંખ્યામાં યક્ષી આકૃતિઓ મળી છે, જે મોટે ભાગે સ્તૂપોના રેલિંગ થાંભલાઓ પર છે. આ એક સ્પષ્ટ વિકાસ અને પ્રગતિ દર્શાવે છે જે યક્ષી આકૃતિની કેટલીક લાક્ષણિકતાઓ સ્થાપિત કરે છે જેમ કે તેની નગ્નતા, હસતો ચહેરો અને સ્પષ્ટ (ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ) ગૌણ જાતીય લાક્ષણિકતાઓ જે પ્રજનન ક્ષમતા સાથે તેમના જોડાણ તરફ દોરી જાય છે. યક્ષીને સામાન્ય રીતે તેનો હાથ ઝાડની ડાળીને સ્પર્શતો હોય તેમ, એક પાપપૂર્ણ ત્રિભંગન મુદ્રામાં દર્શાવવામાં આવે છે. કેટલાક લેખકોના મત પ્રમાણે ઝાડની તળેટીમાં બેઠેલી યુવાન છોકરી એક પ્રાચીન વૃક્ષ દેવતા પર આધારિત છે. પ્રારંભિક બૌદ્ધ સ્મારકોમાં સુશોભનાત્મક તત્વ તરીકે યક્ષી મહત્વપૂર્ણ હતી અને તે ઘણા પ્રાચીન બૌદ્ધ પુરાતત્ત્વીય સ્થળોમાં જોવા મળે છે. સદીઓ વીતી જતાં તેઓ સાલભંજિકા (સાલ વૃક્ષની ડાળખી) બની ગયા, જે ભારતીય શિલ્પ અને ભારતીય મંદિર સ્થાપત્ય એમ બંનેનું પ્રમાણભૂત સુશોભન તત્વ હતું.Hans Wolfgang Schumann (1986), Buddhistische Bilderwelt: Ein ikonographisches Handbuch des Mahayana- und Tantrayana-Buddhismus. Eugen Diederichs Verlag. Cologne. , સાલ વૃક્ષ (શોરા રોબસ્ટા) ઘણી વખત ભારતીય ઉપખંડના પ્રાચીન સાહિત્યમાં અશોક વૃક્ષ (સરાકા ઇન્ડિકા) તરીકે ગૂંચવણ ઊભી કરે છે.Eckard Schleberger (1986), Die indische Götterwelt. Gestalt, Ausdruck und Sinnbild. Eugen Diederichs Verlag. Cologne. , સાલભંજિકાનું સ્થાન શાક્યની રાણી મૈયાની સ્થિતિ સાથે પણ સંબંધિત છે, જ્યારે તેમણે લુમ્બિનીના એક બગીચામાં અશોક વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધને જન્મ આપ્યો હતો, ત્યારે તેની ડાળી પકડી રાખી હતી. બૌદ્ધ સાહિત્યમાં જોવા મળતી યક્ષિણીઓની સૂચિ નીચે બૌદ્ધ સાહિત્યમાં જોવા મળતી યક્ષિણીઓની એક યાદી આપવામાં આવી છે: હરિતી અલિકા વેન્દા અનુપમા વિમલપ્રભા શ્રી શંખિણી મેઘા તિમિશિકા પ્રભાવતી ભીમા હરિતા મહાદેવી નલિ ઉદર્યા કુંતિ સુલોચના સુભ્રૂ સુસ્વરા સુમતિ વસુમતિ ચિત્રાક્ષી પૂર્ણસ્નિશા ગુહ્યકા સુગુહ્યકા મેખલા સુમેખલા પદ્‌મોચ્ચા અભયા જયા વિજયા રેવતિકા કેશિની કેશન્તા અનિલા મનોહરા મનોવતિ કુસુમાવતી કુસુમપુરવાસિની પીંગળા વીરમતી વીરા સુવિરા સુઘોરા ઘોરા ઘોરાવતી સુરસુંદરી સુરસા ગુહ્યોતમરી વાતવાસિની અસોકા અંધરાસુનારી આલોકસુનારી પ્રભાવતી અતિય્યાશયવતી રૂપવતી સુરુપા અસિતા સૌમ્યા કાના મેના નંદિની ઉપનંદિની લોકાન્તરા કુવના (પાલી) સેતિયા (પાલી) પિયાંકરામાતા (પાલી) પુનાબ્બાસુમુમ (પાલી) ભેસકલા (પાલી) હિંદુ ધર્મમાં યક્ષિણીઓ thumb|upright|યક્ષિણી, ૧૦મી સદી મથુરા, ગુઇમેટ સંગ્રહાલય, પેરિસ, ફ્રાન્સ. ઉદ્દામરેશ્વર તંત્રમાં છત્રીસ યક્ષિણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તેમના મંત્રો અને ધાર્મિક વિધિના સૂચનોનો સમાવેશ થાય છે. તંત્રરાજ તંત્રમાં યક્ષો અને યક્ષિણીઓની આવી જ યાદી આપવામાં આવી છે, જે અનુસાર આ જીવો આપણે જેની કામના (ઈચ્છા) કરીએ છીએ તેના દાતા છે. તેઓ પૃથ્વીમાં છુપાયેલા ખજાનાના રક્ષક છે. તેઓ સાત્વિક, રજસ, તમસ પ્રકૃતિના હોઈ શકે છે. ૩૬ યક્ષિણીઓ ઉદ્દામરેશ્વર તંત્રમાં આપવામાં આવેલી છત્રીસ યક્ષિણીઓની યાદી નીચે મુજબ છે, તેની સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓ પણ છે:[૫] વિચિત્રા (સુંદર) વિભ્રમા : તે તમસ યક્ષિણી છે અને કપૂર, ઘી સળગાવીને નિર્વસ્ત્ર થઈને તેની પૂજા કરવી જોઈએ અને તેના મંત્રનો ૨૦,૦૦૦ વાર પાઠ કરવો જોઈએ. તેનો મંત્ર સ્મશાનભૂમિની ધૂળથી લખવો જોઈએ. ત્યાર બાદ ગાયના ઘીથી ૨૦ હજાર વાર હવન કરવાની જરૂર પડે છે. હંસી (હંસ સાથે) ભિષણી (ભયાનક) જનરંજિકા (પુરુષોને પ્રસન્ન કરનાર) વિશાલા (વિશાળ નેત્રોવાળી) મદના (કામુક) ઘંટા (ધાતુનો ઘંટ) કલાકર્ણી (કલાથી શણગારેલા કાન) : ઘાસની ધારથી ૧૦,૦૦૦ વખત પોતાના મંત્રનો પાઠ કરો. તે શક્તિ આપે છે. મહાભયા (ખૂબ જ ભયાનક) મહેન્દ્રી (અતિ શક્તિશાળી) : વ્યક્તિને ઊડવાની શક્તિ આપે છે. સાધકને પાટલા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શંખિણી (શંખ કન્યા) : કોઈ પણ ઇચ્છાની પૂર્તિ. ચંદ્રી (ચંદ્ર કન્યા): શ્મશાના (સ્મશાનભૂમિની કન્યા) : તે તામસ યક્ષિણી છે. વટયક્ષિણી : તે વડના ઝાડમાં રહે છે. મેખલા (લવ ગિર્ડલ) : તે જાદુઈ શક્તિ આપે છે, જેનાથી સ્ત્રીને વશ કરવામાં આવે છે. સાધકે ચંદ્ર ચક્રના ૧૪મા દિવસે ખીલેલા મધુકાના ઝાડ પર જઈને તેના મંત્રનો જાપ કરવો જ જોઇએ. "ॐ द्रिम हम मदनमेकालयै मदनविधंबनाय नमः स्वाह". વિકલા લક્ષ્મી (સંપત્તિ) માલિની (પુષ્પ કન્યા) શતપત્રિકા (૧૦૦ પુષ્પ) સુલોચના (પ્રેમ અક્ષી) શોભા કપાલીની વરયક્ષિણી : સાધકને વરદાન આપે છે. નટી (અભિનેત્રી): કામેશ્વરી : તે સાધકને રત્નો, વસ્ત્રો અને કીમિયાનાં રહસ્યો આપે છે. ધન યક્ષિણી : તેનો ઉપયોગ ભૂતકાળ, વર્તમાનનું જ્ઞાન આપવા માટે થાય છે. તે સત્વ યક્ષિણી છે. તે સાધકને સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે. સાધકે દિવસ દરમિયાન વડના ઝાડ પર ચઢીને બેસવું જોઈએ અને ૧૦૦૦૦ વખત "ॐ ऐम ह्रीं श्रीं धन कुरु स्वाहा" નો જાપ કરવો જોઈએ. કર્ણપિશાચી : એ તમસ યક્ષિણી છે. તેનો ઉપયોગ અઘોરી દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિના કાનમાં ગુસપુસ કરીને વ્યક્તિના ભૂતકાળના અને વર્તમાન જીવન વિશે જાણવા માટે કરવામાં આવે છે. ઉલ્લેખ છે કે સાધકે આ સિદ્ધિ છોડી દેવી જોઈએ નહીં તો કર્ણપીશાચી ૧૦૦૦ વર્ષ સુધી તેની સેવા કરવા માટે સાધકની આત્મા લે છે. તેનો મંત્ર "ओम अरविंदे स्वाहा" છે, જેનો જાપ ૨૧ દિવસની અંદર ૧૦૦૦૦ વખત કરવો જરૂરી છે. મનોહરા (આકર્ષક) પ્રમોદા (સુગંધીત) : એક મહિના સુધી મધરાતે ઊઠીને ૧૦ વાર મંત્રનો ઉચ્ચારણ કરો. "ॐ ह्रीं प्रमोद्यै स्वाहा". અનુરાગિની (ભાવુક) નખાકેશી : સિદ્ધિ પર ફળ આપે છે. ભામિની : તે એક અદ્ભુત ઉપહાર આપે છે, જે સ્ત્રીઓને આકર્ષિત કરે છે અને ખજાનો શોધવામાં મદદ કરે છે. ગ્રહણના સમયે તેના મંત્રનો પાઠ કરો. "ॐ ह्रीं याक्षीणी भामिनी रतिप्रिये स्वाहा". પદ્મિની: (૩૫)માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વર્ણાવતી : અંજના સિદ્ધિ આપે છે. રતિપ્રિયા (પ્રેમની શોખીન) : તે સત્વ યક્ષિણી છે. તેણીની છબી પીળા રેશમી કાપડમાં દોરવી જોઈએ જેમાં સુંદર સ્ત્રીઓ ઝવેરાતથી શણગારેલી હોવી જોઈએ અને ઘીના દીવા, એક અખંડ જાયફળથી પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી યક્ષિણી પ્રગટ ન થાય ત્યાં સુધી તેને દરરોજ રાત્રે (સવારે ૧૧.૩૦ થી ૩.૩૦ સુધી) "ओम ह्रीं रतिप्रिया स्वाहा" અથવા "ॐ अगाच रतिप्रिये स्वाहा" મંત્ર સાથે આહ્વાન કરવું જોઈએ. સાધનાના સમયમાં સાધકે માંસાહાર, સોપારી ન ખાવી જોઈએ. તે પરણિત પુરુષો માટે યોગ્ય નથી. જૈન ધર્મમાં યક્ષિણીઓ જૈન ધર્મમાં પંચાંગુલી, ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતી સહિત પચ્ચીસ યક્ષીણી છે, જેમનું અવારનવાર જૈન મંદિરોમાં પ્રતિનિધિત્વ જોવા મળે છે. પ્રત્યેકને વર્તમાન તીર્થંકરમાંના એક શ્રી સિમંધર સ્વામી અને ચોવીસ જૈન તીર્થંકરોની સંરક્ષક દેવી માનવામાં આવે છે. તિલોયાપન્નાતિ (પ્રતિષ્ઠાસારસંગ્રહ) અને અભિધનચિંતામણી અનુસાર તેમાના નામો નીચે પ્રમાણે છે. પંચાંગુલી ચક્રેશ્વરી રોહિણી, અજિતબાલા પ્રજ્ઞાાપ્તી, દુરિતારી વજ્રશૃંખલા, કાલી વજ્રંકુશા, મહાકાળી મનોવેગા, શ્યામા કાલી, શાંતા જ્વાલામાલિની, મહાજ્વાલા મહાકાળી, સુતારકા માનવી, અશોકા ગૌરી, માનવી ગાંધારી, ચંદા વૈરોતી, વિદિતા અનંતમતી, અંકુશા માનસી, કંદર્પા મહામાનસી, નિર્વાણી જયા, બાલા તારાદેવી, ધારિણી વિજયા, ધરનપ્રિયા અપરાજિતા, નાર્દત્તા બહુરુપિની, ગાંધારી અંબિકા અથવા કુશમંદિની પદ્માવતી સિદ્ધાયિકા સંદર્ભ બાહ્ય કડીઓ યક્ષીનો ખ્યાલ (archived 21 July 2011) એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા — "યક્ષ" આરબીઆઈ મોનેટરી મ્યુઝિયમ - "યક્ષ અને યક્ષિણી" પ્રાચીન ભારતમાં સ્ત્રી સૌંદર્યના આદર્શો હંટિગડન આર્કાઇવ શ્રેણી:જૈન ધર્મ
વેલેરિયન પોલિશચક
https://gu.wikipedia.org/wiki/વેલેરિયન_પોલિશચક
thumb|પોલિશચક (૧૯૨૮) વેલેરિયન લ્વોવિચ પોલિશચક (, ૧ ઓક્ટોબર ૧૮૯૭ — ૯ ઓક્ટોબર ૧૯૩૭) યુક્રેનિયન લેખક, કવિ અને નિષ્પાદિત પુનર્જાગરણના પ્રતિનિધિ હતા. તેમણે યુક્રેનિયન ભાષામાં લખ્યું હતું. પોલિશચકનો જન્મ બિલ્ચે ગામમાં થયો હતો, જે હાલમાં યુક્રેનના રિવને ઓબ્લાસ્ટમાં છે. તેમણે લુત્સ્કમાં અને ત્યારબાદ યેકાટેરિનોસ્લાવમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૧૭માં હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા હતા. ૧૯૧૭થી, તેઓ કિવ અને યેકાટેરિનોસ્લાવમાં રહેતા હતા અને વિવિધ અખબારો માટે લખતા હતા. રશિયન ગૃહ યુદ્ધ દરમિયાન પોલિશચકે યુક્રેનિયન પીપલ્સ રિપબ્લિકને ટેકો આપ્યો હતો. પોલિશચકે ૧૯૧૪થી કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૧૯માં તેમણે તેમની પ્રથમ કવિતા ધ ઓલ્ડ ટેલ ઓન હાઉ ઓલ્ગા બર્નડ કોરોસ્ટન પ્રકાશિત કરી હતી, જેમાં ઓલ્ગાએ કોરોસ્ટનને કેવી રીતે બાળી નાખ્યું તેની જૂની વાર્તા રજૂ કરવામાં આવી હતી. ૧૯૨૦માં તેમણે કવિતાના ત્રણ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. ૧૯૨૧માં, પોલિશચક ખારકીવ ગયા, જ્યાં તેઓ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. ૧૯૨૩માં, તેઓ એચએઆરટી (HART) માં જોડાયા, જેમાં અન્ય લોકોમાં પાવલો ટાઇચીના, વોલોદિમીર સોસિયુરા અને માયકોલા ખ્વિલોવી પણ હતા. ૧૯૨૫માં પોલિશચકે આધુનિકતાવાદી સાહિત્ય જૂથ અવનહાર્ડની સહ-સ્થાપના કરી હતી, જે ૧૯૩૦ સુધી અસ્તિત્વમાં હતું. તેમણે ૪૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં મુખ્યત્વે કવિતાઓ હતી. ૧૯૩૦ના દાયકામાં, સત્તા સાથે સંકળાયેલા સાહિત્યિક વિવેચકોએ પોલિશચકની ભારે ટીકા કરી હતી. તેમની કવિતાની રાષ્ટ્રવાદી પ્રકૃતિ બાબતે તેમના પર આરોપ મૂકવામાં આવ્યા હતા. નવેમ્બર ૧૯૩૪માં તેમની ધરપકડ કરવામાં આવી, તેઓ પ્રતિ-ક્રાન્તિકારી પ્રવૃત્તિના આરોપી હતા અને ૨૭ કે ૨૮ માર્ચ ૧૯૩૫ના રોજ તેમને ખટલો ચલાવ્યા વિના ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને સોલોવકી જેલ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા અને આખરે યુક્રેનિયન સંસ્કૃતિની અન્ય વ્યક્તિઓ સાથે સૈંડરમોખમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. ૧૯૬૨માં મરણોપરાંત તેમનું પુનર્વસન કરવામાં આવ્યું હતું. પોલિશચકની કવિતાને ભવિષ્યવાદના પ્રબળ પ્રભાવ હેઠળ પ્રાયોગિક તરીકે વર્ણવવામાં આવી છે. પોલિશચકે ઓલેના-રખીલ કોનીખેસ સાથે લગ્ન કર્યા હતા, આ દંપતીને બે બાળકો હતા. પોલિશચકને જેલમાં ધકેલી દેવાયા બાદ તેમના પરિવારે તેમની હસ્તપ્રતો બચાવી લીધી હતી. સંદર્ભ શ્રેણી:૧૯૩૭માં મૃત્યુ શ્રેણી:૧૮૯૭માં જન્મ શ્રેણી:લેખક
મારિયા (નવલકથા)
https://gu.wikipedia.org/wiki/મારિયા_(નવલકથા)
મારિયા એ યુક્રેનિયન લેખક ઉલાસ સમચુકની ૧૯૩૪ની ઐતિહાસિક નવલકથા છે. "૧૯૩૨-૩૩માં યુક્રેનમાં ભૂખમરાથી મૃત્યુ પામેલી માતાઓને" સમર્પિત આ નવલકથા, જે ૧૯૩૨-૩૩માં હોલોડોમોરમાં સેર્ફ ની મુક્તિની વચ્ચેની ગામની એક મહિલા મારિયાના જીવનને અનુસરે છે. યુક્રેનિયન દુષ્કાળની કથાને દર્શાવતી આ કાલ્પનિક સાહિત્ય કૃતિને ૧૯૯૧ પછીના યુક્રેનિયન શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે. આ પુસ્તકને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: અ બુક અબાઉટ ધ બર્થ ઓફ મારિયા, અ બુક ઓફ મારિયાઝ ડેઝ અને અ બુક અબાઉટ બ્રેડ. છ વર્ષની ઉંમરે અનાથ થયેલી મારિયા અભણ છે અને જ્યારે તે યુવાન હોય ત્યારે કામ કરવા મજબૂર બને છે. તેના પહેલા ત્રણ બાળકો ચેપી રોગથી મૃત્યુ પામે છે. તેનો પુત્ર મકસીમ એક ગરીબ ખેડૂત હોય છે. તે તેના માતાપિતાને ઘરમાંથી હાંકી કાઢે છે, તેના ભાઈની નિંદા કરે છે અને તેની બહેનને ભૂખે મરતા જુએ છે. પરિણામે તેના પિતા તેની હત્યા કરી નાખે છે. મકસીમ "એક ચપળ, સામ્યવાદી, નફાખોર, ઉદાસ, રશિયન-ભાષી" હોલોડોમોર ગુનેગારની ઘણી લાક્ષણિકતાઓ સાથે સંબંધ ધરાવે છે. મકસીમની પાછળ, દુષ્કાળ માટે અંતિમ જવાબદારી ધરાવતા 'અન્ય' તરીકે, મોસ્કોમાં કેન્દ્રિત સોવિયત રાજ્ય આવેલું છે. અંગ્રેજી અનુવાદ નોંધ સંદર્ભ શ્રેણી:નવલકથા
ઊર્મિલા ભટ્ટ
https://gu.wikipedia.org/wiki/ઊર્મિલા_ભટ્ટ
ઉર્મિલા ભટ્ટ (૧ નવેમ્બર ૧૯૩૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭) હિન્દી સિનેમાના અભિનેત્રી હતા. તેમણે નાટકમાં અભિનય કરવાનું શરૂ કર્યું. તેઓ લોકનૃત્યાંગના અને ગાયિકા તરીકે રાજકોટની સંગીત કલા અકાદમીમાં જોડાયા હતા. તે સમય દરમિયાન જ તેણીનું પ્રખ્યાત ગુજરાતી નાટક જેસલ તોરલ એક હજારથી વધુ રજૂઆત સુધી પહોંચ્યું હતું. તેમણે ૭૫થી વધુ ગુજરાતી ફિલ્મો અને ૧૫ થી ૨૦ રાજસ્થાની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીએ અઢી દાયકા (૧૯૬૦થી ૧૯૯૦ના દાયકાની શરૂઆત) સુધી હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ પણ ભજવી હતી. તેમણે વિવિધ ટેલિવિઝન સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. તેમને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હિન્દી ફિલ્મો નાટકોમાં તેમની સફળતા પછી, તેમણે હિન્દી ફિલ્મો કરવાનું શરૂ કર્યું. ૧૯૬૦ના દાયકાના અંત ભાગમાં તેમણે ગૌરી (૧૯૬૮), સંઘર્ષ (૧૯૬૮) અને હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો કરી હતી. તેમની કેટલીક અન્ય લોકપ્રિય ફિલ્મોમાં અખિયોં કે ઝરોખોં સે (૧૯૭૮), ગીત ગાતા ચલ (૧૯૭૫), બેશરમ (૧૯૭૮), રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫), બાલિકા બધુ (૧૯૭૬), ધુંધ (૧૯૭૩) અને અલીબાબા મરજીના (૧૯૭૭) છે. આ ફિલ્મો સિવાય તેમણે બીજી ઘણી ફિલ્મો કરી હતી. મોટાભાગની ફિલ્મોમાં તેમણ સહાયક પાત્રો ભજવ્યા હતા. તેમણે ૧૨૫ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ટેલિવિઝન પર, તેણે રામાનંદ સાગરની ઐતિહાસિક સફળ શ્રેણી રામાયણમાં સીતાની માતા મહારાણી સુનૈના અને રાજશ્રી પ્રોડક્શન્સની ટીવી સિરિયલ પેઇંગ ગેસ્ટ (૧૯૮૫)માં શારદા શર્માની ભૂમિકા પણ ભજવી હતી. આ બે સિવાય, તેમણે ૧૯૮૯માં શ્યામ બેનેગલની ભારત એક ખોજમાં અને ૧૯૯૬માં ઝી ટીવીના ઝી હોરર શોમાં દેખાયા હતા. મૃત્યુ ભટ્ટ ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭ના રોજ જુહુમાં તેમના નિવાસસ્થાને તેઓ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓની ધારણા હતી કે તેમની હત્યા પાછળ લૂંટનો હેતુ હતો. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ભારતીય અભિનેત્રી શ્રેણી:૧૯૯૭માં મૃત્યુ શ્રેણી:૧૯૩૪માં જન્મ
વ્હાઇટ ટાઇટ્સ
https://gu.wikipedia.org/wiki/વ્હાઇટ_ટાઇટ્સ
વ્હાઇટ ટાઇટ્સ, વ્હાઇટ પેન્ટીહોઝ અથવા વ્હાઇટ સ્ટોકિંગ્સ (રશિયન: белые колготки , beliye kolgotki) એ ૧૯૮૦ના દાયકાના અંતથી વિવિધ સશસ્ત્ર સંઘર્ષોમાં રશિયન દળો સામે લડતી ભાડૂતી સ્ત્રી સૈનિકો (સ્નાઈપર્સ) અંગેની રશિયન શહેરી દંતકથા છે. દંતકથા મુજબ આ સ્ત્રીઓ ગૌરવર્ણની એમેઝોન જેવી રાષ્ટ્રવાદી બાયથ્લેટ્સ છે જે રશિયા-વિરોધી ભાડૂતી સૈનિકો બની ગઈ છે. મૂળ તો તેઓ બાલ્ટિક દેશોમાંથી આવે છે તેવી દંતકથા હતી, પરંતુ દંતકથાના અનુગામી ફેરફારો મુજબ આ સૈનિકો વિવિધ વંશના હોવાની વાતો ચાલે છે, જેમાં યુક્રેનિયન અને રશિયન મહિલાઓનો પણ સમાવેશ થાય છે. "વ્હાઇટ ટાઇટ્સ" નામ આ સ્નાઈપર્સે પહેરેલા સફેદ રંગના શિયાળાની રમત બાયથ્લેટ્સના પોશાકમાંથી ઉદ્દભવ્યું છે અને પ્રથમ નાગોર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન સૌપ્રથમ પ્રચલિત થયું હતું. મૂળ આ ઘટના સૌપ્રથમ ૧૯૮૦ના દાયકાના અંતમાં નોંધવામાં આવી હતી, જેમાં આ બાલ્ટિક અનિયમિત સ્ત્રી સૈનિકો સોવિયેત-અફઘાન યુદ્ધમાં લડતી હોવાની અફવા હતી. તેમણેટ્રાન્સનિસ્ટ્રિયા યુદ્ધમાં ભાગ લીધેલો એવી દંતકથાઓ પણ હતી, પરંતુ રશિયન લેખક યુલિયા શુમ દલીલ કરે છે કે આ માટે કોઈ પુરાવા નથી અને આ અફવાઓ પ્રચાર અભિયાનમાંથી ઉદ્ભવેલી છે.Журналистское расследование સોવિયેત ભંગ પછીના પ્રથમ અને બીજા ચેચન યુદ્ધોના સમયે પ્રથમ વખત અંગ્રેજી-ભાષાના મીડિયામાં તેઓની નોંધ લેવાઈ હતી. ચેચન રિપબ્લિક ઓફ ઇક્કેરિયામાં "વ્હાઇટ ટાઇટ્સ"ની કથિત હાજરીને બાલ્ટિક રાજ્યોના વિશેષ દળો અને ગુપ્તચર સેવાઓ સાથે અને તે ઉપરાંત એસ્ટોનિયા સરકાર અને લિથુનિયન રાજકારણી વાયટૌટાસ લેન્ડસબર્ગિસ સાથે ચેચન નેતા ઝોખાર દુદાયેવ સાથેના સારા સંબંધો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજા ચેચન યુદ્ધના પ્રારંભિક તબક્કા દરમિયાન ક્રેમલિન પ્રેસ સેક્રેટરી સેર્ગેઈ યાસ્ટ્રઝેમ્બસ્કીએ દલીલ કરી હતી કે GRUની ગુપ્ત લશ્કરી માહિતીના પુરાવાના આધારે બાલ્ટિક સ્ત્રી સ્નાઈપર્સ ખરેખર અસ્તિત્વમાં છે. એસ્ટોનિયા સરકારે રશિયા પાસે આ દાવાઓના પુરાવા માંગ્યા છે અને બે વાર રાજદ્વારી નોંધો મોકલી છે પણ સત્તાવાર જવાબ મળ્યો નથી. અન્ય યુદ્ધોમાં રુસો-જ્યોર્જિયન યુદ્ધ નવેમ્બર ૨૦૦૮માં, રશિયન પ્રોસીક્યુટર જનરલની તપાસ સમિતિના વડા એલેક્ઝાન્ડર બેસ્ટ્રીકિને સૂચન કર્યું હતું કે રુસો-જ્યોર્જિયન યુદ્ધ દરમિયાન જ્યોર્જિયન પક્ષમાં બાલ્ટિક દેશોના ભાડૂતી સૈનિકો, લાટવિયાની મહિલા સ્નાઈપરે, ભાગ લીધો હતો. આ ઉપરાંત અન્ય દેશોના સ્નાઈપરે ભાગ લીધો હોવાના અહેવાલો પણ હતા. આ અહેવાલોએ "વ્હાઈટ ટાઈટ્સ" કાકેશસ વિસ્તારમાં કાર્યરત હોવાની અફવાઓને પુનર્જીવિત કરી. લાટવિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, એરિસ રિકવેલિસે નીચે પ્રમાણે બેસ્ટ્રીકિનના નિવેદનોને રદિયો આપ્યો: "અમે વિચાર્યું હતું કે રશિયન પ્રેસમાં 'વ્હાઇટ ટાઇટ્સ'નું ભૂત મરી ગયું છે, પરંતુ હવે આપણે જોઈએ છીએ કે તે હજી પણ રશિયામાં ફરે છે." રુસો-યુક્રેનિયન યુદ્ધ ૨ મે ૨૦૧૪ના રોજ, યુક્રેનમાં રશિયન સમાચાર આઉટલેટ લાઇફન્યૂઝના સંવાદદાતા, સેર્ગેઈ ગોલ્યાન્ડિને, સ્લોવિયનસ્કની ઘેરાબંધી દરમિયાન રશિયાતરફી દળો સામેની કાર્યવાહીમાં બાલ્ટિક મહિલા સ્નાઈપર્સ હાજર હોવાનો ઉલ્લેખ કર્યો હતો જે અપ્રમાણિત દાવો હતો. લોકસંસ્કૃતિમાં વ્હાઇટ ટાઇટ્સનો ઉલ્લેખ રશિયન લોકસંસ્કૃતિમાં પણ જોવા મળે છે, જેમ કે એલેક્ઝાન્ડર નેવઝોરોવની ૧૯૯૭ની ફિલ્મ પર્ગેટરીમાં. આ ફિલ્મમાં બે લિથુનિયન "બાયથ્લેટ્સ"ને ચેચન બળવાખોરો માટે લડતા ભાડૂતી સ્નાઈપર્સ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભાડૂતી લિથુઆનિયન સ્ત્રી સ્નાઈપરનું વધુ સહાનુભૂતિપૂર્ણ પાત્ર આન્દ્રે કોંચલોવ્સ્કીની ૨૦૦૨ની ફિલ્મ હાઉસ ઓફ ફૂલ્સમાં પણ દેખાયું હતું, જે સેસિલી થોમસેન દ્વારા ભજવવામાં આવ્યું હતું. સંદર્ભ
સોનલ માનસિંહ
https://gu.wikipedia.org/wiki/સોનલ_માનસિંહ
સોનલ માનસિંહ (જ. ૩૦ એપ્રિલ ૧૯૪૪) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને ભરતનાટ્યમ તથા ઓડિસી નૃત્યશૈલીના નાટ્યગુરુ છે. તેમને ભારતના રાષ્ટ્રપતિએ રાજ્ય સભાના સાંસદ બનવા માટે નામાંકિત કર્યા છે. તેણી ૧૯૯૨માં પદ્મભૂષણ મેળવનાર સૌથી નાની વયના પ્રાપ્તકર્તા છે. ૨૦૦૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ સોનલ માનસિંહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ગુજરાતના જાણીતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસા અને અરવિંદ પકવાસાના ત્રણ સંતાનોમાં બીજા ક્રમના હતા. તેમના દાદા મંગલદાસ પકવાસા, એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતના પ્રથમ પાંચ રાજ્યપાલોમાંના એક હતા.Sonal Mansingh University of Alberta website, www.ualberta.ca. તેમણે ચાર વર્ષની ઉંમરે તેમની મોટી બહેન સાથે નાગપુરની એક શિક્ષિકા પાસેથી મણિપુરી નૃત્ય શીખવાનું શરૂ કર્યું, ત્યારબાદ સાત વર્ષની વયે તેમણે પંડનાલ્લુર શાળાના વિવિધ ગુરુઓ પાસેથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું,National centre for the performing Arts. Quarterly journal. v.12-13, page 3 જેમાં બોમ્બેમાં કુમાર જયકરનો પણ સમાવેશ થાય છે.Sonal Mansingh: The dance of life The Times of India, 9 November 2003. તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી સંસ્કૃતમાં "પ્રવીણ" અને "કોવિદ"ની પદવીઓ મેળવી છે અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી જર્મન સાહિત્યમાં બી.એ. (ઓનર્સ)ની પદવી મેળવી છે. તેમની નૃત્યની ખરી તાલીમ ૧૮ વર્ષની વયે શરૂ થઈ હતી. તેમના પરિવારના વિરોધ છતાં તેઓ ૧૮ વર્ષની ઉંમરે પ્રો. યુ. એસ. ક્રિષ્ના રાવ અને ચંદ્રભાગા દેવીSonal Mansingh nrcw.nic.in. પાસેથી ભરતનાટ્યમ શીખવા માટે બેંગ્લોર ગયા હતા. ત્યારબાદ તેમણે માયલાપોર ગૌરી અમ્માલ પાસેથી અભિનય, અને બાદમાં ૧૯૬૫માં ગુરુ કેલુચરન મહાપાત્રા પાસેથી ઓડિસી શીખવાનું શરૂ કર્યું. તેમણે ભારતના પૂર્વ રાજદ્વારી લલિત માનસિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ પછીથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. તેમના સસરા માયાધર માનસિંગે તેમની ઓળખાણ કેલુચરન મહાપાત્રા સાથે કરાવી હતી, જ્યાં તેણે ઓડિસીમાં તાલીમ લીધી હતી. કારકિર્દી તેમની નૃત્ય કારકીર્દિની શરૂઆત ૧૯૬૨માં મુંબઈમાં તેમના અરંગેત્રમ પછી થઈ હતી. ૧૯૭૭માં તેમણે નવી દિલ્હીમાં સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સીઆઈસીડી)ની સ્થાપના કરી હતી.Biography Official website.Sonal Mansingh નૃત્ય દ્વારા તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૮૭માં પદ્મભૂષણ (૧૯૯૨), સંગીત નાટક અકાદમી પુરસ્કાર,Awards Odissi Sangeet Natak Akademi official website. અને ૨૦૦૩માં ભારતનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે; બાલાસરસ્વતી પછી આવું સન્માન મેળવનારા તેણીની ભારતના દ્વિતીય મહિલા નૃત્યાંગના છે.Sonal ત્યાર બાદ ૨૦૦૬માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન અને ૨૧ એપ્રિલ ૨૦૦૭ના રોજ તેમને પંતનગર ખાતેની જી.બી.પંત યુનિવર્સિટી, ઉત્તરાખંડ દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (માનદ ઉપાધિ) અને સંબલપુર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (માનદ ઉપાધિ)થી નવાજવામાં આવ્યા હતા."String of awards for Sonal Mansingh", The Hindu, 27 April 2007. ૨૦૦૨માં નૃત્યના ૪૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે, જાણીતા હિન્દી ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝાએ તેમના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જેનું શીર્ષક સોનલ હતું, જેણે આ વર્ષ માટે શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. વર્ષ ૨૦૧૮માં, તેમને પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં યોગદાન બદલ સંગીત નાટક અકાદમી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અકાદમી રત્ન તરીકે પણ ઓળખાય છે. નૃત્યકલા ઇન્દ્રધનુષ મેરા ભારત દ્રૌપદી ગીત ગોવિંદ સબરસ ચતુરંગ પંચકન્યા દેવી દુર્ગા આત્માયનLegends of India સમન્વય પુરસ્કાર પદ્મભૂષણ (૧૯૯૨) મેળવનારા સૌથી નાની ઉંમરની વ્યક્તિ. પદ્મવિભૂષણ (૨૦૦૩) મેળવનારા સૌથી નાની ઉંમરની વ્યક્તિ. લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (નવેમ્બર ૨૦૧૯). અવતરણ "નૃત્યાંગના એ માત્ર નૃત્યાંગના નથી હોતી. તે/તેણી આ વાતાવરણનો એક ભાગ છે. તે/તેણી શૂન્યાવકાશમાં અસ્તિત્વ ધરાવતી નથી. સમાજ અને તેની ઘટનાઓ તમામ વ્યક્તિઓ, ખાસ કરીને કલાકારો પર અસર કરે છે. જો કોઈ કલાનું સ્વરૂપ હાલના વાતાવરણને પ્રતિબિંબિત કરતું નથી, તો તે સ્થિર થઈ જાય છે."Sonal Mansingh www.artindia.net. "રાધા પણ એક ભવ્ય છબી છે, પરંતુ તે પ્રેમનું વ્યક્તિત્વ છે જેના વિના કોઈ સર્જન નથી. આપણી પુરુષપ્રધાન પૌરાણિક કથાઓમાં પોતાના પ્રેમની ભીખ માંગતી રાધાના ચરણોમાં કૃષ્ણની છબી એ સૌથી અસામાન્ય છે. ગીત ગોવિંદ ઊંડા આધ્યાત્મિક વિચારોનું આહ્વાન કરે છે, જે સુંદર રીતે લખાયેલા શ્લોકોથી ભરપૂર છે."Art and Culture Hindustan Times, 18 March 2008. ગ્રંથસૂચિ The Penguin Book of Indian Dance by Sonal Mansingh, Penguin Books Australia. . Classical Dances by Sonal Mansingh, Avinash Pasricha, Varsha Das. 2007, Wisdom Publications. . Draupadi, by Sonal Mansingh; Museum Society of Bombay, 1994. Devpriya conversation with Sonal Mansingh by Yatindra Mishra; Vaani publication. પૂરક વાંચન Sonal Mansingh Contribution to Odissi Dance by Jiwan Pani. 1992, Centre for Indian Classical Dances. . Bharata Natyam: Indian Classical Dance Art, by Sunil Kothari. MARG Publications, 1979. Page 169-170. નોંધ સંદર્ભ શ્રેણી:૧૯૪૪માં જન્મ શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રેણી:ભારતીય મહિલા શાસ્ત્રીય નૃત્યાંગના
બાલાસરસ્વતી
https://gu.wikipedia.org/wiki/બાલાસરસ્વતી
બાલાસરસ્વતી અથવા તંજાવૂર બાલાસરસ્વતી (૧૩ મે ૧૯૧૮ – ૯ ફેબ્રુઆરી ૧૯૮૪) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના હતા. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં ઉદ્ભવેલી શાસ્ત્રીય નૃત્યશૈલી ભરતનાટ્યમના તેમના પ્રસ્તુતિકરણે ભારતના વિવિધ ભાગોમાં અને વિશ્વના ઘણા ભાગોમાં નૃત્યની આ શૈલીને ખૂબ જ જાણીતી બનાવી હતી. તેમને ૧૯૫૭માં પદ્મભૂષણ અને ૧૯૭૭માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ત્રીજા અને બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન હતા. ૧૯૮૧માં તેમને ઇન્ડિયન ફાઇન આર્ટસ સોસાયટી, ચેન્નાઇના સંગીત કલાશિખમણી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ બાલાસરસ્વતી મંદિર સંગીતકારો અને નર્તકો (દેવદાસીઓ, કે જેઓ પરંપરાગત રીતે ઉચ્ચ સામાજિક દરજ્જો ભોગવતા હતા)ના પરંપરાગત માતૃવંશીય પરિવારની સાતમી પેઢીના પ્રતિનિધિ હતા, જેમને ભારતના દક્ષિણ પ્રદેશની સંગીત અને નૃત્યની પરંપરાગત પ્રદર્શન કલાના સૌથી મહાન ભંડાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના પૂર્વજ, પાપમ્મલ એક સંગીતકાર અને નૃત્યાંગના હતા જેમને અઢારમી સદીના મધ્યમાં તંજાવુરના દરબાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના દાદી, વીણાઈ ધનમ્મલ (૧૮૬૭-૧૯૩૮)ને ઘણા લોકો વીસમી સદીની શરૂઆતમાં સૌથી પ્રભાવશાળી સંગીતકાર માને છે. તેમની માતા, જયમ્મલ (૧૮૯૦-૧૯૬૭) એક ગાયિકા હતા જેમણે બાલાસારસ્વતીની તાલીમને પ્રોત્સાહન આપ્યું હતું. બાલાસરસ્વતીએ સંગીત અને નૃત્યની અભિનય કળાઓના સમન્વય સમા ભરતનાટ્યમ માટે પરંપરાગત સંગીત અને નૃત્યમાં ક્રાંતિ સર્જી હતી. તેઓ બાળપણથી જ કુટુંબમાં જ સંગીત શીખ્યા હતા, અને જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમની નૃત્યની આકરી તાલીમ પ્રખ્યાત તંજાવુર નટ્ટુવાનાર પરિવારના સભ્ય, પ્રતિષ્ઠિત નૃત્ય શિક્ષક કે. કંડપ્પન પિલ્લાઈના હાથ નીચે શરૂ થઈ હતી. તેમના નાના ભાઈઓ ટી. રંગનાથન અને ટી. વિશ્વનાથન સંગીતકાર હતા, જેઓ આગળ જતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આગળ પડતા કલાકારો અને શિક્ષકો બન્યા હતા. તેમની પુત્રી, લક્ષ્મી નાઈટ (૧૯૪૩-૨૦૦૧) તેમની માતાની શૈલીની એક વિશિષ્ટ કલાકાર બની હતી. તેમના પૌત્ર અનિરુદ્ધ નાઈટ આજે પણ પારિવારિક શૈલી રજૂ કરી રહ્યા છે, અને તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં બાલા મ્યુઝિક એન્ડ ડાન્સ એસોસિયેશન અને ભારતમાં બાલાસારસ્વતી સ્કૂલ ઓફ ડાન્સના કલાત્મક દિગ્દર્શક છે. તેમના જમાઈ ડગ્લાસ એમ નાઈટ જુનિયરે ગુગેનહેમ ફેલોશિપ (૨૦૦૩)ના સહયોગથી તેમનું જીવનચરિત્ર લખ્યું છે. પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજિત રેએ તેની કૃતિઓ પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. કારકિર્દી બાલાસરસ્વતીની કારકિર્દીની શરૂઆત ૧૯૨૫માં થઈ હતી. તેઓ દક્ષિણ ભારતની બહાર તેમની પરંપરાગત શૈલીના પ્રથમ કલાકાર હતા, જેમણે ૧૯૩૪માં કલકત્તામાં પ્રથમ પ્રદર્શન કર્યું હતું. તેઓ નૃત્ય નિર્દેશક ઉદય શંકર દ્વારા તેમની નૃત્ય શૈલીની પ્રશંસા પામ્યા હતા. ૧૯૩૦ના દાયકા દરમિયાન તેમણે ભારતભરના પ્રેક્ષકોની કલ્પનાને આકર્ષિત કરી હતી. તેમણે એક વૈશ્વિક કારકિર્દી તરફ પ્રયાણ કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવેચકોનું ધ્યાન ખેંચ્યું અને શંભુ મહારાજ, ડેમ માર્ગોટ ફોન્ટેઇન, માર્થા ગ્રેહામ અને મર્સ કનિંગહામ જેવા નૃત્યના મહાન કલાકારો દ્વારા તેમની નૃત્યશૈલી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ૧૯૫૦ના દાયકામાં ભરતનાટ્યમમાં રુચિ વધી કારણ કે લોકોને એક અનન્ય ભારતીય કલા સ્વરૂપને પ્રોત્સાહન આપવામાં રસ પડ્યો હતો. મદ્રાસની મ્યુઝિક એકેડેમીના વહીવટકર્તા દ્વારા પ્રોત્સાહિત બાલાસરસ્વતીએ આ સંસ્થાના સહયોગથી એક નૃત્ય શાળાની સ્થાપના કરી. ત્યાં તેણે પોતાની દૃષ્ટિ મુજબ ભરતનાટ્યમમાં નવા નર્તકોને તાલીમ આપી. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેમણે પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં પર્ફોમન્સ સાથે વૈશ્વિક સ્તરે વધુને વધુ પ્રવાસ ખેડ્યો હતો. તે દાયકા બાદ, ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સની વારંવાર મુલાકાત લીધી હતી અને વેસ્લેયન યુનિવર્સિટી (મિડલટાઉન, કનેક્ટિકટ), કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ આર્ટ્સ (વેલેન્સિયા), મિલ્સ કોલેજ (ઓકલેન્ડ, કેલિફોર્નિયા), યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન (સિએટલ) અને જેકબના ઓશિકા ડાન્સ ફેસ્ટિવલ (બેકેટ, મેસેચ્યુસેટ્સ) ખાતે અન્ય સંસ્થાઓમાં એક શિક્ષક અને કલાકાર તરીકે પ્રવાસનું આયોજન કર્યું હતું. તેમની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ તેમજ ભારતમાં તેમની પ્રવૃત્તિઓ દ્વારા, ખાસ કરીને મદ્રાસમાં, બાલાસરસ્વતીએ અસંખ્ય શ્રોતાઓને ભારત નાટ્યમની પરંપરાગત શૈલીથી પરિચિત કર્યા એટલું જ નહીં, પરંતુ કલા સ્વરૂપના ઘણા નવા વ્યવસાયિકોને તાલીમ પણ આપી. પુરસ્કાર તેમને ભારતમાં અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા, જેમાં સંગીત નાટક અકાદમી (૧૯૫૫) તરફથી રાષ્ટ્રપતિ પુરસ્કાર, વિશિષ્ટ રાષ્ટ્રીય સેવા (૧૯૭૭) માટે ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ પુરસ્કાર અને મદ્રાસ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીતકારો માટેનો દક્ષિણ ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર સંગીત કલાનિધિ (૧૯૭૩) પુરસ્કારનો સમાવેશ થાય છે. ૧૯૭૭માં એક સમીક્ષામાં, ન્યૂ યોર્ક ટાઇમ્સની નૃત્ય વિવેચક એન્ના કિસલગોફે તેમને "વિશ્વના સર્વોચ્ચ કલાકારોમાંના એક" તરીકે વર્ણવ્યા હતા. ઇન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણના આધારે તેમને ૧૦૦ અગ્રણી ભારતીયોમાંના એક તરીકે વર્ગીકૃત કર્યા છે, જેમણે ભારતની નિયતિને આકાર આપ્યો છે. ડાન્સ હેરિટેજ કોએલિશન, "અમેરિકાઝ ઇરિપ્લેસેબલ ડાન્સ ટ્રેઝરઃ ધ ફર્સ્ટ હન્ડ્રેડ" (૨૦૦૦)ના સંકલનમાં સમાવિષ્ટ તેઓ એકમાત્ર બિન-પશ્ચિમી નૃત્યાંગના હતા. બંગાળી ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રે એ બાલાસારસ્વતી પર બાલા (૧૯૭૬) નામથી એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. બાહ્ય કડીઓ સંદર્ભ શ્રેણી:ભારતીય મહિલા શાસ્ત્રીય નૃત્યાંગના શ્રેણી:૧૯૧૮માં જન્મ શ્રેણી:૧૯૮૪માં મૃત્યુ શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ
દમયંતી જોશી
https://gu.wikipedia.org/wiki/દમયંતી_જોશી
દમયંતી જોશી (૫ સપ્ટેમ્બર ૧૯૨૮ – ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૪) કથક નૃત્ય સ્વરૂપના જાણીતા પ્રખર પ્રતિપાદક હતા. તેઓ માનતા હતા કે કથક એ વાર્તા કહેવાની કળા છે. તેમણે ૧૯૩૦ના દાયકામાં મેડમ મેનકાની મંડળીમાં નૃત્ય કરવાની શરૂઆત કરી હતી, જેણે વિશ્વના ઘણા ભાગોમાં પ્રવાસ કર્યો હતો. તેઓ જયપુર ઘરાનાના સીતારામ પ્રસાદ પાસેથી કથક શીખ્યા હતા અને ખૂબ જ નાની ઉંમરે કુશળ નૃત્યાંગના બન્યા હતા, અને બાદમાં લખનૌ ઘરાનાના અચન મહારાજ, લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ પાસેથી તાલીમ લીધી હતી, આમ બંને પરંપરાઓમાંને ઝીણવટપૂર્વક આત્મસાત કરી હતી. તેઓ ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર થયા અને ૧૯૬૦ના દાયકામાં ખ્યાતિ પ્રાપ્ત કરી, ત્યારબાદ તેઓ મુંબઈની તેમની નૃત્ય શાળામાં ગુરુ બની ગયા. તેમને ૧૯૭૦માં પદ્મશ્રી અને ૧૯૬૮માં નૃત્ય માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ લખનઉમાં યુ.પી. કથક કેન્દ્રના નિયામક રહ્યા હતા. પ્રારંભિક જીવન અને તાલીમ ૧૯૨૮માં મુંબઈના એક હિન્દુ પરિવારમાં જન્મેલા દમયંતી, જનરલ ડૉ.સાહેબ સિંઘ સોખે અને તેમના પત્ની લીલા સોખે (જન્મે રોય)ના ઘરે ઉછર્યા હતા.Giants Who Reawakened Indian Dance, Kusam Joshi, 2011, Hinduism Today, Retrieved 5 September 2016 મૅડમ મેનકા તરીકે જાણીતા લીલા સોખીએ પોતાનું બાળક ગુમાવ્યું હતું અને તેણીએ જોશીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. જોશીની માતા વત્સલા જોશીએ તેમની પુત્રીને છોડી ન હતી અને તેઓ સંયુક્ત વાલી બનવા સંમત થયા હતા. પાલક માતા મેનકાની મંડળીમાં તેણી પંડિત સીતારામ પ્રસાદ પાસેથી કથક વિશે શીખી હતી. દસ વર્ષ પછી, જ્યારે તેણી ૧૫ વર્ષની હતી ત્યારે તેમણે યુરોપના મુખ્ય શહેરોમાં નૃત્ય પ્રદર્શન કર્યું હતું. સોખે પરિવારે દમયંતીની માતાને પોતાને ત્યાં નોકરીએ રાખી હતી અને જોશીએ શિક્ષણ મેળવ્યું હતું. મૅડમ મેનકાના સમકાલીનોમાં શિરીન વજીફદાર પણ હતા, જેઓ પારસી સમુદાયના અગ્રણી શાસ્ત્રીય નૃત્યાંગના હતા. તેઓ મુંબઈના શ્રી રાજરાજેશ્વરી ભારત નાટ્ય કલા મંદિરના પ્રથમ વિદ્યાર્થીની હતા, જ્યાં તેમણે ગુરુ ટી. કે. મહાલિંગમ પિલ્લાઈ પાસેથી ભરતનાટ્યમ શીખ્યા હતા. કારકિર્દી ૧૯૫૦ના દાયકાના મધ્યભાગ પછી દમયંતીએ પોતાની જાતને એક સફળ એકલ (સોલો) કથક નૃત્યાંગના તરીકે પ્રસ્થાપિત કરી, તેમણે અચન મહારાજ, લચ્છુ મહારાજ અને લખનૌ ઘરાનાના શંભુ મહારાજ તથા જયપુર ઘરાનાના ગુરુ હીરાલાલ જેવા પંડિતો પાસેથી તાલીમ લીધી. ખાસ કરીને કથક કેન્દ્ર, દિલ્હી ખાતે તેમણે શંભુ મહારાજના હાથ નીચે તાલીમ લીધી હતી. કથક નૃત્યમાં "સાડી"ને વેશભૂષા તરીકે રજૂ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે ઇન્દિરા કલા વિશ્વવિદ્યાલય, ખૈરગઢ અને લખનૌમાં કથક કેન્દ્રમાં કથક શીખવ્યું હતું. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર (૧૯૬૮) અને પદ્મશ્રી (૧૯૭૦)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ બિરેશ્વર ગૌતમના પ્રશિક્ષક હતા. તેઓ ૧૯૭૧માં ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા કથક પરની ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યા હતા અને હુકુમત સરીન દ્વારા નિર્દેશિત "દમયંતી જોશી" નામની અન્ય એક ફિલ્મ ૧૯૭૩માં બનાવવામાં આવી હતી. સર્જન Madame Menaka, by Damayanti Joshi. Sangeet Natak Akademi, 1989. ''Rediscovering India, Indian philosophy library: Kathak dance through ages, by Projesh Banerji, Damayanti Joshi. Cosmo publications, 1990. અવસાન દમયંતી જોશીનું ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૪, રવિવારના રોજ મુંબઈમાં તેમના ઘરે અવસાન થયું હતું. તેઓ બીમાર હતા અને હૃદયઘાતનો હુમલો આવ્યા પછી લગભગ એક વર્ષથી પથારીવશ હતા. સંદર્ભ બાહ્ય કડી શ્રેણી:ભારતીય મહિલા શાસ્ત્રીય નૃત્યાંગના શ્રેણી:૧૯૨૮માં જન્મ શ્રેણી:૨૦૦૪માં મૃત્યુ
ધારાશિવ ગુફાઓ
https://gu.wikipedia.org/wiki/ધારાશિવ_ગુફાઓ
ધારાશિવ ગુફાઓ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં બાલાઘાટ પર્વતોમાં આવેલા ઉસ્માનાબાદ/ધારાશિવ શહેરથી ૮ કિમી દૂર આવેલું ૭ ગુફાઓનું સંકુલ છે. ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફાઓની નોંધ જેમ્સ બર્ગેસ દ્વારા ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારાશિવ ગુફાઓને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે. ઇતિહાસ ધારાશિવ ગુફાઓ ૫મી થી ૭મી સદીની આસપાસ બાંધવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પ્રથમ ગુફા ૧૦મી સદીમાં રાષ્ટ્રકુટ શાસન દરમિયાન મળી આવી હતી. ગુફાઓ બૌદ્ધ છે કે જૈન છે તે અંગેનો મત સ્પષ્ટ નહોતો. એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ મૂળે બૌદ્ધ હતી, પરંતુ પાછળથી જૈન ધર્મના સ્મારકોમાં ફેરવાઈ ગઈ. ગુફાઓ અહીં ૭ ગુફાઓ છે, ૧લી ગુફા ૨૦ સ્તંભોથી સજ્જ છે. ગુફા ક્રમાંક ૨ મુખ્ય ગુફા છે અને અજંતા ખાતેની વાકાટક ગુફાઓની યોજના પર આધારિત છે. તેમાં ૮૦ x ૮૦ ફૂટનો મુખ્ય ખંડ છે, જેમાં ભિક્ષુઓના નિવાસ માટે ૧૪ ઓરડીઓ છે અને પદ્માસનમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા સાથે ગર્ભગ્રહ છે. ૩જી ગુફા ૧લી ગુફાને મળતી આવે છે, જ્યારે બાકીની ગુફાઓ જૈન ગુફાઓ છે. વર્તમાન સ્થિતિ ધારાશિવ ગુફાઓ પર બૌદ્ધો અને જૈનો બંનેનો દાવો કરવામાં આવે છે. જો કે જેમ્સ બર્ગ્સ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાં ૧૨૦૦ ગુફાઓ પર કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે ધારાશિવ ગુફાઓ મૂળે ૫મી સદીમાં બૌદ્ધ ગુફાઓ હતી અને ૧૨મી સદીની આસપાસ કેટલીક ગુફાઓ જૈન ગુફાઓમાં ફેરવાઈ હતી. આ પણ જુઓ અજંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ સંદર્ભ શ્રેણી:ભારતની ગુફાઓ
સ્કંદ પુરાણ
https://gu.wikipedia.org/wiki/સ્કંદ_પુરાણ
સ્કંદ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક છે. બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ વ્યાસજીએ લખેલું છે. આ પુરાણ મુખ્યત્વે કાર્તિકેય ભગવાન ને સમર્પિત છે. આ પુરાણમાં કુલ ૧૮,૦૦૦ શ્લોકો છે. શ્રેણી:પુરાણ
રામાનંદ સ્વામી
https://gu.wikipedia.org/wiki/રામાનંદ_સ્વામી
રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા, તેમણે દાર્શનિક રીતે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેમનો જન્મ અયોધ્યામાં અજયવિપ્ર અને સુમતિને ત્યાં વિક્રમ સવંત ૧૭૯૫ના શ્રાવણ વદ ૮ (જન્માષ્ટમી)ના દિવસે સવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ રામશર્મા હતુ. શુક્લપક્ષના ચંત્રવત વૃદ્ધિ પામતા રામશર્મા માતા પિતાને આનંદ આપી પરિવાર તથા નગરવાસીઓને સ્વધર્મ, ભક્તિ, વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા. યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વૈદાધ્યયન નિમિત્તે ગૃહત્યાગ કરીને સદગુરુની શોધમાં નીકળી પડ્યા. અયોધ્યાથી નીકળેલા રામશર્માને જુનાગઢ ગિરનાર તળેટીમાં આત્માનંદ નામે સિદ્ધ ગુરુ મળ્યા. દિક્ષા લીધી અને રામાનંદ સ્વામી નામ ધારણ કર્યુ. અષ્ટાંગ યોગ સાધના કરતા સિદ્ધ દશાને પામ્યા. સમાધીમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનદં સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી. શ્રીરંગક્ષેત્રમાં આચાર્યવર શ્રીરામાનુજાચાર્ય દિક્ષા પામ્યા. સમાધિમાં શ્રીકૃષ્ણના દર્શન થયા. એટલે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા. તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃંદાવન આવ્યા. ત્યાં ભગવદાનુષ્ઠાન કરતા ફરી કૃષ્ણના દર્શન થયા. તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નૂતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફૂરણા જગાડી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રીગણેશ કર્યા. રામાનુજ દર્શનના સિદ્ધાંતાનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. ગામડે ગામડે તેમના બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થવા લાગી. ઠેરઠેર ભક્ત મંડળીઓ અને સદાવ્રતો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી. રામાનંદ સ્વામીના આશ્રમો પૈકિના લોજ ગામના આશ્રમમાં વિ.સં. ૧૮૫૬માં શ્રાવણ સુદ ૬ના રોજ નિલકંઠ વર્ણીરુપે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા. પીપલાણામાં સ્વામીએ નિલકંઠવર્ણીને દિક્ષા આપીને “સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ”એવા બે નામ આપ્યા અને જેતપુરમાં સર્વસંમતિથી સવંત ૧૮૫૮માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપી અને તેમનું અવતરણકાર્ય પુરુ કરીને અંતે ફરેણીગામમાં વિ.સં. ૧૮૫૮ માગશર સુદ ૧૩ ત્રયોદશીને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત્સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુકત થઈને દિવ્ય દેહને પામ્યા અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિસ્તાર પામ્યો.
ભગતજી મહારાજ
https://gu.wikipedia.org/wiki/ભગતજી_મહારાજ
REDIRECT પ્રાગજી ભગત
યોગીજી મહારાજ
https://gu.wikipedia.org/wiki/યોગીજી_મહારાજ
યોગીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના ધારી ગામે એક લોહાણા વેપારી પરિવારમાં થયો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું. તેઓ'યોગી'ના હુલામણાં નામે જાણીતા હતા. "ભગવાન સૌનું ભલું કરો" તેમનો મંત્ર હતો. સંદર્ભ શ્રેણી: હિંદુ સંત શ્રેણી: સ્વામિનારાયણ સંપ્રદાય
શિરીન વજીફદાર
https://gu.wikipedia.org/wiki/શિરીન_વજીફદાર
શિરીન વજીફદાર (અ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, કોરિયોગ્રાફર, પ્રશિક્ષક અને વિવેચક હતા. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્યને અપનાવનાર પ્રથમ પારસીમાંના એક હતા. કથકના અગ્રણી શિરીન એક પ્રખ્યાત કલાકાર અને શિક્ષક હતા. ફિલ્મ મયુરપંખ (૧૯૫૪)માં તેમની કોરિયોગ્રાફીના વખાણ થયા હતા. જીવન શિરીન વજીફદારનો જન્મ મુંબઈ, ભારત ખાતે થયો હતો. તેમને બે નાની બહેનો ખુર્શીદ અને રોશન હતી. તેમનો ઉછેર મુંબઈના એક અનાથાશ્રમમાં થયો હતો. ૧૯૩૦ના દાયકામાં, પોતાના સમુદાયના વિરોધને અવગણીને, વજીફદારે જયપુર ઘરાનાના શિક્ષક સુંદર પ્રસાદ સાથે કથક શીખવાનું શરૂ કર્યું. તેમણે ખંડાલામાં માદામ મેનકા દ્વારા સંચાલિત નૃત્યાલયમ નૃત્ય અકાદમીમાં શેવંતી ભોંસલે અને દમયંતી જોશીની સાથે હાજરી આપી હતી. અહીં તેમણે ભારતીય નૃત્યના અન્ય સ્વરૂપો મણિપુરી અને કથકલી શીખ્યા હતા. વજીફદારે ૧૯૫૦માં મુલ્ક રાજ આનંદ સાથે લગ્ન કર્યા. તેઓ તેમના બીજા પત્ની હતા. કારકિર્દી વજીફદારે તેમની બહેનો ખુર્શીદ અને રોશનને નૃત્ય શીખવ્યું હતું, અને તેમની સાથે જ તેમણે વજીફદાર સિસ્ટર્સ તરીકે નૃત્ય રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ભરતનાટ્યમ અને મોહિનીયટ્ટમ સહિત ભારતીય નૃત્યની તમામ મુખ્ય શાખાઓમાં તાલીમ લીધી હતી. આ બહેનો ભારતીય શાસ્ત્રીય નૃત્ય કરનારી પ્રથમ પારસી હતી. પારસી સમુદાયના રૂઢિચુસ્તો તેમનો વિરોધ કરતા હતા, પરંતુ તેમને અન્ય લોકોનો ટેકો મળ્યો હતો. આધુનિકતાવાદી નૃત્યાંગના રામ ગોપાલ તેમના પ્રશિક્ષકોમાંના એક હતા. વજીફદરના સમકાલીનોમાં મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા અને પૂવૈયા બહેનોનો સમાવેશ થાય છે. વજીફદાર, બોમ્બેમાં કફ પરેડમાં નૃત્ય મંજરી નામની નૃત્ય અકાદમી ચલાવતા હતા. કૃષ્ણ કુટ્ટી સાથે મળીને તેમણે નૃત્ય દર્પણ સોસાયટીની સ્થાપના કરી હતી. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, વજીફદાર અને તેમના વિદ્યાર્થીઓ, ધ મારવાડી બેલ્સે, બોમ્બેની તાજમહલ હોટલમાં કાર્યક્રમ આપ્યો હતો. ૧૯૫૧માં વજીફદાર અને તેમની બહેનોએ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવાસ ખેડ્યો હતો અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું. વજીફદારની કામગીરીનું કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ અસ્તિત્વમાં હોય તેવું જણાતું નથી. ભારતના ફિલ્મ વિભાગે તેમના પર એક ફિલ્મ બનાવી હતી, પરંતુ તે ખોવાઈ ગઈ હતી. ૧૯૫૨માં તેઓ બીબીસી ટેલિવિઝન પર જોવા મળ્યા હતા. ૧૯૫૪માં વજીફદારે કિશોર સાહુની ફિલ્મ મયુરપંખમાં એક ડાન્સ સિક્વન્સ કોરિયોગ્રાફી કરી હતી. રોશન અને ખુર્શીદે તેમાં પ્રદર્શન કર્યું હતું. ૧૯૫૫માં, તેઓ ચીનમાં એક નૃત્ય પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે ક્રિષ્ના કુટ્ટી સાથે મોહિની અને ભસ્માસુરની ભૂમિકા ભજવી હતી, જેના ખૂબ જ વખાણ થયા હતા. ૧૯૫૭ સુધીમાં વજીફદારે કામગીરીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે પછી તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માટે નૃત્યની સમીક્ષાઓ લખવાનું શરૂ કર્યું. પ્રકાશન સંદર્ભ શ્રેણી:ભારતીય મહિલા શાસ્ત્રીય નૃત્યાંગના શ્રેણી:૨૦૧૭માં મૃત્યુ
બેગમ અખ્તર
https://gu.wikipedia.org/wiki/બેગમ_અખ્તર
બેગમ અખ્તર તરીકે જાણીતા અખ્તરીબાઈ ફૈઝાબાદી (૭ ઓક્ટોબર ૧૯૧૪ – ૩૦ ઓક્ટોબર ૧૯૭૪) "મલ્લિકા-એ-ગઝલ" (ગઝલની રાણી) તરીકે ઓળખાતા ભારતીય ગાયિકા અને અભિનેત્રી હતા. તેમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગઝલ, દાદરા અને ઠુમરી શૈલીના મહાન ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. બેગમ અખ્તરને ૧૯૭૨માં સ્વર સંગીત માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને બાદમાં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જીવન thumb|બેગમ અખ્તરનું ફૈઝાબાદ ખાતેનું પૂર્વજોનું ઘર અખ્તરીબાઈ ફૈઝાબાદીનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૧૪ના રોજ અસગર હુસૈન, એક વકીલ અને તેમની બીજી પત્ની મુશ્તારીને ત્યાં થયો હતો. અસગર હુસૈને ત્યારબાદ મુશ્તારી અને તેની જોડિયા પુત્રીઓ ઝોહરા અને બિબ્બી (જે પાછળથી બેગમ અખ્તર તરીકે ઓળખાયઅ) ને નકારી કાઢ્યા હતા. કારકિર્દી અખ્તર ભાગ્યે જ સાત વર્ષના હતા જ્યારે તેઓ પ્રવાસી થિયેટર જૂથ સાથે જોડાયેલા કલાકાર ચંદ્રા બાઈના સંગીતથી મોહિત થઈ ગયા હતા. જો કે તેમના કાકાના આગ્રહને વશ થઈને તેમને પટનાના મહાન સારંગી પુરસ્કર્તા ઉસ્તાદ ઇમદાદખાન અને પાછળથી પટિયાલાના અતા મોહમ્મદ ખાનના હાથ નીચે તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. પાછળથી તેઓ પોતાની માતા સાથે કલકત્તા ગયા હતાં અને મહંમદ ખાન, લાહોરના અબ્દુલ વહીદ ખાન જેવા શાસ્ત્રીય મહારથીઓ પાસેથી સંગીત શીખ્યાં હતાં અને છેવટે તેઓ ઉસ્તાદ ઝંડેખાનનાં શિષ્યા બન્યા હતાં. તેણીનો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ પંદર વર્ષની ઉંમરે થયો હતો. વિખ્યાત કવિ સરોજિની નાયડુએ ૧૯૩૪ના નેપાળ-બિહારના ભૂકંપના પીડિતોની મદદમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન તેમના ગાયનની પ્રશંસા કરી હતી. આ પ્રશંસાએ તેણીને વધુ ઉત્સાહ સાથે ગઝલ ગાવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપ્યું. તે સમયે તેમણે મેગાફોન રેકોર્ડ કંપની માટે પોતાની પહેલી સંગીત રેકોર્ડ કરી હતી. તેમની ગઝલ, દાદરા, ઠુમરીઓ વગેરે સાથે સંખ્યાબંધ ગ્રામોફોન રેકોર્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તેઓ સાર્વજનિક સંગીત કાર્યક્રમો કરનારી શરૂઆતની મહિલા ગાયકોમાંના એક હતા. તેમણે મહેફીલો અથવા ખાનગી મેળાવડાઓમાં ગાવાથી અલગ થઈ ગયા હતા, અને સમય જતાં મલ્લિકા-એ-ગઝલ (ગઝલની રાણી) તરીકે ઓળખાવા લાગ્યા. બેગમ અખ્તરના સારા દેખાવ અને સંવેદનશીલ અવાજે તેમને શરૂઆતના વર્ષોમાં ફિલ્મી કારકિર્દી માટે આદર્શ ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, જ્યારે તેમણે ગૌહર જાન અને મલક જાન જેવા મહાન સંગીતકારોને સાંભળ્યા ત્યારે તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કારકિર્દી બનાવવા માટે ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ (ગ્લેમર)નો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું. હળવા શાસ્ત્રીય સંગીતમાં તેમની સર્વોચ્ચ કલાત્મકતા શુદ્ધ ક્લાસિકવાદની પરંપરામાં નિહિત હતી. તેમણે મુખ્યત્વે શાસ્ત્રીય વિધામાં વિવિધ પ્રકારના રાગ, જેમાં સરળથી માંડીને જટિલ સુધીનો સમાવેશ થાય છે, તેવા સંગીત કાર્યક્રમોની સૂચિ પસંદ કરી. ભારતમાં ટોકી યુગના આગમન બાદ બેગમ અખ્તરે ૧૯૩૦ના દાયકામાં કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. કલકત્તાની ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ કંપનીએ ૧૯૩૩માં "કિંગ ફોર અ ડે" (એક દિન કા બાદશાહ) અને નળ દમયંતીમાં કામ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. તે યુગના અન્ય લોકોની જેમ, તેણીએ પણ તેમની બધી ફિલ્મોમાં તેમના ગીતો જાતે ગાયા હતા. તે પછીના વર્ષોમાં તેમણે અભિનય ચાલુ રાખ્યો. ત્યારબાદ, બેગમ અખ્તર લખનઉ પાછાં ફર્યાં, જ્યાં પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મહેબૂબ ખાન દ્વારા ૧૯૪૨માં રજૂ થયેલી ફિલ્મ રોટીમાં અભિનય કરવા માટે (તેનું સંગીત ઉસ્તાદ અનિલ વિશ્વાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું) તેમનો સંપર્ક કરવામાં આવ્યો., Retrieved 1 October 2020 "રોટી"માં તેમની છ ગઝલો હતી, પરંતુ કમનસીબે નિર્માતા સાથેની થોડી મુશ્કેલીને કારણે, મહેબૂબ ખાને પછીથી ફિલ્મમાંથી ત્રણ કે ચાર ગઝલો કાઢી નાખી. બધી ગઝલો મેગાફોન ગ્રામોફોન રેકોર્ડ્સ પર ઉપલબ્ધ છે. આ દરમિયાન બેગમ અખ્તર મુંબઈથી લખનઉ પરત ફર્યા હતા. ઘણી ફિલ્મોની ક્રેડિટમાં તેમનું નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી, અખ્તરી અને બેગમ અખ્તર જેવી અલગ અલગ રીતે જોવા મળે છે. ૧૯૪૫માં અખ્તરી બાઈએ લખનઉ સ્થિત બેરિસ્ટર ઇશ્તિયાક અહમદ અબ્બાસી સાથે લગ્ન કર્યા અને બેગમ અખ્તરના નામથી જાણીતા થયા. જો કે, લગ્ન પછી, તેમના પતિના પ્રતિબંધોને કારણે, તેણી લગભગ પાંચ વર્ષ સુધી ગીત ગાઈ શકી ન હતી અને ત્યારબાદ, બીમાર પડી હતી અને ભાવનાત્મક રીતે હતાશ થઈ ગઈ હતી. ત્યારે સંગીત તરફ પાછા ફરવું એક યોગ્ય ઉપાય તરીકે સૂચવવામાં આવ્યું હતું, અને ૧૯૪૯માં તેઓ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પરત ફર્યા હતા.Begum Akhtar (1914–1974) – Begum Akhtar Profile NRCW, Government of India website, Published 19 March 2006, Retrieved 1 October 2020 તેમણે લખનઉ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ત્રણ ગઝલ અને એક દાદર ગાયું હતું. ત્યારબાદથી ફરીથી તેમણે સાર્વજનિક કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યુ, જે તેમણે મૃત્યુ સુધી ચાલુ રાખ્યું હતું. ૧૯૬૨માં યોજાયેલી ચીન સાથેના યુદ્ધની સહાય માટે મહિલાઓની એકમાત્ર કોન્સર્ટમાં તેમણે લખનઉમાં જાહેરમાં ગીત ગાયું હતું. સમય જતાં તેમનો અવાજ પરિપક્વ બનતો ગયો અને તે સમૃદ્ધિ અને ઊંડાણ પ્રાપ્ત કરતો ગયો. તેમણે પોતાની અનૂઠી શૈલીમાં ગઝલો અને અન્ય હળવા શાસ્ત્રીય ટુકડાઓ ગાયા હતા. તેણીના નામે લગભગ ચારસો ગીતો છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર નિયમિત કલાકાર હતા. તેમણે સામાન્ય રીતે પોતાની ગઝલોની રચના કરી હતી અને તેમની મોટાભાગની રચનાઓ રાગ આધારિત હતી. તેમણે કાલાતીત બંગાળી શાસ્ત્રીય ગીત "જોચોના કોરેચે આરી" (জোছনা করেছেআড়ি) પણ ગાયું હતું. ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ, ગૂગલે બેગમ અખ્તરના ૧૦૩મા જન્મદિવસની ઉજવણીમાં તેમને ડૂડલ પ્રોફાઇલ સમર્પિત કરી હતી. અવસાન ૧૯૭૪માં તિરૂવનંતપુરમ નજીક બાલારામપુરમમાં તેમના છેલ્લા કોન્સર્ટ દરમિયાન, તેમણે તેમનો સૂર ઉઠાવ્યો પરંતુ તેમને લાગ્યું હતું કે તેમની ગાયકી એટલી સારી નહોતી જેટલી તે ઇચ્છે છે અને અસ્વસ્થ લાગે છે. તેણીએ પોતાની જાતને જે તાણ હેઠળ મૂકી હતી તેના પરિણામે તેણી બીમાર પડી ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ૩૦ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ તેમના મિત્ર નીલમ ગામડિયાના હાથમાં તેમનું અવસાન થયું, જેમણે તેમને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું, જે તેમનું અંતિમ પ્રદર્શન હતું. તેમની કબર લખનઉના ઠાકુરગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરની અંદર 'પસંદ બાગ' નામની કેરીના બગીચામાં હતી. તેમને તેની માતા મુશ્તારી સાહિબા સાથે દફનાવવામાં આવ્યા હતા. જો કે, વર્ષોથી, મોટા ભાગનો બગીચો વિકસતા શહેરમાં ખોવાઈ ગયો છે, અને કબર અવ્યવસ્થિત થઈ ગઈ છે. લાલ ઈંટના ઘેરામાં બંધ આરસપહાણની કબરો પિએટ્રા ડ્યુરા શૈલીના આરસપહાણ દ્વારા ૨૦૧૨માં પુન:સ્થાપિત કરવામાં આવી હતી. ૧૯૩૬માં ચાઇના બજાર, લખનઉમાં બાંધવામાં આવેલા તેમના ઘરને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમના શિષ્યોમાં શાંતિ હિરાનંદનો પણ સમાવેશ થાય છે, જેમને પાછળથી પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો અને તેમણે ૨૦૦૫માં બેગમ અખ્તર: ધ સ્ટોરી ઓફ માય અમ્મી શીર્ષક હેઠળ બેગમ અખ્તરનું જીવનચરિત્ર લખ્યું હતું. કલા વિવેચક એસ.કાલિદાસે તેમના પર હૈ અખ્તરી નામની એક ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કર્યું હતું. સંગીત બેગમ અખ્તરના નામે લગભગ ચારસો ગીતો છે. નસીબ કા ચક્કર | – "કલયુગ હૈ જબસે આયા માયા ને..." રોટી | અન્ના સાહબ મૈનકર "વો હસ રહે હૈં આહ કીયે જા..." "ઉલઝ ગયે નયનવા છૂટે નહીં..." "ચાર દિનો કી જવાની મતવાલે..." "એ પ્રેમ તેરી બલિહારી હો..." "ફિર ફસલે બહાર આયી હૈ..." "રેહને લગા હૈ દિલ મેં અંધેરા..." પન્ના દાઈ | જ્ઞાન દત્ત "હમેં યાદ તેરી સતાને લગી..." "મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી..." દાના પાની | મોહન જુનિયર "ઇશ્ક મુઝે ઔર કુછ તો યાદ નહીં..." એહસાન "હમેં દિલ મેં બસા ભી લો.." ફિલ્મોગ્રાફી વર્ષ ફિલ્મનું નામ ૧૯૩૩ કિંગ ફોર અ ડે (દિગ્દર્શક: રાજ હંસ) ૧૯૩૪ મુમતાઝ બેગમ૧૯૩૪ અમીના૧૯૩૪ રૂપ કુમારી (Director: Madan)૧૯૩૫ જવાની કા નશા૧૯૩૬ નસીબ કા ચક્કર (દિગ્દર્શક: પેસી કરણી)૧૯૪૦ અનારબાલા (દિગ્દર્શક: એ. એમ. ખાન)૧૯૪૨ રોટી (દિગ્દર્શક: મહેબૂબ ખાન) [અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.]૧૯૫૮ જલસાગર (દિગ્દર્શક: સત્યજીત રે)[બેગમ અખ્તર તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.] પુરસ્કાર અને સન્માન ૧૯૬૮: પદ્મશ્રી ૧૯૭૨: સંગીત નાટક અકાદમી પુરસ્કાર ૧૯૭૫: પદ્મભૂષણ (મરણોપરાંત) ગ્રંથસૂચિ In Memory of Begum Akhtar, by Shahid Ali Agha. US Inter Culture Associates, 1979. Great Masters of Hindustani Music, by Susheela Misra. Published by Hem Publishers, 1981. Chapter 26. Begum Akhtar: The Queen of Ghazal, by Sutapa Mukherjee. Rupa & Co, 2005, . Begum Akhtar: The Story of My Ammi, by Shanti Hiranand. Published by Viva Books, 2005, . Ae Mohabbat… Reminiscing Begum Akhtar, by Jyoti Sabharwal & Rita Ganguly, 2008, . Begum Akhtar: Love's Own Voice, by S. Kalidas. 2009, . સંદર્ભ બાહ્ય કડીઓ બેગુમ અખ્તરની જીવનચરિત્ર બેગમ અખ્તરનો લેખ બેઘુમ અખ્તર -રસપ્રદ આંતરદૃષ્ટિ શ્રેણી:૧૯૧૪માં જન્મ શ્રેણી:૧૯૭૪માં મૃત્યુ શ્રેણી:પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ શ્રેણી:ભારતીય અભિનેત્રી શ્રેણી:ગાયિકા શ્રેણી:ભારતીય મહિલા ગાયકો
BAPS સ્વામિનારાયણ સંસ્થા
https://gu.wikipedia.org/wiki/BAPS_સ્વામિનારાયણ_સંસ્થા
REDIRECT બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
https://gu.wikipedia.org/wiki/બોચાસણવાસી_અક્ષર_પુરુષોત્તમ_સ્વામિનારાયણ_સંસ્થા
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે જેનાં મૂળ વેદોમાં છે. તેના સ્થાપક અને પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦) હતા. ૧૯૦૭માં શાસ્ત્રીજી મહારાજ (૧૮૬૫-૧૯૫૧) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણ ને પરબ્રહ્મ માની તેમની ઉપાસના કરે છે, અને તેઓ ગુણાતીત ગુરુમાં હંમેશા પ્રગટ રહે છે, એવી માન્યતા ધરાવે છે. તેમના ગુણાતીત ગુરુઓમાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજનો સમાવેશ થાય છે. BAPS સંસ્થા આઘ્યાત્મિક, નૈતિક, અને સામાજિક અને સમસ્યાઓનો સામનો કરવા માટે આપણા વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે. BAPS સમાજ, પરિવારો અને વ્યક્તિઓની સંભાળ રાખીને વિશ્વની સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે. ૭,૫૬૯ થી વધુના વિશ્વવ્યાપી નેટવર્ક દ્વારા તેનું સાર્વત્રિક કાર્ય કેન્દ્રોને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પ્રાપ્ત થયું છે. BAPS સંસ્થાના ૧૩૦૦થી વધુ મંદિરો, ૧૨૦૦થી વધુ સુશિક્ષિત સાધુઓ, ૫૫,૦૦૦થી વધુ સ્વયંસેવકો, હજારો બાળસભા કેન્દ્રો, સેકડો યુવાસભા કેન્દ્રો સિવાય લાખો રવિસભા અને મહિલાસભા કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં સત્સંગીઓને હિન્દુ ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય અંગેનું જ્ઞાન અપાય છે. ઇતિહાસ BAPS સંસ્થા નું તત્વજ્ઞાન અક્ષરપુરુષોત્તમ દર્શન છે. આ દર્શન ના ઉદબોધક અને પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ હતા. તેમના દ્વારા સ્થાપિત સનાતન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું તેમના આઘ્યાત્મિક અનુગામી ગુણાતીતાનંદ સ્વામી એ પ્રચાર પ્રસાર કર્યો. ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય ભગતજી મહારાજ એ કથાવાર્તા દ્વારા એનો પ્રચાર કર્યો. ભગતજી મહારાજ ના શિષ્ય શાસ્ત્રીજી મહારાજ એ 1907માં BAPS સંસ્થા ની સ્થાપના કરી. આના માટે તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા, છતાંય તેમણે બોચાસણ, ગોંડલ,સાળંગપુર,ગઢડા અને અટલાદરાં માં શિખરબદ્ધ મંદિરો નું નિર્માણ કર્યું. તેમના શિષ્ય યોગીજી મહારાજ દ્વારા આ સંસ્થા નું સંવર્ધન થયું. અને તેમના શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ આ સંસ્થા નો વિશ્વવ્યાપી વિકાસ કર્યો. અને તેમનાં શિષ્ય મહંત સ્વામી મહારાજ આજે BAPS ના પ્રમુખ અને ગુરુ પદે રહી સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ કરી રહ્યા છે. સંદર્ભ બાહ્ય કડીઓ https://www.baps.org/About-BAPS/WhoWeAre/HistoryandMilestones.aspx શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
https://gu.wikipedia.org/wiki/બોચાસણવાસી_શ્રી_અક્ષર_પુરુષોત્તમ_સ્વામિનારાયણ_સંસ્થા
REDIRECT બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા
પદ્મ પુરાણ
https://gu.wikipedia.org/wiki/પદ્મ_પુરાણ
thumb|પદ્મ પુરાણની હસ્તપ્રતનું એક પાનું (સંસ્કૃત, દેવનાગરી) પદ્મ પુરાણ (, અથવા ) હિંદુ ધર્મના ૧૮ પુરાણો પૈકીનું એક છે. તેનું નામ પદ્મ (કમળ) પરથી પડ્યું છે જેમાં બ્રહ્માનો જન્મ થયો હતો અને તેમાં મોટાભાગના શ્લોકો વિષ્ણુ ભગવાન સંબંધિત છે. તેમાં શિવ અને શક્તિ સંબંધિત શ્લોકોનો પણ સમાવેશ થાય છે. શ્રેણી:પુરાણ
ગુજરાતના લોકસભા મતવિસ્તારો
https://gu.wikipedia.org/wiki/ગુજરાતના_લોકસભા_મતવિસ્તારો
thumb|440x440px|ગુજરાતના લોક સભા મતવિસ્તારો ભારતની સંસદનું નીચલું ગૃહ લોક સભા, સંસદના સભ્યો (સાંસદો)થી બનેલું છે. દરેક સાંસદ, એક જ ભૌગોલિક મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં અત્યારે ૨૬ લોકસભા મતવિસ્તારો છે. યાદી મતવિસ્તારનું નામ મતવિસ્તાર ક્રમાંકનકશોગુજરાતીમાંઅંગ્રેજીમાંગાંધીનગરGandhinagar૬125pxનવસારીNavsari૨૫125pxખેડાKheda૧૭125pxકચ્છKachchh૧125pxજુનાગઢJunagadh૧૩125pxપાટણPatan૩125pxસુરતSurat૨૪125pxઅમદાવાદ પશ્ચિમAhmedabad West૮125pxસુરેન્દ્રનગરSurendranagar૯125pxભાવનગરBhavnagar૧૫125pxવલસાડValsad૨૬125pxદાહોદDahod૧૯125pxઅમરેલીAmreli૧૪125pxરાજકોટRajkot૧૦125pxભરૂચBharuch૨૨125pxબનાસકાંઠાBanaskantha૨125pxબારડોલીBardoli૨૩125pxઅમદાવાદ પૂર્વAhmedabad East૭125pxઆણંદAnand૧૬125pxજામનગરJamnagar૧૨125pxપોરબંદરPorbandar૧૧125pxવડોદરાVadodara૨૦125pxપંચમહાલPanchmahal૧૮125pxસાબરકાંઠાSabarkantha૫125pxછોટા ઉદેપુરChhota Udaipur૨૧125pxમહેસાણાMahesana૪125px ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામો ક્રમાંકFinal voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)મતવિસ્તારમતદાન વિજેતાપક્ષમતતફાવત૧કચ્છ૫૮.૭૧વિનોદભાઈ ચાવડાભારતીય જનતા પાર્ટી૬,૩૭,૦૩૪૩,૦૫,૫૧૩૨બનાસકાંઠા૬૫.૦૩પરબતભાઈ પટેલભારતીય જનતા પાર્ટી૬,૭૯,૧૦૮ ૩,૬૮,૨૯૬ ૩પાટણ૬૨.૪૫ભરતસિંહજી ડાભી ઠાકોરભારતીય જનતા પાર્ટી૬,૩૩,૩૬૮ ૧,૯૩,૮૭૯ ૪મહેસાણા૬૫.૭૮શારદાબેન પટેલભારતીય જનતા પાર્ટી૬,૫૯,૫૨૫ ૨,૮૧,૫૧૯ ૫સાબરકાંઠા૬૭.૭૭દિપસિંહ રાઠોડભારતીય જનતા પાર્ટી૭,૦૧,૯૮૪ ૨,૬૮,૯૮૭ ૬ગાંધી નગર૬૬.૦૮અમિત શાહભારતીય જનતા પાર્ટી૮,૯૪,૬૨૪ ૫,૫૭,૦૧૪ ૭અમદાવાદ પૂર્વ૬૧.૭૬હસમુખ પટેલભારતીય જનતા પાર્ટી૭,૪૯,૮૩૪ ૪,૩૪,૩૩૦ ૮અમદાવાદ પશ્ચિમ૬૦.૮૧કિરીટ સોલંકીભારતીય જનતા પાર્ટી૬,૪૧,૬૨૨૩,૨૧,૫૪૬ ૯સુરેન્દ્રનગર૫૮.૪૧મહેન્દ્ર મુંજપરાભારતીય જનતા પાર્ટી૬,૩૧,૮૪૪૨,૭૭,૪૩૭ ૧૦રાજકોટ૬૩.૪૯મોહન કુંડારીયાભારતીય જનતા પાર્ટી૭,૫૮,૬૪૫ ૩,૬૮,૪૦૭ ૧૧પોરબંદર૫૭.૨૧રમેશભાઈ ધડુકભારતીય જનતા પાર્ટી૫,૬૩,૮૮૧ ૨,૨૯,૮૨૩ ૧૨જામનગર૬૧.૦૩પૂનમબેન માડમભારતીય જનતા પાર્ટી૫,૯૧,૫૮૮ ૨,૩૬,૮૦૪ ૧૩જુનાગઢ૬૧.૩૧રાજેશ ચુડાસમાભારતીય જનતા પાર્ટી૫,૪૭,૯૫૨ ૧,૫૦,૧૮૫ ૧૪અમરેલી૫૫.૯૭નારણભાઈ કાછડીયાભારતીય જનતા પાર્ટી૫,૨૯,૦૩૫ ૨,૦૧,૪૩૧ ૧૫ભાવનગર૫૯.૦૫ભારતી શિયાલભારતીય જનતા પાર્ટી૬,૬૧,૨૭૩ ૩,૨૯,૫૧૯૧૬આણંદ૬૭.૦૪મિતેશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી૬,૩૩,૦૯૭ ૧,૯૭,૭૧૮ ૧૭ખેડા૬૧.૦૪દેવસિંહ ચૌહાણભારતીય જનતા પાર્ટી૭,૧૪,૫૭૨ ૩,૬૭,૧૪૫ ૧૮પંચમહાલ૬૨.૨૩રતનસિંહ રાઠોડભારતીય જનતા પાર્ટી૭,૩૨,૧૩૬ ૪,૨૮,૫૪૧ ૧૯દાહોદ૬૬.૫૭જસવંતસિંહ ભાભોરભારતીય જનતા પાર્ટી૫,૬૧,૭૬૦ ૧,૨૭,૫૯૬ ૨૦વડોદરા૬૮.૧૮રંજનબેન ભટ્ટભારતીય જનતા પાર્ટી૮,૮૩,૭૧૯ ૫,૮૯,૧૭૭ ૨૧છોટા ઉદેપુર૭૩.૯૦ગીતાબેન રાઠવાભારતીય જનતા પાર્ટી૭,૬૪,૪૪૫ ૩,૭૭,૯૪૩ ૨૨ભરૂચ૭૩.૫૫મનસુખભાઈ વસાવાભારતીય જનતા પાર્ટી૬,૩૭,૭૯૫ ૩,૩૪,૨૧૪ ૨૩બારડોલી૭૩.૮૯પરભાબાઈ વસાવાભારતીય જનતા પાર્ટી૭,૪૨,૨૭૩ ૨,૧૫,૪૪૭ ૨૪સુરત૬૪.૫૮દર્શન જર્દોષભારતીય જનતા પાર્ટી૭,૯૫,૬૫૧ ૫,૪૮,૨૩૦ ૨૫નવસારી ૬૬.૪૦સી.આર.પાટીલભારતીય જનતા પાર્ટી૯,૭૨,૭૩૯ ૬,૮૯,૬૬૮ ૨૬વલસાડ૭૫.૪૮ડૉ. કે.સી.પટેલભારતીય જનતા પાર્ટી૭,૭૧,૯૮૦૩,૫૩,૭૯૭ આ પણ જુઓ ગુજરાત વિધાનસભા સંદર્ભ શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
ગુજરાત લોકસભા
https://gu.wikipedia.org/wiki/ગુજરાત_લોકસભા
REDIRECT ગુજરાતના લોકસભા મતવિસ્તારો
ગાંધીનગર લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/ગાંધીનગર_લોક_સભા_મતવિસ્તાર
ગાંધીનગર લોકસભા મતવિસ્તાર એ પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે, જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહ પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ દ્વારા થયું છે. આ મતવિસ્તારની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ના સોમચંદભાઈ સોલંકી હતા. સોમચંદભાઇ સોલંકીએ ૧૯૭૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ) પક્ષ તરફથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં, જનતા પાર્ટીના પુરુષોત્તમ માવલંકર (લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરના પુત્ર) ચૂંટાયા હતા. ૧૯૮૦માં માવલંકરનો કોંગ્રેસના ઉમેદવાર અમૃત મોહનલ પટેલ સામે પરાજય થયો હતો. ૧૯૮૪માં કોંગ્રેસના આઇ.જી. પટેલ ચૂંટાયા હતા. ૧૯૮૯થી આ મતવિસ્તાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ગઢ રહ્યો છે. શંકરસિંહ વાઘેલા ૧૯૮૯ની ચૂંટણીમાં જીત્યા અને ૧૯૯૧માં પછીની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી ચૂંટાયા. અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૬માં આ બેઠક જીતી હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં લખનૌનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. આનાથી પેટાચૂંટણીની ફરજ પડી હતી જે વિજય પટેલે જીતી હતી, જેમણે અન્ય ઉમેદવારોની સાથે ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના (કોંગ્રેસ) ને હરાવ્યા હતા. આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ એક વડા પ્રધાન (વાજપેયી), એક ભાવિ મુખ્ય પ્રધાન (વાઘેલા), અને અડવાણી અને અમિત શાહ - બંને ગૃહ પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું છે. વિધાનસભા વિભાગો ૨૦૧૯ સુધીમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંકમતવિસ્તાર આરક્ષિત? જિલ્લો ધારાસભ્યપક્ષ ૨૦૧૯માં વિજેતા૩૬ ગાંધીનગર ઉત્તરના ગાંધીનગર રીટાબેન પટેલ ભાજપ ભાજપ૩૮ કલોલ લક્ષ્મણજી ઠાકોર ભાજપ ભાજપ૪૦ સાણંદ અમદાવાદ કનુભાઈ પટેલ ભાજપ ભાજપ૪૧ ઘાટલોડિયા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ ભાજપ૪૨ વેજલપુર અમિત ઠાકર ભાજપ ભાજપ૪૫ નારણપુરા જીતેન્દ્રકુમાર પટેલ ભાજપ ભાજપ૫૫ સાબરમતી હર્ષદ પટેલ ભાજપ ભાજપ સંસદ સભ્યો thumb|190x190px| ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૧-૧૯૯૬ અને ૧૯૯૮-૨૦૧૯ દરમિયાન આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ વિજેતા પક્ષ ૧૯૫૨-૧૯૬૨ બેઠક અસ્તિત્વમાં ન હતી૧૯૬૭ સોમચંદભાઈ સોલંકીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૭૧ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (O)૧૯૭૭ પુરુષોત્તમ માવલંકરભારતીય લોકદળ૧૯૮૦ અમૃત પટેલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)૧૯૮૪ જી.આઈ.પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૮૯ શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી૧૯૯૧ લાલકૃષ્ણ અડવાણી૧૯૯૬ અટલ બિહારી વાજપેયી (લખનૌ બેઠક જાળવી રાખી) ૧૯૯૬^ વિજયભાઈ પટેલ (પેટા ચૂંટણી)૧૯૯૮ લાલકૃષ્ણ અડવાણી૧૯૯૯૨૦૦૪૨૦૦૯ ૨૦૧૪ ૨૦૧૯ અમિત શાહ ^ પેટા ચૂંટણી દ્વારા સંદર્ભ શ્રેણી:ગાંધીનગર જિલ્લો શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
નવસારી લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/નવસારી_લોક_સભા_મતવિસ્તાર
નવસારી લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો અને ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ચંદ્રકાંત રઘુનાથ પાટીલ હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ સી.આર. પાટીલ વિજેતા થયા હતા. વિધાનસભા વિભાગો ૨૦૧૪ મુજબ, નવસારી લોક સભા મતવિસ્તારમાં સાત વિધાનસભા વિભાગોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તારઆરક્ષિત? જિલ્લો ધારાસભ્યપક્ષ ૨૦૧૯માં વિજેતા૧૬૩ લિંબાયત ના સુરત સંગીતા પાટીલ ભાજપ ભાજપ૧૬૪ ઉધના વિવેક પટેલ૧૬૫ મજુરા હર્ષ સંઘવી૧૬૮ ચોર્યાસી ઝંખનાબેન પટેલ૧૭૪ જલાલપોર નવસારી આર.સી.પટેલ૧૭૫ નવસારી પિયુષ દેસાઈ૧૭૬ ગણદેવી એસ.ટી. નરેશ પટેલ સંસદ સભ્યો ચૂંટણીસંસદ સભ્યપક્ષ૨૦૦૯ સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ ૨૦૧૯ સંદર્ભ શ્રેણી:નવસારી જિલ્લો શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
બારડોલી (લોકસભા મતવિસ્તાર)
https://gu.wikipedia.org/wiki/બારડોલી_(લોકસભા_મતવિસ્તાર)
REDIRECT બારડોલી લોક સભા મતવિસ્તાર
માંડવી (લોકસભા સંસદીય મતવિસ્તાર)
https://gu.wikipedia.org/wiki/માંડવી_(લોકસભા_સંસદીય_મતવિસ્તાર)
REDIRECT માંડવી લોક સભા મતવિસ્તાર
કપડવંજ (લોકસભા મતવિસ્તાર)
https://gu.wikipedia.org/wiki/કપડવંજ_(લોકસભા_મતવિસ્તાર)
REDIRECT કપડવંજ લોક સભા મતવિસ્તાર
ખેડા લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/ખેડા_લોક_સભા_મતવિસ્તાર
ખેડા લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. વિધાનસભા વિભાગો ખેડા લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તારઆરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા ૫૭ દસક્રોઈના અમદાવાદ બાબુભાઈ પટેલ ભાજપ ભાજપ ૫૮ ધોળકા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ૧૧૫ માતર ખેડા કેશરીસિંહ સોલંકી ૧૧૬ નડિયાદ પંકજ દેસાઈ ૧૧૭ મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ૧૧૮ મહુધા સંજયસિંહ મહીડા ૧૨૦ કપડવંજ રાજેન્દ્રકુમાર મગનભાઇ ઝાલા લોકસભાના સભ્યો વર્ષ વિજેતા પાર્ટી૧૯૫૨ મણીબેન પટેલ અને ફુલસિંહજી ડાભી (બે સભ્યો) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૫૭ ઠાકોર ફતરસિંહજી ડાભી સ્વતંત્ર પક્ષ૧૯૬૨ પ્રવિણસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૬૭૧૯૭૧ ધર્મસિંહ દેસાઈ૧૯૭૭૧૯૮૦ અજીતસિંહ ડાભીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)૧૯૮૪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૮૯ પ્રભાતસિંહ ચૌહાણજનતા દળ૧૯૯૧ ખુશીરામ જેસવાણીભારતીય જનતા પાર્ટી૧૯૯૬ દિનશા પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૯૮૧૯૯૯૨૦૦૪૨૦૦૯ ૨૦૧૪ દેવુસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯ આ પણ જુઓ ખેડા જિલ્લો સંદર્ભ શ્રેણી:ખેડા જિલ્લો શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/અમદાવાદ_પૂર્વ_લોક_સભા_મતવિસ્તાર
અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો તેમાં ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હરિન પાઠક હતા. ૨૦૧૪માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. વિધાનસભા વિભાગો અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા૩૪ દહેગામના ગાંધીનગર બલરાજસિંહ ચૌહાણ ભાજપ ભાજપ૩૫ ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર૪૩ વટવા અમદાવાદ બાબુસિંહ જાદવ૪૬ નિકોલ જગદીશ વિશ્વકર્મા૪૭ નરોડા પાયલ કુકરાણી૪૮ ઠક્કરબાપા નગર કંચનબેન રાદડીયા૪૯ બાપુનગર દિનેશસિંહ કુશવાહા તેના સાતમાંથી પાંચ વિધાનસભા વિભાગો: ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને બાપુનગર પણ ૨૦૦૮માં વિધાનસભા મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યા હતા. નરોડા અને દહેગામ અગાઉ અનુક્રમે અમદાવાદ અને કપડવંજ મતવિસ્તારનો ભાગ હતા. સંસદ સભ્યો alt=|thumb| ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ફિલ્મ અભિનેતા પરેશ રાવલે આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચૂંટણીસાંસદપક્ષ ૨૦૦૯ હરિન પાઠક ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ પરેશ રાવલ ૨૦૧૯ હસમુખ પટેલ આ પણ જુઓ અમદાવાદ લોક સભા મતવિસ્તાર અમદાવાદ જિલ્લો સંદર્ભ શ્રેણી:અમદાવાદ જિલ્લો શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
સારંગ પીપળી
https://gu.wikipedia.org/wiki/સારંગ_પીપળી
REDIRECT સારંગપીપળી
તારા (મહાવિદ્યા)
https://gu.wikipedia.org/wiki/તારા_(મહાવિદ્યા)
Category:Articles having different image on Wikidata and Wikipedia તારા ( ) હિંદુ ધર્મના દશા (દસ) મહાવિદ્યાઓમાંની બીજી દેવી છે. તેઓને આદિશક્તિનું એક સ્વરૂપ છે માનવામાં આવે છે, જે પાર્વતીનું તાંત્રિક સ્વરૂપ છે. તેઓનું સૌથી પ્રખ્યાત મંદિર ભારતના પશ્ચિમ બંગાળમાં તારાપીઠનું મંદિર અને સ્મશાન છે. તેઓના ત્રણ સૌથી પ્રસિદ્ધ સ્વરૂપો છે - એકજાતા, ઉગ્રતારા અને નીલાસરસ્વતી (નીલસરસ્વતી અથવા નીલા સરસ્વતી). દંતકથાઓ અને ધર્મશાસ્ત્ર તારાની ઉત્પત્તિની માહિતી રુદ્રયામાલના ૧૭મા અધ્યાયમાંથી મળે છે. તે અનુસાર બ્રાહ્મણ ઋષિ વસિષ્ઠના દેવીને પૂજા કરી પ્રસન્ન કરવાના પ્રારંભિક અસફળ પ્રયાસોનું વર્ણન કરે છે (બ્રહ્મયામાલા અનુસાર તેમના પ્રારંભિક સ્થાનો કામાખ્યામાં સમુદ્ર પાસે બતાવવામાં આવે છે) તેમનો અન્ય ઉલ્લેખમાં મહાસિના પ્રદેશમાં બુદ્ધના વિષ્ણુના સ્વરૂપ સાથે મુલાકાત દ્વારા દર્શાવાયો છે. શાક્ત કૌલ તંત્રના પાંચ મકરાનો ઉપયોગ કરી કૌલ સંસ્કાર દ્વારા તેમને પ્રસન્ન કરવામાં મળેલી સફળતાનો ઉલ્લેખ છે. તેઓને અથર્વવેદ (અથર્વવેદશાખિની) ના સ્વરૂપ તરીકે પણ વર્ણવવામાં આવે છે. તેઓને ભૈરવને ટોડાલા તંત્રમાં અક્ષોભ્યા તરીકે વર્ણવવામાં આવી છે કારણ કે તેમણે ઘાતક હલાહલ ઝેર ક્ષોભ વગર (અ-ક્ષોભ) પીધું હતું. સ્વતંત્ર તંત્ર અનુસાર, તારા તેમના ભક્તોને મુશ્કેલ (ઉગ્ર) જોખમોથી રક્ષણ આપે છે અને તેથી તે ઉગ્રતારા તરીકે પણ ઓળખાય છે. Pravrajika Vedantaprana, Saptahik Bartaman, Volume 28, Issue 23, Bartaman Private Ltd., 6, JBS Haldane Avenue, 700 105 (ed. 10 October 2015) p.18 દેવી સર્વવ્યાપી છે અને પૃથ્વી પર પણ પ્રગટ થાય છે. જે ભક્ત તેના મંત્રને સાધે છે તેને કવિતાઓ બનાવવાની, તમામ શાસ્ત્રોની સંપૂર્ણ સમજણ મેળવવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા મળતી હોવાનું માનવામાં આવે છે. ઐતિહાસિક મૂળ thumb| દેવી તારાનું કલ્પનાત્મક ચિત્ર તારાની પ્રણાલી સંભવતઃ ભીમ અથવા નીલાની પ્રણાલીઓનું સંકલન છે જે ઓડિયાના નજીક છે અને જેમાં બૌદ્ધ અને કદાચ તાઓવાદી પ્રભાવ જોવા મળે છે. શૈવવાદ અને બૌદ્ધ સંપ્રદાય વચ્ચેના સમન્વયથી હિંદુ અને બૌદ્ધ બંને, તારાની પરંપરાઓની રચના માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું. તેઓના સુખદ સ્વરૂપો બૌદ્ધોમાં લોકપ્રિય હતા, જ્યારે ભીમ-એકજાતાનો સંપ્રદાય મુખ્યત્વે શૈવમાં લોકપ્રિય હતો, જેમાંથી તે વજ્રયાન બૌદ્ધ ધર્મમાં ભળી ગયો હતો. તેને મહાચીનમાંથી વસિષ્ઠ દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો હતો, જે શક્તિસંગમતંત્ર આધારે ઓળખાય છે. આ સ્થળ કૈલાસા પર્વત, માનસરોવર સરોવરના દક્ષિણ પૂર્વમાં અને રાક્ષસ તાલ સરોવરની નજીક, અથવા વૈકલ્પિક રીતે મધ્ય એશિયામાં ક્યાંક આવેલો છે . દેવતાના કેટલાક સ્વરૂપો જેમ કે મહચાચીનક્રમ-તારા, જેને ઉગ્ર-તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ અને બૌદ્ધ બંને પ્રણાલીઓમાં પૂજાય છે. તેણીની સાધનાનું વર્ણન શાશ્વતવજ્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો સાધનાશતપંચાશિકા તરીકે ઓળખાતા સાધનાના બૌદ્ધ ગ્રંથમાં ઉલ્લેખ છે, આ લેખન ફેટકરીયા તંત્રમાં સમાવિષ્ટ છે અને કૃષ્ણપ્રેમસંબંધી વિષયવસ્તુ સાથેના બ્રહ્ત તંત્રસારા જેવા તાંત્રિક માર્ગદર્શિકાઓમાં પણ ટાંકવામાં આવી છે. શક્તિસંગમ તંત્ર નોંધે છે કે તેની સાધના ચિનાચાર દ્વારા બે રીતે કરવામાં આવે છે, સકલચિનાચાર અને નિષ્કલચિનાકાર દ્વારા, જેમાં સકલ સ્વરૂપ બૌદ્ધ ઉપાસના પદ્ધતિઓમાં પ્રચલિત છે અને નિષ્કલ સ્વરૂપ બ્રહ્મણોમાં પ્રસિદ્ધ છે. સંદર્ભ
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
https://gu.wikipedia.org/wiki/દાદાસાહેબ_ફાળકે_પુરસ્કાર
દાદાસાહેબ ફાળકે પુરસ્કારએ સિનેમાના ક્ષેત્રમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ) દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેને પ્રસ્તુત કરવામાં આવે છે. પુરસ્કાર પ્રાપ્તકર્તાને "ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન" માટે સન્માનિત કરવામાં આવે છે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓની બનેલી સમિતિ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે. આ પુરસ્કારમાં સ્વર્ણ કમલ, એક શાલ અને ₹૧,૦૦૦,૦૦૦ (૧૩,૦૦૦ યુએસ ડોલર)નું રોકડ ઇનામ સામેલ છે. ૧૯૬૯માં સૌપ્રથમ વખત પ્રસ્તુત કરવામાં આવેલો આ પુરસ્કાર દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં પ્રદાનની યાદમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ફાળકે (૧૮૭૦-૧૯૪૪), કે જેઓ "ભારતીય સિનેમાના પિતામહ" માનવામાં આવે છે, તેઓ એક ભારતીય ફિલ્મ નિર્માતા હતા જેમણે ભારતના પ્રથમ પૂર્ણ-લંબાઈના ચલચિત્ર, રાજા હરિશ્ચંદ્ર (૧૯૧૩)નું નિર્દેશન કર્યું હતું. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અભિનેત્રી દેવિકા રાણી હતા, જેમને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૨૨ સુધીમાં, ૫૨ ફિલ્મી હસ્તીઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અભિનેતા પૃથ્વીરાજ કપૂર (૧૯૭૧) અને અભિનેતા વિનોદ ખન્ના (૨૦૧૭)ને મરણોત્તર આ પુરસ્કાર એનાયત થયો છે. પૃથ્વીરાજ કપૂરના અભિનેતા-ફિલ્મ નિર્માતા પુત્ર રાજ કપૂરે ૧૯૭૧માં ૧૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં તેમના વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને ૧૯૮૭માં ૩૫મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં તેઓ પોતે પણ પ્રાપ્તકર્તા હતા. પ્રાપ્તકર્તાઓમાં ભાઈ-બહેનની કેટલીક જોડીઓનો પણ સમાવેશ થાય છે, જેમને વિવિધ વર્ષોમાં આ એવોર્ડ મળ્યો હતો, ઉદાહરણ તરીકે: બી. એન. રેડ્ડી (૧૯૭૪) અને બી. નાગી રેડ્ડી (૧૯૮૬); રાજ કપૂર (૧૯૮૭) અને શશી કપૂર (૨૦૧૪); લતા મંગેશકર (૧૯૮૯) અને આશા ભોંસલે (૨૦૦૦); બી.આર.ચોપરા (૧૯૯૮) અને યશ ચોપરા (૨૦૦૧). પીઢ અભિનેત્રી આશા પારેખને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૦ માટે ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર વિજેતા + વર્ષ પ્રમાણે પુરસ્કાર મેળવનારાઓની યાદી વર્ષ છબી પુરસ્કાર પ્રાપ્તકર્તા ફિલ્મ ઉદ્યોગ Notes ૧૯૬૯ 100px દેવિકા રાણી હિન્દી "ભારતીય સિનેમાની પ્રથમ મહિલા" તરીકે વ્યાપકપણે માન્યતા પ્રાપ્ત, આ અભિનેત્રીએ કર્મા (૧૯૩૩) માં ફિલ્મક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું, જે પ્રથમ ભારતીય અંગ્રેજી ભાષાની ફિલ્મ હતી અને ઓન-સ્ક્રીન ચુંબન દર્શાવતી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. તેમણે ૧૯૩૪માં પ્રથમ ભારતીય પબ્લિક લિમિટેડ ફિલ્મ કંપની બોમ્બે ટોકીઝની પણ સ્થાપના કરી હતી. ૧૯૭૦ 100px બિરેન્દ્રનાથ સરકાર બંગાળી ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ અને ન્યૂ થિયેટર્સ નામની બે નિર્માણ કંપનીઓના સ્થાપક, સરકારને ભારતીય સિનેમાના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે કલકત્તામાં બે સિનેમા થિયેટરો પણ બનાવ્યાં હતાં, જેમાંથી એકમાં બંગાળી ફિલ્મો અને બીજામાં હિન્દી ફિલ્મો દર્શાવવામાં આવતી હતી. ૧૯૭૧ 100px પૃથ્વીરાજ કપૂર હિન્દી પૃથ્વીરાજ કપૂરે તેમની અભિનય કારકીર્દિની શરૂઆત થિયેટરોમાં કરી હતી અને ભારતની પ્રથમ બોલતી ફિલ્મ, આલમ આરા (૧૯૩૧) માં અભિનય કર્યો હતો. તેમણે ૧૯૪૪માં "હિન્દી મંચ પ્રસ્તુતિઓને પ્રોત્સાહન આપવા" માટે "પૃથ્વી થિયેટર"ની સ્થાપના કરી હતી, જે એક પ્રવાસી થિયેટર કંપની છે. ૧૯૭૨ 100px પંકજ મલિક બંગાળીહિન્દી એક સંગીતકાર, ગાયક અને અભિનેતા, મલિકે મૂંગી ફિલ્મોના સ્ક્રીનિંગ દરમિયાન જીવંત ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરીને પ્રાર્શ્વ સંગીત ક્ષેત્રે પ્રદાન કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૧૯૩૧માં રચિત રેડિયો સંગીત મહિષાસુરમર્દિની માટે જાણીતા છે ૧૯૭૩ 100px રુબી મેયર્સ (સુલોચના) હિન્દી પોતાના સમયની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક સુલોચનાએ વીર બાલા (૧૯૨૫) થી ફિલ્મક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું અને તેને "ભારતીય સિનેમાની પ્રથમ સેક્સ સિમ્બોલ" માનવામાં આવે છે. ૧૯૭૪ 100px બી. એન. રેડ્ડી તેલુગુ તેલુગુભાષાની પંદર ફિચર ફિલ્મોના દિગ્દર્શક રેડ્ડી પ્રથમ ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ હતા જેમને ડૉક્ટર ઓફ લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ ભારતના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. ૧૯૭૫ 100px ધીરેન્દ્રનાથ ગાંગુલી બંગાળી બંગાળી ફિલ્મ ઉદ્યોગના સ્થાપકોમાંના એક ગણાતા, ગાંગુલીએ બિલાત ફેરાટ (૧૯૨૧) માં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું. તેમણે ત્રણ નિર્માણ કંપનીઓ ઇન્ડો બ્રિટિશ ફિલ્મ કંપની (૧૯૧૮), લોટસ ફિલ્મ કંપની (૧૯૨૨) અને બ્રિટિશ ડોમિનિયન ફિલ્મ્સ સ્ટુડિયો (૧૯૨૯)ની સ્થાપના કરી હતી, જેણે કેટલીક બંગાળી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. ૧૯૭૬ 100px કાનન દેવી બંગાળી "બંગાળી સિનેમાની પ્રથમ મહિલા" તરીકે ઓળખાતા, કાનન દેવીએ ૧૯૨૦ના દાયકામાં મૂક ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. તેમણે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા હતા અને તેમની ફિલ્મ કંપની શ્રીમતી પિક્ચર્સમાં નિર્માતા હતા. ૧૯૭૭ 100px નીતિન બોઝ બંગાળી હિન્દી સિનેમેટોગ્રાફર, દિગ્દર્શક અને પટકથા લેખક, બોઝ ૧૯૩૫માં તેમની બંગાળી ફિલ્મ ભાગ્ય ચક્ર અને તેની હિન્દી આવૃત્તિ (રિમેક) ધૂપ છાંવ દ્વારા ભારતીય સિનેમામાં પાર્શ્વ ગાયન રજૂ કરવા માટે જાણીતા છે. ૧૯૭૮ 100px રાયચંદ બોરલ બંગાળીહિન્દી ભારતીય ફિલ્મ સંગીતના પ્રણેતાઓમાંના એક ગણાતા, બોરલ એક સંગીત દિગ્દર્શક હતા, જેમણે દિગ્દર્શક નીતિન બોઝના સહયોગથી ભારતીય સિનેમામાં પાર્શ્વ ગાયનની પદ્ધતિ દાખલ કરી હતી. ૧૯૭૯ 100px સોહરાબ મોદી હિન્દી એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા, મોદીને ભારતીય સિનેમામાં શેક્સપિયરની કૃતિઓ લાવવાનો શ્રેય આપવામાં આવે છે અને ઉર્દૂ સંવાદ માટે તેમની નોંધ લેવામાં આવી હતી. ૧૯૮૦ 100px પી. જયરાજ હિન્દી શરૂઆતમાં બોડી ડબલ તરીકે કામ કરી ચૂકેલા અભિનેતા-દિગ્દર્શક જયરાજ ભારતીય ઐતિહાસિક પાત્રોના તેમના ચિત્રણ માટે જાણીતા છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપનામાં સામેલ હતા. ૧૯૮૧ 100px નૌશાદ હિન્દી સંગીત દિગ્દર્શક નૌશાદે પ્રેમ નગર (૧૯૪૦) સાથે પ્રદાર્પણ કર્યું હતું અને ભારતીય સિનેમામાં ધ્વનિમિશ્રણની તકનીક દાખલ કરવાનો શ્રેય તેમને જાય છે. ૧૯૮૨ 100px એલ. વી. પ્રસાદ તેલુગુતમિલહિન્દી અભિનેતા-દિગ્દર્શક-નિર્માતા એલ. વી. પ્રસાદને ત્રણ ભાષામાં (હિન્દી આલમ આરા, તમિલ કાલિદાસ અને તેલુગુ ભક્ત પ્રહલાદ) નિર્મિત પ્રથમ બોલતી ફિલ્મોમાં અભિનયનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ બધી જ ફિલ્મો ૧૯૩૧માં રજૂ થઈ હતી. તેમણે ૧૯૬૫માં પ્રસાદ સ્ટુડિયો અને ૧૯૭૬માં કલર ફિલ્મ લેબોરેટરીની સ્થાપના કરી હતી. પ્રસાદ સ્ટુડિયોએ વિવિધ ભારતીય ભાષાઓમાં ૧૫૦ થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ૧૯૮૩ 100px દુર્ગા ખોટે હિન્દીમરાઠી મરાઠી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ અયોધ્યેચા રાજા(૧૯૩૨)માં અભિનય કરનાર ખોટેને ભારતીય સિનેમામાં મહિલાઓમાં અગ્રેસર માનવામાં આવે છે. તેમણે બે પ્રોડક્શન કંપનીઓ ફેક્ટ ફિલ્મ્સ અને દુર્ગા ખોટે પ્રોડક્શન્સની સ્થાપના કરી હતી, જેણે ટૂંકી ફિલ્મો અને ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું હતું. ૧૯૮૪ 100px સત્યજીત રે બંગાળી પાથેર પાંચાલી (૧૯૫૫)થી દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યા બાદ, ભારતીય સિનેમાને વિશ્વ ઓળખ અપાવવાનો શ્રેય ફિલ્મ નિર્માતા રેને જાય છે. ૧૯૮૫ 100px વી. શાંતારામ હિન્દીમરાઠી અભિનેતા અને ફિલ્મ નિર્માતા વી. શાંતારામે ભારતની સૌપ્રથમ રંગીન ફિલ્મ સૈરાંદ્રી (૧૯૩૧)નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. તેમણે મરાઠી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ અયોધ્યાચા રાજા (૧૯૩૨) નું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું, અને ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ ફિલ્મો સાથે સંકળાયેલા હતા. ૧૯૮૬ 100px બી. નાગી રેડ્ડી તેલુગુ રેડ્ડીએ ૫૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું, જેની શરૂઆત ૧૯૫૦ના દાયકામાં થઈ હતી. તેમણે વિજયા વૌહિની સ્ટુડિયોની સ્થાપના કરી જે તે સમયે એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો. ૧૯૮૭ 100px રાજ કપૂર હિન્દી "ધ શો મેન" તરીકે જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા કપૂરના હિન્દી ફિલ્મ આવારા (૧૯૫૧) માં અભિનયને ૨૦૧૦માં ટાઇમ મેગેઝિન દ્વારા અત્યાર સુધીના ટોચના દસ મહાન પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૧૯૮૮ 100px અશોક કુમાર હિન્દી "દાદામૂની" (ભવ્ય વૃદ્ધ વ્યક્તિ) તરીકે જાણીતા, કુમાર અછૂત કન્યા (૧૯૩૬), બંધન (૧૯૪૦) અને ભારતીય સિનેમાની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ કિસ્મત (૧૯૪૩) માં તેમની ભૂમિકા માટે જાણીતા છે. ૧૯૮૯ 100px લતા મંગેશકર હિન્દીમરાઠી "નાઇટિન્ગલ ઓફ ઇન્ડિયા" તરીકે જાણીતા, પાર્શ્વ ગાયિકા મંગેશકરે ૧૯૪૨માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૬થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે. ૧૯૯૦ 100px અક્કિનેની નાગેશ્વર રાવ તેલુગુ ધર્મપત્ની (૧૯૪૧)થી પ્રદાર્પણ કર્યા બાદ, અક્કીનેની નાગેશ્વર રાવે ૨૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાંની મોટાભાગની તેલુગુ ભાષામાં હતી. ૧૯૯૧ 100px ભાલજી પેંઢારકર મરાઠી ફિલ્મ સર્જક પેંઢારકરે ૧૯૨૦ના દાયકામાં કારકિર્દી શરૃ કરી હતી અને ૬૦થી વધુ મરાઠી ફિલ્મો અને આઠ હિન્દી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા ઐતિહાસિક અને સામાજિક ચિત્રણો માટે તેમને વ્યાપકપણે માન્યતા મળી છે. ૧૯૯૨ 100px ભુપેન હજારિકા અસમિયા "બ્રહ્મપુત્રાના કવિ" તરીકે ઓળખાતા સંગીતકાર હઝારિકા આસામી ભાષામાં ગવાયેલા તેમના લોકગીતો અને લોકગીતો માટે જાણીતા છે. ૧૯૯૩ 100px મઝરુહ સુલતાનપુરી હિન્દી ગીતકાર સુલતાનપુરીએ શાહજહાં ફિલ્મ (૧૯૪૬) માટે તેમનું પ્રથમ હિન્દી ગીત લખ્યું હતું અને ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે આશરે ૮૦૦૦ ગીતો લખ્યા હતા. ૧૯૯૪ 100px દિલીપ કુમાર હિન્દી જ્વાર ભાટા (૧૯૪૪)થી પ્રદાર્પણ કરનારા "ટ્રેજેડી કિંગ" દિલીપ કુમારે છ દાયકાથી વધુની કારકિર્દીમાં ૬૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૯૫ 100px ડૉ. રાજકુમાર કન્નડા ૪૫ વર્ષથી વધુની કારકિર્દીમાં, રાજકુમારે ૨૦૦થી વધુ કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને ૧૯૯૨માં શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. ૧૯૯૬ 100px શિવાજી ગણેશન તમિલ ગણેશને પરાશક્તિ (૧૯૫૨)માં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું અને ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પોતાના "અભિવ્યંજક અને રણકારયુક્ત અવાજ" માટે જાણીતા, ગણેશન ૧૯૬૦માં ઇજિપ્તના કૈરોમાં યોજાયેલા આફ્રો-એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં "શ્રેષ્ઠ અભિનેતા" નો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ અભિનેતા હતા. તેમના મૃત્યુ બાદ, ધ લોસ એન્જલસ ટાઇમ્સે તેમને "દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગના માર્લોન બ્રાન્ડો" તરીકે વર્ણવ્યા હતા. ૧૯૯૭ 100px કવિ પ્રદીપ હિન્દી દેશભક્તિ ગીત "આયે મેરે વતન કે લોગો" માટે જાણીતા, ગીતકાર પ્રદીપે લગભગ ૧૭૦૦ ગીતો, સ્તોત્રો અને જ્વલંત રાષ્ટ્રવાદી કવિતાઓ લખી હતી, જેમાં ૮૦થી વધુ હિન્દી ફિલ્મોના ગીતોનો પણ સમાવેશ થાય છે. ૧૯૯૮ 100px બી. આર. ચોપરા હિન્દી ફિલ્મ નિર્માતા બી. આર. ચોપરાએ ૧૯૫૬માં પોતાના પ્રોડક્શન હાઉસ બી. આર. ફિલ્મ્સની સ્થાપના કરી હતી. તેઓ નયા દૌર (૧૯૫૭) અને હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો તેમજ ટીવી શ્રેણી મહાભારત માટે જાણીતા છે. ૧૯૯૯ 100px ઋષિકેશ મુખરજી હિન્દી ૪૫ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા ફિલ્મ નિર્માતા મુખર્જીને અનુરાધા (૧૯૬૦), આનંદ (૧૯૭૧) અને ગોલ માલ (૧૯૭૯) જેવી ફિલ્મો દ્વારા "મધ્યમ વર્ગીય સિનેમા" ને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. ૨૦૦૦ 100px આશા ભોંસલે હિન્દીમરાઠી "અસાધારણ અને વૈવિધ્યસભર સ્વર પ્રતિભા ધરાવતા ભોંસલેએ ૧૯૪૩માં તેમની પાર્શ્વગાયિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૧ 100px યશ ચોપરા હિન્દી યશ રાજ ફિલ્મ્સના સ્થાપક, ચોપરાએ ધૂલ કા ફૂલ (૧૯૫૯) ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. તેમણે ૨૨ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ૨૦૦૨ 100px દેવ આનંદ Hindi "હિંદી સિનેમાના સદાબહાર સ્ટાર" તરીકે વ્યાપકપણે આદરણીય, અભિનેતા અને ફિલ્મ નિર્માતા આનંદે ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સની સહ-સ્થાપના કરી હતી અને ૩૫ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ૨૦૦૩ 100px મૃણાલ સેન બંગાળીહિન્દી "ભારતના સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ નિર્માતાઓ" માંના એક તરીકે ગણવામાં આવતા સેને રાત ભોરે (૧૯૫૫) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું અને ૫૦ વર્ષમાં ૨૭ ફિલ્મો કરી હતી. ૨૦૦૪ 100px અડૂર ગોપાલકૃષ્ણન મલયાલમ મલયાલમ સિનેમામાં નવી તરંગ સિનેમા ચળવળને આગળ ધપાવવાનો શ્રેય ધરાવનાર દિગ્દર્શક ગોપાલકૃષ્ણનને તેમની પ્રથમ ફિલ્મ સ્વયંવરમ (૧૯૭૨) માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમની "જટિલ સમસ્યાઓને સરળ રીતે રજૂ કરવાની ક્ષમતા" માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે. ૨૦૦૫ 100px શ્યામ બેનેગલ હિન્દી બેનેગલે વિજ્ઞાપન (એડવર્ટાઇઝિંગ) ફિલ્મો બનાવીને પોતાની કરકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૭૩માં તેમની પ્રથમ ફિચર ફિલ્મ અંકુરનું દિગ્દર્શન કર્યું હતું. તેમની ફિલ્મોમાં મહિલાઓ અને તેમના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ૨૦૦૬ 100px તપન સિંહા બંગાળીહિન્દી ફિલ્મ સર્જક સિંહાએ ૧૯૫૪માં દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું અને બંગાળી, હિન્દી અને ઉડિયા ભાષાની ૪૦થી વધુ ફિચર ફિલ્મો કરી હતી. મોટાભાગની ફિલ્મોમાં સામાન્ય લોકોને પડતી સમસ્યાઓને સંબોધવામાં આવી હતી. ૨૦૦૭ 100px મન્ના ડે બંગાળીહિન્દી પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી ચાલેલી કારકિર્દીમાં પાર્શ્વ ગાયક ડેએ વિવિધ ભારતીય ભાષાઓમાં ૩૫૦૦થી વધુ ગીતો ગાયા હતા. તેમને "પોપ ફ્રેમવર્કમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને પ્રેરિત કરીને નવી શૈલીની પહેલ કરવાનો" શ્રેય પણ આપવામાં આવે છે. ૨૦૦૮ 100px વી. કે. મૂર્તિ હિન્દી દિગ્દર્શક ગુરુ દત્ત સાથેના સહયોગ માટે જાણીતા સિનેમેટોગ્રાફર મૂર્તિએ ભારતની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ કાગઝ કે ફૂલ (૧૯૫૯)નું શૂટિંગ કર્યું હતું. તેમને પ્યાસા (૧૯૫૭) માં તેમની પ્રકાશ (લાઇટિંગ) તકનીકો માટે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે અને કાગઝ કે ફૂલમાં "બીમ શોટ" ને સેલ્યુલોઇડ ઇતિહાસ (વાણિજ્યિક રીતે પ્લાસ્ટીકનો પ્રથમ વપરાશ )માં ક્લાસિક માનવામાં આવે છે. ૨૦૦૯ 100px ડી. રામાનાયડુ તેલુગુ ૫૦ વર્ષથી વધુની કારકિર્દીમાં, ડી. રામાનાયડુએ વિવિધ ભારતીય ભાષાઓમાં, મોટે ભાગે તેલુગુમાં ૧૩૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેણે નવ ભાષાઓમાં ફિલ્મો બનાવવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૧૦ 100px કે. બાલાચંદર તમિલ ફિલ્મ નિર્માતા કે. બાલચંદરે નીરકુમિઝી (૧૯૬૫) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. ચાલીસ વર્ષ સુધી ચાલેલી કારકિર્દીમાં તેમણે (૧૯૮૧માં સ્થપાયેલા તેમના પ્રોડક્શન હાઉસ, કવિથલાયા પ્રોડક્શન્સ દ્વારા) વિવિધ ભારતીય ભાષાઓમાં ૧૦૦થી વધુ ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું હતું. ૨૦૧૧ 100px સૌમિત્ર ચેટરજી બંગાળી દિગ્દર્શક સત્યજિત રે સાથેના તેમના વારંવારના સહયોગ માટે જાણીતા, ચેટર્જીએ અપુર સંસાર (૧૯૫૯) માં અભિનેતા તરીકે શરૂઆત કરી હતી અને ૬૦ વર્ષથી વધુની કારકિર્દીમાં મૃણાલ સેન અને તપન સિંહા જેવા અન્ય દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું. ૧૯૯૯માં, તેઓ એવા પ્રથમ ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ બન્યા હતા જેમને કલાકારો માટેનો ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૩માં, આઇબીએન લાઇવે તેમને "ભારતીય સિનેમાનો ચહેરો બદલી નાખનારા વ્યક્તિઓ" પૈકીના એક તરીકે નામ આપ્યું હતું. ૨૦૧૨ 100px પ્રાણ હિન્દી તેમના "આકર્ષક અને અત્યંત શૈલીયુક્ત અભિનય" માટે જાણીતા, અભિનેતા પ્રાણે ૫૦ વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં વિલન પાત્રો ભજવ્યા હતા. ૨૦૧૩ 100px ગુલઝાર હિન્દી ગુલઝારે બંદિની (૧૯૬૩) ફિલ્મના ગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને મેરે અપને (૧૯૭૧) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. આર. ડી. બર્મન અને એ. આર. રહેમાન જેવા સંગીત દિગ્દર્શકો સાથેના સફળ સહયોગ માટે જાણીતા ગુલઝારે ૫૦ વર્ષથી વધુની કારકિર્દીમાં તેમના ગીતો માટે અનેક પુરસ્કારો જીત્યા હતા. ૨૦૧૪ frameless|133x133px શશી કપૂર હિન્દી ૧૯૮૫માં નવી દિલ્હી ટાઇમ્સ માટે શ્રેષ્ઠ અભિનેતા સહિત બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતા, કપૂરે તેમના પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા નિર્દેશિત નાટકોમાં ચાર વર્ષની વયે બાળ કલાકાર તરીકે અને ત્યારબાદ ૧૯૬૧માં આવેલી ફિલ્મ ધર્મપુત્રથી મુખ્ય પાત્ર તરીકે પદાર્પણ કર્યું હતું. 1978માં, કપૂરે તેમના પ્રોડક્શન હાઉસ "વાલાસ" ની સ્થાપના કરી હતી અને તેમના પિતા દ્વારા સ્થાપિત પૃથ્વી થિયેટર જૂથને પુનર્જીવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૧૫ 100px મનોજ કુમાર હિન્દી દેશભક્ત હીરો તરીકેની પોતાની ઇમેજ માટે જાણીતા કુમારે ૧૯૫૭માં હિન્દી ફિલ્મ ફેશનથી અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું. દેશભક્તિના વિષય આધારિત ફિલ્મોના અભિનેતા અને દિગ્દર્શક કુમારને પ્રેમથી "ભારત કુમાર" કહેવામાં આવે છે. ૨૦૧૬ 100pxકે. વિશ્વનાથ તેલુગુ વિશ્વનાથે પોતાની કારકિર્દીની શરૂઆત સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કરી હતી. સાઠ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં, વિશ્વનાથે વિભિન્ન શૈલીની ૫૩ ફિચર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, જેમાં પ્રદર્શન કલા (પરફોર્મિંગ આર્ટ્સ), દૃશ્ય કલા (વિઝ્યુઅલ આર્ટ્સ) અને સૌંદર્યશાસ્ત્ર પર આધારિત ફિલ્મોનો સમાવેશ થાય છે. વિશ્વનાથે પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મેળવ્યા છે અને તેમની કૃતિઓ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવી છે. ૨૦૧૭ 100pxવિનોદ ખન્ના હિન્દી મન કા મીત (૧૯૬૮) ફિલ્મથી પ્રદાર્પણ કરનાર ખન્ના મુખ્યત્વે ૧૯૭૦ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકેના તેમના કામ માટે જાણીતા હતા. તેમણે ૧૯૮૨-૧૯૮૭ના સમયગાળામાં ફિલ્મોમાંથી વિરામ લીધો હતો અને ૧૯૯૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૮ 100px અમિતાભ બચ્ચન હિન્દી સાત હિન્દુસ્તાનીફિલ્મથી અભિનય ક્ષેત્ર્રે પ્રદાર્પણ કરનાર બચ્ચન મુખ્યત્વે તેમના અનોખા પ્રભાવક અવાજ માટે અને અભિનયના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટતા માટે જાણીતા છે. બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખાતા બચ્ચને તેમની પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં ૨૦૦થી વધુ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમને ભારતીય સિનેમા તેમજ વિશ્વ સિનેમાના ઇતિહાસમાં સૌથી મહાન અને પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. ફ્રેન્ચ દિગ્દર્શક ફ્રેન્કોઇસ ટ્રુફોટે તેમને "વન-મેન ઇન્ડસ્ટ્રી" તરીકે ઓળખાવ્યા હતા. ૨૦૧૯ 100px રજનીકાન્ત તમિલ અપૂર્વ રાગંગલ (૧૯૭૫) ફિલ્મથી સિનેમા ક્ષેત્રે પ્રદાર્પણ કરનાર રજનીકાંત એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે જ્યાં તેમને પ્રેમથી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. અભિનય ઉપરાંત એણે નિર્માતા અને પટકથા લેખક તરીકે પણ કામ કર્યું છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ (૨૦૦૦) અને પદ્મ વિભૂષણ (૨૦૧૬) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેમને વર્ષ ૨૦૧૯ માટેનો પુરસ્કાર, ૨૦૨૧માં એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૨૦ 100px આશા પારેખ હિન્દી મા (૧૯૫૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પ્રદાર્પણ કરનારા આશા પારેખ એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે, જ્યાં તેમને પ્રેમથી જ્યુબિલી ગર્લ કહેવામાં આવે છે. અભિનય ઉપરાંત, તેણે ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝનના પ્રારંભિક યુગમાં વિવિધ ટેલિવિઝન શ્રેણીઓનું નિર્દેશન પણ કર્યું છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી (૧૯૯૨) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેમને વર્ષ ૨૦૨૦ માટેનો પુરસ્કાર, ૨૦૨૨માં એનાયત કરવામાં આવ્યો હતો. સમાન નામવાળા પુરસ્કાર અન્ય કેટલાક પુરસ્કારો અને ફિલ્મ ફેસ્ટિવલના નામ દાદાસાહેબ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યા છે, જેના કારણે કેટલીક વાર મૂંઝવણ ઊભી થાય છે. આ પ્રકારના એવોર્ડમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ્સ, દાદાસાહેબ ફાળકે એક્સેલન્સ એવોર્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. જે ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ) દ્વારા આપવામાં આવતા એવોર્ડ સાથે સંબંધિત નથી. શ્યામ બેનેગલ જેવા કેટલાક જાણીતા ફિલ્મ નિર્માતાઓએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દાદાસાહેબ ફાળકે નામનો આ પ્રકારનો ઉપયોગ અટકાવવા માટે ભારત સરકાર પગલું ભરે પરંતુ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે નવા પુરસ્કારોના નામ આ પુરસ્કારના નામની બેઠી નકલ ન હોવાથી તે આમ કરી શકે તેમ નથી. નોંધ સંદર્ભ ગ્રંથસૂચિ પૂરક વાંચન બાહ્ય કડીઓ ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ), ભારતની સત્તાવાર વેબસાઈટા શ્રેણી:ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો
મહિષી
https://gu.wikipedia.org/wiki/મહિષી
મહિષી હિંદુ પૌરાણિક કથાઓમાં એક ભેંસ સ્વરૂપની રાક્ષસી છે, જે મહિષાસુરની બહેન છે. પાર્વતીના અવતારરૂપ દુર્ગા દ્વારા તેના ભાઈના માર્યા ગયા પછી મહિષીએ દુર્ગા અને દેવતાઓ સામે બદલો લેવા તપસ્યા કરી હતી. દક્ષિણ ભારતની મલયાલી પરંપરા અનુસાર, વિષ્ણુ અને શિવના પુત્ર અયપ્પને મહિષીને હરાવ્યા હતા. ઉદ્ભવ શ્રી ભૂતનાથઉપખ્યાનમ અનુસાર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંયુક્ત સ્વરૂપ ત્રિમૂર્તિ પુરુષ સ્વરૂપે દત્તાત્રેયમાં પ્રગટ થઈ હતી, જે ઋષિ અત્રી અને તેમની પત્ની અનસૂયાના પુત્ર હતા. વિષ્ણુ અને શિવની પત્નીઓ લક્ષ્મી અને પાર્વતી એક અન્ય ઋષિની પુત્રી લીલા તરીકે પ્રગટ થયા અને દત્તાત્રેયને તેના પતિ તરીકે સ્વીકાર્યા. જ્યારે તેના પતિએ સંસારનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે લીલાએ વિરોધ કર્યો, જેના કારણે ઋષિએ તેને મહિષી એટલે કે એક ભેંસ તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો. પુનર્જન્મ મૃત્યુ બાદ લીલાનો મહિષી નામે ભેંસ સ્વરૂપ રાક્ષસી તરીકે પુનર્જન્મ થયો. જ્યારે દુર્ગા દ્વારા તેના ભાઈ મહિષાસુરનો વધ કરવામાં આવ્યો ત્યારે તેણે બ્રહ્માની તપસ્યા કરી. બ્રહ્માએ તેને વરદાન આપ્યું કે તે ફક્ત વિષ્ણુ અને શિવના પુત્ર દ્વારા જ મરી શકે. વિષ્ણુ અને શિવનો પુત્ર જન્મવાની શક્યતા ન હોઈ તે નિશ્ચિંત બની. અને શક્તિ વડે સ્વર્ગ જીતી લીધું, ઈન્દ્રનું સિંહાસન લઈ લીધું અને દેવોને સ્વર્ગ બહાર કાઢી મૂક્યા.બ્રહ્માના કહેવાથી દત્તાત્રેયએ 'સુંદર મહિષા' નામના એક સુંદર ઢોરનું રૂપ લીધું. તે મહિષીને સંમોહિત કરી સ્વર્ગથી દૂર પૃથ્વી પર જંગલોમાંઆવ્યાે છે. સમુદ્ર મંથનની ઘટના પછી વિષ્ણુએ લીધેલા મોહિની સ્વરૂપથી આકર્ષિત થઈ શિવે તેની સાથે સંભોગ કર્યો તેનાથી તેમના પુત્ર અયપ્પા/ઐયપ્પા (અયપ્પન)નો જન્મ થયો. જ્યારે મહિષી દેવો સાથે બદલો લેવા આવી ત્યારે અસુરોની મદદ લઈ તેણે અનેક સ્વરૂપ ધારણ કર્યાં અને સ્વર્ગ પર હુમલો કરી દીધો. દેવોએ બાળક એવા અયપ્પનની મદદ માગી જે સ્વર્ગ પહોંચ્યા અને મહિષીને શિંગડાથી પકડીને પૃથ્વી પર પાછા લઈ આવ્યા જ્યાં તેનું મૃત્યુ થયું. સંદર્ભ શ્રેણી:પૌરાણિક પાત્રો
ભુવનેશ્વરી
https://gu.wikipedia.org/wiki/ભુવનેશ્વરી
ભુવનેશ્વરી ( સંસ્કૃત : भुवनेश्वरी ) એ એક હિન્દુ દેવી છે. તેઓ શક્તિવાદની દસ મહાવિદ્યા દેવીઓમાં ચોથા સ્થાને છે અને મહાદેવીના સર્વોચ્ચ સ્વરૂપોમાંની એક છે. દેવી ભાગવતમાં તેમને આદિ પરાશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યુત્પત્તિશાસ્ત્ર ભુવનેશ્વરી શબ્દ ભુવના અને ઈશ્વરી શબ્દોનું સંયોજન છે, જેનો અર્થ થાય છે "વિશ્વની દેવી" અથવા "બ્રહ્માંડની રાણી", જ્યાં વિશ્વ ત્રિ-ભુવન છે અથવા ભુ (પૃથ્વી), ભુવઃ (વાતાવરણ) અને સ્વાહ્ (સ્વર્ગ) એ ત્રણ પ્રદેશો છે. સ્વરૂપો દેવી ભાગવત પુરાણ અનુસાર,આ દેવી પંચ પ્રકૃતિના પાંચ સ્વરૂપો દર્શાવે છે: દુર્ગા લક્ષ્મી સરસ્વતી ગાયત્રી રાધા thumb| ભુવનેશ્વરી thumb| કોલકાતામાં કાલી પૂજા પંડાલમાં અન્ય મહાવિદ્યાઓ સાથે ભુવનેશ્વરીની પૂજા. સમગ્ર ભારતમાં ભુવનેશ્વરીને સમર્પિત અનેક મંદિરો છે. દક્ષિણ ભારતમાં મોટાભાગના શ્રીવિદ્યા પરંપરાના ઉપાસકો તેમની પૂજા કરે છે. કેરળમાં તે શાક્તોમાં પણ લોકપ્રિય છે. સતપુલી, પૌરી ગઢવાલ, ઉત્તરાખંડ નજીક બિલખેતમાં પવિત્ર આદિશક્તિ ભુવનેશ્વરી દેવી શક્તિપીઠ મંદિર આવેલું છે. આ મંદિર ઉત્તરાખંડના ભક્તોના સમૂહ માટે સૌથી પવિત્ર સ્થળ છે. નવરાત્રિ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન ઇન્દ્રે તેમના આખા શરીર પર યોનિનો શ્રાપ મળ્યા બાદ તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે શ્રી ભુવનેશ્વરીની પૂજા કરી હતી. શ્રી ભુવનેશ્વરીએ યોનિને આંખોમાં ફેરવી દીધી અને આ ઘટના પછી તેને ઈન્દ્રાક્ષી ("ઈન્દ્ર-આંખવાળું") કહેવામાં આવે છે. તેમજ તેમની એક શક્તિપીઠ ઉત્તર શ્રીલંકામાં જાફના દ્વીપકલ્પના કિનારે - નૈનાઈ શ્રી નાગપૂસની અંબાલ મંદિરમાં નૈનાતીવુ (મણિપલ્લવમ) માં આવેલી છે. દેવીની પાયલ અહીં પડી હોવાનું માનવામાં આવે છે. તેમને ભુવનેશ્વરના આશ્રયદાતા દેવી તરીકે અને ઑડિશાના ઉત્કલા બ્રાહ્મણો દ્વારા પૂજવામાં આવે છે. કોઈમ્બતુરમાં ભુવનેશ્વરીને સમર્પિત એક મંદિર નાનવુર પીરુવુ, વડાવલ્લીમાં આવેલું છેthumb|298x298px| ચંદનનગર, ભારત ખાતે વાર્ષિક ભુવનેશ્વરી પૂજા (2018) હેટખોલા ચંદનનગરમાં દેવીને સમર્પિત એક નટમંદિર છે જ્યાં દર વર્ષે શ્રાવણ મહિનામાં એક મહિના સુધી દેવીની પૂજા કરવામાં આવે છે. અહીં દેવીની છબી પરંપરાગત બંગાળી શૈલીમાં શિવ અને અન્ય દેવતાઓ દ્વારા બનાવવામાં આવી છે. ભુવનેશ્વરીને સમર્પિત બીજું મંદિર પુડુક્કોટ્ટાઈ, તમિલનાડુમાં આવેલું છે. જગન્નાથ મંદિર, પુરીની અંદર એક નાનું મંદિર પણ તેમને સમર્પિત છે અને દેવી સુભદ્રાને ભુવનેશ્વરી તરીકે પૂજવામાં આવે છે. ઑડિશામાં સમલેશ્વરી મંદિર અને કટક ચંડી મંદિર તેમને સમર્પિત છે. ભુવનેશ્વરી દેવીનું સૌથી જૂનું મંદિર ગુંજા, તા: વિસનગર, જિ: મહેસાણા, ઉત્તર ગુજરાત ખાતે આવેલું છે. જ્યાં શુભ અવસરે માતાજીની પાલખીનું કાર્ય (નવરાત્રીનો આઠમ) યોજાય છે. ભુવનેશ્વરી દેવીને સમર્પિત એક મંદિર ગુજરાતના ગોંડલ ખાતે આવેલું છે જેની સ્થાપના ૧૯૪૬માં કરવામાં આવી હતી Images of Bhuvaneshwari temple of Gondal કેરળના કાલિકટના વેસ્ટહિલ ખાતે સ્થિત નોચિપ્રા ભગવથી-ક્ષેત્રમ્ મંદિર એ ૯૫૦+ વર્ષ જૂનું મંદિર છે જ્યાં મુખ્ય દેવતા ભુવનેશ્વરી અમ્મા છે, જે સર્વોચ્ચ દેવી છે. કામાખ્યા મંદિરમાં ભુવનેશ્વરી મંદિર છે. ભુવનેશ્વરીને કર્ણાટકની દેવી અથવા મધર કર્ણાટક (ಕರ್ನಾಟಕ ಮಾತೆ) તરીકે પણ ઓળખવામાં આવે છે અને બદામીના ઐતિહાસિક શહેરનું ભુવનેશ્વરી મંદિર સૌથી જૂના મંદિરોમાંનું એક છે. ભુવનેશ્વરી દેવીને સમર્પિત એક મંદિર છે, જે નાના શહેર જમશેદપુરમાં ટેલ્કો નામના સ્થળે આવેલું છે. સ્થાનિક લોકો માને છે કે મંદિર ખૂબ શક્તિશાળી છે, અને મંદિર ભક્તોને તેમની પ્રાર્થનાઓ મંજૂર કરવાના બદલામાં દેવીને સાડીઓનું વચન આપે છે. ભુવનેશ્વરીનું એક શક્તિશાળી મંદિર વેલ્લાકુલંગારા નજીક અદૂરના ચોરક્કોડુમાં આવેલું છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ભીલાવાડી ખાતે કૃષ્ણા નદીના કિનારે આવેલું એક મંદિર ભુવનેશ્વરી દેવીને સમર્પિત છે. left|thumb| ભુવનેશ્વરી સિંહ પર, બેખલી. ડિસે ૨૦૧૭ ઉત્તર ભારતમાં, કૃષ્ણના શહેર મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિની બરાબર સામે સદીઓ જૂનું "ભુવનેશ્વરી મહાવિદ્યા" મંદિર છે. મહારાષ્ટ્રમાં વધુ એક મંદિર, શ્રી ક્ષેત્ર ઓડમ્બર, સાંગલી જિલ્લામાં આવેલું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બેખલી ગામમાં, દેવી ભુવનેશ્વરીને સમર્પિત મંદિર છે જ્યાં તે માતા ભુવનેશ્વરી જગન્ની તરીકે ઓળખાય છે. મંદિર બહારના ભાગમાં કોતરણી સાથે લાકડાનું બનેલું છે. ત્યાં વર્ષમાં બે વાર દેવીના માનમાં મેળા ભરાય છે. ઑડિશાના ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરમાં, મા ભુવનેશ્વરીને સમર્પિત એક નાનું મંદિર છે. ઉત્તર અમેરિકામાં, મિશિગનના પોન્ટિયાકમાં પરાશક્તિ મંદિરમાં ભુવનેશ્વરીની પૂજા કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, મિન્ટો, NSW માં શ્રી શિવ મંદિરમાં ભુવનેશ્વરીની પૂજા કરવામાં આવે છે. સંદર્ભ
યાન પો નાઝિયા
https://gu.wikipedia.org/wiki/યાન_પો_નાઝિયા
thumb|યાન પો નાઝિયાની પ્રતિમા યાન પો નાઝિયા / લેડી પો નાઝિયા (વિયેતનામીઝ: 杨婆那加), દંતકથાઓ અનુસાર, વિયેતનામના ચામ લોકોના સ્થાપક હતા. દંતકથા અનુસાર, તેમનો જન્મ આકાશના વાદળો અને સમુદ્રના ફીણમાંથી થયો હતો. સમુદ્રના મોજા પર તરતા અગરવુડ લાકડાના ટુકડામાં તેમનું શારીરિક સ્વરૂપ પ્રગટ થયું હતું. તેમને ૯૭ પતિ અને ઓગણત્રીસ પુત્રીઓ હોવાનું પણ કહેવાય છે જેઓ તેમની માતાની જેમ જ દેવીઓ બની હતી. કથા અનુસાર પો નાઝિયા દેવીએ જ પૃથ્વી, અગરવુડ અને ચોખા બનાવ્યા છે. એવું કહેવાય છે કે તેમની આસપાસની હવામાં પણ ચોખાની સુગંધ આવે. ચામ લોકો તેમને છોડ અને વૃક્ષોની દેવી તરીકે પણ માને છે. તે પૃથ્વી માફક પોષણકર્તા દેવી હોવાનું અને તેના અનુયાયીઓને આશીર્વાદ આપતી હોવાનું પણ માનવામાં આવે છે. સંદર્ભ શ્રેણી:પૌરાણિક પાત્રો
અમૂલ ગર્લ
https://gu.wikipedia.org/wiki/અમૂલ_ગર્લ
અમૂલ ગર્લ ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલ દ્વારા ઉપયોગમાં લેવાતા વિજ્ઞાપન (એડવર્ટાઇઝિંગ) માસ્કોટને સંદર્ભિત કરે છે. અમૂલ ગર્લ એ વાદળી વાળ અને અડધા પોની બાંધેલા ટપકાંવાળા પોલ્કા ફ્રોકમાં સજ્જ એક યુવાન ભારતીય છોકરીનું હાથથી દોરેલું કાર્ટૂન છે. અમૂલ ગર્લ વિજ્ઞાપનને તેની રમૂજને કારણે ઘણી વખત શ્રેષ્ઠ ભારતીય વિજ્ઞાપન અવધારણાઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે. ઉદ્‌ભવ અમૂલની હરીફ બ્રાન્ડ પોલ્સનની બટર-ગર્લના પ્રતિભાવ રૂપે અમૂલ ગર્લનું સર્જન કરવામાં આવ્યું હતું. ૧૯૬૭માં એએસપી (એડવર્ટાઇઝિંગ, સેલ્સ એન્ડ પ્રમોશન)એ અગાઉની એજન્સી એફસીબી ઉલ્કા પાસેથી બ્રાન્ડ પોર્ટફોલિયો મેળવ્યા બાદ આ વિચારની કલ્પના કરવામાં આવી હતી. એજન્સીના માલિક સિલ્વેસ્ટર દા કુન્હા અને તેમના કલા નિર્દેશક (આર્ટ ડાયરેક્ટર) યુસ્ટેસ ફર્નાન્ડિઝ દ્વારા મુંબઈમાં હોર્ડિંગ્સ, બસો અને પોસ્ટરો પર તેનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ માસ્કોટને ૧૯૭૬માં કટોકટી જેવી રાષ્ટ્રીય અને રાજકીય મહત્વની ઘણી ઘટનાઓ પર ટિપ્પણી કરતાં જોવામાં આવ્યું છે. વિકાસ ૧૯૬૬માં, અમૂલે જાહેરાત અને વેચાણ પ્રમોશન (એએસપી) નામની જાહેરાત એજન્સીને તેમની જાહેરાત ઝુંબેશ પર કામ કરવા માટે પોતાનું ખાતું આપવાનું નક્કી કર્યું. એજન્સીના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર સિલ્વેસ્ટર દા કુન્હા અને આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડિઝે દેશની દરેક ગૃહિણીનું ધ્યાન ખેંચે તેવું કંઈક બનાવવાનું નક્કી કર્યું. ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જીસીએમએમએફ)ના તત્કાલીન ચેરમેન ડૉ. વર્ગીસ કુરિયને બે જરૂરિયાતો સાથે એક તોફાની નાનકડી છોકરીને માસ્કોટ તરીકે સૂચવી હતી. તેમના મતે મેસ્કોટ દોરવું સહેલું હોવું જોઈએ, કારણ કે મોટાભાગની જાહેરાતો આઉટડોર મીડિયાની હશે, જેમાં તે દિવસોમાં હેન્ડ પેઇન્ટિંગની જરૂર પડતી હતી અને હોર્ડિંગ્સમાં વારંવાર ફેરફાર કરવો પડતો હતો. બદલાવ જાન્યુઆરી ૨૦૨૧માં, મિઝોરમની ચાર વર્ષીય બાળ ગાયિકા એસ્થર હનમતેનો અમૂલ ગર્લ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હનમતે એ. આર. રહેમાનના મા તુજે સલામ ગીતને આવરી લેતા એક મ્યુઝિક વીડિયોથી મીડિયા સનસની બની ગઈ હતી, જે ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટર કેરિકેચરમાં મિઝો પરંપરાગત પોશાકમાં હનમતેને ભારતીય તિરંગો લહેરાવતા દર્શાવવામાં આવી છે, અને તેમાં સૂત્ર આપવામાં આવ્યું છે: "એસ્થરિયલ પર્ફોમન્સ! અમૂલનો શાનદાર સ્વાદ." ઓલિમ્પિક અમૂલ ક્રિકેટ વર્લ્ડ કપ અને ફોર્મ્યુલા-વન રેસિંગ સાથે જોડાણ કરતી જોવા મળી હતી. અમૂલ ૨૦૧૨ની ઓલિમ્પિક રમતો માટે ડેરી ઉત્પાદનો માટેની ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક હતી. વિવાદ ૨૦૦૧માં અમૂલે ઇન્ડિયન એરલાઇન્સની હડતાલની ટીકા કરતી એક જાહેરાત ઝુંબેશ ચલાવી હતી. બાદમાં એરલાઇન્સ દ્વારા ધમકી આપી હતી કે જ્યાં સુધી જાહેરાતો પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમની ફ્લાઇટ્સ પર અમૂલ બટર આપવાનું બંધ કરી દેશે. ગણેશ ચતુર્થી દરમિયાનની અન્ય એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, ગણપતિ બાપ્પા મોરે ગ્યા (ગણપતિ બાપ્પા વધુ (બટર) લે છે). શિવસેના પાર્ટીએ કહ્યું કે, જો જાહેરાત હટાવવામાં નહીં આવે તો તેઓ આવીને અમૂલની ઓફિસને નષ્ટ કરી દેશે.Utterly butterly adorable campaign by Gaurav Sood in The Tribune Spectrum (4 March 2001) જુલાઇ ૨૦૧૧માં, સુરેશ કલમાડીની ટીકા કરતી એક જાહેરાતને કારણે પુણેમાં મુશ્કેલી સર્જાઇ હતી, જ્યારે ડિસેમ્બર ૨૦૧૧માં મમતા બેનર્જી પર મજાક ઉડાવતી એક જાહેરાતને કારણે કોલકાતામાં સમસ્યાઓ સર્જાઇ હતી. ત્યાર બાદ માર્ચ ૨૦૧૨માં કોલકાતાને બાદ કરતાં સમગ્ર ભારતમાં બેનરજી સાથેની અન્ય એક એડ રિલીઝ થઈ હતી.Indrajit Hazra, Jest like that: Girl with the Amul tattoo , July 01, 2012, Hindustan Times, Retrieved July 01, 2012 ૨૦૧૧માં તેમના વિજ્ઞાપન 'મૈંને ક્યા ખાયા' ("મેં શું ખાધું?", જ્યાં 'ખાવું' શબ્દનો અર્થ ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અંગે સુરેશ કલમાડી માટે હિન્દી ભાષામાં લાંચ લેવાનો અથવા આડકતરી રીતે ગેરકાયદેસર કૃત્યથી ફાયદો ઉઠાવવાનો અર્થ થાય છે,) માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દા કુન્હા આશ્ચર્યચકિત થતા યાદ કરે છે કે "તેઓ દોષી સાબિત થયા હતા, તેઓ જેલમાં હતા, તેમની પાર્ટીએ તેમને છોડી દીધા હતા. પરંતુ પુણેમાં પાર્ટીના કાર્યકરોએ ખરેખર હોર્ડિંગને ફાડી નાખ્યા હતા." કેટલાક હાસ્યજનક વિરોધ પણ થયા છે. જ્યારે તેઓએ સત્યમ કમ્પ્યુટર સર્વિસીસ લિમિટેડના બદનામ ચેરમેન રામલિંગ રાજુ માટે 'સત્યમ શારમ સ્કૅન્ડલમ' લખ્યું, ત્યારે તેઓ કહે છે, "અમને સત્યમ બોર્ડ તરફથી એક ઔપચારિક પત્ર મળ્યો હતો, જેમાં અમને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી કે, તેમના બધા કર્મચારીઓ અમૂલ બટર ખાવાનું બંધ કરી દેશે!" સંદર્ભ બાહ્ય કડી અમૂલની વેબસાઇટ પર અમૂલ માસ્કોટની વાર્તા
અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/અમદાવાદ_પશ્ચિમ_લોક_સભા_મતવિસ્તાર
અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાતના ૨૬ લોક સભા મતદારવિસ્તારો પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકન અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત ૨૦૦૯માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. વિધાનસભા વિભાગો અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો ધારાસભ્યપક્ષ ૨૦૧૯માં વિજેતા૪૪ એલિસ બ્રિજના અમદાવાદ અમિત શાહ ભાજપ ભાજપ૫૦ અમરાઈવાડી હસમુખ પટેલ૫૧ દરિયાપુર કૌશિક જૈન૫૨ જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા INC INC૫૩ મણિનગર અમૂલ ભટ્ટ ભાજપ ભાજપ૫૪ દાણીલીમડાઅનુસૂચિત જાતિ (SC) શૈલેષ પરમાર INC INC૫૬ અસારવા દર્શના વાઘેલા ભાજપ ભાજપ સંસદ સભ્યો ચૂંટણી સંસદ સભ્ય પક્ષ ૨૦૦૯ કિરીટ સોલંકી ભાજપ ૨૦૧૪ ૨૦૧૯ આ પણ જુઓ અમદાવાદ લોક સભા મતવિસ્તાર અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર અમદાવાદ જિલ્લો સંદર્ભ શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર શ્રેણી:અમદાવાદ જિલ્લો
ઇઆટ
https://gu.wikipedia.org/wiki/ઇઆટ
ઇઆટ દૂધની દેવી મુખ્ય સંપ્રદાય કેન્દ્ર ઇજિપ્ત પ્રતીક link=|38x38px|S152A ઇઆટ એ પ્રાચીન ઇજિપ્તીયન ગૌણ દેવી છે જે દૂધની દેવી તરીકે અને તેથી જ પાલનપોષણ અને બાળજન્મ સંબંધિત દેવી તરીકે ઓળખાય છે. આ દેવી અંગે ભાગ્યે જ ખાસ માહિતી છે, અને તેના વિશે જે થોડી જાણકારી છે તે પિરામિડના લેખોમાં મુઠ્ઠીભર ઉલ્લેખો પર આધારિત છે.Erman, Adolf & Grapow, Hermann: Wörterbuch der Aegyptischen Sprache, Im Auftrage der Deutschen Akademien, Berlin: Akademie Verlag (1971), vol. I, p. 26.16. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ઉલ્લેખ PT 211/Pyr. 131, જ્યાં મૃત રાજા વિશે એવું કહેવામાં આવે છે, "મારી પાલકમાતા ઇઆટ છે, અને તે મને પોષણ આપે છે, તે ખરેખર તે છે જેણે મને જન્મ આપ્યો" (અજ્ઞાત અનુવાદક) અથવા "દૂધ-દેવી તેની પરિચારિકા છે. તેણી તે છે જે તેના માટે જીવવાનું શક્ય બનાવશે: હકીકતમાં તેણી તે છે જેણે યુનિસને જન્મ આપ્યો હતો " ( જેમ્સ પી. એલનનું ભાષાંતર);Allen, James P. (2005) The Ancient Egyptian Pyramid Texts, Atlanta: Society of Biblical Literature, pages 30, 184, 196. ઉલ્લેખ PT 578/Pyr. 1537, જ્યાં મૃત રાજાને સૂર્યના અવકાશમાં દેવતાઓ સુધી પહોંચવા માટે તેણીની ઓળખ લેવાનું કહેવામાં આવે છે: "તમારે ઉત્તર પવનની તમારી ઓળખમાં, તેમને પકડવા જોઈએ; તમારી એનિબસની ઓળખમાં તેઓ તમને ઓળખી જશે; અને તમારી દૂધ-દેવીની ઓળખમાં દેવતાઓ તમારી વિરુદ્ધ નહીં જાય, "; ઉલ્લેખ MAFS PT 1071, જે સલાહ આપે છે, "તમે નાના છો, તેથી તમારે તમારો એક હાથ સૂર્યને આપવો જોઈએ અને બીજો હાથ દૂધ-દેવીને આપી બેસવું જોઈએ." વ્યુત્પત્તિશાસ્ત્ર આ દેવીનું નામ દૂધ માટેના એક ઇજિપ્તીયન શબ્દ 'ઇઆટેટ' (jꜣtt) જેવું લાગે છે અથવા વધુ પ્રચલિત એવો બીજો શબ્દ 'ઈર્ટજેટ' (jrṯt) જેવું લાગે છે. આથી આ બંને શબ્દોની વ્યુત્પત્તિ સાથે આ દેવીને કંઇક સબંધ હોઈ શકે છે. સંદર્ભ શ્રેણી:દેવી દેવતા
શકુંતલા
https://gu.wikipedia.org/wiki/શકુંતલા
શકુંતલા દુષ્યંતની પત્ની અને સમ્રાટ ભરતની માતા છે. તેમની વાર્તા પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતના આદિપર્વમાં કહેવામાં આવી છે અને ઘણા લેખકો દ્વારા તેનું નાટ્યલેખન કરવામાં આવ્યું છે, જેમાં કાલિદાસનું નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌ (શકુંતલાની નિશાન) સૌથી પ્રખ્યાત છે. thumb|પ્રિયંવદા શકુંતલાને શણગારવા માટે સૌંદર્ય પ્રસાધનોની થાળી લાવી રહી છે. નાલાગઢ, ૧૮૪૦-૧૮૫૦. રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી પૌરાણિક કથાઓ શકુંતલાના જીવનની બે જુદી જુદી વાર્તાઓ છે. પ્રથમ આવૃત્તિ મહાભારતમાં વર્ણવવામાં આવી છે, જે બે મુખ્ય હિન્દુ મહાકાવ્યોમાંનું એક છે, જે પરંપરાગત રીતે વ્યાસ ઋષિને આભારી છે. આ વાર્તાને ચોથી-પાંચમી સદીના કવિ કાલિદાસના નાટક તરીકે સ્વીકારવામાં આવી હતી. જન્મ એક વાર વિશ્વામિત્ર બ્રહ્મર્ષિનો દરજ્જો મેળવવા માટે ધ્યાન કરવા લાગ્યા. તેમની તપસ્યાની તીવ્રતાથી ઇન્દ્ર ડરી ગયા. ઇન્દ્રને ડર હતો કે વિશ્વામિત્રને કદાચ તેનું સિંહાસન જોઈતું હશે. તેમની તપસ્યાનો અંત લાવવા માટે ઇન્દ્રએ મેનકા નામની અપ્સરાને ઋષિને લલચાવવા અને તેમની તપસ્યા ભંગ કરવા મોકલી. મેનકા વિશ્વામિત્રના ધ્યાન સ્થળે પહોંચી અને તેમને લલચાવવા લાગી. વિશ્વામિત્ર પોતાની વાસના અને ઈચ્છા પર કાબૂ ન રાખી શક્યા અને તેમની તપસ્યા તૂટી ગઈ. વિશ્વામિત્ર અને મેનકા થોડા વર્ષો સુધી સાથે રહ્યા અને તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. પાછળથી, વિશ્વામિત્રને સમજાયું કે તે બધી વસ્તુઓ ઇન્દ્રની યુક્તિઓ હતી. તેમને સમજાયું કે તેમણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાની જરૂર છે. વિશ્વામિત્રે મેનકાને છોડી દીધી અને મેનકાએ સ્વર્ગમાં પાછા ફરતા પહેલા બાળકને ઋષિ કણ્વના આશ્રમ પાસે છોડી દીધું. ઉછેર ઋષિ કણ્વને તેમના આશ્રમમાં બે બાળકો મળી આવ્યા હતાં, જેની આસપાસ શકુંત પક્ષીઓ (સંસ્કૃત: शकुन्त,) હતાં. તેથી, તેમણે બાળકીનું નામ શકુંતલા () રાખ્યું, જેનો અર્થ શકુંત-સંરક્ષિત થાય છે. મહાભારતના આદિપર્વમાં કણ્વ કહે છે : તે અરણ્યના એકાંતમાં શકુંતથી ઘેરાયેલી હતી, તેથી, તેનું નામ મેં શકુંતલા (શકુંતલા-રક્ષિત) રાખ્યું છે. અને તેમણે બાળકનું નામ પ્રમતિ રાખ્યું; જેઓ પાછળથી આચાર્ય બન્યા હતા. દુષ્યંત સાથે લગ્ન રાજા દુષ્યંત પોતાની સેના સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે શકુંતલાનો સૌપ્રથમ પરિચય થયો. તે પોતાના હથિયારથી ઘાયલ નર હરણનો પીછો કરી રહ્યા હતા. શકુંતલા અને દુષ્યંત એકબીજાના પ્રેમમાં પડ્યા અને ગંધર્વ લગ્ન પ્રથા મુજબ લગ્ન કર્યા. પોતાના રાજ્યમાં પાછા ફરતા પહેલા દુષ્યંતે શકુંતલાને પોતાની અંગત રાજવી વીંટી આપી હતી, જે તેણે પોતાની પત્નીને પોતાના મહેલમાં રાણી તરીકે લાવવાના વચનના પ્રતિક રૂપે આપી હતી. દુર્વાસાનો શ્રાપ alt=|left|272x272px|thumb|દુર્વાસા મુનિ શકુંતલાને શ્રાપ આપે છે... (બી.પી. બેનર્જી દ્વારા પેઇન્ટિંગ) શકુંતલાએ તેના નવા પતિના સ્વપ્નમાં ઘણો સમય પસાર કર્યો હતો અને ઘણીવાર તેના દિવાસ્વપ્નોથી વિચલિત થઈ જતી હતી. એક દિવસ ઋષિ દુર્વાસા આશ્રમમાં આવ્યા, પણ દુષ્યંત વિશેના પોતાના વિચારોમાં ખોવાયેલી શકુંતલા તેમનું યોગ્ય રીતે અભિવાદન કરવામાં નિષ્ફળ ગઈ. આથી ગુસ્સે થઈને ઋષિએ શકુંતલાને શ્રાપ આપતા કહ્યું કે જે વ્યક્તિનું તે સપનું જોઈ રહી છે તે તેને સાવ ભૂલી જશે. ગુસ્સામાં પરત જઈ રહેલા ઋષિને શકુંતલાની એક બહેનપણીએ તરત જ પોતાની સહેલીના ધ્યાનભંગનું કારણ સમજાવ્યું. ઋષિને ખ્યાલ આવી ગયો કે તેમનો અતિશય ક્રોધ વાજબી નથી, તેમણે તેના શાપમાં ફેરફાર કર્યો અને કહ્યું કે જે વ્યક્તિ શકુંતલાને ભૂલી ગઈ છે તે જો તેણીને આપવામાં આવેલી વ્યક્તિગત નિશાની બતાવે તો તેને ફરીથી બધું યાદ આવી જશે. હસ્તિનાપુરની યાત્રા સમય વીતતો ગયો અને શકુંતલા વિચારતી હતી કે દુષ્યંત શા માટે તેના માટે પાછો ન ફર્યો. છેવટે તે પોતાના પાલક પિતા અને તેના કેટલાક સાથીઓ સાથે પાટનગર જવા નીકળી પડી. રસ્તામાં તેમને હોડીની ફેરીથી નદી ઓળંગવી પડી હતી અને નદીના ઘેરા ભૂરા પાણીથી લથબથ થઈને શકુંતલાએ પોતાની આંગળીઓ પાણીમાં ફેરવી. તેની વીંટી (દુષ્યતની વીંટી) તેની આંગળી પરથી સરકી ગઈ અને તેને ખ્યાલ પણ ન આવ્યો. thumb|left|શકુંતલા તેના પતિ રાજા દુષ્યંતના મહેલ તરફ પ્રયાણ કરી રહી છે દુષ્યંતના દરબારમાં પહોંચીને શકુંતલાને ત્યારે દુઃખ થયું અને નવાઈ પણ લાગી જ્યારે તેનો પતિ તેને ઓળખી ન શક્યો અને ન તો તેને તેના વિશે કશું જ યાદ આવ્યું. તેણે તેને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તે તેની પત્ની છે, પણ વીંટી વિના દુષ્યંત તેને ઓળખી શક્યો નહીં. અપમાનિત થઈને, તે જંગલોમાં પાછી ફરી અને પોતાના પુત્ર સાથે જંગલના એક ભાગમાં સ્થાયી થઈ ગઈ. અહીં તેણે પોતાના દિવસો ગાળવા લાગી અને તેનો પુત્ર ભરત મોટો થતો ગયો. માત્ર જંગલી પ્રાણીઓથી ઘેરાયેલો ભરત, વાઘ અને સિંહોના મોં ખોલવાની અને તેમના દાંત ગણવાની રમત રમતાં રમતાં એક મજબૂત યુવાન બની ગયો. દુષ્યંત સાથે પુનર્મિલન thumb|દુષ્યંત ભરતને સિંહનાં બચ્ચાં સાથે રમતો જુએ છે. આ દરમિયાન એક માછીમારને તેણે પકડેલી માછલીના પેટમાં શાહી વીંટી જોવા મળતા તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાજવી મુદ્રાને ઓળખીને તે વીંટી રાજમહેલમાં લઈ ગયો અને તેની વીંટી જોઈને દુષ્યંતને પોતાની સુંદર પત્ની વિશેની યાદો તાજી થઈ. તે તરત જ તેને શોધવા નીકળી પડ્યો અને શકુંતલાના પિતાના આશ્રમમાં પહોંચતાં તેને ખબર પડી કે હવે તેણી ત્યાં નથી. પોતાની પત્નીને શોધવા માટે તે જંગલમાં દૂર સુધી ચાલ્યો ગયો. તેને જંગલમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું: એક યુવાન છોકરાએ સિંહનું મોઢું ખોલ્યું હતું અને તે તેના દાંત ગણવામાં વ્યસ્ત હતો. રાજાએ છોકરાની હિંમત અને શક્તિથી આશ્ચર્યચકિત થઈને તેનું અભિવાદન કર્યું, અને તેનું નામ પૂછ્યું. જ્યારે છોકરાએ જવાબ આપ્યો કે તે રાજા દુષ્યંતનો પુત્ર ભરત છે, ત્યારે તેને આશ્ચર્ય થયું. છોકરો તેને શકુંતલા પાસે લઈ ગયો, અને તેથી તેનું કુટુંબ ફરી એક થયું. વૈકલ્પિક કથા અન્ય એક વૈકલ્પિક કથા એવી છે કે દુષ્યંત શકુંતલાને ઓળખી ન શક્યો તે પછી તેની માતા મેનકા શકુંતલાને સ્વર્ગમાં લઈ ગઈ, જ્યાં તેણે ભરતને જન્મ આપ્યો. દુષ્યંતને દેવોના પક્ષે યુદ્ધ કરવાની જરૂરિયાત ઊભી થઈ જેમાં તે વિજયી નીવડ્યો. તેની વિજય ભેટ તરીકે તેની પત્ની અને પુત્ર સાથે તેનું પુનર્મિલન થયું. તેની પાસે એક દિવ્યદૃષ્ટિ હતી જેમાં તેણે જોયું કે એક યુવાન છોકરો સિંહના દાંત ગણતો હતો અને તેનું બાહુકવચ તેના હાથમાંથી પડી ગયું હતું. દેવો દ્વારા દુષ્યંતને જાણ કરવામાં આવી હતી કે ફક્ત ભરતની માતા અથવા પિતા જ તે કવચને તેના હાથ પર પાછું બાંધી શકે છે. દુષ્યંતે સફળતાપૂર્વક તેને ભરતના હાથ પર બાંધી દીધું. મૂંઝાયેલો ભરત રાજાને તેની માતા શકુંતલા પાસે લઈ ગયો અને તેને કહ્યું કે આ માણસે તેના પિતા હોવાનો દાવો કર્યો છે. શકુંતલાએ ભરતને જણાવ્યું કે રાજા ખરેખર તેનો પિતા છે. આ રીતે આ કુટુંબ સ્વર્ગમાં ફરી એક થયું, અને તેઓ પાંડવોના જન્મ પહેલાં ઘણા વર્ષો સુધી શાસન કરવા માટે પૃથ્વી પર પાછા ફર્યા. શકુંતલાની પૌરાણિક કથાની પ્રાચીન પ્રસ્તુતિઓ (ઈ.પૂ. બીજી સદી, શુંગ સમયગાળો)) thumb|right|૧૯૬૩ની ટપાલ ટિકિટ - દુષ્યંતને પત્ર લખી રહેલી શકુંતલા સંદર્ભ નોંધ બાહ્ય કડીઓ અભિજ્ઞાન શાંકુતલમ્‌ GRETILમાં લિપ્યંતરણ પાઠ Stop animation version by Patrick McCart પેટ્રિક મેકકાર્ટની અને એની મેકકાર્થી (ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાંથી) એનિમેશન વર્ઝન. શ્રેણી:પૌરાણિક પાત્રો શ્રેણી:મહાભારત
નિરૃતિ
https://gu.wikipedia.org/wiki/નિરૃતિ
નિરૃતિ અથવા નિઋતિ () એક હિંદુ દેવી અથવા દેવ છે, જે મૃત્યુ, ક્ષીણતા અને દુ:ખને વ્યક્ત કરે છે. પ્રારંભિક હિંદુ શાસ્ત્રોમાં નિરૃતિ એ એક એવી દેવી છે જે મૃતકોના પ્રદેશમાં રહે છે. પાછળથી હિંદુ ધર્મમાં તેના પુરુષ સ્વરૂપ નિરૃત નો ઉલ્લેખ છે, જેને નૈઋત્ય દિશાના દિક્પાલ (દિશાઓના રક્ષક) છે. વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ નિરૃતિનો અર્થ થાય છે 'ક્ષીણતા' અને તે નિરૃમાંથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ "રૃ-રહિત" થાય 'અવ્યવસ્થાની સ્થિતિ'.Witzel, Michael. “Macrocosm, Mesocosm, and Microcosm: The Persistent Nature of 'Hindu' Beliefs and Symbolic Forms.” International Journal of Hindu Studies, vol. 1, no. 3, 1997, pp. 501–539. JSTOR, www.jstor.org/stable/20106493. Accessed 10 Mar. 2020. નિરૃતિ નામનો અર્થ થાય છે "રૃત એટલે કે વ્યવસ્થા કે ધર્મ" ની ગેરહાજરી. આ શબ્દનો ઉપયોગ વૈદિક ગ્રંથોમાં અસ્તિત્વ વગરના અને સંપૂર્ણ અંધકારના પ્રદેશને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રદેશ પોતાના જીવન ધર્મમાં નિષ્ફળ ગયેલા લોકોનો ખાઈ જાય છે. આ પ્રદેશમાં કોઈ પ્રકાશ, ભોજન અને બાળકો હોતા નથી. આ ત્રણ વસ્તુને વૈદિક જીવન અને ધાર્મિક વિધિઓમાંથી સૌથી અગત્યના ગણેલ છે. દેવી નિરૃતિનો ઉલ્લેખ ઋગ્વેદના સ્તોત્રોમાં કરવામાં આવ્યો છે. મોટે ભાગે તેની પાસેથી રક્ષણ મેળવવા અથવા તેને પ્રસ્થાનની વિનંતી કરવા માટે તેનો ઉલ્લેખ છે. એક સ્તોત્રમાં (X.59), તેનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્તોત્રમાં તેના સ્વભાવનો સારાંશ આપ્યા પછી યજ્ઞ સ્થળેથી પ્રસ્થાન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. અથર્વવેદ (V.7.9) માં વર્ણન મુજબ તેને સુવર્ણના વાળ છે. તૈત્તિરીય બ્રાહ્મણ (I.6.1.4) માં નિરૃતિને શ્યામ, શ્યામ વસ્ત્રો પહેરેલી અને કાળો ભૂસકાનો ભોગ લેતી કહેલ છે. શતપથ બ્રાહ્મણ (X.1.2.9) માં તેને નૈઋત્ય પ્રદેશ સાથે સાંકળવામાં આવી છે. પરંતુ તે જ લખાણમાં અન્યત્ર (V.2.3.3.) તેનો ઉલ્લેખ જણાવે છે કે તે મૃતકોના પ્રદેશમાં રહે છે.Kinsley, David (1987, reprint 2005). Hindu Goddesses: Visions of the Divine Feminine in the Hindu Religious Tradition, Delhi: Motilal Banarsidass, , p.13Bhattacharji, Sukumari (2000). The Indian Theogony: Brahmā, Viṣṇu and Śiva, New Delhi: Penguin, , pp.80–1 પાછળથી હિંદુ ગ્રંથોમાં નિરૃતિને દેવી તરીકે ફરીથી પરિકલ્પના કરવામાં આવી હતી. કેટલાક ગ્રંથો અનુસાર, તે અધર્મની પત્ની છે જે જંગલોમાં રહેતા પુરૂષની પ્રકૃતિનું મહત્વનું લક્ષણ છે અને ત્રણ રાક્ષસોની માતા છે - મૃત્યુ, ભય અને મહાભય - જેમને સામૂહિક રીતે નૈઋત તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ગ્રંથો મુજબ તે અધર્મ અને હિંસાની પુત્રી છે; તેણે તેના ભાઈ અરૃત સાથે લગ્ન કર્યા અને નરક અને ભયની માતા બની. ભાગવત પુરાણમાં તેને અપ્રજાહ (સંતાન વિનાની) તરીકે રજૂ કરવામાં આવી છે જે બ્રહ્માના બે પુત્રો અધર્મ અને મૃષને દત્તક પુત્રો તરીકે લે છે. કેટલાક ગ્રંથો નિરૃતિને અન્ય અશુભ દેવીઓ જ્યેષ્ઠા અથવા અલક્ષ્મી સાથે સાંકળે છે. આ સંદર્ભમાં તેનો ઉદ્ભવ સમુદ્ર મંથનમાંથી થયો કહેવાય છે. દિક્પાલ thumb|૧૮૨૦ આસપાસનું નિરૃતનું ચિત્ર જેમાં તેને માનવ પર સવારી કરતો અને સેવકો સાથે દર્શાવવામાં આવ્યો છે. કેટલાક વિદ્વાનો અને લેખકો અનુસાર, દેવી નિરૃતિ પાછળથી હિંદુ પૌરાણિક કથાઓમાં પુરુષમાં પરિવર્તિત થઈ અને દિક્પાલ નિરૃત બની. નિરૃતિને નૈઋત્ય દિશાના રક્ષક તરીકે ગણવામાં આવે છે. નિરૃતને કેટલીકવાર રુદ્રોમાંના એક તરીકે સમાવવામાં આવે છે અને સ્થાનુના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે. વિવિધ શાસ્ત્રોમાં નિરૃતના વિવિધ વર્ણનો જોવા મળે છે. આગમ અનુસાર નિરૃત મોટા શરીર સાથે કાળી ચામડીવાળા છે અને પીળા વસ્ત્રો પહેરે છે. તેનું વાહન માણસ અથવા સિંહ છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ જણાવે છે કે નિરૃત ખરાબ દેખાતી આંખો, ફાડેલું મોં અને ખુલ્લા દાંત સાથે એક ભયાવહ દેખાવ ધરાવે છે. આ જ ગ્રંથ જણાવે છે કે નિરૃતનું વાહન ગધેડો છે અને તેના હાથમાં દંડ છે. વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર નિરૃતની ચાર પત્નીઓ છે: દેવી, કૃષ્ણાંગી, કૃષ્ણવંદના અને કૃષ્ણપાશા. દેવી-ભાગવત પુરાણ ગ્રંથ અનુસાર, નિરૃત કૃષ્ણજન નામના નગરમાં રહે છે, જે મેરુ પર્વતના નૈઋત્ય ભાગમાં છે અને આ નગરનો વિસ્તાર ૨૫૦૦ યોજન હોવાનું કહેવાય છે. સંદર્ભ ગ્રંથસૂચિ શ્રેણી:હિંદુ દેવતા
અહલ્યા
https://gu.wikipedia.org/wiki/અહલ્યા
અહલ્યા અથવા અહિલ્યા () મહર્ષિ ગૌતમની પત્ની હતી. ઘણાં હિંદુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી, જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી. ભગવાન બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાએ ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા. પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે. પાછળના સ્રોતો ઘણી વાર તેને બધા જ અપરાધભાવથી મુક્ત કરે છે અને વર્ણવે છે કે તે કેવી રીતે ઇન્દ્રની ચાલાકીનો શિકાર બને છે. તમામ કથાઓમાં અહલ્યા અને ઇન્દ્રને ગૌતમનો શ્રાપ આપવામાં આવ્યો છે. શ્રાપ દરેક લખાણમાં બદલાય છે, પરંતુ લગભગ તમામ સંસ્કરણોમાં રામને તેમના ઉદ્ધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો કે પ્રારંભિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે અહલ્યા વિશ્વથી અદૃશ્ય રહીને કઠોર તપસ્યા કરીને પ્રાયશ્ચિત્ત કરે છે અને કેવી રીતે રામ દ્વારા આતિથ્ય-સત્કાર આપીને તેને શુદ્ધ કરવામાં આવે છે, પરંતુ સમય જતાં વિકસિત થયેલા લોકપ્રિય પુનઃકથનમાં અહલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપવામાં આવે છે અને રામના ચરણસ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવ સ્વરૂપ પાછું મેળવે છે. ઇન્દ્ર દ્વારા અહલ્યાનું પ્રલોભન અને તેના પરિણામો તેના જીવન માટેના તમામ શાસ્ત્રીય સ્રોતોમાં તેની વાર્તાનું કેન્દ્રિય વર્ણન બનાવે છે. જોકે બ્રાહ્મણ ગ્રંથો (ઈ.સ. પૂર્વે ૯મીથી ૬ઠ્ઠી સદી) ઇન્દ્ર સાથેના તેના સંબંધ તરફ ઇશારો કરતા પ્રારંભિક ગ્રંથો છે, પરંતુ ઈ. પૂ. પાંચમીથી ચોથી સદીના હિંદુ મહાકાવ્ય રામાયણ - જેના નાયક રામ છે - તેણે સૌથી પહેલા તેમના લગ્નેતર પ્રણયનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. મધ્યયુગીન કથાકારો ઘણીવાર રામ દ્વારા અહલ્યાની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને ભગવાનની બચાવ કૃપાના પુરાવા તરીકે જોવામાં આવે છે. તેમની વાર્તાને ધર્મગ્રંથોમાં ઘણી વખત ફરીથી રજૂ કરવામાં આવી છે અને આધુનિક યુગની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓમાં તેમજ નૃત્ય અને નાટકમાં પણ તે જીવંત છે. પ્રાચીન વર્ણનો રામકેન્દ્રિત છે, જ્યારે સમકાલીન કથાઓ અહલ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વાર્તાને તેના દૃષ્ટિકોણથી કહે છે. અન્ય પરંપરાઓ તેના બાળકો સાથે સંકળાયેલી છે. પરંપરાગત હિંદુ ધર્મમાં, અહલ્યાને પંચકન્યા ("પાંચ કુમારિકાઓ")માંની પ્રથમ તરીકે બિરદાવવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શરૂપ છે, જેના નામનો પાઠ કરવાથી પાપ દૂર થાય છે તેવું માનવામાં આવે છે. જ્યારે કેટલાક તેના પતિ પ્રત્યેની તેની વફાદારી અને શાપ તથા જાતિગત માપદંડોની અવિરત સ્વીકૃતિની પ્રશંસા કરે છે, જ્યારે અન્ય લોકો તેના વ્યભિચારની નિંદા કરે છે. વ્યુત્પત્તિ અહલ્યા શબ્દને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે: અ (એક ઉપસર્ગ જે નકાર સૂચવે છે) અને હલ્યા, જેને સંસ્કૃત શબ્દકોશો હળ, ખેડાણ અથવા વિકૃતિ સાથે સંબંધિત હોવાનું વ્યાખ્યાયિત કરે છે. રામાયણના ઉત્તરકાંડના પુસ્તકમાં, ભગવાન બ્રહ્મા સંસ્કૃત શબ્દ અહલ્યાના અર્થને "કુરૂપતાની સમજણ વિનાની વ્યક્તિ" અથવા "દોષરહિત સૌંદર્ય ધરાવતી વ્યક્તિ" તરીકે સમજાવે છે, અને ઇન્દ્રને કહે છે કે કેવી રીતે તેમણે "સૃષ્ટિનું તમામ વિશિષ્ટ સૌંદર્ય લઈને તેના શરીરના પ્રત્યેક ભાગમાં વ્યક્ત કરીને" અહલ્યાની રચના કરી. કેટલાક સંસ્કૃત શબ્દકોશોમાં અહલ્યાનું ભાષાંતર "વણખેડેલી", તરીકે કરવામાં આવ્યું છે, તાજેતરના કેટલાક લેખકો આને જાતીય સંભોગના ગર્ભિત સંદર્ભ તરીકે જુએ છે અને દલીલ કરે છે કે આ નામ કુંવારિકા અથવા માતૃ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. આ પાત્રચરિત્ર અહલ્યાના સંદર્ભમાં બંધબેસે છે, જેને એક અથવા બીજી રીતે ઇન્દ્રની પહોંચની બહાર હોવાનું માનવામાં આવે છે. જો કે, નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે (૧૮૬૧-૧૯૪૧) "વણખેડ્યા"ના શાબ્દિક અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરતાં અહલ્યાનું અર્થઘટન પથ્થર જેવી, ફળદ્રુપ ભૂમિના પ્રતીક તરીકે કર્યું હતું, જેને રામે ખેતીલાયક બનાવી હતી. દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ભારતી ઝવેરી ટાગોર સાથે સહમત છે અને અહલ્યાનું અર્થઘટન ગુજરાતની આદિવાસી ભીલ રામાયણની અસ્પષ્ટ મૌખિક પરંપરાના આધારે "વણખેડાયેલી ભૂમિ" તરીકે વ્યાખ્યાયિત કરે છે. સર્જન અને વિવાહ અહલ્યાને ઘણીવાર અયોનીજસંભવાતરીકે વર્ણવવામાં આવે છે, જે સ્ત્રીમાંથી જન્મી નથી. રામાયણના બાલ કાંડ (ઇસવીસન પૂર્વે પાંચમીથી ચોથી સદી)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રહ્મા તેને "શુદ્ધ સર્જનાત્મક ઊર્જાથી, મહાન પ્રયત્નોથી" ઢાળે છે. બ્રહ્મપુરાણ (ઈ.સ.૪૦૧-૧૩૦૦) અને વિષ્ણુધર્મોતર પુરાણ (ઈ.સ. ૪૦૦ - ૫૦૧) પણ બ્રહ્મા દ્વારા તેમના સર્જનની નોંધ કરે છે. મહારી નૃત્ય પરંપરા અનુસાર બ્રહ્માએ સૌથી અગ્રણી અપ્સરા ઉર્વશીનું અભિમાન તોડવા માટે સૌથી સુંદર મહિલા તરીકે અહલ્યાની રચના પાણીમાંથી કરી હતી. આદિવાસી ભીલ રામાયણની શરૂઆત અહલ્યા, ગૌતમ અને ઇન્દ્રની કથાથી થાય છે. વાર્તામાં, અહલ્યાનું સર્જન સપ્તર્ષિ (સાત ઋષિઓ) દ્વારા યજ્ઞની રાખમાંથી કરવામાં આવ્યું છે અને ગૌતમ ઋષિને ઉપહાર તરીકે ભેટ ધરવામાં આવી છે. તેનાથી વિપરીત, ભાગવત પુરાણ (ઈ.સ. ૫૦૦-૧૦૦૦) અને હરિવંશ (ઈ.સ. ૧ - ૩૦૦) અહલ્યાને પુરુવંશની રાજકુમારી, રાજા મુદગલાની પુત્રી અને રાજા દિવોદાસની બહેન તરીકે ગણે છે. રામાયણના ઉત્તરકાંડના ગ્રંથમાં (મોટા ભાગના વિદ્વાનો તેને મહાકાવ્યમાં પાછળથી ઉમેરવામાં આવેલા ભાગ તરીકે ગણે છે) બ્રહ્માએ અહલ્યાની રચના સૌથી સુંદર સ્ત્રી તરીકે કરી છે અને તરુણાવસ્થામાં પહોંચે ત્યાં સુધી તેને ગૌતમની સંભાળમાં મૂકે છે. યોગ્ય સમય આવતાં, ઋષિ અહલ્યાને બ્રહ્માને પરત કરે છે. બ્રહ્મા ગૌતમના જાતીય સંયમ અને તપસ્યાથી પ્રભાવિત થઈને અહલ્યા તેમને અર્પણ કરે છે. ઇન્દ્ર, જે માને છે કે શ્રેષ્ઠ સ્ત્રીઓ તેના માટે જ છે, તે અહલ્યાના વન-નિવાસી તપસ્વી સાથે લગ્નથી નારાજ છે. બ્રહ્મ પુરાણમાં અહલ્યાના જન્મ અને પ્રારંભિક અભિરક્ષાનો પણ આવો જ અહેવાલ આપવામાં આવ્યો છે, જેમાં નોંધવામાં આવ્યું છે કે તેના વિવાહ એક ખુલ્લી પ્રતિયોગિતા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. બ્રહ્મા જાહેર કરે છે કે ત્રિલોક (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ)માં ભ્રમણ કરનાર પ્રથમ વ્યક્તિ અહલ્યાને જીતશે. ઇન્દ્ર પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ પડકારને પૂરો કરવા માટે કરે છે, છેવટે બ્રહ્મા સુધી પહોંચે છે અને અહલ્યાના હાથની માંગ કરે છે. જો કે, દેવર્ષિ નારદ બ્રહ્માને કહે છે કે ગૌતમ ઇન્દ્ર પહેલાં ત્રિલોક ભ્રમણ કરી ચૂક્યા છે. નારદ સમજાવે છે કે ગૌતમે પોતાની દૈનિક પૂજા (વિધિ-વિધાન અથવા અનુષ્ઠાન)ના ભાગરૂપે ઇચ્છાધારી ગાય સુરભિની, જન્મ આપતી વખતે તેની પરિક્રમા કરી હતી. વેદો અનુસાર ગાયને ત્રિલોકની સમકક્ષ ગણાવી છે. બ્રહ્મા સંમત થાય છે અને અહલ્યા ગૌતમ સાથે લગ્ન કરે છે, જેનાથી ઇન્દ્રને ઈર્ષ્યા થાય છે અને ગુસ્સો આવે છે. અહલ્યાના પ્રારંભિક જીવનની સમાન, પરંતુ ટૂંકી આવૃત્તિ પદ્મ પુરાણ (ઈ.સ. ૭૦૦ - ૧૨૦૦)માં જોવા મળે છે. વાર્તાના તમામ સંસ્કરણોમાં, ગૌતમ સાથે લગ્ન કર્યા પછી, અહલ્યા તેના આશ્રમમાં સ્થાયી થાય છે, જે સામાન્ય રીતે તેના મહા અભિશાપનું સ્થળ બની જાય છે. રામાયણમાં નોંધવામાં આવ્યું છે કે ગૌતમનો આશ્રમ મિથિલાની નજીક આવેલા એક વન (મિથિલા-ઉપવન)માં આવેલો છે, જ્યાં આ દંપતી ઘણાં વર્ષો સુધી સાથે તપસ્યા કરે છે. અન્ય શાસ્ત્રોમાં આશ્રમ સામાન્ય રીતે નદી કિનારે જ હોય છે. બ્રહ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તે ગોદાવરી નદીની નજીક છે અને સ્કંદ પુરાણ (ઈ.સ. ૭૦૧ - ૧૨૦૦) તેને નર્મદા નદીની નજીક મૂકે છે. પદ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ (ઈ.સ. ૮૦૧ - ૧૧૦૦) માં આશ્રમને પવિત્ર શહેર પુષ્કરની નજીકનું વર્ણન કરવામાં આવ્યું છે. ઇન્દ્ર સાથેના સંબંધના સંકેતો બ્રાહ્મણ ગ્રંથો (ઇસવીસન પૂર્વે નવમીથી છઠ્ઠી સદી) સૌથી પ્રાચીન ગ્રંથો છે જે "સુબ્રહ્મણ્ય સૂત્ર"માં અહલ્યા અને ઇન્દ્ર વચ્ચેના સંબંધનો ઉલ્લેખ કરે છે. સામવેદ પરંપરામાંથી જૈમિનીય બ્રાહ્મણ અને સદ્વિંશ બ્રાહ્મણ, યજુર્વેદ પરંપરામાંથી શતપથ બ્રાહ્મણ અને તૈત્તિરિય બ્રાહ્મણ અને બે શ્રૌતાસૂત્ર (લાત્યાયન અને દ્રાહ્યાયન) ઇન્દ્રને આહ્વાન કરે છે, "અહલ્યાના પ્રેમી... ઓ કૌશિક (બ્રાહ્મણ), જે પોતાની જાતને ગૌતમ કહે છે". સામવેદ પરંપરામાં તેને મૈત્રેયી તરીકે ઓળખવામાં આવે છે, જેને વિવેચક સયાના (૧૩૮૭માં મૃત્યુ પામી હતી) તરીકે ઓળખાવે છે કે જે "(દેવ) મિત્રાની પુત્રી" છે. સુબ્રહ્મણ્ય સૂત્રમાં અહલ્યાને પતિ નથી. સદ્વિંશ બ્રાહ્મણમાં સ્પષ્ટપણે એવું જણાવવામાં આવ્યું નથી કે અહલ્યાને પતિ છે, જો કે કૌશિક (મોટા ભાગના વિદ્વાનો દ્વારા અહલ્યાના પતિ તરીકે અર્થઘટન કરવામાં આવે છે) કથામાં હાજર છે અને અહલ્યાના "દર્શન" કરવા (મુલાકાત લેવા) માટે ઇન્દ્ર દ્વારા બ્રાહ્મણના સ્વરૂપને અપનાવવા દ્વારા તેની સાથેના તેના સંબંધોનું અનુમાન કરી શકાય છે. સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના સંશોધન સહયોગી રેનેટ સોહનેન-થિમે માને છે કે સદ્વિંશ બ્રાહ્મણનો કૌશિક એ જ વ્યક્તિ છે જેને ઈ.સ. પૂર્વે પાંચમીમીથી ચોથી સદીના મહાકાવ્ય મહાભારત ("શાપ અને મુક્તિ"માં નીચે ચર્ચા કરવામાં આવી છે)માં ઇન્દ્રને શાપ આપનાર તરીકે વર્ણવવામાં આવી છે. શતપથ બ્રાહ્મણના વિવેચક, કુમારિલા ભટ્ટ (પૃ. ૭૦૦) એવું કારણ આપે છે કે અહલ્યા-ઇન્દ્ર કથા સૂર્ય અથવા પ્રકાશ (ઇન્દ્ર) માટે રૂપક છે જે રાત્રિની છાયા (અહલ્યા) દૂર કરે છે. અમેરિકન ઇન્ડોલોજિસ્ટ ઍડવર્ડ વોશબર્ન હોપકિન્સે સુબ્રહ્મણ્ય સૂત્રની અહલ્યાનું અર્થઘટન સ્ત્રી તરીકે નહીં, પરંતુ શાબ્દિક રીતે "હજુ સુધી વણખેડાયેલી જમીન" તરીકે કર્યું હતું, જેને ઇન્દ્ર ફળદ્રુપ બનાવે છે. ઇન્દ્ર દ્વારા પ્રલોભન thumb|upright|alt=Ahalya clad in a yellow sari stands, plucking flowers from a tree. In the background (right top), Indra astride his flying horse.|રાજા રવિ વર્માનું પેઇન્ટિગ અહલ્યાનું ઇન્દ્રાવલોકન : અહલ્યા ફૂલો તોડે છે, કારણ કે ઇન્દ્ર (ઉપરનો જમણો ખૂણો), તેના ઉડતા ઘોડા પર ચડીને તેને મળવા આવે છે. અહલ્યાના પ્રલોભનનું વિગતવાર વર્ણન કરવા માટે રામાયણનો બાલકાંડ એ પ્રારંભિક ગ્રંથ છે. તેમાં જણાવાયું છે કે ઇન્દ્ર અહલ્યાના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, તેના પતિની અનુપસ્થિતિ વિશે જાણે છે અને ગૌતમના વેશમાં આશ્રમમાં આવી તેની સુડોળ અને પાતળી કમરવાળી સ્ત્રી તરીકે તેની પ્રશંસા કરે છે અને તેની સાથે જાતીય સંભોગની વિનંતી કરે છે. અહલ્યા ઋષિ છુપાવેશમાં રહેલા ઇન્દ્રને ઓળખે છે, પરંતુ તેની "જિજ્ઞાસા"ને કારણે સંમતિ આપે છે. અન્ય એક અર્થઘટન મુજબ, અહલ્યાનું તેની સુંદરતા પરનું ગૌરવ તેને ફરજ પાડે છે. પોતાની વાસનાને તૃપ્ત કર્યા પછી, અહલ્યા વિનંતી કરે છે કે ઇન્દ્ર, તેનો "પ્રેમી" અને "શ્રેષ્ઠ દેવતા", ભાગી જાય અને ગૌતમના ક્રોધથી તેમનું રક્ષણ કરે. કથાસરિતસાગર (ઈ. સ. ૧૧મી સદી) બાલ કાંડની અહલ્યાનું પ્રતિબિંબ પાડતા કેટલાક ગ્રંથોમાંનું એક છે, જે ઇન્દ્રની ઉપસ્થિતિ સ્વીકારવાનો સભાન નિર્ણય લે છે. જો કે, આ લખાણમાં ઇન્દ્ર અપ્રગટ (અજ્ઞાતરૂપે) થઈને આવે છે. જો કે બાલકાંડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અહલ્યા સભાનપણે વ્યભિચાર કરે છે, પરંતુ રામાયણનો ઉત્તરકાંડ અને પુરાણો (ઈ.સ. પૂર્વે ચોથી અને ૧૬મી સદીની વચ્ચે સંકલિત) તેને તમામ અપરાધભાવથી મુક્ત કરે છે. ઉત્તર કાંડમાં આ વાર્તાને ઇન્દ્ર દ્વારા અહલ્યાના બળાત્કાર તરીકે ફરીથી રજૂ કરી છે. મહાભારતના એક ઉલ્લેખમાં, રાજા નહુષ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિને યાદ અપાવે છે કે કેવી રીતે ઇન્દ્રએ "પ્રસિદ્ધ" ઋષિ-પત્ની અહલ્યાનું "ઉલ્લંઘન" કર્યું હતું. સોહનેન-થિએમના જણાવ્યા અનુસાર, "ઉલ્લંઘન" અને "પ્રસિદ્ધ" શબ્દોનો ઉપયોગ સૂચવે છે કે અહલ્યાને વ્યભિચારી માનવામાં આવતી નથી. thumb|upright|left|ઇન્દ્ર સાથે અહલ્યા, સમકાલીન પટ્ટચિત્ર ચિત્રકળા. પુરાણોમાં એવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો પડઘો પછીની કૃતિઓમાં જોવા મળે છે, જેમાં ઇન્દ્ર દ્વારા ગૌતમની ગેરહાજરીમાં ગૌતમ તરીકેના કપટી વેશ દ્વારા અહલ્યાની છેતરપિંડીનો પણ સમાવેશ થાય છે. પદ્મ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ગૌતમ પોતાના અનુષ્ઠાન સ્નાન માટે નીકળે છે તે પછી ઇન્દ્ર ગૌતમનો વેશ ધારણ કરે છે અને અહલ્યાને તેને સંતુષ્ટ કરવા કહે છે. અહલ્યા દેવતાઓની પૂજાની ઉપેક્ષાના ભોગે યૌન સંબંધોને અનુચિત માનીને તેને નકારે છે. ઇન્દ્ર તેને યાદ અપાવે છે કે તેની પ્રથમ ફરજ તેની સેવા કરવાની છે. છેવટે અહલ્યા હાર માની લે છે, પરંતુ ગૌતમને તેની અલૌકિક શક્તિઓ દ્વારા ઇન્દ્રની છેતરપિંડી વિશે જાણ થાય છે અને તે આશ્રમમાં પાછો ફરે છે. આવું જ એક વૃત્તાન્ત બ્રહ્મપુરાણમાં જોવા મળે છે. ૧૮મી સદીમાં મદુરાઈ નાયક વંશના યોદ્ધા-કવિ વેંકટ કૃષ્ણપ્પા નાયકે વાર્તાની તેલુગુ પ્રસ્તુતિમાં દર્શાવ્યું હતું કે, કેટલીકવાર, ઇન્દ્ર એક કૂકડાનું સ્વરૂપ ધારણ કરે છે, જે ગૌતમને તેના સવારના અનુષ્ઠાન સ્નાન માટે મોકલવા માટે નાટક કરે છે. અન્ય સંસ્કરણોમાં, તે ગૌતમને વિચલિત કરવા માટે ચંદ્ર-દેવતા જેવા સાથીનો ઉપયોગ કરે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં અહલ્યા સ્વર્ણદી (સ્વર્ગીય નદી)માં સ્નાન કરવા આવે છે અને ઇન્દ્ર તેને જોઈને તેના પર મોહિત થઈ જાય છે. ગૌતમનું સ્વરૂપ ધરીને ઇન્દ્ર તેની સાથે ત્યાં સુધી સંભોગ કરે છે જ્યાં સુધી તેઓ થાકમાં નદીના પટમાં ડૂબી ન જાય. જો કે ગૌતમ તેમને આ કૃત્યમાં પકડે છે. તે જ પુરાણનું બીજું સંસ્કરણ એ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે શુદ્ધ અહલ્યાને ઇન્દ્ર દ્વારા કેવી રીતે લલચાવવામાં આવી. આ સંસ્કરણમાં, ઇન્દ્ર પોતાના સ્વરૂપમાં મંદાકિની નદીના કિનારે અહલ્યા પાસે જાતીય તરફેણ માંગવા માટે પહોંચે છે, જેનો અહલ્યા દ્વારા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્દ્ર ગૌતમ તરીકે રજૂ થાય છે અને પોતાનો ઉદ્દેશ પૂરો કરે છે. કેટલીક આવૃત્તિઓમાં, શરૂઆતમાં ઇન્દ્રની વેશભૂષાથી ભ્રમિત હોવા છતાં, અહલ્યા આખરે વેશપલટો કરનારને ઓળખી કાઢે છે. સ્કંદ પુરાણમાં, અહલ્યાને ઇન્દ્રની અવકાશી સુગંધની ગંધ આવે છે ત્યારે તેની મૂર્ખતાનો અહેસાસ થાય છે કારણ કે તે તેને આલિંગન અને ચુંબન કરે છે અને "તેથી આગળ" (સંભવતઃ જાતીય કૃત્ય સૂચવે છે). ઇન્દ્રને શ્રાપ આપવાની ધમકી આપીને, તેણી તેને તેનું સાચું સ્વરૂપ જાહેર કરવાની ફરજ પાડે છે. જો કે, કંબનના રામાયણનું ૧૨મી સદીનું તમિલ રૂપાંતરણ, રામાવતારમ, વર્ણવે છે કે અહલ્યાને ખ્યાલ આવે છે કે તેનો પ્રેમી એક ઢોંગી છે પરંતુ તે હજી પણ સંબંધનો આનંદ માણી રહી છે. અહીં, અહલ્યા છૂપા ઇન્દ્ર સાથે સંભોગ કરવા સંમત થાય છે કારણ કે તે લાંબા સમયથી તેના તપસ્વી પતિ તરફથી સ્નેહની ઝંખના કરી રહી છે. વેંકટ કૃષ્ણપ્પા નાયકની તેલુગુ પ્રસ્તુતિમાં અહલ્યાને રોમેન્ટિક વ્યભિચારી તરીકે દર્શાવવામાં આવી છે. જ્યારે બ્રહ્મા અહલ્યાનું સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્માણ છે, ત્યારે તે ઇન્દ્રના પ્રેમમાં પડે છે અને તેના માટે ઝંખના કરે છે, પરંતુ બ્રહ્મા તેને ગૌતમને આપી દે છે. અહલ્યાનાં લગ્ન પછી ઇન્દ્ર પણ તેના માટે ઝંખના કરે છે. ગૌતમની ગેરહાજરીમાં તે અવારનવાર તેની મુલાકાત લે છે અને તેની સાથે ચેનચાળા કરે છે. એક તબક્કે અહલ્યાને ઇન્દ્રની સ્ત્રી સંદેશવાહકની મુલાકાત મળે છે, જે એવા પતિઓની મજાક ઉડાવે છે જેઓ સંભોગને એમ કહીને ટાળે છે કે તે આનંદ માટે યોગ્ય દિવસ નથી. અહલ્યા વિરોધ કરે છે અને કહે છે કે તે ગૌતમને ઇન્દ્ર હોવાની કલ્પના કરી તેમની સાથે સંભોગ કરે છે. તે રાત્રે, જ્યારે અહલ્યા વૈવાહિક સુખની ઝંખના કરે છે, ત્યારે ગૌતમ તેને એમ કહીને ના પાડે છે કે તે તેના ફળદ્રુપ સમયગાળામાં નથી. ઉત્તેજીત થઈને તે ઈચ્છે છે કે કદાચ ઇન્દ્ર તેને સંતુષ્ટ કરવા માટે ત્યાં હોત. ઇન્દ્ર તેની ઇચ્છાને સમજે છે અને ગૌતમના વેશમાં આવે છે, પરંતુ તેની મોહક વાણી દ્વારા તે પ્રગટ થાય છે. છેતરપિંડીની અવગણના કરીને અહલ્યા આનંદથી તેને પ્રેમ કરે છે. શાપ અને મુક્તિ મોટા ભાગના સંસ્કરણો એ વાત સાથે સંમત થાય છે કે ગૌતમ અહલ્યાને શાપ આપે છે, પરંતુ આ શ્રાપ દરેક લખાણ પ્રમાણે બદલાય છે. જો કે, લગભગ તમામ સંસ્કરણોમાં રામને તેની ઉદ્ધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે. અહલ્યા અને ઇન્દ્રની સજા thumb|upright|અહલ્યા જોઈ રહી છે કે ગૌતમ (ડાબે) ગૌતમના વેશમાં ઇન્દ્રને નાસી છૂટતા જુએ છે. બાલ કાંડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગૌતમ ઋષિ ઇન્દ્રને શોધી કાઢે છે, જે હજી પણ વેશપલટામાં છે, અને તેને તેના અંડકોષ ગુમાવવાનો શ્રાપ આપે છે. ત્યારબાદ ગૌતમ અહલ્યાને શ્રાપ આપે છે કે તે હજારો વર્ષો સુધી બધા જીવો માટે અદૃશ્ય રહે, માત્ર હવામાં જ જીવન નિર્વાહ કરીને ઉપવાસ કરે, પીડા ભોગવે અને રાખમાં સૂઈ રહે અને અપરાધભાવથી પીડાતી રહે. તેમ છતાં, તે તેણીને ખાતરી આપે છે કે જ્યારે તેણી રામની મહેમાનગતિ કરશે, જે આશ્રમની મુલાકાત લેશે, તે પછી તેના પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવશે. ત્યાર બાદ ગૌતમ આશ્રમનો ત્યાગ કરીને હિમાલયમાં તપસ્યા કરવા જાય છે. અયોધ્યાના રાજકુમાર રામ, તેમના ભાઈ લક્ષ્મણ અને તેમના ગુરુ વિશ્વામિત્ર ઋષિ મિથિલામાં રાજા જનકના દરબારની યાત્રા દરમિયાન ગૌતમના નિર્જન આશ્રમમાંથી પસાર થાય છે. જ્યારે તેઓ આશ્રમની નજીક આવે છે, ત્યારે વિશ્વામિત્ર અહલ્યાના શ્રાપની કથા વર્ણવે છે અને રામને અહલ્યાને મુક્ત કરવાની સૂચના આપે છે. અહલ્યાને શ્રાપ આપવામાં આવ્યો હોવા છતાં, વિશ્વમિત્ર તેણીને દેવી જેવી અને પ્રસિદ્ધ તરીકે વર્ણવે છે, [૪૨] વારંવાર તેને "મહાભાગા" તરીકે ઓળખાવે છે, જે સંસ્કૃત સંયોજન (મહા અને ભાગ) છે, જેનો અનુવાદ "સૌથી પ્રસિદ્ધ અને અત્યંત વિશિષ્ટ" તરીકે કરવામાં આવ્યો છે; આ અર્થઘટન રામભદ્રાચાર્યથી વિપરીત છે, જેઓ માને છે કે અહલ્યાની કથાના સંદર્ભમાં મહાભાગા શબ્દનો અર્થ "અત્યંત દુર્ભાગ્યપૂર્ણ" (મહા અને અભાગા) થાય છે. વિશ્વામિત્રની પાછળ પાછળ રાજકુમારો અહલ્યાના દર્શન માટે આશ્રમમાં પ્રવેશે છે, જે ત્યાં સુધી બ્રહ્માંડથી અદૃશ્ય હતી. અહલ્યાનું વર્ણન તેની તપસ્વી ભક્તિની તીવ્રતાથી ઝળહળી ઊઠતું હોય તેવું કરવામાં આવે છે, પરંતુ તે અંધકારમય વાદળોથી ઢંકાયેલા સૂર્યની જેમ દુનિયાથી છુપાયેલી છે, ધુમ્મસથી છૂપાયેલો પૂર્ણ ચંદ્રનો પ્રકાશ અથવા ધુમાડાથી ઢંકાયેલી ઝળહળતી જ્યોત છે. પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, રામ અહલ્યાને શુદ્ધ અને દોષરહિત માને છે અને લક્ષ્મણની સાથે, તેમના પગથી સ્પર્શ કરીને તેણીને પ્રણામ કરે છે, આ એક એવું કાર્ય છે જે તેના સામાજિક દરજ્જાને પુનર્સ્થાપિત કરે છે. તે તેમનું અભિવાદન કરે છે, અને ગૌતમના શબ્દોને યાદ કરે છે કે રામ તેના ઉદ્ધારક બનશે. અહલ્યા પોતાનો ઉષ્માભર્યો આવકાર આપે છે, વન ફળોનું "સ્વાગત અર્પણ" કરે છે અને તેમના પગ ધોવે છે, જે તે યુગની વિધિ અનુસાર આદરનું કાર્ય છે. દેવતાઓ અને અન્ય અવકાશી જીવો રામ અને અહલ્યા પર પુષ્પોની વર્ષા કરે છે અને અહલ્યાને પ્રણામ કરે છે, જે તેની તપસ્યા દ્વારા શુદ્ધ થઈ છે. ત્યારબાદ ગૌતમ તેના આશ્રમમાં પાછા ફરે છે અને તેને સ્વીકારે છે. thumb|upright|alt=એક કથ્થઈ પથ્થરનું શિલ્પ. રામ એક વૃક્ષની નીચે (જમણી, સૌથી મોટી આકૃતિ) પથ્થર પર બેઠેલા છે, તેમના ડાબા હાથમાં ધનુષ છે અને બીજો હાથ અહલ્યા (મધ્ય તળિયે) ના માથા પર છે, જે હાથમાં ફૂલો સાથે જમીન પર બેઠેલી છે. તેની પાછળ લક્ષ્મણ ઊભા છે. ડાબી બાજુની આકૃતિ પથ્થર પર બેઠેલા વિશ્વામિત્રની છે.| દેઓગાહથી મળી આવેલા ઈ.સ. પાંચમી સદીના પત્થર શિલ્પમાં, અહલ્યા તેના તારણહાર રામને ફળ અને ફૂલો અર્પણ કરે છે. હાલમાં આ શિલ્પ નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં છે|left મહાભારતના એક ઉદાહરણમાં, ઇન્દ્રને અહલ્યાને લલચાવતી વખતે દાઢીને સોનામાં ફેરવીને શાપ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જ્યારે કૌશિક (કેટલીકવાર ગૌતમના પર્યાય તરીકે અર્થઘટન કરવામાં આવે છે) દ્વારા આપવામાં આવેલા શ્રાપને તેના વાંજીકરણનું કારણ માનવામાં આવે છે. ઉત્તરકાંડમાં, ઇન્દ્રને પોતાનું સિંહાસન ગુમાવવાનો અને કેદમાં રહેવાનો શ્રાપ આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં કરવામાં આવેલા દરેક બળાત્કારના અડધા પાપને સહન કરવાનો શ્રાપ આપવામાં આવ્યો છે, જ્યારે નિર્દોષ અહલ્યાને સૌથી સુંદર સ્ત્રી તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવવાનો શ્રાપ આપવામાં આવ્યો છે, કારણ કે તેનાથી ઇન્દ્રના પ્રલોભનને પ્રેરણા મળી હતી. અહલ્યા પોતાની નિર્દોષતાનો દાવો કરે છે (આ ભાગ બધી હસ્તપ્રતોમાં જોવા મળતો નથી), પરંતુ ગૌતમ તેને ત્યારે જ સ્વીકારવા સંમત થાય છે જ્યારે તે રામને આતિથ્ય-સત્કાર આપીને પવિત્ર થાય છે. અહલ્યાની બચાવ યાચિકા કેટલાક પુરાણોમાં પણ જોવા મળે છે. બ્રહ્મપુરાણમાં અહલ્યાને સૂકાઈ ગયેલું ઝરણું બનવાનો શ્રાપ આપવામાં આવ્યો છે, પરંતુ તે પોતાની નિર્દોષતાની દુહાઈ આપે છે અને સાક્ષીઓ તરીકે ઇન્દ્રના વેશથી છેતરાયેલા સેવકોને રજૂ કરે છે. ગૌતમ તેની "વફાદાર પત્ની" પરનો શ્રાપ ઘટાડે છે અને જ્યારે તે ગૌતમી (ગોદાવરી) નદીમાં એક ઝરણા તરીકે જોડાય છે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે. ઇન્દ્રને શ્રાપ આપવામાં આવે છે કે તે પોતાના શરીર પર એક હજાર સ્ત્રી જનનાંગોના રૂપમાં પોતાની શરમને વહન કરે, પરંતુ ગૌતમીમાં સ્નાન કરતા જ સ્ત્રી જનનાંગો આંખોમાં ફેરવાઈ જાય છે. બ્રહ્મ પુરાણ એ એક દુર્લભ અપવાદ છે જ્યાં રામને કથામાંથી બાકાત રાખવામાં આવે છે. તેના બદલે, ગૌતમી નદીની મહાનતા દર્શાવવામાં આવી છે. પદ્મ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્દ્ર બિલાડીના રૂપમાં ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગૌતમ તેને પોતાનું પુરુષ જનનાંગ ગુમાવવાનો અને શરીર પર એક હજાર સ્ત્રી જનનાંગો વહન કરવાનો શ્રાપ આપે છે. ભ્રમિત થયેલી અહલ્યા પોતાની જાતને નિર્દોષ જાહેર કરે છે, પરંતુ ગૌતમ તેને અશુદ્ધ માને છે અને તેને માત્ર હાડ-ચામડીનું કંકાલ બનાવી દેવાનો શ્રાપ આપે છે. તે ફરમાન કરે છે કે જ્યારે રામ તેને આટલી પીડિત, સૂકાઈ ગયેલી (સૂકાઈ ગયેલા ઝરણાની ભાતની યાદ અપાવે છે), શરીર (રામાયણનો શ્રાપ) વિના અને માર્ગ પર પડેલી જોઈને હસે છે ત્યારે તે પોતાનું સુંદર સ્વરૂપ પાછું મેળવશે (આ લક્ષણ ઘણીવાર એક પથ્થરનું વર્ણન કરવા માટે વપરાય છે). જ્યારે રામ આવે છે, ત્યારે તે તેની નિર્દોષતા અને ઇન્દ્રના અપરાધની ઘોષણા કરે છે, અને પછી અહલ્યા તેના સ્વર્ગીય નિવાસમાં પાછી આવે છે અને ગૌતમ સાથે રહે છે. શિલા સ્વરૂપ પછીની કૃતિઓમાં તેમજ થિયેટર અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં આ દંતકથાના લોકપ્રિય પુનરાવર્તનમાં, અહલ્યા ગૌતમના શ્રાપથી પથ્થર બની જાય છે અને રામના પગથી સ્પર્શ પામ્યા પછી જ તે તેના માનવ સ્વરૂપમાં પાછી ફરે છે. પંચ-કન્યાઃ ધ ફાઇવ વર્જિન્સ ઓફ ઇન્ડિયન એપિક્સના લેખક પ્રદિપ ભટ્ટાચાર્ય દલીલ કરે છે કે આ વાર્તાનું આ સંસ્કરણ "પુરુષ પ્રતિક્રિયા" અને પિતૃસત્તાક પૌરાણિક કથાનું પરિણામ છે, જે તેમને લાગણીઓ, સ્વાભિમાન અને સામાજિક દરજ્જાથી વંચિત એક બિન-અસ્તિત્વ તરીકે વખોડી કાઢે છે. thumb|upright|alt=અહલ્યા (જમણે તળિયે, લાલ સાડીમાં બેઠેલી અને પથ્થરમાંથી ઊભી થઈને, હાથ જોડીને રામ (ડાબે) તરફ વંદન કરે છે, જે તેની સામે એક ઝાડ નીચે વિશ્વામિત્ર (મધ્યમાં) સાથે એક પથ્થર પર બેઠેલી છે. લક્ષ્મણ જમણી બાજુએ ઊભા છે.|રામના પગનો સ્પર્શ પામ્યા પછી અહલ્યા તેના પથ્થરના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. પથ્થરમાં ફેરવાયેલી અહલ્યા રામના સ્પર્શથી પુરાણોમાં શાસ્ત્રોક્ત અધિકાર મળે છે. (રવિ વર્મા પ્રેસ દ્વારા ૨૦મી સદીની શરૂઆતની પ્રિન્ટ) બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર ગૌતમ ઈન્દ્રને એક હજાર સ્ત્રી જનનાંગો ધારણ કરવાનો શ્રાપ આપે છે, જે સૂર્યની પૂજા કરવા પર આંખો થઈ જશે. અહલ્યા નિર્દોષ હોવા છતાં સાઠ હજાર વર્ષોથી પથ્થરમાં ફેરવાઈ જાય છે અને માત્ર રામના સ્પર્શથી જ તેનો ઉદ્ધાર થવાનો છે. અહલ્યા દલીલ કર્યા વિના ચુકાદાને સ્વીકારી લે છે. એ જ પુરાણના અન્ય એક સંસ્કરણમાં ગૌતમે ઇન્દ્રને બિલાડીની જેમ ભાગી જતો પકડીને તેને વાંજીકરણનો શ્રાપ આપ્યો છે. અહલ્યાની નિર્દોષતાની વિનંતીનો ગૌતમ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, જે જાહેર કરે છે કે તેનું મન શુદ્ધ છે અને તેણે "પવિત્રતા અને વફાદારીનું વ્રત" પાળ્યું છે, પરંતુ અન્ય વ્યક્તિના બીજથી તેના શરીરને અપવિત્ર કરવામાં આવ્યું છે. ગૌતમ તેણીને વનમાં જવા અને રામના પગના સ્પર્શથી ઉદ્ધાર ન થાય ત્યાં સુધી પથ્થર બનવાનો આદેશ આપે છે. વેંકટ કૃષ્ણપ્પા નાયકની તેલુગુ પ્રસ્તુતિમાં, જ્યારે ઇન્દ્ર અનિચ્છાએ વિદાય લે છે, ત્યારે ગૌતમ આવે છે અને અહલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપે છે, જે પાછળથી રામના પગ સ્પર્શથી શુદ્ધ થાય છે. શ્રાપમાંથી મુક્ત થયા પછી, ગૌતમ અને અહલ્યા વચ્ચે સમાધાન થાય છે અને તેઓ તેમના દિવસો આનંદ અને રતિવિલાસમાં ગાળે છે. સ્કંદ પુરાણ કહે છે કે જ્યારે ગૌતમ આવે છે, ત્યારે અહલ્યા આખી વાર્તાને સાચી રીતે સમજાવે છે, પરંતુ ગૌતમ દ્વારા તેને પથ્થર બનવાનો શ્રાપ આપવામાં આવે છે, કારણ કે તે માને છે કે તે ઇન્દ્ર અને ગૌતમના હાવભાવ અને હલનચલન વચ્ચેના તફાવતને ઓળખવામાં અસમર્થ રહી હતી. રામના ચરણનો સ્પર્શ તેનો તારણહાર હોવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભયભીત ઇન્દ્ર બિલાડીની જેમ છટકી જાય છે અને તેને ખસીકરણનો શ્રાપ આપવામાં આવે છે. અહલ્યાની સત્યતા કથાસરિતસાગરમાં પણ જોવા મળે છે. જ્યારે ગૌતમ આવે છે, ત્યારે ઇન્દ્ર બિલાડીની જેમ ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને એક હજાર સ્ત્રી જનનાંગોના નિશાન સહન કરવાનો શ્રાપ આપે છે. thumb|upright|left|alt=રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ્ય લઈને ડાબી બાજુ ઊભા છે. નીચે એક બંગાળી લખાણ છે. નીચેના જમણા ભાગમાં એક મોટો પથ્થર છે, જેમાંથી અહલ્યાનું ધડ હાથ જોડીને બહાર નીકળે છે. વિશ્વામિત્ર તેની પાછળ ઊભા છે.|૧૯મી સદીના આ કાલીઘાટ ચિત્રમાં રામ, અહલ્યાને તેના પથ્થરના સ્વરૂપમાંથી મુક્તિ અપાવે છે. બિન-શાસ્ત્રોક્ત કૃતિઓમાં પણ આ પ્રકારની કથા જોવા મળે છે. કાલિદાસ રઘુવંશમાં (સામાન્ય રીતે ચોથી સદીના) નોંધે છે કે ગૌતમની પત્ની (અહીં નામ વગરની) ક્ષણભરમાં જ ઇન્દ્રની પત્ની બની જાય છે. શ્રાપનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના, તે આગળ જણાવે છે કે રામના પગની ધૂળ દ્વારા પૂરી પાડવામાં આવેલી કૃપાને કારણે તેણી પોતાનું સુંદર સ્વરૂપ પાછું મેળવે છે અને તેના પથરાળ દેખાવને દૂર કરે છે, જે તેને શ્રાપ મુક્ત કરે છે. રામાવતારામમાં પણ રામને અહલ્યાને પગથી સ્પર્શ કરવાની જરૂર નથી; તેમના પગની ધૂળ જ તેને ફરીથી જીવંત કરવા માટે પૂરતી છે. જો કે અહલ્યાની બાલકાંડ કથા રામની દિવ્યતાને સંદર્ભિત કરે છે કે કેમ તે અંગે અલગ અલગ મંતવ્યો છે, પરંતુ પછીના સ્ત્રોતો રામના દૈવી દરજ્જાને સમર્થન આપે છે, જેમાં અહલ્યાને ભગવાન દ્વારા બચાવવામાં આવેલી દોષિત સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે. ભક્તિયુગના કવિઓ ઈશ્વરના તારણહાર સ્વરૂપ અને કૃપાને દર્શાવવા માટે આ પ્રસંગનો ઉપયોગ એક પુરાતન ઉદાહરણ તરીકે કરે છે. આવા વર્ણનોનો મુખ્ય વિષય રામ દ્વારા તેનો ઉદ્ધાર છે, જેને તેમની કરુણાના પુરાવા તરીકે જોવામાં આવે છે. અધ્યાત્મ રામાયણના બાળકાંડ ગ્રંથના પાંચમા અધ્યાયનો મોટાભાગનો ભાગ (૧૪મી સદીમાં બ્રહ્માંડ પુરાણમાં સમાયેલો છે) અહલ્યા પ્રસંગને સમર્પિત છે. વાર્તાના અન્ય સંસ્કરણોની જેમ, અહલ્યાને પણ પથ્થરમાં ફેરવવામાં આવે છે અને તેને રામ, "સર્વોચ્ચ પ્રભુ" ના ધ્યાન માં મગ્ન રહેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વિશ્વમિત્રની સલાહ પર રામ પોતાના પગથી પથ્થરને સ્પર્શે છે, ત્યારે અહલ્યા એક સુંદર કુમારિકાની જેમ ઉભરી આવે છે અને રામને સમર્પિત એક દીર્ઘ પ્રશસ્તિ ગાય છે. તેણી તેમના દૈવી સ્વરૂપનું વર્ણન કરે છે અને તેમને વિષ્ણુના અવતાર અને બ્રહ્માંડના સ્ત્રોત તરીકે ઉન્નત કરે છે, જેમને ઘણા દેવતાઓ આદર આપે છે. તેમની પૂજા કર્યા પછી, તે ગૌતમ પાસે પાછી ફરે છે. કથાના અંતે અહલ્યાના સ્તોત્રને ભક્ત માટે રામની કૃપા પ્રાપ્ત કરવા માટે આદર્શ આશીર્વાદ તરીકે સૂચવવામાં આવ્યું છે. અવધી રામચરિતમાનસ (૧૬મી સદી)માં ઇન્દ્રની અહલ્યાની મુલાકાતની કથાને બાકાત રાખવામાં આવી છે. આ મહાકાવ્યમાં, વિશ્વમિત્ર રામને કહે છે કે શાપિત અહલ્યાએ એક ખડકનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તે ધીરજથી રામના ચરણરજની પ્રતિક્ષા કરી રહી છે. અહલ્યા રામને કહે છે કે ગૌતમનું શ્રાપનું ઉચ્ચારણ કરવું યોગ્ય છે, અને તે તેને સૌથી મોટી કૃપા માને છે, કારણ કે પરિણામે, તેણે રામ પર નજર ઠેરવી, જેમણે તેને તેના દુન્યવી અસ્તિત્વમાંથી મુક્ત કરી હતી. અધ્યાત્મ રામાયણમાં, અહલ્યા રામની અન્ય દેવતાઓ દ્વારા સેવા કરવામાં આવેલા મહાન ભગવાન તરીકે પ્રશંસા કરે છે, તેમની ભક્તિમાં શાશ્વત તલ્લીનતાનું વરદાન માંગે છે અને પછીથી તે તેના પતિના નિવાસસ્થાન તરફ પ્રયાણ કરે છે. કથાનો અંત રામની કરુણાની પ્રશંસા સાથે થાય છે. તુલસીદાસે રામચરિતમાનસમાં અનેક વખત આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં રામના પરોપકારના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો છે. રામચરિતમાનસમાં આ કથા અંગે ટિપ્પણી કરતાં રામભદ્રાચાર્ય કહે છે કે રામે ત્રણ બાબતોનો નાશ કર્યો હતો: તેમની દૃષ્ટિથી અહલ્યાનું પાપ, તેમના ચરણરજથી શાપ અને તેમના પગના સ્પર્શથી અહલ્યાની પીડા, જેનો પુરાવો અહલ્યાના પ્રશસ્તિ શ્લોકોમાં ત્રિભંગી (જેનો અર્થ "ત્રણનો નાશ કરનાર" થાય છે)ના ઉપયોગથી મળે છે. અન્ય સંસ્કરણ કેટલાક દુર્લભ અપવાદોમાં, શ્રાપ છોડી દેવામાં આવે છે. મહાભારતના એક દાખલામાં, જ્યાં પ્રલોભનની વિગતો ગેરહાજર છે, ત્યાં ઉશ્કેરાયેલા ગૌતમ તેના પુત્ર ચિરાકારીને તેની "પ્રદૂષિત" માતાનું શિરચ્છેદ કરવાનો આદેશ આપે છે અને આશ્રમ છોડી દે છે. જો કે, ચિરાકરી આ આદેશનું પાલન કરવામાં ખચકાટ અનુભવે છે અને પાછળથી તારણ કાઢે છે કે અહલ્યા નિર્દોષ છે. ગૌતમ પાછો આવે છે અને તેના ઉતાવળા નિર્ણય પર પસ્તાવો કરે છે, તેને ખ્યાલ આવે છે કે દોષ ઇન્દ્રના પક્ષે છે. ભીલ રામાયણમાં, ગૌતમ ઇન્દ્ર પર હુમલો કરે છે અને કેદ કરે છે, જે વરસાદના દેવતા તરીકે પાક પર વરસાદ વરસાવવાનું વચન આપે છે ત્યારે મુક્ત થાય છે. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે એક ચતુર્થાંશ પાક ગૌતમને સમર્પિત છે. અહીં, અહલ્યાને સૂકી અને બળી ગયેલી જમીન તરીકે અર્થઘટન કરવામાં આવે છે, જે જંગલી ચક્રવાતી ગૌતમ દ્વારા કાબૂમાં આવેલા ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા વરસાદ માટે ઉત્સુક છે. આધુનિક પ્રસ્તુતિઓ thumb|upright|રામભદ્રાચાર્યના પુસ્તક અહલ્યોદ્ધાર (૨૦૦૬)ના મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવેલો અહલ્યાનો ઉદ્ધાર અહલ્યાને કેટલાક આધુનિક લેખકોએ મોટે ભાગે ટૂંકી વાર્તાઓ દ્વારા અથવા વિવિધ ભારતીય ભાષાઓમાં કવિતાઓ દ્વારા એક નવા પરિપેક્ષથી રજૂ કરવામાં આવી છે. જો કે અહલ્યા તમામ પ્રાચીન સ્ત્રોતોમાં એક નાનું પાત્ર છે. જાતીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ "તેની આસપાસના લોકો દ્વારા તેને કલંકિત અને તિરસ્કૃત" ગણવામાં આવી છે. આધુનિક ભારતીય લેખકોએ તેને રામની ગાથામાં એક ક્ષુલ્લક વ્યક્તિને બદલે મહાનાયિકાનો દરજ્જો આપ્યો છે. જો કે, આધુનિક ભક્તિમય રામાયણ રૂપાંતરણોમાં જ્યાં રામ નાયક છે, ત્યાં અહલ્યાનો ઉદ્ધાર તેમના જીવનની એક અલૌકિક ઘટના બની રહે છે. આહલ્યાની કથા આધુનિક સમયની કવિતામાં જીવંત છે. રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી અને અંગ્રેજી કૃતિઓ, પી.ટી.નરસિંહાચાર્યના (૧૯૪૦) કન્નડ કાવ્યાત્મક નાટક અહલ્યા (જેમાં કવિ ધર્મ વિરુદ્ધ કામને તોલે છે (કર્તવ્ય વિરુદ્ધ આનંદ)); અને સંસ્કૃતના વિદ્વાન કવિ ચંદ્ર રાજનની કૃતિઓનો સમાવેશ થાય છે. આ કથાને રંગમંચ ઉપરાંત ફિલ્મ અને ટેલિવિઝન પ્રસ્તુતિઓમાં પણ પુનઃ રજૂ કરવામાં આવી છે. અહલ્યા ઓડિશાની મહારી મંદિર-નૃત્યાંગના પરંપરામાં લોકપ્રિય પાત્ર છે. તેની વાર્તા કહેવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય કૃતિઓ અને પ્રદર્શન કલાની શૈલીઓમાં કેરળનું મોહિનીયટ્ટમ નૃત્ય; ઓટ્ટામથુલાલ પરંપરામાં ભજવાતું કુંચન નામ્બિયારનું નાટક અહલ્યામોક્ષમ; અને આંધ્ર પ્રદેશનું એક પદ્ય-નાટક સતી અહલ્યા સામેલ છે. ૨૦મી સદીની શરૂઆતમાં, જૂના ધોરણોને ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. પા. સુબ્રમણ્યમ મુદ્દલિયારે તેમની તમિલ કવિતા (૧૯૩૮)માં અહલ્યાનું વર્ણન કર્યું છે, જેમાં અહલ્યાએ ઇન્દ્રને પવિત્રતા પર વ્યાખ્યાન આપ્યું છે, પરંતુ ઇન્દ્રની વાસના તેને તેના પર બળાત્કાર કરવાની ફરજ પાડે છે. ગૌતમ અહલ્યાને આઘાતથી મુક્ત કરવા માટે પથ્થરમાં ફેરવે છે. તમિલ લેખક યોગિયારે એક નિર્દોષ અહલ્યાનું ચિત્રણ કર્યું છે, જે છૂપા ઇન્દ્ર સાથે સૂવે છે અને અપરાધભાવથી સજાની માગણી કરે છે. શ્રીપદ કૃષ્ણમૂર્તિ શાસ્ત્રીની રામાયણની તેલુગુ આવૃત્તિ (૧૯૪૭) અહલ્યાના ઇન્દ્ર સાથેના સંબંધને એક હસ્તધૂનન પૂરતો મર્યાદિત દર્શાવે છે. અન્ય લેખકોએ અહલ્યા દંતકથાનું ખૂબ જ અલગ દ્રષ્ટિકોણથી પુનઃઅર્થઘટન કર્યું હતું, જેમાં ઘણી વાર અહલ્યાને બળવાખોર તરીકે દર્શાવવામાં આવી હતી અને તેના દૃષ્ટિકોણથી વાર્તા કહેવામાં આવી હતી. આર.કે.નારાયણ (૧૯૦૬-૨૦૦૧) કથાની મનોવૈજ્ઞાનિક વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ઇન્દ્રના ગૌતમના વેશમાં રહેલી જૂની વાર્તા, બિલાડી તરીકેની તેમની છટકબારી અને અહલ્યાના શિલાવતારનો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. વિશ્રામ બેડેકરના સંગીતમય મરાઠી નાટક બ્રહ્માકુમારી (૧૯૩૩) અને પી. વી. રામવેરિયર (૧૯૪૧) અને એમ. પાર્વતી અમ્મા (૧૯૪૮)ની મલયાલમ રચનાઓમાં વ્યભિચારી પ્રેમના વિષયની શોધ કરવામાં આવી છે. તમિલ ટૂંકી વાર્તા લેખક કુ પા રાજગોપાલન (૧૯૦૨-૪૪)ની અહલ્યા પણ છૂપી રીતે ઇન્દ્ર માટે ઝંખે છે અને તેમની સાથે મનમેળ ધરાવે છે. પ્રતિભા રેની ઓડિયા નવલકથા મહામોહા (૧૯૯૭, "ગ્રેટ લસ્ટ") માં એક સ્વતંત્ર અને જાણીબુજીને પોતાના વરિષ્ઠની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી અહલ્યાને એક કરુણ નાયિકા તરીકે રજૂ કરવામાં આવી છે, જે પોતાની જાતને ઇન્દ્રને અર્પણ કરે છે જેથી તે પોતાની વાસના અને તેના સ્ત્રીત્વને પરિપૂર્ણ કરી શકે. જ્યારે ગૌતમ બળાત્કારનો દાવો કરીને તેને સમાજમાં જૂઠું બોલવા માટે મનાવે છે, ત્યારે તે તેની સાથે પવિત્રતા અને મનની સ્વતંત્રતા પર ચર્ચા કરે છે. thumb|upright|alt=ટોચની વાત કરીએ તો, એક યુવાન ચિરાકારીની મધ્યસ્થ આકૃતિ એક આધેડ વયના ગૌતમને ચરણસ્પર્શ કરતી હતી, બંનેએ શાહી મુઘલ વસ્ત્રો પહેર્યા હતા. અસંખ્ય રાજવી સ્ત્રીઓ તેમને ઘેરી લે છે. પેઇન્ટિંગના તળિયે, દરવાજાની બહાર ઘોડાવાળા શાહી માણસો છે.|ગૌતમને એ જાણીને રાહત થઈ છે કે તેમના પુત્ર ચિરાકરીએ અહલ્યાને ફાંસી આપવા માટે તેમના આવેગજન્ય હુકમનું પાલન કર્યું નથી. ((રાજા અકબરે ૧૫૯૮-૯૯માં શરૂ કરેલું મહાભારતના ફારસી ભાષાન્તર "રઝમ-નામા"માંથી એક પાનું. હાલમાં બ્રુકલીન મ્યુઝિયમમાં) કેટલાક લેખકો શ્રાપ અને મુક્તિ પછીના અહલ્યાના જીવનની કલ્પના કરવાનો પ્રયાસ કરે છે, આ એક એવી ઘટના છે જે પ્રાચીન શાસ્ત્રોમાં અપ્રગટ છે. પુધુમૈપિથનની તમિલ વાર્તા સપાવિમોકેનમ (૧૯૪૩, "શ્રાપમાંથી મુક્તિ") અને કે. બી. શ્રીદેવીની મલયાલમ ભાષાની કૃતિ (૧૯૯૦) જેનો અનુવાદ "વુમન ઓફ સ્ટોન" તરીકે કરવામાં આવ્યો છે, જે નારીવાદી દૃષ્ટિકોણથી રામના "બેવડા માપદંડો" પર કેન્દ્રિત છે. તેઓ પૂછે છે કે રામ શા માટે અહલ્યાને વ્યભિચારના શ્રાપમાંથી મુક્ત કરે છે, પરંતુ તેની પત્ની સીતાને તેના અપહરણકર્તા રાવણ સાથે વ્યભિચારના ખોટા આરોપો માટે સજા આપે છે. પુધુમૈપિથનની વાર્તામાં સીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું એ સાંભળીને અહલ્યા પાછી શિલામાં ફેરવાઈ જાય છે. સુનાવણી દ્વારા પોતાની પવિત્રતા સાબિત કર્યા પછી પણ સીતાને વ્યભિચારના આરોપસર રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવી હતી તે જાણીને શ્રીદેવીએ તેને પથ્થરમાં ફેરવાતી દર્શાવી છે. પુધુમૈપિથનપણ વર્ણવે છે કે કેવી રીતે, મુક્તિ પછી પણ અહલ્યા "માનસિક પશ્ચાઘાત" થી પીડાય છે, વારંવાર ઇન્દ્રના પ્રલોભન અને ગૌતમના પ્રકોપનો ફરીથી અનુભવ કરે છે, તેમજ તેને નકારી કાઢતા રૂઢિચુસ્ત સમાજની નારાજગી સહન કરે છે. અહલ્યાને શાપ આપવાના ઉતાવળા નિર્ણય પર ગૌતમ પણ આત્મનિંદાથી પીડાય છે. બીજી કથામાં પુધુમૈપિથનની અહલ્યા, ગૌતમ અને ઇન્દ્ર બંનેને ક્ષમા આપે છે. એસ. શિવશેકરમની ૧૯૮૦ની તમિલ કવિતા અહલિકાઈ અહલ્યાની વાર્તામાં રહેલા પથ્થર પાત્રની તપાસ કરે છે: તે એક એવા પતિ સાથે લગ્ન કરે છે જેને તેનામાં પથ્થર કરતાં વધારે રસ નથી અને થોડા સમય માટે તેને ઇન્દ્ર સાથે આનંદ કરવા બદલ એક નિર્જીવ પથ્થર બનવા માટે શાપિત થઈ જાય છે. કવિ પૂછે છે કે શું અહલ્યા માટે પથરાળ લગ્નમાં પાછા ફરવાને બદલે શારીરિક રીતે પથ્થર બની રહેવું અને તેનું ગૌરવ જાળવવું વધુ સારું હતું. તમિલ કવિ ના. પિચમૂર્તિ (૧૯૦૦-૭૬)ના ઉયિર માગા ("જીવન-નારી") અહલ્યાને જીવનને રૂપકાત્મક રીતે રજૂ કરે છે, જેમાં ગૌતમ મન અને ઇન્દ્ર આનંદ સ્વરૂપે છે. માર્ક્સવાદી વિવેચક કોવાઈ જ્ઞાનીએ તેમના કાવ્ય કાલિહાઈમાં અહલ્યાને દલિત વર્ગ તરીકે અને રામને શોષણ વિનાના આદર્શ ભવિષ્ય તરીકે રજૂ કર્યા છે. ગૌતમ અને ઇન્દ્ર સામંતશાહી અને મૂડીવાદનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૪૯માં રજૂ થયેલી ફિલ્મ સતી અહલ્યા ("શુદ્ધ અહલ્યા")માં કમલા કોટનીસે ભજવેલા અહલ્યાના પાત્રને સમકાલીન ફિલ્મ વિવેચકોએ એક ડાઘવાળી સ્ત્રીની દુર્દશાના ચિત્રણને પ્રાસંગિક ગણાવ્યું હતું. પ્રેમ, સેક્સ અને ઇચ્છા સંત સિંઘ સેખોનના પંજાબી નાટક કલાકાર (૧૯૪૫)માં કથાના મહત્વપૂર્ણ તત્ત્વો બની જાય છે, જે મહાકાવ્ય નાટકને આધુનિક યુગમાં સ્થાન આપે છે. તેમાં અહલ્યાને એક મુક્ત-ઉત્સાહી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે, જે કલાના અધ્યાપક, ગૌતમના વિદ્યાર્થીની ઇન્દર (ઇન્દ્ર) દ્વારા નગ્ન સ્થિતિમાં ચિત્રિત થવાની હિંમત કરે છે, અને તેના પતિની ટીકાઓ સામે તેના નિર્ણયનો બચાવ કરે છે. એન. એસ. માધવનની મલયાલમ વાર્તા (એપ્રિલ ૨૦૦૬) પણ અહલ્યાની વાર્તાને આધુનિક વાતાવરણમાં રજૂ કરે છે, જેમાં વ્યભિચારનો આરોપ ધરાવતી અહલ્યાને તેના પતિ દ્વારા માર મારવામાં આવે છે, જેથી તે કોમામાં સરી પડે છે, જેમાંથી ન્યુરોલોજિસ્ટ રામ તેને પુનર્જીવિત કરે છે. જો કે, સમકાલીન વાતાવરણમાં અહલ્યા-ઇન્દ્રની શાસ્ત્રીય કથાને ફરીથી કહેવાની પ્રથા નવી નથી. યોગ વસિષ્ઠ (૧૦૦૧-૧૪૦૦) બે વ્યભિચારી પ્રેમીઓ, રાણી અહલ્યા અને બ્રાહ્મણ ઇન્દ્રની કથા વર્ણવે છે. અહીં, અહલ્યા અને ઇન્દ્ર એકબીજાના પ્રેમમાં પડે છે અને અહલ્યાના ઈર્ષાળુ પતિ દ્વારા સજા કરવા છતાં પોતાનો પ્રણય સંબંધ ચાલુ રાખે છે. મૃત્યુ પછી, તેઓ પુનર્જન્મમાં ફરી ભેગા થાય છે. ૨૦૧૫માં આવેલી શોર્ટ ફિલ્મ અહલ્યામાં અહલ્યા સાથેની મુલાકાત બાદ પોલીસમેન ઇન્દ્ર પથ્થરની ઢીંગલીમાં ફેરવાય છે જે વાર્તાને નારીવાદી વળાંક આપે છે. સંતાન રામાયણમાં અહલ્યાના પુત્ર શતાનંદ (સતાનંદ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મિથિલાના રાજા જનકના કુળના પૂજારી અને ઉપદેશક હતા. આ સંસ્કરણમાં, શતાનંદ વિશ્વામિત્રને તેની "પ્રખ્યાત" માતાની સુખાકારી વિશે ચિંતાથી પૂછે છે. તેનાથી વિપરીત, મહાભારતમાં બે પુત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: શરદવન, જે હાથમાં તીર સાથે જન્મ્યો હતો, અને ચિરાકારી, જેમના કાર્યો પર વ્યાપક ચિંતન શિથિલતા તરફ લઈ જાય છે. આ ઉપરાંત કથામાં એક અનામી પુત્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વામન પુરાણમાં ત્રણ પુત્રીઓનો ઉલ્લેખ છે: જયા, જયંતી અને અપરાજી. ભારતીય લોકકથાઓની અન્ય એક દંતકથામાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યદેવતાના સારથિ અરુણ એક સમયે અરુણી નામની સ્ત્રી બની અપ્સરાઓની એક સભામાં પ્રવેશી હતી, જ્યાં ઇન્દ્ર સિવાય બીજા કોઈ પણ પુરુષને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ઇન્દ્રને અરુણી સાથે પ્રેમ થયો અને તેણે વાલી નામના પુત્રને જન્મ આપ્યો. બીજા દિવસે, સૂર્યની વિનંતીથી, અરુણે ફરીથી સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું, અને સૂર્ય પુત્ર સુગ્રીવને જન્મ આપ્યો. બંને બાળકોને અહલ્યાને ઉછેર માટે આપવામાં આવ્યા હતા, પરંતુ ગૌતમ તેમને પસંદ કરતા ન હતા આથી તેમને શ્રાપ આપ્યો જેના કારણે તેઓ વાનર સ્વરૂપ બની ગયા. રામાયણના થાઇ સંસ્કરણ રામકીનમાં, વાલી અને સુગ્રીવને ઇન્દ્ર અને સૂર્ય સાથેના તેના સંપર્કથી અહલ્યાના બાળકો તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો કે અહલ્યા શરૂઆતમાં તેમને ગૌતમના પુત્રો તરીકે જણાવે છે, પરંતુ ગૌતમની પુત્રી અંજની તેની માતાનું રહસ્ય તેના પિતાને જણાવે છે. પરિણામે તે ભાઈઓને વાનર બનવાનો શ્રાપ આપી દૂર ભગાવી દે છે. ગુસ્સે થઈને અહલ્યા અંજનીને વાનરપુત્રને જન્મ આપવાનો શ્રાપ આપે છે. અંજની, વાનર-દેવતા અને રામના મિત્ર હનુમાનને જન્મ આપે છે. મલય રૂપાંતરણ હિકાયત સેરી રામા, અને પંજાબી અને ગુજરાતી લોકકથાઓમાં પણ આવી જ કથાઓ જોવા મળે છે. જો કે, આ સંસ્કરણોમાં ઇન્દ્ર અને અહલ્યાનું રહસ્ય છુપાવવામાં મદદ કરવા માટે અંજનીને ગૌતમ દ્વારા શાપ આપવામાં આવ્યો છે. કેટલીક તમિલ જ્ઞાતિઓ તેમના પૂર્વજોને અહલ્યા અને ઇન્દ્રના સંબંધ સાથે સાંકળી લે છે. તેમની જ્ઞાતિઓના નામ અહલ્યાના બાળકોના નામ પરથી રાખવામાં આવ્યા છે. ગૌતમ ત્રણેય છોકરાઓને શોધી કાઢે છે અને તેમની વર્તણૂક પ્રમાણે તેમના નામ આપે છે: જે ગૌતમનો બહાદુરીપૂર્વક સામનો કરે છે તે– અગમુદાયર ("બહાદુર" પરથી ઉતરી આવ્યો છે) તરીકે, જે ગૌતમને જોઈને ઝાડ પર ચઢી જાય છે તે, મરાવર ("વૃક્ષ" પરથી ઉતરી આવ્યો છે) તરીકે અને જે મોટા ખડકની પાછળ ચોરની જેમ સંતાઇ જાય છે તે કલ્લાર ("ચોર" અથવા "ખડક" પરથી ઉતરી આવ્યો છે) તરીકે ઓળખાય છે. કેટલાક સંસ્કરણોમાં ચોથું સંતાન, વેલ્લાલા પણ ઉમેરવામાં આવ્યું છે. અન્ય એક સંસ્કરણમાં, અહલ્યા અને ઇન્દ્રના સંબંધનો અર્થ અહલ્યા દ્વારા ઇન્દ્રને અર્પણ કરવામાં આવેલી તપશ્ચર્યા અને પૂજા દ્વારા કરવામાં આવે છે, જે તેને ઉપહાર તરીકે સંતાનો ભેટ આપે છે. સંદર્ભ નોંધ ગ્રંથસૂચિ with English translation by Shastri, Satya Vrat શ્રેણી:પૌરાણિક પાત્રો
મનપુરા ભાભર
https://gu.wikipedia.org/wiki/મનપુરા_ભાભર
REDIRECT માનપુરા (તા. ભાભર)
મીણા
https://gu.wikipedia.org/wiki/મીણા
મીણા એ ભીલોનું એક પેટા-જૂથ છે, જે પશ્ચિમ ભારતમાં આવેલું એક વંશીય જૂથ છે. ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો. તેમને મિનાવર પણ કહેવામાં આવે છે. જમીનદાર મીણા, ચોકીદાર મીણા, ગુર્જર મીણા, પડિયાર મીણા, ભીલ મીણા, રાવત મીણા, ટાકુર મીણા અને રાજપૂત મીણા એ મીણાના પેટાજૂથો છે. સંદર્ભ
દિવેલા
https://gu.wikipedia.org/wiki/દિવેલા
REDIRECT દિવેલી
આણંદ લોક સભા મતવિસ્તાર
https://gu.wikipedia.org/wiki/આણંદ_લોક_સભા_મતવિસ્તાર
આણંદ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. વિધાનસભા બેઠકો આણંદ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે: મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તારઆરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા ૧૦૮ ખંભાતના આણંદ ચિરાગ પટેલ INC ભાજપ ૧૦૯ બોરસદ રમણભાઈ સોલંકી ભાજપ ૧૧૦ આંકલાવ અમિત ચાવડા INC ૧૧૧ ઉમરેઠ ગોવિંદભાઈ પરમાર ભાજપ ૧૧૨ આણંદ યોગેશ પટેલ ૧૧૩ પેટલાદ કમલેશ પટેલ ૧૧૪ સોજીત્રા વિપુલ પટેલ સંસદ સભ્યો વર્ષવિજેતાપક્ષ૧૯૫૭મણિબેન પટેલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૬૨નરેન્દ્રસિંહ મહિડાસ્વતંત્ર પક્ષ૧૯૬૭ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૭૧પ્રવિણસિંહ સોલંકીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ)૧૯૭૭અજીતસિંહ ડાભીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૮૦ઇશ્વરભાઇ ચાવડા૧૯૮૪૧૯૮૯નટુભાઇ મણિભાઇ પટેલભારતીય જનતા પાર્ટી૧૯૯૧ઇશ્વરભાઇ ચાવડાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૯૯૬૧૯૯૮૧૯૯૯દિપકભાઇ પટેલભારતીય જનતા પાર્ટી૨૦૦૪ભરતસિંહ સોલંકીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૨૦૦૯૨૦૧૪દિલિપભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી૨૦૧૯મતિશ રમેશભાઇ પટેલ આ પણ જુઓ આણંદ જિલ્લો સંદર્ભ શ્રેણી:આણંદ જિલ્લો શ્રેણી:ગુજરાતના લોકસભા મતવિસ્તાર
અલ્હાબાદ જિલ્લો
https://gu.wikipedia.org/wiki/અલ્હાબાદ_જિલ્લો
REDIRECT પ્રયાગરાજ જિલ્લો
અલ્હાબાદ પ્રાંત
https://gu.wikipedia.org/wiki/અલ્હાબાદ_પ્રાંત
REDIRECT પ્રયાગરાજ પ્રાંત
મનમોહન સિંઘ
https://gu.wikipedia.org/wiki/મનમોહન_સિંઘ
REDIRECT મનમોહન સિંહ
રવિશંકર પ્રસાદ
https://gu.wikipedia.org/wiki/રવિશંકર_પ્રસાદ
રવિશંકર પ્રસાદ એક ભારતીય રાજકારણી અને વકીલ છે જેઓ હાલમાં ભારત સરકારમાં કાયદા અને ન્યાય, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી તરીકે સેવા આપે છે. તેઓ ૨૦૦૦ થી ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે અને પક્ષ અને ભારત સરકારમાં ઘણા મુખ્ય હોદ્દા પર રહ્યા છે. ૩૦ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ પટના, બિહારમાં જન્મેલા રવિશંકર પ્રસાદે પટના યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને વકીલ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. તેઓ ૧૯૯૯માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયા હતા, જે પદ તેઓ ૨૦૦૧ સુધી રહ્યા હતા. ૨૦૦૦માં, રવિશંકર પ્રસાદ ભાજપમાં જોડાયા અને ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ચૂંટાયા. ત્યારથી તેઓ બે વખત રાજ્ય સભામાં ફરી ચૂંટાયા છે અને ભારતીય સંસદના નીચલા ગૃહ લોક સભાના સભ્ય પણ રહ્યા છે. રવિશંકર પ્રસાદે ભારત સરકારમાં કોલસા અને ખાણ રાજ્ય પ્રધાન, કાયદા અને ન્યાય રાજ્ય પ્રધાન અને માહિતી અને પ્રસારણ પ્રધાન સહિત અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. તેમને ૨૦૧૪માં કાયદા અને ન્યાય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૨૦૧૬માં તેમને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. કાયદા અને ન્યાય મંત્રી તરીકે, રવિશંકર પ્રસાદે ભારતીય કાનૂની પ્રણાલીમાં ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે અદાલતોના ડિજિટાઈઝેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેણે કાયદાકીય વ્યવસ્થાની કાર્યક્ષમતા સુધારવામાં અને પડતર કેસોને ઘટાડવામાં મદદ કરી છે. તેમણે મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે ન્યાય મેળવવામાં સુધારો કરવા માટે ઘણા પગલાં પણ રજૂ કર્યા છે. શ્રેણી:રાજકારણી
અણ્ણા હજારે
https://gu.wikipedia.org/wiki/અણ્ણા_હજારે
REDIRECT અણ્ણા હઝારે
વાયનાડ
https://gu.wikipedia.org/wiki/વાયનાડ
REDIRECT વયનાડ જિલ્લો
અંબોલી ઘાટ
https://gu.wikipedia.org/wiki/અંબોલી_ઘાટ
અંબોલી ઘાટ એ સહ્યાદ્રીનો એક પર્વતીય માર્ગ છે. આ ઘાટ પર અંબોલીનું હિલ સ્ટેશન આવેલું છે. તે કોલ્હાપુરથી સાવંતવાડી (અંબોલી થઈને) જવાના માર્ગ પર છે. આ ઘાટ પર ભારે વરસાદ પડે છે અને તે ગાઢ જંગલો, ધોધ અને સુંદર કુદરતી પર્યાવરણ ધરાવે છે.Adventures Drive Through The 9 Majestic Ghats of Maharashtra આ ઘાટ મહારાષ્ટ્રના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક છે. અંબોલી ઘાટ ગોવા જવા માટેનો લોકપ્રિય રસ્તો છે. દુર્ઘટનાઓ ૩૧ જુલાઈ ૨૦૧૭ના રોજ, સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે અંબોલી ઘાટમાં ૨૦૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. સંદર્ભ શ્રેણી:મહારાષ્ટ્ર
ફળાભ્યાસ
https://gu.wikipedia.org/wiki/ફળાભ્યાસ
thumb| આલ્બમ ડી પોમોલોજી (1848-1852)માંથી એલેક્ઝાન્ડ્રે બિવોર્ટ દ્વારા 'વિલરમોઝ' પિઅરનું ચિત્રણ ફળાભ્યાસ અથવા અંગ્રેજીમાં પોમોલોજી ( લેટિન , "ફળ" + "અભ્યાસ") વનસ્પતિશાસ્ત્રની એક શાખા છે જે ફળો અને ફળોની ખેતીનો અભ્યાસ કરે છે. ફ્રુટીકલ્ચર શબ્દ - રોમાન્સ ભાષાઓમાંથી રજૂ કરવામાં આવ્યો છે (જેના તમામ અવતાર લેટિન ઉતરી આવ્યા છે અને )-નો પણ ઉપયોગ થાય છે. ફળાભ્યાસ મુખ્યત્વે ફળોના વૃક્ષોના વિકાસ, વૃદ્ધિ, ખેતી અને શારીરિક અભ્યાસ પર કેન્દ્રિત છે. ફળાઉ વૃક્ષોની સુધારણાના ધ્યેયોમાં ફળની ગુણવત્તામાં વધારો, ઉત્પાદન સમયગાળાનું નિયમન અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો સમાવેશ થાય છે. ફળાભ્યાસના વિજ્ઞાનમાં સામેલ વ્યક્તિને ફળાભ્યાસક અથવા અંગ્રેજીમાં પોમોલોજિસ્ટ કહેવામાં આવે છે. ઇતિહાસ મધ્ય પૂર્વ પ્રાચીન મેસોપોટેમીયામાં, સુમેરિયનો દ્વારા ફળાભ્યાસ કરવામાં આવતો હતો, જેઓ ખજૂર, દ્રાક્ષ, સફરજન, તરબૂચ અને અંજીર સહિત વિવિધ પ્રકારના ફળ ઉગાડતા હોવાનું જાણવા મળે છે. જ્યારે ઇજિપ્તવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલા પ્રથમ ફળો સંભવતઃ સ્વદેશી હતા, જેમ કે ખજૂર અને જુવાર, અન્ય સાંસ્કૃતિક પ્રભાવોને રજૂ કરવામાં આવતાં વધુ ફળો રજૂ કરવામાં આવ્યા હતા. દ્રાક્ષ અને તરબૂચ સમગ્ર પૂર્વવંશીય ઇજિપ્તમાં જોવા મળતા હતા, જેમ કે સાયકેમોર ફિગ, ડોમ પામ અને ક્રાઇસ્ટનો કાંટો . કેરોબ, ઓલિવ, સફરજન અને દાડમ નવા સામ્રાજ્ય દરમિયાન ઇજિપ્તવાસીઓને રજૂ કરવામાં આવ્યા હતા. પછી થી ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન પીચ અને નાશપતીનો પણ પરિચય થયો. યુરોપ પ્રાચીન ગ્રીક અને રોમનોમાં પણ ફળાભ્યાસની મજબૂત પરંપરા હતી, અને તેઓ સફરજન, નાશપતી, અંજીર, દ્રાક્ષ, ક્વિન્સ, સિટ્રોન, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, વડીલબેરી, કરન્ટસ, ડેમસન પ્લમ્સ, ખજૂર, મેલમોન્સ સહિતના ફળોની વિશાળ શ્રેણીની ખેતી કરતા હતા. ગુલાબ હિપ્સ અને દાડમ ઓછા સામાન્ય ફળો વધુ વિદેશી એઝેરોલ્સ અને મેડલર હતા. ચેરી અને જરદાળુ, બંને 1લી સદી બીસીમાં રજૂ કરવામાં આવ્યા હતા, તે લોકપ્રિય હતા. પર્શિયાથી 1લી સદી એડીમાં પીચીસની રજૂઆત કરવામાં આવી હતી. નારંગી અને લીંબુ જાણીતા હતા પરંતુ રસોઈ બનાવવા કરતાં ઔષધીય હેતુઓ માટે વધુ ઉપયોગમાં લેવાય છે. . રોમનો, ખાસ કરીને, ફળોની ખેતી અને સંગ્રહની તેમની અદ્યતન પદ્ધતિઓ માટે જાણીતા હતા, અને તેઓએ ઘણી તકનીકો વિકસાવી જેનો ઉપયોગ આધુનિક પોમોલોજીમાં થાય છે. John E. Stambaugh, The Ancient Roman City, JHU Press (1988), p. 148. યુનાઈટેડ સ્ટેટ્સ અમેરીકામાં ઓગણીસમી સદીના મધ્યમાં વધતા બજારોના પ્રતિભાવમાં ખેડૂતો ફળોના બગીચાના કાર્યક્રમોનું વિસ્તરણ કરી રહ્યા હતા તે જ સમયે, યુએસડીએ અને કૃષિ કોલેજોના બાગાયતશાસ્ત્રીઓ વિદેશી અભિયાનોમાંથી અમેરીકામાં નવી જાતો લાવી રહ્યા હતા અને આ ફળો માટે પ્રાયોગિક લોટ વિકસાવી રહ્યા હતા. ફળાભ્યાસમાં વધેલી રુચિ અને પ્રવૃત્તિના પ્રતિભાવમાં, USDA એ 1886 માં ફળાભ્યાસ વિભાગની સ્થાપના કરી અને હેનરી ઇ. વેન ડેમનને મુખ્ય ફળાભ્યાસક તરીકે નિયુકત કર્યા. આ ડિવિઝનનું મહત્ત્વનું કામ નવી જાતોના સચિત્ર અહેવાલો પ્રકાશિત કરવા અને વિશેષ પ્રકાશનો અને વાર્ષિક અહેવાલો દ્વારા ફળ ઉગાડનારાઓ અને સંવર્ધકો સુધી સંશોધનના તારણોને પ્રસારિત કરવાનું હતું. આ સમયગાળા દરમિયાન એન્ડ્રુ જેક્સન ડાઉનિંગ અને તેમના ભાઈ ચાર્લ્સ ફળાભ્યાસ અને બાગાયતમાં અગ્રણી હતા, અમેરિકાના ધ ફ્રુટ્સ એન્ડ ફ્રુટ ટ્રીઝ (1845) નું ઉત્પાદન કરતા હતા. નવી જાતોના પરિચય માટે ફળના ચોક્કસ નિરૂપણની જરૂર હતી જેથી છોડ સંવર્ધકો તેમના સંશોધન પરિણામોનું ચોક્કસ દસ્તાવેજીકરણ અને પ્રસાર કરી શકે. 19મી સદીના ઉત્તરાર્ધમાં વૈજ્ઞાનિક ફોટોગ્રાફીનો ઉપયોગ વ્યાપક ન હોવાથી, યુએસડીએએ કલાકારોને નવા રજૂ કરાયેલા કલ્ટીવર્સનું વોટરકલર ચિત્રો બનાવવાનું કામ સોંપ્યું હતું. યુએસડીએ પ્રકાશનોમાં લિથોગ્રાફિક પ્રજનન માટે ઘણા વોટર કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમ કે રિપોર્ટ ઓફ ધ પોમોલોજિસ્ટ અને યરબુક ઓફ એગ્રીકલ્ચર .  આજે, આશરે 7,700 વોટરકલર્સનો સંગ્રહ નેશનલ એગ્રીકલ્ચરલ લાઇબ્રેરીના સ્પેશિયલ કલેક્શનમાં સચવાયેલો છે, જ્યાં તે બાગાયતશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, કલાકારો સહિત વિવિધ સંશોધકો માટે મુખ્ય ઐતિહાસિક અને વનસ્પતિશાસ્ત્રીય સંસાધન તરીકે સેવા આપે છે. અને પ્રકાશકો.  આ પણ જુઓ આર્બોરીકલ્ચર ફ્લોરીકલ્ચર બાગાયત ઓલેરીકલ્ચર ટ્રોફોર્ટ વિટીકલ્ચર સંદર્ભ બાહ્ય લિંક્સ અમેરિકન પોમોલોજિકલ સોસાયટી - ઉત્તર અમેરિકામાં સૌથી જૂની ફળ સંસ્થા જર્મન પોમોલોજિકલ સોસાયટી - જર્મન ફળ સંગઠન શ્રેણી:ફળ
પૃથ્વિસિંહ આઝાદ
https://gu.wikipedia.org/wiki/પૃથ્વિસિંહ_આઝાદ
Category:Articles with hCards પૃથ્વી સિંહ આઝાદ (18921989) જે ભાવનગર રજવાડામાં શ્યામરાવ તરીકે જાણીતા હતા એ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા સમાજવાદી ક્રાંતિકારી અને ગદર પાર્ટી ના સ્થાપક સભ્યોમાંથી એક હતા. સ્વતંત્રતા પહેલાના સમયગાળા દરમિયાન તેમને ઘણી વખત જેલનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કાળાપાણીની સજાની એક મુદતનો સમાવેશ પણ થાય છે. ભારત સરકારે તેમને ત્રીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું પદ્મ ભૂષણ, 1977માં સમાજમાં તેમના યોગદાન બદલ. thumb| ભાવનગર ખાતે પૃથ્વીસિંહ આઝાદની પ્રતિમાની તકતી   સંદર્ભ વધુ વાંચન બાહ્ય લિંક્સ ડા Excerpt from the book, A Revolutionary History of Interwar India. શ્રેણી:૧૯૮૯માં મૃત્યુ
ભેરી
https://gu.wikipedia.org/wiki/ભેરી
ભેરી (માદા), ભેરી બચ્ચો (નર) એ એક પાળીને કેળવી શકાય એવુ શીયાચશ્મ બાજ પક્ષી છે. ઉત્તર અમેરિકામાં એને બતક બાજ તરીકે પણ ઓળખાય છે. આ ફાલ્કોનીડે પરિવારનું લગભગ આખી દુનિયામાં જોવા મળતું શીકારી પંખી છે. ભેરી તેની ઝડપ માટે પ્રખ્યાત છે. શીકાર કરતી વેળાએ લાક્ષણિક શિકાર સ્ટોપ (હાઈ-સ્પીડ ડાઈવ) દરમિયાન એની ઝડપ થી વધુ સુધી પહોંચે છે જેને કારણે એને વિશ્વનું સૌથી ઝડપી પક્ષી ગણવામાં આવે છે. ભેરી લૈંગિક રીતે દ્વિરૂપી હોય છે, જેમાં માદાઓ નર કરતાં નોંધપાત્ર રીતે મોટી હોય છે. left|thumb| ભેરી રોયલ નેશનલ પાર્ક, ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા right|thumb| જ્હોન જેમ્સ ઓડુબોન દ્વારા ચિત્ર right|thumb| કચ્છ, ગુજરાત, ભારતના રણમાં તેના નિવાસસ્થાનમાં
ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ
https://gu.wikipedia.org/wiki/ગુજરાતમાં_ફાર્માસ્યુટિકલ_ઉદ્યોગ
ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ૩૩% હિસ્સો દવાના ઉત્પાદનમાં અને ૨૮% હિસ્સો દવાની નિકાસમાં ધરાવીને ભારતમાં પ્રથમ છે. રાજ્યમાં ૧૩૦ ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્ર (USFDA) પ્રમાણિત દવા ઉત્પાદન સુવિધાઓ છે. અમદાવાદ અને વડોદરાને ફાર્માસ્યુટિકલ હબ તરીકે ગણવામાં આવે છે કારણ કે આ શહેરોમાં ઘણી મોટી અને નાની ફાર્મા કંપનીઓ સ્થપાયેલી છે. ગુજરાત ભારતના પ્રમુખ રાજ્યોમાંથી એક છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. રાજ્ય ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું ઘર છે: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, ઝાયડસ લાઇફસાયન્સ અને વધુ. ઝાંખી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, ઝાયડસ લાઇફસાયન્સ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, સન ફાર્મા, ક્લેરિસ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, અને ડિશમાન ફાર્માસ્યુટિકલ્સ જેવી ઘણી સ્થાપિત કંપનીઓ સાથે ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે એક હબ બની ગયું છે. ગુજરાતમાં હાલમાં લગભગ ૩૫૦૦ દવા ઉત્પાદન એકમો છે અને ૨૦૦૮ સુધીમાં ભારતના ફાર્માસ્યુટિકલ ટર્નઓવરમાં ૪૨ ટકા અને તેની નિકાસમાં ૨૨ ટકા યોગદાન આપે છે ગુજરાતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ૫૨૦૦૦ થી વધુ વ્યક્તિઓ કાર્યરત છે, જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં મૂડી રોકાણોમાં ૫૪ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)નો અનુભવ કર્યો છે. ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારતમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, જે દેશના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ૪૦ ટકા અને તેની નિકાસમાં 17 ટકા હિસ્સો ધરાવે છે. ઉદ્યોગનું મૂલ્ય US$૩.૬‌ અબજ (બિલિયન) અને ૩૦૦૦ થી વધુ દવા ઉત્પાદન એકમો ધરાવે છે. ઇતિહાસ ૧૯૦૭: એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ, ભારતની સૌથી જૂની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક, વડોદરાના ગુજરાતમાં સ્થપાઈ. આ ભારતનું પ્રથમ સ્થાનિક ફાર્માસ્યુટિકલ યુનિટ, બંગાળ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સ, કલકત્તામાં સ્થપાયાના માત્ર છ વર્ષ પછી હતું. ૧૯૪૦ અને ૫૦ ના દાયકા દરમિયાન, ગુજરાત ફાર્માસ્યુટિકલ એન્ડ કેમિકલ વર્ક્સ, સારાભાઈ કેમિકલ્સ, અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ, એલાઈડ અને કેડિલા લેબોરેટરીઝ જેવી કંપનીઓની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૪૭: વડોદરામાં ડ્રગ્સ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી, ત્યારબાદ એલએમ કોલેજ ઓફ ફાર્મસી. ૧૯૮૯: બી.વી.(BV) પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ અને ભારતીય ફાર્માસ્યુટિકલ એસોસિએશન (IPA) ની ગુજરાત શાખાએ અમદાવાદમાં બી.વી.(BV) પટેલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ (PERD) સેન્ટરની સ્થાપના કરી. વર્ષોથી ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. ૧૯૭૯ અને ૧૯૮૦ અને ૧૯૯૭-૯૮ ની વચ્ચે રોકાણ કરેલ મૂડી અને શ્રમ ગુણોત્તરમાં નોંધપાત્ર વધારો થયો છે અને રોજગાર દર લગભગ બમણો થયો છે. ગુજરાતમાં હાલમાં લગભગ ૩૫૦૦ દવા ઉત્પાદન એકમો છે, જે ૫૨૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપે છે. ૨૦૦૦: ગુજરાત સરકારે રાજ્યને "ફાર્મા હબ" જાહેર કર્યું અને ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં શરૂ કર્યા. ૨૦૦૩: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, ગુજરાતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક, તેની ઉત્પાદન સુવિધાઓ માટે યુએસ એફડીએ (US FDA)ની મંજૂરી મેળવી. ૨૦૦૫: ગુજરાતની બીજી મોટી ફાર્માસ્યુટિકલ કંપની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સને તેની ઉત્પાદન સુવિધાઓ માટે યુએસ એફડીએની મંજૂરી મળી. ૨૦૦૮: ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં વધુ રોકાણ આકર્ષવા માટે નવી ફાર્માસ્યુટિકલ નીતિની જાહેરાત કરી. ૨૦૧૭: ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ફાર્માસ્યુટિકલ્સના ૨૫૫૭૮ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ૨૦૨૦: રાજકોટમાં ભારતના પ્રથમ મેડિકલ ડિવાઈસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત કરવામાં આવી. ૨૦૨૨: ગુજરાત સરકારે જંબુસર, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની જાહેરાત કરી. ગુજરાતમાં સરકારે નવી બાયોટેકનોલોજી પોલિસી જાહેર કરી. ક્લસ્ટર અને વિશેષ આર્થિક ક્ષેત્ર thumb| સૌથી મોટી કંપનીઓ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા એપ્રિલ ૨૦૨૩ સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ગુજરાતમાં ટોચની 6 જાહેર ફાર્માસ્યુટિકલ કંપનીઓ ક્રમકંપનીસ્થાનમાર્કેટ કેપિટલાઇઝેશન (એપ્રિલ 2023)સંદર્ભ(ઓ)1ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સઅમદાવાદ2ઝાયડસ લાઇફસાયન્સઅમદાવાદ3લ્યુપિનઅમદાવાદ4એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સવડોદરા5એરિસ લાઇફસાયન્સઅમદાવાદ6Dishman Carbogen Amcisઅમદાવાદ ૨૦૨૨ માં નોંધાયેલા મૂલ્યાંકન દ્વારા ભારતમાં ટોચની ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ 1ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સઅમદાવાદ2કેડિલા ફાર્માસ્યુટિકલ્સઅમદાવાદ સંશોધન અને વિકાસ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સંશોધન અને વિકાસ (R&D) પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેણે રાજ્યમાં ઉદ્યોગના વિકાસમાં ફાળો આપ્યો છે. રાજ્ય સરકાર ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સંશોધન અને વિકાસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે અને તેને સમર્થન આપવા માટે અનેક પહેલો સ્થાપી છે. ગુજરાત FDCA (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) ઇનોવેશન એન્ડ રિસર્ચ સેલ, જેની સ્થાપના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ સેલ R&D પ્રવૃત્તિઓ માટે સપોર્ટ પૂરો પાડે છે અને ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહયોગની સુવિધા આપે છે. વધુમાં, રાજ્ય સરકારે રાજ્યમાં બાયોટેકનોલોજી સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર (GBRC) ની સ્થાપના કરી છે. આ કેન્દ્ર બાયોટેક્નોલોજી ક્ષેત્રે સંશોધન સંસ્થાઓ અને કંપનીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી સહાય પૂરી પાડે છે. ગુજરાત સરકારે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી અને વડોદરામાં ગુજરાત બાયોટેક પાર્ક સહિત રાજ્યમાં અનેક વિજ્ઞાન અને ટેકનોલોજી ઉદ્યાનો પણ સ્થાપ્યા છે. આ ઉદ્યાનો ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં રોકાયેલી કંપનીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક સેવાઓ પૂરી પાડે છે. ગુજરાતની ઘણી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે તેમની પોતાની સંશોધન અને વિકાસ સુવિધાઓ છે અને તેઓ નવા ઉત્પાદનો અને તકનીકોના વિકાસમાં સક્રિયપણે રોકાયેલા છે. ઉદાહરણ તરીકે, ગુજરાતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક ઝાયડસ લાઇફસાયન્સિસ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, અમદાવાદમાં અત્યાધુનિક R&D સુવિધા ધરાવે છે. એ જ રીતે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સનું ગાંધીનગરમાં એક સમર્પિત આર એન્ડ ડી સેન્ટર છે. અગાઉ ઉલ્લેખિત પહેલો અને સુવિધાઓ ઉપરાંત, ગુજરાત સરકારે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પણ સ્થાપના કરી છે. કેન્દ્ર રાજ્યમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સંશોધન સંસ્થાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી સહાય પૂરી પાડે છે. તે ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહયોગની સુવિધા પણ આપે છે, અને સંશોધન અને વિકાસ પરિણામોના વ્યાપારીકરણને પ્રોત્સાહિત કરે છે. રાજ્ય સરકારે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ નીતિઓ અને પ્રોત્સાહનો પણ સ્થાપિત કર્યા છે. ઉદાહરણ તરીકે, ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓમાં રોકાયેલી કંપનીઓને વિવિધ પ્રોત્સાહનો પ્રદાન કરે છે, જેમાં નવા ઉત્પાદનોના વિકાસ માટે સબસિડી, સંશોધન અને વિકાસ‌‌ના ખર્ચ પર કર મુક્તિ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ માટે ભંડોળનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે સંશોધન અને વિકાસ, ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ અને નિયમનકારી બાબતો જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવા માટે પહેલ કરી છે અને તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ માટે કુશળ કાર્યબળ વિકસાવવાનો છે. સરકારની પહેલ, નીતિઓ અને પ્રોત્સાહનોએ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનું વાતાવરણ ઊભું કર્યું છે. આનાથી નવીન ઉત્પાદનો અને તકનીકોનો વિકાસ થયો છે, જેણે ગુજરાતને ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી છે. નિકાસ ફાર્માસ્યુટિકલ નિકાસની દ્રષ્ટિએ ગુજરાત ભારતના અગ્રણી રાજ્યોમાંનું એક છે. રાજ્ય પાસે ગુણવત્તા અને નવીનતા પર મજબૂત ફોકસ સાથે સુસ્થાપિત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે, જેણે તેને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનો મુખ્ય નિકાસકાર બનવામાં મદદ કરી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ગુજરાત ભારતમાં ફાર્માસ્યુટિકલ્સનું બીજા ક્રમનું સૌથી મોટું નિકાસકાર હતું, જે દેશની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં આશરે ૨૦% હિસ્સો ધરાવે છે. ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાંથી ફાર્માસ્યુટિકલ નિકાસમાં ૧૧%નો વધારો થયો છે. ભારતની ફાર્મા નિકાસમાં ગુજરાતનો હિસ્સો ઓછામાં ઓછો ૨૮% છે, જેમાં ૨૦૧૮-૧૯માં કુલ નિકાસ $૫.૩૬ બિલિયન હતી, જે અગાઉના વર્ષના $4.83bn કરતાં વધુ હતી. ભારતીય ફાર્મા ઉદ્યોગે ૨૦૧૮-૧૯માં $૧૯.૧૫ બિલિયનના અંદાજિત નિકાસ મૂલ્ય સાથે બાઉન્સ બેક કર્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૦.૮૫% વધુ છે. સેક્ટરની મજબૂત કામગીરી આંશિક રીતે રૂપિયા સામે ડૉલરના મજબૂત થવાને આભારી છે. ગુજરાતની ફાર્માસ્યુટિકલ નિકાસમાં વિવિધ પ્રકારના ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જેમાં ફોર્મ્યુલેશન, બલ્ક ડ્રગ્સ, ઇન્ટરમીડિયેટ અને ડ્રગ ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. ગુજરાતની ફાર્માસ્યુટિકલ નિકાસ માટેના મુખ્ય બજારો યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, આફ્રિકા અને મધ્ય પૂર્વ છે. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ક્રમ નં.જિલ્લાઓકોમોડિટીઝનિકાસનું મૂલ્ય (US$ મિલિયનમાં)1ભરૂચડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ૪૦૬.૦૬જિલ્લાની કુલ નિકાસ૪૬૯૫.૧૪2અમદાવાદડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ૧૨૧૮.૫૪જિલ્લાની કુલ નિકાસ૪૪૩૯.૧૨3વડોદરાડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ૩૨૦.૬૫જિલ્લાની કુલ નિકાસ૩૭૧૦.૩૨4વલસાડડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ૧૪૦.૨૬જિલ્લાની કુલ નિકાસ૧૯૭૦.૨૩ ગુજરાત સરકારે પણ રાજ્યમાંથી ફાર્માસ્યુટિકલ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. આ પહેલોમાં ફાર્મા પાર્ક અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના, નિકાસકારો માટે નાણાકીય પ્રોત્સાહનો અને સબસિડી પૂરી પાડવા અને રાજ્યના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે વેપાર મેળાઓ અને પ્રદર્શનોનું આયોજન સામેલ છે. સંદર્ભ પૂરક વાચન ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એટ્રિશન એનાલિસિસ | સંશોધન ગેટ | 19 નવેમ્બર 2022 બાહ્ય કડીઓ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ (ગુજરાત સરકાર) ગુજરાત - ફાર્મા હબ ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ શ્રેણી:ઉદ્યોગ
બરવાલા, હિસાર
https://gu.wikipedia.org/wiki/બરવાલા,_હિસાર
બરવાલાએ ભારતના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક નગર છે. બરવાલા એક વિધાનસભા મત વિસ્તાર છે. બરવાલા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ હિસાર લોકસભા મતવિસ્તારમાં થાય છે. નેશનલ હાઈવે ૫૨ અને નેશનલ હાઈવે ૧૪૮બી અહીંથી પસાર થાય છે. તે ખેતી અને વેપારનું કેન્દ્ર છે અને અહીં એક અન્નબજાર આવેલું છે. નજીકના ગામ ખેદડીમાં તાપવિદ્યુત મથક આવેલું છે. વર્તમાન ઘટનાઓ અહીં સંત રામપાલજી મહારાજનો એક સતલોક આશ્રમ છે, જે એક પ્રશાસનિક કાર્યવાહીમાં ફસાયેલો છે. બરવાળા ત્યારે ખૂબ સમાચારોમાં હતું જ્યારે સંત રામપાલના અનુયાયીઓ સંત પરના આરોપોની સીબીઆઈ તપાસની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, જ્યારે વહીવટીતંત્રે તેમની સામે કાર્યવાહી કરી ત્યારે અથડામણ થઈ હતી. સંદર્ભ શ્રેણી:હરિયાણા
લખનૌ મેટ્રો
https://gu.wikipedia.org/wiki/લખનૌ_મેટ્રો
લખનૌ મેટ્રો એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ શહેરને સેવા આપતી એક ઝડપી પરિવહન પ્રણાલી છે. ટ્રાન્સપોર્ટ નગરથી ચારબાગ રેલ્વે સ્ટેશન સુધીના ૮.૫ કિમી (૫.૩ માઇલ) પટ સાથે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ લાઇનનું બાંધકામ શરૂ થયું હતું. તેણે ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ તેનું વ્યાપારી સંચાલન શરૂ કર્યું, જે તેને દેશની સૌથી ઝડપી મેટ્રો રેલ સિસ્ટમ બનાવે છે. ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ મેટ્રો સ્ટેશનથી મુનશી પુલિયા મેટ્રો સ્ટેશન સુધીની રેડ લાઇન પર સંપૂર્ણ કામગીરી ૯ માર્ચ ૨૦૧૯ના રોજ શરૂ થઈ હતી. લખનૌ મેટ્રો ૨૨ સ્ટેશનો સાથે ૨૨.૮૭ કિલોમીટરનું અંતર કાપે છે. તે દિલ્હી મેટ્રો, હૈદરાબાદ મેટ્રો, ચેન્નાઈ મેટ્રો, નમ્મા મેટ્રો, નોઈડા મેટ્રો અને કોલકાતા મેટ્રો પછી ભારતમાં સાતમું સૌથી લાંબુ સક્રિય મેટ્રો નેટવર્ક છે. મેટ્રો રેલની કામગીરીને સાકાર કરવા અને તેના પર થતા ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે નાણા, શહેરી વિકાસ, આવાસ, ઉર્જા, જાહેર બાંધકામ, પરિવહન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવો અને વિભાગીય કમિશનરની સમિતિની રચના કરી છે. લખનૌ અને કાનપુરમાં મેટ્રો રેલ શરૂ થયા બાદ રસ્તાઓ પરનો ટ્રાફિક ઘણો ઓછો થઈ જશે. હાલમાં આ બંને શહેરોમાં દર મહિને આશરે ૧૦૦૦ નવા ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. લખનૌના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર બાયપાસ બનાવવામાં આવ્યા હોવા છતાં રસ્તાઓ પર વાહનોનું દબાણ વધી રહ્યું છે. આ કારણોસર, અહીં મેટ્રોનું ઝડપી બાંધકામ અનિવાર્ય બની ગયું છે. ઉત્તર પ્રદેશ સરકારે લખનૌ ઉપરાંત કાનપુર અને ગાઝિયાબાદ શહેરોમાં મેટ્રો રેલ ચલાવવાની યોજના બનાવી છે. ગાઝિયાબાદ દિલ્હીની નજીક હોવાને કારણે મેટ્રો રેલ ત્યાં પહેલા શરૂ થઈ શકે છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ગાઝિયાબાદમાં વૈશાલી સુધી મેટ્રો રેલનો રસ્તો સાફ થઈ ગયો છે અને મેરઠમાં પણ તેની શક્યતાઓ તપાસવામાં આવશે. આ પણ જુઓ ગુજરાત મેટ્રો દિલ્હી મેટ્રો સંદર્ભ શ્રેણી:ઉત્તર પ્રદેશ
ધ કેરલા સ્ટોરી
https://gu.wikipedia.org/wiki/ધ_કેરલા_સ્ટોરી
ધ કેરલા સ્ટોરી ઇ.સ. ૨૦૨૩નું ભારતીય ચલચિત્ર છે જેના દિગ્દર્શક સુદિપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે. ચલચિત્રની વાર્તા કેરળની એવી મહિલાઓની વાત કરે છે જેમણે ઇસ્લામમાં ધર્મપરિવર્તન કર્યું હતું અને 'ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા' (ISIS)માં જોડાઇ હતી. આ ચલચિત્રમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાનીએ અભિનય કર્યો છે. તે ૫ મે ૨૦૨૩ના રોજ પ્રદર્શિત થઈ હતી. ચિત્રપટે પહેલાના ચાર દિવસમાં વિશ્વભરમાં ૪૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો અને ૨૦૨૩ની પાંચમી સૌથી વધુ કમાણી વાળું હિન્દી ચલચિત્ર બન્યું હતું. અભિનય શાલિની ઉન્નીકૃષ્ણન / ફાતિમા બા તરીકે અદા શર્મા નિમહ તરીકે યોગિતા બિહાની આસિફા તરીકે સોનિયા બાલાની ગીતાંજલિ તરીકે સિદ્ધિ ઇદનાની શાલિનીની માતા તરીકે દેવદર્શિની વિજય કૃષ્ણ પ્રણય પચૌરી પ્રણવ મિશ્રા સંગીત પ્રતિસાદ તેના પ્રથમ દિવસે, ચલચિત્રે ભારતમાં ₹8.03 કરોડનો વકરો કર્યો હતો, જેથી તે ૨૦૨૩માં ભારતમાં પાંચમા સૌથી મોટી આવક ધરાવતું ચલચિત્ર બન્યું હતું. ધ કેરલા સ્ટોરીને IMDBમાં ૮ કરતાં વધુ રેટિંગ મળેલ છે. કેરળના બે મુખ્ય રાજકીય પક્ષો - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) દ્વારા આ ચલચિત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે આ ચલચિત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારનું સમર્થન કરે છે એવો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં નિર્માતા વિપુલ શાહે કહ્યું હતું કે આ ચલચિત્ર પુરાવાઓ પર આધારિત છે અને તેમણે તેના માટે ૪ વર્ષોનું સંશોધન કર્યું છે. કેરળ હાઇકોર્ટે ચલચિત્ર પર પ્રતિબંધ મૂકવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે ચલચિત્ર ISIS વિશે છે, નહી કે ચોક્કસ ધર્મ વિશે. આવી જ અરજી અગાઉ સુપ્રિમ કોર્ટ અને મદ્રાસ હાઇકોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. નિર્માતાઓએ ૩૨,૦૦૦ મહિલાઓ ISISમાં જોડાઇ એવું દર્શાવતું ટ્રેલર પાછું ખેંચ્યું હતું. તમિલનાડુમાં ચલચિત્રનો વિરોધ થયો હતો અને સંખ્યાબંધ થિએટરના માલિકોએ ચલચિત્ર પાછું ઠેલ્યું હતું. ૯ મે ૨૦૨૩ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચલચિત્ર પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પ્રતિસાદમાં નિર્માતાઓએ કાયદાકીય પગલા લેશે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોએ ચલચિત્રને કરમુક્ત જાહેર કર્યું હતું. સંદર્ભ શ્રેણી:હિન્દી ચલચિત્ર
ઝડપી પરિવહન
https://gu.wikipedia.org/wiki/ઝડપી_પરિવહન
ભૂગર્ભ રેલ પૃથ્વીની સપાટી નીચે ભોયરુ બનાવીને તેની અંદર રેલ્વે પાટા નાખિને જે ટ્રેન ચલાવવામાં આવે છે તેને ભૂગર્ભ રેલ્વે કહેવાય છે. તેમને મેટ્રો રેલ, મેટ્રો, સબવે અથવા રેપિડ રેલ પણ કહેવામાં આવે છે. ઇતિહાસ તેની શરૂઆત લંડન શહેરમાં થઈ હતી. લંડન બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની હતી અને અહીં વસ્તી વધી રહી હતી. આમ્ તો શહેરની ચારે બાજુ રેલ્વે સ્ટેશનો હતા. પરંતુ શહેરની મધ્ય સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હતો. ૧૮૫૫માં લંડનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. ઘણી દરખાસ્તો સામે આવી, પરંતુ આખરે ભૂગર્ભ રેલ સેવાનો પ્રસ્તાવ સૌથી યોગ્ય માનવામાં આવ્યો. વિશ્વની પ્રથમ ભૂગર્ભ ટ્રેન સેવા ૧૦ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ શરૂ થઈ હતી. આ ટ્રેન સેવા પેડિંગ્ટનથી ફેરિંગ્ટન વચ્ચે શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ચાલીસ હજાર મુસાફરોએ તેમાં મુસાફરી કરી હતી. ધીમે ધીમે જમીનની નીચે વધુ ટનલ બનાવવામાં આવી અને એક સંપૂર્ણ રેલ્વે નેટવર્ક બનાવવામાં આવ્યું. આ ટ્રેનો સ્ટીમ એન્જિન દ્વારા ચલાવવામાં આવતી હતી. તેથી જ જમીનની નીચે જે ટનલ બનાવવામાં આવી હતી. તેમાં અમુક અંતરે વેન્ટિલેશનની વ્યવસ્થા હતી. જેથી વરાળ નીકળી શકે. ૧૯૦૫થી ટ્રેનો વીજળી પર દોડવા લાગી. જ્યાં સુધી એશિયાની વાત છે, ભૂગર્ભ રેલ સેવા સૌપ્રથમ જાપાનમાં શરૂ થઈ હતી અને હવે આ રેલ સેવાઓ કોરિયા, ચીન, હોંગકોંગ, તાઈવાન, થાઇલેન્ડ અને ભારતમાં પણ ચાલી રહી છે. ભારતમાં, કોલકાતા, ગુરુગ્રામ, જયપુર, ચેન્ન્ઈ, બેંગલોર, મુંબઈ, કોચી, લખનૌ, હૈદરાબાદ, દિલ્હીમાં ભૂગર્ભ અથવા એલિવેટેડ મેટ્રો ટ્રેનો ચાલી રહી છે.
લહરતારા
https://gu.wikipedia.org/wiki/લહરતારા
લહરતારા તળાવ એ સંત કબીરના પ્રાગટ્ય સાથે સંકળાયેલ એક ઐતિહાસિક તળાવ છે. એક પૌરાણિક કથા અનુસાર, સંત કબીર લહારતારા તળાવમાં કમળના ફૂલ પર તરતા જોવા મળ્યા હતા. તે ભારતમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં અલ્હાબાદ રોડ પર કબીરમઠ નજીક આવેલું છે. ભૂતકાળમાં, તે ૧૭ એકર (૦.૦૭ કિમી)માં ફેલાયેલી મીઠા પાણીનું મોટું તળાવ હતું. હાલમાં, તે તેની ઐતિહાસિક ભવ્યતા ગુમાવી ચૂક્યું છે, કારણ કે આશરે ૩.૫ એકર (૦.૦૧૪ કિમી) નું તળાવ પુરાતત્વ નિયામક, ઉત્તર પ્રદેશ હેઠળ છે, જ્યારે અન્ય ૮ એકર (૦.૦૩ કિમી) સતગુરુ કબીર પ્રકાશ ધામ હેઠળ છે. ઇતિહાસ અને દંતકથાઓ લહરતારા તળાવનો ઇતિહાસ પ્રખ્યાત કવિ અને રહસ્યવાદી સંત કબીર સાથે જોડાયેલો છે. શરૂઆતમાં, તળાવ ૧૭ એકર (૦.૦૭ ચો.કિમી) વિસ્તારમાં ફેલાયેલું હતું, પરંતુ આજકાલ તેને અલગ કરીને વિવિધ સંસ્થાઓના અધિકારક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યું છે. દંતકથા કહે છે કે કબીર સાહેબ શિશુ સ્વરૂપમાં કમળના ફૂલ પર તરતા જોવા મળ્યા હતા. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સંત કબીરના પ્રાગટ્ય સાથે સંબંધિત હોવાથી કબીર પંથીઓમાં તળાવનું ઘણું મહત્વ છે. સંત કબીર વિક્રમ સંવત ૧૪૫૫, વર્ષ ૧૩૯૮ માં જ્યેષ્ઠ શુક્લ પક્ષની પૂર્ણિમાએ આ લહરતારા તળાવમાં કમળના ફૂલ પર અવતરિત થયા હતા. જ્યારે તેઓ સતલોકથી આવી રહ્યા હતા ત્યારે રામાનંદજીના શિષ્ય અષ્ટાનંદજી ત્યાં તપસ્યા કરી રહ્યા હતા. તેણે જોયું કે પ્રકાશનો એક ગોળો આકાશમાંથી નીચે આવ્યો અને તળાવની એક બાજુએ ગાયબ થઈ ગયો. વધુ પડતા પ્રકાશને કારણે અષ્ટાનંદની આંખો બંધ થઈ ગઈ. જ્યારે તેની આંખો ફરીથી ખુલી, ત્યારે પ્રકાશના ગોલાએ બાળકનો આકાર લઇ લીધો હતો. એ જ તળાવમાં નિઃસંતાન દંપતી નૂર અલી (નીરુ) અને નિયામત (નીમા) સ્નાન કરી રહ્યાં હતાં. તે બ્રાહ્મણ હતા પણ મુસ્લિમોએ તેનું ધર્માંતરણ કરીને તેને મુસ્લિમ બનાવી દીધા હતા. મુસલમાન બનવાને કારણે તેનું ગંગામાં સ્નાન અન્ય હિંદુઓએ બંધ કરી દીધું હતું. આ કારણથી તે દરરોજ લહરતારા તળાવમાં સ્નાન કરવા આવતા હતા. સ્નાન કર્યા પછી, નિયામતને કમળના ફૂલથી થોડા અંતરે થોડી હલચલ જોવા મળી. તેને લાગ્યું કે ત્યાં સાપ છે. તેથી જ તેણે તેના પતિને ચેતવણી આપી પરંતુ જ્યારે તેણે ધ્યાનથી કમળ તરફ જોયું તો તેણે કમળના ફૂલ પર એક બાળક સૂતેલું જોયું. તેઓ બાળકને લઈને ઘરે આવી ગયા. સંત કબીરનો ઉછેર તેમના ઘરે જ થયો હતો. પ્રદૂષણ અને પર્યાવરણીય ચિંતાઓ એક સમયે આ તળાવ ચિંતાજનક સ્થિતિમાં હતું, અને આજે તે વધુ નિરાધાર સ્થિતિમાં છે. હાલમાં આ તળાવ ગંદકી અને ગટરના ગંદા પાણી સિવાય બીજું કંઈ નથી. એક સમયે ૧૮ એકર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હવે માત્ર ૩.૫ એકર (૦.૦૧૪ કિમી) પુરાતત્વ નિયામક, ઉત્તર પ્રદેશ દ્વારા સુરક્ષિત છે અને લગભગ ૮ એકર સદગુરુ કબીર પ્રાકટ્ય ધામના કબજા હેઠળ છે. બાકીનો ભાગ ચારે બાજુથી મોટા પાયે અતિક્રમણોથી ઘેરાયેલો છે. સંદર્ભ શ્રેણી:તળાવ
સ્વામીની વાતો
https://gu.wikipedia.org/wiki/સ્વામીની_વાતો
સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્‌બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે. સંપાદકો સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્‌ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે. સંદર્ભ શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય
ગુણાતીતાનંદ સ્વામીની વાતો
https://gu.wikipedia.org/wiki/ગુણાતીતાનંદ_સ્વામીની_વાતો
REDIRECT સ્વામીની વાતો
બિસ્વરૂપ રોય ચૌધરી
https://gu.wikipedia.org/wiki/બિસ્વરૂપ_રોય_ચૌધરી
બિસ્વરૂપ રોય ચૌધરી એક સ્વ-ઘોષિત ડૉક્ટર છે જેઓ તબીબી કાવતરાના સિદ્ધાંતો શેર કરવા માટે જાણીતા છે. જેમાં કોવિડ-૧૯, HIV/AIDS અને મધુપ્રમેહને નકારવાના કાવતરાનો સમાવેશ થાય છે, જેના માટે તેમની ભારે ટીકા કરવામાં આવી છે. કથિત રીતે ભ્રામક સ્વાસ્થ્ય સલાહ ફેલાવવા બદલ તેના કેટલાય યુટ્યુબ અને સોશિયલ મીડિયા ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૃષ્ઠભૂમિ તેઓ અનેક સ્વ-પ્રકાશિત પુસ્તકોના લેખક અને બે ફિલ્મોના નિર્માતા છે. ચૌધરીના દાવો છે કે તેઓ ડૉક્ટર છે પરંતુ, તેમની પાસે કોઈ ઔપચારિક લાયકાત કે તબીબી તાલીમ નથી. તેમણે ઝામ્બિયાની એલાયન્સ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી "મધુપ્રમેહ વિજ્ઞાન" માં માનદ પીએચ.ડી. મેળવી હોવાના અહેવાલ છે, જે માન્યતા પ્રાપ્ત નથી. ચૌધરી કથિત રીતે વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી નામની ઓનલાઈન ડિપ્લોમા મિલ ચલાવે છે જે નકલી પીએચ.ડી. વેચે છે. સંદર્ભ
નરનારાયણ
https://gu.wikipedia.org/wiki/નરનારાયણ
નરનારાયણ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંના ચોથા અવતાર હતા. આ અવતારમાં વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં જોડિયા ઋષિઓના રૂપમાં અવતાર લીધો હતો. આ સ્વરૂપમાં તેમણે બદ્રીનાથ તીર્થયાત્રામાં તપસ્યા કરી હતી. ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન નર અને નારાયણ બ્રહ્મદેવના પ્રપૌત્ર હતા. સ્વામિનારાયણ સંપ્રદાય ની માન્યતા પ્રમાણે ભક્તોને અસુરોના ત્રાસમાંથી મુક્તિ આપવા નરનારાયણે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે અવતાર લીધો હતો. આ પણ જુઓ સ્વામિનારાયણ વિષ્ણુ સંદર્ભ શ્રેણી:હિંદુ ધર્મ
પ્રોટોકોલ (વિજ્ઞાન)
https://gu.wikipedia.org/wiki/પ્રોટોકોલ_(વિજ્ઞાન)
પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન સંશોધનમાં, પ્રોટોકોલ એ પ્રયોગની રચના અને અમલીકરણમાં સામાન્ય રીતે પૂર્વવ્યાખ્યાયિત પ્રક્રિયા પદ્ધતિ છે. સમાન પ્રયોગશાળામાં અથવા અન્ય પ્રયોગશાળાઓ દ્વારા અન્ય લોકો દ્વારા પરિણામોની સફળ પ્રતિકૃતિ સુનિશ્ચિત કરવા માટે જ્યારે પણ પ્રયોગશાળા પદ્ધતિને પ્રમાણિત કરવાનું ઇચ્છનીય હોય ત્યારે પ્રોટોકોલ લખવામાં આવે છે. વધુમાં, અને વિસ્તરણ દ્વારા, પ્રોટોકોલ્સમાં પીઅર સમીક્ષા દ્વારા પ્રાયોગિક પરિણામોના મૂલ્યાંકનની સુવિધા આપવાનો ફાયદો છે. વિગતવાર પ્રક્રિયાઓ, સાધનો અને સાધનો ઉપરાંત, પ્રોટોકોલમાં અભ્યાસના ઉદ્દેશ્યો, પ્રાયોગિક ડિઝાઇન માટે તર્ક, પસંદ કરેલ નમૂનાના કદ માટે તર્ક, સલામતી સાવચેતીઓ અને આંકડાકીય વિશ્લેષણ અને પૂર્વવ્યાખ્યાયિત અને દસ્તાવેજીકરણ માટેના કોઈપણ નિયમો સહિત પરિણામોની ગણતરી અને જાણ કેવી રીતે કરવામાં આવી તે પણ સમાવિષ્ટ હશે. પૂર્વગ્રહ ટાળવા માટે બાકાત ડેટા. તેવી જ રીતે, પ્રોટોકોલ તેમની પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સંસ્થાઓ, વ્યાપારી પ્રયોગશાળાઓ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ વગેરેની પ્રક્રિયાગત પદ્ધતિઓનો સંદર્ભ લઈ શકે છે (દા.ત., હોસ્પિટલમાં રક્ત પરીક્ષણ, માપાંકન પ્રયોગશાળામાં પ્રમાણિત સંદર્ભ સામગ્રીનું પરીક્ષણ, અને ટ્રાન્સમિશન ગિયર્સનું ઉત્પાદન. સુવિધા પર) ચોક્કસ ધોરણ સાથે સુસંગત છે, સલામત ઉપયોગ અને સચોટ પરિણામોને પ્રોત્સાહિત કરે છે. છેવટે, સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં, પ્રોટોકોલ અવલોકન કરેલ ઘટનાઓના "વર્ણનાત્મક રેકોર્ડ" નો સંદર્ભ પણ આપી શકે છે. અથવા "વર્તનનો ક્રમ" "સતત પેટર્ન અને કારણ-અસર સંબંધો" ને વધુ સારી રીતે ઓળખવા માટે, એક અથવા વધુ સજીવોની, પ્રવૃત્તિ દરમિયાન અથવા તેના પછી તરત જ રેકોર્ડ કરવામાં આવે છે (દા.ત., ચોક્કસ ઉત્તેજના પર શિશુ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અથવા કુદરતી નિવાસસ્થાનમાં ગોરિલા કેવી રીતે વર્તે છે) આ પ્રોટોકોલ વિડિયો અને ઑડિયો કૅપ્ચર સહિત હાથથી લખેલા જર્નલ્સ અથવા ઇલેક્ટ્રોનિક રીતે દસ્તાવેજીકૃત મીડિયાનું સ્વરૂપ લઈ શકે છે. સંદર્ભ
ભારતમાં નાણાકીય નિયમન
https://gu.wikipedia.org/wiki/ભારતમાં_નાણાકીય_નિયમન
ભારતમાં નાણાકીય નિયમન સંખ્યાબંધ નિયમનકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. નાણાકીય નિયમન એ નિયમન અથવા દેખરેખનું એક સ્વરૂપ છે, જે નાણાકીય સંસ્થાઓને ચોક્કસ જરૂરિયાતો, નિયંત્રણો અને માર્ગદર્શિકાઓને આધીન કરે છે, જેનો હેતુ નાણાકીય સિસ્ટમની સ્થિરતા અને અખંડિતતા જાળવવાનો છે. આ સરકારી અથવા બિન-સરકારી સંસ્થા દ્વારા નિયંત્રિત થઈ શકે છે. નાણાકીય નિયમન એ ઉપલબ્ધ નાણાકીય ઉત્પાદનોની વિવિધતા વધારીને બેંકિંગ ક્ષેત્રોના માળખાને પણ પ્રભાવિત કર્યું છે. નાણાકીય નિયમન ત્રણ કાનૂની શ્રેણીઓમાંથી એક બનાવે છે જે નાણાકીય કાયદાની સામગ્રીની રચના કરે છે, અન્ય બે બજાર પ્રથાઓ અને કેસ કાયદો છે. ઇતિહાસ ભારતમાં નાણાકીય નિયમનનો ઈતિહાસ 19મી સદીની શરૂઆતમાં શોધી શકાય છે જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1806માં બેંક ઓફ બંગાળ Banker's Magazine, Vol. 22, p.565-6. ની સ્થાપના કરી હતી. સમય જતાં, અન્ય બેંકોની સ્થાપના કરવામાં આવી, જેમાં 1840માં બેંક ઓફ બોમ્બે અને 1843માં બેંક ઓફ મદ્રાસનો સમાવેશ થાય છે, જે સામૂહિક રીતે પ્રેસિડેન્સી બેંકો તરીકે ઓળખાય છે. 1921માં, ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી, જેનું પછીથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1955માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરીકે નામ આપવામાં આવ્યું ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935 માં દેશની કેન્દ્રીય બેંક તરીકે કરવામાં આવી હતી, જેનો હેતુ દેશની ચલણ અને ધિરાણ પ્રણાલીને નિયંત્રિત કરવા અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. 1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરકારે નાણાકીય ક્ષેત્રના નિયમન માટે ઘણા પગલાં લીધાં. 1949 માં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો, જેણે ભારતીય રિઝર્વ બેંકને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપ્યું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના 1988 માં સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. 1990 ના દાયકામાં, ભારતે આર્થિક ઉદારીકરણ અને સુધારાનો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારોનો સમાવેશ થાય છે. નાણાકીય ક્ષેત્રની સ્થિતિની તપાસ કરવા અને તેના સુધારા માટે ભલામણો કરવા માટે 1991માં નરસિંહમ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિની ભલામણોના આધારે, નાણાકીય ક્ષેત્રને ઉદાર બનાવવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. 1993 માં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જેણે સેબીને સિક્યોરિટીઝ બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તાઓ આપી હતી. 1997 માં, વીમા ક્ષેત્રના નિયમન માટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) ની સ્થાપના કરવામાં આવી હતી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના 2003 માં પેન્શન ક્ષેત્રના નિયમન માટે કરવામાં આવી હતી. કોર્નોલોજી ભારતીય નાણાકીય નિયમોની સમયરેખા : 1806: બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બેંક ઓફ બંગાળની સ્થાપના કરવામાં આવી. 1840-1843: બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસની સ્થાપના કરવામાં આવી, જે બેંક ઓફ બંગાળ સાથે મળીને પ્રેસિડેન્સી બેંક તરીકે ઓળખાય છે. 1921: ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના કરવા માટે ત્રણ પ્રેસીડેન્સી બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું. 1935: ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના દેશની મધ્યસ્થ બેંક તરીકે કરવામાં આવી. 1947: ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. 1949: બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર થયો, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપે છે. 1955: ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રાખવામાં આવ્યું. 1988: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી. 1991: નાણાકીય ક્ષેત્રની સ્થિતિની તપાસ કરવા અને તેના સુધારા માટે ભલામણો કરવા માટે નરસિંહમ સમિતિની સ્થાપના કરવામાં આવી. સમિતિની ભલામણોના આધારે, નાણાકીય ક્ષેત્રને ઉદાર બનાવવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એક્ટ પણ પસાર થયો છે. 1992: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ને સેબી એક્ટ હેઠળ વૈધાનિક સત્તાઓ આપવામાં આવી છે. 1993: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો, જે SEBIને સિક્યોરિટી બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તા આપે છે. 1997: વીમા ક્ષેત્રના નિયમન માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) ની સ્થાપના કરવામાં આવી. 1999: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની રજૂઆત કરી, જેણે ભારતીય શેરબજારમાં ક્રાંતિ લાવી. 2000: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ઈન્ટરનેટ ટ્રેડિંગ અને સિક્યોરિટીઝના ડીમટીરિયલાઈઝેશન માટેના નિયમો રજૂ કર્યા. 2003: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના પેન્શન ક્ષેત્રના નિયમન માટે કરવામાં આવી હતી. 2005: કોમોડિટી ફ્યુચર્સ માર્કેટના નિયમન માટે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ રેગ્યુલેશન એક્ટ (FCRA) પસાર કરવામાં આવ્યો. 2012: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) ની વિભાવના રજૂ કરી જેથી રોકાણકારોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં નિયમનકારી મિકેનિઝમ દ્વારા રોકાણ કરી શકાય. 2015: ભારતીય રિઝર્વ બેંકે દેશમાં ડિજિટલ ચૂકવણીની સુવિધા માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ની રજૂઆતની જાહેરાત કરી. 2015: ભારતમાં ઑફશોર નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ની સ્થાપના કરવામાં આવી છે. 2019: ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ની સ્થાપના ભારતમાં IFSC માં નાણાકીય સેવાઓનું નિયમન કરવા માટે કરવામાં આવી છે. 2020: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત ઉધાર લેનારાઓ માટે લોનની ચુકવણી પર મોરેટોરિયમ અને પુનર્ગઠન યોજનાની જાહેરાત કરી. SEBI રોકાણ સલાહકારો અને પોર્ટફોલિયો મેનેજર માટે રોકાણકારોની સુરક્ષા વધારવા માટે નવા ધોરણો રજૂ કરે છે. 2021: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણ સલાહકારો માટે તેમના ગ્રાહકોને વિશ્વાસુ તરીકેની તેમની ભૂમિકાને મજબૂત કરવા માટે એક નવું માળખું રજૂ કર્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs) ની કામગીરીની સમીક્ષા કરવા અને તેમની અસરકારકતા સુધારવા માટેના પગલાંની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરી છે. અધિનિયમો અને નિયમો ભારતમાં નાણાકીય નિયમનોની એક વ્યાપક પ્રણાલી છે જેમાં નાણાકીય ક્ષેત્રના વિવિધ પાસાઓને સંચાલિત કરવા માટે અધિનિયમો અને નિયમોની શ્રેણીનો સમાવેશ થાય છે. ભારતમાં નાણાકીય ક્ષેત્રને નિયંત્રિત કરતા કેટલાક મુખ્ય કાયદાઓ અને નિયમોમાં નીચેનાનો સમાવેશ થાય છે: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 : આ અધિનિયમ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની કામગીરી માટે કાનૂની માળખું પૂરું પાડે છે, જે ભારતની મધ્યસ્થ બેંક છે. આરબીઆઈ દેશની નાણાકીય નીતિનું નિયમન કરવા, વિદેશી વિનિમય ભંડારનું સંચાલન કરવા અને બેંકિંગ ક્ષેત્રની દેખરેખ માટે જવાબદાર છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 : આ અધિનિયમ ભારતમાં બેંકોની કામગીરીને નિયંત્રિત કરે છે અને RBIને બેંકિંગ ક્ષેત્રની દેખરેખ અને નિયમન કરવાની સત્તા આપે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ, 1992 : આ અધિનિયમે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની સ્થાપના કરી, જે ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટના નિયમન માટે જવાબદાર છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 1999: આ એક્ટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) ની સ્થાપના કરી, જે ભારતમાં વીમા ક્ષેત્રના નિયમન માટે જવાબદાર છે. કંપની અધિનિયમ, 2013 : આ અધિનિયમ નાણાકીય ક્ષેત્રની કંપનીઓ સહિત ભારતમાં કંપનીઓની રચના, સંચાલન અને સંચાલનને નિયંત્રિત કરે છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 : આ અધિનિયમ ભારતમાં વિદેશી વિનિમય વ્યવહારોનું નિયમન કરે છે અને તેનો ઉદ્દેશ્ય બાહ્ય વેપાર અને ચૂકવણીને સરળ બનાવવાનો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 : આ અધિનિયમનો હેતુ ભારતમાં મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃતિઓના ધિરાણને રોકવાનો છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957: આ નિયમો ભારતમાં સિક્યોરિટીઝના વેપારનું નિયમન કરે છે અને સ્ટોક એક્સચેન્જની કામગીરી માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ, 2015: આ નિયમોનો ઉદ્દેશ સિક્યોરિટીઝમાં ઇનસાઇડર ટ્રેડિંગ અટકાવવાનો અને વાજબી ટ્રેડિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાનો છે. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ (રેગ્યુલેશન) એક્ટ, 2005: આ અધિનિયમ ભારતમાં ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓની કામગીરીને નિયંત્રિત કરે છે અને જવાબદાર ધિરાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007: આ એક્ટ ભારતમાં ચુકવણી અને સેટલમેન્ટ સિસ્ટમ્સ માટે કાનૂની માળખું પૂરું પાડે છે, જેમાં ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, મોબાઇલ પેમેન્ટ્સ અને કાર્ડ પેમેન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 : આ અધિનિયમનો હેતુ ભારતમાં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તેમાં બેંકિંગ, વીમા અને રોકાણ ઉત્પાદનો જેવી નાણાકીય સેવાઓ સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે. નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ રેગ્યુલેશન્સ, 2015: આ નિયમો ભારતમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ની કામગીરીને નિયંત્રિત કરે છે, જે વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ બચત યોજના છે. ડિપોઝિટરીઝ એક્ટ, 1996: આ અધિનિયમ ભારતમાં ડિપોઝિટરીઝની કામગીરીને નિયંત્રિત કરે છે, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યોરિટીઝ ધરાવે છે અને તેમના ટ્રાન્સફરની સુવિધા આપે છે. પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, 2016: આ સિસ્ટમ ભારતમાં સરકારી નાણાકીય વ્યવસ્થાપન માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેમાં બજેટની તૈયારી, ખર્ચ વ્યવસ્થાપન અને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ, 2010 : આ અધિનિયમ ભારતમાં બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા વિદેશી યોગદાનની પ્રાપ્તિને નિયંત્રિત કરે છે અને તેનો હેતુ મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ અટકાવવાનો છે. બેંકો દ્વારા વર્ગીકરણ, મૂલ્યાંકન અને રોકાણ પોર્ટફોલિયોના સંચાલન માટેના વિવેકપૂર્ણ ધોરણો, 2021: આ ધોરણો ભારતમાં બેંકો દ્વારા રોકાણ પોર્ટફોલિયોના સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે, જેમાં સંપત્તિના વર્ગીકરણ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (ડિજિટલ ચુકવણી સુરક્ષા નિયંત્રણો) નિર્દેશો, 2021: આ નિર્દેશો ભારતમાં ડિજિટલ ચુકવણીઓ માટે સુરક્ષા નિયંત્રણો પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને છેતરપિંડી અને અન્ય જોખમોથી બચાવવાનો છે. સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 : આ અધિનિયમ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા નાણાકીય અસ્કયામતોના સિક્યોરિટાઇઝેશન અને પુનઃનિર્માણ અને આવી સંપત્તિઓમાં સુરક્ષા હિતના અમલ માટે એક માળખું પૂરું પાડે છે. ભારતીય સ્ટેમ્પ અધિનિયમ, 1899 : આ અધિનિયમ વિવિધ નાણાકીય સાધનો, જેમ કે પ્રોમિસરી નોટ્સ, વિનિમય બિલ અને શેર પ્રમાણપત્રો પર સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણીને નિયંત્રિત કરે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 : આ અધિનિયમ નાણાકીય વ્યવહારોમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેમ કે ચેક, બિલ્સ ઑફ એક્સચેન્જ અને પ્રોમિસરી નોટ્સના ઉપયોગને નિયંત્રિત કરે છે. અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989: આ અધિનિયમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો સામેના ગુનાઓને રોકવાની જોગવાઈ કરે છે, અને આ સમુદાયોના નાણાકીય છેતરપિંડી અને શોષણ સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરે છે. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 : આ અધિનિયમ ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું નિયમન કરે છે, જેમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને એજન્ટોની નોંધણી અને ઘર ખરીદનારાઓની સુરક્ષાનો સમાવેશ થાય છે. માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ એક્ટ, 2006 : આ અધિનિયમ ભારતમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના પ્રમોશન અને વિકાસ માટે પ્રદાન કરે છે, જેમાં ક્રેડિટ અને અન્ય નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. વિદેશી વેપાર નીતિ, 2015-2020: આ નીતિ ભારતમાં નિકાસ અને આયાતને પ્રોત્સાહન આપવા માટેનું માળખું પૂરું પાડે છે, જેમાં નિકાસકારો માટે પ્રોત્સાહનો અને આયાતકારો માટેના નિયમોનો સમાવેશ થાય છે. નાદારી અને નાદારી નિવારણ અધિનિયમ, 2016: આ અધિનિયમ ભારતમાં નાદારી અને નાદારીની કાર્યવાહીના ઠરાવની જોગવાઈ કરે છે, જેમાં દેવાની પુનઃરચના અને સંપત્તિના લિક્વિડેશનનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 : તે એક ભારતીય કાયદો છે જે ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ (IFSCs) માં નાણાકીય સેવાઓના વિકાસ અને નિયમન માટે સ્વતંત્ર નિયમનકારી સત્તાની સ્થાપના માટે પ્રદાન કરે છે. IFSCA કાયદો ભારતમાં IFSCsમાં નાણાકીય સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘડવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતને આંતરરાષ્ટ્રીય નાણા અને વ્યાપાર માટે હબ બનાવવાનો હતો. આ કાયદો IFSCsમાં નાણાકીય સેવાઓના વિકાસ અને નિયમન પર દેખરેખ રાખવા માટે એક વૈધાનિક સંસ્થા તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની સ્થાપના કરે છે. IFSCA અધિનિયમ IFSCA માટે IFSCsમાં નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય સેવાઓનું નિયમન અને દેખરેખ, IFSCsમાં નાણાકીય સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવા અને IFSCsમાં રોકાણકારો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ સહિતની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. . IFSCA કાયદો IFSCsમાં બેંકિંગ, વીમો, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સેવાઓ સહિત નાણાકીય સેવાઓ માટે એકીકૃત નિયમનકારી માળખાની સ્થાપના માટે પણ જોગવાઈ કરે છે. આ અધિનિયમ IFSCA ને IFSCs માં નાણાકીય સેવાઓના સંચાલન માટે વિનિયમો બનાવવાની સત્તા આપે છે અને IFSC માં નાણાકીય સેવાઓ સંબંધિત વિવાદોના નિરાકરણ માટે પણ જોગવાઈ કરે છે. નિયમનકારી સંસ્થાઓ ભારતમાં ઘણી નાણાકીય નિયમનકારી સંસ્થાઓ છે જે નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોની દેખરેખ અને નિયમન કરે છે. અહીં મુખ્ય નિયમનકારી સંસ્થાઓ અને તેઓ જે ક્ષેત્રોની દેખરેખ રાખે છે તે છે: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI): RBI એ ભારતની મધ્યસ્થ બેંક છે અને દેશના એકંદર બેંકિંગ ક્ષેત્રનું નિયમન કરે છે, જેમાં વ્યાપારી બેંકો, સહકારી બેંકો અને વિકાસ બેંકોનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI): SEBI ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે, જેમાં સ્ટોક એક્સચેન્જો, બ્રોકર્સ અને અન્ય બજાર મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA): તે એક નિયમનકારી સંસ્થા છે જેની સ્થાપના એપ્રિલ 2020 માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 હેઠળ કરવામાં આવી હતી. IFSCA એ તમામ નાણાકીય સેવાઓના નિયમન માટે જવાબદાર છે જે ગિફ્ટ સિટી, ગુજરાત, ભારતમાં સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ની અંદર પૂરી પાડવામાં આવે છે. IFSC એ એક વિશેષ આર્થિક ક્ષેત્ર છે જેની સ્થાપના ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA): IRDA ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરે છે, જેમાં જીવન વીમો, સામાન્ય વીમો અને પુનઃવીમોનો સમાવેશ થાય છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA): PFRDA ભારતમાં પેન્શન સેક્ટરનું નિયમન કરે છે, જેમાં પેન્શન ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC): FMC ભારતમાં કોમોડિટી ફ્યુચર્સ માર્કેટનું નિયમન કરે છે. કોર્પોરેટ બાબતોનું મંત્રાલય (MCA): MCA ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ, કોર્પોરેટ સામાજિક જવાબદારી અને કંપનીઓની રચના અને સંચાલનનું નિયમન કરે છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB): NHB ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ સેક્ટરનું નિયમન કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA): DEA ભારતની એકંદર આર્થિક નીતિઓ માટે જવાબદાર છે, જેમાં નાણાકીય અને નાણાકીય નીતિઓનો સમાવેશ થાય છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC): FSDC એ એક ઉચ્ચ-સ્તરની સંકલન સંસ્થા છે જે ભારતમાં વિવિધ નાણાકીય નિયમનકારી સંસ્થાઓની કામગીરીની દેખરેખ અને સંકલન કરે છે. તેનો હેતુ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો અને દેશમાં નાણાકીય ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC): બેંક નિષ્ફળ જાય અથવા નાદાર બને તો DICGC થાપણદારોને વીમો પૂરો પાડે છે. તે ચોક્કસ રકમ સુધીની બેંક થાપણોનો વીમો આપે છે, જે હાલમાં રૂ. બેંક દીઠ થાપણદાર દીઠ 5 લાખ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ): નાબાર્ડ ભારતમાં ગ્રામીણ બેંકિંગ ક્ષેત્રનું નિયમન અને દેખરેખ કરે છે. તે ખેડૂતો, ગ્રામીણ વિકાસ સંસ્થાઓ અને અન્ય ગ્રામીણ સંસ્થાઓને ધિરાણ અને અન્ય સહાય પૂરી પાડે છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI): SIDBI ભારતમાં નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને નાણાકીય સહાય પૂરી પાડે છે. તે દેશમાં SME ક્ષેત્રના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. વીમા લોકપાલ: વીમા પૉલિસી ધારકો માટે વીમા લોકપાલ એક સ્વતંત્ર ફરિયાદ નિવારણ પદ્ધતિ છે. તે વીમા કંપનીઓ અને અન્ય મધ્યસ્થીઓ સામેની ફરિયાદોની તપાસ કરે છે અને તેનું નિરાકરણ કરે છે. પેન્શન ફંડ લોકપાલ: પેન્શન ફંડ લોકપાલ એ NPS અને APY સબ્સ્ક્રાઇબર્સ માટે એક સ્વતંત્ર ફરિયાદ નિવારણ પદ્ધતિ છે. તે પેન્શન ફંડ મેનેજર અને અન્ય મધ્યસ્થીઓ સામેની ફરિયાદોની તપાસ કરે છે અને તેનું નિરાકરણ કરે છે. ફોરેન એક્સચેન્જ ડીલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FEDAI): FEDAI ભારતમાં વિદેશી વિનિમય વ્યવહારો માટે નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરે છે. તે વિદેશી વિનિમય વ્યવહારોમાં વ્યવહાર કરતી બેંકો માટે સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે પણ કાર્ય કરે છે. ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCIL): તે વિદેશી વિનિમય અને મની માર્કેટ વ્યવહારો માટે ક્લિયરિંગ અને સેટલમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે જવાબદાર છે. સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT): તે એક અર્ધ-ન્યાયિક સંસ્થા છે જે સેબીના નિર્ણયો સામે અપીલની સુનાવણી કરે છે. વિદેશી રોકાણ ભારતમાં વિદેશી રોકાણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરાયેલા નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. ભારત સરકારે વર્ષોથી તેની વિદેશી રોકાણ નીતિઓને ઉદાર બનાવી છે, વિદેશી રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ને ઓટોમેટિક રૂટ હેઠળ મોટાભાગના ક્ષેત્રોમાં મંજૂરી આપવામાં આવે છે, જેનો અર્થ છે કે વિદેશી રોકાણકારોને તેમના રોકાણ માટે સરકાર અથવા આરબીઆઈની પૂર્વ મંજૂરીની જરૂર નથી. જો કે, સંરક્ષણ, ટેલિકોમ અને મીડિયા જેવા કેટલાક ક્ષેત્રોને સરકારની પૂર્વ મંજૂરીની જરૂર છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) એ વિદેશી રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવા માટેનો બીજો માર્ગ છે. FPI નો ઉલ્લેખ બિન-નિવાસી ભારતીયો (NRIs), વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) અને લાયક વિદેશી રોકાણકારો (QFIs) દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ સિક્યોરિટીઝમાં કરે છે. એફપીઆઈ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નિર્ધારિત અમુક મર્યાદાઓ અને શરતોને આધીન છે. ભારત સરકારે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) ની પણ સ્થાપના કરી છે, જે સ્વચાલિત રૂટ હેઠળ આવતા નથી તેવા વિદેશી રોકાણ દરખાસ્તોની સમીક્ષા કરવા અને મંજૂર કરવા માટે જવાબદાર છે. જો કે, FIPB નાબૂદ કરવામાં આવ્યું છે અને સરકારે વિદેશી રોકાણ દરખાસ્તો માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે. એન્ટિ-મની લોન્ડરિંગ (AML) ભારતે 2002 ના પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સહિત મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણને રોકવા માટે ઘણા પગલાં અમલમાં મૂક્યા છે. PMLA એ ભારતમાં મની લોન્ડરિંગ સામે લડવા માટેનો પ્રાથમિક કાયદો છે અને તેનું સંચાલન નાણા મંત્રાલયના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) દ્વારા કરવામાં આવે છે. PMLA હેઠળ, બેંકો, વીમા કંપનીઓ અને સિક્યોરિટીઝ ફર્મ્સ સહિતની નાણાકીય સંસ્થાઓએ તેમના ગ્રાહકો પર યોગ્ય ધ્યાન રાખવાની, તેમના વ્યવહારો પર દેખરેખ રાખવાની અને FIUને કોઈપણ શંકાસ્પદ વ્યવહારોની જાણ કરવાની જરૂર છે. આ અધિનિયમ ગુનાની આવક હોવાની શંકાસ્પદ સંપત્તિને ફ્રીઝ કરવા અને જપ્ત કરવાની પણ જોગવાઈ કરે છે. આ અધિનિયમ મની લોન્ડરિંગના કેસોની તપાસ અને કાર્યવાહી કરવા માટે એક વિશિષ્ટ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પણ સ્થાપના કરે છે. PMLA ઉપરાંત, ભારતે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) અને ઈન્કમ ટેક્સ એક્ટ સહિત મની લોન્ડરિંગ સામે લડવા માટે અન્ય પગલાં પણ લાગુ કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પણ તેમની નિયમનકારી સંસ્થાઓને મની લોન્ડરિંગ વિરોધી નિયમોના પાલન માટે માર્ગદર્શિકા જારી કરી છે. ભારત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)નું સભ્ય પણ છે, જે એક આંતર-સરકારી સંસ્થા છે જે ધોરણો નક્કી કરે છે અને મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ અને દેશની અખંડિતતા માટેના અન્ય સંબંધિત જોખમો સામે લડવા માટે કાનૂની, નિયમનકારી અને ઓપરેશનલ પગલાંના અસરકારક અમલીકરણને પ્રોત્સાહન આપે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમ . ભારત તેના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા FATF દ્વારા નિયમિત સમીક્ષાઓને આધીન છે. PMLA ઉપરાંત, ભારતે મની લોન્ડરિંગ સામે લડવા માટે અન્ય ઘણા નાણાકીય નિયમો લાગુ કર્યા છે. આ નિયમોમાં શામેલ છે: તમારા ગ્રાહક (KYC) ધોરણો જાણો : KYC ધોરણો માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ કોઈપણ નાણાકીય સેવાઓ પ્રદાન કરતા પહેલા તેમના ગ્રાહકોની ઓળખ ચકાસવાની જરૂર છે. કેવાયસી ધોરણોમાં વ્યક્તિગત માહિતી અને દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અને તેની ચકાસણી કરવાનો સમાવેશ થાય છે. KYC ધોરણો નાણાકીય વ્યવહારોમાં બનાવટી અથવા બનાવટી દસ્તાવેજોના ઉપયોગને રોકવામાં મદદ કરે છે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગ (STR): STR માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોઈપણ શંકાસ્પદ વ્યવહારોની જાણ ભારતના ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (FIU)ને કરવાની જરૂર છે. આવા વ્યવહારોમાં ગ્રાહકની જાણીતી આવકના સ્ત્રોતો સાથે અસામાન્ય અથવા અસંગત હોય તેવા વ્યવહારોનો સમાવેશ થઈ શકે છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પણ આ વ્યવહારોના રેકોર્ડ રાખવા જરૂરી છે. ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ (FATCA): FATCA એ યુએસ કાયદો છે જેમાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ યુએસ કરદાતાઓ વિશેની માહિતી યુએસ ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS)ને જાણ કરવી જરૂરી છે. FATCA લાગુ કરવા માટે ભારતે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, ભારતીય નાણાકીય સંસ્થાઓએ તેમના અમેરિકન ગ્રાહકો વિશેની માહિતી ભારત સરકારને જાણ કરવી જરૂરી છે, જે પછી યુએસ સરકાર સાથે શેર કરવામાં આવશે. કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (CRS): ભારતે વિદેશી રહેવાસીઓ દ્વારા રાખવામાં આવેલા નાણાકીય ખાતાઓની માહિતીની આપલે કરવા માટે અન્ય દેશો સાથે પણ CRS કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મની લોન્ડરિંગ વિરોધી (AML) માર્ગદર્શિકા: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વ્યવહારો કરતી વખતે અનુસરવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે AML માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકાઓમાં ગ્રાહકની યોગ્ય ખંત, રેકોર્ડ રાખવા અને જોખમ સંચાલન જેવા પગલાંનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA): પીએમએલએ મની લોન્ડરિંગને ગુનાની આવકને કાયદેસરના ભંડોળ તરીકે છૂપાવવાના કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે મની લોન્ડરિંગના દોષિતો માટે દંડ પણ નક્કી કરે છે, જેમાં કેદ અને દંડનો સમાવેશ થઈ શકે છે. આ અધિનિયમ બેંકો, નાણાકીય સંસ્થાઓ અને મની ચેન્જર્સ સહિત તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને લાગુ પડે છે. બેંકિંગ નિયમન ભારતમાં બેંકિંગ નિયમનની દેખરેખ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવે છે, જે દેશની મધ્યસ્થ બેંક છે. આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી અને તે ભારતમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના નિયમન અને દેખરેખ માટે જવાબદાર છે. આરબીઆઈનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા જાળવવાનો છે, જે તે વિવિધ નિયમનકારી પગલાં દ્વારા હાંસલ કરે છે. આરબીઆઈ દ્વારા લાગુ કરાયેલા કેટલાક મુખ્ય નિયમોમાં નીચેનાનો સમાવેશ થાય છે: મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR): ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ન્યૂનતમ CAR નિર્ધારિત કરી છે જે ભારતમાં બેંકોએ તેની ખાતરી કરવા માટે જાળવવી જોઈએ કે તેમની પાસે અણધારી નુકસાનને શોષવા માટે પૂરતી મૂડી છે. એસેટ ક્વોલિટી રિવ્યુ (AQR): આરબીઆઈ બેંકોના નિયમિત AQR કરે છે તેની ખાતરી કરવા માટે કે તેઓ તેમની સંપત્તિની ગુણવત્તાને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરી રહ્યાં છે અને કોઈપણ નુકસાન માટે તેઓ પર્યાપ્ત રીતે જોગવાઈ કરે છે. પ્રુડેન્શિયલ ધોરણો: આરબીઆઈએ બેંકો માટે વિવિધ વિવેકપૂર્ણ ધોરણો નિર્ધારિત કર્યા છે, જેમાં વ્યક્તિગત ઋણ લેનારાઓને એક્સપોઝરની મર્યાદા, અસ્કયામતોનું વર્ગીકરણ અને જોગવાઈની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. તરલતાની આવશ્યકતાઓ: ભારતમાં બેંકોએ ચોક્કસ સ્તરની તરલતા જાળવવી જરૂરી છે કે જેથી તેઓ તેમની જવાબદારીઓ પૂરી કરી શકે કારણ કે તેઓ બાકી છે. RBI એ ભારતમાં બેંકો માટે લઘુત્તમ લિક્વિડિટી રેશિયો (SLR) અને ન્યૂનતમ નેટ સ્ટેબલ ફંડિંગ રેશિયો (NSFR) નિર્ધારિત કર્યો છે. પ્રુડેન્શિયલ ધોરણો: આરબીઆઈએ બેંકો માટે વિવિધ વિવેકપૂર્ણ ધોરણો નિર્ધારિત કર્યા છે, જેમાં વ્યક્તિગત ઋણ લેનારાઓને એક્સપોઝરની મર્યાદા, અસ્કયામતોનું વર્ગીકરણ અને જોગવાઈની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ ધોરણો એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે કે બેંકો સમજદારીપૂર્વક કામ કરે છે અને જોખમોનું અસરકારક રીતે સંચાલન કરે છે. કોર્પોરેટ ગવર્નન્સ: RBI એ ભારતમાં બેંકો માટે કોર્પોરેટ ગવર્નન્સ પર માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં બેંકો પાસે મજબૂત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મજબૂત જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓ અને અસરકારક આંતરિક નિયંત્રણો હોવા જરૂરી છે. એન્ટિ-મની લોન્ડરિંગ (AML) અને તમારા ગ્રાહકને જાણો (KYC) ધોરણો: RBI એ મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ અટકાવવા માટે AML અને KYC પર કડક માર્ગદર્શિકા મૂકી છે. બેંકોએ તેમના ગ્રાહકો પર યોગ્ય ધ્યાન રાખવું, વ્યવહારોનું નિરીક્ષણ કરવું અને શંકાસ્પદ વ્યવહારોની જાણ સંબંધિત અધિકારીઓને કરવી જરૂરી છે. તમારા ગ્રાહકને જાણો (KYC) અને એન્ટી-મની લોન્ડરિંગ (AML): બેંકોએ મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ અટકાવવા માટે KYC અને AML માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. બેંકિંગ નિયમન અધિનિયમ ભારતમાં ઘણા બેંકિંગ નિયમન અધિનિયમો છે જે દેશમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરીને નિયંત્રિત કરે છે. કેટલાક મુખ્ય કાર્યો છે: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 : આ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના કાર્યો અને સત્તાઓને સંચાલિત કરતો પ્રાથમિક કાયદો છે, જે ભારતની મધ્યસ્થ બેંક છે. આ અધિનિયમ ભારતમાં બેંકિંગ અને ધિરાણના નિયમનની જોગવાઈ કરે છે અને RBIને બેંકોને લાઇસન્સ આપવા અને તેમની પ્રવૃત્તિઓનું નિયમન કરવાની સત્તા આપે છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 : આ અધિનિયમ ભારતમાં બેંકિંગ કંપનીઓના નિયમન અને દેખરેખ માટે પ્રદાન કરે છે. તે બેંકોની સ્થાપના અને સંચાલન માટેના નિયમો, તેમની મૂડીની જરૂરિયાતો અને તેમની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા અને દેખરેખ રાખવાની RBIની સત્તાઓ નક્કી કરે છે. આ અધિનિયમ બેંકિંગ લોકપાલની નિમણૂક માટે પણ જોગવાઈ કરે છે, જે બેંકો સામેની ફરિયાદોના નિરાકરણ માટે જવાબદાર છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 : આ અધિનિયમ ચેક, પ્રોમિસરી નોટ્સ અને એક્સચેન્જના બિલ જેવા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉપયોગ અને ટ્રાન્સફરને નિયંત્રિત કરે છે. તે આ સાધનો માટે પક્ષકારોના અધિકારો અને જવાબદારીઓ પ્રદાન કરે છે અને તેમની ચૂકવણી અને ડિસ્ચાર્જ માટેના નિયમો નક્કી કરે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ, 1992 : આ અધિનિયમ ભારતમાં સિક્યોરિટી બજારોના નિયમન અને આ બજારોમાં રોકાણકારોના હિતોના રક્ષણ માટે પ્રદાન કરે છે. તે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ને સ્ટોક એક્સચેન્જો, બ્રોકર્સ અને અન્ય બજાર મધ્યસ્થીઓની પ્રવૃત્તિઓનું નિયમન અને દેખરેખ કરવાની સત્તા આપે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 : આ અધિનિયમ ભારતમાં મની લોન્ડરિંગ અને આતંકવાદના ધિરાણને રોકવાની જોગવાઈ કરે છે. તે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને ગ્રાહકની યોગ્ય કાળજી રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નાણાકીય સિસ્ટમના ઉપયોગને રોકવા માટે વ્યવહારોના રેકોર્ડ જાળવવાની જરૂર છે. સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશન ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશનની દેખરેખ મુખ્યત્વે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા કરવામાં આવે છે, જે દેશના સિક્યોરિટી બજારોના નિયમન માટે જવાબદાર છે. સિક્યોરિટી બજારો ન્યાયી, પારદર્શક અને કાર્યક્ષમ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા સેબીએ વિવિધ નિયમો અને માર્ગદર્શિકા જારી કરી છે. અહીં ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશનના કેટલાક મુખ્ય પાસાઓ છે: રોકાણકાર રક્ષણ: સેબીનો મુખ્ય ઉદ્દેશ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. તેણે વિવિધ નિયમો જારી કર્યા છે જેથી રોકાણકારોને સિક્યોરિટીઝ વિશે સચોટ અને સમયસર માહિતીની ઍક્સેસ મળે અને તેઓ કપટપૂર્ણ અને અન્યાયી પ્રથાઓથી સુરક્ષિત રહે. ઉદાહરણ તરીકે, સેબીએ નિયમો જારી કર્યા છે આંતરિક વેપાર, બજારમાં ચાલાકી અને, જાહેરાત જરૂરીયાતો માટે લિસ્ટેડ કંપનીઓ. બજાર કામગીરીઃ સેબી ભારતમાં સિક્યોરિટીઝ બજારોની કામગીરીને નિયંત્રિત કરે છે, જેમાં સ્ટોક એક્સચેન્જો, બ્રોકર્સ, અને અન્ય બજાર મધ્યસ્થીઓ. તેણે બ્રોકર્સ અને મધ્યસ્થીઓના વર્તન અંગેના નિયમો જારી કર્યા છે, જેમાં મૂડી પર્યાપ્તતા, નોંધણીની જરૂરિયાતો અને પાલન ધોરણો અંગેના નિયમોનો સમાવેશ થાય છે. સૂચિ જરૂરિયાતો સેબીએ ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં પોતાની સિક્યોરિટીઝની લિસ્ટિંગ કરવા ઈચ્છતી કંપનીઓ માટે લિસ્ટિંગ જરૂરીયાતો અંગે નિયમો જારી કર્યા છે. આ નિયમો જાહેરાતની જરૂરિયાતો, પાત્રતા માપદંડ અને અન્ય શરતો સૂચવે છે જે તેમની સિક્યોરિટીઝની સૂચિ બનાવવા માંગતી કંપનીઓ દ્વારા પૂરી થવી જોઈએ. જાહેરાત જરૂરીયાતો સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે જાહેરાતની જરૂરિયાતો પર નિયમો જારી કર્યા છે, જે કંપનીઓ દ્વારા રોકાણકારો અને જાહેર જનતાને જાહેર કરવાની માહિતી સૂચવે છે. આ નિયમોમાં આવા ક્ષેત્રોનો સમાવેશ થાય છેઃ નાણાકીય નિવેદનો, મેનેજમેન્ટ ચર્ચા અને વિશ્લેષણ, અને સંબંધિત પક્ષ વ્યવહારો. રોકાણકાર શિક્ષણ: સેબી રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો માટે પણ જવાબદાર છે, જેનો હેતુ રોકાણકારોને સિક્યોરિટીઝ બજારો અને સિક્યોરિટીઝમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમો અને તકો વિશે શિક્ષિત કરવાનો છે. અમલીકરણ: સેબી પાસે સિક્યોરિટીઝ કાયદા અને નિયમોના ઉલ્લંઘન સામે તપાસ અને અમલીકરણની કાર્યવાહી કરવાની સત્તા છે. તે બજારના સહભાગીઓ પર દંડ અને અન્ય દંડ લાદી શકે છે જે નિયમોનું ઉલ્લંઘન કરે છે, અને ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશન એક્ટ ભારતમાં સિક્યોરિટી બજારો અનેક કાયદાઓ, નિયમો અને નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. અહીં ભારતમાં કેટલાક મુખ્ય સિક્યોરિટીઝ માર્કેટ એક્ટ છે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ, 1992 : ભારતમાં સિક્યોરિટી બજારોને સંચાલિત કરતો આ પ્રાથમિક કાયદો છે. તેણે સિક્યોરિટીઝ માર્કેટ માટે નિયમનકાર તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના કરી અને તેને સિક્યોરિટીઝ બજારોનું નિયમન અને વિકાસ કરવા, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને રોકાણકારોના શિક્ષણને પ્રોત્સાહન આપવાની સત્તાઓ આપી. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 : આ અધિનિયમ ભારતમાં સિક્યોરિટીઝના વેપારનું નિયમન કરે છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં સ્ટોક એક્સચેન્જો, બ્રોકર્સ અને અન્ય મધ્યસ્થીઓની કામગીરીને નિયંત્રિત કરે છે. તે ભારતમાં વેપાર કરી શકાય તેવા સિક્યોરિટીઝના પ્રકારોને વ્યાખ્યાયિત કરે છે, ટ્રેડિંગના આચરણ માટેના નિયમો નક્કી કરે છે અને સ્ટોક એક્સચેન્જો અને અન્ય બજાર મધ્યસ્થીઓના નિયમન અને નોંધણી માટે પ્રદાન કરે છે. ડિપોઝિટરીઝ એક્ટ, 1996: આ અધિનિયમ ભારતમાં ડિપોઝિટરીઝની સ્થાપના માટે પ્રદાન કરે છે અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યોરિટીઝના ટ્રાન્સફર અને નોંધણીને નિયંત્રિત કરે છે. તે રોકાણકારોને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં સિક્યોરિટીઝ રાખવા સક્ષમ બનાવે છે અને સોદાના ઝડપી અને વધુ કાર્યક્ષમ પતાવટની સુવિધા આપે છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957: આ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 હેઠળ બનેલા નિયમો છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં સ્ટોક એક્સચેન્જ, બ્રોકર્સ અને અન્ય મધ્યસ્થીઓના નિયમન માટે જોગવાઈ કરે છે. નિયમો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે યોગ્યતાના માપદંડ, માર્જિનની જરૂરિયાતો અને બ્રોકર્સ અને મધ્યસ્થીઓના આચરણ જેવા ક્ષેત્રોને આવરી લે છે. SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015: આ રેગ્યુલેશન્સ એવી કંપનીઓ માટે લિસ્ટિંગ જરૂરિયાતો સૂચવે છે કે જેઓ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં તેમની સિક્યોરિટીઝને સૂચિબદ્ધ કરવા માગે છે. તેઓએ પાત્રતાના માપદંડો, જાહેરાતની આવશ્યકતાઓ અને અન્ય શરતો નક્કી કરી છે જે તેમની સિક્યોરિટીઝની યાદી બનાવવા માંગતી કંપનીઓ દ્વારા પૂરી કરવી આવશ્યક છે. SEBI (પ્રોહિબિશન ઓફ ઈનસાઈડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, 2015: આ નિયમો સિક્યોરિટીઝમાં ઈન્સાઈડર ટ્રેડિંગને પ્રતિબંધિત કરે છે અને ઈન્સાઈડર ટ્રેડિંગને રોકવા માટેના નિયમો સૂચવે છે. તેઓ કંપનીઓને જરૂરી છે કે તેઓ અંદરના લોકોની યાદી જાળવી રાખે અને અમુક માહિતી સ્ટોક એક્સચેન્જો અને જનતાને જાહેર કરે. સેબી (સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શેર્સ એન્ડ ટેકઓવર) રેગ્યુલેશન્સ, 2011: આ નિયમો ભારતમાં લિસ્ટેડ કંપનીઓના શેરના સંપાદન અને ટેકઓવરને નિયંત્રિત કરે છે. લિસ્ટેડ કંપનીના નિયંત્રણમાં ફેરફારના કિસ્સામાં તેમને હસ્તગત કરનારાઓએ ચોક્કસ જાહેરાતો કરવાની અને લઘુમતી શેરધારકોને ખુલ્લી ઓફર કરવાની જરૂર છે. બુલિયન નિયમન ભારતમાં બુલિયન નિયમન સરકાર અને વિવિધ નિયમનકારી સંસ્થાઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. બુલિયન એ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓનો ઉલ્લેખ કરે છે, જેનો ઉપયોગ ઘણીવાર મૂલ્યના ભંડાર અને ફુગાવા સામે બચાવ તરીકે થાય છે. અહીં ભારતમાં બુલિયન નિયમનના કેટલાક મુખ્ય પાસાઓ છે: આયાત અને નિકાસ : ભારતમાં બુલિયનની આયાત અને નિકાસ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા નિયંત્રિત થાય છે. બુલિયનના આયાતકારો અને નિકાસકારોએ સંબંધિત લાઇસન્સ મેળવવા અને સરકાર દ્વારા જારી કરાયેલા વિવિધ નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. કરવેરા : બુલિયન ભારતમાં વિવિધ કરને આધીન છે, જેમાં કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત અને મૂલ્યવર્ધિત કર (VAT)નો સમાવેશ થાય છે. સરકાર ટ્રાન્ઝેક્શનના કદ અને અન્ય પરિબળોના આધારે બુલિયનના વેચાણ અથવા ટ્રાન્સફર પર પણ ટેક્સ લાદી શકે છે. હોલમાર્કિંગઃ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ભારતમાં સોના અને ચાંદીના હોલમાર્કિંગ માટે જવાબદાર છે. હોલમાર્કિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બુલિયનની શુદ્ધતા અને ગુણવત્તા સ્વતંત્ર એજન્સી દ્વારા ચકાસવામાં આવે છે અને પ્રમાણિત કરવામાં આવે છે. હોલમાર્કવાળા બુલિયનમાં BIS ચિહ્ન હોય છે, જે ધાતુની શુદ્ધતા અને ગુણવત્તા દર્શાવે છે. ટ્રેડિંગ : ભારતમાં બુલિયન ટ્રેડિંગ મુખ્યત્વે સ્પોટ અને ફ્યુચર્સ માર્કેટ દ્વારા કરવામાં આવે છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX), નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ભારતમાં બુલિયન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ માટેના ત્રણ મુખ્ય એક્સચેન્જો છે. આ એક્સચેન્જો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. રોકાણ : બુલિયન ભારતમાં રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે, અને રોકાણકારો ભૌતિક બુલિયન ખરીદી શકે છે અથવા બુલિયન આધારિત નાણાકીય ઉત્પાદનો જેમ કે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. બુલિયન આધારિત નાણાકીય ઉત્પાદનોનું નિયમન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. બુલિયન નિયમન અધિનિયમો ભારતમાં બુલિયન નિયમન વિવિધ અધિનિયમો અને નિયમો દ્વારા સંચાલિત થાય છે. ભારતમાં બુલિયન રેગ્યુલેશન સાથે સંબંધિત કેટલાક મુખ્ય અધિનિયમો અને નિયમો અહીં આપ્યા છે: IFSC ઓથોરિટી (બુલિયન એક્સચેન્જ) રેગ્યુલેશન્સ, 2020: આ કાયદો ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ને સંચાલિત કરે છે. વિદેશી વેપાર (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1992: આ કાયદો બુલિયન સહિત ભારતમાં માલની આયાત અને નિકાસને નિયંત્રિત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) બુલિયનની આયાત અને નિકાસ માટે લાઇસન્સ આપવા માટે જવાબદાર છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016: આ કાયદો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ને બુલિયન સહિત ભારતમાં માલની ગુણવત્તા અને ધોરણનું નિયમન કરવાની સત્તા આપે છે. BIS ભારતમાં સોના અને ચાંદીના હોલમાર્કિંગ માટે જવાબદાર છે. સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, 1944: આ કાયદો બુલિયન સહિત ભારતમાં માલના ઉત્પાદન અને ઉત્પાદન પર આબકારી જકાત લાવે છે. ભારતમાં સોના અને ચાંદીના બુલિયન પર હાલમાં એક્સાઈઝ ડ્યુટી લાગુ નથી. કસ્ટમ્સ એક્ટ, 1962: આ કાયદો બુલિયન સહિત ભારતમાં માલની આયાત અને નિકાસને નિયંત્રિત કરે છે. આ અધિનિયમ બુલિયન સહિત આયાત અને નિકાસ કરાયેલ માલની મંજૂરી માટેની પ્રક્રિયાઓને સ્પષ્ટ કરે છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 : આ કાયદો ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટને નિયંત્રિત કરે છે, જેમાં કોમોડિટી એક્સચેન્જો પર બુલિયન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વેપારનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 : આ એક્ટનો હેતુ બુલિયન ઉદ્યોગ સહિત ભારતમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ અટકાવવાનો છે. બુલિયન ડીલરો અને વેપારીઓએ વિવિધ એન્ટિ-મની લોન્ડરિંગ (AML) અને તમારા ગ્રાહકને જાણતા (KYC) નિયમોનું પાલન કરવું જરૂરી છે. નાણાકીય સેવાઓ લાઇસન્સ ભારતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નાણાકીય સેવાઓના લાઇસન્સ આપવામાં આવે છે જે નાણાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. અહીં ભારતમાં કેટલાક નાણાકીય સેવાઓ લાઇસન્સ છે: બેંકિંગ લાયસન્સઃ ભારતમાં બેંકોનું નિયમન બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવે છે. RBI ભારતમાં બેંકિંગ લાઇસન્સ આપવા માટે જવાબદાર છે, અને બેંકોને તેમની માલિકી, કદ અને કામગીરીના પ્રકારને આધારે વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અનુસૂચિત બેંકો એવી છે કે જે આરબીઆઈ એક્ટની બીજી સૂચિમાં સમાવિષ્ટ છે અને આરબીઆઈ પાસેથી ઉધાર લેવા જેવા અમુક વિશેષાધિકારો માટે પાત્ર છે. નોન-શેડ્યુલ બેંકો એવી છે કે જે આરબીઆઈ એક્ટની બીજી સૂચિમાં સામેલ નથી. જાહેર ક્ષેત્રની બેંકો એવી છે કે જે ભારત સરકારની માલિકીની છે, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકો એવી છે કે જે ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓની માલિકીની છે. વિદેશી બેંકો એવી છે જે ભારતમાં હાજરી ધરાવે છે પરંતુ તેનું મુખ્ય મથક દેશની બહાર છે. સહકારી બેંકો એવી છે કે જે સહકારી સંસ્થાઓની માલિકીની અને સંચાલિત હોય છે. નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) લાઇસન્સ: NBFC એ એવી નાણાકીય સંસ્થાઓ છે જે ધિરાણ, રોકાણ અને ડિપોઝિટ લેવા જેવી વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે, પરંતુ તેઓ ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારવા માટે લાઇસન્સ ધરાવતા નથી. RBI ભારતમાં NBFC લાઇસન્સ આપવા માટે જવાબદાર છે, અને NBFC ને તેમની પ્રવૃત્તિઓના આધારે વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ NBFCs (SI-NBFCs) તે છે જેની બેલેન્સ શીટનું કદ રૂ.થી વધુ છે. 500 કરોડ અથવા જાહેર ભંડોળ સ્વીકારે છે, જ્યારે બિન-પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ NBFCs (NSI-NBFCs) તે છે જે આ માપદંડોને પૂર્ણ કરતા નથી. વીમા લાયસન્સ: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) ભારતમાં વીમા કંપનીઓ માટે લાઇસન્સ આપવા માટે જવાબદાર છે. વીમા કંપનીઓ જીવન વીમો, સામાન્ય વીમો અને આરોગ્ય વીમો જેવી વિવિધ શ્રેણીઓમાં કામ કરી શકે છે. જીવન વીમા કંપનીઓ વિવિધ પ્રકારની જીવન વીમા પૉલિસી ઑફર કરે છે જેમ કે ટર્મ ઈન્સ્યોરન્સ, એન્ડોવમેન્ટ પૉલિસીઓ અને યુનિટ-લિંક્ડ વીમા યોજનાઓ (યુલિપ). સામાન્ય વીમા કંપનીઓ મોટર વીમો, હોમ ઈન્સ્યોરન્સ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ જેવી વિવિધ પ્રકારની નોન-લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ઓફર કરે છે. સ્વાસ્થ્ય વીમા કંપનીઓ વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓ ઑફર કરે છે જેમ કે વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમો, ફેમિલી ફ્લોટર સ્વાસ્થ્ય વીમો અને ગંભીર બીમારીનો વીમો. મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ: સેબી ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરવા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને લાઇસન્સ આપવા માટે જવાબદાર છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ઇક્વિટી ફંડ્સ, ડેટ ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સ જેવા વિવિધ પ્રકારના ફંડ ચલાવવાની છૂટ છે. ઇક્વિટી ફંડ્સ મુખ્યત્વે સ્ટોક્સમાં રોકાણ કરે છે, ડેટ ફંડ્સ મુખ્યત્વે બોન્ડ્સમાં રોકાણ કરે છે, જ્યારે હાઇબ્રિડ ફંડ્સ સ્ટોક્સ અને બોન્ડ્સના સંયોજનમાં રોકાણ કરે છે. સ્ટોક બ્રોકર લાયસન્સ: સેબી ભારતમાં સ્ટોક બ્રોકરોને લાઇસન્સ પણ જારી કરે છે. સ્ટોક બ્રોકર્સ મધ્યસ્થી છે જે ભારતમાં સ્ટોક એક્સચેન્જો પર ગ્રાહકો વતી સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણની સુવિધા આપે છે. સ્ટોક બ્રોકર્સ વિવિધ કેટેગરીમાં કામ કરી શકે છે જેમ કે ફુલ-સર્વિસ બ્રોકર્સ અને ડિસ્કાઉન્ટ બ્રોકર્સ. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ લાઇસન્સ: સેબી ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને લાઇસન્સ પણ ઇશ્યુ કરે છે. ડિપોઝિટરી સહભાગીઓ મધ્યસ્થી છે જે ડિપોઝિટરી સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યોરિટીઝના હોલ્ડિંગ અને ટ્રેડિંગ સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. ડિપોઝિટરી સહભાગીઓ NSDL અને CDSL જેવી વિવિધ શ્રેણીઓમાં કામ કરી શકે છે. આ પણ જુઓ ભારતીય રિઝર્વ બેંક ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી સ્ત્રોતો ઉપરોક્ત મુદ્દાઓ માટેની માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી હતી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ભારતીય રિઝર્વ બેંક : સત્તાવાર વેબસાઇટ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાઃ સત્તાવાર વેબસાઈટ નાણા મંત્રાલય, ભારત સરકાર : સત્તાવાર વેબસાઇટ વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ : સત્તાવાર વેબસાઇટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી : સત્તાવાર વેબસાઇટ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા : સત્તાવાર વેબસાઈટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી : સત્તાવાર વેબસાઇટ જર્નલ્સ અને વધુ વાંચન બેંકિંગ રેગ્યુલેશન જર્નલ: લિંક ઇન્ડિયન જર્નલ ઓફ ફાઇનાન્સ: લિંક ફાયનાન્સ ઈન્ડિયા: લિંક આર્થિક અને રાજકીય સાપ્તાહિક: લિંક ભારતમાં નાણાકીય ક્ષેત્રનું નિયમન: લિંક ભારતમાં નાણાકીય સમાવેશ, નિયમન અને શિક્ષણની સ્થિતિ: લિંક જયંત વર્મા અને સુમિત અગ્રવાલ દ્વારા ભારતમાં નાણાકીય નિયમન નાણાકીય નિયમન: રાજેશ ચક્રવર્તી અને ટીટી રામ મોહન દ્વારા બદલાતી ગતિશીલતા ટીઆર ભટ દ્વારા ભારતમાં નાણાકીય બજારો અને સંસ્થાઓ એમએલ તન્નન દ્વારા ભારતમાં બેંકિંગ નિયમન ભારતી વી. પાઠક દ્વારા ભારતીય નાણાકીય વ્યવસ્થા સંદર્ભ નોંધો બાહ્ય કડીઓ શ્રેણી:અર્થતંત્ર શ્રેણી:ભારત
ચેલેશન
https://gu.wikipedia.org/wiki/ચેલેશન
ચેલેશન એ મેટલ આયનો સાથે આયનો અને પરમાણુઓના બંધનનો એક પ્રકાર છે. તેમાં પોલિડેન્ટેટ (મલ્ટીપલ બોન્ડેડ) લિગાન્ડ અને સિંગલ સેન્ટ્રલ મેટલ અણુ વચ્ચે બે કે તેથી વધુ અલગ સંકલન બોન્ડની રચના અથવા હાજરીનો સમાવેશ થાય છે. આ લિગાન્ડ્સને ચેલન્ટ્સ, ચેલેટર્સ, ચેલેટિંગ એજન્ટ્સ અથવા સિક્વેસ્ટરિંગ એજન્ટ્સ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે કાર્બનિક સંયોજનો હોય છે, પરંતુ આ જરૂરી નથી, જેમ કે ઝિંકના કિસ્સામાં છે અને તેનો ઉપયોગ વિલ્સન રોગવાળા લોકોમાં તાંબાના શોષણને રોકવા માટે જાળવણી ઉપચાર તરીકે થાય છે.http://goldbook.iupac.org/C01012.html ચેલેશન પોષક પૂરવણીઓ પ્રદાન કરવા માટે, શરીરમાંથી ઝેરી ધાતુઓને દૂર કરવા માટે ચેલેશન થેરાપીમાં, એમઆરઆઈ સ્કેનિંગમાં કોન્ટ્રાસ્ટ એજન્ટ તરીકે, સજાતીય ઉત્પ્રેરકનો ઉપયોગ કરવાના ઉત્પાદનમાં, રાસાયણિક પાણીની સારવારમાં ધાતુઓને દૂર કરવામાં મદદ કરવા અને ખાતરોમાં ઉપયોગી છે. સંદર્ભ
બનારસી દાસ
https://gu.wikipedia.org/wiki/બનારસી_દાસ
બાબુ બનારસી દાસ (૮ જુલાઈ ૧૯૧૨ - ૩ ઓગસ્ટ ૧૯૮૫) તરીકે જાણીતા બનારસી દાસ ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર હતા. કારકિર્દી બનારસી દાસ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. ભારતની આઝાદીની લડત દરમિયાન તેઓ ઘણી વખત જેલમાં ગયા હતા. તેઓ ૧૯૭૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાપુડ અથવા ખુર્જાથી જનતા પાર્ટીના સભ્ય તરીકે બંને બેઠકો પર ચૂંટાયા હતા. તેઓ ૨૮ ફેબ્રુઆરી ૧૯૭૯ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યારે જનતા પક્ષનું વિભાજન થયું ત્યારે તેઓ ચરણસિંહના જૂથમાં જોડાયા હતા. તેઓ ૧૯૮૦ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. અંગત જીવન બનારસી દાસનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ઉતરાવલીમાં થયો હતો. બનારસી દાસ પરિણીત હતા અને તેમને પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ હતી. તેમના બે પુત્રો તેમના પગલે રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. સૌથી મોટા પુત્ર હરેન્દ્ર અગ્રવાલ વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય હતા અને ભારતીય રાજકારણમાં સક્રિય છે. સૌથી નાના પુત્ર સ્વ. ડૉ. અખિલેશ દાસ ગુપ્તાDetailed Profile – Dr. Akhilesh Das Gupta – Members of Parliament (Rajya Sabha) – Who's Who – Government: National Portal of India . Archive.india.gov.in. Retrieved on 8 November 2018. રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને બહુજન સમાજ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી હતા અને મનમોહન સિંહ સરકારમાં રાજ્યમંત્રી હતા.Cong MP quits party, attacks Rahul `coterie`. Sify.com. Retrieved on 8 November 2018. વિરાસત દાસને દર્શાવતી એક ભારતીય ટપાલ ટિકિટ ૨૦૧૩ માં બહાર પાડવામાં આવી હતી. લખનઉની બાબુ બનારસી દાસ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમનું નામ તેમના માનમાં આપવામાં આવ્યું છે. સંદર્ભ બાહ્ય કડીઓ ટૂંકું જીવનચરિત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રેણી:૧૯૧૨માં જન્મ શ્રેણી:૧૯૮૫માં મૃત્યુ શ્રેણી:રાજકારણી
ઇન્ટરનેટનો ઇતિહાસ
https://gu.wikipedia.org/wiki/ઇન્ટરનેટનો_ઇતિહાસ
ઈન્ટરનેટનો ઈતિહાસ ઈન્ફર્મેશન થિયરી અને કોમ્પ્યુટર નેટવર્ક્સ બનાવવા અને ઈન્ટરકનેક્ટ કરવાના વૈજ્ઞાનિકો અને ઈજનેરોના પ્રયત્નોથી ઉદભવે છે. ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ, ઈન્ટરનેટ પર નેટવર્ક્સ અને ઉપકરણો વચ્ચે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતા નિયમોનો સમૂહ, યુનાઈટેડ સ્ટેટ્સમાં સંશોધન અને વિકાસથી ઉદ્ભવ્યો હતો અને તેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ સામેલ હતો, ખાસ કરીને યુનાઈટેડ કિંગડમ અને ફ્રાન્સના સંશોધકો સાથે. કમ્પ્યુટર વિજ્ઞાન એ 1950 ના દાયકાના અંતમાં એક ઉભરતી શિસ્ત હતી જેણે કમ્પ્યુટર વપરાશકર્તાઓ વચ્ચે સમય-વહેંચણીને ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું, અને પછીથી, વિશાળ વિસ્તાર નેટવર્ક્સ પર આ પ્રાપ્ત કરવાની સંભાવના. J. C. R. Licklider એ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DoD) એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (ARPA) ના ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ટેકનિક ઓફિસ (IPTO) ખાતે સાર્વત્રિક નેટવર્કનો વિચાર વિકસાવ્યો હતો. સ્વતંત્ર રીતે, RAND કોર્પોરેશનમાં પોલ બારને 1960ના દાયકાની શરૂઆતમાં મેસેજ બ્લોક્સમાં ડેટાના આધારે વિતરિત નેટવર્કનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ડોનાલ્ડ ડેવિસે 1965માં નેશનલ ફિઝિકલ લેબોરેટરી (NPL) ખાતે પેકેટ સ્વિચિંગની કલ્પના કરી હતી, જેમાં યુનાઈટેડમાં રાષ્ટ્રીય વ્યાપારી ડેટા નેટવર્કનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્ય. સંદર્ભ
કરાર નિષ્ફળતા
https://gu.wikipedia.org/wiki/કરાર_નિષ્ફળતા
કરારની નિષ્ફળતા એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે કે જેમાં સામાન અથવા સેવાનો ઉપભોક્તા તેની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હોય છે, આમ ઉત્પાદકને નીચી ગુણવત્તાની ચીજવસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરે છે. આવી વર્તણૂક સબઓપ્ટીમલ આર્થિક પરિસ્થિતિઓ બનાવે છે. બિન-નફાકારક સંસ્થાઓના અસ્તિત્વ માટે કરાર નિષ્ફળતા એ એક સમજૂતી છે, જોકે બિન-નફાકારક પણ યોગ્ય પરિસ્થિતિઓમાં કરાર નિષ્ફળતાનો ભોગ બની શકે છે. કરારની નિષ્ફળતા બજારની નિષ્ફળતા સાથે જોડાયેલ છે, પરંતુ તેનાથી અલગ છે સામાન્ય રીતે, બિન-લાભકારી સંસ્થાઓ વધુ વિશ્વાસપાત્ર હોય છે કારણ કે તેમની કોર્પોરેટ રચનાઓ છેતરપિંડી કરવા માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નથી. માહિતી અસમપ્રમાણતા કરારની નિષ્ફળતાના જાણીતા કારણને માહિતી અસમપ્રમાણતા કહેવામાં આવે છે; જ્યારે એક પક્ષ (ઉત્પાદક) પાસે ઉત્પાદન અથવા સેવા વિશે અન્ય પક્ષ (ઉપભોક્તા) કરતાં વધુ માહિતી હોય છે.[9] બંને પક્ષો વચ્ચે માહિતીની અસમાનતા છે. યંગના મતે, ત્યાં ત્રણ કારણો છે જેમાં અસમપ્રમાણ માહિતી સાથે વ્યવહાર કરતી પરિસ્થિતિઓ ઊભી થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, 1) ઉત્પાદન અથવા સેવાની ગુણવત્તા ખૂબ જટિલ છે જેમ કે તબીબી સંભાળ અથવા ઉચ્ચ શિક્ષણ; 2) ઉત્પાદન અથવા સેવાના અંતિમ ઉપભોક્તા તેનું મૂલ્યાંકન કરી શકતા નથી જેમ કે દૈનિક સંભાળમાં બાળક અથવા નર્સિંગ હોમમાં વૃદ્ધ વ્યક્તિ; અને 3) ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતો નથી જેણે તેને ખરીદ્યું છે, તેથી ખરીદનાર ક્યારેય જાણશે નહીં કે નિર્માતાએ જે વચન આપ્યું હતું તે પહોંચાડ્યું કે નહીં સંદર્ભ
વશ
https://gu.wikipedia.org/wiki/વશ
વશ એ ૨૦૨૩ની ભારતીય ગુજરાતી ભાષાની અલૌકિક હોરર થ્રિલર ચિત્રપટ છે. જેનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ કે.એસ એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી કરવામાં આવ્યું છે. અને પનોરમા સ્ટુડિયો દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચિત્રપટ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પ્રકાશિત થઈ હતી. કલાકારો જાનકી બોડીવાળા નીલમ પંચાલ હિતુ કનોડિયા હિતેન કુમાર આર્યબ સંઘવી પ્રકાશીત આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશીત થઈ હતી. રિમેક વશ ચલચિત્ર ની રિમેક હિન્દી ભાષા માં પણ બની રહી છે. જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાળા , અજય દેવગણ , જ્યોતિકા અને આર.માધવન જોવા મળશે. આ ચિત્રપટ ૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ સમગ્ર ભારતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થશે. સંદર્ભ બાહ્ય કડીઓ
મુનશી નવલ કિશોર
https://gu.wikipedia.org/wiki/મુનશી_નવલ_કિશોર
મુનશી નવાલ કિશોર (૩ જાન્યુઆરી ૧૮૩૬ – ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫) ભારતના એક પુસ્તક પ્રકાશક હતા. તેમને ભારતના કેક્સટન કહેવામાં આવે છે. ૧૮૫૮માં ૨૨ વર્ષની વયે તેમણે લખનૌ ખાતે નવલ કિશોર પ્રેસની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે છાપકામ અને પ્રકાશન ક્ષેત્રે એશિયાની સૌથી જૂની સંસ્થા છે.Empire of Books, An: The Naval Kishore Press and the Diffusion of the Printed Word in Colonial India, Ulrike Stark, Orient Blackswan, 1 June 2009 મિર્ઝા ગાલિબ તેમના પ્રશંસકોમાંના એક હતા. જીવન પરિચય thumb|૧૯૭૦ની ભારતીય ટપાલ ટિકિટ પર મુનશી નવલ કિશોર મુનશી નવલ કિશોર અલીગઢના જમીનદાર મુનશી જમુનાપ્રસાદ ભાર્ગવના બીજા પુત્ર હતા અને તેમનો જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૬ના રોજ થયો હતો. છ વર્ષની ઉંમરે, તેમને અરબી અને ફારસી શીખવા માટે એક સ્થાનિક શાળા (મકતાબ)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ વર્ષની ઉંમરે તેમને આગ્રા કોલેજમાં એડમિશન મળ્યું હતું, પરંતુ તેમણે કોઈ અજ્ઞાત કારણોસર ત્યાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું ન હતું. આ સમય દરમિયાન, તેમણે પત્રકારત્વના લેખનમાં તેમની રુચિ વિકસાવી, અને ટૂંકા ગાળાનું સાપ્તાહિક પેપર સફીર-એ-આગ્રા બહાર પાડ્યું. તેમણે મુનશી હરસુખ રોયની માલિકીના કોહ-એ-નૂર પ્રેસના મેગેઝિન કોહિનૂરના સહાયક સંપાદક અને સંપાદક તરીકે થોડા સમય માટે સેવા આપી હતી. ૨૩ નવેમ્બર ૧૮૫૮ના રોજ તેમણે મુનશી નવલ કિશોર પ્રેસ તરીકે ઓળખાતા પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી. ૧૮૫૯થી, તેમણે સાપ્તાહિક અખબાર અવધ અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. તેમનું અવસાન ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ દિલ્હીમાં થયું હતું. તેમના પાર્થિવ દેહને પરંપરાગત અંતિમ સંસ્કારને બદલે દફનાવવામાં આવ્યો હતો.Burial of Munshi Newal Kishore . ભારત સરકારે તેમના માનમાં ૧૯૭૦માં તેમના પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. મુનશી નવાલ કિશોરે ૧૮૫૮–૧૮૮૫ દરમિયાન અરબી, બંગાળી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, પશ્તો, ફારસી, સંસ્કૃત અને ઉર્દૂમાં ૫૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. રામ કુમાર પ્રેસ અને તેજ કુમાર પ્રેસ, જે તેમના પુત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, તે નવલ કિશોર પ્રેસના અનુગામી છે. મુનશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. નોંધ સંદર્ભ પૂરક વાંચન શ્રેણી:પ્રકાશક શ્રેણી:૧૮૯૫માં મૃત્યુ
આત્મારામ ગજ્જર
https://gu.wikipedia.org/wiki/આત્મારામ_ગજ્જર
આત્મારામ મંછારામ ગજ્જર (૧૯૦૧―૧૯૬૧) અમદાવાદ, ગુજરાતના ભારતીય સ્થપતિ હતા. જીવનચરિત્ર ગજ્જરનો જન્મ ૧૯૦૧માં થયો હતો. તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ની સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. તેઓ ભારતના સ્થપતિઓની એ પ્રથમ પેઢીમાંના એક હતા જેમણે પશ્ચિમી સ્થાપત્ય શૈલીનો અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદમાં કામ શરૂ કર્યું. તેમની ઇમારતો સમકાલીન પશ્ચિમી સ્થાપત્ય તત્વો અને પરંપરાગત ભારતીય સ્થાપત્યના તત્વો જેમ કે પથ્થરની જાળી અને છજાનો ઉપયોગ દર્શાવે છે. તેમની ઇમારતો એડવિન લ્યુટિયન્સ અને વિન્સેન્ટ એશ દ્વારા પ્રભાવિત હતી જ્યારે તેમની પછીની ઇમારતો બૌહૌસનો પ્રભાવ દર્શાવે છે. તેમણે ભારતીય આર્ટ ડેકો શૈલીની ઇમારતો પણ ડિઝાઇન કરી હતી. ૧૯૬૧માં અમદાવાદમાં તેમનું અવસાન થયું. ત્યારબાદ તેમની ઓફિસ હસમુખ પટેલ દ્વારા ચલાવવામાં આવી હતી. ઇમારતો અમદાવાદમાં નીચેની ઇમારતોની રચના તેમના દ્વારા કરવામાં આવી હતી: thumb| ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય ઇમારત એલ. ડી. કોલેજ ઓફ આર્ટસ (૧૯૩૭) શોધન હાઉસ (૧૯૩૯, હવે તોડી પાડવામાં આવ્યું છે.) એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ (૧૯૪૬) એલ. ડી. કોલેજ ઓફ ફાર્મસી (૧૯૪૭) એલડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ બિલ્ડિંગ્સ (૧૯૪૮) ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય ઇમારત (૧૯૪૭) એ. જી. ટીચર્સ ટ્રેનિંગ કોલેજ (૧૯૫૦ના દાયકાના અંતમાં) લો ગાર્ડન પાસે ગજ્જર હોલ સેન્ટ ઝેવિયર્સ કોલેજ (૧૯૫૬) સંદર્ભ શ્રેણી:૧૯૬૧માં મૃત્યુ શ્રેણી:૧૯૦૧માં જન્મ
જેઠાભાઈ રાઠોડ
https://gu.wikipedia.org/wiki/જેઠાભાઈ_રાઠોડ
જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડ (મૃત્યુ ૧૨ મે ૨૦૨૩) ગુજરાત રાજ્યના ભારતીય રાજકારણી હતા જેમણે ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ખેડબ્રહ્માનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. કારકિર્દી રાઠોડ ૧૯૬૭માં તાલુકા પંચાયતની ચુંટણી માત્ર ૧૯૫ મતથી હાર્યા હતા. સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે, રાઠોડે ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારને ૧૭૦૦૦ મતોના તફાવતથી હરાવ્યા હતા. તેમણે ચૂંટણીમાં સાઇકલ પર પ્રચાર કર્યો હતો. તેમણે ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ખેડબ્રહ્માનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ વિધાનસભામાં હાજરી આપવા માટે રાજ્ય પરિવહનની બસનો ઉપયોગ કરતા હતા. તેઓએ તેમનું બાકીનું જીવન ગરીબીમાં વીતાવ્યું અને સરકારી સહાય માટે બીપીએલ કાર્ડ ધરાવતા હતા. તેમને કોઈ પેન્શન મળ્યું ન હતું. ઉંમર સંબંધિત ટૂંકી માંદગી બાદ એક મહિના પછી, ૧૨ મે ૨૦૨૩ ના રોજ ટેબડા ગામમાં ૮૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના મૃતદેહનો બીજા દિવસે તેમના ગામ નજીક સાબરમતી નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય તુષાર અમરસિંહ ચૌધરી અને અન્ય સ્થાનિક રાજકારણીઓએ હાજરી આપી હતી. અંગત જીવન રાઠોડ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ટેબડા ગામમાં રહેતા હતા. તેમણે શારદાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બીજી પત્ની પણ હતી. તેમને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. સંદર્ભ શ્રેણી:૨૦૨૩માં મૃત્યુ શ્રેણી:રાજકારણી
તેંબાડા (તા. પોશીના)
https://gu.wikipedia.org/wiki/તેંબાડા_(તા._પોશીના)
REDIRECT ટેબડા (તા. પોશીના)
કમલા હેરિસ
https://gu.wikipedia.org/wiki/કમલા_હેરિસ
કમલા હેરિસ (જ. ૨૦ ઓક્ટોબર ૧૯૬૪) એક અમેરિકન રાજકારણી છે અને હાલમાં કેલિફોર્નિયાના અને ભારતીય-આફ્રિકન વંશના સેનેટર છે. કમલા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. ૨૦૨૦ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને હરાવીને કમલાનું જાન્યુઆરી ૨૦૨૧ માં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે, અમેરિકન ઇતિહાસમાં સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી મહિલા ચૂંટાયેલી અધિકારી છે, પ્રથમ આફ્રિકન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે અને પ્રથમ એશિયન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલી કમલાએ હોવર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, હેસ્ટિંગ્સ કોલેજ ઓફ લોમાંથી સ્નાતક થયા. સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાં અને બાદમાં સાન ફ્રાન્સિસ્કોની સિટી એટર્ની ઑફિસમાં દાખલ થતાં પહેલાં તેણે અલમેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૩ માં, તેણી સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે ચૂંટાઈ હતી. તેઓ ૨૦૧૦ માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાયા હતા અને ૨૦૧૪ માં ફરીથી ચૂંટાયા હતા. કમલાએ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી કેલિફોર્નિયાથી જુનિયર યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર તરીકે સેવા આપી હતી. હેરિસે ૨૦૧૬ની સેનેટ ચૂંટણીમાં લોરેટા સાંચેઝને હરાવ્યા હતા. તેમણે હેલ્થકેર રિફોર્મ, કેનાબીસનું ફેડરલ ડી-શેડ્યુલિંગ, બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાનો માર્ગ, ડ્રીમ એક્ટ, બંદૂક પર પ્રતિબંધ અને પ્રગતિશીલ કર સુધારાની હિમાયત કરી હતી. તેણીએ ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વિશે પૂછેલા પ્રશ્નો માટે સેનેટની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય પ્રોફાઇલ મેળવી હતી, જેમાં ટ્રમ્પના બીજા સુપ્રીમ કોર્ટના નોમિની બ્રેટ કેવનો, જેમના પર જાતીય હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કમલાએ ૨૦૨૦ ની ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશનની માંગ કરી હતી, પરંતુ પ્રાઈમરી પહેલા રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને ઓગસ્ટ ૨૦૨૦માં કમલા હેરિસને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા હતા અને નવેમ્બર ૨૦૨૦ની ચૂંટણીમાં બિડેન-હેરિસની ટિકિટ જીતી હતી. તેમણે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શ્રેણી:૧૯૬૪માં જન્મ શ્રેણી:અમેરિકન વ્યક્તિત્વ
ગુજરાત સરકારની એજન્સીઓની યાદી
https://gu.wikipedia.org/wiki/ગુજરાત_સરકારની_એજન્સીઓની_યાદી
ગુજરાત સરકારની સંસ્થાઓ એ ભારતના ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર અથવા ભારત સરકાર દ્વારા વ્યાપારી અને બિન-વ્યાવસાયિક સંસ્થાઓ છે. આમાં રાજ્ય સંચાલિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો ( પીએસયુ ), વૈધાનિક નિગમો અને સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. આ વ્યાપારી સંસ્થાઓ આ રાજ્યના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં 97 રાજ્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) છે. 2018માં, 50 PSUsએ CAGના રિપોર્ટ અનુસાર નફો કર્યો હતો. 5 ગુજરાત PSUs ફોર્ચ્યુન ઈન્ડિયા 500 માં સ્થાન બનાવે છે. 2018 માં, સાત ગુજરાત PSUs પણ D&Bના ભારતના ટોચના 500 માં સ્થાન મેળવે છે પ્રસ્તાવના ગુજરાતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) તેમની પ્રકૃતિ અને હેતુના આધારે જુદા જુદા અધિનિયમો હેઠળ સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં PSUs કે જેના હેઠળ સ્થાપવામાં આવે છે તેમાંથી કેટલાક મહત્વના અધિનિયમો અહીં છે: કંપની એક્ટ, 2013 : ગુજરાતમાં ઘણા જાહેર ક્ષેત્રના ઉપક્રમો ( પીએસયુ ) કંપની એક્ટ, 2013 હેઠળ સ્થપાયા છે. આ અધિનિયમ ભારતમાં કંપનીઓના નિવેશ, કામગીરી અને નિયમન માટે જોગવાઈ કરે છે. આ અધિનિયમ હેઠળ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) જેવી કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ અધિનિયમ, 1951: આ અધિનિયમ ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ (GSFC) ની સ્થાપના માટે જોગવાઈ કરે છે, જે રાજ્યમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એક્ટ, 1972: આ અધિનિયમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (GIIC) ની સ્થાપના માટે જોગવાઈ કરે છે, જે રાજ્યમાં ઔદ્યોગિક એકમોને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, 1962: આ અધિનિયમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) ની સ્થાપના માટે જોગવાઈ કરે છે, જે ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે, ઉદ્યોગોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ, 1961: આ અધિનિયમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ની સ્થાપના માટે જોગવાઈ કરે છે, જે રાજ્યમાં ખનિજોની શોધ, શોષણ અને પ્રક્રિયા માટે જવાબદાર છે. પીએસયુ(PSUs)ની યાદી જાહેર ક્ષેત્રના ઉપક્રમો ( પીએસયુ ) એ સરકારની માલિકીની સંસ્થાઓ છે, જે ભારત સરકાર અથવા ભારતની રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત અને માલિકીની છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોની સ્થાપના કાં તો રાષ્ટ્રીયકરણ દ્વારા કરવામાં આવે છે અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અથવા કેન્દ્ર સરકારના કિસ્સામાં સંસદના અધિનિયમ અને રાજ્ય સરકારના કિસ્સામાં રાજ્ય વિધાનસભાના અધિનિયમ દ્વારા સરકારને નફો મેળવવાના હેતુથી સ્થાપિત કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, નાગરિકોને પોસાય તેવા ભાવે ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે, સરકારી યોજનાઓનો અમલ કરે છે અને દેશના દૂરના સ્થળોએ ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડે છે. સેક્ટર દ્વારા જાહેર ક્ષેત્રના ઉપક્રમોની યાદી : કૃષિ અને સહકાર વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ1ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિગાંધીનગર 2ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિગાંધીનગર 3ગુજરાત રાજ્ય બીજ નિગમ લિગાંધીનગર4ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિગાંધીનગર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ના.PSU નું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ5ગુજરાત પાવર કોર્પોરેશન લિગાંધીનગર 6ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડગાંધીનગર7GSPC LNG લિમિટેડગાંધીનગર8GSPC (JPDA) લિમિટેડગાંધીનગર9જીએસપીસી પીપાવાવ પાવર કોર્પોરેશન લિમિટેડગાંધીનગર 10ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડગાંધીનગર11જીએસપીએલ ઈન્ડિયા ગેસનેટ લિમિટેડઅમદાવાદ12જીએસપીએલ ઈન્ડિયા ટ્રાન્સકો લિમિટેડઅમદાવાદ13ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડવડોદરા 14ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડવડોદરા 15ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડમહેસાણા 16દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડસુરત 17પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડરાજકોટ 18મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડવડોદરા 19ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન કંપની લિમિટેડવડોદરા 20ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિવડોદરા 21ભાવનગર એનર્જી કંપની લિભાવનગર 22ગુજરાત ઇન્ફો પેટ્રો લિમિટેડગાંધીનગર23ગુજરાત ગેસ કંપની લિમિટેડવડોદરા નાણા વિભાગ ના.PSUમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ24ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડગાંધીનગર25ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના.PSUમુખ્ય મથક શહેરસત્તાવાર વેબસાઇટ26ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડગાંધીનગર વન અને પર્યાવરણ વિભાગ ના.PSUસત્તાવાર વેબસાઇટ27ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડવડોદરા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ28ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડગાંધીનગર 29ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડગાંધીનગર ગૃહ વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ30ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડગાંધીનગર ઉદ્યોગ અને ખાણ વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ31આલ્કોક એશડાઉન (ગુજરાત) લિમિટેડભાવનગર32ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડઅમદાવાદ33ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિઅમદાવાદ 34ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડગાંધીનગર35ગુજરાત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડઅમદાવાદ 36ગુજરાત ગ્રામીણ ઔદ્યોગિક માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડઅમદાવાદ37ગુજરાત ગ્રોથ સેન્ટર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડગાંધીનગર38ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની ઓફ ગુજરાત લિમિટેડગાંધીનગર39ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી લિમિટેડઅમદાવાદ40ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોર્પોરેશન લિગાંધીનગર41ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડઅમદાવાદ 42ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડગાંધીનગર 43દહેજ SEZ લિમિટેડભરૂચ44ગુજરાત પ્રવાસ વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર45ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડગાંધીનગર 46નર્મદા ક્લીન ટેકભરૂચ47સરીગામ સ્વચ્છ પહેલવલસાડ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા કલ્પસર વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ48ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર 49સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડગાંધીનગર50ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડગાંધીનગર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ના.PSU નું નામમુખ્ય મથક શહેરસત્તાવાર વેબસાઇટ51ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર 52ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડગાંધીનગર બંદરો અને પરિવહન વિભાગ ના.PSU નું નામમુખ્યાલયવેબસાઈટ53ગુજરાત પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કંપનીગાંધીનગર54ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમઅમદાવાદ55ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર56ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ ના.PSU નું નામમુખ્યાલયવેબસાઈટ57ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિગાંધીનગર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ58ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડગાંધીનગર59ગુજરાત ISP સર્વિસીસ લિમિટેડગાંધીનગર60ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડગાંધીનગર 61BISAG સેટેલાઇટ કોમ્યુનિકેશનગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ62ગુજરાત લઘુમતી નાણા અને વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર63ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર64ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર65ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર66ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમગાંધીનગર67આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા ડોગાંધીનગર68બિન અનામત વર્ગ શિક્ષાનિક અને આર્થિક વિકાસ નિગમગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ69ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડગાંધીનગર70ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રો લિંક એક્સપ્રેસઅમદાવાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ ના.PSU નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ71ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડગાંધીનગર વૈધાનિક નિગમની યાદી વૈધાનિક કોર્પોરેશનો સંસદના વિશેષ અધિનિયમ દ્વારા અસ્તિત્વમાં આવેલી સરકારી સંસ્થાઓ છે. આ અધિનિયમ તેની સત્તાઓ અને કાર્યો, તેના કર્મચારીઓને સંચાલિત કરતા નિયમો અને નિયમો અને સરકારી વિભાગો સાથેના તેના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. સેટર દ્વારા ગુજરાતમાં વૈધાનિક નિગમની યાદી: કૃષિ અને સહકાર વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ1ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનગાંધીનગર વન અને પર્યાવરણ વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ2ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડગાંધીનગર ઉદ્યોગો અને ખાણ વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ3ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમગાંધીનગર4ગુજરાત રાજ્ય નાણાકીય નિગમઅમદાવાદ 5ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડગાંધીનગર6ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડઅમદાવાદ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા કલ્પસર વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ7ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)ગાંધીનગર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ8ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડગાંધીનગર બંદરો અને પરિવહન વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ9ગુજરાત મેરીટાઇમ બોર્ડગાંધીનગર 10ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પો.અમદાવાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ11ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમઅમદાવાદ12ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ વિકાસ નિગમગાંધીનગર આદિજાતિ વિકાસ વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ13ગુજરાત આદિજાતિ વિકાસ નિગમવડોદરા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના.કોર્પોરેશનનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ14ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડગાંધીનગર 15ગુજરાત હાઉસિંગ બોર્ડઅમદાવાદ સંયુક્ત ક્ષેત્રની કંપનીઓની યાદી ગુજરાત સરકારની સંયુક્ત સાહસ કંપનીઓની યાદી: કૃષિ અને સહકાર વિભાગ ના.કંપની નું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ1ગ્રોમેક્સ એગ્રી ઇક્વિપમેન્ટ લિમિટેડવડોદરા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ના.કંપની નું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ2ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડવડોદરા3ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડવડોદરા4ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડભરૂચ5સાબરમતી ગેસ કંપની લિમિટેડગાંધીનગર6ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડવડોદરા ઉદ્યોગ અને ખાણ વિભાગ ના.કંપની નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ7ગુજરાત રેલ્વે અને શહેરી વિકાસ કંપની લિમિટેડગાંધીનગર8ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિગાંધીનગર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ના.કંપની નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ9ક્રિએટિવ ઇન્ફોસિટી લિમિટેડગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના.કંપની નું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ10ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડગાંધીનગર નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા કલ્પસર વિભાગ ના.કંપની નું નામમુખ્યાલયસત્તાવાર વેબસાઇટ11ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડવડોદરા રાજ્ય સરકાર સત્તાવાળાઓ રાજ્ય સરકાર સત્તાધિકારીઓ(અથૉરિટી)ની યાદી: ઉદ્યોગ અને ખાણ વિભાગ ના.ઓથોરિટીનું નામમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ1ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાદેશિક વિકાસ સત્તામંડળધોલેરા 2ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટીઅમદાવાદ3ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડસુરત 4ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ગિફ્ટ સિટી5મંડળ બેચરાજી ઇન્વેસ્ટમેન્ટ પ્રાદેશિક વિકાસ સત્તામંડળબેચરાજી શહેરી વિકાસ ના.શહેરી વિકાસ સત્તામંડળમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ1ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળગાંધીનગર 2અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળઅમદાવાદ3વડોદરા શહેરી વિકાસ સત્તામંડળવડોદરા4સુરત શહેરી વિકાસ સત્તામંડળસુરત5રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળરાજકોટ6જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળજુનાગઢ7ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળભરૂચ 8ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી શહેરી દેવ. ઓથ.ગાંધીનગર9મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળમોરબી 10સુરેન્દ્રનગર-દુધરગે-વઢવાણ શહેરી દેવ. સત્તાસુરેન્દ્રનગર 11આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી દેવ. સત્તાઆણંદ 12હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળહિંમતનગર 13નવસારી શહેરી વિકાસ સત્તામંડળનવસારી14બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળબારડોલી વિસ્તાર વિકાસ ના.વિસ્તાર વિકાસ સત્તામંડળમુખ્યમથક શહેરસત્તાવાર વેબસાઇટ1ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળભાવનગર2જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળજામનગર3ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળભુજ4અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળઅંજાર 5ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળભચાઉ 6રાપર વિસ્તાર વિકાસ સત્તા મંડળરાપરN/A7અંબાજી વિસ્તાર વિકાસ સત્તામંડળઅંબાજીN/A8અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળઅલંગN/A9વાડીનાર વિસ્તાર વિકાસ સત્તા મંડળવાડીનારN/A10ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળખંભડિયાN/A11શામળાજી વિસ્તાર વિકાસ સત્તા મંડળશામળાજીN/A12ખાજોદ વિસ્તાર વિકાસ સત્તા મંડળખાજોદN/A13ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળગાંધીધામN/A નિષ્ક્રિય કંપનીઓ નિષ્ક્રિય કંપનીઓની યાદી: કંપની નું નામસ્થિતિગુજરાત ફિશરીઝ દેવ. કોર્પોરેશન લિ.બિન-કાર્યકારીગુજરાત ડેરી દેવ. કોર્પોરેશન લિ.બિન-કાર્યકારીગુજરાત સ્ટેટ કન્સ્ટ્રક્શન કો. લિ.બિન-કાર્યકારીગુજરાત રાજ્ય મશીન ટૂલ્સ લિ.બિન-કાર્યકારીગુજરાત ટ્રાન્સ-રિસીવર્સ લિ.બિન-કાર્યકારીગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિ.લિક્વિડેશન હેઠળગુજરાત લેધર ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.લિક્વિડેશન હેઠળગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિ.લિક્વિડેશન હેઠળગુજરાત સ્ટેટ ટેક્સટાઈલ કોર્પોરેશનલિક્વિડેશન હેઠળગુજરાત ફિન્ટેક્સ લિ.લિક્વિડેશન હેઠળગુજરાત સિલ્ટેક્સ લિ.લિક્વિડેશન હેઠળગુજરાત ટેક્સફેબ લિ.લિક્વિડેશન હેઠળGSFS કેપિટલ એન્ડ સિક્યોરિટીઝ લિ.બિન-કાર્યકારીનૈની કોલ કંપની લિ.બિન-કાર્યકારી* PSU ના નવીનતમ C&AG અહેવાલ મુજબ આ પણ જુઓ ભારતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાત રાજ્ય હસ્તકના સાહસો ગુજરાતમાં PSU શ્રેણી:ગુજરાત સરકાર
ગદર દી ગૂંજ
https://gu.wikipedia.org/wiki/ગદર_દી_ગૂંજ
thumb|ગદર દી ગૂંજ ગદર દી ગૂંજ (પંજાબી: ਗ਼ਦਰ ਦੀ ਗੂੰਜ, અનુવાદ: વિદ્રોહના પડઘાઓ) ગદર પાર્ટી દ્વારા સંકલિત એક પુસ્તક હતું, જેના પર ૧૯૧૩માં બ્રિટિશ સરકારે ભારતમાં પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તકમાં રાષ્ટ્રીય અને સમાજવાદી વિચારધારાનું સાહિત્ય સંકલિત કરવામાં આવ્યું હતું. ૧૯૧૩-૧૪માં સાન ફ્રાન્સિસ્કોથી ગદર સાપ્તાહિકમાં હિન્દુસ્તાન ગદર પ્રેસ દ્વારા પ્રકાશિત સાહિત્યમાં ગુરુમુખી અને શાહમુખીનાં ગીતો અને કવિતાઓનો સંગ્રહ છે અને તેમાં ભારતની રાજકીય પરિસ્થિતિને સંબોધવામાં આવી છે. ભારતમાં પ્રસાર માટે તે સમયે ગદર દી ગૂંજ અને તલવાર નામથી પત્રિકાઓ તૈયાર કરવામાં આવી. બ્રિટિશ ભારત સરકાર દ્વારા આ પત્રિકાઓને રાજદ્રોહી પ્રકાશનો જાહેર કરવામાં આવ્યા હતા અને ભારતમાં તેના પ્રકાશન અને પ્રસાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંદર્ભ ગદર દી ગૂંજ Sikh Religion, Culture and Ethnicity by Gurharpal Singh, Christopher Shackle. 2001 Handbook of Twentieth-Century Literatures of India by Nalini Natarajan, Emmanuel Sampath Nelson.1996 બાહ્ય કડીઓ હિન્દુસ્તાન ગદર સંગ્રહ. બેનક્રોફ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે શ્રેણી:પુસ્તક
ગુલાબસિંહ લોધી
https://gu.wikipedia.org/wiki/ગુલાબસિંહ_લોધી
ગુલાબસિંહ લોધી એક સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. જીવન પરિચય ગુલાબ સિંહ લોધીનો જન્મ વર્ષ ૧૯૦૩માં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના (ચંડિકા ખેરા) ફતેહપુર ચૌરાસી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ લોધી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઠાકુર રામ રતન સિંહ લોધી ખેડૂત હતા. તેમના બાળપણ વિશે બહુ ઓછી માહિતી પ્રાપ્ત છે. જ્યારે સ્વતંત્રતા ચળવળનો ઉત્સાહ ચરમસીમાએ હતો ત્યારે લોધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. ઓગસ્ટ ૧૯૩૫માં, ગુલાબસિંહ લોધીએ લખનઉ ખાતે ત્રિરંગો ફરકાવવા માટે અમીનાબાદ પાર્ક તરફ કૂચ કરતી એક શોભાયાત્રામાં ભાગ લીધો હતો. ધ્વજારોહણને રોકવા માટે બ્રિટિશ સૈનિકોએ આ પાર્કને ઘેરી લીધો હતો. ગુલાબસિંહ લોધીએ સશસ્ત્ર બળના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો અને ત્રિરંગા સાથે એક ઝાડ પર ચઢી ગયા હતા. જ્યારે તેઓ ઝાડ પર ધ્વજ ફરકાવી રહ્યા હતા, ત્યારે એક બ્રિટિશ અધિકારીએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.|title=Gulab Singh Lodhi |date=13 january 2015 લખનૌના અમીનાબાદમાં આવેલા ઝંડેવાલા પાર્ક ખાતે તેમનું અવસાન થયું હતું. વિરાસત ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ગુલાબસિંહ લોધીના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.website |url=http://www.istampgallery.com/gulab-singh-lodhi/|title= Gulab Singh Lodhi |date=13 january 2015 ૨૦૦૪માં ઉદ્યાનમાં તેમની પ્રતિમા બનાવવામાં આવી હતી પરંતુ ૨૦૦૯ સુધીમાં તે જર્જર સ્થિતિમાં આવી ગઈ હતી. સંદર્ભ શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી:૧૯૦૩માં જન્મ શ્રેણી:૧૯૩૫માં મૃત્યુ
દામનગર (તા. લાઠી)
https://gu.wikipedia.org/wiki/દામનગર_(તા._લાઠી)
દામનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લાઠી તાલુકામાં આવેલું એક ગામ છે. દામનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. શ્રેણી:લાઠી તાલુકો શ્રેણી:સૌરાષ્ટ્ર
શુકાનંદ સ્વામી
https://gu.wikipedia.org/wiki/શુકાનંદ_સ્વામી
શુકાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણના અંગત સચિવ હતા તેથી તેમના જમણા હાથ તરીકે પણ ઓળખાતા. ભગવાન સ્વામિનારાયણનો પત્ર વ્યવહાર પણ તેઓ સંભાળતા હતા. શુકાનંદ સ્વામીનો જન્મ વિ.સં. ૧૮૫૫માં ડભાણ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જગન્નાથ હતુ. બાળપણથી જ તેઓ ભક્તિમાં રુચિ ધરાવતા હતા. ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મેળાપ થયો અને પરિણામે ભગવાન સ્વામિનારાયણની સેવા કરવા તેઓ ગઢડા ગયા. દિક્ષા પ્રસંગે સ્વામીનારાયણે તેમને મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા જેમણે તેમને દિક્ષા આપી શુકાનંદ નામ આપ્યું. તેમની વિદ્વતા, સાધુતા અને લેખનશૈલીથી ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન રહેતા. અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી. શુકાનંદ સ્વામીએ સતત ભગવાન સ્વામિનારાયણના પત્રો અને ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે. વચનામૃતમાં પણ તેમને બહુ મોટા સાધુ તરીકે વર્ણવવામાં આવ્યા છે. શુકાનંદ સ્વામીએ સંસ્કૃતમાં ૭ અને ગુજરાતીમાં ૯ ગ્રંથો લખ્યા છે. ૧૨ વર્ષ સુધી તાવથી પીડાઈ ને સં. ૧૯૨૫ની માગશર વદ પાંચમના રોજ વડતાલમાં તેમનું અવસાન થયું. સંદર્ભો શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય
જેથાભાઈ રાઠોડ
https://gu.wikipedia.org/wiki/જેથાભાઈ_રાઠોડ
REDIRECT જેઠાભાઈ રાઠોડ
નારાયણ દત્ત તિવારી
https://gu.wikipedia.org/wiki/નારાયણ_દત્ત_તિવારી
નારાયણ દત્ત તિવારી (૧૮ ઑક્ટોબર ૧૯૨૫ – ૧૮ ઑક્ટોબર ૨૦૧૮) ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ (તત્કાલીન ઉત્તરાંચલ) ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેમણે ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (૧૯૭૬-૭૭, ૧૯૮૪-૮૫, ૧૯૮૮-૮૯) અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી (૨૦૦૨-૦૭) તરીકે સેવા આપી હતી. ૧૯૮૬ અને ૧૯૮૮ ની વચ્ચે, તેમણે વડાપ્રધાન રાજીવ ગાંધીની કેબિનેટમાં પહેલા વિદેશ મંત્રી તરીકે અને પછી નાણા મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. પ્રારંભિક જીવન અને શિક્ષણ નારાયણ દત્ત તિવારીનો જન્મ ૧૯૨૫માં નૈનિતાલ જિલ્લા ના બલુતી ગામમાં થયો હતો. ત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની રચના થઈ ન હતી, અને આ ભાગ ૧૯૩૭થી ભારતના સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતો હતો. સ્વતંત્રતા પછી, જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેનું નામ ઉત્તર પ્રદેશ પડ્યું. તિવારીના પિતા પૂર્ણાનંદ તિવારી વન વિભાગમાં અધિકારી હતા. તેથી તેમની આર્થિક સ્થિતિ સારી હતી. પૂર્ણાનંદે મહાત્મા ગાંધી ના અસહયોગ આંદોલનના આહ્વાન પર તેમના પદ પરથી રાજીનામું આપ્યું.Umachand Handa. History of Uttaranchal. Indus Publishing, p. 210. 2002. .Narayan Datt Tiwari profiles.incredible-people.com. નારાયણ દત્ત તિવારીનું પ્રારંભિક શિક્ષણ હલ્દવાની, બરેલી અને નૈનિતાલમાંથી થયું હતું. પિતાની બદલીને કારણે એક શહેરમાંથી બીજા શહેરમાં રહેતા તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો પડ્યો.Biographical Sketch Governor of Andhra Pradesh, website. તેમના પિતાની જેમ તેઓ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. ૧૯૪૨માં, બ્રિટિશ સરકારની સામ્રાજ્યવાદી નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો અને પેમ્ફલેટ્સ સાથે સહયોગ અને છાપવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ કરીને નૈનિતાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેના પિતા પૂર્ણાનંદ તિવારી પહેલાથી જ આ જેલમાં બંધ હતા.Uttar Pradesh District Gazetteers, p. 64. Government of Uttar Pradesh. 1959. 15 મહિના જેલમાં રહ્યા બાદ ૧૯૪૪માં તેને મુક્ત કરવામાં આવ્યા. તિવારીએ બાદમાં અલાહાબાદ યુનિવર્સિટી માંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કર્યું. એમ.એ.ની પરીક્ષામાં તે યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા. બાદમાં તેણે એ જ યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પણ મેળવી હતી. ૧૯૪૭માં, સ્વતંત્રતાના વર્ષમાં, તેઓ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.આ તેમની રાજકીય કારકિર્દીનું પ્રથમ પગલું હતું. રાજકીય જીવન આઝાદી પછી ૧૯૫૦ માં ઉત્તર પ્રદેશની રચના અને ૧૯૫૧-૫૨ માં રાજ્યની પ્રથમ વિધાનસભા ચૂંટણી પછી, તિવારીએ નૈનિતાલ (ઉત્તર) બેઠક પરથી પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો. તેઓ કોંગ્રેસ નું જોર હોવા છતાં ચૂંટણી જીત્યા અને પ્રથમ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તે ખૂબ જ રસપ્રદ છે કે તિવારીએ, જેઓ પાછળથી કોંગ્રેસમાં જોડાયા હતા, તેમણે સમાજવાદી પાર્ટીથી શરૂઆત કરી હતી. ત્યારે ૪૩૧ સભ્યોની વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ૨૦ લોકો ચૂંટાયા હતા. કોંગ્રેસ સાથે તિવારીના સંબંધોની શરૂઆત ૧૯૬૩માં થઈ હતી. ૧૯૬૫માં, તેઓ કોંગ્રેસની ટિકિટ પર કાશીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા અને પ્રથમ વખત મંત્રી પરિષદમાં સ્થાન મેળવ્યું. કોંગ્રેસ સાથેનો તેમનો દાવ ઘણા વર્ષો સુધી ચાલ્યો. તેમણે ૧૯૬૮માં જવાહરલાલ નહેરુ યુવા કેન્દ્રની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી તેઓ કોંગ્રેસના યુવા સંગઠનના પ્રમુખ હતા. ૧ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ તેઓ પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. આ કાર્યકાળ ખૂબ જ ટૂંકો હતો. ૧૯૭૭ના જયપ્રકાશ આંદોલને ૩૦ એપ્રિલે તેમની સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તિવારી ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ એકમાત્ર એવા રાજકારણી છે જે બે રાજ્યોના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ઉત્તર પ્રદેશના વિભાજન પછી તેઓ ઉત્તરાંચલના મુખ્યમંત્રી પણ બન્યા. તેમને કેન્દ્રીય મંત્રી તરીકે પણ યાદ કરવામાં આવે છે. ૧૯૯૦માં એક સમય એવો હતો જ્યારે રાજીવ ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન તરીકેના તેમના દાવાની પણ ચર્ચા થતી હતી. પરંતુ આખરે કોંગ્રેસની અંદર પીવી નરસિમ્હા રાવ ના નામ પર મહોર લાગી ગઈ.The second-most-popular candidate is Narayan Datt Tiwari... New York Times, 26 May 1991. બાદમાં તેમણે ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, જે ઉત્તર પ્રદેશમાંથી વિભાજિત કરવામાં આવ્યું હતું. તિવારીને ૧૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમનો કાર્યકાળ અહીં ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. ૧૮ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ, તેમના પુત્ર રોહિત શેખર તિવારી (વકીલ અને ભૂતપૂર્વ સલાહકાર, ઉત્તર પ્રદેશ સરકાર) અને તેમની પત્ની ડૉ. ઉજ્જવલા તિવારી સાથે, BJP પ્રમુખ અમિત શાહ ની હાજરીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે તેમને આશીર્વાદ અને સમર્થન આપ્યું.to-bjp/articleshow/56642428.cms Congress veteran ND Tiwari, son blesssings to BJPNarayan Datt Tiwari, 91, Is The BJP's Latest Import From Congress; Package Deal Includes Son Rohit Shekhar Tiwari
નાણામંત્રી
https://gu.wikipedia.org/wiki/નાણામંત્રી
નાણામંત્રી એ સરકારમાં કેબિનેટ મંત્રી પદ છે. તેમનું કામ દેશનું સામાન્ય બજેટ તૈયાર કરવાનું છે અને તેઓ દેશના અર્થતંત્રના મુખ્ય સંચાલક હોય છે. બાહ્ય કડીઓ નાણા મંત્રાલય
કેબિનેટ મંત્રી
https://gu.wikipedia.org/wiki/કેબિનેટ_મંત્રી
સરકારના ઉચ્ચ સ્તરીય નેતાઓના જૂથને કેબિનેટ કહેવામાં આવે છે. ઘણીવાર તેમને મંત્રી કહેવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ તેમને 'સચિવ' પણ કહેવામાં આવે છે. મંત્રીમંડળ એ ઇંગ્લેન્ડની શાસન પ્રણાલીમાંથી વિકસિત સરકારી તંત્રનો મુખ્ય અને મહત્વપૂર્ણ ભાગ છે. તેની પ્રથા લગભગ તે બધા દેશોમાં છે, જે બ્રિટિશ કોમનવેલ્થના સભ્યો છે. આ માળખું અન્ય કેટલાક દેશોમાં પણ પ્રચલિત છે. તે ભારતની કેન્દ્રીય અને પ્રાદેશિક સરકારનો પણ એક ભાગ છે.
અર્થતંત્ર
https://gu.wikipedia.org/wiki/અર્થતંત્ર
અર્થતંત્ર (અંગ્રેજી: Economy) એ ઉત્પાદન, વિતરણ અને વપરાશની સામાજિક વ્યવસ્થા છે. તે ચોક્કસ દેશ અથવા પ્રદેશમાં અર્થશાસ્ત્રનું ગતિ ચિત્ર છે. આ ચિત્ર ચોક્કસ સમયગાળા માટેનું છે. ઉદાહરણ તરીકે જો આપણે 'સમકાલીન ભારતીય અર્થતંત્ર' કહીએ તો તેનો અર્થ થાય છે. વર્તમાનમાં ભારતની તમામ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ણન. ઇતિહાસ અર્થશાસ્ત્રમાંથી, વ્યક્તિ એક વસ્તુનો ઉપયોગ વિનિમયક્ષમ રીતે કરે છે. સંધિ તોડવા પર, તે બે શબ્દોને મળવાથી રચાય છે: અર્થ અને વ્યવસ્થા. અર્થ મુદ્રા એટલે કે ધન (પૈસા)નો ઉલ્લેખ કરે છે અને વ્યવસ્થા નો અર્થ એક સ્થાપિત પ્રક્રિયા છે. આ શબ્દનો સૌથી જૂનો ઉલ્લેખ ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. અર્થતંત્રનો પ્રાચીન ઇતિહાસ સુમેર રાજવંશના સમયથી જાણીતો છે જ્યારે તેઓ વિનિમય આધારિત વિનિમય પ્રણાલીનો ઉપયોગ કરતા હતા. મધ્યકાલીન સમયગાળામાં, મોટાભાગનો વેપાર સામાજિક જૂથમાં થતો હતો. આધુનિક યુગમાં મોટાભાગનો વેપાર યુરોપના દેશો વિવિધ દેશોને ગુલામ બનાવીને કરતા હતા. અત્યારે અર્થતંત્ર હેઠળ સામ્યવાદ અને મૂડીવાદ નામની બે વિચારધારાઓ ઉભરી આવી. શ્રેણી:અર્થશાસ્ત્ર
પી.વી. નરસિંહ રાવ
https://gu.wikipedia.org/wiki/પી.વી._નરસિંહ_રાવ
thumb|પી.વી. નરસિમ્હા રાવ પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ (૨૮ જૂન ૧૯૨૧ - ૨૩ ડિસેમ્બર ૨૦૦૪) જેઓ પી.વી. નરસિંહ રાવ તરીકે વધુ જાણીતા હતા, ભારતના ૯મા વડાપ્રધાન હતા. 'લાઈસન્સ રાજ'નો અંત અને ભારતીય અર્થવ્યવસ્થામાં ઉદારીકરણની શરૂઆત તેમના વડાપ્રધાનપદ દરમિયાન થઈ હતી. તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા. વડાપ્રધાન તરીકે તેમના વડાપ્રધાન બનવામાં ભાગ્યનો મોટો સાથ છે. ૨૧ મે ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સહાનુભૂતિની લહેરથી કોંગ્રેસને ફાયદો થયો. ૧૯૯૧ની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. રાજીવ ગાંધીની હત્યા પહેલા પ્રથમ તબક્કાની ચૂંટણીઓ અને તેમની હત્યા બાદ બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પ્રથમ તબક્કાની સરખામણીએ સારું રહ્યું હતું. તેનું મુખ્ય કારણ રાજીવ ગાંધીની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિની લહેર હતી. કોંગ્રેસને આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળી પરંતુ ૨૩૨ બેઠકો સાથે તે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. ત્યારબાદ નરસિંહ રાવને કોંગ્રેસ સંસદીય દળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આવી સ્થિતિમાં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. સરકાર લઘુમતીમાં હતી પરંતુ કોંગ્રેસે તેની બહુમતી સાબિત કરવા માટે પૂરતા સાંસદો ભેગા કર્યા અને કોંગ્રેસ સરકારે સફળતાપૂર્વક તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી. પીવી નરસિંહ રાવે ખૂબ જ મુશ્કેલ સમયમાં દેશની કમાન સંભાળી હતી. તે સમયે ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર ભયજનક સ્તરે ઘટી ગયો હતો અને દેશનું સોનું પણ ગીરવે મૂકવું પડ્યું હતું. તેમણે રિઝર્વ બેંકના અનુભવી ગવર્નર મનમોહન સિંહને નાણામંત્રી બનાવીને દેશને આર્થિક વમળમાંથી બહાર કાઢ્યો. આ પણ જુઓ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સંદર્ભ બાહ્ય કડીઓ નરસિંહ રાવ - દેશની આર્થિક સ્વતંત્રતાના મસીહા ભારતના વડાપ્રધાનોની સત્તાવાર વેબસાઇટ (અંગ્રેજીમાં) શ્રેણી:ભારતના વડાપ્રધાન શ્રેણી:૧૯૨૧માં જન્મ શ્રેણી:૨૦૦૪માં મૃત્યુ
ચંદ્રશેખર
https://gu.wikipedia.org/wiki/ચંદ્રશેખર
ચંદ્રશેખર સિંહ (૧૭ એપ્રિલ ૧૯૨૭ - ૮ જુલાઈ ૨૦૦૭) ભારતના આઠમા વડાપ્રધાન હતા. પ્રારંભિક જીવન તેમનો જન્મ ૧૯૨૭માં પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ઇબ્રાહિમપટ્ટી ખાતે એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ભીમપુરાની રામ કરણ ઈન્ટર કોલેજમાં થયું હતું. તેમણે અલાહાબાદ યુનિવર્સિટી માંથી એમ.એ. ની ડિગ્રી મેળવી. તેઓ વિદ્યાર્થી રાજકારણમાં "ફાયરબ્રાન્ડ" તરીકે જાણીતા હતા. વિદ્યાર્થી જીવન પછી, તેઓ સમાજવાદી રાજકારણમાં સક્રિય થયા. રાજકીય જીવન ૧૯૬૨ થી ૧૯૭૭ સુધી તેઓ રાજ્યસભા, ભારતના ઉપલા ગૃહના સભ્ય હતા. ૧૯૮૪ માં, તેમણે ભારતની પદયાત્રા કરી, જેના દ્વારા તેમણે ભારતને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. ૧૯૭૭માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે તેમણે મંત્રી પદ લેવાને બદલે જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું. વર્ષ ૧૯૭૭માં જ તેઓ બલિયા જિલ્લામાંથી પહેલીવાર લોકસભાના સાંસદ બન્યા હતા. સંદર્ભ શ્રેણી:૨૦૦૭માં મૃત્યુ શ્રેણી:ભારતના વડાપ્રધાન શ્રેણી:૧૯૨૭માં જન્મ
ચૌધરી ચરણ સિંહ
https://gu.wikipedia.org/wiki/ચૌધરી_ચરણ_સિંહ
ચૌધરી ચરણ સિંહ (૨૩ ડિસેમ્બર ૧૯૦૨ - ૨૯ મે ૧૯૮૭) એક ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ આ પદ પર ૨૮ જુલાઈ ૧૯૭૯થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી રહ્યા હતા. જીવન ચરણ સિંહનો જન્મ જાટ પરિવારમાં થયો હતો. તેમણે સ્વતંત્રતા સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમણે બરેલી જેલમાંથી બે ડાયરીના રૂપમાં એક પુસ્તક પણ લખ્યું હતું. આઝાદી પછી તેઓ રામ મનોહર લોહિયાની ગ્રામીણ સુધારણા ચળવળમાં સામેલ થયા. તેમનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૦૨ના રોજ નૂરપુર ગામ, તહસીલ હાપુર, જિલ્લો ગાઝિયાબાદ, કમિશનરેટ મેરઠ માં બાબુગઢ છાવણી પાસે, છાણવાળી છતવાળી માટીની ઝૂંપડીમાં થયો હતો. ચૌધરી ચરણ સિંહના પિતા ચૌધરી મીર સિંહે તેમના નૈતિક મૂલ્યો ચરણ સિંહને વારસામાં સોંપ્યા હતા. ચરણ સિંહના જન્મના છ વર્ષ પછી, ચૌધરી મીર સિંહ અને તેમનો પરિવાર નૂરપુરથી જાની ખુર્દ નજીક ભૂપગઢીમાં સ્થાયી થયો. આ વાતાવરણમાં જ ચૌધરી ચરણસિંહના યુવાન હૃદયમાં ગામડા-ગરીબ-ખેડૂતના શોષણ સામે સંઘર્ષનું બીજ રોપાયું હતું. ૧૯૨૮માં આગ્રા યુનિવર્સિટી માંથી કાયદાનું શિક્ષણ લીધા પછી, ચૌધરી ચરણ સિંહે ગાઝિયાબાદમાં પ્રામાણિકતા, નિખાલસતા અને નિષ્ઠાપૂર્વક વકીલાત કરવાનું શરૂ કર્યું. વકીલાત જેવા પ્રોફેશનલ વ્યવસાયમાં પણ ચૌધરી ચરણ સિંહ એવા જ કિસ્સાઓ સ્વીકારતા હતા જેમાં અસીલનો પક્ષ ન્યાયી હોય. ૧૯૨૯ માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણાથી પ્રભાવિત થઈને, યુવા ચરણ સિંહે ગાઝિયાબાદમાં કોંગ્રેસ સમિતિની રચના કરી. ૧૯૩૦માં, મહાત્મા ગાંધી દ્વારા સવિનય કાનૂન ભંગ ચળવળ હેઠળ મીઠાના કાયદાને તોડવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી. આઝાદીના પ્રેમી ચરણ સિંહે ગાઝિયાબાદની સરહદે વહેતી હિંડોન નદી પર મીઠું બનાવ્યું હતું. પરિણામે ચરણસિંહને ૬ મહિનાની સજા થઈ. જેલમાંથી પાછા ફર્યા પછી, ચરણ સિંહે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં પણ ચરણ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૧૯૪૧માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયે સમગ્ર દેશમાં અસંતોષ હતો. મહાત્મા ગાંધીએ કરો યા મરોનું આહ્વાન કર્યું હતું. અંગ્રેજો ભારત છોડોનો અવાજ સમગ્ર ભારતમાં ગુંજવા લાગ્યો. ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ઓગસ્ટ ક્રાંતિનીના વાતાવરણમાં યુવા ચરણ સિંહ ગાઝિયાબાદ, હાપુર, મેરઠ, મવાના, સરથના, બુલંદશહેર માં ભૂગર્ભમાં રહી ગામડાઓમાં ગુપ્ત ક્રાંતિકારી સંગઠનની રચના કરી. મેરઠ કમિશનરેટમાં, યુવા ચરણ સિંહે તેના ક્રાંતિકારી મિત્રો સાથે બ્રિટિશ શાસનને વારંવાર પડકાર ફેંક્યો. મેરઠ પ્રશાસને ચરણ સિંહને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. એક તરફ પોલીસ ચરણસિંહની શોધખોળ કરતી હતી, તો બીજી તરફ યુવક ચરણસિંહ જાહેર સભાઓ કરીને જતા રહેતા હતા. આખરે પોલીસે એક દિવસ ચરણસિંહની ધરપકડ કરી. તેમને રાજબંધી તરીકે દોઢ વર્ષની સજા થઈ હતી. ચૌધરી ચરણ સિંહ દ્વારા જેલમાં જ લખાયેલું પુસ્તક "શિષ્ટાચાર" ભારતીય સંસ્કૃતિ અને સમાજના શિષ્ટાચારના નિયમોનો એક મૂલ્યવાન દસ્તાવેજ છે. રાજકીય જીવન કોંગ્રેસના લોહાર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી પ્રભાવિત થઈને યુવા ચૌધરી ચરણસિંહ રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે ગાઝિયાબાદમાં કોંગ્રેસ સમિતિની રચના કરી. જ્યારે મહાત્મા ગાંધીએ ૧૯૩૦માં સવિનય અવજ્ઞા ચળવળની હાકલ કરી ત્યારે તેમણે હિંડોન નદી પર મીઠું બનાવીને તેમને સમર્થન આપ્યું હતું. જેના માટે તેને જેલ પણ જવું પડ્યું હતું. તેમને ખેડૂતોના નેતા માનવામાં આવે છે. તેમના દ્વારા તૈયાર કરાયેલ જમીનદારી નાબૂદી બિલ રાજ્યના કલ્યાણના સિદ્ધાંત પર આધારિત હતું. ૧ જુલાઈ, ૧૯૫૨ ના રોજ, તેમના કારણે, યુપીમાં જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી અને ગરીબોને તેમના અધિકારો મળ્યા. તેણે એકાઉન્ટન્ટની પોસ્ટ પણ બનાવી. ખેડૂતોના હિતમાં તેમણે ૧૯૫૪માં ઉત્તર પ્રદેશ જમીન સંરક્ષણ કાયદો પસાર કર્યો હતો. તેઓ ૩ એપ્રિલ ૧૯૬૭ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. ૧૭ એપ્રિલ ૧૯૬૮ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. મધ્યસત્ર ચૂંટણીમાં તેમને સારી સફળતા મળી અને ૧૭ ફેબ્રુઆરી ૧૯૭૦ના રોજ ફરીથી મુખ્યમંત્રી બન્યા. તે પછી, જ્યારે તેઓ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી બન્યા ત્યારે તેમણે મંડલ અને લઘુમતી આયોગની સ્થાપના કરી. નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે તેમણે ૧૯૭૯માં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ની સ્થાપના કરી. ૨૮ જુલાઈ ૧૯૭૯ના રોજ, ચૌધરી ચરણ સિંહ સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ (યુ)ના સમર્થનથી વડાપ્રધાન બન્યા. સંદર્ભો શ્રેણી:ભારતના વડાપ્રધાન શ્રેણી:૧૯૦૨માં જન્મ શ્રેણી:૧૯૮૭માં મૃત્યુ
પી.વી. નરસિમ્હા રાવ
https://gu.wikipedia.org/wiki/પી.વી._નરસિમ્હા_રાવ
REDIRECT પી.વી. નરસિંહ રાવ
વીરસિંહ મોહનિયા
https://gu.wikipedia.org/wiki/વીરસિંહ_મોહનિયા
વીરસિંહ ગંગજીભાઈ મોહનીયા એ ગુજરાત રાજ્યના ભારતીય રાજકારણી છે જેમણે ૧૯૭૨ થી ૧૯૮૦ સુધી લીમખેડાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી છે. કારકિર્દી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન) ના ઉમેદવાર તરીકે, તેમણે ૧૯૭૨ અને ૧૯૭૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે બે મુદત માટે લીમખેડાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી; ૧૯૭૨-૧૯૭૫ અને ૧૯૭૫-૧૯૮૦. અંગત જીવન મોહનીયા ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામમાં રહે છે. તે ગરીબીમાં જીવે છે અને ખેતમજૂરી કરે છે. તેમને ત્રણ પુત્રો અને છ પુત્રીઓ છે. તેમની પાસે ૩ એકર બિનપિયત ખેતીની જમીન છે જ્યારે બાકીની પૂર્વજોની ખેતીની જમીન રેલવે દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. સંદર્ભ શ્રેણી:રાજકારણી
ગુજરાતના તાલુકાઓ
https://gu.wikipedia.org/wiki/ગુજરાતના_તાલુકાઓ
વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન
https://gu.wikipedia.org/wiki/વૈશ્વિક_બૌદ્ધ_શિખર_સંમેલન
વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન એ એક વૈશ્વિક પરિષદ હતી જેનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે કર્યું હતું. તેમાં ઘણા દેશોના બૌદ્ધ સાધુઓ, વિદ્વાનો, સંઘના નેતાઓ અને ધર્મના અભ્યાસુઓએ ભાગ લીધો હતો. આ શિખર સંમેલનનું આયોજન દિલ્હીની અશોક હોટલમાં ૨૦-૨૧ એપ્રિલ દરમ્યાન કરવામાં આવ્યું હતું.https://www.vtvgujarati.com/news-details/pm-modi-will-address-the-global-buddhist-summit-buddhist-monks-from-many-countries-will ૨૦૨૩ના સંમેલનમાં ૧૭૩ લોકો હાજર રહ્યા હતા જેમાં સંઘના ૮૪ સભ્યો અને ૧૫૧ ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ભારતીય સહભાગીઓમાં સંઘના ૪૬ સભ્યો, ૪૦ સાધ્વીઓ અને દિલ્હીની બહારના વિસ્તારોના ૬૫ સામાન્ય લોકો હતા. આ સમિટની થીમ "સમકાલીન પડકારોના પ્રતિભાવોઃ ફિલોસોફીથી પ્રેક્ટિસ સુધી" પર કેન્દ્રિત હતી. વિદેશના ૧૭૧ પ્રતિનિધિઓ અને ભારતીય બૌદ્ધ સંગઠનોના ૧૫૦ પ્રતિનિધિઓએ ૨૦-૨૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભાગ લીધો હતો. ઉદ્દેશ્યો સંમેલનનો પ્રાથમિક ઉદ્દેશ્ય તાકીદના વૈશ્વિક મુદ્દાઓને સંબોધવાનો અને બુદ્ધ ધમ્મના સાર્વત્રિક મૂલ્યોમાં રહેલા ઉકેલોની શોધ કરવાનો છે. આનો હેતુ સામાન્ય બૌદ્ધ વિદ્વાનો અને ધર્મગુરુઓ માટે ફળદાયી ચર્ચામાં જોડાવા માટે એક મંચ સ્થાપિત કરવાનો છે. સમિટનો ઉદ્દેશ્ય ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સાથે સંરેખણમાં, સાર્વત્રિક શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના અંતિમ ધ્યેય સાથે શાંતિ, કરુણા અને સંવાદિતા પરના બુદ્ધના ઉપદેશોને ઊંડાણપૂર્વક સમજવાનો છે. તદુપરાંત, સમિટ એવા દસ્તાવેજ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે જે વધુ શૈક્ષણિક સંશોધન માટેના આધાર તરીકે સેવા આપી શકે, વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય સંબંધોના સાધન તરીકે તેની સંભવિતતાની શોધ કરી શકે. ૨૦૨૩ સમિટ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેની ગ્રાન્ટી સંસ્થા ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC)ના સહયોગથી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના વિવિધ ભાગોમાંથી પ્રતિષ્ઠિત વિદ્વાનો, સંઘના નેતાઓ અને ધર્મ સાધકો સાથે મળીને તાકીદના વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા અને બુદ્ધ ધમ્મના સાર્વત્રિક મૂલ્યોમાં રહેલા ઉકેલો શોધવા. ૧૪મા દલાઈ લામા (દેશનિકાલ તિબેટ), ખાંબા લામા ગબ્જુ ચોઈજામટ્સ ડેમ્બરેલ (મોંગોલિયા), ચામગોન કેન્ટિંગ તાઈ સિતુપા (તિબેટ), ભિક્ષુ ધમ્મા શોભન મહાથેરો (નેપાળ), અને થિચ થીએન તાન (વિયેતનામ) જેવા મહેમાનો. તેમની જમણી બાજુએ વસકાડુવે મહિન્દાવંસા મહાનાયકે થેરો (શ્રીલંકા), અભિધજામહારાહથાગુરુ સયાદવ ડૉ. અશિન ન્યાનિસારા (બર્મા), સાક્ય ટ્રિઝિન, ખોંડુંગ જ્ઞાન વજ્ર રિન્પોચે (તિબેટ), પદ્મ આચાર્ય કર્મ રંગડોલ (ભુતાન, થેન્જિન ક્યેન્પોચેન) ચોફાક ( તિબેટ) અને ડૉ ધમ્મપિયા (ભારત) સમિટમાં હાજરી આપી હતી. સંદર્ભ